Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala
Catalog link: https://jainqq.org/explore/005753/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી આgયુઝ નિયુકિત _ (સર્ટીક ગુર્જરાનુવાદ સહિત) ચયિHI શ્રીમદ્ ભટ્રબાહુવામી ટીકાકાર શ્રીમદ્ હરિભદ્રસૂરિ ભાષાંતર કર્યા મુતશ્રી આર્યરવિજય Page #2 -------------------------------------------------------------------------- ________________ | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | // શ્રીમદ્ વિજયપ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ચન્દ્રશેખર-જિતરક્ષિતગુરુભ્યો નમઃ | શ્રીમદ્ ભદ્રબાહુસ્વામી પ્રણીત શ્રીમદ્ હરિભદ્રસૂરિરચિતશિષ્યહિતાવૃત્તિયુક્ત થી વઘુ નિયુકિત లోకా లో S SSSSS (સટીક ગુર્જરાનુવાદ સહિત) ભાગ-૧ (નિ. ૧-૧૮૫) ભાષાંત૨ કર્તા : શાસનપ્રભાવક પૂજ્યપાદ પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના શિષ્યરત્ન સરળસ્વભાવી પૂ. મુનિશ્રી જિતરક્ષિતવિજયજી મ. સાહેબના શિષ્યરત્ન મુનિ આર્યરક્ષિતવિજય అమ్మ నాన్న నన్ను સંશોધક સ્વાધ્યાયપ્રેમી પૂ. મુનિશ્રી ભવ્યસુંદરવિજયજી મ. સાહેબ પ્રકાશક શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા અમદાવાદ - તપોવન Page #3 -------------------------------------------------------------------------- ________________ –દિવ્યકુપાચ્છસિદ્ધાન્તમહોદધિ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબ વર્ધમાન તપોનિધિ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબ --ઠંશુભાશિષ8- સિદ્ધાન્તદિવાકર શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સાહેબ શાસનપ્રભાવક પૂજ્યપાદ પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબ સુકૃતાનુમોદના પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય યશોરત્નસૂરીશ્વરજી મ. સાહેબના શિષ્યરત્ન મુનિરાજશ્રી ધર્મરત્નવિજયજી મ. સાહેબની પ્રેરણાથી ઉમરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંધ - ઉમરા-સુરતે જ્ઞાનખાતાની ઉપજમાંથી ભાષાંતરસહિત આ ગ્રંથના પ્રથમ બે ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધેલ છે. શ્રીસંઘની શ્રુતભક્તિની અમે હાર્દિક અનુમોદના કરીએ છીએ. થી ૭° ° °°°°°°°°°°°°° પ્રથમપ્રકાશન : વિ.સં. ૨૦૬૭ તા. ૭ - ૧૧ - ૨૦૧૦ નકલ : ૧OOO મૂલ્ય: રૂ. ૧૫૦/ પ્રાપ્તિસ્થાન શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા તપોવન સંસ્કારપીઠ, મુ. અમિયાપુર, પો.સુગડ, તા.જી. ગાંધીનગર - ૩૮૨૪૨૪ ફોનઃ (૦૭૯) ૨૯૨૮૯૭૩૮, ૩૨૫૧૨૬૪૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ જા અંતરમાં પાથના ઘોઘનો ઘુઘવાટ હતો, જમા હૈયામાં વાત્સલ્યના મઘુર ઋણા આઁજા હૂઁ જમા સમર્પણ હૃદયમાં વિÎનું સૌંદર્ય ઝગાણ મારી રહ્યું હતું, ઍવા સિદ્ધાન્તમહોદધિ, ર્રસાહિત્યપૂિણમતિ, પ.પૂ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબના કરકમલમાં ત્રી આ કવિની સાદર સમર્પણ. Page #5 -------------------------------------------------------------------------- ________________ In ૩ૐ હ્રીં અહં નમઃ | ज्ञान क्रियाभ्यां मोक्षः ज्ञानस्य फलं विरतिः સમ્યગ્રજ્ઞાન આપતી, ધાર્મિક અધ્યાપકોને તૈયાર કરતી અને ભાવિને ઉજ્જવલ કરતી શેઠશ્રી કાંતિલાલ લલ્લુભાઈ ઝવેરી સંસ્કૃતી પ્રચારક ટ્રસ્ટ સંચાલિત, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સંસ્કૃત પાઠશાળા પ્રેરણાદાતા : શાસન પ્રભાવક પ.પૂ. પંન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ સંયોજક : પૂ.મુનિશ્રી જિતરક્ષિત વિજયજી મ.સાહેબ સૌજન્ય : સ્વ.માતુશ્રી સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપશી હ. પ્રફુલ્લભાઈ પાઠશાળાની વિશેષ વિશેષતાઓ * ૩ થી ૫ વર્ષનો ઠોસ અભ્યાસ, વિશિષ્ટ અભ્યાસ સાથે વિશિષ્ટ સ્કોલરશીપ * અભ્યાસુઓને વિશિષ્ટ સ્કોલરશીપ તથા ઈનામો * મુમુક્ષઓને સુંદર તાલીમ * ન્યાય-વ્યાકરણનો અભ્યાસ કરનારને પ્રતિમાસ વિશિષ્ટ શિષ્યવૃત્તિ * ધાર્મિક અભ્યાસ સાથે English, કયૂટર, સંગીતનો અભ્યાસ ઝઃ પર્યુષણ પર્વમાં દેશવિદેશમાં આરાધના * રહેવું, જમવું સંપૂર્ણ ફ્રી (નિઃશુલ્ક) ભાર વિનાના ભણતર સાથે સમ્યમ્ જ્ઞાન સહિતનું ધડતર એટલે તલ તપોવન ગૃહદીપક વિધાલય * ધો. ૫ થી ૧૨ સુધીનું સ્કૂલનું ડીગ્રીલક્ષી ભાર વિનાનું ભણતર * સંસ્કૃત-તત્ત્વજ્ઞાન આદિનો વિશિષ્ટ અભ્યાસ * ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા * શાળામાં ગયા વિના અનુભવી શિક્ષકો પાસે અભ્યાસ આપશ્રીના પરીચિતોમાંથી આ બંને યોજનામાં બાળકોને મૂકીને આપ નિશ્ચિત બનો. આપનો બાળક ભવિષ્યમાં જિનશાસનનો સેવક તથા માતાપિતાનો ભક્ત બનશે. સંપર્ક સ્થળ : શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા તપોવન સંસ્કારપીઠ, અમીયાપુર, પોસ્ટ-સુઘડ, જિ. ગાંધીનગર ગુજરાત, ફોન (૦૭૯) ૩૨૫૧૨૬૪૮, ૨૯૨૮૯૭૩૮ મો.- ૯૩૨૮૬૮૧૧૪૫ web site - www.tapovanpathshala.com Email : tapovanpathshala@gmail.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક આવશ્યક નિર્યુક્તિ ગ્રંથની આવશ્યક્તા સાધુ-સાધ્વીજી ભગવંતોમાં અત્યંત મહત્વની છે. જે ગ્રંથ સાધુ-સાધ્વીજી ભગવંતોને શરૂઆતના વર્ષોમાં ભણવાનો છે તે ગ્રંથ ભણવા અને ભણાવવામાં ક્યારેક કોઈક પંક્તિ અટકી જાય ત્યારે ગ્રંથ આગળ વધે નહિ. તેથી આવશ્યક નિર્યુક્તિ ગ્રંથમાં સરળતાથી પ્રવેશ કરવા માટે ગુજરાતી ભાષાંતરની જરૂરિયાત હતી. તેની લાંબા સમયથી માંગ પણ હતી અને આ માંગની પૂર્તિ અર્થે આ ગ્રંથના ભાષાંતરની શરૂઆત મારા શિષ્યરત્ન મુનિશ્રી આર્યરક્ષિત વિજયજીએ કરી. ભાષાંતર દરમિયાન જે સ્થાનો શંકિત હતા તે સ્થાનો અંગે સમુદાયના વિદ્વાન મહાત્માઓને પુછાવ્યા અને ઉદારચરિત મહાત્માઓએ જે તે સમયે પ્રશ્નોના નિરાકરણ કરીને ગ્રંથની રચનાને આગળ વધારી હતી. તેઓના અમે ઋણી છીએ. આવશ્યક નિર્યુક્તિના એક એક ભાગ જૈન સંઘને સમર્પિત થતા જાય તેમ તેમ આનંદની લાગણી પ્રગટે તે સહજ છે. અમારા સમુદાયમાં પહેલેથી સ્વાધ્યાયનો જોગ વિશેષ રહેવાથી સ્વાધ્યાયનું વાતાવરણ મુનિશ્રી આર્યરક્ષિત વિ.ને મહાનગ્રંથનું ભાષાંતર કરવા પ્રેરણાદાયી બન્યું. તેમાં પણ પૂ.ગુરુદેવશ્રી ચન્દ્રશેખર વિજયજી મ.સાહેબના સ્વાધ્યાયપ્રેમ અને પ્રેરણા આ ગ્રંથના સર્જનમાં સહાયક બન્યા. સ્વ-પરને ઉપકારક નવા નવા ગ્રંથો જૈન સંઘને મળતા રહે તેવી પ્રાન્તે ભાવના ભાવીશ તો તે અયોગ્ય નહિ લેખાય. અનેકાનેક સાધુ-સાધ્વીજી ભગવંતો આવશ્યકનિર્યુક્તિના ગ્રંથ દ્વારા વિશેષ સ્વાધ્યાયમાં જોડાય તથા આપણા સૌમાં ઝ્ આવશ્યક પ્રત્યેનો સદ્ભાવ પેદા થાય તો મુનિશ્રીનો પ્રયત્ન સફળ થયો લેખાશે. એ જ અપેક્ષા સહ..... અમાવાદ-તપોવન અષાઢ સુદ ૬ વિર લિ. મુનિ જિતરક્ષિતવિજયની વંદના / અનુવંદના ૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ દ नमोऽस्तु तस्मै जिनशासनाय One Minute Please છ આવશ્યકના કુલ સૂત્રો ભેગા કરીએ તો કરેમિ ભંતે - લોગસ્સ - વાંદણા વગેરે મળીને ઘણું ઓછું સાહિત્ય બને. પણ એના ઉપર રચાયેલી નિર્યુક્તિ, ચૂર્ણિ, વૃત્તિ, ભાષ્ય વગેરે વગેરેનું જો સંકલન કરીએ તો સાંભળ્યું છે કે આજે પણ છ આવશ્યક ઉપર અંદાજે એક લાખ શ્લોક પ્રમાણ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય મળે છે. મહાપુરુષોએ આવશ્યક ઉપર આટલું બધું લખાણ કર્યું, એ જ દેખાડે છે કે આ છ આવશ્યકોનું મહત્ત્વ કેટલું બધું એમના મનમાં દૃઢ થયેલું હશે ! છ આવશ્યક ઉપરની ઘણી બધી ટીકાઓમાંની એક ટીકા એટલે સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી વિરચિત હારિભદ્રી વૃત્તિ ! આની કમાલ એ છે કે એમાં પ્રાયઃ ચારેય અનુયોગોનો સારામાં સારો બોધ થઈ શકે છે. પાંચજ્ઞાન અને નિષ્નવાદમાં દ્રવ્યાનુયોગનો બોધ થાય. પગામસિાય વગેરેના વિવેચનમાં ચરણકરણાનુયોગનો બોધ થાય. કથાઓનો તો ભંડાર છે આ ગ્રન્થ ! એટલે કથાનુયોગનો બોધ થાય. તે તે સ્થાને થોડા-ઘણા અંશમાં ગણિતાનુયોગનો પણ બોધ થાય. વર્તમાનકાળની દૃષ્ટિએ એમ ચોક્કસ કહી શકાય કે આ એક ગ્રન્થનો પણ જો બરાબર અભ્યાસ કરવામાં આવે, તો સાધુ ગીતાર્થ બની જાય, અર્થાત્ ઢગલાબંધ પદાર્થો એના મનમાં - આત્મામાં રમતા થઈ જાય. પણ મોટી મુશ્કેલી એ કે એ મહાપુરુષ હરિભદ્રસૂરિજી મહારાજની ટીકાશૈલીં સમજવી ઘણી કઠિન ! (A) તેઓશ્રી ઘણું ટૂંકમાં લખે, એ ટૂંકાણમાંથી ઘણું બધું સમજવાનું હોય, જે અત્યારના જીવો માટે તો ઘણું બધું કપરું જ છે. (B) આમાં કથાનકો વગેરે બધું પ્રાકૃતભાષામાં છે, એ ભાષામાં તે કાળમાં પ્રસિદ્ધ ઘણા બધાં દેશી શબ્દો વપરાયા છે. એ શબ્દોમાંથી કેટલાય શબ્દો એવા છે કે શબ્દકોષમાં પણ એનો અર્થ ન મળે, કદાચ અર્થ મળે તોય ત્યાં એ અર્થ બરાબર સંગત ન થતો હોય. (C) આખોને આખો આ ગ્રન્થ ગીતાર્થ ગુરુ પાસે ભણ્યા હોય એવા સાધુ-સાધ્વીઓ આજે કેટલા મળે ? ઓછા જ ને ? એટલે એનો અર્થ સ્પષ્ટ જ છે કે ગુરુપરંપરાથી આ ગ્રન્થનો વ્યવસ્થિત બોધ ધરાવનારા સંયમીઓ ઓછા છે, માટે જ વ્યવસ્થિત અભ્યાસ કરાવી શકે એવા સંયમીઓ પણ ઓછા છે. પંડિતજીઓ આનો અભ્યાસ કરાવી શકે, એવી શક્યતા નહિવત્ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ આ બધી પરિસ્થિતિ ધ્યાનમાં આવતા એવું સ્પષ્ટ લાગ્યું કે “સંયમીઓ આનો અભ્યાસ એકંદરે સારામાં સારો કરી શકે, એ માટે એનું વ્યવસ્થિત ભાષાંતર જરૂરી છે.” આજે ઢગલાબંધ સંસ્કૃત-પ્રાકૃતગ્રન્યો ભાષાંતર સહિત બહાર પડે છે. એની પાછળ આ જ બધા કારણો છે. મારા સહવર્તી મુનિરાજ આર્યરક્ષિત વિજયજીને મેં આ માટે સહેજ પ્રેરણા કરી અને એમણે વડીલોની સંમતિ મેળવીને તરત જ એ કામ સહર્ષ ઉપાડી લીધું. આ કામ ઉપાડ્યાને પણ આજે ત્રણેક વર્ષ થવા આવ્યા છે, ત્યારે આ પ્રથમ બે ભાગ પ્રકાશિત થઈ રહ્યા છે. એનું કારણ એ નથી કે “કામ ધીમી ગતિએ ચાલતું હતું.” પણ એનું કારણ એ છે કે આ કામ અતિશય કપરું હતું.' દરેકે દરેક પંક્તિઓનો, શબ્દોનો બરાબર અર્થ લખવો જ્યાં ન બેસે ત્યાં બીજા બધા ગ્રન્થો કાઢી એમાંથી એનો અર્થ મેળવવો, છતાંય ન મળે તો વિદ્વાનોને પત્રો દ્વારા પૂછાવવું, એ પત્ર વ્યવહાર પણ ઘણો બધો સમય માંગી લે........ ક્યારેક તો એક-એક પંક્તિ માટે પંદર-પંદર દિવસ સમય નીકળી જાય....આ બધું થયા બાદ જયારે લખાણ સંપૂર્ણ થાય ત્યારે વિદ્વાન સંશોધકને મોકલવું...... એ સંશોધન અનેક કાર્યો વચ્ચે સમય કાઢીને ખૂબ જ ઝીણવટથી બધું સંશોધન કરે, એમાં એમને અમુક પદાર્થો ખોટાઅસંગત લાગે, તો એ બધું લખીને જણાવે એટલે એ પદાર્થો ઉપર ચર્ચાઓ શરૂ થાય...... એ માટે વળી પત્ર વ્યવહાર થાય, જયાં સુધી બંને પક્ષ એકમત ન થાય ત્યાં સુધી છપાવી કેમ શકાય ?.......એમ ઘણી ચર્ચા બાદ પદાર્થ નિશ્ચિત થાય અને એ છપાય...... ક્યાંક વળી પદાર્થ નક્કી ન થાય તો એને માટે વળી નવા નવા વિદ્વાનોને પૂછવું પડે...... આ બધા પછી પણ પ્રેસમાં બધું કંપોઝ થાય, પછી એના એક-બે-ત્રણ મુફ ચેક કરવા પડે. એ પછી બધું સેટીંગ કરવું પડે..... આવી આવી તો ઢગલાબંધ મહેનત પછી, મુશ્કેલીઓ પછી આ કામ પૂર્ણતાને પામતું હોય છે. એમાં ત્રણ વર્ષ તો પાણીની જેમ વહી જાય, ખબર જ ન પડે. આપણા હાથમાં તો તૈયાર પુસ્તક આવી ગયું, પણ એની પાછળ મુનિરાજે ત્રણ-ત્રણ વર્ષ કેવી અગાધ મહેનત કરી છે, એનો વિચાર પણ કરશું, તો અનંતી વંદના અર્પણ કર્યા વિના નહિ રહીએ. - જેમ ઘરમાં નાના બાળકો તો સવાર-બપોર-સાંજ નાસ્તો-જમણ કરી લેતા હોય છે. ભાવતું હોય તો ખુશ થાય અને ન ભાવે તો મમ્મીને બે-ચાર અપશબ્દો સંભળાવી પણ દે, મમ્મી તો બાલુડાઓ પ્રત્યેના સ્નેથી એ પણ સહન કરી લે, પણ એ બાલુડાઓને ભાન નથી કે “મમ્મી કેટલો બધો ભોગ આપે છે ?' રસોઈ પહેલા અને રસોઈ પછી મમ્મીએ તો કલાકો સુધી રીતસર મજુરી કરવાની હોય છે. શાક લાવવું-સમારવું-વઘારવું વગેરે, ઘઉં દળાવવા લોટ બાંધવો, રોટલી વણવી, ગેસ પર ઉતારવી વગેરે.... ભોજન વખતે બધું પીરસવું, સમયસર હાજર કરવું.....વગેરે. બધું પતી ગયા બાદ વધેલાનું ઠેકાણું પાડવું, વાસણો ધોવા.....વગેરે. આ બધું ત્રણ ટાઈમ અને રોજેરોજ કરવાનું...... માત્ર ભાણા પર આવીને ભોજન કરી જનારા અજ્ઞાની બાલકો મમ્મીના ભોગને શું સમજે ? આપણે આવા બાળક છીએ? આ મુનિરાજે ભોજન રૂપી સુંદર પુસ્તક આપણા હાથમાં આપી દીધું છે. એમાંથી ભાવતું હશે એ આપણે ખાશું. પણ ભાષાંતરમાં થોડીક ભૂલો દેખાશે કે તરત ટીકા-ટીપ્પણ કરવા લાગશું કે “આ બરાબર નથી લખ્યું, આ ભૂલ કરી છે. આ ઉતાવળ કરી છે, બે-ચાર જણને પૂછવું Page #9 -------------------------------------------------------------------------- ________________ ८ જોઈએ.....” વગેરે. પણ મુનિરાજની પેલી મમ્મી જેવી સખત મહેનતને, ત્રણ-ત્રણ વર્ષના અવિરત પુરુષાર્થને કદી ધ્યાનમાં પણ લેશું ખરા ? ભલા આદમી ! ભૂલ તો કોની ન થાય ? છદ્મસ્થમાત્રની ભૂલ થવી સંભવિત છે, તો આ મુનિરાજ ભૂલ ન કરે. એ તો પોતાના આ ભોગની નિંદા-પ્રશંસા બધું જ હસતે મોઢે સ્વીકારવા તૈયારી રાખશે જ, પણ આપણી બધાની ફરજ શું ? એ આપણે ખાસ વિચારવું જોઈએ. પ્રસ્તાવનામાં આ બાબતનો ઉલ્લેખ ક૨વાનું કારણ એ છે કે પૂર્વે જણાવ્યું તેમ આ ગ્રન્થ કપરો હોવાથી એમાં ઘણી બધી મહેનત બાદ પણ ભૂલ થવાની શક્યતા રહેવાની. એ ભૂલનો બચાવ તો નથી જ કરવાનો. ભૂલ સુધારવાની જ છે પણ જેમ એ મુનિરાજે પોતાની ભૂલ સુધારવાની છે. તેમ આપણે બધાએ બીજાની ભૂલો જોઈને તરત એની નિંદા-ટીકા કરી દેવાની પડી ગયેલી કુટેવ રૂપી ભૂલ પણ સુધારવાની છે. હા ! ભૂલો બતાવવી ચોક્કસ ! પણ સાથે સાથે આ મહાન સુકૃતની કદર પણ કરવી. જો કે સંયમીઓ સુકૃતોની અનુમોદતા કરનારા હોય જ છતાં કોઈકને આ ઉપયોગ ન રહેતો હોય, તો એમણે આ ખ્યાલ રાખવો જરૂરી ખરો. આ ભાષાંતર પાછળ કેટલાય ભવ્યાત્માઓએ ભોગ આપ્યો છે. ત્રણ વર્ષ સુધી સખત-સતત મહેનત કરનાર મુનિરાજ આર્યરક્ષિત વિજયજીનો સૌથી મોટો ભોગ ! એમના ગુરુવર પૂ. મુનિવર જિતરક્ષિત મ. સાહેબે એમને આ કાર્ય માટે સતત પ્રોત્સાહન આપ્યું, બધી જ અનુકૂળતાઓ કરી આપી, શિષ્ય પાસેથી પોતાની સેવા લેવાની ટાળી દીધી એ બધો એમનો ભોગ પણ ઓછો નથી. • અથથી ઈતિ સુધી બધું જ અક્ષરશઃ સંશોધન કરી આપીને મુનિરાજ શ્રી ભવ્યસુંદર વિ.એ પણ સારો ભોગ આપ્યો. આ સંપૂર્ણ કાર્યમાં અનરાધાર કૃપાવૃષ્ટિ વરસાવનારા મારા-અમારા સૌના ગુરુદેવ પૂ.પાદ શાસન પ્રભાવક પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખર વિજયજી મ. સાહેબના ભોગની તો કિંમત જ શી રીતે આંકવી? એમની અમીદ્રષ્ટિ વિના આ કાર્યમાં એક ડગલું ય આગળ વધવું શક્ય જ ક્યાં હતું ? આ નાનકડી પ્રસ્તાવના લખી આપીને મેંય નાનકડો ભોગ આપ્યો છે હોં ! એટલે મને ભૂલી ન જતા. બીજા કેટલાય ભવ્યાત્માઓના ભોગ પછી આ ભવ્યકાર્યનું નિર્માણ થયું છે. બસ, સૌ સંયમીઓ આ શાસ્ત્રનો સારામાં સારો અભ્યાસ કરીને, શાસ્ત્રજ્ઞાતા બનીને, પરિણતિસંપન્ન બનીને પરમપદને પામે એ જ એક માત્ર અભિલાષા. અમદાવાદ તપોવન વિક્રમ સંવત ૨૦૬૬ જેઠ સુદ પુનમ લિ. ગુણહંસવિજય Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના 2 આવશ્યક નિર્યુક્તિ એટલે સાધુ અને શ્રાવકોએ રોજેરોજ કરવાના છ આવશ્યકો પરનો શ્રુતકેવલિ ભદ્રબાહુસ્વામી મહારાજાનો વ્યાખ્યા ગ્રંથ.... આવશ્યક સૂત્રો, ગણધર ભગવંતો દ્વારા રચાયેલા છે. તેના એક એક અક્ષરો મંત્રાક્ષરો સમાન છે. એક એક શબ્દમાં અદ્ભુત રહસ્યાર્થી પડેલા છે. સામાન્ય બુદ્ધિવાળા આપણા માટે તો એ અગમ્ય જ ગણાય. એટલે ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામી મહારાજાએ એ અર્થો આપણને ખોલીને બતાવ્યા છે... એક - બે ઉદાહરણ જોઈએ. કરેમિ ભંતે ! માં બે વાર ભંતે ! શબ્દથી ભગવાનને સંબોધન કરાયેલું છે, તે બે વાર શા માટે ? તિવિદ્ તિવિદે ં માં, તિવિદ્દનો અર્થ કરણ-કરાવણ-અનુમોદન છે અને તિવિહેળ નો અર્થ મન-વચનકાયાથી, એમ છે. તો પછી, તે શબ્દો પછી પહેલાં મળેળ-વાયા-જાળું મૂકીને ન રેમિ-1 છાવેમિ અંતમપિ અન્ન નો સમણુગ્ગામિ, એ પાછળથી જણાવવાનું કારણ શું ? આવા અનેક પ્રશ્નોના અદ્ભુત સમાધાનો નિર્યુક્તિકારે બતાવ્યા છે, જે આપણને આનંદિત કરીદે. શ્રુતજ્ઞાનના ખજાના જેવો ગ્રંથ । આવશ્યક નિર્યુક્તિ...જે વિષય આવ્યો છે, તેનું વિસ્તારથી નિરૂપણ છે...મંગળ, ચાર નિક્ષેપા, પાંચ જ્ઞાન, પ્રભુ વીરનું ચરિત્ર, ઋષભદેવ ભ.નું ચરિત્ર, ગણધરવાદ, નિર્ભવવાદ, ભાષા.... કયો વિષય બાકી છે ? એ પ્રશ્ન થાય. નિર્યુક્તિકારની શૈલી, સંક્ષિપ્ત છે...એટલે તેના અર્થો પણ આપણા માટે દુર્બોધ છે. એને ખોલીને બતાવ્યા છે સૂરિપુરંદર હરિભદ્રસૂરિજી મહારાજાએ... તેમણે પોતે જ કરેલા ઉલ્લેખો પરથી એવું અનુમાન થાય છે કે આવશ્યક ઉપર તેમણે બૃહટ્ટીકા પણ રચી છે, જે હાલ ઉપલબ્ધ નથી..આ લઘુટીકા પણ આપણા માટે તો દરિયા જેવી છે. ત્યારે બૃષ્ટીકામાં કેટલા પદાર્થો હશે ? તે તો કલ્પના જ કરી શકાય. હરિભદ્રસૂરિ મહારાજની ટીકા ઉપરાંત, મલધારી હેમચન્દ્રસૂરિ મ.ની ટિપ્પણ, મલયગિરિ મ.ની ટીકા, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મ.નું વિશેષાવશ્યક ભાષ્ય, તેના ઉપર મલધારી હેમચન્દ્રસૂરિ મ.ની ટીકા.. શ્રી જિનદાસગણિમહત્તરસ્કૃત ચૂર્ણિ આ બધા ગ્રંથો આવશ્યકનિર્યુક્તિ ઉપર ઉપલબ્ધ છે. ગુરુપરંપરાથી જ ચાલી આવેલા અર્થોને હરિભદ્રસૂરિ મહારાજાએ ગ્રંથસ્થ કરીને અનન્ય ઉપકાર આપણા ઉપર કર્યો છે. તેમની ટીકા વિના નિર્યુક્તિ સમજવી અઘરી જ નહીં લગભગ અશક્ય હોત !... હરિભદ્રસૂરિ મહારાજા પણ તાર્કિક વિદ્વાન્ હતા. એટલે તેમની ટીકા પણ અલ્પ ક્ષયોપશમવાળા જીવોને સમજવામાં કઠિનાઈ તો પડે જ..ક્યાંક પરદર્શનોનો અભ્યાસ, ક્યાંક અન્ય ગ્રંથોનો અભ્યાસ હોય, Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ SSC તો જ તેમના આશયને સમજી શકાય... અન્યથા અનેક સ્થાનો ઉકલે નહીં, અને તેથી પ્રાથમિક અભ્યાસ ઉલ્લાસ ગુમાવી બેસે, હિંમત હારી જાય, અને અભ્યાસ બંધ કરી દે... ક્યાંક વિપરીત અર્થઘટન થા પણ શક્યતા ખરી જ.. આ સમસ્યાનો ઉકેલ, મુનિરાજશ્રી આર્યરક્ષિત વિજયજીએ આપ્યો છે. સરળ ગુજરાતી ભાષામાં ટીકાનો અનુવાદ પ્રસ્તુત કરવાની હામ તેમણે ભીડી છે. ગુરુકૃપા અને અભ્યાસના બળે તેઓએ ગ્રંથકારના આશયને પ્રગટ કરવામાં ખૂબ સુંદર સફળતા હાંસલ કરી છે, તે અનુવાદ વાંચતા જ સમજાય છે. આવા વિશાળ ગ્રંથનો અનુવાદ એ વર્ષો માંગી લેતું કાર્ય છે. વળી તેમાં અપાર ધીરજ, ખંત અને ઉત્સાહ જોઈએ. લખવું, તપાસાવવું. ક્લિષ્ટ સ્થળો પર કલાકો વિચાર કરવા, અન્ય વિદ્વાનો સાથે પત્ર દ્વારા વિમર્શ કરવો, પ્રુફ તપાસવું, સંસ્કૃતગુજરાતીનો મેળ બેસાડવો વિ..કાર્યો કેવા ભગીરથ છે, તે તો અનુભવ કરનાર જ જાણી શકે. છેલ્લા ત્રણ વર્ષની જે મહેનતને અંતે આ પ્રથમ બે ભાગ બહાર પડી રહ્યા છે, તેનો હું સાક્ષી છું... આવા અવિરત માટે મહાત્મા અનમોદનીય છે. વંદનીય છે. ધન્ય છે. તેમણે તો આ પુરુષાર્થ દ્વારા કર્મનિર્જરાદિ અપાર લાભો મેળવી લીધા છે. - આ ગ્રંથના અભ્યાસ દ્વારા આપણે જિનશાસનના અણમોલ શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરી શ્રદ્ધાવત બનીને સમ્યગ્દર્શનને નિર્મળ કરીએ, સ્વાધ્યાય દ્વારા સંકલ્પ વિકલ્પોનો નાશ કરી, સંવેગથી વાસિત બનીએ, અપૂર્વ નિર્જરા કરીએ તો, તેઓની આ મહેનત આપણા માટે સાર્થક થશે... તેમનો આ અવિરત પુરુષાર્થ ચાલુ રહે અને સંપૂર્ણ ગ્રંથનો અનુવાદ આપણને વહેલી તકે પ્રાપ્ત થાય, એટલું જ નહીં પણ આગળ બીજા પણ ગ્રંથો તેમના દ્વારા આપણને મળે, તેવી આશા રાખીએ. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્ અષાઢ સુદ ૫, ૨૦૬૬, ૧૬.૭.૧૦. જગદ્ગુરુ હીરસૂરિ .મૂ.૫.તપા જૈન સંઘ મલાડ (ઈ), મુંબઈ - ૯૭ દ. ભવ્યસુંદરવિજય Page #12 -------------------------------------------------------------------------- ________________ Excuse Me ! ere ‘ય પ્રવ્રખ્યાપ્રથમવિવસે વ રીયતે', ઓધનિયુક્તિનો પાઠ ચાલી રહ્યો હતો. તેમાં આ પંક્તિ વાંચતા મારા વિદ્યાગુરુ પ.પૂ. મુનિ ગુણહંસવિજયજીએ અમ સૌને ઉદ્દેશીને કહ્યું કે, “જુઓ, આ ગ્રંથ તો દીક્ષાના પ્રથમ દિવસથી વાંચવાનો છે, અને તમે દીક્ષાના પાંચ-છ વર્ષ પછી વાંચી રહ્યા છો,” પાઠ પૂરો થયા પછી એમનું મનો-મંથન આગળ ચાલ્યું અને વિચાર્યું કે, આનું કારણ સંસ્કૃતભાષા છે, સંસ્કૃતભાષાને કારણે જે સાધુ-સાધ્વીજીઓએ સંસ્કૃત બુકો ભણી નથી, તેઓ આવા ગ્રંથો પ્રથમ દિવસથી ક્યાંથી વાંચી શકે ? ૧૬ આ મનોમંથનના ફળ સ્વરૂપે વિદ્યાગુરુએ ઓવનિર્યુક્તિ વિગેરે પાયાના ગ્રંથોનું ભાષાંતર કરવાનો આરંભ કર્યો. તે આરંભે આજ દિન સુધીમાં ઓધનિર્યુક્તિ અને દશવૈકાલિક આગમગ્રંથોનું ભાષાંતર વાચકવર્ગ સમક્ષ રજુ કર્યું. પરંતુ “એક અકેલા થક જાએગા, મિલકર હાથ બટાના” ન્યાયે એમના ઉદાર હૃદયે એક આગમગ્રંથનું ભાષાંતર કરવાની મને પ્રેરણા કરી. પ્રેરણાએ પ્રથમવા૨માં મને હસાવ્યો. પરંતુ વારંવારની પ્રેરણાએ મારા મન ઉપર કબજો મેળવ્યો. સવાલ એ ઉભો થયો કે કયા ગ્રંથનું ભાષાંતર કરવું ?, વિદ્યાગુરુના મનમાં આવશ્યક નિર્યુક્તિ ગ્રંથનું નામ આવ્યું. તે માટે પ્રેરણા થતા શુભ આરંભ કર્યો. પરંતુ જેમ ખેતરને ખેડતી વખતે હળ વારંવારની સ્ખલના પામે છે, તેમ મારો આરંભ પણ “આ કાર્ય મારાથી થશે કે નહીં ?, વિગેરે......કુશંકાઓથી વારંવાર સ્ખલના પામવા લાગ્યો. પરંતુ ‘યદ્ ભાવ્યું તત્ મવિષ્યતિ' ન્યાયે વાત્સલ્યવારિધિ એવા મારા ગુરુજી પ.પૂ. જિતરક્ષિતવિજયજી મ. સાહેબના ઉત્સાહવર્ધક વચનોએ મારી કુશંકાઓને દૂર કરી મારા આરંભને અસ્ખલિત ગતિ આપી. જેના ફળ સ્વરૂપે વાચકવર્ગ સમક્ષ આજે આવશ્યકનિર્યુક્તિ ઉપરની યાકિની મહત્તરાસૂનુ પરમપૂજ્ય હરિભદ્રસૂરિરચિત શિષ્યહિતા નામની ટિકાના ગુજરાતી ભાષાંતરના પ્રથમ બે ભાગ રજુ થઈ રહ્યા છે. ટીકાકારશ્રીએ રચેલી ૨૨૦૦૦ શ્ર્લોકપ્રમાણ આ ટીકા ગુર્જરભાષાંતરસહિત પુસ્તકાકારે લગભગ આઠ ભાગમાં સંપૂર્ણ છપાશે. તેમાંના પ્રથમ બે ભાગ પ્રકાશિત થઈ રહ્યાં છે. બીજા બે ભાગ ટૂંક સમયમાં જ પ્રકાશિત થશે. તથા છેલ્લા ચાર ભાગ પ્રકાશિત થતાં સારો એવો સમય જશે. સામાયિક, ચવીસત્થો, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પચ્ચક્ખાણ આ છ અધ્યયનોના સમૂહરૂપ આવશ્યકનિર્યુક્તિગ્રંથની મૂળ ગાથાઓના રચયિતા શ્રુતકેવલી પ.પૂ. ભદ્રબાહુસ્વામી અને તેની ઉપર ટીકા રચનાર ૧૪૪૪ ગ્રંથના રચયિતા પ.પૂ.હરિભદ્રસૂરિજીના જીવનચરિત્રથી વાચકવર્ગને સારો એવો પરિચય હોવાથી પરિચયોલ્લેખ કરતો નથી. આ પ્રથમ બે ભાગમાં ગણધરવાદ સુધીના વર્ણનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં વર્ણવેલા વિષયોની જાણકારી માટે વિસ્તારથી જણાવેલી વિષયાનુક્રમણિકા જોવી. હસ્તલિખિત પ્રતોના આધારે સંશોધન કરી તેનું મુદ્રણ કરનાર પ્રાયઃ આગમોદ્ધારક પ.પૂ.સાગરાનંદસૂરીશ્વરજી મ.સાહેબ હોવા જોઈએ એવું લાગે છે. જેમાં તેમણે સ્થાને-સ્થાને ટીપ્પણીઓ કરી છે. તે જ ટીપ્પણીઓનું આ પુસ્તકમાં અવતરણ કરવામાં આવ્યું છે. જો કે ભાષાંતર કરતી વખતે મુદ્રિત પ્રતિમાં ઘણા સ્થાને અશુદ્ધિઓ નજરમાં આવી. જેથી લાગ્યું કે આ ગ્રંથનું પુનઃ સંશોધન થવું જોઈએ. આવો જ અભિપ્રાય અન્ય આચાર્ય ભગવંતો, મહાત્માઓ પાસેથી સાંભળવા પણ મળ્યો. પરંતુ ભાષાંતરનું કાર્ય જ એટલું મોટું અને લાંબુ હોવાને કારણે સંશોધન તરફ દષ્ટિપાત કરવાનું મુલતવી રાખ્યું. Page #13 -------------------------------------------------------------------------- ________________ N ૧ ૨ SSSSS બીજી એક ખાસ વાત કે સંસ્કૃત ટીકાના પ્રાયઃ સર્વ શબ્દોનું ભાષાંતર કરવાનો પ્રયાસ કર્યો છે તથા તે ઉપરાંત જયાં પદાર્થની સ્પષ્ટતા કરવાની જરૂર લાગી ત્યાં ( ) કૌંઉસ કરી અર્થાત્ વિગેરે શબ્દો દ્વારા પદાર્થની સ્પષ્ટતા પણ કરી છે. ભાષાંતરમાં આદ્યારભૂત ગ્રંથો છે. વિશેષ આવશ્યક ભાષ્ય ઉપદેશ પ્રાસાદ આવશ્યક ચૂર્ણિ ઉપદેશ પદ આવશ્યક નિર્યુક્તિ-મલયગિરિ ટીકા નંદી સૂત્ર આવશ્યક નિર્યુક્તિ દીપિકા અનુયોગ દ્વારા સત્ર ઉપદેશ માળા છું વિનંતી 8{ 8રજોડીને છું. વાચકવર્ગને ઉપયોગી થાય એ દષ્ટિએ ભાષાંતર કરેલ છે. છતાં વાચકવર્ગમાં ખારા સાધુ-સાધ્વીજી ભગવંતોને વિનંતી કરું છું કે આના પછી આપેલ “સંસ્કૃત ટીકા વાંચવાની પદ્ધતિ” નામના લેખમાં આપેલ પદ્ધતિને વાંચીને સંસ્કૃતમાં જ આપ સૌ વાંચન કરો તો વધુ સારું. માત્ર જયાં જરૂર પડે ત્યાં જ ગુજરાતી ભાષાંતરનો ઉપયોગ કરવો જોઈએ. જો સંસ્કૃતવાંચન માટે મહેનત કરશો તો ભવિષ્યમાં આ સિવાયના અન્યગ્રંથોનું વાંચન તમે જાતે સહેલાઈથી કરી શકશો. એ સિવાય જો પ્રથમથી જ ભાષાંતરનો ઉપયોગ થશે તો સંસ્કૃતવાંચનનો મુહાવરો ન રહેતા જતા કાળે સંસ્કૃતવાંચન અઘરું પડશે. માટે ખાસ ટીકાની પદ્ધતિને જાણી તે અનુસારે સંસ્કૃતવાંચન થાય તો સારું. હા ! બીજી એક ખાસ વિનંતી કે આ સંસ્કૃતવાંચન કે ગુજરાતીવાંચન સ્વયં ન કરતા વિદ્યાગુરુ પાસે વિનયપૂર્વક થાય તો સારું. તારા ઉપકાર અનંતા છે, તેનો બદલો હું વળે? - • સંસારરૂપ ઘોર અટવીમાં સમ્યગું માર્ગથી ભ્રષ્ટ થયેલા મારા જેવા હજારો યુવા-યુવતીઓને સમ્યગ માર્ગ ચિંધનારા શાસનપ્રભાવક પ.પૂ.પં. ચન્દ્રશેખર વિજયજી મ.સાહેબ કે જેમની વાચનાંઓએ મારા હૃદયમાં સ્વાધ્યાયનો પ્રેમ જગાવ્યો, સ્વાધ્યાયની મહત્તા જણાવી, જેના પ્રભાવે આ ગ્રંથના પ્રથમ બે ભાગનું પ્રકટીકરણ થયું છે. આ સિવાય પણ પોતાના સાનિધ્યમાં રાખી સંયમની જબરદસ્ત કાળજી, પ્રભુની આજ્ઞા પ્રત્યેનો આદર શાસનનો રાગ, વિગેરે ગુણો માટે સતત માર્ગદર્શન આપવા દ્વારા અગણિત ઉપકારો કર્યા છે. આ ઉપકારોનો બદલો હું શું વાળીશ? વારંવાર સ્કૂલના પામતાં ભાષાંતરના આરંભને ઉત્સાહવર્ધક વચનો વડે વેગ આપતા, ભાષાંતર દરમિયાન જોઈતી બધી સામગ્રીઓ પૂરી પાડવા દ્વારા, સાચી સમજણ આપવા દ્વારા, તથા કેટલીક વખત પોતાના કાર્યોને ગૌણ કરી ભાષાંતરના કાર્યને મુખ્ય બનાવી સહાય કરનારા એવા સરલ સ્વભાવી મારા પરમોપકારી ગુરુદેવ પ.પૂ. જિતરક્ષિતવિજયજી મ.સાહેબના આ ઉપકારનો બદલો હું શું વાળીશ ? • જે સંસ્કૃત ભાષાનું ભાષાંતર થયું તે સંસ્કૃત ભાષાની મ, ના, ડું, ..... વિગેરે બારાખડી શીખવાડનારા પ.પૂ.પં. મેઘદર્શનવિજયજી મ.સાહેબના તથા તે ભાષા શીખ્યા પછી બહુલતાએ ગ્રંથોનું વચન કરાવનારા પ.પૂ.મુ.ગુણહંસવિજયજી મ.સાહેબના તે ઉપકારનો બદલો હું શું વાળીશ? * Page #14 -------------------------------------------------------------------------- ________________ મારી મંદતિને કારણે ભાષાંતરમાં થયેલી ખોટી પ્રરૂપણાઓ, સ્કૂલનાઓ.... વિગેરેનું સાઘન્ત તપાસીને રિમાર્જન કરી આપવા દ્વારા વિર્ય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજીએ કરેલા ઉપકારોનો બદલો હું શે વાળીશ ? ભાષાંતર દરમિયાન ઉઠેલા/ઉઠાવાયેલા પ્રશ્નોના સમાધાન આપવા ધારાસિદ્ધાન્તદિવાકર પ.પૂ.ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સાહેબના, પ્રશાંતમૂર્તિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય કુલચન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબના, સંઘ-શાસન કૌશલ્યાધાર પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય જયસુંદરસૂરીશ્વરજી મ. સાહેબના, તાર્કિક શિરોમણી પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય અભયશેખરસૂરીશ્વરજી મ. સાહેબના ઉપકારોનો બદલો હું શું વાળીશ ? ભાષાંતર દરમિયાન મુદ્રિતપ્રતમાં અશુદ્ધિઓ સારા પ્રમાણમાં હોવાથી હસ્તલિખિત પ્રતોની જરૂર પડી, જે આચાર્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા-અમદાવાદ) તરફથી પ્રાપ્ત થતાં, તેના આધારે અમુક સ્થાનોમાં ફેરફાર કર્યા છે, તે સિવાય પણ જયાં જરૂર લાગી ત્યાં કૌઉસ કરી પાઠ ઉમેર્યા છે. તથા શ્રી ભેરુમલા કનૈયાલાલ કોઠારી ધાર્મિક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત “આવશ્યકનિયુક્તિ' ગ્રંથમાં આપેલ અને પ્રશાંતમૂર્તિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય કુલચન્દ્રસૂરિજી પાસેથી પ્રાપ્ત થયેલ શુદ્ધિપત્રકાનુસારે પણ યથાયોગ્ય ફેરફારો કરેલા છે. ભાષાંતરનું પૂફ રીડીંગ કરવામાં પોતાનો અમૂલ્ય સમય આપવા દ્વારા સહાય કરનારા પૂ.ગિરિભૂષણ વિજયજી મ.સા., મુ. સંયમકીર્તિ વિજયજી, મુ. રાજહંસવિજયજી તથા મુ. રાજદર્શનવિજયજી પણ વંદના/ધન્યવાદને પાત્ર છે. ખૂબ-ખૂબ વંદના/ધન્યવાદ. તથા પૂજ્યપાદ આ. શ્રી રામચન્દ્ર-ભદ્રકરકુંદકુંદસૂરીશ્વરજી મ. સાહેબના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ ગણિવર્ય શ્રી નયભદ્ર વિ. મ. સા.ના શિષ્યરત્ન મુ. શ્રી જયંતપ્રભાવિ. મ. સાહેબે પણ પૂફ જોઈને અશુદ્ધિઓ દૂર કરી આપવાનું કાર્ય આત્મીયભાવથી કરેલ છે. પૂ. હરિભદ્રસૂરિજીની રચના શૈલી જો કે સંક્ષિપ્ત હોવાથી, વિશેષ ગુરુપરંપરાનો અભાવ હોવાથી અને મારી મતિમંદતાને કારણે ટીકાકારના ગર્ભિત આશયો સુધી પહોંચવામાં મારી મતિ ટૂંકી પડી હોય એ સંભવિત છે, એને નકારી શકાય એમ નથી. તેથી તે તે સ્થળોએ ક્યાંક અર્થ કરવામાં મારી મતિખ્ખલના થઈ હોય તેનું હાર્દિક ક્ષમાયાચન કરું છું, સાથે સાથે વિદ્વર્યોને વિનંતી કરું છું કે એ અલનાઓ તરફ મારું ધ્યાન દોરે. પ્રાંતે ગ્રંથની શરૂઆતમાં ટીકાકારે જે પર અને અપર પ્રયોજન બતાવ્યા છે તે પ્રયોજન આપણે સૌને આ ગ્રંથના વાંચનમનન દ્વારા શીધ્ર પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના શુભેચ્છા સાથે... પ્રભુવીર ચ્યવન કલ્યાણક દિન અષાઢ સુદ - ૬, વિ.સં. ૨૦૬૬ તા. ૧૭-૭-૧૦ અમદાવાદ-તપોવન ગુરુપાદપઘરેણુ મુ. આર્યરક્ષિતવિજય Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ SMS છેસંસ્કૃત ટીકા વાંચવાની પદ્ધતિ માં ટીકાની શૈલી : ટીકાકારો મૂળગાથાના એકે એક શબ્દનો અર્થ ટીકામાં કરતા હોય છે, એટલે જ્યારે ટીકા વાંચીએ, ત્યારે મૂળગાથા બરાબર નજર સામે રાખવી અને એના જે જે શબ્દો ટીકામાં આવતા જાય. તે તે ધ્યાનથી જોતા જવું. આમાં ટીકાની શૈલી બે પ્રકારે છે. (૧) અન્વય વિનાની ટીકા, (૨) અન્વયવાળી ટીકા. મૂળગાથાઓમાં તો બધા શબ્દો આડા-અવળા પણ હોય, જેમ સંસ્કૃત શ્લોકોમાં શબ્દો ક્રમશ: ન હોય, એનો આપણે અન્વય કરીને અર્થ બેસાડવાનો હોય છે. એમ શાસ્ત્રોની મૂળગાથાઓમાં શબ્દો ક્રમશ: ન હોય, એનો અર્થ પ્રમાણે અન્વય કરવાનો હોય છે. પ્રાચીન ટીકાઓની શૈલી એવી છે કે તે ટીકાઓ અન્વય પ્રમાણે ગોઠવીને નથી લખાઈ, પણ મૂળગાથામાં જે પહેલો શબ્દ હોય, તેને લખીને એનો અર્થ કરે, પછી મૂળગાથામાં રહેલા બીજા શબ્દને લઈને એનો અર્થ કરે, પછી મૂળગાથામાં રહેલા ત્રીજા-ચોથા-પાંચમાં....... શબ્દને લઈને ક્રમશ: એનો અર્થ કરે. આમ બધાનો અર્થ તો આપી દે, પણ કયા શબ્દનો કોની સાથે અન્વય કરવો એ ન પણ બતાવે, એ આપણે બેસાડવાનું હોય છે. - જ્યારે અન્વયવાળી ટીકાની શૈલી એ છે કે મૂળગાથામાં ભલે ગમે તેમ શબ્દો હોય તો પણ જો અન્વય પ્રમાણે ૩-૫-૧-૨-૪...નંબરના શબ્દો ક્રમશઃ જરૂરી હોય તો ટીકામાં પહેલા ૩ નંબરનો શબ્દ લે, પછી ૫ નંબરનો શબ્દ લે, પછી ૧-૨-૪ નંબરના શબ્દ લે, અને એનો અર્થ આપતા જાય, આમાં આપણે અન્વય ગોઠવવો ન પડે, અન્વય થઈ જ ગયેલો હોય. આગમો ઉપરની બધી જ ટીકાઓ લગભગ પ્રથમ શૈલિવાળી છે. હવે બેમાંથી ગમે તે શૈલિ હોય, પણ એક વાત પાકી છે કે બંનેમાં મૂળગાથાના શબ્દો તો બરાબર લેવામાં આવે છે, અને દરેકે દરેકના અર્થો પણ આપવામાં આવે છે. 1-4-Uર્વ-પ-તુ.... આવા એકેએક અવ્યયોના પણ અર્થો આપવામાં આવે છે. કશું બાકી રખાતું નથી. એટલે જ ટીકા વાંચતી વખતે મૂળગાથા નજર સામે જ રાખવી અને એના કયા કયા શબ્દો આવતા ગયા અને એનો અર્થ શું કર્યો ? એ બરાબર જોતા જવું. અહીં આ બંને શૈલિ માટે એક દૃષ્ટાન્ત જોઈએ. નમોડસ્તુ વર્ધમાના અર્ધમાનાય છેHMI | આ શ્લોકાર્ધની જો પ્રથમૌલિ પ્રમાણે વ્યાખ્યા થાય તો કંઈક આ રીતે થાય. નમ: = નમ : મતું = મવસ્તુ તિ પ્રાર્થનામાં, નૈ ? ત્યાદિ વર્ધમાનાય = પરમતીર્થરાય, कीदृशाय वर्धमानाय इत्याह स्पर्धमानाय स्पर्धा कुर्वते । केन सह स्पर्धमानायेत्याह कर्मणा अष्टप्रकारेणान्तरशत्रणेत्यर्थः । આમાં જોઈ શકાશે કે શ્લોકના તમામે તમામ શબ્દો ટીકામાં ઉતારેલા છે, અને એનો અર્થ કરવામાં આવ્યો છે. અને બધા શબ્દો અન્વયે વિના લાઈનબંધ લેવામાં આવ્યા છે. આ જ શ્લોકાર્ધની જો બીજી શૈલિ પ્રમાણે વ્યાખ્યા થાય તો કંઈક આ રીતે થાય. ર્મUT = अष्टप्रकारेणान्तरशत्रुणा सह स्पर्धमानाय = स्पर्धा कुर्वते वर्धमानाय = चरमतीर्थकराय नमोऽस्त = नमस्कारो भवतु । भवतु इति प्रार्थनायां, अत्र चतुर्थी विभक्तिर्नमः अव्यययोगे इति । Page #16 -------------------------------------------------------------------------- ________________ અ! શૈલિમાં ચોખું દેખાય છે કે શ્લોકના તમામે તમામ શબ્દો અન્વય પ્રમાણે લઈને એનો અર્થ આપવામાં આવ્યા છે. આ તો માત્ર સમજ માટે દષ્ટાન્ત આપેલ છે. પણ આ બરાબર ધ્યાનમાં લેવા જેવું છે. જેઓ મૂળગાથાને સામે નથી રાખતા, તેઓ અર્થ કરવામાં ગરબડ કરી બેસે છે. તેઓ મૂળગાથાના શબ્દનો અને એના અર્થરૂપે ટીકામાં લખાયેલા શબ્દનો જુદો જુદો અર્થ કરી બેસે છે. અને પછી મુંઝવાય છે. દા.ત. વર્ધમાનાય ઘરમતીર્થરાય લખેલું હોય, તો તેઓ અર્થ આ રીતે કરે કે “વધતા એવા છેલ્લા તીર્થકરને.” તેઓ આ વાત ન સમજે કે મૂળ ગાથામાં વર્ધમાના શબ્દ લખેલો છે, એનો અર્થ જ ખોલેલો છે કે ઘરમતીર્થરાય. વર્ધમાન એટલે છેલ્લા તીર્થંકર. એટલે વાંચન કરનારે મૂળગાથાના શબ્દોને બરાબર પકડી પકડીને જ ચાલવું. અને એ માટે ટીકા વાંચતી વખતે એટલે કે શબ્દ બોલવાની ટેવ બરાબર પાડવી. દા.ત. નમોડસ્તુ ની જે ટીકા ઉપર આપી છે. એને આ રીતે વાંચવી. નમ: એટલે નમસ્કાર, કસ્તુ એટલે ભવતુ... આ ક્રિયાપદ પ્રાર્થના અર્થમાં છે. વર્ધમાન એટલે છેલ્લા કર, એ વર્ધમાન કેવા છે ? એ કહે છે કે અર્ધમાનાથે સ્પર્ધમાન એટલે સ્પર્ધા કરતા. કોની સાથે સ્પર્ધા કરતા? એ કહે છે કે વેળા કર્મ એટલે આઠ પ્રકારના આંતરશત્રુઓ સાથે. આમાં એટલે શબ્દથી એ ખ્યાલ આવે કે મૂળગાથાના શબ્દનો જ અર્થ કરવામાં આવ્યો છે. એટલે બે ય શબ્દના જુદા-જુદા અર્થ નથી લેવાના. આ રીતે વાંચવાની અને વંચાવવાની મહેનત કરીએ તો ભલે શરૂઆતમાં વાર લાગે. પણ એમાં શાસ્ત્રવાચનની પકડ જોરદાર આવી જાય. પછી તો એની મેળે જ ઝડપ વધી જાય. અને એટલે બોલ્યા વિના એની મેળે જ બધું વંચાતું જાય. (વિરતિદૂતમાંથી ઉદ્ધત) તે સિવાય ટીકામાં ક્યાંક, ક્યાંક છાન્દસ પ્રયોગ, ચ શબ્દ સમુચ્ચયમાં, સૂત્ર ત્રિકાળ વિષયક શબ્દો વાંચવામાં આવે છે તેનો અર્થ નીચે પ્રમાણે જાણવો. ૧. છાન્દસ પ્રયોગ કે આર્ષપ્રયોગ બંને એક જ વાત છે ભાવાર્થ એક છે. શબ્દાર્થ જુદો છે. છન્દસ = વેદ, વેદમાં આવતો પ્રયોગને છાન્દસ કહેવાય છે. ઋષિએ કરેલા પ્રયોગો તે આર્ષપ્રયોગ કહેવાય છે. આમ તો કોઈપણ છંદ=શ્લોકની રચના કરવી હોય ત્યારે તેના નિતિ-નિયમો સાચવવા પડે પરંતુ મહાપુરુષોને આ નિયમ લાગુ પડતો નથી. તેથી જયારે મુળગાથામાં છંદાનુશાસન વિગેરેના નિયમોનો ભંગ થતો દેખાય એટલે ટીકાકારો ટીકામાં ખુલાસો કરે કે મૂળગાથા ઋષિઓએ રચેલી હોવાથી એટલે કે આર્ષપ્રયોગ હોવાથી નિયમનો ભંગ થવા છતાં કોઈ દોષ નથી. ૨. ચ નો અર્થ સમુચ્ચય છે – સમુચ્ચયનો અર્થ એ છે કે રામો નક્ષ્મણ છત:, અહીં રામ જવાની ક્રિયા કરે છે એ જ રીતે જવાની ક્રિયા લક્ષ્મણ પણ કરે છે. ટૂંકમાં એકજાતીય ક્રિયામાં જ્યારે અનેકનો કર્તા, કર્માદિરૂપે અન્વય દર્શાવવો હોય ત્યારે સમુચ્ચય અર્થમાં ચ નો પ્રયોગ થાય છે. ૩. સૂત્ર ત્રિકાળવિષયક એ રીતે – સૂત્રમાં ભૂતકાળના બનેલા ભાવોનું, ભવિષ્યમાં બનનારા ભાવોનું અને સૂત્રરચના કાળે બનનારા ભાવોનું નિરૂપણ હોય છે. અથવા સૂરજ ઊગે છે આ વાક્ય જેમ ત્રિકાળ Page #17 -------------------------------------------------------------------------- ________________ વિષયક છે તેમ પાપથી દુ:ખ ધર્મથી સુખ મળે – આ વિધાન ત્રિકાળ વિષયક (ત્રણે કાળમાં સરખી રીતે લાગુ પડતું હોવાથી) કહેવાય છે. ત્રિકાળવર્તી મેરુપર્વત વગેરે પદાર્થોનું નિરૂપણ કરવાથી ત્રિકાળવિષયક કહેવાય છે. ખરતા પાંદડાવાળી કલ્પિત કથા દ્વારા ત્રણે કાળમાં થનારા જીવોને એક સરખો પ્રતિબોધ થાય છે, ત્રણે કાળમાં ઉપદેશ સૂત્રો પ્રસ્તુત હોય છે ક્યારેય અપ્રસ્તુત હોતા નથી. જીવન મૂલ્યોનો ઉપદેશ કરતા સૂત્રો પણ ત્રણે કાળમાં બોધપ્રદ હોવાથી શાશ્વતમૂલ્યવાળા કહેવાય. ભૂતકાળમાં કષાયશામક સૂત્રો જેટલા ઉપયોગી હતા એટલા જ આજે ઉપયોગી છે અને આવતીકાલે એટલા જ ઉપયોગી બની રહેવાના છે. વગેરે.. વગેરે.... ‘સૂત્ર ત્રિકાળવિષયક' શબ્દનો અર્થ જાણવો. તથા ટીકામાં ષષ્ઠી વિભક્તિ અને ત્વપ્રત્યય સાથે પંચમીવિભક્તિનો પ્રયોગ પણ વારંવાર થતો હોય છે. દા. ત. “દ્રવ્યાતિયા-તોપનાથામામી નિત્યવત્ તુરભાવ વ ” અહીં આગમશબ્દને પછીવિભક્તિ અને નિત્યશબ્દને ત્વપ્રત્યય સાથે પંચમીવિભક્તિ થયેલ છે. આવા પ્રયોગોનો અર્થ કેવી રીતે કરવો ? એ ખાસ જાણવા જેવું છે, જેથી ટીકાની પદ્ધતિ ખ્યાલમાં આવે. આ પંક્તિનો સીધો અર્થ આ પ્રમાણે થાય કે દ્રવ્યાસ્તિકનયની વિચારણામાં આગમનું નિત્યપણું હોવાથી આગમના કર્તાનો અભાવ જ છે. જો વ્યવસ્થિત અર્થ કરવો હોય તો આગમશબ્દની ષષ્ઠીવિભક્તિ કાઢી નાંખીને પ્રથમાવિભક્તિમાં આગમશબ્દ લેવો. જેથી ‘આગમનું' એવો અર્થ કરવાને બદલે ‘આગમ' એવો અર્થ થશે, અને તેનો અન્વય ‘નિત્યતાતુ' શબ્દ સાથે કરવો. તેમાં પણ જે ત્વપ્રત્યય લાગેલ છે તે પણ કાઢી નાંખવો, જેથી ‘નિત્યપણું હોવાથી’ને બદલે ‘નિત્ય હોવાથી’ એવો અર્થ થશે. આમ બંને શબ્દોમાંથી ષષ્ઠી અને ત્વપ્રત્યય કાઢતાં અર્થ સુવ્યવસ્થિત થશે કે- ‘આગમ નિત્ય હોવાથી આગમના કર્તાનો અભાવ જ છે.” આ રીતે સંપૂર્ણ ટીકામાં જયાં જયાં પણ ષષ્ઠી-ત્વનો પ્રયોગ આવે ત્યાં ઉપરોક્ત પ્રમાણે અર્થ કરતા તમને ટીકા વાંચવી સહેલી પડશે. એ સિવાય કોઈક સ્થાને“વૈયાવશ્ર્વનિયમી તપોમેન્ટેન વત્રાંશરૂપૂત્વમ્' આવી પંક્તિ હોય ત્યારે તમેāન' શબ્દમાં રહેલ ‘ત્વેન’નો અર્થ ‘તરીકે હોવાથી’ એવો કરવો જેથી પંકિતનો અર્થ આ પ્રમાણે થશે - વૈયાવચ્ચનો નિયમ (અહીં નિયમશબ્દને લાગેલ ષષ્ઠી વિભક્તિ કાઢી નાંખીને અર્થ કરવો) એ તપના ભેદ તરીકે હોવાથી (એટલે કે તપના એક પ્રકાર તરીકે હોવાથી) ચારિત્રના અંશરૂપ છે. (અહીં ત્વપ્રત્યય કાઢીને પ્રથમાવિભક્તિમાં અર્થ કરતા સુવ્યવસ્થિત અર્થ થાય.) : તથા તàતસ્થતિ, યાત, મથ, ૩૪ત્ર ચાહું, નવુ વિગેરે શબ્દોથી ચાલુ થતી પંક્તિ ઘણું કરીને પૂર્વપક્ષ શંકાકારની હોય છે તે ધ્યાન રાખવું. Page #18 -------------------------------------------------------------------------- ________________ ISIS૧૭ ગણધ૨ ભગવંતો રચિત આવશ્યક સૂત્રો સાગ૨ની જેમ અતિશય ગહન ( ગંભીર અર્થવાળા) છે. તેના ઉપ૨ શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુક્વામીજીએ આવશ્યકનર્યુકત શૂન્યની સ્થના કરી. સૂરિપદ૨ ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા પૂજ્યપાદ હ૨ભદ્રસૂજીએ આ ગ્રન્થ ઉપ૨ વિસ્તૃત સંસ્કૃત ટીકાનું સર્જન ક્યું. પૂજનીય સાધુ-સ્સાધ્વીજી ભગવંતો માટે આ ગ્રન્થ પાયાનો મહત્ત્વનો ગ્રંથ લ્હી શકાય. સેંકડો વર્ષોથી આ ગ્રન્થનું અધ્યયન થતું આવ્યું છે. પણ હાલના મંદ ક્ષયોપશમવાળા સાધુ-સાધ્વીજી ભગવંતો માટે મૂર્ધન્ય વિદ્વાન મહાત્માઓના સંયોગ વિના આ ગ્રંથરત્નનો સંપૂર્ણ અર્થબોધ મુક્લ બન્યો છે. માટે આ ગ્રંભના પદાર્થોનું સરળ શૈલીમાં સ્પષ્ટીકણ ક૨તું ગુર્જ6 ભાષાંતર આવશ્યક બન્યું. પૂજ્યપાદ શાસનપ્રભાવક પંન્યાસ શ્રી ચન્દ્રશેખ૨ વિ.મ.સા.ના શિષ્યરત્ન સંસ્કૃત પાઠશાળાના કુશળ સંયોજક મુનિરાજ શ્રી જિતક્ષિત વિ.મ.સા.ના શિષ્યરત્ન મુનિરાજ શ્રી આર્યરક્ષિત વિજય મ. સાહેબે પૂજ્ય પંન્યાસજી ભગવંતની પ્રે૨ણાને ઝીલીને આ ગ્રન્થ ઉપ૨ ગુર્જ૨ ભાષાંતરનો સ્તુત્ય પ્રયાસ આરંભ્યો અને આજે આવશ્યક નિર્યોકાના પ્રથમ બે ભાગનું પ્રકાશન કરતાં અમો ખૂબ જ આનંદ અનુભવી ૨હ્યા છીએ. પૂજ્ય મુનિવરનો આ પ્રયાસ ખૂબ ખૂબ અનુમોદનીય અને આવકાર્ય છે. તથા આગામી ભાગો પણ મુનિશ્રી દ્વારા શઘિપ્રકાશિત થાય એ જ અભ્યર્થના. પ્રાકૃત-સંસ્કૃત તથા ગુજરાતી વિભાગનું સુંદ૨ રીતે મુદ્રણ કરી આપનાર શ્રી રામાનંદ ઓફસેટ (અમદાવાદ)નો અમે આ અવસરે અભા૨ માનીએ છીએ. તેમજ પપૂ.આ.ભ.શ્રીર્માદ્વજય યશોરત્નસૂરિજીના શિષ્યરત્ન મુ. ધર્મરત્નવજયજી મ સાહેબની પ્રેરણાથી શ્રી ઉમા સ્પે.મુ. જૈન સંઘ (સુરત) પોતાના જ્ઞાનનધમાંથી આ શૂન્યના પ્રકાશન માટે દ્રવ્યનો સચ્ચય કરીને શ્રુતર્માતનો મહાન લાભ લીધો છે. તેની અમે અંતરથી અનુમોદના ક્વીએ છીએ. પ્રાન્ત આ ગ્રન્થના વાંચન, ચિંતન, મનન દ્વા૨ા સહુ પરમપદને પ્રાપ્ત ક૨શે એ જ અંત૨ની પ્રાર્થના.... લલિતભાઈ ધામી. પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ASS વિષયાનુર્માણકા. ગાથા ક્રમાંક વિષય પૃષ્ટ ક્રમાંક ૫૩ ૨૯ મંગલાચરણ • પ્રયોજનાદિનું વર્ણન • મંગલવાદ • મંગલ શબ્દની વ્યાખ્યા નામાદિ નિક્ષેપાઓની વ્યાખ્યા તથા નામાદિ મંગલો * પાંચજ્ઞાનરૂપ નંદી * ૧. પાંચ જ્ઞાનના નામ • મતિ-શ્રુતજ્ઞાનના શબ્દની વ્યાખ્યા • મતિ-શ્રુતની સામ્યતા • અવધિ શબ્દની વ્યાખ્યા અને મતિ-મૃત સાથે સામ્યતા • કેવલ શબ્દની વ્યાખ્યા અને મન:પર્યવજ્ઞાન સાથે સામ્યતા • મતિ-શ્રુતનો પરસ્પર ભેદ, પાંચ જ્ઞાનના ક્રમનું પ્રયોજન • મતિજ્ઞાનનું સ્વરૂપ (શ્રત-અનિશ્રિત મતિજ્ઞાનનું સ્વરૂપ) શ્રુતનિશ્રિતમતિજ્ઞાનનું સ્વરૂપ અવગ્રહાદિનું સ્વરૂપ અવગ્રહાદિનું કાલપ્રમાણ શ્રોત્રેન્દ્રિયાદિની પ્રાપ્ત પ્રાપ્ત વિષયતા • ઇન્દ્રિયોનું વિષયપ્રમાણ ચક્ષુ અને મન અપ્રાપ્યકારી ૬. મિશ્રવાસિત દ્રવ્યોનું શ્રવણ ૭. કાયિક વાચિકયોગવડે શબ્દ દ્રવ્યોનું કમશઃ ગ્રહણ મંચને • કાયયોગ એ જ વાગ્યાગ અન મનોયોગ ૮ -: ત્રિવિધ શરીરમાં રહેલા આત્મપ્રદેશ:વડે ભાષાનું ગ્રહણ (જીવની સપ્રદેશતાની સિદ્ધિો પૃષ્ટ ગાથા વિષય માંક ક્રમાંક ૧૦-૧૧ ભાષાદ્રવ્યવડે લોકપૂર્તિના સમય ૧૨ | મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો ૧૩-૧૫સત્પદપ્રરૂપણાદિવડે મતિજ્ઞાનનું | સ્વરૂપવર્ણન ૧૬-૧૮ મતિ-શ્રુતના ભેદો ૧૯-૨| શ્રુતજ્ઞાનના ચૌદ ભેદો ૨ ૧-૨ ૨ શ્રુતજ્ઞાનનો લાભ અને બુદ્ધિના | આઠ ગુણો ૨૩-૨૪ શ્રવણવિધિ અને વ્યાખ્યાનવિધિ ૨૫-૨૮] અવધિજ્ઞાનના ભેદો અવધિના નિક્ષેપ ૩૦ જધન્યાવધિ ક્ષેત્ર ઉત્કૃષ્ટાવક્ષેત્ર ૩૨-૩૫ મધ્યમાવધિક્ષેત્ર ૩૬ દ્રવ્યાદિમાં જેની વૃદ્ધિમાં જેની | વૃદ્ધિ થાય તે ૩૭ | | કાલ કરતાં ક્ષેત્રની સૂક્ષ્મતા જઘન્યાવધિમાં દેખાતા દ્રવ્યો ૩૯-૪૦| વર્ગણાઓનું સ્વરૂપ ૪૧ ગુરુલઘુ અને અગુરુલઘુ દ્રવ્યો અવધિમાં દ્રવ્ય, ક્ષેત્ર અને કાળનો પરસ્પર સંબંધ પરમાવધિના દ્રવ્ય. ! ક્ષેત્ર અને કાળ -૪૭) તિર્યંચ-નારકના અવધિનું જધન્યતર પ્રમાણ વિમાનિક દેવોના અવધિનું ઊર્ધ્વ-અયો-તિર્ય ક્ષેત્રપ્રમાણ ફક વિમાનિક સિવાયના દેવોનું સામાન્યથી અવધિક્ષેત્ર પ્રમાણ | જઘન્યોત્કૃષ્ટ અને પ્રતિપાતીઅપ્રતિપાતી અવધિજ્ઞાન ૩૮ ૪૨-૪3 ૧૦૭ ૧૧૪ ૧ ૧ ૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ G૧૯ કૃષ્ટ ગાથા વિષય ક્રમાંક ૫૦-૫૫ સ્તિબુક વિગેરે અવધિના આકારો દિવ-નારકોને અનુગામી, શેષોને | ત્રણ પ્રકારે અવધિજ્ઞાન ૫૭-૫૮ ક્ષેત્રાદિન આશ્રયી જધન્યતર અવધિનુ અવસ્થાન પ૯ | દ્રવ્યાદિને આશ્રયી વૃદ્ધિ-હાનિ ૬૦-૬૩| તીવ્ર-મંદ તથા પ્રતિપાતોત્પાદ ૧૨૬ ૮૭ ! અવધિજ્ઞાનમાં જઘન્યાદિથી ! કેટલાં પર્યાયો દેખાય છે ' ન દન, વિભંગ અને ૧ ૩૫ ૧૪૧ પૃષ્ટી ગાથા વિષય ક્રમાંક કમાંક ક્રમાંકે ક્રમના ભેદો, અનાનુપૂર્વીના ૧૨ ૧ ભાંગાઓની પ્રાપ્તિનો ઉપાય, ઉપોદઘાતનિયુક્તિનો અવસર ૧૪૯ ૮૦-૮૨ | ઉપોદ્યતનિયુક્તિનું મંગલ | (તીર્થનું સ્વરૂપ) ૧૭૩ ૧૨૪ [૮૩-૮૬ આવશ્યકાદિબ્રુતજ્ઞાનનિર્યુક્તિની પ્રતિજ્ઞા સામાયિકનિર્યુક્તિની પ્રતિજ્ઞા (દ્રવ્યપરંપરાનું દષ્ટાન્ત) ૧૮૩ ૮૮ નિયુક્તિ શબ્દનો અર્થ ૧૯૫ ૧ [૮૯ તીર્થકર-ગણધરોની શીલાદિ સંપત્તિ ૧૯ ૬ ૩૩ ૯૦-૯૨ સૂત્રરચના,, તેનું પ્રયોજન શ્રુતજ્ઞાનની શરૂઆત. અંત. તેનો સાર નિર્વાણ ૨૦૨ ૯૪-૯૭ પવન વિનાના વહાણની જેમ તપ-સંયમ વિનાની વ્યક્તિને | ૧ ૩૭ શ્રુતમાત્રથી મોક્ષાભાવ ૨૦૮ ૯૮-૧૦૧ આંધળાને કરોડો દીપકોની જેમ ચારિત્રરહિત જીવનું ઘણું ૧૪૫| શ્રત પણ નિરર્થક ૨૦ણે આંધળા અને પાંગળાનું દૃષ્ટાન્ત ૨ ૧૦ જ્ઞાનાદિ ત્રિકના સમાયોગમાં મોક્ષ કષાયોના ક્ષયમાં જ કેવલજ્ઞાન ૨૧૪ આઠ કર્મની ઉત્કૃષ્ટસ્થિતિવાળાને સામાયિકમાત્રનો અલાભ ૨૧૬ ન્યૂન કોટાકોટી સાગરોપમ થતાં અન્યતર સામયિકનો લાભ ૨૧૮ ૧૦૭ સમ્યક્ત્વસામાયિકની પ્રાપ્તિમાં પલ્યાદિષ્ટાન્તો ૨૨૧ દેશવિરતી વિગેરેની પ્રાપ્તિકાળ ૨૨૬ ૧૦૮-૧૧૧| અનંતાનુબંધી વિગેરે કષાયોનું ફળ ૨૨૭ ૧૧૨-૧૧૩ી સંજવલનના 6 અતિચાર, શેષમાં છેદ, તથા બાર કષાયોના ક્ષયાદિથી ચારિત્રા ૨ ૩૧ બાહ્ય-અબાહ્યાવધિનું ક્ષેત્ર પ્રમાણ ૬ ૮-૭૦ગત્યાદિદ્વારોનો અતિદેશ અને ઋદ્ધિઓનું વર્ણન 9૧-૭૫ વાસુદેવાદિનું શારીરિક બલ મન:પર્યવજ્ઞાનનું સ્વરૂપ | કેવલજ્ઞાનનું સ્વરૂપ | પ્રજ્ઞાપનીય પદાર્થોની દેશના અને તે દેશના વચનયોગ છે. સ્વ-પર પ્રકાશક હોવાથી શ્રુતજ્ઞાનનો અધિકાર * પીઠિકા વિવરણ સમાપ્ત ૪ * ઉપક્રમાદિનું સ્વરૂપ * • શ્રુતજ્ઞાનનો અનુયોગ, શાસ્ત્રની શરૂઆતમાં નંદી અધ્યયનના અર્થનું કથન અનાવશ્યક, આવશ્યક શબ્દનો અર્થ, આવશ્યકના નિક્ષેપા, અગીતાર્થ - અસંવિગ્નનું દષ્ટા, આવશ્યકના એકાર્થિક નામો, ચુત અને સ્કંધના નિક્ષેપા, છ અધ્યયનના છ વિષયો, ઉપક્રમાદિ ચાર અનુયોગ વારોનું સ્વરૂપ, ઉપક્રમના ભેદો, બ્રિાહ્મણિ વિગેરેના દૃષ્ટાન્તો, ગુરુની આરાધનાનું મહત્ત્વ, શાસ્ત્રીયોપ ૨૧ ૨ Page #21 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ ક્રમાંક ૩ ૨૭ ૧૩૫ ૨પ૬ ૩૩૩ ૩૪૨ ૨૦ ASSOCIATIONS ગાથી પૃષ્ટ ગાથા વિષય વિષય ક્રમાંક ક્રમાંક ક્રમાંક ૧૧૪-૧૧૫ | પાંચ પ્રકારના ચારિત્રનું સ્વરૂપ ૨૩૩ | ૧૫૩-૧૫૪. પ્રથમકુલકરનો પૂર્વભવાદિ ૩૨૪ ૧૧૬-૧૧૭ | ઉપશમશ્રેણીનું સ્વરૂપ ૨૪૧ | ૧૫૫-૧૬૮ કુલકરોના નામ, પ્રમાણ, ૧૧૮-૧૨૦ | કષાયોની દુષ્ટતા ૨૪૫ સંઘયણ, સંસ્થાન, વર્ણ, ૧૨૧-૧૨૬ | ક્ષપકશ્રેણિનું સ્વરૂપ ૨૪૭ સ્ત્રીઓના નામાદિ, આયુષ્ય, ૧૨૭ કેવલીની સર્વદર્શિતા ૨ ૫૩ કુલકરભાગ, ગતિ, સ્ત્રીઓ અને | ૧ ૨૮ જિનપ્રવચનોત્પત્તિ, હસ્તિઓની ગતિ, નીતિ પ્રવચનના એકાર્થિક નામો, ૧૬૯ માણવકનિધિમાંથી ભરતને દ્વારવિધિ વગેરે દ્વારા ૨૫૪ દંડનીતિની પ્રાપ્તિ ૧૨૯-૧૩૧ પ્રવચનાદિના એકાર્થિક | ૧૭૦ ઋષભવતવ્યતા પ્રતિપાદક નામો દ્વારગાથા 33 ૧ ૩૨ અનુયોગના નિક્ષેપા ૧૭૧-૧૭૨ | ઋષભદેવના પૂર્વભવો ૧૩૩ અનુયોગ અનનુયોગના ૧૭૩-૧૭૪ | વૈદ્યપુત્રવડે સાધુની ચિકિત્સા દષ્ટાન્તો ૧૭૫-૧૭૮ | ઋષભદેવના પૂર્વભવો અને ૧ ૩૪ ભાવવિષયક અનુયોગાદિના તીર્થકરત્વની નિકાચના ૩૪૩ દૃષ્ટાન્તો ૧૭૯-૧૮૧ | વીશસ્થાનકોનું સ્વરૂપ ૩૪૭ ૧૩૫ ભાષકાદિનું સ્વરૂપ ૨૮૨ | ૧૮૨ કયા તીર્થકરે કેટલા ૧ ૩૬ વ્યાખ્યાનવિધિમાં ગાયાદિના સ્થાનકોની આરાધના કરી ? ૩૪૯ દૃષ્ટાન્તો ૨૮૪ | ૧૮૩ જિનનામકર્મનું વેદન, ૧૩૭ શિષ્યના દોષ-ગુણો ૨૯૩ તેનો બંધ-કાળ ૩૪૯ ૧૩૮ ગુરુની આરાધનાથી ૧૮૪ જિનનામનો બંધ માત્ર શ્રતની પ્રાપ્તિ મનુષ્યગતિમાં ૩૫૦ ૧૩૯ શિષ્યની પરીક્ષામાં ૧૮૫ ઋષભદેવનો જન્મ ૩૫૨ મગશૈલાદિના દૃષ્ટાન્તો મ. હેમચન્દ્રસૂરિકૃત ટિપ્પણી પરિશિષ્ટ-૧ ૩૫ ૩ * ઉપોદ્ધાતનિર્યુક્તિ ૧૪૦-૧૪૧ | ઉદેશાદિ દ્વારા ૩૦૪ ૧૪૨-૧૪૩ | ઉદ્દેશ-નિર્દેશના નિક્ષેપ ૩૧૦ ૧૪૪ નયોની અપેક્ષાએ નિર્દેશનો વિચાર ૩૧૩ ૧૪૫ નિર્ગમના નિક્ષેપ ૩૧૭ * નિયુક્તિ ગાથાઓનું વર્ગીકરણ * •વીરજિનાદિની વક્તવ્યતા ભાગ-૧ ૧ - ૧૮૫ ૧૪૬ નયસારના ભવમાં ભાગ-૨ ૧૮૬ - ૬૪૧ સમ્યક્ત્વની પ્રાપ્તિ ૩૨૦ ભાગ-૩ ૬૪૨ - ૮૭૯ ૧૪૭-૧૪૯ | દેવભવ અને મરીચિનો જન્મ ૩૨૨ ભાગ-૪ ૮૮૦-૧૦૫૫ ૧૫૦-૧૫૧ | કુલકરોનો કાળ અને ક્ષેત્ર ૩૨૩ શેષ ભવિષ્યમાં ૧૫૨ કુલકરસંબંધી દ્વારગાથા ઇનકાળ ૨ ૯૫ ૩૨૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ દષ્ટાન્તોની અનુક્રમણિકા | ૧૬૨ ૨૭૭ ૧૬૫ વિષય પૃષ્ઠ ક્રમાંક ૧. વર્ગણાઓનું સ્વરૂપ સમજવા કુચિકર્ણ ધનપતિનું દૃષ્ટાન્ત ૧૦૦ નો-આગમથી લોકોત્તર દ્રવ્યાવશ્યક ઉપર અગીતાર્થ – અસંવિગ્નનું દૃષ્ટાન્ત ૧૫૨ . અપ્રશસ્તભાવપક્રમ ઉપર બ્રાહ્મણી વિગેરેના દૃષ્ટાન્તો ૪. પ્રશસ્તભાવોપકમ ઉપર વિનયી શિષ્યનું દૃષ્ટાન્ત ૫. દ્રવ્યપરંપરા ઉપર ચિત્રકારપુત્રનું દિષ્ટાન્ત ૧૮૫ ૬. સ્ત્રીલંપટ સુવર્ણકારનું દૃષ્ટાન્ત ૧૯૧ ૭. કાચબાના શોકનું દૃષ્ટાન્ત ૨૦૬ ૮. અંધ અને પંગુનું દૃષ્ટાન્ત ૯. સમ્યક્ત્વપ્રાપ્તિદર્શક પલ્યાદિના દૃષ્ટાન્તો ૨૨૧ * અનુયોગ અનનુયોગના દૃષ્ટાન્તો * ૧૦. ગાય અને વાછરડું ૨૬૫ ૧૧. કુન્જા દાસી ૨૬૬ ૧૨. સ્વાધ્યાયા ર૬૭ ૧૩. બહેરું કુટુંબ ૨૬૮ ૧૪, ગામડીયો ૨૬૯ વિષય | પૃષ્ઠ ક્રમાંક *ભાવવિષયક અનુયોગ | અનનુયોગના દૃષ્ટાન્તો * ૧૫. શ્રાવક પત્ની ૨૭૨ ૧૬. સાપ્તાદિક ૨૭૩ ૧૭. કોંકણક ૨૭૫ ૧૮ નોળિયો ૨૭૬ ૧૯. કમલામેલા ૨૦. શાબનું સાહસ ૨૮૦ ૨૧. શ્રેણિકનો કોપ ૨૮૧ * વ્યાખ્યાનવિધિ ઉપર દૃષ્ટાન્તો * ૨૨. રોગિષ્ટ ગાય ૨૮૬ ૨૩. ચંદનકંથા ૨૮૭ ૨૪. શ્રેષ્ઠિ પુત્રીઓ ૨૯૦ ૨૫. મ્લેચ્છો ૨૯૨ ૨૬. શિષ્ય પરીક્ષા માટેના મગશલાદિના દષ્ટાન્તો ૨૯૫ ૨૭. ભરવાડણનું દૃષ્ટાન્ત ૩૦૩ ૨૮. નયસારનો ભવ ૨૯. પ્રથમ કુલકરનો પૂર્વભવ ૩૦, ધનસાર્થવાહનો ભવ ૩૩૮ ૩૧. (ઋષભનાથનો) વૈદ્યપુત્ર તરીકેનો પૂર્વભવ ૩૪) ૨૧૧ | ૩૨૦ ૩૨૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ સૌ સાથે મળી કરીએ શ્રુતનો સમુધ્ધાર જિનશાસનમાં સૌથી મહત્ત્વનું સ્થાન છે જિનમંદિર અને જિનાગમ. જિનમંદિર માટે આજે ચારેબાજુ જાગૃતિ સારી છે, પરંતુ જિનાગમ માટેની જાગૃતિ અલ્પ પ્રમાણમાં છે. સાંભળ્યું છે કે જૈનસંઘના અનેક જ્ઞાનભંડારોમાં હસ્તલિખિત પ્રતો પડેલી છે જે પ્રતોની એકાદ નકલ જ છે. પૂર્વેના મહાપુરુષોએ મહેનત કરીને આગમના દોહન સ્વરૂપ ગ્રંથોની રચના કરી હતી. પરંતુ તેની અનેક નકલો નષ્ટ થઈ ગઈ છે. પૂ. આ. હરિભદ્રસૂરિ, પૂ. મહોપાધ્યાય યશોવિજય મ. સા. આદિના ગ્રંથો અત્યંત અલ્પ પ્રમાણમાં જ આજે ઉપલબ્ધ છે. તે તે ગ્રન્થોને આજની લીપીમાં લીપ્યાંતર કરવાની ખૂબ જ જરૂર છે. તથા જે પ્રાચીન ગ્રંથો છે તેનું સંશોધન કરવાની તાતી જરૂર છે. તે માટે જ્ઞાનખાતાની રકમો પણ ઘણી મળી શકે તેમ છે પરંતું આ બધાનું સંકલન જરૂર છે. તે માટે શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા દ્વારા લીપ્યાંતર અને સંશોધન કાર્ય શરુ કરેલ છે. જે વ્યક્તિઓને હસ્તલેખન, લીપ્યાંતર અને સંશોધન કાર્યમાં રસ હોય તેઓએ નીચેના સરનામે પત્ર લખવા વિનંતી છે. તથા જૈનસંઘમાં આગવું સ્થાન સાધુ-સાધ્વીજી ભગવંતોનું તેઓને દીક્ષા આપ્યા બાદ પઠન-પાઠનની વ્યવસ્થા પુરતી થાય તે માટે સ્થાને-સ્થાને તપોવન, સાધુ-સાધ્વીજી ભગવંતોની પાઠશાળા શરૂ કરી | કરવાની ભાવના છે. તેથી જે ક્ષેત્રમાં આવા વિદ્યાપીઠોની જરૂર હોય તે ક્ષેત્રસંબંધી માહિતી તમારા તરફથી અમને પ્રાપ્ત થાય એવી આપ સૌ પાસે આશા રાખીએ છીએ. તથા આવી વિદ્યાપીઠો માટે આપશ્રીના પરિચિત વર્ગમાં જેમણે પોતાની લક્ષ્મીનો સદ્વ્યય કરવાની ભાવના હોય તેઓએ નીચેના સરનામે સંપર્ક કરવો. તપોવન સાધુ-સાધ્વી વિધાપીઠ પ્રેરણાદાતા : પૂ.પં. પ્રવર ચંન્દ્રશેખર વિજયજી મ.સા. માં સંયોજક : પૂ. મુનિશ્રી જિતરક્ષિત વિજયજી મ.સા. , • શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા તપોવન સંસ્કાર પીઠ,મુ. અમીયાપુર, પોસ્ટ સુઘડ, તા.જી. ગાંધીનગર-૩૮૨૪૨૪. ફોન : (૦૭૯) ૨૯૨૮૯૭૩૮, ૩૨૫૧૨૬૪૮, Page #24 -------------------------------------------------------------------------- ________________ ॥ अर्हम् ॥ श्रुतकेवलिश्रीमद्भद्रबाहुस्वामिसूत्रिता श्रीमद्भवविरहाङ्कितहरिभद्रसूरिप्रणीतशिष्यहितावृत्तिसमेता श्री आवश्यकनिर्युक्तिः ભાષાંતરકર્તાનું મંગલાચરણ प्रणम्य परमेष्ठिनं स्वपरबोधप्राप्तये । हरिभद्रीयटीकाया अनुवादो विलिख्यते ॥ १ ॥ ગાથાર્થ : પરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરીને સ્વ–પરબોધની પ્રાપ્તિ માટે રિભદ્રીયટીકાનો અનુવાદ લખાય છે. ટીકાકારનું મંગલાચરણ २ 5 ગાથાર્થ : જિનવરોમાં ઇન્દ્રસમાન વીરસ્વામીને, શ્રુતદેવતાને, ગુરુઓને અને સાધુઓને નમસ્કાર કરીને ગુરુના ઉપદેશને અનુસાર આવશ્યક નામના ગ્રંથની ટીકાને હું કહીશ. ગાથાર્થ : જો કે મારા વડે અને અન્યો વડે આ ગ્રંથની ટીકા કરાયેલી છે છતાં સંક્ષેપરુચિવાળા જીવો ઉપર ઉપકાર કરવા માટે સંક્ષેપથી આ ટીકા રચવારૂપ પ્રયાસ કરાય છે. 10 प्रणिपत्य 'जिनवरेन्द्र, वीरं श्रुतदेवतां गुरून् साधून् । आवश्यकस्य विवृतिं, गुरूपदेशादहं वक्ष्ये ॥१॥ यद्यपि "मय़ा तथाऽन्यैः, कृताऽस्य विवृतिस्तथापि संक्षेपात् । तद्रुर्चिसत्त्वानुग्रहहेतोः क्रियते प्रयासोऽयम् ॥२॥ इहवश्यकप्ररम्भप्रयासोऽयुक्तः, प्रयोजनादिरें हितत्वात् कण्टकशाखा मर्दनवत् 15 १. अनेनाभीष्टदेवतास्तवः ( अभियुक्तैरिज्यते इत्यभीष्टः ) जिना: अवधिजिनादयस्तेषु वरा: 20 केवलिनस्तेषामिन्द्रः । २. अनेनाभिमतदेवतास्तव: ( अभिमन्यते विघ्नविघातकत्वेनेत्यभिमता शासनदेवतादिः) । ३. श्रुताधिष्ठात्री देवता श्रुतदेवता, श्रुतरूपा देवता श्रुतदेवतेतिविग्रहे तु नाभिमतदेवतात्वं किन्तु अधिकृतदेवतात्वं स्यात्, अस्या ज्ञानावरणीयक्षयोपशमसाधकत्वेन प्रणिपातो नानुचितः, "सुयदेवये" त्यादिवचनात् । अनेनाविरतत्वेऽपि श्रुतदेवतायाः स्तवनीयता ज्ञापिता, मिथ्यात्वापादनं तु सिद्धान्ताचरणोभयोत्तीर्णमेव । ४. अनेनाधिकृतदेवतास्तवः ( शास्त्रप्रणेतृत्वेनाधिक्रियते 25 इत्यधिकृता) । ५. साधुत्वाव्यभिचारादुपाध्यायवाचनाचार्यगणावच्छेदकादयः । ६. विवृतं विस्तरतोऽभियुक्तैरेभिरिति ध्वनितं चतुरशीतिसहस्त्रप्रमितं च तदिति प्रघोषः । ७. अनेनास्याः समूलतामाह । ८. संक्षेपरुचिजीवोपकाराय तन्निमित्तमाश्रित्येति वा । (H) भसधारीय हेमयन्द्रसूरिकनी ટિપ્પણીમાં આ પદાર્થ જણાવેલ છે. તે ટિપ્પણી પરિશિષ્ટ નં. ૧માં આપેલી છે. * પ્રસ્તાવનાના વિભાગમાં આપેલ ‘સંસ્કૃત ટીકા વાચવાની પદ્ધતિ' નામનો લેખ અભ્યાસુવર્ગને અવશ્ય વાચવા વિનંતિ છે. 1 30 Page #25 -------------------------------------------------------------------------- ________________ २ आवश्य: नियुक्ति • ७२मद्रीयवृत्ति • सामाषांतर ((भा-१) ___ इहावश्यक रम्भप्रयासोऽयुक्तः, प्रयोजनादिर हितत्वात्, कण्टकशाखा मर्दनवत् इत्येवमाद्याशङ्कापनोदाय प्रयोजनादि पूर्वं "प्रदर्श्यत इति, उक्तं च - "प्रेक्षावतां प्रवृत्त्यर्थं, फलादित्रितयं स्फुटम् । मङ्गलं चैव शास्त्रादौ, वाच्यमिष्टार्थसिद्धये ॥१॥" इत्यादि । अत: प्रयोजनमभिधेयं सम्बन्धो मङ्गलं च यथावसरं प्रदर्श्यत इति । तत्र प्रयोजनं तावत् परापरभेदभिन्नं द्विधा, पुनरेकैकं कर्तृश्रोत्रपेक्षया द्विधैव, तत्र द्रव्यास्तिकनयालोचनायामागमस्य नित्यवात् कर्तुरभाव एव, “इत्येषा द्वादशाङ्गी न कदाचिन्नासीत्, न कदाचिन्न भविष्यति, न कदाचिन्न भवति" इतिवचनात् । पर्यायास्तिकनयालोचनायां ટીકાર્થ : કાંટાવાળી શાખાઓનું મર્દન કરવામાં કોઈ પ્રયોજન ન હોવાથી આવી શાખાઓનું 10 મર્દન જેમ અયુક્ત છે તેમ આ ગ્રંથની ટીકા રચવામાં પણ કોઈ પ્રયોજનાદિ ન હોવાશ્રી તમારો આ પ્રયાસ અયુક્ત જ છે. સમાધાન - તમને આવી શંકા થવી એ યુક્તિયુક્ત છે, માટે તમારી શંકાને દૂર કરવા પ્રથમ પ્રયોજનાદિ દેખાડાય છે. કહ્યું છે કે “શાસ્ત્રમાં બુદ્ધિમાન જીવોની પ્રવૃત્તિ થાય તે માટે સ્પષ્ટ રીતે શાસ્ત્રની શરૂઆતમાં પ્રયોજનાદિત્રિકને અને ઇષ્ટ અર્થની સિદ્ધિ થાય તે માટે મંગલને 15 वा योग्य छ.” ॥ १ ॥ माथी प्रयो४न, मभिधेय (विषय), सं०५ भने भंगलने यथा અવસરે અમે દેખાડીશું. તેમાં પ્રથમ પ્રયોજન દેખાડાય છે. તેના પર (પરંપર) અને અપર (અનંતર) એમ બે પ્રકાર છે. વળી તે પ્રત્યેક કર્તા અને શ્રોતાની અપેક્ષાએ બે પ્રકારે છે. આમ તેના ચાર ભેદ પડે છે. તેમાં પ્રથમ કર્તાનું શું પ્રયોજન છે ? એ પ્રશ્નનો ઉત્તર દેતા પહેલા આ ગ્રંથના કર્તા વિષે બે નયથી વિચારણા કરાય છે. એક દ્રવ્યાસ્તિક નય કે જે આગમને નિત્ય 20 માનતો હોવાથી આગમના કર્તા આ નયની અપેક્ષાએ નથી, કારણ કે “દ્વાદશાંગી ભૂતકાળમાં નહોતી એવું નથી, વર્તમાનમાં નથી એવું નથી અને ભવિષ્યમાં નહીં હોય એવું પણ નથી” १. चिकीर्षितायामावश्यकविवतौ । १०. सत्रार्थोभयरूपस्यावश्यकस्य । ११. अभिधेयसंबन्धौ मङलं च । १२. काकदन्तपरीक्षाषडपपादिवाक्यदृष्टान्तयोरुपलक्षकमिदम । १३. पर्वाचार्यैः प्ररूपितं. मयेति शेषः । १४. चर्चितविषयसाम्मत्याय । १५. अविघ्नेन पारगमनादिरूपेष्टार्थसिद्धिः। १६. सिद्धार्थ 25 सिद्धसंबन्धं श्रोतुं श्रोता प्रवर्त्तते इत्यादिवाक्यग्रहः । १७. उक्तनियमात् । १८. परं प्रकृष्टम् अपरं तत्साधनभूतं फलम्। १९. उपदेशस्योभयाश्रितत्वात् । २०. इष्टावधारणार्थः, उभयोरुभयफलास्पदता तेन । २१. कर्तृप्रयोजनविचारे "नत्थि नएहि विहूणं सुत्तं अत्थो व जिणमए किंची"ति वचनान्नयविचारणामाह-तत्रेत्यादिना। २२. अर्थरूपस्य (जीवादेवाच्यस्य) । २३. सर्वक्षेत्रापेक्षया (विदेहेषु तु सर्वदाभावः सूत्रस्य ) श्रुतवतामविनाशात्पर्यायाणां द्रव्याभेदात् । २४. इत्यभिप्रायवन्नन्द्या3) दिशास्त्रवाक्यात्, तात्पर्यं तु त्रिकालावस्थायित्वे । Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રયોજનાદિનું વર્ણન : ૩ चानित्यत्वा त्तत्सद्भाव इति । तत्त्वालोचनायां तु सूत्रार्थोभयरूपत्वादागमस्य अर्थापेक्षया नित्यत्वात् सूत्ररच नापेक्षया चानित्यत्वात् कथञ्चित् कर्तृसिद्धिरिति । तत्र सूत्रकर्तुः परमपवर्गप्राप्तिः अपरं सत्त्वानुग्रहः, तदर्थप्रतिपादयितुः किं प्रयोजनमिति चेत्, न किञ्चित्, कृतकृत्य त्वात्, प्रयोजनमन्तरेणार्थप्रतिपादनप्रयासोऽयुक्तः इति चेत्, न, तस्य तीर्थकरनामगोत्रविपाकित्वात्, वक्ष्यति च- "तं च कहं वेइज्जइ ?, अगिलाए धम्मदेसणादीहि" इत्यादिना। 5 श्रोतृणां त्वपरं तदर्थाधिगमः, परं मुक्तिरेवेति । कथम् ? ज्ञानक्रियाभ्यां मोक्षस्तन्मयं चावश्यकमितिकृत्वा, नावश्यकश्रवणमन्तरेण विशिष्टज्ञानक्रियावाप्तिरुपजायते, कुतः ?, આવું વચન છે. બીજો પર્યાયાસ્તિક નય કે જે આગમને અનિત્ય માનતો હોવાથી આગમના કર્તા આ નયની અપેક્ષાએ છે. પરમાર્થથી જોઈએ અર્થાત પ્રમાણથી વિચારીએ તો આગમ એ સુત્ર અને અર્થ-ઉખ્યરૂપ હોવાથી અર્થની અપેક્ષાએ નિત્ય છે અને સૂરાની અપેક્ષાએ અનિત્ય છે તેથી 10 સૂત્રની અપેક્ષાએ. (કથંચિત) કર્તાની સિદ્ધિ થાય છે. આમ કર્તાની સિદ્ધિ થતાં સૂત્રકર્તાનું પર પ્રયોજન મોક્ષપ્રાપ્તિ અને અપર પ્રયોજન જીવો ઉપર ઉપકાર કરવો (સમ્યજ્ઞાનની પ્રાપ્તિ કરાવવી) છે. શંકા :- આગમના અર્થનું પ્રતિપાદન કરનારાઓનું (તીર્થકરોનું) શું પ્રયોજન છે? સમાધાન :- તેઓ પોતે કૃતકૃત્ય હોવાથી કોઈ પ્રયોજન નથી. શંકા :- પ્રયોજન વિના અર્થનું પ્રતિપાદન કરવું એ ઉચિત નથી. સમાધાન – ના, તે (પ્રયાસ) તીર્થંકરનામ ગોત્ર (અહીં ગોત્ર શબ્દ સંજ્ઞા અર્થમાં છે, તેથી તીર્થંકરનામ એ છે સંજ્ઞા=નામ જેની એવું જે કર્મ તે તીર્થંકરનામગોત્ર) કર્મના ઉદયવાળો છે, અર્થાતુ ઉદયમાં થનારો છે, કારણ કે આગળ કહેશે કે “તે (તીર્થંકરનામકર્મ) કેવી રીતે ભોગવાય છે ? ઉત્તર :- ગ્લાનિ વિના ધર્મદેશનાદિ વડે આ કર્મ ભોગવાય છે” વિ. આમ તીર્થંકરનામકર્મના ઉદયને કારણે જ અર્થનું પ્રતિપાદન થાય છે. શ્રોતાઓનું અપર પ્રયોજન શાસ્ત્રાર્થનો બોધ થવો 20 અને પર પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ જ છે. શંકા - પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય ? સમાધાન – મોક્ષની પ્રાપ્તિ જ્ઞાન અને ક્રિયા વડે થાય છે. આ આવશ્યકગ્રંથ તન્મય (જ્ઞાનક્રિયા ઉભયરૂપ) છે. માટે આ ગ્રંથ દ્વારા પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થાય છે. વિશિષ્ટ (જેનાથી મોક્ષ પ્રાપ્ત થાય એવી) જ્ઞાનક્રિયાની પ્રાપ્તિ આ ગ્રંથના શ્રવણ વિના થતી નથી, કારણ કે આ 25 ૨૬. સત્પત્તિવિવસ્વાન્ ! ૨૬. સદ્ધીવ: ૨૭. નરેશrfહત્વીચश्रुतरू पप्रमाणविचारणादर्शनाय । २८. गणभृद्विहितां सूत्ररचनामपेक्ष्य । २९. वयःशक्तिशीले इति तृन्, याजकादिभिरित्यस्याकृति-गणत्वाद्वा तृजपि । ३०. प्रयोजनं परं मुक्तिः, सा प्राप्तकेवलत्वात् 'मोक्षे भवे चे' ति वचनान्नोद्देश्या, अवश्यम्भाविनी च सेति कृतकृत्यः । ३१. प्रयासस्य तीर्थकृतो वा । ३२. ( गाथा ૨૮રૂ ) રૂરૂ. પ્રત્યેના રૂ૪. અત્યવક્તવ્યત્વત્ સૂવરહિચાનાદ્રિવિપર રૂ. સૂત્રાર્થોમામવીવવધ: I 30 ૩૬. પરમપાનુલ્લા ! Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तत्कारणत्वात्तदेवाप्तेः, तदवाप्तौ च पारम्पर्येण मुक्तिसिद्धेः इत्यतः प्रयोजनवानावश्यकप्रारम्भप्रयास इति । तदभिधेयं तु सामायिकादि । संबन्धश्च उपायोपेयभावलक्षण: तर्कानुसारिण: प्रति, कथम् ?, उपेयं सामायिकादिपरिज्ञानं मुक्तिपदं वा, उपायस्तु आवश्य कमेव वचनरू पा पन्नमिति, यस्मात्ततः सामायिकाद्यर्थनिश्चयो भवति, सति च तस्मिन् 5 सम्यग्दर्शनादिवैमल्यं क्रियाप्रयत्नश्च, तस्माच्च मुक्तिपदप्राप्तिरिति । अथवा उपोद्घातनिर्युक्तौ "उद्देसे निद्देसे य" इत्यादिना ग्रन्थेन सप्रपञ्चेन स्वयमेव वक्ष्यति । कश्चि दाहअधिगतशास्त्रार्थानां स्वयमेव प्रयोजनादिपरिज्ञानात् शास्त्रादौ प्रयोजनाद्युपन्यासवैयर्थ्यमिति, ગ્રંથશ્રવણ તેની પ્રાપ્તિનું કારણ છે અને જ્ઞાનક્રિયા પ્રાપ્ત થતાં પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. (તારાત્વીત્ તવાતે: = “આવશ્યકશ્રવણ એ છે કારણ જેનું એવી જ્ઞાનક્રિયાની પ્રાપ્તિ હોવાથી” 10 આ રીતે સમાસનો વિગ્રહ કરવો) આમ, આવશ્યકની ટીકા રચવાનો પ્રયાસ પ્રયોજનવાળો છે. અહીં પ્રયોજન કર્યું. હવે વિષય = અભિધેય બતાવતા કહે છે કે સામાયિકાદિ પડું આવશ્યકો એ આ ગ્રંથના વિષયો છે. (હવે સંબંધ બતાવવો છે – જીવો બે પ્રકારના હોય છે. શ્રદ્ધાનુસારી અને તર્કનુસારી = યુક્તિને અનુસરનારા, શ્રદ્ધાનંત જીવો માટે ગુરુપર્વક્રમરૂપ સંબંધ બતાવવામાં આવે છે.) 15 તકનુસારી જીવો માટે અહીં ઉપાય–ઉપય ભાવરૂપ સંબંધ જાણવો. તે આ પ્રમાણે – સામાયિકાદિનું જ્ઞાન અથવા મુક્તિપદ એ ઉપય છે અને તેના ઉપાય (ઉપેયને પામવા માટેની સામગ્રી) તરીકે વચનસ્વરૂપને પામેલ આ ગ્રંથ છે. (શંકા :- આ ગ્રંથ કેવી રીતે ઉપાયરૂપ બને ?) સમાધાન : આ ગ્રંથના શ્રવણથી સામાયિકાદિના અર્થનો નિશ્ચય થાય છે. આ નિશ્ચયથી 20 સમ્યગ્દર્શનની નિર્મળતા અને ક્રિયામાં પ્રયત્ન થાય છે અને તેનાથી મુક્તિપદની પ્રાપ્તિ થાય છે (માટે આ ગ્રંથ ઉપાયરૂપ છે.) અથવા આગળ ગ્રંથકાર પોતે જ ઉપોદ્ધાતનિયુક્તિમાં “ નિ ચ” ઇત્યાદિ ગાથાઓ વડે વિસ્તારથી સંબંધ બતાવશે. (ઉપોદ્ધાતનિર્યુક્તિમાં બતાવેલ સંબંધ શ્રદ્ધાનુસારી જીવો માટે જાણવો.) શંકા :- શાસ્ત્રાર્થ જેણે જાણી લીધા છે એવી વ્યક્તિઓને તો જાતે જ પ્રયોજનાદિનું જ્ઞાન 25 થઈ જતું હોવાથી પ્રયોજનાદિ શાસ્ત્રની શરૂઆતમાં જણાવવાની કોઈ જરૂર નથી. સમાધાન : એ વાત સાચી પરંતુ શાસ્ત્રના અર્થો જેણે જાણ્યા નથી એવી વ્યક્તિઓ પ્રયોજનાદિને જાણી ગ્રંથમાં પ્રવૃત્તિ કરે તે માટે જણાવવા જરૂરી છે. રૂ૭. સાવજશ્રવViા રૂ૮-૩૬. વિશિષ્ટજ્ઞાનશિયાવાતિઃ | ૪૦. સવિસ્થા ૪૨. જ્ઞાનાદિपादकक्रियादि । ४२. अपरप्रयोजनं । ४३. परप्रयोजनं । ४४. एवकारस्येष्टावधारणार्थत्वात् अपरप्रयोजनस्य 30 नान्यच्छास्त्रमुत्तराध्ययनादि परस्याप्यसामायिकादिमतोऽभावात् मक्तेर्नान्यः कोऽपि उपायः । ४५. रचितं। ४६. आवश्यकात् । ४७. चतुर्विंशतिस्तवादीनां । ४८. श्रद्धानुसारिणः प्रति । ४९. धर्मोत्तरानुसारी व्यपोहवादी बौद्धः। ५०. शास्त्रारम्भे । Page #28 -------------------------------------------------------------------------- ________________ મંગલવાદ પ तन्न, अनधिगतशास्त्रार्थानां प्रवृत्तिहेतुत्वात् तदुपन्यासोपपत्तेः । प्रेक्षावतां हि प्रवृत्तिर्निश्चयपूर्विका, प्रयोजनादौ उक्तेऽपि च अनधिगतशास्त्रार्थस्य तैन्निश्चयानुपपत्तेः, संशयतः प्रवृत्त्यभावात्तदुपन्यासोऽनर्थकः इति चेत्, न, संशर्यैविशेषस्य प्रवृत्तिहेतुत्वदर्शनात्, कृषीवलादिवत्, इत्यलं प्रसङ्गेन । साम्प्रैतं मङ्गलमुच्यते यस्मात् श्रेयांसि बहुविघ्नानि भवन्ति इति उक्तं च“યાંસિ વવિઘ્નાનિ, મત્ત મહતાપિ । ૭ अश्रेयसि प्रवृत्तानां, क्वापि यान्ति विनायकाः ॥१ ॥” इति । आवश्यकानुयोगश्च अपवर्गप्राप्तिबीजभूतत्वात् श्रेयोभूत एव, तस्मात्तदारम्भे विघ्नविनायकाद्यैर्द्युपशान्तये तत् प्रदर्श्यत इति । तच्च मङ्गलं शास्त्रादौ मध्ये अवसाने चेष्य 5 શંકા : બુદ્ધિમાન્ જીવોની પ્રવૃત્તિ નિશ્ચય થયા પછી જ થાય છે. (અર્થાત્ તમે જે અનંતર– પરંપર ભેદથી પ્રયોજન બતાવ્યું તેનો નિશ્ચય થાય, તથા સામાયિકાદિ જે વિષયો તમે અભિધેય 10 તરીકે કહ્યા તે જ અભિધેયો આ ગ્રંથમાં છે વગેરે નિશ્ચય થાય પછી જ પ્રેક્ષાવાન્ જીવ પ્રવૃત્તિ કરે છે.) હવે જ્યારે તમે શરૂઆતમાં પ્રયોજનાદિ બતાવ્યા છે તે બતાવવા માત્રથી શાસ્ત્રાર્થ નહીં જાણનારા જીવોને તેનો નિશ્ચય થઈ જતો નથી. (કારણ કે બોલવા માત્રથી વિશ્વાસ થાય નહીં). વળી સંશયથી તો કોઈ પ્રવૃત્તિ કરતું નથી એટલે પ્રયોજનાદિ કહેવા એ નિરર્થક છે. સમાધાન :- (પ્રથમ તો તમે જે કહ્યું કે બુદ્ધિમાન્ જીવોને પ્રયોજનાદિ કહેવા છતાં તેનો 15 નિશ્ચય થતોં નથી તે વાત કદાચ માન્ય રાખીએ તો પણ ‘સંશયથી કોઇ પ્રવૃતિ કરતું નથી' એ વાક્યમાં જો કે બધા સંશય પ્રવૃત્તિજનક ન બનતા હોવા છતાં) સંશયવિશેષ પ્રવૃત્તિનું કારણ બનતું દેખાય છે. જેમકે ખેડૂતને ધાન્યના બીજ વાવતા પહેલા વરસાદનો સંશય જ હોય છે કે વરસાદ આવશે તો ધાન્ય પાકશે, નહીં આવે તો નહીં પાકે આવા સંશયથી જ તે બીજ વાવવારૂપ પ્રવૃત્તિ કરે જ છે. તેમ અહીં પણ તમારે જાણવું. આ વિષયમાં વધુ વિસ્તારથી સર્યું. 20 હવે મંગલ કહેવાય છે. મંગલ કરવું જરૂરી છે, કારણ કે કલ્યાણકારી કાર્યો ઘણા વિઘ્નોવાળા હોય છે. કહ્યું છે કે— “મહાપુરુષોને પણ કલ્યાણકારી કાર્યો વિઘ્નવાળા બને છે જ્યારે અકલ્યાણકારી કાર્યમાં પ્રવૃત્ત થયેલા (દુર્જનો)ને તો વિઘ્નસમૂહો ક્યાંય દૂર ભાગી જાય છે.’’ ||૧|| આવશ્યકનો અનુયોગ મોક્ષપ્રાપ્તિનું કારણ હોવાથી કલ્યાણકારી છે તેથી તેની શરૂઆતમાં વિઘ્નોના સમૂહની ઉપશાંતિ માટે મંગલ કરાય છે. તે મંગલ શાસ્ત્રની શરૂઆતમાં, 25 મધ્યમાં અને અંતમાં કરવામાં આવે છે. ५१. प्रयोजनादेरुपन्यासस्य युक्तियुक्तत्वात् । ५२. केवलशास्त्रस्य मूकत्वात् शास्त्रार्थस्येति । ૩. પ્રયોનનાવે: । ૬૪. અનિષ્ટાનનુવન્ધીસિદ્ધિસંશયસ્ય । . નિયુંવિતતા સાક્ષાતુતત્વાત્। ૬. પૃથાવતારા । ૧૭. માન્તો વિઘ્ના: ( પૂર્વપદ્દતોષાત્ વિઘ્નનાયા: ) ૧૮. નિર્યુક્તિરૂપ । ૧૧. પાત્। ૬૦. આવવાનુયોગમ્મે । ૬. વિષ્લેશાનામાવિના મધ્યાનાં । ૬૨-૬૨. 30 શાસ્ત્રચેત્વધ્યાર્યમ્ । + શાસ્ત્રસ્યાદ્ગ -૪ । Page #29 -------------------------------------------------------------------------- ________________ आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-१) सर्वमेवेदं शास्त्रं मङ्गलमित्येतावदेवास्तु, मङ्गलत्रयाभ्युपगमस्त्वयुक्तः, प्रयोजनाभावात् इति चेत्, न, प्रयोजनाभावस्यासिद्धत्वात् । तथा च कथं नु नाम विनेया विवक्षितशास्त्रार्थस्याविघ्नेन पारं गच्छेयुः ? अतोऽर्थमादिमङ्गलोपन्यासः । तथा स एव कथं नु नाम तेषां स्थिरः स्याद् ? इत्यतोऽर्थं मध्यमङ्गलस्य, स एव च कथं नु नाम शिष्यप्रशिष्यादिवंशस्य अविच्छित्त्या 5 उपकारकः स्याद् ? इत्यतोऽर्थं चरममङ्गलस्य इत्यतो हेतोरसिद्धता इति । तत्र “आभिणिबोहियणाणं, सुयणाणं चैवे" " त्यादिनाऽऽदिमङ्गलमाह । तथा "वंदण कितिकम्मं” इत्यादिना मध्यमङ्गलं, वन्दनस्य विनयरूपत्वात् तस्य चाभ्यन्तरतपोभेदत्वात्, तपोभेदस्य च मङ्गलत्वात् । तथा "पच्चक्खाणं" इत्यादिना चावसानमङ्गलं, प्रत्याख्यानस्याद्यतपोभेदत्वादेव मङ्गलत्वमिति ॥ 10 શંકા : આ સંપૂર્ણ ગ્રંથ જ મંગલરૂપ હોવાથી તે જ મંગલરૂપ થાઓ. અન્ય ત્રણ મંગલ શા માટે કરવા જોઈએ ? તેનું કોઈ પ્રયોજન નથી. समाधान: "प्रयोशन नथी" खेवुं तमे उडो छो, से अयोग्य छे ते जा रीते 3, શિષ્યો વિવક્ષિત શાસ્ત્રના અર્થનો નિર્વિઘ્નપણે પાર કેવી રીતે પામે ? અર્થાત્ એ નિર્વિઘ્નપણે સંપૂર્ણ અર્થો જાણી શકે તે માટે પ્રથમ મંગલ કહેવાય છે. એ જ રીતે પામેલો તે શાસ્ત્રાર્થ શિષ્યોને 15 સ્થિર થાય તે માટે મધ્યમ મંગલ અને તે શાસ્ત્રાર્થ શિષ્ય-પ્રશિષ્યાદિ વંશને અવિચ્છિન્નપણે (અર્થાત્ નિરંતર વિચ્છેદ થયા વિના) ઉપકારક બને તે માટે અત્ત્વ મંગલ કરવામાં આવે છે. આમ તમે કહેલ પ્રયોજનાભાવરૂપ હેતુ અસિદ્ધ છે. આ શાસ્ત્રમાં ગ્રંથકારે "आभिणिबोहियणाणं, सुयणाणं चैव" इत्याहि सूत्रद्वारा प्रथम मंगल दर्शाव्युं छे. तथा "वंदण चिति कितिकम्मं" सूत्र द्वारा मध्यम मंगल जतायुं छे. ह् 20 શંકા : (તે તે ગાથાઓ જ મંગલ શી રીતે બને છે,બીજી ગાથાઓ કેમ નહીં ?) समाधान : (आभिणिबोहिय... सूत्रमां पांयप्रझरना ज्ञान जताव्या छे. आ ज्ञान स्पष्ट रीते નિર્જરાનું કારણ હોવાથી મંગલરૂપ છે) તથા વંદન વિનયરૂપ હોવાથી અત્યંતરતપરૂપ છે અને तप से तो शवै असिडनी "धम्मो मंगलमुक्किहं..." त्याहि गाथामां) मंगल३५ ह्युं ४ छे. माटे उपरोक्त सूत्री मंगल३५ ४व्या छे तथा "पच्चक्खाणं..." त्याहि सूत्रवडे अंतिम मंगल धुं 25 છે કારણ કે પ્રત્યાખ્યાન એ બાહ્યતપરૂપ (તપના બે પ્રકાર છે—બાહ્ય અને અત્યંતર. તેમાં પ્રથમ लेह जाह्य होवाथी आद्यतप = माह्यत५) होवाथी मंगल३५ छे. ६४. निर्विघ्नसमाप्तिस्थैर्या व्यवच्छित्तिनिमित्तकेति । ६५. मङ्गलप्रयोजनस्य शास्त्रेण साधनात्प्रयोजनान्तराभावादित्यर्थः । ६६. “विभक्तिथमन्ततसाद्याभाः" इति तसन्तमव्ययं, तथा चैतदर्थमिति । ६७. शास्त्रार्थः । ६८. विनेयानाम् । ६९. उपन्यास इति । ७०. प्रयोजनाभावरूपस्य । 30 ७१. गाथा ७२. आदिशब्देनाद्यभागावसानपर्यन्तस्य ग्रहः । ७३. जं नेरइओ इत्यादिना ज्ञानस्य स्पष्टं निर्जरार्थत्वान्मङ्गलता । ७४. गाथा वन्दनकनि । ७५. द्वितीयभेदः । ७६. धम्मो मंगलमुक्कि अहिंसा संजमो तवो इति वचनात् । ७७. बाह्येति । इत्यतः ८-४ ॥ Page #30 -------------------------------------------------------------------------- ________________ મંગલવાદ : ૭ - तत्रैतत्स्यात्, इदं मङ्गलत्रयं शास्त्राद्भिन्नमभिन्नं वा ?, यदि भिन्नमतः शास्त्रममङ्गलं, तद्भेदान्यथानुपपत्तेः, अमङ्गलस्य च सतोऽन्यमङ्गलशतेनापि मङ्गलीकर्तुमशक्यत्वात् तन्मङ्गलोपन्यासवैयर्थ्य , तदुपादानेऽनिष्ठा वा, यथा प्रागमङ्गलस्य सतः शास्त्रस्य मङ्गलमुक्तम्, एवं मङ्गलान्तरमप्यभिधातव्यम्, आद्यमङ्गलाभिधानेऽपि तदमङ्गलत्वात्, इत्थं पुनरप्यभिधातव्यमित्यतोऽनिष्ठेति । अथाभिन्नम्, एवं सति शास्त्रस्यैव मङ्गलत्वात् अन्यमङ्गलो- 5 पादानानर्थक्यमेव, अथ मङ्गलभूतस्याप्यन्यन्मङ्गलमुपादीयत इति, एवं सति तस्याप्यन्यदुपादेयमित्यनवस्थानुषङ्ग एव, अथानवस्था नेष्यत इति मङ्गलाभावप्रसङ्गः, कथम् ? यथा मङ्गलात्मकस्यापि सतः शास्त्रस्य अन्यमङ्गलनिरपेक्षस्यामङ्गलता', एवं मङ्गलस्याप्यन्य मङ्गलशून्यस्य, इत्यतो मङ्गलाभाव इति । શંકા : (તત્રંતસ્થા–આ વિષયમાં કોઈક વ્યક્તિને આ થાય અર્થાત આગળ બતાવતી શંકા 10 થાય) આ મંગલત્રય શાસ્ત્રથી જુદા છે કે શાસ્ત્રરૂપ છે ? જો એ શાસ્ત્રથી જુદા છે તો શાસ્ત્ર અમંગલરૂપ સાબિત થાય, કારણ કે તàચથીનુપત્તેિ =મંગલથી શાસ્ત્રનો ભેદ શાસ્ત્રને અમંગલ માન્યા વિના ઘટે નહીં (આશય એ છે કે મંગલથી અભિન્ન વસ્તુ મંગલરૂપ જ હોય અને તમે શાસ્ત્રને મંગલથી ભિન્ન કહો છો તેથી શાસ્ત્ર અમંગલ જ બને.) અને સેકડો અન્ય મંગલો કરવા છતાં પણ અમંગલ વસ્તુ એ મંગલરૂપ બની શકે નહીં. તેથી શાસ્ત્રમાં મંગલત્રયનો ઉપન્યાસ 15 નિરર્થક છે. અથવા શાસ્ત્રમાં મંગલનું ઉપાદાન કરવાથી અનિષ્ઠા (અનવસ્થા) ઉભી થાય છે તે આ રીત, પૂર્વે અમંગલ એવા શાસ્ત્રમાં તમે મંગલ કહ્યું. તે કહેવા છતાં શાસ્ત્ર અમંગલરૂપ હોવાથી અન્ય મંગલ પણ કહેવું પડશે. એમ ત્રીજી વાર, ચોથી વાર પણ મંગલ કહેવારૂપ અનવસ્થા ઊભી થાય છે. - હવે જો તમે એમ કહેશો કે મંગલત્રય શાસ્ત્રથી અભિન્ન છે તો તો શાસ્ત્ર જ મંગલરૂપ બની જવાથી અન્ય મંગલોનું ગ્રહણ નિરર્થક બની જાય છે. છતાં જો એમ કહો કે, “શાસ્ત્ર મંગલરૂપ હોવા છતાં અન્ય મંગલ ગ્રહણ કરવામાં આવે છે” તો પછી તે મંગલનું પણ મંગલ કરવું જોઈએ એમ અનવસ્થાની આપત્તિ આવશે અને આ અનવસ્થા જો તમે માન્ય નહીં રાખો તો કોઈ વસ્તુ મંગલરૂપ બનશે નહીં, કારણ કે જેમ મંગલરૂપ એવું પણ શાસ્ત્ર જો અન્ય 25 મંગલથી શૂન્ય છતું અમંગલરૂપ બને તેમ મંગલ પણ મંગલથી શૂન્ય છતું અમંગલ બની જાય. આમ, કોઈ વસ્તુ મંગલરૂપ બનશે નહીં. 20 ___७८. मङ्गलभेदवत्त्वस्य । ७९. न पर्यवसानम् । ८०. शास्त्रस्य । ८१. मङ्गलरूपस्याप्यन्यन्मङ्गलकरणे। ८२. मूलक्षयकरीति (अन्यद्वितीयमङ्गलकरणाभावात् )। ८३. कृतस्य । ८४. द्वितीयेति । ૮૫. દિતીયRUTTમાવત્ ! ૮૬. રાત્રે સંપન: | * મન્નમૂતચાપ ૨-૪ | + નં ૨-૪-૬ / 30 Page #31 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) अत्रोच्यते-आद्यपक्षोक्तदोषाभावस्तावदनभ्युपगमादेव, तदभ्युपगमेऽपि च मङ्गलस्य लवणप्रदीपादिवत् स्वपरानुग्रहकारित्वादुक्तदोषाभाव इति । " चरमपक्षेऽपि न मङ्गलोपादानानर्थक्यं, शिष्यमतिमङ्गलपरिग्रहाय शास्त्रस्यैव मङ्गलत्वानुवादात्, एतदुक्तं भवति-कथं नु नाम विनेयो मङ्गलमिदं शास्त्रमित्येवं गृह्णीयात् ?, अतो मङ्गलमिदं शास्त्रमिति कथ्यते । आह5 यद्यपि मङ्गलमिदं शास्त्रमित्येवं न गृह्णाति विनेयस्तथापि तत् स्वतो मङ्गलरूपत्वात् स्वकार्यप्रसाधनायालमेवेति कथं नानर्थक्यं ?, न, 'अभिप्रायापरिज्ञानात्, इह मङ्गलमपि मङ्गलबुद्ध्या परिगृह्यमाणं मँङ्गलं भवति, साधुवत्, तथाहि – साधुर्मङ्गलभृतोऽपि सन्मङ्गलबुद्ध्यैव गृह्यमाणः प्रशस्तचेतोवृत्तेर्भव्यस्य तत्कार्यप्रसाधको भवति, यदा तु न तथा ८ સમાધાન : તમે બતાવેલ દોષોમાં પ્રથમ તો મંગલને શાસ્ત્રથી જુદા માનેલા ન હોવાથી 10 ભિન્ન પક્ષમાં કહેલા દોષો તો અમને આવશે જ નહીં. છતાં કદાચ ભેદપક્ષ માનીએ તો પણ લવણપ્રદીપની જેમ મંગલ સ્વપર ઉપકારી હોવાથી અનવસ્થા દોષ રહેતો નથી. (જેમ લવણ પોતે ખારું છે અને જે ભોજનાદિમાં ભળે તે ભોજનાદિને પણ ખારું બનાવવાની શક્તિવાળું છે. તથા જેમ દીપક સ્વ–પર બન્નેનો પ્રકાશક છે તેમ મંગલ પણ પોતે મંગલરૂપ હોવા સાથે જેમાં ગૂંથાય છે તેને પણ મંગલરૂપ બનાવે છે. તેથી પૂર્વે જે કહ્યું કે “અમંગલરૂપ 15 શાસ્ત્રને સેંકડો મંગલો વડે પણ મંગલરૂપ બનાવી શકાય નહીં” તે યુક્તિસંગત નથી. તેથી અનવસ્થા પણ રહેતી નથી.) હવે જો અભિન્ન પક્ષ માનો તો” વગેરે કહેવા દ્વારા અભિન્નપક્ષમાં આપત્તિ આપી તે પણ રહેતી નથી, કારણ કે શિષ્યમાંતમાં મંગલનો પરિગ્રહ કરવા માટે શાસ્રને મંગલરૂપ કહ્યું છે અર્થાત્ શિષ્ય પણ ‘આ શાસ્ર મંગલરૂપ છે’. એવું જાણી શકે તે માટે મંગલનું ઉપાદાન કરેલ છે. 20 શંકા : જો કે શિષ્ય “આ શાસ્ત્ર મંગલરૂપ છે” એવું ન જાણે તો પણ શાસ્ત્ર સ્વયં મંગલરૂપ હોવાથી નિર્વિઘ્નપણે પાર પામવારૂપ પોતાનું (મંગલનું) કાર્ય કરવામાં સમર્થ જ છે તો શા માટે ઉપાદાન નિરર્થક ન કહેવાય ?(અર્થાત્ ‘આ શાસ્ત્ર મંગલરૂપ છે’’એવી મંગલની બુદ્ધિ શિષ્યને ન થાય તો વાંધો શું છે.?) સમાધાન ઃ તમને શાસ્ત્રકારોના અભિપ્રાયોનું જ્ઞાન લાગતું નથી. મંગલ પણ મંગલન 25 બુદ્ધિથી ગ્રહણ કરાય તો જ મંગલરૂપ બને છે, અર્થાત્ પોતાનું કાર્ય કરવામાં સમર્થ બને છે. જેમકે, મંગલભૂત એવો પણ સાધુ જો મંગલની બુદ્ધિથી ગ્રહણ કરાય તો જ પ્રશસ્તચિત્તવૃત્તિવાળા ભવ્યજીવોને કાર્યની સિદ્ધિ કરનારો બને છે. પણ જો મંગલની બુદ્ધિથી ગ્રહણ ન થાય તો ૮૭. મેદ્રંતિ । ૮૮. અનિષ્ટાન્નક્ષìતિ । ૮૧. મેપક્ષે । ૧૦. સિદ્ધ ધનમ્ । ૧૬. इष्टनमस्कारादिमङ्गलविधानद्वाराऽनूद्यते । ९२. शास्त्रम् । ९३. अन्यनमस्कारादिमङ्गलनिरपेक्षत्वेन । ९४. 3)નિર્વિઘ્નપામનાર્િ। . મકૃતપસ્યાપિ મઙ્ગલો । ૧૬. મકૃતાર્યદ્ભુત્ । ૧૭. ‘નોમો भावो सुविसुद्धो खाइयाइओ' त्ति ( वि० ४९ गाथा ) वचनात्क्षायिकादिभाववतो यतेर्मङ्गलता । ९८. आसन्नसिद्धिताज्ञापनाय । ९९. प्रधानमङ्गलतासंपादनेति । १. मङ्गलबुद्ध्या । Page #32 -------------------------------------------------------------------------- ________________ મંગલવાદ "कालुष्योपहतचेतसः सत्त्वस्य न भवतीति, एवं शास्त्रमपीतिभावार्थ: । आह-यद्येवममङ्गलमर्पि मङ्गलबुद्धेः प्राणिनो मङ्गलकार्यकृत्प्राप्नोतीति, अनिष्टं चैतदिति, ન, तस्य स्वरूपेणैवामङ्गलत्वात्, `मङ्गलस्य च स्वबुद्धिसापेक्षस्य स्वकार्याभिनिवर्त्तकत्वादिति, तथाहि-यदि कश्चित्काञ्चनमेव काञ्चनतयाऽभिगृह्य प्रवर्त्तते ततस्तत्फलमासादयति, न पुनरकाञ्चनं सत्काञ्चनबुद्धयाँ, नाप्यतद्बुद्धयेति । मङ्गलत्रयापान्तरालद्वयमित्थैममङ्गलमापद्यत इति चेत्, न, 5 કાલુષ્યથી હણાયેલ ચિત્તવાળા જીવને કાર્યસિદ્ધિ કરનારો બનતો નથી. (અર્થાત્ કાર્યારંભે સાધુનું દર્શન થતાં, ‘આ મંગળ થયું' એવી બુદ્ધિ થાય, તો જ તે દર્શન વિઘ્નવિનાશક બને, કાર્યસિદ્ધિ કરાવે. જો એવી બુદ્ધિ ન થાય, પણ ‘મુંડિયો મળ્યો – અપશુકન થયું' એવી બુદ્ધિ થાય, તો તે સાધુનું દર્શન વિઘ્નવિનાશક બનતું નથી, કાર્યસિદ્ધિ કરાવતું નથી.) એ જ રીતે શાસ્ત્ર પણ સ્વયં મંગલરૂપ હોવા છતાં “આ શાસ્ત્ર મંગલરૂપ છે” એવા પ્રકારની બુદ્ધિથી ગ્રહણ કરાય તો 10 જ મંગલરૂપ બની શકે છે અન્યથા નહીં. તેથી શિષ્યને શાસ્ત્રમાં મંગલની બુદ્ધિ થાય તે માટે મંગલનું ઉપાદાન કર્યું છે. શંકા : જો આ પ્રમાણે હોય એટલે કે મંગલ એ મંગલની બુદ્ધિથી ગ્રહણ કરાયેલું છતું મંગલરૂપ બનતું હોય તો, અમંગલને પણ કોઈ વ્યક્તિ મંગલની બુદ્ધિથી ગ્રહણ કરે તો તે અમંગલ પણ મંગલરૂપ બની મંગલના કાર્યને કરનારું માનવું પડશે, પણ આવું તો કોઈ માનતું નથી જ. સમાધાન : અમંગલ એ સ્વરૂપથી જ અમંગલરૂપ હોવાથી મંગલની બુદ્ધિથી ગ્રહણ કરવા છતા મંગલરૂપ બનતું નથી. に 15 (શંકા : જો મંગલની બુદ્ધિથી ગ્રહણ કરવા છતાં અમંગલ સ્વરૂપથી અમંગલ હોવાથી મંગલરૂપે બનતું નથી તો એનો અર્થ એ થયો કે વસ્તુમાં રહેલી સ્વરૂપતા જ મુખ્ય છે નહીં કે બુદ્ધિ. તો તો પછી મંગલ એ તો સ્વરૂપથી જ મંગલરૂપ હોવાથી શિષ્યને તેમાં મંગલની બુદ્ધિ 20 થાય કે ન થાય તો પણ તે મંગલ સફળ બને જ.) સમાધાન : મંગલ પોતે સ્વરૂપથી મંગલરૂપ હોવા છતાં મંગલની બુદ્ધિથી ગ્રહણ થાય તો જ પોતાનું કાર્ય કરે છે. જેમ, કોઈ વ્યક્તિ સોનાને જ સોના તરીકે જાણી તેમાં પ્રવૃત્તિ કરે તો તે વ્યક્તિ સોનાના ફલને પામે છે. પણ જે સોનું નથી તેવી (પિત્તળ વિ.) વસ્તુને સોના તરીકે માને તો સોનાના ફલને પામી શકતો નથી. તે જ રીતે સોનાને પણ જો ‘આ સોનું છે' એવું 25 જાણ્યું ન હોય તો પણ તે તેના ફલને પામી શકતો નથી. તેમ મંગલમાં પણ સમજી લેવું. શંકા : (મંગલને મંગલની બુદ્ધિથી ગ્રહણ કરાય તો જ પોતાનું કાર્ય કરે એ વાત સમજાઈ २. मङ्गलकार्यकृत् । ३. मङ्गलबुद्ध्या गृह्यमाणं मङ्गलभूतमपि मङ्गलकार्यकृत् । ४ मङ्गलबुद्धेर्मङ्गलकार्यकृत्त्वे । ५. अमङ्गलस्य । ६. स्वरूपेण मङ्गलस्यापि तथात्वापत्तेराह मङ्गलेति । ७. चो વિશેષાર્થ: । ૮. મઽત્ત્તત્વતિ । . વિવિધ્વંસાતિ । o૦. સુવર્ણનાર્ય વારિત્ર્યનાશાહિ । ??. બ્રિન-3() कार्यकृद्भवतीति शेषः । १२. काञ्चनमपि काञ्चनकार्यकृत् भवतीतिशेषः । १३. मङ्गलं मङ्गलबुद्ध्या गृह्यमाणं तत्कार्यकृदितिनियमे । Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) अशेषशास्त्रस्यैव तत्त्वतो मङ्गलत्वात्, तस्यैव च संपूर्णस्यैव त्रिधा विभक्तत्वात् मोदकवदपान्तरालद्वयाभाव इति, यथा हि मोदकस्य त्रिधाविभक्तस्य अपान्तरालद्वयं नास्ति, एवं प्रकृतशास्त्रस्यापीति भावार्थः । मङ्गलत्वं चाशेषशास्त्रस्य निर्जरार्थत्वात्, प्रयोगश्च-विवक्षितं शास्त्रं मङ्गलं, निर्जरार्थत्वात्, तपोवत् । कथं पुनरस्य निर्जरार्थतेति चेत्, ज्ञानरू पत्वात्, 5 જ્ઞાની ૨ નિર્નરહેતુત્વા, ૩વર્ત રે – "जं नेरइओ कम्म, खवेड़ बहुयाहि वासकोडीहिं । तं नाणी तिहि गुत्तो खवेड़ ऊसासमित्तेणं ॥१॥" स्यादेतत्, एवमपि मङ्गलत्रयपरिकल्पनावैयर्थ्यमिति, न, "विहितोत्तरत्वात्, तस्मात्स्थितमेतत्-शास्त्रस्य आदौ मध्येऽवसाने च मङ्गलमुपादेयमिति । आह-मङ्गलमिति कः शब्दार्थः? 10 ગઈ.) પરંતુ તમે જે ત્રણ મંગલ કર્યા છે તેમાં પ્રથમ અને મધ્યમમંગલ વચ્ચેનો તથા મધ્યમ અને અવસાન (અંતિમ) મંગલ વચ્ચેનો ભાગ અમંગલ બનવાની આપત્તિ આવશે (અર્થાત જે સૂત્રો મંગલરૂપ કહ્યા તે સિવાયના સૂત્રો અમંગલ બની જશે.) સમાધાન : ના, એવી કોઈ આપત્તિ આવશે નહીં, કારણ કે વાસ્તવિક રીતે તો સંપૂર્ણ શાસ્ત્ર જ મંગલરૂપ છે અને આ સંપૂર્ણ શાસ્ત્રના જ ત્રણ ભાગ પાડેલા હોવાથી, જેમ લાડવાના 15 ત્રણ ભાગ કરતા વચ્ચેના ભાગ જુદા રહેતા નથી, તેમ શાસ્ત્રના પણ ત્રણ ભાગ કરતા વચ્ચેના બે ભાગ જુદા રેહતા નથી. (શંકા : સંપૂર્ણ શાસ્ત્ર કેવી રીતે મંગલરૂપ ગણાય ?) સમાધાન : જેમ તપ નિર્જરાનું કારણ હોવાથી મંગલરૂપ છે તેમ, સંપૂર્ણ શાસ્ત્ર નિર્જરાનું કારણ હોવાથી મંગલરૂપ છે. અહીં અનુમાનપ્રયોગ બતાડે છે. (પ્રતિજ્ઞા) વિવણિતશાસ્ત્ર એ 20 મંગલરૂપ છે. (હેતુ-) નિર્જરાનું કારણ હોવાથી, (દષ્ટાન્ત-) તપની જેમ. શંકા : શાસ્ત્ર નિર્જરાનું કારણ કેવી રીતે બને ? સમાધાન : શાસ્ત્ર જ્ઞાનરૂપ છે અને જ્ઞાન નિર્જરાનું કારણ હોવાથી શાસ્ત્ર નિર્જરાનું કારણ કહેવાય છે. કહ્યું છે કે “નારકજીવ કરોડો વર્ષો વડે જે કર્મ ખપાવે છે તે કર્મોને (મનવચનકાયા એ)ત્રણથી ગુપ્ત જ્ઞાની એક ઉચ્છવાસમાં ખપાવે છે.” શંકા: છતાં ત્રણ મંગલની કલ્પના નિરર્થક છે. ? (કારણ કે એક મંગલથી જ કામ પૂરું થાય છે.) સમાધાન : આ પ્રશ્નનો ઉત્તર અને પૂર્વે કહી જ દીધો છે કે નિર્વિદનપરિસમાપ્તિ વગેરે ત્રણ કાર્યો માટે ત્રણ મંગલ કરેલ છે. તેથી ફરી એ વાત કરતા નથી. આમ એ વાત સિદ્ધ થાય છે કે શાસ્ત્રની શરૂઆતમાં, મધ્યમ અને અન્તમાં મંગલ ઉપાદેય છે. શંકા : મંગલ એટલે શું ? 30 १४. अनुमानस्य । १५. मङ्गलत्रयस्य अविजसमाप्त्यादिकार्यत्रयस्य पृथक्पृथक्तया साधकत्वात्। ૬. સિદ્ધમ્ | * ત૭ ૨-૩-૪ / 25. Page #34 -------------------------------------------------------------------------- ________________ મંગલશબ્દની વ્યાખ્યા જ ૧૧ उच्यते, अगिरगिलगिवगिमगि इतिदण्डकधातः, अस्य "इदितो नुम्धातोः" ( पा० ७-१-५८) इति नुमि विहिते औणादिकालच्प्रत्ययान्तस्यानुबन्धलोपे कृते प्रथमैकवचनान्तस्य मङ्गलमितिरूपं भवति, मङ्यते हितमनेनेति मङ्गलं, मक्यते अधिगम्यते साध्यत "इतियावत् अथवा मङ्गेति धर्माभिधानं, 'ला आदाने' अस्य धातोर्मङ्ग उपपदे "आतोऽनुपसर्गे कः" (पा० ३-२-३) इति कप्रत्ययान्तस्य अनुबन्धलोपे कृते "आतो लोप इटि च किति" (पा० ६-४-६४ आतो 5 लोप इटि च) इत्यनेन सूत्रेणाकारलोपे च प्रथमैकवचनान्तस्यैव मङ्गलमिति भवति, मङ्गं लातीति मङ्गलं धर्मोपादानहेतुरित्यर्थः, अथवा मां गालयति भवादिति मङ्गलं संसारादपनयतीत्यर्थः। तच्च नामादि चतुर्विधं, तद्यथा-नाममङ्गलं १ स्थापनामङ्गलं २ द्रव्यमङ्गलं ३ भावमङ्गलं ४ चेति। तत्र - समाधान : अगि, रगि, लगि, वगि, मगि मा प्रभारी पातु . तेमा म, २२, स, 10 વગુ અને મગ ધાતુઓ છે. આ બધા ધાતુઓ ફ(રૂ) સંજ્ઞાવાળા કહેવાય છે. પાણિની વ્યાકરણસૂત્ર नं. ७-१-५८ ना "इदितो नुम्धातोः" थी इ(इत्) संशावाणा पातुमाने नुमनो मागम थाय छे. भा 'नुम'मा "उम्" से अनु५ जे. ॥ अनुसंधनो तो५ ४२ता मन्+ ग्, त्या२ पछी - नो . "" थाय तेथी मङ्-ग्, त्यार पछी औणादिकथी "अलच्" प्रत्यय लागे भने ते प्रत्ययमा “च्" अनुबंधनो सो५.४२ता, मङ्ग-अल-मङ्गल, माने प्रथम मेययननो प्रत्यय सात। "मङ्गलं" 15 એ પ્રમાણે રૂપ થાય. ४ा 43 रित प्राप्त ४२।५=४९॥य (मङ्ग्यते) ते. मंगल. मी 'प्रा ४२॥य, भेगवाय, सिद्ध ४२१५' मा ५५ समान अर्थो छ अथवा "भंग" शनो '' अर्थ थाय. “ला" धातु अहए। ४२वाना अर्थम १५२राय छे. मापातुनी पूर्व भंग श६ भूता मंग+ला थाय, पछी 'आतोऽनुपसर्गे कः (पा० ३-२-३) नियम लागे अर्थात् ७५स विनाना “मा" २रान्त पातुने 20 "क' प्रत्यय लागे छे. ___ "क" प्रत्ययमा “क्' से अनुबंध के ४नो लो५ यतां ला+अ (क प्रत्ययमांथा क् 5tढता अ डी. २यो) थाय. "आतो लोप इटि च किति" सा सूत्रथी कित्-ङ्त् िप्रत्यय ५२ छत पूर्वन। "म" ॥२नो लोप थाय तेथी मङ्ग- ला+अ=मङ्ग ल्+अ मङ्गल, प्रथमा विमति. सागत मङ्गलं ३५ थाय. मंगनेभने सावी मापे ते मंगल, अर्थात् धनी प्राप्ति, १२९॥ 25 અથવા સંસારથી જે મને ગાળ=દૂર કરે તે મંગલ. તે મંગલ નામાદિ ચાર પ્રકારે છે. નામમંગલ, સ્થાપનામંગલ, દ્રવ્યમંગલ અને ભાવમંગલ. તેમાં (પ્રથમ નામનિક્ષેપાની વ્યાખ્યા કરતા કહે છે કે) – અન્ય અર્થમાં રહેલું હોય, તદર્થથી १७. सदृशधातूनामेकार्थे पाठात् । १८. प्राप्त्यर्थत्वात् गत्यर्थानां । १९. निदर्शनमात्रत्वाद्धातूनाम्। २०. पर्यायस्य पर्यायकथने प्रयोग एतस्य । २१. तत्त्वभेदपर्यायैर्व्याख्येतिनियमात् प्राक्तत्त्वं मङ्गलस्य 30 हितप्राप्त्याद्यभिधाय भेददर्शनाय । २२. चतुर्विधे मङ्गले । Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) “यद्वस्तुनोऽभिधानं स्थितमन्यार्थे तदर्थनिरपेक्षम् । पर्यायानभिधेयं (च) नाम यादृच्छिकं च तथा ॥१॥" अस्यायमर्थ:-यद् 'वस्तुनो' जीवाजीवादेः 'नाम' यथा गोपालदारकस्येन्द्र इति ‘स्थितमन्यार्थे ' इति परमार्थतः त्रिदशाधिपेऽवस्थानात् । तदर्थनिरपेक्षम्' इति इन्द्रार्थनिरपेक्षं, 5 कथम् ? तत्र गुणतो वर्त्तत इति, इन्दनादिन्द्रः ‘इदि परमैश्वर्ये' इति तस्य परमैश्वर्ययुक्तत्वात्, गोपालदारके तु तदर्थशून्यमिति, तथा पर्यायैः-शक्रपुरन्दरादिभिः नाभिधीयत इति, इह नामनामवतोरभेदोपचाराद्गोपालवस्त्वेव गृह्यते, एवंभूतं नामेति, तथाऽन्यत्रावर्त्तमानमपि किञ्चिद् નિરપેક્ષ હોય, અને પર્યાયથી અનભિધેય એવું વસ્તુનું જે અભિધાન (તે નામનિક્ષેપો છે.) તથા જે યાદેચ્છિક હોય તે નામ કેહવાય છે Ill આ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે- જીવ–અજીવાદિ વસ્તુનું જે અભિધાન જેમકે ગોવાળિયાના બાળકનું ઇન્દ્ર એ પ્રમાણેનું નામ (અભિધાન). આ અભિધાન “સ્થિતમન્યાર્થી” એટલે કે ગોપાલદારકરૂપ (દવોના રાજા ઇન્દ્ર કરતા) અન્યાર્થમાં રહેલું હોય, કારણ કે પરમાર્થથી આ નામ દેવોના રાજા ઇન્દ્રમાં રહેલું છે. વળી તે નામ ‘તદર્થનિરપેક્ષ'=ઇન્દ્ર શબ્દનો અર્થથી નિરપેક્ષ હોય, અહી બાળકનું “ઇન્દ્ર” 15 નામ ઇન્દ્ર શબ્દના અર્થથી શૂન્ય છે કારણ કે ઈન્દ્ર શબ્દમાં “ઇદુ” ધાતુ વપરાયેલો છે, જેનો અર્થ “પરમૈશ્વર્ય ભોગવવું” થાય છે. તેથી પરઐશ્વર્ય ભોગવવારૂપ ઇન્દ્ર શબ્દનો અર્થ દેવલોકમાં રહેલ દેવોના રાજામાં જ ઘટે છે કારણ કે ત્યાં તે પરઐશ્વર્યને ભોગવે છે. પણ ગોવાળિયાનો બાળક પરઐશ્વર્યને ભોગવતો નથી, તેથી બાળકનું “ઇન્દ્ર” નામ તદર્થ–નિરપેક્ષ બને છે. વળી આ નામ “પર્યાયાનભિધેય” પર્યાયવાચી શબ્દો વડે બોલાવાતું ન હોય અર્થાત્ દેવલોકમાં રહેલ 20 દેવોના રાજા માટે જેમ શક, પુરંદર વગેરે પર્યાયવાચી શબ્દો વપરાય છે, તેમ આ બાળકને ઇન્દ્ર” શબ્દના પર્યાયવાચી શબ્દોથી બોલાવાતો ન હોવાથી બાળકનું નામ પર્યાય વડ અનભિધેય=બોલવા યોગ્ય નથી. અહીં ધ્યાન રાખવું કે પર્યાયાનભિધેય તરીકે વ્યક્તિ જ હોવાની છે, પણ તેનું નામ નહીં. છતાં નામ–નામવાળાનો અભેદ ઉપચાર કરી આ વિશેષણ નામનું જાણવું. (અહીં આખો નિષ્કર્ષ 25 આ પ્રમાણે જાણવો કે જે નામ અન્યાર્થમાં (ગોપાલદારકરૂપ અન્યાર્થમાં) રહેલું હોય, પ્રસ્તુતમાં તદર્થથી શૂન્ય હોય અને નામના પર્યાયવાચી શબ્દોથી અનભિધેય હોય તેવું નામ એ નામ (નિક્ષેપ) તરીકે કહેવાય છે. આમ નામ (નિક્ષેપા)ને જાણવા એક લક્ષણ બતાવ્યું, હવે બીજું લક્ષણ બતાવતા કહે છે–) તથા અન્યત્ર બીજે ક્યાંય વર્તતુ ન હોય, માત્ર પોતાની ઇચ્છાથી २३. आर्यावृत्तस्य नामलक्षणप्रतिपादकग्रन्थस्येति वा । २४. आदिना तदुभयस्य । २५. 30 TIA: I ૨૬. ત્રિશrfધરે ર૭. રૂદ્રશ્ય | ૨૮. રૂદ્રાક્થતિ ! Page #36 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના નિક્ષેપાની વ્યાખ્યા શૌ& ૧૩ यादृच्छिकं डित्थादिवत्, चशब्दात् यावद्र्व्यभावि च प्रायस इति । यत्तु सूत्रोपदिष्टं “णामं आवकहियं” तत् प्रतिनियतजनपदसंज्ञामाश्रित्येति, नाम च तन्मङ्गलं चेतिसमासः, तत्र यत् जीवस्याजीवस्योभयस्य वा मङ्गलमिति नाम क्रियते तन्नाममङ्गलं, जीवस्य यथा-सिन्धुविषयेऽग्निर्मङ्गलमभिधीयते, अजीवस्य यथा-श्रीमल्लाटदेशे दवरकवलनकं मङ्गलमभिधीयते, उभयस्य યથા–વન્દ્રનમસ્તેતિ | "यत्तु तदर्थवियुक्तं तदभिप्रायेण यच्च तत्करणि । ___ लेप्यादिकर्म तत् स्थापनेति क्रियतेऽल्पकालं च ॥२॥" अस्यायमर्थः-'यद्' वस्तु 'तदर्थवियुक्तं' भावेन्द्राद्यर्थरहितं, तस्मिन्नभिप्रायस्तदभिप्रायः, अभिप्रायो बुद्धिः, तद्वद्धयेत्यर्थः, करणिराकृतिः, यच्चन्द्राद्याकृति 'लेप्यादिकर्म क्रियते' चशब्दात्तदाकृतिशून्यं चाक्षनिक्षेपादि 'तत्स्थापनेति' तच्चेत्वरमल्पकौलमितिपर्यायौ, 10 પાડેલું હોય તે પણ નામ કહેવાય છે. જેમ કે ડિત્ય, વિત્ય વગેરે. મૂળગાથામાં “a” શબ્દથી આ પણ સમજી લેવું કે તે બંને પ્રકારના નામો પ્રાયઃ ધાવદ્રવ્યભાવિ અર્થાત્ જયાં સુધી નામવાળું તે દ્રવ્ય ટકે ત્યાં સુધી પ્રાય: રહેનારા હોય છે. (શંકા : સૂત્રમાં [અનુયોગદ્વાર સૂ–૧૨માં) તો ‘માવદિય' એટલે કે નામ નિરપવાદે થાવત્કથિક બતાવ્યું છે, તો તમે પ્રાય: શબ્દ શા માટે વાપરો છો ?) 15 સમાધાન : સૂત્રમાં જે કહ્યું છે તે ચોક્કસ એવા દેશોના નામો માટે કહ્યું છે. (જે હંમેશા તે જ રહે છે, જયારે ગોપાલદારક વિ.નું નામ તો ક્યારેક બદલાય પણ છે) તેથી પ્રાયઃ શબ્દમાં કોઈ દોષ નથી. આ રીતે નામની વ્યાખ્યા કહી. હવે નામ એવું જે મંગલ તે નામમંગલ. (આ રીતે કર્મધારય સમાસ કરવો.) તેમાં જીવનું, અજીવનું કે ઉભયનું “મંગલ” એ પ્રમાણેનું નામ એ નામમંગલ કહેવાય. 20 જેમ કે, સિંધુદેશમાં અગ્નિ મંગલ તરીકે કહેવાય છે. આમ જીવનું દષ્ટાન્ત બતાવી હવે અજીવમાં ઘટાવે છે કે ઋદ્ધિવાળા લાટદેશમાં દવરક વલનકને (વાળેલી દોરીને) મંગલ તરીકે કહેવાય છે અને ઉભયમાં દષ્ટાન્ત તરીકે વંદનમાલાને (જેને વિષે અંદર રહેલ દોરો એ અચિત્ત અને ઉપર રહેલા પાંદડાદિ સચિત્ત હોવાથી ઉભયરૂપ એવા તોરણોને) મંગલરૂપ તે તે દેશોમાં કહેવાય છે. આ બધા (નામ-નામવાળાનો અભેદ ઉપચાર કરવાથી) નામમંગલ જાણવા. 25 હવે સ્થાપનાનિક્ષેપની વ્યાખ્યા કહે છે કે, જે લેપ્યાદિ કર્મ ભાવેન્દ્રાદિના અર્થથી રહિત હોય, ભાવેન્દ્રાદિના અભિપ્રાયથી ભાવેન્દ્રાદિની આકૃતિવાળું બનાવેલું હોય તે લેપ્યાદિકર્મ (પૂતળા વગેરે) સ્થાપના કહેવાય છે. અહીં “a” શબ્દથી એટલું જાણવું કે જે અક્ષ વગેરે ભાવેન્દ્રાદિની આકૃતિથી શૂન્ય હોવા છતાં ભાવેન્દ્રાદિના અભિપ્રાયથી સ્થપાય તે પણ સ્થાપના જાણવી. આ સ્થાપના અલ્પકાળ માટે તથા “a” શબ્દથી યાવદ્રવ્યભાવિ હોય છે. જે સ્થપાય તે સ્થાપના. 30 २९. अभिधानान्तरेऽपि प्रागभिधानवाच्यत्वात् । ३०. परावृत्तिभावात् । ३१. आकृत्यन्तरे पूर्वाकारोच्छेदात् । Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सत्भाषांतर ( (भाग - १) चशब्दाद्यावद्द्रव्यभवि च, स्थाप्यत इति स्थापना, स्थापना चासौ मङ्गलं चेति समासः, तत्र स्वस्तिकादि स्थापनामङ्गलमिति । "भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यलोके । तद्रव्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं कथितम् ॥३॥ " अस्यायं भावार्थ:-'भूतस्य' अतीतस्य 'भाविनो वा' एष्यतो 'भावस्य पर्यायस्य' 'कारणं' निमित्त 'यद्' 'एव 'लोके' 'तद् द्रव्यम्' इति द्रवति गच्छति ताँस्तान्पर्यायान् क्षति चेति द्रव्यं 'तत्त्वज्ञैः' सर्वज्ञैस्तीर्थ कृद्भिरितियावत् सचेतनम् अनुपयुक्तपुरुषाख्यम् अचेतनं ज्ञशरीरींदि तथाभूतमन्यद्वा 'कथितं' आख्यातं प्रतिपादितमित्यर्थः । तत्र द्रव्यं च तन्मङ्गलं चेतिसमासः, तच्च द्रव्यमङ्गलं द्विधा - आगमतो नोआगमतश्च तत्र आगमतः खल्वागममधिकृत्य 10 आगमापेक्षमित्यर्थः, नोआगमतस्तु तद्विपर्ययमाश्रित्य तत्रागमतो मङ्गलशब्दाध्येता अनुपयुक्तो द्रव्यमङ्गलम् ‘अनुपयोगो द्रव्य' मितिवचनात्, तथा नोआगमतस्त्रिविधं द्रव्यमङ्गलं, तद्यथा“સ્થાપના એવું જે મંગલ” આ પ્રમાણે સમાસ કરવો. ત્યાં સ્વસ્તિકાદિ સ્થાપનામંગલ જાણવા. (કારણ કે તે સ્વસ્તિકાદિ મંગલ તરીકે સ્થપાય છે.) દ્રવ્યનિક્ષેપની વ્યાખ્યા કરે છે કે લોકમાં ભૂત કે ભાવિ પર્યાયનું જે કારણ હોય તે દ્રવ્ય તરીકે તત્ત્વજ્ઞોવડે કહેવાયેલું છે. તે સચિત્ત—અચિત્ત 15 એમ બંને પ્રકારનું હોય છે. નવા નવા પર્યાયોને પામે અને જૂના જૂના પર્યાયોને જે છોડ તે દ્રવ્ય કહેવાય છે. અહીં સચિત્ત તરીકે અનુપયુક્ત પુરૂષ તથા અચિત્ત તરીકે જ્ઞશરીરાદિ અથવા તેવા પ્રકારનું બીજું (જ્ઞભવ્યથી વ્યતિરિક્ત) લેવું. “દ્રવ્ય એવું જે મંગલ’” એ પ્રમાણે સમાસ જાણવો. તે દ્રવ્યમંગલ બે પ્રકારનું છે. આગમથી અને નોઆગમથી. અહીં આગમથી એટલે આગમને આશ્રયી અર્થાત્ આગમને સાપેક્ષ. તથા નોઆગમથી 20 खेटले सागमना अभावने आश्रयी तेमां “अनुपयोगो द्रव्यम्" जावु वयन होवाथी मंगल શબ્દના અર્થને જાણનાર પણ અત્યારે મંગલ શબ્દના અર્થમાં ઉપયોગ વિનાની વ્યક્તિ આગમથી દ્રવ્યમંગલ જાણવી. (કારણ કે મંગલ શબ્દના અર્થનું જ્ઞાન હોવાથી “આગમથી’” અને ઉપયોગ ન હોવાથી ‘દ્રવ્ય” તરીકે આ વ્યક્તિ આગમથી દ્રવ્યમંગલ કહેવાય છે.) 5 ३२. नन्दीश्वरद्वीपादिस्थप्रतिमादि । ३३. स्थाप्यमानापेक्षया, अन्यत्र तु तिष्ठतीति स्थापना । ३४. आदिना 25 नन्दावर्त्तादि । ३५. आगमनो आगमाभ्यां विचारयिष्यमाणत्वाद्भावार्थ इति । ३६. वाशब्दस्य निपातानामनेकार्थत्वेन समुच्चयार्थत्वाद्भूतभविष्यतोश्चेति ज्ञेयं ( चकाराद्भूतभविष्यत्पर्यायमेति विशेषावश्यके ) ३७. विवक्षितस्य भावतया ३८. "आगमकारणमाया देहो सद्दो य तो दव्वं " ति । ३० विशेषा-वश्यकवचनादुपादानादीनि विविधानि कारणानि । ३९. इष्टावधारणार्थत्वाद्योग्यत्वसद्भाव इति ज्ञापयति । ४०. पर्यायस्य क्रमभावित्वात्पूर्वपर्यायान् क्षरति, भूतापेक्षया रति, भविष्यदपेक्षया गच्छतीत्यपि। 30 ४१. द्वादशाङ्गार्थप्ररूपणाकारित्वात्तेषाम् । ४२. आदिना भव्यशरीरग्रहः । ४३. ज्ञभव्यशरीरव्यतिरिक्तमप्रधानं कारणादि च । ४४. युक्तिदर्शनपुरस्सरं दर्शितं द्रव्यस्वरूपमेतदिति । उपलक्षणादनुपयुक्तानुष्ठानादि व्यतिरिक्तमङ्गलत्वात्तस्य । + पेक्षयेत्यर्थः ज्ञाता Page #38 -------------------------------------------------------------------------- ________________ નોઆગમથી દ્રવ્યમંગલ • હે ૧૫ ज्ञशरीरंद्रव्यमङ्गलं १ भव्यशरीरद्रव्यमङ्गलं २ ज्ञशरीरभव्यशरीव्यतिरिक्तं, ३ द्रव्यमङ्गलमिति । तत्र ज्ञस्य शरीरं ज्ञशरीरं, शीर्यत इति शरीरं ज्ञशरीरमेव द्रव्यमङ्गलं ज्ञशरीरद्रव्यमङ्गलम्, अथवा ज्ञशरीरं च तद् द्रव्यमङ्गलं चेतिसमासः । एतदुक्तं भवति-मङ्गलपदार्थज्ञस्य यच्छरीरमात्मरहितं तदतीतकालानुभूततद्भावानुवृत्त्या सिद्धशिलादितलगतमपि घृतघंटादिन्यायेन नोआगमतो ज्ञशरीरद्रव्यमङ्गलमिति, मङ्गलज्ञानशून्यत्वाच्च तस्य, इह सर्वनिषेध एव नोशब्दः । तथा भव्यो 5 योग्यः, मङ्गलपदार्थं ज्ञास्यति यो न तावद्विजानाति स भव्य इति, तस्य शरीरं भव्यशरीरं, भव्यशरीरमेव द्रव्यमङ्गलम्, अथवा भव्यशरीरं च तद् द्रव्यमङ्गलं चेतिसमास इति । अयं भावार्थ:-भाविनी वृत्तिमङ्गीकृत्य मङ्गलोपयोगांधारत्वात् मधुघटादिन्यायेनैव तत् बालादिशरीरं તથા નો–આગમથી દ્રવ્યમંગલ ત્રણ પ્રકારનું છે. (૧) જ્ઞશરીર, (૨) ભવ્ય શરીર, (૩) જ્ઞશરીર–ભ શરીરથી વ્યતિરિક્ત (જુદું). તેમાં મંગલ શબ્દાર્થનાં જ્ઞાતાનું જે મૃતશરીર તે 10 જ્ઞશરીર, જે નાશ પામે તે શરીર.આ જ્ઞશરીર જ દ્રવ્યમંગલ અથવા જ્ઞશરીર એવું જે દ્રવ્યમંગલ એ પ્રમાણે સમાસ જાણવો. કહેવાનો ભાવાર્થ એ છે કે મંગલ શબ્દના અર્થને જાણનારનું આત્માથી રહિત મૃત એવું જે શરીર છે તે સિદ્ધશિલાદિતળમાં રહેલું એવું પણ શરીર અતીતકાળમાં અનુભવેલા મંગલભાવનો (વર્તમાનમાં આ શરીર સાથે) સંબંધ હોવાથી વૃતઘટાદિ ન્યાયથી નો-આગમથી જ્ઞશરીર દ્રવ્યમંગલ જાણવું, કારણ કે અહીં “ના” શબ્દ સર્વનિષેધ અર્થવાળો 15 હોવાથી જેમાં મંગલજ્ઞાનનો સંપૂર્ણ અભાવ હોય તે વસ્તુ નો-આગમથી દ્રવ્યમંગલ કહેવાય છે. આ શરીર અત્યારે મંગલજ્ઞાનથી શૂન્ય હોવાથી નો-આગમથી દ્રવ્યમંગલ કહેવાય છે. (વૃતઘટાદિજાય એટલે જેમ ભૂતકાળમાં ઘીનો ઘડો વર્તમાનમાં ઘીથી ખાલી હોવા છતાં “આ ઘીનો ઘડો” એવા શબ્દપ્રયોગને પામે છે. તેમ ભૂતકાળમાં મંગલ શબ્દના અર્થને જાણનાર વ્યક્તિનું શરીર પણ વર્તમાનમાં જ્ઞાનથી શૂન્ય હોવા છતાં જ્ઞશરીર દ્રવ્યમંગલ તરીકે કહેવાય છે. 20 “સિદ્ધશિલાદિ તળમાં રહેલું શરીર” એવું જે ટીકામાં લખ્યું છે, તેનો અર્થ એ કે જયાં અનશન કરી સાધુઓ સિદ્ધિગતિને પામ્યા, તે સ્થળ ઉપર રહેલું શરીર. રૂતિ મનુયોરસૂત્ર) (૨) ભવ્યશરીર ઃ ભવ્ય એટલે યોગ્ય અર્થાત્ મંગલ શબ્દાર્થને જે ભવિષ્યમાં જાણશે, પણ અત્યારે જાણતો નથી તે ભવ્ય, તેનું જે શરીર તે ભવ્યશરીર અને આ ભવ્યશરીર જ દ્રવ્યમંગલ અથવા ભવ્યશરીર એવું જે દ્રવ્યમંગલ તે ભવ્યશરીરદ્રવ્યમંગલ, એ પ્રમાણે સમાસ કરવો. 25 ભાવાર્થ : ભાવિ પર્યાયને નજરમાં રાખી મંગલના ઉપયોગનો આધાર હોવાથી તે બાળક વગેરેનું શરીર મધુવટાદિન્યાયથી ભવ્યશરીર દ્રવ્યમંગલ જાણવું. “ના” શબ્દ અહીં પણ પૂર્વની જેમ જ્ઞાનના સર્વનિષેધ અર્થમાં જાણવો. (મધુઘટન્યાય =વર્તમાનમાં ખાલી હોવા છતાં ભવિષ્યમાં તે ઘટમાં ४५. मङ्गलभावेति । ४६. यत्र विधायानशनं जग्मुः शोभनां गतिं वाचंयमाः सेति, (अनु०) आदिना તીર્થનિર્વાઇનમૂખ્યાદ્રિા ૪૭. સાવિના મધુવાદ્રિ ૪૮. નોકામતો પાનાય . ૪૬. માવ૫ત્ન- 30 कारणताज्ञापनाय । ५०. आदिना युवादि। Page #39 -------------------------------------------------------------------------- ________________ 10. ૧૬ દશેક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) भव्यशरीरद्रव्यमङ्गलमिति, नोशब्दः पूर्ववेत् । ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तं च द्रव्यमङ्गलं संयमतपोनियमक्रियानुष्ठाता अनुपयुक्तः, आगमतोऽनुपयुक्तद्रव्यमङ्गलवत्, तथा यच्छरीरमात्मद्रव्यं वा अतीतसंयमादिक्रियापरिणामं, तच्च उभयातिरिक्तं द्रव्यमङ्गलं, ज्ञशरीरद्रव्यमङ्गलवत्, तथा यद् भाविसंयमादिक्रियापरिणामयोग्यं तदपि उभयेव्यतिरिक्तं, भव्यशरीरद्रव्यमङ्गलवत्, तथा 5 यदपि स्वभावतः शुभवर्णगन्धादिगुणं सुवर्णमाल्यादि, तदपि हि भावमङ्गलपरिणामकारणत्वाद् द्रव्यमङ्गलम्, अत्रापि नोशब्दः सर्वनिषेध एव द्रष्टव्यः, इत्युक्तं द्रव्यमङ्गलम् । "भावो विवक्षितक्रियानुभूतियुक्तो हि वै समाख्यातः । सर्वज्ञैरिन्द्रादिवदिहेन्दनादिक्रियानुभवात् ॥४॥" अस्यायमर्थ:- भवनं भावः, स हि वक्तुमिष्टक्रियानुभवलक्षणः सर्वज्ञैः समाख्यातः, મધુ ભરવાનું હોવાથી તે ઘટ અત્યારે પણ મધઘટ તરીકે ઓળખાય છે, તેમ અહીં પણ જાણવું.) (૩) જ્ઞશરીર–ભવ્યશરીરવ્યતિરિક્ત = સંયમતપનિયમાદિ ક્રિયાને ઉપયોગ વિના કરનાર ' સાધુ આગમથી અનુપયુક્ત દ્રવ્યમંગલની જેમ નો-આગમથી તવ્યતિરિક્ત દ્રવ્યમંગલ જાણવો તથા જે શરીર અથવા આત્મદ્રવ્ય ભૂતકાળમાં સંયમાદિ ક્રિયાના પરિણામવાળું હતું તે જ્ઞશરીરદ્રવ્યમંગલની જેમ ઉભય વ્યતિરિક્ત જાણવું (પૂર્વે જ્ઞશરીર અને ભવ્ય શરીર દ્રવ્યમંગલ 15 તરીકે શરીર લીધું અને અહીં તદ્ગતિરિક્ત તરીકે પણ શરીર લીધું. તેથી બંનેના ભેદ પાડવા સમાધાન તરીકે એવું લાગે છે કે પૂર્વે જ્ઞશરીરમાં જે શરીર લીધું, તે મંગલ પદના અર્થના જ્ઞાતાનું હતું, અહીં ભૂતકાળમાં સંયમાદિ ક્રિયાના પરિણામવાળાનું શરીર ગ્રહણ કર્યું છે, એ જ પ્રમાણે આગળ ભવ્ય શરીરમાં પણ ભેદ જાણી લેવો.) તથા જે શરીર અથવા સ્વાત્મદ્રવ્ય ભવિષ્યમાં સંયમાદિ ક્રિયાના પરિણામવાળું થશે, તે શરીર અથવા આત્મદ્રવ્ય ભવ્યશરીરદ્રવ્યમંગલની જેમ 20 ઉભયવ્યતિરિક્ત છે. જે વળી સ્વભાવથી શુભવર્ણગંધાદિગુણોવાળું સુવર્ણમાલ્યાદિ છે, તે પણ ભાવમંગલના પરિણામનું કારણ હોવાથી (સુવર્ણાદિને જોતાં પ્રશસ્ત પરિણામ ઉત્પન્ન થાય છે, તેથી) દ્રવ્યમંગલ છે. અહીં નો શબ્દ સર્વનિષેધમાં વર્તે છે. આમ દ્રવ્યમંગલ કહેવાઈ ગયું. ભાવનિક્ષેપ બતાવતા કહે છે કે, થવું એનું નામ ભાવ, કહેવા માટે ઇચ્છાયેલી ક્રિયાના અનુભવને સર્વજ્ઞો ભાવ કહે છે. જેમ કે, ઇન્દનાદિ ક્રિયાની અનુભૂતિથી યુક્ત ઇન્દ્ર વિગેરે. 25 (ભાવાર્થ એ છે કે ભાવેન્દ્ર કોને કહેવાય ? તે જાણવું હોય તો, ‘રૂન્દ્રનામ્ રૂદ્રઃ' એ ઇન્દ્ર શબ્દનો અર્થ છે. અહીં ઇન્દન એટલે ઐશ્વર્યને ભોગવવું. માટે ઐશ્વર્યને ભોગવવારૂપ ક્રિયા અહીં કહેવા માટે ઇચ્છાયેલી છે. તેથી કહેવા માટે ઇષ્ટ એવી આ ક્રિયાનો અનુભવ એ ભાવ કહેવાય છે. આ અનુભવથી યુક્ત ઇન્દ્ર છે, તેથી તે ઇન્દ્ર ભાવેન્દ્ર કહેવાય છે. આમ વિવક્ષિત–ક્રિયાની અનુભૂતિથી જે યુક્ત હોય તે ભાવ કેહવાય છે. આ રીતે ભાવનિક્ષેપો બતાવી હવે ભાવમંગલ 30 ૧૨. સર્વવિધ વાપર. ૩મયસમુચ્ચયાય રૂ. બાદ્રિના તપોનિયમદ્રિા ૧૪. શરીરમાર્થ વા | વલ. જ્ઞમવ્યરીતિ ૩મયં વદ્દ નિમિત્તવારા સ્થાપિદ્રવ્યવાર્થ ૧૭, દ્વિત્યન્તઃ * નાનુપયુ: ૨-૨રૂ-૪૫ + ગ્રાતિ શરૂ I Page #40 -------------------------------------------------------------------------- ________________ આગમથી ભાવમંગલ ૧૭ . इन्दनादिक्रियानुभवनयुक्तेन्द्रादिवदिति । तत्र भावतो मङ्गलं भावमङ्गलम्, अथवा भावश्चासौ मङ्गलं चेति समास:, तच्च द्विधा - आगमतो नोआगमतश्च तत्रागमतो मङ्गलपरिज्ञानोपयुक्तो भावमङ्गलं, कथमिह भावमङ्गलोपयोगमात्रात् तन्मयताऽवगम्यत इति, नह्यग्निज्ञानोपयुक्तो माणवकोऽग्निरेव, दहनपचनप्रकाशनाद्यर्थक्रियाप्रसाधकत्वाभावाद् इति चेत्, न, अभिप्रायापरिज्ञानात्, संवित् ज्ञानम् अवगमो भाव इत्यनर्थान्तरं, तत्र 'अर्थाभिधानप्रत्ययाः तुल्यनामधेयाः ' 5 इति सर्वप्रवादिनामविसंवादस्थानम्, अग्निरिति च यज्ज्ञानं तदव्यतिरिक्तो ज्ञाता तल्लक्षणो गृह्यते, अन्र्त्यैथा तज्ज्ञाने सत्यपि नोपलभेत, अतर्मंयत्वात्, प्रदीपहस्तान्धवत् पुरुषान्तरवद्वा, જણાવે છે.) ભાવમંગલનો સમાસ આ પ્રમાણે કરવો કે ભાવથી મંગલ અથવા ભાવરૂપ મંગલ તે ભાવમંગલ. તે બે પ્રકારે છે. આગમથી અને નો—આગમથી, તેમાં આગમથી ભાવમંગલ તરીકે મંગલ શબ્દના જ્ઞાનમાં ઉપયોગવાળો સાધુ જાણવો. શંકા : ભાવમંગલના ઉપયોગમાત્રથી તે સાધુ ભાવમંગલ કેવી રીતે કહેવાય ? અગ્નિના જ્ઞાનમાં ઉપયુક્ત માણવક એ કંઈ અગ્નિ કહેવાતો નથી. કારણ કે તે માણવક દહન—પચન— પ્રકાશનાદિ અર્થક્રિયાને કરતો નથી. 10 સમાધાન અભિપ્રાયને જાણતા ન હોવાથી તમારી વાત યોગ્ય નથી. પ્રથમ એ કે સંવિત્, જ્ઞાન, અવગમ કે ભાવ આ ચારે શબ્દો સમાનાર્થી છે. તેથી જ્ઞાનને પણ ભાવ તરીકે 15 બોલી શકાય છે બીજું એ કે અર્થ (વસ્તુ), અભિધાન (વસ્તુનું નામ), પ્રત્યય (વસ્તુનો બોધ) આ ત્રણેય તુલ્ય મધેય છે અર્થાત્ આ ત્રણેય એક સમાન શબ્દોથી ઓળખાય છે. આ નિયમ સર્વવાદિઓને અવિસંવાદનું સ્થાન છે અર્થાત્ સર્વેને આ નિયમ માન્ય છે. ("જેમ કે, સામે પડેલ ઘટને આશ્રયી કોઈ પૂછે કે આ શું છે ? તો જવાબ મળે કે આ વસ્તુ એ ઘટ છે. અહીં ધરૂપ વસ્તુ ધટશબ્દથી ઓળખાઈ. આનું નામ (અભિધાન) શું છે ? 20 તો જવાબ મળે કે આનું અભિધાન ઘટ છે. અહીં અભિધાન એ “ઘટ” શબ્દથી ઓળખાયું. તેમજ આ વ્યક્તિને શેનો બોધ (પ્રત્યય) થયો ? તો જવાબ મળે કે ઘટનો બોધ થયો. અહીં પ્રત્યય એ “ઘટ” શબ્દથી ઓળખાયો. આમ અર્થ, અભિધાન અને પ્રત્યય ત્રણે માટે એક શબ્દ વપરાય છે.) આ ન્યાયથી અગ્નિનું જ્ઞાન (પ્રત્યય) પણ અગ્નિ શબ્દથી ઓળખાય છે. તથા જ્ઞાન અને જ્ઞાની અભિન્ન હોવાથી જ્ઞાની પણ અગ્નિ શબ્દથી ઓળખાય છે. તેથી અગ્નિના જ્ઞાનમાં 25 ઉપર્યુક્ત માણવક પણ અગ્નિ તરીકે ઓળખાય છે. જો તમે જ્ઞાન અને જ્ઞાની વચ્ચે અભિન્નતા માનો નહીં તો જ્ઞાન હોવા છતાં વ્યક્તિને અગ્નિનો બોધ થશે નહીં. કારણ કે તે વ્યક્તિ જ્ઞાનમય નથી અર્થાત્ જ્ઞાનથી ભિન્ન છે. જેમ અંધ ५८. मङ्गलाधिकारे भावाधिकारे भावलक्षणसिद्धौ वा । ५९. ज्ञानात्मनोर्व्यतिरिक्तत्वे । ૬૦. જ્ઞાનાત્મનોર્મેદ્રાત્ । ૬૨. પ્રતીપવજ્ઞાનમ્, અન્ધવજ્ઞાનતિરિક્ત્ત: પુરુષ:, प्रदीपहस्तत्वं च निकटत्वाय । 