Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ માનસાર વતતે જઘન્ય પ્રદેશ બન્ધ કરે છે. સ્થિતિબન્ધ પૂર્ણ થાય એટલે પૂર્વના સ્થિતિબન્ધની અપેક્ષાએ પલ્યોપમના સંખ્યાતમા ભાગે ન્યૂન અન્ય સ્થિતિબન્ધ કરે છે, તે સ્થિતિબન્ધ પૂર્ણ થાય એટલે પૂર્વના સ્થિતિબન્ધથી પલ્યોપમના સં ખ્યાતમા ભાગે ન્યૂન અન્ય સ્થિતિબન્ધ કરે છે. એ પ્રમાણે પૂર્વ પૂર્વની સ્થિતિબન્ધની અપેક્ષાએ પાપમના સંખ્યાતમા ભાગે ન્યૂન અન્ય અન્ય સ્થિતિબન્ધ કરે છે. અશુભ પ્રકૃતિએ બંધાતી હોય તે તેને બે ઠાણીએ રસ બાંધે છે અને તે પણ પ્રતિસમય અનન્તગુણ હીન બાંધે છે. શુભ પ્રકૃતિઓને ચેઠાણીઓ રસ બાંધે છે અને તેને પ્રતિસમય અનન્તગુણ વૃદ્ધિવાળો કરે છે. એ પ્રમાણે યથાપ્રવૃત્તકરણ કરે છે. ત્યારબાદ અપૂર્વકરણ અને તે પછી અનિવૃત્તિકરણ કરે છે. કરણ એ અમુક પ્રકારને વિશુદ્ધ પરિણામ છે. એ ત્રણે કરણે પિકી પ્રત્યેક કરણને કાળ અન્તમુહૂર્ત પ્રમાણ છે. અને બધાં કરણને કાળ પણ અન્તમુહૂર્ત છે, ત્યાર પછી ઉપશાન્તને (ઉપશમને) કાળ છે. તેને પણ કાળ અન્તર્મુહૂર્તને છે. એ સંબધે કર્મપ્રકૃતિમાં કહ્યું છે - अणुसमयं वर्ल्डतो अज्झवसाणाण गंतगुणणाए। परिणामट्ठाणाणं दोसु वि लोगा असंखिजा।। कर्मप्रकृति उपशमना गा० 9 પ્રતિસમય અનન્તગુણ વિશુદ્ધિવડે વિશુદ્ધ અધ્યવસાયે કરણની સમાપ્તિ થાય ત્યાં સુધી વધે છે. યથાપ્રવૃત્ત અને