Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ રાનસાર 193 છે કે બાહ્ય સંપત્તિ રહિત નિસ્પૃહ મુનિને ચક્રવર્તીથી પણ અધિક સુખ છે. ચક્રવતી વગેરે, વિનેશ્વર અને ઉપાધિથી પ્રાપ્ત થયેલાં સુખેથી પૂર્ણ છે અને મુનિ સ્વરૂપથી ઉત્પન્ન થયેલાં, અવિનશ્વર એવા પરમાનન્દ સુખથી પરિપૂર્ણ છે. તેથી ચક્રવતી કરતાં પણ નિસ્પૃહ મુનિને અધિક સુખ છે. કારણ કે ઈન્દ્રિયસુખ અને આત્માનું સુખ બને જુદી જાતનાં છે. ઈન્દ્રિયથી થયેલા સુખમાં સુખપણું આરેપિત જ છે. પુદ્ગલસ્કંધમાં તે સુખ નથી, તેમ સુખનું કારણ પણું પણ નથી. આત્મામાં જ અવિચ્છિન્ન સુખની પરંપરા છે. સુખના કર્તાપણું વગેરે છ કારકે આત્મામાં જ છે. તેથી વાસ્તવિક સુખ જિનની આજ્ઞાથી પરભાવને રોકનાર નિસ્પૃહ મુનિને જ હોય છે. તેથી તેમને ચકવી કરતાં પણ ઈન્દ્રિયને અગોચર વાભાવિક મેટું સુખ હોય છે. परस्पृहा महादुःखं निःस्पृहत्वं महासुखम् / एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः // 8 // પરની આશા-લાલસા કરવી તે મહાદુઃખ છે અને નિસ્પૃહપણું તે મહાસુખ છે. એ સંક્ષેપથી સુખ અને દુખનું લક્ષણ કહ્યું છે. પરવસ્તુની, અથવા બીજા પાસેથી આશા રાખવી તે મહાદુઃખ છે અને નિઃસ્પૃહપણું–ઈચ્છારહિતપણું તે મહા આનન્દરૂપ છે–એમ સંક્ષેપથી સુખ અને દુઃખનું લક્ષણ કહ્યું 1 =પર વસ્તુની ઇચ્છા. મા: હં=મહાદુઃખરૂપ છે. નિ:હત્ત્વ=નિઃસ્પૃહપણું. માä=મોટા સુખરૂપ છે. ઉતઃએ. તમારે સંક્ષેપથી. કુલ યોગસુખ અને દુઃખનું. ઋક્ષ ચિહ્ન. ૩જાં કહ્યું છે.