30 ६२. समवायापेक्षया दृष्टान्तान्तरं अन्तरापेक्षया वा ज्ञानोपयुक्तो Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) न चानाकारं तज्ज्ञानं पदार्थान्तरवद्विवक्षितपदार्थापरिच्छेदप्रसङ्गात्, बन्धाद्यंभावश्च ज्ञानाज्ञानसुखदुःखपरिणामान्यत्वाद्, आकाशवत्, न चानलः सर्व एव दहनाद्यर्थक्रियाप्रसाधको, भस्मच्छन्नादिना व्यभिचारात् इत्यलं प्रसङ्गेन, प्रकृतमुच्यते-नोआगमतो भावमङ्गलम् आगमवर्ज ज्ञानचतुष्टयमिति, सर्वनिषेधवचनत्वान्नोशब्दस्य, अथवा सम्यग्दर्शनज्ञानचारित्रोपयोगपरिणामो 5 વ્યક્તિના હાથમાં પ્રદીપ હોવા છતાં તે વ્યક્તિને પ્રદીપનો બોધ થતો નથી અથવા એક વ્યક્તિથી અન્ય વ્યક્તિ જુદી હોવાથી એક વ્યક્તિએ કરેલ જ્ઞાન અન્ય વ્યક્તિને જણાતું નથી, તે જ રીતે અહીં પણ જ્ઞાન અને જ્ઞાની વચ્ચે જો ભિન્નતા માનીએ તો જ્ઞાનીને જ્ઞાન થશે નહીં અર્થાત્ અગ્નિનો બોધ થશે નહીં. (શંકા : જ્ઞાન અનાકાર છે અર્થાત્ જ્ઞાનમાં અગ્નિનો આકાર નથી હોતો તો તે જ્ઞાન 10 અગ્નિશબ્દથી કેવી રીતે ઓળખાય ?) સમાધાન : તે જ્ઞાન અનાકાર છે એવું પણ મનાય નહીં, કારણ કે જો તે જ્ઞાન અનાકાર માનો તો અન્ય પદાર્થની જેમ વિવક્ષિત અગ્નિરૂપ પદાર્થનો પણ બોધ નહીં થવાની આપત્તિ આવશે. (અગ્નિના જ્ઞાનમાં પટનો બોધ કેમ નથી થતો? કારણ કે તેમાં પટાકાર નથી. તેમ જો જ્ઞાનમાં અગ્નિનો આકાર ન હોય તો અગ્નિનો બોધ પણ ન થાય.) પણ ખરેખર તો 15 આત્માને અગ્નિનું જ્ઞાન થાય તો છે જ. તેથી જ્ઞાન-જ્ઞાની વચ્ચે અભેદ જ છે અને તેથી અગ્નિનું જ્ઞાન કરનાર વ્યક્તિ પણ અગ્નિ કહેવાય છે. બીજી પણ એક આપત્તિ એ આવે કે જો તમે જ્ઞાન–શાની વચ્ચે ભેદ માનો તો જ્ઞાન– અજ્ઞાન–સુખ–દુ:ખ વગેરેના પરિણામોથી આકાશની જેમ જીવને શુભાશુભ કર્મબંધ તથા કર્મનિર્જરાદિ ઘટશે નહીં અર્થાત્ જેમ આકાશ આ પરિમાણોથી જુદું હોવાથી આ પરિણામોથી 20 બંધાદિને પામતું નથી, તેમ જીવ પણ પરિણામોથી જુદો હોવાથી બંધાદિ પામશે નહીં. માટે તમારી વાત યુક્તિયુક્ત નથી. વળી તમે કહ્યું હતું કે “માણવક દહન–પચનાદિ ક્રિયા કરતો નથી, માટે તેને અગ્નિ કહેવાય નહીં.” તે વાત પણ ઘટતી નથી, કારણ કે વાસ્તવિક એવા પણ બધા અગ્નિ દહન-પચનક્રિયા કરે જ છે એવું નથી, જે અગ્નિ રાખાદિથી ઢંકાયેલો છે તે અગ્નિ જ્યાં દહન–પચનાદિ ક્રિયા કરવામાં સમર્થ છે? નથી જ. છતાં તેને અગ્નિ તો કહેવાય 25 જ છે, તેમ અહીં પણ તમારે જાણવું. અધિક ચર્ચાથી સર્યું. પ્રસ્તુત વિચારીએ. (આગમથી ભાવમંગલ બતાવીને હવે નોઆગમથી ભાવમંગલ બતાવતા કહે છે કે, નોઆગમથી ભાવમંગલ તરીકે આગમને શ્રુતજ્ઞાનને છોડી શેષ ચાર જ્ઞાન જાણવા. અહીં “ના” શબ્દ સર્વનિષેધમાં વપરાયેલો હોવાથી આગમનો સર્વથા નિષેધ કરવામાં આવ્યો છે અથવા ६३. विषयवैशिष्ट्यशून्यं, तथा च ज्ञेयस्य भिन्नत्वं ज्ञानात् । ६४. प्रसङ्गोऽनिष्टापत्तिः ६५. चकारो 30 नोपलभेतेत्यनेन सह समुच्चयार्थः, ज्ञानात्मनोभेंदे दूषणान्तरमेतदिति । ६६. स्यादित्यध्याहार्यम् । ६७. चन्द्रकान्तमणिव्यवहितादेहः, भस्मच्छन्नादिवदुपयोगरूपोऽपि न दाहकादिगुण इति तत्त्वम् । . ६८. नोशब्दस्य पर्युदासप्रतिषेधार्थत्वादागमवयं ज्ञानचतुष्टयमिति. Page #42 -------------------------------------------------------------------------- ________________ નામાદિનો પરસ્પર ભેદ કે ૧૯ यः . स नागम एव केवलः न चानागमः, इत्यतोऽपि मिश्रवचनत्वान्नोशब्दस्य नोआगमत इत्याख्यायते, अथवा अर्हन्नमस्काराद्युपयोगः खल्वागमैकदेशत्वात् नोआगमतो भावमङ्गलमिति ॥ ननु नामस्थापनाद्रव्येषु मङ्गलाभिधानं विवक्षितभावशून्यत्वाद् द्रव्यत्वं च समानं वर्त्तते, ततश्च क एषां विशेष इति, अत्रोच्यते, यथा हि स्थापनेन्द्रे खल्विन्द्राकारो लक्ष्यते, तथा कर्तुश्च सद्भूतेन्द्राभिप्रायो भवति, तथा द्रष्टश्च तदाकारदर्शनादिन्द्रप्रत्ययः, तथा 5 प्रणतिकृतधियर्थं फलार्थिनः स्तोतुं प्रवर्त्तन्ते, फलं च प्राप्नुवन्ति केचिद्देवतानुग्रहात्, न तथा नामद्रव्येन्द्रयोरिति, तस्मात्स्थापनायास्तावदित्थं भेद इति । यथा च द्रव्येन्द्रो भावेन्द्रस्य कारणतां प्रतिपद्यते, तथोपयोगापेक्षायामपि तदुपयोगतामासादयिष्यति अवाप्तवांश्च, न तथा ના” શબ્દ મિશ્ર અર્થમાં હોવાથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રના ઉપયોગનો પરિણામ જે છે તે માત્ર આગમરૂપ જ છે એવું પણ નથી કે આગમ વિનાનો છે, એવું પણ ન હોવાથી તે 10 આગમ–અનાગમ મિશ્રરૂપ છે. આવો પરિણામ નો-આગમથી ભાવમંગલ જાણવો અથવા “ના” શબ્દ આગમ એક દેશના અર્થમાં બતાવતા કહે છે કે અરિહંતાદિના નમસ્કારનો ઉપયોગ એ આગમનો એક દેશ હોવાથી નોઆગમથી ભાવમંગલ છે. શંકા : નામ, સ્થાપના અને દ્રવ્ય આ ત્રણેયને તમે મંગલ તરીકે કહ્યા, તેથી ત્રણેયમાં મંગલતા સમાન જ છે. તથા આ ત્રણેય વિવક્ષિતભાવથી તો શૂન્ય હોવાથી ત્રણેયમાં દ્રવ્યપણું 15 . જ રહેલું છે, પણ ભાવપણું રહેલું નથી. આમ આ ત્રણેયમાં મંગલતા અને દ્રવ્યપણું સમાન હોવાથી ત્રણેયનો પરસ્પર ભેદ શું રહ્યો ? અર્થાત આ ત્રણેય દ્રવ્યમંગલરૂપ જ બની ગયા. સમાધાન : જેમ સ્થાપનાઇન્દ્રમાં ઈન્દ્રનો આકાર દેખાય છે. સ્થાપના કરનારને વાસ્તવિક ઇન્દ્રની બુદ્ધિ હોય છે તથા જોનારને “આ ઇન્દ્ર છે” એવો બોધ થાય છે, નમસ્કારમાં કરાયેલી છે બુદ્ધિ જેના વડે એવા ફલના અર્થી જીવો તેની સ્તુતિ કરે છે અને કેટલાક જીવો દેવતાના અનુગ્રહથી 20 ફલની પ્રાપ્તિ કરે છે. તે રીતે નામઇન્દ્રમાં કે દ્રવ્ય ઇન્દ્રમાં થતું નથી. તેથી નામ અને દ્રવ્ય ઇન્દ્રથી સ્થાપના ઈન્દ્રનો ભેદ છે. અને જેમ દ્રવ્ય ઇન્દ્ર ભાવઇન્દ્રની કારણતાને પામે છે તથા ઉપયોગની અપેક્ષાએ પણ દ્રવ્ય ઇન્દ્ર (અનુપયુક્ત જ્ઞાતા) ઇન્દ્ર શબ્દના અર્થમાં ઉપયોગતાને પામશે કે પામ્યો હતો, તે રીત નામસ્થાપના પામતા નથી, તેથી નામસ્થાપના કરતા દ્રવ્ય ઇન્દ્રનો ભેદ છે. ६९. द्रव्येष दधिदर्वादिष अग्न्यादिष च मङ्लाभिधानं । ७०. "अभिहाणं दव्वत्तं तयत्थसन्नत्तणं 25 च तुल्लाइं" इतिविशेषावश्यके पृथक् प्रोक्तं, अत्र तु तदर्थशून्यत्वं द्रव्यत्वे हेतुतयोक्तम्, 'यद्वस्तुनोऽभिधान' मिति ‘यत्तु तदर्थवियुक्त' मिति वचनान्नामस्थापनयोरपि द्रव्यत्वं, कारणता सर्वत्रेति वा द्रव्यता, पूर्वं निक्षेपचतुष्कस्य प्रकान्तत्वान्नामद्रव्यभेदविषयाशङ्का, विवक्षितेत्यादेस्तु द्रव्यत्वे हेतुता । ७१. भावे संभवान्नाम्न आह-द्रव्यस्तवमिति, विवक्षितभावशून्यत्वं हि तत्, न च तद्भाव इति । ७२. स्पष्टं लक्ष्यमानत्वादादौ स्थापनाभेदनिरूपणम् । ७३. सद्भावस्थापनापेक्षया । ७४. अवितथेति । ७५. बुद्धिः । 30 ७६. सहस्राक्षवज्रधरत्वादि । ७७. प्रतीतिः । ७८. आराधनातत्परतादर्शनाय । ७९. सुतधनादि फलं । ८०. तत्पाक्षिकेति । ८१. स्थूलबुद्धेर्लोकस्य तत्र तथाध्यवसायाद्यभावात् । ८२. नोआगमतो भावेन्द्रस्य । ८३. लब्धिज्ञानवतां । ८४. भव्यशरीरद्रव्यं । ८५. ज्ञशरीरद्रव्यं । Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) नामस्थापनेन्द्रावित्ययं विशेषः । भावमङ्गलमेवैकं युक्तं, स्वकार्यप्रसाधकत्वात्, न नामादयः, तत्कार्याप्रसाधकत्वात्, पापवद् इति चेत्, न, नामादीनामपि भावविशेषत्वात्, यस्मादविशिष्टमिन्द्रादि वस्तु उच्चरितमात्रमेव नामादिभेदचतुष्टयं प्रतिपद्यते, भेदाश्च पर्याया एवेति, अथवा नामस्थापनाद्रव्याणि भावमङ्गलस्यैवाङ्गनि, तत्परिणामकारणत्वात्, तथा च मङ्गलाद्यभिधानं 5 सिद्धाद्यैभिधानं चोपश्रुत्य अर्हत्प्रतिमास्थापनां च दृष्ट्वा भूतयतिभावं भव्ययतिशरीरं चोपलभ्य प्रायः सम्यग्दर्शनादिभावमङ्गलपरिणामो जायते इत्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः- तत्र नोआगमतोऽर्हन्नमस्कारादि भावमङ्गलमुक्तं, अथवा नोआगमतो भावमङ्गलं नन्दी, तत्र नन्दनं नन्दी, नन्दन्त्यनयेति वा भव्यप्राणिने इति नन्दी, असावपि च मङ्गलवन्नामादिचतुर्भेदभिन्ना શંકા : ચાર પ્રકારે મંગલ બતાવ્યા પણ તેમાંથી ભાવમંગલ જ પોતાનું (મંગલનું) કાર્ય 10 સાધતો હોવાથી યુક્ત છે. જ્યારે નામાદિત્રિક પાપની જેમ કાર્યસાધક ન હોવાથી યોગ્ય નથી (અર્થાત્ જેમ પાપ વિઘ્નનાશક નથી, તેમ નામાદિ મંગળ પણ વિઘ્નવિનાશક નથી.) સમાધાન : ના, નામાદિત્રિક પણ ભાવ વિશેષ જ હોવાથી મંગલ તરીકે યુક્ત જ છે, કારણ કે (સ્થાપના—દ્રવ્યરૂપ) વિશેષણ વિના સામાન્યથી ઇન્દ્ર શબ્દ બોલવામાં આવે ત્યારે સામેવાળાની બુદ્ધિમાં નામાદિ ચાર ભેદો ઉપસ્થિત થાય છે અને આ ભેદો એ પર્યાય (ભાવ) 15 જ છે, તેથી તે નામાદિ પણ યોગ્ય જ છે અથવા નામ, સ્થાપના અને દ્રવ્યો ભાવમંગલના પરિણામનું કારણ હોવાથી ભાવમંગલના જ અંગો છે. તેથી તે મંગલ તરીકે યોગ્ય છે. (શંકા : નામાદિત્રિક ભાવમંગલના કારણો કેવી રીતે કહેવાય ?) સમાધાન ઃ કોઈકને મંગલભૂત વસ્તુનું નામ કે સિદ્ધાદિનું નામ સાંભળી, કોઈકને અર્ધપ્રતિમાની સ્થાપનાને કે ભૂતકાળમાં યતિભાવ પામેલા એવા મૃતશરીરને કે ભવ્યશરીરને 20 જોઈ સમ્યગ્દર્શનાદિ ભાવમંગલનો પરિણામ ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રાસંગિક ચર્ચાને બતાવી હવે પ્રસ્તુત વાતને કહે છે. નો—આગમથી અર્હન્નમસ્કારાદિ ભાવમંગલ તરીકે કહ્યું અથવા નો—આગમથી નંદીને ભાવમંગલ જાણવું. નંદી એટલે આનંદિત થવું અથવા જેના વડે ભવ્ય પ્રાણીઓ આનંદિત થાય તે નંદી. આ નંદી પણ મંગલની જેમ નામાદિ ચાર ભેદે છે. તેમાં નામ—સ્થાપનાનંદીની પૂર્વની 25 જેમ અર્થાત્ નામમંગલ અને સ્થાપનામંગલની જેમ વ્યાખ્યા કરવી. દ્રવ્યનંદી બે પ્રકારે – આગમથી ८६. अर्थक्रियाकारि वस्त्वित्यभिप्रेत्याह । ८७. निर्विघ्नशास्त्रार्थपारगमनादि । ८८. नाममङ्गलादीनां । ૮૧. ધર્મરૂ પત્નાત્ । ૧૦. અવ્યુત્પાતિ । ૧૬. નાનીતે । ૧૨. નિક્ષેપવતુસ્ય મિત્રમિત્રાધિર[તામાશ્રિત્યાહ । ૧૩. અવવવા । ૧૪. ભાવમઙ્ગનિદ્રાન~ાત્ । . ઞાતિના જ્ઞાનનિર્નાતિગ્રહઃ । ૧૬. विशेषनाम्नां कारणतायै, आदिना जिनेन्द्रादिः । ९७. सम्यग्दर्शनादेः प्रबलकारणत्वात्, शय्यम्भवादिवत् । ९८. 'इमेणं सरीरसमुस्सएणं जिणदिद्वेणं भावेणं आवस्सएत्ति पयं सेअकाले सिक्खिस्सइ न ताव सिक्खति' इति अनुयोगद्वारवचनात् ९९. ज्ञात्वा दृष्ट्वा वा । १. क्लिष्टस्याभावात् । २. ज्ञानचारित्रोपयोगग्रहः । ३. 'कयपंचनमुक्कारस्स दिन्ति सामाइयाइयं विहिणा' इतिवचनात्सूत्रापेक्षं, ४. अनुयोगापेक्षं, नन्द्यनुयोगस्यैकदेशत्वाद् । ५. कर्त्तृतामापन्नाः 30 Page #44 -------------------------------------------------------------------------- ________________ નામાદિ નંદીનું સ્વરૂપ નિયુક્તિ ૧) ૨૧ अवगन्तव्येति, तत्र नामस्थापने पूर्ववत्, द्रव्यनन्दी द्विधा-आगमतो नोआगमतश्च, आगमतो ज्ञाताऽनुपयुक्तो, नोआगमतस्तु ज्ञशरीरभव्यशरीरोभयव्यतिरिक्ता च द्रव्यनन्दी द्वादशप्रकारस्तूर्यसंघात: 'भंभा मुकुंद मद्दल कडंब झलरि हुडुक्क कंसाला । काहलि *तलिमा वसो, संखो पणवो य बारसमो ॥१॥' तथा भावनन्द्यपि द्विधा-आगमतो नोआगमतश्च, आगमतो ज्ञाता 'उपयुक्तः, नोआगमतः 5 पञ्चप्रकारं ज्ञानं, तच्चेदम् आभिणिबोहियनाणं सुयनाणं चेव ओहिनाणं च । तह मणपज्जवनाणं केवलनाणं च पंचमयं ॥१॥ व्याख्या-अर्थाभिमुखो नियतो बोधः अभिनिबोधः, अभिनिबोध एव आभिनिबोधिकं, વિનયતિપવિત્ મિનિવો શબ્દય “વિનયમ્પિષ્ટ'' (To -૪-૨૪) રૂત્યનેન સ્વાર્થ 10 एव ठक्प्रत्ययो, यथा विनय एव वैनयिकमिति अभिनिबोधे वा भवं तेन वा निर्वृत्तं तन्मयं तत्प्रयोजनं वा अथवाऽभिनिबुध्यते तद् इत्याभिनिबोधिकं, अवग्रहादिरूपं मतिज्ञानमेव, અને નો-આગમથી, તેમાં આગમથી નંદી તરીકે નંદીશબ્દાર્થનો અનુયુક્ત એવો જ્ઞાતા અર્થાત નંદીશબ્દાર્થ જાણે છે, પણ અત્યારે તેમાં ઉપયોગ નથી તેવી વ્યક્તિ. નો-આગમથી જ્ઞશરીર–ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યનંદી તરીકે બાર પ્રકારના વાજિંત્રોનો 15 સમૂહ જાણવો. બાર પ્રકારના વાજિંત્રો – ૧. ભંભા, ૨. મુકુંદ, ૩. મદ્દલ, ૪. કદંબ, ૫. ઝલ્લરી, ૬. હુડુક, ૭. કંસાલા, ૮. કાલિ, ૯. સલિમા, ૧૦. વાંસ, ૧૧. શંખ, ૧૨. પ્રણવ/૧/ તથા ભાવનંદી પણ આગમથી અને નો–આગમથી બે પ્રકારે છે. તેમાં આગમથી જ્ઞાતા અને ઉપયુક્ત તથા ના–આગમથી પાંચ પ્રકારનું જ્ઞાન જાણવું. તે પાંચ પ્રકારનું જ્ઞાન હવે પછીની ગાથામાં બતાવે છે. ગાથાર્થ : આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાન અને પાંચમું 20 કેવલજ્ઞાન છે. ટીકાર્થઃ અર્થને અભિમુખ (યોગ્ય દેશમાં અવસ્થિત અર્થની અપેક્ષાવાળો) નિયત (પોતપોતાના વિષયની અપેક્ષાવાળો જેમકે ચક્ષુ રૂપની અપેક્ષા રાખે વિ.) એવો જે બોધ તે અભિનિબોધ. આ અભિનિબોધ એ જ અભિનિબોધિક એ રીતે સમાસ કરવો. અહીં પાણિની વ્યાકરણના “વિનયાદિલ્યુઇગ” (પ.૪-૩૪) સત્રથી અભિનિબોધશબ્દને સ્વાર્થમાં (પોતાના અર્થમાં જ) ઠફ 25 પ્રત્યય લાગેલ હોવાથી આભિનિબોધિક શબ્દ બનેલ છે જેમકે વિનય એ જ વૈયિક. અથવા અભિનિબોધમાં થયેલું હોય અથવા અભિનિબોધવડે બનેલું હોય અથવા અભિનિબોધમય હોય કે અભિનિબોધ એ છે પ્રયોજન જેનું એવું હોય અથવા જે જણાય તે ६. 'दव्वे तूरसमुदओ' इति वचनात्, क्रियाविशिष्ट इत्यध्याहार्यमन्यथा नामनन्दीत्वापत्तेः । ७. પાર્થનાન્તરીય : ૮. નિયવિવું, ના દિવન્દ્રાવિવત્ . * તિત્રિમ ૨-૪ I ; તદુપયુ: ૨-૩-૪ | 30 * સ્તવ્યતત્તવે, ૩૫સવત્ર વિશેષ ઘાતો: I + પ્રવેશવમ • ત્રિવીશકૂપનોતાય ! Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૨ છે. આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तस्य स्वसंविदितरूपत्वात्, भेदोपचारादित्यर्थः, अभिनिबुध्यते वाऽनेनेत्याभिनिबोधिकं, तदावरण-कर्मक्षयोपशम इति भावार्थः, अभिनिबुध्यते अस्मादिति वाऽऽभिनिबोधिकं, तदावरणकर्मक्ष-योपशम एव, अभिनिबुध्यतेऽस्मिन्निति वा क्षयोपशम इत्याभिनिबोधिकं, आत्मैव वाऽभिनिबोधोपयोगपरिणामानन्यत्वात् अभिनिबुध्यत इत्याभिनिंबोधिकं, आभिनिबोधिकं च 5 तज्ज्ञानं चेति समासः । तथा 'श्रूयत इति श्रुतं शब्द एव, भावश्रुतकारणत्वादिति भावार्थः, अथवा श्रूयतेऽनेनेति श्रुतं, तदावरणक्षयोपशम इत्यर्थः, श्रूयतेऽस्मादिति वा श्रुतं, तदावरणक्षयोपशम एव, श्रूयतेऽस्मिन्निति वा क्षयोपशम इति श्रुतं, श्रृणोतीति वाऽऽत्मैव આભિનિબોધિક જાણવું. (અહીં માત્ર જુદા જુદા વ્યુત્પત્તિ અર્થો કરેલા છે. આ રીતે વ્યુત્પત્તિ અર્થો કરવાથી અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન જ આભિનિબોધિક તરીકે આવશે. કારણ કે “જે જણાય 10 તે આભિનિબોધિક” આ વ્યુત્પત્તિથી મતિજ્ઞાન પોતાનો પણ બોધ કરાવતું હોવાથી મતિજ્ઞાન પણ જણાય છે. (જમ વસ્તુ જણાય છે તેમ) તેથી આભિનિબોધિક તરીકે મતિજ્ઞાન આવશે. કહેવાનો આશય એ છે કે મતિજ્ઞાન પોતે પોતાનો અને બીજાનો બોધ કરાવે છે. તેથી મતિજ્ઞાન કર્તા અને કર્મ બંને બને છે. અહીં કર્તારૂપ મતિજ્ઞાન અને કર્મરૂપ મતિજ્ઞાન વચ્ચે વાસ્તવિક કોઈ ભેદ ન હોવા છતાં બે વચ્ચે ભેદનો ઉપચાર કરી “પોતે પોતાને જણાવે છે” 15 એવું કહ્યું છે અથવા જેના વડે જણાયબોધ થાય તે આભિનિબોધિક. આ રીતે વ્યુત્પત્તિ કરતાં આભિનિબોધિક તરીકે મતિજ્ઞાનના આવરણભૂત કર્મનો ક્ષયોપશમ જાણવો. (કારણ કે તે ક્ષયોપશમ થતાં વસ્તુનો બોધ થાય છે.) અથવા જેનાથી જણાય છે અથવા જે હોતે છતે જણાય તે આભિનિબોધિક: અહીં પણ કર્મક્ષયોપશમ જ જાણવો અથવા જે જાણે તે આભિનિબોધિક, એ વ્યુત્પત્તિથી આત્મા પોતે 20 અભિનિબોધઉપયોગના પરિણામથી અનન્ય (અભેદરૂપે) હોવાથી આભિનિબોધિક તરીકે જાણવો. (વસ્તુતઃ જ્ઞાન જાણે છે, પણ આત્મા જ્ઞાનથી અભિન્ન છે, તેથી આત્મા પણ જાણે છે.) તથા આભિનિબોધિક એવું જે જ્ઞાન તે આભિનિબોધિજ્ઞાન, એ પ્રમાણે સમાસ જાણવો. (ભાવાર્થ :આ રીતે જુદા જુદા વ્યુત્પત્તિ અર્થો કરવાથી આભિનિબોધિક જ્ઞાન તરીકે મતિજ્ઞાન અથવા તત્કર્મયોપશમ અથવા આત્મા જાણવો.) (હવે શ્રુતજ્ઞાનની વ્યાખ્યા કરે છે :-) જે સંભળાય તે શ્રત. શબ્દ પોતે ભાવથુતનું કારણ હોવાથી શ્રુત તરીકે જાણવો અથવા જેના વડે સંભળાય છે, જેનાથી સંભળાય છે અથવા જે હોતે છતે સંભળાય તે શ્રુત. આ ત્રણે વ્યુત્પત્તિ કરવા દ્વારા શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ શ્રુત તરીકે જાણવો અથવા જે સાંભળે તે શ્રત, એ વ્યાત્તિ—અર્થથી આત્મા પોતે જ શ્રુતપયોગથી ९. प्रकाश्यप्रकाशकोभयरूपत्वादित्यर्थः, प्राक् प्रकाशकम् । १०. एकत्वात् कर्तृकर्मैक्यात्। 30 ??. ‘મવર્ગો:' રૂમનવોઘનિuત્ત પ્રવામિનવોધિશનિષ્પત્તિ:, કર્તરિ તુ નિહાદ્રિ त्वादच्, १२. बहुलवचनात् कर्मादिष्वपि क्तो नपुंसके, प्राभृतज्ञो द्रव्यमिति भव्यमाहेतिवचनात्प्राभृताद्वा નિષ્પત્તિવમન્યત્ર ખૂમ્ ++ ૦૦ -૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ મતિ-શ્રુતની સામ્યતા (નિ. ૧) ક ૨૩ तदुपयोगानन्यत्वात्, श्रुतं च तज्ज्ञानं चेति समासः, चशब्दस्त्वनयोरेवं तुल्यकक्षतोद्भावनार्थः, स्वाम्यादिसाम्यात्, कथम् ?, य एव मतिज्ञानस्य स्वामी स एव श्रुतज्ञानस्य "जत्थ मइनाणं तत्थ सुयणाण" मिति वचनात्, तथा यावान्मतिज्ञानस्य स्थितिकालस्तावानेवेतरस्य, प्रवाहापेक्षया अतीतानागतवर्तमानः सर्व एव, अप्रतिपतितैकजीवापेक्षया च षट्षष्टिसागरोपमाण्यधिकानीति, उक्तं च भाष्यकारेण ""दोवारे विजया-इसु गयस्स तिण्णच्चुए अहव ताई । अइरेगं णरभविअं णाणाजीवाण सव्वद्धं ॥१॥" यथा च मतिज्ञानं क्षयोपशमहेतुकं, तथा श्रुतज्ञानमपि, यथा च मतिज्ञानमादेशतः सर्वद्रव्यादिविषयम्, एवं श्रुतज्ञानमपि, यथा च मतिज्ञानं परोक्षम्, एवं श्रुतज्ञानमपि इति, एवकारस्त्ववधारणार्थः, परोक्षत्वमनयोरेवावधारयति, आभिनिबोधिकश्रुतज्ञाने एव परोक्षे इति भावार्थः । 10 અનન્ય હોવાથી શ્રુત તરીકે જાણવો અને શ્રુત એવું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન, એ પ્રમાણે સમાસ જાણવો. મૂલગાથામાં શબ્દ છે, જે શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાનની સ્વામી વગેરેના સામ્યથી તુલ્યતા જણાવનાર છે. કેવી રીતે ? તે આ રીતે – (૧) જ્યાં મતિજ્ઞાન ત્યાં શ્રુતજ્ઞાન, આવું વચન હોવાથી જે મતિજ્ઞાનનો સ્વામી છે તે જ શ્રતજ્ઞાનનો સ્વામી છે. (૨) મતિજ્ઞાનનો જેટલો સ્થિતિકાલ છે. તેટલો જ શ્રુતજ્ઞાનનો છે. (સ્થિતિકાલ એટલે આત્મામાં રહેવાનો કાલ) પ્રવાહની અપેક્ષાએ ભૂતકાલ– 15 ભવિષ્યકાલ અને વર્તમાનકાલ એમ ત્રણે મતિશ્રુતજ્ઞાનનો સ્થિતિકાલ છે અર્થાતુ અનાદિઅનંતકાલ છે અને સમ્યક્તથી ભ્રષ્ટ નહીં થયેલ એક જીવની અપેક્ષાએ મતિશ્રુતજ્ઞાન આત્મામાં સાધિક ૬૬ સાગરોપમ સુધી રહે છે. આ વાતની પુષ્ટિ માટે ભાષ્યકારનું વચન બતાવે છે કે અપ્રતિપતિત એક જીવની અપેક્ષાએ બે વાર વિજયાદિમાં અથવા ત્રણ વાર અમ્રુત દેવલોકમાં ગયેલાને નરભવથી અધિક ૬૬ સાગરોપમ અને જુદા જુદા જીવની અપેક્ષાએ 20 (પ્રવાહની અપેક્ષાએ) સર્વકાલ મતિશ્રુતજ્ઞાનનો સ્થિતિકાલ જાણવો.” (૩) જેમ મતિજ્ઞાન ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે, તેમ શ્રુતજ્ઞાન પણ ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. (૪) મતિજ્ઞાનની જેમ શ્રુતજ્ઞાન પણ આદેશથી (સામાન્યથી) સર્વ દ્રવ્યક્ષેત્રકાલભાવવિષયવાળું છે. (૫) મતિજ્ઞાનની જેમ શ્રુતજ્ઞાન પણ પરોક્ષ છે અર્થાત્ ઈન્દ્રિય–નોઈન્દ્રિયથી થનારું છે. મૂલગાથામાં વેવ શબ્દ છે, તેમાં વધારે છે. જે આ બંને જ્ઞાનનું પરોક્ષપણું 25 “જ”કારપૂર્વક જણાવે છે, અર્થાત્ મતિ-શ્રુતજ્ઞાન જ પરોક્ષ છે. १३ ज्ञानद्वयानन्तरं चस्य पाठात् । १४. तुल्यपक्षतोद्वोधनाय । १५. एकेन्द्रियादिषु क्षयोपशमसद्भावाद्वयोः संज्ञासद्भावाच्च श्रुतसत्ता (वि० १०२ प्रभृतिके ), सम्यग्ज्ञानापेक्षया । १६. श्रीमता जिनभद्रगणिक्षमाश्रमणेन । १७. द्वौ वारौ विजयादिषु गतस्य त्रीन् वारान् अच्युतेऽथवा तानि (षट्षष्टिसागरोपमाणि) अतिरिक्तं नरभविकं (अप्रतिपतितैकजीवापेक्षया ) नानाजीवानां सर्वाद्धं (वि०४३६)। 30 १८. ओघादेशात्सूत्रादेशाद्वा । १९. आदिना क्षेत्रकालभावग्रहः. २०. द्रव्येन्द्रियमनोनिष्पाद्यत्वात् । Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) तथा अवधीयतेऽनेन इत्यवधिः, अवधीयते इति अधोऽधो विस्तृतं परिच्छेि द्यते, मर्यादया वेति, अवधिज्ञानावरणक्षयोपशम एव, तदुपयोगहेतुत्वादित्यर्थः, अवधीयतेऽस्मादिति वेति अवधिः, 'तदावरणीयक्षयोपशम एव, अवधीयतेऽस्मिन्निति वेत्यवधिः, भावार्थः पूर्ववदेव, अवधानं वाऽवधिः, विषयपरिच्छेदनमित्यर्थः, अवधिश्चासौ ज्ञानं च अवधिज्ञानं, चशब्दः 5 खल्वनन्तरोक्तज्ञानद्वयसाधर्म्यप्रदर्शनार्थः, स्थित्यादिसाधर्म्यात् कथम् ?, यावान्मतिश्रुतस्थितिकाल: प्रवाहापेक्षया अप्रतिपतितैकसत्त्वाधारापेक्षया च, तावानेवावधेरपि, अतः स्थितिसाधर्म्यात्, यथा मतिश्रुते विपर्ययज्ञाने भवतः, एवमिदमपि मिथ्यादृष्टेविभङ्गज्ञानं भवतीति विपर्ययसाधर्म्यात्, य एव च मतिश्रुतयोः स्वामी स एव चावधेरपि भवतीति स्वामिसाधर्म्यात्, विभङ्गज्ञानिनः त्रिदशादेः सम्यग्दर्शनावाप्तौ युगपज्ज्ञानत्रयं संभवतीति लाभसाधर्म्याच्च। तथा मन:पर्यवज्ञानं, 10 ૩યં ભાવાર્થ –ધરિ સર્વતો આવે, લવને મવડ, મને સામને વેતિ પર્યાયા:, પરિવ: पर्यवः पर्यवनं वा पर्यव इति, मन सि मनसो वा पर्यवो मन:पर्यवः, सर्वतस्तत्परिच्छेद (હવે અવધિજ્ઞાનની વ્યાખ્યા કરે છે.) જેના વડે અવધારણ થાય=જણાય તે અવધિ, અહીં અવધીયત શબ્દનો અર્થ કહે છે કે નીચે નીચે વધુ વધુ વિસ્તૃત દ્રવ્યાદિ જણાય અથવા (રૂપી. દ્રવ્યાત્મક) મર્યાદા વડે જણાય. આ રીતે વ્યુત્પત્તિ અર્થ કરવાથી અવધિજ્ઞાનાવરણયોપશમ 15 અવધિ તરીકે જાણવો (કારણ કે આ ક્ષયોપશમથી અવધિજ્ઞાનનો ઉપયોગ પ્રાપ્ત થાય છે.) અહીં પણ પૂર્વની જેમ, જેનાથી જણાય અથવા જે હોતે છતે જણાય તે અવધિ, એ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છે અથવા અવધાન અર્થાત્ વિષયનો બોધ કરવો એ અવધિ અને અવધિ એવું જે જ્ઞાન તે અવધિજ્ઞાન છે એ પ્રમાણે સમાસ જાણવો. મુલગાથામાં “ગોદિના ', અહીં “' શબ્દ ઉપરોક્ત બે જ્ઞાન સાથે સ્વામી વગેરેનું સાધર્યુ હોવાથી અવધિજ્ઞાનનું સાધમ્મ દેખાડવા માટે છે. તે આ પ્રમાણે :- (૧) પ્રવાહ અને અપ્રતિપતિત એક જીવરૂપ આધારની અપેક્ષાએ જેટલો સ્થિતિકાલ મતિશ્રુતનો છે, તેટલો અવધિજ્ઞાનનો પણ હોવાથી સ્થિતિ સાધર્મ છે. (૨) જેમ મશ્રિત વિપર્યયજ્ઞાનમાં ફેરવાય છે અર્થાત્ મતિ-અજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન રૂપ થાય છે, તેમ આ અવધિજ્ઞાન મિથ્યાષ્ટિ જીવને વિર્ભાગજ્ઞાનરૂપ થાય છે માટે વિપર્યય સાધર્મ્સ (૩) મતિશ્રુતનો જે સ્વામિ છે, તે જ અવધિનો પણ હોય છે માટે સ્વામિ સાધર્મ્સ (૪) વિર્ભાગજ્ઞાની એવા દેવો વગેરેને 25 સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં એક સાથે ત્રણ જ્ઞાન સંભવતા હોવાથી લાભનું સાધર્યુ છે. (હવે મન:પર્યવજ્ઞાનની વ્યાખ્યા કરે છે –) “પરિ” શબ્દ “ચારે બાજુથી” એવા અર્થમાં છે. વ શબ્દ “જાણવું” અર્થમાં છે. માટે પરિવું = પર્યવ એટલે ચારેબાજુથી જાણવું તથા મનને વિષે અથવા મનનો પર્યવ તે મન:પર્યવ અર્થાત ચારેબાજુથી મનોદ્રવ્યોનો બોધ થવો, તે २१. दर्शनरूपबोधव्यवच्छेदाय । २२. रूपिद्रव्यात्मिकया । २३. क्षयोपशमस्याभावरूपत्वेनेदम्। 30 આત્મસ્વરૂપ જ્ઞાનપજ્યુક્સમમ્ | ૨૪. વિષયસપ્તમી ! ર૧. સર્વજો પછ | ર૬. વિના નં જ્ઞાનેનાનેન , विशेषोपयोग इति, विशुद्धतराणि वा मनोद्रव्याणि जानात्यनेनेति ज्ञापनाय वा । * तदावरणक्षयो० ૨-૪ | એક ત્રયમવતો | + પરિ | Page #48 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાન શબ્દની વ્યાખ્યા (નિ. ૧) ૨૫ इत्यर्थः, स एव ज्ञानं मनः पर्यवज्ञानं, अथवा मनसः पर्याया मनःपर्यायाः पर्याया भेदा धर्मा बाह्यवस्त्वालोचनप्रकारा इत्यनर्थान्तरं तेषु ज्ञानं मनः पर्यायज्ञानं, तेषां वा सम्बन्धि ज्ञानं मनःपर्यायज्ञानं, इदं चार्धतृतीयद्वीपसमुद्रान्तर्वर्त्तिसंज्ञिमनोगतद्रव्यालम्बनमेवेति, तथाशब्दोऽवधिज्ञानसारूप्यप्रदर्शनार्थः, कथम् ?, छद्मस्थ- स्वामिसाधर्म्यात्, तथा पुद्गलमाँत्रालम्बनत्वसाम्यात्, तथा क्षायोपशमिकभावसाम्यात्, तथा प्रत्यक्षत्वसाम्याच्चेति । केवलमसहायं मत्यादिज्ञान- 5 निरपेक्षं शुद्धं वा केवलं, तदावरणकर्ममलकलङ्काङ्करहितं, सकलं वा केवलं, तत्प्रथमतयैव अशेषतदावरणाभावतः संपूर्णोत्पत्तेः, असाधारणं वा केवलं, अनन्यसदृशमिति हृदयं, ज्ञेयानन्तत्वादें अनन्तं वा केवलं यथावस्थिताशेषभूतभवद्भाविभावस्वभावावभासीति भावना, केवलं च तज्ज्ञानं चेति समासः, चशब्दस्तूक्तसमुच्चयार्थः, केवलज्ञानं च पञ्चकमिति, अथवाऽनन्तરૂપ જે જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન અથવા મનના પર્યાયો તે મન:પર્યાય. અહીં પર્યાય, ભેદ, ધર્મ 10 તથા બાહ્ય એવો વસ્તુને વિચારવાનો પ્રકાર, આ બધા શબ્દો સમાનાર્થી છે. મનના પર્યાયોને વિષે જે જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન અથવા તે મન:પર્યાયો સંબંધી જે જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન. આ જ્ઞાન અઢીદ્વીપસમુદ્રવર્તી સંજ્ઞીજીવોના મનોગત દ્રવ્યોને જાણે છે. મૂલગાથામાં “તથા” શબ્દ જે છે તે આ જ્ઞાનની અવધિજ્ઞાન સાથે સ્વામી વગેરેની સમાનતાને લઈ સમાનતા જણાવવા માટે છે. તે આ રીતે – (૧) અધિજ્ઞાનની જેમ આ જ્ઞાન છદ્મસ્થ 15 જીવને થાય છે. (૨) આ બંને જ્ઞાનના વિષય પુદ્ગલમાત્ર હોય છે. (૩) અવધિજ્ઞાનની જેમ આ જ્ઞાન ક્ષાયોપશમિકભાવથી ઉત્પન્ન થાય છે. (૪) તથા આ બંને જ્ઞાન પ્રત્યક્ષ છે. કેવલ એટલે અસહાય–મત્યાદિજ્ઞાનોની સહાયથી રહિત હોવાથી અસહાય અથવા કેવલ એટલે શુદ્ધ=કેવલજ્ઞાનાવરણરૂપ કર્મમલરૂપ કલંકના ચિહ્નથી રહિત હોવાથી શુદ્ધ અથવા કેવલ એટલે સલ=પહેલેથી (પ્રાપ્તિ સમયથી) જ કેવલજ્ઞાનાવરણકર્મનો અભાવ થવાથી સંપૂર્ણ જ્ઞાન 20 ઉત્પન્ન થતું હોવાથી સકલ અથવા કેવલ એટલે અસાધારણ = આ જ્ઞાન જેવું બીજું કોઈ ન હોવાથી અસાધારણ અથવા જ્ઞેય=જાણવા યોગ્ય પદાર્થો અનંત હોવાથી કેવલ એટલે અનંત અર્થાત્ યથાવસ્થિત સંપૂર્ણ ભૂતભાવિ—વર્તમાન ભાવોના સ્વભાવને જાણનારું, કેવલ એવું જે જ્ઞાન તે કેવલજ્ઞાન, એ પ્રમાણે સમાસ જાણવો. મૂલગાથામાં “” શબ્દ જે છે તે આગળ કહેવાયેલા ચાર જ્ઞાનો સાથે આ પાંચમા 25 જ્ઞાનનો સમુચ્ચય કરવા માટે છે. તેથી અર્થ આ પ્રમાણે કે “ચાર જ્ઞાન અને આ પાંચમું કેવલજ્ઞાન એમ પાંચ પ્રકારે જ્ઞાન છે’” અથવા આ “” શબ્દ મન:પર્યવજ્ઞાન સાથે કેવલજ્ઞાનની २७. अरूपिद्रव्यालम्बनव्यच्छेदाय मात्रेति । २८. "जीवो अक्खो अत्थव्वावणभोयणगुण નેળ । તે પરૂ વટ્ટફ નાળ, ખં પદ્મવવું યં તિવિદ્દે'' (વિ૦-૮૧) કૃતિ । ૨૧. અપેક્ષાત્ર સહાવસ્થાનઆપણા ૩૦. મત્યાવીનાં સ્વાવાળોપેતત્વાત્, અદ્દો લક્ષ્ય । રૂ૧. ઉત્પત્તિસમય વ્ । રૂ૨. ન તારતમ્યવત્ 30 न्यूनं वा कदापि । ३३. अन्यस्य कस्यापि रूप्यरूपिसूक्ष्मदूरेतरादिपदार्थाग्राहकत्वात् । ३४. आधारापेक्षया संख्येयत्वेऽपि । Page #49 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) राभिहितज्ञानसारूप्यप्रदर्शक एव, अप्रमत्तभावयति-स्वामिसाधर्म्यात् विपर्ययाभावयुक्तत्वाच्चेति गाथासमासार्थः ॥ आह—मतिज्ञानश्रुतज्ञानयोः कः प्रतिविशेष इति उच्यते, उत्पन्नाविनष्टार्थग्राहकं साम्प्रतकालविषयं मतिज्ञानं, श्रुतज्ञानं तु त्रिकालविषयं उत्पन्नविनष्टानुत्पन्नार्थग्राहकमिति, भेदकृतो वा विशेषः, यस्मादवग्रहाद्यष्टाविंशतिभेदभिन्नं मतिज्ञानं, तथाऽङ्गानङ्गादिभेदभिन्नं च श्रुतमिति, 5 अथवाऽऽत्मप्रकाशकं मतिज्ञानं, स्वैपरप्रकाशकं च श्रुतमित्यलं प्रसङ्गेन, गमर्निकामात्रमेवैतदिति। अत्राह — एषां ज्ञानानामित्थं क्रमोपन्यासे किं प्रयोजनं इति, उच्यते, परोक्षत्वादिसाधर्म्यान्मतिश्रुतसद्भावे च शेषज्ञानसंभवात् आदावेव मतिश्रुतोपन्यासः, मतिज्ञानस्य पूर्वं किमिति चेत्, उच्यते, मतिपूर्वकत्वात् श्रुर्तैस्येति, मतिपूर्वकत्वं चास्य " श्रुतं मतिपूर्वम्" ( ० द्व्यनेकद्वादशभेदम् श्रीतत्त्वार्थे अ० १ सू० २०) इति वचनात् तत्र प्रीयो मतिश्रुतपूर्वकत्वात्प्रत्यक्षत्वसाधर्म्याच्च 10 ज्ञानत्रयोपन्यास इति, तत्रपि कालविपर्ययादिसाम्यान्मतिश्रुतोपन्यासानन्तरमेवावधेरुपन्यास इति સામ્યતાને જણાવનારો છે, તે આ પ્રમાણે – (૧) મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન અપ્રમત્ત એવા ભાવતિને જ થતું હોવાથી સ્વામીની સમાનતા (૨) તથા આ બંને જ્ઞાન વિપર્યયને અર્થાત મન:પર્યવ અજ્ઞાન કે કેવલ અજ્ઞાનને પામતા ન હોવાથી વિપર્યયના અભાવની સમાનતા, આ પ્રમાણે મૂલગાથાનો સંક્ષેપ—અર્થ પૂર્ણ થયો. શંકા :— મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં શું ભેદ રહેલો છે ? સમાધાન :– મતિજ્ઞાન ઉત્પન્ન થયેલા અને નાશ નહીં પામેલા અર્થનું ગ્રાહક હોવાથી વર્તમાનકાલને ગ્રહણ કરનારું છે. જ્યારે શ્રુતજ્ઞાન ઉત્પન્ન થયેલ, નાશ પામેલ કે ઉત્પન્ન નહીં થયેલ એમ ત્રણે અર્થને ગ્રહણ કરતું હોવાથી ત્રિકાલવિષયક અર્થાત્ ત્રણે કાલના વિષયોને ગ્રહણ કરનારું છે અથવા ભેદ વડે કરાયેલો તફાવત જાણવો, તે આ રીતે - અવગ્રહાદિ અઠ્ઠાવીસ પ્રકારનું મતિજ્ઞાન 2) અને અંગ, અનંગ વગેરે ભેદોવાળું શ્રુત છે અથવા મતિજ્ઞાન સ્વપ્રકાશક છે જ્યારે શ્રુતજ્ઞાન સ્વપર પ્રકાશક છે. ગમનિકામાત્ર=માત્ર વ્યાખ્યા જ કરવાની હોવાથી વધારે વિસ્તાર કરતા નથી. શંકા :- આ શાનોને આ પ્રમાણે ક્રમથી ગોઠવવામાં કોઈ કારણ ખરું ? 15 ૨૬ 25 સમાધાન :– હા, પરોક્ષત્વ વગેરે સાધર્મી હોવાથી અને મતિશ્રુત હોય તો જ શેષજ્ઞાનોનો સંભવ હોવાથી પ્રથમ મતિશ્રુતજ્ઞાનનો ક્રમ આવે છે. શંકા :- પરંતુ મતિજ્ઞાન પ્રથમ કેમ ? સમાધાન :– મતિપૂર્વક જ શ્રુતજ્ઞાન થતું હોવાથી પ્રથમ મતિજ્ઞાન છે. શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે શ્રુતજ્ઞાન મતિપૂર્વક (અને ૧૪ પ્રકારનું છે.) તથા મતિશ્રુત પછી મતિશ્રુતપૂર્વકપણું અને પ્રત્યક્ષપણું આ બંનેની શેષ ત્રણ જ્ઞાનમાં પ્રાયઃ કરીને (કારણ કે મિથ્યાર્દષ્ટિજીવને અવધિજ્ઞાન પ્રાપ્ત થાય તે પૂર્વે મતિશ્રુત હોતું નથી) સમાનતા હોવાથી (મતિશ્રુત પછી) શેષ ત્રણ જ્ઞાનનો ક્રમ છે. તેમાં પણ કાલવિપર્યયાદિની સમાનતા હોવાથી મતિશ્રુત પછી અવધિજ્ઞાનનો ક્રમ છે. 30 રૂ. 7 શેષજ્ઞાનાનામિત્વર્થ:। ૩૬. મત્યાવીનામપિ તેન સ્વરૂપનિરૂપળાત્ । રૂ૭. સંક્ષેપविवरणरूपत्वात् । ३८. भावश्रुतस्य । ३९. मिथ्यादृष्टेस्त्रिज्ञानावाप्तौ न प्राङ् मतिश्रुते स्त इति प्राय કૃતિ । ૪૦. જ્ઞાનત્રયોપન્યાસે ! ૪૬. ભામાવિપ્રઃ । + અત્રોચ્યતે Page #50 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાનનું સ્વરૂપ (નિ. ૧) तदनन्तरं च छाद्मस्थैिकादिसाधर्म्यान्मन: पर्यायज्ञानस्य, तदनन्तरं भावमुनिस्वाम्यादिसाधर्म्यात्सर्वोत्तमत्वाच्च केवलस्येति गाथार्थः ॥१॥ साम्प्रतं 'यथोद्देशं निर्देश:' इति न्यायाद् ज्ञानपञ्चकादावुद्दिष्टस्य आभिनिबोधिकज्ञानस्य स्वरूपमभिधीयते—तच्चाभिनिबोधिकज्ञानं द्विधा, श्रुतनिश्रितमश्रुतनिश्रितं च यत्पूर्वमेव कृतश्रुतोपकारं इदानीं पुनस्तदनपेक्षमेवानुप्रवर्त्तते तद् अवग्रहादिलक्षणं श्रुतनिश्रितमिति । 5 यत्पुनः पूर्वं तदपरिकर्मितमतेः क्षयोपशमपटीयस्त्वात् औत्पत्तिक्यादिलक्षणं उपजायते तदश्रुतनिश्रितमिति । आह - "तिवग्गसुत्तत्थगहियपेयाला" इति वचनात् तत्रापि किञ्चित् श्रुतोपकारादेव जायते, तत्कथमश्रुतनिश्रितमिति उच्यते, अवग्रहादीनां श्रुतनिश्रिताभिधानाद् औत्पत्तिक्यादिचतुष्टयेऽपि च अवग्रहादिसद्भावात् यथायोगमश्रुतनिश्रितत्वमवसेयं, न तु सर्वमेवेति, अयमत्र भावार्थ:- श्रुतकृतोपकारनिरपेक्षं यदौत्पत्तिक्यादि तदश्रुतनिश्रितं, 10 છદ્મસ્થિકાદિની સમાનતા હોવાથી અવિધ પછી મન:પર્યવજ્ઞાન છે. ભાવમુનિરૂપ સ્વામી વગેરેની સમાનતા અને સર્વોત્તમ હોવાથી મન:પર્યવ પછી કેવલજ્ઞાનનો ક્રમ છે. ૧ હવે “યથોદેશં નિર્દેશ: રૂતિ યાયા' અર્થાત્ પાંચ જ્ઞાનનો જે ક્રમે ઉદ્દેશ (સામાન્ય વિધાન) કર્યો છે તે ક્રમે નિર્દેશ થાય એ ન્યાયને આશ્રયી પ્રથમ આભિનિબોધિક જ્ઞાનનું સ્વરૂપ કહે છે. તે આભિનિબોધિક જ્ઞાન બે પ્રકારે છે (૧) શ્રુતનિશ્ચિત અને (૨) અશ્રુતનિશ્ચિત. 15 તેમાં જે જ્ઞાન પૂર્વે શ્રુત દ્વારા ઉપકૃત થયેલું છે, પણ હવે શ્રુતની અપેક્ષા વિના જ ઉત્પન્ન થયું, તે અવગ્રહાદિ ભેદોવાળું જ્ઞાન શ્રુતનિશ્રિત જ્ઞાન કહેવાય છે. જે જ્ઞાન પ્રથમ વખત જ શ્રુતથી અપરિકર્મિત મતિવાળી વ્યક્તિને (એટલે જ શ્રુતના ઉપકાર વિના) પોતાનો વિશિષ્ટ ક્ષયોપશમ હોવાને લીધે ઉત્પન્ન થયું તે ઔત્પાતિકી વગેરે ભેદોવાળું જ્ઞાન અશ્રુતનિશ્રિત કહેવાય છે. શંકા :— (નંદીસૂત્ર ગ્રંથના સૂત્ર નં.૬૬માં તથા આ.નિ.ગા.નં.૯૪૩માં) વૈનયિકી બુદ્ધિનું 20 લક્ષણ બતાવતા ગ્રંથકારે કહ્યું છે કે "ત્રિવર્ગ=ધર્મ-અર્થ અને કામ, તેના સૂત્ર અને અર્થને વિષે ગ્રહણ કરાયેલો છે પેયાલ=સાર જે બુદ્ધિથી તે વૈનયિકી બુદ્ધિ કહેવાય છે.' આવી બુદ્ધિ શ્રુતના આધારે જ ઉત્પન્ન થાય છે, તો તમે આ બુદ્ધિને અશ્રુતનિશ્રિત કેમ કહો છો ? ૨૭ સમાધાન :- - ઔત્પાતિકી વગેરે ચારે બુદ્ધિમાં અવગ્રહાદિ હોય છે અને અવગ્રહાદિ એ શ્રુતનિશ્રિત કહેલા છે. તેથી આ ચારે બુદ્ધિમાં જ્યાં અશ્રુતનિશ્રિત ઘટતું હોય ત્યાં ઘટાવવું, પણ 25 બધે નહીં. કહેવાનો આશય એ છે કે, વૈનયિકી બુદ્ધિમાં શ્રુત આધાર હોય છે, તેથી તેને છોડી શ્રુતના આધાર વિના ઔત્પાતિકી વગેરે બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે અશ્રુતનિશ્રિત જ્ઞાનપ્રાતિભજ્ઞાન જાણવું, અર્થાત્ વૈનયિકી બુદ્ધિને છોડી શેષ ત્રણ બુદ્ઘિઓ જ અશ્રુતનિશ્રિત જાણવી. (અહીં પ્રાતિભ એટલે, વિશિષ્ટ ક્ષયોપશમવાળી જે પ્રજ્ઞા તે પ્રતિભા અને તેનાથી ઉત્પન્ન થયેલ જ્ઞાન તે પ્રાતિભજ્ઞાન.) ૪૨. પુદ્રનાવતમ્બનત્વાવિ:। ૪રૂ. વિપર્યયામાવત્વા:િ ૫ ૪૪. ગૌત્પત્તિયાવિવિષયकवस्तुसम्बन्धिपरिकर्म न श्रुतकृतमिति । ४५. परिकर्म विना । + श्रुतकृतो० 30 Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) प्राति मितिहृदयं, वैनयिकी विहायेत्यर्थः, बुद्धिसाम्याञ्च तस्या अपि निर्युक्तौ उपन्यासोऽविरुद्ध इत्यलं प्रसङ्गेन । तत्र श्रुतनिश्रितमतिज्ञानस्वरूपप्रदर्शनायाह - उग्गह ईहाऽवाओ य धारणा एव हुंति चत्तारि । आभिणिबोहियनाणस्स भेयवत्थू समासेणं ॥२॥ व्याख्या-तत्र सामान्यार्थस्याशेषविशेषनिरपेक्षानिर्देश्यस्य रूपादेरवग्रहणं अवग्रहः, तदर्थविशेषालोचनं ईहा. तथा प्रक्रान्तार्थविशेषनिश्चयोऽवायः, चशब्दः पथक पथक अवग्रहादिस्वरूपस्वातन्त्र्यप्रदर्शनार्थः, अवग्रहादीनां ईहादयः पर्याया न भवन्तीत्युक्त भवति, अवगतार्थविशेषधरणं धारणा, एवकारः क्रमप्रदर्शनार्थः, (आर्षत्वाच्च मकारलोपः) ‘एवं' 10 अनेनैव क्रमेण भवन्ति चत्वारि, आभिनिबोधिकज्ञानस्य भिद्यन्त इति भेदा विकल्पा अंशा (શંકા : તો પછી વૈનયિકી બુદ્ધિનો અશ્રુતનિશ્રિત બુદ્ધિઓ સાથે શા માટે ઉપવાસ કર્યો છે ?). સમાધાન : વૈનયિકી શ્રુતાધારે ઉત્પન્ન થવા છતાં શેષ ત્રણ બુદ્ધિ સાથે બુદ્ધિની સામ્યતા હોવાથી નિયુક્તિમાં તેનો ઉપન્યાસ કરેલ છે. 15 અવતરણિકા : તેમાં શ્રુતનિશ્ચિત મતિજ્ઞાનનું સ્વરૂપ બતાવતા કહે છે ? ગાથાર્થ : અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા એ પ્રમાણે આભિનિબોધિક જ્ઞાનની સંક્ષેપથી ચાર પ્રકારે ભેદવસ્તુઓ છે. ટીકાર્થ : સંપૂર્ણ વિશેષોથી નિરપેક્ષ અને માટે જ અનિર્દેશ્ય એવા સામાન્ય રૂપાદિ અર્થોનું અવગ્રહણ=બોધ કરવો તે અવગ્રહ કહેવાય છે. તે રૂપાદિ અર્થની વિશેષ વિચારણા 20 ઈહા કહેવાય છે. તે જ પ્રસ્તુત અર્થવિશેષનો નિશ્ચય અપાય જાણવો. મૂલગાથાનો “ચ” શબ્દ અવગ્રહાદિના સ્વરૂપની સ્વતંત્રતા જણાવનારો છે [અર્થાત્ અવગ્રહનું સ્વરૂપ જુદું, ઇહાનું સ્વરૂપ જુદું છે. આમ છતા વગેરે અવગ્રહાદિના પર્યાયો અર્થાત્ અવગ્રહાદિના એક અંશભૂત નથી, પરંતુ જુદું જુદું અસ્તિત્વ ધરાવનાર છે.] જણાયેલ નિશ્ચિત થયેલ અર્થવિશેષનું ધારણ—ધારણા જાણવી. (મુદ્રિત પ્રતોમાં “ R: #Hપ્રર્શનાર્થ, “વ” મને નૈવ મેળ 25 મવન્તિ” એ પ્રમાણે પાઠ છે. પરંતુ “વિશ્વR: #Hપ્રર્શનાર્થ સર્ષGીદવું મારતાપ: “વું અને નૈવ મેળ મવતિ” આવો પાઠ પૂ. મલયગિરિ ટીકામાં છે, જે વધુ સંગત લાગતા એ પ્રમાણે અર્થ કરેલ છે.) મૂલગાથાનો “વ” શબ્દ ક્રમ બતાવે છે. (આર્ષ હોવાથી મકારનો લોપ થયો છે) અર્થાત્ આ ક્રમથી જ આ ચારે થાય છે. આ ચારે જ્ઞાનો આભિનિબોધિક જ્ઞાનના ભેદો છે. “જે ભેદાય તે ભેદ” એ પ્રમાણે ભેદનો વ્યુત્પત્તિ અર્થ કરવો. ભેદ, ४६. "प्रज्ञा नवनवोल्लेखशालिनी प्रतिभा मता" सैव प्रातिभं, न त्वत्र श्रुतकेवलातिरिक्त सामर्थ्ययोगजन्यं प्रातिभम् । ४७. सकृच्छ्रुतनिश्रितत्वात् त्यागः, बाहुल्यापेक्षया तदननुसरणं त्वश्रुतनिश्रितत्वं, यद्वा पूर्वमशिक्षितशास्त्रार्थस्याश्रुतनिश्रितत्वं वैनयिकी त्वन्यथेति हानं, विमर्शप्राधान्याच्च વૃદ્ધતુષ્ટયાન્તર્યાવ: * વર્શનાર્થ: 30 Page #52 -------------------------------------------------------------------------- ________________ અવગ્રહાદિનું સ્વરૂપ (નિ. ૩) શિક ૨૯ इत्यनर्थान्तरं, त एव वस्तूनि भेदवस्तूनि, कथम् ?, यतो नानवगृहीतमीह्यते, न चानीहितमवगम्यते, न चानवगतं धार्यत इति । अथवा काक्वा नीयते-एवं भवन्ति चत्वार्याभिनिबोधिकज्ञानस्य भेदवस्तूनि, 'समासेन' संक्षेपेण अविशिष्टावग्रहादिभावस्वरूपापेक्षया, न तु विस्तरत इति, विस्तरतोऽष्टाविंशतिभेदभिन्नत्वात्तस्येति गाथार्थः ॥२॥ इदानीमनन्तरोपन्यस्तानामवग्रहादीनां स्वरूपप्रतिपिपादयिषयेदमाह अत्थाणं ओगहणंमि उग्गहो तह विचारणे ईहा । ववसायंमि अवाओ धरणंमि य धारणं बिंति ॥३॥ व्याख्या-तत्र अर्यन्ते इत्यर्थाः, अर्यन्ते गम्यन्ते परिच्छिद्यन्त इतियावत्, ते च रूपादयः, तेषां अर्थानां, प्रथमं दर्शनानन्तरं ग्रहणं अवग्रहणं अवग्रहं ब्रुवत इतियोगः । आह-वस्तुनः सामान्यविशेषात्मकतयाऽविशिष्टत्वात् किमिति प्रथमं दर्शनं न ज्ञानमिति, उच्यते, तस्य 10 વિકલ્પ, અંશ, આ સમાનાર્થી શબ્દો છે. ભેદ એ પોતે જ વસ્તુ તે ભેદવસ્તુ, આ રીતે સમાસ જાણવો. (મૂલગાથામાં “ભેદવસ્તુ” શબ્દ છે, તેની વ્યાખ્યા બતાવી.) શંકા : આ ચારે ભેદો આ ક્રમથી રાખવાનું શું પ્રયોજન છે ? સમાધાન : આનું કારણ એ છે કે જે અર્થ અવગૃહીત નથી, તેની વિચારણા થઈ શકતી નથી. અવિચારિત અર્થ નિશ્ચિત થતો નથી અને અનિશ્ચિત અર્થની ધારણા થઈ શકતી 15 નથી, માટે આ રીતે ક્રમ છે. અથવા કાકુન્યાયથી (અર્થપત્તિથી) અર્થ કરાય છે. આ પ્રમાણે સંક્ષેપથી અર્થાત્ સામાન્યથ=અવગ્રહાદિ ભાવોના સ્વરૂપની અપેક્ષાએ આભિનિબોધિકજ્ઞાનના ચાર ભેદવસ્તુઓ (ભદો) છે પણ વિસ્તારથી નહીં, કારણ કે વિસ્તારથી તે આભિનિબોધિક જ્ઞાન અઠ્ઠાવીસ પ્રકારે છે. (અહીં અર્થપત્તિ આ રીતે સમજવી કે ગાથાના પૂર્વાર્ધમાં અવગ્રહાદિ ચાર ભાવો બતાવ્યા. 20 તેથી અર્થપત્તિથી જણાય છે કે સંક્ષેપથી જ્ઞાન ચાર પ્રકારે છે.) અવતરણિકા : હવે ઉપર જણાવેલ અવગ્રહાદિનાં સ્વરૂપને પ્રતિપાદન કરવાની ઇચ્છાથી આગળની ગાથા જણાવે છે કે ગાથાર્થ : અર્થોના અવગ્રહણને અવગ્રહ તથા વિચારણાને ઈહા, વ્યવસાયને અપાય અને ધારણને ધારણા તરીકે (તીર્થકરાદિ) કહે છે. 25 ટીકાર્થ – જે જણાય તે અર્થ, તે અર્થો તરીકે રૂપાદિ છે. આ રૂપાદિ અર્થોનું અવગ્રહણ એ (તીર્થકરો) અવગ્રહ તરીકે કહે છે. અહીં અવગ્રહણ એટલે પ્રથમ વાર જોયા પછી અર્થોનું ગ્રહણ કરવું તે. શંકા ઃ વસ્તુ સામાન્યવિશેષાત્મક તરીકે અવિશિષ્ટ છે અર્થાત્ જે રીતે વસ્તુમાં સામાન્ય છે, તે રીતે જ વિશેષ છે. ४८. अत्थाणं ओग्गहणं, उग्गहं तह वियालणं ईहं । ववसायं च अवायं, धरणं पण धारणं વિતિ રૂા + ઘર, પુછ | પ્રાપ મવગ્રહૃા 30 Page #53 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) प्रबलावरणत्वात्, दर्शनस्य चाल्पावरणत्वादिति । स च द्विधा - व्यञ्जनावग्रहोऽर्थावग्रहश्च तत्र व्यञ्जनावग्रहपूर्वकत्वादर्थावग्रहस्य प्रथमं व्यञ्जनावग्रहः प्रतिपाद्यत इति । तत्र व्यञ्जनावग्रह इति कः शब्दार्थः ?, उच्यते, व्यज्यतेऽनेनार्थः प्रदीपेनेव घट इति व्यञ्जनं तच्च उपकरणेन्द्रियं शब्दादिपरिणतद्रव्यसंघातो वा ततश्च व्यञ्जनेन उपकरणेन्द्रियेण शब्दादिपरिणतद्रव्याणां च 5 व्यञ्जनानां अवग्रहो व्यञ्जनावग्रह इति । अयं च नयनमनोवर्जेन्द्रियाणामवसेय इति, न तु नयनमनसोः, अप्राप्तकारित्वात्, अप्राप्तकारित्वं चानयोः “पुढं सुणेड़ सद्दं रूवं पुण पासई अपुटुं तु " इत्यत्र वक्ष्यामः । तथा च व्यञ्जनावग्रहचरमसमयोपात्तशब्दाद्यर्थावग्रहणलक्षणो ऽर्थावग्रहः, सामान्यमात्रनिर्देश्यग्रहणमेकसामयिकमिति भावार्थ: । ' तथा ' इत्यानन्तर्ये 'विचारणं' पर्यालोचनं अर्थानामित्यनुवर्त्तते, ईहनमीहा तां, ब्रुवत इति संबन्धः । एतदुक्तं भवति - अवग्रहादुत्तीर्णः 10 अवायात्पूर्वं सद्भूतार्थविशेषोपादानाभिमुखोऽसद्भूतार्थविशेषत्यागाभिमुखश्च प्रायो मधुरत्वादयः ३० 15 સમાધાન : જ્ઞાન એ પ્રબળ આવરણવાળું છે ને દર્શન અલ્પાવરણવાળું હોવાથી પ્રથમ દર્શન થાય છે, પણ જ્ઞાન નહીં. આ રીતે અવગ્રહની વ્યાખ્યા કહી. તે અવગ્રહ બે પ્રકારે છે ૧. વ્યંજનાવગ્રહ અને ૨. અર્થાવગ્રહ. તેમાં અર્થાવગ્રહ હંમેશા વ્યંજનાવગ્રહ પછી જ થનાર હોવાથી પ્રથમ વ્યંજનાવગ્રહની વ્યાખ્યા કરાય છે. તેમાં વ્યંજનાવગ્રહ શબ્દનો અર્થ શું છે ? તે કહે છે – જેમ દીપકવડે ઘટનો બોધ થાય છે, તેમ જેનાવડે અર્થ (રૂપ, રસ, ગંધાદિ તે તે ઇન્દ્રિયના વિષયોરૂપ અર્થ) પ્રગટ થતો હોય અર્થાત્ જણાતો હોય તે વસ્તુ વ્યંજન કહેવાય છે અને તે ઉપકરણ ઇન્દ્રિય અથવા શબ્દાદિમાં પરિણત દ્રવ્યોનો સમૂહ જાણવા. (કારણ કે આ દ્રવ્યોનો સમૂહ પોતે શબ્દ, રૂપ વગેરેમાં પરિણત થઈ શબ્દ, રૂપાદિને પ્રગટ કરે છે.) આ ઉપકરણેન્દ્રિયરૂપ વ્યંજનવડે શબ્દાદિમાં પરિણત દ્રવ્યસમૂહરૂપ વ્યંજનોનો જે અવગ્રહ તે વ્યંજનાવગ્રહ એ પ્રમાણે 20 સમાસ જાણવો. ચક્ષુ અને મન એ અપ્રાપ્યકારી હોવાથી આ બે સિવાય શેષ ઇન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ જાણવો. “પુદું મુળેષ સદ્ વં પુળ પાસરૂં અપુŕ તુ” ઇત્યાદિ ગાથાવડે ચક્ષુ અને મનનું અપ્રાપ્યકારીપણું (અપ્રાપ્યકારિતા=વિષયને પ્રાપ્ત કર્યા વિના જ બોધ કરાવવો.) ગ્રંથકારશ્રી આગળ કહેશે. વ્યંજનાવગ્રહના ચરમ સમયે ગ્રહણ કરાયેલ શબ્દાદિ અર્થોનું જે અવગ્રહણ તે અર્થાવગ્રહ 25 છે. જે સામાન્યમાત્ર અને તેથી જ અનિર્દેશ્ય વસ્તુના ગ્રહણ સ્વરૂપ એક સમયનો છે. મૂલગાથામાં ‘“તથા’” શબ્દ આનન્તર્યમાં અર્થાત્ “ત્યાર પછી” અર્થમાં વપરાયેલ છે. (તેથી અર્થ આ પ્રમાણે જાણવો કે અર્થાવગ્રહ થયા પછી) રૂપાદિ અર્થોનું પર્યાલોચન (વિચારણા) તે ઇહા તરીકે (તીર્થંકરાદિ) કહે છે, કારણ કે ઇહા એટલે વિચારણા. ભાવાર્થ આ પ્રમાણે : અવગ્રહ પછી અને અપાયથી પૂર્વે સદ્ભૂત એવા અર્થવિશેષના 30 ઉપાદાનને અભિમુખ અને અસદ્ભૂત (અવિદ્યમાન) એવા અર્થવિશેષના ત્યાગને અભિમુખ (મતિવિશેષ ઇહા છે) “પ્રાયઃ મધુરત્વ વગેરે શંખશબ્દના ધર્મો અહીં ઘટે છે, પણ ખરકર્કશ ૪૧. ગાથા૦ ્। * અપ્રાપ્ય રિવાર્ -૬ | Page #54 -------------------------------------------------------------------------- ________________ અપાયાદિનું સ્વરૂપ (નિ. ૩) કે ૩૧ शङ्खशब्दधर्मा अत्र घटन्ते न खरकर्कशनिष्ठुरतादयः शार्ङ्गशब्दधर्मा इति मतिविशेष ईहेति । विशिष्टोऽवसायो व्यवसायः, निर्णयो निश्चयोऽवगम इत्यनर्थान्तरं, तं व्यवसायं च, अर्थानामिति वर्त्तते, अवायं ब्रुवत इति संसर्गः, एतदुक्तं भवति शाल एवायं शार्ग एव वा इत्यवधारणात्मकः प्रत्ययोऽवाय इति, चशब्द एवकारार्थः, स चावधारणे, व्यवसायमेवावायं ब्रुवेत इति भावार्थः। धृतिर्धरणं, अर्थानामिति वर्त्तते, परिच्छिन्नस्य वस्तुनोऽविच्युतिस्मृतिवासनारूपं तद्धरणं पुनर्धारणां 5 ब्रुवेत, पुनःशब्दोऽप्येवकारार्थः, स चावधारणे, धरणमेव धारणां ब्रुवत इति, अनेन शास्त्रपारतन्त्र्यमाह, इत्थं तीर्थंकरगणधरा ब्रुवत इति । एवं शब्दमधिकृत्य श्रोत्रेन्द्रियनि बन्धना अवग्रहादयः प्रतिपादिताः, शेषेन्द्रियनिबन्धना अपि रूपादिगोचराः स्थाणुपुरुष-कुष्ठोत्पलसंभृतकरिल्लमांससर्पोत्पलनालादौ इत्थमेव द्रष्टव्याः, एवं मनसोऽपि स्वप्ने शब्दादिविषया નિધુરતા વગેરે શાર્ગ (શિંગડામાંથી બનાવેલું વાદ્ય) શબ્દના ધર્મો ઘટતા નથી” આવા પ્રકારની 10 બુદ્ધિ તે ઇહા કહેવાય છે. કહેવાનો આશય એ છે કે અમુક શબ્દો સાંભળી “આ શબ્દોમાં મધુર આદિ ધર્મો રહેલા છે, માટે શંખના શબ્દો હોવા જોઈએ, પણ ખરકર્કશાદિ ધર્મો ન હોવાથી શાર્ગના શબ્દો લાગતા નથી” આવા પ્રકારની સબૂત પદાર્થને ગ્રહણાભિમુખ અને અસભૂત એવા શાર્ગ શબ્દના ત્યાગને અભિમુખ એવી બુદ્ધિ એ ઇહા કહેવાય છે.) અપાયની વ્યાખ્યા કરે છે કે વિશિષ્ટ એવો જે અવસાય (=બોધ) તે વ્યવસાય, અહીં વ્યવસાય, નિર્ણય, નિશ્ચય 15 કે અવગમ આ બધા સમાનાર્થી શબ્દો છે. અર્થોના આ વ્યવસાયને (તીર્થકરો) અપાય કહે છે. કહેવાનો આશય એ છે કે “આ શબ્દો શંખના જ છે અથવા શાર્ગના જ છે,” આવા પ્રકારનો જ” કાર પૂર્વકનો નિશ્ચયાત્મક બોધ એ અપાય કહેવાય છે. ધારણાની વ્યાખ્યા કરતા કહે છે કે નિશ્ચિત વસ્તુનું અવિશ્રુતિસ્મૃતિવાસનારૂપ ધારણ એ ધારણા કહેવાય છે. મૂલગાથામાં “પુનઃ” શબ્દ જે છે તેનો એવકાર જેવો અર્થ જાણવો અને તે 20 એવકાર અવધારણામાં અર્થાત્ “જ”કાર અર્થમાં જાણવો. તેથી ઉપરોક્ત ધારણને જ ધારણા (તીર્થકરો) કહે છે. અહીં “તીર્થકરો-ગણધરો કહે છે” આવું કહેવા દ્વારા આ શાસ્ત્રનું પાતંત્ર્ય જણાવ્યું છે. (અર્થાત્ “આ શાસ્ત્રરચના સ્વમતિથી નહીં પણ તીર્થકરો-ગણધરોના ઉપદેશાનુસાર કરેલી છે” એવું જણાવ્યું છે.) આ પ્રમાણે શબ્દને આધારે શ્રોત્રેન્દ્રિયથી થતાં અવગ્રહાદિ કહ્યા. આ જ પ્રમાણે શેષ ચક્ષુ 25 વગેરે ઇન્દ્રિયથી થતાં રૂપાદિવિષયક અવગ્રહાદિ “સ્થાણુ કે પુરૂષ”ના દૃષ્ટાંતમાં જાણવા. (અર્થાત્ આ સ્થાણુ (ઝાડનું ટૂંઠું) છે કે પુરુષ છે, અહીં હાથ, પગાદિ અવયવો દેખાય છે પણ શાખાદિ અવયવો દેખાતો નથી, એટલે આ પુરુષ હોવો જોઈએ પણ સ્થાણુ નહીં, આવા પ્રકારનો મતિવિશેષ “ઇહા, આ રીતે અપાયાદિ જાણવા.) ધ્રાણેન્દ્રિયને આશ્રયી ગંધવિષયક અવગ્રહાદિ કુષ્ઠ (ગંધદ્રવ્યવિશેષ) કે ઉત્પલના દૃષ્ટાંતમાં 30 "ાણવા, રસનેન્દ્રિયનું દૃષ્ટાંત સંભૂતકરિલ્લ (ભરેલાં કારેલાં) કે માંસ, સ્પર્શેન્દ્રિયમાં સર્પ કે ५०. चक्षुरादीनां क्रमशो दृष्टान्तदर्शनात् कोष्ठपुटाख्यो गन्धद्रव्यविशेषः । । बन्धनावग्र० Page #55 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) अवग्रहादयोऽवसेया इति, अन्यत्र चेन्द्रियव्यापारा - भावेऽभिमन्यमानस्येति । ततश्च व्यञ्जनावग्रहश्चतुर्विधः, तस्य नयनमनोवर्जेन्द्रियसंभवात्, अर्थावग्रहस्तु षोढा, तस्य "सर्वेन्द्रियसंभवात्। एवमहादयोऽपि प्रत्येकं षट्प्रकारा एवेति * । एवं संकलिताः सर्व एव अष्टाविंशतिर्मतिभेदा अवगन्तव्या इति । अन्ये त्वेवं पठन्ति - ' अत्थाणं उग्गहणंमि उग्गहो' तत्र अर्थानामवग्रहणे सति 5 अवग्रहो नाम मतिभेद इत्येवं ब्रुवते, एवं ईहादिष्वपि योज्यं, भावार्थस्तु पूर्ववदिति । अथवा प्राकृतशैल्या 'अर्थवशाद्विभक्तिपरिणाम' इति यथाऽऽचाराने - " अगणिं च खलु पुठ्ठा एगे संघायमावज्जंति" इत्यत्र अग्निना च स्पृष्टाः, अथवा स्पृष्टशब्दः पतितवाची, ततश्चायमर्थ:अग्नौ च पतिता 'एके' शलभादयः 'संघातमापद्यन्ते' अन्योऽन्यगात्रसंकोचमासादयन्तीत्यर्थः, ૩૨ કમળની નાળનું દૃષ્ટાંત જાણવું તથા મનને આશ્રયી સ્વપ્રમાં શબ્દાદિ વિષયક અવગ્રહાદિ જાણવા. 10 (અર્થાત્ સ્વપ્રમાં સંભળાયેલા શબ્દને કે જોયેલા રૂપને આશ્રયી મનથી ઉત્પન્ન થતાં અવગ્રહાદિ’’ એ પ્રમાણે અર્થ જાણવો.) અને અન્યત્ર=સ્વપ્ર સિવાયના કાળમાં ઇન્દ્રિયવ્યાપારના અભાવમાં મનથી વિચાર કરતી વ્યક્તિને અવગ્રહાદિનો સંભવ છે. આમ, ચક્ષુ અને મન વિના શેષ ઇન્દ્રિયથી થતો હોવાથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે તથા સર્વેન્દ્રિયથી થતો હોવાથી અર્થાવગ્રહ છ પ્રકારે જાણવો. આ જ પ્રમાણે ઇહાદિ દરેક છ પ્રકારના 15 છે. બધા મળી મતિજ્ઞાનના ૨૮ ભેદો જાણવા. (આ ટીકાની રચના કરતી વખતે ટીકાકારે “અસ્થાનું મોહિનં દિં તદ વિયાનાં Íö' આ ગાથાને સામે રાખી રચના કરી છે.) કેટલાક લોકો આ ગાથાના સ્થાને કંઈક વિભક્તિના ફેરફારવાળી ગાથાને કહે છે, જે આ પ્રમાણે છે " अत्थाणं ओगहणंमि उग्गहो तह वियारणे ईहा । ववसायंमि अवाओ धरणंमि य धारणं बिंति ॥ " આ ગાથાનો અર્થ આ પ્રમાણે જાણવો કે અર્થોના અવગ્રહણમાં અવગ્રહ નામનો મતિજ્ઞાનનો ભેદ 20 (તીર્થંકર) કહે છે. આ જ પ્રમાણે ઈહાદિમાં જોડવું. આ ગાથાનો ભાવાર્થ ઉપરોક્ત ગાથાના અનુસારે જ છે. (ઉપરોક્ત ગાથામાં ઓળહળ એ પ્રમાણે પ્રથમાવિભક્તિ છે. જ્યારે આ ગાથામાં “ઓહિĪનિ' સપ્તમીવિભક્તિ છે). 25 અથવા પ્રાકૃત શૈલીથી ‘અર્થવશાદ્ધિમત્તિ પરિણામ' (અર્થના આધારે વિભક્તિમાં ફેરફાર થાય છે) આ સૂત્રના આધારે અહીં પણ સપ્તમીવિભક્તિ પ્રથમાવિભક્તિના અર્થમાં જાણવી. આ રીતે વિભક્તિનો ફેરફાર થઈ શકે છે, તે બતાવવા આચારાંગ સૂત્રનો પાઠ બતાવે છે કે “અળિ ન હતુ પુઠ્ઠા ો સંધાયમાનîતિ” અગ્નિવર્ડ સ્પર્શાયેલા પતંગિયાદિ જીવો અન્યોન્ય ગાત્રસંકોચને પામે છે અથવા પૃષ્ટ શબ્દ પડવાના અર્થમાં જાણવો, તેથી અગ્નિમાં પડેલા એવા કેટલાક પતંગિયાદિ જીવો અન્યોન્ય ગાત્રસંકોચને પામે છે. (અર્થાત્ મરણાદિને પામે છે.) તેથી અનેક જીવોના મરણનું કારણ ५१. नोइन्द्रियस्यापि ग्रहणमुपलक्षणात्, अन्यथा न स्युर्भेदाः षट्, इन्द्रियत्वं वाभिप्रेतमत्र तस्याभ्यन्तर30 નિવૃત્યન્વિતત્વાન્। * વેત્વર્થ:, સંજ૰ ↑ વાતો. Page #56 -------------------------------------------------------------------------- ________________ અવગ્રહાદિનું કાલ પ્રમાણ (નિ. ૪) તક ૩૩ तस्माद् अग्निसमारम्भोऽनेकसत्त्वव्यापत्तिहेतुः इत्यतो न कार्यः इत्यादिविचारे द्वितीया तृतीयार्थे सप्तम्यर्थे च "व्याख्यातेति। एवमत्रापि सप्तमी प्रथमार्थे द्रष्टव्येति गाथार्थः ॥३॥ इदानीमभिहितस्वरूपाणामवग्रहादीनां कालप्रमाणमभिधित्सुराह 'उग्गह इक्कं समयं ईहावाया 'मुहुत्तमद्धं तु । कालमसंखं संखं च धारणा होई णायव्वा ॥४॥ व्याख्या- तत्र अभिहितलक्षणोऽर्थावग्रहो जघन्यो नैश्चयिकः, स खलु एकं समयं भवतीति संबन्धः, तत्र कालः परमनिकृष्टः समयोऽभिधीयते, स च प्रवचनप्रतिपादितोत्पलपत्रशतव्यतिभेदोदाहरणाद् जरत्पदृशाटिकापाटनदृष्टान्ताच्च अवसेयः, तथा सांव्यवहारिकार्थावહોવાથી અગ્નિનો સમારંભ કરવો જોઈએ નહીં. આ પાઠમાં fણ આ રીતે મૂલગાથામાં દ્વિતીયા વિભક્તિ હોવા છતાં તૃતીયા અને સપ્તમી વિભક્તિના અર્થમાં અગ્નિ શબ્દ જોડ્યો છે. એ જ રીતે 10 ઉપરોક્ત “સ્થાનં ૩ દિifમ..” ગાથામાં “અવગ્રહણ” શબ્દને સપ્તમી હોવા છતાં પ્રથમ વિભક્તિનો અર્થ જોડ્યો છે. તેથી “અર્થોનું અવગ્રહણ એ અવગ્રહ છે” એ પ્રમાણે અર્થ કરવો. tial અવતરણિકા :- આ રીતે અવગ્રહાદિનું સ્વરૂપ બતાવી તેઓનું કાલ પ્રમાણ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ : એક સમય પ્રમાણ અર્થાવગ્રહ, ઈહા અને અપાય અર્ધમુહૂર્ત અને ધારણા 15 અસંખ્યાત અને સંખ્યાલંકાલ જાણવી. ટીકાર્ય - કહેવાઈ ગયેલ છે સ્વરૂપ જેનું એવો જઘન્ય અર્થાવગ્રહ નથયિક છે (અર્થાવગ્રહ જઘન્ય–ઉત્કૃષ્ટ બે પ્રકારે છે, તેમાં જઘન્ય જે છે તે નૈૠયિક છે, અને તે એક સમયનો છે. અહીં સમય એટલે પરમનિકૃષ્ટ (અવિભાજય અંશ) એવો કાલ, અને તે અન્ય ગ્રંથમાં કહેવાયેલા કમલપત્રને ભેદવા રૂપ દષ્ટાંતથી અને જીર્ણ સાડીને ફાડવારૂપ દષ્ટાંતથી 20 જાણવો (તે આ પ્રમાણે-કોઈ બળવાન્ પુરૂષ ભાલાની તીક્ષ્ણ ધાર વડે એકસો કમલોના પાંદડાઓને એક સાથે જ ભેદે છે. છેદતી વખતે એક પાંદડાથી બીજા પાંદડે પહોંચતા ભાલાને અસંખ્યસમય પસાર થાય છે એવું જ્ઞાનીઓએ જોયું છે. અથવા અત્યંત જીર્ણ સાડીને ફાડતાં સાડીના એક તંતુ પછી બીજા તંતુને તૂટતા વચ્ચે અસંખ્ય સમય પસાર થાય છે. અહીં જે અવિભાજ્ય અંશરૂપ કાલ છે તેને શાસ્ત્રમાં ‘સમય’ શબ્દથી ઓળખાય છે – 25 તિ-નવતત્ત્વપૂરવૃત્ત. આ દૃષ્ટાન્ત દ્વારા શાસ્ત્રકાર જણાવવા માંગે છે કે જો એક તંતુથી બીજા તંતુ સુધી કે એક પાંદડાથી બીજા પાંદડા સુધી પહોંચતા અસંખ્યસમય જતાં હોય તો એક સમય કેટલો સૂક્ષ્મ હશે ?) તથા સાંવ્યવહારિક અર્થાવગ્રહ (ઉત્કૃષ્ટાર્થાવગ્રહ) અને વ્યંજનાવગ્રહનો દરેકનો અંતર્મુહૂર્તમાત્ર કાલ જાણવો. ५२. ज्ञायतेऽनेन आचाराङ्गव्याख्या श्रीमतां कालात्प्राक्तनीति । ५३. अर्थावग्रहो द्विधा जघन्य 30 उत्कृष्टश्च, आद्यो नैश्चयिक एवेतरः सांव्यवहारिक इति जघन्यो नैश्चयिक इति प्रोचुः, व्याख्यानतो विशेषપ્રતિપત્તિ દિ સંદાનક્ષurfમતિ ચાથાત્ | + ૩૬ (નિ. ૩) મુહુરમતં તુ(વૃ૦) * નીર્થ૦ -દ્દા Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) ग्रहव्यञ्जनावग्रहौ तु पृथक् पृथग् अन्तर्मुहूर्त्तमात्रं कालं भवत इति 'विज्ञातव्यौ । ईहा चावायश्च ईहावायौ, प्राकृतशैल्या बहुवचनं, उक्तं च - "देव्वयणे बहुवयणं छठ्ठीविहत्तीए भिण्णइ चउत्थी । जह हत्था तह पाया, णमोऽत्थु देवाहिदेवाणं ॥१॥" तावीहावायौ मुहर्तार्धं ज्ञातव्यौ भवतः, तत्र मुहूर्त्तशब्देन घटिकाद्वयपरिमाणः कालोऽभिधीयते, तस्यार्ध तु मुहूर्ताधू, तुशब्दो विशेषणार्थः, किं विशिनष्टि ?-व्यवहारपेक्षया एतद् मुहूर्तार्धमुक्तं, तत्त्वतस्तु अन्तर्मुहूर्तमवसेयमिति । अन्ये त्वेवं पठन्ति 'मुहुत्तमन्तं तु' मुहूर्तान्तस्तु द्वे पदे, अयमर्थः-अन्तर्मध्यकरणे, तुशब्द एवकारार्थः, स चावधारणे, एतदुक्तं भवतिईहावायौ मुहूर्तान्तः, भिन्नं मुहूर्तं ज्ञातव्यौ भवतः, अन्तर्मुहूर्तमेवेत्यर्थः । कलनं काल: 10 तं कालं, न विद्यते संख्या इयन्तः पक्षमासवयनसंवत्सरादय इत्येवंभूता यस्यासावसंख्यः, पल्योपमादिलक्षण इत्यर्थः, तं कालमसंख्यं, तथा संख्यायत इति संख्यः, इयन्तः पक्षमासवयनादय इत्येवं संख्याप्रमित इत्यर्थः, तं संख्यं च, चशब्दात अन्तर्महर्तं च, धारणा अभिहितलक्षणा भवति ज्ञातव्या, अयमत्र भावार्थ:-अवायोत्तरकालं अविच्युतिरूपा-अन्तर्मुहूर्त ઇહા અને અપાય અઈમુહૂર્ત પ્રમાણ જાણવા. મૂલગાથામાં “ઇહાપાયા” શબ્દને પ્રાકૃત 15 હોવાથી બહુવચન કરેલ છે, કારણ કે પ્રાકૃતમાં દ્વિવચનને સ્થાને બહુવચન અને ચોથી વિભક્તિના અર્થમાં છઠ્ઠી વિભક્તિ કહેવાય છે. જેમકે “નદ હ@ા તહ પાયા, ગરોડ સેવાદિવા” (અહીં “સ્થા” શબ્દથી બે હાથો જણાવવા છે, છતાં બહુવચન કરેલ છે તથા નમસ્કારના યોગમાં સંબંધિત શબ્દને ચોથી કરવાને બદલે પ્રાકૃતમાં છઠ્ઠી વિભક્તિ થાય છે.) ઈહા અને અપાયનો અઈમુહૂર્તપ્રમાણકાલ જણાવ્યો. તેમાં “અધમુહૂર્ત” શબ્દનો અર્થ 20 કરે છે કે અહીં “મુહૂર્ત” શબ્દથી બે ઘડીનો કાલ જાણવો. તેનું અડધું તે મુહૂર્તાઈ. મૂલગાથામાં “તું” શબ્દ છે, તે વિશેષ અર્થને જણાવનારો છે, તે વિશેષ અર્થ આ પ્રમાણે કે ઇહા અને અપાયનો વ્યવહારની અપેક્ષાએ અર્ધમુહૂર્ત કાલ કહ્યો. પરમાર્થથી અંતર્મુહૂર્ત કાલ જાણવો. કેટલાક લોકો “મુહુત્તમદ્ધ તુ” ને બદલે “દુત્તમાં તુ” કહે છે. તેનો અર્થ આ પ્રમાણે કે અહીં “મુહૂર્તાન્ત” એક અને “તું” બીજો એમ બે પદો છે. તેમાં “અન્તઃ' શબ્દ 25 “Yષ્ય” અર્થમાં છે અને “તું” શબ્દ “વ” ના અર્થમાં છે.” તેથી ભાવાર્થ :- ઇહા અને અપાયનો મુહૂર્ત મધ્યનો કાલ એટલે કે અન્તર્મુહૂર્તકાલ જ છે. કલન=ગણવું, માપવું તે કાલ, તથા જેમાં પક્ષ-માસ–ઋતુ-અયન-સંવત્સર જેવી કોઈ સંખ્યા નથી તે અસંખ્યાતકાલ અર્થાત્ પલ્યોપમાદિ તથા જેમાં ઉપરોક્ત સંખ્યા હોય (અર્થાત્ આટલા પક્ષ, માસ, ઋતુ, અયન વગેરે એવી) તે સંખ્યાતકાલ, મૂલગાથાનાં “” 30 શબ્દથી અંતર્મુહૂર્ત પણ લઈ લેવું. તેથી સંખ્યાતકાલ, અસંખ્યાતકાલ અને અંતર્મુહૂર્ત પ્રમાણમાલ સુધી કહેવાયેલા સ્વરૂપવાળી ધારણા જાણવી. ५४. भाष्यकारादिव्याख्यानात् । ५५. बहुवचनं द्विवचने षष्ठीविभक्तौ भण्यते चतुर्थी । यथा हस्तौ तथा पादौ नमोऽस्तु देवाधिदेवेभ्यः । । ज्ञातव्यौ # भण्णए Page #58 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયોની પ્રાપ્તાપ્રાપ્તવિષયતા (નિ. ૫) મીક ૩૫ भवति, एवं स्मृतिरूपाऽपि, वासनारूपा तु तदावरणक्षयोपशमाख्या स्मृतिधारणाया बीजभूता संख्येयवर्षायुषां सत्त्वानां संख्येयं कालं असंख्येयवर्षायुषां पल्योपमादिजीविनां चासंख्येयमिति Tથાર્થ: Il8I इत्थमवग्रहादीनां स्वरूपमभिधाय इदानीं श्रोत्रेन्द्रियादीनां प्राप्ताप्राप्तविषयतां પ્રતિપિપાયિપુ-નાદ – पुढे सुणेइ सई रूवं पुण पासई अपुटुं तु । गंधं रसं च फासं च बद्धपुटुं वियागरे ॥५॥ व्याख्या-आह-ननु व्यञ्जनावग्रहनिरूपणाद्वारेण श्रोत्रेन्द्रियादीनां प्राप्ताप्राप्तविषयता प्रतिपादि-तैव, किमर्थं पुनरयं प्रयास इति, उच्यते, तत्र प्रकान्तगाथा व्याख्यानद्वारेण प्रतिपादिता, साम्प्रतं तु सूत्रतः प्रतिपाद्यत इत्यदोषः । तत्र 'स्पृष्टं' इत्यालिङ्गितं, तनौ रेणुवत्, श्रृणोति 10 गृह्णाति उपलभत इति पर्यायाः, कम् ? -शब्द्यतेऽनेनेति शब्दः तं शब्दप्रायोग्यं द्रव्यसंघातं, इदमत्र हृदयम्-तस्य सूक्ष्मत्वात् भावुकत्वात् प्रचुरद्रव्यरूपत्वात् श्रोत्रेन्द्रियस्य चान्येन्द्रियगणात्प्रायः ભાવાર્થ : અપાય પછી અવિસ્મૃતિરૂપ ધારણા અંતર્મુહૂર્ણકાલ સુધી હોય. એ જ પ્રમાણે સ્મૃતિરૂપ ધારણાનો પણ એજ કાલ જાણવો તથા ધારણાના આવરણભૂત કર્મોના ક્ષયોપશમ નામની વાસનારૂપ ધારણા કે જે સ્મૃતિનું કારણ છે, તેનો કાલ સંખ્યાતવર્ષના આયુવાળા જીવોને, સંખ્યાતકાલ અને અસંખ્યાતવર્ષના જીવનવાળા જીવોને અસંખ્યાતકાલ જાણવો. આ પ્રમાણે ગાથાનો અર્થ પૂર્ણ થયો. ||૪|| અવતરણિકા : આ રીતે અવગ્રહાદિનું સ્વરૂપ બતાવી હવે પાંચ ઇન્દ્રિયોમાંથી કઈ ઇન્દ્રિય પ્રાપ્તકારી (વિષયને સ્પર્શી બોધ કરાવનારી) છે ? અને કઈ ઇન્દ્રિય અપ્રાપ્યકારી (વિષયને સ્પર્યા વિના બોધ કરાવનારી) છે ? તેનું પ્રતિપાદન કરે છે ; ગાથાર્થ : સ્પષ્ટ શબ્દને સાંભળે છે, અસ્પષ્ટ રૂપને જુએ છે તથા બદ્ધસ્કૃષ્ટ એવા ગંધ, રસ અને સ્પર્શને (ઇન્દ્રિયગણો ગ્રહણ કરે છે, એ પ્રમાણે તીર્થકરો) કહે છે. ટીકાર્થ : શંકા : વ્યંજનાવગ્રહના નિરૂપણ સમયે શ્રોત્રેન્દ્રિયાદિની પ્રાપ્તાપ્રાપ્ત વિષયતા પ્રતિપાદન કરેલી છે, તો શા માટે ફરીથી નિરૂપણ કરો છો ? સમાધાન : વ્યંજનાવગ્રહના નિરૂપણ વખતે આ ગાથાનો અર્થ ટીકામાં બતાવ્યો હતો, પણ 25 સૂત્રમાં બતાવ્યો નહોતો. હવે આ અર્થ સૂત્રકાર સૂત્ર દ્વારા બતાવતા હોવાથી કોઈ દોષ નથી. (હવે સૂત્રમાં બતાવેલા પદોનો ક્રમશઃ અર્થ કરે છે, તેમાં “સ્પષ્ટ” એટલે આલિંગિત થયેલ અર્થાત જેમ શરીર ઉપર ધૂળ ચોટે તેમ શ્રોસેન્દ્રિય સાથે સંબંધને પામેલ એવા શબ્દને) . મળે છે. અહીં સાંભળે છે, ગ્રહણ કરે છે, બોધ કરે છે આ બધા સમાનાર્થી ધાતુઓ છે. કોને સાંભળે છે? જેના વડે બોલાવાય તે શબ્દ. આ શબ્દને અર્થાત શબ્દને પ્રાયોગ્ય દ્રવ્યસમૂહને (સાંભળે છે) . 30 ભાવાર્થ શબ્દપ્રાયોગ્ય દ્રવ્યનો સમૂહ સૂક્ષ્મ, ભાવુક અને પુષ્કળ પ્રમાણમાં હોવાથી અને ५६. चक्षुर्मनसोरसत्यपि व्यञ्जनावग्रहेऽर्थावग्रहसद्भावादस्त्येव पटुतरतेति प्राय इति । Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) पटुतरत्वात् स्पृष्टमात्रमेव शब्दद्रव्यनिवहं गृह्णाति । रूप्यत इति रूपं तद्रूपं पुनः, पश्यति गृह्णाति उपलभत इत्येकोऽर्थः, अस्पृष्टमनालिङ्गितं गन्धादिवन्न संबद्धमित्यर्थः, तुशब्दस्त्वेवकारार्थः, स चावधारणे, रूपं पुनः पश्यति अस्पृष्टमेव, चक्षुषः अप्राप्तकारित्वादिति भावार्थः, पुन:शब्दो विशेषणार्थः, किं विशिनष्टि ?-अस्पृष्टमपि योग्यदेशावस्थितं, न पुनरयोग्यदेशावस्थितं 5 अमरलोकादि । गन्ध्यते घ्रायत इति गन्धस्तं, रस्यत इति रसस्तं च, स्पृश्यत इति स्पर्शस्तं च, चशब्दौ पूरणार्थों, ‘बद्धस्पृष्टं' इति बद्धमाश्लिष्टं नवशरावे तोयवदात्मप्रदेशैरात्मीकृतमित्यर्थः, स्पृष्टं पूर्ववत्, प्राकृतशैल्या चेत्थमुपन्यासो ‘बद्धपुटुं'ति, अर्थतस्तु स्पृष्टं च बद्धं च स्पृष्टबद्धं । आह-यद्वद्धं गन्धादि तत् स्पष्टं भवत्येव, अस्पृष्टस्य बन्धायोगात्, ततश्च स्पृष्टशब्दोच्चारणंगतार्थत्वादनर्थकमिति, उच्यते, सर्वश्रोतृसाधारणत्वाच्छास्त्रारम्भस्यायमदोष इति । त्रिप्रकारश्च 10 શ્રોત્રેન્દ્રિય અન્ય ઇન્દ્રિયો કરતાં વધુ નિપુણ હોવાથી આ દ્રવ્યસમૂહનો શ્રોત્રેન્દ્રિય સાથે માત્ર સંબંધ થતાં જ શ્રોત્રેન્દ્રિય શબ્દના દ્રવ્યસમૂહને ગ્રહણ કરે છે. જયારે અન્ય પ્રાણેન્દ્રિયાદિ પોતાની સાથે વિષયનો સંબંધ થવા સાથે આત્મપ્રદેશો વડે તે વિષય આત્મસાત થાય ત્યારે જ પોતાના વિષયોને ગ્રહણ કરી શકે છે, અન્યથા નહીં. શ્રોત્રેન્દ્રિય પોતાનો વિષય (શબ્દ) આત્મપ્રદેશો વડે આત્મસાત ન થાય તો પણ સંબંધ માત્ર થતાં ગ્રહણ કરી શકે છે. આ જ એની 15 વિશેષતા છે.) જે દેખાય તે રૂ૫. ગંધાદિની જેમ સંબદ્ધ નહીં પણ અસ્પષ્ટ રૂપને ચક્ષુ જુએ છે. અહીં જુએ છે, ગ્રહણ કરે છે, બોધ કરે છે, આ ત્રણે એકાર્થક છે. મૂલગાથામાં રહેલ “તું” શબ્દ “જ”કારના અર્થમાં હોવાથી અસંબદ્ધ એવા જ રૂપને જુએ છે કારણ કે ચક્ષુ પોતે અપ્રાપ્યકારી છે. મૂલગાથામાં રહેલ “પુનઃ” શબ્દ વિશેષ અર્થને જણાવનારો છે. તે આ પ્રમાણે કે ચક્ષુ 20 અસંબદ્ધ એવા પણ યોગ્ય દેશમાં રહેલ રૂપને જુએ છે, પણ અયોગ્ય દેશમાં રહેલ દેવલોકાદિને જોતા નથી. જે સુંધાય તે ગંધ, જેનો સ્વાદ અનુભવાય તે રસ અને જે સ્પર્શાય તે સ્પર્શ. મૂળમાં આપેલા બંને “ચ' શબ્દો શ્લોકપૂર્તિ માટે જાણવા. આ ત્રણે વિષયો તે તે ઇન્દ્રિય સાથે સંબદ્ધ થયેલા અને નવા કોડિયામાં પાણીની જેમ આત્મપ્રદેશો વડે આત્મસાત થયેલા છતાં ગ્રહણ કરાય 25 છે. અહીં પ્રાકૃત શૈલીથી પ્રથમ “બદ્ધ” શબ્દ અને પછી “સ્પષ્ટ” શબ્દ ગૂંથાયેલ છે. જ્યારે અર્થ પ્રમાણે જોતા પ્રથમ “સ્પષ્ટ” અને પછી “બદ્ધ” શબ્દ જાણવો. (ભાવાર્થ – સ્પષ્ટ અને બદ્ધ એવા ગંધ, રસ અને સ્પર્શને તે તે ઇન્દ્રિયો ગ્રહણ કરે છે.) શંકા : જે વસ્તુ બદ્ધ હોય તે સ્પષ્ટ હોય જ, કારણ કે સ્પર્યા વિના તે વસ્તુ આત્મસાત્ થાય નહીં. તેથી ગંધાદિ વિષયો બદ્ધતાને પામેલા છતાં ગ્રહણ કરાય છે, આવું કહેવા દ્વારા જ 30 પૃષ્ટતા જણાઈ જતી હોવાથી પૃષ્ટ શબ્દ નિરર્થક બની જાય છે. ५७. स्पर्शाभावे बन्धाभावसत्त्वेऽपि स्पष्टत्वार्थमेतत्, घ्राणादीन्द्रियेभ्यो निपुणताख्यापनाय वा। * નાતીત. ૧-૨-૩-૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટ શબ્દ નિરર્થક નથી (નિ. ૫) श्रोतारो भवन्ति - केचिद् उद्घाटितज्ञाः केचित् मध्यमबुद्धयः, - तथाऽन्ये प्रपञ्चज्ञा इति प्रपञ्चितज्ञानां अनुग्रहाय गम्यमानस्याप्यभिधानमदोषायैव, अथवा विशेषणसमासाङ्गीकरणाददोषः, स्पृष्टं च तद्वद्धं च स्पृष्टबद्धं तत्र स्पृष्टं गन्धादि विशेष्यं, बद्धमिति च विशेषणं । आहएवमपि स्पृष्टग्रहणमतिरिच्यते, यस्माद्यद्वद्धं न तत्स्पृष्टत्वव्यभिचारि, उभयपदव्यभिचारे च विशेषणविशेष्यभावो दृष्टो यथा नीलोत्पलमिति, न चेह उभयपदव्यभिचार:, अत्रोच्यते, नैष दोष:, 5 यस्मादेकपदव्यभिचारेऽपि विशेषणविशेष्यभावो दृष्टो, यथा अब्द्रव्यं पृथिवी द्रव्यमिति, भावनाअब् द्रव्यमेव, न द्रव्यत्वं व्यभिचरति, द्रव्यं पुनरब् चानब् चेति व्यभिचारि, अथ विशेषणविशेष्यभाव इति । प्रकृतभावार्थस्त्वयम् - आलिङ्गितानन्तरमात्मप्रदेशैरागृहीतं गन्धादि बादरत्वाद् अभावुकत्वात् अल्पद्रव्यरूपत्वात् घ्राणादीनां चापटुत्वात् गृह्णाति निश्चिनोति ૩૭ સમાધાન : ના, શાસ્ત્રનો આરંભ એ સર્વ શ્રોતાઓને નજરમાં રાખી કરવામાં આવતો હોવાથી 10 અહીં પણ સ્પષ્ટ શબ્દ નિરર્થક બનતો નથી. આશય એ છે કે ત્રણ પ્રકારના શ્રોતાઓ હોય છે. ૧. ઉદ્ઘાટિતજ્ઞ (તીવ્રક્ષયોપશમવાળા), ૨. મધ્યમબુદ્ધિવાળા અને ૩. વિસ્તારરૂચિવાળા (અલ્પક્ષયોપશમવાળા). તેમાં જે અલ્પક્ષયોપશમવાળા શ્રોતાઓ હોય છે, તેઓ ઉપર ઉપકાર કરવા માટે અર્થપત્તિથી જણાઈ જતા અર્થનું પણ કથન કરવામાં કોઈ દોષ નથી. (તેથી અહીં સ્પષ્ટતા બદ્ધ શબ્દ દ્વારા જણાઈ જતી હોવા છતાં સ્પષ્ટ શબ્દનું ઉચ્ચારણ નિરર્થક નથી.) અથવા વિશેષણ સમાસ 15 સ્વીકૃત હોવાથી કોઈ દોષ નથી અર્થાત્ સૃષ્ટ એવું તે બદ્ધ તે સ્પષ્ટબદ્ધ, આ પ્રમાણે સમાસ કરવો. તેમાં સ્પષ્ટ ગંધાદિ એ વિશેષ્ય અને બદ્ધ એ તેનું વિશેષણ જાણવું. " શંકા : તમે વિશેષણ વિશેષ્યભાવ ઘટાવ્યો, પણ જ્યાં ઉભયપદ વ્યભિચાર આવતો હોય, તે સ્થાને આ વિશેષ્યવિશેષણભાવ યોગ્ય છે. જેમકે “નીલોત્પલં’ અહીં જે નીલ હોય તે બધા ઉત્પલ હોય એવું બનતું નથી. તેમજ જે ઉત્પલ હોય તે બધા નીલ જ હોય એવું પણ બનતું નથી. તેથી અહીં 20 ઉભયપદ વ્યભિચાર હોવાથી ‘નીલ (શ્યામ) એવું ઉત્પલ’ એ પ્રમાણે વિશેષણવિશેષ્યભાવ ઘટે છે. જ્યારે સૃષ્ટબદ્ધમાં ઉભયપદવ્યભિચાર નથી, કારણ કે જે સ્પષ્ટ હોય તે બદ્ધ હોય એવું ન પણ બને, જે છતાં જે બદ્ધ હોય તે સ્પષ્ટત્વને વ્યભિચારી નથી અર્થાત્ જે બદ્ધ હોય તે સ્પષ્ટ હોવાનું જ છે. તેથી અહીં એકપદ વ્યભિચાર છે, પણ ઉભયપદ વ્યભિચાર નથી. તેથી વિશેષણવિશેષ્યભાવ અહીં યોગ્ય નથી અને એટલે સ્પષ્ટપદ વધારાનું જ છે. સમાધાન : તમારી વાત યુક્તિયુક્ત નથી, કારણ કે એકપદ વ્યભિચારમાં પણ આ ભાવ દેખાયેલો છે. જેમ કે અદ્રવ્ય, પૃથિવીદ્રવ્ય. અહીં જે અપ્ (પાણી) હોય તે દ્રવ્ય હોય જ, પણ જે દ્રવ્ય હોય તે અરૂપ કે અનરૂપ (પાણી સિવાય અન્ય રૂપે) પણ હોય છે. આમ અહીં એકપદ વ્યભિચાર હોવા છતાં “અર્પી એવું જે દ્રવ્ય” આ પ્રમાણે વિશેષણવિશેષ્યભાવ છે. (અહીં અપ્ વિશેષ્ય છે અને દ્રવ્ય એ વિશેષણ છે) એમ અહીં પણ આ ભાવ યુક્તિયુક્ત છે. 30 ભાવાર્થ : ગંધાદિ દ્રવ્યો બાદર, અભાવુક અને અલ્પ હોવાથી તથા ઘ્રાણેન્દ્રિયાદિ અનિપુણ હોવાથી તે તે ઇન્દ્રિયો સાથે ગંધાદિ દ્રવ્યોનો સ્પર્શ થયા પછી આત્મપ્રદેશો વડે આત્મસાત્ કરાયા પછી * વા. + વેતિ. ૧૮. શ્રોત્રાપેક્ષયાન્વિ 25 Page #61 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) घ्राणेन्द्रियादिगण इत्येवं व्यागृणीयात् प्रतिपादयेदितियावत् । आह-भवतोक्तं योग्यदेशावस्थितमेव रूपं पश्यति, न पुनरयोग्यदेशावस्थितमिति, तत्र कियान् पुनश्चक्षुषो योग्यविषयः ?, किँतो वा देशादागतं श्रोत्रादि शब्दादि गृह्णातीति, उच्यते श्रोत्रं तावच्छब्दं जघन्यतः खल्वङ्गुलासंख्येयमात्राद्देशात्, उत्कृष्टतस्तु द्वादशभ्यो योजनेभ्य इति चक्षुरिन्द्रियमपि रूपं 5 जघन्येनाङ्गुलसंख्येयभागमात्रावस्थितं पश्यति, उत्कृष्टतस्तु योजन- शतसहस्त्राभ्यधिकव्यवस्थितं इति, घ्राणरसनस्पर्शनानि तु जघन्येनाङ्गुलासंख्येयभागमात्राद्देशादागतं गन्धादिकं ग्रह्णन्ति, उत्कृष्टतस्तु नवभ्यो योजनेभ्य इति । आत्माङ्गुलनिष्पन्नं चेह योजनं ग्राह्यमिति । आह-उक्तप्रमाणं विषयमुल्लङ्घय कस्माच्चक्षुरादीनि रूपादिकमर्थं न गृह्णन्तीति, उच्यते, सामर्थ्याभावात्, द्वादशभ्यो नवभ्यश्च योजनेभ्यः परतः समागतानां शब्दादिद्रव्याणां तथाविधपरिणामाभावच्च, मनसस्तु न क्षेत्रो 10 विषयपरिमणमस्ति, पुद्गलमात्रनिबन्धनाभावात्, इह यत् पुद्गलमात्रनिबन्ध नियतं न भवति, न જ ગંધાદિદ્રવ્યોને ઘ્રાણેન્દ્રિયાદિ ગ્રહણ કરે છે. (એમ પ્રજ્ઞાપક ગુરુ શિષ્યોને) પ્રતિપાદન કરે. શંકા ઃ તમારાવડે કહેવાયું કે ચક્ષુ યોગ્ય દેશમાં રહેલ રૂપને ગ્રહણ કરે છે, પણ અયોગ્ય દેશમાં રહેલ રૂપને નહીં. તો ચક્ષુનો યોગ્ય વિષય કેટલો ? અથવા કેટલા દૂરના દેશમાંથી આવેલ શબ્દાદિને શ્રોત્રાદિ ગ્રહણ કરે છે ? ૩૮ 15 સમાધાન : શ્રોત્રેન્દ્રિય જઘન્યથી અંગુલના અસંખ્યાતમાત્ર દૂરના દેશથી આવેલ શબ્દને અને ઉત્કૃષ્ટથી બાર યોજન દૂરથી આવેલ શબ્દને ગ્રહણ કરે છે. ચક્ષુ પણ જઘન્યથી અંગુલના અસંખ્યાતભાગ માત્ર દૂર દેશમાં અવસ્થિત રૂપને અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક એક લાખ યોજન દૂર રહેલ રૂપને જુએ છે. ઘ્રાણેન્દ્રિયાદિ ત્રિક જઘન્યથી અંગુલાસંખ્યાતભાગ માત્ર દૂરથી અને ઉત્કૃષ્ટથી નવયોજન દૂરથી આવેલ ગંધાદિકને ગ્રહણ કરે છે. અહીં આત્માંગુલથી બનેલું યોજન 20 ગ્રહણ કરવું. શંકા : બતાવેલ પ્રમાણથી અધિક દૂરથી આવેલ રૂપાદિને ચક્ષુ વગેરે કેમ ગ્રહણ કરતા નથી ? સમાધાન :– પ્રમાણાધિક દૂરથી આવેલ રૂપાદિને ગ્રહણ કરવામાં ઇન્દ્રિયોનું સામર્થ્ય નથી અને બારયોજન દૂરથી આવેલ શબ્દદ્રવ્યોનો તથા નવયોજન દૂરથી આવેલ ગંધાદિ દ્રવ્યોનો તેવા 25 પ્રકારનો પરિણામ પણ રહેતો નથી. (અર્થાત્ પ્રમાણને ઓળંગ્યા પછી તે શબ્દાદિ પુદ્ગલો તથાસ્વભાવથી જ એવા મંદ પરિણામવાળા થાય છે કે જેથી સ્વવિષયક શ્રોત્રાદિ વિજ્ઞાન ઉત્પન્ન કરાવવામાં સમર્થ બનતા નથી.) મનનું ક્ષેત્રથી વિષય પરિમાણ નથી, કારણ કે મનના વિષય માત્ર પુદ્ગલો બનતા નથી (પણ બધું જ બને છે) 30 જે પુદ્ગલમાત્રના વિષયને નિયત હોય તેનું વિષય પરિમાણ હોય છે. (અર્થાત્ વિષયભૂત ५९. पुनः शब्देन विशेषितेऽस्पृष्टत्वे या भणितिस्तदपेक्षया प्राक् प्रश्नः, समग्रगाथापेक्षया विषयक्षेत्रपरिमाणज्ञानार्थश्च द्वितीय इति । ६०. सर्वेन्द्रियापेक्षया । ६१. प्राप्यकारीन्द्रियचतुष्कापेक्षया । ६२. क्षेत्रेति । ૬૩. વિષયતિ । Page #62 -------------------------------------------------------------------------- ________________ ચહ્યું અને મનનું અપ્રાપ્તકારીપણું (નિ. ૫) : ૩૯ तस्य विषयपरिमाणमस्ति, यथा केवलज्ञानस्य, यस्य च विषयपरिमाणमस्ति, तत्पुद्गलमात्रनिबन्धनियतं दृष्टं, यथाऽवधिज्ञानं मन:पर्यायज्ञानं वेति गाथासमासार्थः ॥ साम्प्रतं यदुक्तमासीत यथा “नयनमनसोरप्राप्तकारित्वं 'पुठं सुणेइ सदं' इत्यत्र वक्ष्यामः", तदुच्यते, नयनं योग्यदेशावस्थिताप्राप्तविषयपरिच्छेदकं, प्राप्तिनिबन्धनतत्कृतानुग्रहोपघातशून्यत्वात्, मनोवत्, स्पर्शनेन्द्रियं विपक्ष इति । आह-जलघृतवनस्पत्यालोकनेष्वनुग्रहसद्भावात् सूर्याद्यालोकनेषु 5 चोपघातसद्भावात् असिद्धो हेतुः, मनसोऽपि प्राप्तविषयपरिच्छेदकत्वात्साध्यविकलो दृष्टान्तः, પુદ્ગલના આધારે જ બોધ કરાવે એવું જેના માટે નિયત હોય તે પુદ્ગલમાત્રના નિબંધનને નિયત કહેવાય અને તેનું જ વિષયપરિમાણ હોય) જે આવું નથી હોતું તેનું વિષયપરિમાણ પણ હોતું નથી. જેમ કે કેવલજ્ઞાન. જેમનું વિષયપરિમાણ હોય તે પુદ્ગલમાત્રના નિબંધનને નિયત પણ હોય છે. જેમકે અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન, (ભાવાર્થ-અવધિ વગેરેનું ચોક્કસ વિષયપરિમાણ છે, તો તે પુગલમાત્ર 10 નિબંધનને નિયત પણ છે.) જયારે મને ચોક્કસ વિષયોને જ ગ્રહણ કરે એવું નથી. પૂ ટીકાકારે કહ્યું હતું કે ચક્ષુ અને મનનું અપ્રાપ્તકારિપણું “પુૐ સુરૂ સદ્” ગાથામાં આગળ બતાવીશું, તે હવે બતાવે છે. (ઇન્દ્રિય વિષયનો બોધ કરે છે, તો તે પ્રાપ્તવિષયનો બોધ કરે છે કે અપ્રાપ્ત વિયનો બોધ કરે છે ? તે જાણવાનું ચિહ્ન એ છે કે, જો વિષય દ્વારા તે ઇન્દ્રિય ઉપર અનુગ્રહ (ઉપકાર) થયો હોય કે નુકસાન થયું હોય તો એમ કહેવાય કે તે વિષય ઇન્દ્રિયને પ્રાપ્ત થયો છે અર્થાત્ તે વિષયને !5 , ઇન્દ્રિય સાથે સંબંધ થયું છે એટલે કે તે ઈન્દ્રિય પ્રાપ્યકારી છે. પરંતુ વિષય દ્વારા ઈન્દ્રિય ઉપર કોઈ અનુગ્રહ કે ઉપઘાત થયો ન હોય અને તે ઇન્દ્રિય વિષયનો બોધ કરતી હોય તો તે ઇન્દ્રિય અપ્રાપ્યકારી કહેવાય છે. માટે નક્કી એ થયું કે વિષયવડે કરાયેલ અનુગ્રહ કે ઉપઘાત એ વિષયની પ્રાપ્તિનું જ્ઞાપક છે.) પ્રસ્તુતમાં ચક્ષુ ઉપર વિષયકૃત અનુગ્રહ કે ઉપધાત થતો ન હોવાથી ચક્ષુ યોગ્ય દેશમાં અવસ્થિત વિષયને પ્રાપ્ત કર્યા વિના બોધ કરનાર છે. (અર્થાત્ ચક્ષુ અપ્રાપ્યકારી છે.) દષ્ટાંત તરીકે 20 જેમ મન વિષયને પ્રાપ્ત કર્યા વિના બોધ કરે છે, તેમ ચક્ષુ માટે પણ જાણવું. અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે જાણવો. પક્ષ-ચક્ષુ, સાધ્ય યોગ્યદેશાવસ્થિત એવા અપ્રાપ્ત વિષયનો પરિચ્છેદક છે. હેતુ=“પ્રાપ્તિના કારણભૂત વિષયકૃત અનુગ્રહ કે ઉપઘાતથી શૂન્ય હોવાથી” દૃષ્ટાંત=જેમ કે મન, વિપક્ષ તરીકે સ્પર્શેન્દ્રિય છે. વિપક્ષ એટલે જે નિશ્ચિત સાધ્યના અભાવવાળો હોય. અહીં સાધ્ય તરીકે “યોગ્ય દેશમાં રહેલ એવા અપ્રાપ્ત વિષયનો બોધ કરનારપણું', તેનો અભાવ સ્પર્શેન્દ્રિયમાં 25 છે, કારણ કે વિષયકૃત ઉપઘાત કે અનુગ્રહ થતો હોવાથી સ્પર્શેન્દ્રિય પ્રાપ્ત વિષયનો બોધ કરનારી છે. આમ, સ્પર્શેન્દ્રિયમાં સાધ્યાભાવ હોવાથી તે વિપક્ષ કહેવાય છે.) શંકાઃ પાણી, ઘી, વનસ્પતિ વગેરેને જોતા આંખોમાં ઠંડકરૂપ અનુગ્રહ અને સૂર્યાદિને જોતા નુકસાન થતું હોવાથી ચક્ષુમાં વિષયકૃત અનુગ્રહ કે ઉપઘાતની શૂન્યતારૂપ હેતુ સિદ્ધ થતો નથી (અર્થાત્ વિષયકૃત અનુગ્રહ–ઉપઘાત થાય જ છે) વળી વ્યક્તિ જ્યારે કંઈક વિચારતી હોય છે, ત્યારે 30 + નિવચન. ૧-૨-૩-૪ ! Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तथा च लोके वक्तारो भवन्ति-"अमुत्र मे गतं मनः" इति, अत्रोच्यते, प्राप्तिनिबन्धनाख्यहेतुविशेषणार्थनिराकृतत्वाद् अस्याक्षेपस्येत्यदोषः । किं च-यदि हि प्राप्तिनिबन्धनौ विषयकृतावनुग्रहोपघातौ स्यातां, एवं तर्हि अग्निशूलैंजलाद्यालोकनेषु दाहभेदॆक्लेदादयः स्युरिति । किं च-प्राप्तविषयपरिच्छेदकत्वे सति अक्षिअञ्जनमलशलाकादिकमपि गृह्णीयात् । आह-नायना 5 मरीचयो निर्गत्य तमर्थं गृह्णन्ति, ततश्च तेषां तैजसत्वात् सूक्ष्मत्वाच्चानलादिसंपर्के सत्यपि दाहाद्यभाव इति, अत्रोच्यते, प्राक् प्रतिज्ञातयोरनुग्रहोपघातयोरप्यभावप्रसङ्गाद् अयुक्तमेतत्, तदस्तित्वस्य उपपत्त्या ग्रहीतुमशक्यत्वाच्च । व्यवहितार्थानुपलब्ध्या तदस्तित्वावसाय इति મારું મન અમુક સ્થળે ગયું છે,” એવું બોલનાર લોક જગતમાં વિદ્યમાન છે. તેથી મન પણ પ્રાપ્ત વિષયનો જ બોધ કરનાર હોવાથી દષ્ટાંતમાં પણ સાધ્ય ઘટતું નથી. સમાધાન : “પ્રાપ્તિનિબન્ધનતત્કતાનુગ્રહોપઘાતશૂન્યતાતુ” ઉપર જણાવેલ આ હેતુમાં 'પ્રાપ્તિનિબંધન નામનું વિશેષણ છે, તેના અર્થ દ્વારા જ ઉપરોક્ત શંકાનું ખંડન થઈ જાય છે. આશય એ છે કે પાણી, સૂર્યાદિ પદાર્થો પ્રાપ્ત થયેલા છતાં જ ચક્ષુને અનુગ્રહ કે ઉપઘાત કરે છે એવું નથી, પરંતુ તે જલ, વનસ્પતિ, સૂર્યાદિનું સ્વરૂપ જ એવું છે કે ચક્ષુ વડે વિષય તરીકે પ્રાપ્ત થયા વિના પણ તેવા પ્રકારના પુદ્ગલ પરિણામનો સદ્ભાવ હોવાથી ચક્ષુને અનુગ્રહ કે ઉપઘાત ઉત્પન્ન કરે છે. વળી, જો વિષય દ્વારા કરાયેલ અનુગ્રહ અને ઉપઘાત વિષય પ્રાપ્ત થયા પછી જ થતાં હોત (અર્થાત્ વિષય પ્રાપ્ત થયા વિના ન જ થતાં હોત) (અહીં “પ્રાપ્તિ છે કારણ જેનું એવા અનુગ્રહઉપધાત” એ પ્રમાણે અર્થ કરવો) તો અગ્નિ, શૂલ, પાણી વગેરેને જોતાં ક્રમશઃ દાહ, ભેદ, ક્લેદ (ભીનાશ) વગેરે થાત, પણ થતાં નથી (અર્થાત્ અગ્નિને જોવાથી જ દાઝી જવાય, કાંટો જોવાથી જ વાગી જાય વગેરે થતાં નથી.) તથા જો નયન પ્રાપ્તવિષયનો બોધ કરનાર હોત તો આંખમાં લગાડેલ 20 અંજન, આંખમાં રહેલ મેલ તથા આંખમાં અંજનાદિ લગાડવા વપરાયેલ શલાકા વગેરે પણ આંખની સાથે સંબંધને પામેલા હોવાથી આંખો અંજન, મેલાદિનો પણ બોધ કરત, પણ આંખો અંજનાદિનો બોધ કરતી નથી. તેથી નક્કી થાય છે કે આંખો વિષયને પ્રાપ્ત કર્યા વિના બોધ કરનારી છે. શંકા : અગ્નિ વગેરેને જોયા પછી પણ આંખોમાં દાતાદિ થતાં નથી. તેનું કારણ એ છે કે આંખોમાંથી કિરણો બહાર નીકળી તે તે અર્થોને ગ્રહણ કરે છે અર્થાત બોધ કરે છે. તે કિરણો તૈજસ 25 અને સૂક્ષ્મ હોવાથી કિરણો સાથે અગ્નિ વગેરેનો સંપર્ક થવા છતાં દાદાદિ થતાં નથી. સમાધાન : જો આ રીતે આંખોમાંથી કિરણો નીકળવાની વાત કરશો તો તો પૂર્વે તમે કહ્યું કે પાણી, ઘી, વનસ્પતિ વગેરે જોતાં અનુગ્રહ અને સૂર્યાદિને જોતાં ઉપઘાત થાય છે, એ વાત યુક્તિસંગત ઠરશે નહીં, કારણ કે કિરણો પોતે સૂક્ષ્મ હોવાથી કિરણો સાથે તે તે પદાર્થોનો સંપર્ક થવા છતાં પણ અનુગ્રહ–ઉપઘાત થશે નહીં અને બીજી વાત એ કે આંખોમાંથી નીકળતા કિરણોનું ६४. विप्रकृष्ट कस्मिंश्चिन्निर्दिश्यमाने स्थले इति । ६५. नयनमरीचीनामेव निर्गमात् चक्षुषश्चानिर्गमात् । ६६. सुवर्णादीनां भेदादिभावात् तैजसत्वेऽपि आह-सूक्ष्मत्वाच्चेति । ६७. शूलजलादिः । ६८. प्राप्तिनिबन्धनेत्यादिहेतोरसिद्धतोद्भावने । ६९. नायनमरीचीनां । ७०. अयुक्तमेतदिति संटङ्कः । * जलशूला। * સ્નેમેવા Page #64 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુકિરણોના અસ્તિત્વનું નિરાકરણ (નિ. ૫) ૪૧ चेत्, न, तत्रापि तदुपलब्धौ क्षयोपशमाभावात् व्यवहितार्थानुपलब्धिसिद्धेः, आगममात्रमेवैतत् इति चेत्, न, युक्तिरप्यस्ति, आवरणाभावेऽपि परमाण्वादौ दर्शनाभावः, स च तद्विधक्षयोपशमकृतः, यच्चोक्तं-'साध्यविकलो दृष्टान्त' इति, तदप्ययुक्तं, ज्ञेयमनसोः संपर्काभावात्, अन्यथा हि सलिलकर्पूरादिचिन्तनादनुगृह्येत, वह्निशस्त्रादिचिन्तनाच्चोपहन्येत्, न चानुगृह्यते उपहन्यते वेति। आह-मनसोऽनिष्टविषयचिन्तनातिशोकात् दौर्बल्यं आर्त्तध्यानादुरोऽभिघातश्च 5 उपलभ्यते. तथेविषयचिन्तनात्प्रमोदः. तस्मात्प्राप्तकारिता तस्येति, एतदप्ययक्तं. द्रव्यमनसा અસ્તિત્વ યુક્તિથી ગ્રહણ કરવું શક્ય નથી. તેથી ઉપરોક્ત શંકા યોગ્ય નથી. શંકા:- વ્યવહિત અર્થની ઉપલબ્ધિ થતી નથી, એ જ યુક્તિ ચક્ષુકિરણોનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. કહેવાનો આશય એ છે કે પડદા વગેરેની પાછળ પડેલી વસ્તુ એ વ્યવહિત કહેવાય છે. જેમકે, દિવાલની પાછળ ઘટ પડ્યો હોય તો તે ઘટ દિવાલથી વ્યવહિત (અંતરિત) કહેવાય છે. આવા 10 અર્થની ઉપલબ્ધિ (બોધ) થતી ન હોવાથી માનવું પડે કે તે દિવાલ ચક્ષુમાંથી નીકળેલા કિરણો માટે પ્રતિબંધક બનતી હોવાથી દિવાલની પાછળ રહેલ ઘટાદિની સાથે કિરણોનો સંપર્ક ન થવાથી ઘટાદિનો ચક્ષુવડે બોધ થતો નથી માટે કિરણોનું અસ્તિત્વ તો છે જ.) સમાધાન - તમારી વાત તદ્દન ખોટી છે, કારણ કે વ્યવહિત અર્થની ઉપલબ્ધિમાં જરૂરી તેવા પ્રકારનો ક્ષયોપશમ નથી, તેથી જ વ્યવહિત અર્થની ઉપલબ્ધિ થતી નથી. આમ, ક્ષયોપશમના 15 અભાવથી જ વ્યવહિત અર્થની અનુપલબ્ધિ સિદ્ધ થઈ જવાથી અન્ય (કિરણોના અસ્તિત્વ વિગેરેની) કલ્પનાઓ કરવી નિરર્થક છે. શંકા – “તેવા પ્રકારનો ક્ષયોપશમ કારણ છે” એ વાત માત્ર આગમમાત્ર=શ્રદ્ધેય જ છે. કોઈ યુક્તિ તો છે જ નહીં. સમાધાન – આ વાત માત્ર શ્રદ્ધેય જ છે, એવું નથી. તેમાં યુક્તિ પણ છે. પરમાણુ ઉપર 20 કોઈપણ જાતનું આવરણ ન હોવા છતાં પરમાણુનું દર્શન આપણને થતું નથી. તેનું કારણ આ ક્ષયોપશમનો અભાવ છે. (તેથી પરમાણુ એ વ્યવહિત (કોઈ વસ્તુથી અંતરિત) ન હોવા છતાં તેની અનુપલબ્ધિ એ બીજી કોઈ રીતે ઘટી શકતી ન હોવાથી કારણ તરીકે ક્ષયોપશમનો અભાવ માનવો એ યુક્તિયુક્ત છે.) વળી તમે જે કહ્યું હતું કે “મન પણ પ્રાપ્ત વિષયનો પરિચ્છેદક હોવાથી સાધ્ય દષ્ટાંતમાં ઘટતું નથી” એ વાત પણ અયુક્ત છે, કારણ કે શેય અને મનનો સંપર્ક થતો નથી. અન્યથા 25 મન જયારે પાણી કપૂરાદિનું ચિંતન કરે ત્યારે મન ઉપર અનુગ્રહ થવો જોઈએ અને વલિ, શસ્ત્રાદિનું ચિંતન કરે ત્યારે મનને દાદાદિ થવા જોઈએ, પણ આવું થતું દેખાતું નથી. માટે મન પણ અપ્રાપ્ત વિષયનો પરિચ્છેદક છે. શંકા :- પરંતુ મને જયારે કોઈ અનિષ્ટ વિષયનું ચિંતન કરે છે, ત્યારે અતિશોક ઉત્પન્ન થતાં (શરીરની) દુર્બળતા અને આર્તધ્યાનથી છાતી કૂટવા વગેરે થાય તો છે જ. તથા ઇષ્ટ વિષયના 30 ચિંતનથી આનંદ ઉત્પન્ન થતો દેખાય છે. માટે મન પ્રાપ્તકારી છે. + ગમેતન્. *તિ. -૨- ર્તિ ૪૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કિ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) अनिष्टेष्ट-पुद्गलोपचयलक्षणेन सकर्मकस्य जन्तोरनिष्टेष्टाहारेणेवोपघातानुग्रहकरणात्कथं प्राप्तविषयतेति । किं च-द्रव्यमनो वा बहिः निऽस्सरेत्, मन:परिणामपरिणतं जीवाख्यं भावमनो वा ?, न तावद्भावमनः, तस्य शरीरमात्रत्वात्, सर्वगतत्वे च नित्यत्वात् बन्धमोक्षाद्यभावप्रसङ्गः। अथ द्रव्यमनः, तदप्ययुक्तं, यस्मानिर्गतमपि सत् अकिञ्चित्करं तत्, अज्ञत्वात्, उपलवत् । आहकरणत्वाद्रव्यमनसस्तेन प्रदीपेनेव प्रकाशितमर्थमात्मा गृह्णातीत्युच्यते, न, यस्मात् शरीरस्थेनैवानेन जानीते, न बहिर्गतेन, अन्तःकरणत्वात्, ईंह यदात्मनोऽन्तःकरणं स तेन शरीरस्थेनैव उपलभते, સમાધાન :- આ વાત યુક્ત નથી, કારણ કે અનિષ્ટ અને ઇષ્ટ પુદ્ગલોના ઉપચયરૂપ દ્રવ્યમન વડે સકર્મક જંતુને અનિષ્ટ-ઇષ્ટ આહારની જેમ ઉપઘાત–અનુગ્રહ થાય છે. (આશય એ છે કે જેમ ખવાયેલો ઇચ્છિત આહાર શરીરની પુષ્ટિ કરે છે અને અનિષ્ટ આહાર શરીરની હાનિ કરે 10 છે, તેમ જયારે જીવ અનિષ્ટ ચિંતન કરે છે ત્યારે મનોવર્ગણાના અનિષ્ટપુદ્ગલોને ગ્રહણ કરે છે. એ અનિષ્ટપુદ્ગલોથી ઉપચિત=મનરૂપે પરિણમેલ અનિષ્ટપુદ્ગલાત્મક તે દ્રવ્યમન અતિશોકથી શરીરની દુર્બળતા ઉત્પન્ન કરે છે અને ઇષ્ટ પુદ્ગલથી ઉપચિત મન હર્ષ–પ્રમોદ વડે શરીરની પુષ્ટિ કરે છે. આમ મનોવર્ગણાના પુદ્ગલોથી પુષ્ટિ-હાનિ થાય છે, વિષયથી નહીં.) તેથી વિષયકૃત અનુગ્રહ–ઉપઘાત મનને થતાં ન હોવાથી મન પ્રાપ્તકારી કેવી રીતે કહેવાય? 15 વળી પૂર્વે તમે કહ્યું કે “અમુત્ર મે ગત મનઃ” ત્યાં પ્રથમ અમે તમને પૂછીએ કે, દ્રવ્યમાન બહાર નીકળે છે કે મનના પરિણામમાં પરિણત એવું જીવ નામનું ભાવમન બહાર નીકળે છે ? તેમાં ભાવમન તો જીવરૂપ છે. તે શરીરમાત્રમાં રહેલું હોવાથી બહાર નીકળતું નથી અને જો “શરીરમાત્રમાં વ્યાપીને રહેલું છે” એવું ન માની જીવરૂપ ભાવમનને સર્વગત=સર્વવ્યાપી માનશો તો નિત્ય થવાથી જીવને કર્મબંધ, મોક્ષાદિ ઘટશે નહીં. કારણ કે જેમ આકાશ એ સર્વવ્યાપી છે અને નિત્ય છે, તેમ જીવને 20 પણ જો સર્વવ્યાપી માનશો તો નિત્ય થશે, તેથી “અનુત્પન્ન-વિનસ્થિરે નિત્યં” આવું વચન હોવાથી જીવનો સ્થિર એક સ્વભાવ માનવો પડે, તેથી જીવમાં કર્મબંધકત્વ, મુક્તત્વરૂપ જુદા જુદા સ્વભાવો ઘટે નહીં. તેથી કર્મબંધાદિનો અભાવ થાય.) વળી હવે જો તમે દ્રવ્યન બહાર નીકળે છે, એમ કહો તો તે પણ ઘટતું નથી, કારણ કે પથરાની જેમ તે અજ્ઞ હોવાથી બહાર નીકળવા છતાં નકામું બની જાય છે. (અર્થાત કંઈ જ્ઞાન કરી 25 શકશે નહીં.) શંકા :- દ્રવ્યમન કરણ હોવાથી પ્રદીપ વડે જેમ પ્રકાશિત અર્થને આત્મા ગ્રહણ કરે છે, તેમ દ્રવ્યમાન વડે અર્થને આત્મા ગ્રહણ કરે છે. (આથી એ નિયમ સિદ્ધ થાય છે કે –કરણભૂત એવું દ્રવ્યમને બહાર નીકળે છે અને બહાર નીકળીને આત્માને બોધ કરાવે છે.) સમાધાન - ના, પોતે અંતઃકરણ હોવાથી શરીરમાં રહેલું છતું જ બોધ કરાવે છે, પણ બહાર 30 નીકળીને નહીં, કારણ કે જે આત્માનું અંતઃકરણ=(અંદરનું કરણ) હોય તે શરીરસ્થ જ બોધ કરાવે ___७१. शरीरप्रमाणत्वात् विहाय तन्न तदवस्थानमित्वर्थः । ७२. आकाशादिवत् । ७३. यमनियमोછેદ્રપ્રસઃ / ૭૪. દ્રવ્યમનસા I + પ્રાપ્તિ પ-૬ : અરે પ-૬ . * નાસ્તિતY -૬ / Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રોત્રેન્દ્રિય દ્વારા મિશ્ર અથવા વાસિત દ્રવ્યોનું ગ્રહણ (નિ. ૬) यथा स्पर्शनेन, प्रदीपस्तु नान्तःकरणमात्मनः, तस्माद् दृष्टान्त - दान्तिकयोर्वैषम्यमित्यलं विस्तरेण, प्रकृतं प्रस्तुम इति गाथार्थः ॥५॥ किं च प्रकृतं ? स्पृष्टं श्रृणोति शब्दमित्यादि, अत्र किं शब्दप्रयोगोत्सृष्टान्येव केवलानि शब्दद्रव्याणि गृह्णाति ? उत अन्यान्येव तद्भावितानि ? आहोस्विन्मिश्राणि इति चोदकाभिप्रायमाशङ्क्य [ आह—- ] न तावत्केवलानि तेषां वासकत्वात्, तद्योग्यद्रव्याकुलत्वाच्च लोकस्य, 5 किन्तु मिश्राणि तद्वासितानि वा गृह्णाति इत्यमुमर्थमभिधित्सुराह भासासमसेढीओ, सद्दं जं सुणइ मीसयं सुणई । वीसेढी पुण सद्दं, नियमा पराधाए ॥६॥ व्याख्या - भाष्यत इति भाषा, वक्त्रा शब्दतयोत्सृज्यमाना द्रव्यसंहतिरित्यर्थः, तस्याः समश्रेणयो भाषासमश्रेणयः, समग्रहणं विश्रेणिव्युदासार्थं, इह श्रेणयः क्षेत्र प्रदेशपङ्क्तयो - 10 ऽभिधीयन्ते, तांश्च सर्वस्यैव भाषमाणस्य षट्सु दिक्षु विद्यन्ते, यासूत्सृष्टा सती भाषाऽऽद्यसमय एवलोकान्तमनुधावतीति, ता इतो भाषासम श्रेणीतः, इतो गतः प्राप्तः स्थित इत्यनर्थान्तरम्, છે જેમકે સ્પર્શનેન્દ્રિય. જ્યારે પ્રદીપ એ અંતઃકરણ નથી, તેથી પ્રદીપની સાથે મનની સરખામણી થઈ શકે નહીં. (કારણ કે મન એ અંતઃકરણ છે) માટે દૃષ્ટાન્ત અને દાર્પાન્તિકની વિષમતા છે. તેથી તમારી શંકા યોગ્ય નથી. વધુ વિસ્તારથી સર્યું. પ્રસ્તુત વાત ઉપર આવીએ. ॥૫॥ અવતરણિકા : પ્રસ્તુત વસ્તુ શું છે ?તો કે “શ્રોત્રેન્દ્રિય સ્પષ્ટ શબ્દદ્રવ્યોને સાંભળે છે” વિગેરે પ્રસ્તુત વાત ચાલી રહી છે. તેમાં બોલતી વખતે નીકળેલા (ભાષાવર્ગણાના) શબ્દો રૂપે પરિણત થયેલા શબ્દદ્રવ્યોને જીવ ગ્રહણ કરે છે ? કે તેનાથી ભાવિત અન્ય દ્રવ્યોને કે પછી મિશ્રદ્રવ્યોને ગ્રહણ કરે છે ? ૪૩ 15 સમાધાન : બોલતી વખતે નીકળેલા શબ્દદ્રવ્યો પોતે વાસક છે અને પોતે જેને વાસિત કરી 20 શકે તેવી યોગ્યતાવાળા દ્રવ્યોથી આ સંપૂર્ણ લોક પૂર્ણ છે. તેથી બોલતી વખતે નીકળેલા દ્રવ્યો નીકળતાની સાથે યોગ્ય દ્રવ્યોને વાસિત કરી દે છે. તેથી સાંભળનાર વ્યક્તિ પાસે મિશ્રદ્રવ્યો પહોંચતા હોવાથી અથવા વાસિત દ્રવ્યો પહોંચતા હોવાથી મિશ્ર અથવા તદ્વાસિત દ્રવ્યોને જીવ ગ્રહણ કરે છે. આ વાતને કહેવાનીઇચ્છાવાળા સૂત્રકાર ગાથાવડે બતાવે છે ગાથાર્થ : ભાષાની સમશ્રેણીમાં રહેલી વ્યક્તિ જે શબ્દને સાંભળે છે, તે મિશ્ર શબ્દને સાંભળે 25 છે તથા વિશ્રેણિમાં રહેલી વ્યક્તિ નિયમથી વાસિત શબ્દવ્યોને સાંભળે છે. ટીકાર્થ : જે બોલાય તે ભાષા અર્થાત્ વક્તાવડે શબ્દ તરીકે બહાર નીકાળાતો દ્રવ્યસમૂહ. તેની સમશ્રેણી તે ભાષાસમશ્રેણી કહેવાય છે. અહીં સમશ્રેણી જે કહી તે વિષમશ્રેણીનો નિષેધ કરવા માટે કહી છે. આકાશપ્રદેશની પંક્તિઓ એ શ્રેણી કહેવાય છે અને તે શ્રેણીઓ બોલના૨ સર્વ વ્યક્તિની છએ દિશાઓમાં હોય છે કે જે શ્રેણીઓમાં છોડાયેલી (બોલાયેલી) ભાષા પ્રથમ સમયે જ 30 લોકાન્ત સુધી જાય છે. તે સમશ્રેણીમાં રહેલી વ્યક્તિ ભાષા તરીકે પરિણત થયેલ જે પુરૂષ—ઘોડાદિના ७५. भाषावर्गणाद्रव्येति । Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ત આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एतदुक्तं भवति-भाषासमश्रेणिव्यवस्थित इति । शब्द्यतेऽनेनेति शब्दः-भाषात्वेन परिणतः पुद्गलराशिस्तं शब्दं 'यं' पुरुषाश्वादिसंबन्धिनं श्रृणोति गृह्णात्युपलभत इति पर्यायाः, यत्तदोनित्यसंबन्धात्तं मिश्रं श्रृणोति, एतदुक्तं भवति-व्युत्सृष्टद्रव्यभावितापान्तरालस्थशब्दद्रव्यमिश्रमिति । विश्रेणिं पुनः इत इति वर्त्तते, ततश्चायमर्थो भवति-विश्रेणिव्यवस्थितः पुनः श्रोता 'शब्दं' 5 इति, पुनः शब्दग्रहणं पराघातवासितद्रव्याणामपि तथाविधशब्दपरिणामख्यापनार्थं, श्रृणोति 'नियमात्' नियमेन पराघाते सति यानि शब्दद्रव्याणि उत्सृष्टाभिघातवासितानि तान्येव, न पुनरुत्सृष्टानीति भावार्थः । कुतः ? - तेषामनुश्रेणिगमनात् प्रतीघाताभावाच्च, अथवा विश्रेणिस्थित एव विश्रेणिरभिधीयते, पदैपि पदावयवप्रयोगदर्शनात् 'भीमसेनः सेनः सत्यभामा મામા' કૃતિમાથાર્થ: Hદ્દા 10 પુદ્ગલરાશિરૂપ શબ્દને ગ્રહણ કરે છે–વદ્ અને તંદુ શબ્દનો નિત્યસંબંધ હોવાથી તે પુગલરાશિ મિશ્ર હોય છે અર્થાતુ બોલતી વખતે નીકળેલા શબ્દદ્રવ્યો તથા તેનાથી ભાવિત થયેલા મધ્યવર્તી શબ્દદ્રવ્યો એમ મિશ્રદ્રવ્યોને સાંભળે છે. તથા વિશ્રેણીને પામેલો, અહીં પણ ઈતઃ પદ લેવાનું છે. તેથી અર્થ આ પ્રમાણે જાણવો કે વિશ્રેણીમાં રહેલો શ્રોતા શબ્દને–અહીં ફરીથી શબ્દનું જે ગ્રહણ કર્યું છે, તે નીકળેલા દ્રવ્યો જેવા જ વાસિત દ્રવ્યો હોય છે, તે જણાવવા માટે ગ્રહણ કર્યું છે. એવા તે 15 શબ્દનેકનીકળેલા દ્રવ્યોના પરાઘાતથી વાસિત થયેલા દ્રવ્યોને જ સાંભળે છે, પણ નીકળેલા દ્રવ્યોને નહીં. (અહીં ‘પરાઘાતવાસિતદ્રવ્યો’ શબ્દનો અર્થ આ પ્રમાણે જાણવો કે બોલતી વખતે નીકળેલા દ્રવ્યોનો અન્ય દ્રવ્યો સાથે જે સંપર્ક તે પરાઘાત કહેવાય છે. તે પરાઘાત થવાથી વાસિત થયેલ દ્રવ્યોને પરાઘાતવાસિત દ્રવ્યો કે ઉત્કૃષ્ટાભિઘાત-વાસિતદ્રવ્યો કહેવાય છે.) શંકા : વિશ્રેણીમાં રહેલ વ્યક્તિ સીધાં નીકળેલાં દ્રવ્યો કેમ સાંભળી ન શકે? સમાધાન – તેનું કારણ એ છે કે નીકળેલા દ્રવ્યો હંમેશા સમશ્રેણીમાં જ ગમન કરે છે તથા તેઓનો પ્રતિઘાત પણ થતો નથી અર્થાત્ આ દ્રવ્યોની કોઈ પદાર્થ સાથે અથડામણ થતી નથી કે જેથી તેઓ વિશ્રેણીમાં ગમન કરે. (આ રીતે વિસેઢી’ શબ્દને દ્વિતીયા વિભકિત કરીને અર્થ કર્યો પરંતુ મૂળમાં આ શબ્દ પ્રથમ વિભકિતમાં છે તેથી “અથવા' કરીને પ્રથમ વિભકિતમાં અર્થ કરે છે.) અથવા “વિશ્રેણી” શબ્દથી વિશ્રેણીમાં રહેલ વ્યક્તિ જાણવી, કારણ કે પદમાં પણ પદના અવયવનો 25 પ્રયોગ થતો દેખાય છે. જેમ કે ભીમસેનને સેન શબ્દથી કે સત્યભામાને ભામાં શબ્દથી જણાવાય છે. અહીં “વિશ્રેણીસ્થિત વ્યક્તિ” એ પદ , તેના અવયવ તરીકે “વિશ્રેણી” શબ્દ છે. તેથી પદને જણાવા પદના અવયવનો પ્રયોગ થઈ શકે છે. (તથી અર્થ આ પ્રમાણે જાણવો કે વિશ્રેણીમાં રહેલ વ્યક્તિ નિયમથી પરાઘાત થવાથી થયેલા વાસિત દ્રવ્યોને જ સાંભળે છે.) II૬ll ___७६. 'ते लुग्वा' इति सूत्रेण पूर्वस्योत्तरस्य वा लोपात् पदावयवप्रयोगेण सम्पूर्णपदोपस्थित्या 30 તવવો, પર્વ વ સમસ્ત વાણં નતુ વ્યસ્તસ્થને . 20 Page #68 -------------------------------------------------------------------------- ________________ શબ્દ દ્રવ્યોનું કાયિક/વાચિક યોગ વડે ક્રમશઃ ગ્રહણ/નિસર્ગ (નિ. ૭) केन पुनर्योगेन एषां वाग्द्रव्याणां ग्रहणमुत्सर्गे वा कथं वेत्येतदाशड्क्य गुरुराहगिण्हइ य काइएणं, निस्सरइ तह वाइएण जोएणं । एगन्तरं च गिण्हइ, णिसिरइ एगंतरं चेव ||७|| व्याख्या - तत्र कायेन निर्वृत्तः कायिकः तेन कायिकेन योगेन, योगो व्यापारः कर्म क्रियेत्यनर्थान्तरं, सर्व एव हि वक्ता कायक्रियया शब्दद्रव्याणि गृह्णाति, चशब्दस्त्वेवकारार्थः, 5 स चाप्यवधारणे, तस्य च व्यवहितः संबन्धः, गृह्णाति कायिकेनैव, निसृजत्युत्सृजति मुञ्चतीति पर्यायाः, तथेत्यानन्तर्यार्थः, उक्तिर्वाक् वाचा निर्वृत्तो वाचिकस्तेन वाचिकेन योगेन । कथं गृह्णाति निसृजतीति वा ? किमनुसमयं उत अन्यथेत्याशङ्कासभवे सति शिष्यानुग्रहार्थमाहएकान्तरमेव गृह्णाति, निसृजति एकान्तरं चैव, अयमत्र भावार्थ:- प्रतिसमयं गृह्णाति मुञ्चति વ્રુતિ, થમ્ ?, યથા પ્રમાચો ગ્રામો ગ્રામસ્તર, પુરુષાદા પુરુષોનન્તરોપિ સન્નિતિ, 10 एवमेकैकस्मात्समयाद् एकैक एव एकान्तरो ऽनन्तरसमय एवेत्यर्थः । अयं गाथासमुदायार्थः । ૪૫ અવતરણિકા ઃ આ વચનદ્રવ્યોનું કયા યોગથી ગ્રહણ કે ત્યાગ થાય છે અથવા કેવી રીતે ગ્રહણ કે ત્યાગ થાય છે ? આવી શંકાને ઊભી કરી ગુરુ તેનું સમાધાન આપતાં કહે છે કે ગાથાર્થ : કાયયોગવડે ગ્રહણ કરે છે અને વચનયોગવડે છોડે છે અથવા નિરંતર ગ્રહણ કરે છે અને નિરંતર છોડે છે. ટીકાર્થ : કાયાવડે બનેલું હોય તે કાયિક કહેવાય છે. તે કાયિકયોગવડે, અહીં યોગ, વ્યાપાર, કર્મ, ક્રિયા આ બધા સમાનાર્થી શબ્દો છે. તેથી બધા જ વક્તા કાયિકયોગ=કાયક્રિયાવડે શબ્દદ્રવ્યોને ગ્રહણ કરે છે. મૂલમાં “શ્વ” શબ્દ એવકાર અર્થમાં જાણવો અને એવકાર પણ ‘“જ”કારના અર્થમાં જાણવો. અને તે “” શબ્દનો વ્યવહિત=જુદા સ્થાને સંબંધ છે (અર્થાત્ જ્યાં પ્રયોગ કર્યો છે, ત્યાંથી તે “શ્વ” શબ્દને ઉઠાવી ‘“કાયિક” શબ્દ સાથે જોડવો.) વક્તા કાયિકયોગવડે જ શબ્દદ્રવ્યોને ગ્રહણ 20 કરે છે તથા “નીકળે છે, છોડે છે, મૂકે છે” આ બધા ધાતુઓ સમાનાર્થી જાણવા. “તથા” શબ્દ આનંતર્ય=પછીના અર્થમાં છે (એટલે કે કાયયોગથી ગ્રહણ કર્યા પછી વચનયોગથી છોડે છે.) કહેવું તે વાચા, વાચાવડે બનેલું હોય તે વાચિક કહેવાય. દરેક વક્તા વાચિકયોગવડે શબ્દદ્રવ્યોને મૂકે છે. 15 શંકા : વક્તા શબ્દદ્રવ્યોનું ગ્રહણ કે મંચન શું પ્રતિસમયે કરે છે કે કોઈ બીજી રીતે કરે છે ? 25 સમાધાન : વક્તા શબ્દદ્રવ્યોનું ગ્રહણ કે મંચન એકાંતરે = પ્રતિસમયે કરે છે. (શંકા : મૂલગાથામાં એકાંતર શબ્દ છે અને તમે તેનો અર્થ પ્રતિસમયે શી રીતે કરો છો ?) સમાધાન ઃ— જેમ એક ગામથી બીજું ગામ, એ ગ્રામાન્તર અથવા એક પુરુષથી તરત ઊભેલો બીજો પુરુષ પુરુષાન્તર કહેવાય છે, તેમ એક સમય પછીનો બીજો સમય એ પણ એકાન્તર અનન્તર સમય જ કહેવાય છે. આ ગાથાનો સમુદાયાર્થ (સંક્ષેપાર્થ) થયો. = 30 Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૬ મક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) __ अत्र कश्चिदाह-ननु कायिकेनैव गृह्णातीत्येतद् युक्तं, तस्यात्मव्यापाररूपत्वात्, निसृजति तु कथं वाचिकेन ?, को वाऽयं वाग्योग इति । किं वागेव व्यापारापन्ना आहोश्चित् तद्विसर्गहेतुः कायसंरम्भ इति ?, यदि पूर्वो विकल्पः, स खल्वयुक्तः, तस्या योगत्वानुपपत्तेः, तथा च न वाक्केवला जीवव्यापारः, तस्याः पुद्गलमात्रपरिणामरूपत्वात्, रसादिवत्, योगश्चात्मनः 5 शरीरवतो व्यापार इति, न च तया भाषया निसृज्यते, किन्तु सैव निसृज्यत इत्युक्तं, अथ द्वितीयः पक्षः, ततः स कायव्यापार एवेतिकृत्वा कायिकेनैव निसृजतीत्यापन्नं, अनिष्टं चैतत् इति, अत्रोच्यते, न अभिप्रायापरिज्ञानात्, इह तनुयोगविशेष एव वाग्योगो मनोयोगश्चेति, कायव्यापारशून्यस्य सिद्धवत् तदभावप्रसङ्गात्, ततश्चात्मनः शरीरव्यापारे सति येन शब्दद्रव्योपादानं करोति स कायिकः, येन तु कायसंरम्भेण तान्येव मुञ्चति स वाचिक इति, 10 तथा येन मनोद्रव्याणि मन्यते स मानस इति, कायव्यापार एवायं व्यवहारार्थं त्रिधा विभक्त શંકાઃ કાયિક્યોગ એ આત્મવ્યાપારરૂપ હોવાથી “આત્મા કાયિયોગ વડે ગ્રહણ કરે છે.” એ વાત ઘટે છે પણ “વાચિકયોગ વડે ત્યાગે છે” એ કેવી રીતે ઘટે ? (અહીં શંકાકારના મનમાં વાચિક્યોગ આત્મવ્યાપારરૂપ નથી પણ પુદ્ગલવ્યાપાર રૂપ છે, આવો પદાર્થ હોવાથી આ પ્રશ્ન કર્યો છે એમ જાણવું.) અથવા આ વાયોગ શું છે? શું વ્યાપાર પામેલી વાણી પોતે વાયોગરૂપ છે કે 15 વાણીના ત્યાગનું કારણ એવો કાયવ્યાપાર એ વાયોગ છે ? જો તમે એમ કહેશો કે ભાષા પોતે જ વાયોગરૂપ = આત્મ–વ્યાપારરૂપ છે તો તે ઘટશે નહીં કારણ કે વાણી=ભાષા પોતે વ્યાપારરૂપ થઈ શકતી નથી. ભાષા એ પોતે રસાદિની જેમ પુદ્ગલમાત્રરૂપ છે કંઈ જીવવ્યાપાર નથી. અને યોગ એ તો શરીરવાળા આત્માનો વ્યાપાર છે. તિથી પુદ્ગલરૂપ ભાષા અને વ્યાપારનો મેળ બેસી શકે તેમ નથી.] તથા પૂર્વે તમે તો એમ કહ્યું છે કે ભાષા 20 પોતે ત્યજાય છે, પણ ભાષા વડે ત્યાગ થાય છે એવું નથી કહ્યું. તેથી માત્ર વાણી=ભાષા એ વચનયોગ બની શકતી નથી. હવે જો બીજો પક્ષ સ્વીકારો કે ભાષાત્યાગનું કારણ એવો કાયસંરંભ (વ્યાપાર) એ વચનયોગ છે. તો એ તો કાયિકયોગ જ થયો તેથી “કાયિયોગ વડે ત્યાગે છે.” એવો અર્થ પ્રાપ્ત થયો. પરંતુ તે કેમ ઘટી શકે ? કારણ કે પૂર્વે તમે જે કહ્યું કે વચનયોગ વડે જોડે છે, તેનો વિરોધ થશે. 5 સમાધાન: અમારા અભિપ્રાયને જાણતા ન હોવાથી તમારી વાત યોગ્ય નથી. વિશેષ પ્રકારનો કાયયોગ જ વચન અને મનોયોગ છે. જો આવું ન માનો તો કાયવ્યાપારથી શૂન્ય વ્યક્તિને સિદ્ધના જીવોની જેમ કાયયોગવિનાનો માનવાની આપત્તિ આવે. તેથી જયારે આત્માનો શરીરવ્યાપાર વર્તા રહ્યો છે ત્યારે જે વ્યાપાર વડે શબ્દદ્રવ્યોનું ગ્રહણ કરે છે તે કાયિકવ્યાપાર છે, જે વ્યાપાર વડે શબ્દદ્રવ્યોને મૂકે છે તે વાચિકયોગ તથા જે વ્યાપાર વડે મનોદ્રવ્યોનો વિચાર કરે છે તે મનોયોગ છે. 30 આ કાયવ્યાપાર પોતે જ જુદી જુદી રીતે વ્યવહાર કરવા માટે ત્રણ ભાગમાં વહેંચાયેલો હોવાથી અહીં કોઈ દોષ રહેતો નથી. ७७. शब्दद्रव्यसंहतिरूपा भाषा । ७८. इतिहेतोः । ७९. व्यापारविशेषेण । Page #70 -------------------------------------------------------------------------- ________________ એકાન્તર એટલે નિરંતર (નિ. ૭) કે ૪૭ इत्यतोऽदोषः। तथा एकान्तरं च गृह्णाति, निसृजत्येकान्तरं चैव' इत्यत्र केचिदेकैकव्यवहितं एकान्तरमिति मन्यन्ते, तेषां च विच्छिन्नरत्नावलीकल्पो ध्वनिरापद्यते, सूत्रविरोधश्च, यत उक्तं"अणुसमयमविरहियं निरन्तरं गिण्हइ''त्ति । आह-यत्पुनरिदमुक्तं "संतरं निसरति, नो निरंतरं, एगेणं समएणं गिण्हति, एगेणं णिसरती''त्यादि, तत्कथं नीयते ?, उच्यते, इह ग्रहणापेक्षया निसर्गः सान्तरोऽभिहितः, एतदुक्तं भवति-यथा आदिसमयादारभ्य प्रतिसमयं ग्रहणं, नैवं 5 निसर्ग इति, यस्मादाद्यसमये नास्तीति, ग्रहणमपि निसर्गापेक्षया सान्तरमापद्यत इति चेत्, न, तस्य स्वतन्त्रत्वात्, निसर्गस्य च ग्रहणपरतन्त्रत्वात्, यतो नागृहीतं निसृज्यत इति, अतः पूर्वपूर्वग्रहणसमयापेक्षया सान्तरव्यपदेश इति । तथा एकेन समयेन गृह्णाति एकेन निसृजति, તથા પૂર્વે સૂત્રકારે કહ્યું કે “એકાન્તરે ગ્રહણ અને મંચન થાય છે.” તેમાં કેટલાંક લોકો “એકાન્તરે એટલે એક એક સમયના આંતરે” એવો અર્થ કરે છે. તેઓના આ શબ્દો છૂટા પડેલા 10 રત્નોની પંક્તિ જેવા થવાની આપત્તિ આવશે (અર્થાત્ અવાજ નિરંતર નહીં સંભળાય, પણ ટુકડે ટુકડે સંભળાશે.) અને સૂત્રવિરોધ પણ આવે છે કારણ કે સૂત્રમાં જણાવ્યું છે કે પ્રતિસમયે, નિરંતર ગ્રહણ કરે છે. તેથી એકાન્તરનો આવો અર્થ યુક્ત ન હોવાથી નિરંતર અર્થ સમજવો. શંકા : જો નિરંતર અર્થ લેશો તો “સાંતરે ત્યાગે છે પણ નિરંતર ત્યાગ થતો નથી”, “એક આ સમયે ગ્રહણ કરે છે એક સમયે ત્યાગે છે.” ઈત્યાદિ સૂત્રોનો અર્થ 15 સ્થાપના | શુ કરવો ? સમય- ૧ | 2 | 3 | 4 | . | .| .| ગ્ર. | ૦ 5. 15 સમાધાનઃ આ સૂત્રમાં ગ્રહણની અપેક્ષાએ નિસર્ગ= ત્યાગ Hએ સાંતર કહ્યો છે. કહેવાનો આશય એ છે કે, જેમ પ્રથમ૦ | નિ) નિ. | નિ. | નિ. |"* !K*T સમયથી લઈને દરેક સમયે ગ્રહણ થાય છે તે રીતે નિસર્ગ થતો નથી, કારણ કે પ્રથમ સમયે માત્ર ગ્રહણ હોય છે નિસર્ગ નહીં. આમ નિસર્ગ સાંતર કહેવાય છે. 20 શંકા : તો તો પછી ગ્રહણ પણ નિસર્ગની અપેક્ષાએ સાંતર ન કહેવાય ? સમાધાન: ના, ન કહેવાય કારણ કે ગ્રહણ એ સ્વતંત્ર છે, જયારે ગ્રહણ થયા પછી જ નિસર્ગ થતો હોવાથી નિસર્ગ એ ગ્રહણને આધીન છે. તેથી પ્રથમ ગ્રહણ થશે પછી તેનો નિસર્ગ થશે, પાછું ગ્રહણ થશે, પછી નિસર્ગ થશે. આમ નિસર્ગ પૂર્વપૂર્વગ્રહણની અપેક્ષાએ સાંતર કહેવાય છે. પરંતુ આ જ રીતે ગ્રહણ એ પૂર્વપૂર્વ નિસર્ગની અપેક્ષાએ સાંતર કહેવાતો નથી, કારણ કે તે ગ્રહણ 25 નિસર્ગને આધીન નથી, તે સ્વતંત્ર છે. તથા “ોમાં સમvi fબ્દત, i fસત્તિ” આ સૂત્રનો અર્થ આ પ્રમાણે જાણવો કે ગ્રહણ ८०. समयस्य सूक्ष्मतमत्वेन आह-सूत्रेत्यादि । ८१. व्याख्यायत इत्यर्थः, भवद्व्याख्यानेन विरुद्धतमत्वात् । ८२. पूर्वमगृहीतत्वात् गृहीतानां च द्वितीयसमये निसर्गात् । ८३. गृहीतानां विना निसर्गं ग्रहणाभावात् सान्तरता यथा तथा निसर्जने एव ग्रहणाद्ग्रहणस्यापि सान्तरतेत्यर्थः । ८४. ग्रहणस्य-पूर्वसमयेऽनिसर्गेऽपि 30 ग्रहणादित्यर्थः, निसर्जनं तु गृहीतानामेवेति तस्य परतन्त्रत्वं । ८५. निसर्गात् । Page #71 -------------------------------------------------------------------------- ________________ ४८ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) किमुक्तं भवति ? – ग्रहणसमयानन्तरेण सर्वाण्येव तत्समयगृहीतानि निसृजती । एकसमयेन गृह्णात्येव आद्येन, न निसृजति तथा एकेन निसृजत्येव चरमेण, न गृह्णाति, अपान्तरालसमयेषु तु ग्रहणनिसर्गावर्थगम्यौ इत्यतोऽविरोध इति । आह-ग्रहणनिसर्गप्रयत्नौ आत्मैनः परस्परविरोधिनौ एकस्मिन्समये कथं स्यातामिति, अत्रोच्यते, नायं दोषः, एकसमये 5 कर्मादानैनिसर्गक्रियावत् तथोत्पादव्ययक्रियावत् तथाऽङ्गुल्याकाशदेशसंयोगविभागक्रियावच्च क्रियाद्वयस्वभावोपपत्तेरिति गाथार्थः ॥७॥ થવુ ‘વૃદ્ઘાતિ ાયિન' નૃત્યાદ્રિ, તંત્ર ાયિો યોગ: પદ્મપ્રા:, औदारिकवैक्रियाहारकतैजसकार्मणभेदभिन्नत्वात्तस्य, ततश्च किं पञ्चप्रकारेणापि कायिकेन गृह्णाति आहोस्विदन्यथा इत्याशङ्कासंभवे सति तदपनोदायेदमाह 10 - तिविहंमि सरीरंमि, जीवपएसा हवन्ति जीवस्स । પછીના બીજા સમયે પ્રથમ સમય ગૃહીત સર્વદ્રવ્યોનો ત્યાગ થાય છે, તેથી એમ કહેવાય કે એક સમયે ગ્રહણ કરે છે અને એક સમયે (અન્ય સમયે) ત્યાગ કરે છે. અથવા પ્રથમ સમયે માત્ર ગ્રહણ થતું હોવાથી “એક સમયે ગ્રહણ કરે છે.” એમ બોલાય છે. તથા છેલ્લા સમયે માત્ર ત્યાગ જ થાય છે પણ ગ્રહણ નહીં તેથી “એક સમયે નિસર્ગ કરે છે.” એમ બોલાય છે. વચ્ચેના સમયોમાં દરેક સમયે 15 તો ગ્રહણ અને નિસર્ગ બંને થાય છે. આમ આ રીતે અર્થ કરવાથી કોઈ વિરોધ રહેતો નથી. શંકા : ગ્રહણ અને નિસર્ગના પ્રયત્નો પરસ્પર વિરોધિ હોવાથી એક જ સમયે (વચ્ચેના દરેક સમયે) કેવી રીતે સંભવે ? સમાધાન ઃ જેમ જે સમયે કર્મબંધ થાય છે તે જ સમયે પૂર્વકૃત કર્મનો વિપાક દ્વારા નિસર્ગ થાય છે. તથા જે સમયે દૂધમાંથી દહીં બન્યું અર્થાત્ દહીંના પર્યાયરૂપે દૂધનો ઉત્પાદ થયો તે સમયે 20 જ દૂધ રૂપ પર્યાયનો નાશ થયો. તથા જે સમયે વિવક્ષિત આકાશ પ્રદેશથી આંગળીનો વિયોગ થયો તે જ સમયે અન્ય પ્રદેશ સાથે આંગળીનો સંયોગ જેમ થાય છે. એ જ રીતે જે સમયે ગ્રહણ થયું તે જ સમયે પૂર્વગૃહીત શબ્દદ્રવ્યોનો નિસર્ગ થાય છે. આમ એક જ સમયે ગ્રહણ અને નિસર્ગ રૂપ બે ક્રિયાનો સ્વભાવ ઘટી શકે છે. ગા અવતરણિકા : પૂર્વે કહ્યું કે “કાયિકયોગથી શદ્રવ્યોને ગ્રહણ કરે છે.’ તે કાયિકયોગ 25 ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ રૂપ પાંચ પ્રકારે છે તો શું જીવ આ પાંચે પ્રકારના યોગથી ગ્રહણ કરે છે કે બીજી રીતે ગ્રહણ કરે છે ? આવી શંકાને દૂર કરવા ગ્રંથકારશ્રી હવે પછીની ગાથામાં સમાધાન આપે છે ગાથાર્થ : ત્રણ પ્રકારના શરીરને વિષે જીવના જીવપ્રદેશો હોય છે કે જે જીવપ્રદેશો વડે ૮૬. સમયેન । ૮૭, પ્રાપ્તિત્તિ । ૮૮. અર્થાવત્તિતો તેૌ, અન્યથાઽદ્યાસમયપ્રદનિસર્ગાવ30 धारणानुपपत्तेः । ८९. मनोवाक्काययोगानामत्मव्यापाररूपत्वात्, आत्मनश्चैकत्वात्, एकसमये परस्परविरुद्धक्रियाकरणानुपपत्तिरित्यर्थः । ९०. यावदन्तिमं गुणस्थानं भाव्येव बन्धः कर्मणां तद्विपाकवेदतश्च निसर्गः तेषामनुसमयं आगमोपपन्ने च तस्मिन्नविरोधो यथा तथाऽत्रापीत्यर्थः । Page #72 -------------------------------------------------------------------------- ________________ જીવની સપ્રદેશતા (નિ. ૮) जेहि उ गिण्हइ गहणं, तो भासइ भासओ भासं ॥८॥ વ્યારણ્યા-‘ત્રિવિધે’ ત્રિપ્રારે, શીત્યંત વૃતિ શરીર તસ્મિન્, સૌરિજાતીનામન્યતમ કૃત્યર્થ:, जीवतीति जीवः तस्य प्रदेशाः, जीवप्रदेशाः भवन्ति, एतावत्युच्यमाने 'भिक्षोः पात्रं ' इत्यादौ षष्ठ्या भेदेऽपि दर्शनात् मा भूद् भिन्नप्रदेशतया प्रदेशात्मसंप्रत्यय इत्यत आह-जीवस्य आत्मभूत भवन्ति, ततश्चानेन निष्प्रदेशजीववदिनिराकरणमाह, सति निष्प्रदेशत्वे 5 करचरणोरुग्रीवाद्यवयवसंसर्गाभावः, तदेकत्वापत्तेः, कथम् ? - करादिसंयुक्तजीवप्रदेशस्य उत्तमाङ्गादिसंबद्धात्मप्रदेशेभ्यो भेदाभेदविकल्पानुपपत्तेरिति । यैः किं करोतीत्याह-' यैस्तु गृह्णाति' શબ્દદ્રવ્યોના સમૂહને ગ્રહણ કરી ભાષક ભાષાને બોલે છે. ટીકાર્થ : જે નાશ થાય તે શરીર. ઔદારિક, વૈક્રિય અને આહારક, આ ત્રણ શરીરમાં જીવના પ્રદેશો હોય છે. “જીવના પ્રદેશો” આ શબ્દ બોલતા ‘“સાધુનું પાત્ર” અહીં ભેદમાં છઠ્ઠી 10 વિભક્તિ દેખાય છે, તેમ જીવ અને પ્રદેશો વચ્ચે પણ ભેદની શંકાથી આત્મા પ્રદેશવિનાનો છે એ પ્રમાણે કોઈને જ્ઞાન ન થાય તે માટે ખુલાસો કરે છે કે આ જીવપ્રદેશો જીવના આત્મભૂત = જીવથી અભેદરૂપે રહેલા છે. આ રીતે અભેદરૂપે રહેલા હોવાથી જે (નૈયાયિકાદિ) લોકો જીવને પ્રદેશવિનાનો માને છે તેમનાં મતનું ખંડન થઈ જાય છે, કારણ કે જો જીવને પ્રદેશ વિનાનો માનવામાં આવે તો હાથ, પગ, 15 કુરુ, ડોકાદિ અવયવોનો આત્મા સાથે સંબંધ છે એવું બોલાય નહીં, કારણ કે આ અવયવો બધા એક થવાની આપત્તિ આવે છે. તે આ રીતે કે—હાથની સાથે સમ્બદ્ધ જીવપ્રદેશ એ મસ્તકાદિ અંગ સાથે સમ્બદ્ધ જીવપ્રદેશોથી જુદો છે કે અભિન્ન છે ? એમ બે વિકલ્પો ઘટતા નથી. (જો તમે ભેદ માનો તો સ્પષ્ટ જ જીવની સપ્રદેશતા સિદ્ધ થાય કારણ કે જીવની સપ્રદેશતા વિના જુદા જુદા આકાશમાં રહેલા કરાદિ અવયવો સાથે નિપ્રદેશ એવા જીવનો સંબંધ ઘટી શકે 20 નહીં. હવે જો તમે અભેદ માનો અર્થાત્ કરાદિ અવયવમાં રહેલો આત્મપ્રદેશ જ મસ્તકાદિ સાથે સમ્બદ્ધ છે. તો સતરામ્ અવયવોની એકતા થવાની આપત્તિ આવે, કારણ કે જે નિષ્પ્રદેશ આત્મા હાથ સાથે સમ્બદ્ધ છે તે જ નિપ્રદેશ આત્મા મસ્તકાદિ સાથે પણ સમ્બદ્ધ છે. અને આ નિપ્રદેશ આત્મા એક હોવાથી તેની સાથે અભિન્ન એવા હાથાદિ અવયવો પણ પરસ્પર અભિન્ન એટલે કે એક બની જશે. ૪૯ આમ ભેદ કે અભેદ બંને વિકલ્પો ઘટતા ન હોવાથી નિપ્રદેશ આત્મા મનાય નહીં. તેથી આત્મા પ્રદેશવાળો સિદ્ધ થાય છે અને આ પ્રદેશો ત્રણ પ્રકારના શરીરમાં રહેલા છે.) જે જીવ પ્રદેશો વડે શું કરે છે ? તે કહે છે – શરીરમાં રહેલા આ આત્મપ્રદેશો વડે (શબ્દદ્રવ્યોનાં સમૂહને) ગ્રહણ 25 ९१. अभेदषष्ठ्या तत्रस्थाः प्रदेशा जीवाभिन्नाः, एतदेव च जीवस्येत्युच्चारणे फलं, अन्यथा ‘નીવપ્રવેશા' નૃત્યનેન સંવદ્ધાર્થીવમાત્ ।૧૨. નૈયાયિળવૈશેષિયઃ, તતે દિ નિત્યં નિરવયવમેવ, 30 सावयवत्वे हि कार्यत्वापत्त्या अनित्यत्वापत्तिः घटादीनामिव । ९३. भेदे सावयवत्वात्प्रतिज्ञातहानि:, अभेदे भिन्नावयवसंयोगानुपपत्तेस्तदेकतरेण सात्मकता न सर्वैरित्यनिष्टेः । ★ प्रदर्शनात् । Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तुशब्दो विशेषणार्थः, किं विशिनष्टि ? – ૧ સર્વનૈવ વૃજ્ઞાતિ, વિન્તુ તત્વરિળામે સતિ, ∞િ ?गृह्यत इति ग्रहणं, ग्रहणमिति " कृत्यल्युटो बहुलं " ( पा०३ -३ - ११३ ) इतिवचनात्कर्मकारकं, શદ્વદ્રવ્યનિવજ્ઞમિત્યર્થ:, ‘તતો’ ગૃહ્રીત્વા ‘માષતે' વૃત્તિ, ભાષત કૃતિ ભાષા: યિાઽવિષ્ટ જ્ઞત્યર્થ:, अनेन निष्क्रियात्मवादव्यवच्छेदमाह, सति तस्मिन्निष्क्रियत्वात् अप्रच्युतानुत्पन्नस्थिरैक5. રૂપાષામાવપ્રસŞ:, જામ્ ? – માયત કૃતિ ભાષા તાં ભાષાં । આવતતો માષતે ભાષ’ इत्यनेनैव गतार्थत्वाद्भाषाग्रहणमतिरिच्यते इति, न, अभिप्रायापरिज्ञानात्, इह भाष्यमाणैव भाषोच्यते, न पूर्वं नापि पश्चाद्, इत्यस्यार्थस्य ख्यापनाय भाषाग्रहणमदुष्टमेवेति गाथार्थः॥८॥ यदुक्तं- 'त्रिविधे शरीरे' इत्यादि, तत्र न ज्ञायते कतमत् त्रैविध्यमिति, अतस्तदभिधातु काम आह 10 કરે છે. મૂલગાથામાં “તુ” શબ્દ વિશેષ અર્થને જણાવવા માટે છે તે વિશેષાર્થ એ છે કે જીવ હંમેશા (શબ્દદ્રવ્યોને) ગ્રહણ કરતો નથી પણ જ્યારે બોલવા માટેની ક્રિયામાં પરિણત થાય ત્યારે ગ્રહણ કરે છે. શું ગ્રહણ કરે છે ? તે કહે છે – (મૂલગાથામાં રહેલ “ગ્રહણ” શબ્દનો અર્થ કરે છે કે) જે ગ્રહણ કરાય તે ગ્રહણ.’’ અહીં ‘ત્વત્યુટો વઠ્ઠાં' (પા॰રૂ-રૂ-૬૬૩) સૂત્રથી પ્રð ધાતુને કર્મના 15 અર્થમાં “ટ્યુટ” પ્રત્યય લાગ્યો હોવાથી “ગ્રહણ” શબ્દથી કર્મ લેવું. તેથી અર્થ આ પ્રમાણે કે શબ્દદ્રવ્યોના સમૂહને ગ્રહણ કરે છે. તે દ્રવ્યોને ગ્રહણ કરી ભાષક વ્યક્તિ (ભાષાને) બોલે છે. અહીં “ભાષક’ શબ્દના ‘ક્રિયાથી યુક્ત આત્મા’’ એવો અર્થ કરતા જે (સાંખ્ય) લોકો આત્માને નિષ્ક્રિય માને છે તેનું ખંડન જાણવું, કારણ કે નિષ્ક્રિય એટલે નાશ નહીં પામેલ, ઉત્પન્ન નહીં થયેલ, સ્થિર, એક સ્વભાવવાળી વ્યક્તિ 20 અર્થાત્ ક્યારેય સ્વભાવ ન બદલાવો એનું નામ નિષ્ક્રિય, અને આત્મા તો મૌનરૂપ સ્વભાવને છોડી બોલવારૂપ સ્વભાવને સ્વીકારે છે. તેથી જો નિષ્ક્રિય માનવામાં આવે તો સ્થિર એકસ્વભાવવાળો થવાથી તે આત્મામાં બોલવાની ક્રિયાનો અભાવ થવાનો પ્રસંગ આવે જે ઘટતો નથી. તેથી આત્મા નિષ્ક્રિય નથી. શંકા : “તતો માષતે માપજો ભાષાન્’” અર્થાત્ ‘માષતે’” ધાતુમાં જ “ભાષા” શબ્દનો અર્થ 25 આવી જાય છે તેથી મૂલગાથામાં ‘“મસં” શબ્દ જે જુદો ગ્રહણ કર્યો છે તે નિરર્થક લાગે છે. (માત્ર માષતે કહે તો ચાલે) સમાધાન : ના, અહીં જે બોલાય છે તે જ ભાષા કહેવાય છે પણ તેનાથી પૂર્વે કે પછી ભાષા કહેવાતી નથી, (અર્થાત્ બોલતા પહેલા જે ભાષા વર્ગણાના પુદ્ગલો ગ્રહણ થાય છે. તે કે બોલ્યા પછી ક, ખ, ગ વગેરે પરિણામને પામેલા શબ્દદ્રવ્યો એ ભાષા કહેવાતી નથી.) આ અર્થને જણાવવા 30 ભાષા શબ્દનું સ્વતંત્ર ગ્રહણ કરાયેલું છે, જે અદુષ્ટ જ છે. ૮૫ અવતરણિકા : પૂર્વે કહ્યું કે “ત્રણ પ્રકારના શરીરમાં જીવપ્રદેશો હોય છે.’’ તે ત્રણ પ્રકારના શરીરો ક્યા છે તે જણાતું નથી. એથી તે ત્રૈવિધ્યને કહેવાનીઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારના શરીરો વડે ભાષાદ્રવ્યોનું ગ્રહણ/મુંચન (નિ. ૯) ओरालियवेडव्वियआहारो गिन्हई मुयइ भासं । सच्चं मोसं सच्चामोसं च असच्चमोसं च ॥९॥ ૫૧ व्याख्या- तत्र औदारिकवानौदारिकः, इहौदारिकशब्देनाभेदोपचाराद् मतुब्लोपाद्वा औदारिकशरीरिणो ग्रहणमिति, एवं वैक्रियवान्वैक्रियः, आहारकवानाहारक इति । असौ औदारिकादिः, 'गृह्णाति' आदत्ते 'मुञ्चति' निसृजति च, भाष्यत इति भाषा तां भाषां, शब्दप्रायोग्यतया 5 तद्भावपरिणतद्रव्यसंहतिमित्यर्थः । किंविशिष्टामित्याह - सतां हिता सत्या, सन्तो मुनयस्तदुपकारिणी सत्येति, अथवा सन्तो मूलोत्तरगुणास्तदनुपघातिनी सत्या, अथवा सन्तः पदार्था जीवादयः तद्धिता तत्प्रत्यायनफला जनपदसत्यादिभेदा सत्येति, तां सत्यां सत्याया विपरीतरूपा क्रोधाश्रितादिभेदा मृषेति तां तथा तदुभयस्वभावा वस्त्वेकदेशप्रत्यायनफला उत्पन्नमिश्रादिभेदा सत्यामृषेति तां तथा तिसृष्वप्यनधिकृता शब्दमात्रस्वभावाऽऽमन्त्रण्यादिभेदा असत्यामृषेति तां 10 च, चशब्दः समुच्चयार्थः, आसां च स्वरूपमुदाहरणयुक्तानां सूत्रदवसेयमिति गाथार्थः ॥९॥ ગાથાર્થ : ઔદારિક શરીરવાળા, વૈક્રિયશરીરવાળા તથા આહારક શરીરવાળા જીવો ભાષાને ગ્રહણ કરે છે અને મૂકે છે. તે ભાષા સત્યભાષા, ભૃષાભાષા, સત્યમૃષાભાષા અને અસત્યામૃષાભાષા એમ ચાર પ્રકારે છે. ટીકાર્થ: અહીં ઔદારિક શરીર અને તદ્નાન વ્યક્તિ વચ્ચે અભેદનો ઉપચાર કરવાથી અથવા 15 ઔદારિક શબ્દને મતુÇ પ્રત્યેયનો મૂળગાથામાં લોપ થયેલો સમજી ઔદારિકશબ્દથી ઔદારિકશરીરવાળી વ્યક્તિનું ગ્રહણ કરવું. એજ પ્રમાણે વૈક્રિય અને આહારક શબ્દથી તે તે શરીરવાળી વ્યક્તિ જાણવી. આવી વ્યક્તિઓ ભાષાનું ગ્રહણ અને મંચન કરે છે. બોલાય તે ભાષા અર્થાત્ શબ્દને પ્રાયોગ્ય હોવાથી શબ્દભાવમાં પરિણત થયેલો દ્રવ્યોનો સમૂહ, આ દ્રવ્યોના સમૂહરૂપ ભાષા કેવા પ્રકારની હોય છે ? તે કહે છે – જે સજ્જનો અર્થાત્ મુનિજનોને ઉપકારી હોય તે સત્યભાષા અથવા 20 મૂલોત્તરગુણોને નહીં હણનારી, અથવા વિદ્યમાન જીવાદિ પદાર્થોની પ્રતીતિને કરાવનારી એવી જનપદ વગેરે ભેદોવાળી સત્યભાષાને (ઉપરોક્ત શરીરવાળા ગ્રહણ કરે છે.) સત્યથી વિપરીત સ્વરૂપવાળી એવી ક્રોધાશ્રિત વગેરે ભેદોવાળી મૃષાભાષાને ગ્રહણ કરે છે. તથા સત્ય અને મૃષારૂપ ઉભય સ્વભાવવાળી વસ્તુના એકદેશની પ્રતીતિને કરાવનારી એવી ઉત્પન્નમિશ્ર વગેરે ભેદોવાળી સત્યામૃષા ભાષાને (ગ્રહણ કરે છે) તથા ઉપરોક્ત ત્રણે ભેદોમાં જેનો 25 ९४. प्रज्ञापनायाः, यतस्तत्र भाषालक्षणं पदमेकादशं "जणवय १ सम्मय २ ठवणा ३ नामे ४ रूवे ५ पडुच्च ६ सच्चे य । ववहार ७ भाव ८ जोगे ९ दसमे ओवम्मसच्चे १० य ॥ १॥ कोहे १ माणे २ माया ३ लोभे ४ पेजे ५ तहेव दोसे ६ य । हासे ७ भये ८ य खाइय ९ उवघाइयणिस्सिया १० दस ॥२॥ आमंतणी १ आणवणी २ जायणी ३ तह पुच्छणी ४ य पण्णवणी ५ । पच्चक्खाणी ६ भासा, भासा इच्छालोमा ७ य ॥३॥ अणभिग्गाहिया भासा ८, भासा अ अभिग्गहंमि ९ बोद्धव्वा । संसयकरणी 30 भासा १० वोगड ११ अव्वोगडा १२ चेव ॥ ४ ॥ इति सत्यासत्यासत्यामृषास्वरूपं, सत्यमृषा तु 'उप्पण्णमीसिया १ विगयमीसिया २ उप्पण्णविगयमीसिआ ३ जीवमिस्सिया ४ अजीवमिस्सिआ ५ जीवाजीवमिस्सि ६ अणंतमिस्सिआ ७ परित्तमिस्सिआ ८ अद्धामिस्सिआ ९ अद्धद्धामीसिआ १० । Page #75 -------------------------------------------------------------------------- ________________ પર એક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) आह-औदारिकादिः गृह्णाति मुञ्चति च भाषां' इत्युक्तं, सा हि मुक्ता उत्कृष्टतः कियत्क्षेत्रं વ્યાનોતીતિ, ૩, સમસ્તમેવ નોમિતિ, હિં–ચશેવં ‘જરૂ' રિહિત, મર્થ સૂત્ર તોમसंबन्धः, अथवाऽर्थतः प्रतिपाद्यते, आह-द्वादशभ्यो योजनेभ्यः परतो न शृणोति शब्द, मन्दपरिणामत्वात्तद्र्व्याणामित्युक्तं, तत्र किं परतोऽपि द्रव्याणामागतिरस्ति ?, यथा च ६ विषयाँभ्यन्तरे नैरन्तर्येण तद्वासनासामर्थ्य, एवं बहिरप्यस्ति उत नेति, उच्यते, अस्ति, केषाञ्चित् ત્રનો વ્યાપ્ત:, – વં– ' સમાવેશ ન થાય તેવી શબ્દમાત્રના સ્વભાવવાળી આમંત્રણી વગેરે ભેદોવાળી અસત્યામૃષાભાષાને ગ્રહણ કરે છે. આ ચારે પ્રકારની ભાષાનું ઉદાહરણ સાથેનું સ્વરૂપ પ્રજ્ઞાપના સૂત્રના અગિયારમાં પદમાંથી જાણી લેવું. 10 અવતરણિકા : શંકા: દારિક શરીરવાળો જીવ ભાષાનું ગ્રહણ, મુચન કરે છે. તો મૂકાયેલી. તે ભાષા ઉત્કૃષ્ટથી કેટલા ક્ષેત્ર સુધી જાય છે ? સમાધાન : તે ભાષા સમસ્ત લોકને વ્યાપે છે. આ રીતે જવાબ સાંભળી જિજ્ઞાસુ કોઈક વ્યક્તિ પ્રશ્ન કરે છે. તે પ્રશ્ન જ સૂત્રકારે ગાથામાં ગુંથી નાંખ્યો છે. એટલે ઉપરોક્ત જવાબ સાંભળી જાણે કે સૂત્રકાર પોતે જ જિજ્ઞાસુ વ્યકિતરૂપે બની ગાથાની રચના કરે છે. આમ ગા.નં. ૯ પછી ગા.ન. 15 ૧૦ વચ્ચે સંબંધ બતાવ્યો છે. આ સૂત્રથી સંબંધ બતાવ્યો અથવા અર્થથી (ગા.નં.–૧૦માં જે અર્થ બતાવ્યો છે તેનો પૂર્વની કઈ ગાથાના અર્થ સાથે સંબંધ છે તેને) જણાવે છે. (ગાથા નં. ૫ “પુરૂં મુળરૂ છું....” માં પાંચે ઈન્દ્રિયોના વિષયો બતાવ્યા હતા. તેને નજરમાં રાખી ટીકાકાર પોતે જિજ્ઞાસુ બની અવતરણિકા કરે છે.) | જિજ્ઞાસુ : શબ્દદ્રવ્યો મંદ પરિણામવાળા હોવાથી બાર યોજન પછીથી આવેલ શબ્દોને જીવ 20 સાંભળતો નથી.” એ જે તમે કહ્યું હતું. તેમાં શું દ્રવ્યો બાર યોજન કરતા પણ વધુ દૂરથી આવે છે? અને જેમ શ્રોત્રેન્દ્રિયના વિષયના અભ્યતરમાં અર્થાત્ બાર યોજનમાં નિરંતર શબ્દદ્રવ્યોનું શબ્દન યોગ્ય દ્રવ્યોને વાસિત કરવાનું સામર્થ્ય છે તેમ બાર યોજનથી બહાર પણ આ સામર્થ્ય છે કે નહીં ? સમાધાન : તે દ્રવ્યો બાર યોજન કરતા પણ વધુ દૂરથી આવે છે, અને બાર યોજન બહાર પણ બીજા દ્રવ્યોને વાસિત કરવાનું સામર્થ્ય છે, કારણ કે કેટલાક શબ્દદ્રવ્યો સંપૂર્ણલોકને વ્યાપે છે. જિજ્ઞાસુ : જો કેટલાક શબ્દદ્રવ્યસ્કંધો સંપૂર્ણ લોકને પૂરે છે તો.. (હવે આગળની ગાથા સાથે સંબંધ જોડવો.) - ९५. पूर्वसूत्रे ओरालियवेउब्विये' त्यादिप्रतिपादनात् । ९६. 'भासासमसेढीओ' इत्यादौ श्रोत्रेन्द्रियादीनां द्वादशयोजनादिरूपस्य विषयस्य प्रतिपादनात् वृत्तिकृता । ९७. मंदपरिणामलक्षणं विशेषहेतुं श्रुत्वा द्रव्यगतौ प्रश्नः । ९८. द्वादशसु योजनेषु । ९९. विषयकथनात् शब्दद्रव्याणां वासकत्वात् वास्यैः 30 पूर्णत्वाच्च लोकस्येति वा । १. श्रोत्रेन्द्रियाग्राह्यत्वेऽनुमानज्ञापनाय केषाञ्चिदित्यादि । २. शब्दद्रव्याणां केषाञ्चिल्लोकव्याप्तिप्रतिपत्तौ । Page #76 -------------------------------------------------------------------------- ________________ ભાષા દ્રવ્યો કેટલા સમયમાં સંપૂર્ણ લોકમાં વ્યાપે છે ? (નિ. ૧૦-૧૧)) कइहि समएहि लोगो, भासाइ निरन्तरं तु होइ फुडो । लोगस्स य कइभागे, कइभागो होइ भासाए ॥१०॥ व्याख्या—'कतिभिः समयैः ' 'लोकः ' लोक्यत इति लोकः चतुर्दशरज्ज्वात्मकः क्षेत्रलोकः परिगृह्यंते, भाषया निरन्तरमेव भवति स्पृष्टः व्याप्तः पूर्ण इत्यनर्थान्तरं, लोकस्य च कतिभागे कतिभागो भवति भाषायाः ॥१०॥ अत्रोच्यते – ૫૩ - स्पृष्टः, आह- किं सर्वथैव चउहि समएहि लोगो, भासाइ निरंतरं तु होइ फुडो । लोगस्स य चरमंते, चरमंतो होइ भासा ॥ ११ ॥ व्याख्या-चतुर्भिः समयैर्लोको भाषया निरन्तरमेव भवति માષયાત વિશિષ્ટવૈવેતિ, ન્યતે, વિશિષ્ટયા, થમ્ ? इह कश्चिन्मन्दप्रयत्नो वक्ता 10 भवति, स ह्यभिन्नान्येव शब्दद्रव्याणि विसृजति, तानि च विसृष्टानि असंख्येयात्मकत्वात् परिस्थूलत्वाच्च विभिद्यन्ते, भिद्यमानानि च संख्येयानि योजनानि गत्वा शब्दपरिणामत्यागमेव कुर्वन्ति, कश्चित्तु महाप्रयत्नः, स खलु आदाननिसर्गप्रयत्नाभ्यां भित्त्वैव विसृजति, तानि च ગાથાર્થ : ભાષા વડે કેટલા સમયમાં નિરંતર લોક વ્યાપ્ત બને છે ? અને લોકના કેટલા ભાગમાં ભાષાનો કેટલો ભાગ હોય છે ? ટીકાર્થ : જે દેખાય તે લોક. અહીં લોકશબ્દથી ચૌદરાજલોકરૂપ ક્ષેત્ર ગ્રહણ કરવું. આ સંપૂર્ણ લોક ભાષા વડે નિરંતર કેટલા સમયમાં સ્પર્શાય છે અર્થાત્ પૂર્ણ થાય છે અને લોકના કેટલા ભાગમાં ભાષાનો કેટલો ભાગ હોય છે ? ॥૧૦॥ 5 15 અવતરણિકા : ઉપરોક્ત શંકાનું સમાધાન આપે છે ગાથાર્થ : (ઉપરોક્ત સૂત્રનો જવાબ આપે છે) ભાષા વડે આ લોક ચાર સમયમાં નિરંતર 20 વ્યાપ્ત થાય છે. અને લોકના અસંખ્યેયભાગમાં સર્વલોકમાં વ્યાપેલી એવી ભાષાનો અસંખ્યયભાગ હોય છે. ३. न तु पञ्चास्तिकायरूपो द्रव्यक्षेत्रादिरूपो वा । ४. परमाणोः सप्तप्रदेशा यथा स्पर्शना तथा नात्रेत्यनर्थान्तरदर्शनं। ५. असंख्येयाः स्कन्धा न तु परमाणवोऽसंख्येयाः । ६. तीव्रप्रयत्नवत्तृविसृष्टद्रव्यापेक्षया । * વૈવ ?-રૂ-બ-૬ / સ્થૂરા′ ૧-૩-૬-૬ | ટીકાર્થ : ચાર સમય વડે = ચાર સમયમાં ભાષા લોકને નિરંતર સ્પર્શે છે. શંકા : શું બધી ભાષા લોકને સ્પર્શે છે કે અમુક વિશિષ્ટભાષા જ સ્પર્શે છે ? સમાધાન : વિશિષ્ટભાષા જ લોકને સ્પર્શે છે. તે આ રીતે... કે કોઈ વક્તા મંદપ્રયત્નથી = 25 ધીમા અવાજેથી જ્યારે બોલતો હોય છે ત્યારે તે વક્તા અભિન્ન એવા શબ્દદ્રવ્યોને છોડે છે અને તે ત્યજાયેલા દ્રવ્યો અસંખ્યયસ્કન્ધાત્મક અને સ્થૂલ હોવાથી ભેદાય જાય છે. અને તે ભેદાયેલા દ્રવ્યો સંખ્યાત યોજન જઈ શબ્દપરિણામને છોડી દે છે. આ શબ્દદ્રવ્યો સંપૂર્ણલોકને સ્પર્શતા નથી પરંતુ કોઈક મહાપ્રયત્નવાન્ વ્યક્તિ જયારે શબ્દદ્રવ્યોનું ગ્રહણ કે મંચન કરે છે ત્યારે તે દ્રવ્યોને ભેદીને જ ગ્રહણ અને ભેદીને જ મંચન કરે છે. 30 Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૪ એક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सूक्ष्मत्वाद्बहुत्वाच्च अनन्तगुणवृद्ध्या वर्धमानानि षट्सु दिक्षु लोकान्तमाप्नुवन्ति, अन्यानि च तत्पराघातवासितानि वासनाविशेषात् समस्तं लोकमापूरयन्ति, इह च चतुःसमयग्रहणात् त्रिपञ्चसमयग्रहणमपि प्रत्येतव्यं, तुलादिमध्यग्रहणवत्, तत्र कथं पुनस्त्रिभिः समयैः लोको भाषया निरन्तरमेव भवति स्पृष्ट इति ?, उच्यते, लोकमध्यस्थवक्तृपुरुषनिसृष्टानि, यतस्तानि 5 प्रथमसमय एव षट्सु दिक्षु लोकान्तमनुधावन्ति, जीवसूक्ष्मपुद्गलयोः 'अनुश्रेणि गति: ' (तत्त्वार्थ० अ० २ सूत्र २७) इति वचनात्, द्वितीयसमये तु त एव हि षट् दण्डाश्चतुर्दिशमैकैकशो विवर्धमानाः षट् मन्थानो भवन्ति, तृतीयसमये तु पृथक् पृथक् तदन्तरालपूरणात् पूर्णो भवति लोक इति, एवं त्रिभिः समयैर्भाषया लोकः स्पृष्टो भवति, यदा तु लोकान्तस्थितो वा भाषको वक्ति, चतसृणां दिशामन्यतमस्यों दिशि नाड्या बहिरवस्थितस्तदा चतुर्भिः 10 समयैरापूर्यत इति, कथम् ?, एकसमयेन अन्तर्नाडीमनुप्रविशति, त्रयोऽन्ये पूर्ववद्र्ष्टव्याः, यदा त् विदिग्व्यवस्थितो वक्ति, तदा पुद्गलानामनुश्रेणिगमनात् समयद्वयेनान्तोंडीमनुप्रविशति, આ ભેદાયેલા દ્રવ્યો સૂક્ષ્મ અને ઘણા હોવાથી અનંતગુણ–વૃદ્ધિવડે (એટલે કે પોતાનાવડે અન્યને વાસિત કરવા દ્વારા) વધતા જતા છએ દિશામાં લોકાન્ત સુધી જાય છે અને તે દ્રવ્યોના પરાઘાત = સંપર્કથી વાસિત અન્ય દ્રવ્યો વાસના વિશેષને કારણે એ દિશાના અપાન્તરાલને પૂરવા 15 દ્વારા લોકને પૂરી નાંખે છે. આવા દ્રવ્યો ચાર સમયમાં સંપૂર્ણ લોકને વ્યાપી જાય છે. અહીં ગ્રહણ કરેલા ચાર સમયથી ત્રણ અને પાંચ સમય પણ ગ્રહણ કરેલા જાણવા. જેમ તુલાને (ત્રાજવાને) મધ્યમાંથી ગ્રહણ કરતા આજુબાજુના બંને ત્રાજયાં પણ આવી જાય તેમ અહીં પણ જાણવું. શંકા : ત્રણ સમયે ભાષાવડે સંપૂર્ણ લોક કેવી રીતે વ્યાપ્ત બને ? ' સમાધાન: લોકના મધ્યભાગમાં રહેલ વક્તા દ્વારા નીકળેલા દ્રવ્યો પ્રથમ સમયે છએ દિશામાં 20 લોકાન્ત સુધી જાય છે, કારણ કે જીવ અને સૂક્ષ્મપુદ્ગલો અનુશ્રેણિમાં અર્થાત્ સીધી શ્રેણિમાં ગતિ કરે છે. બીજા સમયે તે જ છ દંડો ચારે દિશામાં દરેકે દરેક વધતા જતા છ મંથાન કરે છે. ત્રીજા સમયે જુદા જુદા મંથનોના અપાન્તરાલોને (મધ્યભાગને) પૂરવા દ્વારા તે દ્રવ્યો સંપૂર્ણ લોકને સ્પર્શે છે. આ રીતે ત્રણ સમયમાં ભાષા સંપૂર્ણ લોકને સ્પર્શે છે. (શંકા : ચાર સમયે લોક કેવી રીતે પૂરાય ?) 25 સમાધાન : જયારે કોઈ વ્યક્તિ લોકના અંતમાં ઊભેલો હોય અથવા ચારમાંથી કોઈ એક દિશામાં ત્રિસ) નાડીની બહાર રહેલો છતો જ્યારે બોલે ત્યારે પ્રથમ સમયે દ્રવ્યો અંતર્નાડીમાં પ્રવેશ કરે છે. અને બાકીના સમયો ઉપર કહ્યા પ્રમાણે જાણવા. એ જ રીતે જ્યારે વક્તા વિદિશામાં ઊભો રહેલો છતો બોલે ત્યારે પુદ્ગલોનું અનુશ્રેણિમાં ગમન થતું હોવાથી પ્રથમ સમયે વિદિશામાંથી દિશામાં આવી બીજા સમયે નાડીમાં પ્રવેશ કરે. શેષ ત્રણ સમય પૂર્વપ્રમાણે જાણવા. આ રીતે ત્રણ, 30 ७. ज्ञायतेऽनेन त्रसाणां गतिर्व्यवस्थितिश्च नाड्या बहिः, जन्माद्यभावश्च नरलोकरीत्या नराणामिव न तत्रेति चानुमीयते । ८. तथास्वाभाव्यादेव अनुकूलसामग्र्यभावाद्वा बहिर्नाड्या न श्रेण्यारम्भ इति । ९. વ્યાવરિજી વિવિત્ર, અન્યથા વ્યવસ્થાનામવાન્ + વા?-૨-૩-૪ | Page #78 -------------------------------------------------------------------------- ________________ સમુદ્દાત પદ્ધતિવડે ભાષા દ્રવ્યોથી લોકપૂરણનો નિષેધ (નિ. ૧૧) ૫૫ शेषसमयत्रयं पूर्ववद्-द्रष्टव्यमित्येवं पञ्चभिः समयैरापूर्यत इति । अन्ये तु जैनसमुद्घातगत्या लोकापूरणमिच्छन्ति, तेषां चाद्यसमये भाषायाः खलु ऊर्ध्वाधोगमनात् शेषदिक्षु न मिश्रशब्दश्रवणसंभवः, उक्तं चाविशेषेण - "भासासमसेढीओ, सद्दं जं सुणइ मीसयं सुणइ " ( ६ ) ति । अथ मतं- ' व्याख्यानतोऽर्थप्रतिपत्तिः' इति न्यायाद्दण्ड एव मिश्रश्रवणं भविष्यति, न* शेषदिक्ष्विति, ततश्चादोष इति, अत्रोच्यते, 5 एवमपि त्रिभिः समयैर्लोकापूरणमापद्यते, न चतुःसमयसंभवोऽस्ति, कथम् ? - प्रथमसमयानन्तरमेव शेषदिक्षु पराघातद्रव्यसद्भावात् द्वितीयसमय एव मन्थानसिद्धेः, तृतीये च तदन्तरालापूरणात् इति । आह - जैनसमुद्धातवच्चतुर्भिरेवापूरणं भविष्यतीति को दोष इति, अत्रोच्यते, न, ચાર અને પાંચ સમયમાં ભાષા લોકને વ્યાપે છે. અહીં કેટલાક આચાર્યો કેવલિસમુદ્ધાતની પદ્ધતિથી લોકનું આપૂરણ ઇચ્છે છે. (અર્થાત્ તેઓનું એવું કહેવું છે કે જેમ કેવલિસમુદ્ધાતમાં પ્રથમ સમયે દંડ, બીજા સમયે કપાટ, ત્રીજા સમયે મન્થાન અને ચોથા સમયે અપાન્તરાલનું પૂરણ થાય છે. તે જ પદ્ધતિ અહીં પણ જાણવી. આમ, મૂલગાથામાં કહેલા ચાર સમયોને અન્ય આચાર્યો આ રીતે ઘટાડે છે. મૂલગાથામાં કહેલા ચાર સમયો ટીકાકાર અન્ય રીતે ઘટાડે છે જે ઉપર જોઈ ગયા. છતાં સંક્ષેપથી ફરી જોઈ લઈએ. ટીકાકારના મતે 15 પ્રથમ સમયે અંતર્નાડીમાં પુદ્ગલોનો પ્રવેશ, બીજા સમયે છ દંડ, ત્રીજા સમયે મન્થાન અને ચોથા સમયે અપાન્તરાલોનું પૂરણ.) અન્ય આચાર્યોના મતે પ્રથમ સમયે સમુદ્ધાતની જેમ પુદ્ગલોનું ઊર્ધ્વ–અધો ગમન થવાથી શેષ દિશાઓમાં મિશ્રશબ્દોનું શ્રવણ થશે નહીં. જ્યારે મૂળગાથામાં જે કહ્યું છે “ભાષાની સમશ્રેણિમાં રહેલી વ્યક્તિ મિશ્રશબ્દને સાંભળે છે.” તેની સાથે વિરોધ આવે છે. તેથી તે અન્ય આચાર્યોનો મત 20 યોગ્ય નથી. 10 અન્ય આચાર્યો : મૂળગાથામાં જે વાત કરી છે તે સામાન્યથી કહી છે. અને “વ્યાખ્યાનથી અર્થની પ્રતિપત્તિ અર્થાત્ વિશેષ બોધ થાય છે.” એ ન્યાયે માત્ર દંડમાં જ મિશ્રશ્રવણ થશે પણ શેદિશામાં નહીં. (કહેવાનો આશય એ છે કે મૂળગાથામાં ભાષાની સમશ્રેણિમાં મિશ્રશબ્દોનું શ્રવણ જે કહ્યું છે, તે સમુદ્ધાતની પદ્ધતિથી પ્રથમ સમયે ઊર્ધ્વ–અધો જ પુદ્ગલોનું ગમન થતું હોવાથી 25 “ભાષાની સમશ્રેણિમાં એટલે કે ઊર્ધ્વ–અધોરૂપ દંડમાં” આવો અર્થ સમજી માત્ર દંડમાં જ મિશ્ર શ્રવણ સમજવું જેથી કોઈ વિરોધ આવશે નહીં.) ટીકાકાર : જો આ રીતે સમુદ્દાતની પદ્ધતિથી લોકનું પૂરણ માનશો. તો તે ત્રણ સમયમાં જ થઈ જશે પણ ચાર સમય ઘટશે નહીં. તે આ રીતે કે પ્રથમ સમય પછી શેષદિશામાં વાસિતદ્રવ્યો જવાથી બીજા સમયે જ મન્થાન થઈ જશે (પણ કપાટ નહીં) અને ત્રીજા સમયે અવાન્તરણનું પૂરણ 30 થતાં ત્રણ સમયમાં જ લોક પૂરાઈ જતા મૂળગાથામાં જે ચાર સમયો કહ્યા તે ઘટશે નહીં. અન્યાચાર્યો ઃ કેવલિસમુદ્દાતની જેમ (જ બીજા સમયે માત્ર કપાટની રચના માનો તો) ચાર ૬૦. વેનિસમુદ્ધાતમર્યાદ્યા । * ના. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सिद्धान्तापरिज्ञानात्, इह जैनसमुद्धाते स्वरूपेणापूरणात्, न तत्र पराघातद्रव्यसंभवोऽस्ति, सकर्मकजीवव्यापारत्वात्तस्य ततश्च कपाटनिर्वृत्तिरेव तत्र द्वितीयसमय इति, शब्दद्रव्याणां त्वनुश्रेणिगमनात्पराघातद्रव्यान्तरवासकस्वभावत्वाच्च द्वितीयसमय एव मन्थानापत्तिरिति, अचित्तमहास्कन्धोऽपि वैश्रसिकत्वात् पराघाताभावाच्च चतुभिरेव पूरयति, न चैवं शब्द इति, सर्वत्रानुश्रेणिगमनात्, इत्यलमतिविस्तरेण, गमनिकामात्रमेवैतत् प्रस्तुतमिति । यदुक्तं-'लोकस्य च कतिभागे कतिभागो भवति भाषायाः' इति, तत्रेदमुच्यते-'लोकस्य च' क्षेत्रगणितमपेक्ष्य 'चरमान्ते' असंख्येयभागे 'चरमान्तः' असंख्येयभागो भवति 'भाषायाः' समग्रलोकव्यापिन्याः રૂતિ થાર્થ: I સમયે જ પૂરણ થશે. એવું માનવામાં શો વાંધો આવે ? ટીકાકાર : ના, એમ ઘટે નહીં, કારણ કે કેવલિસમુદ્ધાતમાં આત્મપ્રદેશો પોતે જ સંપૂર્ણ , . લોકમાં વ્યાપે છે પણ તે આત્મપ્રદેશથી વાસિત થઈ કોઈ અન્ય લોકને પૂરતું નથી, કારણ કે કેવલિસમુદ્યત સકર્મક જીવના વ્યાપાર છે. તેથી ત્યાં બીજા સમયે માત્ર કપાટની જ રચના થઈ શકે જયારે અહીં તો શબ્દદ્રવ્યો અનુશ્રેણિમાં ગમન કરતા હોવાથી અને અન્યદ્રવ્યોને વાસિત કરવાનો સ્વભાવ હોવાથી અહીં બીજા સમયે જ મળ્યાન માનવું પડે. તેથી ત્રણ સમયમાં લોકનું પૂરણ થવાથી 15 સૂત્રવિરોધ ઊભો રહે. તેથી તમારો મત સમ્યગુ નથી. અચિત્તમાસ્કન્ધ પણ વિશ્રસાથી ઉત્પન્ન થતો હોવાથી અને તેમાં વાસકત્વનો અભાવ હોવાથી તે પણ ચાર સમયે જ લોકમાં વ્યાપે છે. પણ આ રીતે શબ્દમાં ઘટી શકતું નથી, કારણ કે શબ્દ પ્રથમ સમયે દંડ થયા પછી બીજા સમયે ચારે દિશામાં અનુશ્રેણિ ગમન કરતો હોવાથી મન્થાન બની જાય છે. આમ, અન્ય આચાર્યોના મતમાં સૂત્રવિરોધ આવતો હોવાથી તે મત યોગ્ય નથી. માટે 20 વધુ ચર્ચાથી સર્યું. વ્યાખ્યા માત્ર જ અહીં પ્રસ્તુત છે. વળી પૂર્વે જે પ્રશ્ન થયો હતો કે “લોકના કેટલો ભાગમાં ભાષાનો કેટલો ભાગ વ્યાપે છે?” તેનો ઉત્તર આપે છે કે ક્ષેત્ર ગણિતને આશ્રયી લોકના અસંખ્યાતભાગમાં ભાષાનો અસંખ્યાતભાગ પૂરાય છે. | (કહેવાનો આશય એ છે કે ત્રણ સમયમાં, ચાર સમયમાં કે પાંચ સમયમાં સમસ્તલોકમાં પહોંચનારી ભાષાનો પહેલા અને બીજા સમયે લોકના અસંખ્યાતમાં ભાગમાં (ભાષાનો) અસંખ્યાતમો 25 ભાગ પહોંચે છે. અહીં ‘ક્ષેત્રગણિતને આશ્રયી' એવું કહેવા પાછળનો આશય એ છે કે લોકક્ષેત્ર અસંખ્યયપ્રદેશાત્મક હોવાથી ચતુઃસ્થાનરૂપ ગણિત જ સંભવે છે પણ અનંતભાગ કે અનંતગુણ આ બે સ્થાન સંભવતા નથી. તેથી અહીં “ચરમાન્ત' શબ્દનો અર્થ અસંખ્ય ભાગ કર્યો અનંતભાગ નહીં. અહીં વિસ્તૃત અર્થ માટે મલયગિરિ ટીકા જોવી.) I/૧૧ ११. वास्यद्रव्यसंभवः । १२. समुद्घातस्य । १३. वैश्रसिकत्वाभावात्तस्य पराघात ( वास्य). 30 द्रव्याभावरहितत्वाच्च । १४. ऊर्ध्वाधोदण्डभवनानन्तरं चतुसृषु दिक्षु अनुश्रेणि गमनात् मन्थानसंपत्तिरित्यर्थः। ૨૫. ક્ષેત્રી કાસ્થિ માત નો પ્રવેશદ્વારા લાઈનમસંધ્યેયરૂપ I + 4માવીષ્ય ૪. • Page #80 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો (નિ. ૧૨) ૫૭ 'तत्त्व-भेद-पर्यायैर्व्याख्या' इति न्यायात् तत्त्वतो भेदतश्च मतिज्ञानस्वरूपमभिधाय इदानी नानादेशजविनेयगणसुखप्रतिपत्तये तत्पर्यायशब्दान् अभिधित्सुराह - ईहा अपोह बीमंसा, मग्गणा य गवेसणा । सण्णा सई मई पण्णा, सव्वं आभिणिबोहियं ॥१२।। व्याख्या-'ईह चेष्टायां' ईहनमीहा सतामर्थानां अन्वयिनां व्यतिरेकाणां च पर्यालोचना 5 इतियावत्, अपोहनं अपोहः निश्चय इत्यर्थः, विमर्शनं विमर्शः ईहाया उत्तरः, प्रायः शिर:कण्डूयनादयः पुरुषधर्मा घटन्ते इति संप्रत्ययो विमर्शः, तथा अन्वयधर्मान्वेषणा मार्गणा, चशब्दः समुच्चयार्थः, व्यतिरेकधर्मालोचना गवेषणा, तथा संज्ञानं संज्ञा, व्यञ्जनावग्रहोत्तरकालभावी मतिविशेष इत्यर्थः, स्मरणं स्मृतिः, पूर्वानुभूतार्थालम्बन: प्रत्ययः, मननं मति:कथञ्चिदर्थपरिच्छित्तावपि सूक्ष्मधर्मालोचनरूपा बुद्धिरिति, तथा प्रज्ञानं प्रज्ञा-विशिष्टक्षयोपशमजन्या 10 प्रभूतवस्तुगतयथावस्थितधर्मालोचनरूपा मतिरित्यर्थः, सर्वमिदं आभिनिबोधिकं' मतिज्ञानमित्यर्थः, અવતરણિકા : “તત્ત્વ (સ્વરૂપ), ભેદ (પ્રકારો) અને પર્યાય વડે વસ્તુની વ્યાખ્યા થાય છે.” આ ન્યાયથી મતિજ્ઞાનનું સ્વરૂપ અને તેના પ્રકારોને કહી હવે જુદા જુદા દેશોમાં ઉત્પન્ન થયેલ શિષ્યગણને સુખેથી બોધ થાય તે માટે મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દોને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ : ઇહા, અપાય, વિમર્શ, માર્ગણા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા આ બધા મતિજ્ઞાન છે. ટીકાર્થ દ ધાતુ “ચેષ્ટા કરવી” અર્થમાં વપરાય છે, અર્થાત્ અન્વયિ એવા અર્થોની (અહીં હાથ–પગાદિ પુરુષના અવયવો ઘટતા હોવાથી આ પુરુષ હોવો જોઈએ એ રીતે અન્વય (Positive) વિચારણાથી યુક્ત પુરુષરૂપ અર્થની) અને વ્યતિરેક એવા અર્થોની (અહીં શાખા–થડાદિ સ્થાણુના 20 અવયવો ઘટતા ન હોવાથી આ સ્થાણુ હોઈ શકે નહીં.” એ પ્રમાણેની નિષેધાત્મક (Negative) વિચારણાથી યુક્ત સ્થાણુરૂપ અર્થની) પર્યાલોચના (વિચારણા) એ ઈહા કહેવાય છે. અપોહ એટલે નિશ્ચય. “પ્રાય: મસ્તકને ખણવા વગેરે પુરુષના ધર્મો ઘટે છે.” એવો ઈહા પછી થનારો વિચાર એ વિમર્શ કહેવાય છે. અન્વયધર્મોની અર્થાત્ સદ્દભૂત ધર્મોની અન્વેષણા એ માર્ગણા છે. વ્યતિરેકધર્મોની અર્થાત 25 “અસદૂભૂત ધર્મો અહીં ઘટતા નથી” એવી વિચારણા એ ગવેષણા છે તથા વ્યંજનાવગ્રહ પછી થનાર મતિવિશેષ એ સંજ્ઞા કહેવાય છે. સ્મરણ કરવું એ સ્મૃતિ અર્થાત્ પૂર્વાનુભૂત પદાર્થવિષયક પ્રતીતિ, કોઈક રીતે અર્થનો બોધ થયા પછી પણ સૂક્ષ્મધર્મની આલોચનારૂપ બુદ્ધિ એ મતિ કહેવાય છે. પ્રજ્ઞા એટલે વિશિષ્ટક્ષયોપશમથી ઉત્પન્ન થનારી, વસ્તુમાં રહેલા ઘણા બધા યથાવસ્થિત ધર્મની આલોચના, ૬. પત્થા માદ'' (ાથી રૂ) “૩૫દ રૂંદાવાઝો ''(નાથા ૨) મેના મેદ્ર- 30 નક્ષUTI ધ્યાનદ્રારા ૨ + ૦નqનgo ૨-૩-૪ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૮ મો આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एवं किञ्चिद्भेदाढ़ेदः प्रदर्शितः, तत्त्वतस्तु मतिवाचकाः सर्व एवैते पर्यायशब्दा इति गाथार्थः ૨૨IL. तत्त्वभेदपर्यायैर्मतिज्ञानस्वरूपं व्याख्यायेदानी नवभिरनुयोगद्वारैः पुनस्तद्रूपनिरूपणायेदमाह संतपयपरूवणया दव्वपमाणं च खित्त फुसणा य । कालो अ अंतरं भाग, भावे अप्पाबडं चेव ॥१३॥ व्याख्या-सच्च तत्पदं च सत्पदं तस्य प्ररूपणं सत्पदप्ररू पणं तस्य भावः सत्पदप्ररू पणता गत्यादिभिर्दारैराभिनिबोधिकस्य कर्त्तव्येति, अथवा सद्विषयं पदं सत्पदं, शेषं पूर्ववत्, आह-किमसत्पदस्यापि प्ररूपणा क्रियते ? येनेदमुच्यते 'सत्पदप्ररूपणेति', क्रियत इत्याह खरविषाणादेरसत्पदस्यापीति, तस्मात् सद्ग्रहणमिति, अथवा सन्ति च तानि पदानि 10 च सत्पदानि गत्यादीनि तैः प्ररूपणं सत्पदप्ररूपणं मतेरिति । तथा 'द्रव्यप्रमाणं' इति जीवद्रव्यप्रमाणं वक्तव्यं, एतदुक्तं भवति-एकस्मिन् समये कियन्तो मतिज्ञानं प्रतिपद्यन्त इति, सर्वे वा कियन्त इति, चः समुच्चयेः, 'क्षेत्रं' इति क्षेत्रं वक्तव्यं, कियति क्षेत्रे मतिज्ञानं આ બધા જ્ઞાન એ મતિજ્ઞાન છે. આ રીતે કંઈક ભેદ પડવાથી પરસ્પર ઈહા, અપોહાદિમાં ભેદ બતાવ્યો. ખરેખર તો મતિજ્ઞાનને કહેનારા આ બધા પર્યાયવાચી શબ્દો છે. I૧રો 15 અવતરણિકા : તત્ત્વ, ભેદ અને પર્યાય વડે મતિજ્ઞાનનું સ્વરૂપ બતાવી હવે નવ અનુયોગદ્વારો વડે પુનઃ મતિજ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહે છે કે * ગાથાર્થ : સત્પદપ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાલ, અંતર, ભાગ, ભાવ ને અલ્પબદ્ધત્વ આ નવ અનુયોગદ્વારો વડે મતિજ્ઞાનનું સ્વરૂપ કહેવાય છે. ટીકાર્ય : સત્ એવું જે પદ તે સત્પદ, તેની પ્રરૂપણા તે સત્પદપ્રરૂપણા, તેનો ભાવ તે 20 સત્પદપ્રરૂપણતા, આ સત્પદપ્રરૂપણા (આગળ ગાથા નં. ૧૪ અને ૧૫માં કહેવાતા) ગતિ વગેરે દ્વારો વડે મતિજ્ઞાનની કરવી. અથવા સત્ એવા વિષય (પદાર્થ)વાળું જે પદ તે સત્પદ, શેષ અર્થ પૂર્વની જેમ જાણવો. શંકા શું અસત્ પદાર્થવાળા પદની પણ પ્રરૂપણા કરાય છે કે જેથી તમારે “સત્પદપ્રરૂપણા" એ પ્રમાણે કહેવું પડ્યું? 25 સમાધાનઃ હા, ખરવિષાણ વગેરે અસત્પદ અથવા અસત પદાર્થવાળા પદોની પણ પ્રરૂપણા કરાય છે માટે “સ”નું ગ્રહણ કર્યું છે. અથવા સત્ (વિદ્યમાન) એવા જે પદો તે સત્પદો અર્થાત ગતિ વગેરે પદો, તેના વડે મતિજ્ઞાનની પ્રરૂપણા તે સત્પદપ્રરૂપણા. દ્રવ્યપ્રમાણ નામના બીજા દ્વારમાં એક સમયે કેટલા જીવો મતિજ્ઞાનને પામે છે ? અથવા વિવક્ષિત સમયે પ્રતિપદ્યમાન તથા પૂર્વ પામેલા એવા મતિજ્ઞાની જીવો કેટલા છે ? તેનું પ્રમાણ કહેવાશે. ક્ષેત્રદ્વારમાં કેટલા ક્ષેત્રમાં મતિજ્ઞાન १७. पुर्वं हि पदस्य सत्त्वं अत्र तु वाच्यस्येति न संभवव्यभिचाराभावेन विशेषणानर्थक्यं । 30 १८. असदर्थविषयस्य । १९. वाच्यविचारणाप्रक्रमात् । २०. मतेर्गुणत्वात् जीवाभिन्नत्वाच्च । २१. जीवद्रव्यप्रमाणस्याप्रासङ्गिकत्वापत्तेः । २२. अभेदोपचारात्तद्वान् । Page #82 -------------------------------------------------------------------------- ________________ ગત્યાદિદ્વારોમાં મતિજ્ઞાનની માર્ગણા (નિ. ૧૪-૧૫) શ્રક संभवति, 'स्पर्शना च' वक्तव्या, कियत् क्षेत्रं मतिज्ञानिनः स्पृशन्ति, आह-क्षेत्रस्य स्पर्शनायाश्च कः प्रतिविशेषः ?, उच्यते, यत्रावगाहस्तत् क्षेत्रं, स्पर्शना तु तद्वाह्यतोऽपि भवति, अयं विशेष इति, चशब्दः पूर्ववत्, कालश्च वक्तव्यः, स्थित्यादिकालः, अन्तरं च वक्तव्यं प्रतिपत्त्यादाविति, भागो वक्तव्यः, मतिज्ञानिन: शेषज्ञानिनां कतिभागे वर्तन्त इति, तथा भावो वक्तव्यः, कस्मिन् भावे मतिज्ञानिन इति, अल्पबहुत्वं च वक्तव्यं, आह-भागद्वारादेवायमर्थोऽवगतः, ततश्चालमनेनेति, न, अभिप्रायापरिज्ञानात्, इह मतिज्ञानिनामेव पूर्वप्रतिपन्नप्रतिपद्यमानकापेक्षया अल्पबहुत्वं वक्तव्यमिति समुदायार्थः । इदानीं प्रागुपन्यस्तगाथाद्वयेनाभिनिबोधिकस्य सत्पदप्ररू पणाद्वारावयवार्थः प्रतिपाद्यते, कथम् ?, अन्विष्यते 'अभिनिबोधिकज्ञानं किमस्ति नास्तीति', अस्ति, यद्यस्ति व तत् ?, गई इंदिए य कोए, जोएं वैए काय लेसासु । 10 सम्मत्तनाणदसणसंजय उवओर्ग आहारै३ ॥१४॥ હોય છે ? તે કહેવાશે. સ્પર્શનાધારમાં મતિજ્ઞાની જીવો કેટલા ક્ષેત્રને સ્પર્શે છે? તે જણાવાશે. શંકા : ક્ષેત્ર અને સ્પર્શનામાં શું ભેદ છે ? સમાધાન: મતિજ્ઞાનીનું શરીર જેટલા આકાશપ્રદેશોમાં રહેલું હોય તે ક્ષેત્ર અને સ્પર્શના તેના કરતા બહારના પ્રદેશોને પણ થાય છે એ વિશેષ (ભદ) જાણવો. કાલદ્વારમાં સ્થિતિ વગેરેનો કાલ 15 જણાવશે. અંતરદ્વારમાં પ્રતિપત્તિ વગેરેમાં અંતર કેટલું પડે ? તે જણાવશે. તથા ભાગદ્વારમાં મતિજ્ઞાનીઓ શેષજ્ઞાની કરતા કેટલા ભાગે છે? તે જણાવશે. ભાવદ્વારમાં કયા ભાવમાં મતિજ્ઞાનીઓ વર્તે છે ? તે જણાવશે. તથા અલ્પબહત્વકારમાં કોણ કોનાથી હીનાધિક છે તે જણાવશે. શંકા : અલ્બદુત્વ તો ભાગદ્વાર વડે જ જણાઈ જશે તે શા માટે જુદું દ્વાર બતાવો છો ? સમાધાન : ના, અલ્પબહુવૈદ્વારમાં મતિજ્ઞાનીઓનું જ પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનકની 20 અપેક્ષાએ અલ્પબદુત્વ બતાવશે જયારે ભાગદ્વારમાં મતિજ્ઞાની, શેષ જ્ઞાનીના કેટલામાં ભાગમાં વર્તે છે ? તે બતાવશે. ૧૩ અવતરણિકા : હવે આભિનિબોધિકજ્ઞાનનો સત્પદપ્રરૂપણારૂપ પ્રથમ અવયવાર્થ પ્રતિપાદન કરાય છે. કેવી રીતે પ્રતિપાદન કરાય છે? તે કહે છે કે, તેમાં પ્રથમ શોધવું કે આભિનિબોધિકજ્ઞાન છે કે નહીં ? ઉત્તર – છે, જો છે તો ક્યાં છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ગતિ વગેરે દ્વારોની ગાથાની 25 રચના કરતા ગ્રંથકાર કહે છે ? ગાથાર્થ : ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પ્રત્યેક, પર્યાપ્ત, સૂમ, સંશી, ભવ અને ચરિમ આ વીસ સ્થાનમાં २३. अपिनाऽवगाढक्षेत्रसमुच्चयः। २४. आदिना प्रतिपत्तिकालः सुषमादिः । २५. आदिना प्रतिपद्यमानतायाः, प्राप्तनाशोत्तरोत्पादान्तरालं प्रतिपत्त्यन्तरालं, तथान्तर्मुहूर्त्तादि वक्ष्यमाणं, उभयोः प्रतिपाद्यमान- 30 योर्द्वितीयं विरहकालोऽत्र समयादि । २६. ज्ञानादावतिदेशसुगमत्वाय तिसृणां सहोपन्यासः, यद्वा 'आभिणिबोहियनाथ मग्गिज्जइ एसु ठाणेसु'त्तिवचनात् तिसृणां गाथानामेकवाक्यतेति, सहोपन्यासः। * त्वादिः कालः १ । Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૦ આવશ્યક નિર્યુક્તિ - હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) भासंग परित्त पज्जत्त सुहुमे १७) सण्णी य होइ भव चरिमे । आभिणिबोहिअनाणं, मग्गिज्जइ एसु ठाणेसु ॥१५॥ तत्र 'गताविति' गतिमङ्गीकृत्यालोच्यते, सा गतिश्चतुर्विधा-नारकतिर्यङ्नरामरभेदभिन्ना, तत्र चतुष्प्रकारायामपि गतौ आभिनिबोधिकज्ञानस्य पूर्वप्रतिपन्ना नियमतो विद्यन्ते, प्रतिपद्यमानास्तु 5 विवक्षितकाले भाज्याः, कदाचिद्भवन्ति कदाचिन्नेति, तत्र प्रतिपद्यमाना अभिधीयन्ते ते ये तत्प्रथमतयाऽऽभिनिबोधिकं प्रतिपद्यन्ते. प्रथमसमय एव. शेषसमयेष त पर्वप्रतिपन्ना एव भवन्ति १ । तथा 'इन्द्रियद्वारे' इन्द्रियाण्यङ्गीकृत्य मृग्यते, तत्र पञ्चेन्द्रियाः पूर्वप्रतिपन्नाः नियमतः सन्ति, प्रतिपद्यमानास्तु विकल्पनीया इति, द्वित्रिचतुरिन्द्रियास्तु पूर्वप्रतिपन्नाः संभवन्ति, न तु प्रतिपद्यमानाः, एकेन्द्रियास्तु उभयविकलाः २। तथा 'काय इति' कायमङ्गीकृत्य 10 विचार्यते, तत्र त्रसकाये पूर्वप्रतिपन्ना नियमतो विद्यन्ते, इतरे तु भाज्या:, शेषकायेषु च . पृथिव्यादिषु उभयाभाव इति ३ । तथा 'योग इति' त्रिषु योगेषु समुदेति पञ्चेन्द्रियवद्वक्तव्यं, આભિનિબોધિકજ્ઞાનની વિચારણા થાય છે. ટીકાર્થ : (૧) ગતિવાર : પ્રથમ ગતિને આશ્રયી મતિજ્ઞાન કઈ ગતિમાં હોય છે ? તે વિચારેય છે. તે ગતિ નારક, તિર્યચ, નર, દેવના ભેદથી ચાર પ્રકારે છે. આ ચારે ગતિમાં મતિજ્ઞાનના 15 પૂર્વપ્રતિપન્ન જીવો નિયમથી હોય છે અને પ્રતિપદ્યમાનની વિવક્ષિત સમયે ભજના જાણવી, અર્થાત વિવક્ષિત સમયે ક્યારેક હોય ક્યારેક ન હોય. તેમાં પ્રતિપદ્યમાન તરીકે તે કહેવાય છે કે જેઓ પ્રથમવાર આભિનિબોધિકજ્ઞાનને પામતા હોય છે. તેથી તે પ્રતિપદ્યમાન આભિનિબોધિકજ્ઞાનની પ્રાપ્તિના પ્રથમ સમયે જ હોય છે. પ્રાપ્તિ પછીના બીજા ત્રીજા વિગેરે શેપ સમયમાં પૂર્વપ્રતિપન્ન કહેવાય છે. 20. (૨) ઇન્દ્રિયદ્વાર : પંચેન્દ્રિય જીવો પૂર્વપ્રતિપન્ન નિયમથી હોય છે જયારે પ્રતિપદ્યમાનમાં ભજના પૂર્વની જેમ જાણવી. વિકલેન્દ્રિયમાં પૂર્વ પ્રતિપન્ન સંભવે છે. (લબ્ધિપર્યાપ્ત એવા વિકસેન્દ્રિયજીવોને કરણ-અપર્યાપ્ત અવસ્થામાં પૂર્વભવનું સાસ્વાદન સમ્યકત્વ ગુણસ્થાનક માન્યું હોવાથી પૂર્વપ્રતિપન્ન જીવો વિકલેન્દ્રિયમાં હોઈ શકે છે) પણ પ્રતિપદ્યમાન હોય નહીં. અને એકેન્દ્રિયમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બંને હોતા નથી. (સિદ્ધાંતના મતે એકેન્દ્રિયમાં 25 સાસ્વાદન ગુણસ્થાનક માન્યું ન હોવાથી). (૩) કાયદ્વાર : ત્રસકાયમાં પૂર્વ પ્રતિપન્ન નિયમથી હોય છે. પ્રતિપદ્યમાનની ભજન જાણવી. અને પૃથિવી વગેરે રોષકાયમાં ઉભયાભાવ હોય છે. (૪) યોગદ્વાર : ત્રણ યોગ સમુદિત (ભેગા હોય) હોય એવા જીવોમાં પંચેન્દ્રિયની જેમ, મન २७. द्वारगाथयोः द्वारेषु विंशतौ । २८. छद्मस्थप्ररूपकापेक्षया चेदं, सर्वज्ञानां तु निश्चिते एव 30 प्रतिपद्यमानतेतरे । २९. विवक्षितलब्य्युपयोगस्थित्यपेक्षया, न त्वपूर्वावाप्त्यपेक्षया । ३०. स्थित्यपेक्षया। ३१. लब्धिपर्याप्तानां, करणापर्याप्तावस्थायां भवान्तरासादितसासादनसम्यक्त्वसद्भावसंभवात् । ३२. सहचरितेषु, प्रत्येकस्याग्रे वक्ष्यमाणत्वात् । Page #84 -------------------------------------------------------------------------- ________________ વેદાદિદ્વારોમાં મતિજ્ઞાનની માગણા (નિ. ૧૪-૧૫) ૬૧ मनोरहितवाग्योगेषु विकलेन्द्रियवत्, केवलकाययोगे तूभयाभाव इति" ४ । तथा 'वेद इति' त्रिष्वपि वेदेषु विवक्षितकाले पूर्वप्रतिपन्ना अवश्यमेव सन्ति, इतरे तु भाज्या इति ५ । तथा 'कषाय इति द्वारं' कषायाः क्रोधमानमायालोभाख्या: प्रत्येकमनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानावरणसंज्वलनभेदभिन्ना इति, तत्राद्येषु अनन्तानुबन्धिषु क्रोधादिषूभयाभाव इति, शेषेषु तु पञ्चेन्द्रियवद् योज्यम् ६ । तथा 'लेश्यासु' चिन्त्यते, तत्र श्लेषयन्त्यात्मानमष्टविधेन कर्मणा 5 इति लेश्या:-कायाद्यन्यतमयोगवतः कृष्णादिद्रव्यसंबन्धादात्मनः परिणामा इत्यर्थः, तत्रोपरितनीषु तिसृषु लेश्यासु पञ्चेन्द्रियवद्योजनीयं इति, आद्यासु तु पूर्वप्रतिपन्नाः संभवन्ति, नत्वितर इति ७। तथा 'सम्यक्त्वद्वारं' सम्यग्दृष्टिः किं पूर्वप्रतिपन्नः किं वा प्रतिपद्यमानक इति, अत्र व्यवहारनिश्चयाभ्यां विचार इति, तत्र व्यवहारनय आह-सम्यग्दृष्टिः पूर्वप्रतिपन्नो न प्रतिपद्यमानक: आभि निबोधिकज्ञानलाभस्य, सम्यग्दर्शनमतिश्रुतानां युगपल्लाभात्, आभिनिबोधिकप्रतिपत्त्यन- 10 वस्थाप्रसङ्गाच्च । निश्चयनयस्त्वाह-सम्यग्दृष्टिः पूर्वप्रतिपन्नः प्रतिपद्यमानश्च आभिनिबोधिकરહિત શેપ છે જોગવાળામાં વિકસેન્દ્રિયની જેમ. તથા માત્ર કાયયોગમાં ઉભયાભાવ જાણવો. (૫) વેદવાર : વિવલિત કોલે ત્રણે વેદોમાં પૂર્વ પ્રતિપન્ન અવશ્ય હોય છે. પ્રતિપદ્યમાનની ભજનો છે. (૬) કવાયદ્વાર : ચાર કષાયો અનંતાનુબંધી વગેરે ચાર ભેદવાળા હોવાથી ૧૬ પ્રકારે છે. 15 તેમાં અનંતાનુબંધિ ચારે કપાયોમાં ઉભયાભાવ જાણવો. તથા શેષ અપ્રત્યાખ્યાનીયાદિમાં પંચેન્દ્રિયની જેમ જાણવું. (૭) લેશ્યા : આઠ પ્રકારના કર્મોની સાથે આત્માને જે ચોટાડે તે વેશ્યા અર્થાત કાયાદિ ત્રણમાંથી કોઈપણ યોગવાળા જીવનો કૃષ્ણાદિ દ્રવ્યલેશ્યાના સંબંધથી ઉત્પન્ન થયેલ પરિણામ લશ્યા છે. છેલ્લા ત્રણ વેશ્યાઓમાં પંચેન્દ્રિયની જેમ જાણવું. અને પ્રથમ ત્રણ લેગ્યામાં પૂર્વપ્રતિપન્ન સંભવે 20 છે પણ પ્રતિપદ્યમાન સંભવતા નથી. . (૮) સમ્યક્તદ્વાર : સમ્યગ્દષ્ટિ જીવ મતિજ્ઞાનનો પૂર્વપ્રતિપન્ન છે કે પ્રતિપદ્યમાન છે ? આ પ્રશ્નનો ઉત્તર વ્યવહાર અને નિશ્ચયનય બંને દ્વારા વિચારાય છે. વ્યવહારનયઃ સમ્યગદર્શન. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ત્રણ એકસાથે પ્રાપ્ત થતાં હોવાથી સમ્યગદૃષ્ટિ જીવ પૂર્વપ્રતિપન્ન હોય છે પણ પ્રતિપદ્યમાન હોઈ શકે નહીં, નહીં તો અનવસ્થા ઊભી થશે, તે આ 25 પ્રમાણે કે-તમે એમ કહો કે સમ્યક્ત્વી મતિજ્ઞાનને પામી રહ્યો છે. તો પોતે સમ્યક્ત્વી હોવાથી મતિજ્ઞાની તો છે જ. તેથી મતિજ્ઞાની મતિજ્ઞાનને પામી રહ્યો છે એમ કહેવું પડે તો પછી બીજા–ત્રીજા સમયે પણ મતિજ્ઞાનન પામી રહ્યાની અનવસ્થા ઊભી થાય તેથી પ્રતિપદ્યમાન ઘટતો નથી. નિશ્ચયનય : સમ્યગ્દષ્ટિ મતિજ્ઞાનના લાભનો પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન પણ હોય છે, રૂ૩. વિકલ્લેસાસનિષ્ણુપયાપિ પુષ્યિનગુપમત્તિી | ૨૪. સાસ્થાનત્ર- 30 स्याल्पत्वादविवक्षेति मलधारिपादाः । ३५. शेषाणां पूर्वप्रतिपन्नत्वात् प्रतिपद्यमानत्वे भजना, पूर्वमवाप्याधुना तदपयोगे तल्लब्यौ वा वर्तमाना अत्र प्रतिपन्नत्वेन ग्राह्या न त प्रतिपद्य उज्झितवन्तस्ते । * नेदं ५-६ । હું ૨-૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨ જ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાપાતર (ભાગ-૧) ज्ञान लाभस्य, सम्यग्दर्शनसहायत्वात्, क्रियाकालनिष्ठाकालयोरभेदात्, भेदे च क्रियाऽभावाविशेषात् पूर्ववद्वस्तुनोऽनुत्पत्तिप्रसङ्गात्, न चेत्थं तत्प्रतिपत्त्यनवस्थेति ८। तथा 'ज्ञानद्वारं' तत्र ज्ञानं पञ्चप्रकारं, मतिश्रुतावधिमन:पर्यायकेवलभेदभिन्नं इति, अत्रापि व्यवहारनिश्चयनयाभ्यां विचार इति, तत्र व्यवहारनयमतं-मतिश्रुतावधिमन:पर्यायज्ञानिनः पूर्वप्रतिपन्ना न त प्रतिपद्यमानका 5 इति, मत्यादिलाभस्य सम्यग्दर्शनसहचरितत्वात्, केवली तु न पूर्वप्रतिपन्नो नापि प्रतिपद्यमानकः, तस्य क्षायोपशमिकज्ञानातीतत्वात्, तथा मत्यज्ञानश्रुताज्ञानविभङ्गज्ञानवन्तस्तु विवक्षितकाले प्रतिपद्यमाना भवन्ति, न तु पूर्वप्रतिपन्ना इति । निश्चयनयमतं तु मतिश्रुतावधिज्ञानिनः पूर्वप्रतिपन्ना नियमतः सन्ति, प्रतिपद्यमाना अपि सम्यग्दर्शनसहचरितत्वात् मत्यादिलाभस्य संभवन्तीति, क्रियाकालनिष्ठाकालयोरभेदात्, मन:पर्यायज्ञानिनस्तु पूर्वप्रतिपन्ना एव, न प्रतिपद्यमानकाः, | (0 કારણ કે મતિજ્ઞાનની પ્રાપ્તિ સમ્યગ્દર્શનની સહાયથી થાય છે. નિશ્ચયનય ક્રિયાકાળ અને નિઠાકાળનો અભેદ માને છે. (આશય એ છે કે જીવનો સમ્યગદર્શનની પ્રાપ્તિનો કાળ એ ક્રિયાકાળ છે અને પ્રાપ્તિ થઈ જવાનો કાળ નિહાકાળ છે. જીવ જયારે સમ્યગદર્શનની પ્રાપ્તિ કરી રહ્યો હોય છે ત્યારે જ આ નય ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ વચ્ચે અભેદ હોવાથી આ જીવને સમ્યગૃષ્ટિ તરીકે ઉલ્લેખે છે તેથી આ નય એમ કહેશે કે સમ્યગૃષ્ટિ જીવ સમ્યગદર્શનને પામે છે, નહીં કે મિત્કાવી 15 સમ્યગ્રદર્શનને પામે છે. એ જ રીતે “સમ્યગૃષ્ટિ જીવ મતિજ્ઞાનને પામી રહ્યો છે.” એવું કહેવાય.) જો ક્રિયાકાળ–નિષ્ઠાકાળનો ભેદ હોય તો, નિષ્ઠાકાળે ક્રિયા નથી'એમ માનવું પડે. તો જેમ ક્રિયા થતાં પૂર્વે વસ્તુ ઉત્પન્ન થતી નથી – કારણ કે ક્રિયા નથી; તેમ નિષ્ઠાકાળે પણ વસ્તુ ઉત્પન્ન થતી નથી, કારણ કે ક્રિયા નથી, એમ માનવું પડે, અને તો વસ્તુ ક્યારેય ઉત્પન્ન જ નહીં થાય. વળી ક્રિયાકાળ–નિષ્ઠાકાળનો અભેદ હોવાથી; પૂર્વે કહેલ અવસ્થા પણ નહીં આવે, કારણ કે ફરી ક્રિયા 20 જ ન હોવાથી ફરી પ્રાપ્તિ નહીં થાય. (૯) જ્ઞાનદ્વાર : મતિકૃતાદિ પાંચ ભેદોથી જ્ઞાન પાંચ પ્રકારે છે. અહીં પણ વ્યવહાર અને નિશ્ચયનય વડે વિચારણા કરાય છે. વ્યવહારનય : મતિ વગેરેની પ્રાપ્તિ સમ્યગદર્શનની સાથે થનારી હોવાથી મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યાયજ્ઞાનીઓ પૂર્વપ્રતિપન્ન હોય છે પણ પ્રતિપદ્યમાન હોતા નથી. અને કેવલજ્ઞાની 25 લાયોપથમિકજ્ઞાનથી અતીત હોવાથી પ્રતિપદ્યમાન કે પૂર્વપ્રતિપન્ન હોતા નથી. તથા મતિ-અજ્ઞાન. સુત-અજ્ઞાન અને વિભગજ્ઞાનીઓ વિવાલિતકાલે પ્રતિપદ્યમાન હોય છે પણ પૂર્વપ્રતિપન્ન હોતા નથી. નિશ્ચયનય : મતિ, શ્રત અને અવધિજ્ઞાનીઓ પૂર્વપ્રતિપન્ન નિયમથી હોય છે તથા સમ્યગદર્શનની સહાય હોવાથી અને ક્રિયાકાળ–નિષ્ઠાકાળનો અભેદ હોવાથી પ્રતિપદ્યમાન પણ હોય છે. મન:પર્યાયજ્ઞાનીઓ પૂર્વપ્રતિપન્ન જ હોય છે. પ્રતિપદ્યમાન સંભવી શકતા નથી, કારણ કે 30 : નામી ૨-૩-૬-૬. * વાસ્તુતો. -૬ (I) મલધારીય હેમચન્દ્રસૂરિજીની ટિપ્પણીમાં આ પદાર્થ જણાવેલ છે. તે ટિપ્પણી પરિશિષ્ટ નં. ૧માં આપેલી છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૩ દર્શનાદિ દ્વારોમાં મતિજ્ઞાનની માર્ગણા (નિ. ૧૪-૧૫) तस्य च भावयतेरेवोत्पत्तेः, केवलिनां तूभयाभाव इति । मत्याद्यज्ञानवन्तस्तु न पूर्वप्रतिपन्ना 'नापि प्रतिपद्यमानकाः, प्रतिपत्तिक्रियाकाले मत्याद्यज्ञानाभावात्, क्रियाकालनिष्ठाकालयोश्चाभेदात्, अज्ञानभावे च प्रतिपत्तिक्रियाऽभावात् ९ । इदानीं 'दर्शनद्वारं', तद्दर्शनं चतुर्विधं चक्षुरचक्षुस्वधिकेवलभेदभिन्नं, तत्र चक्षुर्दर्शनिनः अचक्षुर्दर्शनिनश्च, किमुक्तं भवति ? – दर्शनलब्धिसम्पन्ना न तु दर्शनोपयोगिन इति 'सव्वाओ लद्धीओ सागारोवओगोवउत्तस्स उप्पज्जइ' इति वचनात्, 5 पूर्वप्रतिपन्ना नियमतः सन्ति प्रतिपद्यमानास्तु विवक्षितकाले भाज्या:, अवधिदर्शनिनंस्तु धूर्वप्रतिपन्ना एवं, न तु प्रतिपद्यमानकः, केवलदर्शनिनस्तूभयविकली इति १० । 'संयत इति મન યંત્રજ્ઞાન ભાવતિને જ થઈ શકે છે. (તેથી મન:પર્યવજ્ઞાન થયા પછી મતિજ્ઞાન આવતું હોય તો પ્રપદ્યમાન મળે પણ એવું બનતું નથી.) કેવલીઓમાં ઉભયાભાવ જાણવો. મતિ વગેરે અજ્ઞાની જીવોમાં પણ ઉભયાભાવ છે, કારણ કે મતિજ્ઞાનની પ્રાપ્તિ જ્યારે થઈ રહી હોય છે ત્યારે આ નય 10 ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક હોવાથી આ જીવને સમ્યક્ત્વી જ માને છે પણ મિથ્યાત્વી નહીં. તેથી માંત—અજ્ઞાની મતિજ્ઞાનને પામી રહ્યો છે એવું બોલી શકાય નહીં, પણ મતિજ્ઞાની (સમ્યક્ત્વી) મતિજ્ઞાનને પામી રહ્યો છે એવું આ નય માને છે. તથા આ નયના મતે અજ્ઞાન અવસ્થામાં જ્ઞાનની પ્રાપ્તિક્રિયા સંભવિત નથી. તેથી મતિઅજ્ઞાની વગેરે પ્રતિપદ્યમાન કે પૂર્વપ્રતિપક્ષ મળે નહીં. (૧૦) દર્શનદ્વાર : ચક્ષુ, અચક્ષુ, અવિધ અને કેવલ એમ ચાર પ્રકારે દર્શન છે. તેમાં ચક્ષુદર્શી 15 અને અચક્ષુદર્શી જીવો પૂર્વપ્રતિપન્ન નિયમથી હોય છે અને પ્રતિપદ્યમાન તો વિવક્ષિતકાલે ભાજ્ય છે અર્થાત્ વિધિ તકાલે કોઈ ચક્ષુદર્શી કે અચક્ષુદર્શી જીવો મતિજ્ઞાનને પ્રાપ્ત કરતા હોય અથવા ન પણ કરતા હોય. અહીં એટલું ધ્યાંન રાખવું કે “બધી જ લબ્ધિઓ સાકારોપયોગમાં ઉપયુક્ત જીવને ઉત્પન્ન થાય છે.” આવો નિયમ હોવા થી અહીં “ચક્ષુદર્શી મતિજ્ઞાનરૂપ લબ્ધિને પામી રહ્યો છે.” આવું જ્યારે 2) બાલીએ ત્યારે ચક્ષુદર્શી જીવ તરીકે દર્શનલબ્ધિથી યુક્ત જીવ લેવો પણ દર્શનોપયોગમાં ઉપયુક્ત એવો ચક્ષુદર્શી જીવ લેવો નહીં, કારણ કે આ જીવ જ્યારે દર્શનોપયોગવાળો હોય ત્યારે અનાકારોપયોગ હોવાથી મતિજ્ઞાનરૂપ લબ્ધિ પ્રાપ્ત થાય નહીં, પણ જ્યારે જ્ઞાનોપયોગવાળો હોય ત્યારે જ મતિજ્ઞાનને પામી શકે. તેથી દર્શનલબ્ધિથી યુક્ત પણ જ્ઞાનોપયોગવાળો જીવ અહીં સમજવો. અવધિદર્શનવાળા જીવો (= અવધિદર્શનની લબ્ધિવાળા નહીં, પણ અવધિદર્શનના ઉપયોગવાળા જીવો) મતિજ્ઞાનના 25 પૂર્વપ્રતિપન્ન જ હોય છે પણ પ્રતિપદ્યમાન હોય નહીં. તથા કેવલજ્ઞાનીની જેમ કેવલદ વિકલ જાણવા. ३६. विशेषेति । ३७. ज्ञानज्ञानिनोरभेदात् आभिनिबोधिकज्ञानवन्त इति बोध्यम् । ३८. साकारानाकारयोः उपयोगयौगपद्याभानात् किम्वित्यादि । ३९. एतदुपयोगवन्त न चादृताऽत एव लब्धिचिन्ता पूर्वनत् । ४० इष्टावधारणार्थत्वादेवकारस्य प्रतिपद्यमानानां निषेधायैष:, न तु मिथ्यात्ववतां अवधि-दर्शनव्यवच्छेदाय, 30 यद्वा तद्वत्सु तद्वतामवश्यंभावात् । ४१. साकारोपयोगोपयुक्तानामेव मतिज्ञानस्योत्पत्तेः । ४२. 'नट्ठमि उ છાણમથિ નાખે' કૃતિ સિદ્ધાન્તમડ઼ીત્ય । + ઉત્પદ્યન્તે ?-૨-રૂ-બ-૬ । નાસ્તીમ્ -૬ । Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) द्वारं', संयतः पूर्वप्रतिपन्नो न प्रतिपद्यमान इति ११ । 'उपयोगद्वारं' स च द्विधा - साकारोऽनाकारश्च, तत्र साकारोपयोगिनः पूर्वप्रतिपन्ना नियमतः सन्ति, प्रतिपद्यमानास्तु विवक्षितकाले भाज्या इति, अनाकारोपयोगिनस्तु पूर्वप्रतिपन्ना एव न प्रतिपद्यमानकाः १२ । अधुना 'आहारकद्वारं', आहारका: पूर्वप्रतिपन्ना नियमतः सन्ति प्रतिपद्यमानास्तु विकल्पनीया विवक्षितकाल इति, 5 अनाहारकास्तु अपान्तरालगतौ पूर्वप्रतिपन्नाः संभवन्ति, न तु प्रतिपद्यमानका इति १३ । तथा 'भाषक इति द्वारं', तत्र भाषालब्धिसंपन्ना भाषकाः, ते* भाषमाणा अभाषमाणा वा पूर्वप्रतिपन्न नियमतः सन्ति प्रतिपद्यमानास्तु विवक्षितकाले भजनीया इति, तल्लब्धिशून्याश्चोभयविकला इति १४ । 'परीत्त इति द्वारं', तत्र परीत्ताः प्रत्येकशरीरिणः, ते पूर्वप्रतिपन्ना नियमतः सन्ति, प्रतिपद्यमानास्तु विवक्षितकाले भाज्या इति, साधारणास्तु उभयविकला इति १५ । 'पर्याप्तक 10 इति द्वारे' तत्र षड्भिराहारादिपर्याप्तिभिर्ये पर्याप्तास्ते पर्याप्तकाः, ते पूर्वप्रतिपन्ना नियमतो विद्यन्ते, विवक्षितकाले प्रतिपद्यमानास्तु भजनीया इति, अपर्याप्तकास्तु षट्पर्याप्त्यपेक्षा पूर्वप्रतिपन्नाः संभवन्ति, न त्विंतरे १६ । 'सूक्ष्म इति द्वारं', तत्र सूक्ष्माः खलूभयविकलाः, (૧૧) સંયતદ્વાર : સંયતો પૂર્વપ્રતિપન્ન જ હોય છે. પ્રતિપદ્યમાન નહીં. (૧૨) ઉપયોગદ્વાર : ઉપયોગ બે પ્રકારે છે સાકાર અને નિરાકાર – તેમાં સાકારોપયોગી 15 જીવો પૂર્વપ્રતિપત્ર નિયમથી હોય છે અને પ્રતિપદ્યમાનની વિવક્ષિતકાલે ભજના હોય છે. નિરાકારોપયોગી જીવો માત્ર પૂર્વપ્રતિપક્ષ જ હોય છે, પ્રતિપદ્યમાન હોતા નથી. (૧૩) આહારકદાર : આહારક જીવો પૂર્વપ્રતિપક્ષ નિયમથી હોય, પ્રતિપદ્યમાન વિકલ્પે હોય. અને અનાહારક જીવો અપાંતરાલગતિમાં પૂર્વપ્રતિપક્ષ સંભવી શકે છે અર્થાત્ સમ્યકૃત્વસહિત એકભવમાંથી અન્યભવમાં જતા જીવો અપાંતરાલગતિમાં પૂર્વપ્રતિપક્ષ હોય 20 છે. પ્રતિપદ્યમાન હોય નહીં. (૧૪) ભાષકાર : ભાષાલબ્ધિથી યુક્ત જીવો ભાષક તરીકે જાણવા. આવા જીવો વિવક્ષિત કાલે બોલતા હોય કે બોલતા ન પણ હોય તેવા ભાષકોમાં મતિજ્ઞાનના પૂર્વપ્રતિપક્ષ નિયમથી હોય છે જ્યારે પ્રતિપદ્યમાન ભાય હોય છે. ભાષાલબ્ધિથી શૂન્ય જીવો (એકેન્દ્રિયો) ઉભયવિકલ જાણવા. (૧૫) પરિત્તદ્વાર ઃ પ્રત્યેકશરીરવાળા જીવો પરિત્ત કહેવાય છે. મતિજ્ઞાનને પૂર્વે પામેલા 25 એવા પ્રત્યેકશરીરી જીવો નિયમથી હોય છે. જ્યારે પ્રત્યેકશરીરી જીવોમાં મતિજ્ઞાનને પામી રહ્યા હોય એવા વિવક્ષિતકાલે હોય અથવા ન હોય. સાધારણજીવો ઉભયવિકલ જાણવા. (૧૬) પર્યાપ્તદ્વાર : આહારાદિ છ પર્યાપ્તિઓથી પૂર્ણ જીવો પર્યાપ્ત કહેવાય છે. આવા પર્યાપ્ત જીવોમાં મતિજ્ઞાનના પૂર્વપ્રતિપક્ષ જીવો અવશ્ય હોય છે. પ્રતિપદ્યમાન ભજનીય જાણવા. છ પર્યાપ્તિઓ હજુ જેને પૂરી થઈ નથી એવા અપર્યાપ્તજીવોમાં પૂર્વપ્રતિપક્ષ સંભવે છે. ઈતર નથી 30 હોતા. ४३. संज्ञिपञ्चेन्द्रियाणां षण्णां पर्याप्तीनां संभवात्, तत्र चावश्यंभावात्तस्य । ४४. प्रतिपद्यमानकाः । * તેમાં ૨ । Page #88 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્માદિલારોમાં મતિજ્ઞાનની માગણા (નિ. ૧૪-૧૫) Is • ૬૫ बादरास्तु पूर्वप्रतिपन्ना नियमतः सन्ति, इतरे तु विवक्षितकाले भाज्या इति १७ । तथा 'संज्ञिद्वारं' तत्रेह दीर्घकालिक्युपदेशेन संज्ञिनः प्रतिगृह्यन्ते, ते च बादरवद्वक्तव्याः, असंज्ञिनस्तु पूर्वप्रतिपन्नाः संभवन्ति, न त्वितर इति १८ । 'भव इति द्वारं', तत्र भवसिद्धिकाः संज्ञिवद्वक्तव्याः, अभवसिद्धिकास्तूभयशून्या इति १९ । 'चरम इति द्वारं', चरमो भवो भविष्यति यस्यासों अभेदोपचाराच्चरम इंति, तत्र इत्थंभूताः चरमाः पूर्वप्रतिपन्ना नियमतः सन्ति, इतरे तु भाज्याः, 5 अचरमास्तू भयविकलाः, उत्तरार्धं तु व्याख्यातमेव । कृता सत्पदप्ररू पणेति, साम्प्रतं आभिनिबोधिकजीवद्रव्यप्रमाणमुच्यते-तत्र प्रतिपत्तिमङ्गीकृत्य विवक्षितकाले कदाचिद् भवन्ति कदाचिन्नेति, यदि भवन्ति जघन्यत एको द्वौ त्रयो वा, उत्कृष्टतस्तु क्षेत्रपल्योपमासंख्येयभागप्रदेशराशितुल्या इति, पूर्वप्रतिपन्नास्तु जघन्यतः क्षेत्रपल्योपमासंख्येयभागप्रदेशराशिपरिमाणा एव, उत्कृष्टतैस्तु एभ्यो विशेषाधिका इति । उक्तं द्रव्यप्रमाणं, इदानीं 'क्षेत्रद्वार', तत्र नानाजीवान् 10 एकजीवं चाङ्गीकृत्य क्षेत्रमुच्यते. तत्र सर्व एवाभिनिबोधिकज्ञानिनो लोकस्य असंख्येयभागे (૧) સમદ્વાર : સમજીવો ઉભયવિકલ જાણવા, બાદરજીવોમાં પૂર્વ પ્રતિપન્ન નિયમથી હોય છે ઇતર ભજનીય જાણવા. (૧૮) સંજ્ઞીદ્વાર : અહી દીર્ઘકાલિકીસંજ્ઞાવાળા જીવો સંજ્ઞી તરીકે જાણવા અને તેઓ બાદર જીવોની જેમ જાણવા. અસંજ્ઞીજીવોને (ઇન્દ્રિયદ્વારમાં સાસ્વાદનસમકિતી જીવોની જેમ કરણ-અપર્યાપ્ત 15 અવસ્થામાં) પૂર્વભવિક એવું મતિજ્ઞાન સંભવિત હોવાથી પૂર્વપ્રતિપન્ન સંભવે છે, ઈતર નહીં. (૧૯) ભવદ્યાર : ભવસિદ્ધિકો = ભવ્યજીવો સંજ્ઞીની જેમ જાણવા. અભવસિદ્ધિકો ઉભયશુન્ય છે . (૨૦) ચરમદ્વાર : જેમનો ચરમભવ થવાનો છે (અર્થાત્ મોક્ષ થવાનો છે) તેવા જીવો ચરમભવ અને ચરમભવવાળા જીવો વચ્ચે અભેદ ઉપચાર કરવાથી ચરમભવ તરીકે જાણવા. તેવા 20 ચરમજીવો પૂર્વપ્રતિપન્ન નિયમથી હોય છે. ઇતરમાં ભજના છે. અચરમજીવો ઉભયથી શૂન્ય છે. આ પ્રમાણે મૂળ ગાથા ૧૪ અને ૧૫માં બતાવેલા દ્વારો પૂરા કર્યા અને ૧૫મી ગાથાના ઉત્તરાર્ધની પૂર્વે જ વ્યાખ્યા કરી દીધી છે. આમ સત્પદપ્રરૂ દ્રવ્યપ્રમાણ : હવે મતિજ્ઞાનને પામનારા કે પામી ચૂકેલા જીવોની સંખ્યા બતાવે છે. તેમાં મતિજ્ઞાનને પામનારા જીવો વિવક્ષિતકાળે ક્યારેક હોઈ શકે અથવા ન પણ હોય. અને જો હોય તો 25 જઘન્યથી એક, બે, અથવા ત્રણ તથા ઉત્કૃષ્ટથી ક્ષેત્રપલ્યોપમના અસંખ્યયભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલી સંખ્યાવાળા જીવો હોય છે. પૂર્વપ્રતિપન્નજીવો જઘન્યથી ક્ષેત્રપ.ના અસંખ્ય ભાગના પ્રદેશરાશ જેટલા અને ઉત્કૃષ્ટથી તેનાં કરતા વિશેષાધિક જાણવા. આ પ્રમાણે દ્રવ્યપ્રમાણ નામનું બીજુ દ્વાર પૂરું થયું. ક્ષેત્રદ્વાર : અહીં સર્વ અને એક જીવને આશ્રયીને ક્ષેત્ર કહેવાય છે. તેમાં બધા જ મતિજ્ઞાનીનો 30 ४५. भव्या इत्यर्थः ४६. जातिभव्यव्यवच्छेदः फलं द्वारपार्थक्यस्य । ४७. 'आभिणिबोहियनाणं मग्गिज्जइ एसु ठाणेसु' त्ति तृतीयगाथोत्तरार्धलक्षणं । * स्त्वेतेभ्यो २-४ स्तु तेभ्यो १ । Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૬ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) वर्त्तन्ते, एकजीवस्तु ईलिकागत्या गच्छन्नूर्ध्वं अनुत्तरसुरेषु सप्तसु चतुर्दशभागेषु वर्त्तते, तेभ्यो वाऽऽगच्छन्निति, अधस्तु षष्ठीं पृथ्वीं गच्छंस्ततो वा प्रत्यागच्छन् पञ्चसु सप्तभागेषु इति, नातः परमध: क्षेत्रमस्ति, यस्मात् सम्यग्दृष्टेः अधः सप्तमनरकगमनं प्रतिषिद्धमिति, आह- अधः सप्तमनरकपृथिव्यामपि सम्यग्दर्शनलाभस्य प्रतिपादितत्वात् आगच्छतः पञ्चसप्तभागाधिक5ક્ષેત્રસંભવ કૃતિ, અત્રો—તે, તĖયુ ં, સપ્તમનરાત્ મય્યદ મનસ્યાવમાવાત્, થમ્?, यस्मात् नत उद्धृतास्तिर्यक्ष्वेवागच्छन्तीति प्रतिपादितं, अमरनारकाश्च सम्यग्दृष्टयो मनुष्येष्वेव, इत्यलं प्रसङ्गेन प्रकृतं प्रस्तुमः । 'स्पर्शनाद्वारं' इदानीं, इह यत्रावगाहस्तत् क्षेत्रमुच्यते, स्पर्शना तु ततोऽतिरिक्ता अवगन्तव्या यथेह परमाणोरेकप्रदेशं क्षेत्रं सप्तप्रदेशा च स्पर्शनेति । तथा ભેગા કર્યો તો લોકનો અસંખ્યેયભાગ પૂરાય. તથા એક જીવ અહીંથી ઉપર અનુત્તરદેવલોકમાં 10 ઈલિકાગતિથી જાય ત્યારે અર્થાત્ અહીંથી અનુત્તરદેવલોક સુધી મરણ સમયે પોતાના આત્મપ્રદેશો ફેલાવે ત્યારે અહીંથી જતા કે ત્યાંથી આવતા મતિજ્ઞાનનું ક્ષેત્ર પ્રાપ્ત થાય. તેમાં આ લોકના ૧૪ ભાગો કરી તેમાંથી ૭ ભાગમાં આ જીવ ફેલાય છે. એટલે મતિજ્ઞાનનું ૭ રાજ પ્રમાણ ઊર્ધ્વક્ષેત્ર પ્રાપ્ત થાય છે. એ જ રીતે નીચે છઠ્ઠી નરકમાં મનુષ્યલોકમાંથી જતા કે ત્યાંથી અહીં આવતા જીવની અપેક્ષાએ અધોલોકમાં પાંચ રાજ પ્રમાણ ક્ષેત્ર થાય છે. (તે આ રીતે કે અધોલોકના ૭ ભાગ કરવા તેમાં પાંચ 15 ભાગમાં આ જીવ ફેલાય છે જેનું લગભગ ૫ રાજ પ્રમાણક્ષેત્ર થાય.) સમ્યક્ત્વી જીવ નીચે છઠ્ઠી નરક સુધી જ જઈ શક્તો હોવાથી આટલું ક્ષેત્ર પ્રાપ્ત થાય છે, પણ વધુ નહીં. શંકા : નીચે સાતમી નરકમાં પણ સમ્યગ્દર્શનનો લાભ કહેલ છે તેથી ત્યાંથી અહીં આવનાર જીવની અપેક્ષાએ અધિક ક્ષેત્ર કેમ પ્રાપ્ત ન થાય ? સમાધાન : અધિક ક્ષેત્ર પ્રાપ્ત ન થાય, કારણ કે સાતમી નારકમાંથી સમ્યગ્દર્શન લઇને જીવ 20 અહીં આવતો નથી કારણ કે સાતમી નરકમાંથી નીકળેલ જીવ તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે પણ મનુષ્યમાં નહીં એ પ્રમાણે (અન્ય શાસ્ત્રમાં) પ્રતિપાદન કરેલ છે. (જો સમ્યગ્દર્શન સહિત આવતો હોય તો તિર્યંચમાં ન જ જાત, કારણ કે) સમ્યગ્દષ્ટિ દેવો અને નારકો મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તેથી સમ્યકૃત્વસહિત સાતમી નરકમાંથી નીકળનાર જીવ કોઈ મળતા નથી તેથી ઉપરોક્ત ક્ષેત્રમાન યુક્તિયુક્ત છે. માટે વધુ ચર્ચા કરવા કરતાં પ્રસ્તુત વાત ઉપર આવીએ. સ્પર્શનાકાર : જીવ જે આકાશપ્રદેશમાં રહેલો હોય તે ક્ષેત્ર કહેવાય છે. અને સ્પર્શના ક્ષેત્રથી અધિક હોય છે. જેમ કે પરમાણુ પોતે એક આકાશપ્રદેશમાં રહે છે પણ તેની સ્પર્શના સાત પ્રદેશોની હોય છે. 25 ४८. यद्यपि द्वादशयोजनान्यलोकमुशन्ति तथापि न्यूनता तावती न विवक्षिताऽत्रपेति । ४९. अधोलोकस्य सप्त भागान् कृत्वेदमुक्तं, पूर्वं चतुर्दश लोकभागा अत्र त्वधोलोकभागा इत्यत्र विवक्षैव 30 मानं, भाष्यकारादिभिस्त्वत्रापि पञ्च चतुर्दशभागाः प्रत्यपादिषत । ५० सिद्धान्तकर्मग्रन्थोभयमतेनापि वान्तसम्यक्त्वानामेव सप्तमनरकगमनाभ्युपगमात् । ५१. गमनविषयशङ्काया अयुक्तता अपिना, यद्वा तत्क्षेत्रसंभवायोग्यता सम्यग्दृष्टेरागमनायोग्यता चेति ध्वनयितुं । ५२. अधिकक्षेत्रस्य परिग्रहोऽपिना । ५३. अधिकेति । ५४. चत्वारो दिक्सत्का द्वावूर्ध्वाधोदिक्कौ एकश्चावगाहस्थानमिति सप्तप्रदेशा स्पर्शना । Page #90 -------------------------------------------------------------------------- ________________ 10 કાળાદિકારોમાં મતિજ્ઞાનની માર્ગણા (નિ. ૧૪-૧૫) & ૬૭ 'कालद्वारं', तत्रोपयोगमङ्गीकृत्य एकस्यानेकेषां चान्तर्मुहूर्त्तमात्र एव कालो भवति जघन्यत उत्कृष्टतश्च. तथा तल्लब्धिमङ्गीकृत्य एकस्य जघन्येनान्तर्मुहूर्तमेव, उत्कृष्टतस्तु षट्षष्टिसागरोपमाण्यधिकानीति, वारद्वयं विनयादिषु गतस्य अच्युते वा वारत्रयमिति, नरभवकालाभ्यधिक इति, तत ऊर्ध्वमप्रच्युतेनापवर्गप्राप्तिरेव भवतीति भावार्थः, नानाजीवापेक्षया तु सर्वकाल एवेति, न यस्मादाभिनिबोधिकलब्धिमच्छून्यो लोक इति । इदानीं 'अन्तरद्वारं', तत्रैकजीवमङ्गीकृत्य 5 आभिनिबोधिकस्यान्तरं जघन्येनान्तर्मुहूर्त, कथम् ?, इह कस्यचित् सम्यक्त्वं प्रतिपन्नस्य पुनस्तत्परित्यागे सति पुनस्तदावरणकर्मक्षयोपशमाद् अन्तर्मुहूर्त्तमात्रेणैव प्रतिपद्यमानस्येति, उत्कृष्टतस्तु आशातनाप्रचुरस्य परित्यागे सति अपार्धपुद्गलपरावर्त्त इति, उक्तं च - "तित्थगरपवयणसुयं, आयरियं गणहरं महिड्डीयं । आसौदितो बहुसो, अणंतसंसारिओ होड़ ॥१॥" । तथा मानाजीवानपेक्ष्य अन्तराऽभाव इति । 'भाग इति द्वारं' तत्र मतिज्ञानिन: शेषज्ञानिनामज्ञानिनां चानन्तभागे वर्तन्ते इति । 'भावद्वारं' इदानी, तत्र मतिज्ञानिनः क्षायोपशमिके કાળદ્વાર : મતિજ્ઞાનના ઉપયોગની અપેક્ષાએ એક કે તેથી વધુ જીવોને અંતર્મુહૂર્ત માત્ર જ કાલ જઘન્ય અને ઉત્કૃષ્ટથી જાણવો. મતિજ્ઞાનની લબ્ધિ અર્થાત મતિજ્ઞાનને આત્મામાં ટકવાનો કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક ૬૬ સાગરોપમ છે. તે આ રીતે—બે વાર વિજયાદિમાં ગયેલાને 15 અથવા ત્રણવાર અય્યત (૧૨ માં દેવ – ૨૨ સા. આયુ)માં ગયેલાને (વચ્ચેના) નરભવથી અધિક ૬૬ સાગરોપમ હોય છે. તેના પછી જો સમ્યક્તથી પડે નહીં તો મોક્ષની પ્રાપ્તિ જ થાય છે. જુદા જુદા જીવની અપેક્ષાએ આ લોક ક્યારેય મતિજ્ઞાનની લબ્ધિથી શુન્ય બનતો ન હોવાથી સર્વકાલ જાણવો. અંતરદ્વાર : એક જીવની અપેક્ષાએ વિચારીયે તો સમ્યક્ત્વનો ત્યાગ થયા પછી ફરીથી તેના આવરણભૂત કર્મોનો ક્ષયોપશમ થતાં અંતર્મહત્તમાં જ સમ્યકત્વની પ્રાપ્તિ કરનાર જીવની અપેક્ષાએ 20 મતિજ્ઞાનનો જઘન્ય અંતરકાલ અંતર્મુહૂર્ત જાણવો. તથા જેણે ઘણી આશાતનાઓ કરી હોય તેવી વ્યક્તિને સમ્યત્વ ગયા પછી ફરીથી અપાઈપુદ્ગલપરાવર્તકાળ પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હોવાથી મતિજ્ઞાનનો ઉત્કૃષ્ટ અંતરકાળ અપાર્ધપગલપરાવર્તકાળ છે. કહ્યું છે કે – તીર્થકરોની, પ્રવચનની, શ્રતની, ગણધરની, આચાર્યની, મહર્ધિકની વારંવાર આશાતના કરતા જીવનો અનંતસંસાર થાય છે |૧| જુદા જુદા જીવની અપેક્ષાએ અંતર હોતું નથી. ભાગદ્વાર : શેષજ્ઞાનીઓ (અવધિ વગેરે જ્ઞાનીઓ) અને અજ્ઞાનીઓના અનંતમાં ભાગે મતિજ્ઞાની વર્તે છે. ભાવદાર : મતિ વગેરે ચાર જ્ઞાનો ક્ષયોપશમભાવના હોવાથી મતિજ્ઞાનીઓ ક્ષાયોપથમિક ભાવમાં વર્તે છે. ५५. अनेकाभिनिबोधिकजीवानामपीदमेवोपयोगकालमानं, केवलमिदमन्तर्मुहूर्त्तमपि बृहत्तरमवसेयं' 30 इति विशेषावश्यकवृत्तौ । ५६. तीर्थकरं प्रवचनं श्रुतं आचार्यं गणधरं महद्धिकम् ( आमर्शोषध्यादिलब्धिमन्तं )। સાતિયનું વશ: અનન્તસંસારિ ભવતિ ૨ | વાર/ ૨-૨-૩-૪-૬ + આસાતો ૨-૪ ') Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) भावे वर्त्तन्ते मत्यादिज्ञानचतुष्टयस्य क्षायोपशमिकत्वात् । तथा 'અન્ત્યબંદુત્વદ્વાર', तत्राभिनिबोधिकज्ञानिनां प्रतिपद्यमानपूर्वप्रतिपन्नापेक्षया अल्पबहुत्वविभागोऽयमिति तत्र सद्भावे सति सर्वस्तोकाः प्रतिपद्यमानकाः, पूर्वप्रतिपन्नास्तु जघन्यपदिनस्तेभ्यो ऽसंख्येयगुणाः, तथोत्कृष्टपदिनस्तु एतेभ्योऽपि विशेषाधिका इति गाथावयवार्थः ॥ १५ ॥ साम्प्रतं यथाव्यावर्णितमतिभेदसंख्याप्रदर्शनद्वारेणोपसंहारमाह आभिणिबोहियनाणे, अट्ठावीसइ हवन्ति पयडीओ ! अस्यै गर्मनिका - आभिनिबोधिकजाने अष्टाविंशतिः भवन्ति प्रकृत्यः प्रकृतयो भेदा इत्यनर्थान्तरं कथम् ? इह व्यञ्जनावग्रहः चतुर्विधः, तस्य मनोनयनवर्जेन्द्रियसंभवात्. अर्थावग्रहस्तु षोढा, तस्य सर्वेन्द्रियेषु संभवात् एवं ईहावायधारणा अपि प्रत्येकं भेा व 1() मन्तव्या इति, एवं संकलिता अष्टाविंशतिर्भेदा भवन्ति । आह - प्राग् अवग्रहादिनिरूपणायां 'अत्थाणं उग्गहणं' इत्यादावेताः प्रकृतयः प्रदर्शिता एव, किमिति पुनः प्रदर्श्यन्ते ?, उच्यते, तत्र सूत्रे संख्यार्नियमेन नोक्ताः, इह तु संख्यानियमेन प्रतिपादनादविरोध इति । इदं च 2 - અલ્પબહુત્વદાર : (ભાગદ્વારથી આ દ્વારનો ભેદ બતાવવા કહે છે કે, અહીં પ્રતિપદ્યમાન અને પૂર્વપ્રતિપક્ષની અપેક્ષાએ મતિજ્ઞાનીઓનું અલ્પબહુત્વ જાણવું. તેમાં વિવક્ષિત સમયે એ :5પ્રતિપદ્યમાનકાનો સદ્ભાવ હોય=મતિજ્ઞાનને પ્રાપ્ત કોઇ કરી રહ્યા હોય તો તેઓ પૂર્વપ્રતિપન્નની અપેક્ષાએ) સૌથી ઓછા હોય છે. તેના કરતા જઘન્યપદવાળા એવા પૂર્વપામેલા જીવો અર્થાત્ પૂર્વપ્રતિપન્નની જઘન્ય સંખ્યા) અસંખ્યાતગુણ છે, તેના કરતા પણ ઉત્કૃષ્ટપદવર્તી જીવા (અર્થાત્ પૂર્વપ્રતિપક્ષની ઉત્કૃષ્ટ સંખ્યા) વિશેષાધિક છે. આ પ્રમાણે ગાથાનો અવયવાર્થ પૂર્ણ થયો. ।।૧૫।। અવતરણિકા : હવે પૂર્વે વર્ણન કરાયેલા મતિના ભેદોની સંખ્યાને બતાવવા દ્વારા ઉપસંહાર 1) કરતા કહે છે 30 ગાથાર્થ (પૂર્વાર્ધ) : આભિનિબોધિકજ્ઞાનમાં ૨૮ પ્રકૃતિઓ (ભેદો હોય છે. ટીકાથ : અહીં પ્રકૃતિઓ, ભેદો એ સમાનાર્થી શબ્દો છે. તેથી આભિનિોધિકજ્ઞાનના ૨૮ ભેદો છે. તે આ રીતે – વ્યંજનાવગ્રહ મન અને ચક્ષુ સિવાય શેષ ઈન્દ્રિયથી યતો હોવાથી ચાર પ્રકાર છે. અર્થાવગ્રહ છ પ્રકારે છે કારણ કે તે સર્વ ઈન્દ્રિયોથી થાય છે. એ જ પ્રમાણે ઈહા, અવાય અને 25 ધારણા પણ છ–છ પ્રકારે હોવાથી બધા મળી ૨૮ ભેદો થાય છે. જ શંકા : ‘અત્ચામાં ગુદŕ'' ગાથામાં આ બધા ભેદો બતાવ્યા જ હતા તો શા માટે અહીં ફરીથી બતાવ્યા સમાધાન : પૂર્વે મૂળગાથામાં ચોક્કસ સંખ્યાના નિયમપૂર્વક ભેદો બતાવ્યા નહોતા,(પરંતુ ટીકામાં બતાવ્યા હતા) અહીં તે સૂત્રમાં બતાવ્યા હોવાથી કોઈ દોષ નથી. સામાન્યથી આ મતિજ્ઞાન ५७. भागद्वारात्पार्थक्यज्ञापनाय । ५८. गाथार्धस्य उपसंहारवाक्यस्य वा । ५९. संक्षिप्ता विवृतिः । ૬૦. પ્રાવનું મનસ રૂન્દ્રિયતા । ૬૧. ગાથા ( ૩ ) । ૬૨. તૃતીયથારૂપે । ૬રૂ. અવગ્રહાવીનાં સંધ્યામેનું प्रत्येकविधाय न प्रतिपादिताः, व्यञ्जनार्थाभ्यामवग्रहस्य अर्थावग्रहेहावायधारणानां च यथावदिन्द्रियादिभेदेन સૂત્રે પ્રતિપાતનામાવાત્ । * નયનમનો ?-૨-૪-૬ । Page #92 -------------------------------------------------------------------------- ________________ श्रुतशानना अनंत मेहो (नि. १६-१७) * ६८ मतिज्ञानं चतुर्विधं-द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च, तत्र द्रव्यतः सामान्यादेशेन मतिज्ञानी सर्वद्रव्याणि धर्मास्तिकायादीनि जानीते, न विशेषादेशत इति, एवं क्षेत्रतो लोकालोक. कालतः सर्वकाल, भावतस्तु औदयिकादीन् पञ्च भावानीति, सर्वभावानां चानन्तभाग मिति। उक्त मतिज्ञान, इदानीं अवसरप्राप्तं श्रुतज्ञानं प्रतिपिपादयिषुराह सुयणाणे पयडीओ, वित्थरओ आवि वोच्छामि ॥१६।। व्याख्या-श्रुतज्ञानं पूर्व व्युत्पादितं तस्मिन्, प्रकृतयो भेदा अंशा इति पर्यायाः, ताः, 'विस्तरतः' प्रपञ्चेन, चशब्दात् संक्षेपतश्च, अपिशब्दः संभावने, अवधिप्रकृतीश्च 'वक्ष्ये' अभिधास्ये ॥१६॥ इदानीं ता एव श्रुतप्रकृतीः प्रदर्शयन्नाह पत्तेयमक्खराई, अक्खरसंजोग जत्तिआ लोए । एवइया पयडीओ, सुयनाणे हुति णायव्वा ॥१७॥ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્યથી વિચારીએ તો મતિજ્ઞાની ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને જાણે છે. પણ વિશેષથી (અર્થાત્ સર્વ પર્યાયોને) જાણતો નથી. આ જ પ્રમાણે ક્ષેત્રથી લોકાલોકને, કાલથી સર્વકાલને અને ભાવથી ઔદાયિકાદિ પાંચ ભાવોને અને સર્વ ભાવાના અન ગુન સામાન્યથી જાણે છે. અવતરણિકા : મતિજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. હવે ક્રમથી આવેલ શ્રુતજ્ઞાનનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? थार्थ (पश्चा) : श्रुतशानन महीने विस्तारथी कुंडी. ટીકાર્થ: શ્રુતજ્ઞાનની વ્યાખ્યા પૂર્વે કહી ગયા. હવે તેના ભેદોને વિસ્તારથી તથા (મૂળગાથાના) य शथी संक्षेपथ (30A) तथा "अपि" श०६ संभावनाना अर्थमन छ. ते मा संभावित ४२ जे 20 । २५ वपिशान न होने ६ (ग्रंथ (२) 38. |॥१६॥ અવતરણિકા : હવે તે જ શ્રુતજ્ઞાનના ભેદોને કહે છે ; ગાથાર્થ પ્રત્યેક અક્ષરો અને લોકમાં તે અક્ષરોના જેટલા સંયોગો છે તેટલા શ્રુતજ્ઞાનના ભેદો गएरावा. ६४. 'आदेसोत्ति पगारो ओघादेसेण सव्वदव्वाई 'ति (४०३) विशेषावश्यकवचनात् द्रव्यसामा- 25 न्येन । ६५. न सर्वैर्विशेषैरित्यर्थः, कियतां पुन: पर्यायाणामधिगमात् । ६६. धर्मास्तिकायादीनामाधार आद्योऽन्य इतरथा । ६७. अतीतानागतर्वत्तमानरूपम् । ६८ क्षेत्रादिष्वपि सामान्यादेशेनेत्यनुर्वत्तनीयं, भावओ णं आभिणिबोहिअनाणी आएसेणं सव्वे भावे जाणइत्ति श्रीनन्दीसूत्रगतं वाक्यमालम्ब्येदम् । ६९. सर्वभावबोधेन सर्वज्ञत्वापत्तिर्या तद्वारणाय, मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु' इति तत्त्वार्थे अ० १ सूत्रम् २७ आलम्ब्येदं, सर्वपर्यायाणामनन्तभागं बुध्यते मतिज्ञानी, ज्ञानज्ञानिनोः कथञ्चिदभेदादेवं 30 ज्ञानिद्वारा ज्ञानभेदानां कथनं । * पूर्वव्युत्पादितं १-२-४-५ । + नेदम् २-४ । Page #93 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) व्याख्या - एकमेकं प्रति प्रत्येकं, अक्षराण्यकारादीनि अनेकभेदानि, यथा अकार: सानुनासिको निरनुनासिकश्च पुनरेकैकस्त्रिधा - ह्रस्वः दीर्घः प्लुतश्च पुनरेकैकस्त्रिधैव - उदात्तः अनुदात्तः स्वरितश्च, इत्येवमकारः अष्टादशभेदः, इत्येवमन्येष्वपि इकारादिषु यथासंभवं भेदजालं वक्तव्यमिति । तथा अक्षराणां संयोगा अक्षरसंयोगाः संयोगाश्च द्वयादयः यावन्तो लोके यथा 5 घटपट' इति व्याघ्रहस्ती' इत्येवमादयः एते चानन्ता इति, तत्रापि एकैकः अनन्तपर्यायः . स्वपरपर्यायापेक्षया इति । आह- संख्येयानां अकारादीनां कथं पुनरनन्ताः संयोगा इति, अत्रोच्यते, अभिधेयस्य पुद्गलास्तिकायादेरनन्तत्वात् भिन्नत्वाच्च, अभिधेयभेदे च अभिधानभेदसिद्ध्या अनन्तसंयोगसिद्धिरिति, अभिधेयभेदानन्त्यं च यथा - परमाणुः, द्विप्रदेशिको, ૭૦ ટીકાર્થ : દરેકે દરેક અકારાદિ અક્ષરો એ શ્રુતજ્ઞાનના ભેદ તરીકે જાણવા. આ દરેક અક્ષરો 10. પોતાના પ્રભેદથી યુક્ત લેવા. જેમકે અકારના બે ભેદો છે (૧) સાનુનાસિક (૨) નિરનુનાસિક. દરેક ત્રણ પ્રકારે ૧. હ્રસ્વ ૨. દીર્ધ ૩. પ્લુત. તે દરેક પાછા ત્રણ પ્રકારે ૧. ઉદાત્ત ૨. અનુદાત્ત ૩. સ્વરિત. આમ અકાર અઢાર ભેદોવાળો અક્ષર છે. આ જ પ્રમાણે ઈકારાદિ બીજા પ્રત્યેક અક્ષરામ યથાસંભવ (લુવર્ણમાં પ્લુતનો અભાવ, સન્ધ્યક્ષરોમાં સ્વનો અભાવ અને વ્યંજનોમાં હસ્વાદિના અભાવ હોવાથી યથાસંભવ) જાણવું. આ બધા શ્રુતજ્ઞાનના ભેદ જાણવા. તથા તે અક્ષરોના બે વગેરે 15 જેટલા સંયોગો લોકમાં થાય તે સર્વે શ્રુતજ્ઞાનના ભેદ જાણવા. જેમ કે, ઘટ, પટ, વાઘ, હાથી વગેરે. આ ભેદો અનંતા છે. તે દરેક ભેદો પાછા સ્વપ૨પર્યાયો વડે અનંતપર્યાયવાળા હોય છે. શંકા : અક્ષરો તો સંખ્યાતા છે તો તેના સંયોગો અનંતા કેવી રીતે થાય ? સમાધાન : અભિધેય એવા પુદ્ગલાસ્તિકાયાદિ અનંત છે અને તે પરસ્પર ભિન્ન છે. તેથી અનંત એવા અભિધેયોનો (તે તે નામથી બોલવા યોગ્ય પદાર્થોનો) પરસ્પર ભેદ હોવાથી અભિધાનના પણ 2) અનંતભેદો સિદ્ધ થવાથી (જો અભિધેયભેદે અભિધાનનો ભેદ ન માનો તો સર્વ અભિધેયો એક થવાની 25 આપત્તિ આવે, વળી એક જ નામથી જુદા જુદા અભિધેયોના સ્વરૂપનું વર્ણન પણ કઈ રીતે કરી શકાય ? તેથી અભિયભેદે અભિધાનભેદ સિદ્ધ થાય છે. અને અભિધેય અનંત હોવાથી અભિધાનના પણ અનંતભેદો થવાથી) અનંતસંયોગસિદ્ધ થાય છે. અનંત અભિધેય આ પ્રમાણે જાણવા : પરમાણુ, દ્વિપ્રદેશિકસ્કન્ધ, ત્રિપ્રદેશિકસ્કન્ધ એમ છેલ્લે અનંતપ્રદેશિકસ્કન્ધો છે. આ દરેક અભિધેયમાં અનેક ७०. मलयगिरीयायां वृत्तौ 'घटः पट इत्यादि व्याघ्रः स्त्रीत्येवमादि' इति, अत्राद्य उदाहरणे स्वरान्तरितः संयोगः द्वितीयस्मिंस्तु स्वरानन्तरित इति दृष्टान्तद्वयं । ७१. 'जे लभड़ केवलो से सवण्णसहिओ व पज्जवेऽयारो । ते तस्स सपज्जाया, सेसा परपज्जवा सव्वे ॥ ४७८ ॥ चाय-सपज्जायविसेसणाइणा तस्स जवज्जति । सधणमिवासंबद्धं भवन्ति तो पज्जवा तस्स ॥ ४८० ॥ इति (विशेषावश्यकवचनात् ) । ७२. द्विपञ्चाशतः । ७३. पदार्थशब्देन जगत्त्रयाभिधानवदभिन्नत्वे संयोगवहुत्वाभावादाह । ७४. अन्यथा 30) अभिधेयस्वरूपाख्यानानुपपत्तेः, अनेकार्थस्थले सांकेतिकस्थलेऽपि च न न भिन्नान्यभिधानानि । * અક્ષરસંયોના ૬૦ ? ।* ઘટ: ઘટ: -૨-૪-૬ । * હત્યાતિ ૨-૪ । વ્યાઘ્રો ? ।§ વ્યાઘ્ર સ્ત્રી ૪। | विभिन्नत्वात् २-४-५ । Page #94 -------------------------------------------------------------------------- ________________ ચોદપ્રકારે શ્રુતજ્ઞાનના નિક્ષેપા (નિ. ૧૮) ૭૧ यावद् अनन्तप्रदेशिक इत्यादि, तथैकत्रापि च अनेकाभिधानप्रवृत्तेः अभिधेयधर्मभेदा यथापरमाणुः, निरंशो, निष्प्रदेशः, निर्भेदः, निरवयव इत्यादि, न चैते सर्वथैकाभिधेयवाचका ध्वनय इति, सर्वशब्दाना भिन्नप्रवृत्तिनिमित्तत्वात्, इत्येवं सर्वद्रव्यपर्यायेषु आयोजनीयमिति, तथा च सूत्रेऽप्युक्त-"अणंता गमा अणंता पज्जवा" अमुमेवार्थं चेतस्यारोप्याह-एतावत्यः' इयत्परिमाणाः प्रवृत्तिनिमित्तत्वात् इत्येवं सर्वप्रकृतयः श्रुतज्ञाने भवन्ति ज्ञातव्या इति गाथार्थः 5 ॥१७॥ इदानीं सामान्यतयोपदर्शितानां अनन्तानां श्रुतज्ञानप्रकृतीनां यथावद्भेदेन प्रतिपादनसामर्थ्य आत्मनः खलु अपश्यन्नाह कत्तो मे वण्णेउं, सत्ती सुयणाणसव्वपयडीओ ? । चउदसविहनिक्खेवं, सुयनाणे आवि वोच्छामि ॥१८॥ નામોની પ્રવૃત્તિ થતી હોવાથી અભિધેયના ધર્મોમાં પણ ભેદ પડે છે. જેમકે પરમાણુને પરમાણુ તરીકે, 10 નિરંશ તરીકે, નિપ્રદેશ તરીકે, નિર્ભેદ તરીકે, નિરવયવ તરીકે કહેવાય છે. (શંકા : એક જ અભિધેયના વાચક હોવાથી બધા નામો પણ એક જ કહેવાય, એવું નહીં?) સમાધાન: ના, આ બધા શબ્દો સર્વથા એક એવા અભિધેયના જ વાચક છે એવું નથી કારણ કે દરેક નામોની તે તે વસ્તુમાં જે પ્રવૃત્તિ થાય છે તે પ્રવૃત્તિનું કારણ જુદું જુદું હોય છે. (જેમ કે પ્રમુવીર પરાક્રમી હતા એટલે “વીર’’ એ પ્રમાણે નામ પાડ્યું તથા વીરપ્રભુના ગર્ભમાં આવવાથી 15 . સમૃદ્ધ વગેરે વધતું ગયું એટલે વર્ધમાન પાડવામાં આવ્યું. આમ, વીરપ્રભુ રૂપ એક અભિધેયમાં વીરતા, વર્ધમાનતા વગેરે વીર, વર્ધમાન વગેરે શબ્દો (નામો)ની પ્રવૃત્તિનું કારણ છે. આમ, પ્રવૃત્તિનું કારણ જુદુ જુદું હોવાથી એક જ અભિધેયના વાચક એવા નામો પરસ્પર જુદા જુદા હોય છે. તેથી અપર સંયોગો અનંત થાય એમાં કોઈ વિરોધ નથી.) આ પ્રમાણે સર્વ દ્રવ્યો અને પર્યાયોમાં જાણવું. સૂત્રમાં 'ગ કહેલ છે કે, (દરેક સૂત્રો) અનંતા ગમો અને અનંતા પર્યાયોવાળા હોય છે 20 (નંદીસૂત્ર. ૪૬ – અથા, દરેક સૂત્ર અનંત અર્થોવાળું છે તથા તે દરેક સૂત્રના અક્ષરાર્થવિષયક સ્વપર ભેદથી ભિન્ન એવા પર્યાયા પદ અનંતા હોય છે. વિશેષાર્થીએ નંદીસૂત્ર જોવું.) આમ, અનંતા અક્ષરસંયોગો હોવાથી મૂલકારે સૂત્રમાં જણાવ્યું છે કે પ્રવૃત્તિનું નિમિત્ત જુદું જુદું હોવાથી આટલી (અનંતી) સંખ્યાવાળા શ્રુતજ્ઞાનના ભેદો હોય છે ૧૭ll અવતરણિકા : હવે સામાન્યથી બતાવેલ શ્રુતજ્ઞાનના અનંતભેદોને યથાવભેદથી જ રીતે જે 25 ભદો છે તે રીતે અર્થાત્ દરેકે દરેક ભેદોને) બતાવવામાં આત્માનું સામર્થ્ય નહીં જોતા એવા ગ્રંથકારશ્રી કહે છે કે છે ગાથાર્થ શ્રુતજ્ઞાનના સર્વ ભેદોનું વર્ણન કરવામાં મારી શક્તિ ક્યાં છે? (અર્થાતું નથી, તેથી શ્રુતજ્ઞાનના ૧૪ પ્રકારના નિક્ષેપાઓને હું કહીશ. ७५. विशिष्टकशब्देनानेकाभिधेयाभिधानविचारमाश्रित्य, एकस्मिन्नपि वा वाच्येऽनन्ताभिधानाभ्युप- 30 गमनायैकत्रेत्यादि । ७६. सूक्ष्मत्वसूक्ष्मायोगित्वापरपरमाणुसंयोगहीनत्वाविनाशित्वावयवानारब्धत्वादिना प्रवृत्ति: शब्दानामेषामत्र । ७७. इह गमा अर्थगमा गृह्यन्ते, अर्थगमा नामार्थपरिच्छेदास्ते चानन्ताः इति વન્દ્રો + થfમે ૨-૨-૩-૪ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) વ્યાવ્યા–તો ?, નૈવ પ્રતિપાયિતું, ‘મે' મમ 'વયિતું' પ્રતિપાયિતું ‘ત્તિ:’ સામર્થ્ય, જા: ?, પ્રતી:, તત્ર પ્રતો મેદ્દા:, સર્વાશ્ચ તા: પ્રતયશ્ચ સર્વપ્રતય:, श्रुतज्ञानस्य सर्वप्रकृतयः श्रुतज्ञानसर्वप्रकृतय इति समासः, ताः कुतो मे वर्णयितुं शक्ति: ?, कथं न शक्ति: ?, इह ये श्रुतग्रन्थानुसारिणो मतिविशेषास्तेऽपि श्रुतमिति प्रतिपादिताः, उक्त 5 - "तेऽविय मईविसेसे, सुयणाणब्भंतरे जाण" ताँश्चोत्कृष्टतः श्रुतधरोऽपि अभिलाप्यानपि सर्वान् न भाषते, तेषामनन्तत्वात् आयुषः परिमितत्वात् वाचः क्रमवृत्तित्वाच्चेति, अतोऽशक्तिः, ततः 'चतुर्दशविधनिक्षेपे' निक्षेपणं निक्षेपो नामादिविन्यासः, चतुर्दशविधश्चासौ निक्षेपश्चेति विग्रहस्तं श्रुतज्ञाने' श्रुतज्ञानविषयं चशब्दात् श्रुताज्ञानविषयं च, अपिशब्दात् उभयविषयं च, 96 ટીકાર્ય : પ્રતિપાદન કરવાની મારી શકિત ક્યાં છે ? શું પ્રતિપાદન કરવાની શકિત નથી ? () તે કહે છે—પ્રકૃતિઓ; અહીં પ્રકૃતિઓ,ભેદો એ સમાનાર્થી શબ્દો છે. સર્વ એવી તે પ્રકૃતિઓ તે સર્વપ્રકૃતિઓ, શ્રુતજ્ઞાનની સર્વપ્રકૃતિઓ તે શ્રુતજ્ઞાનસર્વપ્રકૃતિઓ એ પ્રમાણે સમાસ જાણવો.(અહીં અન્વય આ પ્રમાણે કરવો કે) શ્રુતજ્ઞાનના સર્વભેદોનું પ્રતિપાદન કરવા માટે મારી શક્તિ ક્યાં છે ? અર્થાત્ નથી જ. તે શા માટે નથી ? તેનો ઉત્તર આપતા કહે છે કે અહીં શ્રુતગ્રંથને અનુસારે જે બુદ્ધિ થાય છે તે પણ શ્રુતજ્ઞાન તરીકે કહેલી છે. કહ્યું છે – “તે બુદ્ધિઓ પણ શ્રુતજ્ઞાન તરીકે 15 કહેલી છે.’' ઉત્કૃષ્ટથી શ્રુતને ધારણ કરનાર એવા શ્રુતધરો પણ તે બુદ્ધિવિશેષોને અને સર્વ એવા અભિલા (બોલી શકાય) એવા પણ પદાર્થોને બોલી શક્તા નથી કારણ કે તે અભિલાપ્ય પદાર્થો અનંતા છે અને આયુષ્ય પરિમિત છે. તથા વચનની પ્રવૃત્તિ ક્રમથી થાય અર્થાત્ શબ્દો ક્રમશઃ નીકળે છે તેથી સંપૂર્ણ આયુષ્યમાં નિરંતર બોલવાનું રાખે તો પણ તે પદાર્થો અનંતા હોવાથી બધા બોલાય નહી. માટે જો આવા શ્રુતધરો પણ બોલી શક્તા ન હોય તો મારી શક્તિ ક્યાંથી હોય ? 2). આવા ગ્રંથકારનો આશય છે. આમ સંપૂર્ણ ભેદોને કહેવાની શક્તિ ન હોવાથી શ્રુતજ્ઞાનનો તથા મૂલગાથાનો દુ શબ્દથી શ્રુતઅજ્ઞાનનો અને ‘પિ' શબ્દથી ઉભયનો ચૌદ પ્રકારનો નામાદિ નિક્ષેપ કહીશ. તેમાં શ્રુતજ્ઞાન એટલે સમ્યશ્રુત, શ્રુત—અજ્ઞાન તરીકે અસંજ્ઞીશ્રુત તથા મિથ્યાશ્રુત અને ઉભયશ્રુત તરીકે દર્શનવિશેષના પરિગ્રહથી અક્ષર-અનક્ષરશ્રુત જાણવું. આ ત્રણે શ્રુતના નિક્ષેપને કહીશ (આશય 25 એ છે કે – અક્ષર અનક્ષરશ્રુત... આ બન્નેમાંથી કોઈ શ્રુત માત્ર જ્ઞાનરૂપ જ હોય, અજ્ઞાનરૂપ ન જ હોય એવું નથી. એમ સંજ્ઞી અસંજ્ઞીશ્રુતમાંથી પણ કોઈ જ્ઞાન રૂપ જ હોય એવું નથી એટલે કે અજ્ઞાનરૂપ પણ હોઈ શકે છે. જ્યારે સમ્યક્શ્રુત એ માત્ર જ્ઞાનરૂપ જ હોવાથી શ્રુતજ્ઞાન તરીકે સમ્યકૂશ્રુત જણાવેલ છે. એમ અજ્ઞાન માટે પણ અક્ષર અનક્ષરનો નિયમ નથી... સંજ્ઞીનો પણ નિયમ નથી, અર્થાત્ 30 સંજ્ઞીનું શ્રુતજ્ઞાન કે અજ્ઞાનરૂપ હોઈ શકે છે. જ્યારે અસંજ્ઞીનું શ્રુત કે મિથ્યાશ્રુત અજ્ઞાનરૂપ જ હોય. ७८. तानपि च मतिविशेषान् श्रुतज्ञानाभ्यन्तरे जानीहि (विशेषावश्यके १४३ ) । + नास्तीदं ૬-૨-૪-૬ Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાનના ચૌદ નિક્ષેપાઓનું સ્વરૂપ (નિ. ૧૯) : ૭૩ तत्र श्रुतज्ञाने सम्यक्श्रुते, श्रुताज्ञाने असंज्ञिमिथ्याश्रुते, उभयश्रुते दर्शनविशेषपरिग्रहात् अक्षरानक्षरश्रुते इति, ‘वक्ष्ये' अभिधास्ये इति गाथार्थः ॥१८॥ साम्प्रत चतुर्दशविधश्रुतनिक्षेपस्वरूपोपदर्शनायाह - अक्खर सण्णी सम्म, साईयं खलु सपज्जवसिअं च । गमियं अंगपविटुं सत्तवि एए सपडिवक्खा ॥१९॥ व्याख्या-तत्र 'अक्षरश्रुतद्वारं' इह ‘सूचनात्सूत्रं' इतिकृत्वा सर्वद्वारेषु श्रुतशब्दो द्रष्टव्य इति। तत्र अक्षरमिति, किमुक्तं भवति ?-'क्षर संचलने' न क्षरतीत्यक्षरं, तच्च ज्ञानं चेतनेत्यर्थः, न यस्मादिदमनुपयोगेऽपि प्रच्यवत इति भावार्थः, इत्थंभूतभावाक्षरकारणत्वाद् अकारादिकमતેથી અજ્ઞાનવૃત તરીકે અસંજ્ઞીશ્રુત અને મિથ્યાશ્રુત બને જણાવ્યા છે. અહીં બંનેનો સમાહારદ્દ કરી સપ્તમી એ.વ.માં નિર્દેશ કરેલ છે. હવે ઉભયશ્રુત અંગે... આમ તો જ્ઞાન અજ્ઞાન ઉભયરૂપ હોય 10 એવું તો ૧૪માંથી ૧ પણ શ્રુત સંભવતું નથી, કારણ કે ઉપયોગાત્મક ભાવકૃતની અહીં વાત છે. કોઈપણ જીવને કોઈપણ કાળે એવું જ્ઞાન થતું જ નથી. જે એક કાળે જ્ઞાન, અજ્ઞાન ઉભયરૂપ હોય. તથી દર્શનવિશેષના પરિગ્રહથી’ શબ્દ જણાવેલ છે. અહીં દર્શન = અભિપ્રાય. એક માણસ ‘મારે પાણી પીવું છે' એવો હાથથી ઈશારો પણ કરે છે અને તે માટે શબ્દો પણ બોલે છે. તેથી નોકરને જે શ્રુત થશે તે અક્ષર–અનBર ઉભયશ્રુત કહી શકાય. આ એક જ 15 ઉપયોગાત્મક જ્ઞાન છે. માટે ઉશ્રુત તરીકે અક્ષર–અનરશ્રુત જણાવ્યું. અહીં પૂર્વની જેમ સમાહારકન્ડ કરી સપ્તમી એ.વ. જાણવું. આ સિવાય કોઈ શ્રુત ઉભયરૂપે સંભવે નહીં. તેથી અન્ય શ્રુતનો ઉલ્લેખ કર્યો નથી. આમ, પરસ્પર વિરોધી ભાસતું હોય એવું સંભવિત કોઈપણ જોડકું ઉભય તરીકે લેવાના અભિપ્રાય વિશેષથી આ વાત છે એમ જણાવવા ‘દર્શનવિશેષ પરિગ્રહથી” જણાવ્યું લાગે છે. તત્ત્વ કેવલી જાણે ) I/૧૮ 2) અવતરણિકા : હવે ચૌદ પ્રકારના શ્રુતજ્ઞાનના નિક્ષેપનું સ્વરૂપ બતાવતા કહે છે કે હું ગાથાર્થ : અક્ષર, સંજ્ઞી, સમ્યક, સાદિ, સાંત, ગમિક અને અંગપ્રવિણ આ સાતે ભેદો પ્રતિપક્ષ – સહિત જાણવા. ટીકાર્થ સૂત્ર હંમેશા સૂચન કરતું હોવાથી દરેક પદ સાથે શ્રુત શબ્દ જોડવો. જેથી અક્ષરધૃત. સજ્ઞીશ્રુત વગેરે અર્થ થશે. તેમાં અક્ષર એટલે શું ? તેનો ઉત્તર આપે છે ‘સર’ ધાતુ ઉપરથી અક્ષર 25 શબ્દ બન્યો છે. આ ધાતુ ખરવું’ એવા અર્થમાં છે. જે ખરે નહીં તે અક્ષર અર્થાત્ જ્ઞાન, અહીં અક્ષર તરીકે જ્ઞાન લેવાનું કારણ એ છે કે, વ્યક્તિનો અનુપયોગ હોય તો પણ જ્ઞાન નાશ પામતું નથી. આવા ७९. असंजिनां वक्ष्यमाणत्वेऽपि नियमाभावात्संज्ञिनां सम्यक्श्रुतस्य न तद्ग्रहणं । ८०. एकस्य परस्परविरूद्धधर्माश्रयत्वाभावादाह-दर्शनेत्यादि, दर्शनशब्दश्चात्र श्रद्धानार्थः । ८१. नामस्थापनाद्रव्याणामनादर: अप्रधानत्वादिनाऽग्रे वक्ष्यमाणत्वाद्वा, श्रुतस्कन्धे भावश्चते ये भेदाश्चतुर्दश तदपेक्षया 30 चात्र चतर्दशविधनिक्षेपेति. अधिकारावतरणिकषेति च स्वरूपेति,अक्षरसंज्यादिद्वाराणां च नात एव पथक सूत्राणि । * चतुर्दशनिक्षेप० २ । Page #97 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) प्यक्षरमभिधीयते, अथवा अर्थान् क्षरति न च क्षीयते इत्यक्षरं तच्च समासतस्त्रिविधं, तद्यथासंज्ञाक्षरं व्यञ्जनाक्षरं लब्ध्यक्षरं चेति, संज्ञाक्षरं तत्र अक्षराकारविशेषः, यथा घटिकासंस्थानो धकारः, कुरुण्टिकासंस्थानश्चकार इत्यादि, तच्च ब्राह्म्यादिलिपीविधानादनेकविधं । तथा व्यञ्जनाक्षरं, व्यज्यतेऽनेनार्थः प्रदीपेनेव घट इति व्यञ्जनं, व्यञ्जनं च तदक्षरं चेति व्यञ्जनाक्षरं, 5 तच्चेह सर्वमेव भाष्यमाणं अकारादि हकारान्तं, अर्थाभिव्यञ्जकत्वाच्छब्दस्य, तथा योऽक्षरोपलम्भः तत् लब्ध्यक्षरं तच्च ज्ञानं इन्द्रियमनोनिमित्तं श्रुतग्रन्थानुसारि तदावरणक्षयोपशमो वा । अत्र च संज्ञाक्षरं व्यञ्जनाक्षरं च द्रव्याक्षरमुक्तं, श्रुतज्ञानाख्यभावाक्षरकारणत्वात्, लब्ध्यक्षरं तु भावाक्षरं, विज्ञानात्मकत्वादिति । तत्र अक्षरश्रुतमिति अक्षरात्मकं श्रुतं अक्षरश्रुतं द्रव्याक्षराण्यधिकृत्य, अथवा अक्षरं च तत् श्रुतं च अक्षरश्रुतं, भावाक्षरमङ्गीकृत्य ॥१९॥ उक्तमक्षरश्रुतं, इदानीमनक्षरश्रुतस्वरूपाभिधित्सयाह 10 ૭૪ ऊससिअं नीससिअं, निच्छूढं खासिअं च छीअं च । णीसिंधियैमणुसारं, अणक्खरं छेलियाई ॥२०॥ પ્રકારના જ્ઞાનરૂપ ભાવાક્ષરનું કારણ બનતા હોવાથી અકારાદિ પણ અક્ષર તરીકે કહેવાય છે. અથવા જે અર્થોને ખરે છે અર્થાત્ પદાર્થોને જણાવે છે પણ પોતે ક્ષય પામતો નથી તે અક્ષર છે, તે સંક્ષેપથી 15 ત્રણ પ્રકારનાં છે ૧. સંજ્ઞાક્ષર ૨. વ્યંજનાક્ષર ૩. લધ્યક્ષ. તેમા સંજ્ઞાક્ષર એટલે અક્ષરોના આકારવિશેષ જેમકે ઘટિકાના આકારવાળો ધકાર, કુટિકા (?) ના આકારવાળો ચકાર. (અહીં કહેવાનો આશય એ છે કે એક જ અક્ષર જુદી જુદી લિપિમાં જુદા જુદા આકારે હોય છે. આ જુદા જુદા આકારો જ સંજ્ઞાક્ષર કહેવાય છે.) આવા સંજ્ઞાક્ષરો બ્રાહ્મી લિપિ વગેરે જુદી જુદી લિપિની અપેક્ષાએ અનેક પ્રકારના હોય છે. તથા જેમ દીપક ઘટને પ્રગટ કરે 20 છે તેમ જેના વડે પદાર્થો જણાય છે તે વ્યંજન કહેવાય છે. વ્યંજનાત્મક જે અક્ષરો તે વ્યંજનાક્ષર, એટલે કે અકારથી લઈ હકાર સુધીના બોલાતાં અક્ષરો વ્યંજનાક્ષરો કહેવાય છે કારણ કે આ અક્ષરો દ્વારા અર્થનો બોધ થાય છે. 30 તથા જે અક્ષરોનો બોધ તે લબ્ધિ—અક્ષર છે. લબ્ધિ—અક્ષર તરીકે શ્રુતગ્રંથાનુસારી ઈન્દ્રિયમનનાં નિમિત્તે થનારું જ્ઞાન અથવા તેના આવરણભૂત કર્મોનો ક્ષયોપશમ. અહીં સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર 25 શ્રુતજ્ઞાનરૂપ ભાવાક્ષરનું કારણ હોવાથી દ્રવ્યાક્ષર જાણવા. તથા લબ્ધિ–અક્ષર એ જ્ઞાનાત્મક હોવાથી ભાવાક્ષરરૂપ છે. હવે પ્રથમ શ્રુતજ્ઞાનનો ભેદ બતાવે છે કે અક્ષરરૂપ જે શ્રુત તે અક્ષરશ્રુત આ વ્યાખ્યા દ્રવ્યાક્ષરો અર્થાત્ સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષરોની અપેક્ષાએ જાણવી. પરંતુ જે ક્ષય ન પામે તે અક્ષર આવો અર્થ કરતા હોય તો અક્ષર એવું જે શ્રુત તે અક્ષરશ્રુત અર્થાત્ ભાવાક્ષર = જ્ઞાન. ॥૧૯॥ અવતરણિકા : અક્ષરશ્રુત કહ્યું. હવે અનક્ષરશ્રુતનું સ્વરૂપ બતાવે છે. : ગાથાર્થ ઉચ્છ્વાસ નિઃશ્વાસ, થૂંકવું, ખાંસી ખાવી, છીંક ખાવી, સુંઘવું, અનુસ્વાર તથા ચોરાદિસંજ્ઞા વિગેરે અનક્ષરશ્રુત છે. ૮૨. વિના સીòારપૂાાદ્યા: ! * નીસંધિય Page #98 -------------------------------------------------------------------------- ________________ અનરશ્રુતનું સ્વરૂપ (નિ. ૨૦) રો ૭પ व्याख्या-उच्छसनं उच्छसितं, भावे निष्ठाप्रत्ययः, तथा निःश्वसनं निःश्वसितं, निष्ठीवनं निष्ठयूतं, काशनं काशितं, चशब्दः समुच्चयार्थः, क्षवणं क्षुतं, चशब्दः समुच्चयार्थ एव, अस्य च व्यवहितः संबन्धः, कथम् ? सेण्टितं चानक्षरश्रुतमिति वक्ष्यामः, नि:सिवनं नि:सिङ्घितं, अनुस्वारवदनुस्वारं, अक्षरमपि यदनुस्वारवदुच्चार्यते हुङ्कारकरणादिवत् तत् 'अनक्षरमिति' एतदुच्छसितादि अनक्षरश्रुतमिति, सेण्टनं सेण्टितं तत्सेण्टितं च अनक्षरश्रुतमिति । इह 5 चोच्छ्वसितादि द्रव्यश्रुतमात्रं, ध्वनिमात्रत्वात्, अथवा श्रुतविज्ञानोपयुक्तस्य जन्तोः सर्व एव व्यापारः श्रुतं, तस्य तद्भावेन परिणतत्वात् । आह-यद्येवं किमित्युपैयुक्तस्य चेष्टापि श्रुतं नोच्यते, ? येनोच्छसिताद्येवोच्यते इति, अत्रोच्यते, रूढ्या, अथवा श्रूयत इति श्रुतं, अन्वर्थसंज्ञामधिकृत्य उच्छ्वसितायेव श्रुतमुच्यते, न चेष्टा, तदभावादिति, अनुस्वारादर्यस्तु अर्थगमकत्वादेव श्रुतमिति गाथार्थः ॥२०॥ उक्तमनक्षरश्रुतद्वारं, ટીકાર્થ ઉવસન એ ઉચ્છવસિત, અહીં ભાવ અર્થમાં = સ્વાર્થમાં નિષ્ઠા = ત (ત) પ્રત્યય લાગેલ છે. (આ રીતે આગળ પણ સમજી લેવું) તથા નિઃશ્વાસ, થુકવું, ખાંસી ખાવી, મૂળગાથામાં “ઘ'' શબ્દ સમુચ્ચય અર્થમાં = દરેક પદોને ભેગા કરવાનાં અર્થમાં છે. છીંક ખાવી, હવે પછીનો “” શબ્દ પણ સમુચ્ચયમાં જ છે અને તેનો વ્યવહિત = અન્ય સ્થાને સંબંધ કરવાનો છે. તે કઈ રીતે ? ‘નિયાડ' પદ પછી “વ” શબ્દ જોડવો. એ આગળ બતાવીશું. સૂંઘવું, અનુસ્વારની 15 જેમ અનુસ્વાર અર્થાત્ જે અક્ષર પણ અનુસ્વારની જેમ ઉચ્ચારાય તે અક્ષર અનુસાર કહેવાય છે. જેમકે, હુંકારાદિનું કરવું, આમ આ ઉચ્છવસિત વિગેરે અનરશ્રુત જાણવા. અને પૂર્વે જણાવેલ વ્યવહિત સંબંધવાળો ચ શબ્દ અહીં જોડ્યો] ચોરાદિની સંજ્ઞા વિગેરે વિગેરે શબ્દથી ચપટી વગાડવી, સીત્કાર વિગેરે લેવા. તિ રીfપાયા] અનફરશ્રુત છે. અહીં આ ઉચ્છવાસાદિ ધ્વનિરૂપ હોવાથી દ્રવ્યશ્રુતમાત્ર જાણવા અથવા શ્રુતજ્ઞાનમાં ઉપયુક્ત એવા જીવનો સર્વવ્યાપાર 20 શ્રુત તરીકે જાણવો કારણ કે તે વ્યાપાર ધૃતરૂપે પરિણત થયેલો છે. શંકા : જો આ રીતે જ્ઞાનમાં ઉપયુક્ત જીવનો સર્વવ્યાપાર શ્રુત કહેવાનો હોય તો તે જીવની ચેષ્ટા પણ શ્રત કેમ ન કહેવાય, માત્ર ઉચ્છવાસાદિને જ શ્રુત કેમ કહેવાય ? સમાધાનઃ અહીં ઉચ્છવાસાદિને જે શ્રુત તરીકે કહ્યું છે તે રૂઢિથી જાણવું અથવા જે સંભળાય તે શ્રત, આવા પ્રકારની અન્વર્થ વ્યાખ્યાને આશ્રયી ઉચ્છવાસાદિ, સંભળાતા હોવાથી જ શ્રુત કહ્યા 25 છે પણ ચેષ્ટાને નહીં, કારણ કે ચેષ્ટા સંભાળતી નથી. તથા અનુસ્વારાદિ તો અર્થને જણાવનારા હોવાથી એ તો શ્રુત તરીકે સ્પષ્ટ જ છે. અનક્ષરગ્રુત કહેવાય ગયું. //Roll ८३. घटपटादिवद्वाच्यवाचकभावतया न परिणामीति मात्रग्रहणं । ८४. सूचकत्वात् । ८५. करचरणादिक्रियाया अपि विवक्षितार्थसूचकत्वादाह । ८६. श्रुतोपयुक्तस्य । ८७. श्रवणव्यवहाररूपया शास्त्रज्ञलोक-प्रसिद्धया।८८. रूढौ विशेषाग्रहे आह-अथवेत्यादि । ८९. निरर्थकार्थशून्यनिरासेन । ९०. श्रवण- 30 लक्षणान्वर्थस्याभावात् । ९१. आदिना सेण्टितसीत्काराद्याः, उच्छ्वसितादीनामव्यक्तत्वाद् अनक्षरत्वमनुस्वारादीनां वर्णावयवत्वाद्विशेषदर्शनाय चेदम् ।+ २-३-४ निःसङ्घनं २-४ ।। अक्षरमपि श्रुतज्ञानो० । Page #99 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) इदानीं 'संज्ञिद्वारं' तत्र संज्ञीति कः शब्दार्थः ?, संज्ञानं संज्ञा, संज्ञाऽस्यास्तीति संज्ञी, सच त्रिविधः–दीर्घकालिकहेतुवाददृष्टिवादोपदेशाद्, यथा नन्द्यध्यैयने तथैव द्रष्टव्यः, ततश्च संज्ञिनैः श्रुतं संज्ञिश्रुतं तथा असंज्ञिनः श्रुतं असंज्ञिश्रुतमिति । तथा 'सम्यक् श्रुतं' अङ्गानङ्गप्रविष्टं आचारावश्यकादि । तथा ‘मिथ्याश्रुतं' पुराणरामायणभारतादि, सर्वमेवै वा दर्शनपरिग्रैहविशेषात् 5 सम्यक् श्रुतमितरद्वा इति । तथा 'साद्यमनाद्यं सपर्यवसितमपर्यवसितं चं' 'नयानुसारतोऽवसेयं, तत्र द्रव्यास्तिकनयादेशाद् अनाद्यपर्यवसितं च नित्यवात्, अस्तिकायवत्। पर्यायास्तिकनयादेशात् सादि सपर्यवसितं च, अर्नित्यत्वात्, नारकादिपर्यायवत् । अथवा द्रव्यादिचतुष्टयात् साद्यनाद्यादि ૭૬ " હવે સંજ્ઞીદ્વાર કહે છે તેમાં સંશી એટલે શું ? જ્ઞાન થવું તેનું નામ સંજ્ઞા. તે જેને હોય તે સંશી. તે ત્રણ પ્રકારે છે ૧. દીર્ધકાલિકી ૨. હેતુવાદોપદેશિકી ૩. દૃષ્ટિવાદોપદેશિકી, આ ત્રણેની 10 વ્યાખ્યા નંદીસૂત્રમાંથી જાણી લેવી. આવા સંજ્ઞીનું જે શ્રુત તે સંજ્ઞીશ્રુત અને અસંસીનું જે શ્રુત તે અસંજ્ઞીશ્રુત કહેવાય છે. તથા અંગ–અનંગમાં પ્રવિષ્ટ એવું આચારાંગ, આવશ્યકાદિ તે સમ્યક્શ્રુત જાણવું. તથા પુરાણ, રામાયણ, મહાભારતાદિ મિથ્યાશ્રુત જાણવું અથવા દર્શનપરિગ્રહના વિશેષથી (એંટલે સમ્યગ્દષ્ટિવડે પરિગૃહિત) સર્વ શ્રુત સમ્યક્શ્રુત અને મિથ્યાત્વી વડે પરિગ્રહિત સર્વ શ્રુત મિથ્યાશ્રુત જાણવું. તથા સાદિ—અનાદિ અને સાંત–અનંત એ ભાંગા નયની અપેક્ષાએ જાણવા. 15 તે આ રીતે – દ્રવ્યાસ્તિકનયના મતે શ્રુત નિત્ય હોવાથી અસ્તિકાય (ધર્માસ્તિકાય વિ.)ની જેમ અનાદિ—અનંત જાણવું. અને પર્યાયાસ્તિકનયના મતે શ્રુત અન્યિ હોવાથી નારકાદિ પર્યાયની જેમ સાદિ—સાંત જાણવું. અથવા નંદીસૂત્રમાં જણાવ્યા પ્રમાણે દ્રવ્યાદિચતુર્યથી સાદિ–અનાદિ ભાંગા જાણવા. (તે આ પ્રમાણે→ દ્રવ્યથી એક જીવને આશ્રયી શ્રુતજ્ઞાન સાદિ—સાંત છે, જેમકે કો'ક જીવે પ્રથમ વખત શ્રુત 20 પ્રાપ્ત કર્યું.તે પ્રાપ્ત કરેલ શ્રુત ભવાન્તરમાં ગયેલાને, અથવા મિથ્યાત્વ પામેલાને, અથવા પ્રમાદ, ગ્લાનત્વાદિ કોઇક કારણોને લીધે નાશ પામે છે, આમ આવા જીવનું શ્રુત સાદિ—સાંત હોય છે. ક્ષેત્રથી પણ ભરત—ઐરાવત વિગેરે ક્ષેત્રમાં દ્વાદશાંગીરૂપ શ્રુત સાદિસાંત છે. કાલથી ઉત્સર્પિણી— અવસર્પિણીમાં સાદિસાંત હોય છે.તથા ભાવથી પ્રજ્ઞાપકના ઉપયોગને અને પ્રજ્ઞાપનીયભાવોને આશ્રયીને સાદિ–સાંત જાણવું કારણ કે પ્રજ્ઞાપકનો ઉપયોગ વારંવાર બદલાતો હોવાથી અનિત્ય છે. 25 તથા પુદ્ગલસંબંધી વર્ણ, ગંધ, સ્થિતિ વિગેરે પ્રજ્ઞાપનીય ભાવો પણ અનિત્ય જ છે. અને જે અનિત્ય હોય તે ઘટ વિગેરે પદાર્થોની જેમ સાદિ—સાંત જ હોય છે. તેથી પ્રજ્ઞાપકના ઉપયોગ અને પ્રજ્ઞાપનીય ९२. यथोत्तरविशुद्धक्रमोल्लङ्घनेन ज्ञापितमाह 'सण्णित्ति असण्णित्ति य सव्वसुए कालिओवएसेणं' (વિ૦ ૧૨૬)। oરૂ. (નન્તીવૃત્તિ: રૂ૮o ૫૦ ) । ૧૪. વીર્યવ્હાનિીસંજ્ઞયા । ૧. સ્વામવિસમ્યત્વેતरत्वासंभवादाह, अन्त्यपूर्वचतुष्कं दशमस्य चरमभागश्च त्याज्य एव 'चउद्दसपुव्विस्स सम्मसुयं 30 अभिण्णदसपुव्विस्स सम्मसुयं' ति नन्दीवचनात् । ९६. सम्यग्मिथ्यादर्शनवज्जीवस्वीकारेण भेदात् । ९७. सम्यग्दर्शनिनाम् । ९८. श्रुतवतो जीवद्रव्यस्य नित्यत्वात् द्रव्यमेव चासौ मनुते । ९९. पर्यायाणां प्रतिक्षणं ક્ષયમાવાત્, પર્યાયમાત્રાપેક્ષી વાસૌ । * મિથ્યાત્વશ્રુતં ।+ તુ રૂ । † ૰નુસારિતોઽ૦ રૂ-૪ ‡ .સાથું ૨ । Page #100 -------------------------------------------------------------------------- ________________ ગમિકાદિ ભેદોનું સ્વરૂપ (નિ. ૨૦) . अवगन्तव्यं, यथा नन्द्यध्ययने इति, खलुशब्द एवकारार्थः, स चावधारणे, तस्य च व्यवहितः . संबन्ध:, सप्तैव 'एते' श्रुतपक्षाः सप्रतिपक्षाः, न पक्षान्तरमस्ति, संतोऽत्रैवान्तर्भावात् । तथा गमा अस्य विद्यन्ते इति गमिकं तच्च प्रायोवृत्त्या दृष्टिवादः । तथा गाथाद्यसमानग्रन्थं अगमिकं, तच्च प्रायः कालिकं । तथा अङ्गप्रविष्टं गणधरकृतं आचारादि, अनङ्गप्रविष्टं तु स्थविरकृतं आवश्यकदि गाथाशेषमवैधारणप्रयोगं दर्शयता व्याख्यातमेवेति गाथार्थः ॥ सत्पदप्ररूपणादि मतिज्ञानवदायोज्यं । 5 प्रतिपादितं श्रुतज्ञानमर्थतः, साम्प्रतं विषयद्वारेण निरूप्यते तच्चतुर्विधं द्रव्यतः क्षेत्रतः कालो भावतश्च, तत्र द्रव्यतः श्रुतज्ञानी सर्वद्रव्याणि जानीते न तु पश्यति, एवं क्षेत्रादिष्वपि द्रष्टव्यं । ૭૭ ભાવોને આશ્રયી ઉત્પન્ન થતું શ્રુત પણ સાદિ—સાંત છે. તથા દ્રવ્યથી જુદા જુદા જીવોને, ક્ષેત્રથી મહાવિદેહને, કાળથી મહાવિદેહ સંબંધીકાળને અને ભાવથી ક્ષાયોપશમિક ભાવને આશ્રયીને શ્રુત અનાદિ—અનંત જાણવું.) મૂલગાથામાં “વસ્તુ” શબ્દનો એવકાર અર્થ જાણવો અને તે જકારના 10 અર્થમાં છે. આ શબ્દ મૂળગાથામાં જ્યાં છે ત્યાંથી ઉઠાવી “સપ્ત” શબ્દની સાથે જોડતા સાત જ પ્રતિપક્ષ સહિત શ્રુતજ્ઞાનના ભેદો છે, અન્ય ભેદો નથી કારણ કે બીજા જેટલા ભેદો છે તે બધાનો આમાં સમાવેશ થઈ જાય છે. હવે ગમિકદ્વારની વ્યાખ્યા કરે છે. ગમોવાળા જે ગ્રંથો હોય તે ગમિક કહેવાય. (અહીં ગમો એટલે એક સરખા પાઠ અથવા કંઈક ફેરફારવાળા એક સરખા આલાવા, જેમ કે પધ્મિસૂત્રના છવ્રતના આલાવા. આવા પ્રકારના આલાવા જે ગ્રંથમાં હોય તે ગમિક કહેવાય છે.) 15 પ્રાયઃ કરીને દૃષ્ટિવાદ એ ગમિક સૂત્ર છે. તથા ગાથા વગેરેથી અસમાન એવો જે ગ્રંથ તે અગમિક જાણવા. પ્રાયઃ કરીને કાલિકસૂત્રો અગમિક હોય છે. અગંપ્રવિષ્ટ એટલે ગણધરો વડે ગુંથાયેલા ગ્રંથો જેમકે આચારાંગાદિ, જ્યારે સ્થવિરો વડે કરાયેલા આવશ્યકાદિ એ અનંગપ્રવિષ્ટ છે. ગાથા નં. ૧૯માં શ્લોકના ઉત્તરાર્ધમાં “સત્તવિ VI સડિવવા'' આ પ્રમાણેનો ગાથાશેષ એ ઉપરોક્ત અવધારણપ્રયોગ બતાવતા ટીકાકાર વડે 20 વ્યાખ્યાન કરી દીધો છે. આ પ્રમાણે ગાથા નં. ૧૯નો અર્થ પૂર્ણ થયો. શ્રુતજ્ઞાનમાં પણ સત્પદપ્રરૂપણા વગેરે દ્વા૨ો મતિજ્ઞાનની જેમ જાણી લેવા. આમ, અર્થથી (શ્રુતજ્ઞાનનું સ્વરૂપ, તેના ભેદોનું સ્વરૂપ વગેરે રૂપ અર્થથી) શ્રુતજ્ઞાન પ્રતિપાદન કરાયું. હવે આ શ્રુતજ્ઞાનના કયા કયા વિષયો છે તે કહે છે. શ્રુતજ્ઞાન દ્રવ્યાદિ ચારભેદે છે. તેમાં દ્રવ્યથી શ્રુતજ્ઞાની સર્વદ્રવ્યોને જાણે છે પણ જોતો નથી. આ જ પ્રમાણે ક્ષેત્રાદિ શેષ ત્રણમાં પણ જાણી લેવું. 25 १. ( नन्दीवृत्ति: ३९४ प० ) एकपुरुषभरतादिक्षेत्रोत्सर्पिण्यवसर्पिणीजिनभाषितभावप्ररूपणां आश्रित्य सादिसपर्यवसितं नानापुरुषमहाविदेहनोउत्सर्पिण्यवसर्पिणीक्षायोपशमिकानाश्रित्य त्वन्यथा । २. पर्यायादे । ३. किञ्चिद्विशेषतो भूयो भूयस्तस्यैव सूत्रस्योच्चारणं गमः । ४. 'स्थविरास्तु भद्रबाहुस्वाम्यादयस्तत्कृतमावश्यकनिर्युक्त्यादिकमनङ्गप्रविष्टं (विशेष० ५५० वृत्तौ ) । ' ५. 'सत्तवि एए सपडिवक्खा' इत्येकोन्नविंशगाथासत्कं । ६. खलुशब्दव्याख्याने, अपिस्तु सप्तानामपि प्रतिपक्षग्रहार्थः स्फुट एव । ७. तत्स्व - 30 रूपतद्भेदस्वरूपसत्प्ररूपणादिद्वारातिदेशव्याख्यानेन । प्ररूप्यते २-३ । Page #101 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) इदं पुनः श्रुतज्ञानं सर्वातिशयरत्नसमुद्रकल्पं, तथा प्रायो गुर्वायत्तत्वात् पराधीनं यतः अतः विनेयानुग्रहार्थं यो यथा चास्य लाभः तं तथा दर्शयन्नाह आगमसत्थग्गहणं, जं बुद्धि । बिंति सुयनाणलंभं, तं पुव्वविसारया धीरा ॥ २१॥ 5 व्याख्या - आगमनं आगमः, आङ अभिविधिमर्यादार्थत्वाद् अभिविधिना मर्यादया वा गमः - परिच्छेद आगमः, स च केवलमत्यवधिमन: पर्यायलक्षणोऽपि भवति अतस्तद्व्यवच्छित्त्यर्थमाह-शिष्यतेऽनेनेति शास्त्रं श्रुतं, आगमग्रहणं तु षष्टितन्त्रादिकुशास्त्रव्यवच्छेदार्थं, तेषामनागमत्वात्, सम्यक्परिच्छेदात्मकत्वाभावादित्यर्थः, शास्त्रतया च रूढत्वात्, ततश्च आगमश्चासौ शास्त्रं च आगमशास्त्रं तस्य ग्रहणमिति समासः, गृहीतिर्ग्रहणं, यद्बुद्धिगुणैः 10 વશ્વમાળનક્ષી: રમૂર્ત: અમિ:, છું, ઘ્રુવતે, શ્રુતજ્ઞાનસ્ય નામ: શ્રુતજ્ઞાનતામાં, તહેવ પ્રદ્દળ, ધ્રુવતે, વે ?, પૂર્વેષુ વિશારવા:-પૂર્વવિશારવા:, વિજ્ઞાતા વિશ્ચિત:, ધીરા વ્રતાનુપાતને स्थिरा इत्ययं गाथार्थः ॥ २१ ॥ ७८ અવતરણિકા : આ શ્રુતજ્ઞાન સર્વ અતિશયોવાળા રત્નોના સમુદ્ર જેવું અને પ્રાયઃ ગુરુને આધીન હોવાથી પરાધીન છે. તેથી શિષ્યો ઉપર ઉપકાર કરવા માટે આ શ્રુતજ્ઞાનનો જે રીતે જે લાભ 15 થાય તે રીતે તે લાભને બતાવતા કહે છે : ગાથાર્થ બુદ્ધિના આઠ ગુણોવડે જે આગમશાસ્ત્રોનું ગ્રહણ દેખાયેલું છે. તેને શ્રુતજ્ઞાનના લાભ તરીકે પૂર્વવિશારદ, ધીરપુરુષો કહે છે. ટીકાર્થ : આગમનં (બોધ થવો એનું નામ) આગમ, અહીં ‘આ” ઉપસર્ગ અભિવિધિ અને મર્યાદા અર્થવાળો હોવાથી અભિવિધિવડે (સંપૂર્ણ રીતે–વ્યાપીને) અથવા મર્યાદાવડે (અમુક મર્યાદા 20 સુધી) ગમબોધ થવો તે આગમ કહેવાય છે. આ આગમ તરીકે કેવલજ્ઞાન, મતિજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાન પણ છે પરંતુ આ ચાર જ્ઞાનોને અહીં લેવા નથી પણ શ્રુતજ્ઞાન જ આગમ તરીકે લેવું છે. માટે મૂળમાં આગમ શબ્દ પછી શાસ્ર શબ્દ મૂકેલ છે. જેનાવડે શીખવાડાય તે શાસ્ત્ર કહેવાય અને આ શાસ્ત્ર તરીકે શ્રુતજ્ઞાન અભિપ્રેત છે. (શંકા : તો પછી આગમ શબ્દને શા માટે ગ્રહણ કર્યો ? માત્ર શાસ્ત્ર શબ્દ જ પૂરતો હતો.) 25 સમાધાન : ષષ્ટિતંત્ર વગેરે કુશાસ્ત્રો પણ લોકમાં શાસ્ત્ર તરીકે પ્રસિદ્ધ છે તેનો વ્યવચ્છેદ કરવા આગમ શબ્દ લખેલ છે, કારણ કે આ ષષ્ટિતંત્રાદિ શાસ્ત્રો આગમરૂપ નથી અર્થાત્ આ શાસ્ત્રો સમ્યજ્ઞાનરૂપ નથી. આમ માત્ર સમ્યજ્ઞાનરૂપ શાસ્ત્રો જ અહીં આગમ તરીકે જાણવા. આગમરૂપ એવા આ શાસ્ત્રોનું ગ્રહણ આગળ કહેવાતા સ્વરૂપવાળા બુદ્ધિનાં આઠ ગુણોવડે (તીર્થંકરો દ્વારા) જોવાયેલું છે. આ આઠ ગુણો દ્વારા થતું શાસ્ત્રોનું ગ્રહણ જ પૂર્વવિશારદ=પૂર્વેમાં પંડિત એવા અને 30 વ્રતના અનુપાલનમાં સ્થિર એવા પુરુષોવડે શ્રુતજ્ઞાનનાં લાભ તરીકે કહેવાયેલું છે. ૨૧ + વાય ૨૫ + વિવિવું ?-૨-૪-૬ । વીરા રૂ। Page #102 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિના આઠ ગુણોનું સ્વરૂપ (નિ. ૨૨) મૌક ૭૯ बुद्धिगुणैरष्टभिरित्युक्तं, ते चामी सुस्सूसइ पडिपुच्छइ, सुणेइ गिण्हइ य ईहए "वावि ।। तत्तो अपोहए या, धारेइ करेइ वा सम्मं ॥२२॥ व्याख्या-विनययुक्तो गुरुमुखात् श्रोतुमिच्छति शुश्रूषति, पुनः पृच्छति प्रतिपृच्छति तच्छ्रुतमशङ्कितं करोतीति भावार्थः, पुनः कथितं तच्छृणोति, श्रुत्वा गृह्णाति, गृहीत्वा चेहते 5 पर्यालोचयति किमिदमित्थं उत अन्यथेति, चशब्दः समुच्चयार्थः, अपिशब्दात् पर्यालोचयन् किञ्चित् स्वबुद्धयाऽपि उत्प्रेक्षते, 'ततः' तदनन्तरं 'अपोहते च' एवमेतत् यदादिष्टमाचार्येणेति, पुनस्तमर्थमागृहीतं धारयति, करोति च सम्यक् तदुक्तमनुष्ठानमिति, तदुक्तानुष्ठानमपि च श्रुतप्राप्तिहेतुर्भवत्येव, तदावरणकर्मक्षयोपशमा-दिनिमित्तत्वात्तस्येति । अथवा यद्यदाज्ञापयति गुरु: तँत् सम्यगनुग्रहं मन्यमानः श्रोतुमिच्छति शुश्रूषति, पूर्वसंदिष्टश्च सर्वकार्याणि कुर्वन् पुनः 10 पृच्छति प्रतिपृच्छति, पुनरादिष्टः तत् सम्यक् शृणोति, शेषं पूर्ववदिति गाथार्थः ॥२२॥ बुद्धिगुणा व्याख्याताः, तत्र 'शुश्रूषतीत्युक्तं, इदानीं श्रवणविधिप्रतिपादनायाहઅવતરણિકા : “બુદ્ધિના આઠગુણોવડે” એવું જે કહ્યું તે આઠ ગુણોને હવે બતાડે છે. ગાથાર્થ: સાંભળવાની ઇચ્છા કરે છે. પ્રતિપૃચ્છા કરે છે. કહેલું સાંભળે છે. ગ્રહણ કરે છે. વિચારે છે." પછી નિશ્ચિત કરે છે. જે ધારણ કરે છે. અને સમ્યગુ અનુષ્ઠાન કરે છે. “ 15 ટીકાર્થ : વિનયયુક્ત શિષ્ય ગુરુમુખથી શાસ્ત્રના અર્થો સાંભળવાનીઇચ્છા કરે છે. સાંભળ્યા પછી અશકિત ફરવા માટે (અર્થને) ફરીથી પૂછે છે. ફરી કહેવાયેલું (પૂછાયેલા શંકિત અર્થના ઉત્તરને) સાંભળે છે. સાંભળીને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને વિચારે છે કે “તે તે રીતે જ છે કે બીજી રીતે છે.” અહીં મુળગાથામાં “ચ” શબ્દ સમુચ્ચય અર્થવાળો છે અને “જિ” શબ્દથી “વિચાર કરતો તે શિષ્ય કંઈક પોતાની બુદ્ધિથી પણ ચિંતન કરે છે” એવો અર્થ પણ સમજી લેવો. 20 ત્યાર પછી “આચાર્યવડે જે કહેવાયું છે તે તેજ પ્રમાણે છે” એમ નિશ્ચિત કરે છે. ત્યાર પછી નિશ્ચિત કરેલો અર્થ ધારણ કરે છે. અને તે સૂત્રાદિમાં કહેલા અનુષ્ઠાનને સમ્યગ્રીતે કરે છે. અહીં એ પણ ધ્યાન રાખવું કે અનુષ્ઠાન પણ શ્રુતના લાભનું કારણ બને જ છે કારણ કે આ અનુષ્ઠાન કરવાથી શ્રુતજ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ થાય છે, અથવા આ શ્લોકનો બીજી રીતે અર્થ કરે છે કે ગુરુ જે જે પદાર્થોને જણાવે છે, તે સર્વ 25. પદાર્થોને “ગુરુ મારી ઉપર કેટલો ઉપકાર કરે છે” એવું માનતો તે શિષ્ય સમ્યગ્રીતે સાંભળવાને ઈચ્છે છે. આ ‘શુશ્રુષતિ' પદનો અર્થ કહેવાયો. પૂર્વે સંદિષ્ટ કરાયેલો શિષ્ય સર્વકાર્યોને કરતો ફરી પૂછે છે. આના દ્વારા “પ્રતિપૃચ્છા” શબ્દ કહેવાયો. ફરી કહેવાયેલો શિષ્ય તે અર્થને સમ્યમ્ સાંભળે છે. હવે પછીના બધા પદોનો અર્થ પૂર્વે કહેવાયા પ્રમાણે જાણવો. ||રરા અવતરણિકા : બુદ્ધિના ગુણો કહેવાઈ ગયા. તેમાં “સાંભળવાની ઇચ્છા કરે છે.” એવું 30 જે કહ્યું ત્યાં હવે સાંભળવાની વિધિને જણાવે છે ? [ આવિ રૂ. 5 વી -ર-8-+ શુશ્રુષને શુશ્રત રૂત્યુ પ . * પુનઃ પુન: ૩-૪ I * તત્તત્ ૨-૨-૫ { } વાદ#R૦ ૬-૨-8 ! Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૦ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) मूअं हुंकारं वा, 'बाढकारपडिपुच्छवीमंसा । तत्तो पसंगपारायणं च परिणि? सत्तमए ॥२३॥ व्याख्या-'मूकमिति' मूकं श्रृणुयात्, एतदुक्तं भवति-प्रथमश्रवणे संयतगात्रः तूष्णी खल्वासीत, तथा द्वितीये हुङ्कारं च दद्यात्, वन्दनं कुर्यादित्यर्थः, तृतीये 'बाढत्कारं कुर्यात्, 5 बाढमेवमेतत् नान्यथेति, चतुर्थश्रवणे तु गृहीतपूर्वापरसूत्राभिप्रायो मनाक् प्रतिपृच्छां कुर्यात् कथमेतदिति, पञ्चमे तु मीमांसां कुर्यात्, मातुमिच्छा मीमांसा प्रमाणजिज्ञासेतियावत्, ततः षष्ठे श्रवणे तदुत्तरोत्तरगुणप्रसङ्गः पोरगमनं चास्य भवति, परिनिष्ठा सप्तमे श्रवणे भवति, एतदुक्तं भवति-गुरुवदनुभाषत एव सप्तमश्रवण इत्ययं गाथार्थः ॥२३॥ एवं तावच्छ्रवणविधिरुक्तः, इदानीं व्याख्यानविधिमभिधित्सुराहसुत्तत्थो खलु पढमो, बीओ निज्जुतिमीसओ भणिओ । तइओ य निरवसेसो, एस विही भणिअ अणुओगे ॥२४॥ व्याख्या-सूत्रस्यार्थः सूत्रार्थः सूत्रार्थ एव केवलः प्रतिपाद्यते यस्मिन्ननुयोगे असौ सूत्रार्थ इत्युच्यते, सूत्रार्थमात्रप्रतिपादनप्रधानो वा सूत्रार्थः, खलुशब्दस्वेवकारार्थः, स चावधारणे, ગાથાર્થ : (પ્રથમવાર) મૌન પણે સાંભળે, (બીજીવારમાં) હુંકાર કરે, (ત્રીજી વાર) 15 બાઢકાર કરે છે (ચોથીવારમાં) પ્રતિપૃચ્છા (પાંચમાં શ્રાવણમાં) મીમાંસા, (છઠ્ઠા શ્રવણમાં) પ્રસંગપારંગત અને સાતમાં શ્રવણે) પરિનિષ્ઠિત થાય છે. ટીકાર્થ મૌનપણે સાંભળે અર્થાત્ પ્રથમવાર સંયમિત શરીરવાળો થયેલો મૌનપણે સાંભળે, બીજીવારમાં હુંકારને આપે અર્થાત્ વંદન કરે, ત્રીજીવારમાં “આપશ્રી જેમ કહો છો તે તેમ જ છે” આ રીતે તહત્તિ કરે, ચોથા શ્રવણમાં પૂર્વાપરસૂત્રના અભિપ્રાયને જાણનાર શિષ્ય “આ વચન કઈ 20 અપેક્ષાએ ઘટે?” એ રીતે કંઈક પ્રતિપૃચ્છા કરે, પાંચમાં શ્રવણમાં તે તે પદાર્થોના પ્રમાણ (અનુમાન, આગમ વગેરે)ની જિજ્ઞાસા રાખે, છઠ્ઠા શ્રવણમાં ઉત્તરોત્તરગુણની પ્રાપ્તિ અને તે ગ્રંથના પારને પામે છે. સાતમાં શ્રવણમાં શિષ્ય પોતે ગુરુની જેમ તે ગ્રંથનો અનુભાષક બને છે. ર૩ll અવતરણિકા : આ પ્રમાણે શ્રવણવિધિ કહી, હવે વ્યાખ્યાનવિધિને કહેવાની ઇચ્છાવાળા કહે છે કે 25 ગાથાર્થ : પ્રથમવાર સૂત્રનો અર્થ કહેવામાં આવે છે. બીજીવારમાં નિર્યુક્લિમિશ્રિત અર્થ અને ત્રીજીવારમાં નિરવશેષ અર્થ કહેવો એ પ્રમાણે અનુયોગ કરવાની વિધિ જાણવી. ટીકાર્થ સૂત્રનો અર્થ તે સૂત્રાર્થ, જે અનુયોગમાં માત્ર સૂત્રાર્થ જ પ્રતિપાદન કરાય છે તે પ્રથમ સૂત્રાર્થઅનુયોગ કહેવાય છે. અથવા સૂત્રાર્થનું પ્રતિપાદન એ છે પ્રધાન જેમાં એવા અનુયોગ સૂત્રાર્થઅનુયોગ કહેવાય છે. અહીં “વનુ” શબ્દ એવ અર્થમાં = અવધારણ અર્થમાં છે. આશય 30 ૮. ૩પોદ્ભાનિક્ષેપનિર્વવા નથઝિભ્રતિપાનાંમવાન્ ૬ વાઢ ૧-૨ વાદ - बाढ मेवैतत् ५ । x प्रसङ्गपारगमनं । + मीसीओ। Page #104 -------------------------------------------------------------------------- ________________ मा भूत् અવધિજ્ઞાનના સામાન્યથી ભેદા (નિ. ૨૫) एतदुक्तं भवति-गुरुणा सूत्रार्थमात्राभिधानलक्षण एव प्रथमोऽनुयोगः कार्यः, प्रार्थमिकविनेयानां मतिसंमोहः, 'द्वितीयः' अनुयोगः सूत्रस्पैशिकनिर्युक्तिमिश्रकः कार्य इत्येवंभूतो भणितो जिनैश्चतुर्दशपूर्वधरैश्च 'तृतीयश्च निरवशेष:' प्रसक्तानुप्रसक्तमप्युच्यते यस्मिन् स एवं लक्षणो निरवंशेषः कार्य इति, स 'एष' उक्तलक्षणो विधानं विधिः प्रकार इत्यर्थः, भणित: प्रतिपादितः जिनादिभिः, क्व ?, सूत्रस्य निजेन अभिधेयेन सार्धं अनुकूलो योगः अनुयोगः 5 सूत्रव्याख्यानमित्यर्थः, तस्मिन्ननुयोगेऽनुयोगविषय इति, अयं गाथार्थः ॥२४॥ समाप्तं श्रुतज्ञानम् ॥ उक्तप्रकारेण श्रुतज्ञानस्वरूपमभिहितं साम्प्रतं प्रागभिर्हितेप्रस्तावमवधिज्ञानमुपदर्शयन्नाह— ८१ संखाईआओ खलु, ओहीनाणस्स सव्वपयडीओ । खओवसमिआओ काओऽवि ॥ २५ ॥ काओ भवपच्चइया, व्याख्या - संख्यानं संख्या तामतीताः संख्यातीता असंख्येया इत्यर्थः, तथा संख्यातीतमनन्तमपि भवति, ततश्चानन्ता अपि तथा च खलुशब्दो विशेषणार्थः, किं એ છે કે પ્રાથમિક શિષ્યોને સંમોહ ન થાય તે માટે ગુરુએ પ્રથમ માત્ર સૂત્રના અર્થો જ કહેવા જોઈએ. જિનેશ્વરો અને ચૌદપૂર્વધરોવડે બીજો અનુયોગ સૂત્રસ્પર્શિકનિર્યુક્તિથી મિશ્રિત કહેલો છે (અર્થાત્ સૂત્રના દરેક દરેક, પદની વિસ્તૃત વ્યાખ્યા કરવા દ્વારા અર્થ જણાવવો એ બીજો અનુયોગ 15 उहेवाय छे.) તથા ત્રીજા નિરવશેષઅનુયોગ કે જેમાં પ્રાસંગિક, અનુપ્રાસંગિક સર્વવાતોનું વર્ણન કરવામાં આવે છે. આ પ્રમાણે જિનેશ્વરોવડે વિધિ જણાવેલ છે. કોની વિધિ ? તે કહે છે – સૂત્રનો પોતાના અર્થ સાથે જે અનુકૂળ એવો સંબંધ કરવો તે અનુયોગ કહેવાય છે. આ અનુયોગની सूत्रव्याख्याननी विधि (विनेश्वरोवडे) अहेवायेली छे. ॥२४॥ 10 20 અવતરણકા : આમ અહીં શ્રુતજ્ઞાન કહેવાઇ ગયું. હવે જેનું પૂર્વે (ગા.નં. ૧૬માં " अपि " शब्दथी) स्थन उरायुं हतुं, ते अवधिज्ञाननुं स्व३पवर्शन उरे छे ગાથાર્થ : અવધિજ્ઞાનના સંખ્યાતીત ભેદો છે. કેટલાક અવધિજ્ઞાનો ભવપ્રત્યયિક અને કેટલાક ક્ષાયોપમિક હોય છે. ટીકાર્થ : સંખ્યા એટલે ગણતરી કરવી, જે વસ્તુ ગણતરીને ઓળંગી જાય તેને સંખ્યાતીત 25 અર્થાત્ અસંખ્યેય કહેવાય છે. તથા સંખ્યાતીત નો અર્થ અનંત પણ થાય છે, એટલે અધિજ્ઞાનના અસંખ્ય અને અનંત ભેદો છે. મૂળગાથામાં “વ્રુત્તુ” શબ્દ વિશેષ અર્થનો દ્યોતક છે તે વિશેષ ९. नूतनशिष्याणां प्रपञ्चितज्ञानां बालानां । १०. टीकाचूर्ण्यादिरूपः, प्रथमे संहितापदलक्षणः मध्ये पदार्थपदविग्रहचालनाप्रत्यवस्थानादिरूपः तृतीयस्मिंस्तु अर्थापत्तिप्रभृतिगम्य इत्यर्थः । ११. सर्वश्रुतप्रतिव्याख्यानाशक्यत्वेन चतुर्दशविधनिक्षेपवर्णनप्रतिज्ञातरूपेण । १२. स्थित्यादिसाधर्म्यरूपं । 30 १३. संख्यानमपेक्ष्य सामान्ये वा नपुंसकं । * कर्तव्यः । + ० स्पर्शक० २-४-५ । सूत्रार्थव्या० १ सूत्रान्वा० २-४-५ । Page #105 -------------------------------------------------------------------------- ________________ · ૮૨ आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति सभाषांतर ( ( भाग - १ ) विशिनष्टि ?