Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ vvvvvvvv **vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv r * * 194 મૌનાષ્ટક છે. એ પ્રકારે કહેવાથી એમ જણાવ્યું કે પરની આશા જ દુખ છે. જે વિકારરહિત, અખંડ, સચ્ચિદાનન્દમય અને સ્વાભાવિક આત્મધર્મના ભક્તાને પરભાવને અભિલાષા માત્ર જ દુઃખરૂપ છે તે પરવસ્તુની આશા કેમ કરવી? એમ સ્વ–પરના વિવેક વડે પરભાવને રોકવાથી જેણે આત્માને અનન્ત આનન્દ પ્રગટ કર્યો છે એવા આત્માને નિ:સ્પૃહપણું એ ધર્મ છે અને તેના અનુભવથી સુખ છે. માટે સ્પૃહા તજવા ગ્ય છે. કારણ કે સ્પૃહા આત્મિક સામર્થ્યહીન મનુષ્યને થાય છે, પરંતુ આ આત્મા તે પૂર્ણ આનન્દવાળે, સંપૂર્ણ શેયને જાણનાર, સર્વ પદાર્થને જાણવાના સ્વભાવવાળો અને શુદ્ધ આત્માનન્દને ભક્તા પરમ પદાર્થ છે, અનાદિકાળથી સ્વતત્વના અનુભવથી ભ્રષ્ટ થયો હોવાને લીધે તેને પરવસ્તુની સ્પૃહા થાય છે, તે પણ અવ્યાબાધસ્વરૂપ આત્માની ભાવના વડે ઢંકેલ્કીર્ણ ન્યાયથી જેણે આત્માનું સ્વરૂપ જાણ્યું છે તેને પરવસ્તુની સ્પૃહા થતી નથી. 13 मौनाष्टक मन्यते यो जगत्तत्त्वं स मुनिः परिकीर्तितः। सम्यक्त्वमेव तन्मौनं मौनं सम्यत्तवमेव वा // 1 // જે જગતના તત્ત્વને જાણે તે મુનિ' એમ તીર્થંકર-ગણ 1 =જે. વાસ્તવં=જગતના સ્વરૂપને. મચતે જાણે છે. સઃ=તે. મુનિ =મુનિ. પરિકીર્તિત:=કહેલ છે. તત્વ=તેથી. સગેવં=સમ્યકત્વ. પર્વજ. મૌનં=મુનિ પણું. (છે) વા=અને. મૌનં=મુનિપણું સભ્ય ત્વમેવક સમ્યકત્વ જ છે,