Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 128 ત્યાગાષ્ટક તે બન્ને હોવા છતાં તમે કેમ રડે છે? ત્યારે તેને પિતા ઉત્તર આપે છે કે તે શરીર અથવા જીવન વિશે રાગને ઉલ્લાસ થતો નથી. ત્યારબાદ દેવે કહ્યું કે–આ તે માન્યતા છે. “આ મારે પુત્ર છે, આ માતા છે ઈત્યાદિ વિકલ્પ કરીને અવસ્વરૂપ સંબન્ધમાં કેમ મેહ પામે છે? આ વચનથી તે બધાએ પ્રતિબંધ પામી પ્રત્રજ્યા લીધી. આ લેકમાં જે સંબન્ધ છે તે બ્રાન્તિરૂપ છે. હે માતપિતા, હે બધુઓ, અનિયત-સંયમ રહિત એવા અથવા અનિશ્ચિત સ્વરૂપવાળા એવા તમારે સંબન્ધ પ્રવાહથી અનાદિ છે. કેમકે મિત્ર શત્રુ થાય છે અને શત્રુ મિત્ર થાય છે. હવે ધ્રુવ-નિશ્ચિત એક–સ્વરૂપવાળા, અનેક પ્રકારના ભાવ રહિત એવા શીલ, સત્ય, શમ, દમ, સંતેષાદિ હિતકારક બંધુઓને હમેશાં આશ્રય કરું છું, અર્થાત્ સાધક એવા શુદ્ધ આત્મગુણરૂપ બધુઓને સ્વીકાર કરું છું. कान्ता मे समतैवैका ज्ञातयो मे समक्रियाः। वाह्यवर्गमिति त्यक्त्वा धर्मसंन्यासवान् भवेत् // 3 // વહાલી સ્ત્રી અને એક સમતા જ છે, બીજી સ્ત્રી નથી. સમાન કિયા-આચારવાળા સાધુઓ જ મારા સગા છે, બીજા સગા કંઈ પણ કામના નથી. એ પ્રમાણે નિશ્ચય ભાવે કરી બાહ્ય પરિવારને ત્યાગ કરીને ગૃહસ્થ ધર્મ-દ્ધિ પ્રમુખ 1 =મારે. સમતા=સમભાવ. gવં=જ. =એક. કાન્તા=વહાલી સ્ત્રી છે. મે=ભારે. જ્ઞાતિયઃ==સગાવહાલાં. સમક્રિયા =સમાન આચારવાળા સાધુઓ છે. ત=એ પ્રમાણે. વાઢવ=બાહ્ય વર્ગને. ત્યાર= છોડીને. ધર્માચારનવાન=ધર્મસંન્યાસવાળો. મત=થાય.