– क्षेत्रकालाख्यप्रमेयापेक्षयैव संख्यातीताः, द्रव्यभावाख्यज्ञेयापेक्षया चानन्ता इति, 'अवधिज्ञानस्य' प्राग्निरूपितशब्दार्थस्य, सर्वाश्च ताः प्रकृतयश्च सर्वप्रकृतयः, प्रकृतयो भेदा अंशा इति पर्यायाः, एतदुक्तं भवति यस्मादवधे: लोर्कक्षेत्रासंख्येयभागादारभ्य प्रदेशवृद्धया असंख्येयलोकपरिमाणं उत्कृष्टं आलम्बनतया क्षेत्रर्मुक्तं, कालश्चावलिका संख्येयभागादारभ्य 5 समयवृद्धया खल्वसंख्येयोत्सर्पिण्यवसर्पिणीप्रमाण उक्तः, ज्ञेयभेदाच्च ज्ञानभेद इत्यतः संख्यातीताः तत्प्रकृतयः इति, तथा तैजसवाग्द्रव्यापान्तरालर्वैर्त्यनन्तप्रदेशकाद् द्रव्यादारभ्य विचित्रवृद्धया सर्वमूर्त्तद्रव्याणि उत्कृष्टं विषयपरिमाणमुक्तं, प्रतिवस्तुगतासंख्येयपर्यायविषयमानं च इति, अत: पुद्गलास्तिकायं तत्पर्यायाँश्चाङ्गीकृत्य ज्ञेयभेदेन ज्ञानभेदादनन्ताः प्रकृतय इति, आसां च मध्ये 'काश्चन' अन्यतमाः 'भवप्रत्यया भवन्ति अस्मिन् कर्मवशवर्त्तिनः प्राणिन इति 10 भवः, स च नारकादिलक्षणः, स एव प्रत्ययः कारणं यासां ताः भवप्रत्ययाः पक्षिणां गगनगमनवत्, 'ताश्च नारकामराणामेव, तथा गुणपरिणामप्रत्ययाः क्षयोपशमनिर्वृत्ताः અર્થ આ પ્રમાણે કે ક્ષેત્ર અને કાલરૂપ વિષયની અપેક્ષાએ અસંખ્યભેદોવાળું તથા દ્રવ્ય અને ભાવરૂપ શેયની અપેક્ષાએ અનંતાભેદોવાળું અવિધજ્ઞાન હોય છે. કહેવાનો આશય એ છે કે જીવ અવધિજ્ઞાનમાં લોકરૂપક્ષેત્રના અસંખ્યેયભાગથી આરંભી એક—એક પ્રદેશની વૃદ્ધિથી અસંખ્યલોક 15 સુધીના ક્ષેત્રને જોઈ શક્તો હોવાથી, કાલથી આવલિકાના અસંખ્યભાગથી આરંભી સમયની વૃદ્ધિ વડે અસંખ્ય ઉત્સર્પિણી—અવસર્પિણી સુધી જોઈ શક્તો હોવાથી અને વિષયના ભેદથી જ્ઞાનભેદ પડતો હોવાથી અવિધજ્ઞાન અસંખ્યભેદવાળું બને છે. તથા દ્રવ્યથી તેજસવર્ગણા અને ભાષાવર્ગણાની મધ્યમાં રહેલા અનંતપ્રદેશવાળા દ્રવ્યથી આરંભી વિચિત્રવૃદ્ધિવડે ઉત્કૃષ્ટથી સર્વમૂર્તદ્રવ્યોને અને ભાવથી દરેક દ્રવ્યોમાં રહેલા અસંખ્ય પર્યાયોને જીવ અવધિજ્ઞાનમાં જુએ 20 છે. આથી પુદ્ગલાસ્તિકાય અને તેના પર્યાયોને આશ્રયી અવધિજ્ઞાનના અનંતા ભેદો પડે છે, કારણ કે જ્ઞેય (વિષય)ના ભેદથી જ્ઞાનનો ભેદ પડે છે. આ ભેદોમાંથી કેટલાક ભેદો ભવપ્રત્યય અર્થાત્ ભવને કારણે પ્રાપ્ત થાય છે. ભવપ્રત્યય એટલે કર્મવશ જીવો જેમાં ભમે તે ભવ. અહીં ભવ તરીકે નારકાદિ ભવો જાણવા. તે ભવ જેમાં કારણ છે તે ભવપ્રત્યય કહેવાય છે. જેમ પક્ષીઓને પક્ષીના ભવમાં ગગનમાં ઉડવાની શક્તિ પક્ષીના ભવના કારણે પ્રાપ્ત થાય 25 છે, તેમ આ જીવોને ભવના કારણે જ અવિધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. આવું અવિધજ્ઞાન નારક અને १४. सतोरप्यनन्तयोरनयोरवधिज्ञानविषयापेक्षयाऽदः १५. लोकशब्देन पञ्चास्तिकायस्य क्षेत्रशब्देन चानन्ताकाशस्य बोधसंभवादुक्तं लोकक्षेत्रेति. लोक एवारम्भाद्वा । १६. एतावतो लोकक्षेत्रस्यासंभवादुक्तं क्षेत्रेति, सामान्येन सामर्थ्यापेक्षं चेदं न तु तावति क्षेत्रे दृश्यं, विहाय लोकं जीवपुद्गलयोरनवस्थानात् फलं तु लोके सूक्ष्मसूक्ष्मतरार्थज्ञानं । १७. उत्कर्षतः प्रतिद्रव्यमसंख्येयान्, न तु कदाचनाप्यनन्तान् 'नाणन्ते 30 पेच्छइ कयाइ' त्ति भाष्योक्तेः, जघन्यतस्तु संख्येयानसख्येयांश्च प्रतिद्रव्यं जानाति परं वक्ष्यमाणत्वादिना नोक्तं । १८. भवप्रत्ययावधिप्रकृतयः । ० वर्तिनोऽनन्त० ५ । + प्रदेशिकाद् १ - ३-५ । कायांस्तत्प० । + ०भेदे च १-२-४-५ । Page #106 -------------------------------------------------------------------------- ________________ 15 અવધિના ચૌદ નિક્ષેપાઓ (નિ. ૨૬) & ૮૩ क्षायोपशमिका: काश्चन, ताश्च तिर्यङ्नराणामिति । आह-क्षायोपशमिके भावेऽवधिज्ञानं प्रतिपादितं, नारकादिभवश्च औदयिकः, स कथं तासां प्रत्ययो भवतीति, अत्रोच्यते, ता अपि क्षयोपशमनिबन्धना एव, किं तु असावेव क्षयोपशमः तस्मिन्नारकामरभवे सति अवश्यं भवतीतिकृत्वा भवप्रत्ययास्ता इति गाथार्थः ॥२५॥ साम्प्रतं सामान्यरूपतया उद्दिष्टानां अवधिप्रकृतिनां वाचः क्रमवर्तित्वाद् आयुषश्चाल्पत्वात् 5 यथावद्भेदेन प्रतिपादनसामर्थ्यमात्मनोऽपश्यन्नाह सूत्रकार: - कत्तो मे वण्णेउं, सत्ती ओहिस्स सव्वपयडीओ ? । चउदसविहनिक्खेवं, इड्डीपत्ते च वोच्छामि ॥२६॥ વ્યારા-તો ? ‘?' મમ, વUયિતું જીિ: બવઃ સર્વપ્રતી: ?, માધુપ: પરિમિતત્વી वाचः क्रमवर्त्तित्वाच्च, तथापि विनेयगणानुग्रहार्थं, चतुर्दशविधश्चासौ निक्षेपश्चेति समासः, तं 10 अवधेः संबन्धिंनं, आमर्पोषध्यादिलक्षणा प्राप्ता ऋद्धियैस्ते प्राप्तर्धयः तांश्च, इह गाथाभङ्गभयाद्व्यत्ययः, अन्यथा निष्ठान्तस्य पूर्वनिपात एव भवति बहुव्रीहाविति, चशब्दः समुच्चयार्थः, “વફ્ટ' ઉપનદાચ રૂતિ પથાર્થ: iરિદ્દા દેવોને જ હોય છે. કેટલાક ગુણરૂપપરિણામપ્રત્યયિક અવધિજ્ઞાનભેદો ક્ષયપશમથી થયેલ હોય છે જેને ક્ષાયોપથમિક કહેવાય છે અને તે તિર્યંચમનુષ્યોને હોય છે. શંકા : અવધિજ્ઞાન એ ક્ષાયોપથમિકભાવનું છે અને નારકાદિભવો ઔદયિકભાવના છે. તો ઔદયિકભાવરૂપ એવા નારકાદિ ભવો એ અવધિજ્ઞાનનું કારણ કેવી રીતે બની શકે ? સમાધાન : નારકાદિભવપ્રત્યયિક એવા અવધિજ્ઞાનના ભેદો પણ વાસ્તવિક રીતે ક્ષયોપશમાં પ્રત્યયિક જ છે પરંતુ તે ક્ષયોપશમ નારકાદિ ભવોમાં અવશ્ય પ્રાપ્ત થતો હોવાથી ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય છે. //રપો 20 અવતરણિકા : “વ્રાર્રા નુ, મોદીના ગાથા દ્વારા સામાન્યથી અવધિજ્ઞાનના ભેદો કહ્યા, પરંતુ વાણી ક્રમવર્તી હોવાથી અને આયુષ્ય અલ્પ હોવાથી તે દરેકે દરેક યથાવત્ ભેદો બતાવવાનું (વર્ણવવાનું) પોતાનું સામર્થ્ય નહીં જોતા ગ્રંથકારશ્રી કહે છે કે હું ગાથાર્થ : અવધિજ્ઞાનના સર્વભેદોને વર્ણવવાની મારી શક્તિ ક્યાં ? તો પણ ચૌદ પ્રકારના નિક્ષેપોને અને ઋદ્ધિઓને હું કહીશ. ટીકાર્થ : અવધિજ્ઞાનના સર્વભેદોને વર્ણવવાની મારી શક્તિ નથી, કારણ કે મારી વાણી ક્રમશઃ વર્તે છે, અને આયુષ્ય અલ્પ છે જ્યારે ભેદો ઘણાં છે. તો પણ શિષ્યસમૂહ ઉપર અનુગ્રહ કરવાને માટે અવધિવિષયક ચૌદપ્રકારના નિક્ષેપને (કારોને) તથા જેઓએ આમષધિ વગેરે ઋદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે, તે ઋદ્ધિમાનું વ્યક્તિઓને કહીશ. મૂળગાથામાં “ઈઢી પત્ત” શબ્દમાં ત(ત) પ્રત્યયાન્ત (નિષ્ઠા–પ્રત્યયાન્ત) એવો “પત્ત” શબ્દ બહુવ્રીહી સમાસમાં પૂર્વપદમાં જ 30 આવે છતાં છંદની ગૂંથણીનો ભંગ ન થાય તે માટે “પત્ત” શબ્દ ઉત્તરપદમાં મૂકેલ છે.// ર૬ll १९. कारणकारणे कारणत्वोपचारात्, प्रयोजनं तु तदुदयनान्तरीयकताज्ञापनं, अन्यथासिद्धत्वं त्ववश्यक्लृप्तत्वान्नात्र । २०. संखाईआओ खलु ओहीनाणस्स सव्वपयडीओ' त्ति पूर्वार्धेन । 25 Page #107 -------------------------------------------------------------------------- ________________ 5 ૮૪ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) यदुक्तं 'चतुर्दशविधनिक्षेपं वक्ष्ये' इति, तं प्रतिपादयंस्तावद्द्वारगाथाद्वयमा ओही खित्तपरिमाणे, संठाणे आणुगामिए । अवट्ठिए चले तिव्वमन्द पडिवाउत्पयाइ अ ॥२७॥ नाण दंसण विब्भंगे, देसे खित्ते ई इ । ड्डीपत्ताणुओगे य, एमेआ पडिवत्तिओ ॥ २८ ॥ व्याख्या–तत्र अवध्यादीनि गतिपर्यन्तानि चतुर्दश द्वाराणि, ऋद्धिस्तु चैसमुच्चितत्वात् पञ्चदशं । अन्ये त्वाचार्या अवधिरित्येतत्पदं परित्यज्य आनुगामुकमनानुगामुकसहितं अर्थतोऽभिगृह्य चतुर्दश द्वाराणि व्याचक्षते, यस्मात् नावधिः प्रकृतिः, किं तर्हि ?, अवधेरेव प्रकृतयः चिन्त्यन्ते, यतश्च प्रकृतीनामेव चतुर्दशधा निक्षेप उक्त इति । पक्षद्वयेऽपि अविरोध इति । तत्र 'अवधिरिति ' 10 અવતરણિકા : પૂર્વગાથામાં “ચૌદ પ્રકારનો નિક્ષેપ કહીશ” એવું જે કહ્યું તે નિક્ષેપને જણાવતા બે દ્વારગાથા કહે છે ગાથાર્થ : ૧. અવિધ ૨. ક્ષેત્રપરિમાણ ૩. સંસ્થાન ૪. આનુગામિક ૫. અવસ્થિત ૬. ચલ ૭. તીવ્રમંદ ૮. પ્રતિપાત ઉત્પાદ. — 30 - 15 ઋદ્ધિપ્રાપ્તનો અનુયોગ આ પ્રમાણે આટલા દ્વારો પ્રતિપાદન કરવાના છે. ગાથાર્થ : ૯. જ્ઞાન ૧૦. દર્શન ૧૧. વિભંગ ૧૨. દેશ ૧૩. ક્ષેત્ર ૧૪. ગતિ અને ટીકાર્થ : અહીં અવિધથી લઈને ગતિ સુધીનાં ચૌદ દ્વારો છે અને “ચ” શબ્દથી પંદરમું ઋદ્ધિદ્વાર સમજવું. કેટલાક આચાર્યો “અવિધ” પદને છોડી અનાનુગમિક સહિત આનુગમિકને અર્થથી ગ્રહણ કરી (અર્થાત્ “આનુગમિક” પદથી અર્થપત્તિથી અનાનુગમિકને ઉમેરી) ચૌદ દ્વારો જણાવે છે.આના કારણમાં આચાર્યોનું એમ કહેવું છે કે અહીં અવિધજ્ઞાનના ભેદો વિચારવાના 2) હોવાથી અને અવિષે એ ભેદરૂપ ન હોવાથી અવિધ શબ્દ છોડી દેવાય છે, કારણ કે આ ઉપરોક્ત ગાથામાં ભેદોના જ ચૌદપ્રકાર પાડેલા છે. (અર્થાત્ અવિધ પોતે એકભંદરૂપ નથી). બંને પક્ષમાં કોઈ વિરોધ નથી. (કારણ કે “અવધિ” શબ્દથી અવધિનું સ્વરૂપવર્ણન કરવાનું હોવાથી એ પણ દ્વારરૂપ બની શકે. હવે મૂળગાથાનો અક્ષરાર્થ કરે છે.) તેમાં “અવિધ’’ શબ્દથી અવધિના નામાદિ સાતપ્રકારના નિક્ષેપાઓનું વર્ણન ક૨શે તથા અધિશબ્દ બે વાર 25 ગ્રહણ કરવો એ વાત વ્યાખ્યાન કરાઈ. (આ પંક્તિનો ભાવાર્થ આ પ્રમાણે લાગે છે કે પૂર્વે જો કે “અવધિ” શબ્દ બે વાર ગ્રહણ કરવાની વાત કરી નથી. છતાં પ્રથમ મત કે જેમાં “અવિધ”ને પણ દ્વાર તરીકે ગણ્યું છે. ત્યાં એ અર્થથી સમજવાનું છે, કારણ કે અવધિ, ક્ષેત્રપરિમાણ વિ. અવધિજ્ઞાનની પ્રકૃત્તિઓ છે એમ કહેવાનો ભાવ છે. એટલે એકવાર “અવધિ” શબ્દ પ્રથમાવિભક્તિમાં અને બીજીવાર છઠ્ઠી २१. षड्विंशतितमगाथायां ‘चउदसविहनिक्खेवं इड्डीपत्ते य' इत्यत्र चस्योक्तसमुच्चयार्थत्वाच्चशब्दसमुच्चयनं । * गए ४ + इआ Page #108 -------------------------------------------------------------------------- ________________ અવધિના વિશેષ ભેદો (નિ. ૨૭-૨૮) अवधेर्नामादिभेदभिन्नस्य स्वरूपमभिधातव्यं, तथा अवधिशब्दो द्विरावर्त्यत इति व्याख्यातमिति । तथा ' क्षेत्रपरिमाण' इति क्षेत्रपरिमाणविषयोऽवधिर्वक्तव्यः, एवं संस्थानविषय इति । अथवा ‘अर्थाद्विभक्तिपरिणाम' इति द्वितीयैवेयं, ततश्च अवधेर्जघन्यमध्यमोत्कृष्टभेदभिन्नं क्षेत्रप्रमाणं वक्तव्यं । तथा संस्थानमवधेर्वक्तव्यम् । 'आनुगामुक इति द्वारं' अनुगमनशील आनुगामुकः, વિપક્ષોવધિવત્ત વ્યઃ, ારાન્ત: શબ્દ: પ્રથમાન્ત કૃતિા, યથા ‘વરે આગચ્છડ઼ ’( ઉત્તરા 5 अ० १२गा० ६ ) इत्यादि । तथा अवस्थितोऽवधिर्वक्तव्यः, द्रव्यादिषु कियन्तं कालं अप्रतिपतितः सनुपयोगतो लब्धितश्चावस्थितो भवति । तथा चलोऽवधिर्वक्तव्यः, चलोऽनवस्थितः, स च वर्धमानः श्रीयमाणो वा भवति । तथा 'तीव्रमन्दाविति द्वारं' तीव्रो मन्दो मध्यमश्चावधिर्वक्तव्यः, तत्र तीव्रो विशुद्धः, मन्दश्चाविशुद्धः, तीव्रमन्दस्तूभयप्रकृतिरिति । 'प्रतिपातोत्पादाविति द्वारं' एककाले द्रव्याद्यपेक्षया प्रतिपातोत्पादाववधेर्वक्तव्यौ ॥२७॥ ૮૫ 10 દ્વિતીયા થાવ્યાહ્યા—તથા ‘જ્ઞાનવર્શનવિમઙ્ગા' વર્તાવ્યા:, મિત્ર જ્ઞાનં ? fò વા વર્ણનં? વિભક્તિમાં લીધેલ હોવાથી બે વાર અવિધશબ્દનું ગ્રહણ કરવું પડે.) પછી ક્ષેત્રપરિમાણવાળું અવધિજ્ઞાન કહેવું, પછી સંસ્થાનવિષયવાળું અવધિજ્ઞાન કહેવું. (મૂળગાથામાં બધા પદોને પ્રથમા વિભક્તિ છે, એટલે “અવધિનું ક્ષેત્રપરિમાણ” એમ ન કહેતા, “ક્ષેત્રપરિમાવિષયવાળું અવધિ’ એમ કહ્યું છે.) અથવા અર્થ મુજબ વિભક્તિ સમજવાની હોવાથી આ દ્વિતીયા વિભક્તિ 15 સમજવી, એટલે અવિધનાં જઘન્ય–મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદવાળા ક્ષેત્રપરિમાણને કહેવું, તથા અવિધના સંસ્થાનને કહેવું. તથા આનુગામિક એ પ્રમાણે જે દ્વાર છે તેની વ્યાખ્યા કરે છે. પાછળ—પાછળ જવાના સ્વભાવવાળું જે હોય તે આનુગામિક કહેવાય છે. અહીં વિપક્ષ એટલે અનાનુગમિક સહિત આનુગામિક અવિધ કહેવો. મૂળગાથામાં “ભુમિ” જે શબ્દ છે તેના અંતમાં “” કાર છે, તે પ્રથમાવિભક્તિવાળો 20 હોવાથી “આનુગામિક એવો અવધિ” એ પ્રમાણે અવધિના વિશેષણ તરીકે જાણવો જેમ કે ‘“યરે ઞાજીરૂ’ અહીં ‘‘રે’’ માં હાર એ પ્રથમાવિભક્તિ હોવાથી “કોણ આવે છે ?’” એ પ્રમાણે અર્થ કરાય છે. તથા અવસ્થિત અવધિ કહેવો અર્થાત્ દ્રવ્યાદિમાં અવધિ સતત ઉપયોગથી અને લબ્ધિથી કેટલા કાળ સુધી અવસ્થિત હોય છે ? તે જણાવવું. તથા ચલ અવિધ અર્થાત્ અનવસ્થિત અવિધ જણાવવો તે વર્ધમાન અને ક્ષીયમાણ એમ બે પ્રકારે હોય છે. ત્યાર પછી તીવ્ર, મંદ અને મધ્યમ 25 અવિધ કહેવો. તેમાં તીવ્ર એટલે વિશુદ્ધ, મંદ એટલે અવિશુદ્ધ અને મધ્યમ એટલે તીવ્ર–મંદ ઉભયપ્રકૃતિવાળો. તથા એકકાળે દ્રવ્યાદિ અપેક્ષાએ અવધિનો પ્રતિપાત અને ઉત્પાદ બતાવવો ॥૨૭ા આ પ્રમાણે પ્રથમગાથાનો અર્થ પૂર્ણ કરી હવે બીજી ગાથાનો અર્થ જણાવે છે કે– ત્યારપછી જ્ઞાન,દર્શન અને વિભંગ કહેવા અર્થાત્ અહીં જ્ઞાન શું છે, દર્શન શું છે ? વિભંગ એટલે શું ? અને આ બધાનું २२. तत्रावध्यादीनीत्यत्र व्याख्यातमर्थतः, ततश्चाग्रेतनेषु अवधिपदयोजना, टिप्पनके अन्ये त्वाचार्या 30 इत्यत्रेतिव्याख्यातं, अत्र वाऽऽवृत्तिस्तथा च प्रथमान्तता प्रकृतित्वे क्षेत्रपरिमाणादौ योज्यतयेति च ૨૩. પ્રતિપત્તિરિત્યર્થ, અન્યમતાપેક્ષવાદ્:, વ્યાવ્રાનં વાત: તન્મતસ * ગર્થવશાત્ -૬ । Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૬ જ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) को वा विभङ्गः ? परस्परतश्चामीषां अल्पबहुत्वं चिन्त्यमिति । तथा 'देशद्वारं' कस्य देशविषयः सर्वविषयो वाऽवधिर्भवतीति वक्तव्यम् । 'क्षेत्रद्वारं' क्षेत्रविषयोऽवधिर्वक्तव्यः, संबद्धासंबद्धसंख्येयासंख्येयापान्तराललक्षणक्षेत्रावधिद्वारेणेत्यर्थः । 'गतिरिति च' अत्र इतिशब्द आद्यर्थे द्रष्टव्यः, ततश्च गत्यादि च द्वारजालमवधौ वक्तव्यमिति । तथा प्राप्तद्धर्यनुयोगश्च कर्त्तव्यः, 5 अनुयोगोऽन्वाख्यानं, एवमनेन प्रकारेण 'एता' अनन्तरोक्ताः 'प्रतिपत्तयः' प्रतिपादनानि, प्रतिपत्तयः परिच्छित्तय इत्यर्थः, ततश्चावधिप्रकृतय एव प्रतिपत्तिहेतुत्वात् प्रतिपत्तय इत्युच्यन्त इति गाथाद्वयसमुदायार्थः ॥२८॥ साम्प्रतमनन्तरोक्तद्वारगाथाद्वयाद्यद्वारव्याचिख्यासयेदमाह - नामं ठवणादविए, खित्ते काले भवे य भावे य । एसो खलु निक्खेवो ओहिस्सा होइ सत्तविहो ॥२९॥ व्याख्या-तत्र नाम पूर्व निरूपितं, नाम च तदवधिश्च नामावधिः, यस्यावधिरिति नाम क्रियते, यथा मर्यादायाः । तथा स्थापना चासाववधिश्च स्थापनावधिः, अक्षादिविन्यासः । अथवा अवधिरेव च यदभिधानं वचनपर्यायः स नामावधिः, स्थापनावधिर्यः खलु आकारविशेषः तत्तद्रव्यक्षेत्रस्वामिनामिति । तथा द्रव्येऽवधिव्यावधिः, द्रव्यालम्बन इत्यर्थः । अथवाऽयं 5 પરસ્પર અલ્પબદુત્વ વિચારવું. તથા કોને દેશવિષયક કે સર્વવિષયક અવધિ હોય છે તે કહેવું. ત્યાર પછી સંબદ્ધ, અસંબદ્ધ, સંખ્યય, અસંખ્યય, અપાન્તરાલરૂપ ક્ષેત્રના અવધિદ્વારા ક્ષેત્રવિષયક અવધિ કરવા યોગ્ય છે. “તરતિ ઘ” અહીં “તિ” શબ્દ “વગેરે” અર્થમાં હોવાથી ગતિ વગેરે અન્ય પ્રતિહારો અવધિના નિરૂપણમાં કહેવા યોગ્ય છે. ત્યાર પછી પ્રાપ્ત ઋદ્ધિવાળાનો અનુયોગ = કથન કહેવા યોગ્ય છે. આ પ્રમાણે ઉપર બતાવેલ ચૌદ પ્રતિપાદનો (બોધ) છે. અહીં અવધિના ભેદો જ 20 બોધનું કારણ હોવાથી (ભેદોને જ) બોધ તરીકે કહેવાય છે. ll૨૮. અવતરણિકા : ઉપર બતાવેલા ચૌદારોમાંના પ્રથમદ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી આગળની ગાથા કહે છે ? ગાથાર્થ : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ આ સાતપ્રકારનો અવધિનો નિક્ષેપ છે ટીકાર્થ : નામનિક્ષેપની વ્યાખ્યા પૂર્વે કહેવાય ગઈ. નામ એવો અવધિ તે નામ અવધિ. જેનું “અવધિ” એ પ્રમાણે નામ કરાય છે તે નામ-અવધિ, જેમકે મર્યાદાનું “અવધિ” બીજુ નામ છે માટે મર્યાદા એ નામ–અવધિ કહેવાય છે. તથા અક્ષાદિમાં અવધિની સ્થાપના એ સ્થાપના અવધિ જાણવો અથવા “અવધિ’’ એ પ્રમાણેનું જે વચનપર્યાયરૂપ નામ છે (અર્થાત્ અવધિ’ એ પ્રમાણેના ત્રણ અક્ષરાત્મક જે નામ છે) તે નામ–અવધિ, અને સ્થાપના-અવધિ 30 તરીકે અવધિજ્ઞાનમાં દેખાતા દ્રવ્યનો, ક્ષેત્રનો કે અવધિજ્ઞાનવાળા આત્માનો આકાર જાણવો. તથા દ્રવ્યને વિષે રહેલો દ્રવ્યના આલંબનવાળો અવધિ દ્રવ્યાવધિ અથવા મૂળગાથામાં “વિપ” શબ્દ * મથેરેવ ૬- + તદ્ર૨-૨-૩ / Page #110 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાનનું જઘન્ય ક્ષેત્રપરિમાણ (નિ. ૩૦) एकारान्तः शब्दः प्रथमान्त इतिकृत्वा द्रव्यमेवावधिर्द्रव्यावधिः, भावावधिकारणं द्रव्यमित्यर्थः, यद्वोत्पद्यमानस्योपकारकं शरीरादि तदवधिकारणत्वाद् द्रव्यावधिः । तथा क्षेत्रेऽवधिः क्षेत्रावधिः, अथवा यत्र क्षेत्रेऽवधिरूत्पद्यते तदेवा वधेः कारणत्वात् क्षेत्रावधिः, प्रतिपाद्यते वा । तथा कालेऽवधिः, कालावधिः अथवा यस्मिन् काले अवधिस्तत्पद्यते कथ्यते वा स कालावधिः, भवनं भवः, स च नारकादिलक्षणः, तस्मिन् भवेऽवधिर्भवावधिः । भावः क्षायोपशमिकादि: 5 द्रव्यपर्यायो वा, तस्मिन्नवधिः भावावधिः, चशब्दौ समुच्चयार्थी, 'एषः' अनन्तरव्यावर्णितः, खलुशब्दः एवकारार्थः, स चावधारणे, एष एव नान्यः, निक्षेपणं निक्षेपः, अवधेर्भवति 'મવિધ:' સપ્તપ્રાર્ કૃતિ માથાર્થ: ારા इदानीं क्षेत्रपरिमाणख्यद्वितीयद्वारावयवार्थाभिधित्सयाऽऽह जावइया तिसमयाहारगस्स सुहुमस्स पणगजीवस्स । ओगाहणा जहण्णा, ओहीखित्तं जहणणं तु ॥३०॥ ૮૭ એકાર અન્નવાળો હોવાથી પ્રથમ વિભક્તિવાળો માનતા દ્રવ્ય પોતે જ અવિધ તરીકે જાણવું, અર્થાત્ ભાવ—અવિધનું કારણ જે દ્રવ્ય બને તે દ્રવ્યાવધિ, અથવા ઉત્પન્ન થતાં અવિધના ઉપકારક એવા જે શરીરાદિ, ભાવ–અવધિના કારણ હોવાથી દ્રવ્યાધિ જાણવા. 10 ક્ષેત્રને વિષે અવધિ તે ક્ષેત્રાધિ (અર્થાત્ જે ક્ષેત્રનું જ્ઞાન થાય તે ક્ષેત્ર ક્ષેત્રાધિ જાણવું)અથવા 15 જે ક્ષેત્રમાં અવિધ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અવધિનું અધિકરણ હોવાથી ક્ષેત્રાધિ કહેવાય છે. (અહીં ક્ષેત્રની પ્રાધાન્યની વિવક્ષા કરવાથી તે અવિધ ક્ષેત્રમાં વ્યપદેશ કરાય છે માટે તે અવિધ ક્ષેત્રાધિ કહેવાય છે.) અથવા જે ક્ષેત્રમાં અવિધિનું પ્રતિપાદન કરાય છે તે અવિધ ક્ષેત્રાવિધ જાણવો. તથા કાળને વિષે જે અવધિ (અર્થાત્ જે કાળનું જ્ઞાન થાય) તે કાળાવિષે, અથવા જે કાળમાં અવિધ ઉત્પન્ન થાય છે કે પ્રતિપાદન કરાય છે (તે કાળમાં અવિધ વ્યપદેશ કરાતો 20 હોવાથી) તે અવિધ કાળાવિધ કહેવાય છે. તથા થવું તે ભવ – નારકાદિરૂપ. તે નારકાદિરૂપ ભવમાં ઉત્પન્ન થતો અવિધ તે ભવાવિધ કહેવાય છે. તથા ભાવ એટલે ક્ષાયોપમિકાદિ અથવા દ્રવ્યનો પર્યાય, તેને વિષે રહેલ અવધિ તે ભાવાવિધ. ચ શબ્દો સમુચ્ચય અર્થમાં છે અને ખલુ શબ્દ અવધારણ અર્થમાં છે. આ અનન્તર (હમણાં જ) વર્ણન કરેલા જ અવિધના સાતપ્રકારના નિક્ષેપા છે, બીજા નહીં. આ પ્રમાણે 25 ગાથાર્થ જાણવો. ॥૨॥ અવતરણિકા : હવે ક્ષેત્રપરિમાણ નામના બીજાદ્વારના અર્થને કહેવાની ઇચ્છાથી કહે છે ગાથાર્થ : ત્રિસમયાહારક એવા સૂક્ષ્મ પનકજીવની જેટલી જઘન્ય અવગાહના હોય છે તેટલું અવધિજ્ઞાનનું જઘન્ય ક્ષેત્રપરિમાણ જાણવું. ૨૪. સધિયંત્ર ક્ષેત્રે વ્યાધ્યાયતે સ ક્ષેત્રાધિરિત્યર્થ: । । માવાવષે: જા૰ હું I ૢ ૦વધિ- 30 વં। * મિધિભુરાહ ૨-૪ । વાત્ । A Page #111 -------------------------------------------------------------------------- ________________ 10 ૮૮ રેક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) व्याख्या-तत्र क्षेत्रपरिमाणं जघन्यमध्यमोत्कृष्टभेदभिन्नं भवति, यतश्च प्रायो जघन्यमादौ अतस्तदेव तावत्प्रतिपाद्यते-'यावती' 'यत्परिमाणा, त्रीन्समयान् आहारयतीति त्रिसमयाहारकस्तस्य, सूक्ष्मनामकर्मोदयात् सूक्ष्मः तस्य, पनकश्चासौ जीवश्च पनकजीवः वनस्पतिविशेष इत्यर्थः, तस्य, अवगाहन्ति यस्यां प्राणिनः सा अवगाहना तनुरित्यर्थः, 'जघन्या' सर्वस्तोका, अवधेः 5 क्षेत्रं अवधिक्षेत्रं, 'जघन्यं' सर्वस्तोकं, तुशब्द एवकारार्थः, स चावधारणे, तस्य चैवं प्रयोगःअवधेः क्षेत्रं जघन्यमेतावदेवेति गाथाक्षरार्थः । अत्र च सम्प्रदायसमधिगम्योऽयमर्थः योजनसहस्त्रमानो मत्स्यो मृत्वा स्वकायदेशे यः । उत्पद्यते हि सूक्ष्मः, पनकत्वेनेह स ग्राह्यः ॥१॥ संहृत्य चाद्यसमये, स ह्यायामं करोति च प्रतरम् । संख्यातीताख्याङ्गलविभागबाहु ल्यमानं तु ॥२॥ स्वकतनुपृथुत्वमात्रं, दीर्घत्वेनापि जीवसामर्थ्यात् । तमपि द्वितीयसमये, संहृत्य करोत्यसौ सूचिम् ॥३॥ संख्यातीताख्याङ्गुलविभागविष्कम्भमाननिर्दिष्टाम् । निजतनुपृथुत्व या, तृतीयसमये तु संहृत्य ॥४॥ 15 ટીકાર્થ : ક્ષેત્રનું પરિમાણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે હોય છે. તેમાં પ્રાય: કરીને પ્રથમ જઘન્ય અવધિ ઉત્પન્ન થતું હોવાથી પહેલા જધન્યપરિમાણ બતાવે છે. “યાવતી” એટલે જેટલા પરિમાણવાળી (અવગાહના), ત્રણ સમયનો જે આહાર કરે તે ત્રિસમય આહારક–તેની, સૂક્ષ્મનામકર્મના ઉદયથી સૂક્ષ્મ–તેની, પનકરૂપ જે જીવ અર્થાત્ નિગોદનો જીવ તેની, જેને વિષે જીવ રહે તે અવગાહના અર્થાત્ શરીર, “જઘન્યા” સર્વથી ઓછી (અવગાહના) 20 તે અવધિનું જઘન્યક્ષેત્ર જાણવું. “તુ” શબ્દ એવકાર અર્થવાળો છે અને તે “જ” કાર અર્થમાં છે તેનો આ પ્રમાણે પ્રયોગ કરવો અવધિનું જઘન્ય ક્ષેત્ર આટલું જ હોય છે. (આ ગાથાનો અન્વય આ પ્રમાણે :- ત્રિસમયાહારક એવા સૂક્ષ્મ નિગોદના જીવની જઘન્ય અવગાહના જેટલા પ્રમાણની હોય તેટલા પ્રમાણનું ક્ષેત્ર અવધિનું જઘન્યક્ષેત્ર છે.) આ ગાથાનો અર્થ સંપ્રદાયાનુસારે સ્પષ્ટ કરીને હવે બતાવે છે. એક હજાર યોજનવાળો 25 જે મત્સ્ય મરીને પોતાની કાયાના એક દેશમાં ઉત્પન્ન થાય છે તે અહીં સૂક્ષ્મપનક તરીકે ગ્રહણ કરવો //લા તે જીવ પ્રથમ સમયે આયામને સંહરી અંગુલના અસંખ્યાતભાગપ્રમાણ પહોળું પ્રતર રચે છે //રા આ જીવ દીર્ઘ એટલે કે પોતાના શરીર પ્રમાણ લાંબા એવા પણ તે પ્રતરને પોતાના સામર્થ્યથી સંહરી બીજા સમયે સૂચિરૂપે કરે છે |૩ી ત્રીજા સમયે અંગુલના અસંખ્યભાગ પ્રમાણ પહોળી અને પોતાના શરીર જેટલી લાંબી સૂચિને સંહરી II 30 २५. आयामस्तु प्रमाणं मादित्युक्तेर्बाहल्यरूपप्रमाणसंकोचकृतिस्तथाचाङ्गलासंख्यभागबाहल्योक्तिर्न विरोधावहा । २६. तिर्यक् । २७. ऊर्ध्वाधः । २८. दैर्घ्यरूपा विस्तृतिः पृथुत्वं । + यावत्परि० - ०बाहल्य० દીધાં ૪-૧-૬ ! Page #112 -------------------------------------------------------------------------- ________________ ‘ત્રિસમયાહારક’ શબ્દનું ગ્રહણ શા માટે ? (નિ. ૩૦) उत्पद्यते च पनकः, स्वदेहदेशे स सूक्ष्मपरिणामः । समयत्रयेण तस्यावगाहना यावती भवति ॥५॥ ૮૯ तावज्जघन्यमवघेरालम्बनवस्तुभाजनं क्षेत्रम् । इदमित्थमेव मुनिगणसुसंप्रदायात् समवसेयम् ॥६॥ षड्भिः कुलकम् । अत्र कश्चिदाह- किमिति महामत्स्यः ? किं वा तस्य तृतीयसमये निजदेहदेशे समुत्पादः ? 5 त्रिसमयाहारकत्वं वा कल्प्यत इति ?, अत्रोच्यते स एव हि महामत्स्यः त्रिभिः समयैरात्मानं संक्षिपन् प्रयत्नविशेषात् सूक्ष्मावगाहनो भवति नान्यः, प्रथमद्वितीयसमययोश्च अतिसूक्ष्मः चतुर्थादिषु चातिस्थूरः त्रिसमयाहारक एव च तद्योग्य इत्यतस्तद्ग्रहणमिति । अन्ये तु व्याचक्षतेत्रिसमयाहारक इति, आयामविष्कम्भसंहारसमयद्वयं सूचिसंहरणोत्पादसमयश्चेत्येते त्रयः समयाः, તે સૂક્ષ્મ પરિણામવાળો પનકજીવ પોતાના દેહના એક દેશમાં ઉત્પન્ન થાય છે, આવા તે 10 જીવની ત્રણ સમય પછી જેટલી અવગાહના થાય છે ।।૫।। તેટલું અવધિનું જઘન્ય આલંબન વસ્તુના આધારરૂપ ક્ષેત્ર જાણવું, મુનિગણના સુસંપ્રદાયથી (આવેલું) આ ક્ષેત્ર પ્રમાણ એ પ્રમાણે જ જાણવા યોગ્ય છે દા (ભાવાર્થ આ પ્રમાણે : એક હજાર યોજન લાંબો જે મત્સ્ય પોતાના શરીરના જ એક દેશમાં ઉત્પન્ન થાય તે જીવ અહીં લેવો અને તે પ્રથમ સમયે પોતાના શરીર સાથે સમ્બદ્ધ 15 આત્મપ્રદેશોનાં આયામને=શરી૨ પ્રમાણ જાડાઇને સંહરી અંગુલના અસંખ્યેયભાગ જેટલી જાડાઈવાળું અને પોતાના દેહની લંબાઈ + પહોળાઈ પ્રમાણ વિસ્તારવાળું પ્રતર રચે છે. તે પ્રતરને પણ બીજા સમયે પહોળાઈ લંબાઈથી સંહરી અંગુલના અસંખ્યયભાગ જેટલી પહોળી અને સ્વદેહ જેટલી લાંબી સૂચિને રચે છે. ત્રીજા સમયે તે સૂચિને પણ સંહરી અસંખ્યેય ભાગ માત્ર પ્રમાણવાળા પોતાના શરીરના એક પ્રદેશમાં સૂક્ષ્મ નિગોદ તરીકે ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિના 20 પ્રથમ સમયથી માંડી ત્રીજા સમયે વર્તતા જીવનું જેટલું શ૨ી૨પ્રમાણ હોય છે, તેટલું અવિધના વિષયભૂત વસ્તુના આધારરૂપ ક્ષેત્ર જાણવું, અર્થાત્ ઉપરોક્ત શ૨ી૨પ્રમાણ ક્ષેત્રમાં રહેલ વસ્તુને જીવ પોતાના જઘન્ય અવધિમાં જુએ છે. આ પ્રમાણે મુનિગણની પરંપરાથી જાણવા મળેલ અવધિનું જઘન્યક્ષેત્ર જાણવું.) શંકા : અહીં મહામત્સ્ય જ કેમ ગ્રહણ કર્યો ? અથવા તે મહામત્સ્યનો પોતાના શરીરદેશમાં 25 ત્રીજા સમય ઉત્પાદ શા માટે કલ્પ્યો ? અથવા અહીં ત્રિસમયાહારકત્વ જ કેમ કહ્યું ? સમાધાન : તે મહામત્સ્ય જ ત્રણ સમય વડે પોતાને સંક્ષેપતો પ્રયત્નવિશેષથી સૂક્ષ્મશરી૨વાળો થઈ શકે છે. અન્ય જીવ સૂક્ષ્મ અવગાહનાવાળો બની શક્તો નથી અને પ્રથમ— બીજા સમયે તે જીવ અતિસૂક્ષ્મ અને ચોથા વગેરે સમયમાં અતિસ્થૂલ હોય છે જ્યારે ત્રિસમય— આહા૨વાળા જીવની અવગાહના જ જઘન્યક્ષેત્રના નિરૂપણને યોગ્ય હોવાથી ત્રિસમય—આહારકત્વ 30 ગ્રહણ કર્યું છે. કેટલાક આચાર્યો “ત્રિસમયાહારક' શબ્દનો આ પ્રમાણે અર્થ કરે છે કે “લંબાઈ અને પહોળાઈનું સંહરણ કરવાના બે સમયો તથા સૂચિસંહરણ અને ઉત્પત્તિનો એક સમય, એમ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૦ રોક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) विग्रहाभावाच्चाहारक एतेषु, इत्यत उत्पादसमय एव त्रिसमयाहारकः सूक्ष्मः पनकजीवो जघन्यावगाहनश्च, अतस्तत्प्रमाणं जघन्यमवधिक्षेत्रमिति, एतच्चायुक्तं, त्रिसमयाहारकत्वस्य पनकजीवविशेषणत्वात्, मत्स्यायामविष्कम्भसंहरणसमयद्वयस्य च पनकसमयायोगात्, त्रिसमयाहारकत्वाख्यविशेषणानुपपत्तिप्रसङ्गात् इति, अलं प्रसङ्गेनेतिगाथार्थः ॥३०॥ 5 एवं तावत् जघन्यमवधिक्षेत्रमुक्तं, इदानीं उत्कृष्टमभिधातुकाम आह सव्वबहुअगणिजीवा, निरन्तरं जत्तियं भरिज्जासु । खित्तं सव्वदिसागं, परमोही खित्त निद्दिट्ठो ॥३१॥ व्याख्या-सर्वेभ्यो विवक्षितकालावस्थायिभ्योऽनलजीवेभ्य एव बहवः सर्वबहवः, न મૂતમવિષ્ય:, નાપિ શેષનવેમ્મ:, વર્તઃ ?, ખંખવો, મન તે વીવીશ નિવ, १) सर्वबहवश्च तेऽग्निजीवाश्च सर्वबह्वग्निजीवाः, 'निरन्तर' इति क्रियाविशेषणं 'यावत्' यावत्परिमाणं 'भृतवन्तो व्याप्तवन्तः 'क्षेत्रं' आकाशं, एतदुक्तं भवति-नैरन्तर्येण विशिष्टंसूचीरचनया यावत् भृतवन्त इति । भूतकालनिर्देशश्च अजितस्वामिकाल एव प्रायः सर्वबहवोऽनलजीवा भवन्ति ત્રણ સમયો જાણવા, વળી વિગ્રહગતિનો અભાવ હોવાથી આ ત્રણે સમયમાં જીવ આહારક જ છે તેથી ઉત્પત્તિના સમયેજ ત્રિસમય–આહારક જીવ કહેવાય છે. અને તેની જધન્ય અવગાહના +5 પ્રમાણ અવધિનું જઘન્યક્ષેત્ર જાણવું” આ અર્થ ઘટતો નથી કારણ કે ત્રિસમયઆહારકત્વ પનકજીવનું વિશેષણ છે. મત્સ્યના આયામ અને વિખંભ સંહરણના બે સમય પનકસમયાં તરીકે નથી પણ મજ્યના સમયો જ છે તેથી ત્રિસમયાહારકત્વરૂપ વિશેષણ નહીં ઘટવાનો પ્રસંગ આવવાથી ઉત્પત્તિના પ્રથમ સમયથી ત્રીજા સમયે જ ત્રિસમયાહારકત્વ જાણવું ૧૩ ll અવતરણિકા : આ પ્રમાણે અવધિનું જઘન્યક્ષેત્ર કહ્યું. હવે ઉત્કૃષ્ટક્ષેત્રને કહેવાની ઇચ્છાવાળા 20 ગ્રંથકારશ્રી કહે છે ગાથાર્થ : સર્વાધિક અગ્નિકાયના જીવો નિરંતર સર્વદિશાસંબંધી જેટલું ક્ષેત્ર ભરે તેટલા પ્રમાણ ક્ષેત્રવાળો પરમાવધિ કહેલ છે. ટીકાર્થ : વિવક્ષિતકાળમાં રહેલ અગ્નિકાયના જીવોથી જ અધિક તે સર્વાધિક કહેવાય. (અર્થાત્ આ અવસર્પિણીમાં જે કાળમાં અગ્નિકાયની સૌથી વધુ સંખ્યા હતી તે કાળની તે સંખ્યા 25 અહીં સર્વાધિક જાણવી.) એની પહેલાના ભૂતકાળ કે ભવિષ્યકાળના જીવોની સંખ્યાથી અધિક તે સર્વાધિક એવો અર્થ કરવો નહીં. તથા અગ્નિકાયના જીવોને જ આશ્રયી અધિક સંખ્યા લેવી પણ શેષપૃથ્વી વગેરે જીવોથી અધિક સંખ્યા, એવો પણ અર્થ કરવો નહીં કારણ કે શેષજીવો કરતા અગ્નિકાયની સંખ્યા અધિક સંભવી શક્તી નથી. આવા સર્વાધિક અગ્નિકાયના જીવો અંતર વિના (એક સીધી લીટીમાં ગોઠવતા બધી દિશામાં) વિશિષ્ટ સૂચિરચનાવડે જેટલું ક્ષેત્ર રોકે 30 તેટલા ક્ષેત્ર પ્રમાણ પરમાવધિ જાણવો અર્થાત્ પરમાવધિનું ઉત્કૃષ્ટક્ષેત્ર આટલું જાણવું. મૂળગાથામાં મરિન્ના' એ પ્રમાણે ભૂતકાળનો જે નિર્દેશ કર્યો તે આ અવસર્પિણીમાં અજિતનાથ ભગવાનના ૨૧. નિશીરાવનારદનથી . * મરિન્નમ્ ૨-૪-૬ ! Page #114 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટક્ષેત્રપરિમાણ (નિ. ૩૧) સૈફ ૯૧ अस्यामवसर्पिण्यां इत्यस्यार्थस्य ख्यापनार्थः, इदं चानन्तरोदितविशेषणं क्षेत्रमेकदिक्कमपि भवति, • अत आह-'सर्वदिक्कं' अनेन सूचीपरिभ्रमणप्रमितमेवाह, परमश्चासाववधिश्च परमावधिः, 'क्षेत्रं' अनन्तरव्यावर्णितं प्रभूतानलजीवमितमङ्गीकृत्य निर्दिष्टः क्षेत्रनिर्दिष्टः, प्रतिपादितो गणधरादिभिरिति, ततश्च पर्यायेण परमावधेरेतावत्क्षेत्रमित्युक्तं भवति । अथवा सर्वबह्वग्निजीवा निरन्तरं यावद् भृतवन्तः क्षेत्रं सर्वदिक्कं एतावति क्षेत्रे यान्यवस्थितानि द्रव्याणि तत्परिच्छेदसामर्थ्ययुक्तः परमावधि: 5 क्षेत्रमङ्गीकृत्य निर्दिष्टो, भावार्थस्तु पूर्ववदेव, अयमक्षरार्थः । इदानीं साम्प्रदायिकः प्रतिपाद्यतेतत्र सर्वबह्वग्निजीवा बादराः प्रायोऽजितस्वामितीर्थकरकाले भवन्ति, तदारम्भकपुरुषबाहुल्यात्, सूक्ष्माश्चोत्कृष्टपदिनस्तत्रैवावरुध्यन्ते, ततश्च सर्वबहवो भवन्ति । तेषां च स्वबुद्धया षोढाऽवस्थानं कल्प्यते-एकैकक्षेत्रप्रदेश एकैकंजीवावगाहनया सर्वतश्चतुरस्रो घनः प्रथम, स एव जीवः સમયમાં જ પ્રાયઃ સર્વાધિક જીવો હતા એ દેખાડવા કર્યો છે. ઉપર બતાવેલ વિશેષણવાળું ક્ષેત્ર 10 એકદિશામાં પણ હોઈ શકે છે. તેથી કહે છે કે – સર્વદિશા સંબંધી ક્ષેત્ર જાણવું. “સર્વદિકુ વિશેષણ દ્વારા સૂચિના પરિભ્રમણથી મપાયેલ ક્ષેત્ર કહ્યું. (અર્થાતુ આટલી સંખ્યાવાળા જીવોને એક દિશામાં સીધી લીટીમાં ગોઠવો અને પછી તે સીધી લીટીને (દોરીની જેમ) ચારે દિશામાં ભમાવતો સર્વ દિશામાં ગોળાકારમાં જેટલું ક્ષેત્ર રોકાશે તેટલું ક્ષેત્ર ઉત્કૃષ્ટ ક્ષેત્ર જાણવું) આમ, ગણધરોવડે સર્વ અગ્નિકાયના જીવોથી મપાયેલ ક્ષેત્રને આશ્રયી આટલો પરમાવધિ' પ્રતિપાદન 15 કરાયો છે, અને તેથી પર્યાયથી = ‘પરમાવધિ’ શબ્દની વિભક્તિ બદલવાથી “પરમાવધિનું આટલા પ્રમાણ ક્ષેત્ર છે” એ પ્રમાણે કહેલું થાય છે. અથવા સર્વાધિક અગ્નિજીવો નિરંતર સર્વદિફ સંબંધી જેટલા ક્ષેત્રને વ્યાપે છે તેટલા ક્ષેત્રમાં રહેલા દ્રવ્યોને જાણવાના સામર્થ્યથી યુક્ત પરમાવધિ ક્ષેત્રને આશ્રયી કહેલ છે. આ અક્ષરાર્થ કહ્યો. હવે પરંપરામાં આવેલ અર્થ કહે છે–અજિતસ્વામિના તીર્થકાળમાં બાદર અગ્નિના 20 આરંભક મનુષ્યો ઘણા હોવાથી તે કાળમાં અગ્નિજીવો પ્રાયઃ સર્વાધિક હતા અને ઉત્કૃષ્ટપદવર્તી સૂક્ષ્માગ્નિકાયના જીવો પણ તે જ કાળમાં હતા. તેથી બંને મળી સર્વાધિક જીવો થાય છે. અવધિનું ક્ષેત્ર જાણવા માટે આ જીવોની પોતાની બુદ્ધિથી છ પ્રકારે રચનાઓ કલ્પાય છે. તેમાં આ પ્રથમ રચના એકેક આકાશ પ્રદેશમાં એકેકજીવની અવગાહનાવડે ચોરસઘન OOO Rા કરવાથી પ્રાપ્ત થાય છે. 25 OOO A Xા (કહેવાનો આશય એ છે કે ચોરસઘન જયારે બનાવવું હોય ત્યારે ૯ (2) આકાશ પ્રદેશ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ગોઠવવા. તેની ઉપર અને નીચે પણ આ જ રીતે ૯-૯ આકાશ પ્રદેશ ગોઠવતાં કુલ સત્યાવીશ આકાશપ્રદેશોનો ચોરસઘન તૈયાર થાય છે. આ સત્યાવીશ આકાશપ્રદેશ ઉપર દરેકમાં એકેક એમ સત્યાવીશ અગ્નિકાયના જીવો સ્થાપવાથી અગ્નિકાય જીવોનો ચોરસઘન તૈયાર થાય છે. અહીં સત્યાવીશનો આંકડો એક 30 ३०. रूपान्तरेण । ३१. अत्र पक्षे अनलजीवमितक्षेत्रस्थितद्रव्यपरिच्छेदशक्तिः । ३२. मनुष्यार्थपरं पुरुषपदं। ३३. अनन्तानन्तास्ववसर्पिणीषु कस्मिंश्चिदेव द्वितीयतीर्थकरकाले एते, तदानींतना एवोत्कृष्टा વીરી ગ્રા:, Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જ આવશ્યક નિર્યુક્તિ - હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) स्वावगाहनया द्वितीयं, एवं प्रतरोऽपि द्विभेदः, श्रेण्यपि द्विभेदा, तत्र आद्याः पञ्च प्रकारा अनादेशाः, क्षेत्रस्याल्पत्वात् वचित्समैयविरोधाच्च, षष्ठः प्रकारस्तु सूत्रादेश इति, ततश्चासौ श्रेणी अवधिज्ञानिनः सर्वासु दिक्षु शरीरपर्यन्तेन भ्राम्यते, सा च असंख्येयान् अलोके लोकमात्रान् क्षेत्रविभागान् व्याप्नोति, एतावदवधिक्षेत्रं उत्कृष्टमिति, सामर्थ्यमङ्गीकृत्यैवं प्ररूप्यते, एतावति 5 क्षेत्रे यदि द्रष्टव्यं भवति तदा पश्यति न त्वलोके द्रष्टव्यमस्ति इति गाथार्थः ॥३१॥ एवं तावज्जघन्यमुत्कृष्टं चावधिक्षेत्रमभिहितं, इदानीं विमध्यमप्रतिपिपादयिषया एतावत्क्षेत्रोपलम्भे चैतावत्कालोपलम्भः, तथा एतावत्कालोपलम्भे चैतावत्क्षेत्रोपलम्भ इत्यस्यार्थस्य प्रदर्शनाय चेदं गाथाचतुष्टयं जगाद शास्त्रकार: ___अंगुलमावलियाणं, भागमसंखिज्ज दोसु संखिज्जा । 10 કલ્પનાથી લીધો છે. બાકી અગ્નિકાયના જીવોની જેટલી સંખ્યા હોય તેટલા પ્રમાણ આકાશપ્રદેશોને ઉપરોક્ત પદ્ધતિથી ગોઠવી તે દરેક આકાશપ્રદેશોમાં એકેક જીવ મૂકી ચોરસઘન તૈયાર થાય છે આજ પ્રમાણે બીજી રચના પણ જાણવી પરંતુ તેમાં એટલો જ ફેરફાર કરવો કે દરેક જીવને પોત-પોતાના શરીર પ્રમાણ આકાશપ્રદેશમાં સ્થાપવા અર્થાત અસંખ્ય આકાશપ્રદેશમાં એકેક જીવન સ્થાપી ચોરસઘન રચવું. આ જ પ્રમાણે પ્રતર અને શ્રેણિમાં પણ બે—બે ભેદ પાડતા કુલ છ રચનાઓ 15 થશે. તેમાં પ્રથમ પાંચ રચનાઓ ખોટી છે કારણ કે આ રીતે સ્થાપેલા જીવો અસત્કલ્પનાએ ભમાવતા જેટલા ક્ષેત્રને સ્પર્શે છે તે ક્ષેત્ર ખૂબ જ નાનું પડે છે જયારે અવધિજ્ઞાનનું ક્ષેત્ર એના કરતા ઘણું અધિક છે. અને ક્યાંક આગમવિરોધ પણ આવે છે. (જેમકે, પ્રથમ રચનામાં કહ્યું કે દરેક જીવને એકેક આકાશપ્રદેશમાં સ્થાપવા, પરંતુ જીવ ઓછામાં ઓછા અસં. આકાશપ્રદેશમાં જ રહી શકે છે. એવું આગમમાં કહેલું હોવાથી આગમવિરોધ આવે એ પ્રમાણે વિ.આ ભાષ્ય ગા.નં. ૬૦૧માં કહેલ છે.) 20 છેલ્લી છઠ્ઠી રચનામાં જીવોને પોત-પોતાનું શરીર જેટલા આકાશપ્રદેશમાં રહેતું હોય તેટલા આકાશપ્રદેશમાં સ્થાપી તેની એક શ્રેણી બનાવી ચારે દિશામાં અવધિજ્ઞાનીના શરીરન્ત ભાગથી ભમાડતાં જેટલું ક્ષેત્ર સ્પર્શે તેટલું ક્ષેત્ર અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટક્ષેત્ર જાણવું. તે ક્ષેત્ર અલોકમાં અસંખ્યય લોકપ્રમાણ થાય છે. આ ક્ષેત્રપ્રમાણ અવધિજ્ઞાનના સામર્થ્યને આશ્રયી જાણવું, અર્થાત્ આટલા ક્ષેત્રમાં જો જોવા યોગ્ય કોઈ વસ્તુ હોત તો જોત, પણ અલોકમાં કોઈ વસ્તુ હોતી નથી. II૩૧II. 25 અવતરણિકા : આ પ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ટ અવધિક્ષેત્ર કહ્યું. હવે મધ્યમક્ષેત્રને બતાવવાની ઇચ્છાથી આટલા ક્ષેત્રને જોતી વ્યક્તિ આટલા કાલને જુએ છે અને આટલા કાલને જોતી વ્યક્તિ આટલા ક્ષેત્રને જુએ છે.” આ અર્થને બતાવવા શાસ્ત્રકાર ચારગાથાને કહે છે : ગાથાર્થ : અવધિજ્ઞાની અંગુલ અને આવલિકાના અસંખ્ય ભાગને અને બંનેના ३४. शरीरद्वारेत्यर्थः । ३५. असंख्याकाशप्रदेशानन्तरेणावगाहनाऽभावात् इति मलधारिहेमचन्द्र30 પતિઃ | ૩૬. વિષયવૈવિધેરત્નો ૨ તાદશદ્રવ્યામવીમવામાનતાદ્રોપનિરીશ્વરVITયાદ | - રૂ૭. નો તુ સૂક્ષ્મસૂક્ષ્મતરાવસ્તુનેન સામર્થ્યવૃદ્ધિઃ | (વિશેષાવશ્ય ગાથા ૬ ૦૬ ) ૨૮. વાપેક્ષિતનધામધ્યમોષ્ટવીત્ | Page #116 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાનનું મધ્યમક્ષેત્રપરિમાણ (નિ. ૩૨-૩૫) શૈક ૯૩ अंगुलमावलिअंतो, आवलिआ अंगुलपुहुत्तं ॥३२॥ हत्थंमि मुहुत्तन्तो, दिवसंतो गाउयंमि बोद्धव्वो । जोयण दिवस हुत्तं, पक्खन्तो पण्णवीसाओ ॥३३॥ भरहंमि अद्धमासो, जंबूदीवंमि साहिओ मासो । वासं च मणुअलोए, वासपुहुत्तं च रुयगंमि ॥३४॥ संखिज्जंमि उ काले, दीवसमुद्दावि हुँति संखिज्जा । कालंमि असंखिज्जे, दीवसमुद्दा उ भइयव्वा ॥३५॥ प्रथमगाथाव्याख्या-'अङ्गलं' क्षेत्राधिकारात् प्रमाणाङ्गलं गृह्यते, अवध्यधिकाराच्च उच्छ्याङ्गलमित्येके, 'आवलिका' असंख्येयसमयसंघातोपलक्षितः कालः, उक्तं च - "असंखिज्जाणं समयाणं समुदयसमितिसमागमेणं सा एगा आवलियत्ति वुच्चति' 10 अङ्गलं चावलिका च अङ्गलावलिके तयोरगुलावलिकयोः, 'भाग' अंशं असंख्येयं पश्यति अवधिज्ञानी, एतदुक्तं भवति क्षेत्रमगुलासंख्येयभागमानं पश्यन् कालतः आवलिकाया असंख्येयमेव भागं पश्यत्यतीतमनागतं चेति, क्षेत्रकालदर्शनं चोपचारेणोच्यते, अन्यथा हि સંખ્યાતભાગને જુએ છે. જ્યારે અંગુલમાત્રક્ષેત્રને જુએ છે ત્યારે ન્યૂન આવલિકાને જુએ છે તથા આવલિકાને જોતો અંગુલપૃથકત્વ પ્રમાણ ક્ષેત્રને જુએ છે. 15 ગાથાર્થ : હસ્તપ્રમાણ ક્ષેત્રને જોતો કાલથી પૂનમુહૂર્તને, કાલથી ન્યૂનદિવસને જોતો ક્ષેત્રથી એકગાઉને, ક્ષેત્રથી યોજનને જોતો કાલથી દિવસપૃથકત્વને, તથા કાલથી જૂનપક્ષને જોતો ક્ષેત્રથી પચ્ચીશ યોજનાને જુએ છે. ગાથાર્થ : ભરતક્ષેત્રને જોતો કાલથી અર્ધમાસને, જંબૂદ્વીપને જોતો કાલથી સાધિકમાસને, મનુષ્યલોકને જોતો કાલથી વર્ષને તથા રૂચકનામના બાહ્યદ્વીપને જોતો વર્ષપૃથત્વને જુએ છે. 20 ગાથાર્થ : સંખ્યાતકાલને જોતો સંખ્યાતા દ્વીપસમુદ્રોને, અસંખ્યાતકાલને જોતા ક્ષેત્રને આશ્રયી દ્વિીપસમુદ્રમાં ભજના. ટીકાર્થ : ક્ષેત્રનો અધિકાર હોવાથી અહીં અંગુલ તરીકે પ્રમાણાંગુલ જાણવું અને કેટલાક લોકો અવધિનો અધિકાર હોવાથી ઉત્સધાંગુલ કહે છે (પ્રમાણાંગુલ, ઉત્સધાંગુલ કરતાં ૪૦૦ ગણું મોટું હોય છે શાશ્વત વસ્તુ માપવા માટે પ્રમાણાંગુલનો ઉપયોગ થાય છે, જ્યારે શરીર વિ. 25 માપવા માટે ઉત્સધાંગુલનો ઉપયોગ થાય છે.) “આવલિકા” એટલે અસંખ્ય સમયોના સમૂહથી ઓળંખાતો કાલ. કહ્યું છે “અસંખ્યયસમયોના સમૂહવડે એક આવલિકા કહેવાય છે.” અંગુલ અને આવલિકાના અસંખ્યયભાગને અવધિજ્ઞાની જુએ છે અર્થાત્ અંગુલના અસંખ્ય ભાગમાત્રને જોનાર કાલથી ભૂત–ભવિષ્યમાં આવલિકાના અસંખ્યાતમાં ભાગને જુએ છે. ખરેખર તો ક્ષેત્રમાં રહેલ દર્શનયોગ્ય દ્રવ્યોને અને તેટલા કાળમાં રહેલા ભૂત–ભાવી દ્રવ્યોના પર્યાયોને જુએ છે, 30 ___ ३९. असंख्येयानां समयानां समुदयसमितिसमागमेन सैकाऽऽवलिकेत्युच्यते (अनुयोगद्वारवृत्तिः ૪રૂ૦ ) I Page #117 -------------------------------------------------------------------------- ________________ ४४ - मावश्य: नियुजित • रिमद्रीयवृत्ति • सामाषांतर ((01-१) क्षेत्रव्यवस्थितानि दर्शनयोग्यानि द्रव्याणि तत्पर्यायांश्च विवक्षितकालान्तरवर्तिनः पश्यति, न तु क्षेत्रकालौ, मूर्त्तद्रव्यालम्बनत्वात्तस्येति । एवं सर्वत्र भावना द्रष्टव्या, क्रिया च गाथाचतुष्टयेऽप्यध्याहार्या, तथा 'द्वयोः' अङ्गलावलिकयोः संख्येयौ भागौ पश्यति, अङ्गलसंख्येयभागमात्रं क्षेत्रं पश्यन्नावलिकायाः संख्येयमेव भागं पश्यतीत्यर्थः, तथा अङ्गलं पश्यन् क्षेत्रतः आवलिकान्तः 5 पश्यति, भिन्नामावलिकामित्यर्थः, तथा कालत: आवलिकां पश्यन् क्षेत्रतोऽङ्गलपृथक्त्वं पश्यति, पृथक्त्वं हि द्विप्रभतिरानवभ्यः इति प्रथमगाथार्थः ॥३२॥ द्वितीयगाथाव्याख्या-'हस्ते' इति हस्तविषयः क्षेत्रतोऽवधिः कालतो मुहूर्तान्तः पश्यति, भिन्नं मुहूर्त्तमित्यर्थः, अवध्यवधिमतोरभेदोपचाराद् अवधिः पश्यतीत्युच्यते, तथा कालतो 'दिवसान्तो' भिन्नं दिवसं पश्यन् क्षेत्रतो ‘गव्यूतं'इति गव्यूतविषयो बोद्धव्यः, तथा योजनविषय: 10 क्षेत्रतोऽवधिः कालतो दिवसपृथक्त्वं पश्यति, तथा, 'पक्षान्तो भिन्नं पक्षं पश्यन् कालतः क्षेत्रतः पञ्चविंशति योजनानि पश्यतीति द्वितीयगाथार्थः ॥३३॥ ततीयगाथाव्याख्यायते-भरते' इति भरतक्षेत्रविषये अवधौ कालतोऽर्धमास उक्तः, एवं जम्बूद्वीपविषये चावधौ साधिको मासः, वर्षं च मनुष्यलोकविषयेऽवधौ इति, मनुष्यलोकः खल्वर्धतृतीयद्वीपसमुद्रपरिमाणः, वर्षपृथक्त्वं च रुचकाख्यबाह्यद्वीपविषयेऽवधाववगन्तव्यमिति 15 तृतीयगाथार्थः ॥३४॥ કારણ કે અવધિ મૂર્તદ્રવ્યોને જુએ જ્યારે ક્ષેત્રકાળ અમૂર્ત છે. છતાં મૂળમાં “ક્ષેત્રકાળને જુએ છે'' એવું જે કહ્યું તે ઉપચારથી જાણવું. આ રીતે આગળ પણ જાણી લેવું. જુએ છે' ક્રિયાપદનો ચારે ગાથામાં અધ્યાહાર સમજી લેવો. તથા અંગુલના સંખ્યાતભાગને જોતો આવલિકાના સંખ્યાતભાગને જુએ છે. ક્ષેત્રથી એક અંગુલને જોતો કાલથી સમયાદિ ન્યૂન આવલિકાને જુએ છે તથા કાલથી 20 આવલિકાને જોતો ક્ષેત્રથી અંગુલપૃથકૃત્વ=૨ થી ૯ અંગુલ પ્રમાણ ક્ષેત્રને જુએ છે. ૩રા હાથપ્રમાણ ક્ષેત્રને જોતો કાલથી ન્યૂનમુહૂર્ત જુએ છે. (વાસ્તવિક રીતે અવધિજ્ઞાની જુએ છે પણ) અહીં અવધિ અને અવધિવાળાનો અભેદ ઉપચાર કરવાથી “અવધિ જુએ છે' એ પ્રમાણે કહેવાય છે. કાલથી જૂનદિવસને જોતો એક ગાઉપ્રમાણ ક્ષેત્રને જુએ છે તથા યોજનક્ષેત્રને જોતો કાલથી દિવસપૃથકત્વને અને ન્યૂનપક્ષને જોતો ક્ષેત્રથી ૨૫ યોજનને જુએ છે. ૩૩ 25 ભરત ક્ષેત્રને જોતો કાલથી અર્ધમાસ જુએ છે. એ જ પ્રમાણે જેબૂદ્વીપવિષયક અવધિમાં સાધિક માસ અને મનુષ્યલોકપ્રમાણ અવધિમાં એક વર્ષ કાલ જાણવો. અહીં મનુષ્યલોક એટલે અઢી દ્વિીપસમુદ્ર જાણવા તથા ચકનામના બાહ્યદ્વીપવિષયક અવધિમાં વર્ષપૃથત્વ કાલ જાણવો. ૩૪ ४०. अन्यत्र द्वितीयान्तं पदमिति कर्मतोपपत्तिः, अत्र तु सप्तम्यन्तत्वाद्धस्तप्रमाणक्षेत्रस्थितद्रव्यदर्शनसमर्थोऽवधिाह्य इत्युपचारहेतुः, अग्रेऽपीदृशे स्थले । ४१. अर्धमासशब्दस्य प्रथमान्तत्वात् 30 नात्रोपचारेण व्याख्यानं हस्त इत्यत्रेव, किन्तु सति सप्तम्यन्ततया । ४२. आमानुषोत्तरात्, मनुष्याणा गमागमेऽपि रुचकादिषु न ते तज्जन्मादिस्थानं। ४३. अनुयोगद्वारसूत्राभिप्रायेणैकादशे तच्चूर्ण्यभिप्रायेण त त्रयोदशे। * पक्षान्तः १-२ । Page #118 -------------------------------------------------------------------------- ________________ અવધિનું મધ્યમક્ષેત્રપરિમાણ (નિ. ૩૫) ૯૫ चतुर्थगाथा व्याख्यायते - संख्यायत इति संख्येयः, स च संवत्सरलक्षणोऽपि भवति, तुशब्दो विशेषणार्थः, किं विशिनष्टि ? – संख्येयो वर्षसहस्त्रत्परतोऽभिगृह्यते इति, तस्मिन् संख्येये, 'काले' कलनं कालः तस्मिन् काले अवधिगोचरे सति क्षेत्रतस्तस्यैवावधेर्गोचरतया, द्वीपाश्च समुद्राश्च द्वीपसमुद्रा अपि भवन्ति संख्येयाः, अपिशब्दान्महानेकोऽपि तदेकदेशोऽपीति, तथा काले असंख्येये पल्योपमादिलक्षणेऽवधिविषये सति, तस्यैव असंख्येयकालपरिच्छेद- 5 कस्यावधेः क्षेत्रतः परिच्छेद्यतया द्वीपसमुद्राश्च 'भक्तव्या' विकल्पयितव्याः, कदाचिदसंख्येया एव, यदा इह कस्यचिन्मनुष्यस्य असंख्येयद्वीपसमुद्रविषयोऽवधिरुत्पद्यते इति, कदाचिन्महान्तः संख्येयाः कदाचिद् ऍकः, कदाचिदेकदेशः स्वयम्भूरमणतिरश्चोऽवधेः विज्ञेयः स्वयम्भूरमणविषयँमनुष्यबाह्यावधेर्वा, योजनापेक्षया च सर्वपक्षेषु असंख्येयमेव क्षेत्रमिति गाथार्थः ॥३५॥ एवं तावत् परिस्थूरन्यायमङ्गीकृत्य क्षेत्रवृद्ध्या कालवृद्धिरनियता कालवृद्ध्या च 10 क्षेत्रवृद्धिः प्रतिपादिता, साम्प्रतं द्रव्यक्षेत्रकालभावापेक्षया यद्वृद्धौ यस्य वृद्धिर्भवति यस्य वा જે ગણાય સંધ્યેય. એક વર્ષ પણ સંખ્યાતકાળ કહેવાય પરંતુ અહીં ‘તુ’ શબ્દ વિશેષ અર્થમાં હોવાથી સંખ્યાતકાળ તરીકે હજારવર્ષથી અધિક કાળ જાણવો. તેથી આવા સંખ્યાત કાળના અવિધમાં ક્ષેત્રથી સંખ્યાતા દ્વીપસમુદ્રો જાણવા, અથવા સંખ્યાતા દ્વીપસમુદ્રનું જેટલું પરિમાણ થાય એટલા પરિમાણનો એક મોટો દ્વીપ અથવા એક મોટો સમુદ્ર અથવા તેટલા પરિમાણવાળો 15 દ્વીપ કે સમુદ્રનો એક દેશ ણ જોઈ શકે. તથા પલ્ય ક્રમાદિરૂપ અસંખ્યેયકાલવિષયક અવધિમાં ક્ષેત્રથી દ્વીપસમુદ્રો વિષે ભજના જાણવી અર્થાત્ ક્યારેક અસંખ્યેય દ્વીપસમુદ્રોને જુએ વગેરે વિકલ્પો જાણવા તે જ વાતને સ્પષ્ટ કરી જણાવે છે કે જ્યારે કોઈક મનુષ્યને અસંખ્યેય દ્વીપસમુદ્રવિષયક અવધિ ઉત્પન્ન થાય છે ત્યારે તે જીવ અસંખ્યાત દ્વીપસમુદ્રોને જુએ છે, કોઈક સંખ્યાતા મોટા (અસંખ્યયોજનપ્રમાણ) દ્વીપસમુદ્રો જુએ, 20 અથવા (અસંખ્યાતયોજનવાળો) એક દ્વીપ અથવા સમુદ્ર જુએ અથવા સ્વંયભૂરમણદ્વીપ કે સમુદ્રવિષયક તિર્યંચઅવધિમાં અથવા સ્વંયભૂરમણવિષયક મનુષ્યના બાહ્યઅવધિમાં સ્વયંભૂરમણના એક દેશને જુએ છે. આ બધા વિકલ્પોમાં યોજનની અપેક્ષાએ અસંખ્યાતું ક્ષેત્ર જ જુએ છે. ।૩૫।। અવતરણિકા : આમ સ્થૂલદ્રષ્ટિએ ક્ષેત્રની વૃદ્ધિમાં કાલની અનિયતવૃદ્ધિ (કારણ કે ક્ષેત્રવૃદ્ધિ થતાં કાલની વૃદ્ધિ થાય જ એવું નથી. તે આગળની ગાથામાં કહેશે.) અને કાલની વૃદ્ધિમાં 25 ક્ષેત્રની નિયતવૃદ્ધિ બતાવી. હવે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને આશ્રયી જેની વૃદ્ધિમાં જેની વૃદ્ધિ ४४. यावत् शीर्षप्रहेलिकेति ज्ञेयं, अत एव संख्यायत इति संख्येय इति व्युत्पत्तिः, संव्यवहार्या च तावत्येव संख्या । ४५. अभ्यन्तरावध्यपेक्षया । ४६. तिर्यग्लोकमध्यभागगताः । ४७. असंख्येययोजनविस्तृतः । ४८. स्वयम्भूरमणादेः । ४९. अतिविस्तृतत्वात्तस्य । ५०. आत्मन्यसंबद्धत्वात् । ५१. न द्वीपसमुद्रापेक्षयेति । ५२. नियतेति शेषः, क्षेत्रस्य प्रदेशानुसारेण वृद्धौ कालस्य न समयानुसारेण वृद्धिः, अङ्गलमात्रे 30 नभःखण्डेऽसंख्येयोत्सर्पिण्यवसर्पिणीभावात्, अत्र तु न विरोध इति नियता वृद्धिः, अत एव परिस्थूरेति प्राग्विमध्यमेति च भणने संगति:, यथावत्तया क्षेत्रकालवृद्धिव्याप्त्यभावात् चतुर्णां समप्रमाणमाश्रित्येति वा । Page #119 -------------------------------------------------------------------------- ________________ ८६ मावश्य: नियुक्ति • रिमद्रीयवृत्ति • समाषांतर (भाग-१) न भवति अमुमर्थमभिधित्सुराह - काले चउण्ह वुड्डी, कालो भइयव्वु खित्तवुड्डीए । वुड्डीइ दव्वपज्जव, भइयव्वा खित्तकाला उ ॥३६॥ व्याख्या-काले' अवधिज्ञानगोचरे, वर्धमान इति गम्यते, 'चतुर्णां' द्रव्यादीनां वृद्धिर्भवति, 5 सामान्याभिधानात्, कालस्तु ‘भक्तव्यः' विकल्पयितव्यः, क्षेत्रस्य वृद्धिः क्षेत्रवृद्धिः तस्यां क्षेत्रवृद्धौ सत्यां, कदाचिद्वर्धते कदाचिन्नेति, कुतः ? - क्षेत्रस्य सूक्ष्मत्वात् कालस्य च परिस्थूरत्वादिति, द्रव्यपर्यायौ तु वर्धेते, सप्तम्यन्तता चास्य - "एँ होति अयारन्ते, पयंमि बिड्याए बहुसु पुंलिङ्गे । तइयाइसु छठ्ठीसत्तमीण एगमि महिलत्थे ॥१॥" 10 अस्माल्लक्षणात् सिध्यति, एवमन्यत्रापि प्राकृतशैल्या इष्टविभक्त्यन्तता पदानामवगन्तव्येति, तथा वृद्धौ च द्रव्यं च पर्यायश्च द्रव्यपर्यायौ तयोः वृद्धौ सत्यां 'भक्तव्यौ' विकल्पनीयौ क्षेत्रकालावेव, तुशब्दस्य एवकारार्थत्वात्, कदाचिदनयोर्वृद्धिर्भवति कदाचिन्नेति, द्रव्यपर्याययोः सकाशात् परिस्थूरत्वात् क्षेत्रकालयोरिति भावार्थः, द्रव्यवद्धौ तु पर्याया वर्द्धन्त एव, पर्यायवृद्धौ થાય છે અથવા વૃદ્ધિ થતી નથી, એ અર્થ કહેવાની ઇચ્છાથી કહે છે. 15 थार्थ : आसनी वृद्धिमा यानी वृद्धि, क्षेत्रवृद्धिमा सनी मना, (द्रव्य, पर्याय व છે) તથા દ્રવ્ય અને પર્યાયની વૃદ્ધિમાં ક્ષેત્ર, કાલની ભજના જાણવી. ટીકાર્થ : અવધિજ્ઞાનનો વિષયભૂત કાલ વધે તો વ્યાદિ ચારેની વૃદ્ધિ થાય છે. અહીં કાલ સિવાય શેષ ત્રણની વૃદ્ધિને બદલે ચારેની વૃદ્ધિ જે કહી તે સામાન્યથી કહેલી. જાણવી (જેમકે રસનેન્દ્રિય જિતાયે છતે પાંચે ઇન્દ્રયો જિતાયેલી થાય છે. અહીં પણ ચારને બદલે પાંચ ઈન્દ્રિયો 20 એમ કહેવાય) ક્ષેત્ર વધતે છતે કાલ ક્યારેક વધે અથવા ન પણ વધે કારણ કે કાલ કરતા ક્ષેત્ર सूक्ष्म छे, च्यारे द्रव्य भने पर्याय वधे छे. भूजयामा "खेतवुड्डीए' २०६मा समाविमति આ પ્રાકૃતના નિયમ ઉપરથી સિદ્ધ થાય છે ? (Hyहिंसा मारान्त शहोर्नु द्वितीयाविमतिमा पहुवयन ४२। 'अ' नो 'ए' थाय छ. सने स्त्रीलिंगमा तृतीयाहि अने षष्ठी, सतभी से वयनमा 'अ' नो 'ए' थाय छे." । 25 જ પ્રમાણે અન્ય સ્થળે પણ પ્રાકૃતશૈલીથી પદોની ઇચ્છિત વિભક્તિઅન્તતા જાણવી. દ્રવ્ય, પર્યાય વધે ત્યારે ક્ષેત્ર, કાલની કદાચિત વૃદ્ધિ થાય. કદાચિત ન થાય કારણ કે દ્રવ્ય, પર્યાય કરતા ક્ષેત્ર, કાલ સ્થલ છે. દ્રવ્યની વૃદ્ધિમાં પર્યાયો અવશ્ય વધે છે. જ્યારે પર્યાયોની વૃદ્ધિમાં દ્રવ્યો વધે ५३. देवदत्ते भुक्ते सर्वं कुटुम्ब भुक्तमितिवत्, अन्यथा त्रयाणामित्यभिधेयं स्यात्, कालवृद्ध्यनुसारेण द्रव्यादिवृद्धिदर्शनाय चैवमभिधानं स्यात् । ५४. भजधातुर्हि सिद्धान्ते विकल्पार्थेऽपि भजनेत्यादिवत् । ५५. 30 अवधिगोचरस्य । ५६. तृतीयैकवचनादिव्यवच्छेदार्थम् । ५७. एत् भवति अकारान्ते पदे द्वितीयायां बहुषु पुंल्लिङ्गे। तृतीयादिषु षष्ठीसप्तम्योरेकस्मिन् महिलार्थे, (पुंल्लिङ्गे द्वितीयाबहुवचनान्ते पदे अकारान्तस्यैत् भवति, स्त्रीलिङ्गे च तृतीयादिषु षष्ठीसप्तम्योश्चैकवचने एकारो भवति सर्वत्र ) । ५८. द्रव्यपर्याययोः संवेधाय । * तमर्थ०५-६ । + भइयव्व ४।★ सिद्धेत्येव० । Page #120 -------------------------------------------------------------------------- ________________ કાલ કરતા ક્ષેત્ર સૂક્ષ્મ (નિ. ૩૭) ૯૭ च द्रव्यं भाज्यं, द्रव्यात् पर्यायाणां सूक्ष्मतरत्वात् अक्रमवर्त्तिनामपि च वृद्धिसंभवात् कालवृद्ध्यभावो भावनीय इति गाथार्थः ॥३६॥ । अत्र कश्चिदाह- जघन्यमध्यमोत्कृष्टभेदभिन्नयोः अवधिज्ञानसंबन्धिनोः क्षेत्रकालयोः अङ्गलावलिकाऽसंख्येयभागोपलक्षितयोः परस्परतः प्रदेशसमयसंख्यया परिस्थूरसूक्ष्मत्वे सति कियता भागेन हीनाधिकत्वमिति, अत्रोच्यते, सर्वत्र प्रतियोगिनः खल्यावलिकाऽसंख्येयभागादेः 5 कालाद् असंख्येयगुणं क्षेत्रं, कुत एतत् ?, अत आह सुहुमो य होइ कालो, तत्तो सुहुमयरं हवइ खित्तं । अङ्गलसेढीमित्ते, ओसप्पिणीओ असंखेज्जा ॥३७॥ અથવા ન વધે કારણ કે દ્રવ્યો કરતા પર્યાય સૂક્ષ્મ હોય છે. (શંકા : પર્યાય વધે તો કાળ વધે જ ને ?) સમાધાન : ના. અક્રમવર્તી (અર્થાત યુગપલ્ફાવિ) પર્યાયોની પણ વૃદ્ધિ સંભવતી હોવાથી કાલવૃદ્ધિનો અભાવ ઘટી શકે છે. (એક એવા પણ દ્રવ્યમાં રહેલા નવા જૂના પર્યાયો એ કાલવૃદ્ધિને સાપેક્ષ છે, અર્થાત્ નવી વસ્તુ જૂની થાય ત્યારે અવશ્ય કાલ વધે જ તેથી આ નવાજૂના પર્યાયો કાલક્રમવર્તી પર્યાયો છે. માટે આ પર્યાયોની વૃદ્ધિ થાય તો કાલની પણ અવશ્ય વૃદ્ધિ થાય, પરંતુ વસ્તુમાં રૂપ, સ્પર્શ ગંધાદિની તરતમતારૂપી પર્યાયો એ કાલક્રમને સાપેક્ષ નથી 15 અર્થાત આ પર્યાયો એક જ સમયે વધી શકે છે છતાં કાલની વૃદ્ધિ ન થાય. તેથી પર્યાયની વૃદ્ધિ અર્થાત્ અક્રમવર્તી એવા રૂપાદિ પર્યાયોની વૃદ્ધિ થવા છતાં કાલની વૃદ્ધિ ન થાય તે અપેક્ષાએ જણાવ્યું છે કે પર્યાયની વૃદ્ધિમાં કાલની વૃદ્ધિ થતી નથી.) /૩૬ અવતરણિકા : શંકા : જઘન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટભેદથી જુદા જુદા, અવધિજ્ઞાન સંબંધી અંગુલ અને આવલિકાના અસંખ્ય ભાગથી ઉપલક્ષિત સર્વ ક્ષેત્ર–કાલનું પરસ્પર પ્રદેશ અને 20 સમયની સંખ્યાવડે સ્કૂલ-સૂક્ષ્મપણું હોવાથી કેટલા ભાગથી હીનાધિકપણું છે ? (અર્થાત કાલના સમયો અને ક્ષેત્રના પ્રદેશોમાં કોણ કેટલું અધિક કે હીન છે ?) સમાધાન : સર્વત્ર પ્રતિયોગિ એવા આવલિકાના અસંખ્ય ભાગરૂપ કાલ કરતા અંગુલનું અસંખ્યયભાગરૂપ ક્ષેત્ર અસંખ્ય ગુણ અધિક હોય છે. (અર્થાત્ આવલિકાના અસંખ્યયભાગમાં જટલા સમયો હોય તેના કરતા અંગુલના અસંખ્યયભાગરૂપ ક્ષેત્રમાં આકાશપ્રદેશો અસંખ્ય ગુણ 25 અધિક હોય છે.) શંકા : આવું શા માટે હોય છે ? તેના સમાધાનમાં આગળ કહે છે ? ગાથાર્થ : કાલ સૂક્ષ્મ છે, ક્ષેત્ર તેના કરતા પણ સૂક્ષ્મતર છે. અંગુલપ્રમાણશ્રેણિમાત્ર ક્ષેત્રમાં અસંખ્ય અવસર્પિણીઓ સમાય છે. ५९. स्पर्शरसादीनां तत्पर्यायाणां वैकगुणादीनां गुणानां पर्यायत्वान्नायुक्तमक्रमवर्त्तिपर्यायत्वं, 30 नयौ चात एव द्रव्यपर्यायार्थिकावेव । ६०. पर्यायवृद्धौ न कालवृद्धिरिति समर्थनाय । ६१. अङ्गलमावलियाणमित्यादीना दीवसमुद्दा उ भइयव्वा इत्यन्तेन विमध्यमत्वेन प्रतिपादितयोः ६२. विधेयस्य । Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) વ્યારા–સૂક્ષ્મઃ' 7 . મતિ નિ:, યW ૩ત્પત્નપત્રશતરે સમય: પ્રતિપત્રमसंख्येयाः प्रतिपादिताः, तथापि ततः' कालात्, सूक्ष्मतरं भवति क्षेत्रं, कुतः ?, यस्मात् अङ्गलश्रेणिमात्रे क्षेत्रे प्रदेशपरिमाणं प्रतिप्रदेशं समयगणनया अवसर्पिण्यः असंख्येयाः, तीर्थकृद्भिः प्रतिपादिताः, एतदुक्तं भवति-अङ्गुलश्रेणिमात्रे क्षेत्रे प्रदेशाग्रं असंख्येयावसर्पिणीसमय5 રાશિ પરિમાણપતિ ગાથાર્થ: //રૂછવા - उक्तमवधेर्जघन्यादिभेदभिन्न क्षेत्रपरिमाणं, क्षेत्रं चावधिगोचरद्रव्याधारद्वारेणैवावधेरिति व्यपदिश्यते, अतः क्षेत्रस्य द्रव्यावधिकत्वात् तदभिधानानन्तरमेव अवधिपरिच्छेदयोग्यद्रव्याfધત્સાઇડદ – तेआभासादव्वाण, अन्तरा इत्थ लहइ पट्ठवओ । 10 गुरुलहुअअगुरुलहुअं, तंपि अ तेणेव निट्ठाइ ॥३८॥ व्याख्या-अवधिश्च जघन्यमध्यमोत्कृष्टभेदभिन्नः, तत्र तावज्जघन्यावधिपरिच्छेदयोग्यमेवादावभिधीयते-तैजसं च भाषा च तैजसभाषे तयोर्द्रव्याणि तेषामिति समासः, 'अन्तरात्' इति ટીકાર્થ : કાલ સૂક્ષ્મ છે કારણ કે સો કમલપત્રોના ભેદમાં દરેક પત્રના ભેદ કરવામાં અસંખ્યસમય પસાર થાય છે. કાલ કરતાં ક્ષેત્રે સૂક્ષ્મ છે કારણ કે અંગુલશ્રેણિમાત્ર ક્ષેત્રમાં 15 પ્રદેશોની સંખ્યા દરેક પ્રદેશમાં સમયની ગણનાવડે (અર્થાત દરેક પ્રદેશને એકૈક સમયવડે દૂર કરતા) અસંખ્ય અવસર્પિણીનાં સમયો જેટલી તીર્થકરોવડે કહેવાયેલી છે, અર્થાતુ અંગુલપ્રમાણ શ્રેણિરૂપ ક્ષેત્રમાં પ્રદેશોની સંખ્યા અસંખ્ય-અવસર્પિણીના જેટલો સમય થાય તેટલા સમય જેટલી હોય છે. ૩ અવતરણિકા : આ પ્રમાણે અવધિનું જઘન્યાદિભેદથી ભિન્ન ક્ષેત્રપરિમાણ બતાવ્યું. અહીં 20 “આ અવધિનું ક્ષેત્ર છે” એ પ્રમાણે અવધિનું ક્ષેત્ર એ અવધિના વિષયભૂત દ્રવ્યોના આધાર તરીકે હોવાથી કહેવામાં આવ્યું છે. (અન્યથા અવધિજ્ઞાનમાં ક્ષેત્ર અમૂર્ત હોવાથી દેખાય નહીં.) આથી ક્ષેત્ર દ્રવ્યાવધિવાળું (વ્યવિષયક) હોવાથી ક્ષેત્રની ચર્ચા કર્યા પછી અવધિના વિષયભૂત દ્રવ્યને કહેવાની ઇચ્છાથી કહે છે : ગાથાર્થ : અવધિજ્ઞાનનો પ્રારંભક તૈજસ અને ભાષાવર્ગણાના દ્રવ્યો વચ્ચેના ગુરુલઘુ અને 25 અગુરુલઘુ પર્યાયવાળા દ્રવ્યોને જુએ છે. અને તે અવધિજ્ઞાન તે જ દ્રવ્યોવડે નાશ પામે છે. ટીકાર્થ : જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનાં અવધિમાં સૌપ્રથમ જઘન્ય અવધિને યોગ્ય દ્રવ્યો બતાવે છે – તૈજસ અને ભાષા તે તૈજસભાષા, તેના દ્રવ્યો તે તૈજસભાષાદ્રવ્યો, તે દ્રવ્યોના–એ પ્રમાણે સમાસ કરવો. “અન્તરતું' અહીં અર્થના વશથી વિભક્તિ બદલાય છે એવા નિયમથી પંચમી વિભક્તિને બદલે સપ્તમી વિભક્તિ જાણવી. અથવા “અન્તરે 30 દરૂ. ચારે વવિખેમોપદર્શનાર્થ: (તિ નિરિપઃિ) | ૬૪. વક્ષ્યમUTHસં यावसर्पिणीमानम्। ६५. एकप्रमाणाङ्गलमात्रे श्रेणिरूपे नभ:खण्डे ( नन्दीवृत्तिः १६६ प०) । ६६. પ્રવેશસંધ્યાના ૬૭. સાક્ષાનામાવલુપવાર્થ: ૬૮ માર્થોડáધઃ | ૐ ૩ત્તરે ૬ ! Page #122 -------------------------------------------------------------------------- ________________ વર્ગણાઓનું સ્વરૂપ (નિ. ૩૯) ‘અર્થાદ્રિમંત્તિ વાિમ:' ઊતરે, અથવા ‘અન્તરે' કૃતિ પાદાન્તમેવ, તવુ ં મતિतैजसवाग्द्रव्याणामन्तर इंत्यन्तराले अत्र तदयोग्यमन्यदेव द्रव्यं 'लभते' पश्यति, कोऽसावित्यत आह-' प्रस्थापक:' प्रस्थापको नाम अवधिज्ञानप्रारम्भकः, किंविशिष्टं तदिति, अत आह— ‘गुरुलघ्वगुरुलघु' गुरु च लघु च गुरुलघु तथा न गुरुलघु अगुरुलघु, एतदुक्तं भवतिगुरुलघुपर्यायोपेतं गुरुलघु अगुरुलघुपर्यायोपेतं चागुरुलघु इति । तत्र यत्तैजसद्रव्यासन्नं तद्गुरुलघु, 5 यत्पुनर्भाषाद्रव्यासन्नं तदगुरुलघु, 'तदपि च' अवधिज्ञानं प्रच्यवमानं सत्पुनः तेनैव द्रव्येणोपलब्धेन सता निष्ठां याति, प्रच्यवतीत्यर्थः । तत्र अपिशब्दात् यत्प्रतिपाति तत्रायं क्रमो न पुनरवधिज्ञानं प्रतिपात्येव भवतीत्यर्थः, चशब्दस्त्वेवकारार्थः, स चावधारणे, तस्य चैवं प्रयोगः- तदेवावधिज्ञानमेवं प्रच्यवते, न शेषज्ञानानीति गाथार्थः ॥ ३८ ॥ आह-कियत्प्रदेशं तद् द्रव्यं, यत् तैजसभाषाद्रव्याणामपान्तरालवर्त्ति जघन्यावधिप्रमेय- 10 मित्याशङ्कय तद्धि परमाण्वादिक्रमोपचयाद् औदारिकादिवर्गणानुक्रमतः प्रतिपाद्यमिति, अतस्तत्स्वरूपाभिधित्सया गाथाद्वयमाह - ૯૯ ओरालविउव्वाहारतेअभासाणपाणमणकम्मे । अह दव्ववग्गणाणं, कमो विवज्जासओ खित्ते ||३९|| એ પ્રમાણે પાઠાન્તર જ જાણવો. એટલે અર્થ આ પ્રમાણે જાણવો કે → તેજસ અને ભાષાદ્રવ્યોની 15 વચ્ચે રહેલા તેજસ અને ભાષા માટે અયોગ્ય એવા દ્રવ્યોને અવધિનો પ્રારંભક (જઘન્યાવધિવાળો) એવો જીવ જુએ છે. તે દ્રવ્ય કેવા પ્રકારનું છે ? તે કહે છે આ દ્રવ્યો ગુરુલઘુ(ગુરુ અને લધુ) અને અગુરુલઘુ (ગુરુલઘુ નહીં તેવા) પર્યાયવાળા હોય છે. તેમાં જે તૈજસદ્રવ્યો તરફ રહેલા છે તે ગુરુલઘુ અને ભાષાદ્રવ્યો તરફ રહેલા અગુરુલઘુ પર્યાયવાળા જાણવા. આ અવિધજ્ઞાન નાશ પામતી વખતે પણ તે જ દ્રવ્યો ઉપલબ્ધ થતાં થતાં નાશ પામે છે (અર્થાત્ 20 નાશ વખતે પણ અવધિજ્ઞાનમાં તેજ દ્રવ્યોને જુએ છે.) “તાપિ’” અહીં “પિ’' શબ્દથી એટલું જાણવું કે જે અવધિજ્ઞાન પ્રતિપાતિ છે તેને માટે જ આ નિયમ છે. શેષજ્ઞાનો માટે નહીં. “વ” શબ્દ એવકાર અર્થ વાળો છે અને તે અવધારણ અર્થમાં અર્થાત્ “જ” કાર અર્થમાં હોવાથી આ પ્રમાણે અર્થ જાણવો કે તે જ (પ્રતિપાતિ એવો) અવધ આ પ્રમાણે નાશ પામે છે શેષ જ્ઞાન નહીં. II૩૮૫ અવતરણિકા : શંકા : જઘન્યાવધિથી જાણવા યોગ્ય, તૈજસભાષાદ્રવ્યોની વચ્ચે રહેલ તે 25 દ્રવ્ય કેટલા પ્રદેશોનું હોય છે ? સમાધાન ઃ તે દ્રવ્ય પરમાણુ વગેરેના ક્રમદ્વારા ઉપચયથી (ભેગા થવાથી) ઔદારિકાદિ વર્ગણાના ક્રમે પ્રતિપાદન કરવા યોગ્ય હોવાથી વર્ગણાઓનું સ્વરૂપ પ્રતિપાદન કરવા આગળની બે ગાથા કહે છે - ગાથાર્થ : ઔદારિક, વેક્રિય, આહારક, તૈજસ, ભાષા, શ્વાસોચ્છ્વાસ, મન, કામણ, આ 3 દ્રવ્યવર્ગણાઓનો ક્રમ છે. ક્ષેત્રવર્ગણાઓમાં આ ક્રમથી વિપર્યાસ જાણવો અર્થાત્ ઉલટો ક્રમ જાણવો. ૬૧. મધ્યાર્થોત્રાન્તર: | ૭૦. મધ્યમાને તૈનસમાષયોઃ । ૭૬. સમુવાયા ૭૨. દ્વીયમાનમ્ । ૭૩. तैजसभाषाऽयोग्यद्रव्यान्तदर्शनानन्तरप्रच्युतिरूपेण ७४. मत्यादीनि । + प्रच्यवत इत्यर्थः २-५ । * ०णुपा० Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ % આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) कम्मोवरिं धुवेयरसुण्णेयरवग्गणा अणंताओ । चउधुवणंतरतणुवग्गणा य मीसो तहाऽचित्तो ॥४०॥ प्रथमगाथाव्याख्या-आह-औदारिकादिशरीरप्रायोग्यद्रव्यवर्गणाः किमर्थं प्ररूप्यन्ते इति, उच्यते, विनेयानामव्यामोहार्थं, तथा चोदाहरणमत्र-इह भरतक्षेत्रे मगधाजनपदे प्रभूतगोमण्डलस्वामी 5 कुचिकर्णो नाम धनपतिरभूत्, स च तासां गवामतिबाहुल्यात् सहस्रादिसंख्यामितानां पृथक् पृथगनुपालनार्थं प्रभूतान् गोपांश्चक्रे, तेऽपि च परस्परसंमिलितासु तासु गोष्वात्मीयाः सम्यगजानानाः सन्तोऽकलहयन्, तांश्च परस्परतो विवदमानानुपलभ्य असौ तेषामव्यामोहार्थं अधिकरणव्यवच्छित्तये च रक्तशुक्लकृष्णकर्बुरादिभेदभिन्नानां गवां प्रतिगोपं विभिन्ना वर्गणाः खल्ववस्थापितवान् इत्येष दृष्टान्तः, अयमर्थोपजयः-इह गोपपतिकल्पस्तीर्थकृत् गोपकल्पेभ्यः 10 शिष्येभ्यो गोरूपसदृशं पुद्गलास्तिकायं परमाण्वादिवर्गणाविभागेन निरूपितवानिति अलं प्रसङ्गेन, पदार्थः प्रतिपाद्यते-तत्र औदारिकग्रहणाद् औदारिकशरीरग्रहणयोग्या वर्गणाः परिगृहीताः, . ताश्चैवमवगन्तव्या:-इह वर्गणाः सामान्यतश्चतुर्विधा भवन्ति, तद्यथा-द्रव्यतः क्षेत्रतः कालत: भावतश्च, तत्र द्रव्यत एकप्रदेशिकानां यावदनन्तप्रदेशिकानां, क्षेत्रत एकप्रदेशावगाढानां ગાથાર્થ : કર્મ ઉપર ધ્રુવ, અધ્રુવ, શૂન્ય, અશૂન્ય એવી અનંતી વર્ગણા હોય છે. ત્યાર 15 પછી ચાર ધુવાનન્તરા, ચાર તનુવર્ગણા, મિશ્ર અને ત્યાર પછી અચિત્ત મહાસ્કન્ધ હોય છે. ટીકાર્થ : શંકા : દારિક દિશરીર પ્રાયોગ્ય દ્રવ્ય વર્ગણાઓ શા માટે પ્રરૂપો છો ? સમાધાન : શિષ્યો મુંઝાય નહીં તે માટે તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ વિષયમાં દૃષ્ટાન્ત બતાવે છે – આ ભરતક્ષેત્રમાં મગધ દેશમાં ઘણીબધી ગાયોનો સ્વામી કચિકર્ણ નામ ધનપતિ હતો. તે ધનપતિએ હજારોની સંખ્યામાં રહેલી તે ગાયોનાં અનુપાલન માટે ઘણા બધા 20 ગોવાળિયાઓ રાખ્યા. અને તે ગોવાળિયાઓ પરસ્પર ભેગી થયેલી તે ગાયોમાં પોતપોતાની ગાયોને સમ્યગૂ રીતે નહીં ઓળખતા પરસ્પર ઝગડો કરવા લાગ્યા. પરસ્પર ઝગડો કરતા જોઈને ધનપતિએ તે ગોવાળિયાઓને મુંઝવણ ન થાય તે માટે અને ઝગડાનું નિવારણ કરવા માટે લાલ, સફેદ, કાળી, ચિત્ર વગેરે જુદા જુદા રંગોવાળી ગાય છૂટી પાડી જુદા જુદા ગોવાળિયાઓને જુદાં જુદો સમૂહ સાચવવા આપ્યો. 25 આ દૃષ્ટાન્તનો ભાવાર્થ હવે બતાવે છે – અહીં ધનપતિસમાન તીર્થકરોએ ગોવાળિયાસમાન શિષ્યોને ગાયસમાન પુદ્ગલાસ્તિકાયનું પરમાણુ વગેરે વર્ગણાઓનાં વિભાગવડે નિરૂપણ કર્યું છે. (ભાવાર્થ એ જ છે કે જેમ તે ધનપતિએ ગોવાળિયાઓને મુંઝવણ ન થાય તે માટે ગાયોનું વિભાગીકરણ કર્યું તેમ, શિષ્યોને મુંઝવણ ન થાય તે માટે ઔદારિકાદિ વર્ગણાઓનો વિભાગ કરવાવડે નિરૂપણ કર્યું છે.) પ્રસંગોપાત આટલું કહ્યું તે બસ છે. હવે પદાર્થ બતાવે છે. 30 તેમાં ઔદારિક શબ્દથી દારિકશરીરગ્રહણને યોગ્ય વર્ગણાઓ લેવી. તેનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું – અહીં વર્ગણાઓ સામાન્યથી ચાર પ્રકારે હોય છે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, દ્રવ્યથી વર્ગણાઓ એક પરમાણુ વગેરેથી લઈ અનંતપરમાણુઓની હોય છે. ક્ષેત્રથી એક પ્રદેશમાં ७५. अवयवे समुदायोपचारात् प्रकरणाद्वा । ७६. परमाणूनामपि प्रकृष्टदेशत्वात् । . Page #124 -------------------------------------------------------------------------- ________________ વર્ગણાઓનું સ્વરૂપ (નિ. ૩૯) ની ૧૦૧ यावदसंख्येयप्रदेशावगाढानां, कालत एकसमयस्थितीनां यावदसंख्येयसमयस्थितीनां. भावतस्तावत् परिस्थूरन्यायमङ्गीकृत्य कृष्णानां यावत् शुक्लानां सुरभिगन्धानां दुरभिगन्धानां च २. तिक्तरसानां यावन्मधुररसानां ५, मृदूनां यावद्रूक्षाणां ८ गुरुलघूनामगुरुलघूनां च, एवमेता द्रव्यवर्गणाद्या वर्गणाश्चतुर्विधा भवन्ति, प्रकृतोपयोगः प्रदर्शयते-तत्र परमाणूनामेका वर्गणा, एवं द्विप्रदेशिकानामप्येका, एवमेकैकपरमाणुवृद्ध्या संख्येयप्रदेशिकानां संख्येया वर्गणा 5 असंख्येयप्रदेशिकानां चासंख्येयाः ततोऽनन्तप्रदेशिकानां अनन्ताः खल्वग्रहणयोग्या विलक्ष्य ततश्च विशिष्टपरिणामयुक्ता औदारिकशरीरग्रहणयोग्या: खल्वनन्ता एवेति, ता अपि चोल्लङ्घय प्रदेशवृद्धया प्रवर्धमानास्ततस्तस्यैवाग्रहणयोग्या अनन्ता इति, ताश्च प्रभूतद्रव्यनिर्वृत्तत्वात् सूक्ष्मपरिणामोपेतत्वाच्च औदारिकस्याग्रहणयोग्या इति, वैक्रियस्यापि चाल्पपरमाणुनिर्वृत्तत्वाद् बादरपरिणामयुक्तत्वाच्चाग्रहणयोग्या एव ता इति, पुनः प्रदेशवृद्ध्या प्रवर्धमाना: खल्वनन्ता 10 एवोल्लङ्घय तथापरिणामयुक्ता वैक्रियग्रहणयोग्या भवन्ति, ता अपि च प्रदेशवृद्ध्या प्रवर्धमाना રહેલી વગેરેથી લઈ અસંખ્યપ્રદેશમાં રહેલી. કાલથી એક સમયથી માંડી અસંખ્યસમયની સ્થિતિવાળી, ભાવથી સ્થૂળદેષ્ટિને આશ્રયી કૃષ્ણવર્ણથી લઈ શુક્લવર્ણવાળી, સુરભિ અને દુરભિગંધવાળી. તિક્તરસથી લઈ મધુરરસવાળી, મૃદુસ્પર્શથી લઈ રુક્ષસ્પર્શવાળી, તથા ગુરુલઘુ અને અગુરુલઘુ પર્યાયવાળી એમ ઘણા પ્રકારની વર્ગણાઓ હોય છે. આમ દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારે વર્ગણાઓ હોય 15 છે. તેમાં પ્રસ્તુતમાં જે ઉપયોગી છે તે દેખાડાય છે. એક—એક પરમાણુઓની ભેગી મળી એક વર્ગણા (અર્થાત્ જગતમાં છૂટાછૂટા જેટલા પરમાણુઓ છે, તેનો સમૂહ તે ૧ વર્ગણા), બે પરમાણુવાળા દ્વિદેશિક સ્કંધો ભેગા મળી બીજી વર્ગણા, ત્રિપ્રદેશિક સ્કંધો ભેગા મળી ત્રીજી વર્ગણા, આ પ્રમાણે એક–એક પરમાણુની વૃદ્ધિથી સંખ્યાના પ્રદેશોના બનેલા સ્કંધોની સંખ્યાતીવર્ગણા, અસંખ્યયપ્રદેશિક સ્કંધોની અસંખ્યાતવર્ગણા, ત્યારપછી અનંત પ્રદેશિક સ્કંધોની એનંતીવર્ગણાઓ રહેલી હોય છે. 20 પરંતુ આ બધી વર્ગણાઓ ગ્રહણને અયોગ્ય હોય છે. ત્યારપછી આ બધી વર્ગણાઓને છોડી વિશિષ્ટ પરિણામથી યુક્ત, અને ઔદારિકશરીરરૂપે બનાવી શકાય એવી અનંતીવર્ગણાઓ હોય છે. (જેમાં રહેલા સ્કંધોથી જીવ પોતાનું ઔદારિકશરીર બનાવે છે.) ત્યારપછી એક—એક પ્રદેશની વૃદ્ધિવાળી બીજી અનંતી અગ્રહણયોગ્ય વર્ગણાઓ હોય છે. જે પુષ્કળ દ્રવ્યોથી બનેલી હોવાથી અને સૂક્ષ્મપરિણામથી યુક્ત હોવાથી દારિક માટે અયોગ્ય 25 હોય છે. તથા અલ્પપરમાણુવાળી અને બાદરપરિણામથી યુક્ત હોવાથી વૈક્રિય માટે પણ અયોગ્ય હોય છે. (જો કે આ અનંતીવર્ગણાઓ ઔદારિકવર્ગણાઓની પછી હોવાથી દારિક માટે અયોગ્ય છે એવું પ્રધાન પણે બોલાય છે) તેને ઓળંગી પ્રદેશવૃદ્ધિવડે વધતા બીજી અનંતી વર્ગણાઓ કે જે તથા પરિમાણથી યુક્ત (વક્રિયશરીરરૂપે પરિણમે એવા પરિણામથી યુક્ત) હોય ७७. लोकाकाशेऽवगाहनात् तस्य चैतावत्प्रमाणत्वात् । ७८. अनन्तसमयान् यावदवस्थानाभावात्। ७९. 30 स्वस्वस्थान एकगणादिनाऽनन्तभेदवत्त्वात प्रत्येकं । ८०. द्वितीयाबहवचनं. एताश्चौदारिकस्यैवायोग्या इति । ८१. તારિપરિધામનયોતિરૂપતિ ૮૨. મૌલારિરીતિય પરિમનીયા: * દ્વિત્રિ : વર્ધમાના: ૨-૪T Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) अनन्ता एवेति तावद् यावद् एकादिप्रचुरपरमाणुनिर्वृत्तत्वात् सूक्ष्मपरिणाम युक्तत्वाच्च वैक्रियस्याग्रहणयोग्या भवन्ति, एवं प्रदेशवृद्धया प्रवर्धमानाः खल्वग्रहणयोग्या अप्यनन्ता एवेति, ताश्चाहारकस्य अल्पपरमाणुनिर्वृत्तत्वाद् बादरपरिणामोपेतत्वाच्च अग्रहणयोग्या एवेति, एवमाहारकस्य तैजसस्य भाषायाः आनापानयोर्मनसः कर्मणश्च अयोग्ययोग्यायोग्यानां वर्गणानां 5 प्रदेशवृद्ध्युपेतानामनन्तानां त्रयं त्रयमायोजनीयं । __ आह-कथं पुनरिदं एकैकस्यौदारिकादेस्त्रयं त्रयं गम्यत इति, उच्यते, तैजसभाषाद्रव्यान्तरवर्युभयायोग्यद्रव्यावधिगोचराभिधानात् । अथ' अयं द्रव्यवर्गणानां क्रमः, तत्र वर्गणा वर्गो राशिरिति पर्यायाः, तथा 'विपर्यासतो' विपर्यासेन क्षेत्रे' इति क्षेत्रविषयो वर्गणाक्रमो वेदितव्यः, एतदक्तं भवति-एकप्रदेशावगाहिनां परमाणनां स्कन्धानां चैका वर्गणा, तथा द्रिप्रदेशावगाहिना 10 स्कन्धानामेव द्वितीया वर्गणा, एवमेकैकप्रदेशवृद्ध्या संख्येयप्रदेशावगाहिनां संख्येया असंख्येयप्रदेशावगाहिनां चासंख्येयाः, ताश्च प्रदेशप्रदेशोत्तराः खल्वसंख्येया विलय कर्मणो છે તે વૈક્રિય માટે યોગ્ય હોય છે. તે વર્ગણાઓ પણ ૧–૧ પ્રદેશની વૃદ્ધિથી અનંતી હોય છે. ત્યાર પછી અનંતીવર્ગણાઓ અતિપ્રચુર દ્રવ્યોથી બનેલી હોવાથી અને સુપરિમાણવાળી હોવાથી (અર્થાત વક્રિયશરીર માટે જે સૂર્મપરિણામ જોઈએ તેનાથી પણ વધુ સૂક્ષ્મપરિણામવાળાં 5 હોવાથી, વક્રિયશરીર માટે અયોગ્ય હોય છે. આ પ્રમાણે પ્રદેશવૃદ્ધિથી વધતી અગ્રહણયોગ્ય અનંતવર્ગણા છે. તે અલ્પપરમાણુથી બનેલી વળી બાદર પરિણામવાળી હોવાથી આહારક માટે પણ અગ્રહણયોગ્ય છે આ પ્રમાણે આહારક, તેજસ, ભાષા, શ્વાસોચ્છવાસ, મન એન કામણું માટે અયોગ્ય, યોગ્ય, અયોગ્ય એમ ત્રણ પ્રકારે અનંતીવર્ગણાઓ હોય છે. ' ' શંકા : દારિક વગેરે દરેકના આ પ્રમાણે ત્રણ-ત્રણ પ્રકાર છે એવું તમે કેવી રીતે 20 જાણું ? સમાધાન : તેજસ–ભાષાદ્રવ્યોની વચ્ચે રહેલા દ્રવ્યો ઉભય તૈિજસભાપા)ને અયોગ્ય દ્રવ્યો અવધિના વિષય હોય છે એવું કહેલું હોવાથી આ વાત સિદ્ધ થાય છે. (આશય એ છે કે તૈજસ–ભાષાની વચ્ચેના દ્રવ્યો ઉભયને અયોગ્ય કહ્યા હોવાથી એ સિદ્ધ થાય છે કે દરેક યોગ્ય વર્ગણાની પૂર્વે અને પછી, અયોગ્ય વર્ગણા છે જ). આ દ્રવ્યવર્ગણાઓનો ક્રમ બતાવ્યો. વર્ગણા 25 શબ્દના રાશિ, સમુદાય વગેરે અર્થો જાણવા. આ ક્રમથી તદન ઉંધા ક્રમે ક્ષેત્રવિષયક વર્ગણાઓ જાણવી. કહેવાનો આશય એ છે કે એક પ્રદેશમાં રહેનાર પરમાણુ અને સ્કંધોની એક વર્ગણા (અર્થાત્ સંપૂર્ણ લોકમાં એક પ્રદેશમાં રહેનારા એવા જેટલા પરમાણુઓ છે અને જેટલા સ્કંધો છે તે બધાનો એક સમુદાય ક્ષેત્રને આશ્રયીને એક વર્ગણા કહેવાય છે) બે પ્રદેશને વ્યાપીને રહેનાર સ્કંધોની બીજી વર્ગણા, આ પ્રમાણે એક—એક 30 ક્ષેત્રપ્રદેશની વૃદ્ધિથી સંખ્યાતાપ્રદેશોમાં વ્યાપીને રહેનાર સ્કંધોની સંખ્યાતીવર્ગણાઓ અને અસંખ્યાતી પ્રદેશરાશિને વ્યાપીને રહેનાર કંધોની અસંખ્યાતીવર્ગણાઓ હોય છે. આવી એક–એક પ્રદેશની વૃદ્ધિવાળી અસંખ્યાતીવર્ગણાઓ ઓળંગી કાર્યણશરીરને યોગ્ય + તિપ્રચુર | | ગુરુત્વાન્ ! માનપાનયો: - તથા નં. ૪-૧-૬ I Page #126 -------------------------------------------------------------------------- ________________ વર્ગણાઓનું સ્વરૂપ (નિ. ૩૯-૪૦) योग्यानामसंख्येया वर्गणा भवन्ति, पुनः प्रदेशवृद्ध्या तस्यैवायोग्यानां असंख्येया इति, अयोग्यत्वं चाल्पपरमाणुनिर्वृत्तत्वात् प्रभूतप्रदेशावगाहित्वाच्च, मनोद्रव्यादीनामप्येवमेवायोग्ययोग्यायोग्यलक्षणं त्रयं त्रयमायोजनीयमिति । एवं सर्वत्र भावना कार्या, 'परं परं सूक्ष्मं' 'प्रदेशतोऽसंख्येयगुणं' (प्राक्तैजसात् ) इति (तत्त्वार्थे अ० २ सूत्रे ३८-३९ ) वचनात्, कालतो भावतश्च वर्गणा दिग्मात्रतो दर्शिता एवेति गाथार्थः ॥३९॥ द्वितीयगाथाव्याख्या- तत्रानन्तरगाथायां कर्मद्रव्यवर्गणाः प्रतिपादिताः, साम्प्रतं प्रदेशोत्तरवृद्ध्या तदग्रहणप्रायोग्याः प्रदर्श्यन्ते - क्रियत इति कर्म, कर्मण उपरि कर्मोपरि, ध्रुवेतिध्रुववणा अनन्ता भवन्ति, ध्रुववर्गणा इति ध्रुवा नित्याः सर्वकालावस्थायिन्य इति भावार्थ:, 'इतरा' इति प्रदेशवृद्धया ततोऽनन्ता एवाध्रुववर्गणा अनन्ता भवन्ति, 'अधुवा' इति अशाश्वत्यः, એવી અસંખ્યાતીવર્ગણાઓ હોય છે. ત્યાર પછીની એકએક પ્રદેશની વૃદ્ધિવાળી અસંખ્ય 10 વર્ગણાઓ કાર્યણશરીરને અયોગ્ય હોય છે, કારણ કે તે વર્ગણાઓ અલ્પપરમાણુથી બનેલી હોવાથી અને પ્રચુરપ્રદેશમાં વ્યાપીને રહેનારી હોવાથી અયોગ્ય હોય છે. આ જ પ્રમાણે મનોદ્રવ્યાદિ વગેરે માટે પણ અયોગ્ય-યોગ્ય-અયોગ્યરૂપ ત્રણ—–ત્રણ ભેદો જાણી લેવા. (શંકા : દ્રવ્યથી વર્ગણાનો જે ક્રમ છે, તેનાથી ક્ષેત્રથી વર્ગણાનો ક્રમ તદ્દન વિપરીત બતાવ્યો, તેનો આધાર શું ?) = સમાધાન : તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે પરં પરં સૂક્ષ્મ.., અર્થાત્ પછી પછીની વર્ગણાઓ સૂક્ષ્મ છે ઓછી અવગાહનાવાળી છે (એટલે કાર્યણવર્ગણાની સૌથી ઓછી અવગાહના, મનોવર્ગણાની તેનાથી વધુ.... એ રીતે) અને પ્રવેશતોસંધ્યેયશુળ પછી પછીની વર્ગણાઓ પ્રદેશથી અસંખ્યગુણ છે. (એટલે ઔદારિક કરતાં વૈક્રિયમાં અસં. ગુણ વધુ પ્રદેશો છે... એ રીતે) તેનાથી એ સિદ્ધ થાય કે દ્રવ્યવર્ગણા કરતાં ક્ષેત્રવર્ગણાનો ક્રમ વિપરીત છે (અર્થાત્ પ્રદેશતો... 20 સૂત્રથી જણાય છે કે દ્રવ્યવર્ગણામાં જે ક્રમ આપ્યો છે તે ક્રમે ઉત્તરોત્તર પુદ્ગલદ્રવ્યો વધતા જાય છે જ્યારે પ૨ પરં... સૂત્રથી જણાય છે કે ક્ષેત્રવર્ગણામાં વિપરીતક્રમે ક્ષેત્રફળ વધતું જાય છે.) કાળ અને ભાવવર્ગણા સામાન્યથી કહી જ છે. ૧૩૯ના ૧૦૩ 5 15 દ્વિતીયગાથાનું વ્યાખ્યાન કરે છે... ઉપરોક્ત ગાથામાં છેલ્લે કાર્યણવર્ગણાઓ બતાવી. હવે પ્રદેશની વૃદ્ધિથી કાર્યણને અગ્રહણયોગ્ય વર્ગણાઓ બતાવતા કહે છે – કરાય તે કર્મ, કાર્પણ 25 વર્ગણા પછી અનંતી ધ્રુવવર્ગણાઓ હોય છે. ધ્રુવ એટલે નિત્ય=સર્વકાલ રહેનારી વર્ગણા. (કહેવાનો આશય એ છે કે ધારો કે આ ધ્રુવવર્ગણાઓ ૧૦૦૧ પ્રદેશથી ચાલુ થતી હોય ને ૨૦૦૦ પ્રદેશસુધીની હોય તો આ વચ્ચેની એક પણ પ્રદેશવાળી વર્ગણા જગતમાં ન હોય એવું ક્યારેય બને નહીં. ૧૦૦૧ પ્રદેશથી ૨૦૦૦ પ્રદેશસુધીની દરેક વર્ગણાઓ ગમે તે સમયે હાજર જ હોય માટે ધ્રુવ કહેવાય છે.) 30 તેના પછી અનંતી અવવર્ગણાઓ છે (અર્થાત્ ધારો કે ૨૦૦૧ પ્રદેશથી ૩૦૦૦ પ્રદેશ ८३. द्वयोरभिधानं प्रसङ्गात् । ८४. अष्टानां वर्गणानामन्त्ये तद्भावात् । Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) कदाचिन्न सन्त्यपीत्यर्थः, ततः 'शून्या' इति सूचनात्सूत्रमितिकृत्वा शून्यान्तरवर्गणाः परिगृह्यन्ते, शून्यान्यन्तराणि यासां ताः शून्यान्तराः शून्यान्तराश्च ता वर्गणाश्चेति समासः, एतदुक्तं भवतिएकोत्तरवृद्ध्या व्यवहितान्तरा इति, ता अपि चानन्ता एव, तथा 'इतरेति' इतरग्रहणादशून्यान्तरा: परिगृह्यन्ते, न शून्यानि अन्तराणि यासां ता अशून्यान्तराः, अशून्यान्तराश्च ता वर्गणाश्चेति 5 विग्रहः, अशून्यान्तरवर्गणा अव्यवहितान्तरा इत्यर्थः, ता अपि च प्रदेशोत्तरवृद्धया खल्वनन्ता एव भवन्ति, ततः 'चतुरिति' च तस्त्रः ध्रुवाश्च ता अनन्तराश्च ध्रुवानन्तराः प्रदेशोत्तरा एव वर्गणा भवन्ति, ततः 'तनुवर्गणाश्च' तनुवर्गणा इति, किमुक्तं भवति-भेदाभेदपरिणामाभ्यामौदारिकादियोग्यताऽभिमुखा इति, अथवा मिश्राचित्तस्कन्धद्वययोग्यास्ताश्चतस्त्र एव भवन्ति, ततो 'मिश्र' इति मिश्रस्कन्धो भवति, सूक्ष्म एवेषद्बादरपरिणामाभिमुखो मिश्रः, 'तथा' इति 10 સુધીની અદ્ભવવર્ગણાઓ હોય તો તેમાંથી ક્યારેક એકપણ વર્ગણા વિવક્ષિત સમયે ન હોય એવું પણ બને, અને માટે જ તેને અધુવવર્ગણાઓ કહેવાય છે.) ત્યારપછી અનંતી શૂન્યવર્ગણાઓ હોય છે. મૂળગાથામાં “શૂન્ય” શબ્દ છે. સૂત્ર હંમેશા સૂચન કરતું હોવાથી અહી શુન્ય શબ્દથી શૂન્યાત્તરવર્ગણાઓ જાણવી. શૂન્ય છે અંતર જેનું તે શૂન્યાંતર, અને શૂન્યાંતર એવી જે વર્ગણા તે શૂન્યાંતરવર્ગણા, એ પ્રમાણે સમાસ કરવો. (અહીં આંતરુ શૂન્ય છે એટલે કે આંતર નથી 15 એવો અર્થ કરવો નહીં પણ વચ્ચે વચ્ચે આંતરુ પડે છે તેથી ખુલાસો કરતા કહે છે કે, એકેકોત્તરવૃદ્ધિવડે આંતરાવાળી વર્ગણાઓ. (અર્થાત્ ધારો કે ૩૦૦૧થી ૧–૧ પ્રદેશની વૃદ્ધિવડે નિરંતર ૪COO સુધી આ વર્ગણાઓ હોય પણ ક્યાંક એમાંથી વચ્ચેની ૩૮૦૩, ૩૮૦૫, ૩૧૬૧ વગેરે કોઈ નંબરોવાળી વર્ગણાઓ ન હોવાથી વચ્ચે આંતરું પડી જાય. અથવા ૩૦૦૨ પછી સીધી ૩૦૦૪ મળે, વચ્ચે ૩૦૦૩ની વર્ગણા હોય જ નહીં – તેથી અંતર પડે.) તે પણ 20 અનંત છે. તેના પછી પ્રદેશવૃદ્ધિથી અનંતી અશૂન્યવર્ગણાઓ હોય છે. જેમાં ઉપર કહ્યું તેવું અંતર નથી હોતું) ત્યાર પછી ચાર યુવાનન્તરા નામની વણાઓ આવેલી છે. જે. દરેકે દરેક અનંતી અવંતી હોય છે. તે ધ્રુવ અને અનંતર એટલે કે એકેક પ્રદેશવૃદ્ધિએ નિરંતર રહેલી હોય છે. (આ વર્ગણાઓ સૂક્ષ્મ અને બહુ દ્રવ્યથી રચિત હોવાથી પૂર્વેની યુવા વર્ગણાઓ કરતા ભિન્ન છે.) ત્યાર પછી બીજી ચાર તનુ વર્ગણાઓ રહેલી હોય છે. જે ભેદાભેદપરિણામવડે 25 (ઔદારિકાદિશરીરની) યોગ્યતાની અભિમુખ હોય છે. (આશય એ છે કે – જેટલા પુદ્ગલોવડે તનુવર્ગણાના સ્કંધો રચાય છે. તેમાંથી અમુક પુદ્ગલો ભેરાઈને છૂટા પડે છે. અને અન્ય બીજા પુદ્ગલો આવીને અભેદરૂપે જોડાય છે. આમ ભેદભેદ પરિણામવડે તનુવણાઓ ઔદારિકાદિ યોગ્ય બાદરપરિણામને અભિમુખ હોય છે.) અથવા આ તનુવર્ગણાઓ મિશ્ર અને અચિત્તસ્કંધને યોગ્ય જાણવી અને આ વર્ગણાઓ પણ ચાર જ છે. ત્યાર પછી મિશ્ર સ્કન્ધ હોય છે, જે સૂમ 30 હોવા છતાં કંઈક બાદરપરિણામને અભિમુખ હોવાથી મિશ્ર કહેવાય છે. ८५. सूत्रं सूचनकृदिति सूत्रलक्षणात् । ८६. तस्यास्त्रुटिसंभवे सत्येव भिन्नवर्गणारम्भः, अन्यद्वा किञ्चिद्वर्णादिपरिणामवैचित्र्यं तदारम्भे कारणम्स्त् । Page #128 -------------------------------------------------------------------------- ________________ અચિત્તમહાસ્કન્ધનું સ્વરૂપ (નિ. ૪૦) आनन्तर्ये 'अचित्त' इति अचित्तमहास्कन्धः, स च विश्रसापरिणामविशेषात् केवलिसमुद्घातगत्या "लोकमापूरयन्नुपसंहरंश्च भवतीति । आह-अचित्तत्वाव्यभिचारात्तस्याचित्तविशेषणानर्थक्यमिति, न, केवलिसमुद्घातसचित्तकर्मपुद्गललोकव्यापिमहास्कन्धव्यवच्छेदपरत्वात् विशेषणस्येति, अयमेव सर्वोत्कृष्टप्रदेश इति केचिद् व्याचक्षते, न चैतदुपपत्तिक्षमं, यस्मादुत्कृष्टप्रदेशोऽवगाहनास्थितिभ्यां असंख्येयभागहीनादिभेदाद् चतुःस्थानपतित उक्तः, तथा चोक्तं- "उक्कोर्सपएसिआणं भंते ! 5 केवइआ पज्जवा पण्णत्ता ?, गोयमा ! अणन्ता, से केणट्टेणं भंते વં વુડ઼ ?, गोयमा ! उक्कोसपएसिए उक्कोसपएसिअस्स दव्वट्टायाए तुल्ले, पएसट्टयाएवि तुल्ले, ओगाहणट्टयाए ૧૦૫ ત્યાર પછી અચિત્તમહાસ્કન્ધ હોય છે. આ અચિત્તમહાસ્કન્ધ વિશ્રસાપરિણામથી કેલિસમુદ્ધાતની પદ્ધતિની જેમ પ્રથમ ચાર સમયે લોકને પૂરે અને પછીના ચાર સમયે ઉપસંહરે ત્યારે થાય છે. (અર્થાત્ આ સ્કન્ધ સમુદ્ધાતની જેમ જ્યારે સર્વ લોકવ્યાપી થાય ત્યારે મહાસ્કન્ધ 10 રૂપે થાય છે.) શંકા : આ સ્કન્ધ અચિત્ત જ હોય છે તો વિશેષણ શા માટે આપેલું છે ? સમાધાન ઃ કેલિસમુદ્દાત વખતે જીવ પોતાના કર્મપુદ્ગલોને લોકવ્યાપી બનાવે છે. તે વખતે આ કર્મપુદ્ગલો પણ મહાસ્કન્ધ તરીકે ઓળખાય છે. પરંતુ આ સ્કન્ધ જીવયુક્ત હોવાથી સચિત્ત હોય છે તેથી સચિત્ત એવા આ કર્મપુદ્ગલના લોકવ્યાપી મહાસ્કન્ધનો વ્યવચ્છેદ કરવા 15 “અચિત્ત” વિશેષણ મૂકવામાં આવ્યું છે (ટૂંકમાં :- અચિત્ત વિશેષણ દ્વારા કેલિસમુદ્દાત વખતે રચાતા કર્મપુદ્ગલના સ્કન્ધ કરતા આ સ્કન્ધ જુદો પાડવામાં આવ્યો છે) કેટલાક લોકો આ અચિત્તમહાસ્કન્ધને જ સર્વોત્કૃષ્ટપ્રદેશવાળો કહે છે. પરંતુ તે યુક્તિયુક્ત લાગતું નથી, કારણ કે પ્રજ્ઞાપના ગ્રંથમાં ઉત્કૃષ્ટપ્રદેશવાળો સ્કન્ધ અવગાહના અને સ્થિતિવડે અસંખ્યેયભાગહીનાદિ ભેદથી ચતુઃસ્થાનપતિત કહેલો છે. તે આ પ્રમાણે :– હે ભંતે ! ઉત્કૃષ્ટપ્રાદેશિક સ્કન્ધોના કેટલા પર્યાયો 20 કહેલા છે ? હે ગૌતમ ! અનંતા પર્યાયો છે. પ્રભુ ! આમ શા માટે કહો છો ? ગૌતમ ! એક ઉત્કૃષ્ટપ્રાદેશિક સ્કન્દ અન્ય ઉત્કૃષ્ટપ્રાદેશિક સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (અર્થાત્ આ ઉત્કૃ. પ્રા. સ્કન્ધ એક છે અને આ ઉ.પ્રા. સ્કન્ધ એક છે એમ દ્રવ્યની અપેક્ષાએ બંને એકએક હોવાથી તુલ્ય છે.) પ્રદેશની અપેક્ષાએ પણ બંને ઉત્કૃષ્ટપ્રદેશવાળા હોવાથી તુલ્ય જ છે. જ્યારે અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત હોય છે, અર્થાત્ એક કરતા 25 બીજો અસંખ્યાતભાગહીન ક્ષેત્રમાં રહેલો હોય, કોઈ સંખ્યાતભાગહીન પ્રદેશને વ્યાપીને રહેલો હોય, તો કોઈ અસંખ્યયગુણહીન, કોઈ સંખ્યયગુણહીન ક્ષેત્રમાં રહેલો હોય. એ જ પ્રમાણે ८७. केवलिसमुद्घातावसरे प्रतिप्रदेशं आत्मगृहीतत्वात् सचित्तता कर्मपुद्गलानां चतुर्थसमयापेक्षया लोकव्यापकता, निस्संबद्धत्वाभावान्महास्कन्धता । ८८. संख्येयभागासंख्येयगुणसंख्येयगुणग्रहः । ८९. ઉત્કૃષ્ટપ્રવેશિાનાં મવત્ત ! યિન્ત: પર્યવા: પ્રજ્ઞપ્તા: ?, ગૌતમ ! અનન્તા:, તòનાર્થેન મન ! વ-30 मुच्यते ?, गौतम ! उत्कृष्टप्रदेशिक उत्कृष्टप्रदेशिकस्य द्रव्यार्थतया तुल्यः प्रदेशार्थतयापि तुल्यः अवगाहनया चतुःस्थानपतितः स्थित्याऽपि वर्णरसगन्धैरष्टभिः स्पर्शेश्च षट्स्थानपतितः । Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ૨ક આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) चउहाणवडिए, ठितीएवि ४, वण्णरसगन्ध अट्ठहि अ फासेहि छट्ठाणवडिए"। अयं पुनस्तुल्य एव, अष्टस्पर्शश्चासौ पठ्यते, चतुःस्पर्शश्च अयमिति, अतोऽन्येऽपि सन्तीति प्रतिपत्तव्यं, इत्यलं प्रसङ्गेनेति गाथार्थः ॥४०॥ प्राक् ‘तैजसभाषाद्रव्याणामन्तराले गुरुलघ्वगुरुलघु च जघन्यावधिप्रमेयं द्रव्यं' इत्युक्तं, 5 नौदारिकादिद्रव्याणि, साम्प्रतमौदारिकादीनां द्रव्याणां यानि गुरुलघूनि यानि चागुरुलघूनि तानि दर्शयन्नाह ओरालिअवेउव्विअआहारगतेअ गुरुलहू दव्वा । कम्मगमणभासाई, एआइ अगुरुलहुआई ॥४१॥ व्याख्या-पदार्थस्तु औदारिकवैक्रियाहारकतैजसद्रव्याणि गुरुलघूनि, तथा कार्मणमनोभाषादिद्रव्याणि च अगुरुलघूनि निश्चयनयापेक्षयेति गाथार्थः ॥४१।। 10 वक्ष्यमाणगाथाद्वयसंबन्धः-पूर्व क्षेत्रकालयोरवधिज्ञानसंबन्धिनोः केवलयोः अङ्गला वलिकाऽसंख्येयादिविभागकल्पनया परस्परोपनिबन्ध उक्तः, साम्प्रतं तयोरेवोक्तलक्षणेन द्रव्येण સ્થિતિમાં પણ જાણી લેવું, વર્ણ, રસ, ગંધ અને અષ્ટસ્પર્શવડે પટ્રસ્થાન પતિત હોય છે.” જયારે પ્રસ્તુતમાં આ અચિત્તમાસ્કન્ધ અવગાહના અને સ્થિતિવડે અન્ય અચિત્તમાસ્કન્ધ સાથે તુલ્ય જ છે. (નહીં કે પ્રજ્ઞાપનામાં બતાવ્યા પ્રમાણે ચતુઃસ્થાનપતિત છે.) તથા પ્રજ્ઞાપનામાં બતાવેલ 15 સ્કન્ધ અષ્ટસ્પર્શી છે, જયારે આ અચિત્તમહા. તો ચતુસ્પર્શી હોય છે. તેથી નક્કી થાય છે કે અન્ય પણ મોટા સ્કન્વો હોય છે, વધુ ચર્ચાથી સર્યું 1૪ ll , અવતરણિકા : પૂર્વે તૈજસ–ભાષા દ્રવ્યોની મધ્યમાં રહેલા ગુરુલઘુ અને અગુરુલઘુ દ્રવ્યો જઘન્ય અવધિનો વિષય બને છે એવું કહ્યું, પરંતુ ઔદારિકાદિ દ્રવ્યો ગુરુલઘુ છે ? કે અગુરુલધુ છે ? એ કહ્યું નહોતું. તેથી જે દ્રવ્યો ગુરુલઘુ છે અને જે અગુરુલઘુ છે તે કહે છે ? 20 ગાથાર્થ : દારિક, વૈક્રિય, આહારાક અને તૈજસ એ ગુરુલઘુ દ્રવ્યો છે. કાણ, મન તથા ભાષાદિ અગુરુલઘુ છે. ટીકાર્થ : દારિક, વૈક્રિય. આહારક અને તૈજસ દ્રવ્યો ગુરુલઘુ છે તથા કાર્મણ, મનાભાષાદિ દ્રવ્યો અગુરુલઘુ છે. આ પદાર્થ નિશ્ચયનયની અપેક્ષાએ જાણવો (કારણ કે નિશ્ચયની માન્યતા મુજબ જે બાદરપરિણામી છે તે ગુરુલઘુ છે અને જે સૂક્ષ્મપરિણામી છે તે અગુરુલઘુ 25 છે. અહીં દારિકાદિ બાદરપરિણામી છે અને કાર્મણાદિ સૂક્ષ્મપરિણામી છે.) II૪૧ અવતરણિકા : આગળની બે ગાથાનો સંબંધ કહે છે–પૂર્વે માત્ર અવધિજ્ઞાનના સંબંધિ એવા ક્ષેત્ર-કાળનો અંગુલ–આવલિકા અસંખ્ય ભાગાદિની કલ્પનાવડે પરસ્પર સંબંધ બતાવ્યો. ९०. वर्गणात्वात् परैस्तथाविधैरचित्तमहास्कन्धैः अवगाहनास्थितिभ्यां । ९१. तानि गुरुलघूनि अगुरुलघूनि वेति नोक्तमित्यर्थः । ९२. ग्रहणयोग्यतैजसेभ्यश्चतुःस्पर्शा इति कर्मप्रकृत्यादिषु, अग्रहणान्तरिता 30 ग्रहणयोग्या वर्गणा इति च मतं तेषां, प्रग्रहणयोग्याः पश्चात्पराः । अत्र तूभयाग्रहणयोग्या मध्ये तत एव तैजसासन्नानि गुरुलघूनि इतराणीतरथेत्युक्तिः । ९३. एतन्मते एकान्तगुरुलघुद्रव्याभावात्, व्यवहारनयापेक्षमेव गुरु लेष्टुः लघु दीप उभयं वायुरनुभयं व्योमेत्यादि । ९४. परस्परोपलम्भदर्शनेन वृद्धिद्वारा । । Page #130 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાનમાં ક્ષેત્ર અને કાળ સાથે દ્રવ્યનો સંબંધ (નિ. ૪૨) संखिज्ज मणोदव्वे, भागो लोगपलियस्स बोद्धव्वो । संखिज्ज कम्मदव्वे, लोए थोवूणगं पलियं ॥४२॥ व्याख्या–संख्यायत इति संख्येयः, मनसः संबन्धि योग्यं वा द्रव्यं मनोद्रव्यं तस्मिन् मनोद्रव्ये इति मनोद्रव्यपरिच्छेदके अवधौ, क्षेत्रतः संख्येयो लोकभागः, कालतोऽपि संख्येय 5 વ, ‘પતિયમ્સ' પલ્યોપમસ્ય ‘વોદ્ધો’ વિજ્ઞેયઃ, પ્રમેયત્નેનેતિ, તવુત્ત્ત મતિ-અવધિજ્ઞાની मनोद्रव्यं पश्यन् क्षेत्रतो लोकस्य संख्येयभागं कालतश्च पल्योपमस्य जानीते इति, तथा संख्येया लोकपल्योपमभागाः 'कर्मद्रव्ये' इति कर्मद्रव्यपरिच्छेदकेऽवधौ प्रमेयत्वेन बोद्धव्या इति वर्त्तते, अयं भावार्थ:- कर्मद्रव्यं पश्यन् लोकपल्योपमयोः पृथक् पृथक् संख्येयान् भागान् जानीते, 'लोके' इति चतुर्दशरज्ज्वात्मकलोकविषयेऽवधौ क्षेत्रतः कालतः स्तोकैन्यूनं 10 पल्योपमं प्रमेयत्वेन बोद्धव्यं इति वर्त्तते, इदमत्र हृदयं समस्तं लोकं पश्यन् क्षेत्रतः कालतः देशोनं पल्योपमं पश्यति, द्रव्योपैनिबन्धनक्षेत्रकालाधिकारे प्रक्रान्ते केवलयोर्लोकपल्योपमक्षेत्रकालयोर्ग्रहणं अनर्थकमिति चेत्, न, इहापि सामर्थ्यप्रापितत्वाद् द्रव्योपनिबन्धनस्यै, હવે તે બેનો જ દ્રવ્ય સાથે સંબંધ બતાવતા કહે છે. ગાથાર્થ : અવધિજ્ઞાનમાં મનોદ્રવ્યને જોનાર વ્યક્તિ (ક્ષેત્રથી) લોકનો અને (કાળથી) 15 પલ્યોયમનો સંખ્યાતમો ભાગ જુએ તથા કર્મદ્રવ્યોને જોનાર લોકના અને પલ્યોપમના સંખ્યાતમાં ભાગોને જુએ છે. લોકને જોનાર વ્યક્તિ કાળથી કંઈકન્સૂન પલ્યોપમને જુએ છે. ટીકાર્ય : જે ગણી શકાય તે સંધ્યેય કહેવાય છે, મનસંબંધિ અથવા મનને યોગ્ય જે દ્રવ્ય તે મનોદ્રવ્ય, તેને વિષે અર્થાત્ મનોદ્રવ્યને જાણનાર અવધિ હોય ત્યારે ક્ષેત્રથી લોકનો સંખ્યાતો ભાગ અને કાળથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ વિષય તરીકે હોય છે અર્થાત્ મનોદ્રવ્યને 20 જોનાર અવધિજ્ઞાની ક્ષેત્રથી લોકનો સં.મો ભાગ, કાળથી પલ્યોપમનો સં.મો ભાગ જુએ છે, તથા સંખ્યાતા લોકપલ્યોપમના ભાગો કર્મદ્રવ્યને જાણનાર અવિધ હોય ત્યારે વિષય તરીકે જાણવા. અહીં ભાવાર્થ એ છે કે કાર્મણદ્રવ્યોને જોનાર અવધિજ્ઞાની ક્ષેત્રથી લોકના સંખ્યાતાભાગોને અને કાળથી પલ્યોપમના સંખ્યાતાભાગોને જાણે છે. ચતુર્દશરવાત્મક લોકને જોનાર કાળથી કંઈક ન્યૂન પલ્યોપમને જુએ છે.અહીં આશય એ છે કે ક્ષેત્રથી સમસ્ત લોકને જોનાર કાળથી ઉન 25 પલ્યોપમને જુએ છે. શંકા : અહીં છેલ્લે માત્ર ક્ષેત્ર અને કાળનું જ કેમ ગ્રહણ કર્યું, દ્રવ્યનું ગ્રહણ કેમ ન કર્યું? પ્રસ્તુત ગાથા નં. ૪૨ તો દ્રવ્યો સાથે ક્ષેત્ર, કાળનો સંબંધ બતાવનારી છે. જ્યારે તમે દ્રવ્યનો સંબંધ તો જણાવ્યો જ નહીં. सह परस्परोपनिबन्धमुपदर्शयन्नाह ૧૦૭ - ૧૫. પરિાતા તથાત્વન । ૧૬. આાગસ્થિત । ૧૭. પૂર્વ ક્ષેત્રાલયોવૃદ્ધિવ્યાપ્તિશિતા પરં દ્રવ્યેળ તાં 30 दर्शनाय प्रक्रान्तं प्रकरणं । ९८. द्रव्यव्याप्तेः, क्षेत्रकालवृद्धौ द्रव्याणां अवश्यं वृद्धेः सामर्थ्यप्रापणं, काले चह वुड्ढीत्यनेन निर्णीता च सा प्राक् । * नास्तीदम् ३ । स्तोकान्यूनं १-५-६ + पनिबन्धेन ५-६ । Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) अत एव च तदुपर्यपि ध्रुववर्गणादि द्रव्यं पश्यतः क्षेत्रकालवृद्धिरनुमेयेति गाथार्थः ॥४२॥ तेयाकम्मसरीरे, तेआदव्वे अ भासदव्वे अ । बोद्धव्वमसंखिज्जा, दीवसमुद्दा य कालो अ ॥४३॥ व्याख्या तेजोमयं तैजसं, शरीरशब्दः प्रत्येकमभिसंबध्यते, 'तैजसशरीरे' तैजसशरीर5 विषयेऽवधौ क्षेत्रतोऽसंख्येया द्वीपसमुद्राः प्रमेयत्वेन बोद्धव्या इति, कालश्च असंख्येय एव, मिथ्यादर्शनादिभिः क्रियत इति कर्म-ज्ञानावरणीयादि तेन निर्वृत्तं तन्मयं वा कार्मणं, शीर्यते इति शरीरं, कार्मणं च तच्छरीरं चेति विग्रहः तस्मिन्नपि तैजसवद्वक्तव्यं, एवं तैजसद्रव्यविषये चावधौ भाषाद्रव्यविषये च क्षेत्रतो 'बोद्धव्या' विज्ञेयाः, संख्यायन्त इति संख्येया न संख्येया असंख्येयाः, द्वीपाश्च समुद्राश्च द्वीपसमुद्राः, प्रमेयत्वेनेति, कालश्चासंख्येय एव, स च पल्योपमा'10 संख्येयभागसमुदायमानो विज्ञेय इति, (ग्रन्थाग्रम् १०००) अत्र चासंख्येयत्वे सत्यपि यथायोगं સમાધાન : દ્રવ્યનો સંબંધ અહીં સામર્થ્યથી = અર્થપત્તિથી પ્રાપ્ત થઈ જ જાય છે, કારણ કે પૂર્વે અમે કહી ગયા કે ક્ષેત્ર-કાળની વૃદ્ધિ થાય ત્યારે દ્રવ્યની વૃદ્ધિ નિયમથી થઈ જ જાય છે તેથી ક્ષેત્રથી લોકને જોનાર કાળથી ઉન પલ્યોપમને અને દ્રવ્યથી કામણદ્રવ્યથી અધિક જુએ છે એમ જાણી લેવું.) આથી જ = સામર્થ્યથી દ્રવ્યની વૃદ્ધિ જણાઈ જતી હોવાથી જ કાર્પણ પછી 15 પણ ધ્રુવવર્ગણાદિને જોનારની ક્ષેત્રકાળવૃદ્ધિ અનુમાન કરવા યોગ્ય છે. I૪રા ગાથાર્થ : તેજસ-કાશ્મણશરીર, તેજસ અને ભાષા દ્રવ્યોને જોનાર અસંખ્ય દ્વીપસમુદ્રો અને અસંખ્યય કાળ જુએ છે. ટીકાર્ય : તેજમાંથી બનેલું હોય તે તૈજસ, શરીર શબ્દ બંને શબ્દો સાથે જોડવો જેથી તૈજસશરીર અને કાર્મણશરીરને જોનાર અવધિજ્ઞાની ક્ષેત્રથી અસંખ્યય દ્વીપસમુદ્રો તથા કાળથી 20 અસંખ્યય કાળ જુએ છે. કાશ્મણશરીર શબ્દનો સમાસવિગ્રહ કરે છે – મિથ્યાદર્શનાદિવડે જે કરાય તે કર્મ – જ્ઞાનાવરણીયાદિ, તેનાવડે બનેલું હોય અથવા જ્ઞાનાવરણીયાદિ. કર્મમય જે હોય તે કાર્મણ કહેવાય. જે નાશ પામે તે શરીર, કામણ એવું જે શરીર તે કાર્મણ શરીર. આ કામણશરીર તથા તેજસ અને ભાષા દ્રવ્યોને જોનાર વ્યક્તિનો પણ ઉપર પ્રમાણે જ અવધિનો વિષય જાણવો. અહીં કાળ તરીકે પલ્યોપમનો અસંખ્ય ભાગ જાણવો. તથા અસંખ્યત્વ સરખુ 25 હોવા છતાં યથાયોગ્ય દ્વીપાદિનું અલ્પબહુત સૂક્ષ્મતર દ્રવ્યદ્વારા જાણવું (અર્થાત્ તૈજસશરીરથી કાર્મણશરીર સૂક્ષ્મ હોવાથી કાર્યણશરીરને જોનાર વ્યક્તિને તૈજસશરીરને જોનાર વ્યક્તિ કરતા દ્વીપ, સમુદ્ર અને કાળનું અસંખ્યયપણું કંઈક અધિક જાણવું. કાર્મણશરીર કરતા તૈજસદ્રવ્યો સૂક્ષ્મ હોવાથી તેને જોનારનું અસંખ્યયપણું અધિક જાણવું. તૈજસદ્રવ્યો કરતા ભાષાદ્રવ્યો વધુ સૂક્ષ્મ હોવાથી ભાષાદ્રવ્યોને જોનારનું અસંખ્યયપણું અધિક જાણવું.) 30 ९९. सामर्थ्यप्रापितत्वात्, द्रव्यपरिच्छेदवृद्धेः क्षेत्रकालवृद्धिनियमः, सफलं च त्रयोपनिबन्धप्रकरण મેવું. ૨. વતિ વિશેષોડવંધ્યેયાતો પત્ર વાદ્યવેત્યાત્રિકા + પલ્યોપમનં. ૪ ૫ (H) મલધારીય હેમચન્દ્રસૂરિજીની ટિપ્પણીમાં આ પદાર્થ જણાવેલ છે. તે ટિપ્પણી પરિશિષ્ટ નં. ૧માં આપેલી છે. - Page #132 -------------------------------------------------------------------------- ________________ પૂર્વપક્ષના મતે જઘન્યાવધિના ક્ષેત્રકાળમાનની અઘટમાનતા (નિ. ૪૩) ની ૧૦૯ द्वीपाद्यल्पबहुत्वं सूक्ष्मेतरद्रव्यद्वारेण विज्ञेय मिति । आह-एवं सति 'तेयाभासादव्वाण अन्तरा एत्थ लहइ पठ्ठवओ' (गाथा ३८) इत्याद्युक्तं तस्य च तैजसभाषान्तरालद्रव्यदर्शिनोऽप्यङ्गलावलिकाऽसंख्येयभागादि क्षेत्रकालप्रमाणमुक्तं तद्विरुध्यते, तैजसभाषाद्रव्ययोरसंख्येयक्षेत्रकालाभिधानात्, न, प्रारम्भकस्योभयायोग्यद्रव्यग्रहणात्, द्रव्याणां च विचित्रपरिणामत्वाद् यथोक्तं क्षेत्रकालप्रमाणमविरुद्धमेव, अल्पद्रव्याणि वाऽधिकृत्य तदुक्तं, 5 प्रचुरतैजसभाषाद्रव्याणि पुनरङ्गीकृत्येदं, अलं विस्तरेणेति गाथार्थः ॥४३॥ आह-जघन्यावधिप्रमेयं प्रतिपादयता गुरुलघु अगुरुलघु वा द्रव्यं पश्यतीत्युक्तं, न सर्वमेव, विमध्यमावधिप्रमेयमपि चाङ्गलावलिकासंख्येयभागाद्यभिधानात् न सर्वद्रव्यरूपं, શંકા : ગા.નં. ૩૮ માં તૈજસભાષાદ્રવ્યો વચ્ચેના દ્રવ્યોને જોનારને ક્ષેત્ર, કાળથી અંગુલઆવલિકાના અસંખ્યયભાગાદિ રૂપ પ્રમાણ બતાવ્યું. જ્યારે આ ગાથામાં તૈજસભાષાદ્રવ્યોને 10 જોનાર માટે અસંખ્યય કાળ, ક્ષેત્રનું તમે કથન કરો છો તો આ પ્રત્યક્ષ વિરોધ આવે છે, કારણ કે તૈજસદ્રવ્યોને જોનાર માટે અસંખ્યય કાળ, ક્ષેત્ર કહ્યા, તો તૈજસ, ભાષા વચ્ચે રહેલા દ્રવ્યો તો તૈજસદ્રવ્યો પછી આવેલા હોવાથી સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ હોવાથી તેના ક્ષેત્ર, કાળથી વૃદ્ધિ તૈજસદ્રવ્યોને જોનાર વ્યક્તિના ક્ષેત્ર, કાળથી વધુ હોવી જોઈએ. સમાધાન : આમાં કોઈ દોષ નથી કારણ કે ગાથા નં. ૩૮માં બતાવેલ વિષય પ્રારંભક 15 અવધિનો છે કે જે તૈજસ – ભાષાને અયોગ્ય દ્રવ્યોને જ જોઈ શકે છે. આનું કારણ પણ એ છે કે દ્રવ્યોની શક્તિ વિચિત્ર પરિણામવાળી હોય છે. તેથી જેનું જે કાળમાન બતાવ્યું છે તે સર્વ યોગ્ય જ છે. અથવા પૂર્વે અલ્પદ્રવ્યોને આશ્રયી અંગુલ–આવલિકાસંખ્યયભાગાદિ ક્ષેત્ર-કાળ પ્રમાણ કહ્યું. જ્યારે અહીં પ્રચુર તૈજસ–ભાષાદ્રવ્યોને આશ્રયી કાળમાન બતાવ્યું છે (અર્થાત્ અલ્પતૈજસ-ભાષાદ્રવ્યોને ગ્રહણ કરવાની શક્તિવાળા જીવનું અંગુલઅસં. ભાગરૂપ ક્ષેત્ર-કાળનું 20 પ્રમાણ જાણવું. તથા પ્રચુર તૈજસ-ભાષાદ્રવ્યોને ગ્રહણ કરવાની શક્તિવાળા જીવનું અસંખ્યય કાળ–ક્ષેત્ર પ્રમાણ જાણવું.) તેથી કંઇ વિરોધ નથી. વધુ વિસ્તારથી સર્યું. II૪all અવતરણિકા : શંકા : જઘન્યાવધિના વિષયનું પ્રતિપાદન કરતા ગ્રંથકારશ્રી વડે “ગુરુલઘુ અથવા અગુરુલઘુ દ્રવ્યને જુએ છે” એ પ્રમાણે કહ્યું, પણ સર્વ રૂપીદ્રવ્યોને જોતો નથી. (કહેવાનો આશય એ છે કે જઘન્યાવધિના વિષય તરીકે અમુક દ્રવ્ય બતાવ્યું.) એમ વિમધ્યમાવધિના વિષય 25 તરીકે અંગુલાવલિકાસંખ્યયભાગાદિનું કથન કરેલ હોવાથી અમુક દ્રવ્ય જ વિષય તરીકે બતાવ્યું કારણ કે મધ્યમાવધિમાં પણ તત્રસ્થ=અંગુલાવલિકાના અસંખ્યયભાગાદિમાં રહેલા २. तैजसद्रव्येभ्यः कार्मणानि सूक्ष्माणि, अबद्धेभ्यस्तैजसकार्मणेभ्यो बद्धानि स्थूलानि ततः पृथग् वचनं । ३. तथा च नासंख्यक्षेत्रकालपरिच्छेदप्रसङ्गः । ४. सूक्ष्मेतरद्वारेण प्रसङ्गापादने आह-द्रव्येत्यादि, उभयायोग्यद्रव्येभ्यः तैजसभाषाद्रव्याणां यथायथं सूक्ष्मस्थूलत्वात् वैचित्र्यपर्यन्तानुधावनम् । 30 ५. परिस्थूरन्यायात्काले चतुर्णा वृद्धिरित्युक्तेश्च व्याघातापत्तावाह-अल्पेत्यादि, तथा च स्तोकन्यूनतेजोभाषाद्रव्यग्रहणशक्तावेतावत्कालपरिज्ञानमिति तत्त्वं रूपिद्रव्यं । ६. प्रमेयं । Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति सभाषांतर ( भाग - १ ) तत्रस्थानामेव दर्शनात्, अत उत्कृष्टावधेरपि किमसर्वद्रव्यरूपमेवालम्बनं आहोस्विन्नेति, इत्र्त्यत्रोच्यतेएगपएसोगाढं परमोही लहइ कम्मगसरीरं । लहइ य अगुरुयलघु अं, तेयसरीरे भवपुहुत्तं ॥४४॥ व्याख्या-प्रकृष्टो देशः प्रदेश: एकश्चासौ प्रदेशश्चैकप्रदेशः तस्मिन् अवगाढं, अवगाढमिति 5 व्यवस्थितं, एकप्रदेशावगाढं परमाणुद्व्यणुकादि द्रव्यं, परमश्चासाववधिश्च परमावधि: उत्कृष्टावधिरित्यर्थः, 'लभते' पश्यति, अवध्यवधिमतोरभेदोपचारादवधिः पश्यतीत्युक्तं, तथा कार्मणशरीरं च लभते, आह- परमाणुद्व्यणुकादि द्रव्यमनुक्तं कथं गम्यते तदालम्बनत्वेनेति, ततश्चोपात्तमेव कार्मणमिदं भविष्यति, न, तस्यैकप्रदेशावगाहित्वानुपपत्तेः, 'लभते चागुरुलघु' चशब्दात् गुरुलघु, जात्यपेक्षं चैकवचनं, अन्यथा हि सर्वाणिं सर्वप्रदेशावगाढा द्रव्य 10 રૂપીદ્રવ્યોનું જ દર્શન થાય છે. તો આ જઘન્ય–મધ્યમાવધિની જેમ ઉત્કૃષ્ટાધિમાં પણ અમુક રૂપીદ્રવ્યો જ આલંબનરૂપ છે કે સર્વદ્રવ્યો વિષય બને છે ? આવી શંકા સામે સમાધાન આપે છે : ગાથાર્થ એકપ્રદેશમાં રહેલ દ્રવ્યને, કાર્પણશરીરને તથા અગુરુલઘુ દ્રવ્યોને પરમાધિ જુએ છે. તૈજસશરીરને જોનાર ૨ થી ૯ ભવોને જુએ છે. ટીકાર્થ : પ્રકૃષ્ટ=સૌથી નાનામાં નાનો એવો જે ભાગ તે પ્રદેશ. એવા એક પ્રદેશમાં રહેલ પરમાણુ ચણુકાદિ દ્રવ્યને પરમાધિ = ઉત્કૃષ્ટાવિંધે જુએ છે. ખરેખર તો ‘અવિધવાળો વ્યક્તિ જુએ છે.' એવું કહેવાના બદલે ‘અવિધ જુએ છે.' એવું જે કહ્યું તે અવિધ અવધિવાળાનો અભેદ ઉપચાર કરી કહેલું છે. અને કાર્યણશરીરને જુએ છે, અર્થાત્ ઉત્કૃષ્ટાવધિવાળી વ્યક્તિ એકપ્રદેશમાં રહેલ દ્રવ્ય અને કાર્યણશરીરને જુએ છે. શંકા : મૂળગાથામાં પરમાણુ–ચણુકાદિ દ્રવ્ય લખ્યું નથી છતાં તેને જુએ છે એવું કેવી રીતે કહેવાય ? તેથી ગાથામાં ગ્રહણ કરેલ ‘એકપ્રદેશાવગાઢ' વિશેષણ કાર્મણશરીરનું જ સમજવું જોઈએ. સમાધાન : એ યોગ્ય નથી કારણ કે કાર્મણશરીર એક પ્રદેશને અવગાહીનેં રહી શકે નહીં (કારણ કે તેની જઘન્ય અવગાહના પણ અસંખ્યપ્રદેશની છે. તેથી “એકપ્રદેશાવગાઢ” શબ્દથી પરમાણુ વગેરે દ્રવ્ય કહ્યા એ ઉચિત જ છે.) તથા અગુરુલઘુ અને “ચ” શબ્દથી ગુરુલઘુ દ્રવ્યને 25 જુએ છે. મૂળગાથામાં સર્વત્ર એકવચન જે કર્યું છે તે જાતિની અપેક્ષાએ જાણવું. અન્યથા હિ = 15 • 20 ७. असंख्यातद्वीपोदधिसकललोकेऽप्यवधौ तत्रस्थितानां रूपिणां दर्शनात् । ८. सामस्त्येन, अन्यथाधिक प्रदेशावगाढानामप्येकावगाहनाऽस्त्येव । ९. आकाशप्रदेशेषु हि स्वभाव एष यद् यावदनन्ताणुकोऽपि स्कन्धोऽन्ये च तत्र मान्ति स्कन्धाः । १०. आपेक्षिकपरमत्वव्यवच्छेदाय, जघन्यस्यापि लघ्वपेक्षया परमत्वाद्वृद्ध्यपेक्षया परमत्वदर्शनाय । ११. एकप्रदेशावगाढद्रव्यदर्शनसमुच्चयाय । १२30 जीवेन परिणामिताः कर्मवर्गणापुद्गलाः नासंख्येयानन्तरेण प्रदेशान्, जीवावगाहाभावात् इत्येकप्रदेशावगाढा: । १३. अगुरुलघुदर्शनेऽपि गुरुलघुदर्शननियमाभावात् चशब्देनाक्षेपः । १४. 'जातिश्च पुगललक्षणा,. कार्मणान्तामभिहितत्वात्' ध्रुववर्गणादिकागुरुलघुद्रव्यापेक्षयेत्यर्थः । १५. धर्माधर्माकाशजीवानामपि अगुरुलघुत्वात् । + अत्रोच्यते २-४ । अगुरुलहुअं १-३ । Page #134 -------------------------------------------------------------------------- ________________ સર્વ રૂપીદ્રવ્યો પરમાવધિમાં દેખાય છે (નિ. ૪૪) ૧૧૧ पश्यतीत्युक्तं भवति, तथा तैजसशरीरद्रव्यविषये अवधौ कालतो भवपृथक्त्वं परिच्छेद्यतयाऽवगन्तव्यमिति, एतदुक्तं भवति-यस्तैजसशरीरं पश्यति स कालतो भवपृथक्त्वं पश्यति इति, इह च य एव हि प्राक् तैजसं पश्यतः असंख्येयः काल उक्तः, स एव भवपृथक्त्वेन विशेष्यत इति । आह-नन्वेकप्रदेशावगाढस्यातिसूक्ष्मत्वात् तस्य च परिच्छेद्यतयाऽभिहितत्वात् कार्मणशरीरादीनामपि दर्शनं गम्यत एवेत्यतः तदुपन्यासवैयर्थ्य, तथैकप्रदेशावगाढमित्यपि न 5 वक्तव्यं, 'रूवगयं लभइ सव्वं' इत्यस्य वक्ष्यमाणत्वादिति, अत्रोच्यते, न सूक्ष्मं पश्यतीति नियमतो बादरमपि द्रष्टव्यं, बादरं वा पश्यता सूक्ष्ममिति, यस्मादुत्पत्तौ अगुरुलघु पश्यन्नपि न गुरुलघु उपलभंते, घटादि वा अतिस्थूरमपि, तथा मनोद्रव्यविदस्तेष्वेवं दर्शनं नान्येष्वतिस्थूरेष्वपि, બાકી તો સર્વ પ્રદેશોમાં રહેલા સર્વ પ્રદેશોને જુએ છે એ પ્રમાણે અર્થ જાણવો. ભાવાર્થ : મૂળગાથામાં ‘એકપ્રદેશાવગાઢ, કાર્મણશરીર, અગુરુલઘુ અહીં સર્વત્ર એકવચન 10 કર્યું છે. તેથી સીધેસીધો અર્થ એ જ થાય કે પરમાવધિવાળો જીવ એકપ્રદેશમાં રહેલ દ્રવ્યને, કામગશરીરને. અને અગુરુલઘુદ્રવ્યને જુએ છે, જો આ રીતે સીધેસીધો અર્થ કરીએ તો આગમવિરોધ આવે, કારણ કે પરમાવધિ સર્વપ્રદેશાવગાઢ સર્વદ્રવ્યોને એટલે કે એક પ્રદેશમાં રહેલા સર્વ દ્રવ્યો, બે પ્રદેશમાં રહેલા સર્વદ્રવ્યો, ત્રણ પ્રદેશમાં રહેલા સર્વદ્રવ્યો, એમ યાવત અનંતપ્રદેશમાં રહેલા સર્વદ્રવ્યોને જુએ છે. તેથી આવો વિરોધ ન આવે, અને તે તે શબ્દોથી સર્વદ્રવ્યો ગ્રહણ 15 થઈ જાય તે મ ટે ટીકાકારે ખુલાસો કર્યો કે અહીં સર્વત્ર જાતિની અપેક્ષાએ એકવચન જાણવું. તેથી સર્વ પ્રદેશ- રહેલા સર્વદ્રવ્યો, સર્વ કાર્મણશરીરો, અગુરુલઘુ શબ્દથી સર્વ અગુરુલઘુ દ્રવ્યો અને ગુરુલઘુ શબ્દથી સર્વ ગુરુલઘુ દ્રવ્યો જાણી લેવા.) તથા તેજસશરીરને જોનાર કાળથી ર થી ૯ ભવો જુએ છે. આ ગ્રંથમાં પૂર્વે “તૈજસને જોનાર અસંખ્યય કાળ જુએ છે” એવું જે કહ્યું, તે કાળ જ વિશેપથી ભવપૃથકત્વ શબ્દથી જાણવો. 20 શંકા : એક પ્રદેશમાં રહેલ દ્રવ્ય અતિસૂક્ષ્મ હોય છે અને તે દ્રવ્યને જોનાર વ્યક્તિ કાર્પણ ‘શરીરને પણ જોઈ જ શકે છે. (કારણ કે કાર્મણશરીર તો તેનાથી સ્થૂલ છે, અસં.પ્રદેશમાં રહે છે) તેથી કાણશરીરનો ઉપન્યાસ એ નિરર્થક છે. વળી એક પ્રદેશાવગાઢ ને જુએ છે એવું પણ કહેવાની જરૂર નથી કારણ કે “રૂપી એવા સર્વદ્રવ્યોને જુએ છે” એવું આગળની ગાથા નં ૪૫માં જ બતાવવાના હોવાથી એક પ્રદેશોવગાઢ દ્રવ્યનું પણ એ શબ્દોથી ગ્રહણ થઈ જ જાય છે. 25 સમાધાન : તમારી વાત યોગ્ય નથી કારણ કે સૂક્ષ્મને જોનાર બાદરને જુએ જ કે બાદર જોનારને સન્મ દેખાય જ એવો કોઈ નિયમ નથી કારણ કે અવધિની ઉત્પત્તિ વખતે અર્થાત અવધિજ્ઞાનની શરૂઆતમાં અગુરુલઘુદ્રવ્યને (સૂક્ષ્મને) જોનાર ગુરુલઘુ (બાદર) દ્રવ્યને પણ જુએ છે જ એવું નથી કે અતિસ્થળ એવા ઘટાદિને જુએ છે એવું પણ નથી. તથા મનોદ્રવ્યને જોનાર (મન:પર્યાયજ્ઞાની) માત્ર મનોદ્રવ્યને જ જુએ છે, ઘટાદિ બાદરવસ્તુને જોતા નથી. આમ જ્ઞાનના 30 ૨૬. પત્યોપમા ધ્યેયમારૂ: I ૨૭. પૂત્રવત્ ! ૨૮. તન થાય . ૨૨. પુરુથ્વીમાપેક્ષા ! ૨૦. ઘટીનાં ગુરુનયુવપિ: 1 ૨૧. મનોદ્રવ્યપુ ! ૨૨. જ્ઞાન Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ન આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एवं विज्ञानविषयवैचित्र्यसंभवे सति संशयापनोदार्थमेकप्रदेशावगाहिग्रहणे सत्यपि शेषविशेषोपदर्शनमदोषायैवेति । अथवा एकप्रदेशावगाहिग्रहणात् परमाण्वादिग्रहण कार्मणं यावत्, तदुत्तरेषां चागुरुलघ्वभिधानात्, चशब्दात् गुरुलघूनां चौदारिकादीनोमित्येवं सर्वपुद्गलविशेषविषयत्वमाविष्कृतं भवति, तथा चास्यैव नियमार्थं 'रूपगतं लभते सर्वं' इत्येतद् वक्ष्यमाणलक्षणम5 दुष्टमेवेति, एतदेव हि सर्वं रूपगतं, नान्यद् इति, अलं प्रसङ्गेनेति गाथार्थः ॥४४॥ एवं परमावधेर्द्रव्यमङ्गीकृत्य विषय उक्तः, साम्प्रतं क्षेत्रकालावधिकृत्योपदर्शयन्नाह परमोहि असंखिज्जा, लोगमित्ता समा असंखिज्जा। रूवगयं लहइ सव्वं, खित्तोवमिअं अगणिजीवा ॥४५॥ व्याख्या- परमश्चासाववधिश्च परमावधिः, अवध्यवधिमतोरभेदोपचाराद् असौ परमावधिः 10 વિષયોની વિચિત્રતાનો સંભવ હોવાથી કોઈને (એકપ્રદેશાવગાઢને જે જુએ છે તે કાર્યણશરીર, જુએ કે નહીં ? એવી) શંકા ન રહે તે માટે એકપ્રદેશાવગાહીનું ગ્રહણ કરવા છતાં કાર્મણાદિશેષ વિષયોનું ઉપદર્શન દોષ માટે નથી. અથવા “એકપ્રદેશાવગાઢ' શબ્દથી પરમાણુ વગેરે દ્રવ્યોનું ગ્રહણ, ‘કાશ્મણશરીર’ શબ્દથી કર્મવર્ગણા સુધીનું ગ્રહણ અને કર્મવર્ગણા પછીથી લઈ અચિત્ત મહાસ્કન્ધ સુધી સર્વનું “અગુરુલઘુ 15 શબ્દથી ગ્રહણ કરેલ છે. તથા “ચ” શબ્દથી ઔદારિકાદિ ગુરુલઘુ દ્રવ્યોનું ગ્રહણ કરેલ છે. આમ સર્વપુદ્ગલપ્રકારો અવધિના વિષય બને એ જણાય છે. અને આ વિષયોનું જ નિયમન કરવા માટે “રૂપી એવા સર્વદ્રવ્યોને જુએ છે એ પ્રમાણે આગળગાથામાં કહેલું અદુષ્ટ છે. (કહેવાનો આશય એ છે કે અવધિજ્ઞાનમાં જીવો આટલી–આટલી વસ્તુઓને જુએ છે એવું જાણ્યા પછી નક્કી થાય છે કે ઉત્કૃષ્ટાવધિમાં જીવો સર્વ રૂપીદ્રવ્યોને જુએ છે. આમ 20 આગળની ગાથામાં કહેલ વચન વસ્તુના નિયમ માટે નક્કી કરવા માટે) હોવાથી અદુષ્ટ છે) કારણ કે ૪૪મી ગાથામાં કહેલા એકપ્રદેશાવગાઢાદિ સર્વદ્રવ્યો રૂપી છે. આ સિવાય કોઈ રૂપીદ્રવ્ય નથી. એટલે સર્વ રૂપીદ્રવ્યોને જુએ છે એમ કહ્યું છે. વધુ ચર્ચાથી સર્યું. Al૪૪ll અવતરણિકા : આ પ્રમાણે પરમાવધિનો દ્રવ્યને આશ્રયી વિષય કહ્યો. હવે ક્ષેત્ર-કાળને આશ્રયી કહે છે કે, 25 ગાથાર્થ : પરમાવધિ ક્ષેત્રથી લોકપ્રમાણ અસંખ્યય ખંડોને, કાળથી અસંખ્ય ઉત્સર્પિણી– અવસર્પિણીને, અને દ્રવ્યથી સર્વ રૂપીદ્રવ્યોને જુએ છે. તેમાં ક્ષેત્રનું પ્રમાણ અગ્નિકાયના જીવો વડે જાણવું. ટીકાર્થ : પરમ એવો જે અવધિ તે પરમાવધિ, અવધિ–અવધિવાળાનો અભેદ ઉપચાર કરવાથી પરમાવધિ શબ્દથી પરમાવધિવાળો જ્ઞાની જાણવો. આવો તે જ્ઞાની ક્ષેત્રથી અસંખ્ય 30 ૨૩. દ્વિતીયપ્રનસમાથાનાય . ૨૪. vi . ર. ગાદ્રિના વૈશ્વિયાહારતૈનસદ: . ર૬. વિશેષ भेदाः प्रकाराः । २७. पूर्वगाथादर्शितमेकप्रदेशावगाढादि । Page #136 -------------------------------------------------------------------------- ________________ પરમાવધિના ક્ષેત્ર-કાલનું પ્રમાણ (નિ. ૪૫) કે ૧૧૩ क्षेत्रतः 'असंख्येयानि लोकमात्राणि, खण्डानीति गम्यते, लभत इति संबन्धः, कालतस्तु ‘समाः' उत्सर्पिण्यवसर्पिणीरसंख्येया एव लभते, तथा द्रव्यतो 'रू पगतं' मूर्त्तद्रव्यजातमित्यर्थः, 'लभते' पश्यति 'सर्वं' परमाण्वादिभेदभिन्नं पुद्गलास्तिकायमेवेति, भावतस्तु वक्ष्यमाणाँस्तत्पर्यायान् इति । यदुक्तं 'असंख्येयानि लोकमात्राणि खण्डानि परमावधिः पश्यतीति' तत्क्षेत्रनियमनायाह - उपमानं उपमितं, भावे निष्ठाप्रत्ययः, क्षेत्रस्योपमितं क्षेत्रोपमितं, एतदुक्तं भवति- 5 उत्कृष्टावधिक्षेत्रोपमानं, 'अग्निजीवाः' प्रागभिहिता एवेति, आह - 'रूपगतं लभते सर्व' इत्येतदनन्तरगाथायामर्थतोऽभिहितत्वात् किमर्थं पुनरुक्तमिति, अत्रोच्यते, उक्तः परिहारः, अथवा अनन्तरगाथायां 'एकप्रदेशावगाढं' इत्यादि परमावधेव्यपरिमाणमुक्तं, इह तु 'रुपगतं लभते सर्वं' इति क्षेत्रकालद्वयविशेषणं, एतदुक्तं भवति-रुपिद्रव्यानुगतं लोकमात्रासंख्येयखण्डोत्सर्पिण्यवसर्पिणी लक्षणं क्षेत्रकालद्वयं लभते, न केवलं, अरुपित्वात्तस्यै, रुपिद्रव्यनिबन्धनत्वाच्चावधि- 10 ज्ञानस्येति गाथार्थः ॥४५॥ લોકપ્રમાણ ખંડોને જુએ છે. અહીં “ખંડોને” શબ્દ અધ્યાહારથી જાણી લેવો તથા “જુએ છે” શબ્દ ગાથાના ઉત્તરાર્ધમાંથી લાવીને અહીં જોડવો. કાળથી અસંખ્ય ઉત્સર્પિણી–અવસર્પિણીને જુએ છે. તથા દ્રવ્યથી રૂપીદ્રવ્યને અર્થાત્ પરમાણુ વગેરે ભેદોવાળા સર્વ પુદ્ગલાસ્તિકાયને અને ભાવથી આગળ કહેવાતા પુદગલાસ્તિકાયના પર્યાયોને જુએ છે. પૂર્વે કહ્યું કે “અસંખ્યલોકપ્રમાણ 15. ખંડોને જુએ છે” તો તે ક્ષેત્ર કેટલું થાય તેનું ચોક્કસ માપદંડ કાઢવા કહે છે કે – ઉપમાન = ઉપમા, તે ઉપમા પોતે જ ઉપમિત, અહીં સ્વાર્થમાં તલકૂત) પ્રત્યય લાગેલ છે. ક્ષેત્રની ઉપમા તે ક્ષેત્રોમમિત, અર્થાત્ ઉત્કૃષ્ટાવધિના ક્ષેત્રની ઉપમા તરીકે અગ્નિકાયના જીવો જાણવા. (અગ્નિકાયના જીવોની સૂચિવડે જેટલું ક્ષેત્ર મપાયું, તેટલા ક્ષેત્રને જુએ છે.) શંકા : “સર્વ રૂપીદ્રવ્યોને જુએ છે' આ વાત પૂર્વની ગાથામાં અર્થથી બતાવી જ ગયા છે 20 તો શા માટે અહીં પુનઃ બતાવો છો ? સમાધાન : આનો ઉત્તર અને પૂર્વગાથામાં જ આપી દીધો છે કે નિયમન કરવા બતાવેલ છે. અથવા પૂર્વગાથામાં એકપ્રદેશાવગાઢ વગેરે કહેવા દ્વારા પરમાવધિનું દ્રવ્યપ્રમાણ બતાવ્યું, જ્યારે અહીં ‘સર્વ રૂપીદ્રવ્યોને જુએ છે' આ વિશેષણ ક્ષેત્ર–કાળનું જાણવું અર્થાત્ રૂપીદ્રવ્યોથી યુક્ત એવા લોકપ્રમાણ અસંખેય ખંડોને તથા ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ કાળને જુએ છે નહીં કે એકલા ક્ષેત્ર, 25 કાળને જુએ, કારણ કે તે ક્ષેત્ર, કાળ અરૂપી છે અને અવધિજ્ઞાન રૂપીદ્રવ્યોને જ જોનાર છે (અહીં ધ્યાન રાખવું કે “રૂપીદ્રવ્યોથી યુક્ત એવા અસંખ્યલોકપ્રમાણ ખંડોને જુએ છે” એવું જે કહ્યું તે શક્તિને આશ્રયી કહ્યું છે અર્થાત્ તેટલા ક્ષેત્રમાં જો રૂપીદ્રવ્યો હોય તો તેને જોવાની શક્તિ અવધિજ્ઞાનમાં છે, પરંતુ લોકની બહાર કોઈ રૂપીદ્રવ્યો હોતા નથી.) ૪પા ૨૮. ઉત્તર: ૨૬. નામચિહ્ન રૂપાતમિતિ નિયમનાયેવંરૂપ: 1 રૂ૦. વિનિયમોfધરેવ 30 ज्यायान् इति न्यायमपेक्ष्य विघेर्बलीयस्त्वाख्यानायाह-अथवेत्यादि । ३१. अरूपित्वात् रूपिविषयचावधिरिति च निर्णीतमनेकशः । ३२. क्षेत्रकालद्वयस्य । Page #137 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एवं तावत् पुंरुषानधिकृत्य क्षायोपशमिकः खलु अनेकप्रकारोऽवधिरुक्तः, साम्प्रतं तिरश्चोऽधिकृत्य प्रतिपिपादयिषुराह आहारतेयलंभो, उक्कोसेणं तिरिक्खजोणीसु । गाउय जहण्णमोही, नरएस उ जोक्स ||४६ ॥ ૧૧૪ 5 व्याख्या - तत्राहारतेजोग्रहणाद् औदारिकवैक्रियाहारकतेजोद्रव्याणि गृह्यन्ते, ततश्चाहारश्च तेजश्च आहारतेजसी तयोर्लाभ इति समासः लाभः प्राप्तिः परिच्छित्तिरित्यनर्थान्तरं, इदमत्र हृदयंतिर्यग्योनिषु योनियोनिमतामभेदोपचारात् तिर्यग्योनिकसत्त्वविषयो योऽवधिः तस्य द्रव्यतः खलु आहारतेजोद्रव्यपरिच्छेद उत्कृष्टत उक्तः, इत्थं द्रव्यानुसारेणैव क्षेत्रकालभावाः परिच्छेद्यतया विज्ञेया इति । इदानीं भवप्रत्ययावधिस्वरूपमुच्यते स च सुरनारकाणामेव भवति, तत्र प्रथममल्प 10 રૂતિત્વા નારાળાં પ્રતિપાદ્યત કૃતિ, અત આદ- ક્ષેત્રો ‘બૂત’ પરિધ્ધિત્તિ નપચેનાધિ:, વ ? नरान् कायन्तीति नरकाः, कै गै रै शब्दे इतिधातुपाठात् नरान् शब्दयन्तीत्यर्थः, इह च नरका आश्रयाः, आश्रयाश्रयिणोरभेदोपचारात्, नरकेषु तु योजनमुत्कृष्ट इत्याह, एतदुक्तं અવતરણિકા : આ પ્રમાણે મનુષ્યોને આશ્રયી અનેક પ્રકારનો ક્ષાયોપશમિક અવિધ કહ્યો. હવે તિર્યંચને આશ્રયી જણાવવાનીઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – - 15 ગાથાર્થ : તિર્યંચયોનિમાં ઉત્કૃષ્ટથી આહારક-તૈજસદ્રવ્યોને જુએ છે. નારકમાં જઘન્યાવધિ એક ગાઉ પ્રમાણ અને ઉત્કૃષ્ટાવધિ એક યોજન પ્રમાણ ક્ષેત્રને જુએ છેં. ટીકાર્થ : અહીં આહારક અને તૈજસના ગ્રહણથી ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસદ્રવ્યો જાણવા. આહારક—તેજસનો લાભ, તે આહારકતૈજસલાભ, અહીં લાભ, પ્રાપ્તિ, બૌધ એ બધા સમાનાર્થી શબ્દો જાણવા. તેથી અર્થ આ પ્રમાણે જાણવો → યોનિયોનિવાળાનો અભેદ 20 ઉપચાર કરવાથી “તિર્યંચયોનિમાં” અર્થાત્ તિર્યંચયોનિના જીવોનો અવધિ, તેમાં ઉત્કૃષ્ટથી આહારક, તૈજસદ્રવ્યોનો બોધ થાય છે. (અહીં દ્રવ્યાનુસારે જ ક્ષેત્ર, કાળ અને ભાવ વિષય તરીકે જાણી લેવા, અર્થાત્ મનુષ્યાવધિમાં આટલા દ્રવ્યોને જોનાર જેટલા ક્ષેત્ર, કાળને જુએ છે, તેટલા અહીં પણ સમજી લેવા. પૂર્વે કહ્યું હતું કે કેટલાક અવધિ ભવપ્રત્યયિક છે અને કેટલાક ક્ષાયોપમિક છે. તેમાં ક્ષાયોપશમિક અવધિ બતાવ્યો.) 30 25 હવે ભવપ્રત્યયિક અવધિનું સ્વરૂપ બતાવે છે અને તે ભવપ્રત્યયિક અવધિ દેવ અને નારકોન જ હોય છે. તેમાં અલ્પવકૃતવ્ય હોવાથી પ્રથમ નારકોના અવધિનું પ્રતિપાદન કરે છે – નરકોમાં જઘન્યાવધિ ક્ષેત્રથી એક ગાઉ છે. જે નરોને ાન્તિ = બોલાવે તે નરકો. અહીં કૈ ધાતુનું “જાર્યાન્ત' રૂપ છે. કૈ, ગૈ, હૈ આ ત્રણ ધાતુઓ “બોલાવવું” એવા અર્થમાં વપરાતા હોવાથી જાર્યાન્ત = બોલાવે છે એવો અર્થ થાય છે. નરક એટલે આશ્રયસ્થાનો. આશ્રય અને આશ્રયી એવા જીવોનો અભેદ ३३. मनुष्यान् इत्यर्थः, परमोहिनाणविओ, केवलमंतोमुहुत्तमित्तेणेति (वि. ६८९ ) वचनात् परमावधेरा અન્તર્મુહૂત્તવિજોત્પત્તિ:, વતં ચ નાતાવેવા રૂ૪. ચારિત્રતાવિશુળહેતુત્વાત્ । * ય ૨-૪-૬ । . Page #138 -------------------------------------------------------------------------- ________________ રત્નપ્રભાદિનરકોમાં જઘન્યેતરાવધિપ્રમાણ (નિ. ૪૭) भवतिं - नारकाधारो योऽवधिः असौ उत्कृष्टो योजनं परिच्छिनत्ति क्षेत्रतः, इत्थं क्षेत्रानुसारेण द्रव्यादयस्तु अवसेया इति गाथार्थः ॥ ४६ ॥ एवं नारकजातिमधिकृत्य जघन्येतरभेदोऽवधिः प्रतिपादितः, साम्प्रतं रत्नप्रभादिपृथिव्यपेक्षया उत्कृष्टेतरभेदमभिधित्सुराह चत्तारि गाउयाई, अद्भुट्टाई तिगांउया चेव । + ૧૧૫ - अड्डाइज्जा दुण्णि य, दिवडूमेगं च निसु ॥४७॥ व्याख्या * तत्र नरका इति नारकालयाः, ते च सप्तपृथिव्याधारत्वेन सप्तधा भिद्यन्ते, तत्र रत्नप्रभाद्याधारनरकेषु यथासंख्यमुत्कृष्टेतरभेदभिन्नावधेः क्षेत्रपरिमाणमिदं ‘નવુ' કૃતિ सामर्थ्यात् तन्निवासिनो नारकाः परिगृह्यन्ते तत्र रत्नप्रभाधारनरके उत्कृष्टावधिक्षेत्रं चत्वारि गव्यूतानि, जघन्यावधेरर्धचतुर्थानि, अर्ध चतुर्थस्य येषु तान्यर्धचतुर्थानि एवं शर्कराप्रभाधारनरके 10 परमावधिक्षेत्रमानं अर्धचतुर्थानि इतरावधिक्षेत्रमानं तु त्रिगव्यूतं, त्रीणि गव्यूतानि त्रिगव्यूतं, एवं ઉપચાર કરતા “નરકોમાં'' શબ્દથી નરક જીવોનાં અવધિમાં ઉત્કૃષ્ટથી યોજનપ્રમાણ ક્ષેત્ર દેખાય છે. અહીં ક્ષેત્રાનુસારે દ્રવ્ય-કાળ-ભાવ જાતે જાણી લેવા. ૪૬॥ અવતરણિકા : આમ, નારકજાતિની અપેક્ષાએ જઘન્ય-ઉત્કૃષ્ટાવવિધ બતાવ્યો. હવે રત્નપ્રભાદે પૃથ્વીની અપેક્ષાએ જઘન્ય-ઉત્કૃષ્ટાવવિધ બતાવે છે → 15 ગાથાર્થ : ચાર ગાઉ, સાડાત્રણ ગાઉ, ત્રણ ગાઉ, અઢી ગાઉ, બે ગાઉ, દોઢ ગાઉ અને એક ગાઉ એ પ્રમાણે નરકમાં અવધિનું ક્ષેત્રપ્રમાણ જાણવું. ટીકાર્થ : નરક એટલે નારકજીવાના સ્થાનો અને તે સાતપૃથ્વીઓ આધાર છે જેનો તેવા હોવાથી સાતપ્રકારના છે. (આધારના ભેદથી આધેયનો ભેદ પડવાથી જુદી જુદી સાતપૃથ્વીઓ ઉપર નારકજીવોના સ્થાનો આવેલા હોવાથી આ સ્થાનો સાતપ્રકારે છે) તેમાં રત્નપ્રભાદિ પૃથ્વીઓ 20 એ છે આધાર જેનો એવા આ નરકોમાં ક્રમશઃ ઉત્કૃષ્ટ-જધન્યભેદથી બે પ્રકારે અવધિનું ક્ષેત્રપ્રમાણ આ પ્રમાણે જાણવું. રત્નપ્રભાપૃથ્વીના નરકસ્થાનોમાં ઉત્કૃષ્ટાવધિનું ક્ષેત્રપ્રમાણ ચાર ગાઉ છે. અને જયન્યાવધિ અર્ધચતુર્થ ગાઉ છે. “ચોથાનું અડધું છે જેમાં તે અર્ધચતુર્થ” એ પ્રમાણે શબ્દાર્થ કરવો. (અર્થાત્ સાડાત્રણ ગાઉ.) - 5 શર્કરાપ્રભાના સ્થાનોમાં ઉત્કૃષ્ટથી સાડાત્રણ ગાઉ અને જઘન્યથી ત્રણ ગાઉ ક્ષેત્રપ્રમાણ છે. 25 આમ પૂર્વ પૃથ્વીનું જઘન્ય માપ તે પછીની પૃથ્વીનું ઉત્કૃષ્ટ માપ જાણવું. છેલ્લે મહાતમઃપ્રભા પૃથ્વીના સ્થાનોમાં ઉત્કૃષ્ટથી એક ગાઉ અને જઘન્યથી અર્ધગાઉ જાણવું. ટીકામાં ‘નરપુ’ પદનો અર્થ કરવા સમયે ટીકાકારે ‘રત્નપ્રભાધારનરકમાં' એ પ્રમાણે જે એકવચન કરેલ છે તે જાતિની ३५. आधारभेदादाधेयभेदात् सप्त पृथिव्य आधारो येषां ते तथा तत्त्वेनेति समासः ' ३६. तात्स्थ्यात्तद्व्यपदेश इतिन्यायात् । ३७. व्यधिकरणबहुव्रीहेरपि दर्शनात् अन्यथाऽर्धचत्वारीतिभावात् । 30 ૩૮. ઉત્કૃષ્કૃતિ । રૂ૧. નચેતિ । તિળાયું । + નરભુ ! | અદ્ભુğયારૂં નવાય અન્રાયંતારૂં ! जं गाउअंति भणिअं तंपिअ उक्कोसगजहण्णं ॥ १ ॥ [ भाष्यगाथा व्याख्याता च ] Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શું આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सर्वत्र योज्यं यावन्महातम:प्रभाधारनरके उत्कृष्टावधिक्षेत्रं गव्यूतं, जघन्यावधिक्षेत्रं चार्धगव्यूतमिति, रत्नप्रभाधारनरक इत्यादौ जात्यपेक्षमेकवचनं, 'अनिर्दिष्टस्यापि नवरं पदार्थगमनिका,अर्ध तृतीयस्य अर्धतृतीयानि, द्वे च, अधिकमर्धं यस्मिन् तद् अध्यर्धम् । आह- कुतः पुनरिदं ?, सामान्येन प्रतिपृथिव्याधारनरकं उत्कृष्टमवधिक्षेत्रमुक्तं 'चत्वारि गव्यूतानि' इत्यादि, अर्धगव्यूतोनं जघन्यमित्यवसीयते ? उच्यते, सूत्रात्, तथा चोक्तं - "यणप्यभापुढविनेरझ्याणं भंते ! केवइयं खित्तं ओहिणा जाणंति पासंति ?, गोयमा ! जहणणेणं अद्धवाइं गाउयाई उक्कोसेणं चत्तारि, एवं जाव महातमपुढविनेरझ्याण? गोयमा ! जहण्णेणं अद्धगाउयं उक्कोसेणं गाउयं", आह-यद्येवं 'गौऊ जहण्णमोही णरएसु तु' (४६) इत्येतद्व्याहन्यते, अत्रोच्यते, उत्कृष्टजघन्यापेक्षया तदभिधानाददोषः, इदमत्र हृदयम् - उत्कृष्टानामेव सप्तानामपि रत्नप्रभाद्यवनीनां 10 ભૂતક્ષેત્રપરિચ્છિત્તિવૃત્ વંધર્વધન્ય કૃત્ય« પ્રતિ યથાર્થ: ll૪૭ના અપેક્ષાએ જાણવું. (તેથી “રત્નપ્રભાધારનરક' શબ્દથી રત્નપ્રભા છે આધાર જેનો, એવા રત્નપ્રભાપૃથ્વીના સર્વ સ્થાનો સમજવા.) નહીં દેખાડેલા પદોનો અર્થ આ પ્રમાણે જાણવો – અર્ધતૃતીય એટલે ત્રીજાનું અર્ધ જેમાં છે તે અર્થાત અઢી, અધ્યર્થ એટલે અર્ધ અધિક છે જેમાં તે અર્થાત્ દોઢ. 15 શંકા : મૂળગાથામાં તો ઉત્કૃષ્ટાવધિનું જ પ્રમાણ બતાવ્યું છે, જઘન્યાવધિનું નહીં. તો પછી દરેક પૃથ્વીમાં પોતપોતાના ઉત્કૃષ્ટની અપેક્ષા અર્ધગાઉ ઓછું જઘન્યાવધિનું માપ તમે જે બતાવ્યું તે કેવી રીતે જાણ્યું ? સમાધાન : પ્રજ્ઞાપના સૂત્રથી આ પ્રમાણ જણાય છે. કહ્યું છે કે “રત્નપ્રભાપૃથ્વીના જીવો અવધિવડે કેટલા ક્ષેત્રને જાણે છે, જુએ છે? હૈ ગૌતમ ! જઘન્યથી સાડાત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર ગાઉ 20 ક્ષેત્રપ્રમાણ જાણે છે, જુએ છે. આમ સાતમી પૃથ્વી સુધીના જીવો માટે પ્રશ્નો કરવા. છેલ્લે સાતમી પૃથ્વીના જીવો હૈ ગૌતમ ! જઘન્યથી અર્ધગાઉ અને ઉત્કૃષ્ટથી એક ગાઉને જુએ–જાણે છે. શંકા : સાતમી પૃથ્વીમાં જઘન્યથી અગાઉ પ્રમાણ જો હોય તો પૂર્વ ગાથામાં ‘નરકમાં જઘન્યાવધિ ગાઉપ્રમાણ હોય છે” એમ જે કહ્યું તેની સાથે વિરોધ આવશે. સમાધાન : ના, નહીં આવે કારણ કે જઘન્યાવધિ ગાઉપ્રમાણ જે કહ્યું છે તે ઉત્કૃષ્ટમાં 25 જઘન્યની અપેક્ષાએ કહ્યું છે. કહેવાનો આશય એ છે કે – સાતે પૃથ્વીઓમાં જે ઉત્કૃષ્ટ અવધિક્ષેત્રપ્રમાણ બતાવ્યા છે તે ઉત્કૃષ્ટાવધિઓમાં સૌથી ઓછું એક ગાઉને જોનાર અવધિ, • જઘન્ય છે. તે સાતમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ હોવા છતાં સાતે ઉત્કૃષ્ટોમાં સૌથી ઓછું હોવાથી જધન્ય કહેવાય છે. આવો અર્થ કરતા કોઈ વિરોધ રહેશે નહીં. //૪૭ી. ४०. नरकेष्वितिपदव्याख्याने स्वनिरूपितपदे । ४१. तद्वृत्तिधर्मवत्तामपेक्ष्येति । ४२. आश्रित्येति 30 शेषः । ४३. स्वस्वोत्कृष्टापेक्षया । ४४. रत्नप्रभापृथ्वीनैरयिका भदन्त ! कियत् क्षेत्रमवधिना जानन्ति पश्यन्ति ?, गौतम! जघन्येनार्धतृतीयानि गव्यूतानि उत्कृष्टेन चत्वारि, एवं यावन्महातम:प्रभापृथ्वीनैरयिकाणां ? गौतम ! जघन्येनार्धगव्यूतं उत्कृष्टेन गव्यूतं । ४५. विरुध्यते इति । * परमावधेः । + अतिदिष्ट० + નારÉ I * ઇ પુછી 1 # T૩યંતં - ૩૦ x + બૂટ ! Page #140 -------------------------------------------------------------------------- ________________ દેવોસંબંધિ ભવપ્રત્યયાવધિનું સ્વરૂપ (નિ. ૪૮-૫૦) एवं नारकसंबन्धिनो भवप्रत्ययावधेः स्वरूपमभिधायेदानीं विबुधसंबन्धिनः प्रतिपिपादयिषुरिदं गाथा त्रयं जगाद - ૧૧૭ सक्कीसाणा पढमं, दुच्चं च सणकुमारमाहिंदा । तच्चं च बंभलंतग, सुक्कसहस्सारय चउत्थीं ॥४८॥ आणयपाणयकप्पे, देवा पासंति पंचमिं पुढवीं । तं चेव आरणच्चुय ओहीनाणेण पासंति ॥४९॥ छट्ठि हिट्ठिममज्झिमगेविज्जा सत्तमिं च उवरिल्ला । संभिण्णलोगनालिं, पासंति अणुत्तरा देवा ॥५०॥ तत्र प्रथमगाथाव्याख्या- शक्रश्चेशानश्च शक्रेशानौ तत्र 'शक्रेशानाविति' शक्रेशानोपलक्षिताः सौधर्मेशानकल्पनिवासिनो देवाः सामानिकादयः परिगृह्यन्ते, ते ह्यवधिना प्रथमां रत्नप्रभाभिधानां 10 पृथिवीं पश्यन्ति इति क्रियां द्वितीयगाथायां वक्ष्यति, तथा 'द्वितीयां च' पृथिवीमित्यनुवर्त्तते, ‘सनत्कुमारमाहेन्द्राविति' सनत्कुमारमाहेन्द्रदेवाधिपोपलक्षिताः तत्कल्पनिवासिनस्त्रिदशा एव सामानिकादयो गृह्यन्ते, ते हि द्वितीयां पृथिवीमवधिना पश्यन्ति, तथा तृतीयां च पृथिवीं ब्रह्मलोकलान्तकदेवेशोपलक्षिताः तत्कल्पनिवासिनो विबुधाः सामानिकादयः पश्यन्ति, तथा शुक्रसहस्त्रारसुरनाथोपलक्षिताः खल्वन्येऽपि तत्कल्पनिवासिनो देवाश्चतुर्थी पृथिवीं पश्यन्तीति 15 અવતરણિકા : આ પ્રમાણે નારકસંબંધિ ભવપ્રત્યયાવધિનું સ્વરૂપ કહી હવે દેવસંબંધિ ભવપ્રત્યયાવધિના સ્વરૂપને કહે છે ગાથાર્થ : સૌધર્મેશાનદેવો પ્રથમ પૃથ્વીસુધી, સનત્કુમાર માહેન્દ્રના દેવો બીજી પૃથ્વી સુધી, બહ્મલોક—લાંતકના દેવો ત્રીજી પૃથ્વીસુધી, અને શુક્ર—સહસ્રારના દેવો ચોથી પૃથ્વીસુધી અવધિવડે જુએ છે. 5 20 ગાથાર્થ : આનત—પ્રાણતદેવલોકના દેવો પાંચમી પૃથ્વીને, અને તે જ પાંચમી પૃથ્વીને આરણ—અચ્યુતના દેવો પણ અધિવડે જુએ છે. ગાથાર્થ : નીચેના અને મધ્યમ ત્રૈવેયકના દેવો છઠ્ઠીપૃથ્વીને, ઉપરના ત્રૈવેયકદેવો સાતમી પૃથ્વીને અને અનુત્તરદેવો સંભિન્નલોકનાડીને જુએ છે. પ્રથમટીકાર્થ : અહીં “શક્રેશાન’” શબ્દથી સૌધર્મેશાનદેવલોકમાં રહેનારા સામાનિકાદિ દેવો ગ્રહણ 25 કરવાના છે. તેઓ અવધિવડે રત્નપ્રભા નામની પ્રથમ ના૨ક પૃથ્વીસુધી જુએ છે. “જુએ છે” એ શબ્દ આ ગાથામાં નથી તે તેની પછીની ગાથામાં કહેશે. એ જ પ્રમાણે મૂળગાથામાં ‘પૃથ્વી’’ શબ્દ નથી તે પણ તેની પછીની ગાથામાંથી અહીં જોડવો. સનત્કુમાર-માહેન્દ્રદેવલોકમાં રહેનાર સામાનિકાદિ દેવો બીજી પૃથ્વીને અવધિવડે જુએ છે. તથા બ્રહ્મલોક—લાંતકનિવાસી સામાનિકાદિ દેવો ત્રીજી પૃથ્વીને અને મહાશુસહસ્રાર કલ્પવાસી સામાનિકાદિ દેવો ચોથી પૃથ્વીને જુએ છે. ૪૮॥ 30 દ્વિતીયટીકાર્ય આનત–પ્રાણતકલ્પના દેવો પાંચમી પૃથ્વીને જુએ છે. આરણ $ ત્રિતö।। * પુવિ । Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ક આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) गाथार्थः ॥ ४८ ॥ द्वितीयगाथा व्याख्यायते - आनतप्राणतयोः कल्पयोः संबन्धिनो देवाः पश्यन्ति पञ्चमीं पृथ्वीं, तामेव आरणाच्युतयोः सम्बन्धिनो देवा अवधिज्ञानेन पश्यन्ति, स्वरूपकथनमेवेदं, विमलतरां बहुतरां चेति गाथार्थः ॥ ४९ ॥ तृतीयगाथा व्याख्यायते - लोकपुरुषग्रीवास्थाने भवानि ग्रैवेयकानि (णि) विमानानि तत्र 5 अधस्त्यमध्यमग्रैवेयकनिवासिनो देवा अधस्त्यमध्यमग्रैवेयकाः, ते हि षष्ठीं पृथिवीं तमोऽभिधानामवधिना पश्यन्तीति योग:, तथा सप्तमीं च पृथिवीमुपरितनग्रैवेयकनिवासिन इति, तथा 'संभिन्नलोकनाडीं' चतुर्दशरज्ज्वात्मिकां कन्यकाचोलक संस्थानामवधिना पश्यन्ति, अनुत्तरविमानवासिनोऽनुत्तराः, तत्र एकेन्द्रियादयोऽपि भवन्ति तद्व्यवच्छेदार्थमाह - 'देवाः' । एवं क्षेत्रानुसारतो द्रव्यादयोऽप्यवसेयाः इति गाथार्थः ॥ ५०॥ एवमधो वैमानिकावधिक्षेत्रप्रमाणं प्रतिपाद्य साम्प्रतं तिर्यगूर्ध्वं च तदेव दर्शयन्नाह एएसिमसंखिज्जा, तिरियं दीवा य सागरा चेव । વર્તુગર મિા, ગુર્દૂ સાધૂમાડું ।। વ્યાવ્યા - ‘તેષાં’ શાદ્રીનાં, સંધ્યાયન્ત કૃતિ સંશ્રેયા: ન સંશ્રેયા અસંધ્યેયા:, તિર્યંન્, द्वीपाश्च - जम्बूद्वीपादय:, सागराश्च लवणसागरादयः क्षेत्रतोऽवधिपरिच्छेद्यतया अवसेयाः इति 15 અચ્યુતદેવલોકના દેવો તે જ પાંચમી પૃથ્વીને સ્પષ્ટ રીતે અને બહુતર વધારે જુએ છે. મૂળગાથામાં “અવિધજ્ઞાન વડે” આવું જે લખ્યું છે તે સ્વરૂપકથન છે અર્થાત્ વાસ્તવિક્તા દર્શાવી છે, પણ કોઈનો વ્યવચ્છેદ બાદબાકી કરવા લખ્યું નથી. ૪૯ તૃતીયટીકાર્થ : ચૌદરાજલોકરૂપ પુરુષની ડોક (ગ્રીવા)ના સ્થાને રહેલા હોવાથી તે વિમાનો ત્રૈવેયકના નામે ઓળખાય છે. તેમાં નીચેના તથા મધ્યમ ત્રૈવેયકના દેવો છઠ્ઠી પૃથ્વીને જુએ છે. 2) તથા ઉપરના ત્રૈવેયકના દેવો સાતમી પૃથ્વીને જુએ છે. અનુત્તરવિમાનવાસી દેવો કન્યાચોલકના આકારવાળી (કન્યાચોલકનો અર્થ ગા.નં. ૫૫માં આપેલ છે. તથા ઊર્ધ્વદિશામાં સ્વવિમાનરૂપાદિ સુધીનું જ જ્ઞાન હોવાથી) કંઈક ન્યૂન (મિત્રા किञ्चिदूनां इति देवेन्द्रनरकेन्द्रप्रकरण-३४२) લોકનાડીને જુએ છે. આ વિમાનમાં એકેન્દ્રિયાદિ જીવો પણ હોય છે. તેનો વ્યવચ્છેદ કરવા ‘દેવો” એવું વિશેષણ મૂક્યું છે. ક્ષેત્રાનુસારે દ્રવ્ય—કાળ—ભાવ પણ સમજી લેવા પા 25 અવતરણિકા : આ પ્રમાણે નીચેના વિસ્તારનું વૈમાનિકાવધિક્ષેત્રપ્રમાણ કહી હવે તિર્થંગ્ – ઉર્ધ્વ અવધિનું પ્રમાણ કહે છે 10 30 = - ગાથાર્થ : દેવોનું તિર્ય—અધિક્ષેત્ર અસંખ્ય દ્વીપસમુદ્રો છે. તેમાં ઉપર – ઉપરના દેવા માટે આ ક્ષેત્રપ્રમાણ વધતું જાય છે. ઊર્ધ્યાવધિ ક્ષેત્ર પ્રમાણ પોત–પોતાના દેવલોકના સ્તૂપાદિ સુધી હોય છે. = ટીકાર્થ : શક્રાદિ દેવોને ક્ષેત્રથી તિર્ય—દિશામાં અસંખ્યેય દ્વીપો – જંબુદ્રીપાદિ અને સમુદ્રો લવણસમુદ્રાદિ અવધિજ્ઞાનથી જ્ઞેય હોય છે. ઉપર ઉપરના દેવો કહેલા અસંખ્યદ્વીપસમુદ્રોને + 40,‡ l.* ૩૦ૢ = સપ્લ૦ / Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ उपरिमका સામાન્યથી દેવોનું અવધિક્ષેત્રપ્રમાણ (નિ. ૫૨) वाक्यशेष:, तथा उक्तलक्षणात् - असंख्येयद्वीपोदधिमानात् क्षेत्रात् बहुतरं, उपरिमा एव उपर्युपरिवासिनो देवाः, खल्ववधिना क्षेत्रं पश्यन्तीति वाक्यशेषः, तथा ऊर्ध्वं स्वकल्पस्तूपाद्येव यावत् क्षेत्रं पश्यन्ति, आदिशब्दाद् ध्वजादिपरिग्रहः इति गाथार्थः ॥५१॥ इत्थं वैमानिकानां अवधिक्षेत्रमानमभिधाय इदानीं सामान्यतो देवानां प्रतिपादयन्नाह - संखेज्जजोयणा खलु, देवाणं अद्धसागरे ऊणे । तेण परमसंखेज्जा, जहण्णयं पंचवीसं तु ॥ ५२ ॥ व्याख्या - संख्येयानि च तानि योजनानि चेति विग्रहः, खलुशब्दस्त्वेवकारार्थः, स चावधारणे, अस्य चोभयथा संबन्धमुपदर्शयिष्यामः 'देवानां ' ' अर्धसागरे' इति अर्धसागरोपमे न्यूने आयुषि सति संख्येययोजनान्येव अवधिक्षेत्रमिति । अर्धसागरोपमन्यून एव आयुषि सति, 'ततः परं ' अर्धसागरोपमादावायुषि सति असंख्येयानि योजनानि अवधिक्षेत्रं वैमानिकवर्जदेवानां सामान्यत 10 इति । विशेषतस्तु ऊर्ध्वमधस्तिर्यक् च संस्थानविशेषादवसेयमिति । तथा जघन्यकमवधिक्षेत्रं देवानामिति वर्त्तते, 'पञ्चविंशति: ' तुशब्दस्यैवकारार्थत्वात् पञ्चविंशतिरेव योजनानि, एतच्च दशवर्षसहस्त्रस्थितीनामवसेयं, भवनपतिव्यन्तराणामिति, ज्योतिष्काणां त्वसंख्येयस्थितित्वात् संख्येययोजनान्येव जघन्येतरभेदमवधिक्षेत्रमवसेयमिति, वैमानिकानां तु जघन्यमङ्गुलासंख्येयક્ષેત્રથી વધારે—વધારે જુએ છે. તથા ઊર્ધ્વદિશામાં દેવો પોતપોતાના દેવલોકના સ્તૂપ—જા વગેરે 15 सुधी शुभे छे. ॥५१॥ અવતરણિકા : આ પ્રમાણે વૈમાનિકદેવોનું અવિધક્ષેત્રમાન કહી હવે દેવોનું સામાન્યથી અવિધમાન બતાવે છે 5 ગાથાર્થ ન્યૂન અર્ધસાગરોપમ આયુષ્યવાળા દેવો સંખ્યાતા યોજનોસુધી જુએ છે. અર્ધસાગરોપમાદિ આયુષ્યવાળા દેવો અસંખ્યાત યોજનોસુધી જુએ છે. અને દેવોનું જઘન્ય 20 અધિક્ષેત્ર પચ્ચીસ યોજન હોય છે. टीडार्थ : संख्यात सेवा ते योनो ते संख्यातयो४नो "खलु" शब्६ ४२ अर्थवानो छे. જેના બે રીતે સંબધ હવે જોડીશું, એક – સંખ્યાતયોજનો જ અને બીજો ન્યૂન અર્ધસાગરોપમ જ. (તે આ પ્રમાણે કે જે) દેવોનું ન્યૂન–અર્ધસાગરોપમ આયુષ્ય જ હોય તેઓનું સંખ્યાતયોજનોનું જ અધિક્ષેત્ર હોય છે. અર્ધસાગરોપમાદિ આયુષ્યવાળા એવા વૈમાનિક સિવાયના દેવોનું 25 સામાન્યથી અસંખ્યેયયોજન અધિ—ક્ષેત્ર હોય છે. વિશેષથી ઊર્ધ્વ, અધ અને તિર્યક્ અવધિક્ષેત્ર આકારવિશેષથી જુદું જુદું જાણવું. તથા દેવોને જઘન્ય અવધિક્ષેત્ર પચ્ચીસ યોજનો જ હોય છે. આ પ્રમાણ દશહજારવર્ષના આયુષ્યવાળા એવા ભવનપતિ વ્યંતરદેવોનું જાણવું. જ્યારે જયોતિષ્ઠદેવોનું અસંખ્યવર્ષનું આયુષ્ય હોવાથી ઉત્કૃષ્ટ અને જઘન્યથી સંખ્યાતયોજનો જ અવધિક્ષેત્ર જાણવું. વૈમાનિકદેવોનું જઘન્યાધિક્ષેત્ર 30 ४६. प्राक् प्रतिपादितत्वाद्वैमानिकानामवधेर्नात्र तदधिकारः । ४७. अत्र चतुर्णामपि निकायानां तत्र वैमानिकानां पृथगभिधानाभावात् । ४८. तेषां जघन्येतरस्थित्योरर्धसागरोपमात् न्यूनत्वात् । + पण्णवीसं । Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તારો આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) भागमात्रमवधिक्षेत्रं, तच्चोपपातकाले परभवसंबन्धिनमवधिमधिकँत्येति, उत्कृष्टमुक्तमेव संभिण्णलोगनालिं, पासंति अणुत्तरा देवा' (५१) इत्यलमतिविस्तरेणेति गाथार्थः ॥५२॥ साम्प्रतमयमेवावधिः येषां सर्वोत्कृष्टादिभेदभिन्नो भवति, तान्प्रदर्शयन्नाह - उक्कोसो मणुएसुं, मणुस्सतिरिएसैं य जहण्णो य। उक्कोस लोगमित्तो, पडिवाइ' परं अपडिवाई ॥५३॥ व्याख्या - द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्चोत्कृष्टोऽवधिः मनुष्येषु एव, नामरादिषु, तथा मनुष्याश्च तिर्यञ्चश्च मनुष्यतिर्यञ्चः तेषु मनुष्यतिर्यक्षु च जघन्यः'; चशब्द एवकारार्थः, तस्य चैवं प्रयोगः - मनुष्यतिर्यक्ष्वेव जघन्यो, न नारकसुरेषु, तत्र उत्कृष्टो लोकमात्र एव अवधिः, प्रतिपतितुं शीलमस्येति प्रतिपाती, ततः परमप्रतिपात्येव, लोकमात्रादाववधिमाने प्रतिपादिते प्रसङ्गतः 10 પ્રતિપાત્યપ્રતિપતિસ્વરૂપમોનમઃોપાયેતિ થાર્થ: રૂા. અંગુલનો અસંખ્યાતભાગમાત્ર જાણવું. આ જઘન્યાવમિત્ર પ્રમાણ ઉત્પત્તિ સમયે પૂર્વભવસંબંધિ અવધિને આશ્રયી જાણવું (કોઈક સમ્યગ્દષ્ટિ જીવ પૂર્વભવથી અવધિને લઈને દેવભવમાં ઉત્પન્ન થાય ત્યારે તેને ઉત્પત્તિસમયે અપર્યાપ્તાવસ્થામાં સર્વજઘન્યાવધિ સંભવે છે). ગા.નં. ૫૧માં “સંભિલોકનાડીને...” સૂત્ર દ્વારા ઉત્કૃષ્ટાવધિક્ષેત્ર બતાવી જ દીધું હોવાથી વધુ વિસ્તારથી સર્યું 15 પરા, અવતરણિકા : હવે જેઓને આ અવધિ સર્વોત્કૃષ્ટાદિભેદથી ભિન્ન હોય છે તેઓને બતાવે છે, અર્થાત કોને સર્વોત્કૃષ્ટ, કોને જઘન્યાવધિ હોય છે ? તે બતાવે છે છે ગાથાર્થ : મનુષ્યમાં ઉત્કૃષ્ટ તથા મનુષ્ય-તિર્યંચમાં જઘન્યાવધિ હોય છે. લોકમાત્ર ઉત્કૃષ્ટઅવધિ પ્રતિપાતી હોય છે અને તેનાથી ઉપરનું અવધિ અપ્રતિપાતી હોય છે. 20 ટીકાર્થ : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી ઉત્કૃષ્ટ–અવધિ માત્ર મનુષ્યોમાં જ હોય છે પણ દેવાદિમાં નહીં. તથા મનુષ્ય–તિર્યંચમાં જ જઘન્યાવધિ હોય છે, દેવનારકમાં નહીં. તેમાં લોકમાત્ર એવો જ ઉત્કૃષ્ટાવધિ પ્રતિપાતી હોય છે. (એટલે કે આવ્યા પછી જઈ શકે) તેનાથી ઉપરનું અલોકને જોનાર અવધિ અપ્રતિપાતી હોય છે. (શંકા : અહીં ક્ષેત્રના પરિમાણની વાત ચાલી રહી છે, તેમાં પ્રતિપાતી – અપ્રતિપાતીનું 25 નિરૂપણ શા માટે કર્યું ?). સમાધાન : અવધિનું લોકપ્રમાણ માન પ્રતિપાદન કરવા સાથે પ્રસંગથી પ્રતિપાતીઅપ્રતિપાતીનાં સ્વરૂપનું કથન કરવામાં કોઈ દોષ નથી. (અવધિનું લોકપ્રમાણ ક્ષેત્ર બતાવ્યું, ત્યારે એ યાદ આવે કે લોકપ્રમાણ અવધિ, પ્રતિપાતી હોય અને ઉપરનું અપ્રતિપાતી હોય, તો તે સાથે જ કહી દે, એ પ્રસંગ છે અને પ્રાસંગિક વાત કરવામાં કોઇ દોષ નથી.) //પ૩ll. ४९. तथा च देवानां सर्वजघन्यावधिनिषेधेऽपि न क्षतिः, भवप्रत्ययावधेः पश्चाद्भावात्, तस्य चोक्तमानत्वात् । ५०. भवगुणप्रत्ययसाधारणोऽवधिरिति । ५१. स्मृतस्योपेक्षानहत्वं हि प्रसङ्गत्वं । ५२. विनेयानां बोधविशेषोत्पादनात् प्रस्तुतेऽवधिमाने । * कृत्य + तान्दर्श ★ तेरिच्छिएसु य जहण्णोपडिवाई + जघन्यतः। 30 Page #144 -------------------------------------------------------------------------- ________________ જઘન્યાદિ અવધિના આકારા (નિ. ૫૪-૫૫) દર ૧૨૧ उक्त क्षेत्रपरिमाणद्वारं, साम्प्रतं संस्थानद्वारं व्याचिख्यासयेदमाह - थिबुयायार जहण्णो, वट्टो उक्कोसमायओ किंची। अजहण्णमणुक्कोसो य खित्तओ णेगसंठाणो ॥५४॥ व्याख्या – “स्तिबुक' उदकबिन्दुः तस्येवाकारो यस्यासौ स्तिबुकाकारः, जघन्योऽवधिः । तमेव स्पष्टयन्नाह – 'वृत्तः' सर्वतो वृत्त इत्यर्थः, पनकक्षेत्रस्य वर्तुलत्वात् । तथा उत्कृष्ट आयतः 5 प्रदीर्घः ‘किञ्चित्' मनाक् वह्निजीवश्रेणिपरिक्षेपस्य स्वदेहानुवृत्तित्वात्, तथा 'अजघन्योत्कृष्टश्च' न जघन्यो नाप्युत्कृष्टः अजघन्योत्कृष्ट इति । चशब्दोऽवधारणे, अजघन्योत्कृष्ट एव, क्षेत्रतोऽनेकसंस्थानः' अनेकानि संस्थानानि यस्यासावनेकसंस्थान इति गाथार्थः ॥५४॥ एवं तावज्जघन्येतरावधिसंस्थानमभिहितं, साम्प्रतं विमध्यमावधिसंस्थानाभिधित्सयाऽऽह - तैप्पागारे १ पल्लग २ पडहग ४ झल्लरि ४ मुइंग ५ पुप्फ ६ जवे ७। 10 ‘तिरियमणुएसु ओही, नाणाविहसंठिओ भणिओ ॥५५॥ व्याख्या – 'तप्रः' उडुपकः तस्येवाकारो यस्यासौ तप्राकारः, तथा पल्लको नाम लाटदेशे અવતરણિકા : ક્ષેત્રપરિમાણદ્વાર કહ્યું. હવે સંસ્થાન = આકારદ્વાર બતાવે છે ? ગાથાર્થ : જઘન્ય અવધિ તિબુકાકારવાળું ગોળ હોય છે. ઉત્કૃષ્ટવધિ કંઈક લાંબુ હોય છે. અને અજઘન્ય–ઉત્કૃષ્ટાવધિ ક્ષેત્રથી અનેક આકારવાળું હોય છે. 15 ટીકાર્થ : સ્ટિબુક એટલે પાણીનું ટીપું, તેના જેવો આકાર છે જેનો તે સ્તિબુકાકારવાળું જઘન્યાવધિ હોય છે, અર્થાત ચારેબાજુથી ગોળ હોય છે, કારણ કે જઘન્યાવધિમાં પૂર્વોક્ત પનકનું ક્ષેત્ર દેખાય છે જે ગોળ હોય છે. તથા ઉત્કૃષ્ટાવધિ કંઈક દીર્ઘ હોય છે કારણ કે અગ્નિના જીવોની શ્રેણિનો પરિક્ષેપ (ભ્રમણ) એ અવધિવાળાના દેહના અનુસાર હોય છે અર્થાત્ અવધિવાળા જીવના દેહથી ચારેબાજુ આ શ્રેણિ ભમાવતી કંઈક આવા આકારનું ક્ષેત્ર પ્રાપ્ત થાય 20 છે. (કારણ કે એક જ સ્થળેથી અગ્નિજીવોની સૂચિ ભમાવવાની હોય તો ગોળ બને, પણ વચ્ચે અવધિજ્ઞાનીનું શરીર હોય છે અને તેના છેડાથી સૂચિ ભમાવવાની હોવાથી કંઈક લાંબુ લંબગોળ બને છે.) જે જઘન્ય કે ઉત્કૃષ્ટ નથી તેવું અજઘન્યોત્કૃષ્ટાવધિ જ ક્ષેત્રથી અનેક આકારવાળું હોય छ. ॥५४॥ અવતરણિકા : આમ જઘન્ય-ઉત્કૃષ્ટાવધિસંસ્થાને કહ્યું. હવે મધ્યમાવધિસંસ્થાન કહે છે थार्थ : ता२, ५ २, ५३४२, सरी- १२, मृ॥१२, पुष्पयंगेरीઆકાર, જવાકાર તથા મનુષ્ય, તિર્યંચમાં જુદા જુદા આકારે અવધિ હોય છે. ५३. पदैकदेशे पदसमुदायोपचारात् जीवदेहेति, अन्यथा पञ्चमस्यानादेशस्याभ्युपगमापत्तेः, न चैवं स्वदेहेत्यनेन विरोधोऽपि । * नेरड्य १ भवण २ वणयर ३ जोइस ४ कप्पालयाण ५ मोहिस्स। गेविज्ज ६ णुत्तराण ७ य, हुतागिइओ जहासखं ॥१॥भवणवइवणयराणं उर्दूबहुओ अहोऽवसेसाणं । नारयजोइसिआणं, 30 तिरिअं ओरालिओ चित्तो ॥२॥(भाष्यकृत्कृते अव्याख्याते) Page #145 -------------------------------------------------------------------------- ________________ एवमाकारशब्दः प्रत्येकमभि ૧૨ ૨ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) धान्यालयः, आकारग्रहणमनुवर्त्तते, तस्येवाकारो यस्यासौ पल्लकाकार:, संबन्धनीयः इति, पटह एव पटहकः आतोद्यविशेष:, तथा चर्मावनद्धा विस्तीर्णवलयाकारा झल्लरी आतोद्यविशेषः एव, तथा ऊर्ध्वायतोऽधो विस्तीर्ण उपरि च तनुः, मुदङ्गः आतोद्यविशेष एव । 'पुप्फेति' 'सूचनात्सूत्रं' इतिकृत्वा पुष्पशिखावलिरचिता चङ्गेरी पुष्पचङ्गेरी परिगृह्यते, 'यव' इति 5 यवनालकः, स च कन्याचोलकोऽभिधीयते, अयं भावार्थ:- तप्राकारादिरवधिर्यवनालकाकारपर्यन्तो यथासंख्यं नारकभवनपतिव्यन्तरज्योतिष्ककल्पोपपन्नकल्पातीतग्रैवेयकानुत्तरसुराणां सर्वकालनियतोऽवसेयः, तिर्यग्नराणां भेदेन नानाविधाभिधानाद्, आहच - तिर्यञ्चश्च मनुष्याश्च तिर्यग्मनुष्याः तेषामवधिः नानाविधसंस्थानसंस्थितोनानाविधसंस्थितः, संस्थानशब्दलोपात्, स्वयंभूरमणजलधिनिवासिमत्स्यगणवत्, अपितु तत्रापि वलयं निषिद्धं मत्स्यसंस्थानतया, अवधिस्तु तदाकारोऽपीति 10 — ટીકાર્થ : તપ્ર એટલે ઉડુપક (નાવડીનો એક પ્રકાર), તેના જેવો આકાર છે જેનો તે અવધિ તપ્રાકાર કહેવાય છે. તે નારકના જીવોને હોય છે. લાટદેશમાં ધાન્ય ભરવાનું સાધન પલ્લક તરીકે ઓળખાય છે. “આકાર” શબ્દ બધા સાથે જોડવાનો હોવાથી પલ્લક જેવો આકાર છે જેનો તે અવિધ પલ્લકાકાર કહેવાય છે. તે ભવનપતિના દેવોને હોય છે. પડહાકારનું અવિધ વ્યંતરોને હોય છે. 15 જ્યોતિપ્કોને ઝલ્લરી આકારવાળું અવધિ, તથા ઊર્ધ્વમાં લાંબુ, નીચેથી વિસ્તારવાળું અને ઉપરથી પાતળું એવું મૃદંગાકાર અવિધ કલ્પોપપન્નદેવોને અર્થાત્ ૧ થી ૧૨ દેવલોકના દેવોને હોય છે. પડહ, ઝલ્લરી અને મૃદંગ ત્રણે વાજીંત્રોના નામ છે. ઝલ્લરી ચામડાથી મઢેલી અને વિસ્તીર્ણ વલયાકારની હોય છે. તથા મૂળગાથામાં “પુષ્પ” શબ્દ લખેલ છે પણ જે સૂચન કરે તે સૂત્ર કહેવાય અર્થાત્ સૂત્ર સંક્ષેપવાળું હોય. તેથી પુષ્પ શબ્દથી પુષ્પગંગેરી લેવી (કે જે પુષ્પો 20) ભરવા માટેનું સાધન છે.) શિખા થાય એ રીતે પુષ્પો ભરી ગંગેરીનો જે આકાર થાય તે આકાર અહીં લેવો, તેવા આકારનું અવધિ ત્રૈવેયકવાસી દેવોને હોય છે. તથા યવનાલક કે જે કન્યાચોલક તરીકે ઓળખાય છે (કન્યાનું આ વસ્ર એવું હોય છે કે નીચેના વસ્ર સાથે ઉપરનું વસ્ત્ર સીવેલું હોય છે જેથી નીચેનું વસ્ત્ર ખસે નહીં. સ્ત્રીઓ આ વજ્રને મસ્તકના ભાગથી પહેરતા હોવાથી આ વસ્ત્રને સરકંચુક તરીકે મરુદેશમાં ઓળખાય 5 છે. નીચે ચિત્રમાં ઉપર મસ્તકનો ભાગ નથી. તે સિવાયનો ગળાથી લઈ પગ સુધીના વસ્ત્રનો આકાર છે. આના જેવા આકારવાળું અવિધ અનુત્તરવાસી દેવોને હોય છે. દેવોને આ અવિધ સદા કાળ માટે ચોક્કસાકારવાળું હોય છે, કારણ કે તિર્યંચ અને મનુષ્યોને જ અવિધ જુદા જુદા આકારનું બતાવ્યું છે. તે જ વાત કરે છે કે – મનુષ્ય—તિર્યંચોનું અવધિ જુદાજુદા આકારે એટલે કે સ્વયંભૂરમણસમુદ્રમાં જેમ માછલીના સર્વ આકારો કહ્યા છે. તેમ સર્વ આકારનું હોય 30 છે. મૂળમાં ‘નાનાવિધસંસ્થિત' શબ્દમાં સંસ્થાન શબ્દનો લોપ થયેલો જાણવો. જો કે સ્વયંભૂરમણસમુદ્રમાં બંગડી આકારનો નિષેધ હોવા છતાં અવિધમાં તો તે બંગડી આકાર પણ. જાણી Page #146 -------------------------------------------------------------------------- ________________ मध्यभावधिना आडारो तथा आनुगाभुद्वार (नि. पह) 'भणित: ' उक्तः अर्थतस्तीर्थकरैः सूत्रतो गणधरैरिति, अयं च भवनव्यन्तराणां ऊर्ध्वं बहुर्भवति, अवशेषाणां तु सुराणामधो, ज्योतिष्कनारकाणां तु तिर्यक्, विचित्रस्तु नरतिरश्चामिति गाथार्थः ॥ ५५ ॥ उक्तं संस्थानद्वारं, साम्प्रतमानुगामुकद्वारार्थप्रचिकटयिषयेदमाह - गाओ, नेरइयाणं तहेव देवाणं । अणुगामी अणणुगामी, मीसो य मणुस्सतेरिच्छे ॥५६॥ લેવો. આ વાત તીર્થંકરોએ અર્થથી અને ગણધરોએ સૂત્રથી કહી છે. આ અવિધ ભવનપતિવ્યન્તરોને ઉપરની દિશા તરફ વધુ હોય છે, શેષ દેવોને નીચેની તરફ અને જ્યોતિષ્મ-નારકોને તિર્યદિશા તરફ ઘણું હોય છે. નર-તિર્યંચોને વિચિત્ર હોય છે. II૫૫૫ कइ कइ निकायना, कया कया देवानुं अवधिज्ञान क्षेत्र केवा केवा आकारे छे ते (A) नारकीनुं - (B) भवनपतिनुं - (c) व्यन्तर नं.-. (D) त्रापाकार सं.य.वि. ज्योतिषनुं ૧૨૩ पल्याकार - पडहाकार. (बे प्रकार बताव्या छे) (E) बार देवलोकनुं नव ग्रैवेयकनुं (G) अनुत्तरनुं VASES मृदंगाकार पुष्प चंगेरी यवाकार झल्लुर्याकार (प्रकार) અવતરણિકા : સંસ્થાનદ્વાર પૂર્ણ થયું. હવે આનુગામિકદ્વાર પ્રગટ કરે છે છ ગાથાર્થ : નારક અને દેવોને આનુગામિક અવધિ અને મનુષ્ય-તિર્યંચમાં આનુગામીઅનાનુગામી અને મિશ્રાવધિ હોય છે. * आ० + अ + अणुगामि । 5 10 15 20 30 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ માં આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) व्याख्या - अनुगमनशील 'आनुगामुकः, लोचनवद्, तुशब्दस्त्वेवकारार्थः, म चावधारणे, आनुगामुक एव अवधिः, केषामित्यत आह - नरान् कायन्तीति नरका: - नारकाश्रयाः तेषु भवा नारका इति, तेषां नारकाणां, तथैव' आनुगामुक एव, दीव्यन्तीति देवास्तेषामिति । तथा आनुगामुकः, अननुगमनशीलोऽननुगामुकः स्थितप्रदीपवत्, तथा एकदेशानुगमनशीलो मिश्रः, देशान्तरगत5 पुरुषैकलोचनोपघातवत्, चशब्दः समुच्चयार्थः, मिश्रश्च, मनुष्याश्च तिर्यञ्चश्च मनुष्यतिर्यञ्चस्तेषु मनुष्यतिर्यक्षु योऽवधिः स एवंविधस्त्रिविध इति गाथार्थः ॥५६॥ व्याख्यातमानुगामुकद्वारं, इदानीमवस्थितद्वारावयवार्थप्रतिपादनाय गाथाद्वयमाह - खित्तस्स अवट्ठाणं, तित्तीसं सागरा उ कालेणं । दव्वे भिण्णमुहुत्तो, पज्जवलंभे य सत्तट्ठ ॥५७॥ व्याख्या - अवस्थितिरवस्थानं तद् अवधेराधारोपयोगलब्धितश्चिन्त्यते, तत्र क्षेत्रमस्याधार, . इतिकृत्वा क्षेत्रस्य संबन्धि तावदवस्थानमुच्यते - तत्राविचलितः सन् 'त्रयस्त्रिंशत्सागराः' इति त्रयस्त्रिंशत्सागरोपमाण्यवतिष्ठते अनुत्तरसुराणां, तुशब्दस्त्वेवकारार्थः, स चावधारणे, त्रयस्त्रिंशदेव, 'कालेनेति कालतः कालमधिकृत्य 'अर्थाद्विभक्तिपरिणाम:'। तथा ‘दव्वे' इति द्रवति गच्छति ટીકાર્થ : આંખોની જેમ અનુસરવાના સ્વભાવવાળું અવધિ આનુગામિક કહેવાય. તે જ 15 નારક અને દેવોને હોય છે. જે માણસોને બોલાવે તે નરક, તેમાં રહેલા તે નારક તથા જે દીપે = શોભે તે દેવો (આ પ્રમાણે નારક અને દેવ શબ્દની વ્યુત્પત્તિ–અર્થ જાણવો) તથા સ્થિરપ્રદીપની જેમ સ્થિર રહેવાના સ્વભાવવાળું અવધિ અનાનુગમિક કહેવાય. મિશ્રાવધિ એટલે દેશાત્તરમાં ગયેલા પુરુષની એક આંખના ઉપધાતની જેમ અતુ એક આંખવાળા એવા પુરુષની પાછળ જમ તેની એક આંખે અનુસરે તેમ જે અવધિનો એક દેશ અનુસરનારો હોય અને એક દેશે 20 અનુસરનારો ન હોય તે મિશ્રાવધિ કહેવાય છે. આનુગમિક, અનાનુગમિક અને મિશ્ર એમ ત્રણ પ્રકારે અવધિ મનુષ્યતિર્યંચોને હોય છે. //પી. અવતરણિકા : આનુગામિકદાર પૂર્ણ કર્યું. હવે અવસ્થિતદ્વારના અવયવાર્થનું પ્રતિપાદન કરવા ગાથા કહે છે કે ગાથાર્થ : કાળથી ક્ષેત્રનું અવસ્થાન તેત્રીસ સાગરોપમ છે. દ્રવ્યમાં અવધિનું અવસ્થાન 25 ભિન્નમુહૂર્ત અને પર્યાયપ્રાપ્તિમાં સાતથી આઠ સમય સુધી અવધિ ટકે. ટીકાર્થ : રહેવાનો કાળ તે અવસ્થાન, અવધિનું અવસ્થાન આધાર, ઉપયોગ અને લબ્ધિથી વિચારાય છે. અવધિનો આધાર ક્ષેત્ર હોવાથી ક્ષેત્ર સંબંધિ અવધિનું અવસ્થાન કહે છે. અનુત્તરદેવાનું અવધિ અવિચલિત થયેલું હતું તેત્રીસ સાગરોપમસુધી કાળને આશ્રયી રહે છે (કહેવાનો આશય એ છે કે અવધિ એક જ ક્ષેત્રમાં કાળથી કેટલો સમય વધારેમાં વધારે રહે ? તેના ઉત્તરમાં 30 શાસ્ત્રકારો કહે છે કે અનુત્તરવાસીદેવો એક ક્ષેત્રમાં તેત્રીસ સાગરોપમ રહે છે. તેથી તેમના. અવધિને આશ્રયી એમ કહેવાય છે કે અવધિ એક જ ક્ષેત્રમાં કાળથી તેત્રીસ સા. રહે છે) * મનુ0 * નાનુo + વીર્વાધo | Page #148 -------------------------------------------------------------------------- ________________ 5 લબ્ધિથી અવધિનું અવસ્થાન (નિ. ૫૮) બ ૧૨૫ ताँस्तान् पर्यायानिति द्रव्यं तस्मिन् द्रव्ये - द्रव्यविषयं उपयोगावस्थानमवधेः, भिन्नश्चासौ मुहूर्त्तश्चेति समासः, अवनं अवः परि अवः पर्यवः तस्य लाभः पर्यवलाभः तस्मिंश्च पर्यवलाभे च - पर्यवप्राप्तौ चावधेरुपयोगावस्थानं सप्ताष्टो वा समया इति । अन्ये तु व्याचक्षते - पर्यायेषु सप्त, गुणेषु अष्टेति, सहवर्त्तिनो गुणाः शुक्लत्वादयः, क्रमवर्तिनः पर्याया नवपुराणादयः, यथोत्तरं च द्रव्यगुणपर्यायाणां सूक्ष्मत्वात् स्तोकोपयोगता इति गाथार्थः ॥५७॥ अद्धाइ अवदाणं, छावट्ठी सागरा उकालेणं। "उक्कोसगं तु एयं, इक्को समओ जहणणेणं ॥५८॥ व्याख्या- इह लब्धितोऽवस्थानं चिन्त्यते - अद्धा - अवधिलब्धिकालः, अत्र अद्धाया:कालतोऽवस्थानं अवधेर्लब्धिमङ्गीकृत्य तत्र 'चान्यत्र क्षेत्रादौ षट्षष्टिसागरा' इति षट्षष्टिसागरोपमाणि, तुशब्दस्य विशेषणार्थत्वात् मनागधिकानि 'कालेनेति' कालतः उत्कृष्टमेवेदं कालतोऽवस्थानमिति। 10 जघन्यमवस्थानमाह-तत्र द्रव्यादाँवप्येकः समयो जघन्येनावस्थानमिति, तत्र मनुष्यतिरिश्चोऽधिकृत्य મૂળગાથામાં “IનેT'' તૃતીયા વિભક્તિ છે. પરંતુ “અર્થના વશથી વિભક્તિનો ફેરફાર થાય” એ ન્યાયથી ‘નિત:' એમ દ્વિતીયા વિભક્તિના અર્થમાં ‘તમ્' પ્રત્યય લગાડી અર્થ કરવો. ત તે પર્યાયોને જે પામે તે દ્રવ્ય. તેમાં અવધિના ઉપયોગનું અવસ્થાન અંતર્મુહૂર્ત જાણવું અર્થાત કોઈપણ દ્રવ્યમાં અવધિનો ઉપયોગ વધારેમાં વધારે અંતર્મુહૂર્વ ટકે. તથા પર્યાયો ની પ્રાપ્તિને વિષે 15 (અર્થાતુ પર્યાયના વિષયમાં) અવધિના ઉપયોગનું અવસ્થાન સાત કે આઠ સમયનું હોય છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે પર્યાયો બે પ્રકારે હોય છે ૧. ગુણાત્મક ૨. પર્યાયાત્મક. તેમાં ગુણોને વિષે આઠ અને પર્યાયોને વિષે સાત સમયનું અવસ્થાન હોય છે. જે દ્રવ્યની સાથે સહવર્તી હોય એવા શુક્લાદિ ગુણો છે અને ક્રમવર્તી નવાપણું, જુનાપણું વિ. પર્યાયો છે. દ્રવ્ય, ગુણ, પર્યાય ઉત્તરોત્તર સૂક્ષ્મ હોવાથી તેમાં ઉપયોગ ઓછો-ઓછો હોય છે, અર્થાત્ દ્રવ્ય કરતા 20 ગુણ, સૂક્ષ્મ, હોવાથી ગુણમાં ઉપયોગ ઓછો, તેના કરતા પર્યાય સૂક્ષ્મ હોવાથી પર્યાયમાં ઉપયોગ ઓછો. {પણા (અવતરણિકા : હવે લબ્ધિને આશ્રયી અવસ્થાન બતાવે છે ) ગાથાર્થ : લબ્ધિથી કાળને આશ્રયી અવધિનું અવસ્થાન છાસઠ સાગરોપમ છે. આ ઉત્કૃષ્ટથી સમજવું, જઘન્યથી એક સમયનું હોય છે. ટીકાર્થ : અહીં આ ગાથામાં લબ્ધિથી અવસ્થાન વિચારાય છે – અદ્ધા એટલે અવધિનો લબ્ધિકાળ. અવધિનું લબ્ધિને આશ્રયી છે કે અન્ય ક્ષેત્રમાં કાળથી છાસઠ સાગરોપમ જેટલું અવસ્થાન હોય છે. “તું” શબ્દથી એટલો વિશેષ અર્થ જાણવો કે તે છાસઠ સા. કંઈક અધિક અર્થાત્ કંઈક અધિક છાસઠ સા. અવસ્થાન હોય છે. આ ઉત્કૃષ્ટ કાળમાન જાણવું. જધન્યથી દ્રવ્ય-પર્યાયાદિમાં એક સમયનું અવસ્થાન જાણવું. (એક સમયનું અવસ્થાન કેવી રીતે ઘટે ? તે 30 ५४. न केवलं काल इत्यपिशब्दार्थः, आदिना आधारादिग्रहः गुणपर्यायग्रहो वा । । उक्कोसओ उ । * તત્ર | + ૩અન્યત્ર વા 25 Page #149 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सप्रतिपातोपयोगतोऽर्विरुद्धमेव, देवनारकाणामपि चरमसमयसम्यक्त्वप्रतिपत्तौ सत्यां विभङ्गस्यैवावधिरूपापत्तेः, तदनन्तरं च्यवनाच्चाविरोध इति गाथार्थः ॥ ५८ ॥ एवं तावदवस्थितद्वारमभिधाय इदानीं चलद्वाराभिधित्सयाऽऽहवुड्डी वाहाणी वा, चउव्विहा होइ खित्तकालाणं । दव्वेसु होइ दुविहा, छव्विह पुण पज्जवे होइ ॥५९॥ - - - व्याख्या - तत्र चलो ह्यवधिः वर्धमानः क्षीयमाणो वा भवति, सा च वृद्धिर्हानिर्वा चतुर्विधा भवति क्षेत्रकालयोः, तथा चाभ्यधायि परमगुरुणा - - "५६ असंखेज्जभागवुड्ढी वा संखेज्जभागवुड्डी वा संखेज्जगुणवुड्डी वा असंखेज्जगुणवुड्डी वा," एवं हानिरपि, न तु अनन्तभागवृद्धिरनन्तगुणवृद्धिर्वा, एवं हानिरपि, क्षेत्रकालयोरनन्तयोरदर्शनात्, तथा द्रव्येषु भवति द्विधा वृद्धिर्हानिर्वा, कथम् ? 10 अनन्तभागवृद्धिर्वा अनन्तगुणवृद्धिर्वा, एवं हानिरपि द्रव्यानन्त्यादिति भावार्थ: । तथा षड्विधा 'पर्याये' इति जात्यपेक्षमेकवचनं पर्यायेषु भवति, वृद्धिर्वा हानिर्वेति वर्त्तते, पर्यायानन्त्यात्, બતાવે છે કે) મનુષ્ય-તિર્યંચોને એક સમય બાદ કાં તો અવિધનો નાશ થાય અથવા ઉપયોગનો નાશ થવાથી એક સમયનું અવસ્થાન ઘટે છે. દેવ-નારકોમાં જેઓને ભવના છેલ્લા સમયે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે તેઓને વિભંગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે પરિણમે છે ત્યાર પછી તે દેવ15 નારકનું મરણ થતાં અધિજ્ઞાન નાશ પામે છે. તેથી ભવના છેલ્લા સમયે અવધિજ્ઞાન હોવાથી એક સમયનું અવસ્થાન ઘટે છે ।।૫૮॥ અવતરણિકા : આમ અવસ્થિતદ્વાર પૂર્ણ થતાં હવે ચલદ્વારને કહે છે → ગાથાર્થ : ક્ષેત્ર-કાળની વૃદ્ધિહાનિ ચાર પ્રકારે છે. દ્રવ્યમાં બે પ્રકારે અને પર્યાયમાં છ પ્રકારે હોય છે. 5 ૧૨૬ 20 ટીકાર્થ : ચલાવિધ એટલે વધ ઘટ થનારો અવિધ. ક્ષેત્ર-કાળની વૃદ્ધિ-હાનિ ચાર પ્રકારે થાય છે. પરમગુરુએ કહ્યું છે કે— “અસંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતગુણવૃદ્ધિ અથવા અસંખ્યાતગુણવૃદ્ધિ” આ પ્રમાણે હાનિ પણ ચાર પ્રકારે જાણવી. અવિધના ક્ષેત્ર, કાળ અનંત ન હોવાથી (કારણ કે અવધિનું ઉત્કૃષ્ટક્ષેત્ર અસંખ્યપ્રદેશનું જ છે અને ઉત્કૃષ્ટકાળ અસંખ્યસમયનો જ છે તેથી) અનંતભાગવૃદ્ધિ અને અનંતગુણવૃદ્ધિ ઘટે નહીં. હાનિમાં પણ ઘટશે નહીં. 25 (કહેવાનો આશય એ છે કે પ્રવર્ધમાન નામના અવિધવડે શરૂઆતમાં જેટલું ક્ષેત્ર દેખાય તેના પછી પ્રતિ સમયે વધતા અધિવડે કો'કને અસંખ્યાતભાગ અધિકક્ષેત્ર દેખાય, કો'કને સંખ્યાતભાગ અધિકક્ષેત્ર દેખાય, આ રીતે વૃદ્ધિ જાણવી. એમ હાનિમાં ઘટતું ક્ષેત્ર જુએ.) દ્રવ્યોને વિષે બે પ્રકારે વૃદ્ધિ-હાનિ છે. અનંતભાગવૃદ્ધિહાનિ તથા અનંતગુણવૃદ્ધિ હાનિ, કારણ કે દ્રવ્યો અંનતા હોવાથી આ જ ભાંગા ઘટે. મૂળમાં ‘પાય’ અહીં જાતિની અપેક્ષાએ એક વચન કરેલ હોવાથી 30 ‘પર્યાયો' એ પ્રમાણે બહુવચનમાં અર્થ જાણવો. તેથી પર્યાયોને વિષે અસંખ્યાત-સંખ્યાત५५. गुणत उत्पन्नेऽपि जघन्येन समयान्तरे प्रतिपातात् मरणेन । ५६. असंख्येयभागवृद्धिर्वा संख्येयभागवृद्धिर्वा संख्येयगुणवृद्धिर्वा असंख्येयगुणवृद्धिर्वा ( प्रज्ञापनायां ) + ०तापयोगत्वे । ★ द्विविधा । Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ચલદ્વાર (નિ. ૫૯) कथम्? – अनन्तभागवृद्धि असंख्येयभागवृद्धिः संख्येयभागवृद्धिः संख्येयगुणवृद्धिः असंख्येयगुणवृद्धिः अनन्तगुणवृद्धिरिति, एवं हानिरपि । आह - क्षेत्रस्यासंख्येयभागादिवृद्धौ तदाधेयद्रव्याणामपि तन्निबन्धनत्वादसंख्येयभागादिवृद्धिरेवास्तु, तथा द्रव्यस्यानन्तभागादिवृद्धौ सत्यां तत्पर्यायाणामपि अनन्तभागादिवृद्धिरिति षट्स्थानकमनुपपन्नमिति, अत्रोच्यते सामान्यन्यायमङ्गीकृत्य इदमित्थमेव, यदा क्षेत्रानुवृत्त्या पुद्गलाः परिसंख्यायन्ते, पुद्गलानुवृत्त्या च तत्पर्यायाः, न चात्रैवं, कथम् ? यस्मात्स्वक्षेत्रादनन्तगुणा: पुद्गलाः, तेभ्योऽपि पर्याया इति, अतो यस्य यथैवोक्ता वृद्धिर्हानिर्वा અનંતભાગવૃદ્ધિ હાનિ તથા સંખ્યાત-અસંખ્યાત-અનંતગુણ વૃદ્ધિહાનિ એમ છ પ્રકારે હોય છે, કારણ કે પર્યાયો અનંતા છે. 5 શંકા : ક્ષેત્રની અસંખ્યેયભાગાદિવૃદ્ધિ થતાં ક્ષેત્રમાં આધેય=૨હેલા દ્રવ્યો પણ ક્ષેત્રનિબંધન=ક્ષેત્રને આધીન હોવાથી દ્રવ્યોની પણ અસં.ભાગાદિ વૃદ્ધિ જ થવી જોઈએ નહીં કે 10 અનંતભાગાદિ તથા દ્રવ્યોની અનંતભાગાદિ વૃદ્ધિ થતાં દ્રવ્યને આધીન પર્યાયોની પણ બે જ પ્રકારે વૃદ્ધિ થવી જોઈએ નહીં કે ષડ્થાન રૂપે. સમાધાન : સામાન્યન્યાયને આશ્રયી એટલે કે ક્ષેત્રાનુવર્તી પુદ્ગલો છે અને પુદ્ગલાનુવર્તી પર્યાયો છે, એમ વિવક્ષા કરીયે ત્યારે તમારી વાત યોગ્ય છે. (અહીં કહેવાનો આશય એ છે કે સમસ્તલોકાકાશના અસંખ્યાતમાં ભાગમાં જેટલા પુદ્ગલો હોય છે. તે પુદ્ગલો સમસ્ત 15 પુદ્ગલાસ્તિકાયનો અસંખ્યાતમો ભાગ જ હોય છે. તેમ ક્ષેત્રના સંખ્યાતમાં ભાગમાં જેટલા પુદ્ગલો છે તેના જો ગણતરી કરીએ તો તે સમસ્ત પુદ્ગલાસ્તિકાયનો સંખ્યાતમો ભાગ જ હોવાનો. તેથી એમ કહેવાય કે ક્ષેત્રની અસંખ્યાતભાગવૃદ્ધિ થાય ત્યારે તેમાં રહેલા દ્રવ્યોની પણ ક્ષેત્રની પ્રધાનતાએ અસંખ્યાતભાગવૃદ્ધિ થઈ. તથા ક્ષેત્રની સંખ્યાતભાગવૃદ્ધિ થાય ત્યારે દ્રવ્યોની સંખ્યાતભાગવૃદ્ધિ થઈ. મ ટે પુદ્ગલો એ ક્ષેત્રાનુવર્તી = ક્ષેત્રને અનુસરનારા છે. એ જ રીતે 20 સમસ્ત પુદ્ગલાસ્તિકાયના અનંતભાગાદિમાં સમસ્ત પર્યાયરાશીનો અનંતભાગાદિ વર્તતો હોવાથી પુદ્ગલદ્રવ્યની જેવા પ્રકારની વૃદ્ધિ-હાનિ થાય તે જ પ્રકારે પર્યાયની પણ વૃદ્ધિ-હાનિ થાય. આમ સામાન્યથી વિચારતા તમે જેમ કહો છો તે પ્રમાણે બરાબર છે.) પરંતુ આ રીતે અહીં સમજવાનું નથી. (અર્થાત્ ક્ષેત્રને આધીન એવા દ્રવ્યના વૃદ્ધિ-હાનિની કે દ્રવ્યને આધીન પર્યાયના વૃદ્ધિ—હાનિની વિચારણા કરવાની નથી, પરંતુ ક્ષેત્રથી નિરપેક્ષ એવા એકલા દ્રવ્યની જ અને 25 દ્રવ્યથી નિરપેક્ષ એવા એકલા પર્યાયની જ વૃદ્ધિ-હાનિની જ વિચારણા કરવાની છે. વિ. . મા. ૭રૂ/૩૬/૨૭) કારણ કે અધિજ્ઞાનમાં જે ક્ષેત્ર દેખાય છે તે ક્ષેત્રમાં તે ક્ષેત્ર કરતા પુદ્ગલો અનંતા હોય છે અને પુદ્ગલો કરતા પર્યાયો અનંતા હોવાથી જે પ્રકારે વૃદ્ધિ-હાનિ કહી છે તે અવિરુદ્ધ છે. તેનું કારણ પણ એ છે કે તે વૃદ્ધિ-હાનિના વિષયો ચોક્કસ છે, (અર્થાત્ અવધિના વિષયભૂત 30 એવી વૃદ્ધિ-હાનિ કહેલા ક્રમ પ્રમાણે જ થાય છે.) અને આ રીતે ચોક્કસ નિયમ હોવામાં એટલે * સ્વપર્યાયા Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મી આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तस्य तथैवाविरुद्धेति, प्रतिनियतविषयत्वात्, विचित्रावधिनिबन्धनाच्चेति गाथार्थः ॥५९॥ एवं तावच्चलद्वारं व्याख्यातम्, इदानीं तीव्रमन्दद्वारावयवार्थं व्याचिख्यासुरिदमाह - फड्डा ये असंखिज्जा, संखेज्जा यावि एगजीवस्स। एकप्फडवओगे, नियमा सव्वत्थ उवउत्तो ॥६०॥ व्याख्या - इह फडकानि अवधिज्ञाननिर्गमद्वाराणि अथवा गवाक्षजालादिव्यवहितप्रदीपप्रभाफडकानीव फडकानि, तानि चासंख्येयानि संख्येयानि चैकजीवस्य, तत्रैकफड़कोपयोगे पति नियमात् 'सर्वत्र' सर्वैः फडकैरुपयुक्ता भवन्ति, एकोपयोगत्वाज्जीवस्य, लोचनद्वयोपयोगवद्, प्रकाशमयत्वाद्वा प्रदीपोपयोगवदिति । आह-तीव्रमन्दद्वारं प्रक्रान्तं विहाय फड्डकावधिस्वरूपं प्रतिपादयतः प्रक्रमविरोध इति, अत्रोच्यते, प्रायोऽनुगामुकाप्रतिपातिलक्षणौ फडकौ तीव्रौ, तथेतरौ 10 મન્દી, સમયસ્વભાવતા ચ સ્થિતિ પથાર્થ: ૬૦ | કે આ ક્રમથી જ વૃદ્ધિ-હાનિ થવામાં અવધિનો વિચિત્ર ક્ષયોપશમ જ કારણ છે. //પો અવતરણિકા : ચલદ્વાર કહ્યું. હવે તીવ્ર-મન્ડદ્વાર કહે છે ? ગાથાર્થ : એક જીવને અસંખ્યાતા, સંખ્યાતા ફકો હોય છે. તેમાં એક ફકધારા ઉપયોગ થતાં સર્વ ફર્ડકો દ્વારા ઉપયોગ થાય છે. : અહીં ફક એટલે અવધિજ્ઞાનને નીકળવાના સ્થાને અથવા ગવાક્ષ (ગેલેરી જેવી જગ્યા)ની જાળી વગેરેથી અન્તરિત થયેલ અર્થાત્ જાળીની એક બાજુ રહેલ પ્રદીપમાંથી નીકળેલી પ્રભાના (જાળીમાંથી પસાર થઈ બીજી બાજુ પડતી પ્રજાના) જેવા ટૂકડા પડે છે તેવા અવધિજ્ઞાનના ટૂકડાને ફક કહેવાય છે. એક જીવને આવા અસંખ્યાત કે સંખ્યાત ફડુંકસ્થાનો હોય છે તેમાં એક ફરુકદ્વારા જીવ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે ત્યારે નિયમથી સર્વ ફડકોવડે દ્રવ્યાદિને જુએ છે, કારણ 20 કે જીવ એક ઉપયોગવાળો હોય છે, જેમ પુરુષ એક આંખદ્વારા જે વસ્તુને જુએ તે વસ્તુને બીજી આંખ પણ જોવાની જ અથવા દીપક પોતે પ્રકાશમય હોવાથી જયારે એક દિશામાં રહેલ વસ્તુને જોવા દીપકનો ઉપયોગ કરીએ ત્યારે તે દીપક ચારે દિશાને પ્રકાશિત કરે છે, તેમ અહીં પણ જાણવું. શંકા : અત્યારે ક્રમશઃ તમારે તીવ્ર-મંદદ્વારનું નિરૂપણ કરવાનું છે તેને છોડી ફકાવધિનું સ્વરૂપ બતાવવું એ શું પ્રસ્તુતને વિરોધી નથી ? સમાધાન : અહીં જે આનુગામિક અને અપ્રતિપાતી એવા ફડકો છે, તે તીવ્રવિશુદ્ધિથી યુક્ત હોવાથી તીવ્ર કહેવાય છે. તથા ઈતર છે એટલે કે અનાનુગામિ અને પ્રતિપાતી ફડકો અવિશુદ્ધ હોવાથી મુન્દ છે. તથા મિશ્રફરૂકો ઉભયસ્વભાવી એટલે કે તીવ્ર-મંદ હોય છે તેથી પ્રસ્તુત વાતને જ અનુસરનારું આ નિરૂપણ હોવાથી વિરોધ નથી), (૬oll ५७. द्वाभ्यां नेत्राभ्यां निरीक्षते नरो युगपत्, न चानेकोपयोगता, तद्वदत्राप्यनेकस्पर्धकैरुपयोगे30 sળેલા નાને યોજાતા, નેત્રોથોને ર ૩૫યો યોવ, યુપદુપયુનત્વાન્ ! ૧૮. ૩પયો: = कार्य, न च दीप एकया दिशा प्रकाशयति केवलं, किं तु सर्वाभिः । ५९. विशेषस्पर्धकसद्भावे तीव्रत्वमवधेरितरथा चेतरत् मध्यमे च मिश्रति कारणं तीव्रादेः स्पर्धकान्येवेति तद्दर्शने न प्रक्रमविरोध રૂત્યર્થ: I + પ્રફુર્િ + ૦ચુ મતિ ! Page #152 -------------------------------------------------------------------------- ________________ ફડકોનું આનુગમિકાદિ સ્વરૂપ (નિ. ૬૧) फड्डाय आणुगामी, अणाणुगामी य मीसगा चेव । पडिवाइ अपडिवाई, मीसो य मणुस्सतेरिच्छे ॥ ६१ ॥ ૧૨૯ व्याख्या-फड्डुकानि-पूर्वोक्तानि तानि च अनुगमनशीलानि आनुगामुकानि, एतद्विपरीतानि * अनानुगामुकानि, उभयस्वरूपाणि मिश्रकाणि च, एवकारः अवधारणे, तान्येकैकशः प्रतिपतनशीलानि प्रतिपातीनि, एवमप्रतिपातीनि मिश्रकाणि च भवन्ति, तानि च मनुष्यतिर्यक्षु योऽवधिस्तस्मिन्नेव 5 भवन्तीति । आह-आनुगामुकाप्रतिपातिफड्डुकयोः कः प्रतिविशेषः ?, अनानुगामुकप्रतिपातिफड्डुकयोर्वेति, अत्रोच्यते, अप्रतिपात्यानुगामुकमेव, आनुगामुकं तु प्रतिपात्यप्रतिपाति च भवतीति शेषः । तथा प्रतिपतत्येव प्रतिपाति, प्रतिपतितमपि च सत् पुनर्देशान्तरे जायत एवं, नेत्थमनानुगामुकमिति गाथार्थः ॥ ६१ ॥ व्याख्यातं तीव्रंमन्दद्वारं, इदानीं प्रतिपातोत्पादद्वारं विवृण्वन् गाथाद्वयमाह 'बाहिरलंभे भज्जो, दव्वे खित्ते य कालभावे य । 10 (અવતરણિકા : ફકોનું આનુગમિકાદિ સ્વરૂપ બતાવે છે ગાચાર્ય ઃ ફડકો આનુગામી, અનાનુગામી અને મિશ્ર એમ ત્રણ પ્રકારે છે તે દરેક પ્રતિપાતી, અપ્રતિપાતી અને મિશ્ર એમ ત્રણ-ત્રણ પ્રકારે મનુષ્ય-તિર્યંચોમાં હોય છે. C ટીકાર્થ : અનુગમન કરવાના સ્વભાવવાળા ફડકો આનુગામિક કહેવાય છે. તેનાથી વિપરીત 15 અનાનુગામિક ણવા. ઉભયસ્વભાવવાળા મિશ્ર તરીકે ઓળખાય છે. આનુગામિક, અનાનુગામિક અને મિશ્ર આ ત્રણ પાછા ત્રણ-ત્રણ પ્રકારના હોય છે. પ્રતિપાતી, અપ્રતિપાતી અને મિશ્ર. તેમાં પ્રતિપાતી = જે પડવાના સ્વભાવવાળા હોય, અપ્રતિપાતી = જીવનપર્યંત રહેનારા. તથા મિશ્ર= ઉભયસ્વભાવવાળા. આવા પ્રકારના ફડ્ડકો મનુષ્ય-તિર્યંચના અવધિમાં જ હોય છે. શંકા : આનુગામિક અને અપ્રતિપાતી અથવા અનાનુગામિક અને પ્રતિપાતી. વચ્ચે શું 2 તફાવત છે ? સમાધાન : જે અપ્રતિપાતી ફડકો છે તે આનુગામિક જ હોય છે. જ્યારે આનુગામિક ફડ્ડકો પ્રતિપાતી હોય છે અને અપ્રતિપાતી પણ હોય છે. જે પ્રતિપાતી છે તે અવશ્ય પડે છે, પરંતુ પડેલું પાછું ફરી દેશાન્તરમાં ઉત્પન્ન થાય જ છે. (અહીં ટીકામાં દેશાંતરમાં ઉત્પન્ન થાય જ એમ જકાર જણાવ્યો છે, પણ પૂ. મલયગિરિટીકામાં જકાર નથી પરંતુ વૈકલ્પિક છે) જ્યારે 25 અનાનુગમિક એવું હોતું નથી (અર્થાત્ દેશાંતરે જતા નાશ પામે જ અને મૂળસ્થાને આવતા ફરી ઉત્પન્ન થાય જ. ||૬૧|| અવતરણિકા : તીવ્ર-મંદદ્વાર પૂર્ણ થયું. હવે પ્રતિપાતાંત્પાદક્કારનું વિવરણ કરે છે ૢ ગાથાર્થ : બાહ્યાવધિ પ્રાપ્ત થતાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવમાં એક સમયે ૭ પાદ, પ્રતિપાત ६०. असंख्येयानां संख्येयानां वोत्पन्नानां स्पर्धकानामवस्थानात् क्षेत्रान्तरेऽपि । ६१. आ कैवल्याप्तेः 30 भवक्षयात् स्थानापेक्षया भवान्तरेवऽस्थानमाश्रित्य च । ६२. प्रतिपातिनोऽप्यानुगामुकत्वदर्शनायेदम् । ૬રૂ. સ્પર્ધપારમિધાનારા । તદ્વિપરીતાનિ ચ । + વિશેષઃ । Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) उप्पा पडिवाओऽविय, तं' उभयं एगसमएणं ॥६२॥ अब्भितरलद्धीए, उ तदुभयं नत्थि एगसमएणं । उप्पा पडिवाओऽविय, एगयरो एगसमएणं ॥६३॥ व्याख्या - तत्र द्रष्टुर्बहिर्योऽवधिस्तस्यैव एकस्यां दिशि अनेकासु वा विच्छिन्नः स बाह्यः 5 तस्य लाभो बाह्यलाभः, अधिः प्रक्रमात् गम्यते, अस्मिन् बाह्यलाभे सति-बाह्यावधिप्राप्तौ सत्यां મો' વિકત્વની:, વોડશ ? – ઉત્પાઃ પ્રતિપાત તમય સમયેનેતિ સ્વિચ, किंविषय इति ?, आह - 'द्रव्य' इति द्रव्यविषयः, एवं क्षेत्रकालभावविषय इति, अपिचशब्दाः पूरणसमुच्चयार्थाः । अयं भावार्थ:-एकस्मिन् समये द्रव्यादौ विषये बाह्यावधेः कदाचिदुत्पादो भवति कदाचिद्व्ययः कदाचिदुभयं, दावानलदृष्टान्तेन, यथा हि दावानलः खल्वेककाल एवैकतो 10 दीप्यतेऽन्यतश्च ध्वंसत इति, तथा अवधिरपि एकदेशे जायते अन्यत्र प्रच्यवत इति गाथार्थः ।।६२।। અને ઉત્પાદ–પ્રતિપાતની ભજના જાણવી. ગાથાર્થ : જ્યારે અત્યંતરાવધિ પ્રાપ્ત થાય ત્યારે એક સમયે ઉત્પાદ–પ્રતિપાતરૂપ ઉભય થતાં નથી. પણ એક સમયે ઉત્પાદ કે પ્રતિપાત બંનેમાંથી એક થાય છે. પ્રથમટીકાર્થ અવધિવાળા એવા દેખાથી બહાર=અસંબદ્ધ એવું જે અવધિ, તેની (દખાની) જ એક 15 દિશામાં અથવા અનેક દિશામાં વિચ્છિન્ન હોય અર્થાત છૂટું છવાયું હોય તે બાહ્યાવધિ કહેવાય છે. (અર્થાત જે અવધિમાં દા પોતે જ્યાં છે તેની આજુબાજુ ન દેખાય પણ થોડા અંતર પછીનું દેખાય, તે પણ એક દિશામાં છૂટું છવાયું દેખાય. આવા અવધિને બાહ્યાવધિ કહેવાય.) તેની પ્રાપ્તિ અર્થાત તે બાહ્યાવધિ પ્રાપ્ત થતાં દ્રવ્યાદિ વિષયમાં ઉત્પાદ, પ્રતિપાત અને તદુભયની એક સમયમાં ભજના જાણવી. કહેવાનો આશય એ છે કે એક જ સમયે દ્રવ્યાદિ વિષયમાં બાહ્યાવધિનો ક્યારેક ઉત્પાદ થાય, ક્યારેક વ્યય, તો 20 ક્યારેક ઉભય થાય છે. જેમ દાવાનલ એક જ કાળમાં એક બાજુ સળગે છે તો બીજી બાજુ નાશ પામે છે, તેમ આ અવધિ પણ એક દેશમાં ઉત્પન્ન થાય છે તો તે જ સમયે અન્ય દેશમાં નાશ પામે છે. (વિશેષ-આવશ્યક-ભાષ્યમાં ગા. ૭૫૦ આ અવધિનો થોડો વધુ વિસ્તાર કર્યો છે તે આ પ્રમાણે કે એક સમયે ઉત્પાદ થાય એટલે પ્રથમ અલ્પદ્રવ્યાદિ સંબંધિ બાહ્યાવધિ ઉત્પન્ન થઈને પછી અધિકદ્રવ્યાદિ પદાર્થોને જુએ તે ઉત્પાદ કહેવાય. આ સમયે માત્ર ઉત્પાદ જ થાય પણ 25 પ્રતિપાદ ન થાય. તેમ કોઈ વખત એક સમયે પૂર્વે જોયેલા દ્રવ્યાદિ કરતા હીન હીન દ્રવ્યાદિ જુએ તો તે એક સમયે થયેલો પ્રતિપાત કહેવાય. આ સમયે માત્ર પ્રતિપાત જ થાય પણ ઉત્પાદ ન થાય. કોઈ વખત ઉભય એક સમયમાં થાય એટલે કે જ્યારે એક દિશાનું બાહ્યાવધિ હોય તો ક્યારેક તે વ્યક્તિને તે દિશાસંબંધિ પોતાની પાસે રહેલી વસ્તુ ન દેખાય તે પ્રતિપાત કહેવાય. પરંતુ તે દિશામાં પોતાનાથી દૂર રહેલ વસ્તુ દેખાવાનું ચાલુ થાય તે ઉત્પાદ કહેવાય. અથવા 30 અનેક દિશાનું અવધિ થયું હોય તો, એક દિશામાં ઉત્પાદ થાય ત્યારે અન્ય દિશામાં પ્રતિપાત થાય. આમ, ઉભય એક સમયે થાય.) l/૬રા. ૬૪. મનુસપુષ્યથાર્થતી પરમUત્નાાિરોfપા તમય વેT * વધે: + તસ્મિન કાશ Page #154 -------------------------------------------------------------------------- ________________ 10. પ્રતિપાતોત્પાદદ્વાર તથા દ્રવ્યપર્યાયનો પરસ્પર સંબંધ (નિ. ૬૪) કે ૧૩૧ द्वितीयगाथाव्याख्या-इह द्रष्टुः सर्वतः संबद्धः प्रदीपप्रभानिकरवदवधिरभ्यन्तरोऽभिधीयते तस्य लब्धिरभ्यन्तरलब्धिः तस्यामभ्यन्तरलब्धौ तु सत्यां अभ्यन्तरावधिप्राप्तावित्यर्थः । तुशब्दो विशेषणार्थः, किं विशिनष्टि ? - तच्च तदुभयं च तदुभयं, उत्पातप्रतिपातोभयं नास्त्येकसमयेन, 'द्रव्यादौ विषये' इत्यनुवर्त्तते, किं तर्हि ? उत्पादः प्रतिपातो वा एकतर एव एकसमयेन, अपिशब्दस्यैवकारार्थत्वात् । अयं भावार्थः - प्रदीपस्येवोत्पाद एव प्रतिपातो वाएकसमयेन भवति अभ्यन्तरावधेर्न तूभयं, 5 अप्रदेशावधित्वादेव, न ह्येकस्य एकपर्यायेणोत्पादव्ययौ युगपत्स्यातां अङ्गल्याकुञ्चनप्रसारणवदिति થાર્થ: દ્રા प्रतिपादितं प्रतिपातोत्पादद्वारं, इदानीं यदुक्तं 'संखेज्ज मणोदव्वे, भागो लोगपलियस्स' ( ४२ ) इत्यादि, तत्र द्रव्यादित्रयस्य परस्परोपनिबन्ध उक्तः, इदानीं द्रव्यपर्याययोः प्रसङ्गत एवोत्पादप्रतिपाताधिकारे प्रतिपादयन्नाह - - સુબ્બા માંગ્લેિંન્ને, સં9* માવિ પન્નવે ના दो पज्जवे दुगुणिए, लहइ य एगाउ दव्वाउ॥६४॥ દ્વિતીયટીકાર્થ : જે અવધિ દ્રષ્ટાને ચારે બાજુથી દીપકની પ્રજાના સમૂહની જેમ (અર્થાત દીપકની પ્રભા દીપકને જોડાયેલી જ હોય વચ્ચે વિચ્છિન્ન ન હોય તેમ) સંબદ્ધ હોય તે અભ્યતરાવધિ કહેવાય છે. તે પ્રાપ્ત થતાં દ્રવ્યાદિવિષયમાં ઉત્પાદ–પ્રતિપાતોભય થતાં નથી. 15 પરંતુ કાંતો ઉત્પાદ કાંતો પ્રતિપાત જ એક સમયે થાય છે, કારણ કે આ અવધિ અપ્રદેશ = વિભાગ વિનાનું છે. જે વિભાગવાળું હોય તેના એક ભાગમાં ઉત્પાદ અને અન્ય ભાગમાં પ્રતિપાત ઘટે, વિભાગ વિનામાં ઘટે નહીં. જેમ આંગળી એક છે તેથી તેનું કાં'તો સંકુચન થાય કાં'તો પ્રસારણ થાય, પણ ઉભય થાય નહીં. એમ આ અવધિ પણ એક હોવાથી એક પર્યાયવડે ઉભય થાય નહીં. (એક જ વસ્તુમાં એક પર્યાયનો ઉત્પાદ, બીજાનો નાશ થઈ શકે, પણ 20 એક જ વસ્તુમાં એક જ સમયે એક પર્યાયનો ઉત્પાદ અને તેનો જ નાશ ન થાય. અત્યંતરાવધિ એક જ પર્યાયરૂપ છે. અખંડ હોવાથી તેમાં ઉત્પાદ–વિનાશ બંને સાથે ન થઈ શકે.) IN૬૩ અવતરણિકા : પ્રતિપાતોત્પાદદ્વારનું પ્રતિપાદન કર્યું. હવે પૂર્વે જે કહ્યું હતું કે “મનોદ્રવ્યને જોનાર ક્ષેત્રથી લોકના અસંખ્યાતભાગને અને કાળથી પલ્યોપમના સંખ્યાતભાગને જુએ છે” તેમાં મનોદ્રવ્ય, ક્ષેત્ર અને કાળ એ ત્રણનો પરસ્પરસંબંધ બતાવ્યો હતો. અહીં ઉત્પાદ-પ્રતિપાતના 25 અધિકારમાં દ્રવ્ય-પર્યાયનો પરસ્પરસંબંધ પ્રસંગથી બતાવે છે ; ગાથાર્થ : અવધિજ્ઞાની દ્રવ્ય કરતા ઉત્કૃષ્ટથી અસંખ્યાતા, મધ્યમથી સંખ્યાતા અને જઘન્યથી દ્વિગુણિત બે પર્યાયોને જુએ છે. દૂધ. સંધ્યેયો મનોદ્રવ્યવિપડવૉ મા નો પલ્યોપમયો: = વિમા કે ઉત્પાઃ પ્રતિo 30 + સમયેનૈવ * સંબ્રિજ્ઞ + અસંgm I Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કે આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) व्याख्या-परमाण्वादिद्रव्यमेकं पश्यन् द्रव्यात्सकाशात् तत्पर्यायान् उत्कृष्टतोऽसंख्येयान् संख्येयाँश्चापि मध्यमतो लभते प्राप्नोति पश्यतीत्यनर्थान्तरं, तथा जघन्यतस्तु द्वौ पर्यायौ द्विगुणितो 'लभते च' पश्यति च एकस्माद् द्रव्यात्, एतदुक्तं भवति-वर्णगन्धरसस्पर्शानेव प्रतिद्रव्यं पश्यति, न त्वनन्तान्, सामान्यतस्तु द्रव्यानन्तत्वादेव अनन्तान् पश्यतीति गाथार्थः ।।६४॥ 5 साम्प्रतं युगपज्ज्ञानदर्शनविभङ्गद्वारावयवार्थाभिधित्सयाऽऽह सागारमणागारा, ओहिविभंगा जहण्णगा तुल्ला । उवरिमगेवेज्जेसु उ, परेण ओही असंखिज्जो ॥६५॥ व्याख्या-तत्र यो विशेषग्राहकः स साकारः, स च ज्ञानमित्युच्यते. यः पुनः सामान्यग्राहकोऽवधिर्विभङ्गो वा सोऽनाकारः, स च दर्शनं गीयते, तत्र साकारानाकाराववधिविभङ्गो 10 जघन्य कौतुल्यावेव भवतः, सम्यग्दृष्टेरवधिः, मिथ्यादृष्टेस्तु स एव विभङ्गः, लोकपुरुषग्रीवा संस्थानीयानि ग्रैवेयकाणि विमानानि, उपरिमाणि च तानि ग्रैवेयकाणि चेति समासः, तुशब्दोऽपिशब्दस्यार्थे द्रष्टव्यः, भवनपतिदेवेभ्यः खल्वारभ्य उपरिमग्रैवेयकेष्वपि अयमेव न्यायो यदुत-साकारानाकारौ अवधिविभङ्गौ जघन्यादारभ्य तुल्याविति, न तूत्कृष्टौ, ततः परेण' इति परतः ટીકાર્થ : પરમાણુ વગેરે એક દ્રવ્યને જોનાર તે દ્રવ્યના ઉત્કૃષ્ટથી અસંખ્યાતા, મધ્યમથી 35 સંખ્યાતા અને જઘન્યથી દ્વિગુણિત બે અર્થાત્ ચાર પર્યાયોને જુએ છે. એટલે કે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરૂપ ચાર પર્યાયોને જુએ છે. પરંતુ એક દ્રવ્યના અનંતાપર્યાયોને જુએ નહીં. સામાન્યથી દ્રવ્યો અનંતા હોવાથી અનંતાપર્યાયોને જુએ. પરંતુ એક જ દ્રવ્યના અનંતાપર્યાય ન જુએ. 1/૬૪ અવતરણિકા : હવે એક સાથે જ્ઞાન, દર્શન અને વિભંગદ્વારોનું વર્ણન કરે છે ? ગાથાર્થ : સાકાર, અનાકાર અવધિના અને વિર્ભાગજ્ઞાનના વિષયો જઘન્યથી ઉપરિતન રૈવેયક સુધી તુલ્ય હોય છે. ત્યાર પછીના અનુત્તરદેવોમાં અવધિના વિષયો અસંખ્ય હોય છે. ટીકાર્થ : જે વિશેષગ્રાહી હોય તે સાકારાવધિ છે. અને તેને અવધિજ્ઞાન કે વિંભંગજ્ઞાન કહેવાય છે. જે સામાન્યગ્રાહી વિભંગ કે અવધિ છે તે અનાકાર છે અને તેને અવધિદર્શન કહેવાય છે. તેમાં જઘન્યકક્ષાના સાકાર-અનાકાર અવધિ-વિભંગ તુલ્ય હોય છે. સમ્યગ્દષ્ટિને તે 25 અવધિરૂપ હોય છે. જ્યારે મિથ્યાષ્ટિને તે જ વિર્ભાગરૂપે હોય છે. લોકરૂપ પુરુષના ડોકને સ્થાને હોવાથી તે વિમાનો ધૈવેયકના નામે ઓળખાય છે. ઉપરના જે રૈવેયક તે ઉપરિતન ચૈવેયક, એ પ્રમાણે સમાસ જાણવો. | ‘તુ' શબ્દ ‘અપિ” શબ્દના અર્થમાં છે. તેથી ભવનપતિથી લઈને ઉપરિતન રૈવેયકમાં પણ આ જ ન્યાય જાણવો કે જઘન્ય એવા સાકાર-અનાકાર અવધિ-વિભંગતુલ્ય હોય છે. અહીં 30 તુલ્યતા ક્ષેત્ર-કાળને આશ્રયી જાણવી. પણ દ્રવ્ય-ભાવને આશ્રયી નહીં. એવો મલયગિરિ ટીકામાં ખુલાસો કરેલ છે.) આ દેવોનું ઉત્કૃષ્ટ અવધિ-વિભંગ તુલ્ય હોતું નથી. (અર્થાત્ જઘન્યાવધિજ્ઞાન. +असंखिज्जा जघन्यको। Page #156 -------------------------------------------------------------------------- ________________ દેશદ્વાર (નિ. ૬૬) ક ૧૩૩ अवधिरेव भवति, मिथ्यादृष्टीनां तत्रोपपाताभावात्, स च क्षेत्रतः असंख्येयो भवति, योजनापेक्षयेति પથાર્થ: IIE, I इदानी देशद्वारावयवार्थं प्रचिकटयिषुरिदमाह णेरड्यदेवतित्थंकरा य, ओहिस्सऽबाहिरा हुँति । पासंति सव्वओ खलु, सेसा देसेण पासंति ॥६६॥ व्याख्या--'नारकाः' प्राग्निरूपितशब्दार्थाः देवा अपि तीर्थकरणशीलास्तीर्थकराः, नारकाश्च देवाश्च तीर्थकराश्चेति विग्रहः, चशब्द एवकारार्थः, स चावधारणे, अस्य च व्यवहितः सम्बन्ध इति दर्शयिष्यामः, एते नारकादयः 'अवधेः' अवधिज्ञानस्य न बाह्या अबाह्या भवन्ति, इदमत्र हृदयंअवध्युपलब्धस्य क्षेत्रस्यान्तर्वर्तन्ते, सर्वतोऽवभासकत्वात्, प्रदीपवत्, ततश्चार्थादबाह्यावधय एव મવાન્ત, નૈષો વહીવંધાવતીચર્થઃ | તથા પતિ ‘સર્વત: ' સર્વીસ ફિક્ષ વિદિક્ષ , 10 खलुशब्दोऽप्येवकारार्थः, स चावधारण एव, सर्वास्वेव दिग्विदिक्ष्विति, सर्वत एवेत्यर्थः । आहअवधेरबाह्या भवन्तीत्यस्मादेव पश्यन्ति सर्वत इत्यस्य सिद्धत्वात् ‘पश्यन्ति सर्वतः' इत्येतदतिरिच्यते इति, अत्रोच्यते, नैतदेवं, अवधेरबाह्यत्वे सत्यपि अभ्यन्तरावधित्वे सत्यपीतिभावः, न सर्वे सर्वतः જઘન્યવિર્ભાગજ્ઞાનને તુલ્ય છે. પણ ઉત્કૃષ્ટાવધિજ્ઞાન, ઉત્કૃષ્ટવિર્ભાગજ્ઞાનને તુલ્ય નથી.) ત્યાર પછીના અનુત્તરવાસીદેવોને અવધિ જ હોય છે વિભંગ હોતું નથી. કારણ કે ત્યાં મિથ્યાત્વીનો 15 ઉપ પાત થતો નથી. તેઓને એ અવધિક્ષેત્રથી અસંખ્યાતયોજન સુધી હોય છે. ૬પો અવતરણિકા : હવે દેશદ્વારને પ્રગટ કરવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકારશ્રી જણાવે છે ? ગાથાર્થ : નારક, દેવો અને તીર્થંકરો અવધિની બહાર હોતા નથી. તેઓ ચારેબાજુ જુએ છે. શેષ લોકો દેશથી જુએ છે. ટીકાર્થ : જેનો શબ્દાર્થ પૂર્વે જણાવેલ છે એવા નારકો, ‘દેવ’ શબ્દનો પણ શબ્દાર્થ પૂર્વે 20 જણાવેલ છે. તીર્થને કરવાના સ્વભાવવાળા જે હોય તે તીર્થકરો. નારકો, દેવો અને તીર્થકરો એ આ પ્રમાણે ન્દ્રસમાસનો વિગ્રહ કરવો. “ર' શબ્દ વિ કાર અર્થવાળો છે. અને તે એવકારો જકારના અર્થમાં છે. તેનો સંબંધ અન્ય સ્થાને જોડવો, જે આગળ અમે બતાવીશું. આ નારક વગેરે અવધિને બાહ્ય જ પૂર્વે કહેલ 'ચ' શબ્દનો સંબંધ અહીં જોડવો.) હોય છે. અર્થાત તેઓન બાહ્યાવધિ હોતું નથી, કારણ કે તેઓ પ્રદીપની જેમ અવધિથી દેખાતા ક્ષેત્રની અંદર વર્તે 25 છે. જેમ પ્રદીપ ચારે દિશાને પ્રકાશિત કરતો પોતે મધ્યમાં રહે છે, તેમ આ લોકોને દિશાવિદિશા બધી જ દેખાતી હોવાથી તેઓ પણ તે દિશા–વિદિશા વચ્ચે રહેલા છતાં પોતાની ચારે બાજુના પદાર્થો જુએ છે. તેથી તેઓ અબાહ્યાવધિવાળા કહેવાય છે. શંકા : ‘તઓને બાહ્યાવધિ હોતું નથી' આટલું કહેવા માત્રથી જણાય જ જાય છે કે તેઓ પોતાની ચારેબાજુ જુએ છે. તેથી “પશ્યત્તિ સર્વતઃ” શબ્દ શું વધારાનો નથી લાગતો ? 30 સમાધાન : ના, અવધિથી અબાહ્ય હોવા માત્રથી અર્થાત્ અભ્યતરાવધિ હોવા માત્રથી બધા ચારેબાજુ જુએ એવો નિયમ નથી કારણ કે અવધિની વિચિત્રતા હોવાથી કોઈકને બે દિશા વચ્ચેના Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) પન્તિ, વિન્તરાભાવર્શનાત્, અવધેવિચિત્રત્વાદ્, તો નાતિરિવ્યત કૃતિ, ‘શેષા: ’તિર્યંના ‘વેશેન’ इत्येकदेशेन पश्यन्ति, अत्रेष्टतोऽवधारणविधिः शेषा एव देशतः पश्यन्ति, न तु शेषा देशत एवेति गाथार्थः। अथवा अन्यथा व्याख्यायते - नारकदेवैतीर्थंकरा अवधेरबाह्या भवन्तीति, किमुक्तं भवति ?नियतावधय एव भवन्ति, नियमेनैषामवधिर्भवतीत्यर्थः, अतः संशय:- किं ते तेन सर्वतः पश्यन्ति 5 આોશિદ્દેશત કૃતિ, અતસ્તત્ત્વવછેવાર્થમા—પત્તિ સર્વત વ । આયોવં ‘પન્તિ સર્વતઃ' इत्येतावदेवास्तु, अवधेरबाह्या भवन्तीति नियतावधित्वख्यापनार्थमनर्थकं, न, नियतावधित्वस्यैव विशेषणार्थत्वादस्य, अवधेरबाह्या भवन्तीति सदाऽवधिज्ञानवन्तो भवन्तीतिज्ञापनार्थत्वाददुष्टं । आह- ननु नारकदेवानां भवप्रत्ययावधिग्रहणात् तीर्थकृतामपि प्रसिद्धतरंपारभविकावधिसमन्वागमादेव नियतावधित्वं सिद्धमिति, अत्रोच्यते, नियतावधित्वे सिद्धेऽपि न 10 सर्वकालावस्थायित्वसिद्धिरित्यतस्तत्प्रदर्शनार्थमवधेरबाह्या भवन्तीति सदाऽवधिज्ञानवन्तो भवन्तीति આંતરાઓ (=વિદિશાઓ) દેખાતા હોતા નથી. જ્યારે ઉપરોક્ત વ્યક્તિઓને અત્યંતરાવિધ હોવા સાથે ચારેબાજુનું જ્ઞાન થાય છે એવું સ્પષ્ટ જણાવવા ઉપરોક્ત શબ્દો મૂકેલા છે. શેષ તિર્યંચ-મનુષ્યો એક દેશથી જુએ છે. અહીં ઇષ્ટ એવો અવધારણ=જકાર મૂકાય છે. તેથી શેષો જ દેશથી જુએ છે એવો અર્થ કરવો, પણ શેષ લોકો દેશથી જ જુએ છે એવો અર્થ કરવો નહીં. એ પ્રમાણે ગાથાર્થ જાણવો. 15 અથવા આ ગાથાનો બીજી રીતે અર્થ કરે છે.. નારક, દેવો અને તીર્થંકરો અવધિથી અબાહ્ય હોય છે અર્થાત્ નિયમથી એઓને અવધિ હોય છે. હવે કોઈને શંકા થાય કે તેઓ તે અવિધવડે ચારેબાજુ જુએ છે કે એક બાજુનું જુએ છે ? આવી શંકાનુ સમાધાન કરવા જણાવ્યું છે કે તેઓ ચારેબાજુ જુએ છે. : શંકા : તો પછી ‘પશ્યન્તિ સર્વતઃ' શબ્દ જ પૂરતો છે. (કારણ કે તેનાથી તેમને અવધિજ્ઞાન 20 હોય તે સિદ્ધ થાય જ છે,) અવધિજ્ઞાનનું નિયતપણું જણાવવા માટે “અવધિથી અબાહ્ય હોય છે' એવું કહેવું નિરર્થક છે. સમાધાન : આ શબ્દ નિયતાવધિપણાના જ વિશેષ-અર્થને (કાયમપણાને) જણાવવા માટે છે. આશય એ છે કે “સર્વતઃ પશ્યન્તિ” શબ્દોથી તેઓને નિયમથી અવધિજ્ઞાન હોય તે વાત સિદ્ધ થાય છે, પરંતુ તે અવિધ કાયમ માટે હોય કે નહીં ? એવી કોઈને શંકા ન થાય તે માટે 25 'અવધેરવાદ્યા મત્તિ' દ્વારા તેઓને સદાકાળ અવિધ હોય છે એવું જણાવેલ થાય છે. શંકા : ના૨ક અને દેવોને ભવપ્રત્યય—અવધિ હોવાથી તથા તીર્થંકરોને પણ પૂર્વભવનું અવિધ હોય છે એ વાત પ્રસિદ્ધ જ હોવાથી તેઓને નિયતાવધિ સિદ્ધ થઈ જ જાય છે પછી શા માટે ‘અવધેરવાદ્યા મત્તિ' શબ્દ લખ્યો ? સમાધાન : નિયતાવધિ સિદ્ધ થવા છતાં આ 30 થઈ જતી નથી. માટે અવિધથી અબાહ્ય જ હોય છે આ શબ્દ હોવાથી કોઈ દોષ નથી. શબ્દો વિના સર્વકાળાવસ્થાયિત્વની સિદ્ધિ = સદા અધિજ્ઞાનવાળા છે એ કહેવા માટે * અત્રેષ્ટિતો૦ + ૦તીર્થના ! * oતિ, મુિ મતિ ? –સત્તાવધેરવાદ્યા ભવન્તિ, નિયતાવધય નૃત્યર્થ: 1ઞાન. Page #158 -------------------------------------------------------------------------- ________________ 5 ક્ષેત્રધાર (નિ. ૬૭) ક ૧૩૫ ज्ञापनार्थत्वाददुष्टं । आह-यद्येवं तीर्थकृतां सर्वकालावस्थायित्वं विरुध्यत इति, न, तेषां केवलोत्पत्तावपि वस्तुतस्तत्परिच्छेदस्य निष्ठत्वात्, केवलेन सुतरां संपूर्णानन्तधर्मकवस्तुपरिच्छित्तेः, छद्मस्थकालस्य वा विवक्षितत्वाददोष इति, अलं विस्तरेण, शेषं पूर्ववदिति गाथार्थः ॥६६॥ एवं देशद्वारावयवार्थमभिधायेदानी क्षेत्रद्वारं 'विवुवूर्षुराह संख्रिज्जमसंखिज्जो, पुरिसमबाहाइ खित्तओ ओही। संबद्धमसंबद्धो, लोगमलोगे य संबद्धो ॥६७।। व्याख्या-तत्र संबद्धश्चासंबद्धश्च अवधिर्भवति, किमुक्तं भवति ?-कश्चिद् द्रष्टरि संबद्धो भवति, प्रदीपप्रभावत्, 'कश्चिच्च असंबद्धो भवति, "विप्रकृष्टतमोव्याकुलदेशप्रदीपदर्शनवत् । तत्र यस्तावदसंबद्धः असौ संख्येयः असंख्येयो वा । पूर्णः सुखदुःखानामिति पुरुषः, पुरि शयनाद्वा पुरुष इति । पुरुषादबाधा, अबाधनमबाधा अन्तरालमित्यर्थः, पुरुषाबाधा पुरुषाबाधा तया 10 શંકા : જો આ રીતે હોય તો “તીર્થકરોને અવધિ સદાકાળ માટે હોય” એ વચન ઘટશે નહી, કારણ કે કેવળજ્ઞાન ઉત્પન્ન થતા અવધિનું સર્વકાળસ્થાયિત્વ ક્યાં રહ્યું ? સમાધાન : તમારી વાત યોગ્ય નથી કારણ કે કેવળજ્ઞાન ઉત્પન્ન થવા છતાં ખરેખર અવધિ વડે થતું જ્ઞાન તો અકબંધ જ છે, ઊલટું કેવળજ્ઞાનવડે તો સંપૂર્ણ અનંતધર્માત્મક વસ્તુનો બોધ થાય છે અથવા તીર્થકરોને અવધિનું સર્વકાળસ્થાયિત્વ જે કહ્યું છે તે તીર્થકરોના છદ્મસ્થકાળને 15 આશ્રયી જાણવું, અર્થાત્ છમસ્યકાળ સુધી તીર્થકરોને અવધિ અવશ્ય હોય છે એવું જણાવવા અવધેરબાહ્ય ભવન્તિ’ શબ્દો કહ્યા છે “શેષા સેશા પતિ' શબ્દોના અર્થો પૂર્વે કહ્યા તે પ્રમાણે જાણી લેવા માટે ‘પૂર્વપદ્' કહ્યું છે. દિલ્દી અવતરણિકા : આમ, દેશદ્વારને કહી ક્ષેત્રદ્વાર કહે છે હું ગાથાર્થ : સંબદ્ધાવધિ (પુરૂષની અબાધા વિના) અને અસંબદ્વાવધિ પુરુષની અબાધા વડે 20 સંખ્યાત–અસંખ્યાત યોજનનું હોય છે. લોકમાં સંબદ્ધ અને અસંબદ્ધ બંને હોય છે, જ્યારે અલોકમાં સંબદ્ધાવધિ જ હોય છે. ટીકાર્થ : સંબદ્ધ અને અસંબદ્ધ એમ બે પ્રકારનું અવધિજ્ઞાન છે એટલે કે કોઈક અવધિ અવધિવાળા પુરુષ સાથે પ્રદીપની પ્રભાની જેમ સંબદ્ધ જોડાયેલું હોય છે, કોઈક અવધિ અસંબદ્ધ હોય છે. અર્થાત્ વિપ્રકૃષ્ટ=ગાઢ અંધકારથી વ્યાપ્ત દેશને ઓળંગી દૂર રહેલ પ્રદીપના જેમ દર્શન 25 થાય તેમ આ અવધિવડે અવધિવાળી વ્યક્તિને પોતાનાથી દૂર રહેલ વસ્તુઓ દેખાય છે, પણ નજીક રહેલ વસ્તુ દેખાતી નથી. તેમાં જે આ અસંબદ્ધવિધિ છે તે (ક્ષેત્રની અપેક્ષાએ) સંખ્યાતઅસંખ્યાતયોજનો સુધીનું હોય છે. સુખ, દુઃખવડે જે પૂર્ણ છે તે પુરુષ અથવા શરીરમાં (પુરૂશરીર, તેની સપ્તમી વિભક્તિ) રહેતો જીવ પુરુષ કહેવાય છે. અબાધા એટલે અંતર, પુરુષથી અથવા પુરુષની જે અબાધા તે 30 + ૦ચાણનષ્ટત્વાન્ ! વિવરીપુo . નં[ ગતિવિપ્ર + નેન્દ્ર પ્રત્યન્તરે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) पुरुषाबाधया हेतुभूतया सह वा क्षेत्रतः अवधिर्भवति, अयं भावार्थ:-असंबद्धोऽवधिः क्षेत्रत: संख्येयो भवति असंख्येयो वा, योजनापेक्षयेति, एवं संबद्धोऽपि । एवमवधिः स्वतन्त्रः पर्यालोचितः, इदानीमबाधया चिन्त्यते-अत्र चतर्भडिका. तत्र संख्येयमन्तरं संख्येयोऽवधिः, संख्येयमन्तरं असंख्येयोऽवधिः, असंख्येयमन्तरं संख्येयोऽवधिः, असंख्येयमन्तरमसंख्येयोऽवधिरिति चत्वारोऽपि विकल्पा: संभवन्ति, संबद्धे तु विकल्पाभावः । तथा लोके' चतुर्दशरज्ज्वात्मके पञ्चास्तिकायवति, 'अलोके च केवलाकाशास्तिकाये, चशब्दः समुच्चयार्थः, लोके अलोके च संबद्धः, कथम् ?पुरुषे संबद्धो लोके च-लोकप्रमाणावधिः, पुरुषे न लोके-देशतोऽभ्यन्तरावधिः, न पुरुषे लोकेशून्यो भङ्गः, न लोके न पुरुषे-बाह्यावधिः, इयं भावना-लोकाभ्यन्तरः पुरुषे संबद्धोऽसंबद्धो वा પુરુષાબાધા પુરુષથી અંતર, તે હેતુભૂત એવી પુરુષાબાધાવડે ('અહીં પુરુષ સાથે અવધિનો 10 અસંબંધ હોવામાં પુરુષની આબાધા કારણ છે તેથી ‘હેતુભૂત' વિશેષણ જણાવ્યું છે.) અથવા પુરુષાબાધ સાથે અસંબદ્ધ એવું અવધિ યોજનની અપેક્ષાએ સંખ્યાત-અસંખ્યાતયોજનનું હોય છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે કે- પુરુષની અબાધા વિના એકલું) અસંબદ્ધાવધિ ક્ષેત્રથી સંખ્યાત–અસંખ્યાત યોજનનું છે. એ જ પ્રમાણે સંબદ્ધાવધિ પણ સંખ્યાત-અસંખ્યાતયોજન સુધીનું હોય છે. 15 આ પ્રમાણે સ્વતંત્ર = અબાધા વિના અવધિનું માન બતાવ્યું. હવે અબાધા સાથે અવધિ વિચારાય છે( અર્થાત “સદ વા' એ પ્રમાણે પૂર્વે કહેવા મુજબ સહાળે તૃતીયા વિભક્તિ લઈએ તો અબાધા સાથે અસંબદ્ધાવધિ સંખ્યાત-અસંખ્યાતયોજનનું જાણવું. એટલે કે અબાધા પણ સંખ્યાત કે અસંખ્યાત તથા અવધિ પણ સંખ્યાત કે અસંખ્યાતયોજનપ્રમાણ જાણવું. આ પ્રમાણે ટીપ્પણમાં ખુલાસો કરેલ છે.) અહીં ચતુર્ભાગી થશે તે આ પ્રમાણે - કોઈક વ્યક્તિને અસંબદ્ધાવધિ 20 એવું હોય કે તે અવધિ અને પુરુષ વચ્ચે સંખ્યાતયોજનનું અંતર પડે અને ત્યારપછીનું તે પુરુષને સંખ્યાનયોજનનું અવધિ હોય તેથી પ્રથમ ભાંગો(૧) સંખ્યાત આંતરું અને સંખ્યાત અવધિ (૨) સંખ્યાત આંતરું, અસંખ્યાતયોજન સુધી અવધિ (૩) અસંખ્યાત આંતરું, સંખ્યાત અવધિ (૪) અસંખ્યાત આંતરું, અસંખ્યાત અવધિ. આ પ્રમાણે અસંબદ્ધાવધિમાં ચારે વિકલ્પો સંભવે છે. સંબદ્ધાવધિમાં વિકલ્પો થશે નહીં. કારણ કે ત્યાં આંતરું હોતું નથી.) 25 આ અવધિ પંચાસ્તિકાયરૂપ લોકમાં અને કેવલોકાશાસ્તિકાયરૂપ અલોકમાં સંબદ્ધ હોય છે. (અર્થાત્ આ અવધિ દ્વારા લોક અને અલોકનું જ્ઞાન થાય છે. અહીં લોકમાં જે સંબદ્ધ છે તેને આશ્રયીને પણ ચાર ભાંગા થાય છે. લોક શબ્દથી અહીં લોકાન્ત સુધીનું ક્ષેત્ર જાણવું.) કેવી રીતે સંબદ્ધ હોય છે ? તે કહે છે – (૧) પુરુષ અને લોકમાં સંબદ્ધ, જે અવધિ લોકના અંત સુધીનું હોય તેને આશ્રયી આ ભાંગો 30 જાણવો, અર્થાત્ પુરુષ જે ક્ષેત્રમાં છે ત્યાંથી, લોકના અંત સુધી હોય છે. (૨) પુરુષમાં સંબદ્ધ છે પણ લોકમાં નથી. આ ભાંગો અભ્યતરાવધિ તથા તે પણ દેશથી થયેલું હોય તેને આશ્રયી જાણવો, અર્થાત્ અત્યંતરાવધિ પુરુષ સાથે સંબદ્ધ જ હોય તથા દેશથી થયેલ હોવાથી લોકાન્ત સુધી ન થવાથી લોકમાં Page #160 -------------------------------------------------------------------------- ________________ ગતિદ્વાર (નિ. ૬૮) भवति, यस्तु लोके संबद्धः स नियमात्पुरुषे संबद्ध इति, अतो भङ्गचतुष्टयं तृतीयभङ्गशून्यमिति, अलोकसंबद्धस्त्वात्मसंबद्ध एव भवतीति गाथार्थः ॥ ६७ ॥ इदानीं गतिद्वारावयवार्थप्रतिपिपादयिषयाऽऽह ૧૩૭ गइरइयाईया, हिट्ठा जह वणिया तव इहं । इड्डी एसा वणिज्जइत्ति, तो सेसियाओवि ॥६८॥ व्याख्या-तत्र गत्युपलक्षिताः सर्व एवेन्द्रियादयो द्वारविशेषाः परिगृह्यन्ते, ततश्च ये गत्यादयः सत्पदप्ररूपणाविधयः द्रव्यप्रमाणादयश्च, ते यथा अधस्तान्मतिश्रुतयोः 'वर्णिता: ' उपदिष्टाः तथैवेहापि द्रष्टव्या इति विशेषस्त्वयम्-इह ये मतिं प्रतिपद्यन्ते तेऽवधिमपि किन्त्ववेदकास्तथा अकषायिणोऽप्यवधेः प्रतिपद्यमानका भवन्ति क्षपक श्रेण्यन्तर्गताः सन्त इति, तथा मन: पर्यायज्ञानिनश्च तथा अनाहारका अपर्याप्तकाश्च पूर्वसम्यग्दृष्टयः सुरनारका अप्यपान्तरालगत्यादाविति 10 અસંબદ્ધ છે. (૩) લોકમાં સંબદ્ધ, પુરુષમાં નહીં, અહીં ટીકાકારે આ ભાંગો શૂન્ય ગણેલ છે. (પરંતુ પૂ. મલયગિરિજીની ટીકામાં આ ભાંગો એક દિશાવર્તી બાહ્યાવધિને આશ્રયી ઘટાવ્યો છે. આ બાબતમાં પૂ.હરિભદ્રસૂરિજીનું કહેવું એમ છે કે) લોકમાં અસંબદ્ધાવધિ પુરુષમાં સંબદ્ધ હોય કે ન પણ હોય, પણ લોકમાં સંબદ્ધ હોય તે પુરુષમાં સંબદ્ધ જ હોય. તેથી ત્રીજો ભાંગો ઘટતો નથી. (૪) લોકમાં અને પુરુષમાં અસંબદ્ધ, આ ભાંગો દેશથી બાહ્યાધિની અપેક્ષાએ સમજવો. આ રીતે લોકમા 15 સંબદ્ધાધિને લઈ ચાર ભાગા થાય છે, જ્યારે અલોકમાં સંબદ્ધ પુરુષમાં સંબદ્ધ જ હોવાથી ત્યાં આવા વિકલ્પ થતાં નથી. II૬ા અવતરણિકા : હવે ગતિદ્વારનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી કહે છે ગાથાર્થ : નરકાદિ ગતિદ્વારો પૂર્વે જે રીતે વર્ણવ્યા, તે જ પ્રમાણે અહીં પણ જાણવા. આ અવધિ એ એક પ્રકારની ઋદ્ધિ હોવાથી શેષ ઋદ્ધિઓ પણ વર્ણવાય છે. 20 ટીકાર્થ : ગતિ શબ્દથી અહીં ઈન્દ્રિયાદિ સર્વ દ્વારો ગ્રહણ કરવાના છે. તેથી પૂર્વે ગાથા નં. ૧૩–૧૪–૧૫ માં મતિ-શ્રુતના સત્પદપ્રરુપણાના કારણભૂત એવા ગતિ વગેરે અને દ્રવ્યપ્રમાણ વગેરે દ્વારો જે રીતે વર્ણન કરાયા તે રીતે અહીં પણ જાણી લેવા. તેમાં જે વિશેષ છે તે બતાવે છે અહીં જેઓ મતિને સ્વીકારે છે તે અવધિને પણ પ્રાપ્ત કરે છે. વધુમાં ક્ષપકશ્રેણિમાં રહેલા છતાં પણ અવેદકો તથા અકષાયીઓ અવધિના પ્રતિપદ્યમાન હોય છે. 5 તથા (જેમને પ્રથમ અવધિજ્ઞાન વિના મન:પર્યવજ્ઞાન થયું છે તેવા) મન:પર્યવજ્ઞાનીઓ પાછળથી અવધિના પ્રતિપઘમાન હોઈ શકે છે, તથા અનાહારકો અને અપર્યાપ્તક (કરણઅપર્યાપ્ત)એવા પૂર્વભવિયસમ્યગ્દર્શનવાળા દેવ-નારકો પણ અપાન્તરાલ ગતિ વગેરેમાં પ્રતિપદ્યમાન હોય છે (અર્થાત્ જે જીવો સમ્યક્ત્વને વમ્યા વિના મનુષ્ય-તિર્યંચમાંથી દેવ, નારકમાં 25 ६६. अवध्युत्पादमन्तरेणैतदुत्पादान्मनःपर्यायज्ञानिनोऽवधेः प्रतिपद्यमानकाः । ६७. प्राच्यनरतिर्यग्भ- 30 वान्त्यसमयादनन्तरं सुरनारकायुरुदयादेवं व्यपदेशः 'ये अप्रतिपतितसम्यक्त्वास्तिर्यग्मनुष्येभ्यो देवनारका जायन्ते ते' इतिहेमचन्द्रपादाः । Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) शक्तिमधिकृत्येति भावार्थः । पूर्वप्रतिपन्नास्तु ते एव ये मैंतेः विकलेन्द्रियाँसंज्ञिशून्या इति, उक्तमवधिज्ञानमिति । तत्र अवधिज्ञानी उत्कृष्टतो द्रव्यतः सर्वमूर्तद्रव्याणि जानाति पश्यति, क्षेत्रतस्त्वादेशेनासंख्येयं क्षेत्रं, एवं कालमपि, भावतस्त्वनन्तान् भावानिति । तत्र ऋद्धिविशेष 'एषः अवधि: 'व्यावर्ण्यते गीयते अतः तत्सामान्यात् शेषर्द्धयोऽपि वर्ण्यन्त इति गाथार्थः ॥६८॥ 5 तत्र शेषर्द्धिविशेषस्वरूपप्रतिपादनायाह आमोसहि विप्पोसहि खेलोसहि जल्लंमोसही चेव । संभिन्नसो ‘उज्जुमइ, सव्वोसहि चेव बोद्धव्वो ॥६९॥ चारणआसीविस केवली य मणनाणिणो य पुव्वधरा । अरहंत चक्कवट्टी, बलदेवा वासुदेवा य ॥७०॥ 10 प्रथमगाथाव्याख्या-आमर्शनमामर्शः संस्पर्शनमित्यर्थः, स एवौषधिर्यस्यासावामर्शीषधिः साधुरेव संस्पर्शनमात्रादेव व्याध्यपनयनसमर्थ इत्यर्थः, लब्धिलब्धिमतोरभेदात् स एवामर्शलब्धिरिति, વં વર્તનèથ્વપ યોનના ર્નતિ, તત્ર વિ’ ૩ર: “હે:' સ્નેT 'ન' ત્નિ તિ, ઉત્પન્ન થવાના હોય તે જીવોને અપાન્તરાલ ગતિમાં અવધિજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. અહીં અવધિજ્ઞાનને પામનાર જે કહ્યા તે શક્તિને આશ્રયી જાણવું (અર્થાત્ આવા જીવો બધા પામે જ 15 એવું નહીં, પણ પામવાની શક્તિ હોય છે.) અવધિના પૂર્વપ્રતિપન્ન તેઓ જ છે જેઓ મતિના પૂર્વપ્રતિપન્ન હોય છે. તેમાં વિકસેન્દ્રિય અને અસંજ્ઞી બે છોડી દેવા. આમ અવધિજ્ઞાન કહ્યું. અવધિજ્ઞાની ઉત્કૃષ્ટથી દ્રવ્યને આશ્રયી સર્વમૂર્તદ્રવ્યોને, ક્ષેત્રથી આદેશથી-ઉપચારથી અસંખ્ય ક્ષેત્રને, કાળથી પણ અસંખ્યયકાળને અને ભાવથી અનંતપર્યાયોને જુએ, જાણે છે. આ અવધિ એક પ્રકારની ઋદ્ધિવિશેષ હોવાથી ઋદ્ધિની 20 સમાનતાને લઈને હવે શેષ ઋદ્ધિઓનું પણ વર્ણન કરાય છે ૬૮ અવતરણિકા : શેષ ઋદ્ધિવિશેષોનું સ્વરૂપ બતાવતા કહે છે ? ગાથાર્થ ઃ આમાઁષધિ, વિપ્રૌષધિ, ખેલૌષધિ, જલષધિ, સંભિન્નશ્રોતૃત્વ, ઋજુમતિ, સર્વોષધિ આ બધી વિશેષ પ્રકારની ઋદ્ધિઓ જાણવી. ગાથાર્થ : ચારણલબ્ધિ, આશીવિષ, કેવળી, મન:પર્યવજ્ઞાની, પૂર્વધર, અરિહંત, ચક્રવર્તી, 25 બલદેવ અને વાસુદેવ એ ઋદ્ધિઓ જાણવી. ટીકાર્થ : પ્રથમગાથાની વ્યાખ્યા – સ્પર્શ કરવો એ આમર્શ, તે જ છે ઔષધિ જેની તે આમશપધિ, અર્થાત્ સાધુ પોતે જ સ્પર્શ કરવા માત્રથી બીજાના વ્યાધિને દૂર કરવામાં સમર્થ બને છે. અહીં લબ્ધિ-લબ્ધિવાળાનો અભેદ ઉપચાર કરતા સાધુ જ આમાઁષધિ કહેવાય છે. આ જ પ્રમાણે વિટું, ખેલ, મલાદિમાં પણ યોજના કરવી, તેમાં “વિ” એટલે વિષ્ટા, ખેલ એટલે 50 શ્લેષ્મ (નાકમાંથી નીકળતો કચરો), જલ્લ એટલે શરીરનો મેલ, આ બધી વસ્તુ સુંગધિ હોય છે. ६८. विकलेन्द्रियाणां असंज्ञिनां च सास्वादनसम्यक्त्वान्मतिश्रुतयोः पूर्वप्रतिपन्नता स्यात्, परमवधेस्तु ના ૬૬. ૩૫વારેT ૭૦. રોપનયનવુદ્ધતિ ૫૦ શ્રીમન્નપાદ્રા | * વિષે વિ૦ + ૦ સદી નો ય , સોય૩qo # વો દ્ધથ્વી | Page #162 -------------------------------------------------------------------------- ________________ ઋદ્ધિવિશેષોનું સ્વરૂપ (નિ. ૬૯-૭૦) તા ૧૩૯ भावार्थः पूर्ववत्, सुगन्धाश्चैते भवन्ति । तथा यः सर्वतः शृणोति स संभिन्नश्रोता, अथवा श्रोतांसि इन्द्रियाणि संभिन्नान्येकैकशः सर्वविषयैरस्य परस्परतो वेति संभिन्नश्रोताः, संभिन्नान् वा परस्परतो लक्षणतोऽभिधानतश्च सुबहूनपि शब्दान् शृणोति संभिन्नश्रोता, एवं संभिन्न श्रोतृत्वमपि लब्धिरेव । तथा ऋज्वी मतिः ऋजुमतिः सामान्यग्राहिकेत्यर्थः, मनःपर्यायज्ञानविशेषः, अयमपि च लब्धिविशेष एव, लब्धिलब्धिमतोश्चाभेदात् ऋजुमतिः साधुरेव । तथा सर्व एव विण्मूत्रकेशनखादयो 5 विशेषाः खल्वौषधयो यस्य, व्याध्युपशमहेतव इत्यर्थः, असौ सर्वौषधिश्च, एवमेते ऋद्धिविशेषा बोद्धव्या इति गाथार्थः ॥६९॥ द्वितीयगाथाव्याख्या-अतिशयचरणाच्चारणाः, अतिशयगमनादित्यर्थः, ते च द्विभेदाःविद्याचारणा जङ्घाचारणाश्च, तत्र जङ्घाचारण: शक्तितः किल रुचकवरद्वीपगमनशक्तिमान् भवति, स च किलैकोत्पातेनैव रुचकवरदीपं गच्छति. आगच्छंश्चोत्पातदयेनागच्छति, प्रथमेन नन्दीश्वरं द्वितीयेन 10 તથા જે ચારેબાજુથી સર્વશરીરદેશોવડે સાંભળે તે સંભિન્નશ્રોતા, અથવા દરેક ઇન્દ્રિયો સર્વવિષયોવડે સંભિન્ન છે જેને (અર્થાત્ કોઈપણ એક ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયોના વિષયોને જે જાણી શકે) તે સંભિન્નશ્રોતા અથવા ઇન્દ્રિયો પરસ્પર સંભિન્ન છે જેને તે (અર્થાત્ શ્રોત્રેન્દ્રિય ચક્ષુનું કાર્ય કરતી હોવાથી ચક્ષુરૂપતાને પામે, ચક્ષુ પણ શ્રોત્રનું કાર્ય કરતી હોવાથી શ્રોત્રરૂપતાને પામે, આ રીતે સંભિન્ન થયેલી છે ઇન્દ્રિયો જેની તે) સંભિન્નશ્રોતા, અથવા સંભિન્ન એવા શબ્દોને 15 એટલે કે લક્ષણ અને નામથી પરસ્પર વિભિન્ન ઘણાબધા શબ્દોને જે એક સાથે સાંભળે તે સંભિન્નશ્રોતા. (અર્થાત્ એકસાથે ઘણા અવાજ સંભળાય તો પણ બધાને જુદા જુદા ઓળખી શકે, તેના લક્ષણો જાણી શકે) આ પ્રમાણે સંભિન્નશ્રોતૃત્વ પણ લબ્ધિ જ છે. તથા ઋજુ=સરળ એવી જે મતિ તે ઋજુમતિ અર્થાત સામાન્ય બોધકરનારી મતિ. આ એક પ્રકારનું મન:પર્યવજ્ઞાન છે. આ પણ એક લબ્ધિવિશેષ જ છે. અહીં લબ્ધિ–લબ્ધિમાનનો 20 અભેદ ઉપચાર કરવાથી ઋજુમતિ તરીકે સાધુ જ ગ્રહણ કરાય છે તથા મળ, મૂત્ર, કેશ, નખાદિ સર્વ ઔષધિરૂપ છે = રોગના ઉપશમનું કારણ છે જેમનાં એવા મહાત્મા સર્વોષધિ કહેવાય છે. આ પ્રમાણે ઋદ્ધિવિશેષો જાણવા યોગ્ય છે. lલી. બીજી ગાથાનું વ્યાખ્યાન કરે છે – અતિશય ગમન (ચરણ = ગમન) કરતા હોવાથી ચારણ તરીકે કહેવાય છે. તેના બે પ્રકાર પડે છે ૧. વિદ્યાચારણ અને ૨. જંઘાચારણ, તેમાં 25 જંઘાચારણ શક્તિથી ચક્વરદ્વીપ સુધી જવાની શક્તિવાળા હોય છે. તેઓ એક ઉત્પાતવડે અર્થાત વચ્ચે ક્યાંય પણ થોભ્યા વિના ચકવરીપ જાય છે. ત્યાંથી પાછા ફરતા પ્રથમ નંદીશ્વરમાં આવે અને ત્યાંથી મૂળસ્થાને એમ બે ઉત્પાતવડે પાછા આવે છે. એ જ પ્રમાણે ઊર્ધ્વદિશામાં એક __७१. चकाराद्विडादीनां व्याध्यपनयनसाहचर्यं । ७२. सर्वैरेव शरीरदेशैरिति म० श्रीहेमचन्द्रपादाः ।७३. सर्वाणीन्द्रियाणि सर्वविषयान प्रत्येक विदन्ति । ७४. द्वादशयोजनचक्रवर्तिकटकस्य युगपद् ब्रुवाणस्य 30 तत्तूर्यसंघातस्य वा युगपदास्फाल्यमानस्य । ७५. सूत्रानुसारेणैकादशः चूर्ण्यनुसारेण तु त्रयोदशः, तत्र अरुणावासशङ्खवरयोरधिकयोर्दर्शनात् । Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) यतो गतः, एवमूर्ध्वमपि एकोत्पातेनैवा चैलेन्द्रमूनि स्थितं पाण्डुकवनं गच्छति, आगच्छँश्चोत्पातद्वयेनागच्छति, प्रथमेन नन्दनवनं द्वितीयेन यतो गतः । विद्याचारणस्तु नन्दीश्वरद्वीपगमनशक्तिमान् भवति, स त्वेकोत्पातेन मानुषोत्तरं गच्छति, द्वितीयेन नन्दीश्वरं, तृतीयेन त्वेकेनैवाऽऽगच्छति यतो गतः, एवमूर्ध्वमपि व्यत्ययो वक्तव्य इति । 5 अन्ये तु शक्तित एव रुचकवरादिद्वीपमनयोर्गोचरतया व्याचक्षत इति । तथा आस्यो - दंष्ट्राः तासु विषमेषामस्तीति आसीविषाः, ते च द्विप्रकारा भवन्ति-जातितः कर्मतश्च तत्र जातितो वृश्चिकमण्डूकोरगमनुष्यजातयः, कर्मतस्तु तिर्यग्योनयः मनुष्या देवाश्चासहस्त्रारादिति, एते हि तपश्चरणानुष्ठानतोऽन्यतो वा गुणतः खल्वासीविषा भवन्ति, देवा अपि तच्छक्तियुक्ता भवन्ति, शापप्रदानेनैव व्यापादयन्तीत्यर्थः । तथा केवलिनश्च प्रसिद्धा एव । तथा मनोज्ञानिनो विपुलमन:10 પર્યાયજ્ઞાનિન: પવૃિદ્ઘને ! પૂર્વાંગિ ધારયન્તીતિ પૂર્વધરા:, ચતુર્વંશપૂર્વવિદ્ઃ । અશોાદ્યટ્ટમહા ઉત્પાતવડે મેરુપવર્તના શિખરે રહેલા પાંડુકવનમાં જાય છે અને આવતી વખતે ઉત્પાતયવ આવે છે. પ્રથમ ઉત્પાતે નંદનવનમાં અને બીજે ઉત્પાતે જ્યાંથી ગયા હોય ત્યાં પાછા ફરે છે. વિદ્યાચારણ નંદીશ્વરદ્વીપ સુધી જવાની શક્તિવાળા હોય છે. તેઓ પ્રથમ ઉત્પાતવડે માનુષોત્તર અને બીજા ઉત્પાતવડે નંદીશ્વરદ્વીપમાં જાય છે. પાછા ફરતા એક ઉત્પાતવર્ડ આવે 15 છે. ઊર્ધ્વદિશામાં જંઘાચારણથી વિપરીત રીતે ગમનાગમન કરે છે. (એટલે કે જતી વખતે એક કૂદકે નંદનવન, બીજે કૂદકે પાંડુકવન. આવતી વખતે એક જ કૂદકે પાછા આવે.) કેટલાક આચાર્યો કહે છે કે જંઘાચારણ અને વિદ્યાચારણ બંનેની શક્તિ રુચકવદ્વીપ સુધી ગમન કરવાની હોય છે. તથા દાઢાઓમાં જેને વિષ હોય તે આશીવિષ, તે બે પ્રકારે હોય છે જાતિથી અને કર્મથી. 20 તેમાં જાતિથી વીંછી, દેડકો, સાપ, મનુષ્યની જાતિઓ, તથા કર્મથી પંચેન્દ્રિયતિર્યંચ, મનુષ્ય અને સહસ્રારદેવલોક સુધીના દેવો આશીવિષ જાણવા. આ બધા તપ—ચરણના અનુષ્ઠાનથી અથવા અન્ય કોઈ ગુણથી આશીવિષ થાય છે. (મનુષ્યો શાપાદિના પ્રદાન દ્વારા બીજાને મારે છે, અને દેવોને અપર્યાપ્ત—અવસ્થામાં પૂર્વભવસંબંધી આશીવિષલબ્ધિ જાણવી. જો કે પર્યાપ્ત—અવસ્થામાં બીજાને શાપ આપવાદ્વારા દેવો મારે ખરા છતાં પણ આ શાપ આપવાની ક્રિયા તેઓને 25 ભવપ્રત્યયિક હોવાથી આશીવિષ કહેવાતી નથી કારણ કે લબ્ધિ ગુણપ્રત્યયિક હોય છે.) કેવલિઓ પ્રસિદ્ધ જ છે. મનોજ્ઞાની તરીકે અહીં વિપુલમતિવાળા જાણવા. પૂર્વોને ધારણ કરે તે પૂર્વધર, તે દશ—ચૌદપૂર્વધર જાણવા. અશોકાદિ અષ્ટમહાપ્રાતિહાર્યાદિરૂપ પૂજાને માટે જે યોગ્ય છે તે અર્હન્તો અર્થાત્ તીર્થંકરો, ચક્રવર્તી કે જે, ચૌદરત્નો અને પખંડનો સ્વામી હોય, ७६. लब्धितो ये आसीविषलब्धिमन्तः पञ्चेन्द्रियतिर्यगादयस्ते, देवाः पर्याप्तावस्थायां शापादिना 30 व्यापादने समर्था अपि देवभवप्रत्ययिकत्वान्न तद्विवक्षितमिति अपर्याप्तावस्थायामेवैतद्व्यपदेशो देवानाम्। * ૦૨તાદ્રિ + પા°Page #164 -------------------------------------------------------------------------- ________________ વાસુદેવાદિનું શારીરિકબલ (નિ. ૩૧-૭૫) ૧૪૧ प्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तः तीर्थकरा इत्यर्थः । 'चक्रवर्तिनः' चतुर्दशरत्नाधिपाः . षटखण्डभरतेश्वराः । बलदेवा:' प्रसिद्धा एव । 'वासुदेवाः' सप्तरत्नाधिपा अर्धभरतप्रभव इत्यर्थः । एते हि सर्व एव चारणादयो लब्धिविशेषा वर्त्तन्ते इति गाथार्थः ७०॥ इह वासुदेवत्वं चक्रवर्तित्वं तीर्थकरत्वं च ऋद्धयः प्रतिपादिताः, तत्र तदतिशयप्रतिपादनायेदं गाथापञ्चकं जगाद नियुक्तिकार: सोलस रायसहस्सा सव्वबलेणं तु संकलनिबद्धं । अंछंति वासुदेवं अगडतैडमी ठियं संतं ॥७१॥ घित्तूण संकलं सो वामगहत्थेण अंछमाणाणं । अँजिज्ज व लिंपिज्ज व महुमहणं ते न चायंति ॥७२॥ दोसोला बत्तीसा, सव्वबलेणं तु संकलनिबद्धं । 10 अंछंति चक्कवट्टि, अगडतडंमी ठियं संतं ॥७३॥ घित्तूण संकलं सो, वामगहत्थेण अंछमाणाणं । अँजिज्ज व लिंपिज्ज व, चक्कहरं ते न चायंति ॥७४॥ . जं केसवस्स उ बलं, तं दुगुणं होइ चक्कवट्टिस्स । तत्तो बला बलवगा, अपरिमियबला जिणवरिंदा ॥७५॥ 15. आसां गमनिका-इंह वीर्यान्तरायकर्मक्षयोपशमविशेषाद्वलातिशयो वासुदेवस्य संप्रदर्श्यतेબળદેવ પ્રસિદ્ધ જ છે. વાસુદેવો સાતરત્ન અને અર્ધભરતના સ્વામિ. આ ચારણાદિ બધા એક લબ્ધિવિશેષ જ જાણવા. /૭ll. અવતરણિકા : અહીં વાસુદેવત્વ, ચક્રવર્તિત્વ અને તીર્થકરત્વ ઋદ્ધિઓનું પ્રતિપાદન કર્યું. તેમાં તેમના અતિશયો જણાવવા નિર્યુક્તિકાર પાંચ ગાથા કહે છે ઃ - 20 ગાથાર્થ : સોળહજાર રાજાઓ પોતાના બળવડે સાંકળથી બંધાયેલા અને કૂવાના કાંઠે રહેલા વાસુદેવને ખેંચે છે. (તે સમયે) ગાથાર્થ : પોતાના ડાબા હાથે સાંકળને લઈ તે વાસુદેવ રાજાઓ પોતાને ખેંચતા હોય ત્યારે ભોજન કરે અથવા વિલેપન કરે, તો પણ વાસુદેવને રાજાઓ ખેંચવામાં સમર્થ બનતા નથી. ગાથાર્થ : : બત્રીસ હજાર રાજાઓ બળ સાથે સાંકળથી બાંધેલા અને કૂવાના કાંઠે ઊભા 25 રહેલા ચક્રવર્તીને ખેંચે છે. (તે સમયે) ગાથાર્થ : પોતાના ડાબા હાથે સાંકળ લઈ તે ચક્રવર્તી, રાજાઓ ખેંચતા હોય ત્યારે ભોજન કે વિલેપન કરે તો પણ તે રાજાઓ ચક્રવર્તીને ખેંચવામાં સમર્થ બનતા નથી. ગાથાર્થ : કેશવના બળ કરતા દ્વિગુણ ચક્રવર્તીનું બળ હોય છે. તેનાથી બળમાં બળવાનું બળદેવો હોય છે. જિનેન્દ્રો અપરિમિત બળવાળા હોય છે. 30 ટીકાર્થ : અહીં વીર્યંતરાયકર્મના ક્ષયોપશમવિશેષથી (પ્રાપ્ત થયેલ) વાસુદેવનો બળાતિશય + ૦તર્નામ * તત્નમાં Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) षोडश राजसहस्राणि 'सर्वबलेन' हस्त्यश्वरथपदातिसंकुलेन सह शृङ्खलानिबद्धं 'अंछंति' देशीवचनात् आकर्षन्ति वासुदेवं 'अगडतटे' कूपतटे स्थितं सन्तं, ततश्च गृहीत्वा शृङ्खलामसौ वामहस्तेन 'अंछमाणाणं' ति आकर्षतां भुञ्जीत विलिम्पेत वा अवज्ञया हृष्टः सन्, मधुमथनं ते न शक्नुवन्ति आक्रष्टुमिति वाक्यशेषः ।। चक्रवर्तिनस्त्विदं बलं-द्वौ षोडशकौ, द्वात्रिंशदित्येतावति वाच्ये द्वौ षोडशकावित्यभिधानं चक्रवर्त्तिनो वासुदेवाद् द्विगुणद्धिख्यापनार्थं, राजसहस्त्राणीति गम्यते, सर्वबलेन सह शृङ्खलानिबद्धं आकर्षन्ति चक्रवर्त्तिनं अगडतटे स्थितं सन्तं गृहीत्वा शृङ्खलामसौ वामहस्तेन आकर्षतां भुञ्जीत विलिम्पेत वा, चक्रधरं ते न शक्नुवन्ति आक्रष्टुमिति 'वाक्यशेषः । यत् केशवस्य तु बलं तद्विगुणं भवति चक्रवर्तिनः, 'ततः' शेषलोकबलाद् ‘बला' 10 बलदेवा बलवन्तः, तथा निरवशेषवीर्यान्तरायक्षयाद् अपरिमितं बलं येषां तेऽपरिमितबला:, क एते ?-जिनवरेन्द्राः, अथवा ततः-चक्रवर्तिबलाद् बलवन्तो जिनवरेन्द्राः, कियता बलेनेति, आह-अपरिमितबला इति । एता हि कर्मोदयक्षयक्षयोपशमसव्यपेक्षाः प्राणिनां लब्धयोऽवसेया કૃતિ | ૭૨-૭૨-૭૩-૭૪-૭૫ છે બતાવાય છે– હસ્તિ, અશ્વ, રથ, સૈનિકાદિના સમૂહથી યુક્ત એવા સોળ હજાર રાજાઓ 15 સાંકળથી બાંધેલા (વાસુદેવના ડાબા હાથે સાંકળ બાંધેલી હોવાથી) અને કૂવાના કાંઠે ઊભા રહેલા વાસુદેવને ખેંચે છે. બીજી બાજુ વાસુદેવ પોતાના ડાબા હાથે બાંધેલી સાંકળ સાથે (સૈનિકોથી યુક્ત રાજાવડે) ખેંચાવા છતાં અવજ્ઞાથી ખુશ થતો અર્થાત્ એ તરફ ઉપેક્ષા કરતો હસતા હસતા ભોજન કરે અથવા વિલેપન કરે તો પણ વાસુદેવને રાજાઓ ખેંચવા સમર્થ બનતા નથી. (મધુમથન = વાસુદેવ) li૭૧-૭૨ 20 હવે ચક્રવર્તિનું બળ કહે છે – અહીં “બત્રીસહજાર' કહેવાને બદલે ‘બે સોળ' એમ જે કહ્યું, તે વાસુદેવ કરતા ચક્રવર્તિને દ્વિગુણ ઋદ્ધિ હોય છે એમ જણાવવા કહ્યું છે. આ બત્રીસ હજાર રાજાઓ સર્વ સૈન્ય સાથે સાંકળથી બાંધેલા, કૂવાની પાળે ઊભેલા ચક્રવર્તીને ખેંચે, ત્યારે ચક્રવર્તી ડાબા હાથે સાંકળ પકડીને ભોજન કરે કે વિલેપન કરે, તો પણ તે બધા ચક્રવર્તીને ખેંચી શકતા નથી. ૭૩-૭૪ll 25 કેશવનું જે બળ, તેના કરતા ચક્રવર્તીનું દ્વિગુણ બળ હોય છે. તથા તેનાથી = સામાન્ય પ્રજા કરતા બળદેવો બળવાન હોય છે. સંપૂર્ણવર્યાન્તરાયનો ક્ષય થવાથી અપરિમિત બળ છે જેઓનું તે અપરિમિત બળવાળા જિનવરેન્દ્રો = તીર્થકરો હોય છે. (અહીં તત: શબ્દથી ઉપસ્થિત ચક્રવર્તી લઈએ તો અનન્વય થાય ક.કે. ચક્રવર્તી કરતાં બળદેવ બળવાનું નથી. અનુપસ્થિત શેષલોક લઈએ તો ગૌરવ થશે. એટલે “અથવા' કરીને જુદી રીતે અર્થ કરે છે.) અથવા [ તતઃ=] ચક્રવર્તીનાં બળથી 30 ( અહીં ‘વતા' શબ્દને પંચમી વિભક્તિ જાણવી.) પણ વધુ બળવાન જિનવરેન્દ્રો હોય છે. કેટલા બળથી બળવાન હોય છે ? તે કહે છે – અપરિમિતબળવાળા હોય છે. આ લબ્ધિઓ જીવોને, કર્મના ઉદય, ક્ષય કે ક્ષયોપશમ સાપેક્ષ હોય છે. Ir૭પી. + अंछमाणाणंति आ०+वाच्य० Page #166 -------------------------------------------------------------------------- ________________ મનઃપર્યવજ્ઞાનનું સ્વરૂપ (નિ. ૭૬) રે ૧૪૩ इदानीं मनःपर्यायज्ञानं, लब्धिनिरूपणायां तत् सामान्यतो व्यपदिष्टमपि विषयस्वाम्यादिविशेषोपदर्शनाय ज्ञानपञ्चकक्रमायातमभिधित्सुराह मणपज्जवनाणं पुण जणमणपरिचिन्तयत्थपायर्डणं । माणुसखित्तनिबद्धं गुणपच्चइयं चरित्तवओ ॥७६॥ વ્યારણ્યા– મન:પર્યાયજ્ઞાન' પ્રનિરૂપતશબ્દાર્થ, પુન:શબ્દો વિશેષાર્થ:, રૂ હિ 5 रूपिनिबन्धनक्षायोपशमिकप्रत्यक्षादिसाम्येऽपि सति अवधिज्ञानात् स्वाम्यादिभेदेन विशिष्टमिति स्वरूपतः प्रतिपादयन्नाह-जायन्त इति ज॑नाः, तेषां मनांसि जनमनांसि, जनमनोभिः परिचिन्तितः जनमनःपरिचिन्तितः जनमनःपरिचिन्तितश्चासावर्थश्चेति समासः, तं प्रकटयति प्रकाशयति जनमन:परिचिन्तितार्थप्रकटनं, मानुषक्षेत्रं-अर्धतृतीयद्वीपसमुद्रपरिमाणं तन्निबद्धं, न तद्वहिर्व्यવસ્થિતપ્રાાિમન:વિનિતાર્થવિષયે પ્રવર્તત કૃત્યર્થ: / ગુII:-ક્ષાત્યવિય: ત વ પ્રથા:- 10 कारणानि यस्य तद्गुणप्रत्ययं, चारित्रमस्यास्तीति चारित्रवान् तस्य चारित्रवत एवेदं भवति, एतदुक्तं भवति-अप्रमत्तसंयतस्य आमर्शोषध्यादिऋद्धिप्राप्तस्यैवेति गाथार्थः ॥७६॥ इदं द्रव्यादिभिर्निरूप्यते-तत्र द्रव्यतो मनःपर्यायज्ञानी अर्धतृतीयद्वीपसमुद्रान्तर्गत અવતરણિકા: હવે મન:પર્યવજ્ઞાનનું નિરૂપણ કરે છે. લબ્ધિઓનાં નિરૂપણમાં મન:પર્યવજ્ઞાન સામાન્યથી બતાવ્યા છતાં પણ વિષય–સ્વામી વગેરે વિશેષનું ઉપદર્શન કરવા માટે જ્ઞાનપંચકના 15 કમથી આવેલ મન:પર્યવજ્ઞાનને કહે છે ; ગાથાર્થ : મન:પર્યવજ્ઞાન વળી લોકોના મનદ્વારા વિચારાયેલા અર્થને પ્રગટ કરનારું, મનુષ્યક્ષેત્રથી નિબદ્ધ, ગુણપ્રત્યયિક અને ચારિત્રવાળાઓને હોય છે. ટીકાર્થ : મન:પર્યવજ્ઞાન અવધિજ્ઞાન સાથે રૂપીદ્રવ્યો, ક્ષાયોપથમિક, પ્રત્યક્ષ વગેરે દ્વારા વડે સરખુ હોવા છતાં સ્વામી વગેરે જુદા હોવાથી અવધિજ્ઞાનથી જુદું હોય છે. માટે તેનું 20 સ્વરૂપથી પ્રતિપાદન કરે છે. - જે ઉત્પન્ન થાય તે જન, તેઓના મનવડે વિચારાયેલ અર્થને પ્રકટ કરનારું આ મન:પર્યવજ્ઞાન હોય છે. અઢીદ્વીપસમુદ્રપ્રમાણ મનુષ્યક્ષેત્રથી નિબદ્ધ છે અર્થાત મનુષ્યક્ષેત્રથી બહાર રહેલ જીવવડે વિચારાયેલ અર્થને જાણી શકતું નથી. તથા ક્ષત્તિ વગેરે ગુણો એ છે કારણ જેના એવું આ જ્ઞાન હોય છે અર્થાત ક્ષત્તિ વગેરે ગુણોથી આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તથા આ જ્ઞાન આમાઁષધિ વગેરે ઋદ્ધિવાળા એવા અપ્રમત્ત સંયમીને જ હોય છે. II૭૬ll 25 હવે દ્રવ્યાદિવડે આ જ્ઞાનનું નિરૂપણ કરાય છે. તેમાં દ્રવ્યથી અઢીદ્વીપસમુદ્રરૂપ મનુષ્યક્ષેત્રમાં રહેલા પ્રાણીઓનાં મનોભાવમાં પરિણત થયેલા દ્રવ્યોને જાણે છે, જુએ છે. આ વાત અવધિજ્ઞાનથી યુક્ત એવા મન:પર્યવજ્ઞાની માટે જાણવી. અન્યથા = જેઓને અવધિજ્ઞાન ન હોય તેઓ દ્રવ્યોને જાણે જ છે, પણ જોતા નથી અથવા જે કારણથી સાકાર છે તેથી તે જ્ઞાન છે અને જે કારણથી જુએ છે તે કારણથી તે દર્શન છે. આ પ્રમાણે સૂત્રમાં સંભવને આશ્રયી કહ્યું છે. 30 ७७. आदिना छद्मस्थस्वामिसाधर्म्यम् । ७८. योगरूढतया नरा एव स्युः, परं संज्ञिपञ्चेन्द्रियग्रहणायैवं व्युत्पादनं. * ०पागडणं । Page #167 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) प्राणिमनोभावपरिणतद्रव्याणि जानाति पश्यति च, अवधिज्ञानसंपन्नमनः पर्यायज्ञानिनमधिकृत्यैवं, अन्यथा जानात्येव न पश्यति, अथवा यतः साकारं तदतो ज्ञानं यतश्च पश्यति तेन अतो दर्शनमिति, एवं सूत्रे संभवमधिकृत्योक्तमिति, अन्यथा चक्षुरचक्षुरवधिकेवलदर्शनं तत्रोक्तं चतुर्धा विरुध्यते, क्षेत्रतः अर्धतृतीयेष्वेव द्वीपसमुद्रेषु, कालतस्तु पल्योपमासंख्येयभागं एष्यमतीतं वा 5 कालं जानाति, भावतस्तु मनोद्रव्यपर्यायान् अनन्तानिति, तत्र साक्षान्मनोद्रव्यपर्यायानेव पश्यति, बाह्यस्तु तद्विषयभावापन्नाननुमानतो विजानाति, कुतः ?, मनसो मूर्त्तामूर्त्तद्रव्यालम्बनत्वात्, छद्मस्थस्य चामूर्त्तदर्शनविरोधादिति । सत्पदप्ररूपणादयस्तु अवधिज्ञानवदवगन्तव्याः । नानात्वं चानाहारकापर्याप्तकौ प्रतिपद्यमानौ न भवतः, नापीतरौ ॥ उक्तं मनः पर्यायज्ञानं, इदानीमवसरप्राप्तं केवलज्ञानं प्रतिपादयन्नाह ૧૪૪ 10 (આ પંક્તિનો ભાવાર્થ આ પ્રમાણે જાણવો – સામાન્યથી એક એવા પણ જ્ઞાનમાં તે તે દ્રવ્યાદિની અપેક્ષાએ ક્ષયોપશમની વિચિત્રતાનો સંભવ હોવાથી અનેકવિધ ઉપયોગ સંભવે છે. જેમકે અહીં મન:પર્યવજ્ઞાનમાં જ ઋજુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકારે ઉપયોગ સંભવે છે. તેથી નંદીસૂત્રમાં “મન:પર્યવજ્ઞાનો જાણે છે – જુએ છે'' એ પ્રમાણે જે કહ્યું છે તે વિવિધ ઉપયોગના સંભવની અપેક્ષાએ કહ્યું છે. તે આ રીતે – વિશિષ્ટતર મનોદ્રવ્યાકારના 15 બોધની અપેક્ષાએ “જાણે છે” એમ કહેવાય. જયારે સામાન્ય મનોદ્રવ્યાકારના બોધની અપેક્ષાએ ‘જુએ છે” એમ કહેવાય છે. અહીં વિશિષ્ટતર મનોદ્રવ્યાકારના બોધની અપેક્ષાએ સામાન્યરૂપ દ્રવ્યાકારનો બોધ વ્યવહારથી દર્શનરૂપ કહેવાય છે અર્થાત્ કોઈ મનઃજ્ઞાનીને સામાન્યાકારનું જ જ્ઞાન થાય તો વિશિષ્ટ મનઃજ્ઞાનીને થયેલા વિશિષ્ટ આકારના જ્ઞાનની અપેક્ષાએ તે દર્શન કહેવાય. જ્યારે ખરેખર તો આ બોધ પણ જ્ઞાન જ છે. તેથી અહીં મન:પર્યવજ્ઞાન જ દર્શનરૂપે 20 જાણવું.) અન્યથા = જો આ રીતે ન માનો અને મન:પર્યવદર્શન માનો તો સૂત્રમાં ચક્ષુ-અચક્ષુઅવધિ– અને કેવળદર્શન એમ ચાર પ્રકારે જ જે દર્શન કહ્યા છે તેની સાથે વિરોધ આવે. ક્ષેત્રથી અઢીઢીપ જ, કાળથી ભૂત-ભવિષ્યમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગને, તથા ભાવથી મનોદ્રવ્યના અનંતપર્યાયોને જાણે—જુએ છે. તેમાં મનોદ્રવ્યના પર્યાયોને જ સાક્ષાત્ જુએ છે, મનોવ્યના 25 વિષયરૂપ બનેલા બાહ્ય અર્થોને અર્થાત્ ઘટ-પટ વગેરેને સાક્ષાત્ જોતા નથી પરંતુ અનુમાનથી જ જાણે છે. કારણ કે મન મૂર્ત-અમૂર્ત બંને વસ્તુ વિચારી શકે છે અને છદ્મસ્થ અમૂર્તનું દર્શન કરી શકતો નથી એટલે વિચારેલ અમૂર્ત વસ્તુ તો દેખાતી નથી જ) તેથી જેમ અમૂર્ત વસ્તુન અનુમાનથી જાણે, તેમ બાહ્ય મૂર્ત વસ્તુને પણ અનુમાનથી = મનોદ્રવ્યના આકાર ઉપરથી જાણે છે. સત્પદપ્રરૂપણાદિ અવિધજ્ઞાનની જેમ જાણી લેવા. વિશેષ એ છે કે અનાહારક-અપર્યાપ્ત 30 જીવો મન:પર્યવજ્ઞાનના પ્રતિપદ્યમાન કે પૂર્વપ્રતિપક્ષ હોય નહીં. અવતરણિકા : મન:પર્યવજ્ઞાન કહ્યું, હવે અવસર પ્રાપ્ત કેવળજ્ઞાનનું પ્રતિપાદન કરે છે Page #168 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાનનું સ્વરૂપ (નિ. ૭૭) કે ૧૪૫ अह सव्वदव्वपरिणामभावविण्णत्तिकारणमणंतं । सासयमप्पडिवाइ एगविहं केवलनाणं ॥७७॥ व्याख्या-इह मन:पर्यायज्ञानानन्तरं सूत्रक्रमोद्देशतः शुद्धितो लाभतश्च प्राक् केवलज्ञानमुपन्यस्तं, अतस्तदर्थोपदर्शनार्थमथशब्द इति, उक्तं च-"अथ प्रक्रियाप्रश्नानन्तर्यमङ्गलोपन्यासप्रतिवचन समुच्चयेषु" । सर्वाणि च तानि द्रव्याणि च सर्वद्रव्याणि जीवादिलक्षणानि तेषां परिणामाः- 5 प्रयोगविस्रसोभयजन्या उत्पादादयः सर्वद्रव्यपरिणामाः तेषां भावः सत्ता स्वलक्षणमित्यनर्थान्तरं तस्य विशेषेण ज्ञपनं विज्ञप्तिः, विज्ञानं वा विज्ञप्ति:-परिच्छित्तिः, तत्र भेदोपचारात्, तस्या विज्ञप्तेः कारणं विज्ञप्तिकारणं, अत एव सर्वद्रव्यक्षेत्रकालभावविषयं तत्, क्षेत्रादीनामपि દ્રવ્યતીત, તદર્થ નૈયાનન્તવાનન્ત, શશ્વવતતિ શાશ્વતં. તત્ર વ્યવહારનયતિવિતિઃ प्रतिपात्यपि भवति, अत आह-प्रतिपतनशीलं प्रतिपाति न प्रतिपाति अप्रतिपाति, 10 ગાથાર્થ : સર્વદ્રવ્યોના પરિણામોની (પર્યાયોની) સત્તા (અસ્તિત્વ)નું જ્ઞાન કરવામાં કારણભૂત, અનંત, શાશ્વત, અપ્રતિપાતી, એક પ્રકારનું એવું કેવળજ્ઞાન છે. ટીકાર્થ : અહીં પૂર્વે = પહેલાની ગાથાઓમાં મન:પર્યવજ્ઞાન પછી સૂત્રક્રમના (નંદીસૂત્રના ક્રમ પ્રમાણે) ઉદેશથી , શુદ્ધિથી અને લાભથી કેવળજ્ઞાન કહ્યું હતું. (અર્થાત મન:પર્યવજ્ઞાન પછી સૂત્રમાં કેવળજ્ઞાન કહ્યું છે, મન:પર્યવજ્ઞાન કરતાં કેવળજ્ઞાન શુદ્ધ છે, મન:પર્યવજ્ઞાન પછી 15 કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી તે વાતને બતાવવા “અથ” શબ્દ બતાવ્યો છે. કહ્યું છે કે એથ' શબ્દ પ્ર કેયા. પ્રશ્ન, આનન્તર્ય, મંગળ, ઉપન્યાસ, પ્રતિવચન અને સમુચ્ચયના અર્થમાં મૂકાય છે. જીવાદિરૂપ સર્વદ્રવ્યોના; પ્રયોગથી, કુદરતી રીતે, કે ઉભયથી ઉત્પન્ન થયેલા ઉત્પાદાદિ પરિણામોની વિદ્યમાનતા ભાવ સત્તા કે સ્વલક્ષણ)ને વિશેષથી જાણવા માટેનું કારણ કેવળજ્ઞાન 20 છે. જો કે પરિણામોની વિદ્યમાનતાનું જ્ઞાન અને કેવળજ્ઞાન કઈ જુદા નથી, છતાં ભેદનો ઉપચાર કરી વિધમાનતાના જ્ઞાનનું કારણ કેવળજ્ઞાન છે એવું કહ્યું છે આથી જ (કેવળજ્ઞાન સર્વદ્રવ્યોના સર્વભાવોને જણાવનાર હોવાથી જો તે કેવળજ્ઞાન સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના વિષયવાળું છે. (શંકા : કેવલજ્ઞાન સર્વદ્રવ્યોના ભાવોને જણાવનારું ગાથામાં કહ્યું છે, તો તમે સત્રકાળાદિના વિયવાળું એટલે કે ક્ષેત્રાદિને જણાવનારું શી રીતે કહ્યું ? કારણ કે ક્ષેત્રાદિ એ ક્યાં 25 દ્રવ્ય છે કે જેથી તેને જણાવનારું હોય.) સમાધાન : ક્ષેત્રાદિ પણ દ્રવ્ય જ હોવાથી કેવલજ્ઞાન ક્ષેત્રાદિનાં વિષયવાળું બને જ છે. વળી આ જ્ઞાનથી જાણવા યોગ્ય પદાર્થો અનંત હોવાથી “શયભેદથી જ્ઞાનનો ભેદ” એ ન્યાયે આ જ્ઞાન પણ અનંત છે. જે હંમેશા હોય તે શાશ્વત. વ્યવહારનયથી પ્રતિપાતી–અશાશ્વત વસ્તુને પણ ક્યારેક ઉપચારથી શાશ્વત કહેવાય છે, તેથી કેવળજ્ઞાન માટે “અપ્રતિપાતી” વિશેષણ છે 30 અર્થાતુ ન પડનારું સદા અવસ્થિત આ જ્ઞાન હોય છે. ૭૧. અતતર્થોથમથશદ્ધઃ | + વીનં નાપા * સાપનં ! Page #169 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सदाऽवस्थितमित्यर्थः । आह- अप्रतिपात्येतावदेवास्तु, शाश्वतमित्येतदयुक्तं, न, अप्रतिपातिनोsयवधिज्ञानस्य शाश्वतत्वानुपपत्तेः, तस्मादुभयमपि युक्तमिति । 'एकविधं' एकप्रकारं, आवरणाभावात् क्षयस्यैकरूपत्वात्, 'केवलं ' मत्यादिनिरपेक्षं 'ज्ञानं' संवेदनं, केवलं च तत् ज्ञानं चेति समास इति गाथार्थः ॥७७॥ 5 इह तीर्थकृत् समुपजातकेवलः सत्त्वानुग्रहार्थं देशनां करोति, तीर्थकरनामकर्मोदयात्, ततश्च ध्वनेः श्रुतरूपत्वात् तस्य च भावश्रुतपूर्वकत्वात् श्रुतज्ञानसंभवादनिष्टापत्तिरिति मा भून्मतिमोहोऽव्युत्पन्नबुद्धीनामित्यतस्तद्विनिवृत्त्यर्थमाह केवलणाणत्थे णाउं जे तत्थ पण्णवणजोगे । 10 ૧૪૬ 15 ते भाइ तित्थरो वयजोग सुयं हवइ सेसं ॥७८॥ व्याख्या - इह तीर्थकरः केवलज्ञानेन 'अर्थान्' धर्मास्तिकायादीन् मूर्त्तामूर्त्तान् अभिलाप्यानभिलाप्यान् ' ज्ञात्वा' विनिश्चित्य, केवलज्ञानेनैव ज्ञात्वा न तु श्रुतज्ञानेन, तस्य क्षायोपशमिकत्वात्, केवलिनश्च तदभावात्, सर्वशुद्धौ देशशुद्ध्यभावादित्यर्थः । ये 'तत्र' तेषामर्थानां मध्ये, प्रज्ञापनं प्रज्ञापना तस्या योग्याः प्रज्ञापनायोग्याः 'तान् भाषते' तानेव वक्ति नेतरानिति, प्रज्ञापनीयानपि શંકા : માત્ર “અપ્રતિપાતી' શબ્દથી જ “શાશ્વત” શબ્દનો ભાવ ખ્યાલમાં આવી જતાં “શાશ્વત” શબ્દ શા માટે મૂક્યો ? સમાધાન : એવું નથી કારણ કે અપ્રતિપાતી એવું પણ અવિધ શાશ્વત નથી. તેથી બંને વિશેષણો યુક્ત જ છે. વળી આ જ્ઞાન સંપૂર્ણ આવરણનો ક્ષય થવાથી ઉત્પન્ન થતું હોવાથી એક જ પ્રકારનું છે કારણ કે તે ક્ષય એક જ પ્રકારનો હોય છે. (પણ મતિની જેમ ૨૮ કે શ્રુતની જેમ ૧૪ પ્રકાર પડતા નથી.) વળી આ જ્ઞાન મતિજ્ઞાનાદિથી નિરપેક્ષ હોવાથી કેવળ (એક) છે. 20 ||૭|| અવતરણિકા : ઉત્પન્ન થયેલ છે કેવળજ્ઞાન જેને એવા તીર્થંકરો તીર્થંકરનામકર્મના ઉદયથી જીવોના ઉપકારાર્થે દેશના આપે છે. તે દેશનાના શબ્દો શ્રુતરૂપ છે અને તે શ્રુત ભાવશ્રુતપૂર્વકનું હોવાથી તીર્થંકરોને શ્રુતજ્ઞાન માનવાની આપત્તિ આવશે જે અનિષ્ટ છે એટલે અવ્યુત્પન્ન=શાસ્ત્રબોધ દ્વારા વિકસિત નહીં પામેલી બુદ્ધિવાળાઓને બુદ્ધિમાં મોહ ન થાય તે માટે આવી શંકાને દૂર 25 કરતા કહે છે → ગાથાર્થ : કેવળજ્ઞાનવડે અર્થોને જાણીને જે તેમાંથી પ્રજ્ઞાપનાને = નિરૂપણને યોગ્ય છે તે અર્થોને તીર્થંકરો બોલે છે. તેઓનો આ વચનયોગ છે. આ વચનયોગ એ શેષશ્રુત = દ્રવ્યશ્રુત છે. ટીકાર્થ : તીર્થંકર કેવળજ્ઞાનવડે ધર્માસ્તિકાયાદિ મૂત્તમૂર્ત, અભિલાષ્ય-અનભિલાપ્ય પદાર્થોને જાણીને, અહીં તીર્થંકરો કેવળજ્ઞાનવડે જાણે છે એમ જાણવું, પણ શ્રુતજ્ઞાનવડે નહીં કારણ કે તે 30 શ્રુતજ્ઞાન ક્ષાયોપશમિક છે અને કેવળીઓને સર્વશુદ્ધિ થતાં દેશશુદ્ધિ રહેતી ન હોવાથી ક્ષાયોપમિક એવું શ્રુતજ્ઞાન હોતું નથી. આમ કેવળજ્ઞાનવડે પદાર્થોને જાણીને તેમાંથી પ્રજ્ઞાપનાને યોગ્ય પદાર્થો બોલે છે, અન્ય નહીં. તેમાં પણ પ્રજ્ઞાપના યોગ્ય સર્વ પદાર્થો અનંત હોવાથી, આયુષ્ય પરિમિત Page #170 -------------------------------------------------------------------------- ________________ કેવળી ને શ્રુતજ્ઞાનનો અભાવ (નિ. ૭૮) કલિક ૧૪૭ न सर्वानेव भाषते, अनन्तत्वात्, आयुषः परिमितत्वात्, वाचः क्रमवर्तित्वाच्च, किं तर्हि ?, योग्यानेव गृहीतृशक्त्यपेक्षया यो हि यावतां योग्य इति । तत्र केवलज्ञानोपलब्धार्थाभिधायकः शब्दराशिः प्रोच्यमानस्तस्य भगवतो वाग्योग एव भवति, न श्रुतं, नामकर्मोदयनिबन्धनत्वात्, श्रुतस्य च क्षायोपशमिकत्वात्, स च श्रुतं भवति शेषं, शेषमित्यप्रधानं, एतदुक्तं भवति-श्रोतॄणां श्रुतग्रन्थानुसारिभावश्रुतज्ञाननिबन्धनत्वाच्छेषमप्रधानं द्रव्यश्रुतमित्यर्थः । अन्ये त्वेवं पठन्ति- 5 'वयजोगसुयं हवइ तेसिं' स वाग्योगः श्रुतं भवति तेषां' श्रोतृणां, भावश्रुतकारणत्वादित्यभिप्रायः। अथवा 'वाग्योगश्रुतं' द्रव्यश्रुतमेवेति गाथार्थः ॥७८॥ ___ सत्पदप्ररूपणायां च गतिमङ्गीकृत्य सिद्धगतौ मनुष्यगतौ च, इन्द्रियद्वारमधिकृत्य नोइन्द्रियातीन्द्रियेषु, एवं त्रसकायाकाययोः सयोगायोगयोः अवेदकेषु अकषायिषु शुक्ललेश्यालेश्ययोः सम्यग्दृष्टिषु केवलज्ञानिषु केवलदर्शिषु संयतनोसंयतयोः साकारानाकारोपयोगयोः 10 आहारकानाहारकयोः भाषकाभाषकयोः परीत्तनोपरीत्तयोः पर्याप्तनोपर्याप्तयोः बादरनोबादरयोः, संजिषु नोसंज्ञिषु, भव्यनोभव्ययोः, मोक्षप्राप्तिं प्रति भवस्थकेवलिनो भव्यता, चरमाचरमयोः, चरम:- केवली अचरमः-सिद्धः भवान्तरप्राप्त्यभावात्, केवलं द्रष्टव्यमिति । पूर्वप्रतिपन्नप्रतिહોવાથી અને વાણી ક્રમવર્તી હોવાથી સર્વ પદાર્થો બોલતા નથી, પરંતુ સાંભળનારની શક્તિ અપેક્ષાએ જેને જેટલા યોગ્ય હોય તેટલા જ કહે છે. 15 તેમાં કેવળજ્ઞાનવડે જણાતા અર્થને કહેનાર બોલાતો શબ્દસમૂહ ભગવાનનો વચનયોગ જ હોય છે, પણ શ્રત નથી, કારણ કે નીકળતા તે શબ્દસમૂહમાં નામકર્મનો ઉદય કારણ છે (નહીં કે કોઈ કર્મનો ક્ષયોપશમ કારણ છે.) જયારે શ્રુત ક્ષાયોપથમિક છે. તેથી તે શબ્દસમૂહ શ્રુતરૂપ નથી પણ વચનયોગ જ છે. અને તે વચનયોગ સાંભળનારાઓના મૃતગ્રસ્થાનુસારી ભાવશ્રુતજ્ઞાનનું કારણ હોવાથી શેષ અપ્રધાન અર્થાત્ દ્રવ્યશ્રુત તરીકે ઓળખાય છે. કેટલાક આચાર્યો આ પ્રમાણે 20 કહે છે કે તે વચનયોગ ભાવકૃતનું કારણ હોવાથી શ્રોતાઓને માટે શ્રુત થાય છે, અર્થાત દ્રવ્યશ્રત તરીકે વ્યવહાર કરાય છે. અથવા “વાગ્યોગશ્રુત” એ રીતે શબ્દ લઈએ તો અર્થ આ પ્રમાણે કે તીર્થકરોનો તે વાગ્યોગશ્રુત એ દ્રવ્યશ્રુત જ છે. ll૭૮ કેવળજ્ઞાનની સત્પદપ્રરૂપણા આ પ્રમાણે જાણવી કે ગતિને આશ્રયી કેવળજ્ઞાન સિદ્ધગતિમાં અને મનુષ્યગતિમાં હોય છે. ઇન્દ્રિયદ્વારને આશ્રયી, નોઈન્દ્રિય અને અતીન્દ્રિયોને વિષે હોય છે. 