Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 13 ત્યાગ કરવા યોગ્ય છે. એ સંબધે ગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે –“દ્વિતીયાપૂર્વરને પ્રથમતાત્ત્વિો મત તેમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં પ્રથમ અપૂર્વકરણ છે અને ક્ષકશ્રેણિમાં આઠમા નિવૃત્તિનાદર ગુણસ્થાનકે બીજું અપૂકરણ હેય છે. તેમાં બીજા અપૂર્વકરણે સામર્થ્યાગના પ્રથમ ભેદરૂપ ધર્મસંન્યાસ તાવિક-પારમાર્થિક હેાય છે. તાત્પર્ય એ છે કે સમ્યગ્દર્શનાદિ ક્ષાપશમિક ગુણે યદ્યપિ અરિહંતપ્રવચનાદિ સ્વજાતિને અબાધક એવા વિજાતિ પરદ્રવ્ય અવલંબીને પ્રવર્તે છે અને પરનું અવલંબન હોવાથી અતાવિક છે, કેમકે સ્વસ્વરૂપમાં તન્મયતા નથી, અરિહતાદિના ગુણનું અવલઓન લે છે, પરને અનુસરી વિષયકષાયાદિરૂપ આશ્રવની પરિણતિને ત્યાગ કરે છે અને નિવિષય અને નિસંગ તીર્થંકરાદિનું અવલંબન કરે છે, તે પણ પરાનુયાયિપણું છે જ, એ હેતુથી અતાત્ત્વિક છે. જેને સમ્યગ્દર્શનાદિ ગુણના ક્ષપશખસ્વરૂપનું નિર્ધારણ, જ્ઞાન અને રમણરૂપ અન્ય નિમિત્તાદિના અવલમ્બન સિવાય સહજ ભાવે છે તે તાવિક છે. અહીં રત્નત્રયીના સ્વરૂપમાં વીતરાગ સર્વરે કહેલા યથાર્થ તત્વની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન, યથાર્થ તત્ત્વને બાધ તે સમ્યજ્ઞાન, તવમાં રમણતા તે સમ્મચારિત્ર.એમ ત્રણ ગુણને ક્ષયે પશમ અરિહંતના વાયાદિના અવલંબનથી થાય છે તે સાધક્ષણારૂપ સ્વગુણ હોવા છતાં પણ કરણ હેવાથી કમથી કારણ થાય છે. તે અતત્ત્વરૂપ છે, કારણ કે વિકલ્પપૂર્વક અન્તમુહૂર્ત સુધી ઉપાદેયપણે સ્વતત્ત્વનું નિર્ધારણ, જ્ઞાન અને રમણરૂપ તથા હેયબુદ્ધિથી પરભાવના ત્યાગનું નિર્ધારણ, ભાસન અને રમણતા