Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 14 કિયાષ્ટક રાનું મૂળ છે. પરભાવનું ગ્રહણ જ આત્માને અહિતકારક છે. માટે આત્મસ્વરૂપની અભિલાષાવાળાએ પરભાવને ત્યાગ કરવો જ જોઈએ. 9 क्रियाष्टक ज्ञानी क्रियापरः शान्तो भावितात्मा जितेन्द्रियः। स्वयं ती! भवाम्भोधेः परांस्तारयितुं क्षमः॥१॥ જે સમ્યગ જ્ઞાનવાળા, ક્રિયાને વિશે તત્પર, ઉપશમવાળા, ( જ્ઞાનાદિ ગુણ વડે) વાસિત કર્યો છે આત્મા જેણે એવા અને જિતેન્દ્રિય છે તે પોતે સંસારસમુદ્રથી તરેલા છે અને બીજાને તારવાને સમર્થ છે. પર ભાવને-પૌગલિક ભાવને ત્યાગ કરે એ જ મોક્ષસાધક કિયા છે. એ હેતુથી ત્યાગીષ્ટક પછી કિયાષ્ટકનું પ્રતિપાદન કરવામાં આવ્યું. તે આત્માને કર્તાપણાથી જે કરાય તે કિયા–એટલે દ્રવ્યના કર્તુત્વભાવની પ્રવૃત્તિ. સ્વરૂપને અનુકૂલ દર્શન અને જ્ઞાનશક્તિને બોધરૂપ વ્યાપાર તે જ્ઞાન અને સ્વરૂપને અનુકૂલ વીર્યની પ્રવૃત્તિ તે કિયા. જ્ઞાન-નિયાખ્યાં મોક્ષ જ્ઞાન અને કિયાથી મેક્ષ થાય છે. તેમાં જ્ઞાન એ સ્વપરપ્રકાશનરૂપ છે અને કિયા સ્વરૂપમાં 1 જ્ઞાની=ન્સમ્યજ્ઞાનવાળા. વિચાર =ક્રિયામાં તત્પર. રન્તઃ= ઉપશમયુક્ત. માવિતામા=ભાવિત છે આત્મા જેને એવા. જિતેન્દ્રિય = ઈન્દ્રિયોને જિતનાર. વાસ્મો =સંસારરૂપ સમુદથી. સ્વયં પોતે. તી=નરેલ છે. (અને) પાન-બીજાને. તારથિતુમ્તારવાને. ક્ષમઃ= સમર્થ છે.