25. એજ પ્રમાણે ત્રસકાય અને અકાયને વિષે, સયોગી – અયોગીને વિષે, અવેદકોમાં, અકષાયીઓમાં, શુકુલલેશ્યા અને અલેશીમાં, સમ્યગ્દષ્ટિઓમાં, કેવળજ્ઞાનીઓમાં, કેવળદર્શીઓમાં, સંતોનાયતોને વિષે, સાકાર-અનાકાર ઉપયોગને વિષે, આહારક-અનાહારકોને, ભાષક-અભાષકોને, પરીત્ત-નોપરીત્તને, પર્યાપ્ત-નો પર્યાયોને, બાદર-નોબાદરોને, સંજ્ઞીઓને, નોસંજ્ઞીઓને, ભવ્યનોભવ્યોને, અહીં મોક્ષપ્રાપ્તિ પ્રત્યે ભવસ્થકેવળીઓમાં રહેલી ભવ્યતાને આશ્રયી ભવ્યોને વિષે 30 કેવળજ્ઞાન હોય તેમ જાણવું, ચરમ-અચરમને વિષે, ચરમ તરીકે કેવળી અને અચરમ તરીકે સિદ્ધ જાણવા, કારણ કે સિદ્ધોને ભવાન્તરની પ્રાપ્તિ નથી. આ બધાને વિષે કેવળજ્ઞાન હોય છે. ૮૦. સંતાન નોસંઘતાસંતાનાં વેતિ (વિ.) * નિપુ ! Page #171 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) पद्यमानयोजनाच स्वबुद्ध्या कर्त्तव्येति । 'द्रव्यप्रमाणं' तु प्रतिपद्यमानानधिकृत्य उत्कृष्टतोऽष्टशतं, पूर्वप्रतिपन्नाः केवलिनस्तु अनन्ता:, 'क्षेत्रं' जघन्यतो लोकस्यासंख्येयभागः, उत्कृष्टतो लोक एव, વ્યવસ્તિમમુદ્ધાતધિત્વ, વં સ્પર્શનાપિ, ‘વ્હાલત:' સાદ્યમપર્યન્ત, ‘અત્તર’ નાસ્યેવ, પ્રતિપાતાભાવાત્, ‘માનદ્વાર' મતિજ્ઞાનવત્ દ્રવ્યું, ‘માવ' કૃતિ ક્ષાયિò માવે ‘અલ્પવદુત્વ' 5. તિજ્ઞાનવર્તવ । उक्तं केवलज्ञानं, तदभिधानाच्च नन्दी, तदभिधानान्मङ्गलमिति । एवं तावन्मङ्गलस्वरूपाभिधानद्वारेण ज्ञानपञ्चकमुक्तं, इह तु प्रकृते श्रुतज्ञानेनाधिकारः, तथा च नियुक्तिकारेणाभ्यधायि ૧૪૮ इत्थं पुण अहिगारो सुयनाणेणं जओ सुएणं तु । सेसाणमप्पणोऽविअ अणुओगु पईवन्ति ॥ ७९ ॥ गमनिका - अत्र पुनः प्रकृते अधिकारः श्रुतज्ञानेन, यतः श्रुतेनैव 'शेषाणां' मत्यादिज्ञानानां आत्मनोऽपि च 'अनुयोगः' अन्वाख्यानं, क्रियत इति वाक्यशेषः, स्वपरप्रकाशकत्वात्तस्य. प्रदीपदृष्टान्तश्चात्र द्रष्टव्य इति गाथार्थः ॥७९॥ इति पीठिकाविवरणं समाप्तम् । 15 અહીં પૂર્વપ્રતિપક્ષ–પ્રતિપદ્યમાનની યોજના પોતાની બુદ્ધિવડે કરી લેવા યોગ્ય છે. દ્રવ્યનું પ્રમાણ વિચારતાં, પ્રતિપદ્યમાન વિવક્ષિત સમયે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરનારા ઉત્કૃષ્ટથી ૧૦૮ હોય છે. પૂર્વપ્રતિપન્ન કેવળીઓ અનંતા હોય છે. ક્ષેત્રને આશ્રયી જઘન્યથી લોકના અસંખ્યેયભાગમાં કેવળ વર્તે છે, ઉત્કૃષ્ટથી સમુદ્ધાતને આશ્રયી સંપૂર્ણ લોકમાં વર્તે છે. આ પ્રમાણે સ્પર્શના પણ જાણી લેવી. કાળથી સાદિ-અનંત, પ્રતિપાતનો અભાવ હોવાથી અંતર પડતું નથી. ભાગદ્વાર મતિજ્ઞાનની જેમ જાણી લેવું. ભાવને આશ્રયી કેવળજ્ઞાન ક્ષાયિક ભાવે વર્તે 20 છે. અલ્પબહુત્વ પણ મતિજ્ઞાનની જેમ જાણી લેવું. 10 અવતરણિકા : કેવળજ્ઞાન પૂર્ણ થયું. તેના કહેવાથી (પાંચજ્ઞાનોનું સંપૂર્ણ વંર્ણન પૂર્ણ થતાં નંદી પાંચજ્ઞાનરૂપ હોવાથી) નંદીનું વર્ણન પણ પૂર્ણ થયું. અને તેના કહેવાથી (મંગળ નંદીઆત્મક હોવાથી મંગળ પૂર્ણ થયું. આ પ્રમાણે મંગળનું સ્વરૂપ કહેવા દ્વારા જ્ઞાનપંચક કહેવાયું. તેમાં અહીં પ્રસ્તુતમાં શ્રુતજ્ઞાનવડે અધિકાર છે. નિર્યુક્તિકારવડે પણ કહ્યું છે કે છ 25 ગાથાર્થ : અહીં વળી શ્રુતજ્ઞાનવડે અધિકાર છે, કારણ કે શ્રુતવડે શેષજ્ઞાનોનો અને પોતાનો અનુયોગ થાય છે, તેમાં પ્રદીપનું દષ્ટાન્ત જાણવું. ટીકાર્થ : અહીં પ્રકૃતમાં શ્રુતજ્ઞાનવડે અધિકાર છે કારણ કે શ્રુતવડે જ શેષ મત્યાદિજ્ઞાનોનો અને શ્રુતનો પોતાનો અનુયોગ વ્યાખ્યાન કરાય છે. જેમ પ્રદીપ પોતાના દ્વારા ઘટાદિ પદાર્થોની અને પોતાની સત્તા જણાવે છે, તેમ શ્રુત પોતે સ્વ-૫૨પ્રકાશક હોવાથી સ્વ–પરનો અનુયોગક 30 છે. ૫૭૯ના આ પ્રમાણે પીઠિકાનું વિવરણ સમાપ્ત થયું. + Ë ! " આવશ્ય પી૦ = Page #172 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકગ્રંથ એ શું છે? # ૧૪૯ साम्प्रतं मङ्गलसाध्यः प्रकृतोऽनुयोगः प्रदर्श्यत इति, स च स्वपरप्रकाशकत्वात् गुर्वायत्तत्वाच्च श्रुतज्ञानस्येति, तथा चोक्तं-'अत्र पुनरधिकारः श्रुतज्ञानेनेत्यादि' । आह-नन्वावश्यकस्यानुयोगः प्रकृत एव, पुनः श्रुतज्ञानस्येत्ययुक्तमिति, अत्रोच्यते, आवश्यकस्य श्रुतान्तर्गतत्वप्रदर्शनार्थत्वाददोषः। आह-यद्यावश्यकस्यानुयोगः, तदावश्यकं किमङ्गमङ्गानि ? श्रुतस्कन्धः श्रुतस्कन्धाः ? अध्ययनमध्ययनानि ? उद्देशक उद्देशकाः ? इति, अत्रोच्यते, आवश्यकं श्रुतस्कन्धस्तथाऽध्ययनानि । च, शेषास्त्वनादेशा विकल्पा इति । आह-ननु नन्दीव्याख्याने अङ्गानङ्गप्रविष्टश्रुतनिरूपणायामनङ्गताऽस्याभिहितैव, ततश्च किमङ्गमङ्गानीत्याद्याशङ्कानुपपत्तिरिति, अत्रोच्यते, तद्व्याख्याऽनियमप्रदर्शनार्थत्वाददोषः, नावश्यं शास्त्रादौ नन्द्यध्ययनार्थकथनं कर्त्तव्यं, अकृते चौशङ्का "संभवति । आह-मङ्गलार्थं शास्त्रादाववश्यमेव नन्यभिधानात् कथमनियम इति , અવતરણિકા : પૂર્વે જે મંગળ કર્યું. તે અયોગ કરવા માટે કર્યું. તેથી તે મંગળથી સાધ્ય 10 પ્રતાનુયોગ (કોના કરવાનો છે ? તે) હવે બતાવે છે. તે અનુયોગ શ્રુતજ્ઞાનનો કરવાનો છે કારણ કે શ્રુતજ્ઞાન સ્વ–પરપ્રકાશક છે અને ગુરુને આધીન છે. તથા ગ્રંથકારે પણ કહ્યું જ છે કે અહીં શ્રુતજ્ઞાનવ અધિકાર છે. શંકા : ખરેખર તો આવશ્યકનો અનુયોગ પ્રસ્તુત હોવા છતાં “શ્રુતજ્ઞાનનો અનુયોગ પ્રસ્તુત છે” એવું શા માટે કહ્યું ? સમાધાન : આવશ્યક શ્રુતમાં જ સમાવેશ પામે છે એ અર્થ બતાવવા અમે આમ કહ્યું છે માટે કોઈ દોષ નથી. એટલે “શ્રુતજ્ઞાનનો અનુયોગ” એવું કહેવાદ્વારા અમે આવશ્યકનો જ અનુયોગ કરી ગુ. શંકા : આવશ્યકનો અનુયોગ કરવાનો હોય તો આ આવશ્યક એ શું અંગ છે ” કે અંગો છે ? શ્રુતસ્કન્ધ છે કે શ્રુતસ્કન્ધો છે ? અધ્યયન છે ? કે અધ્યયનો છે ? ઉદ્દેશ છે ? કે 20 ઉદ્દેશાઓ છે ? સમાધાન : આવશ્યક શ્રુતસ્કન્ધ અને અધ્યયનો છે. શેષ વિકલ્પરૂપે નથી. શંકા : નંદીના વ્યાખ્યાનમાં અર્થાત્ નંદીના અંશભૂત શ્રુતજ્ઞાનના વ્યાખ્યાન અવસર { | ન.૧૯-૨૦) અંગ-અનંગપ્રવિષ્ટશ્રુતનાં નિરૂપણામાં આવશ્યક એ અનંગપ્રવિષ્ટ છે એમ કહ્યું જ છતું. તો પછી અહી આવશ્યક એ અંગ છે.. વગેરે શંકા શા માટે કરવી પડી ? અર્થાત 25 આ શંકા ઘટતી નથી. સમાધાન : નંદી અધ્યયનનો અર્થ શાસ્ત્રની શરૂઆતમાં કરવો જ જોઈએ એવું નથી. તેથી નંદીવ્યાખ્યાનનો અનિયમ બતાવવા આ શંકા હોવાથી કોઈ દોષ નથી, અને શરૂઆતમાં નંદીનું વ્યાખ્યાન ન કર્યું હોય તો આવશ્યક અનંગપ્રવિષ્ટ છે, એ ખબર ન હોવાથી આશંકા સંભવે છે. શંકા : મંગળ માટે શરૂઆતમાં અવશ્ય નંદીનું અભિધાન થતું હોવાથી તેનો અનિયમ છે 30 ८१. एकोनविंशतिगाथाव्याख्याने । ८२. ज्ञानापञ्चकनिरूपकप्रकरणतया नन्द्यध्ययनत्वात् । ८३. अङमहानि किमित्याद्यात्मीया । ८४. नोआगमतो भावमलं हि नन्दी यतः । * आवश्यका० + ૦ ગ્રીનનિ જ મવતિ | * ૦મપ્રર્શનાર્થCીવતોષ રૂતિ ! Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કરોઢ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) अत्रोच्यते, ज्ञानाभिधानमात्रस्यैव मङ्गलत्वात् नावश्यमवयवार्थाभिधानं कर्त्तव्यमिति, तदकरणे चांशङ्का भवति । किं च-आवश्यकव्याख्यानारम्भे शास्त्रान्तरव्याख्यानारम्भोऽयुक्त एव, शास्त्रान्तरं च नन्दी, पृथक् श्रुतस्कन्धत्वात् । आह-यद्येवमिह आवश्यकश्रुतस्कन्धानुयोगारम्भे किमिति तदनुयोग इति, उच्यते, 5 शिष्यानुग्रहार्थं न त्वयं नियम इत्यपवादप्रदर्शनार्थं वा, एतदुक्तं भवति-कदाचित्पुरुषाद्यपेक्षया उत्क्रमेणापि अन्यारम्भेऽपि चान्यद् व्याख्यायत इति, अलं प्रसङ्गेन, तत्र शास्त्राभिधानं 'आवश्यकश्रुतस्कन्धः', तद्भेदाश्च अध्ययनानि यतः तस्माद् आवश्यकं निक्षेप्तव्यं श्रुतं स्कन्धश्चेति। किं च -किमिदं शास्त्राभिधानं प्रदीपाभिधानवद् यथार्थं आहोश्चित् पलाशाभिधानवद् अयथार्थ એવું શા માટે કહો છો ? 10 સમાધાન : જ્ઞાનમાત્રનું કથન જ અર્થાતુ પાંચ પ્રકારના જ્ઞાનનો નામથી ઉલ્લેખ કરવો એ જ મંગળરૂપ હોવાથી દરેકે દરેક જ્ઞાનનું વિસ્તારથી કથન કરવું જરૂરી નથી. તેથી ન કર્યું હોય તો આશંકા થાય જ છે. વળી આવશ્યકનું વ્યાખ્યાન કરવાના અવસરે શાસ્ત્રાન્તરનું વ્યાખ્યાન કરવું એ અયુક્ત જ છે. નંદી એ જુદો શ્રુતસ્કન્ધ હોવાથી શાસ્ત્રાન્તર છે. તેથી તેનું વ્યાખ્યાન કરવું જ પડે એવો નિયમ નથી. 15 શંકા : શાસ્ત્રાન્તરનું વ્યાખ્યાન જો અયુક્ત હોય તો આ ગ્રંથમાં આવશ્યક શ્રુતસ્કન્ધના અનુયોગની શરૂઆતમાં શા માટે નંદીનું વ્યાખ્યાન કર્યું? સમાધાન આ વ્યાખ્યાન શિષ્યના અનુગ્રહ માટે કર્યું છે, નહીં કે નિયમ હોવાથી કરેલું છે. અથવા અપવાદપદનું પ્રદર્શન કરવા વ્યાખ્યાન કરેલ છે અર્થાત્ ક્યારેક પુરુષાદિની અપેક્ષાએ ઉત્ક્રમથી પણ અન્યનો આરંભ કરવા છતાં અન્યનું વ્યાખ્યાન કરાય છે. (આશય એ છે કે જેનું 20 વ્યાખ્યાન કરવાનો પ્રારંભ કર્યો હોય તે જ કરવું જોઈએ, પણ આ નિયમમાં એટલો અપવાદ કે ક્યારેક પુરુષ વગેરેની = મંદમતિવાળા શિષ્ય કે જેમને વિસ્તારથી કથન કરવું પડે તેવા જીવોની અપેક્ષાએ ઉત્કમ કરવા દ્વારા અન્યનું વ્યાખ્યાન થાય એ વાતને સિદ્ધ કરવા અહીં આવશ્યકના આરંભમાં નંદીનો અનુયોગ કર્યો છે.) આમ, પ્રાસંગિક ચર્ચાથી સર્યું. અહીં શાસ્ત્રનું નામ છે “આવશ્યક શ્રુતસ્કન્ધ” અને અધ્યયનો તેના ભેદ છે તેથી આવશ્યક, 25 શ્રત અને સ્કન્ધ આ ત્રણ શબ્દોના નિક્ષેપ કરવા યોગ્ય છે. વળી આ શાસ્ત્રનું નામ એ પ્રદીપના નામની જેમ યથાર્થ છે કે પલાશના નામની જેમ અયથાર્થ છે કે ડિત્યાદિના નામની જેમ અનર્થક જ છે તે જોવા યોગ્ય છે. જો યથાર્થ છે તો જ તે ઉપાદેય છે, કારણ કે યથાર્થ નામ હોય તો ८५. मूलसूत्रापेक्षया नन्दीव्याख्यानाऽनियमप्रदर्शनाय पक्षान्तरं-किञ्चेत्यादि । ८६. आवश्यकव्याख्यानारम्भे शास्त्रान्तरव्याख्यानारम्भोऽयुक्त इत्यस्योपदर्शितस्य नियमस्यापवाद इति । ८७. 30 प्राक् नन्दी पश्चादावश्यकमित्यादिकं क्रमं परित्यज्य, अपिना क्रमोऽपि पुरुषाद्यपेक्षया एव। ०शङ्कासंभव તિ. * ૦પુરું પાડે + મહોસ્વિત્ | Page #174 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકશબ્દનો અર્થ કે ૧૫૧ lo उत डित्थाद्यभिधानवद् अनर्थकमेवेति परीक्ष्यं, यदि च यथार्थं ततस्तदुपादेयं, तत्रैव समुदायार्थपरिसमाप्तेरित्यतः शास्त्राभिधानमेव तावदालोच्यत इति । तत्र ‘आवश्यकं' इति कः શબ્દાર્થ ?, अवश्यं कर्त्तव्यमावश्यकं, अथवा गुणानामावश्यमात्मानं करोतीत्यावश्यकं, यथा अन्तं करोतीत्यन्तकः, अथवा 'वस निवासे' इति गुणशून्यमात्मानमावासयति गुणैरित्यावासकं, 5 गुणसान्निध्यमात्मनः करोतीति भावार्थः । इदं च मङ्गलवन्नामादिचतुर्भेदभिन्नं, इदं च प्रपञ्चतः सूत्रादवसेयमिति, उद्देशस्तु तदनुसारेणैव शिष्यानुग्रहायाभिधीयते इति, तत्र नामस्थापने सुज्ञाने તેનાથી જ સમુદાયાર્થ = સમગ્ર શાસ્ત્રમાં કહેવા યોગ્ય અર્થનું પરિજ્ઞાન થઈ શકે. (આશય એ છે કે જો યથાર્થ નામ હોય તો નામ જાણવાથી જ આખા શાસ્ત્રમાં શું કહેવાનું છે ? તેનું જ્ઞાન થાય અને તેથી તે નામનો નિક્ષેપ ઉપાદેય છે.) તેથી સૌ પ્રથમ શાસ્ત્રનું નામ વિચારાય છે. તેમાં આવશ્યક એટલે શું? જે અવશ્ય કર્તવ્ય છે તે આવશ્યક અથવા જે આત્માને ગુણોને વશ કરે તે આવશ્યક, જેમકે અંત કરે તે અંત, (આશય એ છે કે – જેમ અહીં “અન્તક' શબ્દને કર્તાના અર્થમાં ફ પ્રત્યય લાગ્યો છે, તેમ ‘આવશ્યક શબ્દને પણ કર્તાના અર્થમાં ક પ્રત્યય લાગેલો છે.) અથવા “વસ” ધાતુ વસવાના અર્થમાં હોવાથી ગુણોથી શૂન્ય એવા આત્માને જે ગુણોવડે વાસિત કરે છે તે આવાસક અર્થાત 15 ગુણો સાથે આત્માનું સાનિધ્ય કરનાર. આ આવશ્યક મંગળની જેમ નામાદિ ચાર ભેદોવાળું છે. આ નામાદિ ભેદોવાળું આવશ્યક વિસ્તારથી સૂત્રમાંથી (અનુયોગદ્વારસૂત્ર નં. ૯માંથી) જાણી લેવું. અહીં માત્ર સંક્ષેપથી સ્વરૂપને કહેવારૂપ ઉદ્દેશ ગ્રંથના અનુસારે જ શિષ્યના અનુગ્રહ માટે કહેવાય છે. તેમાં નામ-સ્થાપના સરલ છે. (નામ–આવશ્યક એટલે જે જીવ કે અજીવ વસ્તુનું “આવશ્યક” એ પ્રમાણે નામ પાડવામાં 20 આવે છે તે જીવ કે અજીવ નામ–નામવાળાના અભેદ ઉપચારથી નામ–આવશ્યક કહેવાય છે. અથવા નામ એવું જે આવશ્યક એવો કર્મધારય સમાસ કરીયે તો તે જીવ–અજીવ વસ્તુનું જે “આવશ્યક” એ પ્રમાણે અક્ષરોની પંક્તિરૂપ નામ છે તે નામ પોતે નામ–આવશ્યક જાણવું. સ્થાપના–આવશ્યક એટલે લાકડાની કોઈ વસ્તુને વિષે, ચિત્રને વિષે, આવશ્યક પ્રતિક્રમણાદિ કરતા સાધુની છબી બનાવી “આ આવશ્યક છે” એમ સ્થાપના કરવામાં આવે તે સદ્ભાવસ્થાપના 25 કહેવાય કારણ કે આ ચિત્રમાં પ્રતિક્રમણાદિ કરતા સાધુનો આકાર છે. જયારે અક્ષ, વરાટક (માટીનું કોડિયું) વગેરેમાં ‘આ આવશ્યક છે' એમ સ્થાપના કરાય તે અસદ્ભાવ સ્થાપના જાણવી કારણ કે આ અક્ષ કે વરાટકમાં પ્રતિક્રમણાદિ કરતા સાધુની છબીનો = આકારનો સદભાવ નથી. ટૂંકમાં જે વસ્તુ સ્થાપવી છે તે વસ્તુના આકારવાળી વસ્તુમાં કરાતી સ્થાપના સદ્ભાવસ્થાપના અને આકારવિનાની વસ્તુમાં કરાતી સ્થાપના અસદ્ભાવસ્થાપના કહેવાય છે.) 30 ८८. संक्षेपेण स्वरूपाभिधानरूपोऽत्रोद्देशः । Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૨ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एव, द्रव्यावश्यकं द्विधा - आगमतो नोआगमतश्च तत्रागमतो ज्ञाताऽनुपयुक्तः 'अनुपयोगो द्रव्य मितिकृत्वा, नोआगमतो द्रव्यावश्यकं त्रिविधं - ज्ञशरीरं भव्यशरीरं ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तं च, तदपि त्रिविधं - लौकिकलोकोत्तरकुप्रावचनिकभेदभिन्नं यथाऽनुयोगद्वारेषु, नवरं लोकोत्तरेणात्राधिकारः, तच्च ज्ञानादिश्रमणगुणमुक्तयोगस्य प्रतिक्रमणं भावशून्यत्वाद् अभिप्रेतफलाभावाच्च, 5 एत्थ उदाहरणं - वसंतपुरं नगरं, तत्थ गच्छो अगीतत्थसंविग्गो विहरति, तत्थ य एगो संविग्गो समणगुणमुक्कजोगी, सो दिवसदेवसियं उदउल्लादिअणेसणाओ पडिगाहेत्ता महया संवेगेण आलोएड. કે દ્રવ્યાવશ્યક બે પ્રકારે છે ૧. આગમથી ૨. નોઆગમથી. તેમાં આગમથી દ્રવ્યાવશ્યક એટલે જે વ્યક્તિ ‘આવશ્યક’' શબ્દના અર્થનો જ્ઞાતા છે પરંતુ તેનો વિશ્ચિત સમયે તે શબ્દાર્થમાં ઉપયોગ નથી (ઉપયોગ અત્યારે બીજી પ્રવૃત્તિમાં હોવાથી). તેથી ‘જે ઉપયોગ વિનાનું હોય તે 10 દ્રવ્ય કહેવાય' એ ન્યાયે તે વ્યક્તિ આગમથી દ્રવ્યાવશ્યક કહેવાય. નો—આગમથી વ્યાવશ્યક ત્રણ પ્રકારે છે. જ્ઞશરીર, ભવ્યશરીર અને જ્ઞશરીર–ભવ્યશરીરથી જુદું. (તેમાં જ્ઞશરીર એટલે વ્યક્તિએ ભૂતકાળમાં આવશ્યકશબ્દનો અર્થ જાણેલો હતો માટે ‘જ્ઞ” કહેવાય છે. તેવી જ્ઞવ્યક્તિનું વર્તમાનમાં રહેલ મૃતશરીર તે જ્ઞશરીર કહેવાય છે. તે શરીર નાગમથી સગીર દ્રવ્યાવશ્યક છે. તેમજ જે બાળક કે યુવાન ભવિષ્યમાં આવશ્યક શબ્દનો અર્થ જાણશે. પરંતુ હજુ !5 સુધી જાણ્યો નથી તે બાળક કે યુવાન અત્યારે નો—આગમથી ભવ્યશરીર દ્રવ્યાવશ્યક કહેવાય છે. તથા જ્ઞશરીર, ભવ્યશરીરથી જે જુદું છે તે તવ્યતિરિક્ત શબ્દથી ઓળખાય છે અને) તે ત્રણ પ્રકારે છે ૧. લૌકિક ૨. લોકોત્તર ૩. કુપ્રાવનિક. આ ત્રણેની વ્યાખ્યા અનુયોગ–દ્વારમાંથી જાણી લેવી. (ટૂંકમાં અહીં કહેવાય છે. લોકમાં રાજા, ઈશ્વર, તલવર, મંત્રી વગેરે લોકો સવારે ઉઠીને 2) શરીરચિંતા. મુખ અને દંતનું પ્રક્ષાલન વગેરે નિત્ય કાર્યો જે કરે છે તે લૌકિક તવ્યતિરિક્ત વ્યાવશ્યક જાણવું. જે વળી ચરક વગેરે સંન્યાસીઓ સવારે ઉઠીને મંદિરાદિસ્થાનોનું પરિમાર્જન. ધોવાદિ કરે તે કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યક કહેવાય. જે વળી જિનેશ્વરના શાસનમાં શ્રમણપણુ પામ્યા પછી જિનાજ્ઞાને બાજું ૫૨ મૂકી સ્વેચ્છાપૂર્વક જીવન જીવતા ઉભયકાળ પ્રતિક્રમણ કરે છે તે પ્રતિક્રમણ લોકોત્તર દ્રવ્યાવશ્યક કહેવાય છે) આ ત્રણમાંથી અત્રે લોકોત્તરવડે જ અધિકાર 25 પ્રયોજન છે અને તે લોકોત્તર દ્રવ્યાવશ્યક તરીકે, ત્યજાયેલો છે જ્ઞાનાદિશ્રમણગુણો સાથેનો યોગ=સંબંધ જેનાવડે (અર્થાત્ શ્રમણગુણ વિનાના)એવા સાધુનું પ્રતિક્રમણ જાણવું, કારણ કે તે પ્રતિક્રમણ ભાવશૂન્ય છે અને ઈચ્છિતફલને આપનારું હોતું નથી. અહીં ઉદાહરણ આ પ્રમાણે જાણવું કે વસંતપુરનામના નગરમાં અગીતાર્થ (અજ્ઞાન) અને સંવિગ્ન (મોક્ષાભિલાષી) એવો ગચ્છ વિચરતો હતો. તેમાં જેને શ્રમણગુણને સાધી આપનારા 3) યોગો=આચારો છોડી દીધા હતા એવો એક સંવિગ્ન રોજે-રોજ સચિત્ત પાણીથી ભીના હાથવડે અપાતું વહોરવું વિ. અનેક અનેષણીય વહોરીને પછી થયેલા દેવસિય અતિચારોની ઘણા સંવેગવડે = ८९. अत्रोदाहरणं - वसन्तपुरं नगरं तत्र गच्छोऽगीतार्थसंविग्नो विहरति, तत्र चैकः संविग्नः मुक्त श्रमणगुणयोगः, स दिवसदैवसिकं उदकार्द्राद्यनेषणाः प्रतिगृह्य महता संवेगेनालोचयति, Page #176 -------------------------------------------------------------------------- ________________ નો-આગમથી દ્રવ્યાવશ્યકમાં દષ્ટાન્ત ૧૫૩ तस्स पुण गणी अगीयत्थत्तणओ पायच्छित्तं देंतो भणति 'अहो इमो धम्मसद्धिओ साहू !, सुहं पडिसेविउं, दुक्खं आलोएउं, एवं णाम एस आलोएइ अगृहंतो, अतो असढत्तणओ सुद्धोत्ति' एयं च दळूण अण्णे अगीपत्थसमणा पसंसंति, चिंतेंति य-णवरं आलोएयव्वं णत्थित्थ किंची पडिसेविएणं ति । अण्णदा कदाई गीयत्थे संविग्गो विहरमाणो आगओ, सो तं दिवसदेवसियं अविहिं दठूण उदाहरणं दाएति-गिरिणगरे णगरे रयणवाणियओ रत्तरयणाणं घरं भरेऊणं 5 पलीवेइ, तं पासित्ता सव्वलोगो पसंसति-अहो इमो धण्णो भगवन्तं अग्गिं तप्पेति, अण्णया कयाई तेण पलीवितं, वाओ य पबलो जाओ, सव्वं णगरं द8, पच्छा रण्णा पडिहणिओ *णिविसओ यकओ । अण्णहिपि णगरे एगो एवं चेव करेड.सो राणा सओ जहा एवं करे ગુરુ પાસે આલોચના કરતો હતો. તેના ગુરુ પણ અગીતાર્થ હોવાના કારણે શિષ્યને પ્રાયશ્ચિત્ત આપી કહેતા કે “અહો ! આ સાધુ ધર્મમાં કેટલી બધી શ્રદ્ધાવાળો છે. પાપ સેવવું સહેલું છે 10 એની આલોચના કરવી એ અતિદુષ્કર છે, છતાં આ સાધુ કંઈ પણ છુપાવ્યા વિના આલોચના કરે છે. આથી આ સરળતાથી બધું કહી દેતો હોવાથી શુદ્ધ છે” આ જોઈ અન્ય સાધુઓ તેની પ્રશંસા કરતા અને વિચારતા કે “આલોચના કરવી એ જ મુખ્ય છે. પાપ સેવાય એમાં કોઈ દોપ નથી. જો તેની સારી રીતે આલોચના કરી લઈએ.” (આવી ખોટી ભ્રમણાને કારણે તે ગચ્છમાં પાપસેવન વધતું ચાલ્યું. બસ બધાના મનમાં 15 - એક જ વાત ઘૂંટાય કે “આલોચના કરી લઈશું એટલે આપણે શુદ્ધ.”) એકવાર ક્યાંકથી ગીતાર્થ–સંવિગ્ન સાધુ તે ગામમાં આવી ચડ્યા. રોજે-રોજની અવિધિથી આલોચના કરતા સાધુને જોઈ પ્રાદુર્ણક મહાત્માએ એક ઉદાહરણ આપ્યું કે, ગિરિનગર નામના નગરમાં એક રત્નોનો વેપારી લાલ રત્નોવડે ઘરને ભરી ઘર બાળી નાંખતો. આ જોઈ ગામના લોકો તેની પ્રશંસા કરતા કે “અહો ! આ અગ્નિદેવનો પરમભક્ત છે, જે આ રીતે રત્નોભરી ઘરને બાળે 20 છે. અને અગ્નિદેવતાને ભેટ ધરે છે.” એકવાર આ રીતે ઘરને રત્નોથી ભરી ઘરને બાળ્યું. તે સમયે પવન જોરદાર ફૂંકાયો. જેથી (અગ્નિ ફેલાયો અને) આખા નગરને બાળી નાંખ્યું. પછી રાજા વડે વેપારીને દંડ કરાયો અને દેશનિકાલ કરાયો. અન્ય નગરમાં પણ આજ રીતે એક વેપારી રત્નોભરી ઘરને બાળતો. આ વાત રાજાએ ९०. तस्य पुनराचार्य: अगीतार्थत्वात् प्रायश्चित्तं ददत् भणति 'अहो अयं धर्मश्रद्धिकः ( तः) साधुः' 25 सुखं प्रतिसेवितु, दुष्करमालोचितुं एवं नामैष आलोचयति अगृहयन्, अतः अशठत्वाद् शुद्ध इति, एतद् दृष्ट्वाऽन्येऽगीतार्थश्रमणाः प्रशंसन्ति, चिन्तयन्ति च परं-आलोचयितव्यं नास्त्यत्र किञ्चित्प्रतिसेवितेनेति । तत्र अन्यदा कदाचित् गीतार्थः संविग्नः विहरन् आगतः, स तं दिवसदैवसिकमविधिं दृष्ट्वोदाहरणं दर्शयतिगिरिणगरे नगरे रत्नवणिग् रक्तरत्नैः गृहं भृत्वा प्रदीपयति, तदृष्ट्वा सर्वलोकः प्रशंसति-अहो ! अयं धन्यो भगवन्तमग्निं तर्पयति, अन्यदा कदाचित् तेन प्रदीपितं, वातश्च प्रबलो जातः, सर्वं नगरं दग्धं, 30 पश्चाद्राज्ञा प्रतिहतो निर्विषयश्च कृतः । अन्यत्रापि नगरे। एक एवमेव करोति, स राज्ञा श्रुतो यथा एवं વકરીતીતિ, * અર્વ + અવં + f / કઃ નિપUTયરો | Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सो सव्वहरणो काऊण क्सिज्जिओ, अडवीए कीस ण पलीवेसि ? । जहा तेण वाणिअगेण अवसेसावि दड्ढा, एवं तुमंपि एतं पसंसित्ता एते साहुणो सव्वे परिच्चयसि, जाहे न ठाति ताहे साणो भणि एस महाणिद्धम्मो अगीयत्थो अलं एयस्स आणाए, जदि एयस्स णिग्गहो न कीर, तो अण्णेवि विणस्संति । इदानीं भावावश्यकं तदपि द्विविधमेव-आगमतो नोआगमतश्च, 5 तत्रागमतो भावावश्यकं ज्ञाता उपयुक्तः, तदुपयोगानन्यत्वात्, अथवाऽऽवश्यकार्थोपयोर्गपरिणाम एवेति । नोआगमतस्तु ज्ञानक्रियोभयपरिणामो भावावश्यकं उपयुक्तस्य क्रियेति भावार्थ:, मिश्रवचनश्च नोशब्दः, इदमपि च लौकिकादित्रिविधं सूत्रादवसेयं, इह तु लोकोत्तरेणाधिकार સાંભળી કે આવું કરે છે, ને તરત રાજાએ એ વેપારીનું સર્વધન હરણ કર્યું અને “જંગલમાં જઈ કેમ બાળતો નથી' એમ કહી દેશમાંથી તેને કાઢી મૂક્યો. જેમ તે વેપારીની ભૂલથી આખું નગર 10 ભસ્મીભૂત થયું, તેમ હે આચાર્ય ! તમે પણ આ સાધુની આ રીતે પ્રશંસા કરી બીજા સર્વ સાધુઓનો ત્યાગ કરો છો અર્થાત્ ઉન્માર્ગે દોરો છો. આમ સમજાવવા છતાં તે આચાર્ય અટકતાં નથી તેથી ગીતાર્થ સંવિગ્નસાધુ અન્ય સાધુઓને કહેવા લાગ્યા કે “તમારો આ આચાર્ય નિર્મા છે, અગીતાર્થ છે તેથી તેની આજ્ઞા તમારે પાળવી નહીં, જો આને = આચાર્યને અકાર્યમાંથી રોકવામાં નહીં આવે તો બીજાનો પણ વિનાશ કરશે.” આવા અગીતાર્થ લોકોનું પ્રતિક્રમણ 15 ભાવથી શૂન્ય હોવાથી અને ઇચ્છિતફલને નહીં આપનાર હોવાથી દ્રવ્યાવશ્યક છે. હવે ભાવાવશ્યક કહે છે. તે પણ આગમ અને નોઆગમથી બે પ્રકારે છે. તેમાં આગમથી ‘આવશ્યક’ પદનો જ્ઞાતા અને ઉપયુક્ત એવો વ્યક્તિ, ઉપયોગ સાથે પોતાનો અભેદ હોવાથી ભાવાવશ્યક કહેવાય છે. અથવા આવશ્યક પદના અર્થના ઉપયોગનો પરિણામ જ ભાવાવશ્યક જાણવો. તથા જ્ઞાન-ક્રિયા ઉભયનો પરિણામ એ નો-આગમથી ભાવાવશ્યક છે અર્થાત્ ઉપયોગપૂર્વક 20 કરનારનું અનુષ્ઠાન. અહીં “નો” શબ્દ મિશ્રવાચી જાણવો. (પ્રતિક્રમણમાં બોલાતા સૂત્રાર્થનું જ્ઞાન અને વંદન, મુહપત્તિપડિલેહણાદિ ક્રિયા બંનેનું મિશ્રણ જાણવું) આ નો-આગમથી ભાવાવશ્યક પણ લૌકિકાદિ ત્રણ પ્રકારનું અનુયોગદ્વારસૂત્રમાંથી જાણી લેવું. = (તે આ પ્રમાણે ૧. લૌકિક – નિત્ય દિવસના પહેલા ભાગમાં મહાભારતાદિનું વ્યાખ્યાન અને છેલ્લા ભાગમાં (બપોરે) રામાયણાદિનું વ્યાખ્યાન તે લૌકિક નો-આગમથી ભાવાવશ્યક ૨. 25 જે વળી ચરકાદિ સંન્યાસીઓનું નિત્ય પોતપોતાના દેવનું સ્મરણ, જાપ વગેરે તે કુપ્રાવનિક ભાવાવશ્યક ૩. શ્રાવક, શ્રાવિકા, સાધુ–સાધ્વી એકાન્ત શુદ્ધચિત્તથી, વિધિપૂર્વક ઉભયકાળ પ્રતિક્રમણ જે કરે છે તે લોકોત્તર ભાવાવશ્યક જાણવું) અહીં લોકોત્તર એવા ભાવાવશ્યકવડે ૧૧. સ હતસર્વસ્વ: ( સર્વસ્વહરાં ) òા વિસૃષ્ટ:, ગટવ્યાં થં ( ત: ) ન પ્રદ્રીપત્તિ ?। યથા તેન वणिजा अवशेषा अपि दग्धाः, एवं त्वमपि एतं प्रशस्य एतान् सर्वान् परित्यजसि यदा न तिष्ठति 30 (વિરમતિ ) તવા માધવો મળિતા:-૫ મહાનિર્ધમાં અનીતાર્થ:, અલમેતસ્યાન્નયા, યત્તિ તસ્ય નિગ્રહો ન क्रियते ततोऽन्येऽपि विनश्यन्ति । ९२. आवश्यकपदार्थज्ञस्तज्जनितसंवेगविशुद्धिमान् परिणामस्तत्र ચોપયુત્ત્ત: ( અનુ૦ ૭રૂ ) | * વં પસંસંતો 1 + પરિવત્તિ । Page #178 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકના એકાર્થિક નામો અને શ્રુત-સ્કલ્પના નિક્ષેપ કરી ૧૫૫ इति । उक्तमावश्यकं, अस्य चामूनि अव्यामोहार्थमेकार्थिकानि द्रष्टव्यानि 'आवस्सयं १ अवस्सर्करणिज्जं २ धुव ३ णिग्गहो ४ विसोही ५ य । अज्झयणछक्क ६ वग्गो ७णाओ ८ आराहणा ९ मग्गो १० ॥१॥ समणेण सावएण य अवस्सकायव्वयं हवइ जम्हा। अंते अहोर्णिसैस्स य तम्हा आवस्सयं नाम ॥२॥ एवं श्रुतस्कन्धयोरपि निक्षेपश्चतुर्विध एव द्रष्टव्यः, यथाऽनुयोगद्वारेषु, स्थानाशून्यार्थं तु । किञ्चिदुच्यते-इह नोआगमतो ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तं द्रव्यश्रुतं पुस्तकपत्रकन्यस्तं, अथवा सूत्रमण्डजोदि, भावश्रुतं त्वागमतो ज्ञाता उपयुक्तः, नोआगमतस्त्विदमेवावश्यकं, नोशब्दस्य देशवचनात् । एवं नोआगमतो ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तो द्रव्यस्कन्धः सचेतनादिः, तत्र सचित्तो પ્રયોજન છે. આમ, આવશ્યક શબ્દાર્થાદિ કહ્યા. હવે આ આવશ્યકના સમાનાર્થી શબ્દો કોઈને 10 વ્યામોહ ન થાય તે માટે બતાવે છે. ૧. આવશ્યક ૨. અવશ્યકરણીય ૩. ધ્રુવ ૪. નિગ્રહ ૫. વિશોધી ૬. અધ્યયન પદ્ધ ૭. વર્ગ ૮. ન્યાય ૯. આરાધના ૧૦. માર્ગ II૧ શ્રમણ અને શ્રાવકવડે જે કારણથી રાત્રી અને દિવસના અંત સમયે અવશ્ય કરવા યોગ્ય છે તે કારણથી આવશ્યક કહેવાય છે રા આ પ્રમાણે મૃત અને સ્કન્ધનો પણ ચાર પ્રકારે નિક્ષેપ જાણવો. વિસ્તારથી અનુયોગ- 15 દ્વાર નામના ગ્રંથમાં બતાવ્યું છે. સ્થાન ખાલી ન રહે તે માટે સંક્ષેપથી કંઈક કહેવાય છે. નામ સ્થાપનાશ્રુત સુગમ હોવાથી તથા આગમથી દ્રવ્યશ્રત અને નો–આગમથી જ્ઞશરીર–ભવ્યશરીર દ્રવ્યશ્રત પણ સુગમ હોવાથી તવ્યતિરિક્ત દ્રવ્યશ્રુત તરીકે પુસ્તક–પત્રકાદિમાં રહેલું હોય તે અથવા શ્રુત શબ્દથી સૂત્ર (દોરા) પણ લેવાતું હોવાથી અંડજાદિ સૂત્રો (અર્થાત્ ચઉરિન્દ્રિય જાતિના કીડાઓએ બનાવેલા કોશેટામાંથી બનાવેલ સૂત્ર અંડજ કહેવાય છે જેને લોકમાં 20 ચટકસૂત્ર=રેશમનો દોરો કહેવાય છે) આ બધા દ્રવ્યશ્રુત કહેવાય છે. ભાવશ્રુતમાં આગમથી જ્ઞાતા ઉપયુક્ત જાણવો. નો–આગમથી ભાવસૃત તરીકે “નો” શબ્દ દેશવાચી હોવાથી આ આવશ્યક જ જાણવું. (કારણ કે તે સમગ્રશ્રુતનો એક દેશ છે) હવે સ્કન્ય શબ્દના નિક્ષેપા બતાવે છે. તેમાં પણ નામ–સ્થાપના-જ્ઞશરીર–ભવ્યશરીર સ્કન્ધ સુગમ હોવાથી તદ્ગતિરિક્ત દ્રવ્યસ્કન્ધ તરીકે સચિત્ત, અચિત્ત અને મિશ્ર જાણવા. તેમાં દ્વિપદાદિ 25, (માણસ વિ.) સચિત્તસ્કન્ધ, ક્રિપ્રદેશિકાદિ અચિત્તસ્કન્ધ અને સેના વિગેરેનો (હાથી-ઘોડા-રથપાયદલ વિગેરેના સમૂહરૂપ આગળનો, પાછળનો, કે મધ્યનો) દેશ એ મિશ્રસ્કન્ધ જાણવો. ____९३. आवश्यकमवश्यकरणीयं ध्रुवं निग्रहो विशोधिश्च । अध्ययनषट्कं वर्गो न्याय आराधना मार्गः ॥१॥ श्रमणेन श्रावकेण चावश्यकर्त्तव्यं भवति यस्मात् । अन्ते (न्तः) अहर्निशस्य (अह्रो निशः) च, तस्मादावश्यकं नाम ॥२॥९४. श्रुतपर्यायत्वात्सूत्रनिर्देशोऽत्र प्राकृतत्वात् सुयशब्देन सूत्रमपि सूत्रकृतोऽङ्गस्य 30 सुयगडेतिवत् । ९५. आदिना बोण्डजकीटजवालजवल्कजग्रहः । ९६. प्रस्तुतत्वादन्यथा सर्वमपि श्रुतमेवं, ૩મને 7 મિત્રજ્ઞાનોપદ્ધિનતા | * અવરૂં રાં | + મોળિસિક્સ | + માનતો | * નાર્નીમ્ | Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) द्विपदादिः अचित्तो द्विप्रदेशिकादिः मिश्रः सेनादिदेशादिरिति, तथा भावस्कन्धस्त्वागमतस्तदर्थोपयोगपरिणाम एव, नोआगमतस्त्वावश्यकश्रुतस्कन्ध एवेति, नोशब्दस्य देशवचनत्वात्, अथवा ज्ञानक्रियागुणसमूहात्मकः सामायिकादीनामध्ययनानां समावेशात्, ज्ञानदर्शनक्रियोपयोग इत्यर्थः, नोशब्दस्तु मिश्रवचनः । सर्वपदैकाच्यता सामायिकादिश्रुतविशेषाणां षण्णां स्कन्धः 5 श्रुतस्कन्धः, आवश्यकं च तत् श्रुतस्कन्धश्चेति समासः । आह-किमिदं आवश्यकं षडध्ययनात्मकमिति, अत्रोच्यते, 'पंडाधिकारात्मकत्वात्, ते चामी सामायिकादीनां यथायोगमवसेया इति-सावज्जजोगविरई १ उक्कित्तण २ गुणवओ य पडिवत्ती ३ । खलियस्स निंदण ४ वणर्तिगिच्छ ५ गुणधारणा ६ चेव ॥१॥ अस्या व्याख्या अवयं पापं, युज्यन्त इति योगाः व्यापाराः, सहावद्येन वर्त्तन्त इति सावद्याः, सावद्याश्च ते 10 योगाश्चेति समासः, तेषां विरमणं विरतिः सामायिकार्थाधिकार इति ? उत्कीर्तनमुत्कीर्तना, तत्र (આદિથી એવા બે દેશ, ત્રણ દેશ એ મિશ્રસ્કલ્પરૂપે જાણવા.) ભાવસ્કન્દમાં આગમથી સ્કન્ધપદાર્થના ઉપયોગનો પરિણામ જ અને નો-આગમથી આવશ્યકશ્રુતસ્કન્ધ જાણવો. અહીં પણ નોશબ્દ દેશવાચી છે. અથવા જ્ઞાન, ક્રિયા અને ગુણના સમૂહરૂપ આવશ્યક એ ભાવસ્કન્ધ છે, કારણ કે 15 સામાયિકાદિ છ અધ્યયનોનો સમાવેશ આમાં થાય છે અને આ છ અધ્યયનો જ્ઞાન-ક્રિયા અને ગુણરૂપ છે. અહીં તે તે અધ્યનનો ઉપયોગ એ જ્ઞાન છે. તેમાં કહેલી સામાચારી એ ક્રિયા છે અને મૂળ–ઉત્તર ગુણો એ ગુણરૂપ છે.) એટલે જ્ઞાન-દર્શન–ક્રિયાનો ઉપયોગ એ નોઆગમથી ભાવસ્કન્ધ છે. અહીં નોશબ્દ જ્ઞાન-ક્રિયાની મિત્રતા સૂચક છે. હવે આવશ્યક, શ્રત અને સ્કન્ધ આ ત્રણે પદોને ભેગા કરી એક અર્થ બતાવે છે કે સામાયિકાદિ છે શ્રુતવિશેષોનો જે સમુદાય 20 તે શ્રુતસ્કન્દ, આવશ્યક એવો જે શ્રુતસ્કન્ધ. તે આવશ્યકશ્રુતસ્કન્ધ. શંકા : આ આવશ્યક છે અધ્યયનાત્મક શા માટે કહ્યાં છે ? સમાધાન : આ આવશ્યક ગ્રંથ એ છ અર્થાધિકાર(વિષય)વાળો હોવાથી અધ્યયનાત્મક છે. તે સામાયિકાદિ ૬ અધ્યયનોના છ વિષયો આ પ્રમાણે છે ૧. સામાયિકાધ્યયનનો વિષય – સાવઘયોગની વિરતિ ૨. બીજા અધ્યયનનો વિષય ઉત્કીર્તન ૩. ત્રીજાનો વિષય ગુણવાનું 25 વ્યક્તિઓને પ્રતિપત્તિ = વંદના ૪. ચોથામાં અલિત એવાં પોતાના જીવની નિંદા ૫. પાંચમામાં વણચિકિત્સા ૬. છઠ્ઠામાં ગુણોની ધારણા, I/૧આ ગાથાની વ્યાખ્યા :- અવદ્ય એટલે પાપ, યુજયન્ત = જે કરાય તે યોગ=ક્રિયા, અવદ્યયુક્ત હોય તે સાવધ; સાવદ્ય એવા જે યોગો તે સાવઘયોગો=પાપક્રિયાઓ, તેઓની વિરતિ એ સામાયિકાધ્યયનનો અર્થાધિકાર છે. ૨. ચોવીસ ९७. सेणाइदेसाई ८९६-सेनायाः हस्त्यश्वस्थपदातिखङ्गकुन्ताद्यात्मकः पाश्चात्यमध्यमाग्रदेशरूपो 30 मिश्रस्कन्धः (विशे० ८९६ गाथावृत्तौ) सेणाए अग्गिमे खंधे सेणाए मज्झिमे खंधे सेणाए पच्छिमे खंधे (अनु० १०२) प्रथमादिपदाद्ग्रामनगरादिग्रहः द्वितीयादिना देशद्वयादिग्रहः । ९८. संबन्धषष्ठी, तेन परिभाषिता ज्ञात्वाऽभ्युपेत्याकरणरूपा विरतिरत्र, न तु केवलाभावरूपा निवृत्तिरूपा वा. + सेनादिर्देशादि० વાચતા. + SUU||ધારી + વિશિષ્ઠ Page #180 -------------------------------------------------------------------------- ________________ 10 પડધ્યયનના વિષયો પર ૧૫૭ गुणोत्कीर्तना अर्हतां चतुर्विंशतिस्तवस्य २ । गुणा ज्ञानादयः मूलोत्तराख्या वा, तेऽस्य विद्यन्त इति गुणवान् तस्य गुणवतः प्रतिपत्तिर्वन्दनाध्ययनस्य ३ । चशब्दः समुच्चये, 'स्खलितस्येति' श्रुतशीलस्खलितस्य निन्दना प्रतिक्रमणस्य ४ । तथा चारित्रात्मनो व्रणचिकित्साअपराधव्रणरोहणं कायोत्सर्गस्य ५ । अपगतव्रतातिचारेतरोपचितकर्मविशरणार्थमनशनादिगुणसंधारणा प्रत्याख्यानस्य ६ इत्यार्थाधिकाराः । एषां च प्रत्यध्ययनमर्थाधिकारद्वार एवावसर: प्रत्येतव्यः, इह तु प्रसङ्गतः 5 स्कन्धोपदर्शनद्वारेणोक्ता इति । इदानीं अध्ययनन्यासप्रस्तावः, तं चानुयोगद्वारक्रमायातं प्रत्यध्ययनं ओघनिष्पत्रनिक्षेपे लाघवार्थं वक्ष्यामः । एष आवश्यकस्य समुदायार्थः, इदानीमवयवार्थप्रदर्शनाय एकैकमध्ययनं वक्ष्यामः, तत्र प्रथममध्ययनं सामायिकं समभावलक्षणत्वात्, चतुर्विंशतिस्तवादीनां च तद्भेदत्वात् ભગવાનના ગુણોની સ્તુતિ એ ચતુર્વિશતિસ્તવાધ્યયનનો અર્થાધિકાર છે. 3. જ્ઞાનાદિ ગુણો અથવા મૂળોત્તર ગુણો વિદ્યમાન છે જેને તે ગુણવાનું, તેઓની, પ્રતિપત્તિ વંદના, ભક્તિ એ વંદનાધ્યયનનો અર્થાધિકાર છે. ૪. જ્ઞાન-ક્રિયામાં અલના પામેલા જીવની પોતાની જે નિંદા તે પ્રતિક્રમણોધ્યયનનો વિષય જાણવો. ૫. ચારિત્રરૂપ પુરૂષના અતિચારરૂપ ભાવવ્રણની પ્રાયશ્ચિત્તરૂપ ઔષધવડે જે ચિકિત્સા તે ત્રણચિકિત્સા, એ કાયોત્સર્ગાધ્યયનનો અર્થાધિકાર (વિષય) છે ૬. પાંચ પ્રકારના આવશ્યકોવડે દૂર થયેલા વ્રતના 15 અતિચારો સિવાયના અતિચારોથી ભેગા થયેલા કર્મોનો નાશ કરવા માટે અનશનાદિ ગુણોની ધારણા = સ્વીકાર એ પ્રત્યાખ્યાનાધ્યયનનો અર્થાધિકાર છે. અર્થાધિકારોની વિસ્તૃત ચર્ચા દરેક અધ્યયનના અર્વાધિકાર નામના દ્વારમાં જ કરવામાં આવશે. અહીં આ અર્થાધિકારો પ્રસંગથી સ્કંધ બતાવવા દ્વારા બતાવ્યા છે તે જાણવું. હવે “અધ્યયન” શબ્દના નિક્ષેપો કરવાના છે, પરંતુ તે અનુયોગદ્વારના ક્રમથી આવેલા 20 દરેક અધ્યયનના ઓઘનિષ્પન્નનિક્ષેપમાં લાવવા માટે આગળ કહીશું. (અનુયોગના ૪ દ્વારોમાંના નિક્ષેપઢારમાં ઓઘનિષ્પન્નનિક્ષેપ કરતી વખતે અધ્યયનનો નિક્ષેપ કહેવાના જ છે. અહીં પણ કહે તો ગૌરવ થાય. એટલે લાઘવ માટે ત્યાં જ કહેશે.) આ આવશ્યકનો સમુદાયાર્થ બતાવ્યો. હવે અવયવાર્થ બતાવવા માટે દરેક અધ્યયનને બતાવીશું. તેમાં સામાયિક એ પ્રથમ અધ્યયન છે કારણ કે તે સમભાવરૂપ છે અને ચતુર્વિશતિસ્તવાદિ (સમ્યકત્વ સામાયિકાદિરૂપ હોવાથી) 25 સામાયિકના ભેદો હોવાથી પ્રથમ ક્રમ સામાયિકનો છે. १. पुष्टालम्बनेऽगुणवतोऽपि प्रतिपतिः कर्त्तव्येति द्रष्टव्यं (मलयगिरिपादाः, अनु० वृत्तौ च ११) इति वचनादनुक्तसमुच्चयार्थ इत्यर्थः । २. आनुपूर्वीनामप्रमाणवक्तव्यतार्थाधिकारसमवताररूपशास्त्रीयोपक्रमान्तर्गते पञ्चमद्वारे । ३. नामनिष्पन्ननिक्षेपे चेति (मलयगिरिपादाः) । ४. विना समभावमितरगुणानवस्थानात् तत्सद्भाव एव परगुणोत्पत्तेः प्राथम्यमस्येत्यर्थः । ५. सामायिकस्य . 30 ज्ञानदर्शनचारित्रभेदभिन्नतया चतुर्विंशत्यादेश्च सम्यक्त्वादिसामायिकरूपत्वात् सामायिकभेदत्वाख्यानं । * પ્રતિપાકિનાય . Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) 1 प्राथम्यमस्येति । अस्य च महापुरस्येव चत्वार्यनुयोगद्वाराणि भवन्ति । अनुयोगद्वाराणीति कः शब्दार्थः ?, अनुयोगोऽध्ययनार्थः, द्वाराणि तत्प्रवेशमुखानीति, यथा हि अकृतद्वारं नगरमनगरमेव भवति, कृतैकद्वारमपि च दुरधिगमं कार्यातिपत्तये च कृतचतुर्मूलद्वारं प्रतिद्वारानुगतं सुखाधिगमं कार्यानतिपत्तये च, एवं सामायिकपुरमपि अर्थाधिगमोपायद्वारशून्यमशक्याधिगमं भवति, 5 एकद्वारानुगतमपि च दुरधिगमं भवति, सप्रभेदचतुर्द्वारानुगतं तु सुखाधिगमं इत्यतः फलवान् द्वारोपन्यासः । तानि च अमूनि - उपक्रमो १ निक्षेपो २ऽनुगमो ३ नय ४ इति । तत्र शास्त्रस्य उपक्रमणं उपक्रम्यतेऽनेनास्मादस्मिन्निति वा उपक्रमः, शास्त्रस्यन्यासदेशानयनमित्यर्थः । तथा निक्षेपणं निक्षिप्यतेऽनेनास्मादस्मिन्निति वा निक्षेपः न्यासः स्थापनेति पर्याया: । एवमनुगमनं अनुगमः अनुगम्यते वाऽनेनास्मादस्मिन्निति वाऽनुगमः, सूत्रस्यानुकूलः परिच्छेद इत्यर्थः । एवं 10 नयनं नीयते वाऽनेनास्मादस्मिन्निति वा नयः, वस्तुनः पर्यायाणां संभवतोऽधिगम इत्यर्थः । आहઆ સામાયિકાધ્યયનના, મહાનગરને જેમ ચાર દિશામાં દરવાજા હોય તેમ ચાર અનુયોગદ્વારો છે. અનુયોગદ્વાર એટલે શું ? ઉત્તર – અનુયોગ એટલે અધ્યયનનો અર્થ અને દ્વાર એટલે તે અર્થમાં પ્રવેશવાના દરવાજા અર્થાત્ એ અર્થને જાણવાના ઉપાયો. જેમ દરવાજા વિનાનું નગર એ નગર જ નથી. અથવા એક દ્વારવાળું નગર પણ. લોકોની અવર—જવર 15 દુ:ખેથી થવાને કારણે કાર્યના નાશ માટે થાય છે. પરંતુ નાના—નાના પ્રતિદ્વારોથી યુક્ત એવા ચાર મોટા દરવાજાવાળું નગર, સુખેથી અવર–જવર થવાને કારણે કાર્યના નાશ માટે થતું નથી, તેમ સામાયિકરૂપી નગર પણ અર્થના જ્ઞાનના ઉપાયોરૂપ દ્વારથી રહિત છતું જાણી ન શકાય તેવું થાય છે અને એક દ્વારથી યુક્ત થયેલું છતું પણ દુ:ખેથી જાણી શકાય તેવું થાય છે, જ્યારે પેટાભેદોથી યુક્ત ચારદ્વારોવાળું થયેલું છતું સુખેથી જાણી શકાય તેવું હોવાથી અહીં જે દ્વારોનો 20 ઉપન્યાસ કર્યો છે તે ફલવાન્ છે. તે દ્વારો આ પ્રમાણે છે ૧. ઉપક્રમ ૨. નિક્ષેપ ૩. અનુગમ ૪. નય. તેમાં ઉપક્રમ એટલે શાસ્ત્રનું નજીક લાવવું. અથવા જેનાવડે, જેનાથી કે જે હોતે છતે શાસ્ત્ર ઉપક્રમાય છે = નજીક લવાય છે તે ઉપક્રમ અર્થાત્ દૂર રહેલ શાસ્ત્રાદિ વસ્તુને તે તે પ્રતિપાદન કરવાના પ્રકારોવડે નિક્ષેપ કરવા યોગ્ય કરવું તે ઉપક્રમ. અહીં ન્યાસદેશાનયન એટલે નિક્ષેપ કરવા નજીક 25 લાવવુંયોગ્ય કરવું. તથા નિક્ષેપણ એટલે નિક્ષેપ, અથવા જેનાવડે, જેનાથી કે જે હોતે છતે નિક્ષેપ કરાય છે તે નિક્ષેપ અર્થાત્ નામાદિ ભેદોવડે સ્થાપના કરવી. આ જ પ્રમાણે અનુગમન=વ્યાખ્યાન કરવું અથવા જેનાવડે, જેનાથી કે જે હોતે છતે વ્યાખ્યાન કરાય તે અનુગમ અર્થાત્ સૂત્રની અનુકૂળ=અનુસરતી વ્યાખ્યા. તેમજ નયન=બોધ કરવો અથવા જેના વડે, જેનાથી કે જે હોતે છતે વસ્તુનો બોધ થાય તે નય અર્થાત્ વસ્તુના ઘણા પર્યાયોમાંથી સંભવિત એવા 30 પર્યાયનો બોધ કરવો તે નય. ૬. પ્રતિપાવનપ્રજારા: | ૭. ગુરુવાયોગ:। ૮. વિનીતવિનેયવિનય:। ૧. શુશ્રૂષા । + તદ્દારો૦ + નાસ્તીમ્ । * શાસ્ત્રસ્ય । Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉપક્રમના ભેદો અને દ્રવ્યોપક્રમનું સ્વરૂપ (નિ. ૭૯) एषामुपक्रमादिद्वाराणां किमित्येवं क्रम इति, अत्रोच्यते, न ह्यनुपक्रान्तं सद् असमीपीभूतं निक्षिप्यते, न चानिक्षिप्तं नामादिभिरर्थतोऽनुगम्यते, न चार्थतोऽननुगतं नयैर्विचार्यते इत्यतोऽयमेव क्रम इति । तत्रोपक्रमो द्विविधः - शास्त्रीय इतरश्च तत्र इतरः षट्प्रकार:, नामस्थापनाद्रव्य क्षेत्रकालभावभेदभिन्न इति, तत्र नामस्थापने सुज्ञाने, द्रव्योपक्रमो द्विविधः - आगमतो नोआगमतश्च, आगमतो ज्ञाताऽनुपयुक्तः, नोआगमतो ज्ञशरीरभव्यशरीरतद्व्यतिरिक्तश्च स च त्रिविध:- 5 सचित्ताचित्तमिश्रद्रव्योपक्रम इति, तत्र सचित्तद्रव्योपक्रमः द्विपदचतुष्पदापदोपाधिभेदभिन्नः पुनरेकैक द्विविध: - परिकर्मणि वस्तुविनाशे च तत्र परिकर्म-द्रव्यस्य गुणविशेषपरिणामकरणं तस्मिन्सति, तद्यथा-घृताद्युपभोगेन पुरुषस्य वर्णादिकरणमिति, अथवा कर्णस्कन्धवर्धनादिक्रियेति, अन्ये तु शास्त्रगन्धर्वनृत्यादिकलासंपादनमपि द्रव्योपक्रमं व्याचक्षते, इदं पुनरसाधु, विज्ञानविशेषात्मकत्वात् शास्त्रादिपरिज्ञानस्य, तस्य च भावत्वादिति, किन्तु आत्मद्रव्यसंस्कारविवक्षापेक्षया 10 शरीरवर्णादिकरणंवत् स्यादपीति । एवं शुकसारिकादीनां शिक्षागुणविशेषकरणं, तथा चतुष्पदानां हस्त्यादीनां, अपदानां च वृक्षादीनां वृक्षायुर्वेदोपदेशाद् वार्धक्यादिगुणापादनमिति, आह-यत्स्वयं શંકા : ઉપક્રમાદિ દ્વારોનો આ પ્રમાણે ક્રમ શા માટે છે ? સમાધાન ; નજીક નહીં લવાયેલી વસ્તુ નિક્ષેપ યોગ્ય બનતી નથી કે નામાદિવડે અનિક્ષિપ્ત વસ્તુ અર્થથી જણાતી નથી. અર્થથી અનનુગત વસ્તુ નયોવડે વિચારાતી ન હોવાથી આ પ્રમાણે 15 ક્રમ ગોઠવેલો છે. તેમાં ઉપક્રમ એ શાસ્ત્રીય (લોકોત્તર જગતમાં પ્રસિદ્ધ) અને ઈતર=અશાસ્ત્રીય, લૌકિક જગતમાં પ્રસિદ્ધ એવો ઉપક્રમ) એમ બે પ્રકારે છે. અશાસ્ત્રીયોપક્રમ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ એમ છ પ્રકારે છે. નામ-સ્થાપના સુગમ છે. દ્રવ્યોપક્રમ આગમ– નોઆગમથી બે પ્રકારે છે. તેમાં આગમથી જ્ઞાતા અનુપયુક્ત (અર્થાત્ “ઉપક્રમ’’ શબ્દના અર્થનો જ્ઞાતા છતાં તેમાં ઉપયોગ વિનાનો) પુરુષ. નો—આગમથી જ્ઞશરીર–ભવ્યશરીર સરળ છે. તદ્બતિરિક્ત દ્રવ્યોપક્રમ ત્રણ પ્રકારે સચિત્ત, · અચિત્ત અને મિશ્ર. તેમાં સચિત્ત દ્રવ્યોપક્રમ દ્વિપદ, ચતુષ્પદ અને અપદરૂપ ઉપાધિ ભેદથી જુદો જુદો છે. દ્વિપદ વગેરે દરેકનો ઉપક્રમ પાછા બે પ્રકારે – પરિકર્મમાં અને વસ્તુવિનાશમાં. અહીં પરિકર્મ એટલે દ્રવ્યમાં ફેરફાર કરવો દ્રવ્યને ચોક્કસ ગુણથી પરિણમાવવું. તે આ પ્રમાણે કે ઘી વગેરે દ્રવ્યોના ઉપભોગવડે પુરુષના વર્ણાદિમાં ફેરફાર કરવો. અથવા કાન વીંધવા, સ્કંધને 25 વધારવા વગેરેની ક્રિયા એ પરિકર્મમાં દ્વિપદ—ઉપક્રમ છે. = ૧૫૯ 20 કેટલાક લોકો શાસ્ત્ર, ગર્વનૃત્યાદિકળાનું સંપાદન એ પણ દ્રવ્યોપક્રમ કહે છે, પરંતુ તે યોગ્ય નથી કારણ કે શાસ્ત્રાદિનું જ્ઞાન એ વિજ્ઞાન વિશેષ હોવાથી તેનો ઉપક્રમ એ ભાવોપક્રમ બની જાય, દ્રવ્યોપક્રમ નહીં. અથવા આત્મરૂપ દ્રવ્યના સંસ્કારની વિવક્ષા કરીયે તો સંસ્કારમાં થયેલ ફેરફાર પણ શરીરના વર્ણાદિકરણની જેમ (આત્મારૂપ દ્રવ્યનો હોવાથી) દ્રવ્યોપક્રમ કહેવાય છે. એ જ પ્રમાણે 30 પોપટ–મેના વગેરે દ્વિપદોને શિક્ષાગુણની પ્રાપ્તિ કરાવવી તે દ્વિપદ દ્રવ્યોપક્રમ છે. હસ્તિ વગેરે ચતુષ્પદોને શિક્ષાગુણપ્રાપ્તિ એ ચતુષ્પદ દ્રવ્યોપક્રમ અને વૃક્ષાદિ અપદોને વનસ્પતિશાસ્ત્રના ઉપદેશાનુસાર વાર્થ = વૃદ્ધતાદિ ગુણોનું સંપાદન એ અપદ દ્રવ્યોપક્રમ કહેવાય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ છે આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) कालान्तरभाव्युपक्रम्यते यथा तरोर्वार्धक्यादि तत्र परिकर्मणि द्रव्योपक्रमता युक्ता, वर्णकरणकलादिसंपादनस्य तु कालान्तरेऽपि विवक्षितहेतुजालमन्तरेणानुपपत्तेः कथं परिकर्मणि द्रव्योपक्रमतेति, अत्रोच्यते, विवक्षितहेतुजालमन्तरेणानुपपत्तेरित्यसिद्ध, कथं ?, वर्णस्य तावन्नामकर्मविपाकित्वात् स्वयमपि भावात्, कलादीनां च क्षायोपशमिकत्वात्, तस्य च कालान्तरेऽपि स्वयमपि संभवात्, विभ्रमविलासादीनां च युवावस्थायां दर्शनात् (ग्रन्थाग्रम् १५००)। तथा वस्तुविनाशे च पुरुषादीनां खड्गादिभिविनाश एवोपक्रम्यते इति, आहपरिकर्मवस्तुविनाशोपक्रमयोरभेद एव, उभयत्रापि पूबम्पपरित्यागेनोत्तरावस्थापत्तेरिति, अत्रोच्यते, परिकर्मोपक्रमजनितोत्तररूपापत्तावपि अविशेषेण प्राणिनां प्रत्यभिज्ञानादिदर्शनात् वस्तु विनाशोपक्रमसंपादितोत्तरधर्मरूपे तु वस्तुन्यदर्शनात् विशेषसिद्धिरिति, अथवैकत्र विनाशस्यैव 10 શંકા : જે વસ્તુ ભવિષ્યમાં કોઈપણ કારણ વિના જાતે થવાની છે તે વસ્તુને વર્તમાનમાં કોઈ ઉપાયવડે ઝડપથી કરવું તેનું નામ પરિકમમાં દ્રવ્યાપક્રમતા, જેમ કે જે વૃક્ષ ભવિષ્યમાં સ્વયં વૃદ્ધ થવાનું છે, તે વૃક્ષને કોઈ ઉપાયવડે વર્તમાનમાં જ વૃદ્ધ બનાવવું એ વૃક્ષરૂપી દ્રવ્યનો પરિકર્મ કહેવાય છે. પણ (ધી વિ.થી) વર્ણકારણ કે કળાદિનું સંપાદન ભવિષ્યમાં પણ વિવક્ષિતકારણ સમૂહ વિના ક્યારેય વ્યક્તિમાં સ્વયં થતું નથી, અર્થાત્ વ્યક્તિને ભવિષ્યમાં 15 કારણ વિના વર્ણમાં ફેરફાર કે કળાદિનું જ્ઞાન પ્રાપ્ત થતું જ નથી. તો પછી વર્તમાનમાં વર્ણાદિમાં થતાં ફેરફારને કે કળાદિના સંપાદનને પરિકર્મ કેમ કહેવાય ? (જયારે થાય ત્યારે તે કારણોથી જ થાય છે, એટલે તેમાં કંઈ નજીક લાવવા રૂપ ઉપક્રમ નથી.) સમાધાન : તમે જે કહ્યું કે વર્ણ ફેરફાર કે કળાદિની પ્રાપ્તિ એ કારણ વિના થઈ શકતી નથી એ વાત જ ખોટી છે, કારણ કે વર્ણ એ નામકર્મના વિપાકોદયથી થનાર છે તથા કળાદિની 20 પ્રાપ્તિ જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી થનાર છે. અને આ બંને વસ્તુ વિવક્ષિત કારણ = વર્ણ માટે ઘી વગેરે અને કળાદિ માટે આચાર્ય વગેરે રૂપ કારણ વિના પણ કાળાન્તરે સ્વયં થઈ શકતી હોય છે. જેમ કે યુવાવસ્થામાં વિશ્વમવિલાસાદિનું દર્શન થાય છે. (આ વિભ્રમ–વિલાસાદિ વ્યક્તિને શીખવાડવા પડતા નથી, એટલે કે તેને શીખવાડવા આચાર્યાદિની જરૂર પડતી નથી, સ્વયે આવડી જાય છે.) તેથી કાળાન્તરભાવિ એવા વર્ણાદિ અને કળાદિનું પૂર્વે વિવક્ષિત હતુવડ 25 સંપાદન કરવું એ પરિકર્મ દ્રવ્યોપક્રમ તરીકે ઘટી જાય છે. પુરુષાદિનો તલવારાદિ વડે વિનાશ કરવો એ વસ્તુવિનાશમાં દ્રવ્યાપક્રમ છે. શંકા : પરિકર્મ અને વસ્તુવિનાશ દ્રવ્યાપક્રમમાં કોઈ ભેદ જ નથી કારણ કે બંનેમાં પૂર્વરૂપના ત્યાગવડ પછીની અવસ્થા ઉત્પન્ન થાય છે. સમાધાન : આ બંનેમાં મોટો ભેદ છે. તે આ રીતે – પરિકર્મોપક્રમમાં વર્ણાદિકરણ થતાં 30 અર્થાત વસ્તુમાં વર્ણાદિમાં ફેરફાર થયા પછી પણ જીવને ‘તે તે જ વસ્તુ છે' એવું પ્રત્યભિજ્ઞાન (સ્મરણ) થતું દેખાય છે. જ્યારે વસ્તુવિનાશોપક્રમમાં પ્રાપ્ત થયેલ છે ઉત્તરરૂપ જેમાં તેવી વસ્તુમાં “આ તે જ વસ્તુ છે” એવું પ્રત્યભિજ્ઞાન સામાન્યથી થતું દેખાતું નથી, કારણ કે અહીં તે વસ્તુનો સંપૂર્ણ વિનાશ કરી નવી વસ્તુ બનાવવામાં આવે છે. અથવા વસ્તુવિનાશમાં ઉપક્રમ તરીકે Page #184 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્ર, કાળ અને ભાવનો ઉપક્રમ (નિ. ૭૯) ૪ ૧૬૧ विवक्षितत्वाददोषः । एवमचित्तद्रव्योपक्रमः पद्मरागमणेः क्षारमृत्पुटपाकादिना वैमल्यापादनविनाशादीति । मिश्रद्रव्योपक्रमस्तु कटकादिविभूषितपुरुषादिद्रव्यस्यैवेति । विवक्षातश्च कारकयोजना द्रष्टव्या-द्रव्यस्य द्रव्येण द्रव्यात् द्रव्ये वोपक्रमो द्रव्योपक्रम इति । तथा क्षेत्रस्योपक्रमः क्षेत्रोपक्रमः, आह-क्षेत्रममूर्तं नित्यं च, अतस्तस्य कथं करणविनाशाविति, उच्यते, तद्व्यवस्थितद्रव्यकरणविनाशभावादपचारतः खल्वदोषः, तथा च तात्स्थ्यात्तदव्यपदेशो यक्त एव, मञ्चाः 5 क्रोशन्तीति यथा । तथा कालस्य वर्तनादिरूपत्वात् द्रव्यपर्यायरूपत्वात् द्रव्योपक्रम एवोपचारात् कालोपक्रम इति, चन्द्रोपरागादिपरिज्ञानलक्षणो वा । भावोपक्रमो द्विधा-आगमतो नोआगमतश्च, (પૂર્વરૂપના) વિનાશની જ વિવક્ષા કરી છે માટે કોઈ દોષ નથી. (આશય એ છે કે પરિકર્મમાં વસ્તુની ઉત્તરાવસ્થા મુખ્ય છે, જયારે વસ્તુવિનાશમાં વિનાશ જ મુખ્ય છે ઉત્તરાવસ્થા નહીં.) અચિત્તદ્રવ્યોપક્રમમાં પધરાગમણિની ક્ષાર, માટી, પુટપાકાદિવડે શુદ્ધિ કરવી તે 10 પરિકર્મોપક્રમ તથા મણિનો નાશ એ વસ્તુવિનાશોપક્રમ જાણવો. મિશ્રદ્રવ્યોપક્રમમાં કડાદિથી વિભૂષિત પુરુષરૂપદ્રવ્યનો પરિકર્મ અને વસ્તુવિનાશ ઉપર પ્રમાણે જાતે વિચારી લેવો. અહીં જુદી જુદી વિવેક્ષાઓ = અપેક્ષાઓથી વિભક્તિ જોડી શકાય છે. જેમકે દ્રવ્યનો અથવા દ્રવ્યવડે અથવા દ્રવ્યથી અથવા દ્રવ્યને વિષે જે ઉપક્રમ તે દ્રવ્યાપક્રમ તથા ક્ષેત્રનો ઉપક્રમ તે ક્ષેત્રપક્રમ. શંકા : ક્ષેત્ર એ અમૂર્ત અને નિત્ય છે. તેથી ક્ષેત્રનો ફેરફાર કે વિનાશ કેવી રીતે શક્ય 15 છે કે જેથી ક્ષેત્રોપક્રમ ઘટે ? સમાધાન : ક્ષેત્રમાં રહેલ દ્રવ્યનો ફેરફાર અને વિનાશ થતો હોવાથી તે દ્રવ્યના ફેરફાર વિનાશનો ક્ષેત્રમાં ઉપચાર કરવાથી ક્ષેત્રનો ફેરફાર કે વિનાશ કહેવાય છે તેમાં કોઈ દોષ નથી કારણ કે ‘તાથ્થાત્ તવ્યપદેશ' ન્યાયે જેમ મંચ ઉપર રહેલા લોકો બોલતા હોવા છતાં વ્યવહારમાં એવું બોલાય છે કે “મંચો બોલે છે” તેમ તે ક્ષેત્રમાં રહેલ દ્રવ્યના પરિકર્મ 20 વિનાશનો તે ક્ષેત્રમાં વ્યપદેશ થાય છેઅર્થાત્ દ્રવ્યના પરિકર્મ/વિનાશ ક્ષેત્રના પરિકર્મ વિનાશ કહેવાય છે. તથા કાળ એ વર્તનાદિરૂપ હોવાથી દ્રવ્યનો પર્યાય છે, તેથી દ્રવ્યોપક્રમ જ ઉપચારથી કાળોપક્રમ કહેવાય છે. (આશય એ છે કે પરમાણુ વગેરે દ્રવ્યનું પરમાણુ વગેરે રૂપે રહેવું તે વર્તના છે. કેટલાક આચાર્યો આ વર્તનાને જ કાળરૂપ માને છે. તેથી કાળ વર્તનાદિરૂપ કહ્યો છે. અને આ વર્તના એ દ્રવ્યને જ એક પર્યાય હોવાથી કાળ પણ દ્રવ્યનો જ પર્યાય છે. તેથી દ્રવ્યના 25 પરિકર્મ–વિનાશ એ કાળના પરિકર્મ–વિનાશ તરીકે કહેવાય છે. આ વ્યાખ્યા કાળને દ્રવ્યના પર્યાયરૂપે માનતા આચાર્યો દ્વારા કરી. પરંતુ જેઓ કાળને સમય–પ્રહરાદિ રૂપ માને છે તેઓના મતે કાળનો પરિકર્મ–વિનાશ ઘટાડવા “અથવા” કરીને હવે બીજો વિકલ્પ આપે છે) અથવા કાળના ઉપક્રમ તરીકે તે તે ઉપાયો વડે ચન્દ્રગ્રહણાદિનું જ્ઞાન મેળવવું એ કાળનો પરિકર્મ. (આમ તો ચન્દ્રગ્રહણ થાય ત્યારે તેનું જ્ઞાન સ્વયં થઈ જાય, પણ જ્યોતિષશાસ્ત્રના 30 ગણિતની સહાયથી તેનું જ્ઞાન પૂર્વે જ મેળવી લેવું તે ઉપક્રમ થયો. અને ગ્રહ, નક્ષત્રાદિની ગતિ વડે કાળનું અનિષ્ટ ફળદાયક રૂપે થવું તે કાળનો વિનાશ જાણવો.) ભાવપક્રમ આગમ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) वि आगमतो ज्ञाता उपयुक्तः, नोआगमतस्तु प्रशस्तोऽप्रशस्तश्चेति तत्राप्रशस्तो डोण्डिणिगणिकाऽमात्यादीनां एत्थोदाहरणाणि - एगे नगरे एगा मैंरुगिणी, सा चिंतेति - कहं धूयाओ सुहियाओ होज्जत्ति, ताए जेट्ठिया धूआ सिक्खाविआ जहा वरं इंतं मत्थर पहिया ए આખિજ્ઞપ્તિ, તાર્ આદતો, સો તુટ્ટો, પાતું મદિમાસ્ત્રો, પાદુ યુવદ્યાવિત્તિ, તી! માયાળુ હિયં, 5 ताए भण्णति-जं करेहि तं करेहि, ण ऐस तुज्झ किंची अवरज्झइत्ति । बीया सिक्खविआ, आहतो, सो झिखित्ता उवसंतो, सा भणति-तुमपि वीसत्था विहराहि, णवरं झिखणओ एसुति । तईया सिक्खविआ, तीएवि आहतो, सो रुट्ठो, तेण दढं पिट्टिता धाडिया य, तं अकुलपुत्ती जदा एवं करेसि, तीए मायाए कथितं पच्छा कहवि अणुगमिओ, एस अम्ह कुलधम्मोत्ति, નોઆગમના ભેદથી બે પ્રકારે છે. તેમાં જ્ઞાતા ઉપયુક્ત વ્યક્તિ આગમથી ભાવોપક્રમ. અને 10 નોઆગમથી પ્રશસ્ત-અપ્રશસ્ત બે પ્રકારે, તેમાં અપ્રશસ્ત નોઆગમથી ભાવોપક્રમમાં ડોડિણી–બ્રાહ્મણી, ગણિકા અને અમાત્યનું દૃષ્ટાન્ત જાણવું. અહીં ભાવોપક્રમ એટલે બીજાના હૃદયના વિચારોનું યથાવત્ જ્ઞાન પ્રાપ્ત કરવું. તે ઉદાહરણ આ પ્રમાણે છે. બ્રાહ્મણીનું દૃષ્ટાન્ત : એક નગરમાં એક બ્રાહ્મણી રહેતી હતી. એકવાર તેણીએ વિચાર્યું કે ‘મારી પુત્રીઓ લગ્ન પછી સુખી કેવી રીતે થાય ?” આમ વિચારતા તેણીને એક ઉપાય જડ્યો. 15 તેથી તે બ્રાહ્મણીએ પોતાની મોટી દીકરીને શીખવાડ્યું કે “લગ્નની પહેલી રાતે અવસર જોઈને તારે તારા પતિના મસ્તકે લાત મારવી.' મોટી દીકરીએ બરાબર તે જ રીતે લગ્નની પ્રથમ રાતે પતિના મસ્તકે લાત મારી. પતિ અત્યંત ખુશ થયો, પગને દબાવવા લાગ્યો અને કહેવા લાગ્યો, તને પગમાં લાગ્યું નથી ને ?' આંખો પ્રસંગ બીજા દિવસે દીકરીએ માતાને કહ્યો. ત્યારે માતાએ કહ્યું કે “વાહ ! તુ તારે મનફાવે તે કર તારો પતિ ક્યાંય તને નુક્શાન કરશે નહીં.’ 20 માતાએ પોતાની બીજી દીકરીને પણ આ રીતે શીખવાડીને લગ્ન કર્યાં. બીજી દીકરીએ માતાના કહેવા મુજબ રાત્રિએ પતિના મસ્તકે લાત મારી. પરંતુ પતિ તેણીની ઉપર ગુસ્સે થઈ શાંત થઈ ગયો. દીકરીએ માતાને વાત કરી એટલે માતાએ કહ્યું કે “તું પણ તારીઇચ્છા મુજબ રહેજે, તારો પતિ થોડોક ગુસ્સે થઈ શાંત થઈ જશે પણ તને વાંધો આવશે નહીં." માતાવડે શીખવાડાયેલી ત્રીજી દીકરીએ પણ પતિના મસ્તકે લાત મારી. પરંતુ તે તો ખૂબ 25 જ ક્રોધે ભરાયો અને તું તો અકુળવાન છે, જેથી આવું કરે છે એમ કહી ખૂબ માર મારી ઘરભેગી કરી. ઘરે આવી માતાને વાત કરી. માતાએ જમાઈને ગમેતેમ કરી સમજાવ્યો કે આ " १०. अत्रोदाहरणानि - एकस्मिन्नगरे एका ब्राह्मणी सा चिन्तयति कथं दुहितरः सुखिताः भवेयुरिति, तया ज्येष्ठा दुहिता शिक्षिता यथा वरमायान्तं मस्तके पाष्णिना आहन्याः, तयाऽऽहतः, स तुष्टः, पादं मर्दयितुमारब्धः नैव दुःखितेति, तया मात्रे कथितं तया भण्यते यत्कुरु ( चिकीर्षसि ) तत्कुरु नैष तव 3) ( ત્વયિ ) નિશ્ચિતપાધ્યતિ કૃતિ । દ્વિતીયા શિક્ષિતા, તયાઽપ્પાહત: મેં ફ઼િન્ડ્રુિત્વા ( પ્રમાણ્ય ) ઉપશાન્ત:, સા મળતિ—ત્વપ વિશ્વસ્તા વિહર, પરં ફ્તિા: (પ્રમાષ: ) ૫ કૃતિ । તૃતીયા શિક્ષિતા, તયાઽપ્યાદ્ભુત:, स रुष्टः, तेन दृढं पिट्टिता निर्धाटिता च, त्वमकुलपुत्री यैवं करोषि तया मात्रे कथितं, पश्चात् कथमपि અનુનીત:, ષ: અમ્મા બુનધર્મ કૃતિ, * વમ્ભિળી । + દુિં। * તયાહતો ! × વસ્ત્ર † તત્તિ / Page #186 -------------------------------------------------------------------------- ________________ અપ્રશસ્તભાવપક્રમમાં દેષ્ટાન્ત (નિ. ૭૯) ૧૬ ૩ धूआ य भणिआ जहा देवतस्स "तस्स तहा वट्टिज्जासि, मा छड्डेहित्ति ॥ एगम्मि नगरे चउसट्ठिकलाकुसला गणिया, तीए परभावोवक्कमणनिमित्तं रतिघरंमि सव्वाओ पगईओ णियणियवावार करेमाणीओ आलिहावियाओ, तत्थ य जो जो वड्डइमाई, सो सो निययसिप्पं पसंसति, णायभावो य सुअणुयत्तो भवइ, अणुयत्तिओ य उवयारं गाहिओ खद्धं खद्धं दव्वजातं वियरेडत्ति एसविअ अपसत्थो भावोवक्कमो ॥ एगंमि णगरे कोई राया अस्सवाहणियाए 5 सहामच्चेणं निग्गओ, तत्थ से आसेण वच्चन्तेण खलिणे काईया वोसिरिआ, खिल्लर बद्धं, त च पुढवीए थिरत्तणओ तहट्ठियं चेव रण्णा पडिनियत्तमाणेण सुइरं निज्झाइयं. चिंतियं च णेणइह तलागं सोहणं हवइत्ति, न उण वुत्तं, अमच्चेण इंगियागारकुसलेण रायाणमणापुच्छिय महासरं અમારો કુલાચાર છે કે ‘દીકરી પ્રથમ રાત્રિએ પતિને મસ્તકે મારે.' માતાએ પુત્રીને કહ્યું “બેટા ! તારા પતિની દેવતાની જેમ સેવા કરજે અને છોડતી નહીં.” અહીં માતાએ ઉપાયોવડે પોતાના 10 જમાઈઓના સ્વભાવો જાણ્યા એ અપ્રશસ્ત ભાવોપક્રમ છે. ગણિકાનું દષ્ટાન્ન : એક નગરમાં ચોસઠકળામાં નિપુણ એવી વેશ્યા રહેતી હતી. તેણીએ પોતાને ત્યાં આવતા પુરુષોના વિચારોને જાણવા માટે રતિભવનમાં પોતપોતાની વ્યાપાર કરતી જાતિઓ લખાવી, અર્થાતુ પોતપોતાનો ધંધો કરતી સુથાર–લુહારાદિ જાતિઓના ચિત્રો દાવડાવ્યા. જેથી ત્યાં આવતા સુથારાદિ પોતપોતાની જાતિના ચિત્રો જોઈ પ્રશંસા કરતા. પ્રશંસા 5 સાભળી વેશ્યા નક્કી કરતી કે આ વ્યક્તિ આ જાતિની છે. તેથી જણાયેલા ભાવવાળી વ્યક્તિ સુઅનુવર્તનીય હોય છે અર્થાત્ સામેવાળાને શું પસંદ છે ? તે જાણવાથી તે વ્યક્તિને વશ કરવો ખુબ સહેલો છે. આમ વેશ્યા તે વ્યક્તિની જાતિ ઓળખી તે પ્રમાણે એની સેવા–ભક્તિ કરતી જેથી ખુશ થયેલી તે વ્યક્તિ પુષ્કળ દ્રવ્ય ગણિકાને આપતી. આ પણ અપ્રશસ્ત ભાવપક્રમ છે. અમાત્યનું દષ્ટાન્ત : એક નગરમાં કોઈ રાજા અમાત્ય સાથે અશ્વ ફેરવવા નીકળ્યો. જતા 20 એવા ના એ છે કઈ ખાડા જેવા પ્રદેશમાં પેશાબ કર્યો. ખાબોચિયું ભરાયું. પૃથ્વી સ્થિર હોવાને કારણે લાંબા કાળથી તે જ સ્થિતિમાં રહેલું = નહી સૂકાયેલું ખાબોચિયું પાછા ફરતા રાજાવડે જોવાયું. રાજાએ વિચાર્યું કે “અહીં જો તળાવ થાય તો સારું કારણ કે તે તળાવ સૂકાશે નહીં) . પણ આ વાત રાજાએ અમાત્યને કહી નહીં, ઈંગિત–આકારોમાં કુશલ એવા અમાત્ય રાજાના મનના વિચારો જાણી લીધા અને રાજાને પૂછ્યા વિના મોટું સરોવર ખોદાવરાવ્યું. તેની 25 ११. दुहिता च भणिता यथा दैवतस्य तथा तस्य वर्तेथाः, मा त्याक्षीत् इति ॥ एकस्मिन्नगरे चतुष्यष्टिकलाकुशला गणिका, तया परभावोपक्रमणनिमित्तं रतिगृहे सर्वा:प्रकृतयो निजनिजव्यापार कुर्वत्य आलेखिताः, तत्र च यो यो वर्धक्यादिः स स निजक शिल्पं प्रशंसति, ज्ञातभावश्च स्वनुवर्तनीयो भवति, अनुवृत्तश्च उपचारं ग्राहितः प्रचुर प्रचुरं द्रव्यजातं वितरतीति एषोऽपि चाप्रशस्तो भावोपक्रमः ॥ एकस्मिन्नगरे कश्चिद्राजाऽश्ववाहनिकया सहामात्येन निर्गतः, तत्र तस्याश्वेन व्रजता विषमभूमौ कायिकी 30) ( પ્રશ્રવ ) વ્યુત્કૃષ્ટી, પત્નત્યં વદ્ધ (નાત), તત્ર પૃથા: સ્થિરત્વત્િ તથાસ્થિતમેવ રજ્ઞા પ્રતિનિવર્તમાન सुचिरं निर्ध्यातं, चिन्तितं चानेन, इह तटाकः शोभनो भवति इति, न पुनरुक्तं, अमात्येन इङ्गिताकारकुशलेन રાજ્ઞાનમનાપૃથ્ય મહત્સર:, ' તે યસ પટ્ટ 4. I + પ્રોવિ. * વોવિI | ય Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) खणाविअं चेव, पालीए आरामा से पवरा कया, तेणं कालेणं रण्णा पुणरवि अस्सवाहणिआए गच्छंतेण दिट्टं, भणियं च णेण - केण ईमं खणाविअं ? अमच्चेण भणिअं - राय ! तुब्भेहिं चेव, कहिं चिअ ?, अवलोयणाए, अहियपरितुट्टेणं संवड्डणा कया । एसविअ अप्पसत्थभावोवक्कमत्त ॥ उक्तः अप्रशस्तः, इदानीं प्रशस्त उच्यते-तत्र श्रुतादिनिमित्तं आचार्यभावोपक्रमः प्रशस्त इति, 5 आह-व्याख्याङ्गप्रतिपादनाधिकारे गुरुभावोपक्रमाभिधानमनर्थकमिति, न, तस्यापि व्याख्याङ्गत्वात्, उक्तं च 10 "गुर्वायत्ता यस्माच्छास्त्रारम्भा भवन्ति सर्वेऽपि । तस्मादुर्वाराधनपरेण हितकाङ्क्षिणा भाव्यम् ॥ १॥" तथा च भाष्यकारेणाप्यभ्यधायि "गुरुचित्तायत्ताइं वक्खाणंगाई जेण सव्वाइं । जेण पुण सुप्पसण्णं होइ तयं तं तहा कज्जं ॥१॥ आगारिंगियैकुसलं जदि सेयं वायसं वए पुज्जा । પાળને વિષે સુંદર વૃક્ષો રોપ્યા. થોડા દિવસો પછી રાજા ફરી તે રસ્તે અશ્વ ફેરવવાની ઇચ્છાએ નીકળ્યો, અને તળાવ 15 જોયું. અમાત્યને પૂછ્યું કે “કોણે આ તળાવ ખોદાવરાવ્યું ?” અમાત્યે કહ્યું “રાજન ! તમારા વડે જ.’” રાજાએ પૂછ્યું “શી રીતે ?” ત્યારે અમાત્યે કહ્યું કે “તે દિવસે તમે આ સ્થળને ધારી– ધારીને જોતા હતા તે પરથી મેં જાણી આ તળાવ ખોદાવરાવ્યું છે.” આ સાંભળી રાજા ખુબ ખુશ થયો અને અમાત્યના પગારમાં વધારો કરી આપ્યો. આ પણ અપ્રશસ્ત ભાવોપક્રમ છે. આ પ્રમાણે અપ્રશસ્ત ભાવોપક્રમ કહ્યો. હવે પ્રશસ્ત બતાવે છે—તેમાં શ્રુતાદિ માટે આચાર્યના ભાવોને 20 જાણવા એ પ્રશસ્ત ભાવોપક્રમ છે. શંકા : તમે અહીં આવશ્યકશ્રુતસ્કન્ધના વ્યાખ્યાનના અવસરે ગુરુભાવોપક્રમનું વર્ણન કર્યું તે શું નિરર્થક નથી ? સમાધાન : ના, કારણ કે ગુરુના ભાવો જાણવા એ પણ વ્યાખ્યાનનું અંગ જ છે (પ્રશમરતિ ગા.નં.-૬૯) કહ્યું છે “સર્વ શાસ્ત્રારંભો ગુરુને આધીન છે. તેથી હિતકાંક્ષી એવા શિષ્યે ગુરુની 5 આરાધનામાં તત્પર થવું જોઈએ ॥૧॥ ભાષ્યકારવડે પણ કહેવાયેલું છે—‘જે કારણથી સર્વ વ્યાખ્યાનના અંગો ગુરુને આધીન છે તે કારણથી ગુરુ જે કાર્ય જે રીતે કરવાથી સુપ્રસન્ન થાય તે કાર્ય તે રીતે કરવું જોઈએ ॥૧॥ આકાર−ઈંગિતમાં કુશલ એવા શિષ્યને આચાર્ય કાગડાને १२. खानितमेव, पाल्यां आरामास्तस्य प्रवराः कृताः, तस्मिन्काले पुनरप्यश्ववाहनिकया गच्छता દષ્ટ, મળિત ચાનેન નેવું પ્લાનિતં, અમાત્યેન મળતું, રાખન્ ! યુગ્મામરેવ:, થમેવ, અવત્તોનયા, 300 अधिकपरितुष्टेन संवर्धना कृता, एषोऽपि चाप्रशस्तभावोपक्रम इति । १३. गुरुचित्तायत्तानि, व्याख्यानाङ्गानि येन सर्वाणि । येन पुनः सुप्रसन्नं भवति तत् तत्तथा कार्यम् ॥१॥ आकारेङ्गितकुशलं यदि श्वेतं वायसं वदेयुः પૂન્યાઃ । + તેમાં સમાં । + Ë ।x હિત્ । * સંવદ્ગા । * અળસત્યો મા૦ / ૦સભા । Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તભાવોપક્રમમાં દૃષ્ટાન્ત (નિ. ૭૯) वि सं व कूडे विरहंमि अ कारणं पुच्छे ॥२॥ frayच्छिण भणिओ गुरुणा गंगा कओमुही वहड़ 21 संपाइयवं सीसो जह तह सव्वत्थ कायव्वं ||३||" इत्यादि । ૧૬૫ સફેદ કહે તો પણ તેમનું તે વચન શિષ્ય ખોટું કહે નહીં, પરંતુ કોઈ ન હોય ત્યારે તેનું કારણ પૂછે ॥૨॥ રાજાવડે પૂછાયેલા ગુરુવડે શિષ્ય કહેવાયો કે ગંગા કઈ દિશામાં વહે છે ? ત્યારે 65 શિષ્યે ગુરુના કહ્યા પ્રમાણે જેમ કર્યું તેમ કરવા યોગ્ય છે IIII = (ત્રીજી ગાથાનો ભાવાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે તે આ પ્રમાણે કન્યકુબ્જનામના નગરમાં આચાર્ય સાથે વાતચીત કરતાં કોઈક રાજાવડે કહેવાયું “મારા રાજપુત્રો અત્યંત વિનયવાળા છે.” આચાર્યે કહ્યું “સાધુઓ જેવા વિનયવાળા કોઈ ન હોય.” વિનયવાન્ કોણ ? એ બાબતમાં વિવાદ થતાં આચાર્યે કહ્યું “તમારા સર્વોત્કૃષ્ટવિનયગુણવાળા રાજપુત્રની અને અમારો જે સાધુ 10 તમને અવિનીત લાગે તે સાધુની પરીક્ષા આપણે કરીયે” રાજાએ આ વાતનો સ્વીકાર કર્યો. વિનીત તરીકે પ્રસિદ્ધ એવા રાજપુત્રને બોલાવવામાં આવ્યો અને કહ્યું “ગંગાનો પ્રવાહ કઈ દિશામાંથી કઈ દિશા તરફ વહે છે ? તે તું શોધી લાવ.” રાજપુત્રે કહ્યું, “એમાં શોધવાનું શું ? ગંગાનો પ્રવાહ પૂર્વદિશા તરફ વહે છે એ વાત નાના બાળકને પણ ખબર છે.” રાજાએ કહ્યું “શું તું અહીં જ ઊભો દલીલબાજી કરીશ કે જઈને નિરીક્ષણ કરીશ ? આ સાંભળી રાજપુત્ર 15 મનમાં ખેદ કરતો બહાર નીકળ્યો. નગરના દ્વાર પાસે પહોંચ્યો. ત્યારે મિત્રે તેને પૂછ્યું– “હે મિત્ર ! ક્યાં ચાલ્યો ?' રાજપુત્રે ગુસ્સામાં જવાબ આપ્યો “જંગલમાં રોઝડાઓને લવણનું દાન કરવા જઉં છું.’’ મિત્ર આ સાંભળી સમજી ગયો. તેથી શાંતિથી બધી વાત પૂછી. રાજપુત્ર પાસેથી સઘળી વાત સાંભળ્યા પછી કહ્યું – “ગંગાકિનારે જવાની શું જરૂર છે ? પિતાને જઈને કહી દે, “હું જોઈને આવ્યો, 20 ગંગા પૂર્વાભિમુખ વહે છે.” રાજપુત્રે આ પ્રમાણે કર્યું. પરંતુ તેની પાછળ મોકલેલા ગુપ્તચરે રાજપુત્રની સઘળી વાત રાજાને કરી. — હવે સાધુનો વારો આવ્યો. રાજાને જે અવિનીત સાધુ લાગ્યો તેની પરીક્ષા કરવાનું આચાર્યને કહેતાં, આચાર્યે શિષ્યને કહ્યું – “જા, જોઈ આવ ગંગા કઈ દિશામાં વહે છે ?” શિષ્યે વિચાર્યું કે “ગુરુ પણ આ વાત જાણે છે કે ગંગા પૂર્વાભિમુખ વહે છે છતાં મને જોવા કહ્યું છે તેથી નક્કી 25 આમાં કોઈક પ્રયોજન હોવું જોઈએ.” આમ વિચારી જ્યાં ગંગા વહેતી હતી ત્યાં આવી ગંગાનો પ્રવાહ જોયો, પછી બીજાઓને પૂછીને પણ ખાતરી કરી તથા સૂકા તણખલાદિને પ્રવાહમાં વહન કરાવવાવડે પણ નિશ્ચિત કરી શિષ્ય ગુરુ પાસે આવી જવાબ આપ્યો કે “આવા આવા કારણોથી મેં નિર્ણય કર્યો છે કે ગંગા પૂર્વાભિમુખ છે, છતાં આપ કહો તે પ્રમાણ.' પાછળથી ગુપ્તચરે પણ સઘળી વાત કરી જેથી રાજા વિલખો પડ્યો. આમ દરેક શિષ્યએ વર્તવું જોઈએ.) ૧૪. તથાપિ = તસ્ય (વચન) નૈવ છૂટયેત્, વિહે = વાનળ પૃચ્છેત્ ॥રા ગૃપવૃoન મળિતો गुरुणा गङ्गा कुतोमुखी वहति ? । संपादितवान् शिष्यो यथा तथा सर्वत्र कार्यम् ॥३॥ ( विशेषावश्यके गाथा: ૧૨-૧૩૨-૧૨૪) 30 Page #189 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) आह-यद्येवं गुरुभावोपक्रम एवाभिधातव्यो न शेषाः, निष्प्रयोजनत्वात् न, गुरु चित्तप्रसादनार्थमेव तेषामुपयोगित्वात्, तथा च देशकालावपेक्ष्य परिकर्मनाशौ द्रव्याणां उदकौदनादीनां आहारादिकार्येषु कुर्वन् विनेयो गुरोर्हरति चेत इति । अथवोपक्रमस्य साम्यात् प्रकृते निरुपयोगिनोऽपि अन्यत्र उपयोक्ष्यन्त इत्युपन्यस्तत्वाददोष 15 इत्यलं विस्तरेण । उक्त इतरः, इदानीं शास्त्रीय उच्यते-असावपि षड्विध एव तद्यथा - आनुपूर्वी १ नाम २ प्रमाणं ३ वक्तव्यता ४ अर्थाधिकारः ५ समवतार ६ इति । तत्रानुपूर्वी नामस्थापनाद्रव्यक्षेत्रकालगणनोत्कीर्त्तनसंस्थानसामाचारी भावभेदभिन्ना दशप्रकारा, तस्या यथासंभवत: समवतारणीयमिदं, विशेषतस्तूत्कीर्त्तनगणनानुपूर्वीद्वय इति, उत्कीर्त्तना - संशब्दना यथा - सामायिक चतुर्विंशतिस्तव इत्यादि, गणनं परिसंख्यानं एकं द्वे त्रीणि चत्वारीत्यादि, सा च गणनानुपूर्वी 10 त्रिप्रकारा पूर्वपश्चादनानुपूर्वीभेदभिन्ना, तत्र सामायिकं पूर्वानुपूर्व्या प्रथमं पश्चानुपूर्व्या षष्ठं, अनानुपूर्व्या त्वनियतं क्वचित्प्रथमं क्वचिद्वितीयं इत्यादि । तत्रानानुपूर्वीणामयं करणोपाय : ૧૬૬ શંકા : જો ગુરુભાવોપક્રમ આટલો બધો મહત્ત્વનો હોય તો તે જ બતાવવો જોઈતો હતો. પદ્રવ્યાદિઉપક્રમ શા માટે બતાવ્યા ? સમાધાન : ગુરુ ચિત્તપ્રસન્નતા માટે તે શેષોપક્રમ પણ ઉપયોગી છે. તે તે દેશકાળની 15 અપેક્ષાએ (ગુરુના) આહારાદિકાર્યોમાં પાણી—ઓદન વગેરે દ્રવ્યોના પરિકર્મ–નાશને કરતો શિષ્ય ગુરુના ચિત્તને હરે છે. (જેમ કે, રાજસ્થાન જેવા ક્ષેત્રમાં ઉનાળામાં શિષ્ય ઉકાળેલું ગરમ પાણી ૧૦–૧૨ પરાતોમાં ઠારી ઠંડું કરી ગુરુને વપરાવે તો ગુરુની પ્રસન્નતા વધે. પાણીને આ રીતે ઠંડું કરવું એ દ્રવ્યોપક્રમ થયો. એ જ રીતે ઉપાશ્રયમાં ગુરુને બેસવાના સ્થાને શિષ્ય ચોખ્ખાઈ રાખે તે ક્ષેત્રોપક્રમ. આમ દ્રવ્યાદિ ઉપક્રમ પણ ગુરુની પ્રસન્નતા માટે ઉપયોગી થાય છે. 2) અથવા પ્રકૃતમાં નિરુપયોગી એવા પણ આ અન્યત્ર ઉપયોગી થશે એ વિચારથી અને ઉપક્રમની સમાનતા હોવાથી અહીં તેનું નિરૂપણ દોષ માટે નથી. આમ અશાસ્ત્રીયોપક્રમ કહ્યો. હવે શાસ્ત્રીયોપક્રમ બતાવે છે તે પણ છ પ્રકારે છે : (૧) આનુપૂર્વી, (૨) નામ, (૩) પ્રમાણ, (૪) વક્તવ્યતા, (૫) અર્થાધિકાર, (૬) સમવતાર. તેમાં આનુપૂર્વી → નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ગણના, ઉત્કીર્તન, સંસ્થાન, સામાચારી અને ભાવ એમ દશ પ્રકારે છે. આ 25 સામાયિક આ ૧૦માંથી જેમાં જે રીતે સંભવતું હોય તે રીતે તેમાં તેનો સમાવેશ કરવો. વિશેષથી ઉત્કીર્તન અને ગણના આનુપૂર્વીમાં તેનો સમાવેશ થાય છે. ઉત્કીર્તના એટલે ઉચ્ચારવું. જેમ કે સામાયિક, ચવીસત્થો, વાંદણા વગેરે. ગણના એટલે ગણતરી કરવી જેમ કે એક, બે, ત્રણ વગેરે. આ ગણનાનુપૂર્વી પૂર્વાનુપૂર્વી પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં સામાયિકાધ્યયન 30 પૂર્વાનુપૂર્વીથી (પહેલેથી) પ્રથમ અધ્યયન છે. પશ્ચાનુપૂર્વીથી (છેલ્લેથી) છઠ્ઠુ અધ્યયન છે. અને અનાનુપૂર્વીથી (ગમે તે રીતીથી) અનિયત છે અર્થાત્ ક્યારેક પ્રથમ, ક્યારેક બીજું વગેરે. તેમાં + સમાચારો ! * યથાસંભવં * ०णामानयनाय कर० । Page #190 -------------------------------------------------------------------------- ________________ અનાનુપૂર્વીના ભાંગાઓ પ્રાપ્ત કરવાનો ઉપાય (નિ. ૭૯) ૧૬૭ एकाकोत्तरा विवक्षितपदानां स्थापना क्रियते, तत्र पदत्रयस्थापनैव तावत्संक्षेपतः प्रदर्श्यतेसामायिकं चतुर्विंशतिस्तवः वन्दनाध्ययनमिति । अत्र "पुव्वाणुपुति हेट्ठा, समयाभेएण कुण जहाजेदुं । उवरिमतुलं पुरओ नसेज्ज वक्कम सेसे ॥१॥ जहितंमिनिक्खित्ते पुरओ सो चेव अंकविण्णासो । सो होइ समयभेदो वज्जेयव्वो पयत्तेणं ॥२॥ અનાનુપૂર્વીના ભાંગા લાવવા આ ઉપાય છે – એકેક વધતી વિવક્ષિતપદોની સ્થાપના કરવી. તેમાં દૃષ્ટાંત માટે સંક્ષેપથી ત્રણ પદોની સ્થાપના જ બતાવે છે. 5 તે ત્રણ પદો – સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનાધ્યયન. આ ત્રણ પદોના છ ભાંગા થાય છે તે મેળવવા અહીં ગાથા બતાવે છે. ૧. અનુક્રમે અમુક પદો સ્થાપવા તે પૂર્વાનુપૂર્વી 1 જેમકે ૧,૨,૩ તેની નીચે સમયાભેદથી=સંકેતનો ભેદ ન થાય તે રીતે યથાજ્યેષ્ઠ (અંકોને) ‘T’ સ્થાપિત કર. અહીં જે અંક જેની પૂર્વે હોય તે તેનો જ્યેષ્ઠ કહેવાય જેમ કે એક એ બેની પૂર્વે હોવાથી બેનો જ્યેષ્ઠ કહેવાય, ત્રણનો અનુજ્યેષ્ઠ અને ચારનો જ્યેષ્ઠાનુજ્યેષ્ઠ કહેવાય. તેથી પ્રથમ ભાંગાની નીચે ૧નો જ્યેષ્ઠ નથી તેથી તેને છોડી દેવો. રનો જ્યેષ્ઠ ૧ છે. તેથી રની = નીચે ૧ સ્થાપવો ૧૨૩ હવે ‘મિતુલ્લું પુરો' અર્થાત્ આગળ ઉપરના પદોને સમાન !5 પદો સ્થાપવા તેથી બીજા ભાંગામાં ૧ પછી ઉપરનો ૩ અંક નીચે સ્થાપવો જેથી ૧૨૩ ‘નસેન પૂવજમ્મો સે' બીજા ભાંગામાં ૧ની નીચે કયો અંક સ્થાપવો ? તેનો ઉત્તર આપે છે કે જે શેષ પદ રહે તે પૂર્વ ભાગમાં અનુક્રમે સ્થાપવા. તેથી શેષ તરીકે ૨ હોવાથી ૧ નીચે ૨ અંક સ્થાપવો. તેથી બીજો ભાંગો ૨ ૧ ૩ પ્રાપ્ત થયો. હવે ત્રીજો ભાંગો જોઈએ તેમાં ૨ નો જ્યેષ્ઠ એક છે પરંતુ તે ૨ની નીચે સ્થાપતા આગળ 20 ઉપરના સદશ અંકો સ્થાપવા પડે જેથી ત્રીજો ભાંગો ૧ ૧ ૩ પ્રાપ્ત થાય પણ અહીં સદેશ અંકો પાસે પાસે આવતા સમયભેદ થાય તેથી ચાલે નહીં. માટે ૨ ની નીચે જ્યેષ્ઠ અંક મૂકાય નહીં. બાજુમાં રહેલ ૧ નો જ્યેષ્ઠ નથી તેથી તેને છોડી ૩ નો જ્યેષ્ઠ ૨ છે તેને ત્રીજા અંકની નીચે મૂકતા આવી સ્થાપના થશે. હવે આગળ તો કંઈ છે નહીં તેથી પાછળ ‘નમેષ્ન પૂજ્રમો મેસે’’ ન્યાયથી ૧ અને ૩ એ બંને સ્થાપતા ત્રીજો ભાંગો ૧ ૩ ૨ નો પ્રાપ્ત થાય. ૨૧૩ 25 (હવે ત્રીજા ભાંગામાં ૧ નો જ્યેષ્ઠ વિ. છે નહીં. પછી ૩ નો જ્યેષ્ઠ ૨ સ્થાપીએ, તો આગળ પણ ૨ હોવાથી સમયભેદ થાય. એટલે ૩ નો અનુજ્યેષ્ઠ ૧ સ્થાપવો. તેની આગળ ૨ આવશે. અને પાછળ બાકી રહેલો ૩ આવશે. તેથી ૩૧૨ થયો. આ રીતે બાકીના ભાંગા મલયિગિર ટીકાનુસારે સમજવા.) આમ આ પદ્ધતિથી આગળ વધતા ત્રણ પદોના છ ભાંગા થાય જેમાં પહેલા છેલ્લા છોડી વચ્ચેના ચાર ભાંગા અનાનુપૂર્વી કહેવાય. છ પદોનાં ૭૨૦ 30 . પૂર્વાનુપૂર્વી ( આતો ) અધ: સમવા ( સંòતા ) મેનેન યથા જ્યેષ્ઠમ્ । ૩પરિતુત્ય પુરત: સ્વસ્થેત્ પૂર્વ (પૂર્વાનુપૂર્વી) મ: શેષે (પશ્ચાત્) ।। મિન્નિક્ષિપ્તે પુરત: સ વ અદ્ભવિન્યાસ: । સમતિ समयभेदः वर्जयितव्यः प्रयत्नेन |२| ( अनुयोगद्वारेषु ) + सेसो । Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ના આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) भावना क्षुण्णत्वान्न प्रतन्यते, नवरमागतं त्रयाणामेतेषां षड् भङ्गा भवन्ति, अतश्चतस्रः १२ जाखल्वनानुपूर्व्य इति । षण्णां तु पदानां सप्तविंशत्युत्तराणि भिङ्गकशतानि, अत्रापि ૨ ૧ ૩ સપ્તાષ્ટોત્તરાજ અનાનુપૂત્રે રૂતિ ! १ ३ २ इदानीं नाम-प्रतिवस्तु नमनान्नाम, तच्चैकादि दशान्तं यथाऽनुयोगद्वारेषु तथा च ૨ ૧ ૨ ૨ ૩ ૧| वक्तव्यं, षड्नाम्नि त्ववतारः, तत्र षड् भावा औदयिकादयो निरूप्यन्ते, तत्र क्षायोपशमिक 3 २१ एव सर्वश्रुतावतारः, तस्य क्षायोपशमिकत्वादिति । तथा प्रमाणं-द्रव्यादि प्रमीयतेऽनेनेति प्रमाणं, तच्च प्रमेयभेदादेव चतूरूपं, तद्यथा-द्रव्यप्रमाणं १ क्षेत्रप्रमाणं २ कालप्रमाणं ३ भावप्रमाणं च ४, तत्र सामायिकं भावात्मकत्वाद् भावप्रमाणविषयं, तच्च भावप्रमाणं त्रिधा गुणनयसंख्याभेदभिन्नं, तत्र गुणप्रमाणमपि द्विधा-जीवगुणप्रमाणम-जीवगुणप्रमाणं च, तत्र 10 जीवादपृथग्भूतत्वात् सामायिकस्य जीवगुणप्रमाणे समवतारः, तदपि ज्ञानदर्शनचारित्रभेदभिन्नं, तत्र बोधात्मकत्वात्सामायिकस्य ज्ञानगुणप्रमाणे समवतारः तदपि प्रत्यक्षानुमानोपमानागमभेदभिन्न इति, तत्र सामायिकस्य प्रायः परोपदेशसव्यपेक्षत्वादागमे समवतारः, स च लौकिकलोकोत्तरसूत्रार्थोभयात्मानन्तरपरम्पराभेदभिन्न इति, तत्र सामाविकस्य परमर्षिप्रणीतगणिपिटकान्तर्गतत्वात् ભાંગા થાય. તેમાં ૭૧૮ ભાંગા અનાનુપૂર્વી કહેવાય. નામદ્વાર : દરેક વસ્તુમાં નમતું હોવાથી (અર્થાત્ દરેક વસ્તુમાં રહેલા પર્યાયને અનુસાર તે વસ્તુનું અભિધાયક = વાચક બનતું હોવાથી) તે નામ કહેવાય છે. (જેમકે આત્મામાં રહેલા મુક્તત્વ પર્યાયને અનુસાર આત્માનું મુક્ત એવું નામ બોલાય છે, સર્વજ્ઞરૂપ પર્યાયને અનુસાર સર્વજ્ઞ’ એવું નામ બોલાય છે.) તે એક થી લઈ દશ સુધીના જે રીતે અનુયોગદ્વારમાં બતાવ્યા છે તે રીતે અહીં જાણી લેવા. તેમાં સામાયિકાધ્યયનનો છનામમાં સમાવેશ થાય છે, કારણ કે તે છ નામમાં છ ઔદાયિકાદિ 20 ભાવોનું વર્ણન છે. તેમાં ક્ષાયોપશમિક ભાવમાં સર્વશ્રતનો સમાવેશ થાય છે અને આ અધ્યયન ક્ષાયોપથમિક હોવાથી છ નામમાં સમાવેશ પામે છે. પ્રમાણલાર : જેનાવડે દ્રવ્યાદિ જણાય તે પ્રમાણ. આ પ્રમાણ પ્રમેય (જાણવા યોગ્ય વસ્તુ)નાં ભેદથી ચાર પ્રકારે છે ૧. દ્રવ્યપ્રમાણ, ૨. ક્ષેત્રપ્રમાણ, ૩. કાળપ્રમાણ, ૪, ભાવપ્રમાણ. તેમાં સામાયિક એ ભાવાત્મક હોવાથી ભાવપ્રમાણનો વિષય બને છે. તે ભાવપ્રમાણ ત્રણ પ્રકારે છે ૧. ગુણ, ૨. નય, 25 ૩. સંખ્યા. તેમાં ગુણપ્રમાણ અવગુણ અને અજીવગુણ એમ બે પ્રકારે છે. સામાયિક જીવથી જુદું ન હોવાથી જીવગુણપ્રમાણમાં અવતાર સમાવેશ પામે છે. તે જીવગુણપ્રમાણ પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર એમ ત્રણ પ્રકારે છે. તેમાં સામાયિક જ્ઞાનાત્મક હોવાથી જ્ઞાનગુણપ્રમાણમાં અવતરે છે. તે જ્ઞાનગુણપ્રમાણ પણ પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-આગમ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં સામાયિક પ્રાયઃ પરોપદેશની અપેક્ષાવાળું હોવાથી આગમમાં તેનો અવતાર થાય છે. આગમ પણ 30 લૌકિક-લોકોત્તર ભેદથી બે પ્રકારે, તેમાં સામાયિક સર્વજ્ઞપ્રણીત દ્વાદશાંગી અંતર્ગત હોવાથી લોકોત્તરમાં અવતરે છે. અથવા તે આગમ સૂત્ર-અર્થ-તદુભય એમ ત્રણ પ્રકારે છે. તેમાં સામાયિક સૂત્રાર્થઉભયરૂપ હોવાથી તદુભયમાં તેનો અવતાર થાય છે. અથવા આ આગમ આત્મા-અનંતર–પરંપર રૂપ ત્રણ ભેદે ભેદાય છે. षट्पदानामन्योऽन्याभ्यासेन । * ०म्पर० Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણાદિદ્વારો (નિ. ૭૯) लोकोत्तरे समवतारः, सूत्रार्थरूपत्वाच्च तदुभय इति, तथेदं गौतमादीनां सूत्रत आत्मागमः, तच्छिष्याणां जम्बूस्वामिप्रभृतीनां अनन्तरागम:, प्रशिष्याणां तु प्रभवादीनां परम्परागम इति, एवमर्थतोऽर्हतामात्मागमः गणधराणामनन्तरागमः तच्छिष्याणां तु परम्परागम इति । नयप्रमाणे तु मूढनयत्वात्तस्य नाधुनाऽवतार इति, वक्ष्यति च - " मूढणइयं सुयं कालियं तु' इत्यादि संख्या "नामस्थापनाद्रव्यक्षेत्रकालौपम्यपरिमाणभावभेदभिन्ना, यथाऽनुयोगद्वारेषु तथा 5 वक्तव्या, तत्रोत्कालिर्कादिश्रुतपरिमाणसंख्यायां समवतारः, तत्र सूत्रतः सामायिकं परिमितपरिमाणं, अर्थतोऽनन्तपर्यायत्वादपरिमितपरिमाणमिति । इदानीं वक्तव्यता-सा च त्रिविधा स्वसमयवक्तव्यता १ परसमयवक्तव्यता २ उभयसमयवक्तव्यता ३ चेति । स्वसमयः - स्वसिद्धान्तः वक्तव्यतापदार्थविचार:, तत्र स्वसमयवक्तव्यतायामस्य समवतारः, एवं परोभयसमयप्रतिपादकाध्ययनानामपि, यतः सर्वमेव सम्यग्दृष्टिपरिगृहीतं परसमयसंबन्ध्यपि सम्यक् श्रुतमेव, तस्य स्वसमयोपकारकत्वादिति । 10 इदानीमर्थाधिकारः, स चाध्ययनसमुदायार्थः, स्वसमयवक्तव्यतैकदेशः, स च सर्वसावद्ययोगविरतिरूपः । તેમાં આ અધ્યયન ગૌતમાદિને સૂત્રથી આત્માગમ છે. તેમના શિષ્ય જંબૂસ્વામી વગેરેને અનંતરાગમ અને પ્રશિષ્ય એવા પ્રભવસ્વામી વગેરેને પરંપરાગમ છે. અર્થથી અરિહંતોને આત્માગમ, ગણધરોને અનંતરાગમ અને તેના શિષ્યોને પરંપરાગમ છે. નયપ્રમાણ વિચારતા 15 આ અધ્યયન નયરહિત હોવાથી સામાયિકનો નયમાં અવતાર થતો નથી, કારણ કે આગળ કહેશે કે “કાલિકશ્રુત નયરહિત છે.” હવે ત્રીજું સંખ્યાપ્રમાણ બતાવે છે. તે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ઔપમ્ય, પરિમાણ અને ભાવ એમ આઠ પ્રકારે જે રીતે અનુયોગદ્વારમાં બતાવ્યું છે તે રીતે અહીં જાણી લેવું. તેમાં આ અધ્યયન ઉત્કાલિકાદિશ્રુતપરિમાણ સંખ્યામાં અવતરે છે. આ સામાયિકાધ્યયન સૂત્રથી પરિમિત પ્રમાણવાળું અને અર્થથી અનંતપર્યાયવાળું હોવાથી 20 અપરિમિતપરિમાણવાળું છે. ૧૬૯ વક્તવ્યતાદ્વાર : તે ત્રણ પ્રકારે છે. ૧. સ્વસમયવક્તવ્યતા, ૨. પરસમયવક્તવ્યતા, ૩. ઉભયસમયવક્તવ્યતા. સ્વસમય એટલે પોતાનો સિદ્ધાન્ત, વક્તવ્યતા એટલે પદાર્થનો વિચાર. તેમાં સામાયિકનો સ્વસમયની વક્તવ્યતામાં અવતાર થાય છે તેમજ પ૨સમય—ઉભયસમયના પ્રતિપાદક અધ્યયનોનો પણ સ્વસમયવક્તવ્યતામાં સમાવેશ થાય છે, કારણ કે સમ્યગ્દષ્ટિવડે 25 ગ્રહણ કરાયેલ પરસમયસંબંધિ એવું પણ સર્વ શ્રુત સ્વસમય માટે ઉપકારક હોવાથી સભ્યશ્રુત જ છે. અર્થાધિકારદ્વાર : અહીં અર્થાધિકાર તરીકે અધ્યયનનો સમુદાયાર્થ લેવાનો છે જે સ્વસમયવક્તવ્યતાનો એક દેશ છે. અહીં સર્વસાવદ્યયોગની વિરતિરૂપ, અર્થાધિકાર જાણવો. १६. नामस्थापनाद्रव्यौपम्यपरिमाणज्ञानगणनभावभेदाद्, अनुयोगेषु यत्सूत्रम् - से किं तं संखप्पमाणे ? 30 संख० अट्ठविहे पण्णत्ते, तंजहा- नामसंखा ठवणासंखा दव्वसंखा ओवम्मसंखा परिमाणसंखा जाणणासंखा गणणासंखा भावसंखा - इह संख्याशब्देन संख्याशङ्खयोर्ग्रहणं द्रष्टव्यं प्राकृतमधिकृत्य ( अनु० ५४९ ) + ofતિશ્રુ * ૦ારાત્। સાવદ્ય૦ | Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સૈક આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) इदानीं समवतार:, स च लाघवार्थं प्रतिद्वारं समवतारणाद्वारेण प्रदर्शित एव । उक्त उपक्रमः, इदानीं निक्षेपः, स च त्रिधा-ओघनिष्पन्नो १ नामनिष्पन्नः २ सूत्रालापकनिष्पन्नश्चेति ३। तत्र ओघो नाम यत् सामान्यं शास्त्राभिधानं, तच्चेह चतुर्विधमध्ययनादि, पुनः प्रत्येकं नामादिचतुर्भेदमनुयोगद्वारानुसारतः प्रपञ्चेनाभिधाय भावाध्ययनाक्षीणादिषु सामायिकमायोज्यं । नामनिष्यन्ने निक्षेपे सामायिक, तच्च नामादिचतुर्विधं, इदं च निरुक्तिद्वारे सूत्रस्पर्शिकनियुक्तौ च प्रपञ्चेन वक्ष्यामः, आह-यदि तदिह नाम अवसरप्राप्तं किमिति निरुक्त्यादावस्य स्वरूपप्रतिपादनं, तत्र चेत्स्वरूपाभिधानमस्य हन्त इहोपन्यासः किमिति, अत्रोच्यते, इह निक्षेपद्वारे निक्षेपमात्रस्यैवावसर:, निरुक्तौ तु तदन्वाख्यानस्येति, आह-इत्थमपि निरुक्तिद्वार एव सामायिकव्याख्यानतः किं पुनः सूत्रेऽभिधीयते इति, उच्यते, तत्र हि सूत्रालापकव्याख्यानं, न तु नाम्नः, निरुक्तौ तु निक्षेपद्वारन्यस्तं 10 સમવતારવાર : જોકે તે લાઘવ માટે દરેક દ્વારમાં સમાવતાર કરવાવડે બતાડી દીધું છે. આમ, ઉપક્રમ બતાવ્યો. - હવે નિક્ષેપની વિચારણા કરાય છે જે ત્રણ પ્રકારે છે. ૧. ઓઘનિષ્પન્ન. ૨. નામનિષ્પન્ન, ૩, સુત્રાલાપકનિષ્પન્ન, તેમાં ઓઘ એટલે શાસ્ત્રનું સામાન્ય નામ અને તે અધ્યયન-અક્ષીણ – આય – લપણા એમ ચાર પ્રકારે છે. આ દરેક નામોના નામાદિ ચાર ભેદો અનુયોગદ્વારાનુસાર 15 વિસ્તારથી કહીને ભાવ-અધ્યયન, ભાવ-અક્ષીણ, ભાવ–આય અને ભાવક્ષપણામાં સામાયિક જોડવું. નામનિષ્પન્ન નિક્ષેપમાં નામ એટલે શાસ્ત્રનું વિશેષ નામ – જેમ કે સામાયિક, તે પણ નામાદિ ચાર પ્રકારે છે. આ નામાદિ ચાર પ્રકારનું સામાયિક નિરુક્તિદ્વાર (ગા.ન. ૧૪૧માં આપેલ) અને સૂત્રસ્પર્શિકનિયુક્તિમાં વિસ્તારથી ગ્રંથકાર બતાવશે. શંકા : જો અહીં નામાદિ ૪ પ્રકારના સામાયિકનો અવસર હોય તો તમે તેનું સ્વરૂપ 20 નિરુક્તિદ્વારાદિમાં શા માટે કહેશો ? અહીં કેમ નહીં ? અને જો તેના સ્વરૂપનું પ્રતિપાદન ત્યાં કરવાનું હોય તો અહીં તેનો ઉપન્યાસ શા માટે કર્યો ? સમાધાન : અહીં નિક્ષેપઢારમાં નિક્ષેપમાત્રને જ બતાવવાનો અવસર છે (પણ સામાયિકનું સ્વરૂપ બતાવવાનો અવસર નથી.) સામાયિકનું સ્વરૂપ તો અમે પછી નિરુક્તિદ્વારમાં જ બતાવીશું. 25 શંકા : જો સામાયિકનું સ્વરૂપ નિરુક્તિદ્વારમાં જ બતાવી દેવાનું હોય તો સૂત્રમાં ફરીથી સામાયિક શા માટે કહેવાય છે ? (અર્થાત પૂર્વે તમે કહ્યું કે નિરુક્તિદ્વાર અને સૂત્રસ્પર્શિક નિર્યુક્તિમાં સામાયિકનું સ્વરૂપ કહીશું. તેમાં નિરુક્તિદ્વારમાં જ જો સ્વરૂપ બતાવવાનું હોય તો સૂત્રસ્પર્શિકનિયુક્તિમાં શા માટે ફરી બતાવવાની જરૂર છે ?) સમાધાન : સૂત્ર(સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ)માં સૂત્રોલાપકોનું વ્યાખ્યાન છે, પણ સામાયિક' 30 નામનું વ્યાખ્યાન નથી. જયારે નિરુક્તિમાં નિક્ષેપદ્વારમાં કહેલ “સામાયિક' નામનું નિરુપણ કરાય છે. (આમ બંનેમાં જુદું જુદું નિરૂપણ હોવાથી નિરુક્તિદ્વારમાં કહેવા છતાં સૂત્રસ્પર્શિક १७. आदिनाऽक्षीणायक्षपणाग्रहणं 'अज्झयणं अक्खीणं आओ झवणा य पत्तेयं' ति 'वचनात् । Page #194 -------------------------------------------------------------------------- ________________ અનુગદ્વાર (નિ. ૭૯) શકે ૧૭૧ सामायिकमित्यध्ययनाभिधानं निरूप्यते, अलं प्रपञ्चेन, उक्तो नामनिष्पन्नो निक्षेपः, इदानीं सूत्रालापकनिष्पन्नस्य निक्षेपस्यावसरः, स च प्राप्तलक्षणोऽपि न निक्षिप्यते, कस्मात् ?, सूत्राभावात्, असति च सूत्रे कस्यालापकनिक्षेप इति, अतोऽस्ति इतः तृतीयमनुयोगद्वारमनुगमाख्यं,तत्रैव निक्षेप्स्यामः । ___ आह-यदि प्राप्तावसरोऽप्यसाविह न निक्षिप्यते किमित्युपन्यस्यते इति, उच्यते, 5 निक्षेपसामान्यात् इह प्रदर्श्यत एव, न तु प्रतन्यते इति । इदानीमनुगमावसरः, स च द्विधानिर्युक्त्यनुगमः सूत्रानुगमश्च, निर्युक्त्यनुगमस्त्रिप्रकार: तद्यथा-निक्षेपनियुक्त्यनुगम उपोद्घातनिर्युक्त्यनुगमः सूत्रस्पर्शिकनियुक्त्यनुगमश्चेति, तत्र निक्षेपनियुक्त्यनुगमोऽनुगत एव, यदधो नामादिन्यासान्वाख्यानमुक्तमिति । इदानीमुपोद्घातनिर्युक्त्यनुगमप्रस्तावः, स च उद्देशादिद्वारलक्षण इति, अस्य च महार्थत्वान्मा भूद्विघ्न इति आरम्भे मङ्गलमुच्यते । आह-ननु 10 मङ्गलं प्रागेवोक्तं, भूयः किं तेन ?, अथ कृतमङ्गलैरपि पुनरभिधीयते, इत्थं तर्हि प्रतिद्वारं નિર્યુક્તિમાં સામાયિકનું સ્વરૂપ કહેશે.) વધુ ચર્ચાથી સર્યું. નામનિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપનો અવસર છે. જો કે તેનો અવસર પ્રાપ્ત થવા છતાં સૂત્રનો અભાવ હોવાથી સૂત્રાલાપકોનો નિક્ષેપ કરાતો નથી, કારણ કે સૂત્ર હોય તો સૂત્રોના આલાપકો (અવયવો)નાં નિપા થાય, સૂત્ર વિના કેવી રીતે થાય ? તેથી આગળ ત્રીજા અનુગમ નામના અનુયોગદ્વારમાં 15. તેના નિક્ષેપો કરાશે. . ' શંકાઃ જો અહીં આલાપકોના નિક્ષેપાઓનો અવસર હોવા છતાં નિક્ષેપ કરાતો નથી તો શા માટે તેનો અહીં ઉપન્યાસ કર્યો છે ? સમાધાન : નિક્ષેપપણાની સમાનતા હોવાથી ઓઘનિષ્પન્નાદિ નિક્ષેપાની સાથે સૂત્રાલાપક નિક્ષેપો પણ બતાવવામાં આવ્યો છે. પરંતુ તેનો વિસ્તાર અહીં કરાતો નથી. 20 હવે ત્રીજા અનુગમ નામના અનુયોગદ્વારનો અવસર છે. તે નિયુક્તિઅનુગમ અને સૂત્રોનુગમ એમ બે પ્રકારે છે. તેમાં નિર્યુક્તિ-અનુગમ – ૧. નિક્ષેપનિર્યુક્તિ, ૨. ઉપોદ્યાત નિર્યુક્તિ, ૩. સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ એમ ત્રણ પ્રકારે છે. નિક્ષેપનિર્યુક્તિ—અનુગમ એ આવશ્યક, શ્રત, સ્કન્ધાદિ પદોના નિક્ષેપ જે પૂર્વે બતાવ્યા તેના દ્વારા જ જણાવી દીધો છે અર્થાત આવશ્યકાદિ પદોના નિક્ષેપાઓનું વર્ણન એટલે જ નિક્ષેપનિયુક્તિ અનુગમ. હવે ઉપોદ્ધાતનિયુક્તિ અનુગામનો 25 અવસર છે, અને તે ઉદેશ-નિર્દેશાદિ દ્વારોના સમૂહરૂપ છે અર્થાત્ આ બધા કારોનું નિરૂપણ એટલે જ ઉપોદ્ધાતનિયુક્તિ. પરંતુ આ અનુગમ મહા–અર્થવાળો હોવાથી વિપ્ન ન આવે તે માટે શરૂઆત કરતાં પહેલા મંગલ કરાય છે. શંકા : તમે મંગલ તો પહેલા કરી દીધું છે, હવે પુનઃ શા માટે કરો છો ? મંગલ કરવા છતાં જો અહીં મંગલ પુનઃ કરવાનું હોય તો તો દરેક દ્વારમાં, દરેક અધ્યયનમાં અને દરેક 30 સૂત્રમાં તમારે મંગલ કહેવું પડશે. १८. आवश्यकसामायिकादीनां न्यासाख्यानात् निक्षेपस्थाने नाम्ना कीर्तनमत्र त व्याख्यानमिति । + પ્રસંડેના Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) प्रत्यध्ययनं प्रतिसूत्रं च वक्तव्यमिति । अत्राह कश्चित् - मङ्गलं हि शास्त्रस्यादौ मध्येऽवसाने चेति प्रतिपादितं, तत्रादिमङ्गलमुक्तं, इदानीं मध्यमङ्गलमुच्यते, तन्न, अनारब्ध एव शास्त्रे कुतो मध्यावकाश इति, स्यादेतत्, चतुरनुयोगद्वारात्मकं यतः शास्त्रं, अतोऽनुयोगद्वारद्वये ह्यतिक्रान्ते मध्यमङ्गलं, अत एव चानुयोगद्वाराणां शास्त्राङ्गतेति, नन्वेवैमपि इदं शास्त्रमध्यं न भवति, 5. અધ્યયનમધ્યાત્, शास्त्रमध्ये च मध्यमङ्गलावसर इति, तस्माद् यत्किञ्चिदेतत्, ततश्चायं स्थि॑त॒पक्षः—इ॒ह यदादौ मङ्गलं प्रतिपादितं तदावश्यकादिमङ्गलं, इदं तु नावश्यकमात्रस्य, सर्वानुयोगोपोद्घातनिर्युक्तित्वात् प्रक्रान्तोपोद्घातस्य, वक्ष्यति च - ""आवस्सगस्स दसकालियस्स तह उत्तरज्झमायारे । सूयगडे निज्जुती, वोच्छामि तहा दसाणं च ||१||" इत्यादि, तथा સમાધાન : ઉપરોક્ત શંકાનું સમાધાન કેટલાક અજ્ઞાનીઓ પોતાની મતિથી આપે છે તે 10 પહેલા ગ્રંથકારશ્રી બતાવી પછી તે સમાધાન ખોટું કહી ગ્રંથકારશ્રી પોતાનો સ્થિતપક્ષ બતાવશે. પ્રથમ ઉપરોક્ત શંકા સામે વચ્ચે અજ્ઞાનીપક્ષ સમાધાન આપતાં જણાવે છે કે, શાસ્ત્રની શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં મંગલ કરવું જોઈએ એમ શાસ્ત્રકારો કહે છે. તેમાં શરૂઆતનું મંગળ બતાવ્યું. હવે મધ્યમ મંગલ બતાવે છે. આવા અજ્ઞાનીપક્ષના સમાધાન સામે ગ્રંથકારશ્રી જવાબ આપે છે કે હજુ શાસ્ત્રની શરૂઆત જ થઈ નથી તો શાસ્ત્રનો મધ્યમભાગ આવે જ ક્યાંથી 15 કે જેથી તે મધ્યમમંગલ કહેવાય ? અજ્ઞાનીપક્ષ : શાસ્ત્ર ચાર–અનુયોગદ્વારરૂપ છે અને તેથી જ અનુયોગદ્વારોની શાસ્ત્રાંગતા છે, અર્થાત્ અનુયોગદ્વારો એ શાસ્ત્રના અંગ છે. તેથી બે અનુયોગદ્દારોનું વર્ણન પૂરું થયા પછી શાસ્ત્રનો મધ્યમભાગ આવતા મધ્યમમંગલ કરાય છે. સ્થિતપક્ષ : ચાર અનુયોગદ્વારાત્મક શાસ્ત્ર હોવા છતાં પણ આ મધ્યભાગ શાસ્ત્રનો મધ્યભાગ 20 નથી પરંતુ અધ્યયનનો મધ્યમભાગ ગણાય (કારણ કે સામાયિકાધ્યયનના ચાર દ્વારમાંથી બે દ્વાર પૂર્ણ થયા છે.) અને મધ્યમમંગલનો અવસર તો શાસ્ત્રના મધ્યમભાગમાં છે. તેથી તમારી વાત યુક્તિયુક્ત નથી. માટે ઉપરોક્ત શંકાનું આ પ્રમાણે સમાધાન જાણવું કે અંહીં જે શાસ્ત્રની આદિમાં મંગલ છે તે આવશ્યકાદિનું મંગલ છે. જ્યારે હવે જે મંગલ કરવામાં આવવાનું છે. તે આવશ્યકમાત્રનું નથી પરંતુ શરૂ કરાયેલ ઉપોદ્ઘાતનું મંગલ છે. 25 શંકા : ઉપોદ્ઘાતનું મંગલ કરવાની શા માટે જરૂર પડી ? સમાધાન : પ્રક્રાન્તોપોદ્ઘાત એ સર્વશાસ્ત્રના અનુયોગમાં ઉપયોગી ઉપોદ્ઘાનિર્યુક્તિરૂપ . છે, અર્થાત્ .કોઈપણ શાસ્ત્રના અનુયોગમાં ઉપોદ્ઘાત તરીકે આ જ ઉપોદ્ઘાત સમજવાનો છે, કારણ કે આગળ ગ્રંથકારશ્રી કહેશે કે “હું આવશ્યકની, દશવૈકાલિકની, ઉત્તરાધ્યયનની, આચારાંગની, સૂયગડાંગની તથા દશાશ્રુતસ્કન્ધની નિયુક્તિને કહીશ. ॥૧॥” ઇત્યાદિ, તથા 30 ‘શેષ ચતુર્વિશતિસ્તવાદિ અધ્યયનોમાં પણ આ જ નિર્યુક્તિ (ઉપોદ્ઘાત) છે.” આમ, આ १९. आवश्यकस्य दशवैकालिकस्य तथा उत्तराध्याय आचारे । सूत्रकृते निर्युक्तिं वक्ष्यामि तथा વૈશાશ્રુતશ્ર્ચય = । શ્ । * નવૃિત્યપિ । + સ્થિતિપક્ષ: સ્થિત: પક્ષ: । + મુત્તાšનિવ્રુત્તિ । Page #196 -------------------------------------------------------------------------- ________________ 5 ઉપોદઘાતનિર્યુક્તિનું મંગલ (નિ. ૮૦) ૧૭૩ "सेसेसुवि अज्झयणेसु, होइ एसेव निज्जुत्ती" चतुर्विंशतिस्तवादिष्विति वक्ष्यति, अतो महार्थत्वात् कथञ्चित् शास्त्रान्तरत्वाच्चास्यारम्भे मङ्गलोपन्यासो युक्त एवेति, आहसामायिकान्वाख्यानेऽधिकृते को हि दशवैकालिकादीनां प्रस्ताव इति, अत्रोच्यते, उपोद्घातसामान्यात्, यतस्तेषामपि प्रायः खल्वयमेवोपोद्घात इति, अलं |पञ्चेन । तच्चेदं मङ्गलम् तित्थयरे भगवंते, अणुत्तरपरक्कमे अमियनाणी । तिण्णे सुगइगइगए, सिद्धिपहपदेसए वंदे ॥८॥ गमनिका तीर्थकरणशीलास्तीर्थकराः तान् वन्द इति योगः, तत्र 'तृ प्लवनतरणयोः' इत्यस्य ‘पातृतुदिवचिसिचिरिचिभ्यस्थग् ( उणादौ पा० २-१७२) इति थिक्प्रत्ययेऽनुबन्धलोपे च कृते 'ऋत इद्वा धातोः (पा० ७-१-१००) इति इत्त्वे रपरत्वे हलि चेति दीर्घत्वे परगमे च 10 તીર્થ ડૂત સ્થિતે “યુગ ઝર' ત્યણ “' (To ૩-૨-૨૬) હત્યસ્માત સત્રત टप्रत्ययाधिकारेऽनुवर्त्तमाने 'कृञो हेतुताच्छील्यानुलोम्येषु' (पा० ३-२-२०) इति टप्रत्ययेગાથાઓ દ્વારા ગ્રંથકારશ્રીએ આ ઉપોદ્ધાત સર્વશાસ્ત્રોમાં ઉપયોગી તરીકે બતાવેલ છે. આથી આ ઉપોદઘાતનિયુક્તિ મહા–અર્થવાળી હોવાથી અને કથંચિત્ જુદા શાસ્ત્રરૂપે હોવાથી તેના પ્રારંભમાં મંગલનો ઉપન્યાસ કરવો ઉચિત છે, યુક્તિયુક્ત છે. 15 શંકા : સામાયિકનું વ્યાખ્યાન પ્રકૃતિ હોવા છતાં દશવૈકાલિકાદિનો અવસર ક્યાંથી આવ્યો ? સમાધાન : બધાનો ઉપોદ્ધાત સમાન હોવાથી તેઓની પણ અમે વાત કરેલ છે, કારણ કે તે બધા ગ્રંથોનો પણ પ્રાયઃ આ જ ઉપોદ્દાત છે માટે વધુ ચર્ચાથી સર્યું. પ્રસ્તુત વિચારીએ. અવતરણિકા : મહાર્થવાળો અને શાસ્ત્રાન્તરરૂપ હોવાથી ઉપોદ્ધાતના પ્રારંભમાં મંગલ 20 બતાવવાનું કહ્યું તે મંગલ હવે બતાવે છે. ગાથાર્થ : સર્વોત્કૃષ્ટ પરાક્રમવાળા, અપરિમિતજ્ઞાની, સંસારથી તરેલા, સિદ્ધોની ગતિને (મોક્ષને) પામેલા, મોક્ષમાર્ગના ઉપદેશક એવા તીર્થંકરભગવંતોને હું નમસ્કાર કરું છું. ટીકાર્થ : તીર્થને કરવાના = સ્થાપવાના સ્વભાવવાળા જે છે તે તીર્થકરો, તેઓને “હું વંદન કરું છું.” આ પ્રમાણે ક્રિયાપદ જોડવું, તેમાં તૃ ધાતુ ડૂબવા અને તરવાના અર્થમાં વપરાય 25 છે. આ ધાતુને “પાતૃતુતિવિસિવિરવિણ્યસ્થ” આ નિયમથી ‘થ' પ્રત્યય લાગ્યો. આ પ્રત્યયમાં ‘' અનુબંધનો લોપ કરવો. જેથી તૃ + થ થશે. ‘ઋત દ્રા ધાતોઃ' આ નિયમથી ઋકારાન્ત ધાતુનો ઋનો ‘રૂ' થતાં અને પછી “૨ આવતાં તિરુ + થ થશે. ‘તિ ' નિયમથી ‘રૂર' નો ? દીર્ઘ થશે. = તીર્ + થ આનો પરગમ થતાં = જોડાણ થતાં તીર્થ શબ્દ થાય છે. હવે ‘' ધાતુ “કરવું' અર્થમાં વપરાય. ‘વરેષ્ઠ:' આ સૂત્રથી ‘દ' પ્રત્યયનો અધિકાર શરૂ થતાં (વર: પછી 30 અમુક સૂત્રો સુધી બધામાં ‘ટ' પ્રત્યય લાગતાં) ‘ગો હેતુત છત્યાનુનોગ્યેષુ' અર્થાત્ કૃ ધાતુને હેતુ, - ogs I + ૦રત્વી છાત્રા | * પ્રસન I + થ પ્રત્યયોનુo | Page #197 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) नुबन्धलोपे च कृते गुणे रपरत्वे परगमने च तीर्थकर इति भवति । तत्र तीर्यतेऽनेनेति तीर्थं, तच्च नामादिचतुर्भेदभिन्नं, तत्र नोआगमतो द्रव्यतीर्थं नद्यादीनां समो भूभागोऽनपायश्च, तत्सिद्धौ तरिता तरणं तरणीयं च सिद्धं पुरुषबाहूडुपनद्यादि, द्रव्यता चास्येत्थं तीर्णस्यापि पुनस्तरणीयभावात्, अनेकान्तिकत्वात्, स्नानविवक्षायां च बाह्यमलापनयनात् आन्तरस्य प्राणातिपातादि5 कारणपूर्वकत्वात्, तस्य च तेंद्विनिवृत्तिमन्तरेणोत्पत्तिनिरोधाभावात् प्रागुत्त च विशिष्टक्रियासव्यपेक्षाध्यवसायजन्यस्य तत्प्रत्यैनीकक्रियासहगताध्यवसायतः क्षयोपपत्तेः, तत्क्षयाभावे च भावतो भवतरणानुपपत्तेरिति । भावतीर्थं तु नोआगमतः संघः, તાત્કીલ્ય અને અનુલોમ્ય આ ત્રણે અર્થમાં ‘ટ’ પ્રત્યય લાગે છે. આ નિયમથી ‘કૃ ધાતુને ‘તાત્ઝીલ્ય’ અર્થમાં ‘ટ’ પ્રત્યય લાગ્યો. આ પ્રત્યયમાં ‘ટ્' અનુબંધ છે જેનો લોપ થતાં 10 મૈં થાય. હવે પછી અમુક નિયમથી કૃ નો ગુણ ક થશે. (પાણિની વ્યાકરણ પ્રમાણે કૃનો ગુણ ક થાય છે.) અને ૨ પર છતાં ર્ + ઞ = ; તીર્થ + ર આનો પરગમ કરતાં જોડાણ કરતાં ‘તીર્થંકર' રૂપ થાય છે. ૧૭૪ તેમાં જેનાવડે તરાય તે તીર્થ, અને તે નામાદિ ચાર ભેદવાળું છે. તેમાં નામ, સ્થાપના, આગમથી દ્રવ્યતીર્થ તથા નો.આ.થી જ્ઞશ. અને ભવ્યશ. સુખેથી જાણી શકાય એવું હોવાથી 15 તેઓને છોડી નોઆગમથી તદ્બતિરિક્ત દ્રવ્યતીર્થ તરીકે નદી વગેરેનો અપાય (જોખમ) વિનાનો સમાન ભૂમિભાગ જાણવો. તીર્થની સિદ્ધિ કરતાં અન્ય ત્રણ વસ્તુ સિદ્ધ થાય છે. ૧. તરીતા = તરનાર પુરુષ, ૨. તરણ સાધન–બાહુ, ઉડુપ (નાવડીનો એક.પ્રકાર) વગેરે. ૩. તરણીય = તરવા યોગ્ય નદી વગેરે. આ નદી વગેરેના સમાન ભૂમિભાગરૂપ તીર્થ એ દ્રવ્યતીર્થ છે, કારણ કે એકવાર નદી વગેરે તર્યા પછી પણ પ્રયોજન આવે તો ફરી તરવાની રહે છે. વળી 20 ક્યારેક આ તીર્થમાં અપાય સંભવિત હોવાથી નદી વગેરે ન તરી શકાય તેવું પણ બનવાથી તે અનૈકાન્તિક છે. 30 = – 25 સ્નાનની અપેક્ષાએ પણ આ તીર્થ બાહ્યમલને જ દૂર કરવામાં સમર્થ છે, આન્તરમલરૂપ કર્મોને નહીં, કારણ કે આન્તરમલ એ પ્રાણાતિપાતાદિને કારણે ઉત્પન્ન થાય છે. તેથી જ્યાં સુધી પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી આન્તરમલની ઉત્પત્તિનો નિરોધ થાય નહીં. તથા પૂર્વે પ્રાપ્ત થયેલ આન્તરમલ કે જે વિશિષ્ટ ક્રિયાથી ઉત્પન્ન થયેલ અધ્યવસાયથી ઉત્પન્ન થયો છે. આવા આન્ત૨મલનો ક્ષય તે વિશિષ્ટક્રિયાની વિરોધી ક્રિયાથી યુક્ત અધ્યવસાયથી થાય છે, નહીં કે સ્નાનમાત્રથી. આમ સ્નાનમાત્ર બાહ્યમલનો જ ક્ષય કરે છે. પરંતુ પૂર્વગૃહીત આન્તરમલનો ક્ષય કે નવા આન્તરમલની ઉત્પત્તિનો નિરોધ કરવામાં સમર્થ નથી. અને આન્તરમલના ક્ષયના અભાવમાં તત્ત્વથી સંસારતરણ ઘટી શકતું નથી. તેથી આ તીર્થ દ્રવ્યતીર્થ છે. નો—આગમથી ભાવતીર્થ તરીકે સંધ છે કારણ કે સમ્યગ્દર્શનાદિ પરિણામની સાથે તેનો २०. अभ्यन्तरमलस्य । २१ प्राणातिपातादिकात् । २२. मिथ्यात्वादिलक्षण० । २३ સમ્યગ્દર્શનાનુસારિળી । * તક્ષ્યામાવતો ।+ મવતા । Page #198 -------------------------------------------------------------------------- ________________ 10 નોઆગમથી ભાવતીર્થ (નિ. ૮૦) ક ૧૭૫ સર્શિનાદ્રિપરિમાનચેવાતુ, યત – રતિત્યે અંતે ! તિર્યં ? તિત્ય તિલ્ય 2, गोयमा ! अरिहा ताव नियमा तित्थयरे, तित्थं पुण चाउव्वण्णो समणसंघो, पढमगणहरो वा"। तरिता तु तद्विशेष एव साधुः, तथा सम्यग्दर्शनादित्रयं करणभावापन्नं तरणं, तरणीयो भवोदधिरिति । अथवा इदाहपिपासानामपहारं करोति यत् । 'तद्धर्मसाधनं तथ्यं, तीर्थमित्युच्यते बुधैः ॥१॥ ___ पङ्कस्तावत् पापं, दाहः कषायाः, पिपासा विषयेच्छा, एतेषामपहरणसमर्थं यदित्यर्थः, अथवा सुखावतारं सुखोत्तारं १ सुखावतारं दुरुत्तारं २ दुःखावतारं सुखोत्तारं ३ दुःखावतारं दुरुत्तार ४ मिति' द्रव्यभावतीर्थं द्रष्टव्यं, तच्च सरजस्कशाक्यबोटिकसाधुसंबन्धि विज्ञेयं, अलं प्रसङ्गेन । तथा भगः-समग्रैश्वर्यादिलक्षणः, उक्तं चઅભેદ છે. કહ્યું છે કે, “હે પ્રભુ ! તીર્થ એ તીર્થ છે ? કે તીર્થકરો તીર્થ છે ? હૈ ગૌતમ ! અરિહંતો નિયમાં તીર્થને કરનારા હોય છે પણ તીર્થ નથી. તીર્થ તરીકે ચતુર્વિધ શ્રમણ સંઘ અથવા પ્રથમગણધર જાણવા. તીર્થ સિદ્ધ થતાં તેને તરનાર વિશેષ = ચતુર્વિધ સંઘમાંના એક વિશેષભૂત એવા સાધુ અથવા વિશેષ = રત્નત્રયથી વિશિષ્ટ એવા સાધુભગવંતો, તરણ એટલે કે સાધનરૂપે રત્નત્રય અને તરણીય તરીકે સંસારસમુદ્ર છે. અથવા “જે પાપરૂપ પંકને, 15 કષાયરૂપ દાહને અને વિષયેચ્છારૂપ પિપાસાને દૂર કરવામાં સમર્થ છે તે ધર્મસાધન વાસ્તવિક તીર્થ તરીકે પંડિ વડે કહેવાય છે. ૧.” અથવા જેમ દ્રવ્યતીર્થરૂપ નદીનો સમ ભૂમિભાગ ચાર પ્રકારે છે. જેમ કે, (૧) જેમાં સુખેથી ઉતરી શકાય અને સુખેથી કરી શકાય. (૨) સુખેથી ઉતરી શકાય, દુઃખેથી કરી શકાય, (૩) દુખેથી ઉતરી અને સુખેથી જ તરી શકાય, (૪) બંને ક્રિયા દુઃખેથી થાય. તેની જેમ 20 ભાવતીર્થ પણ ચાર પ્રકારે છે. (૧) જેમાં સુખેથી પ્રવેશ (સંન્યાસ સરળ હોવાથી) છે અને ન ફાવે તો છોડી શકાતું હોવાથી સુખેથી નિર્ગમ છે તે સરસ્ક અર્થાત્ શિવને માનનાર લોકોનો શૈવમત જાણવો. (૨) જેમાં સુખેથી પ્રવેશ અને દુઃખેથી નિર્ગમ છે (કારણ કે સંન્યાસ છોડનારને મહાદંડ કહ્યો છે, તે શાક્ય = બૌદ્ધમત જાણવો., (૩) દુઃખેથી પ્રવેશ (નગ્નપણું વગેરે કષ્ટ ઘણું હોવાથી) અને સુખેથી નિર્ગમ (અનેષણીય વસ્તુનો ઉપભોગ કષાયની બહુલતા વગેરે 25 અસમંજસપણાનું જ્ઞાન થવાથી તથા નગ્નપણાદિની લજ્જાથી ઉદ્વિગ્ન થયેલાઓ તે તીર્થનો સુખે ત્યાગ કરે છે.) તે દિગંબર મત જાણવો., (૪) દુ:ખેથી પ્રવેશ અને દુઃખેથી નિર્ગમ તે જૈનમત જાણવો આમ દ્રવ્ય અને ભાવતીર્થ ચાર પ્રકારે જાણવા. વધુ ચર્ચાથી સર્યું. | ‘તીર્થકર' શબ્દનો અર્થ બતાવી હવે “ભગવંત’ શબ્દનો અર્થ બતાવતાં પ્રથે ‘ભગ’ શબ્દનો અર્થ કરે છે, ભગ એટલે સમગ્રેશ્વર્યાદિ. કહ્યું છે – સમગ્રેશ્વર્ય, રૂપ, યશ, લક્ષ્મી, ધર્મ 30 २४. तीर्थं भदन्त ! तीर्थं तीर्थंकरस्तीर्थम् ?, गौतम ! अर्हन् तावन्नियमात्तीर्थकर: तीर्थं पुनः चतुर्वर्णः श्रमणसङ्गः प्रथमगणधरो वा ।। ०मितीत्थं । Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ના આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) “ऐश्वर्यस्य समग्रस्य, रूपस्य यशसः श्रियः। વસ્થા પ્રતિસ્થ, કાં ન ફર્તાના ?" ततश्च समग्रैश्वर्यादिभगयोगाद्भगवन्तोऽर्हन्त इति तान् भगवतः । आह-तीर्थंकरानित्यनेनैव 'भगवत' इत्यस्य गतार्थत्वात् तीर्थकृतामुक्तलक्षण भगाव्यभिचारात् नार्थोऽनेनेति, न, 5 नयमतान्तरावलम्बिपरिकल्पिततीर्थकरतिरस्कारपरत्वादस्येति, तथा च न तेऽविकलभगवन्तः, तान् भगवतो, वन्द इति क्रिया सर्वत्र योज्या । तथा परे-शत्रवः, ते च क्रोधाद्याः, आक्रमणमाक्रमः-पराजयः तदुच्छेद इतियावत्, परेषामाक्रमः पराक्रमः, सोऽनुत्तर:-अनन्यसदृशो येषां ते तथाविधाः । आह-ये खलु ऐश्वर्यादिभगवन्तः तेऽनुत्तरपराक्रमा एव, तमन्तरेण विवक्षितभगयोगाभावात्, ततश्च 'अनुत्तरपराक्रमान्' इत्येतदतिरिच्यते इति, अत्रोच्यते, अनादि10 शुद्धैश्वर्यादिसमन्वितपरमपुरुषप्रतिपादनपरनयवादनिराकरणार्थत्वाद् न दोषः, तथा चानुत्तर અને પ્રયત્ન આ છ અર્થો ભગસંજ્ઞાથી (ઈંગના=સંજ્ઞા) ઓળખાય છે. ૧” તેથી સમઐશ્વર્યાદિરૂપ ભગનો તીર્થકરોને યોગ હોવાથી ભગવાન તરીકે કહેવાય છે. તે ભગવંતોને “હું વંદન કરું છું.” એમ અન્વય જાણવો. શંકા : તીર્થકરોને જ ઉપર જણાવેલા ભગ નિયમથી હોય જ એટલે “તીર્થકરોને' આવું 15 કહ્યા પછી ‘ભગવંતોને' વિશેષણ મૂકવાની જરૂર નથી. સમાધાન : આ વિશેષણ પ્રયોજનવાળું જ છે, કારણ કે જે એક નયરૂપ અન્યમતનું આલંબન લેનારાઓવડે કલ્પિત બુદ્ધાદિ તીર્થકરો છે અર્થાત્ અન્યમતવાળા લોકો બુદ્ધાદિને તીર્થકર માને છે. તે તીર્થકરોનો આ વિશેષણ દ્વારા નિષેધ થાય છે, કારણ કે તેઓ સંપૂર્ણ ભગવાળા નથી. જયારે અમે તો સંપૂર્ણ ભગવાળા તીર્થકરોને વંદન કરીએ છીએ. તથા “અનુત્તરપરાક્રમવાળા” 20 આ શબ્દનો અર્થ કરતાં જણાવે છે કે પર એટલે શત્રુઓ. અને તે શત્રુઓ તરીકે ક્રોધાદિ જાણવાં. આક્રમણ એટલે પરાજય અથવા ક્રોધાદિનો ઉચ્છેદ (જયારે એક જ શબ્દનો સ્પષ્ટ–સ્પષ્ટતર અર્થ કરવો હોય ત્યારે તે અર્થોના અંતે “ઇતિ યાવત” શબ્દ વપરાય છે, જે એવું સૂચવે છે કે પૂર્વે જેટલા અર્થો છે તે મૂળ શબ્દના જ છે. જેમકે અહીં મૂળ શબ્દ ‘આક્રમ’ છે તેનો એક અર્થ ર્યો “પરાજય', તે જ મૂળ આક્રમ શબ્દનો સ્પષ્ટતર = વધુ સ્પષ્ટ અર્થ તદુચ્છેદ, આમ એક 25 ‘આક્રમ' શબ્દના જ બે અર્થો કરી છેલ્લે ‘ઇતિ યાવત' શબ્દ લખે.) બીજાઓ ઉપર જે આક્રમ તે પરાક્રમ. અનુત્તરપરાક્રમ છે જેઓનું તે અનુત્તરપરાક્રમી અર્થાત્ અન્ય લોકોએ ન કર્યો હોય એવો ક્રોધાદિનો ઘોર પરાજય કરનારા, તે પરાજય કરનારાને હું વંદન કરું છું. શંકા : અનુત્તરપરાક્રમ વિના ઐશ્વર્યાદિ ભગ પ્રાપ્ત થતું ન હોવાથી જેઓ ભગવંત છે તેઓ આવા પરાક્રમવાળા હોવાના જ, તેથી માત્ર ‘ભગવંત' શબ્દથી જ આ અર્થ કહેવાઈ જતો 30 હોવાથી ‘અનુત્તરપરાક્રમીવિશેષણ વ્યર્થ છે. સમાધાન : આ વિશેષણ વ્યર્થ નથી. જે (નૈયાયિક વિ.) નયવાદ “અનાદિસિદ્ધ એવા ઐશ્વર્યાદિથી યુક્ત પરમેશ્વર છે” એવું પ્રતિપાદન કરે છે, તેઓનું નિરાકરણ કરવા માટે આ વિશેષણ મૂકેલ છે. તેઓનો મત બતાવે છે કે કેટલાક લોકોવડે અનુત્તરપરાક્રમ વિના જ ર૧. મધ્ય + ofસદ્ધેશo | Page #200 -------------------------------------------------------------------------- ________________ અમિતજ્ઞાની વિગેરે વિશેષણોનું પ્રયોજન (નિ. ૮૦) છેક ૧૭ पराक्रमत्वमन्तरेणैव कैश्चित् हिरण्यगर्भादीनामनादिविवक्षितभगयोगोऽभ्युपगम्यत इति, उक्तं च "ज्ञानमप्रतिघं यस्य, वैराग्यं च जगत्पतेः । થઈ રૈવ થHશ, સિદ્ધ સંતુષ્ટયમ્ ?” इत्यादि, अकात्मवादव्यवच्छेदार्थं वा । अमितं-अपरिमितं ज्ञेयानन्तत्वात् केवलं, अमितं ज्ञानं एषामित्यमितज्ञानिनः। आह-येऽनुत्तरपराक्रमास्तेऽमितज्ञानिन एव नियमेन, क्रोधादिंपरिक्षयोत्तर- 5 कालभावित्वाद् अमितज्ञानस्येति, उच्यते, सत्यमेतत्, किं तु क्लेशक्षयेऽप्यमितज्ञानानभ्युपगमप्रधाननयवादनिरासार्थत्वाद् उपन्यास इति, तथा चाहुरेके "सर्वं पश्यतु वा मा वा, इष्टमर्थं तु पश्यतु ।। ___ कीटसङ्घयापरिज्ञानं, तस्य न: क्वोपयुज्यते ? ॥१॥ इत्यादि", स्वसिद्धान्तप्रसिद्धच्छद्मस्थ-वीतरागव्यवच्छेदार्थं वा । तथा तरन्ति स्म भवार्णवमिति तीर्णास्तान् 10 तीर्णान् तीर्त्वा च भवौघं 'सुगतिगतिगतान्' तत्र सर्वज्ञत्वात्सर्वदर्शित्वाच्च निरुपमसुखभागिनः હિરણ્યગર્ભાદિ વ્યક્તિઓને અનાદિ વિવક્ષિત ભગ માનેલો છે તેમના મતમાં કહ્યું છે કે, “જે જગત્પતિને ચાર વસ્તુ સહસિદ્ધ (અનાદિ) છે, અપ્રતિઘ = નહીં હણાયેલું જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્યા અને ધર્મ ૧” આવા લોકોને શિષ્યો તીર્થકર તરીકે ન માને તે માટે “અનુત્તરપરાક્રમી’ વિશેષણ મૂકેલ છે. અથવા ‘આત્મા અકર્તા છે.” એવું બોલનારા (સાંખ્યો)નું ખંડન કરવા માટે 15 આ વિશેષણ છે, અર્થાત્ આન્તરશત્રુઓનો નાશ કરવારૂપ ક્રિયાનો કર્તા આત્મા છે.” એવું જણાવવા આ વિશેષણ છે. ‘અપરિમિયનાણી’ તેમાં ય અનંત હોવાથી જ્ઞાન પણ અનંત છે જેઓનું તે અમિતજ્ઞાનીઓને હું વંદન કરું છું. શંકા : આવું અમિતજ્ઞાન એ ક્રોધાદિનો ક્ષય થયા પછી પ્રગટ થતું જ હોવાથી ‘અનુત્તરપરાક્રમી’ વિશેષણ દ્વારા જ અમિતજ્ઞાની કહેવાઈ જ જાય છે તો “અમિતજ્ઞાની' વિશેષણ 20 શા માટે મૂક્યું ? સમાધાન : તમારી વાત સત્ય છે છતાં પણ ક્રોધાદિક્લેશનો ક્ષય થવા છતાં જે બૌદ્ધો અને મીમાંસકો અમિતજ્ઞાનને સ્વીકારતાં નથી એવા તે નયવાદનો નિરાસ કરવા આ વિશેષણ મૂક્યું છે. બૌદ્ધો કહે છે કે, “સર્વ વસ્તુ જુએ કે ન જુએ, ઇષ્ટ સર્વને જુઓ (તે ઘણું છે) તેનું કીડાઓની સંખ્યાઓનું જ્ઞાન અમને ક્યાં ઉપયોગી છે. I/૧” આવું કહેવા દ્વારા તેઓ અમિતજ્ઞાની 25 = સર્વજ્ઞ માનતાં નથી. અથવા પોતાના સિદ્ધાન્તમાં (જૈનસિદ્ધાન્તમાં) પ્રસિદ્ધ એવા છબસ્થવીતરાગ (૧૧-૧૨માં ગુણસ્થાનવાળા)નો વ્યવચ્છેદ કરવા આ વિશેષણ છે, અર્થાત્ અરિહંતો છસ્થવીતરાગ નથી, પણ સર્વજ્ઞ છે. તથા સંસારસમુદ્રને જે તરી ગયા છે તે તીર્ણ છે તેવા સંસારસમુદ્રને તરીને સુગતિગતિને પામેલા તીર્થકરોને વાંદુ છું. તેમાં સુગતિ તરીકે સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી નિરૂપમસુખને ભજનારા 30 સિદ્ધો જાણવા. તેઓની ગતિ તે સુગતિગતિ આવો અર્થ કરવાથી તિર્યંચ, નારક, નર અને દેવની + વિક્ષયો ! Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) सुगतयः-सिद्धाः, तेषां गतिः सुगतिगतिः, अनेन तिर्यंड्नरनारकामरगतिव्यवच्छेदेन पञ्चमीमोक्षगतिमाह, तां गताः-प्राप्ताः तान्, अनेन चावाप्ताणिमाद्यष्टविधैश्वर्यस्वेच्छाविलसनशीलपुस्पतीर्णत्वप्रतिपादनपरनयवादव्यवच्छेदमाह, तथा च केचिदाहु: મામઈBવિષે પ્રઐશ્વર્ય કૃતિન: સા / मोदन्ते सर्वभावज्ञास्तीर्णाः परमदुस्तरम् ॥१॥" इत्यादि तथा सिद्धेः तस्या एव सु(गति)गतेः पन्थाः सिद्धिपथः तस्य प्रधाना देशकाः तद्वीजभूतसामायिकादिप्रतिपादकत्वात् प्रदेशकाः, अनेन त्वनवद्याने कसत्त्वोपकारकतीर्थकरनामकर्मविपाकपरिणामवत् तत्स्वरूपमेवाह, तान् ‘वन्दे' अभिवादये इति गाथार्थः ॥८०॥ एवं तावदविशेषेण ऋषभादीनां मङ्गलार्थं वन्दनमुक्तं, इदानीं आसन्नोपकारित्वात् 10 वर्तमानतीर्थाधिपतेः अखिलश्रुतज्ञानार्थप्रदर्शकस्य वर्धमानस्वामिनो वन्दनमाह वंदामि महाभागं, महामुणिं महायसं महावीरं । अमरनररायमहिअं, तित्थयरमिमस्स तित्थस्स ॥८१॥ व्याख्या-तत्र वन्दामीत्यादि दीपकं अशेषोत्तरपदानुयायि द्रष्टव्यं । तत्र भाग:-अचिन्त्या शक्तिः, महान् भागोऽस्येति महाभागः तं, तथा मनुते मन्यते वा जगतस्त्रिकालावस्थामिति मुनिः 15 ગતિ સિવાયની પાંચમી મોક્ષગતિ એ સુગતિગતિ તરીકે પ્રાપ્ત થાય છે. તે મોક્ષ-ગતિને પામેલાઓને વાંદુ છું. “મોક્ષગતિને પામેલા વિશેષણ દ્વારા પ્રાપ્ત કરાયેલ છે અણિમાદિ આઠ પ્રકારનું ઐશ્વર્ય જેનાવડે તેવા અને સ્વેચ્છામુજબ વિચરવાના સ્વભાવવાળા પુરુષને જે લોકો તીર્ણ તરીકે કહે છે તેઓનું ખંડન જણાવેલ છે. (કારણ કે જે તીર્ણ છે તે સંસાર છોડીને મોક્ષગતિને પામે છે, પણ સ્વેચ્છામુજબ સંસારમાં વિચરતા નથી. આ કેટલાક લોકોના મતે તો જે તીર્ણ છે તે સ્વેચ્છામુજબ 20 વિચરે છે) તેઓનું કહેવું છે કે, “અણિમાદિ આઠ પ્રકારનાં ઐશ્વર્યને પામીને, સર્વભાવોને જાણનારા, પરમદુસ્તરને તરેલા સજ્જનો સદા આનંદ પામે છે. લો” તથા સિદ્ધિના અર્થાત્ તે જ સુગતિરૂપ મોક્ષના પંથોના = માર્ગના અર્થાતુ મોક્ષમાર્ગના પ્રધાન દેશક આ તીર્થકરો છે, કારણ કે મોક્ષના કારણભૂત સામાયિકાદિના તેઓ પ્રતિપાદક છે. આ પ્રદેશકોને હું વાંદુ છું. આ વિશેષણ દ્વારા નિરવદ્ય રીતે અનેકજીવોને ઉપકારક એવા તીર્થકર નામકર્મના વિપાકોદયવાળું તેમનું સ્વરૂપ 25 જણાવવામાં આવ્યું છે. આવા વિશેષણોથી યુક્ત એવા તીર્થકરોને હું વંદન કરું છું.” li૮ll અવતરણિકા : આ પ્રમાણે સામાન્યથી ઋષભાદિ–તીર્થકરોને મંગલ માટે વંદન કર્યું. હવે આસનોપકારી હોવાથી વર્તમાન તીર્થાધિપતિ અને સકલશાસ્ત્રાર્થોના દેશક એવા વર્ધમાનસ્વામીને વંદન કરે છે ? ગાથાર્થ : મહાપ્રભાવવાળા, મહામુનિ, મહાયશવાળા, ઇન્દ્ર અને ચક્રવર્તીથી પૂજિત અને 30 આ તીર્થને પ્રવર્તાવનારા એવા શ્રી મહાવીર સ્વામીને હું વંદન કરું છું. ટીકાર્થ: મૂળ ગાથાની શરૂઆતમાં રહેલ ‘વંદામિ' પદ એ પાછળ રહેલા મહાભાગ, મહામુનિ વગેરે બધા પદોને અનુસરનારું જાણવું, અર્થાત મહાભાગને વંદન કરું છું. મહામુનિને વંદન કરું છું.” * જરા Page #202 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકારાદિને મંગલાર્થે વંદન (નિ. ૮૧-૮૨) “ક ૧૭૯ सर्वज्ञत्वात्, महाँश्चासौ मुनिश्च महामुनिः तं, त्रैलोक्यव्यापित्वात् महद्यशोऽस्येति महायशाः तं, - 'महावीरं' इत्यभिधानं, अथवा 'शूर वीर विक्रान्तौ' इति कषायादिशत्रुजयान्महाविक्रान्तो महावीरः, अत्यन्तानुरक्तकेवलामलश्रिया विराजत इति वा वीरः, उक्तं च "विदारयति यत्कर्म, तपसा च विराजते । તપોવીર્યેા યુજી, તમાર તિ મૃત: //?” अमराश्च नराश्च अमरनरास्तेषां राजानः इन्द्रचक्रवर्तिप्रभृतयः तैर्महित:-पूजितः तं, तीर्थकरं 'अस्य' वर्तमानकालावस्थायिनः तीर्थस्य इति गाथार्थः ॥८१॥ एवं तावदर्थवक्तुर्मङ्गलार्थं वन्दनमभिहितं, इदानीं सूत्रकर्तृप्रभृतीनामपि पूज्यत्वात् वन्दनमाहइक्कारसवि गणहरे पवायए पवयणस्स वंदामि । 10 • सव्वं गणहरवंसं वायगवंसं पवयणं च ॥८२॥ व्याख्या-'एकादश' इति संख्यावाचकः शब्दः, अपिः समुच्चये, अनुत्तरज्ञानदर्शनादिधर्मगणं धारयन्तीति गणधरास्तान्, प्रकर्षेण प्रधाना आदौ वा वाचकाः प्रवाचकाः तान्, कस्य ?એમ સર્વ પદો સાથે ક્રિયાપદ જોડવું. હવે દરેક વિશેષણોના અર્થ બતાવે છે તેમાં, ભાગ એટલે અચિજ્યશક્તિ. મહાન છે ભાગ જેને તે મહાભાગ, અર્થાત્ મહાપ્રભાવશાળીને, સર્વજ્ઞ હોવાથી જે 15, જગતની ભૂત-ભાવિ-વર્તમાન ત્રણ કાળની અવસ્થાને જાણે છે તે મુનિમહાન એવા જે મુનિ તે મહામુનિ તેમને, ત્રિલોકમાં વ્યાપી હોવાથી મોટો યશ છે જેઓને તે મહાયશવાળાને, “મહાવીર' એ નામ છે. અથવા શૂર, વીર્ ધાતુ વિક્રાન્તિના અર્થમાં = પરાક્રમના અર્થમાં હોવાથી કષાયાદિશત્રુનો જય કરેલ હોવાથી મહાવિક્રાન્તવાળા મહાવીર અથવા અત્યંત અનુરાગી (અર્થાત્ દરેકે દરેક જ્ઞયા પદાર્થોમાં વ્યાપ્ત એવી) કેવળરૂપી નિર્મલ લક્ષ્મીવડે શોભતા હોવાથી વીર (ને હું વંદન કરું છું) 20 કહ્યું છે “જે કારણથી કર્મોનો નાશ કરે છે અને તપથી શોભે છે તથા તારૂપી વીર્યવડે જેઓ યુક્ત છે તે કારણથી તેઓ “વીર’ એ પ્રમાણે કહેવાય છે.” તથા દેવોના રાજા એવા ઇન્દ્ર અને મનુષ્યોના રાજા એવા ચક્રવર્તી વગેરેવડે પૂજાયેલા તેમને (હું વંદન કરું છું.) તથા વર્તમાનકાળમાં પ્રવર્તત તીર્થને કરનારા એવા તીર્થકરને (મહાવીરને) હું વંદન કરું છું. ૮૧ી. અવતરણિકા : આ પ્રમાણે અર્થના વક્તાને મંગલ માટે વંદન કરી હવે સૂત્રકાર વિગેરે 25 પણ પૂજય હોવાથી વંદન કરે છે ? ગાથાર્થ : આગમ કહેનારા એવા અગિયાર ગણધરોને, સર્વ ગણધરવંશને, ઉપાધ્યાયવંશને અને પ્રવચનને હું વંદન કરું છું. ટીકાર્થ : ‘અગિયાર' એ સંખ્યાવાચક શબ્દ છે. ‘પ:' શબ્દ સમુચ્ચય કરવાના અર્થમાં છે. (આગળ તીર્થકરોને વંદન કર્યા, તેની સાથે સમુચ્ચય કરવો) અનુત્તર જ્ઞાન-દર્શન–ચારિત્રાદિ 30 ધર્મસમૂહને = ગણને ધારણ કરે તે ગણધર–તેઓને, તથા આગમના પ્રકર્ષથી વાચકો અથવા પ્રધાન વાચકો અથવા (આ તીર્થમાં થયેલાં) સૌથી પહેલા વાચકોને હું વંદન કરું છું. આ મૂળ + નન્યાનુર૦ | Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) 'પ્રવચનસ્ય' આમઘેત્વર્થ:, જિ ?–વંમિ, વૃં તાવમૂતધરવન્દ્રનું, તથા ‘સર્વ’ નિરવશેષ, ગળધરા:-આચાર્યાસ્તમાં વંશ:-પ્રવાહÉ, તથા વાવા-૩પાધ્યાય તેષાં વંશસ્ત, તથા ‘પ્રવચન =' आगमं च, वन्द इति योगः । आह-इह वंशद्वयस्य प्रवचनस्य च कथं वन्द्यतेति, उच्यते, यथा अर्थवक्ता अर्हन् वन्द्यः, सूत्रवक्तारश्च गणधराः, एवं यैरिदमर्थसूत्ररूपं प्रवचनं आचार्योपाध्यायैरानीतं, 5 तद्वंशोऽप्यानयनद्वारेणोपकारित्वात् वन्द्य एवेति, प्रवचनं तु साक्षाद्वत्त्यैवोपकारित्वादेव वन्द्यमिति થાર્થ: ૫૮૨૫ 10 15 20 इदानीं प्रकृतमुपदर्शयन्नाह 30 - ते वंदिऊण सिरसा अत्थपुहुत्तस्स तेहि कहियस्स । सुयमाणस्स भगवओ निज्जुत्ति कित्तइस्सामि ॥