Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ તત્વષિ અષ્ટક બહિર્દષ્ટિને પ્રકાશ ( પ્રકાશ )ચન્દ્રાસન્નતા પ્રત્યય ન્યાયે ભમરૂપ વિષતાની છાયા છે. તેને વિશ્વાસ તત્ત્વજ્ઞાની ન કરે, કારણ કે તે અનન્દષ્ટિ સુખથી પૂર્ણ છે. બ્રમથી ઉત્પન્ન થયેલી અને ભાતિને હેતુ બાહ્ય દષ્ટિ સંસારનું કારણ હોવાથી નિવારવા ગ્ય છે. તત્વદષ્ટિ કલ્યાણ કરનારી છે અને બ્રાન્તિ રહિત છે. હે ભવ્ય! બાહ્યદષ્ટિ એ બાહ્ય ભાનુ અવલોકન કરવારૂપ છે. આ મેં સારું કર્યું છે અને આ ખરાબ કર્યું છે, આ કરું છું, આ કરવા ગ્ય છે' ઇત્યાદિ અવેલેકનરૂપ દષ્ટિ ભ્રમની રક્ષણ કરનારી વાડી છે અને ભ્રમના વિકલ્પને વધારનારી છે. બાહ્ય અવલોકનથી ઈચ્છતા અને અનિષ્ટતાના ચિન્તન વડે વિકલ્પની કલ્પનાઓ થાય છે અને પરભાવના અવકનથી વ્યાકુલ થયેલી ચેતના આત્મતત્ત્વથી વિમુખ થઈને પરભાવમાં રમે છે. કહ્યું છે કે - "रागे दोसे रत्तो इटाणिदुहिं भमसुहं पत्तो। कप्पेइ कप्पणाओ मज्झेयं अहं पि एयस्स" // રાગ-દ્વેષમાં મગ્ન થયેલ આત્મા ઈષ્ટ અને અનિષ્ટપણથી બ્રાન્તિના સુખને પ્રાપ્ત થઈ “આ મારું છે, અને હું પણ એને છું" એવી અનેક કલ્પનાઓ કરે છે.' બાહ્ય દષ્ટિથી જોવું તે બ્રમને પ્રકાશ છે. શુભ પુદુગલના સંગમાં સુખને આરેપ અને તેની અપ્રાપ્તિમાં કે અશુભ પુગલની પ્રાપ્તિમાં દુઃખને આરોપ તે તેવા પ્રકારનું એકાન્ત આરેપિત જ્ઞાન છે. તે ભ્રમની શીતલતા અથવા પ્રકાશરૂપ છે, ભાતિના સ્થાનમાં બાહ્ય દષ્ટિ રમણ