Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 134 ત્યાગાષ્ટક તમારા ચરણે મને શરણરૂપ થાઓ. એ સંબધે કહ્યું છે કે "नाणस्स होइ भागी थिरयरो दंसणे चरित्ते य / धन्ना आवकहाए गुरुकुलवासं न मुञ्चति" // वि० आव० भाष्य गा० 3459 જ્ઞાનને ભાગી થાય છે, દર્શન અને ચારિત્રમાં સ્થિર થાય છે. તેથી ભાગ્યવંત પુરુષે જીવન પર્યન્ત ગુરુકુલવાસને ત્યાગ કરતા નથી.” એ હેતુથી તત્ત્વની જિજ્ઞાસુ ચકવર્તીપણું કે શ્રેષ્ઠિપણું છોડીને શ્રમણપણું ગ્રહણ કરે છે અને સદ્ગુરુના ચરણારવિન્દ સેવે છે. ज्ञानाचारादयोऽपीष्टाः शुद्धस्वस्वपदावधि / निर्विकल्पे पुनस्त्यागे न विकल्पो न च क्रिया // 6 // જ્ઞાનાચારાદિ પણ શુદ્ધ એવા પિતાને પદની મર્યાદા સુધી ઇષ્ટ છે. જ્ઞાનાચાર પ્રતિ એમ કહેવું કે જ્યાં સુધી તારે પ્રસાદથી તારું શુદ્ધ પદ કેવલજ્ઞાન ન આવે ત્યાં સુધી મારે તારી સેવા કરવાની છે. એમ દર્શનાચારની સેવા ક્ષાયિક સમ્યકત્વરૂપ શુદ્ધ પદને લાભ થાય ત્યાં સુધી, ચારિત્રાચારની સેવા તેના શુદ્ધ પદ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય ત્યાં સુધી, તપાચારનું આચરણ પરમ શુક્લ 1 જ્ઞાનાવાય =જ્ઞાનાચાર વગેરે આચારો. વિ=પણ. શુદ્ધaજાધ=શુદ્ધ એવા પિતાના પદની મર્યાદા સુધી. રૂટ =ઈષ્ટ છે. (પણ) નિર્વિજો વિકલ્પ-ચિન્તારહિત, ચા=જ્યાગની અવસ્થામાં જ વિ૫ =વિકલ્પ નથી. અને શિયા=ક્રિયા પણ નથી.