८३॥ વ્યાધ્યા— તાન્’અનન્તરોન્ તીર્થજાવીન્ ‘વન્દ્રિા' પ્રળમ્ય ‘શિરસા’ ઉત્તમાÌન, किम् ?-निर्युक्तिं कीर्त्तयिष्ये, कस्य ? - ' अर्थपृथक्त्वस्य' तत्र श्रुताभिधेयोऽर्थः तस्मात् सूत्रं पृथक् तद्भावः पृथक्त्वं च अर्थश्च पृथक्त्वं चेति एकवद्भावः, अर्थेन वा पृथु अर्थपृथु तद्भावः ગણધરોને વંદન કર્યું. હવે પરંપરાને વંદન કરે છે. સર્વ ગણધરોની આચાર્યોની પરંપરાને, ઉપાધ્યાયોની પરંપરાને અને આગમોને વંદન કરું છું. શંકા : આચાર્યો અને ઉપાધ્યાયની પરંપરાને અને આગમને શા માટે વંદન કર્યા ? સમાધાન ઃ જેમ અર્થના વક્તા એવા અરિહંતો અને સૂત્રના વક્તા એવા ગણધરો વન્દ છે, તેમ જેઓવડે સૂત્ર–અર્થરૂપ પ્રવચન આપણા સુધી લવાયું તે આચાર્ય—ઉપાધ્યાયોરૂપ વશ પણ પ્રવચનને આપણા સુધી લાવવા દ્વારા ઉપકારી હોવાથી વત્ત્વ જ છે. તથા પ્રવચન તો સાક્ષાત્ ઉપકારી હોવાથી જ વત્ત્વ છે. ૮૨૫ અવતરણિકા : હવે પ્રકૃત વિષયને બતાવે છે → ગાથાર્થ : તે તીર્થંકર ગણધરોને મસ્તકવડે નમસ્કાર કરીને તેઓવડે કહેવાયેલા સૂત્ર-અર્થરૂપ ભગવાન શ્રુતજ્ઞાનની નિયુક્તિનું પ્રતિપાદન કરીશ. ટીકાર્થ : તે પૂર્વે કહેલા તીર્થંકરાદિઓને મસ્તકવડે નમસ્કાર કરીને શું કરીશ ? તે કહે છે-નિર્યુક્તિનું કીર્તન કરીશ. કોની નિર્યુક્તિનું ? તે કહે છે –અર્થપૃથક્ત્વની, અર્થાત્ 25 અર્થપૃથક્ત્વરૂપ શ્રુતજ્ઞાનની નિર્યુક્તિને કહીશ એમ અન્વય જોડવો.) તેમાં અર્થ એટલે શ્રુતમાં કહેવા યોગ્ય પદાર્થ, તેનાથી પૃથક્ = જુદું તે અર્થપૃથક્ અર્થાત્ સૂત્ર, તેનો જે ભાવ તે પૃથક્ત્વ. (અહીં પ્રાકૃત હોવાથી ‘ત્વ’ લગાડતા પૃથક્ત્વ શબ્દ બન્યો. માટે પૃથ શબ્દથી સૂત્રપણું નહીં પણ સૂત્ર જ જાણવું) અર્થ અને પૃથનો એકવદ્ભાવ = સમાહાર ન કરવો. = ભાવાર્થ = અર્થપૃથક્ પદમાં અર્થ શબ્દથી અર્થ ગ્રહણ કરવો અને પૃથ શબ્દથી અર્થથી જુદું એવું સૂત્ર ગ્રહણ કરવું તેથી અર્થ અને સૂત્રરૂપ શ્રુતજ્ઞાન એમ અર્થ કરવો) અથવા અર્થવડે પૃથુ એટલે અર્થથી વિશાલ, તેનો ભાવ તે અર્થપૃથુત્વ. અર્થપૃથુત્વ એ શ્રુતનું જ વિશેષણ २६. तदेव पृथक्त्वमिति विशे० मलयगिरीयायां च । ★ वन्दे । Page #204 -------------------------------------------------------------------------- ________________ 10 આવશ્યકાદિ અમુક ચોક્કસ ગ્રંથોની નિયુક્તિની પ્રતિજ્ઞા (નિ. ૮૪-૮૬) કે ૧૮૧ अर्थपृथुत्वं श्रुतविशेषणमेव तस्य, 'तैः' तीर्थकरगणधरादिभिः 'कथितस्य' प्रतिपादितस्य, कस्य ?-श्रुतज्ञानस्य भगवतः, स्वरूपाभिधानमेतत्, सूत्रार्थयोः परस्परं निर्योजनं नियुक्तिः तां 'कीर्तयिष्ये' प्रतिपादयिष्ये इति गाथार्थः ।।८३॥ आहकिमशेषश्रुतज्ञानस्य ?, न, किं तर्हि ?, श्रुतविशेषाणामावश्यकादीनामिति, अत एवाह आवस्सगस्स दसकालिअस्स तह उत्तरज्झमायारे । सूयगडे निज्जुत्तिं वुच्छामि तहा दसाणं च ॥८४॥ कप्पस्स य निज्जुत्तिं ववहारस्सेव परमणिउणस्स । सूरिअपण्णत्तीए वुच्छं इसिभासिआणं च ॥८५॥ एतेसिं निज्जुत्तिं वुच्छामि अहं जिणोवएसेणं । आहरणहेउकारणपयनिवहमिणं समासेणं ॥८६।। आसा गमनिका-आवश्यकस्य दशवैकालिकस्य तथोत्तराध्ययनाचारयोः समुदायજાણવું. (અહીં પણ પ્રાકૃત હોવાથી તેનો ભાવ એટલે તે રૂપ ભાવ એવો અર્થ કરવો જેથી અર્થપ્રભુત્વ શબ્દનો અર્થથી વિશાલ એવું શ્રુતજ્ઞાન એવો અર્થ પ્રાપ્ત થશે.) તે તીર્થકર–ગણધરોવડે પ્રતિપાદન કરેલ શ્રુતજ્ઞાનની, આ શ્રુતજ્ઞાન કેવું છે? તો કે ભગવાન એવા શ્રુતજ્ઞાનની, અહીં 15 " ‘ભગવા” વિશેષણ શ્રુતજ્ઞાનનું સ્વરૂપ બતાવવા માટે છે. (અર્થાત્ અભગવાન એવા શ્રુતનો વ્યવચ્છેદ નથી, બધું જ શ્રુત ભગવાન છે.) આવા શ્રુતજ્ઞાનની નિયુક્તિને કહીશ. નિયુક્તિ એટલે સૂત્ર અને અર્થનું સંમિલન અર્થાત્ “આ સૂત્રનો આ અર્થ છે.' એ રીતે તે તે સુરના તે તે અર્થો કહેવા તે. (ગાથાનો અન્વય આ પ્રમાણે – તે તીર્થકરોને મસ્તક વડે નમસ્કાર કરી, તેઓ વડે કહેવાયેલા સૂત્ર અને અર્થ રૂપ એવા અથવા અર્થથી વિશાલ 20 એવા શ્રુતજ્ઞાનની નિયુક્તિને હું કહીશ.) અવતરણિકા : શંકા-સંપૂર્ણ શ્રુતજ્ઞાનની નિયુક્તિને જણાવશો કે અમુકની ? સમાધાન : સંપૂર્ણ શ્રુતજ્ઞાનની નહીં પરંતુ આવશ્યકાદિ અમુક ચોક્કસ શ્રુતજ્ઞાનની જ નિર્યુક્તિને જણાવીશ. તે જણાવે છે ? ગાથાર્થ : આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂયગડાંગ અને 25 દશાશ્રુતસ્કંધની નિયુક્તિને કહીશ. ગાથાર્થ : કલ્પ, પરમનિપુણ એવો વ્યવહાર, સૂર્યપ્રાપ્તિ અને ઋષિભાષિતોની નિર્યુક્તિને કહીશ. ગાથાર્થ : જિનોપદેશાનુસારે હું આ શ્રુતવિશેષોની દષ્ટાંત, હેતુ અને કારણોના પદોના સમૂહવાળી નિયુક્તિને સંક્ષેપથી જણાવીશ. ટીકાર્થ : આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂયગડાંગ અને દશાશ્રુતસ્કન્ધની નિયુક્તિને કહીશ. અહીં મૂળગાથામાં ‘ઉત્તરાધ્ય' શબ્દ છે તેનાથી ઉત્તરાધ્યયન Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) शब्दानामवयवे वृत्तिदर्शनाद् यथा भीमसेनः सेन इति उत्तराध्य इति उत्तराध्ययनमवसेयं, अथवाऽध्ययनमध्यायः, उत्तराध्यायाचारयोः, सूत्रकृतविषयां निर्युक्तिं वक्ष्ये, तथा दशानां च संबन्धिनीमिति गाथार्थः ॥८४॥ तथा कल्पस्य च नियुक्ति व्यवहारस्य च परमनिपुणस्य तत्र परमग्रहणं मोक्षाङ्गत्वात् 5 निपुणग्रहणं त्वव्यंसकत्वात्, तथा च न मन्वादिप्रणीतव्यवहारवद्व्यंसकोऽयं, "सच्चपइण्णा खु ववहारा" इति वचनात्, तथा सूर्यप्रज्ञप्तेः वक्ष्ये, ऋषिभाषितानां च देवेन्द्रस्तवादीनां निर्युक्ति, क्रियाभिधानं चानेकशः ग्रन्थान्तरविषयत्वात् समासव्यासरूपत्वाच्च शास्त्रारम्भस्य अदुष्टमेवेति થાર્થ: II,I 'एतेषां श्रुतविशेषाणां निर्युक्तिं वक्ष्ये अहं जिनोपदेशेन, न तु स्वमनीषिकयैव, 10 आहरणहेतुकारणपदनिवहां एतां समासेन, तत्र साध्यसाधनान्वयव्यतिरेकप्रदर्शनमाहरणं दृष्टान्त इतियावत् साध्यधर्मान्वय-व्यतिरेकलक्षणो हेतुः हेतुमुल्लङ्घ्य प्रथमं दृष्टान्ताभिधानं न्यायप्रदर्शनार्थंक्वचिद्धेतुमनभिधाय दृष्टान्त एवोच्यते इति, यथा गतिपरिणामपरिणतानां जीवपुद्गलानां यु , સમજવાનું છે. કારણ કે સમુદાય શબ્દ તેના અવયવમાં રહે છે. જેમકે “ભીમસેન’ એ સમુદાય શબ્દ ‘સેન’ એવા તેના અવયવમાં રહે છે, અર્થાત્ ‘સેન શબ્દથી જેમ ‘ભીમસેન’ 15 સંપૂર્ણશબ્દ ગ્રહણ થાય છે તેમ ‘ઉત્તરાધ્ય’ શબ્દથી ઉત્તરાધ્યયન શબ્દ ગ્રહણ કરવો અથવા ‘ઉત્તરાધ્યાય’શબ્દના ‘અધ્યાય’ શબ્દથી અધ્યયન જાણવું જેથી ‘ઉત્તરાધ્યયન' શબ્દ તૈયાર 414. 112811 " તથા કલ્પ = બૃહત્કલ્પ, પરમનિપુણ એવો વ્યવહાર, તેમાં વ્યવહાર એ મોક્ષનું કારણ હોવાથી ‘૫૨મ’ શબ્દનું ગ્રહણ કરેલ છે. અને ‘વ્યવહાર એ સત્યપ્રતિજ્ઞાવાળું છે.’’ એવું વચન 20 હોવાથી બીજા મનુ વગેરે દ્વારા બનાવેલ વ્યવહારની જેમ ઠગનાર ન હોવાથી નિપુણ શબ્દ ગ્રહણ કરેલ છે. તથા સૂર્યપ્રજ્ઞપ્તિ અને દેવેન્દ્રસ્તવાદિ ઋષિભાષિતોની નિયુક્તિને કહીશ. શંકા : ઉપરોક્ત ગાથા અને આ ગાથામાં ‘નિર્યુક્તિને કહીશ’ એ પ્રમાણે ક્રિયાપદ શા માટે વારંવાર બતાવેલ છે ? સમાધાન ઃ આવશ્યક, દશવૈકાલિકાદિ જુદા જુદા ગ્રંથો હોવાથી ક્રિયાપદ પણ વારંવાર 25 જોડેલ છે તથા શાસ્ત્રનો આરંભ સંક્ષેપ અને વિસ્તાર એમ ઉભયરૂપ હોય છે માટે અહીં (વિસ્તાર હોવા છતાં એટલે કે ‘નિર્યુક્તિને કહીશ' એમ વારંવાર કહેવા છતાં) કોઈ દોષ નથી. ૧૮૫ હું પોતાની બુદ્ધિથી નહીં પરંતુ જિનેશ્વરોના ઉપદેશ પ્રમાણે ઉપરોક્ત ગ્રંથોની આહરણ, હેતુ અને કારણોથી યુક્ત એવી નિર્યુક્તિને કહીશ. તેમાં આહરણ એટલે એવા દૃષ્ટાંતો કે 30 જેમાં સાધ્ય અને સાધનનો અન્વય–વ્યતિરેક બતાવવામાં આવે છે. તથા ‘સાધ્ય હોય તો જ જે હોય અને સાધ્યાભાવે જે ન જ હોય' આ પ્રમાણે સાધ્યધર્મની સાથે અન્વય-વ્યતિરેક એ હેતુ જાણવો. અહીં પ્રથમ હેતુને બદલે દષ્ટાન્ત બતાવ્યું તે એ માટે કે વિચત્ હેતુને છોડી સીધું દૃષ્ટાન્ત જ બતાવાય, જેમકે ગતિપરિમાણમાં પરિણત એવા જીવ અને પુદ્ગલોની Page #206 -------------------------------------------------------------------------- ________________ સામાયિકનિયુક્તિનું કથન (નિ. ૮૭) ક ૧૮૩ धर्मास्तिंकायः, मत्स्यादीनां सलिलवत्, तथा क्वचिद्धेतुरेव केवलोऽभिधीयते, न दृष्टान्तः, यथा . मदीयोऽयमश्वः विशिष्टचिह्नोपलब्ध्यन्यथानुपपत्तेः, तथा चाभ्यधायि नियुक्तिकारेण "जिणवयणं सिद्धं चेव भण्णई कत्थवी उदाहरणं । आसज्ज उ सोयारं हेऊवि कहंचिय भणेज्जा ॥१॥" इत्यादि। कारणमुपपत्तिमात्र, यथा निरुपमसुखः सिद्धः, ज्ञानानाबाधप्रकर्षात्, नात्र आविद्वदङ्ग- 5 नादिलोकप्रतीतः साध्यसाधनधर्मानुगतो दृष्टान्तोऽस्ति, 'तत्राहरणार्थाभिधायकं पदमाहरणपदं, एवमन्यत्रापि भावनीयं । आहरणं च हेतुश्च कारणं च आहरणहेतुकारणानि तेषां पदानि आहरणहेतुकारणपदानि तेषां निवहः-संघातो यस्यां निर्युक्तौ सा तथाविधा तां 'एतां' वक्ष्यमाणलक्षणां अथवा प्रस्तुतां 'समासेन' संक्षेपेणेति व्याख्यातं गाथात्रयमिति ॥८६॥ तत्र 'यथोद्देशस्तथा निर्देश' इति न्यायात् आदावधिकृताऽऽवश्यकाद्याध्ययनसामायि- 10 काख्योपोद्घातनियुक्तिमभिधित्सुराह सामाइयनिज्जुत्तिं वुच्छं उवएसियं गुरुजणेणं । आयरियपरंपरएण आगयं आणुपुव्वीए ॥८७॥ ગતિ માટે સહાયક ધર્માસ્તિકાય છે. દષ્ટાન્ત તરીકે માછલીઓને ગતિસહાયક પાણી હોય છે. અહીં માત્ર દષ્ટાન્ત જ બતાવ્યું પણ હતું નહીં. એમ ક્વચિત્ હેતુ જ બતાવાય છે, જેમકે 15. આ મારો ઘોડો છે કારણ કે મારા ઘોડા સિવાય આવી વિશિષ્ટ ચિન્હોની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) યાય નહીં. આમ અહીં માત્ર હેતુ જ બતાવ્યો છે પણ દૃષ્ટાંત નહીં. આમ કો'ક સ્થળે હેતુ તો કો'ક સ્થળે દષ્ટાંત બતાવાય છે એવું જણાવવા હેતુને છોડી પ્રથમ દૃષ્ટાંત ગ્રહણ કરેલ છે. નિર્યુક્તિકારે પણ કહ્યું છે “જો કે જિનવચન તો સિદ્ધ જ છે છતાં શ્રોતાને આશ્રયી ક્યાંક ઉદાહરણ તો ક્યાંક હેતુ કહેવાય છે |૧||'' તથા કારણ એટલે યુક્તિમાન. જેમ કે 20 સિદ્ધ નિરુપમસુખવાળા છે, કારણ કે જ્ઞાન અને અનાબાધનો પ્રકર્ષ છે. આ એક યુક્તિમાત્ર જ છે કારણ કે (વિદ્વાનથી માંડીને સ્ત્રીઓ સુધી) સર્વજન પ્રસિદ્ધ કોઈ દૃષ્ટાન્ત નથી. હરણ અર્થને જણાવનારા શબ્દો આહરણપદ, હેતુ અર્થને જણાવનારા શબ્દો તે હેતુપદ અને કારણ અર્થને જણાવનારા જે શબ્દો તે કારણપદ, તેથી આહરણ, હેત અને કારણોના પદોનો સમહ છે જેમાં તે આહરણ–ોત-કારણવાળી નિર્યક્તિને સંક્ષેપથી કહીશ. I૮દી 25 અવતરણિકા : ‘થોશસ્તથા નિર્દેશ:' અર્થાત્ જે રીતે નિરૂપણ કરવાની પ્રતિજ્ઞા કરી છે, તે રીતે જ નિરૂપણ કરવું જોઈએ.' એ ન્યાયે ગાથા નં. ૮૪માં બતાવેલ ક્રમ પ્રમાણે પ્રથમ અધિકૃત આવશ્યકના સામાયિકનામના અધ્યયનની ઉપોદઘાતનિર્યુક્તિને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ : આચાર્યોની પરંપરાવડે ક્રમે કરીને આવેલી, ગુરુજનોવડે ઉપદેશાયેલી 30 સામાયિકનિર્યુક્તિને હું કહીશ. २७. जिनवचनं सिद्धमेव भण्यते कुत्रापि उदाहरणम् । आसाद्य तु श्रोतारं हेतुमपि क्वचिद् भणेत् આશા * દિવિ I તથા તત્રોદ્રાI + ઘધ્યયન | Page #207 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) વ્યાવ્યા—સામાયિળસ્ય નિયંત્તિ: સામાયિનિયુક્ત્તિ: તાં ‘વક્ષ્ય' અમિધાર્યે, ૩૫सामीप्येन देशिता उपदेशिता तां, केन ? - ' गुरुजनेन' तीर्थकरगणधरलक्षणेन, पुनरुपदेशनकालादारभ्य आचार्यपारम्पर्येण आगतां, स च परम्परको द्विधाद्रव्यतो भावतश्च, द्रव्यपरम्परक इष्टकानां पुरुषपारम्पर्येणानयनं, अत्र चासंमोहार्थं कथानकं गाथाविवरणसमाप्तौ वक्ष्यामः, 5 भावपरम्परकस्त्वियमेव उपोद्घातनिर्युक्तिरेवै आचार्यपारम्पर्येणागतेति कथम् ?, ૧૮૪ 'आनुपूर्व्या' परिपाट्या जम्बूस्वामिनः प्रभवेनानीता, ततोऽपि शय्यम्भवादिभिरिति, अथवा आचार्यपारम्पर्येण आगतां स्वगुरुभिरुपदेशितामिति । आह— द्रव्यस्य इष्टकालक्षणस्य युक्तं पारम्पर्येण आगमनं, भावस्य तु श्रुतपर्यायत्वात् वस्त्वन्तरसंक्रमणाभावात् पारम्पर्येणागमनानुपपत्तिरिति, न च तद्वीजभूतस्य अर्हद्रणधरशब्दस्यागमनमस्ति, तस्य श्रुत्यनन्तरमेवोपरमादिति, 10 अत्रोच्यते, उपचाराददोषः, यथा कार्षापणाद् घृतमागतं घटादिभ्यो वा रूपादिविज्ञानमिति । ટીકાર્થ : સામાયિકની નિર્યુક્તિને હું કહીશ કે જે નિર્યુક્તિ તીર્થંકર-ગણધરરૂપ ગુરૂજન વડે ઉપદેશાયેલી છે. વળી ત્યારથી લઈને આચાર્યની પરંચરાવડે આવેલી છે. તે પરંપરા બે પ્રકારે છે. ૧. દ્રવ્યથી ૨. ભાવથી. તેમાં ઈંટોને પુરુષની પરંપરાવડે લાવવી એ દ્રવ્યપરંપરા છે. તેનું કથાનક ગાથાના વિવરણની સમાપ્તિએ બતાવીશું. આચાર્યની પરંપરાવડે આવેલી 15 આ ઉપોદ્ઘાતનિયુક્તિ જ ભાવપરંપરા છે. તે પરંપરાવડે કેવી રીતે આવેલી છે ? ઉત્તર ક્રમશઃ અર્થાત્ જંબુસ્વામી પાસેથી પ્રભવસ્વામી પાસે, તેમની પાસેથી શયભવસૂરિ પાસે એમ ક્રમશઃ અહીં સુધી આવેલી અથવા આચાર્યની પરંપરાવડે આવેલી અને પોતાના ગુરુવડે કહેવાયેલી નિર્યુક્તિને કહીશ. શંકા : ઈંટાદિ દ્રવ્યો પરંપરાવડે લાવી શકાય એ બરાબર છે. જ્યારે ભાવ એ શ્રુતનો 20 પર્યાય હોવાથી તેનો અન્ય વસ્તુમાં સંક્રમ થવો શક્ય ન હોવાથી પરંપરાવડે આવેલ છે એવું કેવી રીતે કહેવાય ? અર્થાત્ ભાવાત્મક વસ્તુ ૫રં૫રાવડે લાવી શકાય નહીં. વળી અરિહંતોવડે કહેવાયેલા અર્થોના કારણભૂત એવા અરિહંત–ગણધરોના શબ્દો તો સાંભળ્યા પછી અટકી જતા = નાશ થતાં હોવાથી ભાવના કારણભૂત શબ્દોનું આગમન પણ શક્ય જ નથી. સમાધાન : અહીં ઉપચાર કરેલો હોવાથી કોઈ દોષ નથી. આશય એ છે કે જેમ 25 લૌકિકવ્યવહારમાં પૈસા આપીને ઘી લાવ્યો હોય ત્યારે ‘રૂપિયામાંથી ઘી લાવેલું છે' એવું બોલાય છે. જો કે રૂપિયામાંથી ઘી પ્રગટ થતું નથી છતાં ઘીની પ્રાપ્તિમાં પૈસા કારણ હોવાથી ઉપચારથી આવો વ્યવહાર થાય છે અથવા “ઘટાદિથી રૂપાદિનું જ્ઞાન થયું.” અહીં પણ ઘટમાંથી રૂપનું જ્ઞાન પ્રગટ થયું ન હોવા છતાં રૂપના જ્ઞાનમાં ઘટ કારણ હોવાથી ઉપચારથી આવો વ્યવહાર થાય છે, તેમ અહીં પ્રકૃતમાં પણ આ નિર્યુક્તિના આગમનમાં 30 આચાર્યોની પરંપરા જ કારણ હોવાથી ઉપચારથી બોલાય છે કે આચાર્યો પાસેથી આવેલી છે. અહીં ‘આગત’ શબ્દનો અર્થ ગતિરૂપ ક્રિયા કરવાનો નથી પણ બોધ=જ્ઞાન અર્થ કરવાનો * નૈવમ્ ( વિત્) | + ૦૪શેષ: । Page #208 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યપરંપરામાં દેષ્ટાન્ત (નિ. ૮૭) ૧૮૫ एवमियमाचार्यपारम्पर्यहेतुत्वात् तत आगतेत्युच्यते, आगतेवागता, बोधवचनश्चायमागतशब्दो न 'गमि क्रियावचन इति, अलं विस्तरेण । दैव्वपरंपरए इमं उदाहरणं-साकेयं णगरं, तस्स उत्तरपुरच्छिमे दिसिभागे सुरप्पिए नाम जक्खाययणे, सो य सुरप्पिओ जक्खो सन्निहियपाडिहेरो, सो वरिसे वरिसे चित्तिज्जइ, महो य से परमो कीरइ, सो य चित्तिओ समाणो तं चेव चित्तकरं मारेइ, अह न चित्तिज्जइ तओ जणमारिं 5 करेइ, ततो चित्तगरा सव्वे पलाइउमारद्धा, पच्छा रण्णा णायं, जदि सव्वे पलायंति, तो एस जक्खो अचित्तिज्जतो अम्ह वहाए भविस्सइ, तेणं चित्तगरा एक्कसंकलितबद्धा पाडुहुएहिं कया, तेसि णामाइं पत्तए लिहिऊण घडए छूढाणि, ततो वरिसे वरिसे जस्स णामं उट्ठाति, तेण चित्तेयव्वो, एवं कालो वच्चति ।। છે અર્થાત્ આચાર્યો પાસેથી આવેલી છે એટલે આચાર્યો પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું છે, વધુ 10. વિસ્તારથી સર્યું. પ્રકૃત વાત કરીએ તેમાં દ્રવ્યપરંપરામાં એક ઉદાહરણ બતાવે છે. દ્રવ્યપરંપરા ઉપર ચિત્રકારપુત્રનું દૃષ્ટાન્ત સાકેત નામના નગરના ઈશાનખૂણામાં સુરપ્રિય નામનું યક્ષાયતન (યક્ષનું મંદિર) હતું. તેનો સુરપ્રિય નામનો યક્ષ સન્નિહિત–પ્રાતિહાર્યવાળો અર્થાત્ હાજરાહજુર હતો અથવા લોકો ઉપર તેનો પ્રભાવ હતો. તે યક્ષ દર વર્ષે તે ગામના ચિત્રકાર પાસે પોતાનું ચિત્ર 15 દોરાવતો, અને ત્યારે મોટો મહોત્સવ કરવામાં આવતો. પોતાનું ચિત્ર દોરનાર ચિત્રકારને ચિત્ર દોર્યા પછી યક્ષ મારી નાંખતો હતો. જો કોઈ ચિત્રકાર ચિત્ર દોરવાની ના પાડે તો તે યક્ષ તે ચિત્રકાર સહિત પ્રજા ઉપર ઉપદ્રવ કરતો. તેથી તે ગામમાં જેટલા ચિત્રકાર હતા તે સર્વે તે ગામ છોડી ભાગવા મંડ્યા. બીજી બાજુ રાજાએ જાણ્યું કે જો બધા ચિત્રકાર ભાગી જશે તો આ યક્ષનું ચિત્ર ન 20 થવાથી તે યક્ષ આપણા વધ માટે થશે અર્થાત્ આપણને મારી નાખશે. આમ વિચારી રાજાએ બધા ચિત્રકારોને ભેટણા આપવા દ્વારા પોતાના કબજામાં કરી લીધા અને તે બધાના નામોની ચિઠ્ઠી બનાવી એક ઘટમાં નાંખી અને દર વર્ષે ચિઠ્ઠી કાઢે, તેમાં જેનું નામ આવતું તે ચિત્રકાર યક્ષનું ચિત્ર દોરતો. આમ કેટલોક કાળ પસાર થાય છે. २८. द्रव्यपरम्परके इदमुदाहरणम्-साकेत नगरं, तस्य उत्तरपौरस्त्ये (ईशानकोणे) दिग्भागे सुरप्रियं 25 नाम यक्षायतनं, स च सुरप्रियो यक्षः (प्रतिमारूप: ) सन्निहितप्रातिहार्यः, स वर्षे वर्षे चित्र्यते, महश्च तस्य परमः क्रियते, स च चित्रित: सन् तमेव चित्रकरं मारयति, अथ न चित्र्यते तदा जनमारिं करोति, ततश्चित्रकराः सर्वे पलायितुमारब्धाः, पश्चाद्राज्ञा ज्ञातं, यदि सर्वे पलायिष्यन्ते तर्हि एष यक्षोऽचित्र्यमाण: अस्माकं वधाय भविष्यति, तेन चित्रकरा एकश्रृङ्खलाबद्धा प्रतिभूकैः (पारितोषिकैः) कृताः, तेषां नामानि पत्रके लिखित्वा घटे क्षिप्तानि, ततो वर्षे वर्षे यस्य नाम उत्तिष्ठते, तेन चित्रयितव्यः, एवं कालो 30 છતિ તિo | * પાદુટિંvo + ofહં સર્વોfiા Page #209 -------------------------------------------------------------------------- ________________ आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-१) अण्णा कयाई कोसंबीओ चित्तगरदारओ घराओ पलाइओ तत्थागओ सिक्खगो, सो भमंतो साके तस्स चित्तगरस्स घरं अल्लीणो, सोवि एगपुत्तगो थेरीपुत्तो, सो से तैस्स मित्तो जातो, एवं तस्स तत्थ अच्छंतस्स अह तंमि वरिसे तस्स थेरीपुत्तस्स वारओ जातो, पच्छा सा थेरी बहुप्पगारं रुवति, तं रुवमाणीं थेरीं दट्ठूण कोसंबको भणति - किं अम्मो ! रुदसि ?, ताए सिहं, 5 सो भणति - मा रुयह, अहं एयं जक्खं चित्तिस्सामि, ताहे सां भणति - तुमं मे पुत्तो किं न भवसि ?, तोवि अहं चित्तेमि, अच्छह तुब्भे असोगाओ, ततो छुट्टभत्तं काऊण अहतं वत्थजुअलं परिहित्ता अट्टगुणाए पत्तीए मुहं बंधिऊण चोक्खेण य पत्तेण (पयत्तेण) सुइभूएण णवएहिं कलसहि ण्हाणेत्ता णवएहिं कुच्चएहिं णवएहिं मल्लसंपुडेहिं अल्लेसेहिं वण्णेहिं च चित्तेऊण पावड भाइ - खमह जं मए अवद्धं ति ?, ततो तुट्ठो जक्खो भणति - वरेहि वरं, सो भणति ૧૮૬ 10 એકવાર કોશાંબી નગરીના ચિત્રકારનો પુત્ર કોઈક કારણસર ઘરમાંથી ભાગી ચિત્ર દોરવાની કળાને શિખવા સાકેત નગરમાં આવ્યો. ત્યાં સાકેતક નામના ચિત્રકારના ઘરમાં આશ્રય લીધો. આ સાકેતક પોતાના પુત્ર અને તેી વૃદ્ધમાતા સાથે શાંતિથી ઘરમાં રહેતો હતો. ત્યાં રહેલો ધીરે ધીરે આ ચિત્રકારપુત્ર સાકેતકનો મિત્ર બની ગયો. હવે બન્યું એવુ કે તે વર્ષે આ વૃદ્ધમાતાના પુત્ર સાકેતકનો યક્ષનું ચિત્ર દોરવા માટેનો વારો આવ્યો. આ 15 સાંભળી તેની માતા ખૂબ જ રુદન કરે છે. રડતી તે વૃદ્ધાને જોઈ ચિત્રકારપુત્ર વૃદ્ધાને કહે छे "माता ! तु शा माटे रहे छे ?" त्यारे माताओ सघणी वात दुरी चित्रहारपुत्र : ‘માતા ! તું રડે નહીં. આ યક્ષનું ચિત્ર હું દોરીશ.' ત્યારે માતાએ કહ્યું, ‘શું તું મારો પુત્ર नथी ?' चित्रहारपुत्रखे ऽधुं छतां माता ! हुं छोरीश तुं रडवानुं बंध ४२, ने शांत था.' ત્યાર પછી છઠ્ઠનું પચ્ચક્ખાણ કરી અક્ષત વસ્ત્રયુગલને ધારણ કરી, આઠ પડવાળા 20 વસવર્ડ પોતાના મુખને બાંધી ચોખ્ખા પ્રયત્નવડે પવિત્ર થઈને નવા કલશોવડે પ્રતિમાનો પ્રક્ષાલ કરીને, નવી પીંછીઓ, નવા મલ્લસંપુટો (રંગ ભરવાના સાધનો), અને વ્રજલેપાદિ કુદ્રવ્યોના પ્રક્ષેપથી રહિત એવા વર્ષોવડે યક્ષનું ચિત્ર દોરી યક્ષના પગમાં પડેલો તે ચિત્રકારપુત્ર કહે છે “હે યક્ષરાજ ! મારાવડે જે કોઈ અપરાધ થયો હોય તેની મને ક્ષમા આપો.' २९. अन्यदा कदाचित् कौशाम्बीक: चित्रकरदारकः गृहात् पलायितः तत्रागतः शिक्षकः ( शिक्षितुं ), 25 स भ्राम्यन् साकेतकस्य चित्रकरस्य गृहमालीनः सोऽपि एकपुत्रकः स्थविरापुत्रः, सोऽथ तस्य मित्रं जातः, एवं तस्मिंस्तिष्ठति अथ तस्मिन्वर्षे तस्य स्थविरापुत्रस्य वारको जातः, पश्चात् सा स्थविरा बहुप्रकारं रोदिति, तां रुदतीं दृष्ट्वा स्थविरां कौशाम्बीको भणति - किमम्ब ! रोदिषि ? तया शिष्ट ( वृत्तान्तं ), स भणतिमा रुदिहि, अहमेतं यक्षं चित्रयिष्यामि, तदा सा भणति -त्वं मे पुत्रः किं नासि ?, तथापि अहं चित्रयामि, तिष्ठथ यूयमशोकाः, ततः षष्ठभक्तं कृत्वाऽहतं वस्त्रयुगलं परिधायाष्टगुणया वस्त्रिकया मुखं बद्ध्वा चोक्षेण 30 प्रयत्नेन शुचीभूतेन नवैः कलशैः स्त्रपयित्वा नवैः कूर्चकैः नवैर्मल्लकसंपुटैः अश्लेषैर्वर्णैश्च चित्रयित्वा पादपतितो भणति - क्षमस्व यन्मयाऽपराद्धमिति, ततस्तुष्टो यक्षो भणति - वृणुष्व वरं, स भणति+ सागेयगस्स । x नास्तीदम् । + मुहपोत्तीए ।★ मल्लयसं० । अल्लेस्सेहिं. + चित्तिओ चित्ते० । * Page #210 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યપરંપરામાં દેખાત્ત (નિ. ૮૭) ૧૮૭ एयं चेव ममं वरं देहि, मा लोग मारेह, भणति-एतं ताव ठितमेव, जं तुमं न मारिओ, एवं अण्णेवि न मारेमि, अण्णं भण, जस्स एगदेसमवि पासेमि दुपयस्स वा चउप्पयस्स वा अपयस्स वा तस्स तदाणुरूवं रूवं णिव्वत्तेमि, एवं होउत्ति दिण्णो वरो, ततो सो लद्धवरो रण्णा सक्कारितो समाणो गओ कोसंबी णयरिं, तत्थ य सयाणिओ नाम राया, सो अण्णया कयाई सुहासणगओ दूअं पुच्छइ-किं मम णत्थि ? जं अण्णराईण अत्थि, तेण भणिअं-चित्तसभा 5 णत्थि, मणसा देवाणं 'वायाए पत्थिवाणं, तक्खणमेत्तमेव आणत्ता चित्तगरा, तेहिं सभाओवासा विभइत्ता पचित्तिता, तस्स वरदिण्णगस्स जो रण्णो अंतेपुरकिड्डापदेसो सो दिण्णो, तेणं तत्थ तदाणुरुवेसु णिम्मिएसु कदाइ मिगावतीए जालकिड्डगंतरेण पादंगुट्टओ दिट्ठो, उवमाणेण णायं जहा मिगावती एसत्ति, तेण पादंगुट्ठगाणुसारेण देवीए रूवं णिव्वत्ति, - સંપૂર્ણવિધિ યુક્ત અનુષ્ઠાનાદિથી યક્ષ પ્રસન્ન થયો ને કહ્યું “તું વરદાન માંગ.” તેણે કહ્યું 10 : “હે યક્ષરાજ ! મને એ જ વર આપો કે તમે લોકોને મારવાનું બંધ કરો.” યક્ષે તેની વાત માન્ય રાખીને કહ્યું, “એ તો નક્કી થઈ જ ગયું છે કે જેમ મેં તને ન માર્યો તેમ હવે અન્યોને ५९। भारी नाही. पी ७७ होय तो डे." शिरपुत्रो |, “द्वि५६, यतुष्प 3 અપદ કોઈપણ હોય જેના શરીરનો એકદેશ પણ હું જોવું, તેનું સંપૂર્ણ રૂપ હું ચિત્રી શકું એવું १२४ान भने मापो.' यक्षे. “से प्रभारी थानो" मे १२४ान माप्यु. २५%ने सघणी वात ५२ 15 પડતા તે ચિત્રકારપુત્રનું સન્માન કર્યું. ત્યારબાદ તે ચિત્રકારપુત્રે ત્યાંથી વિદાય લઈ પોતાની કોસાંબી નગરીમાં આવ્યો. ત્યાં શતાનીક રાજા રાજય કરતો હતો. એકવાર શાંતિથી બેઠેલા તેણે हूतने पू७युं, “मे ते भारी पासे. शुं नथी ? 3 अन्य २%ामो पासे. डोय ?" ह्ते ह्यु " રાજન્ ! તમારી પાસે ચિત્રસભા નથી.” રાજાએ તરત જ ચિત્રકારોને આજ્ઞા આપી. કહ્યું છે "वोने भनथ. आर्यन सिद्धि छ भने २०४मोने वायाथी." अर्थात् यो वियारे भने २०% बोले 20 કે તરત કામ થાય. ચિત્રકારોએ ચિત્ર દોરવાના સ્થાનો પરસ્પર વહેંચી દઈ ચિત્રો દોરવાનું ચાલુ - કર્યું. તેમાં ચિત્રકાર પુત્રને રાજાનો જે અંતઃપુરની ક્રીડાનો ભાગ હતો તે આપવામાં આવ્યો હતો. ત્યાં તે પ્રદેશને અનુરૂપ ચિત્રો દોરતા દોરતા એક દિવસ તેની નજર જાળીઓના છિદ્રોમાંથી મૃગાવતીના પગના અંગુઠા ઉપર પડી. અનુમાનવડે તેણે જાણી લીધું કે “આ મૃગાવતી છે.” પોતાને મળેલ વરદાનના પ્રભાવે પગના અંગુઠાનુસારે દેવીનું રૂપ ચિત્રકારપુત્રએ ચિતર્યું. જ્યારે 25 ३०. एतमेव मम वरं देहि, मा लोकं मारय (मीमरः) इति, भणति-एतत्तावस्थितमेव, यन्न त्वं मारितः, एवमन्यानपि न मारयिष्यामि, अन्यद्भण, (स भणति- )यस्य एकमपि देशं पश्यामि द्विपदस्य वा चतुष्पदस्य वा अपदस्य वा, तस्य तदनुरूपं रूपं निर्वर्त्तयामि, एवं भवत्विति दत्तो वरः, ततः स लब्धवरो राज्ञा सत्कृतः सन् गतः कौशाम्बी नगरी, तत्र च शतानीको नाम राजा, सोऽन्यदा कदाचित् सुखासनगतो दूतं पृच्छति-किं मम नास्ति यदन्येषां राज्ञामस्ति ?, तेन भणितं-चित्रसभा नास्ति, 'मनसा देवानां, वाचा पार्थिवानां' (कार्यसिद्धिः इति 30 नियमात् ) तत्क्षण एव आज्ञप्ताश्चित्रकृतः, तैः सभावकाशा विभज्य प्रचित्रिता: (चित्रितुमारब्धाः) तस्मै दत्तवराय यो राज्ञोऽन्तःपुरक्रीडाप्रदेशः स दत्तः, तेन तत्र (क्रीडाप्रदेशे) तदनुरूपेषु निर्मितेषु (रूपेषु) कदाचिन्मृगावत्या जालकटकान्तरे पादाङ्गष्ठको दृष्टः, उपमानेन ज्ञातं-यथा मृगावती एषेति, तेन पादाङ्गुष्ठकानुसारेण देव्याः रूपं निर्वर्तितं, + एवं । * मारेहि। * मारेमो । - एगपदे० । x पासामि । नेदम् । वाया। सभा सा । १ कडगं०। Page #211 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तीसे चक्खुंमि उम्मिल्लिज्जंते एगो मसिबिन्दू ऊरुयंतरे पडिओ, तेण फुसिओ, पुण जातो, एवं तिन्नि वारा, पच्छा तेण णायं, एतेन एवं होयव्वमेव, ततो चित्तसभा निम्मिता, राया चित्तसभं पलोएंतो तं पदेसं पत्तो जत्थ सा देवी, तं णिव्वण्णंतेण सो बिन्दू दिट्टो, विरुट्ठो, एतेण मम पत्ती धरिसियत्तिकाऊण वज्झो आणत्तो, चित्तगरसेणी उवट्ठिता, सामि ! एस विरलद्धोत्ति, 5 ततो से खुज्जाए मुहं दाइयं, तेण तदाणुरूवं णिव्वत्तितं, तथावि तेण संडासओ छिंदाविओ चेव. णिव्विसओ य आणत्तो, सो पुणो जक्खस्स उववासेण ठितो, भणिओ य- वामेण चित्तिहिसि सयाणियस्स पदोसं गतो, तेण चिंतियं-पज्जोओ एयस्स अप्पीतिं वहेज्जा, ततो णेण मिगावईए चित्तफलए रूवं चित्तेऊण पज्जोयस्स उवद्वैविअं, तेण दिट्टं, पुच्छिओ, सिहं, तेण दूओ पट्टितो, ૧૮૮ મૃગાવતીના ચક્ષુઓને તે દોરતો હતો ત્યારે એક સહીનું ટીપું સાથળના સ્થાને પડ્યું. તેણે 10 તે ટીપું સાફ કર્યું. પણ ફરીથી તે જ સ્થાને ટીપું પડ્યું. પુનઃ તેણે સાફ કર્યું. પરંતુ ફરી ટીપું પડ્યું. આમ ત્રણવાર થવાથી તેણે વિચાર્યું કે અહીં આ જરૂરી લાગે છે. ત્યારપછી આખી ચિત્રસમાં તૈયાર થઈ ગઈ. રાજા તે ચિત્રસભાને જોવા નીકળ્યો. જોતો જોતો તે પ્રદેશ પાસે આવ્યો જ્યાં મૃગાવતીનું ચિત્ર દોરેલું હતું. તે ચિત્રને જોતા જોતા રાજાની નજર તે ટીપા ઉપર પડી અને અત્યંત 15 ગુસ્સે ભરાયો. ‘આ ચિત્રકારે મારી પત્ની સાથે અકૃત્ય કર્યું છે.' એવું વિચારી ચિત્રકારને મારી નાંખવાની આજ્ઞા આપી. બધા ચિત્રકારો ભેગા થયા અને રાજાને કહ્યું રાજન ! આ ચિત્રકારને વરદાન મળેલું છે. આ સાંભળી રાજાએ પરીક્ષા કરવા કુબ્જાનું મુખ બતાવ્યું. તેણે મુખને અનુરૂપ આખું રૂપ ચિતર્યું. રાજાને વિશ્વાસ થયો છતાં રાજાએં ચિત્રકારના સદંશકને (અંગુઠા અને તર્જની (પહેલી) આંગળીના અગ્રભાગને) છેદાવ્યો અને દેશબહાર 20 નીકળી જવાની આજ્ઞા આપી. ચિત્રકારપુત્રે ફરી યક્ષને પ્રસન્ન કરવા ઉપવાસ કર્યો. યક્ષે પ્રસન્ન થઈ ‘ડાબા હાથે તું ચિત્ર દોરી શકીશ' એવું વરદાન આપ્યું. ચિત્રકારપુત્ર શતાનીક રાજા ઉપર ગુસ્સે થયો. તેણે વિચાર્યું “પ્રાંત શતાનીક વિષે અપ્રીતિ ધારણ કરે છે અર્થાત્ પ્રદ્યોત શતાનીકનો શત્રુ છે.” તેથી ચિત્રકારપુત્રે મૃગાવતીનું ચિત્ર દોરી પ્રદ્યોતરાજા પાસે ઉપસ્થિત કર્યું. ચિત્ર જોઈ મોહિત થયેલ રાજાને ચિત્રકારપુત્રે 25 ३१. तस्याश्चक्षुष्युन्मील्यमाने एको मषीबिन्दुः ऊर्वन्तरे पतितः, तेन स्पृष्टः (मृष्टः ), पुनरपि जात:, एवं त्रीन् वारान् पश्चात् तेन ज्ञातं एतेनैवं भवितव्यमेव, ततश्चित्रसभा निर्मिता, ततो राजा चित्रसभां प्रलोकयन् तं प्रदेशं प्राप्तः, यत्र सा देवी (चित्रिता ), तां निर्वर्णयता स बिन्दुर्दृष्टः, विरुष्टः, एतेन मम पत्नी धर्षितेतिकृत्वा वध्य आज्ञप्तः, चित्रकृच्छ्रेणिरुपस्थिता, स्वामिन् ! एष लब्धवर इति ततस्तस्मै कुब्जाया मुखं दर्शितं, तेन तदनुरूपं निर्वर्त्तितं, तथापि तेन संदंशकः (अङ्गुष्ठतर्जन्योरग्रं) छेदित एव, निर्विषयश्चाज्ञप्तः, સ પુનર્યક્ષાય ( ચક્ષમારા) ૩પવાસેના સ્થિત:, મળિતશ્ચ-વામેન ત્રિત્રચિઍંતિ, જ્ઞતાની પ્રદ્વેષ ાત:, तेन चिन्तितं प्रद्योत एतस्याप्रीतिं वहेत् ( वोढुं शक्तः ), ततोऽनेन मृगावत्याश्चित्रफलके रूपं चित्रयित्वा प्रद्योताय ૩૫સ્થાપિત, તેન છું, પૃષ્ઠ:, છુિં, તેન ભૂત્ત: પ્રવૃત્તિત:, ++ નિમ્માતા । જે તે વઠ્ઠા સટ્ટો । વરદ્ધિઓત્તિ / A દ્ભુિત । 30 Page #212 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યપરંપરામાં દૃષ્ટાન્ત (નિ. ૮૭) ૧૮૯ जैदि मियावइं न पट्टवेसि तो एमि, तेण असक्कारिओ णिद्धमणेण णिच्छूढो, तेण सिहं, इमोवि तेण दूयवयणेण रुट्ठो, सव्वबलेण कोसंबिं एइ, तं आगच्छंतं सोउं सयाणिओ अप्पबलो अतिसारेण मओ, ताहे मिगावईए चिन्तिअं - मा इमो बालो मम पुत्तो विणस्सिहिति, एस खरेणं न सक्कति, पच्छा दूतो पट्ठविओ, भणिओ - एस कुमारो बालो, अम्हेहिं गएहिं मा सामंतराइणा के अण्णेणं पेल्लिज्जिहिइ, सो भणति - को ममं धारेमाणे पेल्लिहिति, सा भणति - ओसीसए सप्पो, 5 जोयणसए विज्जो किं करेहिति ?, तो णगरिं दढं करेहि, सो भणति - आमं करेमि, ताए भण्णतिउज्जेणिगाओ इट्ठगाओ बलिआओ, ताहि कीरउ, आमंति, तस्स य चोद्दस राइणो वसवत्तिणो, મૃગાવતીની માહિતી આપી. પ્રદ્યોતે શર્તાનીક પાસે દ્યૂતદ્વારા સંદેશો મોકલાવ્યો, “જો તું મૃગાવતીને મારી પાસે નહીં મોકલે તો યુદ્ધ કરવા હું ત્યાં આવું છું.” સંદેશો સાંભળતા જ શતાનીકે દૂતનો તિરસ્કાર કર્યો. અને કાઢી મૂક્યો. આ બાજુ પાછા ફરેલા દૂતના વચનોથી પ્રદ્યોત પણ ક્રોધિત થયો. પોતાના સર્વ સૈન્ય સાથે કોશાંબી આવ્યો. મોટા સૈન્ય સાથે પ્રદ્યોત આવે છે એવું સાંભળી પોતે અલ્પબલવાળો હોવાથી અતિસાર રોગથી શતાનીક ઘેરાયો. તે રોગને કારણે મૃત્યુ પામ્યો. ત્યારે મૃગાવતીએ વિચાર્યું કે “મારા બાળકને પણ આ લોકો મારી નાંખશે. આ પ્રદ્યોતને પરાક્રમથી જીતવો શક્ય નથી. તેથી શું કરવું ?” પછીથી કંઈક વિચારી તેણીએ દૂત મોકલ્યો અને કહેવડાવ્યું કે “આ કુમાર 15 હજુ બાળક છે તેથી આપણા અહીંથી ગયા પછી અન્ય કોઈ સામંત રાજા વડે આ કુમાર હેરાન ન કરાય, તે જોવું જોઈએ.” ત્યારે પ્રદ્યોતે જણાવ્યું કે “હું જેને ધારણ કરું = આશ્રય આપું તેને કોણ હેરાન કરી શકે ?” 10 મૃગાવતીએ જવાબ આપ્યો “ઓશિકે સર્પ હોય અને સો યોજન દૂર વૈદ્ય હોય તો શી રીતે ઉપાય થાય અર્થાત્ તમે ઘણા દૂર છો તેથી ત્યાં રહેતા મારા પુત્રનું રક્ષણ શી રીતે થશે ? 20 તેથી આ નગરીને તમે દઢ કરો અર્થાત્ આ નગરીને ફરતો મજબૂત કિલ્લો તૈયાર કરાવો.” પ્રદ્યોતે હા પાડી એટલે મૃગાવતીએ કહ્યું કે “ઉજ્જયિનીની ઈંટો ઘણી મજબૂત હોય છે, તેનાવડે આ કાર્ય થાય તો સારું.” પ્રદ્યોતે તેની પણ હા પાડી. પ્રદ્યોતને ચૌદ રાજાઓ આજ્ઞાવર્તી હતા. ३२. यदि मृगावतीं न प्रस्थापयसि तर्ह्येमि ( योद्धुमिति शेषः ) तेन असत्कृतः निर्धमनेन निष्काशितः, तेन शिष्टं, अयमपि तेन दूतवचनेन रुष्टः, सर्वबलेन कौशाम्बीमेति, तमागच्छन्तं श्रुत्वा 25 शतानीकोऽल्पबलोऽतीसारेण मृतः, तदा मृगवत्या चिन्तितं मैष बालो मम पुत्रो विनश्येत्, एष खरेण न शक्यते ( साधयितुं ), पश्चाद् दूतः प्रस्थापितः, भणितः एष कुमारो बालः, अस्मासु गतेषु मा सामन्तराजेन केनचिदन्येन प्रैरि, स भणति को मया ध्रियमाणान् प्रेरयेत्, सा भणति - उच्छीर्षके सर्पो येजनशते वैद्यः किं રિધ્ધિતિ ? તત્ નારી દઢાં બુરું, સ મતિ-અમમિતિ (મિતિ) મિ, તા મળ્યતે-બોચિય इष्टका बलवत्यः, તામિ: રોતુ, ગોમિતિ, તસ્ય ચ ચતુર્વંશ રાનાનો વશવત્તિન:, * નેવમ્ । + તતો । 30 A ધરમાળે । Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तेणं तेसिं बैला ठविता, पुरिसपरंपरएण तेहिं आणिआओ इट्ठगाओ, कयं णगरं दहें, ताहे ताए भण्णति-इयाणि धणस्स भरेहि णगरिं, ता ोण भरिया, जाहे णगरी रोहगअसज्झा जाया, ताहे सा विसंवइया, चिन्तियं च णाए-धण्णा णं ते गामागरणगर जाव सण्णिवेसा, जत्थ सामी विहरति, पव्वएज्जामि जइ सामी एज्ज, ततो भगवं समोसढो, तत्थ सव्ववेरा पसमंति, मिगावती 5 णिग्गता, धम्मे कहिज्जमाणे एगे पुरिसे एस सव्वण्णुत्ति काउं पच्छण्णं मणसा पुच्छति, ताहे सामिणा भणिओ-वायाए पुच्छ देवाणुपिआ !, वरं बहवे सत्ता संबुझंतित्ति, एवमवि भणिते तेण भण्णति-भगवं ! जा सा सा सा ?, तत्थ भगवता आमंति भणितं, गोयमसामिणा भणिअंकिं एतेण जा सा सा सा इति भणितं ?, તેઓનું સૈન્ય ઉજ્જયિનીથી ઈંટો લાવવા ઉજ્જયિનીથી આ નગરી સુધી પુરુષની પરંપરાવડે 10 ગોઠવાઈ ગયું. પરંપરાએ ત્યાંથી ઈંટો લાવવામાં આવી અને નગરી મજબૂત બનાવી. ત્યાર પછી મૃગાવતીએ ક્યું “હવે ધનથી આ નગરીને ભરો.” પ્રદ્યોતે જરૂરી બધી સામગ્રી લાવી આપી. મૃગાવતીએ વિચાર્યું કે “હવે આ નગરીને કોઈ ઘેરો નાખે તો પણ તે નગરીને જીતી શકે નહીં. આવું વિચારી તે ફરી ગઈ. (અર્થાત્ નગરીના બધા દ્વારા બંધ. કરાવ્યા અને પ્રદ્યોતને પોતે આધીન નહીં થાય એવું જણાવી દીધું, અને તેણીએ વિચાર્યું કે “તે 15 ॥म-न॥२-२४२-सन्निवेश धन्य छ, ४यां प्रभु वियरे छ.. प्रभु वियरत मजे ५धारे तो हुं प्रया अ९ ४२रीश." થોડા સમય બાદ પ્રભુ ત્યાં પધાર્યા. પ્રભુના પ્રભાવે સર્વ વૈરભાવોવાળા જીવોના વૈરભાવો નાશ પામે છે. મૃગાવતી પ્રભુના સમવસરણમાં ગઈ. સમવસરણમાં ધર્મ કહેવાતું છત એક વ્યક્તિ આ સર્વજ્ઞ હોવાથી મનથી જ પ્રભુને પ્રશ્ન પૂછે છે. ત્યારે સ્વામીએ કહ્યું – “હે દેવાનુપ્રિય ! 20 મનમાં પ્રશ્ન પૂછવાને બદલે સ્પષ્ટ ઉચ્ચાર કરીને વાચાથી પ્રશ્ન પૂછે, જેથી ઘણા જીવો બોધ पामशे." त्यारे ते व्यक्तिले भोथी प्रभुने ५७युं : "प्रभु ! ४ ते छ, ते ते ४ छ ?" त्यारे प्रमुख डा पाडी. सा समणी गौतभस्वामी प्रभुने ५७y- "प्रभु ! ते २॥ शुं हुं ?" ત્યારે પ્રભુએ પહેલેથી માંડીને સર્વ વાત કરી કે – ३३. तेन तेषां बलानि स्थापितानि, पुरुषपरम्परकेण तैरानीता इष्टकाः, कृतं नगरं दृढ, तदा तया 25 भण्यते-इदानीं धनेन बिभृहि नगरी , तदा तेन भृता, यदा नगरी रोधासाध्या जाता तदा सा विसवदिता. चिन्तितं च तया-धन्यास्ते ग्रामाकरनगराणि यावत् सन्निवेशाः, यत्र स्वामी विहरति, प्रब्रजेयं यदि स्वामी आयायात् (एयात्), ततो भगवान् समवसृतः, तत्र सर्ववैराणि प्रशाम्यन्ति, मृगावती निर्गता, धर्मे कथ्यमाने एकः पुरुष एष सर्वज्ञ इतिकृत्वा प्रच्छन्नं मनसा पृच्छति, तदा स्वामिना भणित:-वाचा पृच्छ देवानुप्रिय ! वरं बहवः सत्त्वा: संबुद्धयन्त इति, एवपि भणिते तेन भण्यते-भगवान् ! या सा सा सा ?, 30 तत्र भगवता आममिति (ओमिति) भणिते गौतमस्वामिना भणितं-किमेतेन या सा सा सेति भणितं ? *ते सबला। + नेदम् । * धण्णस्स । ततो । x जाव । # णवरं । A मवि भणितो । । Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક સ્ત્રીલંપટ સુવર્ણકારનું દૃષ્ટાન્ત (નિ. ૮૭) કે ૧૯૧ __ ऍत्थ तीसे उट्ठाणपरियावणिअं सव्वं भगवं परिकहेति-तेणं कालेणं तेणं समएणं चंपानाम नयरी, तत्थेगो सुवण्णगारो इत्थीलोलो, सो पंच पंच सुवण्णसयाणि दाऊण जा पहाणा कण्णा तं परिणेति, एवं तेणं पंचसया पिंडिता, एकेकाए तिलगचोद्दसगं अलंकारं करेइ, जद्दिवसं जाए समं भोगे 'भुंजइ तद्दिवसं देति अलंकारं, सेसकालं न देति, सो ईसालुओ तं घरं न कयाई मुयड, नवा अण्णस्स अल्लियतुं देति, सो अण्णदा मित्तपगते वाहितो, अणिच्छंतो बला 5 णीओ जेमेतुं. 'सो तहिं गतोत्ति णाऊणं ताहिं चिंतिअं-किं एतेणं अम्ह सुवण्णएणंति ?, अज्ज पतिरिक्त प्रहामो समालभापो आविद्धामो अ, पहाआओ पइरिक्कमज्जितव्वयविहीए तिलयचोद्दसएणं अलंकारेण अलंकरेऊणं अद्दायं गहाय पेहमाणीओ चिटुंति, सो अ ततो आगतो, तं दतॄण आसुरूत्तो, तेण एक्का गहिया, ताव पिट्टिया जाव मयत्ति, तो अण्णाओ भणंति-एवं તે કાળે ને તે સમયે (=કોઈક કાળે) ચંપાનગરીમાં સ્ત્રીલંપટ એવો એક સોની રહેતો 10 હતો. તે પાંચસો પાંચસો સોનામહોરો આપી સુંદર કન્યાઓ સાથે પરણતો. આ રીતે તેણે પાંચસો પત્ની કરી દરેક પત્ની માટે તેણે તિલક વિ. ૧૪ અલંકારો તૈયાર કરાવ્યા. જે દિવસે જેની સાથે ભોગ ભોગવતો તેણીને તે દિવસે અલંકારો પહેરવા આપતો, શેષકાળમાં ન આપતો તે સોની ઈષ્યાળુ હોવાથી પોતે ઘરની બહાર ક્યારેય ન જાય કે અન્યને ઘરમાં આવવા ન દે. એકવાર મિત્રવડે પોતાના કો'ક પ્રસંગમાં જમવા માટે બોલાવ્યો. પોતાની ઇચ્છા 15 ન હોવા છતાં જમવા માટે સોનીને પરાણે જવું પડ્યું, “સોની આજે બહાર ગયો છે' એવું જાણી સર્વ પત્નીવડે વિચારાયું કે “આપણા આ સુવર્ણવડે શું કરવાનું? આજે એકાન્ત ७ तेथी यसो मा स्पे८७।२से (पइरिक्कम्) स्नान ४२, ॥२ री भने सुं६२ वस्त्रो घा२१५ ४२१.२." स्नान या पछी स्पे८७२ (पइरिक्कम्) अभ्यगनविधिवडे अर्थात् अभ्यंगन કરી એલ કારોથી સજજ થઈ અરીસામાં પોતાની જાતને નિહાળતી ઊભી હતી ત્યારે તે પાછો 20 ફર્યો અને આ બધું જોઈ ગુસ્સે ભરાયેલા તેણે એક સ્ત્રીને પકડી ખૂબ માર માર્યો. મારને ३४. अत्र तस्या उत्थानपर्यापन्निकं सर्वं भगवान् परिकथयति तस्मिन्काले तस्मिन्समये चम्पानाम्नी नगरी, तत्रैकः सुवर्णकार: स्त्रीलोलुपः, स पञ्च पञ्च सु(सौ )वर्णशतानि दत्त्वा या प्रधाना कन्या तां परिणयति, एवं तेन पञ्चशती पिण्डिता, एकैकस्याः तिलकचतुर्दशकान् अलङ्कारान् कारयति, यद्दिवसे यया समं भोगान् भुङ्क्ते( इति ) तद्दिवसे ददाति अलङ्कारान्, शेषकाले न ददाति, स ईष्यालुंस्तत् गृहं न 25 कदाचित् मुञ्चति, नवाऽन्यस्य उपसप्तुं ददाति, सोऽन्यदा मित्रप्रकृते (जेमनादिप्रकरणे ) व्याहृतः अनिच्छन् बलान्नीतो जेमितुं, स तत्र गत इति ज्ञात्वा ताभिश्चिन्तितंकिमेतेनास्माकं सुवर्णेनेति अद्य प्रतिरिक्तं ( यथेच्छं) स्नाम: समालभामः परिदध्मश्च, स्नाताः प्रतिरिक्तमभ्यङ्गनविधिना तिलकचतुर्दशकैरलङ्कारैरलङ्कृत्य आदर्श गृहीत्वा प्रेक्षमाणास्तिष्ठन्ति स च तत आगतः, तत् दृष्टवा क्रुद्धः, तेनैका गहीता तावत्पिट्टिता यावन्मृतेति, तदाऽन्या भणन्ति-, + अत्थिलोलो। + भुंजहिति । ★ अल्लिएउं । । सो य। 30 * मज्जण । - मिसमिसमाणो । तओ । Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) ___ अम्हवि एक्केक्का' उ एएण हंतव्व त्ति, तम्हा एयं एत्थेव अद्दागपुंजं करेमो, तत्थेगुणेहिं पंचहिं महिलासएहिं पंच एगूणाई अद्दागसयाइं जमगसमगं पक्खित्ताई, तत्थ सो अद्दागपुंजो जातो, पच्छा पुणोवि तासिं पच्छातावो जाओ-का गती अम्ह पतिमारियाणं भविस्सति ?, लोए अ उद्धं सणाओ सहेयव्वाओ, ताहे ताहि घणकवाडनिरंतरं णिच्छिड्डाई दाराई ठवेऊण अग्गी दिण्णो 5 सव्वओ समंतओ, तेण पच्छाणुतावेण साणुक्कोसयाए अ ताए अकामणिज्जराए मणूसेसूव वण्णा पंचवि सया चोरा जाया, एगंमि पव्वए परिवसंति, सोवि कालगतो तिरिक्खेसूववण्णो, तत्थ जा सा पढमं मारिया, सा एक्कं भवं तिरिएस पच्छा एगंमि बंभणकले चेडो आयाओ. सो अ पंचवरिसो, सो अ सुवण्णकारो तिरिक्खेसु उववट्टिऊण तंमि कुले चेव दारिया जाया, सो चेडो तीसे बालग्गाहो, सा य णिच्चमेव रोयति, तेण उदरपोप्पयं करेंतेणं कहवि 10 કારણે તે સ્ત્રી મૃત્યુ પામી. ત્યારે અન્ય સ્ત્રીઓ બોલી કે “આ રીતે એકેકને આ મારી નાખશે એના કરતા એને જ અરીસાઓના પ્રહારવડે મારી નાંખીએ.” ત્યારે ચારસો નવાણું સ્ત્રીઓએ એક સાથે બધા અરીસા સોની તરફ ફેંક્યા. તે અરીસાઓમાં ડટાઈ ગયો, અને મૃત્યુ પામ્યો. પાછળથી સર્વ સ્ત્રીઓ પશ્ચાત્તાપ કરવા લાગી “પતિને મારનાર અમારી ગતિ શું થશે? વળી લોકમાં પણ અમારી નિંદા થશે.” તેથી તે સ્ત્રીઓએ ઘનકપાટવાળા છિદ્રવિનાના 15 દ્વારોને સ્થગિત કરી ચારે બાજુ અગ્નિ લગાડ્યો. તે પશ્ચાત્તાપના કારણે અને દયાથી યુક્ત અકામનિર્જરાવડે મરીને મનુષ્યમાં ઉત્પન્ન થઈ આ પાંચસોએ પાંચસો (ખરેખર તો ૪૯૯) ચોર રૂપે થયા અને એક પર્વતમાં રહેવા લાગ્યા. તે સોની પણ કાળ કરીને તિર્યંચગતિમાં ઉત્પન્ન થયો. તેમાં પહેલા જે સ્ત્રીને મારી હતી તે પછીના ભવમાં તિર્યંચમાં ઉત્પન્ન થઈ અને ત્યાર પછીના ભવમાં બ્રાહ્મણકુલમાં દાસ 20 તરીકે તે સ્ત્રી ઉત્પન્ન થઈ. તે દાસ પાંચવર્ષનો થયો ત્યારે તે સુવર્ણકાર તે બ્રાહ્મણકુલમાં પુત્રી તરીકે ઉત્પન્ન થયો. તે દાસ આ પુત્રીની સંભાળ રાખતો. તે પુત્રી રોજ રડતી. એકવાર પેટ ઉપર હાથ ફેરવતા દાસનો હાથ કોઈક રીતે તેણીના યોનિદ્વારને સ્પર્શે, જેથી ३५. एवं वयमपि एकैका एतेन हन्तव्येति, तस्मात् एनं अत्रैव आदर्शपुञ्ज कुर्मः, तत्रैकोनैः पञ्चभिः महिलाशतैः एकोनानि पञ्चादर्शशतानि युगपत् प्रक्षिप्तानि, तत्र स आदर्शपुञ्जो जातः, पश्चात्पुनरपि तासां 25 पश्चात्तापो जात:-का गतिरस्माकं पतिमारिकाणां भविष्यति ?, लोके चावहेलना: सोढव्याः, तदा ताभिर्घनकपाटनिरन्तरं निश्छिद्राणि द्वाराणि स्थापयित्वा (स्थगयित्वा ) अग्निर्दत्तः सर्वतः समन्ततः, तेन पश्चात्तापेन सानुक्रोशतया च तयाऽकामनिर्जरया मनुष्येषूत्पन्नाः पञ्चापि शतानि चौरा जाताः, एकस्मिन् पर्वते परिवसन्ति, सोऽपि कालगतः तिर्यसूत्पन्नः, तत्र या सा प्रथमं मारिता सा एकस्मिन् भवे तिर्यक्षु पश्चात् एकस्मिन् ब्राह्मणकुले चेट आयातः ( उत्पन्नः ), स च पञ्चवर्षः, स च सुवर्णकार: तिर्यग्भ्य उद्वृत्त्य . 30 तस्मिन् कुल एव दारिका जाता, स चेटस्तस्या बालग्राहः, सा च नित्यमेव रोदिति, तेन उदरामर्शनं कुर्वता कथमपि # अम्हेऽवि । ०ओ णिहं० लोएवि. Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક સ્ત્રીલંપટ સુવર્ણકારનું દૃષ્ટાન્ત (નિ. ૮૭) પૉકે ૧૯૩ सा जोणिहारे हत्थेण आहता, तहा ववट्ठिता रोवितुं, तेण णायं-लद्धो मए उवाओत्ति, एवं सो णिच्चकालं करेति, सो तेहिं मायपितीहिं णाओ, ताहे हणिऊणं धाडिओ, साविय पडुप्पण्णा चेव विद्दाया, सो य चेडो पलायमाणो चिरं णगरविणट्ठदुट्ठसीलायारो जाओ, गतो एगं चोरपल्ली, जत्थ ताणि एगूणगाणि पंच चोरसयाणि परिवसंति, सावि पइरिक्कं हिंडंती एगं गामं गता, सो गामो तेहिं चोरेहि पेल्लितो, सा य जेहिं गहिया, सा तेहिं पंचहिवि चोरसएहिं परिभुत्ता, तेसिं चिंता 5 जाया-अहो इमा वराई एत्तिआणं सहति, जड़ अण्णा से बिइज्जिआ लभेज्जा तो से विस्सामो होज्जा, ततो तेहि अण्णया कयाई तीसे बिज्जिआ आणीआ, जद्दिवसं चेव आणीआ तद्दिवसं चेव सा तीसे छिड्डाई मग्गइ, केण उवाएण मारेज्जा ?, ते' अण्णया कयाइ ओहाइया, ताए सा भणिआ, पेच्छ कूवे किंपि दीसइ, सा दट्टमारद्धा, ताए तत्थेव छूढा, ते आगता पुच्छंति, त२त ४ तेनु. २७वान ५ थ आयु. से वियायु "SL ! 0 64ाय स२४. छ." 2010 ઉપાયથી રોજ તે રડતી એવી બાલિકાને શાંત કરતો. આ પદ્ધતિ તેના માતા-પિતાએ જાણી. તેથી તે દાસને ઘરથી બહાર કાઢ્યો. તે દીકરી પણ નાની વયમાં જ ઘરમાંથી નીકળી ગઈ. આ બાજુ ભાગતો એવો તે દાસ ઘરમાંથી નીકળી દુષ્ટ આચારવાળો થયેલો એક ચોરપલ્લીમાં ભળ્યો. જયાં ચારસો નવ્વાણુ ચોરો રહેતા હતા. બીજી બાજુ દીકરી પણ સ્વેચ્છાએ ફરતી એક ગામમાં આવી. તે ગામ તે 15 ચોરોએ લૂટ્યું અને તે સ્ત્રીને પકડી. આ પાંચસો ચોરોએ તે સ્ત્રીને ભોગવી. ત્યારે ચોરોને ચિંતા થઈ કે – આ બિચારી આટલા બધાનું સહન કરે છે તેથી જો અન્ય બીજી કન્યા આવે તો આને થોડો આરામ પ્રાપ્ત થાય. તેથી ચોરો બીજી કન્યા લાવ્યા. જે દિવસે આ કન્યા આવી તે દિવસે જ તેણીના છિદ્રોને આ પ્રથમ સ્ત્રીએ ગોતવાનું ચાલું કર્યું. તેણીને મારી નાંખવાના ઉપાયો શોધવા લાગી. એક દિવસ પાંચસો ચોરો લૂટવા 20 માટે બહાર ગયા. ત્યાં પ્રથમ સ્ત્રીએ આ બીજી સ્ત્રીને કહ્યું કે “જો , આ કૂવામાં કંઈક દેખાય છે.” તે સ્ત્રી કૂવામાં જોવા ગઈ કે પ્રથમ સ્ત્રીએ તેણીને ધક્કો મારી કૂવામાં નાંખી. ચોરો ३६. सा योनिद्वारे हस्तेनाहता तथा अवस्थिता रोदनात् ( भावे तुम् ) तेन ज्ञातं-लब्धो मयोपाय इति, एवं स नित्यकालं करोति, स ताभ्यां मातापितृभ्यां ज्ञात: तदा हत्वा निर्घाटितः, सापि च प्रत्युत्पन्ना एव ( योग्यवयःस्थैव ) विद्रुता, स च चेट: पलायमानः चिरं नगरविनष्टदुष्टशीलाचारो जातो, गत एकां चौरपल्ली, 25 यत्र च तानि एकोनानि पञ्चशतानि चौराः परिवसन्ति, सापि प्रतिरिक्तं हिण्डवन्ती एक ग्रामं गता, स ग्रामस्तैश्चौरैः प्रेरितः (लुण्टितः), सा चैभिर्गृहीता, सा तैः पञ्चभिरपि चौरशतैः परिभुक्ता, तेषां चिन्ता जाता-अहो इयं वराकी एतावतां सहते, यद्यन्याऽस्या द्वितीया लभ्येत तदाऽस्या विश्रामो भवेत्, ततस्तैरन्यदा कदाचित्तस्या द्वितीयाऽऽनीता, यद्दिवस एवानीता तद्दिवस एव तस्याश्छिद्राणि मार्गयति, केनोपायेन मार्येत ? तेऽन्यदा कदाचिदुद्धाविताः, तया सा भणिता, पश्य कूपे किमपि दृश्यते, सा 30 द्रष्टमारब्धा, तया तत्रैव क्षिप्ता, ते आगताः पृच्छन्ति, + तर्ह चेव । * ०दुट्ठविणट्ठ० । * ०णाणि । ते य । - एत्थ । Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) ताए भण्णति अप्पणो महिलं कीस न 'सारेह ?, तेहिं णायं जहा एयाए मारिया, तओ तस्स बंभणचेडगस्स हिदए ठिअं जहा एसा मम पावकम्मा भगिणित्ति, सुव्वइ य भगवं महावीरो सव्वण्णू सव्वदरिसी, ततो एस समोसरणा पुच्छति । ताहे सामी भणति-सा चेव सा तव भगिणी, एत्थ संवेगमावन्नो सो पव्वइओ, एवं सोऊण सव्वा सा परिसा पतणुरागसंजुत्ता जाया। 5 ततो मिगावती देवी जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छति, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदित्ता एवं वयासी-जं णवरं पज्जो आपुच्छामि, ततो तुज्झ सगासे पव्वयामित्ति भणिऊण पज्जो आपुच्छति, ततो पज्जोओ तीसे महतीमहालियाए सदेवमणुयासुराए परिसाए लज्जाए ण तरति वारेउं, ताहे विसज्जेइ, ततो मिगावती पज्जोयस्स उदयणकुमारं णिक्खे वगणिक्खित्तं काऊण पव्वइआ, 10 પાછા ફર્યા. સ્ત્રી વિષે પૂછ્યું. ત્યારે સ્ત્રીએ કહ્યું કે “પોતાની મહિલાની શા માટે રક્ષા કરતા નથી ? અર્થાત્ મને શા માટે પૂછો છો તમને ખબર હોવી જોઈએ.” આ જવાબ સાંભળી તેઓએ જાણ્યું કે નક્કી આ સ્ત્રીએ તેણીને મારી નાંખી છે. તેથી દાસના મનમાં થયું કે નક્કી આ મારી પાપકર્મવાળી અર્થાત્ નાનપણમાં થતાં દુષ્કૃત્યથી આનંદિત થતી બેન છે. મનમાં શંકા ઊભી થઈ અને તેને સાંભળવામાં આવ્યું કે ભગવાનું 15 મહાવીર સર્વજ્ઞ અને સર્વદર્શી છે તેથી સમવસરણમાં જઈને પૂછે છે. ત્યારે પ્રભુ જવાબ આપે છે કે તે તે જ સ્ત્રી છે. આ સાંભળી તે દાસ વૈરાગ્ય પામ્યો અને દીક્ષા લીધી. આ પ્રમાણે પ્રભુના મુખે સર્વ વૃત્તાન્ત સાંભળી ત્યાં બેઠેલી સર્વ પર્ષદાઓને પણ સંસાર પ્રત્યેનો રાગભાવ ઓછો થયો. ત્યાર પછી મૃગાવતી જયાં પ્રભુ હતા, ત્યાં આવીને પ્રભુને વાંદી બોલી કે પ્રભુ ! દીક્ષા લેવાની ઇચ્છા છે પરંતુ પ્રદ્યોતને પૂછી લઉં, ત્યાર પછી 20 તમારી પાસે પ્રવજયા ગ્રહણ કરીશ. આ પ્રમાણે બોલી સમોવસરણમાં બેઠેલ પ્રદ્યોતને તેણીએ પૂછ્યું ત્યારે પ્રદ્યોત અત્યંત મોટી દેવ-મનુષ્ય-અસુરોની પર્ષદામાં લજ્જાને કારણે ના પાડી શક્યા અસુરો નહીં, અને રજા આપી. તેથી મૃગાવતીએ પ્રદ્યોત પાસે પોતાના ઉદયનકુમારને સંભાળ માટે મૂકી પ્રવ્રજયા ગ્રહણ કરી. પ્રદ્યોતની પણ અંગારવતી વગેરે આઠ રાણીઓએ 25 ३७. तया भण्यन्ते-आत्मनो महेलां किं न रक्षत (सारयत ) ?, तैतिं-यथैतया मारिता, ततस्तस्य ब्राह्मणचेटकस्य हृदि स्थितं-यथैषा मम पापकर्मा भगिनीति, श्रूयते च भगवान्महावीर: सर्वज्ञः सर्वदर्शी, तत एष समवसरणात् पृच्छति । तदा स्वामी भणति-सैव सा तव भगिनी, अत्र संवेगमापन्नः स प्रव्रजितः. एवं श्रुत्वा सर्वा सा परिषत् प्रतनुरागसंयुक्ता जाता, ततो मृगावती देवी यत्रैव श्रमणो भगवान् महावीर: तत्रैवोपागच्छति, उपागत्य श्रमणं भगवन्तं महावीरं वन्दित्वा एवमवादीत्-यत् परं प्रद्योतमापृच्छामि, 30 ततस्त्वत्सकाशे प्रव्रजामीति भणित्वा प्रद्योतमापृच्छति, ततः प्रद्योतस्तस्यामतिमहत्यां सदेवमनुजासुरायां पर्षदि लज्जया न शक्नोति वारयितुं, तस्मात् विसर्जयति ( व्यसृक्षत्), ततो मृगावती प्रद्योतस्य उदयनकुमारस्य निक्षेपनिक्षिप्तं कृत्वा प्रव्रजिता, + सारवेह । * समोसरणे ।+ एतं । Page #218 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિશબ્દનો અર્થ (નિ. ૮૮) ૧૯૫ पैंज्जोअस्सवि अट्ठ अंगारवईपमुहाओ देवीओ पव्वइयाओ, ताणिवि पंच चोरसयाणि तेणं तूण संबोहियाणि, एतं पसंगेण भणिअं, एत्थ इट्ठगपरंपरएण अहियारो, एस दव्वपरंपरओ ॥८७॥ साम्प्रतं निर्युक्तिशब्दस्वरूपाभिधानायेदमाह– णिज्जुत्ता ते अत्था जं बद्धा तेण होइ णिज्जुत्ती । तहविय इच्छावेइ विभासिउं सुत्तपरिवाडी ॥८८॥ व्याख्या - निश्चयेन सर्वाधिक्येन आदौ वा युक्ता निर्युक्ताः, अर्यन्त इत्यर्थाः जीवादयः श्रुतविषयाः, ते ह्यर्था निर्युक्ता एव सूत्रे, 'यद्' यस्मात् 'बद्धा:' सम्यग् अवस्थापिता योजिता इतियावत्, तेनेयं 'निर्युक्तिः ' निर्युक्तानां युक्तिर्निर्युक्तयुक्तिरिति प्राप्ते युक्तशब्दस्य लोपः क्रियते, उष्ट्रमुखी कन्येति यथा, निर्युक्तार्थव्याख्या निर्युक्तिरितिहृदयं । आह— सूत्रे सम्यक् निर्युक्ता દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કરેલ દાસે પોતાના પાંચસો ચોરોને પ્રતિબોધ આપ્યો. આમ 10 પ્રસંગથી સર્વ વાત કહી. અહીં ઈંટને પુરુષની પરંપરાવર્ડ ઉજ્જયિનીમાંથી કોશાંબી લાવ્યા. તેના વડે અધિકાર છે. આ દ્રવ્યપરંપરા કહી, II૮૭ા = 5 અવતરણિકા : હવે નિર્યુક્તિશબ્દનું સ્વરૂપ બતાવતા કહે છે ગાથાર્થ : જે કારણથી નિર્યુક્ત એવા તે અર્થો (સૂત્રમાં) બંધાયેલા છે તે કારણથી નિર્યુક્તિ કહેવાય છે. (જો કે અર્થો સૂત્રમાં બંધાયેલ છે.) તો પણ સૂત્રપરિપાટી (પોતાનું 15 પોતાના અર્થોનું) પ્રતિપાદન કરવા માટે (ગુરુને) પ્રેરે છે. ટીકાર્થ : મૂળગાથામાં રહેલા શબ્દોના ક્રમશઃ અર્થ બતાવે છે – તેમાં પ્રથમ ‘નિર્યુક્ત’ એટલે નિશ્ચયથી એટલે કે અધિકપણાવડે અથવા શરૂઆતમાં (સૂત્રની જ્યારે રચના થઈ તે સમયે જ) જોડાયેલા (એવા અર્થો) તે નિર્યુક્ત કહેવાય છે. જે જણાય તે અર્થો અર્થાત્ જીવાદિરૂપ શ્રુત(આગમ)ના વિષયો એ અર્થો છે. આ અર્થો જે કારણથી સૂત્રમાં નિશ્ચયથી 20 જોડાયેલા છે તે કારણથી તે (નિર્યુક્તાર્થોનું વ્યાખ્યાન એ) નિર્યુક્તિ તરીકે કહેવાય છે. પ્રથમથી જ નિશ્ચયવડે યુક્ત એવા અર્થોની યુક્તિ (યોજના) તે નિર્યુક્તયુક્તિ. તેમાંથી યુક્ત શબ્દનો લોપ થવાથી નિર્યુક્તિ શબ્દ બને છે. અહીં ‘ઉમુખી કન્યા' સમાસમાં જેમ મધ્યમપદનો લોપ થાય (અર્થાત્ ષ્ટ્રમુદ્યું વ મુત્તું વસ્યા: સૌ અહીં એક મુખશબ્દનો લોપ થઈ ઉષ્ટ્રમુખો શબ્દ બને) તેમ અહીં પણ યુક્ત શબ્દનો લોપ કરવો. તેથી સ્પષ્ટ અર્થ એ 25 થશે કે નિર્યુક્ત એવા અર્થોનું વ્યાખ્યાન એ નિર્યુક્તિ કહેવાય છે. શંકા : તે તે અર્થો સૂત્રમાં શરૂઆતથી જ જો જોડાયેલા હોય તો પુનઃ તે અર્થોનું યોજન શા માટે કરવાની જરૂર છે ? અર્થાત્ ગુરુએ “આ સૂત્રનો આ અર્થ છે” એ રીતે ફરી શા માટે સૂત્રનો અર્થ કહેવાની જરૂર છે ? ३८. प्रद्योतस्याप्यष्टौ अङ्गारवतीप्रमुखाः देव्यः प्रव्रजिताः, तानि पञ्च चौरशतानि तेन गत्वा 30 संबोधितानि । एतत् प्रसङ्गेन भणितं, अत्र इष्टकापरम्परकेणाधिकारः, एष द्रव्यपरम्परकः ॥ ३९. अहवा सुयपरिवाडी सुओवएसोऽयं (वि०) श्रुतस्य विधिरिति तद्वृत्तिः साध्वाधि० + ०त् सूत्रे । Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ તક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एवार्थाः पुनश्चैहैषां योजनं किमर्थं ?, उच्यते, सूत्रे निर्युक्तानप्यर्थान् न सर्व एवाशेषान् अवबुध्यन्ते यतः, अतः । तथापि च सूत्रे निर्युक्तानपि सतः एषयति-इषु इच्छायामित्यस्य ण्यन्तस्य लट् इति तिप्-शप्-गुणायादेशेषु कृतेषु एषयति, विविधं भाषितुं विभाषितुं, का ? - 'सूत्रपरिपाटी' सूत्रपद्धतिरिति, एतदुक्तं भवति-अप्रतिबुध्यमाने श्रोतरि गुरुं तदनुग्रहार्थं 5 सूत्रपरिपाट्येव विभाषितुमेषयति-इच्छत इच्छत मां प्रतिपादयितुमित्थं प्रयोजयतीवेति, सूत्रपरिपाटीमिति पाठान्तरं, शिष्य एव गुरुं सूत्रपद्धतिमैनवबुध्यमानः प्रवर्तयति-इच्छत इच्छत मम व्याख्यातुं सूत्रपरिपाटीमिति, व्याख्या च नियुक्तिरिति, अतः पुनर्योजनमित्थमदोषायैवेति, अलं विस्तरेण, गमनिकामात्रमेवैतदिति गाथार्थः ॥८८॥ यदुक्तं 'अर्थपृथक्त्वस्य तैः कथितस्येति' तीर्थकरगणधरैः, इदानीं तेषामेव शीलादि10 સંપન્નતત્વપ્રતિપાદ્રિનાદ तवनियमनाणरुक्खं आरूढो केवली अमियनाणी । तो मुयइ नाणवुद्धिं भवियजणविबोहणट्ठाए ॥८९॥ સમાધાન : સૂત્રમાં જોડાયેલા એવા પણ સર્વ અર્થોને બધા જ શિષ્યો જાણી શકતા નથી. તેથી સૂત્રપરિપાટી = સૂત્રરચના જ ગુરુને ન સમજી શકતા શિષ્યો પર અનુગ્રહ 15 કરવા માટે પોતાનું (અર્થોનું) પ્રતિપાદન કરવા માટે પ્રેરે છે અર્થાત્ સૂત્રપરિપાટી ગુરુને જાણે કહે છે કે “હે ગુરુ ! તમે મને પ્રતિપાદન કરવાની ઇચ્છા રાખો.” રૂદ્ ધાતુઇચ્છા કરવાનાં અર્થમાં છે. તેને ઉખ (પ્રેરક) પ્રત્યય લગાડીને 7 (વર્ત કાળનો પ્રત્યય) લગાડતા gષયતિ રૂપ થાય. તેથી અર્થ થશે –ઇચ્છા કરાવે છે. (અર્થાત્ સૂત્રપરિપાટી પોતાનું પ્રતિપાદન કરવા ગુરુને ઇચ્છા કરાવે છે.) 20 કોઈક પ્રતોમાં ‘સૂત્રપરિપાટી' શબ્દ કર્તારૂપે નહીં પણ કર્મરૂપે છે. અર્થાત્ પ્રથમ વિભક્તિને બદલે દ્વિતીયા વિભક્તિમાં છે. તેથી અર્થ આ પ્રમાણે જાણવો કે સૂરપરિપાટીને, નહીં જાણતો શિષ્ય ગુરુને પ્રેરે છે અર્થાત્ કહે છે કે “હે ગુરુ ! તમે મને સૂત્રપરિપાટી. કહેવા માટે ઇચ્છો.” આમ દરેક અર્થને નહીં જાણતા શિષ્યો ઉપર ઉપકાર કરવા ગુરુ નિયુક્ત એવા અર્થોનું પણ ફરી વ્યાખ્યાન કરે છે. અને આ વ્યાખ્યાન કરવું એનું જ નામે 25 નિયુક્તિ. માટે આ પ્રમાણે અર્થોનું પુનઃ યોજન કરવું એ દોષ માટે નથી. વધુ વિસ્તારથી સર્યું. કારણ કે અહીં સામાન્યથી કહેવાનું જ પ્રયોજન છે. II૮૮ અવતરણિકા : પૂર્વે ગાથામાં કહ્યું કે “તીર્થકર-ગણધરોવડે કહેવાયેલું શ્રુતજ્ઞાન” તેમાં તે તીર્થંકર-ગણધરો શીલાદિસંપત્તિથી યુક્ત છે એવું પ્રતિપાદન કરતા કહે છે ! ગાથાર્થ : તપ-નિયમ અને જ્ઞાનરૂપ વૃક્ષ ઉપર આરુઢ થયેલા, અમિતજ્ઞાની એવા 30 કેવળીભગવંતો ભવિકજનના બોધ માટે તે વૃક્ષ ઉપરથી જ્ઞાનરૂપ કુસુમવૃષ્ટિને કરે છે. સૂત્રનિ. # સૂન. ૦ ૦૪ વા . * ૦મવુથ્થ૦. Page #220 -------------------------------------------------------------------------- ________________ ભવ્યજનોના બોધ માટે પ્રભુની દેશના (નિ. ૮૯) ૧૯૭ व्याख्या - रूपकमिदं द्रष्टव्यं तत्र वृक्षो द्विधा - द्रव्यतो भावतश्च द्रव्यवृक्षः कल्पतरुः, यथा तमारुह्य कश्चित् तत्कुसुमानां गन्धादिगुणसमन्वितानां संचयं कृत्वा तदधोभागसेविनां पुरुषाणां तदारोहणासमर्थानां अनुकम्पया कुसुमानि विसृजति तेऽपि च भूपातरजोगुण्डनभयात् विमलविस्तीर्णपटेषु प्रतीच्छन्ति, पुनर्यथोपयोगमुपभुञ्जानाः सुखमाप्नुवन्ति, एवं भाववृक्षेऽप्यायोज्यं । तपश्च नियमश्च ज्ञानं च तपोनियमज्ञानानि तान्येव वृक्षस्तं, तत्र अनशनादिबाह्याभ्यन्तरभेदभिन्नं 5 तपः, नियमस्तु इन्द्रियनोइन्द्रियभेदभिन्नः, तत्र श्रोत्रादीनां संयमनमिन्द्रियनियमः क्रोधादीनां तु नोइन्द्रियनियम इति, ज्ञानं - केवलं संपूर्ण गृह्यते, इत्थंरूपं वृक्षं आरूढः, तत्र ज्ञानस्य संपूर्णासंपूर्णरूपत्वात् संपूर्णताख्यापनायाह- संपूर्णं केवलं अस्यास्तीति केवली, असावपि चतुर्विध:श्रुतसम्यक्त्वचारित्रक्षायिकज्ञानभेदात्, अथवा श्रुतावधिमन: पर्यायकेवलज्ञानभेदात्, अतः श्रुतादिकेवलव्यवच्छित्तये सर्वज्ञार्वरोधार्थमाह- अमितज्ञानी, 'ततो' वृक्षात् मुञ्चति ज्ञानवृष्टिं' इति 10 कारणे कार्योपचारात् शब्दवृष्टि, किमर्थं ? - भव्याश्च ते जनाश्च भव्यजनाः तेषां विबोधनं तदर्थं ટીકાર્થ : આ શ્લોક રૂપકાલંકારવાળો જાણવો. તેમાં વૃક્ષો બે પ્રકારના છે. ૧. દ્રવ્યથી, ૨. ભાવથી. તેમાં દ્રવ્યવૃક્ષ તરીકે કલ્પવૃક્ષ જાણવું. જેમ તેની ઉપર ચઢી કોઈ વ્યક્તિ ગંધાદિ ગુણોથી યુક્ત એવા તેના પુષ્પોને ભેગા કરી, વૃક્ષ ઉપર ચઢવામાં અસમર્થ એવા વૃક્ષની નીચે ઉભા રહેલા પુરુષોને અનુકંપાથી પુષ્પો આપે છે. અને તે વ્યક્તિઓ પણ ભૂમિ ઉપર 15 પડવાથી ધૂળવાળા થવાના ભયથી નિર્મળ અને પહોળા વસ્ત્રમાં તે પુષ્પોને ગ્રહણ કરે છે અને વખતોવખત તેનો ઉપયોગ કરી સુખને ભજનારા થાય છે. એ જ પ્રમાણે ભાવવૃક્ષમાં પણ જોડવું. ભાવવૃક્ષમાં તપ-નિયમ અને જ્ઞાનરૂપી વૃક્ષ જાણવું. તેમાં અનશનાદિ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે તપ, ઇન્દ્રિય અને નોઈન્દ્રિય (મન) ભેદથી બે પ્રકારે નિયમ. તેમાં 20 શ્રોત્રેન્દ્રિયાદિનું સંયમ એ ઇન્દ્રિયનિયમ અને ક્રોધાદિનું સંયમન એ નોઇન્દ્રિયનિયમ જાણવો. તથા જ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન જાણવું. આવા તપ-નિયમ અને જ્ઞાનરૂપ વૃક્ષ ઉપર આરુઢ. જ્ઞાન પણ સંપૂર્ણ-અસંપૂર્ણ બે પ્રકારે હોવાથી મૂળગાથામાં લખેલ જ્ઞાન શબ્દથી કોઈ અસંપૂર્ણ જ્ઞાન ન સમજી લે તે માટે કહે છે કે સંપૂર્ણ કેવળ (જ્ઞાન) છે જેને તે કેવળી, જો કે આ કેવળ પણ ચાર પ્રકારે છે શ્રુત, સમ્યક્ત્વ, ચારિત્ર અને ક્ષાયિકજ્ઞાન અથવા શ્રુત, અવિધ, 25 મનઃપર્યાય અને કેવળજ્ઞાન. તેથી શ્રુતાદિ જ્ઞાનની બાદબાકી કરવા માટે અને સર્વજ્ઞનો બોધ કરાવવા માટે કહે છે અમિતજ્ઞાની. આવા અમિતજ્ઞાની ભગવાન્ ભવ્યજનોના બોધ માટે તે વૃક્ષ ઉપરથી શબ્દવૃષ્ટિને મૂકે છે. અહીં ભગવાન્ જે દેશના આપે છે તે દેશના એ શબ્દવૃષ્ટિ કહેવાય છે. દેશના દ્વારા નીકળતા શબ્દોથી સામે રહેલ ભવ્યજનને જ્ઞાન પ્રાપ્ત થતું હોવાથી શબ્દો એ કારણ છે અને જ્ઞાન એ કાર્ય 30 છે. શબ્દરૂપ કારણમાં જ્ઞાનરૂપ કાર્યનો ઉપચાર કરવાથી અહીં શબ્દવૃષ્ટિને બદલે મૂળગાથામાં ‘જ્ઞાનવૃષ્ટિ’ શબ્દ લખેલ છે. * ફöમૂર્ત ! + ૦વવોધા૦ । Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तन्निमित्तमितियावत् । आह-कृतकृत्यस्य सतस्तत्त्वकथनमनर्थक, प्रयोजनविरहात्, सति च तस्मिन् कृतकृत्यत्वानुपपत्तेः, तथा सर्वज्ञत्वाद्वीतरागत्वाच्च भव्यानामेव विबोधनमनुपपन्नं . अभव्याविबोधने असर्वज्ञत्वावीतरागत्वप्रसङ्गादिति, अत्रोच्यते, प्रथमपक्षे तावत् सर्वथा कृतकृत्यत्वं नाभ्युपगम्यते, भगवतः तीर्थकरनामकर्मविपाकानुभावात्, तस्य च धर्मदेशनादिप्रकारेणैवानुभूतः, 5 द्वितीयपक्षे तु त्रैलोक्यगुरोर्धर्मदेशनक्रिया विभिन्नस्वभावेषु प्राणिषु तत्स्वाभाव्यात् विबोधाविबोधकारिणी पुरुषोलूककमलकुमुदादिषु आदित्यप्रकाशनक्रियावत्, उक्तं च वादिमुख्येन "त्वद्वाक्यतोऽपि केषाञ्चिदबोध इति मेऽद्भुतम् । भानोर्मरीचयः कस्य, नाम नालोकहेतवः ? ॥१॥ न चाद्भुतमुलूकस्य, प्रकृत्या क्लिष्टचेतसः । 10 શંકા : પ્રભુ પોતે કૃતકૃત્ય છે અર્થાત્ કરવા લાયક સર્વ કાર્યો તેમના પૂરા થઈ ગયા છે તો પછી કૃતકૃત્ય એવા પ્રભુએ તત્ત્વ-કથન કરવામાં કોઈ પ્રયોજન ન હોવાથી દેશના આપવી એ નિરર્થક છે. જો તમે કહો કે પ્રયોજન છે તો પ્રભુ કૃતકૃત્ય નથી એવું માનવું પડે. તથા પ્રભુ પોતે સર્વજ્ઞ અને વીતરાગ છે તેથી તેઓ માત્ર ભવ્યજીવોના બોધ માટે દેશના આપે છે એવું કહેવું પણ ઘટતું નથી. કારણ કે અભવ્યજીવોને બોધ ન આપવામાં 15 પ્રભુને અસર્વજ્ઞ અને અવીતરાગ માનવાની આપત્તિ આવે. (પ્રભુને અસર્વજ્ઞ અને અવીતરાગ માનવા પડે તેની પાછળ પૂર્વપક્ષનો એવો ભાવાર્થ લાગે છે કે પ્રભુ ભવ્યજીવોના બોધ માટે દેશના આપે છે તેથી એવું લાગે કે પ્રભુને ભવ્યજીવો ઉપર રાગ છે અન્યથા અભવ્યજીવોના બોધ માટે પણ શા માટે દેશના ન આપે ? અને બીજું અભવ્ય જીવોને પ્રભુ તારતા નથી તેથી શું તેઓ તેમને તારવા માટેના ઉપાયો 20 નહીં જાણતા હોય ? માટે જ પ્રભુ તેમને તારતા નથી તેથી પ્રભુને અસર્વજ્ઞ અને અવીતરાગ માનવાની આપત્તિ આવે) સમાધાન : અમે પ્રભુને સર્વથા કૃતકૃત્ય માનતા નથી કારણ કે પ્રભુને તીર્થકર નામકર્મ ભોગવવાનું બાકી છે જે ધર્મદેશનાદિ પ્રકાર વિના ભોગવાય નહીં. વળી બીજું એ કે જેમ સૂર્યની પ્રકાશનની ક્રિયા પુરુષ માટે પ્રકાશનું કારણ અને ઘુવડ માટે અંધકારનું કારણ, કમલ માટે 25 ખીલવાનું કારણ ને કુમુદ માટે બીડવાનું કારણ બને છે પણ તેમાં સૂર્યને રાગ-દ્વેષ છે એવું નથી, તેમ ત્રિલોકગુરુની ધર્મદેશનાની ક્રિયા વિભિન્નસ્વભાવવાળા જીવોમાં તે તે જીવોના સ્વભાવને કારણે જ કો'કને બોધ કરાવનારી અને કો'કને બોધ નહીં કરાવનારી છે. વાદિમુખ્ય સિદ્ધસેનદિવાકરસૂરિ)વડે પણ કહેવાયું છે “તમારા વાક્યથી પણ કો'કને બોધ થતો નથી એ વાત મને આશ્ચર્ય ઉપજાવે છે. અરે ! સૂર્યના કિરણો વળી કોને પ્રકાશનું કારણ ન બને 30 ? I૧// એમાં કોઈ આશ્ચર્ય નથી કારણ કે પ્રકૃતિથી ક્લિષ્ટ ચિત્તવાળા ઘુવડને સ્વચ્છ એવા ૪૦. શ્રીમદ્ધઃ સિદ્ધસેનવિરિપáિશિયાતિ પ્રસિદ્ધિઃ + ૦સ્તથન | માવાत्वात्० भवात् । Page #222 -------------------------------------------------------------------------- ________________ 15 ગણધરોદ્વારા સૂત્રરચના (નિ. ૯૦) દરેક ૧૯૯ સ્વચ્છ પ તમન્વેન, મત્તે આસ્વત: 7: રા ફત્યાતિ" यथा वा सुवैद्यः साध्यमसाध्यं व्याधिं चिकित्समानः प्रत्याचक्षाणश्च नातज्ज्ञः न च रागद्वेषवान्, एवं साध्यमसाध्य भव्याभव्यकर्मरोगमपनयन्ननपनयंश्च भगवान्नातज्ज्ञो न च रागद्वेषवानिति अल प्रसङ्गेनेति गाथार्थः ॥८९॥ तं बुद्धिमएण पडेण गणहरा गिहिउं निरवसेसं । तित्थयरभासियाइं गंथंति तओ पवयणट्ठा ॥१०॥ व्याख्या-'तां' इति तां ज्ञानकुसुमवृष्टिं, बुद्धिमयेन-बुद्ध्यात्मकेन, बुद्धिरेवात्मा यस्यासौ વૃદ્ધચાત્મતે, ન પદેન, “TTધર:' પ્રાપુ: “પ્રદીતું' માતાનું ‘નિરવશેષાં' સંપૂuf ज्ञानकुसुमवृष्टिं, बीजादिबुद्धित्वाद्गणधराणां, ततः किं कुर्वन्ति ?–भाषणानि भाषितानि, भावे निष्ठाप्रत्ययः, तीर्थंकरस्य भाषितानि तीर्थंकरभाषितानि इति समासः, कुसुमकल्पानि, ग्रनन्ति 10 विचित्रकुसुममालावत्, किमर्थमित्याह-प्रगटं प्रशस्तं प्रधानमादौ वा वचनं प्रवचनं-द्वादशाङ्गं गणिपिटकं तदर्थं, कथमिदं भवेदितियावत्, प्रवक्तीति वा प्रवचनं सङ्घस्तदर्थमिति गाथार्थः III. प्रयोजनान्तरप्रतिपिपादयिषयेदमाहપણ સૂર્યના કિરણો અંધકાર તરીકે ભાસે છે. રા. અથવા જેમ સાધ્ય રોગની ચિકિત્સા કરતો કે અસાધ્ય એવા રોગની ઉપેક્ષા કરતો એવો સુર્વઘ ચિકિત્સાને જાણતો નથી એવું નથી, કે રાગ-દ્વેષવાળો છે એવું પણ નથી, તેમ ભવ્યજીવોના સાધ્યકર્મરોગને દૂર કરતા અને અભવ્યોના અસાધ્યકર્મરોગની ઉપેક્ષા કરતા પ્રભુ, એસર્વજ્ઞ કે અવીતરાગ છે એવું નથી. (અથવા યોગ્ય સ્થળે ચિત્રને દોરતો અને અયોગ્ય સ્થળે ચિત્રને નહીં દોરતો ચિત્રકાર ચિત્રકળાની જાણકારી વિનાનો છે કે રાગ-દ્વેષવાળો છે એવું નથી 20 તેમ યોગ્ય જીવોને પ્રતિબોધ કરતા અને અયોગ્ય જીવો ઉપર ઉદાસીનતા રાખનાર પ્રભુ અસર્વજ્ઞ કે અવતરાગ નથી.) IIટલા ગાથાર્થ : તે કુસુમવૃષ્ટિને બુદ્ધિરૂપ વસ્ત્રમાં ગ્રહણ કરી ગણધરો તીર્થકરવડે કહેવાયેલા સર્વ શબ્દરૂપ પુષ્પોને પ્રવચન માટે ગૂંથે છે. ટીકાર્થ : ગણધરો તે જ્ઞાનરૂપ કુસુમવૃષ્ટિને બુદ્ધિરૂપી પટ (વસ્ત્રોમાં ગ્રહણ કરે છે. બુદ્ધિ 25 એ જ છે સ્વરૂપ જેનું એવું બુદ્ધિ–આત્મક પટ એવો શબ્દાર્થ જાણવો. ગણધરો બીજાદિ બુદ્ધિવાળા હોવાથી આ બીજાદિ બુદ્ધિવડે સંપૂર્ણ જ્ઞાનરૂપ કુસુમવૃષ્ટિને ગ્રહણ કરી તીર્થકરોના બોલાયેલા શબ્દરૂપ કુસુમોને વિચિત્ર પુષ્પોની માળાની જેમ ગૂંથે છે. શા માટે ગૂંથે છે ? તે કહે છે – પ્રગટ, પ્રશસ્ત, પ્રધાન અથવા આદિમાં જે વચન તે પ્રવચન = દ્વાદશાંગી, આ દ્વાદશાંગી માટે શબ્દરૂપ પુષ્પોને ગૂંથે છે અથવા પ્રવચન એટલે સંઘ, તેને માટે ગૂંથે. I૯oો. અવતરણિકા : પ્રવચન રચવાનું બીજું પ્રયોજન બતાવતા કહે છે ; 30. Page #223 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) वित्तुं च सुहं सुहगणणधारणा दाउं पुच्छिउं चेव । एएहिं कारणेहिं जीयंति कयं गणहरेहिं ॥९१॥ व्याख्या- 'ग्रहीतुं च' आदातुं च ग्रथितं सत्सूत्रीकृतं सुखं भवति अर्हद्वचनवृन्दं, कुसुमसंघातवत्, 'चः' समुच्चये, एतदुक्तं भवति — पदवाक्यप्रकरणाध्यायप्राभृतादिनियत5 क्रमस्थापितं जिनवचनं अयत्नेनोपादातुं शक्यते, तथा गणनं च धारणा च गणनधारणे ते अपि सुखं भवतः ग्रथिते सति तत्र गणनं - एतावदधीतं एतावच्चाध्येतव्यमिति, धारणा अप्रच्युतिः अविस्मृतिरित्यर्थः, तथा दातुं प्रष्टुं च 'सुखं' इत्यनुवर्त्तते, 'चः' समुच्चय एव, एवकारस्य तु व्यवहितः संटङ्कः, ग्रहीतुं सुखमेव भवतीत्थं योजनीयं तत्र दानं शिष्येभ्यो निसर्गः, प्रश्न:संशयापत्तौ असंशयार्थं विद्वत्सन्निधौ स्वविवक्षासूचकं वाक्यमिति, 'एभिः कारणैः' अनन्तरोक्तैर्हेतुभूतैः 10 ‘નીવિત' કૃતિ અવ્યવિિત્તનયામિપ્રાયત: સૂત્રમેવ ‘નીયંતિ પ્રાતૌત્યા ‘ભૂત' રચિતં ગળધરે:, अथवा जीतमिति अवश्यं गणधरैः कर्त्तव्यमेवेति, तन्नामकर्मोदयादिति गाथार्थः ॥ ९९ ॥ ૨૦૦ ગાથાર્થ : સુખપૂર્વક ગ્રહણ કરવા, સુખપૂર્વક ગણન કરી શકાય, ધારી શકાય, બીજાને આપી શકાય અને પૂછી શકાય એ કારણોથી ગણધરોવડે સૂત્ર કરાયું = રચાયું છે. ટીકાર્ય : સૂત્રરૂપે ગૂંથેલું અર્હચનવૃંદ કુસુમસમૂહની જેમ સુખપૂર્વક ગ્રહણ કરી 15 શકાય છે, અર્થાત્ પદ, વાક્ય, પ્રકરણ, અધ્યયન, પ્રાકૃત વગેરે ચોક્કસ ક્રમે સ્થાપિત કરેલ જિનવચન સુખેથી ગ્રહણ કરી શકાય છે તથા ગ્રંથરૂપે થયેલ શ્રુતનું ગણન અને ધારણ પણ સુખપૂર્વક થઈ શકે છે. અહીં ગણન એટલે આટલું ભણાયું અને આટલું ભણવાનું બાકી છે. તથા ધારણા એટલે ભૂલાયું નહીં તે. તથા ગ્રંથ રૂપે રહેલ શ્રુત સુખપૂર્વક બીજાને આપવા કે પૂછવા માટે શક્ય છે. તેમાં દાન એટલે શિષ્યોને આપવું = ભણાવવું અને પ્રશ્ન 20 એટલે શંકિત પદાર્થોને નિશ્ચિત કરવા વિદ્વાન્ પાસે સ્વવિવક્ષા પોતાના અભિપ્રાયને પ્રગટ કરતું વાક્ય. = મૂળગાથામાં રહેલ ‘Ç' કાર શબ્દનો વ્યવહિત સંબંધ છે અર્થાત્ જ્યાં છે તેના કરતા જુદી જગ્યાએ જોડવાનો છે તેથી અર્થ આ પ્રમાણે થશે કે સુખપૂર્વક જ ગ્રહણ કરી શકાય છે. આ બધા કારણોથી ગણધરોવડે શ્વેત રચાયું છે. તથા ‘ઝીવિત’ એટલે સદાકાળ રહેનારું, 25 દ્રવ્યાસ્તિકનયના મતે શ્રુત પણ સદાકાળ માટે રહેનારું હોવાથી શ્રુત જ જીવિત શબ્દથી જાણવું. અહીં પ્રાકૃત હોવાને કારણે જીવિત શબ્દનું નીય થયું છે. (ભાવાર્થ એ છે કે દ્વાદશાંગીનું સદાકાળ અવસ્થાન થાય તે માટે ગણધરોએ તેને સૂત્રરૂપે રચ્યું છે.) અથવા ‘નીત’એટલે આચાર-ગણધરોવડે અવશ્ય શ્રુતની રચના કરવા યોગ્ય છે આવો પોતાનો આચાર જાણી ગણધરો શ્રુતની રચના કરે છે. આ આચાર ગણધરોને ગણધરનામકર્મના 3) ઉદયથી હોય છે. ૯૧ * શયં। Page #224 -------------------------------------------------------------------------- ________________ અરિહંતો અર્થ કહે છે, ગણધરો સૂત્ર રચે છે. (નિ. ૯૨) # ૨૦૧ आह-तीर्थकरभाषितान्येव सूत्रं, गणधरसूत्रीकरणे तु को विशेष इति, उच्यते, स हि भगवान् विशिष्टमतिसंपन्नगणधरापेक्षया प्रभूतार्थमर्थमात्रं स्वल्पमेव अभिधत्ते, न त्वितरजनसाधारणं ग्रन्थराशिमिति, अंत आह अत्थं भासइ अरहा सुत्तं गंथंति गणहरा निउणं । सासणस्स हियट्ठाए तओ सुत्तं पवत्तइ ॥१२॥ गाथेयं प्रायो निगदसिद्धैव, चालनीप्रत्यवस्थानमात्रं त्वभिधीयते-कश्चिदाह-अर्थोऽनभिलाप्यः, तस्य अशब्दरूपत्वात्, अतस्तं कथमसौ भाषत इति, उच्यते, शब्द एव अर्थप्रत्यायनकार्यत्वाद् उपचारतः खलु अर्थ इति, यथा आचारवचनत्वाद् आचार इत्यादि, 'निपुणं' सूक्ष्मं बह्वर्थं च, नियतगुणं वा निगुणं, सन्निहिताशेषसूत्रगुणमितियावत्, पाठान्तरं वा અવતરણિકા : શંકા : તીર્થકરોવડે બોલાયેલ પદાર્થો જ સૂત્રરૂપે થાઓ. ગણધરો શા માટે 10 સૂત્રરચના કરે છે ? અથવા તીર્થકરોવડે બોલાયેલ વચનો જ ગણધરો સૂત્રરૂપે રચે છે તેમાં વિશેષ ભેદ શું છે ? સમાધાન : તે ભગવાન વિશિષ્ટમતિસંપન્ન ગણધરોની અપેક્ષાએ પ્રભૂત અર્થવાળા સ્વલ્પપદાર્થોને જ કહે છે અર્થાત્ પ્રભુ ઘણું ઓછું બોલે છે. પણ સામાન્યજનને સમજાય એ રીતે વિસ્તારથી કહેતા નથી. તેથી ગણધરો સામાન્યજનને યોગ્ય થાય એ રીતે સૂત્ર રચના કરે છે. 15 આ જ વાતને કહે છે ? ગાથાર્થ : અરિહંતો અર્થને કહે છે. ગણધરો શાસનના હિત માટે સૂક્ષ્મ અર્થોને કહેનારા સૂત્રની રચના કરે છે. ત્યારથી સૂત્ર પ્રવર્તે છે. ટીકાર્થ : આ ગાથા પ્રાયઃ ઉચ્ચાર કરવા માત્રથી જ સમજાઈ જાય એવી છે તેથી ચાલના (પ્રશ્નો અને પ્રત્યવસ્થાન (ઉત્તર) માત્ર જ બતાવશું. શંકા : અર્થ એ શબ્દરૂપે ન હોવાથી અનભિલાખ = કહેવા યોગ્ય નથી તેથી અરિહંતો અર્થને કહે છે એવું કેમ કહેવાય ? સમાધાન : શબ્દ પોતે અર્થના બોધરૂપ કાર્ય(ફળ)વાળો છે, અર્થાત્ અર્થના બોધનું કારણ છે તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી શબ્દ પોતે જ અર્થ તરીકે કહેવાય છે. જેમ કે આચારને દર્શાવનાર વચન આચાર જ કહેવાય છે. આ સૂત્ર પોતે નિપુણ છે અર્થાત સૂક્ષ્મ પદાર્થોને જણાવનારું 25 અને ઘણા અર્થોવાળું છે અથવા ચોક્કસ ગુણોવાળું છે અર્થાત્ સારી રીતે સ્થાપિત કર્યા છે સંપૂર્ણ સૂત્રના ગુણો જેમાં એવું આ સૂત્ર છે અથવા નિપુણ શબ્દ ગણધરોના વિશેષણ તરીકે ક્યાંક જોડેલો છે તેથી અર્થ આ પ્રમાણે કરવો ગણધરો સૂક્ષ્માર્થને જોનારા = કહેનારા હોવાથી નિપુણ છે અથવા ગણધરો સમસ્ત ગુણોવાળા હોવાથી નિયતગુણવાળા અથવા નિગુણવાળા છે. * ગત વર, તલૅવાદ + તિર્થે I A ચીનન ! 30 20 Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) 'गणहरा निपुणा निगुणा वा' आह-शब्दमेवार्थप्रत्यायक अर्हन् भाषते, न तु साक्षादर्थं, गणभृतोऽपिच शब्दात्मकमेव श्रुतं ग्रनन्ति, कः खल्वत्र विशेष इति, उच्यते, गाथा संबन्धाभिधान एव विहितोत्तरत्वात् यत्किञ्चिदेतत् । ॥१२॥ ___ आह-तत्पुनः सूत्रं किमादि किंपर्यन्तं कियत्परिमाणं को वाऽस्य सार इति, उच्यते सामाइयमाईयं सुयनाणं जाव बिन्दुसाराओ । तस्सवि सारो चरणं सारो चरणस्स निव्वाणं ॥१३॥ व्याख्या-सामायिकमादौ यस्य तत्सामायिकादि, श्रुतं च तज्ज्ञानं च श्रुतज्ञानं 'यावद्विन्दुसाराद्' इति बिन्दुसारं यावत् बिन्दुसारपर्यन्तमित्यर्थः, यावच्छब्दादेव तु द्व्यनेकद्वादशभेदं, 'तस्यापि' श्रुतज्ञानस्य ‘सार:' फलं प्रधानतरं वा, चारश्चरणं भावे ल्युट्प्रत्ययः, चर्यते वा अनेनेति 10 चरणं, परमपदं गम्यत इत्यर्थः, सारशब्दः प्रधानफलपर्यायो वर्त्तते, अपिशब्दात् सम्यक्त्वस्यापि सारश्चरणमेव, अथवा व्यवहितो योगः, तस्य श्रुतज्ञानस्य सारश्चरणमपि, अपिशब्दात् निर्वाणमपि, શંકા : અર્થને જણાવનાર એવા શબ્દોને અરિહંતો કહે છે પરંતુ સાક્ષાત અર્થોને નહીં અને ગણધરો પણ શબ્દાત્મક શ્રુતને જ રચે છે તો બંનેમાં તફાવત શું રહ્યો ? સમાધાન : પૂર્વની ગાથાના સંબંધમાં જ = અવતરણિકામાં જ આ શંકાનું સમાધાન કહી 15 દેવામાં આવ્યું છે. (તે એ કે અરિહંતો થોડું જ કહે છે, જે ગણધરો જ સમજી શકે છે. જયારે ગણધરો, સાધારણ માણસ પણ સમજી શકે એ માટે વિસ્તારથી સૂત્ર રચે છે.) l૯રા અવતરણિકા : શંકા : આ શ્રુતની શરૂઆત ક્યાંથી થાય છે અને તેનો અંત ક્યાં થાય છે? અને આ શ્રત કેટલું છે ? અને તેનો સાર શું છે ? 9 ગાથાર્થ : સામાયિકથી લઈને બિંદુસાર સુધી આ શ્રુતજ્ઞાન છે તેનો સાર ચારિત્ર છે અને 20 આ ચારિત્રનો સાર મોક્ષ છે. ટીકાર્થ : સામાયિક એ છે આદિમાં જેને તે સામાયિકાદિ; શ્રત એવું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન, બિંદુસાર (ચૌદમું પૂર્વ) સુધીનું શ્રુતજ્ઞાન.આશય એ છે કે શ્રુતજ્ઞાન સામાયિકથી લઈ બિંદુસાર સુધીનું છે. ‘માવત્' શબ્દથી તે શ્રુતજ્ઞાન અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ બે પ્રકારનું છે. તેમાં અંગબાહ્ય અનેક પ્રકારનું અને અંગપ્રવિષ્ટ આચારાંગાદિ ભેદથી બાર પ્રકારનું છે. તે શ્રુતજ્ઞાનનો 25 સાર એટલે કે ફલ અથવા શ્રુતજ્ઞાનથી પ્રધાનતર ચારિત્ર છે. જેનાવડે જવાય તે ચારિત્ર અર્થાત જેનાવડે પરમપદ તરફ જવાય તે ચારિત્ર. સાર શબ્દ પ્રધાન અને ફલ અર્થમાં છે. તેથી શ્રુતજ્ઞાનનું ફલ અથવા શ્રુતજ્ઞાનથી પ્રધાન ચારિત્ર છે એવો અર્થ પ્રાપ્ત થાય છે. શ્રુતજ્ઞાનસ્થાપિ' અહીં “અપિ” શબ્દથી એટલું જાણવું કે સમ્યક્ત્વનું પણ ફલ ચારિત્ર જ છે. અથવા “અપિ” શબ્દ અન્ય સ્થાને ( ચારિત્રની પછી) જોડવો. તેથી શ્રુતજ્ઞાનનું ફલ ચારિત્ર 30 + થાર્થસંવન્યા Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ જ્ઞાન અને ચારિત્ર(ક્રિયા)નું ફલ મોક્ષ (નિ. ૯૩) अन्यथा ज्ञानस्य निर्वाणहेतुत्वं न स्यात्, चरणस्यैव ज्ञानरहितस्यापि स्याद्, अनिष्टं चैतत्, " सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग: ( तत्त्वार्थे अ० १ सू० १ ) इति वचनात्, इह त्वनन्तरँफैलत्वाच्चरणस्य तदुपलब्धिनिमित्तत्वच्च श्रुतस्य निर्वाणहेतुत्वसामान्ये सत्यपि ज्ञानचरणयोर्गुणप्रधानभावादित्थमुपन्यास इति, अलं विस्तरेण, 'सार:' फलं 'चरणस्य' संयमतपोरूपस्य, निर्वृतिर्निर्वाणं-अशेषकर्मरोगापगमेन जीवस्य स्वरूपेऽवस्थानं मुक्तिपदमितियावत्, 5 इहापि नियमतः शैलेश्यवस्थानन्तरमेव निर्वाणभावात् क्षीणघनघातिकर्मचतुष्कस्यापि च निरतिशयज्ञानसमन्वितस्य तामन्तरेणाभावात्, अत उक्तं - सारश्चरणस्य निर्वाणं इति, अन्यथा हि तस्यामपि शैलेश्यवस्थायां क्षायिके ज्ञानदर्शने न न स्त इति, अतः सम्यग्दर्शनादित्रयस्यापि પણ છે. તથા ‘અપિ શબ્દથી નિર્વાણ પણ છે. અન્યથા એટલે કે જો શ્રુતજ્ઞાનનું ફલ નિર્વાણ પણ છે એવું ન માનો તો જ્ઞાન એ નિર્વાણનું કારણ બને નહીં અને જ્ઞાનથી રહિત એવું પણ 10 ચારિત્ર જ નિર્વાણનું કારણ બને, પરંતુ એ બરાબર નથી કારણ કે ‘સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એ ત્રણનો સમુદાય એ મોક્ષમાર્ગ છે.' આવું વચન છે. તેથી શ્રુતજ્ઞાનનું નિર્વાણ પણ ફલ છે જ. શંકા : જો શ્રુતજ્ઞાનનું ફલ નિર્વાણ છે તો મૂળ ગાથામાં ‘શ્રુતજ્ઞાનનું ફલ ચારિત્ર અને ચારિત્રનું ફલ મોક્ષ છે.’એવું શા માટે લખ્યું ? 15 સમાધાન જ્ઞાન અને ચારિત્ર બંને નિર્વાણના હેતુ હોવા છતાં શૈલેશી-અવસ્થારૂપ (સર્વસંવર)ચારિત્રની પ્રાપ્તિ થયા પછી તરત જ મોક્ષની પ્રાપ્તિ થતી હોવાથી નિર્વાણ એ ચારિત્રનું અનંતરફલ છે અને માટે ચારિત્ર એ નિર્વાણનું પ્રધાન કારણ છે. જ્યારે જ્ઞાન એ ચારિત્રપ્રાપ્તિનું કારણ હોવાથી નિર્વાણ એ જ્ઞાનનું પારંપરિક ફલ છે અને માટે જ્ઞાન એ નિર્વાણનું ગૌણ કારણ છે. આમ જ્ઞાન અને ચારિત્ર એ નિર્વાણ પ્રત્યે ગૌણ-પ્રધાનભાવે હોવાથી મૂળગાથામાં ઉપરોક્ત 20 રીતે ઉપન્યાસ કરેલ છે. સંયમ-તપરૂપ ચારિત્રનું ફલ નિર્વાણ છે. નિવૃતિ એ નિર્વાણ છે એટલે કે સંપૂર્ણ કર્મરોગ દૂર કરવાવડે જીવનું પોતાના સ્વરૂપમાં રહેવું તે નિર્વાણ અર્થાત્ મુક્તિપદ. અહીં પણ ચારિત્રના ફલ તરીકે નિર્વાણ કહ્યું તે નિયમથી શૈલેશી-અવસ્થામાં થનાર સર્વસંવરરૂપ ચારિત્ર પછી જ નિર્વાણ થતું હોવાથી અને ચાર ઘનઘાતિકર્મોને નાશ કરનાર, નિરતિશય કેવળજ્ઞાનથી યુક્ત એવા જિનને પણ તે શૈલેશી-અવસ્થા (ચારિત્ર)વિના નિર્વાણની 25 પ્રાપ્તિ થતી ન હોવાથી ચારિત્રના પ્રધાનપણાને આશ્રયીને જ કહ્યું છે કે ‘ચારિત્રનો સાર નિર્વાણ છે.' બાકી તો તે શૈલેશી-અવસ્થામાં ક્ષાયિકજ્ઞાન-દર્શન પણ છે તો ખરાં જ. આશય એ છે કે શૈલેશીઅવસ્થામાં જ્ઞાન-દર્શન અને ચારિત્ર ત્રણેની હાજરી છે છતાં મૂળ ગાથામાં ચારિત્રનું ફલ મોક્ષ છે એવું જે કહ્યું તે ચારિત્રની પ્રધાનતા અને જ્ઞાન-દર્શનની ગૌણતાને ४१. शैलेश्यवस्थारूपचरणावाप्तेरनन्तरं मोक्षावाप्तेः, क्षायिकज्ञानप्राप्तेरनन्तरं तु न, 30 देशोनपूर्वकोटी विहरणादुत्कृष्टतो दर्शनं तु चतुर्थेऽपि न च तदनन्तरमपि तदाप्तिः । ४२. ज्ञानस्य फलं विरतिरिति पढमं नाणं तओ दया इत्यादिवचनात् । Page #227 -------------------------------------------------------------------------- ________________ 5 ૨૦૪ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) समुदितस्य सतो निर्वाणहेतुत्वं न व्यस्तस्येति गाथार्थः ॥९३॥ तथा चाह नियुक्तिकारः- सुअनामिवि जीवो वट्टंतो सो न पाउणइ मोक्खं । जो तवसंजममइए जोए न चएइ वोढुं जे ॥ ९४॥ गमनिका -' श्रुतज्ञाने अपि' इति अपिशब्दान्मत्यादिष्वपि जीवो वर्त्तमानः सन् न प्राप्नोति मोक्षमिति, अनेन प्रतिज्ञार्थः सूचितः यः किंविशिष्ट इति, आह— यस्तपःसंयमात्मकान् योगान्न शक्नोति वोढुं इति, अनेन हेत्वर्थ इति, दृष्टान्तस्त्वभ्यूह्यो वक्ष्यति वी, प्रयोगश्च - 'न ज्ञानमेव ईप्सितार्थप्रापकं, सत्क्रियाविरहात्, स्वदेशप्राप्त्यभिलाषिगमनक्रियाशून्यमार्गज्ञज्ञानवत्, सौत्रो वा આશ્રયી જાણવું. આમ પ્રધાનતા અને ગૌણતાને આશ્રયી આ કથન હોવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન10 ચારિત્ર ત્રણ ભેગા થયેલા છતાં જ (એકલાં નહીં) નિર્વાણની પ્રાપ્તિના કારણ છે એ વાત પણ ખંડિત થતી નથી. ૧૯૩૦ ગાથાર્થ : શ્રુતજ્ઞાનમાં પણ વર્તતો તે જીવ મોક્ષ પામી શકતો નથી જે તપસંયમાત્મક યોગોને વહન કરવામાં સમર્થ નથી. ટીકાર્થ : શ્રુતજ્ઞાનમાં પણ', પણ શબ્દથી મતિજ્ઞાન વગેરેમાં પણ વર્તતો તે જીવ મોક્ષ 15 પામતો નથી.' આના દ્વારા પ્રતિજ્ઞાવાક્ય દર્શાવ્યું પંચ-અવયવાત્મક અનુમાન પ્રયોગનો પ્રથમ અવયવ પ્રતિજ્ઞા છે. પોતાને જે વાત સિદ્ધ કરવી હોય તે દર્શાવતું વાક્ય પ્રતિજ્ઞાવાક્ય કહેવાય. અહીં શ્રુતજ્ઞાની ચારિત્ર વિના મોક્ષ પામતો નથી એવું કહેવા દ્વારા જ્ઞાનમાત્રથી મોક્ષપ્રાપ્તિ નથી એવું સિદ્ધ કરવું છે. તેને જણાવનાર ઉપરોક્ત વાક્ય પ્રતિજ્ઞાવાક્ય કહેવાય.) શ્રુતજ્ઞાનમાં પણ વર્તતો તે જીવ કોણ છે જે મોક્ષ પામતો નથી ? તેનો ઉત્તર આપે છે– 20 જે તપ સંયમાત્મક યોગોને વહન કરતો નથી. આના દ્વારા હેતુવાક્ય દર્શાવ્યું. (અનુમાન પ્રયોગનો બીજો અવયવ હેતુવાક્ય હોય છે. જેના દ્વારા ઉપરોક્ત પ્રતિજ્ઞાવાક્યની સિદ્ધિ કરવાની છે તે જણાવનાર વાક્ય હેતુવાક્ય છે.) દૃષ્ટાંત (અનુમાન પ્રયોગનો ત્રીજો અવયવ દૃષ્ટાંત છે.) તમારે જાતે જાણી લેવું અથવા ગ્રંથકારશ્રી જાતે આગળ દેખાડશે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે જાણવો → જ્ઞાનમાત્ર (ક્રિયારહિત) જ ઈચ્છિત—અર્થનું પ્રાપક 25 (પ્રાપ્તિનું કારણ) નથી, કારણ કે એકલું જ્ઞાન સન્ક્રિયાથી રહિત છે. જેમ કે, પોતાના દેશનાં પ્રાપ્તિ માટે ઈચ્છિત (જરૂરી) ગમનક્રિયાથી શૂન્ય એવા વ્યક્તિનું માર્ગનું જ્ઞાન, (અર્થાત્ જેમ પોતાના દેશમાં જવાનીઇચ્છાવાળા વ્યક્તિને ભલે ત્યાં જવા સુધીના માર્ગનું સંપૂર્ણ જ્ઞાન તેના પાસે હોય, છતાં તેનું આ જ્ઞાન તે વ્યક્તિની દેશ તરફ જવાની ક્રિયા વિના સ્વદેશસુધી પહોંચાડી શકતું નથી) અથવા સૌત્ર (સૂત્રમાં બતાવેલ) દૃષ્ટાંત માર્ગને જાણનાર એવા નિર્યામક 3() (જહાજને ચલાવનાર)થી યુક્ત, છતાં ઈચ્છિત દિશા તરફ જહાજને લઈ જનાર પવનની ક્રિયાથી * વ + Page #228 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર વિના જ્ઞાનને પણ મોક્ષની અપ્રાપ્તિ (નિ. ૯૫-૯૬) & ૨૦૫ दृष्टान्तः मार्गज्ञनिर्यामकाधिष्ठितेप्सितदिक्संप्रापकपवनक्रियाशून्यपोतवत्, 'जे' इति पादपूरणे, 'इंजेराः पादपूरणे' इति वचनात् ॥९४॥ तथा चाह जह छेयलद्धनिज्जामओवि वाणियगइच्छियं भूमिं । वाएण विणा पोओ न चएइ महण्णवं तरिउं ॥९५।। तह नाणलद्धनिज्जामओवि सिद्धिवसहिं न पाउणइ । निउणोवि जीवपोओ तवसंजममारुअविहूणो ॥१६॥ ચાહ્ય-ચેન પ્રકારે રથ, ‘છેડ્યો' વક્ષ:, નિઃ-પ્રાપ્તો નિમવો ચેન પોતે સ तथाविधः, अपिशब्दात् सुकर्णधाराधिष्ठितोऽपि, वणिज इष्टा वणिगिष्टा तां भूमि, महार्णवं तरितुं वातेन विना पोतो न शक्नोति, प्राप्तुमिति वाक्यशेषः ॥९५॥ तथा श्रुतज्ञानमेव लब्धो निर्यामको येन-जीवपोतेनेति समासः, अपिशब्दात्सुनिपुणमतिज्ञानकर्णधाराधिष्ठितोऽपि, शेषं निगदसिद्धं, 10 किन्त निपणोऽपि' पण्डितोऽपि, श्रतज्ञानसामान्याभिधाने सत्यपि तदतिशयख्यापनार्थं निपुणग्रहणं, तस्मात् तपःसंयमानुष्ठाने खल्वप्रमादवता भवितव्यमिति गाथाद्वयार्थः ॥१६॥ શૂન્ય એવું જહાજ. (આશય એ છે કે જેમ પવનક્રિયાથી શૂન્ય એવા જહાજને માર્ગ જાણનાર ખલાસી ઇચ્છિત દેશ સુધી પહોંચાડી શકાતો નથી, તેમ જ્ઞાનમાત્ર જો સન્ક્રિયાથી રહિત હોય તો ઇચ્છિતવસ્તુની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ બનતું નથી.) મૂળગાથામાં રહેલ “જે' શબ્દ પાદપૂર્તિમાં 15 છે, કારણ કે ‘ઇ', ‘જે' અને “ર' આ ત્રણે પાદપૂર્તિમાં વપરાય છે” એવું વચન છે. ૧૯૪ll ગાથાર્થ : જેમ દક્ષ એવા નિર્ધામકવાળું જહાજ પવન વિના મહાસમુદ્રને તરીને વેપારીની - ઇચ્છિત ભૂમિને પામી શકતું નથી. ગાથાર્થ : તેમ જ્ઞાનરૂપ નિર્ધામકવાળું નિપુણ એવું પણ જીવ રૂપ જહાજ તપસંયમરૂપ પવનથી રહિત હોય તો સિદ્ધિવસતિને પામી શકતું નથી. ટીકાર્થ : જેમ, હોશિયાર નિર્ધામક પ્રાપ્ત કરાયેલો છે જે જહાજવડે, તે હોશિયાર નિર્ધામકવાળું જહાજ પણ, ‘પણ” શબ્દથી સારા કર્ણધારવાળું એવું પણ જહાજ પવન વિના મહાસમુદ્રને તરીને વેપારીઓની ઇચ્છિત ભૂમિને પ્રાપ્ત કરવા સમર્થ બનતું નથી. અહીં પ્રાપ્ત કરવા માટે' એવું વાક્યશેષ જોડી દેવું. ૧૯૫ તેમ, શ્રુતજ્ઞાનરૂપી નિર્ધામક પ્રાપ્ત કરાયેલ છે જેનાવડે તેવું જીવરૂપ જહાજ પણ, પણ 25 શબ્દથી સુનિપુણ મતિજ્ઞાનરૂપી કર્ણધારથી યુક્ત એવું પણ જીવરૂપ જહાજ, નિપુણ હોવા છતાં (કુશળ હોવા છતાં) તપ-સંયમરૂપ પવન વિના સિદ્ધિરૂપ વસતિને = ગામને પામી શકતું નથી. અહીં નિપુણ એટલે પંડિત અર્થ કરવો. શ્રુતજ્ઞાનવાળું આ જીવરૂપ પોત (વહાણ) છે એવું સામાન્યથી કહ્યા પછી નિપુણ શબ્દનું ગ્રહણ શ્રુતજ્ઞાનના અતિશયને જણાવવા કર્યું છે અર્થાત્ આ જીવ વિશિષ્ટશ્રુતજ્ઞાનવાળો છે છતાં તપ-સંયમ ન હોય તો સિદ્ધિગતિને પ્રાપ્ત કરી શકતો નથી. 30 તેથી તપ-સંયમને આચરવામાં અપ્રમત્ત થવા યોગ્ય છે. ||૯૬ો + નેત: પરમ્ | * go | 20. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ 10 આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तथा चेहौपदेशिकमेव गाथासूत्रमाह नियुक्तिकार:संसारसागराओ उब्बुड्डो मा पुणो निबुड्डिज्जा । चरणगुणविप्पी बड्ड़ सुबहुपि जाणतो ॥९७॥ पदार्थस्तु दृष्टान्ताभिधानद्वारेणोच्यते- - यथा नाम कश्चित्कच्छपः प्रचुरतृणपत्रत्मिक5 निश्छिद्रपटलाच्छादितोदकान्धकारमहाहूदान्तर्गतानेकजलचरक्षोभादिव्यसनव्यथितमानसः परिभ्रमन्कथञ्चिदेव पटलरन्ध्रमासाद्य विनिर्गत्य च ततः शरदि निशानाथकरस्पर्शसुखमनुभूय भूयोऽपि स्वबन्धुस्नेहाकृष्टचित्तः तेषामपि तपस्विनामदृष्टकल्याणानामहमिदं सुरलोककल्पं किमपि दर्शयामि इत्यवधार्य तत्रैव निमग्नः, अथ समासादितबन्धुः तद्रन्ध्रोपलब्ध्यर्थं पर्यटन् अपश्यंश्च कष्टतरं व्यसनमनुभवति स्म । एवमयमपि जीवकच्छपोऽनादिकर्मसन्तानपटलसभाच्छादितान्मिथ्यादर्शनादितमोऽनुगतात्. અવતરણિકા : ઉપરોક્ત ઉપદેશને જ ગાથાવડે બતાડે છે ગાથાર્થ : સંસારસાગરમાંથી (કોઈક રીતે) તું બહાર આવેલો છે, તો હવે (ચારિત્રગુણ વિનાનો થઈને) ફરીથી સંસારસાગરમાં ડૂબતો નહીં. (કારણ કે) ચારિત્રગુણથી રહિત એવો જીવ ઘણુંબધું જાણતો હોવા છતાં ડૂબે છે. 15 ટીકાર્થ : ગાથાનો અર્થ દષ્ટાંત દ્વારા બતાવે છે. જેમ કોઈ કાચબો પુષ્કળ તણખલા અને પાંદડાઓના ઘનસમૂહથી આચ્છાદિત પાણીવાળા અને મહાઅંધકારવાળા એવા મહાદ્રહમાં રહેલા અનેક જલચર જીવોદ્વારા પરાભવાદિ દુઃખોથી વ્યથિત મનવાળો થઈને ચારે બાજુ પરિભ્રમણ કરતો કોઈક રીતે તે પાંદડાદિના સમૂહમાં છિદ્ર સુધી પહોંચ્યો અને તેના દ્વારા બહાર આવી, શરદપૂર્ણિમાના ચંદ્રકિરણોના સ્પર્શનો અનુભવ કરી, પોતાના સ્વજનો પ્રત્યેના 20 સ્નેહથી ખેંચાયેલા ચિત્તવાળો “નથી જોયેલું કલ્યાણ (સુખ) જેઓએ એવા રાંક મારા બંધુજનોને પણ હું આ દેવલોકના સુખ સમાન કંઈક સુખનો અનુભવ કરાવું,' એવું વિચારી, ફરીથી તે મહાદ્રહમાં ડૂબી, પોતાના બંધુજનોને સાથે લાવી તે છિદ્રની પ્રાપ્તિ માટે ચારેબાજુ ભમવા છતાં તે છિદ્રને નહીં જોતો તે કાચબો વધુ કષ્ટદાયી દુ:ખો અનુભવે છે. (આશય એ છે કે મહાઅંધકારવાળા એવા દ્રહમાં પુષ્કળ જલચરજીવોના દુ:ખોથી 25 કંટાળેલો કાચબો પાંદડાદિથી સંપૂર્ણ ઢંકાયેલા મહાદ્રહમાં વચ્ચે કોઈક રીતે છિદ્ર પડવાને કારણે તે છિદ્રમાંથી પોતાનું મોં બહાર કાઢી શરદપૂર્ણિમાનાં ચંદ્રની ચાંદનીનો અનુભવ કરે છે અને વિચારે છે કે લાવ ! આવા સુખનો અનુભવ હું મારા સ્વજનોને પણ કરાવું.” એમ વિચારી ફરી તે દ્રહમાં ડૂબે છે અને અહીં આ બાજુ છિદ્ર પાછું પાંદડાઓથી ઢંકાઈ જાય છે. સ્વજનોને લઈ પાછો આ છિદ્ર ગોતે છે છતાં મળતું નથી. તેથી તે ચાદનીના સ્પર્શસુખનો 30 પોતાના સ્વજનોને અનુભવ નહીં કરાવવા બદલ તથા મોહને કારણે કાયમ માટે તે સુખના અનુભવને પોતે પણ ગુમાવવા બદલ અત્યંત દુઃખો થાય છે. તે જ રીતે આ જીવરૂપી કાચબો પણ અનાદિકાળથી કર્મસંતાનોના સમૂહથી આચ્છાદિત, Page #230 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રગુણોથી રહિતનું જ્ઞાન નિરર્થક (નિ. ૯૮) કે ૨૦૭ विविधशारीरमानसाक्षिवेदनज्वरकुष्ठभगन्दरेष्टवियोगानिष्टसंप्रयोगादिदुःखजलचरानुगतात्, संसरणं संसार:, भावे घञ्प्रत्ययः, स एव सागरस्तस्मात्, परिभ्रमन् कथञ्चिदेव मनुष्यभवसंवर्तनीयकर्मरन्ध्रमासाद्य मानुषत्वप्राप्त्या उन्मग्नः सन् जिनचन्द्रवचनकिरणावबोधमासाद्य दुष्प्रापोऽयमिति जानानः स्वजनस्नेहविषयातचित्ततया मा पुनः कर्मवत् तत्रैव निमज्जेत् । आह-अज्ञानी कर्मो निमज्जत्येव, इतरस्तु ज्ञानी हिताहितप्राप्तिपरिहारज्ञः कथं निमज्जति इति, उच्यते, चरणगुणैः 5 विविधम्-अनेकधा प्रकर्षण हीनः चरणगुणविप्रहीणः निमज्जति बह्वपि जानन्, अपिशब्दात् अल्पमपि, अथवा निश्चयनयदर्शनेन अज्ञ एवासौ, ज्ञानफलशून्यत्वात् इति, अलं विस्तरेणेति થાર્થ !ાણા प्रक्रान्तमेवार्थं समर्थयन्नाह सुबहॅपिसुय' महीयं किं काही ? चरणविप्प हीणस्स । • अंधस्स जह पलित्ता दीवसयसहस्सकोडीवि ॥९८॥ अप्पंपि सुयमहीयं पयासयं होइ चरणजुत्तस्स । મિથ્યાત્વાદિ અંધકારથી યુક્ત, આંખોની વેદના, જવર, કોઢ, ભગન્દરાદિ અનેક પ્રકારની શારીરિક વેદના તથા ઇષ્ટવિયોગ, અનિષ્ટ યોગાદિ માનસિક દુઃખોરૂપી જલચરોથી યુક્ત એવા સંસારસાગરમાંથી, (સંસારમાં) પરિભ્રમણ કરતો કોઈક રીતે મનુષ્યભવની પ્રાપ્તિ કરાવનાર કર્મોદયરૂપ 15 છિદ્રને પામી મનુષ્યત્વની પ્રાપ્તિ કરે છે, અને તેના દ્વારા (સંસારસાગરમાંથી) બહાર નીકળેલો છતો જિનેશ્વરરૂપી ચંદ્રના વચનોરૂપ કિરણોના બોધને મેળવી “અરે ! આ વચનામૃત તો અત્યંત દુર્લભ છે. એવું જાણવા છતાં સ્વજનોના સ્નેહ અને વિષયોની આસક્તિવાળા ચિત્તને કારણે ફરી તે સસસાગરમાં કાચબાની જેમ બે નહીં એવો ઉપદેશ ગ્રંથકારશ્રી આપી રહ્યા છે.) શંકા: કાચબો અજ્ઞાની હોવાથી તેમાં ડૂબે પરંતુ આ જીવ એ તો હિતની પ્રાપ્તિ ને 20 અહિતના પરિહારને જાણનારો છે તેથી તે પાછો સંસારસાગરમાં કેમ ફૂબ ? સમાધાન : જીવ ઘણું બધું પણ જાણવા છતાં, ‘અપિ” શબ્દથી અલ્પ પણ જાણતો છતો, ચારિત્રગુણોથી રહિત હોય તો અવશ્ય સંસારસાગરમાં ડૂબે છે. અથવા જ્ઞાની એવો પણ આ જીવ નિશ્ચયનયથી જ્ઞાનના ફલથી શૂન્ય હોવાને કારણે અજ્ઞાની જ છે. અને તેથી સંસારસાગરમાં ડૂબે છે. વધુ ચર્ચાથી ર્યું. ૯૭ અવતરણિકા : માત્ર જ્ઞાન જ નહીં પરંતુ ચારિત્ર પણ મોક્ષનું કારણ છે એ વાતનું સમર્થન કરતા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ : બળતા લાખ કરોડ દીપકો પણ આંધળી વ્યક્તિ માટે ઉપયોગી નથી, તેમ ચારિત્રરહિત વ્યક્તિનું ભણેલું ઘણું એવું પણ શ્રુત શું કરવાનું છે ? અર્થાત્ ઉપયોગી નથી. ગાથાર્થ : એક એવો પણ દીપક ચક્ષુવાળી વ્યક્તિને પ્રકાશ કરનારો છે તેમ ચારિત્રયુક્ત 30 * ૦ચાનુfo | + તવૈવ ચ દિર્ઘ I ૦મુક્કસ | 25 Page #231 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) safa जह पईवो सचक्खुअस्सा पयासेइ ॥ ९९ ॥ गाथाद्वयमपि निगदसिद्धमेव, नवरं दीपानां शतसहस्राणि दीपशतसहस्त्राणि लक्षा इत्यर्थः, તેષાં જોટી, અપિશા દ્વે અપિ !/૮-૧૨ आह—इत्थं सति चरणरहितानां ज्ञानसंपत् सुगतिफलापेक्षया निरर्थिका प्राप्नोति, उच्यते, 5 કૃત વ, મૃત ગ્રાહ— जहा खरो चंदणभारवाही, भारस्स भागी नहु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी नहु सोग्ईए ॥१००॥ गमनिका -यथा खरः चन्दनभारवाही भारस्य भागी न तु चन्दनस्य एवमेव ज्ञानी चरणेन દીન: જ્ઞાનસ્ય માન્ત ‘ન તુ' નૈવ 'સુતે:' સિદ્ધિયિતાયા રૂતિ ગાથાથ://o ૦૦ इदानीं विनेयस्य मा भूदेकान्तेनैव ज्ञानेऽनादरः, क्रियायां च तच्छ्रन्यायामपि पक्षपात इति, अतो द्वयोरपि केवलयोरिष्टफलासाधकत्वमुपदर्शयन्नाह - 10 ૨૦૮ વ્યક્તિનું ભણેલું અલ્પ એવું પણ શ્રુત આત્મપ્રકાશ કરનારું બને છે. ટીકાર્ય : બંને ગાથા નિગદસિદ્ધ જ છે અર્થાત્ ઉચ્ચારણ માત્રથી જ અર્થ સ્પષ્ટ થઈ જાય છે તેથી તે ગાથા ઉપર ટીકા રચવાની જરૂર નથી. દીપશતસહસ્રકોટા એટલે લાખો 15 દીપકોની એક કોટી, ‘અપિ’ શબ્દથી બે કરોડ વગેરે જાણવા. ।।૯૮-૯૯ અવતરણિકા : શંકા : ઉપરોક્ત વિધાનની અપેક્ષાએ તો ચારિત્રરહિત વ્યક્તિઓની જ્ઞાનસંપત્તિ સુગતિફલની અપેક્ષાએ નિરર્થક થઈ જશે. અર્થાત્ સદ્ગતિ નહી આપતી હોવાથી જ્ઞાનસપત્તિ નિરર્થક બની જશે.) સમાધાન : હા, નિરર્થક જ ગણાય છે કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે હ્ર ગાથાર્થ : જેમ ગધેડો ચંદનના ભારને વહન કરતો ભારનો ભાગી બને છે પણ ચંદનનો ભાગી બનતો નથી, તેમ ચારિત્રરહિત જ્ઞાની માત્ર જ્ઞાનનો જ ભાગી બને છે પણ સદ્ગતિને પ્રાપ્ત કરતો નથી. ટીકાર્થ : ચંદનના ભારને વહન કરનાર ગધેડો જેમ ભારનો જ ભાગ છે. પણ ચંદનનો ભાગી નથી અર્થાત્ ચંદનથી મળતા (ઠંડક વિ.) ફાયદાને પ્રાપ્ત કરી શકતો નથી. 25 તેમ ચારિત્રથી હીન એવો જ્ઞાની પણ જ્ઞાનનો જ ભાગી છે પણ સિદ્ધિરૂપી સૌને ભોગવનારો બનતો નથી. ૫૧૦૦|| 20 અવતરણિકા : એકલું જ્ઞાન સદ્ગતિપ્રાપક નથી એવું સાંભળવાથી કોઈ શિષ્યને એકાન્તે જ્ઞાનમાં અનાદર ન થાય અને જ્ઞાનથી શૂન્ય એવી ક્રિયામાં પણ પક્ષપાત ન થાય તે માટે જ્ઞાન અને ક્રિયા બંને પરસ્પર એકબીજાથી રહિત હોય તો ફલને સાધી આપનારા બનતા 30 નથી એ વાતને ગ્રંથકારશ્રી બતાવે છે * જોપિ । $૦ત્તન્દ્રે અપિ । જૈ સુપ । Page #232 -------------------------------------------------------------------------- ________________ 10 એકબીજાથી નિરપેક્ષ એવા જ્ઞાન અને ક્રિયા નિરર્થક છે. (નિ. ૧૦૧) ક ૨૦૯ हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया । पासंतो पंगुलो दडो, धावमाणो अ अंधओ ॥१०१॥ इयं निगदसिद्धैव, गवरं उदाहरणं-एगंमि महाणगरे पैलीवणं संवुत्तं, तिमि य अणाहा दुवे जणा- पंगुलो य अंधलो य, ते णगरलोए जलणसंभमुब्भंतलोयणे पलायमाणे पासंतो पंगुलओ गमणकिरियाऽभावाओ जाणओऽवि पलायणमग्गं कमागएण अगणिणा दड्डो, अंधोऽवि 5 गमणकिरियाजुत्तो पलायणमग्गमजाणतो तुरितं जलणंतेण गंतुं अगणिभरियाए खाणीए पडिऊण दडो । एस दिटुंतो, अयमत्थोवणओ-एवं नाणीवि किरियारहितो न कम्मग्गिणो पलाइउं समत्थो, इतरोऽवि णाणरहियत्तणओ त्ति । अत्र प्रयोगौ भवतः-ज्ञानमेव विशिष्टफलसाधकं न भवति, सक्रियायोगशून्यत्वात्, नगरदाहे पङ्गलोचनविज्ञानवद्, नापि क्रियैव विशिष्टफलसाधिका, "संज्ञानसंटङ्करहितत्वात्, नगरदाह एव अन्धस्य पलायनक्रियावत् ॥१०१॥ ગાથાર્થ : ક્રિયારહિતનું જ્ઞાન જેમ હણાયેલું છે (નકામું છે) તેમ અજ્ઞાનથી ક્રિયા પણ હણાયેલી છે, જોતો એવો પણ લંગડો અને દોડતો એવો પણ આંધળો, બંને વ્યક્તિ બળી लय छे. ટીકાર્થ : અય ગાથા પણ સ્પષ્ટ અર્થવાળી છે. ઉદાહરણ બતાવે છે – એક મહાનગરમાં पानस उत्पन्न थयो. त्या व्यतिमी अनाथ ती (१) जो अने. (२) सं . 15 અગ્નિના ભયથી પહોળી થયૅલી આંખોવાળા, ચારે બાજુ નાસભાગ કરતા નગરના લોકોને જોતો એવા લગડો ભાગી જવા માટે માર્ગને જાણવા છતાં ભાગી જવાની ક્રિયામાં સમર્થ ન હોવાથી, કમથી આવેલ અગ્નિવડે બળી ગયો અને આંધળો પણ ભાગવા છતાં પલાયનમાર્ગને નહી જાણતા તુરંત અગ્નિ તરફ જઈને અગ્નિથી ભરેલ ખાઈમાં પડી બળી ગયો. આ દૃષ્ટાન્ત છે એનો ઉપનય આ પ્રમાણે છે – એ જ પ્રમાણે જ્ઞાની પણ જો ક્રિયાથી 20 રહિત છે તો તે કર્માગ્નિથી બચી શકવા સમર્થ નથી તથા ક્રિયાવાળો પણ જ્ઞાન વિનાનો હોય તો બચી શકતો નથી. અહીં બે પ્રયોગ બતાવે છે : (૧) એકલું જ્ઞાન સ&િયાના યોગથી શૂન્ય હોવાથી વિશિષ્ટફળનું સાધક નથી જેમ નગરના દાહમાં પંગુની આંખોનું જ્ઞાન, (૨) સમ્યજ્ઞાનના સંરંક (સંબંધો વિનાની માત્ર ક્રિયા પણ વિશિષ્ટફળને સાધનારી નથી. જેમકે નગરના દાહમાં આંધળાની ભાગવાની ક્રિયા. /૧૦૧ll 25 ४३. परमुदाहरणं-एकस्मिन् महानगरे प्रदीपनं संवृत्तं, तस्मिंश्च अनाथौ द्वौ जनौ-अन्धः पङ्गश्च, तौ नगरलोकान् ज्वलनसंभ्रमोद्धान्तलोचनान् पलायमानान् पश्यन्तौ पङ्गः गमनक्रियाऽभावात् जानन्नपि पलायनमार्ग क्रमागतेनाग्निनाः दग्धः, अन्धोऽपि गमनक्रियायुक्तः पलायनमार्गमजानन् त्वरितं ज्वलनान्तिके (ज्वलनमार्गेण ) गत्वाऽग्निभृतायां खनौ (०भृतेऽवटे) पतित्वा दग्धः । एष दृष्टान्तः, अयमत्रोपनयः ( ०मर्थोपनयः) एष ज्ञान्यपि क्रियारहितो न कर्माग्नेः पलायितुं समर्थः, इतरोऽपि ज्ञानरहितत्वात् इति । 30 * पवणगं ।। तम्मिवि । पंगुलओ अंधलओ य । + अंधओ य । ०माणे संते पं० * जाणंतोऽवि। नाणी । ४ ०हितो उण असमत्थो। - प्रसाधकं । । ०प्रसाधिका । सज्ज्ञान० । Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) आह-एवं ज्ञानक्रिययोः समुदितयोरपि निर्वाणप्रसाधकसामर्थ्यानुपपत्तिः प्रसज्यते, प्रत्येकमभावात्, सिकतातैलवत्, अनिष्टं चैतदिति, अत्रोच्यते, समुदायसामर्थ्यं हि प्रत्यक्षसिद्धं, यतो ज्ञानक्रियाभ्यां कटादिकार्यसिद्धय उपलभ्यन्ते एव, न तु सिकतासु तैलं, न च दृष्टमपगोतु शक्यते, एवमाभ्यामदृष्टकार्यसिद्धिरप्यविरुद्वैव, तस्माद्यत्किञ्चिदेतत् । तथा किञ्च-न सर्वथैवानयोः 5 साधनत्वं नेष्यते, देशोपकारित्वात्, देशोपकारित्वमभ्युपगम्यत एव, यत आह - संजोगसिद्धीइ फलं वयंति, नहु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समिच्चा, ते संपउत्ता नगरं पविट्ठा ॥१०२॥ व्याख्या-किंतु तदेव समुदायं समग्रत्वादिष्टफलसाधकं, केवलं तु विकलत्वात् इतरसापेक्षत्वादसाधकमिति, अतः केवलयोरसाधकत्वं प्रतिपादितमिति, अलं विस्तरेण. 10 શંકા : જો આ રીતે એકલું જ્ઞાન કે એકલી ક્રિયા વિશિષ્ટફળને સાધનાર નથી તો તે . બન્નેમાં ભેગા થઈને પણ મોક્ષને સાધી આપવાનું સામર્થ્ય ઘટશે નહીં અર્થાત્ જેમ રેતીના છૂટાછૂટા કણિયામાં તેલ ન હોવાથી રેતીના કણિયાના સમૂહમાંથી પણ તેલ નીકળતું નથી. તેમ એકલા જ્ઞાન અને એકલી ક્રિયા જો ફલપ્રાપ્તિમાં અસમર્થ હોય તો બંને ભેગા થઈને પણ મોક્ષપ્રાપ્તિમાં કારણ નહી બનવાની આપત્તિ આવશે જે ઇષ્ટ નથી, 15 સમાધાન : જ્ઞાન અને ક્રિયાવડે સાદડી વગેરે કાર્યની સિદ્ધિ થતી દેખાતી હોવાથી સમુદાયનું સામર્થ્ય પ્રત્યક્ષસિદ્ધ જ છે. જ્યારે સિક્તા (રેતી)ના સમુદાયમાં કાર્યસિદ્ધિ થતી દેખાતી નથી અર્થાત્ રેતીના સમુદાયમાં તેલ દેખાતું નથી. (આશય એ છે કે રેતીના એક કણિયામાં તેલ દેખાતું નથી તેમ સમુદાયમાં પણ તેલ દેખાતું નથી. જયારે જ્ઞાન અને ક્રિયા એકલા હોય તો કાર્યસિદ્ધિ થતી નથી પરંતુ તે બેના સમુદાયથી કાર્ય સિદ્ધ થતું દેખાય છે.) 20 અને જે દેખાતું હોય તેનો વિરોધ કરવો શક્ય નથી. આમ જ્ઞાન-ક્રિયા સમુદાયથી કાર્યસિદ્ધિ થતી હોવાથી તે બેવડે અદષ્ટકાર્યની સિદ્ધિ પણ અવિરુદ્ધ જ છે. તેથી તમારી શંકા પાયા વિનાની છે. વળી જ્ઞાન-ક્રિયા બંને એકલા હોય ત્યારે સર્વથા કારણ બનતા નથી એવું નથી પણ આંશિક ઉપકારી હોવાથી કોઈક રીતે તેઓ એકલા પણ કારણ બને જ છે. બંનેનું દેશોપકારીત્વ સ્વીકારાયેલું છે જ, કારણ કે કહ્યું છે ? 25 ગાથાર્થ : સંયોગની સિદ્ધિથી (તીર્થકરો)ફલને કહે છે. (લોકમાં પણ) એક ચક્રથી રથ પ્રવર્તતો નથી. આંધળો અને પાંગળો જંગલમાં બંને ભેગા થઈ જોડાયા, તો નગરમાં પ્રવેશ્યા. ટીકાર્થ : બંને દેશોપકારી છે પરંતુ તે બંને જણા ભેગા થાય ત્યારે સંપૂર્ણ સામગ્રી હાજર થવાથી ઇષ્ટફલને સાધનારા છે. એકલા હોય ત્યારે પોતે વિકલ છે અર્થાત સંપૂર્ણ સામગ્રીવાળાં નથી. તેઓ વિકલ શા માટે છે?– જ્ઞાન અને ક્રિયા બંને એકબીજાને સાપેક્ષ હોવાથી એકબીજાથી 30 જ્યારે રહિત હોય ત્યારે તે બંને વિકલ કહેવાય છે, અને વિકલ હોવાથી ઈષ્ટફલના સાધક બનતા નથી. તેથી એકલા તે બંનેનું અસાધકપણું કહ્યું છે. વધુ વિસ્તારથી સર્યું. ગા.નં. ૧૦૧માં Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૧ अंध अने पंगुनुं दृष्टान्त (नि. १०२ ) उक्तसंबन्धंगाथाव्याख्यानं प्रकटार्थत्वान्न वितन्यते, नवरं 'समेत्ये 'त्युक्तेऽपि 'तौ संप्रयुक्ता' विति • पुनरभिधानमात्यन्तिकसंयोगोपदर्शनार्थमिति । एत्थं उदाहरणं - एगंमि रणे रायभरण नगराओ उव्वसिय लोगो ठितो, पुणोवि धाडिभयेण ये वहणाणि उज्झिअ पलाओ तत्थ दुवे अणाहप्पाओ, अंधो पंगू य उज्झिया, गयाए धाडीए लोगग्गिणा वातेण वणदवो लग्गो, ते य भीया, अंधो छुट्ट कच्छो अरिंगण पलायड़, पंगुणा भणितं - अंध ! मा इतो णास णं, इतो चेव अग्गी, तेण 5 भणित-- कुतो पुण गच्छामि ? पंगुणा भणितं - अहंपि पुरतो अतिदूरे मग्गदेणाऽसमत्थो पंगू, तामं खंधे करेहि, जेण अहिकंटकजलणादि अवाए परिहरावेंतो सुहं ते नगरं पावेमि, तेणं तहत्ति पडिवज्जिय अणुट्ठितं पंगुवयणं, गया य खेमेण दोवि णगरं ति । एस दिट्टंतो, अयमत्थोवणओणाकिरियाहिं सिद्धिपुरं पाविज्जइत्ति । प्रयोगश्च - विशिष्टकारणसंयोगोऽभिलषितकार्यप्रसाधकः, કહેવાયેલ પદાર્થને સંબંધિત આ ગાથાનું વ્યાખ્યાન સ્પષ્ટાર્થવાળું હોવાથી બતાવવામાં આવતું 10 નથી પરંતુ આ ગાથામાં ‘સમેત્ય” કહ્યા પછી “સંપ્રયુક્તૌ” એ પ્રમાણે પુનઃ કહ્યું તે આત્યંતિક સંયોગ દેખાડવા માટે કહ્યું છે. (અર્થાત જ્ઞાન અને ક્રિયાનો આત્યંતિક સંયોગ થાય ત્યારે ઇષ્ટફલની प्राप्ति थाय छे.) અહીં ઉદાહરણ : રાજાના ભયથી નગરમાંથી નીકળો લોકો એક જંગલમાં રહેવા ગયા. પરંતુ ત્યાં પણ લુટારાઓનું આક્રમણ થવાથી લોકો વાહનોને છોડી ભાગી ગયા. અનાથપ્રાયઃ 15 એવા અંધ અને પંગુ એમ બે જણા ત્યાં રહ્યા. લુટારાઓના ગયા પછી તે જંગલમાં પવનથી દાવાનલ ઉત્પન્ન થયો. તે બંને જણા ડરી ગયા. તેમાં આંધળો છૂટેલી લંગોટવાળો અગ્નિ સન્મુખ જવા લાગ્યો ત્યારે પંગુએ કહ્યું – “હે અંધ ! એ તરફ નહીં જા, ત્યાં અગ્નિ છે ત્યારે આધળાએ પૂછ્યું – તો કઈ બાજુ જઉં ?” પંગુએ જવાબ આપ્યો – “હું પંગુ હોવાથી તને વધારે દૂર માર્ગ દેખાડવામાં સમર્થ નથી તેથી તું મને તારા સ્કંધ ઉપર બેસાડ જેથી હું સર્પ 20 કાંટા-ગ્ન વગેરે અપાયોથી તેને બચાવતો નગર સુધી પહોંચાડી દઉં. અંધે તેની વાત સ્વીકારી અને પોતાના ખભા ઉપર બેસાડ્યો. જેથી બંને જણ સુખપૂર્વક નગરમાં પહોંચી ગયા. આ દષ્ટાંત છે. હવે ઉપનય બતાવે છે. આજ રીતે જ્ઞાન અને ક્રિયાવડે જીવ સિદ્ધિપુરને પામે છે. પ્રયોગ આ પ્રમાણે જાણવો ४४. अत्रोदाहरणं- एकस्मिन्नरण्ये राजभयेन नगरात् उद्वस्य ( उदुष्य ) लोक: स्थितः पुनरपि 25 घाटिभयेन च वाहनानि उज्झित्वा पलायितः, तत्र द्वावनाथात्मानो (०थप्रायौ ) अन्धः पङ्गश्च उज्झितौ, गताया धाट्या लोकाग्निना वातेन वनदवो लग्नः तौ च भीतों, अन्धः छुट्टकच्छोऽग्निमार्गेण पलायते पङ्गना । भणितं अन्ध ! मा इतो नेश:, इत एवाग्नि:, तेन भणितं - कुतः पुनर्गच्छामि, ? पङ्गना भणितं - अहमपि पुरतोऽतिदूरे मार्गदेशनाऽसमर्थः पङ्गुः, तत् मां स्कन्धे कुरु, येनाहिकण्टकादीन् अपायान् परिहारयन् सुखं त्वां नगरं प्रापयामि, तेन तथेति प्रतिपद्यानुष्ठितं पङ्गवचनं गतौ च क्षेमेण द्वावति नगरमिति, एष 30 दृष्टान्तः. अयमत्रोपनयः-ज्ञानक्रियाभ्यां सिद्धिपुरं प्राप्यत इति । एत्थ । + पवहणाणि । छुट्टकत्थो । दसणा । Page #235 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सम्यक्क्रियोपलब्धरुपत्वात्, अन्धपङ्गवोरिव नगरावाप्तिरिति । यः पुनरभिलषितफलसाधको न भवति, स सम्यक्क्रियोपलब्धिरूपोऽपि न भवति, इष्टगमनक्रियाविकलविघटितैकचक्ररथवदिति તિઃ ।૦૨। आह-ज्ञानक्रिययोः सहकारित्वे सति किं केन स्वभावेनोपकुरुते ? किमविशेषेण 5 शिबिकोद्वाहकवद्, उत भिन्नस्वभावतया गमनक्रियायां नयनचरणादिव्रातवद् इति, अत्रोच्यते, भिन्नस्वभावतया, यत आह णाणं पयासगं सोहओ तवो संजमो य गुत्तिकरो । तिहंपि समाजोगे मोक्खो जिणसासणे भणिओ ॥ १०३ ॥ ૨૧ ૨ 10 व्याख्या—-तत्र कचवरसमन्वितमहागृहशोधनप्रदीपपुरुषादिव्यापारवद् इह जीवगृहकर्मकचवरभृतशोधनालम्बनो ज्ञानादीनां स्वभावभेदेन व्यापारोऽवसेय इति समुदायार्थः । तत्र ज्ञायतेऽनेनेति ज्ञानं तच्च प्रकाशयतीति प्रकाशकं तच्च ज्ञानं प्रकाशकत्वेनैवोपकुरुते, વિશિષ્ટકારણોનો સંયોગ અભિલષિતકાર્યનો પ્રસાધક છે કારણ કે તે સંયોગ સમ્યક્રિયાની પ્રાપ્તિરૂપ છે. જેમકે અંધ અને પંગુની નગરપ્રાપ્તિ. (આશય એ છે કે તે તે કાર્યને ઉત્પન્ન 5. કરવા માટેની સમ્યક્રિયા એ તે તે ફળસાધક છે. માટે સમ્યકૃક્રિયા એ કળનું કારણ છે. વિશિષ્ટકારણોનો સંયોગ એ સમ્યકૃક્રિયા છે, જે અભિલષિતકાર્યને સાધી આપે છે. જે ઇચ્છિતકાર્યને સાધી આપનાર નથી તે સમ્યકૃક્રિયા રૂપ પણ નથી જેમકે ઇચ્છાયેલી ગમનક્રિયા માટે અસમર્થ ભાંગેલો એવો એકચક્રવાળો રથ. (અહીં રથ એક ચક્રવાળો હોવાથી બે ચક્રરૂપ વિશિષ્ટકારણનો સંયોગ નથી માટે ગમનક્રિયા રૂપ કાર્ય પણ સિદ્ધ થતું નથી.) આ 2) વ્યતિરેક (નિષેધાત્મક) દૃષ્ટાન્ત છે. ૧૦૨૫ અવતરણિકા : શંકા : કોઈપણ કાર્યને સાધવામાં જ્ઞાન અને ક્રિયાનું સહકારિપણું છે, પણ તેમાં કોણ કયા સ્વભાવથી ઉપકાર કરે છે અર્થાત્ સહકાર કરે છે ? શું શિબિકા (પાલખી)ને વહન કરનાર પુરુષોની જેમ સામાન્યથી એક સરખી રીતે સહાય કરે છે કે ગમનક્રિયામાં આંખ અને પગ જેમ જુદી જુદી રીતે સહાય કરે છે તેમ તેઓ પણ જુદી જુદી 25 રીતે સહાય કરે છે ? સમાધાન : જુદી જુદી રીતે સહાય કરે છે કારણ કે કહ્યું છે ગાથાર્થ : જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે અને સંયમ ગુપ્તિ કરનાર છે. ત્રણેનો સમાયોગ થતાં મોક્ષની પ્રાપ્તિ જિનશાસનમાં કહેલી છે. ટીકાર્ય : કચરાથી યુક્ત મોટા ઘરને સાફ કરવા માટે પ્રદીપ, પુરુષાદિ વ્યાપારની 3) જેમ અહીં કર્મરૂપ કચરાથી ભરેલ જીવરૂપઘરની શુદ્ધિના લક્ષવાળો જ્ઞાનાદિનો વ્યાપાર જુદા જુદા સ્વભાવથી જાણવો એ પ્રમાણે સમુદાયાર્થ છે. હવે અવયવાર્થ (વિસ્તાર્થ) કહે છે— જેના વડે જણાય તે જ્ઞાન, જે પ્રકાશે તે પ્રકાશક, જ્ઞાન એ પ્રકાશક છે અને તે પ્રકાશક + વાતેિિત ! × ૦રૂપો । : ૩૬ ૧૦ Page #236 -------------------------------------------------------------------------- ________________ ક્ષાયિક એવા જ્ઞાનાદિમાં મોક્ષની પ્રાપ્તિ (નિ. ૧૦૩) ૨૧૩ तत्स्वभावत्वात्, गृहमलापनयने प्रदीपवत्, क्रिया तु तपः संयमरूपत्वाद् इत्थमुपकुरुते - शोधयतीति शोधक, किं तदिति, आह-तापयत्यनेकभवोपात्तमष्टविधं कर्मेति तपः तच्च शोधकत्वेनैवोपकुरुते, तत्स्वभावत्वाद्, गृहकचवरोज्झनक्रियया तच्छोधने कर्मकरपुरुषवत्, तथा संयमनं संयमः, भावे अप्प्रत्ययः आश्रवद्वारविरमणमितियावत्, चशब्दः पृथग् ज्ञानादीनां प्रक्रान्तफलसिद्धौ भिन्नोपकारकर्त्तृत्वावधारणार्थः, गोपनं गुप्तिः, स्त्रियां क्तिन् ( पा० ३-३-९४ ) आगन्तुककर्मकचवरनिरोध 5 इति हृदयं, गुप्तिकरणशीलो गुप्तिकरः, ततश्च संयमोऽपि अपूर्वकर्मकचवरागमनिरोधतयैवोपकुरुते, तत्स्वभावत्वात्, गृहशोधने पवनप्रेरितकचवरागमननिरोधेन वातायनादिस्थगनवत्, एवं त्रयाणाમેવ. અપિશબ્દોડવધારાર્થ:, અથવા સંમાવને, જિ સંમાવયતિ ?–‘ત્રયામપિ' જ્ઞાનાવીનાં, किविशिष्टानां ? - निश्चयतः क्षायिकाणां न तु क्षयोपशमौपशमिकानामिति, 'समायोगे' संयोगे 'મોક્ષ: 'સર્વથા વિધર્મમવિયો લક્ષળ:, નિનાનાં શાસનું બિનસનું સ્મિન્, ‘fળત: {{ તરીકે બ ઉપકાર કરે છે, જેમ ઘરમાંથી કચરો દૂર કરવા પ્રદોષ પ્રકાશ કરવા દ્વારા ઉપકાર કરે છે. તેમ જ્ઞાન પ્રકાશના સ્વભાવવાળો હોવાથી પ્રકાશ કરવા દ્વારા ઉપકાર કરે છે. ક્રિયા તપ-સંયમરૂપ હોવાથી આ પ્રમાણે ઉપકાર કરે છે - તેમાં પ્રથમ તપ બતાવે છે. જે શુદ્ધિ કરે તે શોધક, તે શોધક કોણ છે ? તે કહે છે – અનેક ભવોમાં ભેગા કરેલા આઠ પ્રકારના કર્મોને જે તપાવે નાશ કરે તે તપ. આ 15 તપ શોધક છે તેથી તે શોધક તરીકે ઉપકાર કરે છે, કારણ કે તપનો શુદ્ધિ કરવાનો સ્વભાવ છે. જેમ ઘરમાં રહેલા કચરાને બહાર કાઢી ઘરની શુદ્ધિ કરવાનું કામ ઘરનો નોકર કરે છે તેમ તે પણ જીવરૂપ ઘરમાં અનેકભવથી ભેગા થયેલા કર્મરૂપ કચરાને દૂર કરી જીવરૂપઘરની શુદ્ધિ કરે છે. તથા સંયમન = અટકવું એ સંયમ અર્થાત્ આશ્રવતારોનું વરનગર “ચ” શબ્દ પ્રક્રાન્તફલની સિદ્ધિના વિષયમાં જ્ઞાનાદિમાં રહેલ જુદા જુદા ઉપકારના કર્તાપણાનું અવધારણ 20 કરનાર છે. (અર્થાત્ જ્ઞાન પ્રકાશક જ છે, તપ શોધક જ છે, સંયમ ગુપ્તિકર જ છે.) ગોપન કરવું તે ગુપ્તિ, ગુપ્ ધાતુને સિલિંગમાં તિ(તિ) પ્રત્યય લાગીને ગુપ્ત શબ્દ બનેલ છે. અહીં ગુપ્ત એટલે આગન્તુક કર્મરૂપ કચરાનો નિરોધ, ગુપ્તિને કરવાના સ્વભાવવાળું જે હોય તે ગુપ્તિકર કહેવાય છે. જેમ ગૃહની શુદ્ધિમાં પવનથી પ્રેરાયેલા કચરાના આગમનને અટકાવવા દ્વારા બારી વગેરેનું બંધ કરવું ઉપકારી બને છે, તેમ સંયમ ગુપ્તિ કરવાના 25 સ્વભાવવાળું હોવાથી નવા કર્મરૂપ કચરાને આવતા અટકાવવા દ્વારા ઉપકાર કરે છે.આ ત્રણનો જ સમાયોગ થતાં, અહીં ‘અપિ' શબ્દ ‘જ'કારના અર્થમાં હોવાથી જ્ઞાનાદિ ત્રણે ભેગા થાય તો જ મોક્ષપ્રાપ્તિ થાય, એક પણ ઓછો હોય તો ચાલે નહીં. અથવા ‘અપિ’ શબ્દ સંભાવનાના અર્થમાં જાણવો તેથી ક્ષાયિક એવા જ્ઞાનાદિના સમાયોગમાં, નહીં કે ક્ષાયોપમિક, ઔપમિક એવા આ ત્રણેના, આ વાત ‘અપિ' શબ્દ જણાવે છે. (અર્થાત્ 3) ત્રણના યોગમાં મોક્ષ થાય જ એવો નિયમ નહીં, પણ ત્રણના યોગમાં મોક્ષ થઈ શકે. તેવી ભાવના કહેલી છે. ક્ષાયિક હોય તો થાય. ક્ષાયોપમિક કે ઔપમિક હોય તો નહીં.) * સમ્યક્ યોગ: સમાયો : તસ્મિન્ મો૦ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) उक्तः । आह— ‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः' इत्यागमो विरुध्यते, सम्यग्दर्शनमन्तरेण उक्तलक्षणज्ञानादित्रयादेव मोक्षप्रतिपादनादिति, उच्यते, सम्यग्दर्शनस्य ज्ञानविशेषत्वाद् रुचिरूपत्वात् ज्ञानान्तर्भावाद् अदोष इति गाथार्थः ॥ १०३ ॥ इह यत् प्राक् नियुक्तिकृताऽभ्यधायि श्रुतज्ञानेऽपि जीवो वर्त्तमानः सन्न प्राप्नोति मोक्षं ' 5 इत्यादि प्रतिज्ञागाथासूत्रं, तत्रैव सूत्रसूचितः खल्वयं हेतुरवगन्तव्यः कुतः ?– તસ્ય સાયોપशमिकत्वात् अवधिज्ञानवत् इति, क्षायिकज्ञानाद्यवाप्तौ च मोक्षप्राप्तिरिति तत्त्वं, અંતઃ श्रुतस्यैव क्षायोपशमिकत्वमुपदर्शयन्नाह - RE भावे खओवसमि दुवालसंगंपि होइ सुयनाणं । केवलियनाणलंभो नन्नत्थ खए कसायाणं ॥ १०४॥ વ્યાવ્યા-મવનું ભાવ: સ્મિન્, સ ચૌચિાદ્યને મેત:, વ્રત આદ‘ક્ષાયોપનિ द्वादश अङ्गानि यस्मिंस्तत् द्वादशाङ्गं भवति श्रुतज्ञानं, अपिशब्दाद् अङ्गबाह्यमपि तथा ક્ષાયિક એવા આ ત્રણેના સંયોગમાં સર્વથા આઠ પ્રકારના કર્મમલનો વિયોગરૂપ મોક્ષ જિનેશ્વોના શાસનમાં કહેવાયેલો છે. શંકા : જો તમે જ્ઞાન-તપ અને સંયમરૂપ ત્રિકથી મોક્ષપ્રાપ્તિ કહેશો તો સમ્યગ્દર્શન15 જ્ઞાન-ચારિત્ર એ મોક્ષમાર્ગ છે.' એવા પ્રકારના આગમપાઠ સાથે તમારો વિરોધ આવશે. કારણ કે તમે તો સમ્યગ્દર્શન વિના જ જ્ઞાનાદિ ત્રણથી મોક્ષ કહ્યો. સમાધાન : સમ્યગ્દર્શન રુચિરૂપ હોવાથી જ્ઞાનવિશેષ જ છે અને જ્ઞાનવિશેષ હોવાથી તેનો જ્ઞાનમાં જ સમાવેશ થઈ જાય છે. આશય એ છે કે તત્ત્વરૂચિ એ સમ્યગ્દર્શન છે જે જ્ઞાનાત્મક જ છે તેથી તેનો જ્ઞાનમાં જ સમાવેશ થઈ જાય છે માટે કોઈ દોષ રહેતો નથી. ૧૦૩ 20 10 અવતરણિકા : પૂર્વની ગાથામાં નિર્યુક્તિકારે ‘શ્રુતજ્ઞાનમાં પણ વર્તતો જીવ મોક્ષ પાર્મી શકતો નથી’’ વગેરે પ્રતિજ્ઞા માટેનું જે ગાથાસૂત્ર કહ્યું તેમાં પણ ગા.નં. ૧૦૩ વડે સૂચિત ક્ષાયોપશમિકરૂપ હેતુ જ જાણવો (અર્થાત્ તે શ્રુતજ્ઞાન ક્ષાયોપમિક હોવાથી મોક્ષ પ્રાપ્ત થત નથી.) અધિજ્ઞાનની જેમ શ્રુતજ્ઞાન પણ ક્ષાયોપશમિક છે, જ્યારે મોક્ષની પ્રાપ્તિ ક્ષાયિકજ્ઞાનાદિની પ્રાપ્તિમાં જ થાય છે. માટે શ્રુતજ્ઞાનીને પણ મોક્ષપ્રાપ્તિ ન થવામાં કારણભૂત એવું શ્રુતનું 25 ક્ષાયોપમિકપણું બતાવતા કહે છે ગાથાર્થ : બાર અંગરૂપ શ્રુતજ્ઞાન ક્ષાયોપમિક ભાવવાળું છે. કષાયોના ક્ષયવિના કેવલજ્ઞાનનો લાભ થતો નથી. ટીકાર્થ : હોવું તે ભાવ. અહીં ભાવ એ ઔદાયિકાદિ અનેક પ્રકારનો છે તેથી કહે છે કે ક્ષાયોપમિક એવા ભાવમાં બાર અંગોવાળું શ્રુતજ્ઞાન છે. બાર અંગો છે જેમાં તે દ્વાદશાંગ, 3) ‘અપિ’શબ્દથી અંગબાહ્ય એવું પણ શ્રુતજ્ઞાન ક્ષાયોપશમિક છે. તથા મિત, અવિધ અને ४५. श्रुतस्य अपिना गृहीतस्य मत्यादेश्च, अवधेस्तु दृष्टान्तत्वान्नात्र ग्रहः । ४६. तथा च क्षायोपशमिके ज्ञानक्रिये क्षायिकज्ञानाद्यवाप्तिद्वारा मोक्षसाधनमिति । ४७ श्रुतज्ञाने वर्त्तमानस्य मोक्षानवाप्तेः । + ૦ષપાત્ । Page #238 -------------------------------------------------------------------------- ________________ ક્રોધાદિના ક્ષયમાં જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ (નિ. ૧૦૪) मत्यादिज्ञानत्रयमपि, तथा सामायिकचतुष्टयमपि, तथा केवलस्य भावः कैवल्यं घातिकर्मवियोग " इत्यर्थः, तस्मिन् ज्ञानं कैवल्यज्ञानं, 'कैवल्ये सति' अनेन ज्ञानग्रहणेनाज्ञानिप्रकृतिमुक्तपुरुषप्रतिपादनपरनयमतव्यवच्छेदमाह, ( ग्रन्थाग्रं २००० ) तत्र 'बुद्ध्यध्यवसितमर्थं पुरुषश्चेतयते' इति वचनात् प्रकृतिमुक्तस्य च बुद्ध्यभावात् ज्ञानाभाव इति, तस्य लाभ :- प्राप्तिः, कथं ? - 'कषायाणां' क्रोधादीनां क्षये सति 'नान्यत्र' नान्येन प्रकारेण, इह च छद्मस्थवीतरागावस्थायां 5 कषायक्षये सत्यपि अक्षेपेण कैवल्यज्ञानाभावे ज्ञानावरणक्षयानन्तरं च भावेऽपि कषायक्षयग्रहणं वस्तुतो मोहनीयभेदकषायाणामत्र प्राधान्यख्यापनार्थमिति, कषायक्षय एव सति निर्वाणं भवति, तद्भावे त्रयाणामपि सम्यक्त्वादीनां क्षायिकत्वसिद्धेः । आह— एवं तर्हि यदादावुक्तं श्रुतज्ञानेऽपि મન:પર્યવજ્ઞાન પણ અને સમ્યક્ત્વાદિ ચાર સામાયિક પણ ક્ષાયોપમિક છે. કેવલનો ભાવ તે કૈવલ્ય અર્થાત્ ઘાતિકર્મોનો વિયોગ. તેની હાજરીમાં જે જ્ઞાન થાય તે કૈવલ્યજ્ઞાન અર્થાત્ ઘાતિકર્મોનો 10 વિયોગ થયા પછી જે જ્ઞાન પ્રગટ થાય તે કૈવલ્યજ્ઞાન કહેવાય. અહીં ‘કૈવલ્યની હાજરીમાં જે જ્ઞાન' આ પ્રમાણે કહેવાથી જે લોકો ‘પ્રકૃતિ(કર્મ)થી મુક્ત થયા પછી જ્ઞાનના અભાવવાળો પુરુષ થાય છે' એવું પ્રતિપાદન કરે છે તે (સાંખ્ય) નયમતનો વ્યવચ્છેદ કહ્યો છે, કારણ કે તેઓનું છે કે બુદ્ધિવડે જણાયેલ અર્થને પુરુષ જાણે છે.’ આવા પ્રકારની તેમની માન્યતાથી આ વાત સાબિત થાય છે કે પ્રકૃતિથી (કર્મોથી) જીવ જ્યારે મુક્ત થાય ત્યારે બુદ્ધિનો અભાવ થાય 15 કારણ કે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેથી પ્રકૃતિ જશે એટલે બુદ્ધિનો પણ અભાવ થશે) અને બુદ્ધિનો અભાવ થવાથી પુરુષને જ્ઞાનનો પણ અભાવ થાય. તેથી પ્રકૃતિથી મુક્તપુરુષ અજ્ઞાની બની જાય છે. જ્યારે જૈનમત એ છે કે ઘાતિકર્મોનો વિયોગ થાય (એમની ભાષામાં પ્રકૃતિનો વિયોગ થાય) ત્યારે જીવને વિશિષ્ટજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જ્ઞાનનો અભાવ થતો નથી. આમ ‘કૈવલ્યની હાજરીમાં જે જ્ઞાન' આવું કહેવાથી ઉપરોક્ત મતનો વ્યવચ્છેદ થાય છે. 20 કૈવલ્યજ્ઞાનનો લાભ=પ્રાપ્તિ ક્યારે થાય ? ક્રોધાદિ કષાયોનો ક્ષય થયા પછી જ. તેના વિના આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જો કે છદ્મસ્થવીતરાગાવસ્થામાં (૧૨મે ગુણ.) કષાયક્ષય થવા છતાં તરત કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થતું નથી અને જ્ઞાનાવરણનો ક્ષય થયા (૧૩મે ગુણ.) પછી તરત જ પ્રાપ્ત થાય છે. તેથી ‘જ્ઞાનાવરણનો ક્ષય થયા પછી' એમ કહેવાને બદલે ‘કષાયનો ક્ષય થયા પછી જે કહ્યું તે મોહનીયના ભેદરૂપ કષાયોનું અહીં પ્રાધાન્ય દેખાડવા માટે કહ્યું છે. માનવુ (શંકા : કષાયોની પ્રધાનતા કેવી રીતે ?) ૨૧૫ 25 સમાધાન : કષાયોનો ક્ષય થાય તો જ નિર્વાણ પ્રાપ્ત થાય છે અને કષાયક્ષયની વિદ્યમાનતામાં જ સમ્યક્ત્વાદિ ત્રણે ક્ષાયિકરૂપે થાય છે. તેથી કષાયક્ષયની પ્રધાનતા છે. શંકા : જો કષાયક્ષયમાં જ મોક્ષ પ્રાપ્ત થવાનો હોય તો પૂર્વે ગાથામાં જે કહ્યું ‘શ્રુતજ્ઞાનમાં 3 વર્તતો જીવ મોક્ષ પામતો નથી. જો તે તપઃસંયમાત્મકયોગથી શૂન્ય હોય'' તેમાં ४८. आदिनाऽवधिमनः पर्यवौ । ४९. सर्वकषायक्षये केवलज्ञानदर्शनचारित्राणि, क्षायिकसम्यक्त्वं तु देशकषायक्षयेऽपि भवति, तेनात्र तदा कषायक्षयस्य सामान्यतः परामर्श: ★ केवलभावः. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) जीवो वर्त्तमानः सन्न प्राप्नोति मोक्षं, यस्तपः संयमात्मकयोगशून्यः' इति, तद्विशेषणमनर्थकं श्रुते सति तप:संयमात्मकयोगसहिष्णोरपि मोक्षाभावादिति, अत्रोच्यते, सत्यमेतत् किंतु क्षायोपशमिकसम्यक्त्वश्रुतचारित्राणामपि समुदितानां क्षायिकसम्यक्त्वादिनिबन्धनत्वेन पारम्पर्येण મોક્ષહેતુત્વોષ: શ્૦૪}# 5 आह - इष्टमस्माभिः मोक्षकारणकारणं श्रुतादि, तस्यैव कथमलाभो लाभो वेति, अत्रोच्यते. अट्टहं पयडीणं उक्कोसठिइइ वट्टमाणो उ । जीवो न लहइ सामाइयं चउण्हंपि एगयरं ॥ १०५ ॥ વ્યાવ્યા‘અટ્ટાનાં’કૃતિ સંધ્યા, ામાં ?—જ્ઞાનાવરણીયાતિમંપ્રતીનાં, ઉત્કૃષ્ટા ચાસૌ સ્થિતિશ્નોસ્થિતિ: તસ્યાં ‘વર્તમાનો’ “વન્ ‘નીવ:’ આત્મા ‘ન નમતે’ ન પ્રાપ્નોતિ, óિ તત્ ? 10 ‘સામાયિાં' પૂર્વવ્યાક્યાત. નિવિશિછું ?-ચતુમિપિ' સમ્યવત્વશ્ચંતવેશવિરતિसर्वविरतिरूपाणा 'एकतरम्' अन्यतमत् इतियावत्, अपिशब्दात् मत्यादि च न केवलं न लभते, पूर्वप्रतिपन्नोऽपि न भवति, यतोऽवाप्तसम्यक्त्वो हि न पुनस्तत्परित्यागेऽपि ग्रन्थिमुलघ्य ‘તપસંયમાત્મકયોગશૂન્ય' આવું વિશેષણ નિરર્થક બની જશે, કારણ કે શ્રુત સાથે તપસંયમોત્મકયોગ હોવા છતાં પણ તે વ્યક્તિને કાયક્ષય થયો નહીં હોય તો મોક્ષપ્રાપ્ત થશે નહીં. સમાધાન : તમારી વાત સત્ય છે છતાં ક્ષાયોપશમિક એવાં પણ સમ્યક્ત્વ, શ્રુત અને ચારિત્ર ભેગા થાય ત્યારે ક્ષાયિક સમ્યક્ત્વશ્રુતચારિત્રના કારણ બનતા હોવાથી પરંપરાએ મોક્ષના કારણ બને જ છે તેથી ઉપરોક્ત વિશેષણ નિરર્થક બનશે નહીં. (અર્થાત્ જ્ઞાન—તપ—સંયમ પણ કાયક્ષયદ્વારા મોક્ષના કારણ છે જ. ||૧૦૪ 15 Y અવતરણિકા શંકા : અમને શ્રુતાદિ મોક્ષના કારણ એવા ક્ષાયિકસમ્યક્ત્વાદિના કારણ 20 તરીકે માન્ય છે. પરંતુ તે શ્રુતાદિનો કેવી રીતે લાભ કે અલાભ થાય છે ? તેનો જવાબ ગ્રંથકારશ્રી આપતા કહે છે ગાથાર્થ આઠે કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિમાં વર્તતો જીવ ચારેમાંથી એકપણ સામાયિક પ્રાપ્ત કરતો નથી. ટીકાથં : આઠ એ સંખ્યાવાચક શબ્દ છે. આઠ એવી જ્ઞાનાવરણીયાદિ કર્મપ્રકૃતિઓની 25 ઉત્કૃષ્ટસ્થિતિમાં વર્તતો જીવ સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસામાયિકમાંથી એકપણ સામાયિક, અહીં 'અપિ' શબ્દથી મતિજ્ઞાનાદે પણ પામતો નથી. અરે ! પામતો નથી એટલું નહીં પૂર્વપ્રતિપન્ન એવી વ્યક્તિ પણ હોતી નથી. અર્થાત્ પૂર્વે જેણે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે એવી વ્યક્તિ વર્તમાનમાં સમ્યક્ત્વનો પરિત્યાગ થવા છતાં પણ ગ્રંથિને ઉલ્લંઘી ઉત્કૃષ્ટસ્થિતિવાળી કર્મપ્રકૃતિઓ બાંધતી નથી. તેથી ઉત્કૃષ્ટસ્થિતિમાં પૂર્વપ્રતિપન્ન જીવ પણ ૐ પ્રાપ્ત થાય નહીં. (આ સૈદ્ધાન્તિકોનો અભિપ્રાય છે. કાર્યગ્રન્થિકો ભિન્નગ્રંથિવાળાને પણ ઉત્કૃષ્ટસ્થિતિનો બંધ માને છે.) ५० आदिना तपः संयमौ । ५१ सत्तार्थत्वात्सन्निति ५२ आनुपूर्वीनामादिरूप उपक्रमे । + ૦ાવાત્ : * શ્રુતવેગસર્વ - તરત્ । Page #240 -------------------------------------------------------------------------- ________________ કર્મની જઘન્ય-ઉત્કૃષ્ટસ્થિતિ (નિ. ૧૦૫) ૨૧૭ उत्कृष्टस्थिती: कर्मप्रकृती: बध्नाति, आयुष्कोत्कृष्टस्थितौ पुनर्वर्तमानः पूर्वप्रतिपन्नको भवति, • अनुत्तरविमानोपपातकाले देवो, न तु प्रतिपद्यमानक इति, तुशब्दाज्जघुन्यस्थितौ च वर्त्तमानः पूर्वप्रतिपन्नत्वान्न लभते, आयुष्कजघन्यस्थितौ च वर्त्तमानो न पूर्वप्रतिपन्नो नापि प्रतिपद्यमानकः, जघन्यायुष्कस्य क्षुल्लकभवग्रहणाधारत्वात्, तस्य च वनस्पतिषु भावात्, तत्र च पूर्वप्रतिपन्नप्रतिपद्यमानकाभावात्, प्रकृतीनां च उत्कृष्टेतरभेदभिन्ना खल्वियं स्थितिः-आदितस्तिसृणामन्तरायस्य 5 च त्रिंशत्सागरोपमकोटीकोट्यः परा स्थितिः, सप्ततिर्मोहनीयस्य, नामगोत्रयोविंशतिः, त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य इति, जघन्या तु द्वादश मुहूर्ता वेदनीयस्य, नामगोत्रयोरष्टौ, शेषाणामन्तर्मुहूर्त (તત્ત્વાર્થે ૮ સૂત્રાળ ૨૫-દ્દ-૨૭-૨૮-૨૨-૨૦-૨૨) રૂતિ ગાથાર્થ: ૬૦ आह-किमेता युगपदेव उत्कृष्टां स्थितिमासादयन्ति उत एकस्यां उत्कृष्टस्थितिरूपायां (શંકા : પૂર્વે જે કહ્યું કે ઉત્કૃષ્ટસ્થિતિમાં પૂર્વપ્રતિપન્ન હોય નહીં તો શું તે આઠે કર્મપ્રકૃતિઓની 10. ઉત્કૃષ્ટસ્થિતિ સમજવી ?) સમાધાન : નાં, આયુષ્યકર્મ સિવાયની સાત કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિમાં પૂર્વપ્રતિપન્ન હોય નહી. જયારે આયુષ્યકર્મની ઉત્કૃષ્ટસ્થિતિમાં વર્તતો જીવ પૂર્વ પ્રતિપન્ન હોય છે અને તે અનુત્તરવિમાનમાં ઉપપાતકાળે દેવ હોય છે. પ્રતિપદ્યમાનક હોતો નથી. (અર્થાત્ ઉત્કૃષ્ટ આયુની સ્થિતિવાળો જીવ, સમ્ય. પામતો નથી. અહીં શંકા થાય કે ૭મી નરકમાં ૩૩ સા.વાળો જીવ સમ્ય. પામી શકે 15 છે, તો પછી એવું કેમ કહ્યું કે ઉત્કૃષ્ટ આયુવાળો જીવ સમ્યક્ત ન પામે ? તો તેનું સમાધાન એ કે આયુની ઉત્કૃષ્ટસ્થિતિ, આયુની શરૂઆતમાં હોય છે, પછી ઘટતી જાય છે. ૭મી નરકમાં આયુનાં ઉત્કૃષ્ટસ્થિતિ જન્મસમયે હોય છે, ત્યારે સમ્યક્ત પામી શકતો નથી. એક અંતર્મુહૂર્ત પછી પામી શકે, ત્યારે આયુની સ્થિતિ ઉત્કૃષ્ટ રહેતી નથી. એટલે જ અનુત્તરમાં જન્મસમયે પૂર્વપ્રતિપન્ન કહ્યો છે.) આયુષ્ય સિવાય સાત પ્રકૃતિઓની જઘન્યસ્થિતિમાં વર્તતો જીવ (૧૦મે મોહનીયની ધ સ્થિતિ, ૧૨મે ૩ ઘાતકર્મની જા.સ્થિતિ, ૧૪મે ૪ અઘાતી કર્મની જઘ.સ્થિતિવાળો જીવો સમ્યક્તાદિને પૂર્વ પ્રાપ્ત કરેલ હોવાથી પ્રતિપદ્યમાનક હોતો નથી. અને આયુષ્યની જઘન્યસ્થિતિમાં વર્તતો જીવ પ્રતિપદ્યમાનક કે પૂર્વપ્રતિપન્ન પણ હોતો નથી, કારણ કે જઘન્ય આયુષ્ય ક્ષુલ્લકભવ જેટલું છે. તે ક્ષુલ્લકભવ વનસ્પતિમાં જ છે અને ત્યાં વનસ્પતિમાં સમ્યક્તાદિના પૂર્વપ્રતિપન્ન 25 કે પ્રતિપદ્યમાનક હોતા નથી. કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટ–જઘન્ય સ્થિતિ આ પ્રમાણે છે – જ્ઞાનાવરણીયાદિ પ્રથમ ત્રણ અને અતરાયની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે, મોહનીયની ૭૦ કોડાકોડી. નામગોત્રનો ૨૦ કોડે કોડી, અને આયુષ્યની ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ છે. જધન્યસ્થિતિ વેદનીયની બાર મુહૂર્ત, નામ-ગોત્રની આઠ મુહૂર્ત અને શેષ કર્મપ્રકૃતિની અંતર્મુહૂર્ત છે. ૧૦પ શંકા : આ કર્મપ્રકૃતિઓ શું એકસાથે જ ઉત્કૃષ્ટસ્થિતિને પામે છે કે એક કર્મપ્રકૃતિની 30 ઉત્કૃષ્ટસ્થિતિ થઈ એટલે અન્ય કર્મપ્રકૃતિની પણ નિયમથી ઉત્કૃષ્ટસ્થિતિ થાય કે ઉત્કૃષ્ટસ્થિતિ ૩. સપ્તાનાં તo | Page #241 -------------------------------------------------------------------------- ________________ 5 ૨૧૮ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) संजातायां अन्या अपि नियमतो भवन्ति आहोस्विदन्यथा वा वैचित्र्यैमत्रेति, उच्यते अत्र विधिरिति, मोहनीयस्य उत्कृष्टस्थितौ शेषाणामपि षण्णामुत्कृष्टैव, आयुष्कप्रकृतेस्तु उत्कृष्टा वा मध्यमा वा, न तु जघन्येति, मोहनीयरहितानां तु शेषप्रकृतीनां अन्यतमाया उत्कृष्टस्थिते: सद्भावे मोहनीयस्य शेषाणां च उत्कृष्टा वा मध्यमा वा, न तु जघन्येति प्रासङ्गिकं । सत्तण्हं पयडीणं अब्भितरओ उ कोडिकोडीण । काऊण सागराणं जइ लहइ चउण्हमण्णयरं ॥ १०६ ॥ व्याख्या– सप्तानामायुष्करहितानां कर्मप्रकृतीनां या पर्यन्तवर्तिनी स्थितिस्तामङ्गीकृत्य सागरोपमाणां कोटीकोटी तस्याः कोटीकोट्या अभ्यन्तरत एव तुशब्दोऽवधारणार्थः, कृत्वाऽऽत्मानमिति गम्यते 'यदि लभते' यदि प्राप्नोति, चतुर्णां श्रुतसामायिकादीनामन्यतरत्, तत 10 एव लभते नान्यथेति पाठान्तरं वा 'कृत्वा सागरोपमाणां स्थितिं लभते चतुर्णामन्यतरत् इत्यक्षरगमनिका । अवयवार्थोऽभिधीयते - सप्तानां प्रकृतीनां यदा पर्यन्तवर्त्तिनी सागरोपमकोटीकोटी पल्योपमासंख्येय भागहीना भवति तदा घनरागद्वेषपरिणामोऽत्यन्तदुर्भेद्यदारुग्रन्थिवत् થવામાં કંઈક જુદી જ વિચિત્રતા છે ? સમાધાન : અહીં વિધિ=નિયમ છે. મોહનીયની ઉત્કૃષ્ટસ્થિતિ થાય ત્યારે આયુષ્ય સિવાય 15 શેષ છ પ્રકૃતિઓની પણ ઉત્કૃષ્ટસ્થિતિ થાયછે, જ્યારે આયુષ્યની ઉત્કૃષ્ટ થાય અથવા મધ્યમ થાય પણ જધન્ય થાય નહીં. મોહનીય રહિત શેખપ્રકૃતિઓમાંથી કોઈ એકાદપણ પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થતિ થાય, ત્યારે મોહનીય અને શેષપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અથવા મધ્યમસ્થિતિ થાય છે. જધન્યસ્થિતિ થતી નથી. પ્રાસંગિક વાત પૂર્ણ કરી. અવતરણિકા : ઉત્કૃષ્ટસ્થિતિમાં સમ્યક્ત્વાદિનો લાભ થતો નથી તે બતાવ્યું. હવે ક્યારે 20 લાભ થાય ? તે બતાવે છે. 30 ગાથાર્થ : સાત કર્મપ્રકૃતિઓની સ્થિતિ કંઈક ન્યૂન એક કોડાકોડી સાગરોપમની કરીને જીવ ચારમાંથી અન્યતર સામાયિક પ્રાપ્ત કરે છે. ટીકાર્થ : આયુષ્યરહિત સાત કર્મપ્રકૃતિઓની પર્યંતવર્તી સ્થિતિ જ્યારે એક કોડાકોડી સાગરોપમની થાય ત્યારે જ આત્મા શ્રુતસામાયિકાદિમાંથી અન્યતરને પામે છે, એના સિવાય 25 નહીં. ક્યાંક પાઠાન્તર હોય તો આ પ્રમાણે અર્થ જાણવો કે સાગરોપમની સ્થિતિને એક કોડાકોડોની અંદર કરી અન્યતરને પામે છે, આ પ્રમાણે અક્ષરાર્થ જોયો. હવે અવયવાર્થ (ભાવાર્થ) બતાવે જ્યારે સાત કર્મપ્રકૃતિઓની સ્થિતિ પર્યંતવર્તી પલ્યોપમાસંધ્યેયભાગહીન એવો એક કોડાકોડી સાગરોપમની થાય છે, ત્યારે ઘનરાગદ્વેષપરિણામરૂપ, અત્યંતદુર્ભેદ્ય એવી લાકડાંની ગાંઠ જેવી કર્મગાંઠ આવે છે અર્થાત્ ઉપરોક્તપ્રમાણ સ્થિતિ થાય ત્યારે જીવ આ ગ્રંથિ પાસે છે ५४ आहेत्यादितः संवेधकथनरूपं, प्रसङ्गस्तु पूर्वमुत्कृष्टस्थितौ सामायिकप्रतिषेधात् मध्यमायां तु નામથનાત્। . સ્વસ્વસ્થિૌ શીળાયાં યા શેષા તિતિ સા 1 * ૰મેવ્રુતિ । + તંત્ર ! { ofતસદ્ધાવે ! + ૦ડી ! ન્તર ધ્રુવ | Page #242 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથિશબ્દની વ્યાખ્યા અને ગ્રંથભેદનું સ્વરૂપ (નિ. ૧૦૬) कर्मग्रन्थिर्भवतीति, आह च भाष्यकार: = ૨૧૯ .." गठित्ति सुदुब्भेओ कक्खडघणरूढगूढगंठिव्व । जीवस्स कम्मजणिओ घणरागद्दोसपरिणामो ॥१॥ इत्यादि " तस्मिन् भिन्ने सम्यक्त्वादिलाभ उपजायते, नान्यथेति, तद्भेदश्च “ मनोविघातपरिश्रमादिभिः दुस्साध्यो वर्त्तते, तथाहि स जीवः कर्मरिपुमर्थ्यंगतः तं प्राप्य अतीव परिश्राम्यति, प्रभूतकर्मा - 5 रातिसैन्यान्तकृत्त्वेन संजातखेदत्वात्, संग्रामशिरसीव दुर्जयापाकृतानेकशत्रुनरवरेन्द्रभटवत् । अपरस्त्वाह-किं तेन भिन्नेन ? किं वा सम्यक्त्वादिनाऽवाप्तेन ?, यथाऽतिदीर्घा कर्मस्थितिः सम्यक्त्वादिगुणरहितेनैव क्षपिता, एवं कर्मशेषमपि गुणरहित एव क्षपयित्वा विवक्षितफलभाग् भवतु, अत्रोच्यते स हि तस्यामवस्थायां वर्त्तमानोऽनासादितगुणान्तरो न शेषक्षपणया विशिष्टफलप्रसाधनायालं, चित्तविघातादिप्रचुरविघ्नत्वात् विशिष्टाप्राप्तपूर्वफलप्राप्त्यासन्नत्वात् 10 આવે છે. આ વિર્ષે ભાષ્યકાર કહે છે “ગ્રંથિ એટલે દુઃખથી ભેદી શકાય એવો, કર્કશ, ઘન, ઉગેલી, ગૂઢગ્રંથિની જેમ જીવનો કર્મથી ઉત્પન્ન થયેલ ગાઢ રાગદ્વેષનો પરિણામ. ||૧|| (વિ.આ.ભાષ્ય ગા.નં. : ૧૧૯૫) તે ગ્રંથિનો ભેદ થાય ત્યારે સમ્યક્ત્વાદિનો લાભ થાય છે. તે સિવાય નહીં, અને તેનો ભેદ મનનો ક્ષોભ અને પરિશ્રમાદિને કારણે દુઃસાધ્ય હોય છે. તે આ રીતે જેમ યુદ્ધમાં દુ:ખેથી જય પામી શકાય તેવા, દૂર કરાયેલા છે અનેક શત્રુ લોકોના 15 રાજેન્દ્રો જેનાવડે એવો તે સુભટ અર્થાત્ અનેક શત્રુઓને હરાવનાર સુભટ જેમ થાકી જાય છે તેમ કર્મરૂપી શત્રુઓ વચ્ચે રહેલ આ જીવ ગ્રંથિને પામે ત્યારે ઘણા કર્મશત્રુઓના સૈન્યને ખતમ કર્યું હોવાથી પુષ્કળ ખેદ થાક પામે છે અને તેથી પોતે અત્યંત થાકી જાય છે. (અથવા વિદ્યાસિદ્ધિ વખતે તે જીવનો જુદા જુદા પ્રકારે મનનો ક્ષોભ ઉત્પન્ન કરવામાં આવે છે, તેથી તે જીવ ઘણો થાકે છે અને વિદ્યાસિદ્ધિ દુઃસાધ્ય બને છે, તેમ અહીં પણ જાણવું.) શંકા : તે કર્મગ્રંથિને શા માટે ભેદવાની ? અથવા સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ પણ શા માટે કરવાની ? જે રીતે તે જીવે અતિદીર્ઘ એવી કર્મસ્થિતિ સમ્યક્ત્વાદિ ગુણો વિના જ ખપાવી કંઈક ન્યૂન કોડાકોડી સાગરોપમની કરી. તેમ શેષ રહેલી કર્મસ્થિતિને પણ ગુણ વિના જ ખપાવી વિશિષ્ટફલને પ્રાપ્ત કરનારો ભલે થાય. 20 સમાધાન : આવું માની શકાય નહીં. તે અવસ્થામાં વર્તતો (=ગ્રંથિ નજીક આવેલો) જીવ 25 ગુણાન્તરોની પ્રાપ્તિ વિના શેષસ્થિતિને ખપાવી શકતો નથી. તથા ક્ષપણ વિના વિશિષ્ટફલને સાધવા સમર્થ બનતો નથી. તેનું કારણ એ છે કે ૧. તે અવસ્થામાં તે જીવને ચિત્તવિઘાતાદિપ્રચુર વિઘ્નો સંભવે છે. તથા ૨. પૂર્વે ક્યારેય પ્રાપ્ત નહીં કરેલ એવા વિશિષ્ટફલની પ્રાપ્તિને અત્યંત નજીક આ જીવ રહેલ હોવાથી પૂર્વે અભ્યાસ કરેલી (સામાન્ય) ક્રિયાવડે વિશિષ્ટફલ પ્રાપ્ત કરી ५६. ग्रन्थिरिति सुदुर्भेदः कर्कशघनरूढगूढग्रन्थिवत् । जीवस्य कर्मजनितो घनरागद्वेषपरिणामः 30 ॥१॥ (विशेषावश्यके गाथा १९९५) । ५७. विद्यासाधकस्य बिभीषिकादिनेव मनः क्षोभः । ★ मध्यं રાત:. + તાવતી. Page #243 -------------------------------------------------------------------------- ________________ 5 આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) प्रागभ्यस्तक्रियया तस्यावाप्तुमशक्यत्वाच्च, अनेकसंवत्सरानुपालिताचाम्लादिपुरश्चरणक्रियासादितगुणान्तरोत्तरसहायक्रियारहितविद्यासाधकवत्, तथा चाह भाष्यकारः "पाएण पुव्वसेवा परिमउई साहणंमि गुरुतरिआ । होत महाविज्जाए किरिया पायं सविग्धा य ॥१॥ तह कम्मठितखवणे परिमउई मोक्खसाहणे गरुई । इह दंसणादिकिरिया दुलभा पायं सविग्घा य ॥२॥" अथवा यत एव बह्वी कर्मस्थितिरनेन उन्मूलिता, अत एवापचीयमानदोषस्य सम्यक्त्वादिगुणलाभः संजायते, निश्शेषकर्मपरिक्षये सिद्धत्ववत्, तत एव च मोक्ष इति, अतो न शेषमपि कर्म गुणरहित एवापाकृत्य मोक्षं प्रसाधयतीति स्थितम् । इदानीं सम्यक्त्वाटि10 મુળપ્રાપ્તિવિધિષ્યતે–નીવા દિધા મવત્તિ-મવ્યાશ્રમવ્યાશ્રુ, તંત્ર મવ્યાનાં રાત્રયં મત્તિ, करणमिति परिणामविशेषः, तद्यथा यथाप्रवृत्तकरणं अपूर्वकरणं अनिवृत्तिकरणं च । तत्र यथैव प्रवृत्तं यथाप्रवृत्तं तच्चानादि, अप्राप्तपूर्वमपूर्वं निवर्त्तनशीलं निवर्त्ति न निवर्त्ति अनिवत्ति, आ શકે નહીં. તેની માટે વિશિષ્ટક્રિયા જ જોઈએ. જેમ અનેક વર્ષોથી આચરણ કરાયેલ આયંબિલાદિ તપપૂર્વકની ચારિત્રક્રિયાથી પ્રાપ્ત એવા ગુણો વિના અને ઉત્તરસહાયકની ક્રિયા વિના વિદ્યાસાધક 15 વિદ્યા સાધી શકતો નથી, તેમ અહીં પણ ગુણાન્તરોની પ્રાપ્તિ વિના વિશિષ્ટફલ સાધી શકાતું નથી. ૨૨૦ 25 ભાષ્યકારે કહ્યું છે કે “મહાવિદ્યાને સાધવાની પૂર્વસેવા પ્રાય સહેલી હોય છે પણ મહાવિદ્યાને સાધવાની – સિદ્ધ કરવાની ક્રિયા મોટી અને પ્રાયઃ વિઘ્નયુક્ત થાય છે. ।। વિ.આ.ભા. ૧૧૯૯॥ તેમ દીર્ઘ કર્મસ્થિતિને ક્ષયકરવાની ક્રિયા સહેલી હોય છે. જ્યારે મોક્ષને સાધતી 20 વખતે દર્શનાદિની ક્રિયા મોટી, દુર્લભ અને પ્રાયઃ વિઘ્નોવાળી હોય છે. વિ.આ.ભા.-૧૨૦૦’’ અથવા જે કારણથી આ જીવે મોટી કર્મસ્થિતિ ખપાવી છે તેથી જ દોષોની હીનતાવાળા આ જીવને તે સમ્યક્ત્વાદિગુણોનો લાભ થાય છે. જેમકે સંપૂર્ણકર્મોનો ક્ષય થાય ત્યારે સિદ્ધત્વને પામે છે. અને આ ગુણોથી તે જીવનો મોક્ષ થાય છે તેથી ગુણરહિત જીવ શેષકર્મને ખપાવી મોક્ષ પામતો નથી એ વાત સિદ્ધ થઈ. હવે સમ્યક્ત્વાદિગુણોની પ્રાપ્તિની વિધિ બતાવે છે. જીવો બે પ્રકારે છે. ૧. ભવ્ય, ૨. અભવ્ય. તેમાં ભવ્ય જીવોને ત્રણ પ્રકારના કરણ હોય છે. અહીં કરણ એટલે જીવનો પરિણામવિશેષ. તે આ પ્રમાણે ૧. યથાપ્રવૃત્તકરણ, ૨. અપૂર્વકરણ, ૩. અનિવૃત્તિ–કરણ. તેમાં પ્રથમ યથાપ્રવૃત્તકરણની વ્યાખ્યા કરે છે ૧. – યથા = અનાદિકાળથી સિદ્ધ રીતે પ્રવૃત્ત એવો ५८. प्रायेण पूर्वसेवा परिमृद्वी साधने गुरुतरा । भवति महाविद्यायाः क्रिया प्राय: सविघ्ना च ॥१॥ 30 तथा कर्मस्थितिक्षपणे परिमृद्वी मोक्षसाधने गुर्वी । इह दर्शनादिक्रिया दुर्लभा प्रायः सविघ्ना च ॥२॥ ( विशेषावश्यके गाथे १९९९ - १२०० ) ५९ कर्मक्षपणनिबन्धनस्याध्यवसायमात्रस्य सर्वदैव भावात् (इति विशे० १२०३ गाथावृत्तौ ) । * ०रान्तरसहा० । ०ट्ठित० । ★ उच्छेदिता । Page #244 -------------------------------------------------------------------------- ________________ 5 સામાયિક પ્રાપ્તિ ઉપર દૃષ્ટાન્નો (નિ. ૧૦૭) દ ૨૨૧ सम्यग्दर्शनलाभात् न निवर्त्तते, तत्राभव्यानां आद्यमेव भवति, तत्र यावद्ग्रन्थिस्थानं तावदाद्यं भवति, तमतिक्रामतो द्वितीयं, सम्यग्दर्शनलाभाभिमुखस्य तृतीयमिति ॥१०६॥ इदानी करणत्रयमङ्गीकृत्य सामायिकलाभदृष्टान्तानभिधित्सुराहपल्लय १ गिरिसरिउवला २ पिवीलिया ३ पुरिस ४ पह ५ जरग्गहिया ६ । कुद्दव ७ जल ८ वत्थाणि ९ य सामाइयलाभदिट्ठन्ता ॥१०७॥ व्याख्या- तत्र पल्लकदृष्टान्तः-पल्लको लाटदेशे धान्यधाम भवति, तत्र यथा नाम कश्चिन्महति पल्ये धान्यं प्रक्षिपति स्वल्पं स्वल्पतरं, प्रचुरं प्रचुरतरं त्वादत्ते, तच्च कालान्तरेण क्षीयते, एवं कर्मधान्यपल्ये जीवोऽनाभोगतः यथाप्रवृत्तकरणेन स्वल्पतरमुपचिन्वन् बहुतरमपचिन्वंश्च ग्रन्थिमासादयति.पनस्तमतिक्रामतोऽपर्वकरणं भवति.सम्यग्दर्शनलाभाभिमखस्य त अनिवर्तीति. एष पल्यकदृष्टान्तः । ओह-अयं दृष्टान्त एवानुपपन्नः, यतः संसारिणो योगवतः प्रतिसमयं 10 कर्मणश्चयापचयावुक्तौ , तत्र चासंयतस्य बहुतरस्य चयः अल्पतरस्य चापचयः, यत અધ્યવસાય તે યથા-પ્રવૃત્ત કહેવાય છે અને તે અનાદિ છે. (અનાદિકાળથી આપમેળે કર્મક્ષય માટે પ્રવૃત્ત એવો પરિણામ યથાપ્રવૃત્ત અધ્યવસાય કહેવાય છે.) ૨. પૂર્વે જે પ્રાપ્ત થયેલ નથી તેવો અપૂર્વ અધ્યવસાય તે અપૂર્વકરણ, ૩. જે પાછો જવાના સ્વભાવવાળો હોય તે નિવર્તિ. જે આવો નથી તે અનિવર્તિ અર્થાત સમ્યગ્દર્શન પ્રાપ્ત 15 કરાવ્યા વિના જે અધ્યવસાય પાછો જાય નહીં તે અનિવૃત્તિકરણ કહેવાય છે. અભવ્યજીવોને આમાનો પહેલો જ અધ્યવસાય હોય છે. ગ્રંથિદેશ સુધી આવેલાને પહેલો અધ્યવસાય હોય છે. ગ્રંથિદેશને ઓળંગતી વ્યક્તિને બીજો અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિને અભિમુખ વ્યક્તિને ત્રીજો અધ્યવસાય હોય છે. ૧૦૬ અવતરણિકા : હવે આ ત્રણ કરણો દ્વારા જીવ કેવી રીતે સામાયિક (સમ્યક્તાદિરૂપ)ની 20 પ્રાપ્તિ કરે છે તે દષ્ટાંતો દ્વારા કહે છે ? ગાથાર્થ : પલ્ય, પર્વતનદીમાં રહેલા પાષાણ, કીડીઓ, પુરુષો, માર્ગ, તાવવાળો માણસ, કોદ્રવ, જલ અને વસ્ત્રો એ સામાયિકની પ્રાપ્તિ વિષેના દષ્ટાંતો છે. ટીકાર્થ : તેમાં (૧) પલકનું દૃષ્ટાંત : અનાજ ભરવાના સાધનને લાટદેશમાં “પત્યક' કહેવાય છે. કોઈ વ્યક્તિ મોટા પલ્પકમાં થોડું-થોડું ધાન્ય નાંખે અને વધારે–વધારે બહાર કાઢે 25 તો થોડા સમય પછી જેમ તે પલ્લક ખાલી થાય છે, તેમ કર્મરૂપ ધાન્યના પલ્લકમાંથી અનાભોગથી યથાપ્રવૃત્તકરણવડે અલ્પતર કર્મોને બાંધે અને બહુતર કર્મોને ખપાવતો પ્રાયદેશ પાસે આવે છે. વળી તેને ઓળંગતાને અપૂર્વકરણ થાય છે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિને અભિમુખ થનારને અનિવૃત્તિકરણ થાય છે. આ પત્યક દૃષ્ટાંત છે. શંકા : તમારું આ દષ્ટાંત જ ઘટતું નથી, કારણ કે યોગવાળા એવા સંસારી જીવને 30 પ્રતિસમયે કર્મનો બંધ-ક્ષય કહેલ છે. તેમાં અસંયત જીવ ઘણાં કર્મોને બાંધે છે અને અલ્પતર + નેટું : * ૦ચાધારો * નેટું . * બન્યમન્યતરં અલ્પતર૦ | A gવમુદ્દે સત્યાદા Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) મામ: ""पल्ले महइमहल्ले कुंभं पक्खिवइ सोहए णालिं । असंजए अविरए बहु बंधड़ निज्जरड़ थोवं ॥१॥ पल्ले महतिमहले कुंभं सोहेइ पक्खिवे णालिं । जे संजए पमत्ते बहु निज्जर बंधई थोवं ॥२॥ पल्ले महइमहल्ले कुंभं सोहेइ पक्खिवे न किंचि । जे संजए अपमत्ते बहु निज्जरे बंधड़ न किंची ॥३॥' ततश्च एवं पूर्वमसंयतस्य मिथ्यादृष्टेः प्रभूततरबन्धकस्य कुतो ग्रन्थिदेशप्राप्तिरिति, अत्रोच्यते, ननु मुग्ध ! बाहुल्यमङ्गीकृत्य इदमुक्तं यद्-असंयतस्य बहुतरस्योपचयोऽल्पतरस्य 10 चापचयः, अन्यथाऽनवरतप्रभूततरबन्धाङ्गीकरणे खल्वपचयानवस्थानात् अशेषकर्मपुद्गलानामेव ग्रहणं प्राप्नोति, अनिष्टं चैतत्, सम्यग्दर्शनादिप्राप्तिश्च अनुभवसिद्धा विरुध्यते, तस्मात् प्रायोवृत्तिगोचरमिदं पल्येत्यादि द्रष्टव्यमिति १ । कथं पुनरनाभोगतः प्रचुरतरकर्मक्षय इति आहકર્મોનો ક્ષય કરે છે કારણ કે આગમમાં કહ્યું કે “અતિ મોટા પલ્પકમાં ઘડા જેટલું ધાન્ય નાખે અને નાલિ (નાનું પાત્રવિશેષ) જેટલું ધાન્ય કાઢે તેમ અસંયત, અવિરત બહુ બાંધે છે અને 15 સ્તોક નિર્જરે છે /// અતિ મોટા પલ્પકમાં કુંભપ્રમાણ કાઢે અને નાલિકા પ્રમાણ પ્રક્ષેપે, તેમ સંયત, પ્રમત્ત બહુ નિર્ભરે છે અને સ્તોક બાંધે છે. રા/ અતિ મોટા પલ્પકમાં કુંભપ્રમાણ ધાન્ય કાઢે છે પણ અંદર કશું નાંખતા નથી તેમ અપ્રમત્તસંયત બહુ નિર્જરે છે, બાંધતા નથી llall તેથી પૂર્વાવસ્થામાં અસંયત મિથ્યાદષ્ટિ જીવને પ્રભૂતતર બંધ કરનારને ક્યાંથી ગ્રંથિદેશની પ્રાપ્તિ થાય ? 20 સમાધાન : “હે મુગ્ધ ! બહુલતાને આશ્રયી આ વાત જાણવી કે અસંયતને બહુતરનો બંધ અને અલ્પતરની નિર્જરા અર્થાતુ ઘણા જીવો આ પ્રમાણે બંધ-નિર્જરા કરે પરંતુ બધા જ અસયતો આ પ્રમાણે બંધ-નિર્જરા કરતા નથી. જો સતત પ્રભૂતતર-કર્મબંધ અને સ્તોકતર કર્મનિર્જરા સ્વીકારવામાં આવે તો સંપૂર્ણકર્મયુગલો એક દિવસ જીવોવડે ગ્રહણ થઈ જશે. અને જો આવું બને તો તો પછી કોઈ જીવને કર્મ બંધાશે જ નહીં અને તે કાંઈ ઇષ્ટ નથી. વળી અનુભવસિદ્ધ 25 એવી સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિનો પણ વિરોધ આવશે, અર્થાતુ અમુક જીવોને સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થયેલી દેખાય છે તે શક્ય જ નહીં બને. તેથી પલ્યકાદિના દૃષ્ટાંતોની ઘટના પ્રાય: શબ્દ જોડીને કરવી. શંકા : અનાભોગથી પ્રચુરતરકર્મક્ષય કેવી રીતે થાય ? ६०. पल्येऽतिमहति कुम्भं प्रक्षिपति शोधयति नालिकाम् । असंयतोऽविरत: बहु बध्नाति निर्जरयति 30 स्तोकम् ॥१॥ पल्येऽतिमहति कुम्भं शोधयति प्रक्षिपति नालिकाम् । यः संयतः प्रमत्तः बहु निर्जरयति बध्नाति स्तोकम् ॥२॥ पल्येऽतिमहति कुम्भं शोधयति प्रक्षिपति न किश्चित् । यः संयतोऽप्रमत्तः बहु निर्जरयति न बध्नाति किञ्चित् ॥३॥ + खलूपचया०. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ સામાયિકપ્રાપ્તિના દૃષ્ટાન્તો (નિ. ૧૦૭) गिरेः सरिद् गिरिसरित् तस्यां उपलाः- पाषाणाः गिरिसरिदुपलाः तद्वत्, एतदुक्तं भवति-यथा गिरिसरिदुपलाः परस्परसन्निघर्षेण उपयोगशून्या अपि विचित्राकृतयो जायन्ते, एवं यथाप्रवृत्तिकरणतो जीवास्तथाविधकर्मस्थितिविचित्ररूपाश्चित्रा इति २ । पीपीलिका : - कीटिकाः, यथा तासां क्षितौ स्वभावगमनं भवति १ तथा स्थाण्वारोहणं २ संजातपक्षाणां च तस्मादप्युत्पतनं ३ स्थाणुंमूर्धनि चावस्थानं ४ कासाञ्चित् स्थाणुंशिरसः प्रत्यवसर्पण ५ एवमिहापि जीवानां कीटिकास्वभावगमनवत् 5 यथाप्रवृत्तकरणं, स्थाण्वारोहणकल्पं त्वपूर्वकरणं, उत्पतनतुल्यं त्वनिवर्त्तिकरणमिति, स्थाणुंपर्यन्तावस्थानसदृशं तु ग्रन्थ्यवस्थानमिति, स्थाणुशिरसः प्रत्यवसर्पणसमानं तु पुनः कर्मस्थितिवर्धनमिति ३ । पुरुषदृष्टान्तो यथा - केचन त्रयः पुरुषा महानगरयियासया महाटवीं प्रपन्नाः, सुदीर्घमध्वानं अतिक्रामन्तः कालातिपातभीरवो भयस्थानमाढौकमानाः शीघ्रतरगतयो गच्छन्तः पुरस्तात् उभयतः समुत्खातकरवालपाणितस्करद्वयमालोक्य तत्रैकः प्रतीपमनुप्रयातः 10 अपरस्तु ताभ्यामेव गृहीतः तथाऽपरस्तावतिक्रम्य इष्टं नगरमनुप्राप्त इति । एष दृष्टान्तोऽयमर्थोपनयः સમાધાન : (૨) પર્વતનદીના પાષાણની જેમ અર્થાત્ નદીમાં રહેલા પથ્થરો પરસ્પર ધર્ષણવડે “મારે આવા આકારવાળા થવું છે.” એવા ઉપયોગથી શૂન્ય હોવા છતાં વિચિત્ર— આકૃતિવાળા બને છે. એ જ પ્રમાણે યથાપ્રવૃત્તિકરણથી જીવો તેવા પ્રકારની (ઓછાવત્તાપ્રકારની) કર્મસ્થિતિદ્વારા જુદા જુદા પ્રકારના હોય છે. 15 (૩) કીડીઓનું દૃષ્ટાંત : જેમ કીડીઓનું પૃથ્વી પર સ્વભાવથી જ ગમન થાય છે અર્થાત્ સ્વભાવથી જ તે કીડીઓ આમતેમ પૃથ્વી ઉપર ફરે છે, સ્થાણુ વગેરે ઉપર સ્વભાવથી જ ચડે છે, વળી પાંખો ઉત્પન્ન થતાં સ્થાણુ ઉપરથી પણ ઉડી જાય છે, તો કોઈક સ્થાણુ (ઠૂંઠું)ના મૂળ પાસે રહે છે, કોઈક વળી સ્થાણુના મૂળ પાસેથી પાછી ફરે છે. આ બધું જેમ સ્વભાવથી થાય છે તેમ જીવાનું યથાપ્રવૃત્તકરણ કીડીઓના સ્વભાવગમન જેવું છે, ઠૂંઠા ઉપર ચઢવા સમાન 20 અપૂર્વકરણ છે. ઉડવા સમાન અનિવૃત્તિકરણ છે, કારણ કે અનિવૃત્તિકરણદ્વારા જીવ મિથ્યાત્વગુણસ્થાનકથી ઉડી સમ્યક્ત્વગુણસ્થાને આવે છે. સ્થાણુના મૂળ પાસે રહેવા સમાન ગ્રંથિદેશ પાસે આવવું, સ્થાણુના મૂળ પાસેથી પાછા ફરવા સમાન ગ્રંથિદેશથી પાછા ફરવાવડે કર્મસ્થિતિને વધારવું. (૪) પુરૂષર્દષ્ટાંત : કોઈક ત્રણ પુરુષો મહાનગર તરફ જવાનીઇચ્છાથી મોટા જંગલમાં 25 પ્રવેશ્યા. લાંબો માર્ગ વટાવ્યા પછી સાંજ પડી જવાથી ભયવાળા થયેલા, ભયાનક સ્થાને પહોંચેલા, જલ્દીથી અટવીને પાર પાડવા શીઘ્રગતિવાળા, એવા તે ત્રણ પુરુષો સામે બંને બાજુથી ઉપાડેલી છે તલવાર હાથમાં જેનાવડે એવા બે ચોરને આવતા જોઈ તે ત્રણમાંનો એક પાછો વળ્યો. બીજો તે બન્નેવડે ગ્રહણ કરાયો અને ત્રીજો તે બંનેને ઓળંગી આગળ વધતા ઇચ્છિતનગર સુધી પહોંચી ગયો. ६१. स्थाणुबुध्ने (इति वि० १२१० गाथावृत्तौ ) मूलं बुध्नोऽह्निनामकः इत्यमरः । ६२. सर्वेऽप्ये बुध्नार्थाः, अन्यथा अपूर्वकरणकालात्प्राक्तनत्वं विरुध्येत । + ०तिचित्र० । 30 Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ના આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एवमिह संसाराटव्यां पुरुषाः संसारिणस्त्रयः कल्प्यन्ते, पन्थाः कर्मस्थितिरतिदीर्घा, भयस्थानं तु ग्रन्थिदेशः, तस्करद्वयं पुना रागद्वेषौ, तत्र प्रतीपगामी यो यथाप्रवृत्तकरणेन ग्रन्थिदेशमासाद्य पुनरनिष्टपरिणामः सन् कर्मस्थितिमुत्कृष्टामासादयति, तस्करद्वयावरुद्धस्तु प्रबलरागद्वेषोदयो ग्रन्थिकसत्त्व इत्यर्थः, अभिलषितनगरमनुप्राप्तोऽपूर्वकरणतो रागद्वेषचौरौ अपाकृत्य 5 अनिवर्तिकरणेनावाप्तसम्यग्दर्शन इति ४ । आह-स हि सम्यग्दर्शनमुपदेशतो लभते उतानपदेशत एवेति, अत्रोच्यते, उभयथापि लभते, कथम् ?, पंथः परिभ्रष्टपुरुषत्रयवत्, यथा हि कश्चित् पर्थि परिभ्रष्टः उपदेशमन्तरेणैव परिभ्रमन् स्वयमेव पन्थानमासादयति, कश्चित्तु परोपदेशेन, अपरस्तु नासादयत्येव, एवमिहाप्यत्यन्तापँनष्टसत्पथो जीवो यथाप्रवृत्तकरणत: संसाराटव्यां परिभ्रमन् कश्चिद्ग्रन्थिमासाद्य अपूर्वकरणेन च तमतिक्रम्य अनिवर्तिकरणमनुप्राप्य स्वयमेव सम्यग्दर्शनादि 10 निर्वाणपुरस्य पन्थानं लभते, कश्चित्परोपदेशात्, अपरस्तु प्रतीपगामी ग्रन्थिकसत्त्वो वा नैव लभते આ દષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે કે સંસારરૂપ અટવી વિષે ત્રણ સંસારીજીવોની કલ્પના કરીએ. અતિદીર્ઘ કર્મસ્થિતિરૂપી માર્ગ કલ્પીયે. ભયસ્થાનરૂપ ગ્રંથિદેશ, બે ચોર સમાન રાગદ્વેષ જાણવા. તેમાં જે જીવ યથાપ્રવૃત્તકરણદ્વારા ગ્રંથિદેશને પામી ફરી પાછો અનિષ્ટ પરિણામવાળો થતાં ઉત્કૃષ્ટકર્મસ્થિતિને બાંધે છે તે પ્રતીપગામી જેવો જાણવો અર્થાત સામે આવતા 15 ચોરોને જોઈ ત્રણ પુરુષોમાંથી જે પુરુષ લડ્યા વિના પાછો ફરી ગયો તેના જેવો આ જીવ છે. પ્રબલરાગ-દ્વેષના ઉદયવાળો ગ્રંથિદેશ પાસે આવેલો જીવ બે ચોરોવડે પકડાયેલા પુરુષ સમાન જાણવો. વળી ઇચ્છિત નગરને પ્રાપ્ત કરનાર પુરુષ સમાન અપૂર્વકરણથી રાગ-દ્વેષરૂપી ચોરોને પરાજિત કરી અનિવૃત્તિકરણ વડે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરનાર જીવ જાણવો. શંકા : જીવને જે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે તે ઉપદેશથી થાય છે કે ઉપદેશ વિના 20 થાય છે ? સમાધાન : બંને રીતે થાય છે. આ વિષયમાં માર્ગથી ભ્રષ્ટ થયેલા ત્રણ પુરુષોનું ઉદાહરણ જાણવું. જેમ કોઈક વ્યક્તિ માર્ગથી ભ્રષ્ટ થયેલી કોઈના ઉપદેશ વિના જ ફરતી ફરતી જાતે જ માર્ગ પર ચઢી જાય છે. બીજી કોઈક બીજાના માર્ગદર્શનથી માર્ગને પામે છે. તથા ત્રીજો. કોઈક માર્ગને પામી શકતો નથી, તેમ અત્યંતપ્રનષ્ટ થયેલ છે સન્માર્ગ જેનો એવો કો'ક જીવા 25 સંસારાટવીમાં ભમતો ભમતો યથાપ્રવૃત્તકરણથી ગ્રંથિદેશ પાસે આવી અને અપૂર્વકરણથી તે દેશને ઓળંગી, અનિવૃત્તિકરણદ્વારા જાતે જ સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગને પામે છે, જયારે કોઈ જીવ ગુરુ વગેરેના ઉપદેશથી પામે છે, ત્રીજો કો'ક જીવ કે જે પ્રતીપગામી (પાછો જનારો) અથવા ગ્રંથિદેશ પાસે જ રહેલો છે તે સમ્યગ્દર્શનાદિ પામતો નથી. ६३. गंठित्ति सुदुब्भेओ कक्खडघणेत्यादिके घणरागद्दोसपरिणामोत्तिवचनात्. ★ पथपरि० ( काट: 30 પથ પતિ ત્રિાપ:). + પથTo | * ૦ત્તાનgo | Page #248 -------------------------------------------------------------------------- ________________ સામાયિકપ્રાપ્તિના દૃષ્ટાન્તો (નિ. ૧૦૭) ૨૨૫ इति ५ । इदानीं ज्वरदृष्टान्तो - यथा हि ज्वरः कश्चित् स्वयमेवापैति, कश्चिद्भेषजोपयोगेन, कश्चित्तु नैवापैति, एवमिह मिथ्यादर्शनमहाज्वरोऽपि कश्चित्स्वयमेवापैति कश्चित् अर्हद्वचनभेषजोपयोगात् 'अपरस्तु तदौषधोपयोगेऽपि नापैति, करणत्रययोजना स्वयमेव कार्या ६ । कोद्रवदृष्टान्त: - यथा इह केषाञ्चित् कोद्रवाणां मदनभावः स्वयमेव कालान्तरतोऽपैति तथा केषाञ्चित् गोमयादिपरिकर्मतः तथा परेषां नापैति, एवं मिथ्यादर्शनभावोऽपि कश्चित्स्वयमेवापैति कश्चिदुपदेशपरिकर्मणा अपरस्तु 5 नापैति, इह च भावार्थ:- स हि जीवोऽपूर्वकरणेन मदनार्धशुद्धशुद्धकोद्रवानिव दर्शनं मिथ्यादर्शनसम्यग्मिथ्यादर्शनसम्यग्दर्शनभेदेन त्रिधा विभजति, ततोऽनिवर्त्तिकरणविशेषात्सम्यक्त्वं प्राप्नोति, एवं करणत्रययोगवतो भव्यस्य सम्यग्दर्शनप्राप्तिः, अभव्यस्यापि कस्यचिद् यथाप्रवृत्तकरणतो ग्रन्थिमासाद्य अर्हदीदिविर्भूतिसंदर्शनतः प्रयोजनान्तरतो वा प्रवर्तमान श्रुतसामायिकलाभो भवति, न शेषलाभ इति ७ ! હવાની નલદાન્ત:-યથા દિ નાં 10 मलिनार्धशुद्धशुद्धभेदेन त्रिधा भवति, एवं दर्शनमपि मिथ्यादर्शनादिभेदेन अपूर्वकरणतस्त्रिधा (૬) તાવનું દૃષ્ટાંત : જેમ કો'ક તાવ સ્વયં જ નાશ પામે છે. કો'ક તાવ ઔષધવડે નાશ પામે છે અને કો'ક તાવ વળી નાશ પામતો જ નથી. તેમ કો'ક મિથ્યાત્વરૂપ તાવ પણ સ્વયં નાશ પામે છે, કો'ક મિથ્યાત્વરૂપ મહાવર અરિહંતવચનરૂપી ઔષધથી નાશ પામે છે, જ્યારે કો'ક ઔષધવડે પણ નાશ પામતો નથી. કરણત્રય અર્થાત્ યથાપ્રવૃત્તકરણાદિ ત્રણે જેવી રીતે 15 ઘટતા હોય, તેમ જાતે ઘટાડવા. (૭) કોદ્રવનું દૃષ્ટાંત : જેમ કેટલાક કોદ્રવોનો માદક સ્વભાવ કાળાન્તરે જાતે દૂર થાય છે, તો કેટલાકોનો છાણાદિની ક્રિયાથી દૂર થાય છે, વળી કેટલાકોનો માદક સ્વભાવ દૂર થતો નથી, તેમ કેટલાક જીવોનો મિથ્યાદર્શનરૂપ ભાવ જાતે, તો કેટલાકોનો ઉપદેશ દ્વારા તે ભાવ નાશ પામે છે, અને કેટલાકોનો નાશ પામતો નથી. અહીં ભાવાર્થ આ પ્રમાણે જાણવો કે તે જીવ 20 અપૂર્વકરણદ્વારા મદન(અશુદ્ધ), અર્ધશુદ્ધ, શુદ્ધકોદ્રવની જેમ દર્શનને (દર્શનમોહનીયના પુદ્ગલને) મિથ્યાદર્શન, મિશ્રદર્શન અને સમ્યગ્દર્શન એમ ત્રણ પ્રકારે ભેદે છે. ત્યારપછી અનિવૃત્તિકરણ વડે સમ્યક્ત્વને પામે છે. આ પ્રમાણે ત્રણ કરણના યોગથી ભવ્યજીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જ્યારે યથાપ્રવૃત્તકરણથી ગ્રંથિ સુધી આવેલા અને અરિહંતાદિની વિભૂતિને જોઈને અથવા અન્ય કોઈ 25 પ્રયોજનથી (જૈન અનુષ્ઠાનોમાં) પ્રવૃત્ત થયેલા એવા કો'ક અભવ્યજીવને પણ શ્રુતસામાયિકનો લાભ થાય છે (અર્થાત્ આગમાદિ ભણે છે) પરંતુ શેષ સમ્યક્ત્વસામાયિક વગેરેનો લાભ થતો નથી. (૮) પાણીનું દૃષ્ટાંત : જેમ પાણી મલિન, અર્ધશુદ્ધ અને શુદ્ધ એમ ત્રણ પ્રકારે હોય છે ६४. अत्र पूर्वत्र च परं न दृष्टान्तानुक्रमेण किंतु यथास्वरूपं । ६५ दर्शनमोहनीयपुद्गलरूपं, मिथ्यात्वस्य सत्त्वेऽपि भागत्रयम्, शुद्धत्वावस्थानत आश्रित्य मिथ्यात्वस्य । ६६. आदिना 30 गणभृदादिविभूत्यादिग्रहः, तत्त्वं तु सत्कारकारणमेतदिति बुद्धौ । ६७. देवत्वनरेन्द्रत्वसौभाग्यरूपबलावाप्यादिग्रहः । + ०तिदर्शन० । Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) करोतीति, भावार्थस्तु पूर्ववदेव ८ । वस्त्रदृष्टान्तेऽप्यायोजनीयमिति गाथार्थः ९ ॥१०७॥ प्रासङ्गिकमुच्यते-एवं सम्यग्दर्शनलाभोत्तरकालमवशेषकर्मणः पल्योपमपृथक्त्वमितिस्थितिपरिक्षयोत्तरकालं देशविरतिरवाप्यते, पुनः शेषायाः संख्येयेषु सागरोपमेषु स्थितेरपगतेषु सर्वविरतिरिति, पुनरवशेषस्थितेरपि संख्येयेष्वेव सागरोपमेषु क्षीणेषु उँपशामकश्रेणी, अनेनैव 5 न्यायेन क्षपकश्रेणीति, इयं च देशविरत्यादिप्राप्तिरेतावत्कालतो देवमनुष्येषु उत्पद्यमानस्य अप्रतिपतितसम्यक्त्वस्य नियमेनोत्कृष्टतो द्रष्टव्येति, अन्यथा अन्यतरश्रेणिरहितसम्यक्त्वादिगुणप्राप्तिरेकभवेनाप्यविरुद्धेति, उक्तं च भाष्यकारण “सम्मत्तंमि उ लद्धे पलिय हुत्तेण सावओ होज्जा । चरणोवसमखयाणं सागर संखंतरा हुंति ॥१॥ एवं अप्परिवडिए सम्मत्ते देवमणुयजम्मेसु । પાતરહિન્ને પામવેગ વ સલ્વાડું રn” એમ દર્શન પણ મિથ્યાદર્શનાદિ ત્રણ પ્રકારે જીવ અપૂર્વકરણદ્વારા કરે છે. ભાવાર્થ કાદ્રવના દૃષ્ટાંત પ્રમાણે જાણી લેવો. (૯) વસ્ત્રનું દૃષ્ટાંત : મલિન, અર્ધમલિનાદિ ભાવના વસ્ત્રમાં પણ જોડી દેવી. અહીં 15 ગાથાર્થ પૂર્ણ થાય છે. પરંતુ આ વિષયસંબંધિ થોડીક પ્રાસંગિક વાત ટીકાકાર કરે છે - આ પ્રમાણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી બાકી રહેલ કર્મમાંથી પલ્યોપમપૃથક્ત જેટલી સ્થિતિ ઓછી થાય ત્યારે જીવ દેશવિરતિ પામે છે. પુનઃ શેખકર્મસ્થિતિમાંથી સંખ્યાતાસાગરોપમની સ્થિતિ દૂર થતાં સર્વવિરતિ પ્રાપ્ત થાય છે. પુનઃ સંખ્યાતાસાગરોપમની સ્થિતિ દૂર થાય ત્યારે ઉપશમશ્રેણી પ્રાપ્ત થાય છે. પુનઃ સંખ્યાતાસાગરોપમની સ્થિતિ દૂર 20 થાય ત્યારે ક્ષપકશ્રેણી પ્રાપ્ત થાય છે. આટલા કાળથી દેશવિરતિ વગેરે ગુણપ્રાપ્તિ નિયમથી દેવ-મનુષ્યમાં ઉત્પન્ન થનાર અને અપ્રતિપતિત સમ્યક્ત્વવાળા જીવને ઉત્કૃષ્ટકાળે નિયમો જાણવી અર્થાત્ વધારેમાં વધારે આટલા કાળમાં ઉપરોક્ત જીવને નિયમથી દેશવિરતિ વગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે. અન્યથા = જઘન્યથી, એક ભવમાં પણ જીવને બેમાંથી એક શ્રેણિરહિત સમ્યક્તાદિગુણોની પ્રાપ્તિ થઈ શકે છે. 25 ભાષ્યકારે પણ જણાવેલ છે કે “સમ્યક્ત પ્રાપ્ત થયા પછી પલ્યોપમપૃથકૃત્વવડે જીવ શ્રાવક બને છે, સંખ્યાતા સાગરોવડે ચારિત્ર-ઉપશમ–ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થાય છે. |૧|આ પ્રમાણે અપ્રતિપતિત સમ્યક્તને આશ્રયી દેવ-મનુષ્યમાં (સમજવું, અથવા) એક ભવમાં અન્યતરશ્રેણિવર્જી સર્વની (સર્વગુણોની) પ્રાપ્તિ થાય છે. કેરા (૧ ભવમાં સિદ્ધાંત મતે ઉપશમક્ષપક એમ બંને શ્રેણિ પ્રાપ્ત થતી નથી.) પ્રાસંગિક વાત પૂર્ણ કરી. /૧૦૭ll ६८. देवभवेऽधिकस्थितावपि तावत्याः स्थितेः सद्भावादुपचयेन न देशविरतिप्रसङ्ग इति प्रथमपञ्चाशकवृत्तौ । ६९. सम्यकत्वे तु लब्धे पल्योपमपृथक्त्वेन श्रावको भवेत् । चरणोपशमक्षयेषु, सागराः संख्येया अन्तरं भवति ॥१॥ एवमप्रतिपतिते सम्यक्त्वे देवमनुष्यजन्मसु । अन्यतरश्रेणिवर्जे vમવેનાઈપ સfor iારા (વિશે. ૨૨૨૨-૨૨૨૩) I + નેI * ૩પ છેo | . Page #250 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તસમાયિકની અપ્રાપ્તિનું કારણ (નિ. ૧૦૮) ક ૨૨૭ अभिहितं ऑनुषङ्गिकं, इदानीं यदुदयात् सम्यक्त्वसामायिकादिलाभो न भवति, संजातो वाऽपैति, तानिहावरणरूपान् कषायान् प्रतिपादयन्नाह-पढमिल्लु० । अथवा यदुक्तं 'कैवल्यज्ञानलाभो नान्यत्र कषायक्षयात्' इति, इंदानी ते कषायाः के ? कियन्तः ? को वा कस्य सम्यक्त्वादिसामायिकस्यावरणं ? को वा खलु उपशमनादिक्रमः कस्य इत्यमुमर्थमभिधित्सुराह पढमिल्ल्याण उदए नियमा संजोयणाकसायाणं । सम्मसणलंभं भवसिद्धीयावि न लहंति ॥१०८।। उत्तरगाथा अपि प्रायः कियत्योऽपि उक्तसंबन्धा एवेति, तत्र व्याख्या-प्रथमा एव . प्रथमिल्लुका:, देशीवचनतो जहा ‘पढमिल्ला एत्थ घरा' इत्यादि, तेषां प्रथमिल्लुकानां-अन्तानुबन्धिनां क्रोधादीनामित्युक्तं भवति, प्राथम्यं चैषां सम्यक्त्वाख्यप्रथमगुणविघातित्वात् क्षपणक्रमाद्वेति, ૩:–ડીયUTIવનિતિતત્ત્વદ્રોહૂતિસામર્થ્યતા તસ્મિન્ ડ, વિમ્ – ‘નિયમા' નિયતિ, 10. अस्य व्यवहितपदेन सार्धं संबन्धः तं च दर्शयिष्यामः, इदानी पुनः प्रथमिल्लुका एव विशिष्यन्तेकिंविशिष्टानां प्रथमिल्लकाना ?-कर्मणा तत्फलभूतेन संसारेण वा संयोजयन्तीति संयोजनाः, અવતરણિકા : જેના ઉદયથી સમ્યક્તસામાયિકાદિન લાભ થતો નથી અથવા થયેલો લાભ નાશ પામે છે તે આવરણરૂપ કષાયોને બતાવતા કહે છે – “પઢમિલ્યાણ...” અથવા (બીજી રીતે અવતરણિકા બતાવે છે) પૂર્વે કહ્યું કે “કપાયક્ષય વિના કૈવલ્યજ્ઞાનનો લાભ થતો નથી.” તે 15 કપાયો કયા ? કેટલા ? અથવા કયો કષાય કયા સમ્યક્તાદિ સામાયિકનું આવરણ છે ? અથવા ક્યા કપાયને ક્યા ક્રમે ઉપશમાદિ થાય છે? તે બતાવતા ગ્રંથકારશ્રી જણાવે છે ? ગાથાર્થ : સંયોજના નામના પ્રથમ અનંતાનુબંઘીકષાયોના ઉદયમાં ભવસિદ્ધિક (તદ્દભવમોક્ષગામી એવા પણ જીવ સમ્યક્તને પામતા નથી. ટીકાર્થ : ઉપરોક્ત અવતરણિકા કહેવા દ્વારા હવે પછી આવતી કેટલીક ઉત્તરગાથાઓની 20 પણ અવતરણિકો કહી દીધેલી જાણવી. હવે આ ગાથાનો અર્થ બતાવે છે. – પ્રથમ એ જ પ્રથમિલ્લકા આ દેશીવચન છે જેમકે ‘પદ્ધમિર્જી પત્થ ઘરી'માં “પઢમક્કા' શબ્દ વપરાય છે, તેમ અહીં પણ ‘પ્રથમિલ્લા' શબ્દ છે. આ શબ્દ દ્વારા પ્રથમ અનંતાનુબંધીકપાય ગ્રહણ કરવો. સમ્યત્ત્વનામના પ્રથમ ગુણનો ઘાત કરનાર હોવાથી અથવા પ્રથમ તેનો ક્ષય થતો હોવાથી અનંતાનુબંધી પ્રથમ ઉપાય છે. આ પ્રથમ અનંતાનુબંધી કષાયોના ઉદયમાં, અહીં ઉદય એટલે 25 ઉદયાવલિકામાં રહેલા કર્મપુદ્ગલથી ઉત્પન્ન થતી સામર્થ્યતા (અર્થાત પુદ્ગલોની ફળ દેખાડવાની નિયમથી” મૂળગાથામાં આ પદ જ્યાં જોડેલું છે તેના કરતા વ્યવહિતપદની સાથે = દૂર રહેલા ‘સમ્મદંસણતંભ' પદની સાથે એનો સંબંધ કરવો, જે આગળ દેખાડશે. હવે પ્રથમ એવા અનંતાનુબંધીકષાયોનું વિશેષણ બતાવે છે અર્થાત કેવા છે અનંતાનુબંધી કષાયો? તે કહે છે – નવા 30 કર્મોની સાથે અથવા તે કર્મોના ફળસ્વરૂપ સંસારની સાથે આત્માને જે જોડે તે સંયોજન પાયો, આ અનંતાનુબંધી કષાયો જીવને સંસારે સાથે જોડતા હોવાથી સંયોજના તરીકે ઓળખાય છે. ૭૦. શ્રુતસંખ્યત્વuિrfdહેતુતયા પ્રસઃ + વિલા ૦ | * ૩૫રમાદ્રિ ! Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ : આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) संयोजनाश्च ते कषायाश्चेति विग्रहः तेषामुदये, किम् ?-नियमेन सम्यक्-अविपरीतं दर्शनं सम्यग्दर्शनं तस्य लाभ:-प्राप्तिः सम्यग्दर्शनलाभ: तं, भवे सिद्धिर्येषां ते भवसिद्धिकाः । आहसर्वेषामेव भवे सति सिद्धिर्भवति ?, उच्यते, एवमेतत्, किंतु इह प्रकरणात् तद्भवो गृह्यते, तद्भवसिद्धिका अपि 'न लभन्ते' न प्राप्नुवन्ति, अपिशब्दाद् अभव्यास्तु नैव, अथवा 5 परीतसंसारिणोऽपि नैवेति गाथार्थः ॥१०८॥ बिइयकसायाणुदए अपच्चक्खाणनामधेज्जाणं । सम्मइंसणलंभं विरयाविरई न उ लहंति ॥१०९॥ व्याख्या-'द्वितीया' इति देशविरतिलक्षणद्वितीयगुणघातित्वात् क्षपणक्रमाद्वा, कषाया' इति 'कष गतौ' इति कषशब्देन कर्माभिधीयते, भवो वा, कषस्य आया लाभाः प्राप्तयः कषाया: 10 ઘવિય:, દ્વિતીયાંશ તે પાયાવિ સમાસ:, તેષ, “૩: 'તિ ની પૂર્વવર્થ, શિવિશિષ્ટ ? -'अप्रत्याख्याननामधेयानां' न विद्यते देशविरतिसर्वविरतिरूपं प्रत्याख्यानं येषु उदयप्राप्तेषु सत्सु આવા અનંતાનુબંધી કષાયોના ઉદયમાં, તે ઉદયમાં શું ? તો નિયમથી (પૂર્વે કહેલ ‘નિયમથી' શબ્દ અહીં જોડ્યો.) સમ્યફ અવિપરિતદર્શન તે સમ્યગદર્શન તેની પ્રાપ્તિ, તે સમ્યગ્દર્શનલાભ, (ટીકાનો અન્વય આ પ્રમાણે જાણવો – અનંતાનુબંધી કષાયોના ઉદયમાં નિયમથી ભવસિદ્ધિક 15 જીવોને પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી.) ભવમાં સિદ્ધિ છે જેઓને તે ભવસિદ્ધિકો. શંકા : સર્વજીવોને ભવમાં જ સિદ્ધિ થવાની છે તો ભવ શબ્દ શા માટે ગ્રહણ કર્યો છે સમાધાન : તમારી વાત સાચી છે. પરંતુ અહીં ભવ શબ્દથી તદ્દભવ ગ્રહણ કરવાના છે, અર્થાત્ તે જ ભવમાં સિદ્ધિને પામનાર જીવો પણ પ્રથમ કષાયોના ઉદયમાં સમ્યગ્દર્શન પામતાં નથી. ‘તભવસિદ્ધિકો પણ અહીં પણ શબ્દથી અભવ્યો કે અલ્પસંસારવાળી જીવો પણ પામી 20 શકતા નથી એ જાણવું. ૧૦૮ (અવતરણિકા : ગા. નં. ૧૦૭ની અવતરણિકા જ અહીં પણ જાણવી.) ગાથાર્થ : અપ્રત્યાખ્યાન નામના બીજા કષાયોના ઉદયમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે પરંતુ દેશવિરતિ પ્રાપ્ત થતી નથી. ટીકાથે : દેશવિરતિનામના બીજા ગુણનો ઘાત કરનાર હોવાથી અથવા ક્ષપકશ્રેણિમાં બીજા 25 નંબરે ક્ષય થતો હોવાથી આ કષાયો બીજા નંબરને પામે છે. કષાય શબ્દનો અર્થ બતાવે છે. તેમાં કમ્ ધાતુ ગતિ–અર્થમાં વપરાય છે. અને અહીં કષ શબ્દથી કર્મ અથવા સંસાર અર્થ લેવો તેથી કષનો એટલે કર્મોનો અથવા સંસારનો જે આય=લાભ, તે કષાય અર્થાત્ જેનાથી કર્મોનો અથવા સંસારનો લાભ (પ્રાપ્તિ) થાય તે ક્રોધાદિ કષાયો. અપ્રત્યાખ્યાન નામના આ બીજા કષાયોનો ઉદયમાં ભવ્યજીવો સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે, (તુ શબ્દથી “પ્રાપ્ત કરે છે' એવો અર્થ લેવો. 30 જયારે દેશવિરતિને પ્રાપ્ત કરતા નથી. ટીકામાં બાકી રહેલા શબ્દોનો આ પ્રમાણે અર્થ જાણવો. “ઉદય” શબ્દનો અર્થ પૂર્વે બતાવી દીધો છે. પ્રત્યાહ્યાનનાઘેયાન' જે કષાયો ઉદયમાં આવતા દેશવિરતિ કે સર્વવિરતિરૂપ પચ્ચખાણ રહેતું નથી તે અપ્રત્યાખ્યાન. Page #252 -------------------------------------------------------------------------- ________________ દેશ-સર્વવિરતિના લાભાલાભનું કારણ (નિ. ૧૧૦) ૨ ૨ ૨૯ ते अप्रत्याख्यानाः, सर्वनिषेधवचनोऽयं नञ् द्रष्टव्यः, अप्रत्याख्याना एव नामधेयं येषां ते तथाविधाः तेषामुदये सति, किम् ?-सम्यग्दर्शनलाभं, भव्या लभन्ते इति शेषः, अयं च वाक्यशेषो विरताविरतिविशेषणे तुशब्दसंसूचितो द्रष्टव्यः, तथा चाह-विरमणं विरतं तथा न विरतिः अविरतिः विरतं चाविरतिश्च यस्यां निवृत्तौ सा तथोच्यते, देशविरतिरित्यर्थः, तां विरताविरतिं न तु लभन्ते, तु शब्दात् सम्यग्दर्शनं तु लभन्ते इति गाथार्थः ॥१०९॥ 5 तइयकसायाणुदए पच्चक्खाणावरणनामधिज्जाणं । देसिक्कदेसविरई चरित्तलंभं न उ लहंति ॥११०॥ व्याख्या-सर्वविरतिलक्षणतृतीयगुणघातित्वात् क्षपणक्रमाद्वा तृतीयाः, 'कषायाः' पूर्ववत्, तृतीयाश्च ते कषायाश्चेति समासः; कषायाः क्रोधादय एव चत्वारस्तेषां 'उदय' इति पूर्ववत्, किंविशिष्टानां ?-आवृण्वन्तीत्यावरणाः, प्रत्याख्यानं सर्वविरतिलक्षणं तस्यावरणा: प्रत्याख्यानावरणाः 10 प्रत्याख्यानावरणय एव नामधेयं येषां ते तथाविधास्तेषां । आह-नन्वप्रत्याख्याननामधेयानामुदये न प्रत्याख्यानमस्तीत्युक्तं, नञा प्रतिषिद्धत्वात्, इहापि च आवरणशब्देन प्रत्याख्यानप्रतिषेधात् क एषां प्रतिविशेष इति, उच्यते, तत्र नञ् सर्वनिषेधवचनो वर्त्तते, इह पुन: आङो मर्यादेषदर्थवचनत्वात् ईषन्मर्यादया वाऽऽवृण्वन्तीत्यावरणाः, ततश्च सर्वविरतिनिषेधार्थ एवायं वर्त्तते न देशविरतिनिषेधे અહીં ‘અ'કાર સર્વનિષેધને જણાવનારો છે. અર્થાત અપ્રત્યાખ્યાનમાં પ્રત્યાખ્યાનનો સર્વ 15 નિષેધ થાય છે. અપ્રત્યાખ્યાન એ જ નામ છે જેનું તે અપ્રત્યાખ્યાનનામધેય કહેવાય. અર્થાત અપ્રત્યાખ્યાન નામના કષાયો. ‘વિરતાવિરતિ’ – પાપથી અટકવું તે વિરત તથા પાપથી ન અટકવું તે અવિરતિ, તેથી વિરત અને અવિરતિ છે જે નિવૃત્તિમાં તે વિરતાવિરતિ અર્થાત દેશવિરતિ. /૧૦૯મી ગાથાર્થ : પ્રત્યાખ્યાનાવરણ નામના ત્રીજા કષાયના ઉદયમાં (જીવો) દેશવિરતિ પામે છે 20 પણ સર્વવિરતિ પામતા નથી. ટીકાર્થ : સર્વવિરતિરૂપ ત્રીજાગુણનો ઘાત કરનાર હોવાથી અથવા ક્ષપકશ્રેણીમાં ત્રીજા નંબરે આ કષાયોનો ક્ષય થતો હોવાથી આ કષાયો ત્રીજા નંબરે આવે છે. કષાય અને ઉદય શબ્દનો અર્થ પૂર્વે બતાવ્યો. તથા આવરણ કરે = ઢોકે તે આવરણ, સર્વવિરતિરૂપ પચ્ચક્ખાણનું આવરણ તે પ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ નામ છે જેનું તે પ્રત્યાખ્યાનાવરણકષાયો. 25 શંકા : અપ્રત્યાખ્યાનાવરણકષાયોના ઉદયમાં પ્રત્યાખ્યાન હોતું નથી એવું તમે પૂર્વે કહ્યું કારણ કે “અ” શબ્દથી સર્વ પ્રત્યાખ્યાનનો નિષેધ કર્યો હતો. અને અહીં પણ આવરણ શબ્દથી પ્રત્યાખ્યાનનો પ્રતિષેધ હોવાથી બંને કષાયોમાં ફરક શું રહ્યો ? સમાધાન : પૂર્વે “અપ્રત્યાખ્યાન' શબ્દમાં રહેલ “અ” શબ્દ સર્વનિષેધ જણાવનાર છે. જયારે અહીં “આવરણ' શબ્દમાં રહેલો “આ” શબ્દ ઈષદ્ અને મર્યાદાના અર્થવાળો હોવાથી 30 કંઈક અથવા મર્યાદાથી ઢાંકે તે આવરણ. આવો અર્થ હોવાથી અહીં “આ” શબ્દ સર્વવિરતિનો Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) खल्वावरणशब्द इति, तथा चाह-देशश्चैकदेशश्च देशैकदेशौ, तत्र देश:-स्थूलप्राणातिपातः, एकदेश: तस्यैव यथादृश्यवनस्पतिकायाद्यतिपातः, तयोः विरतिः-निवृत्तिः ता, लभन्ते इति वाक्यशेषः, अत्रापि वाक्यशेषः चारित्रविशेषणे तुशब्दाक्षिप्त एव द्रष्टव्यः, यत आह–'चारित्रं' इति વર તિક્ષાયો' રિતિ, ૩સ્થ ‘ત્તિનૂધૂમૂરનિહિર રૂત્ર:'(પ. રૂ-૨-૨૮૪) તીત્રપ્રયાન્તી 5 चरित्रमिति भवति, चरन्त्यनिन्दितमनेन इति चरित्रं क्षयोपशमरूपं तस्य भावश्चारित्रं, एतदुक्तं भवति-इहान्यजन्मोपात्ताविधकर्मसंचयापचयाय चरणं चारित्रं, सर्वसावद्ययोगनिवत्तिरूपा क्रियेत्यर्थः, तस्य लाभश्चारित्रलाभस्तं न तु लभन्ते, तुशब्दाद्देशैकदेशविरतिं तु लभन्त एवेति થાઈ: 13 પો. इदानीममुमेवार्थमुपसंहरन्नाह मूलगुणाणं लंभं न लहइ मूलगुणघाइणं उदए । જ નિષેધ કરે છે, દેશવિરતિનો નહીં. આ જ વાતને કરતાં સિવ ' શબ્દનો અર્થ બતાવે છે. તેમાં દેશ અને એકંદરા એમ બે શબ્દો છે. તેમાં દેશ એટલે શૂલપ્રાણાતિપાત. અને એકદેશ એટલે શૂલપ્રાણાતિપાતમાનો જ દશ્ય એવા વનસ્પતિકાયાદિનો અતિપાત, તે દેશ તથા એકદેશ બંનેની વિરતિ તે દેશૈકદેશવિરતિ 15 ભાવાર્થ આ પ્રમાણે કે- પ્રત્યાખ્યાન નામના ત્રીજા કષાયના ઉદયમાં દેશવિરતિને પામે છે. અહીં મૂળગાથામાં ‘પામે છે’ શબ્દ નથી તે ચારિત્રના વિશેષાર્થને જણાવનાર ‘તુ' શબ્દથી જણાય છે. (આશય એ છે કે – ‘તુ' શબ્દ જ્યારે, વળી વિગેરે અર્થોમાં વપરાય છે. આ જયારે, વળી વિગેરે શબ્દો વિશેષાર્થને જણાવનાર હોય છે. જેમકે, દેશવિરતિને પામે છે, જ્યારે સર્વવિરતિને પામતો નથી. અહીં પ્રસ્તુતમાં પણ દેશવિરતિને... આ શબ્દ પછી મૂળગાથામાં 20 ક્રિયાપદ નથી. તો શું સમજવું ? તેથી ટીકાકાર ખુલાસો કરે છે કે “ચરિત્તનંાં ન ૩' અહીં જે તુ શબ્દ છે તે ચારિત્ર માટેના વિશેષાર્થને જણાવે છે કે – “જ્યારે ચારિત્રના લાભને પામતો નથી.” અહીં આ રીતના વિશેષાર્થમાં વપરાયેલ તુ શબ્દથી જણાય છે કે દેશવિરતિને પામે છે. માટે મૂળમાં દેશવિરતિ શબ્દ પછી ‘પામે છે' ક્રિયાપદ જોડી દેવું.) તથા જેનાવડે લોકો અનિંદિત (નિંદા ન થાય એ રીતે) આચરણ કરે છે તે ચરિત્ર અર્થાત 25 ક્ષયોપશમ, તેનો ભાવ તે ચારિત્ર અર્થાતુ અન્યજન્મોમાં ગ્રહણ કરાયેલ કર્મોના સંચયનો નાશ કરવા માટેનું જે આચરણ તે ચારિત્ર એટલે કે સર્વ–સાવદ્યયોગમાંથી નિવૃત્તિ કરવી. આવા ચારિત્રની પ્રાપ્તિ પ્રત્યાખ્યાન નામના કષાયના ઉદયમાં થતી નથી. ‘તુ' શબ્દથી દેશવિરતિની પ્રાપ્તિ થાય છે એ અર્થ જાણવો. ચારિત્રની વ્યુત્પત્તિ - વ ધાતુ ગતિ – ભક્ષણના અર્થમાં છે, તેને 7મૂધૂ.... સૂત્રથી પુત્ર પ્રત્યય લાગીને ચરિત્ર બને. તેને ભાવ અર્થમાં ધન્ પ્રત્યય લાગીને 30 ચારિત્ર બને. ll૧૧ ll અવતરણિકા : હવે આ જ અર્થનો ઉપસંહાર કરતા કહે છે ? ગાથાર્થ : મૂળગુણઘાતી એવા પ્રથમ બાર કષાયોના ઉદયમાં મૂળગુણોનો લાભ થતો Page #254 -------------------------------------------------------------------------- ________________ 10 15 સંજવલનના જ ઉદયમાં અતિચારોનો સંભવ (નિ. ૧૧૧-૧૧૨) દરેક ૨૩૧ उदए संजलणाणं न लहइ चरणं अहक्खायं ॥१११॥ व्याख्या-मूलभूता गुणा मूलगुणा उत्तरगुणाधारा इत्यर्थः, ते च सम्यक्त्वमहाव्रताणुव्रतरूपाः तेषां मूलगुणानां लाभं 'न लभते' न प्राप्नोति, कदेति आह-मूलगुणान् घातयितुं शीलं येषां ते मलगणघातिनः तेषां मलगणघातिनां-अनन्तानबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानावरणानां द्वादशानां कषायाणामुदये, तथा ईषद् ज्वलनात् संज्वलनाः सपदि परीषहादिसंघा(पा)तज्वलनाद्वा संज्वलना: 5 क्रोधादय एव चत्वारः कषायाः तेषां संज्वलनानामुदये न लभते, चारश्चरणं भावे ल्युट्-प्रत्ययः, लब्धं वा त्यजति, किं सर्वम् ?-नेत्याह-यथैवाख्यातं यथाख्यातं इति अकषायं, सकषायं तु નમસ્તે પતિ ૨૨ ___न च यथाख्यातचारित्रमात्रोपघातिन एव संज्वलनाः, किंतु शेषचारित्रदेशोपघातिनोऽपि, तदुदये शेषचारित्रदेशातिचारसिद्धेः, तथा चाह सव्वेविअ अइयारा संजलणाणं तु उदयओ हुंति । मूलच्छिज्जं पुण होइ बारसण्हं कसायाणं ॥११२॥ व्याख्या-'सर्वे' आलोचनादिच्छेदपर्यन्तप्रायश्चित्तशोध्या:, अपिशब्दात् कियन्तोऽपि च, अतिचरणान्यतिचाराः चारित्रस्खलनाविशेषाः, संज्वलनानामेवोदयतो भवन्ति, तुशब्दस्य નથી. સંજવલનકષાયના ઉદયમાં યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થતું નથી. ટીકાર્થ : મૂળભૂત ગુણો તે મૂળગુણો અર્થાત્ ઉત્તરગુણોના આધારરૂપ મૂળગુણો હોય છે. મૂળગુણો તરીકે સમ્યક્ત, મહાવ્રત અને અણુવ્રતો જાણવા. મૂળગુણોનો ઘાત કરવાનો સ્વભાવ છે જેઓને તે મૂળગુણાતી એવા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણરૂપ બાર કષાયોના ઉદયમાં જીવ મૂળગુણોને પામતો નથી. તથા કંઈક બાળતા હોવાથી સંજ્વલન અથવા પરિષહાદિ આવતા તરત ચારિત્રીને બાળતો 20 હોવાથી સંજવલન. ક્રોધાદિ ચાર કષાયો સંજ્વલનકષાય તરીકે ગ્રહણ કરવા. ક્રોધાદિ ચાર કષાયોરૂપ સંજુવલનના ઉદયમાં ચારિત્ર પ્રાપ્ત થતું નથી અથવા પ્રાપ્ત ચારિત્રનો નાશ થાય છે. શું એકપણ ચારિત્ર પ્રાપ્ત થતું નથી ? ઉત્તર – ના, યથાખ્યાત = અકષાયચારિત્ર પ્રાપ્ત થતું નથી, સકષાયચારિત્ર તો પ્રાપ્ત થાય છે. જે રીતનું છે તે રીતે તીર્થકરોવડે આખ્યાન = કથન કરેલું હોવાથી તે યથાપ્યાતચારિત્ર કહેવાય છે. ૧૧૧| 25 અવતરણિકા : સંજવલનકષાયો માત્ર યથાખ્યાતચારિત્રનો જ ઘાત કરે એવું નહીં પરંતુ શેષ ચારિત્રમાં દેશથી અતિચારો પણ લગાડતા હોવાથી શેષચારિત્રનો દેશથી ઉપઘાત પણ કરનારા હોય છે તે વાતને બતાવે છે કે ગાથાર્થ : બધા જ અતિચારો સંજવલન કષાયોના ઉદયમાં થાય છે, બાર કષાયોના ઉદયમાં મૂળથી છેદ્ય એવો દોષ થાય છે. ટીકાર્થ : સર્વ પણ એટલે આલોચના વગેરેથી લઈ છેદસુધીના પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કરવા યોગ્ય એવા સર્વ અતિચારો, “અપિ” શબ્દથી કેટલાક પણ અતિચારો અર્થાત્ બધા અતિચારો 30 Page #255 -------------------------------------------------------------------------- ________________ 10 ૨૩૨ કરિ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एवकारार्थत्वात् द्वादशानां पुनः कषायाणां उदयतः, किम् ?- मूलच्छेद्यं भवति, एवं पदयोगः कर्त्तव्यः, 'मूलेन' अष्टमप्रायश्चित्तेन 'छिद्यते' विदार्यते यद्दोषजातं तन्मूलच्छेद्यं, अशेषचारित्रच्छेदकारीति भावार्थः, पुन:शब्दस्तु प्रक्रान्तार्थविशेषणार्थ एवेति, 'भवति' संजायते 'द्वादशानां' अनन्तानुबन्धिप्रभृतीनां कषायाणां, उदयेनेति संबध्यते, अथवा मूलच्छेद्यं यथासंभवतः 5 खल्वायोजनीयं, प्रत्याख्यानावरणकषायोदयतस्तावत् मूलच्छेद्यं-सर्वचारित्रविनाशः, एवमप्रत्याख्यानकषायानन्तानुबन्ध्युदयतस्तु देशविरतिसम्यक्त्वं मूलच्छेद्यं यथायोगमिति गाथार्थः HI૬૨૨ यतश्चैवमतः बारसविहे कसाए खइए उवसामिए व जोगेहिं । लब्भइ चरित्तलंभो तस्स विसेसा इमे पंच ॥११३॥ व्याख्या-'द्वादशविधे' द्वादशप्रकारे अनन्तानुबन्ध्यादिभेदभिन्ने 'कषाये' क्रोधादिलक्षणे, 'क्षपिते सति' प्रशस्तयोगैः-निर्वाणहुतभुक्तुल्यतां नीते 'उपशमिते' भस्मच्छन्नाग्निकल्पतां प्रापिते, वाशब्दात् क्षयोपशमं वा-अर्धविध्यातानलोद्घट्टनसमतां नीते 'योगैः' मनोवाक्कायलक्षणैः અને થોડાંક પણ અતિચારો, અતિચાર એટલે અતિચરણ થવું = સ્કૂલના થવી અર્થાત્ ચારિત્રમાં 5 થતી સ્કૂલના અતિચાર કહેવાય છે. આ અતિચારો - અલનાઓ સંજવલનકષાયોના જ ઉદયમાં થાય છે. “તું” શબ્દ કાર અર્થવાળો હોવાથી ‘સંજવલનોના જ' એમ લખ્યું છે. વળી બાર કષાયોના ઉદયમાં મૂળથી છેદ્ય થાય છે. મૂળ છેદ્ય પદનો યોગ = અર્થ આ પ્રમાણે કરવા યોગ્ય છે – મૂળથી એટલે મૂળ નામના આઠમા પ્રાયશ્ચિત્તદ્વારા જે દોષનો સમૂહ નાશ પામે તે દોષનો સમૂહ મૂળ છેઘ કહેવાય અર્થાત્ સંપૂર્ણચારિત્રનો નાશ કરનાર દોષ સમૂહ. 20 પુનઃ શબ્દ પ્રસ્તુત વિષયના જ વિશેષ અર્થને જણાવનારો છે કે અનંતાનુબંધી વગેરે બાર કષાયોના ઉદયમાં સંપૂર્ણચારિત્રનો છેદ કરે એવા દોષો ઉત્પન્ન થાય છે. અથવા મૂળછેદ્ય યથાસંભવથી જોડવા યોગ્ય છે અર્થાત પ્રત્યાખ્યાનાવરણના ઉદયમાં મૂળછેદ્ય થાય છે એટલે સર્વચારિત્રનો નાશ થાય છે, એમ અપ્રત્યાખ્યાનકષાય અને અનંતાનુબંધી કષાયના ઉદયમાં ક્રમશ: દેશવિરતિ અને સભ્યત્ત્વનો મૂળથી નાશ થાય છે. ૧૧ રાઈ અવતરણિકા : જે કારણથી આ પ્રમાણે છે અર્થાત્ જે કારણથી બાર કષાયોના ઉદયમાં ચારિત્રાદિનો નાશ થાય છે તે કારણથી શું થાય ? તે બતાવે છે ; ગાથાર્થ : (પ્રશસ્ત મન-વચન અને કાયાના) યોગોવડે બારપ્રકારના કષાયોનો ક્ષય અથવા ઉપશમ થતાં ચારિત્રનો લાભ થાય છે. તે ચારિત્રના આ પાંચ વિશેષો (ભેદો) છે. ટીકાર્થ : અનંતાનુબંધી વગેરે બાર પ્રકારના ક્રોધાદિ કષાયોનો ક્ષય થતાં = પ્રશસ્ત યોગો 30 વડે શાંત (બુઝાઈ ગયેલ) અગ્નિ સમાન થતાં એટલે કે નાશ થતાં, અથવા આ કપાયો ઉપશમાવતે છતે = ભસ્મવડે ઢંકાયેલ અગ્નિ સમાન થતાં, “વા” શબ્દથી અથવા આ ક્રોધાદિ કષાયોનો ક્ષયોપશમ થતાં = અર્ધબુઝાયેલ અને અર્ધઢંકાયેલ અગ્નિ સમાન થતાં, પ્રશસ્ત મનવચન Page #256 -------------------------------------------------------------------------- ________________ 5 ચારિત્રના પાંચ ભેદો (નિ. ૧૧૪-૧૧૫) + ૨૩૩ प्रशस्तैर्हेतुभूतैरिति, किम् ? लभ्यते चारित्रलाभः 'तस्य' चारित्रलाभस्य सामान्यस्य न तु द्वादशविधकषायक्षयादिजन्यस्यैवेति, 'विशेषा' भेदा ‘एते' वक्ष्यमाणलक्षणा: ‘पञ्च' पञ्चेति સંડ્યા, (તિ) થાક્ષાર્થ: ભરૂા अनन्तरगाथासूचितपञ्चचारित्रभेदप्रदर्शनायाह सामाइयं च पढमं छेओवट्ठावणं भवे बीयं । परिहारविसुद्धीयं सुहुमं तह संपरायं च ॥११४॥ तत्तो य अहक्खायं खायं सव्वंमि जीवलोगंमि । जं चरिऊण सुविहिआ वच्चंतयरामरं ठाणं ॥११५॥ प्रथमगाथाव्याख्या-'सामायिकं' इति समानां-ज्ञानदर्शनचारित्राणां आय:-समायः, समाय एव सामायिकं विनयादिपाठात् स्वार्थे ठक्, आह-समयशब्दस्तत्र पठ्यते, तत्कथं समाये 10 प्रत्ययः ?, उच्यते, 'एकदेशविकृतमनन्यवद्भवती' तिन्यायात्, तच्च सावद्ययोगविरतिरूपं, ततश्च કાયારૂપ યોગોવડ (અહીં અન્વય આ પ્રમાણે કરવો - આ પ્રશસ્ત યોગીવડે ક્રોધાદિ કષાયોનો ક્ષય–ઉપશમ કે ક્ષયોપશમ થતાં) ચારિત્રનો લાભ થાય છે. સામાન્ય એવા તે ચારિત્રના પાંચ ભેદો પડે છે, નહીં કે બાર પ્રકારના કષાયના ક્ષયાદિ જન્ય એવા ચારિત્રના પાંચ ભેદ પડે છે. (આશય એ છે કે જો “બારપ્રકારના ક્ષયાદિથીજન્ય ચારિત્રના પાંચ પાંચ ભેદો છે” એવો અર્થ 15 કરીએ તો ક્ષયાદિ દરેકથી ઉત્પન્ન થનાર ચારિત્રના પાંચ-પાંચ ભેદ માનતા પંદર ભેદ માનવા પડે. જ્યારે ખરેખર તો પાંચમાંથી કેટલાક ચારિત્ર બારે કષાયના ક્ષયથી, કેટલાક ઉપશમથી, કેટલાક ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે, નહીં કે એકલા ક્ષયથી પાંચ, કે એકલા ઉપશમથી પાંચ. તેથી અહીં સામાન્યથી ચારિત્રના પાંચ ભેદ જણાવેલ છે.) ll૧૧all અવતરણિકા : ચારિત્રના પાંચ ભેદો બતાવે છે કે 20 ગાથાર્થ : પ્રથમ સામાયિક, બીજું છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ અને સૂક્ષ્મસંપરાય. ગાથાર્થ : તથા સર્વજીવલોકમાં પ્રખ્યાત એવું યથાવાતચારિત્ર, જેને આચરીને સુવિહિતો અજરામર સ્થાનને પામે છે. ટીકાર્થ : પ્રથમ ગાથાની વ્યાખ્યા : “સામાયિક' શબ્દનો અર્થ કરે છે કે જ્ઞાનદર્શનચારિત્રરૂપ સમનો આય = લાભ તે સમાય. તથા સમાય એ જ સામાયિક. અહીં વ્યાકરણમાં વિનયાદિ 25 શબ્દગણ છે જેને સ્વાર્થમાં ઠકુ પ્રત્યય લાગે છે. અહીં સમાયને પણ સ્વાર્થમાં ઠકુ પ્રત્યય લાગવાથી ‘સામાયિક શબ્દ બન્યો છે. શંકા : વિનયાદિ શબ્દગણમાં ‘સમય’ શબ્દ છે તો તમે “સમાય' શબ્દને ઠકુ પ્રત્યય કેમ લગાડ્યો ? સમાધાન : “જે શબ્દોમાં એક અંશમાં ફેરફાર થયો હોય તે શબ્દો એક સરખા જ 30 કહેવાય” એ ન્યાયથી અહીં સમય શબ્દમાં મનો “મા” થઈને જ “સમાય’ શબ્દ બન્યો હોવાથી સમાય શબ્દને પણ ઠકુ પ્રત્યય લાગી શકે. સર્વસાવદ્યયોગની વિરતિરૂપ સામાયિક છે. તેથી Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सर्वमप्येतच्चारित्रं अविशेषतः सामायिकं, छेदादिविशेषैस्तु विशेष्यमाणं अर्थतः शब्दान्तरतश्च नानात्वं भजते, तत्र प्रथमं विशेषणाभावात् सामान्यशब्द एवावतिष्ठते सामायिकमिति, तच्च द्विधा-इत्वरं यावत्कथिकं च, तत्र स्वल्पकालमित्वरं, तच्च भरतैरवतेषु प्रथमपश्चिमतीर्थकरतीर्थेषु अनारोपितव्रतस्य शिक्षकस्य विज्ञेयमिति, यावत्कथिकं तु यावत्कथा आत्मनः तावत्कालं यावत्कथं यावत्कथमेव यावत्कथिकं आभववर्तीतियावत्, तच्च मध्यमविदेहतीर्थकरतीर्थान्तर्गतसाधूनामवसेयमिति, तेषामुपस्थापनाऽभावात्, अत्र प्रसङ्गतो मध्यमविदेहपुरिमपश्चिमतीर्थकरतीर्थवर्तिसाधुस्थितास्थितकल्पः प्रदर्श्यते-तत्र ग्रन्थान्तरे विवक्षितार्थप्रतिपादिकेयं गाथा-"आचेलक्कु १ देसिय २ सेज्जायर ३ रायपिंड ४ किइकम्मे ५ । वय ६ जि? ७ पडिक्कमणे ८ मासं ९ पज्जोसवणकप्पो १० ॥१॥" 10 अस्या गमनिका-चउसु ठिआ छसु अट्ठिआ, केषु चतुर्षु इति, आह-सिज्जायरपिंडे या चाउज्जामे य पुरिसजिढे य । किइकम्मस्स य करणे चत्तारि अवट्ठिआ कप्पा ॥१॥ नास्य चेलं સામાન્યથી જોતાં ઉપરોક્ત પાંચ ચારિત્ર સામાયિક જ છે. પરંતુ છેદાદિ વિશેષાવડ વિશેષિત કરાતા આ ચારિત્રના અર્થથી અને અન્ય શબ્દોથી જુદા જુદા ભેદ પડે છે. (આશય એ છે કે સામાયિક સર્વસાવઘયોગની વિરતિરૂપ છે અને ઉપરોક્ત પાંચે 15 ચારિત્રો પણ સાવઘયોગની વિરતિરૂપ હોવાથી સામાન્યથી પાચે ભેદો સામાયિક જ કહેવાય, પરંતુ આ ચારિત્રને છેદ, પરિહારતપ વગેરે દ્વારા વિશેષિત કરવામાં આવે ત્યારે તે સામાયિક, છેદોપસ્થાપનીયાદિરૂપે ભેદાય છે.) તેમાં પ્રથમ સામાયિકમાં કોઈ વિશેષણ ન હોવાથી સામાન્ય શબ્દમાં જ પ્રથમ ભેદ રહે છે અર્થાત્ તેના શબ્દમાં કોઈ ફેરફાર થતો નથી. તેથી તેને “સામાયિક' એ પ્રમાણે કહેવામાં આવે છે. તે ઇતર અને યાવત્રુથિક એમ 20 બે પ્રકારે છે. તેમાં ઇવર એટલે સ્વલ્પકાલીન ચારિત્ર, અને તે ભરત-ઐરાવતક્ષેત્રમાં પહેલા–છેલ્લા તીર્થકરોના તીર્થમાં વ્રતનું ઉચ્ચારણ જેને કર્યું નથી એવા શૈક્ષસાધુ(નૂતનદીક્ષિત)ને જાણવું. (અત્યારની ભાષામાં વડીદીક્ષા પહેલાનું ચારિત્ર). યાવત્રુથિક એટલે આત્માની જયાં સુધી કથા ચાલે ત્યાં સુધીના કાળને યાવકથા કહેવાય, અને આ યાવત્કથા એ જ યાવસ્કથિક કહેવાય 25 અર્થાત આજીવન રહેનારું, અને તે મધ્યના ૨૨ અને મહાવિદેહના તીર્થકરોના તીર્થમાં રહેલ સાધુને જાણવું, કારણ કે તેઓને ઉપસ્થાપના (પૂર્વનો પર્યાય છેદી ફરી વ્રતમાં સ્થાપવા રૂપ વડી દીક્ષા) હોતી નથી. અહીં પ્રસંગથી વચ્ચેના ૨૨ તથા મહાવિદેહના અને પહેલા–છેલ્લા તીર્થકરોના તીર્થમાં વર્તતા સાધુઓની સ્થિત-અસ્થિત કલ્પ (આચારો) બતાડવામાં આવે છે – આ કલ્પોને જણાવનાર 30 ગ્રંથાન્તરની ગાથા આ પ્રમાણે છે. ૧. આચેલક્ય, ૨. ઓશિક, ૩. શય્યાતર, ૪. રાજપિંડ, ૫. કૃતિકર્મ, ૬. વ્રત, ૭. જ્યેષ્ઠ, ૮. પ્રતિક્રમણ, ૯. માસકલ્પ, ૧૦. પર્યુષણાકલ્પ. – ચાર આચારોમાં સ્થિતકલ્પ અને છમાં અસ્થિતકલ્પ હોય છે. કયા ચારમાં સ્થિત હોય છે ? તે કહે Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ સ્થિતાસ્થિતકલ્પ (નિ. ૧૧૪-૧૧૫) विद्यते इत्यचेलकः तद्भावः अचेलकत्वं अचेलकत्वेऽस्थिताः, एतदुक्तं भवति-न वैदेहमध्यम`तीर्थकरतीर्थसाधवः पुरिमपश्चिमतीर्थवर्त्तिसाधुवत् अचेलत्वे स्थिताः, कुतः ? - तेषां ऋजुप्रज्ञत्वात् महाधनमूल्यविचित्रादिवस्त्राणामपि परिभोगात्, पुरिमपश्चिमतीर्थकरतीर्थवर्त्तिसाधू नां तु ऋजुवक्रजडत्वात् महाधनमूल्यादिवस्त्रापरिभोगाज्जीर्णादिपरिभोगाच्च अचेलकत्वमिति । आहजीर्णादिवस्त्रसद्भावे कथमचेलकत्वम् ?, उच्यते, तेषां जीर्णत्वात् असारत्वात् अल्पत्वात् 5 विशिष्टार्थक्रियाऽप्रसाधकत्वात् असत्त्वाविशेषात् इति, तथा चेत्थंभूतवस्त्रसद्भावेऽपि लोकेऽचेलकत्वव्यपदेशप्रवृत्तिर्दृश्यते, यथा- काचिदङ्गना जीर्णवस्त्रपरिधाना अन्याभावे सति तद्भावेऽपि च समर्पितसाटकं कुविन्दं तन्निष्पादनमन्थरं प्रति आह - ' त्वर कोलिक ! नग्निकाऽहमिति' १ | तथा औद्देशिकेऽप्यस्थिता एव, कथम् ? - इह पुरिमपश्चिमतीर्थकरसाधुं उद्दिश्य कृतमशनादि सर्वेषामकल्पनीयं, तेषां तु यमुद्दिश्य कृतं तस्यैवाकल्पनीयं न शेषाणामिति २ । तथा 10 છ - શય્યાતરપિંડ, ચાતુર્યામ, પુરુષજ્યેષ્ઠ અને કૃતિકર્મ આ ચાર અવસ્થિતકલ્પ છે. ॥૧॥ ઉપરોક્ત ગાથાની વ્યાખ્યા→વિદ્યમાન નથી વસ્ત્ર જેને તે અચેલક, તે પણું = અચેલકત્વ. અચેલકત્વમાં અસ્થિત, અર્થાત્ મહાવિદેહ અને મધ્યમ (૨ થી ૨૨) તીર્થંકરોના તીર્થના સાધુઓ પહેલા—–છેલ્લા તીર્થવર્તી સાધુની જેમ અચેલકત્વમાં રહેલા નથી અર્થાત્ તેઓને અચેલકત્વ નથી કારણ કે તે સાધુઓ ઋજુ (સરલ) અને પ્રાજ્ઞ (બુદ્ધિમાન) હોવાથી મૂલ્યવાન અને રંગબેરંગી વસ્ત્રોનો 15 પણ પરિભોગ કરે છે તેથી તેમનું સર્ચલકત્વ છે. જ્યારે પહેલા—છેલ્લા તીર્થંકરના તીર્થવર્તી સાધુઓમાં પહેલા તીર્થંકરના સાધુઓ ઋજુ અને જડ તથા છેલ્લા તીર્થમાં સાધુઓ વક્ર અને જડ હોવાથી મૂલ્યવાન અને રંગબેરંગી વસ્ત્રોનો પરિભોગ કરતા નથી. જીર્ણાદિ વસ્રોનો પરિભોગ કરે છે માટે તેઓને અચેલકત્વ છે. શંકા : જીર્ણાદિવસ્ત્રોનો પરિભોગ કરતા હોય તો અચેલકત્વ કેવી રીતે ઘટે ? 20 સમાધાન : એનું કારણ એ છે કે તેઓના વસ્ત્રો જીર્ણ હોવાથી અસાર છે, સંખ્યાથી અને મૂલ્યથી અલ્પ છે અને વિશિષ્ટાર્થક્રિયાના અપ્રસાધક છે અર્થાત્ વિશિષ્ટપ્રકારના મૂલ્યવાન વસ્ત્રોનો (વિભૂષા વિ. માટે) જે ઉપયોગ થતો હોય તે ઉપયોગ વિશિષ્ટઅર્થક્રિયા કહેવાય. તેવા પ્રકારના ઉપયોગરૂપ વિશિષ્ટઅર્થક્રિયા (વિભૂષા વિ.) આ વસ્રો દ્વારા થઈ શકતી ન હોવાથી વસ્ત્રો હોવા છતાં નથી એવું જ કહેવાય. લોકમાં પણ આવા પ્રકારના વસ્ત્રો હોવા છતાં પણ અચેલકત્વના 25 વ્યપદેશની પ્રવૃત્તિ દેખાય છે અર્થાત્ વસ્રો નથી એવો વ્યવહાર દેખાય છે. જેમ કે-જીર્ણવસ્રોવાળી એવી કોઈક સ્રી જીર્ણવસ્રો હોવા છતાં પણ પોતાની પાસે અન્ય વિશિષ્ટવસ્ત્રો ન હોવાથી, અર્પણ કરેલ છે સાટક (ઉત્તરીયવસ્ર) જેને એવા તથા વસ્રો બનાવવામાં ધીમા એવા દરજીને તે સ્ત્રી કહે—“હે વણકર ! મારી પાસે વસ્ત્રો નથી હું વસ્રો વિનાની છું, તેથી વસ્ત્રો તૈયાર કરવામાં ઉતાવળ રાખો.” આમ જીર્ણ વસ્ત્રો હોવાથી સાધુઓને અંચેલકત્વ ઘટે જ છે. તથા ઔદ્દેશિકમાં પણ અસ્થિત = અસમાન છે, કારણ કે ભરતક્ષેત્રમાં પહેલા—છેલ્લા તીર્થના સાધુને ઉદ્દેશીને બનાવેલ અશનાદિ સર્વ સાધુઓ માટે અકલ્પનીય હોય છે. જ્યારે 30 Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) शय्यातरराजपिण्डद्वारम्, -पिण्डग्रहणमुभयत्र संबध्यते, तत्र शय्यातरपिण्डे स्थिता एव, शय्यातरपिण्डो हि यथा पुरिमपश्चिमतीर्थकरसाधूनां अकल्पनीयः, एवं मध्यमतीर्थकरसाधूनामपि ३ । राजपिण्डे चास्थिताः, कथम् ?-स हि पुरिमपश्चिमतीर्थकरसाधूनामग्राह्य एव, मध्यमानां तु दोषाभावात् गृह्यते ४ । तथा कृतिकर्म वन्दनमाख्याते, तत्रापि स्थिताः, कथम् ? यथा पुरिमपश्चिमतीर्थकरसाधूनां 5 प्रभूतकालप्रव्रजिता अपि संयत्यः पूर्वं वन्दनं कुर्वन्ति, एवं तेषामपि, यथा वा क्षुल्लका ज्येष्ठार्याणां कुर्वन्ति, एवं तेषामपि ५ । व्रतानि प्राणातिपातादिनिवृत्तिलक्षणानि तेष्वपि स्थिता एव, यथा पुरिमपश्चिमतीर्थकरसाधवः व्रतानुपालनं कुर्वन्ति, एवं तेऽपीति, आह-तेषां हि मैथुनविरतिवानि चत्वारि व्रतानि, ततश्च कथं स्थिता इति, उच्यते, तस्यापि परिग्रहेऽन्तर्भावात् स्थिता एव, किन्तु पुरिमपश्चिमतीर्थकरसाधूनां उपस्थापनया ज्येष्ठः, तेषां तु सामायिकारोपणेनेति 10 ७ । तथा प्रतिक्रमणे अस्थिताः, पुरिमपश्चिमसाधूनां नियमेनोभयकालं प्रतिक्रमणं, तेषां तु મધ્યમ અને વિદેહના તીર્થકરોના સાધુઓમાં જે સાધુને ઉદ્દેશીને બનાવેલ હોય તે સાધુને જ કલ્પ નહીં, અન્ય સાધુઓને કહ્યું. આમ ઔદેશિકમાં પણ મધ્યમ અને વિદેહના સાધુઓનો આચાર સમાન નથી. શય્યાતર અને રાજપિંડ ને તેમાં પિંડ શબ્દ શય્યાતર અને રાજ બંને શબ્દો સાથે જોડવો. શય્યાતરપિંડરૂપ આચારમાં સમાનતા જ છે. કારણ કે મહાવિદેહ અને ભરત બંને 15 ક્ષેત્રના સાધુઓને શય્યાતરપિંડ કલ્પતો નથી. રાજપિંડ આચારમાં અસમાન છે, કારણ કે પહેલાછેલ્લા તીર્થના સાધુઓને તે રાજપિંડ ગ્રાહ્ય હોય છે. કૃતિકર્મ એટલે વંદન. આ આચાર પણ એક સરખો જ છે, કારણ કે જેમ પહેલા–છેલ્લા તીર્થના સાધુઓને લાંબાકાળના દીક્ષા પર્યાયવાળા પણ સાધ્વીજીઓ વંદન કરે છે, તેમ મધ્યમ અને વિદેહના સાધુઓને પણ સાધ્વીજીઓ વંદન કરે છે. અથવા નાના સાધુઓ પર્યાયમાં મોટા 20 સાધુઓને જેમ વંદન કરે છે, તેમ મધ્યમ અને વિદેહમાં પણ વંદનવ્યવહાર સરખો છે. પ્રાણાતિપાતાદિથી નિવૃત્તિરૂપ વ્રતોને આશ્રયી પણ એક સરખો આચાર છે. જેમ પહેલા–છેલ્લા તીર્થના સાધુઓ વ્રતનું અનુપાલન કરે છે, તેમ તે લોકો પણ વ્રતોનું અનુપાલન કરે છે. શંકા : મધ્યમતીર્થ અને મહાવિદેહતીર્થના સાધુઓને મૈથુનવિરતિ છોડી ચાર જ વ્રતો હોય છે જયારે બીજાઓને પાંચ વ્રતો છે તો વ્રતને આશ્રયી બંને સમાન છે એવું કેમ કહેવાય ? સમાધાન : મધ્યમતીર્થ અને મહાવિદેહના સાધુઓને જો કે ચાર વ્રતો છે. છતાં મૈથુનવિરતિરૂપ ચોથું વ્રત પરિગ્રહમાં જ સમાઈ જાય છે કારણ કે પરિગૃહીત નહીં કરાયેલી સ્ત્રી ભોગવવી શક્ય નથી.) આમ ચોથું વ્રત પાંચમામાં જ સમાઈ જતું હોવાથી તેઓને પરમાર્થથી પાંચ વ્રતો છે જ. તથા જ્યેષ્ઠ આચારમાં તેઓ સમાન જ છે. માત્ર ફરક એટલો જ છે કે પહેલા–છેલ્લા તીર્થમાં ઉપસ્થાપના = વડી દીક્ષાથી જયેષ્ઠનો વ્યવહાર થાય છે. (અર્થાત જેની 30 વડીદીક્ષા પહેલા થઈ હોય તે મોટો) જ્યારે મધ્યમ અને વિદેહવાળાઓનો સામાયિકનું આરોપણ થાય ત્યારથી પર્યાય ગણાય છે. પ્રતિક્રમણ આચારમાં ભિન્નતા છે. પહેલા–છેલ્લા સાધુઓને નિયમથી ઉભયકાળ પ્રતિક્રમણ Page #260 -------------------------------------------------------------------------- ________________ સ્થિતાસ્થિતકલ્પ (નિ. ૧૧૪-૧૧૫) * ૨૩૭ अनियम:, दोषाभावे सर्वकालमप्यप्रतिक्रमणमिति ८ । तथा मासपर्युषणाकल्पद्वारं,;-તંત્ર मासकल्पेऽप्यस्थिताः, कथम् ? - पुरिमपश्चिमतढीर्थकरसाधूनां नियमतो मासकल्पविहारः, मध्यमतीर्थकरसाधूनां तु दोषाभावे न विद्यते, एवं पर्युषणाकल्पोऽपि वक्तव्यः, एतदुक्तं भवतितस्मिन्नपि अस्थिता एव ९-१० - इति समुदायार्थः, विस्तरार्थस्तु कल्पादवगन्तव्यः । अभिहितमानुषङ्गिकं, इदानीं प्रकृतमुच्यते - आह- पुरिमपश्चिमतीर्थकरसाधूनामपि यदित्वरं सामायिकं 5 तत्रापि 'करोमि भदन्त ! सामायिकं यावज्जीवं ' इतीत्वरस्याप्याभवग्रहणात् तस्यैव उपस्थापनायां परित्यागात् कथं न प्रतिज्ञालोप इति, अत्रोच्यते, - अतिचाराभावात्, तस्यैव सामान्यतः કરવાનું હોય છે. જ્યારે મધ્યમવિદેહવાળાઓને દોષ લાગે ત્યારે પ્રતિક્રમણ હોય અને જો દોષ ન લાગે તો સર્વકાળ પણ પ્રતિક્રમણ હોતું નથી. માસકલ્પમાં પણ ભિન્નતા છે. પહેલા—છેલ્લા સાધુઓને નિયમથી માસકલ્પવિહાર હોય છે. મધ્યમવિદેહતીર્થંકરના સાધુઓને જો દોષ ન હોય 10 તો માસકલ્પવિહાર હોતો નથી, અર્થાત્ વધુકાળ રહી શકાય આ પ્રમાણે પર્યુષણાકલ્પ પણ કહેવો અર્થાત્ પર્યુષણાકલ્પમાં પણ ભિન્નતા છે. વિસ્તારથી કલ્પસૂત્રમાંથી જાણી લેવું. (પહેલાછેલ્લા તીર્થંકરોના સાધુઓનો પર્યુષણાકલ્પ આ પ્રમાણે છે – અહીં પર્યુષણાશબ્દના બે અર્થ થાય છે. ૧. ચારેબાજુથી આવી એક સ્થાને વસવું અર્થાત્ ચોમાસુ. ૨. વાર્ષિકપર્વ, તેમાં ભાદરવા સુદ પાંચમ એ વાર્ષિક પર્વરૂપ પર્યુષણા છે અને કાલિકસૂરિ પછી ભા.સુ. ચોથ 15 વાર્ષિકપર્વ ગણાય છે. તથા ચારેબાજુથી એક સ્થાને વસવારૂપ પર્યુષણા બે પ્રકારે છે ૧. સકારણ, ૨. નિષ્કારણ. તેમાં નિષ્કારણ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે છે. જઘન્ય પર્યુષણા (જઘન્ય ચોમાસુ) સાંવત્સરિક પ્રતિક્રમણથી લઈ કારતક સુદ ૧૪ સુધી અર્થાત્ ૭૦ દિવસ હોય છે. ઉત્કૃષ્ટ પર્યુષણા (ચોમાસુ) ચારમાસનું જાણવું. જ્યારે મધ્યમ અને વિદેહતીર્થના સાધુઓને આ પર્યુષણાકલ્પ અનિયત છે અર્થાત્ જો કોઈ દોષ ન હોય તો તેઓ એક ક્ષેત્રમાં દેશોનપૂર્વકોટિ સુધી 20 રહે અને દોષ હોય તો એક માસ પણ ન રહે. વધુ વિસ્તાર કલ્પસૂત્રાદિ ગ્રંથમાંથી જોઈ લેવો.) આ રીતે પ્રાસંગિક વાત કરી. છેલ્લે વાત કરી કે પહેલા—છેલ્લા તીર્થના હવે પ્રસ્તુત વિષય ઉપર પાછા આવે છે સાધુઓને ઈત્વરસામાયિક હોય છે. શંકા : પહેલા—છેલ્લા તીર્થંકરના સાધુઓનું જે ઈત્વ૨સામાયિક છે તે ઈત્વરસામાયિક પણ 25, “હે પ્રભુ ! હું યાવજ્જીવનું સામાયિક કરૂં છું.” આ પ્રમાણે યાવજ્જીવ સુધી લેવાય છે. અને ઉપસ્થાપના વખતે તે સામાયિકનો ત્યાગ કરવામાં આવતો હોવાથી પ્રતિજ્ઞાનો લોપ થશે, કારણ કે યાવજ્જીવ લીધેલ સામાયિક ઉપસ્થાપના વખતે છોડી દો છો. સમાધાન : ના, પ્રતિજ્ઞાનો લોપ થશે નહીં કારણ કે અતિચાર લાગતો નથી. માત્ર સાવદ્યયોગની નિવૃત્તિરૂપ આ સામાયિકને અન્યશુદ્ધિના આપાદાનવડે સંજ્ઞામાત્રથી વિશેષિત 30 કરવામાં આવે છે. (માત્ર નામ બદલાય છે.) આશય એ છે કે પૂર્વે જણાવ્યું કે સાવઘયોગની નિવૃત્તિરૂપ હોવાથી બધા ચારિત્રો સામાયિક જ છે, પરંતુ આ સામાયિક ઉત્તરોત્તર વિશુદ્ધિને Page #261 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सावद्ययोगविनिवृत्तिरूपेणावस्थितस्य शुद्ध्यन्तरापादनेन संज्ञामात्रविशेषात् इति । शब्दो वाक्यालङ्कारे, 'प्रथमं' आद्यं चारित्रमिति, इदानीं 'छेदोपस्थापनं' छेदश्चोपस्थापनं च यस्मिंस्तच्छेदोपस्थापनं, एतदुक्तं भवति - पूर्वपर्यायस्य छेदो महाव्रतेषु चोपस्थापनमात्मनो यत्र तच्छेदोपस्थापनं तच्च सातिचारमनतिचारं च तत्रानतिचारं यदित्वरसामायिकस्य शिक्षकस्य 5 आरोष्यत इति, तीर्थान्तरसंक्रान्तौ वा यथा पार्श्वनाथतीर्थात् वर्धमानस्वामितीर्थं संक्रामतः पञ्चयामधर्मप्रतिपत्ताविति, सातिचारं तु मूलगुणघातिनो यत् पुनर्व्रतोच्चारणमिति, उक्तं छेदोपस्थापनं, इदानीं परिहारविशुद्धिकं-तत्र परिहरणं परिहारः- तपोविशेषः तेन विशुद्धिर्यस्मिंस्तत्परिहारविशुद्धिकं, तच्च द्विभेदं निर्विशमानकं निर्विष्टकायिकं च तत्र निर्विशमानकास्तदासेवकाः तदव्यतिरेकात् तदपि चारित्रं निर्विशमानकमिति, आसेवितविवक्षितचारित्रकायास्तु निर्विष्टकायाः त एव 10 स्वार्थिकप्रत्ययोपादानात् निर्विष्टकायिकाः तदव्यतिरेकाच्चारित्रमपि निर्विष्टकायिकमिति, इह च नवको गणो भवति, तत्र चत्वारः परिहारिका भवन्ति, अपरे तु तद्वैयावृत्त्यकराश्चत्वार एवानुपरिहारिकाः, અપાવતું જુદા જુદા નામોને પામે છે. (આ પ્રમાણે ‘સામાયિક' શબ્દનું વિવેચન કરી ફરી મૂળગાથામાં રહેલ અન્ય શબ્દોનું ટીકાકાર વિવેચન કરે છે. તેમાં) ‘ચ’ શબ્દ વાક્યાલંકારમાં છે. (અર્થાત્ વાક્યને સુશોભિત કરવા ‘ચ’ શબ્દ વપરાયેલ છે.) પ્રથમ એટલે પહેલું અર્થાત્ સામાયિક 15 એ પ્રથમ ચારિત્ર છે. ૨૩૮ હવે ‘છેદોપસ્થાનીય’ની વ્યાખ્યા કરે છે. છંદ અને ઉપસ્થાપના છે જેમાં તે છેદોપસ્થાપના, જે ચારિત્રમાં પોતાના પૂર્વપર્યાયનો છેદ અને મહાવ્રતોમાં (પોતાનું) સ્થાપન છે, તે છેદોપસ્થાપન ચારિત્ર કહેવાય છે. અને તે સાતિચાર અને નિરતિચાર એમ બે પ્રકારે હોય છે. તેમાં ઈત્વરસામાયિકવાળા શૈક્ષને (નૂતન સાધુને) જે ચારિત્ર આપવામાં આવે છે તે નિરતિચાર 20 છેદોપસ્થાપન જાણવું અથવા એક તીર્થંકરના તીર્થમાંથી બીજા તીર્થંકરના શાસનમાં જતા હોય તેમને (જેમ પાર્શ્વનાથપ્રભુના તીર્થમાંથી વર્ધમાનસ્વામીના તીર્થમાં સંક્રમતા સાધુઓને) ચાર યમના સ્થાને પાંચવ્રતોના સ્વીકારમાં આ ચારિત્ર હોય છે. તથા મૂળગુણોનો ઘાત કરનાર સાધુને જે પુનઃ વ્રતોનું ઉચ્ચારણ કરાવવામાં આવે છે. તે સાતિચાર છેદોપસ્થાપન જાણવું. (૩) પરિહારવિશુદ્ધિક : પરિહારવડે 25 પરિહારવિશુદ્ધિકચારિત્ર. તે નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક એમ બે પ્રકારે છે. = તપવિશેષવડે વિશુદ્ધિ છે જેમાં તે શંકા : નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક એ તો વ્યક્તિના ભેદ છે ચારિત્રના નહીં. સમાધાન : વાત સાચી છે કે નિર્વિશમાનકો એટલે પરિહારવિશુદ્ધિક ચારિત્રનું પાલન કરનારી વ્યક્તિઓ, તો પણ આ ચારિત્ર નિર્વિશમાનકોથી અભિન્ન હોવાથી તેને (ચારિત્રને) પણ નિર્વિશમાનક કહેવાય છે. એ જ પ્રમાણે વિવક્ષિત ચારિત્રકાયાનું પાલન જેને કરી લીધું છે 30 તેઓ નિર્વિષ્ટકાયિક છે. તેઓથી અભિન્ન હોવાથી ચારિત્ર પણ નિર્વિષ્ટકાયિક કહેવાય છે. આ પરિહાર નામના તપમાં નવ સાધુઓનો સમૂહ હોય છે. તેમાં ચાર સાધુઓ તપ કરનારા પરિહારક અને અન્ય ચાર તેમની વૈયાવચ્ચ કરનારા અનુપરિહારક હોય છે. શેષ એક સાધુ Page #262 -------------------------------------------------------------------------- ________________ પરિહારવિશુદ્ધિકચારિત્રના તપનું સ્વરૂપ (નિ. ૧૧૪-૧૧૫) 榮 ૨૩૯ एकस्तु कल्पस्थितो वाचनाचार्यो गुरुभूत इत्यर्थः, एतेषां च निर्विशमानकानामयं परिहारःपरिहारियाण उ तवो जहण्ण मज्झो तहेव उक्कोसी / सीउण्हवासकाले भणिओ धीरेहिं पत्तेयं ॥ १ ॥ तत्थ जहण्णो गम्हे चउत्थ छट्टं तु होइ मज्झिमओ । अट्टममहमुसो तो सिसिरे पवक्खामि ॥२॥ सिसिरे तु जहण्णादी छट्टादी दसमचरिमगो होति । वासासु अट्टमादी बारसपज्जंतगो णेओ ॥३॥ पारणगे आयामं पंचसु गहो दोसभिग्गहो भिक्खे | कप्पट्टियादि पइदिण करेति एमेव आयामं ॥४॥ एवं छम्मासतवं चरित्तु परिहारिया अणुचरंति । अणुचरगे परिहारियपदट्ठिते जाव छम्मासा ॥५॥ कप्पद्वितोवि एवं छम्मासतवं करेंति सेसा उ । अणुपरिहारिगभावं वयंति कप्पट्ठिगत्तं च ॥६॥ 5 10 કલ્પસ્થિત ગુરુ જેવો વાચનાચાર્ય બને છે. તેમાં નિર્વિશમાનકનો તપ આ પ્રમાણે હોય છે. શીત–ઉષ્ણ અને વર્ષાકાળમાં દરેકમાં જઘન્ય—મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે તપ 15 ધીરપુરુષોવડે કહેવાયેલો છે. ॥૧॥ તેમાં ગ્રીષ્મઋતુમાં જધન્ય ઉપવાસ, મધ્યમ છઠ્ઠ અને ઉત્કૃષ્ટ અઠ્ઠમ છે હવે પછી શિશિરઋતુમાં કરવાનો તપ કહીશ. ॥૨॥ શિશિરમાં જઘન્ય છઠ્ઠ, મધ્યમ અઠ્ઠમ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ છે; વર્ષાકાળમાં અઠ્ઠમથી લઈ પાંચ ઉપવાસ સુધી જાણવો. ॥૩॥ પારણામાં આયંબિલ કરવાનું હોય છે. ભિક્ષા માટેની સાત પિંડેષણામાંથી પાંચ પિંડૈષણાથી ગ્રહણ કરવાનું છે. અને બે પિંડૈષણાનો અભિગ્રહ હોય છે. તે સિવાયના કલ્પસ્થિતાંદિ શેષ પાંચ 20 સાધુઓ પ્રતિદિન આયંબિલ કરે છે. ॥૪॥ આ પ્રમાણે છ માસ સુધી તપ કરીને પરિહારિકો (તપ કરનારા) વૈયાવચ્ચ કરનારા બને છે અને વૈયાવચ્ચ કરનારા ૪ સાધુઓ પરિહાર તપ કરવાનું ચાલુ કરે છે. તેઓ પણ છમાસ સુધી તપ કરે છે ॥૫॥ કલ્પસ્થિત પણ (વાચનાચાર્ય પણ) આ પ્રમાણે છ માસ તપ કરે છે શેષ ૭ સાધુઓ સેવા કરનારા બને છે અને એક કલ્પસ્થિત = વાચનાચાર્ય બને છે. IIFI॥ આ પ્રમાણે આ પરિહારવિશુદ્ધિક તપ અઢારમહિનાનો 25 ७१. परिहारिकाणां तु तपो जघन्यं मध्यमं तथैवोत्कृष्टम् । शीतोष्णवर्षाकाले भणितं धीरैः प्रत्येकम् ।१। तत्र जघन्यं ग्रीष्मे चतुर्थः षष्ठस्तु भवति मध्यमकम् । अष्टम इह उत्कृष्टं इतः शिशिरे प्रवक्ष्यामि ।२। शिशिरे तु जघन्यादि षष्ठादि दशमचरमकं भवति । वर्षासु अष्टमादि द्वादशपर्यन्तकं ज्ञेयम् ।३। पारणके आचामाम्लं पञ्चसु ग्रहः द्वयोरभिग्रहो भिक्षायाम् । कल्पस्थितादयः प्रतिदिनं कुर्वन्ति एवमेवाचामाम्लम् ।४। एवं षण्मासतपः चरित्वा परिहारिका अनुचरन्ति । अनुचरकाः परिहारिकपदस्थिताः यावत्षण्मासाः ५। 30 कल्पस्थितोऽपि एवं षण्मासतपः करोति शेषास्तु अनुपरिहारिकभावं व्रजन्ति कल्पस्थितत्वं च । ६ । Page #263 -------------------------------------------------------------------------- ________________ 5 ૨૪૦ 30 આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) वेसो अट्ठारसमासपमाणो उ वणिओ कप्पो । संखेवओ विसेसा विसेससुत्ताओ णायव्वो ॥७॥ कप्पसमत्तएँ तयं जिणकप्पं वा उविंति गच्छं वा । पडिवज्जमाणगा पुण जिणस्स पासे पवज्जंति ॥८॥ तित्थयरसमीवासेवगस्स पासे व णो उ अण्णस्स । एतेसिं जं चरणं परिहारविसुद्धिगं तं तु ॥९॥ ' तथा ' इत्यानन्तर्यार्थे, गाथाभङ्ग भयाद्व्यवहितस्योपन्यासः, 'सूक्ष्मसंपरायं' इति संपर्येति एभिः संसारमिति संपरायाः कषायाः, सूक्ष्मा लोभांशावशेषत्वात् संपराया यत्र तत् सूक्ष्मसंपरायं, तच्च द्विधा - विशुध्यमानकं संक्लिश्यमानकं च, तत्र विशुध्यमानकं क्षपकोपशमकश्रेणिद्वयमारोहतो 10 મતિ, સંનિયમાનાં સ્તૂપશમોતિ: પ્રધ્યવમાનચેતિ, ‘ચ: ' સમુન્દ્વયે કૃતિ ગાથાર્થ: ॥૪॥ द्वितीयगाथा व्याख्या -' ततश्च' सूक्ष्मसंपरायानन्तरं यथैवाख्यातं यथाख्यातं अकषायचारित्रमिति यथा ख्यातं - प्रसिद्धं सर्वस्मिन् जीवलोके, तच्च छद्मस्थवीतरागस्य केवलनश्च भवति, तत्र च સંક્ષેપથી કહ્યો છે. વિશેષ જાણકારી માટે વિશેષસૂત્રમાંથી જાણી લેવું. ॥ કલ્પની સમાપ્તિ થયા પછી કેટલાક સાધુઓ તે જ કલ્પને અથવા કેટલાક જિનકલ્પને અથવા કેટલાક ગચ્છને 15 પામે છે. આ કલ્પને સ્વીકારનારા જિનેશ્વર પાસે સ્વીકારે છે ।।૮।। અથવા તીર્થંકર પાસે જેને સ્વીકારેલો—આચરેલો હોય તેવા પાસે સ્વીકારે છે, અન્ય પાસે નહીં, તેઓનું જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધિક ચારિત્ર કહેવાય છે. III મૂળગાથામાં રહેલ ‘તથા’ શબ્દ જો કે ‘સૂક્ષ્મ' શબ્દ પછી લખેલ છે. તે ગાથાનો ભંગ ન થાય તે માટે છે. બાકી ‘સૂક્ષ્મ’ શબ્દ પહેલા ‘તથા શબ્દ જોડવો અને તેનો અર્થ ‘આનન્તર્ય = તરત’ છે. તેથી અર્થ આ પ્રમાણે થશે-‘પરિહારવિશુદ્ધિ 20 પછી તરત ચોથો ભેદ સૂક્ષ્મસંપરાય છે. જેનાવડે સંસાર વધે, સંપર્ક થાય છે તે સંપરાય, અહીં સંપરાય તરીકે કષાયો જાણવા. લોભરૂપ કષાયનો અંશ બાકી હોવાથી આ સૂક્ષ્મકષાય કહેવાય છે. આવો સૂક્ષ્મસંપરાય (કષાય) છે જેમાં તે સૂક્ષ્મસંપરાયચારિત્ર અર્થાત્ સૂક્ષ્મલોભના ઉદયવાળું ચારિત્ર. તે વિશુદ્ધમાનક અને સંક્લિશ્યમાનક એમ બે પ્રકારે છે. તેમાં ક્ષપકશ્રેણિ અને ઉપશમશ્રેણિમાં ચઢતા જીવને વિશુદ્ધમાનક 25 ચારિત્ર હોય છે. અને ઉપશમશ્રેણિથી ઉતરતા જીવને સક્લિશ્યમાનક સૂક્ષ્મસપરાય ચારિત્ર હોય 9.1199811 બીજી ગાથાની વ્યાખ્યા : સૂક્ષ્મસંપરાય પછી જેવું (તીર્થંકરોએ કહ્યું છે તેવું યથાખ્યાત અકષાયચારિત્ર છે. જે સર્વજીવલોકમાં પ્રસિદ્ધ છે. આ ચારિત્ર ઉપશામક અથવા ક્ષપક એવા છદ્મસ્થને અને સયોગી અથવા અયોગીકેવલીઓને હોય છે. આ ચારિત્રના પાલનદ્વારા જીવ ७२. एवमेषोऽष्टादशमासप्रमाणस्तु वर्णितः कल्पः । संक्षेपतः विशेषतो विशेषसूत्राज्ज्ञातव्यः. ।७। कल्पसमाप्तौ तं जिनकल्पं वोपयन्ति गच्छं वा । प्रतिपद्यमानकाः पुनर्जिनस्य पार्श्वे प्रपद्यन्ते |८| तीर्थकरसमीपासेवकस्य पार्श्वे वा नत्वन्यस्य । एतेषां यच्चरणं परिहारविशुद्धिकं तत्तु 191 Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉપશમશ્રેણિમાં કર્મને ઉપશમાવવાનો ક્રમ (નિ. નં. ૧૧૬) દરેક ૨૪૧ छास्थस्य, उमशामकस्य क्षपकस्य वा, केवलिनस्तु सयोगिनोऽयोगिनो वेति, शेष निगदसिद्धं, नवरं मरणं मर: जरा च मरश्च जरामरौ तौ अविद्यमानौ यस्मिन् तदजरामरमिति गाथार्थः ॥११५॥ तत्रैतेषां पञ्चानां चारित्राणां आद्यं चारित्रत्रयं क्षयोपशमलभ्यं चरमचारित्रद्वयं तूपशमक्षयलभ्यमेव, तत्र तत्कर्मोपशमक्रमप्रदर्शनायाह- अणदंस० । अथवा चरमचारित्रद्वयं श्रेण्यन्त विनस्तद्विनिर्गतस्य च भवति, अतः श्रेणिद्वयावसरः, तत्र उभयश्रेणिलाभे 5 चादावुपशमश्रेणिर्भवतीत्यतस्तत्स्वरूपाभिधित्सयैवाह-अणदंस०।। अणदंसनपुंसित्थी वेयछक्कं च पुरुसवेयं च । दो दो एगन्तरिए सरिसे सरिसं उवसमेइ ॥११६॥ व्याख्या-तत्रोपशमश्रेणिप्रारम्भको भवत्यप्रमत्तसंयत एव, अन्ये तु प्रतिपादयन्तिअविरतदेशविरतप्रमत्ताप्रमत्तसंयतानामन्यतम इति श्रेणिपरिसमाप्तौ प्रमत्ताप्रमत्तसंयतानामन्यतमो 10 भवति, स चैवमारंभते- अण रणेति दण्डकधातुः अस्याच्प्रत्ययान्तस्य अण ति भवति, शब्दार्थस्तु अणन्तीत्यणाः, अणन्ति-शब्दयन्ति अविकलहेतुत्वेन असातवेद्यं नारकाद्यायुष्कं इत्यणा:-आद्याः क्रोधादयः, अथवा अनन्तानुबन्धिनः क्रोधादयः अनाः, समुदायशब्दानामवयवे वृत्तिदर्शनात् અજરામરસ્થાનને પામે છે. તેમાં જરા = ઘડપણ અને મર = મૃત્યુ, જરા અને મર જેમાં નથી તે અજરામરસ્થાન. ll૧૧પ 15 અવતરણિકા : આ પાંચ ચારિત્રોમાંના પ્રથમ ત્રણ ચારિત્રો ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે, અને છેલ્લા બે ચારિત્ર ઉપશમ અને ક્ષયથી જ પ્રાપ્ત થાય છે. તેથી કર્મોના ઉપશમનો ક્રમ દેખાડતા કહે છે. અથવા છેલ્લા બે ચારિત્રો શ્રેણિમાં રહેલા અને શ્રેણિથી પડેલાને હોય છે. તેથી બે શ્રેણિઓનો અવસર છે. તેમાં બંનેની પ્રાપ્તિમાં પ્રથમ ઉપશમશ્રેણિની પ્રાપ્તિ હોવાથી ઉપશમશ્રેણિનું સ્વરૂપ બતાવે છે કે 20 ગાથાર્થ : અનંતાનુબંધી, દર્શનમોહનીય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ છે, પુરુષવેદ અને ત્યાર પછી એકાન્તરે સરખે સરખા બે બે કષાયો એક સાથે ઉપશમાવે છે. ટીકાર્થ : અપ્રમત્તસયત જ ઉપશમશ્રેણિનો પ્રારંભક હોય છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે “અવિરત–દેશવિરત–પ્રમત્ત અને અપ્રમત્ત યતમાંથી કોઈપણ ઉપશમશ્રેણિનો પ્રારંભક હોઈ શકે છે. જયારે શ્રેણિની પરિસમાપ્તિમાં પ્રમત્ત કે અપ્રમત્ત સંયતમાંથી કોઈ એક હોય છે.” 25 અપ્રમત્ત–સંયત ઉપશમશ્રેણિની આ પ્રમાણે શરૂઆત કરે છે - (શ્રેણિમાં જીવ પ્રથમ અનંતાનુબંધી ક્રોધાદિનો ઉપશમ કરતો હોવાથી પ્રથમ અનંતાનુબંધી શબ્દની વ્યાખ્યા કરે છે) UT, BUT વગેરે દંડકધાતુ (ધાતુઓનું એક ગ્રુપ) છે. સન્ ધાતુને ( ) પ્રત્યય લાગી “” રૂપ બનેલું છે. શબ્દાર્થ આ પ્રમાણે કે “અણન્તિ” એટલે બોલાવે છે, અર્થાત (પોતે તેના) સંપૂર્ણ કારણ હોવાથી અસાતાથી વેદ્ય એવા નારકાદિ આયુષ્યને 30 જે બોલાવે તે અણ કહેવાય છે. તે ક્રોધાદિ ચાર કષાયો છે. અથવા સમુદાયશબ્દો તેના અવયવમાં રહેતા હોય છે જેમકે, ભીમસેન શબ્દ તેના અવયવરૂપ “સેન' શબ્દમાં છે. તેમ અનંતાનુબંધી Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) भीमसेनः सेन इति यथा, तत्रासौ प्रतिपत्ता प्रशस्तेष्वध्यवसायस्थानेषु वर्तमानः प्रथम युगपदन्तर्मुहूर्त्तमात्रेण कालेन अनन्तानुबन्धिनः क्रोधादीन् उपशमयति, एवं सर्वत्र युगपदुपशमककालोऽन्तर्मुहूर्तप्रमाण एव द्रष्टव्यः, ततो दर्शनं दर्शस्तं, दर्शनं त्रिविधं-मिथ्या सम्यग्मिथ्या सम्यग्दर्शनं युगपदेवेति, ततोऽनुदीर्णमपि नपुंसकवेदं युगपदेव यदि पुरुषः प्रारम्भकः, 5 पश्चास्त्रीवेदमेककालमेवेति, ततो हास्यादिषट्कं-हास्यरत्यरतिशोकभयजुगुप्साषट्कं. पुनः पुरुषवेदं । अथ स्त्री प्रारम्भिका ततः प्रथमं नपुंसकवेदमुपशमयति पश्चात्पुरुषवेदं ततः षट्कं ततः स्त्रीवेदमिति । अथ नपुंसक एव प्रारम्भकः ततोऽसौ अनुदीर्णमपि प्रथम स्त्रीवेदमुपशमयति पश्चात्पुरुषवेदं ततः षट्कं ततो नपुंसकवेदमिति, पुनः द्वौ द्वौ' क्रोधाद्यौ 'एकान्तरितो' संज्वलनविशेषक्रोधाद्यन्तरितौ 'सदृशौ' तुल्यौ 'सदृशं' युगपदुपशमयति, एतदुक्तं भवति10 अप्रत्याख्यानप्रत्याख्यानावरणक्रोधौ सदृशौ क्रोधत्वेन युगपदुपशमयति, ततः संज्वलनं क्रोधमेकाकिनमेव, ततः अप्रत्याख्यानप्रत्याख्यानावरणमानौ युगपदेव ततः संज्वलनमानमिति, एवं मायाद्वयं सदृशं पुनः संज्वलनां मायां, एवं लोभद्वयमपि पुनः संज्वलनं लोभमिति, तं चोपशमयंस्त्रिधा करोति, द्वौ भागौ युगपदुपशमयति, तृतीयभागं संख्येयानि खण्डानि करोति, કષાયો પણ ‘અન’ શબ્દથી ઓળખાય છે. માટે અહીં “અન’ શબ્દથી અનંતાનુબંધી ક્રોધાદિ 15 કષાયો જાણવા. ઉપશમશ્રેણિને સ્વીકારનાર વ્યક્તિ પ્રશસ્ત—અધ્યવસાયમાં વર્તતો છતાં પ્રથમ એકસાથે અંતર્મુહૂર્તમાં અનંતાનુબંધી એવા ક્રોધાદિને ઉપશમાવે છે. આ પ્રમાણે બધે જ એકસાથે ઉપશમાવવાનો કાળ અંતર્મુહૂર્ત જાણવો. અનંતાનુબંધી કષાયો ઉપશમાવ્યા બાદ દર્શનને અર્થાત મિથ્યાત્વ, મિશ્ર અને સમકિતમોહનીયને એકસાથે ઉપશમાવે છે. ત્યાર પછી જો તે આરંભક પુરુષ હોય તો ઉદયમાં નહીં આવેલા એવા પણ નપુંસકવેદને ઉપશમાવે છે. ત્યાર પછી સ્ત્રીવેદને પણ અંતર્મુહૂર્તમાં ખપાવે છે, પછી હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સારૂપ હાસ્ય પર્કને અને પછી પુરુષવેદને ઉપશમાવે છે. જો આરંભક સ્ત્રી હોય તો પ્રથમ નપુંસકવેદ, પુરુષવેદ, હાસ્યષર્ક અને ત્યાર પછી સ્ત્રીવેદને ઉપશમાવે છે. જો આરંભક નપુંસક હોય તો, પ્રથમ સ્ત્રીવેદ, પુરુષવેદ, હાસ્યપર્ક અને પછી નપુંસકવેદને ઉપશમાવે છે. આમ આ સોળ પ્રકૃતિઓ અંતર્મુહૂર્તમાં ઉપશમાવે છે. ત્યાર પછી સંજવલન ક્રોધથી અંતરિત 25 સરખે સરખા બે બે કષાયો એક સાથે ઉપશમાવે છે. આશય એ છે કે પ્રથમ ક્રોધ તરીકે સરખા એવા અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધને એકસાથે ઉપશમાવે છે. ત્યારપછી એકલા સંજવલન ક્રોધને ઉપશમાવે છે. ત્યાર પછી અપ્રત્યાખ્યાનાવરણ–પ્રત્યાખ્યાનાવરણ એવા માનને, પછી સંજવલનમાનને ઉપશમાવે છે. આજ પ્રમાણે સરખી બે માયાને, પછી સંજવલનમાનને ઉપશમાવે છે. આ જ પ્રમાણે સરખી બે માયાને, પછી સંજવલનમાયાને, બે લોભને, અને પછી 30 સંજવલનલોભને ઉપશમાવે છે. લોભને ઉપશમાવતા લોભના ત્રણ ભાગ કરે છે. બે ભાગને એકસાથે શમાવે છે, અને ત્રીજા ભાગના સંખ્યાતા ટુકડા કરે છે. તે ખંડોને પણ જુદા જુદા કાળે ઉપશમાવે છે, ફરી છેલ્લા Page #266 -------------------------------------------------------------------------- ________________ યોપશમ અને ઉપશમમાં તફાવત (નિ. ૧૧૬) શિક ૨૪૩ तान्यपि पृथक् पृथक् कालभेदेनोपशमयति, पुनः संख्येयखण्डानां चरमखण्डं असंख्येयानि खण्डानि करोति. सक्ष्मसंपरायस्ततः समये समये एकैकं खण्ड उपशमयतीति. इह च दर्शनसप्तके उपशान्ते निवृत्तिबादरोऽभिधीयते, तत ऊर्ध्वमनिवृत्तिबादरो यावत् संख्येयान्तिमद्विचरमखण्डं। आह-संज्वलनादीनां युक्त इत्थमुपशमः, अनन्तानुबन्धिना तु दर्शनप्रतिपत्तावेवोपशमितत्वान्न युज्यत इति, उच्यते, दर्शनप्रतिपतौ तेषां क्षयोपशमात् इह 5 चोपशमादविरोध इति, आह-क्षयोपशमोपशमयोरेव कः प्रतिविशेषः ?, उच्यते, क्षयोपशमो [दीर्णस्य क्षयः अनुदीर्णस्य च विपाकानुभवापेक्षया उपशमः, प्रदेशानुभवतस्तु उदयोऽस्त्येव, उपशमे तु प्रदेशानुभवोऽपि नास्तीति, उक्तं च भाष्यकारेण वेदेइ संतकम्मं खओवसमिएसु नाणुभावं सो । उवसंतकसाओ उण वेएइ न संतकम्मपि ॥१॥" ટુકડાના અસંખ્ય ટુકડા કરે છે, ત્યારે તે જીવ સુક્ષ્મપરાયવાળો કહેવાય છે અને તે સમયે સમયે એકેક ખંડને ઉપશમાવે છે. અહિં દર્શનસપ્તક ઉપશાંત થયે છતે તે જીવ નિવૃત્તિનાદર તરીકે ઓળખાય છે. ત્યારથી લઈ સંખ્યાતા ટુકડામાનો છેલ્લેથી બીજો ખંડ ઉપશમાવે ત્યાં સુધી અનિવૃત્તિનાદર તરીકે ઓળખાય છે. (ત્યાર પછી લોભના છેલ્લા સંખ્યામાં અંશના અસંખ્ય ટુકડા કરી ઉપશમાંગતો હોય ત્યારે સૂક્ષ્મસંપાય તરીકે ઓળખાય છે.) 15 શંકા : (ઉપશમશ્રેણિમાં જીવે સંજવલન કષાયાદિને ઉપશમાવે એ વાત બરાબર છે, પરંતુ અનંતાનુબંધી વગેરે કષાયોને ઉપશમાવે એ વાત બંધબેસતી નથી, કારણ કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વખતે જ જીવે અનંતાનુબંધી કષાયો ઉપશમાવી દીધા છે તો ફરીથી એનો ઉપશમ કેવી રાંત ઘટે ? સમાધાન : સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વખતે જીવ અનંતાનુબંધીનો ક્ષયોપશમ કરે છે. જયારે 20 અહી તેઓને ઉપશમાવે છે. તેથી કોઈ વિરોધ રહેતો નથી. - શંકા : ક્ષયોપશમ અને ઉપશમમાં શું ફરક છે ? સમાધાન : ક્ષયોપશમ એટલે ઉદયમાં આવતા કર્મદલિકોનો ક્ષય અને ઉદય નહીં પામેલા એવા દલિકોનો વિપાકની અપેક્ષાએ ઉપશમ. આ ક્ષયોપશમમાં પ્રદેશોદય હોય છે. જયારે ઉપશમમાં પ્રદેશોદય પણ હોતો નથી. ભાષ્યકારવડે પણ કહે છે કે “ક્ષાયોપથમિકને વિષે જીવ 25 સત્તાગત કર્મોને (પ્રદેશોદયથી) વેદે છે = ભોગવે છે પણ વિપાકોદય હોતો નથી જ્યારે ઉપશાંતકષાયી જીવ સત્તાગત કર્મોને (પ્રદેશોદયથી) પણ વેદતો નથી. ||૧|| શંકા : સંયતને અનંતાનુબંધીનો ઉદય જ હોતો નથી તો તેને ઉપશમાવવાની વાત જ ક્યાં રહી ? સમાધાન : સંયતને અનંતાનુબંધીના ઉદયનો નિષેધ વિપાકોદયને આશ્રયી છે, નહીં કે 30 ७३. वेदयति सत्कर्म क्षायोपशमिकेषु नानुभावं सः । उपशान्तकषायः पुनर्वेदयति न सत्कIfપ ૧ થી Page #267 -------------------------------------------------------------------------- ________________ बादर सपराय ૨૪૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) अत्र स्थापना उपशम श्रेणे:- आह-संयतस्यानन्तानुबन्धिनामुदयो निषिद्धस्तत् कथमुपशम इति, उच्यते, स ह्यनुभाव-कर्माङ्गीकृत्य न तु प्रदेशकर्मेति, तथा सूक्ष्मसंपराय चोक्तमा-“जीवे णं भन्ते! सयंकडं कम्मं वेदेइ ?, गोयमा ! (ચરમ ભાગના अत्थेगइअं वेइए अत्थेगइअं नो वेएइ, से केणद्वेणं ? भन्ते ! पुच्छा, असं. 3) गोयमा ! दुविहे कम्मे पण्णत्ते, तंजहा-पएसकम्मे अ अणुभावकम्मे अ, तत्थ णं जं तं पएसकम्मं तं नियमा वेएइ, तत्थ णं जंत (ચરમ ભાગના अणुभावकम्म तं अत्यैगइअं वेएइ, अत्थेगइयं णो वेएइ'इत्यादि, सं. डो) ततश्च प्रदेशकर्मानुभावोदयस्येहोपशमो द्रष्टव्यः । आह-यद्येवं संयतस्य अनन्तानुबन्ध्युदयतः कथं दर्शनविघातो न भवति ?, उच्यते, सं. लोभ प्रदेशकर्मणो मन्दानुभावत्वात्, तथा कस्यचिदनुभावकर्मानुभवोऽपि अप्र. प्र. लोभ सं. माया नात्यन्तमपकाराय भवन्नुपलभ्यते, यथा संपूर्णमत्यादिचतुर्जानिनः अप्र. प्र. माया | तदावरणोदय इत्यलं विस्तरेण ॥११६॥ सं. मान इह च संख्येयलो भखण्डान्युपशमयन् बादरसंपरायः. अप्र. प्र. मान स. क्रोध પ્રદેશોદયને આશ્રયી. આગમમાં કહેલ છે “હે પ્રભુ! જીવ સ્વયંવડે अप्र. प्र. क्रोध रायेम भने भोगवे छ? हे गौतम ! 240ने (अत्थेगइअं = पुरुषवेद हास्यषट्क કેટલાક) ભોગવે છે, કેટલાકને ભોગવતા નથી. હે પ્રભુ! આપ स्त्रीवेद साj ॥ भाटे डो छो ? गौतम! प्रा२नछ ? १. नपुं. वेद પ્રદેશકર્મ, ૨. વિપાકકર્મ. તેમાં જે પ્રદેશકર્મ છે તે અવશ્ય વેદાય दशर्नत्रिक છે અને જે વિપાકકર્મ છે તેમાં કેટલાક વેદાય, કેટલાક ન વેદાય.” अनं. चतु. તેથી અહીં પ્રદેશોદયથી ઉદયમાં આવેલ કર્મોનો ઉપશમ જાણવો. શંકા : જો સંયતને અનંતાનુબંધીનો પ્રદેશોદય હોય તો તે ઉદયથી દર્શનનો ઘાત કેમ થતા नथी? સમાધાન : પ્રદેશકમ = કર્મદલિકો મંદરસવાળા હોવાથી દર્શનવિઘાત કરવામાં સમર્થ 25 બનતા નથી. કોઈકને વળી વિપાકકર્મનો ઉદય પણ અત્યંત અપકાર માટે થતો દેખાતો નથી. જેમ કે સંપૂર્ણ ચતુર્બાનીને (૧૪ પૂર્વધર ઉત્કૃષ્ટજ્ઞાનીને) મતિજ્ઞાનાવરણાદિનો વિપાકથી પણ ઉદય હોય છે છતાં પણ તે ઉદય મતિજ્ઞાનાદિનો વિઘાત કરનાર બનતો નથી. કારણ કે તે વિપાકોદય મંદરસવાળો હોય છે. જો આ મંદરસવાળો વિપાકોદય પણ ઘાત કરી શકતો ન હોય તો પ્રદેશોદય તો અતિમંદરસવાળો હોવાથી સુતરાં ઘાત કરનારો બનતો નથી. ||૧૧ દો 30 અવતરણિકા : સંખેલોભખંડોને ઉપશમાવતો જીવ બાદરપરાય કહેવાય છે અને ७४. जीवो भदन्त ! स्वयंकृतं कर्म वेदयति ? गौतम ! अस्त्येककं (किञ्चिद् ) वेदयति, अस्त्येककं न वेदयति, तत् केनार्थेन ? भदन्त ! पृच्छा, गौतम ! द्विविधं कर्म प्रज्ञप्तं, तद्यथा-प्रदेशकर्म अनुभावकर्म च, तत्र यत्तत् प्रदेशकर्म तत् नियमाद्वेदयति, तत्र यत् अनुभावकर्म तत् अस्त्येककं वेदयति, अस्त्येककं नो वेदयति। ...... Page #268 -------------------------------------------------------------------------- ________________ કષાયોની દુષ્ટતા (નિ. ૧૧૭-૧૧૮) મી ૨૪૫ चरमसंख्येयखण्डासंख्येयखण्डान्युपशमयन् सूक्ष्मसंपराय इति, तथा चाह नियुक्तिकार: लोभाणुं वेअंतो जो खलु उवसामओ व खवगो वा । सो सुहमसंपराओ अहखाया ऊणओ किंची ॥११७॥ गाथेयं गतार्थत्वात् न विवियते, नवरं यथाख्यातात् किञ्चिन्यून इति, ततः सूक्ष्मसंपरायावस्थामन्तर्मुहर्त्तमात्रकालमानामनुभूयोपशामकनिर्ग्रन्थो यथाख्यातचारित्रीभवति ॥११७॥ 5 स च यदि बद्धायुः प्रतिपद्यते तदवस्थश्च म्रियते, ततो नियमतोऽनुत्तरविमानवासिषु उत्पद्यते, श्रेणिप्रच्युतस्य त्वनियमः, अथाबद्धायुः अतोऽन्तर्मुहूर्त्तमात्र उपशामकनिर्ग्रन्थो भूत्वा नियमत: पुनरपि उदितकषाय: कात्स्येन श्रेणिप्रतिलोममावर्तते, तथा चामुमेवार्थमभिधित्सुराह नियुक्तिकार: उवसामं उवणीआ गुणमहया जिणचरित्तसरिसंपि । पडिवायंति कसाया किं पुण सेसे सरागत्थे ? ॥११८॥ 10 व्याख्या-'उपशम:' शान्तावस्था तमुपशमं, अपिशब्दात् क्षयोपशममपि, उपनीता: गुणैर्महान् गुणमहान् तेन गुणमहता-उपशमकेन, किम् ? – प्रतिपातयन्ति कषायाः, संयमाद् भवे वा, સંખ્યાતખંડમાનો છેલ્લા ખંડના અસંખ્યખંડોને ઉપશમાવતો જીવ સૂક્ષ્મસંપરાય કહેવાય છે. એ વાતને નિયુક્તિકાર કહે છે કે ગાથાર્થ : લોભના અંશને અનુભવતો જે ઉપશામક કે ક્ષપક છે તે સૂક્ષ્મસંઘરાય કહેવાય 15 છે. તે યથાખ્યાતચારિત્રથી કંઈક ન્યૂન છે. ટીકાર્થ : ગાથાનો અર્થ સ્પષ્ટ જ છે માટે વિવરણ કરાતું નથી. પરંતુ યથાખ્યાતચારિત્રથી ચુન = નીચે રહેલ, અંતર્મુહૂર્ત કાળપ્રમાણ સૂક્ષ્મસંપાયની અવસ્થાને અનુભવી ઉપશામક નિગ્રંથ યથાવાતચારિત્રી બને છે. (૧૧૭ી. અવતરણિકા : તે જીવે જો બદ્ધાયુષ્યવાળો હોવા છતાં ઉપશમશ્રેણી સ્વીકારે અને શ્રેણિમાં 30 . રહેલો તે કાળ કરે તો નિયમથી અનુત્તરવિમાનવાસી દેવામાં ઉત્પન્ન થાય છે શ્રેણિમાંથી પડેલો જીવ જો મરણ પામે તો તે ક્યાં ઉત્પન્ન થાય તે માટે કોઈ નિયમ નથી, અર્થાત્ જેવા એના અધ્યવસાય હોય તેવી તેની ગતિ થાય. હવે અબદ્ધાયુષ્ય હોય તો અંતર્મુહૂર્તમાત્ર ઉપશામક નિગ્રંથ થઈ ફરી પાછો નિયમ કક્ષાયનો ઉદય થવાથી આખી જ શ્રેણિ ઊંધા ક્રમે ઉતરે છે. અર્થાત્ પહેલા સૂક્ષ્મસંપાય પછી અનિવૃત્તિ બાદર... એમ) આ અર્થને કહેવાની ઇચ્છાવાળા 25 ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ : ગુણોવડે મહાન એવા પણ ઉપશામકવડે ઉપશમ પમાડેલા કષાયો જિન સમાન ચારિત્રવાળા ઉપશામકને પણ પાડે છે. તો શેષ સરાગસંયમમાં રહેલાને તો શું ન પાડે? ટીકાર્થ : ઉપશમ એટલે શાંતાવસ્થા, તે ઉપશમને, ‘અપિ” શબ્દથી ક્ષયોપશમને પણ પમાડેલા ગુણો વડે મહાન તે ગુણમહાન એવા ઉપશામકવડે, કષાયો પાડે છે. સંયમથી અથવા 30 સંસારમાં, જિનસમાન યથાખ્યાતચારિત્રવાળા ઉપશામકને પણ, શેષ સરાગોની શું વાત કરવી? (અર્થાત્ સરાગસંયમી જીવોને સુતરાં સંસારમાં પાડે છે.) Page #269 -------------------------------------------------------------------------- ________________ 5 ૨૪૬ કિ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) कम् ?-जिनचारित्रतुल्यमपि उपशमकं, किं पुनः शेषान् सरागस्थानिति । यथेह भस्मच्छन्नानलः पवनाद्यासादितसहकारिकारणान्तरः पुनः स्वरूपम्पदर्शयति, एवमसावप्यदितकषायानलो जघन्यतस्तद्भव एव मुक्तिं लभते, उत्कृष्टतस्तु देशोनमर्धपुद्गलपरावर्त्तमपि संसारमनुबध्नातीति ૨૮. यतश्चैवं तीर्थकरोपदेशः अत औपदेशिकं गाथाद्वयमाह नियुक्तिकार: जइ उवसंतकसाओ लहइ अणंतं पुणोऽवि पडिवायं । ण हु भे वीससियव्वं थे(थो)वे य कसायसेसंमि ॥११९॥ अणथोवं वणथोवं अग्गीथोवं कसायथोवं च । ण हु भे वीससियव्वं थे(थो)वंपि हु तं बहुं होइ ॥१२०॥ 10 प्रथमगाथा प्रकटार्थत्वान्न वितन्यते, द्वितीयगाथाव्याख्या-ऋणस्य स्तोकं ऋणस्तोकं तथा (આ ટીકાનો અન્વય આ પ્રમાણે – ગુણો વડે મહાન એવા પણ ઉપશામકવડે ઉપશમને પમાડેલા. “અપિ” શબ્દથી તે ઉપશામકવડે ક્ષયોપશમને પમાડેલા એવા કષાયો જિનસમાન યથાખ્યાતચારિત્રવાળા એવા ઉપશામકને પણ સંસારમાં અથવા સંયમથી પાડે છે. તો શેષ સરાગ યમસ્થ જીવોની વાત જ શું કરવી ? અર્થાત્ તેઓને તો સુતરાં પાડે.) જેમ રાખવડ 15 ઢંકાયેલ અગ્નિ પવનાદિ સહકારી કારણો મળતાં ફરી પાછો પોતાનું સ્વરૂપ બતાવે છે. તેને કષાયરૂપી અગ્નિનો ઉદય થવાથી આ જીવ શ્રેણિથી પડે છે, પણ પડ્યા પછી જઘન્યથી તે જ ભવમાં મુક્તિને પામે છે અને ઉત્કૃષ્ટથી દેશોન–અર્ધપુદ્ગલપરાવર્તકાળ જેટલો સંસાર રખડે છે. //૧ ૧૮. અવતરણિકા : “ઉપશાત્તમોહ બન્યા પછી પણ કષાયના ઉદયથી જીવ સંસારમાં દીર્ઘકાળ 20 સુધી ભ્રમણ કરે છે.” આવા પ્રકારનો તીર્થકરોનો ઉપદેશ છે તેથી નિર્યુક્તિકાર ઔપદેશિક બે ગાથા બતાવે છે 3 ગાથાર્થ : જો ઉપશાંતકષાયી જીવ પણ ફરી અનંત પ્રતિપાતને (સંસારને) પામે છે તો તે જીવો ! થોડા પણ કષાયશેષમાં વિશ્વાસ રાખતા નહીં. ગાથાર્થ : થોડુંક ઋણ, થોડો ઘા, થોડો અગ્નિ અને થોડો કષાય એ વિશ્વસનીય નથી 25 (કારણ કે, થોડાંક પણ તેઓ ઘણાં થાય છે. ટીકાર્થ : પ્રથમગાથા સ્પષ્ટ હોવાથી અર્થ જણાવેલ નથી. //૧૧૯ બીજી ગાથાનો અર્થ : ઋણનો સ્ટોક તે ઋણસ્તોક = થોડુંક ઋણ. આશય એ છે કે થોડુંક પણ દેવું ઉપેક્ષા કરવા યોગ્ય નથી, કારણ કે થોડાંક પણ ઋણથી વણિકુપુત્રી દાસપણાને પામી. (દષ્ટાંત આ પ્રમાણે છે કે દેવરાજ નામના શ્રેષ્ઠિને સમ્મત નામનો પુત્ર અને સમ્મતિ નામની પુત્રી હતી. એકવાર તે 30 ગામમાં સમુદ્રઘોષ નામના આચાર્ય પાસે ધર્મ સાંભળી સમ્મતે દીક્ષા લીધી. ભણી–ગણી ગીતાર્થ બન્યા. થોડાક સમય બાદ પોતાના કુટુંબીજનોને પણ ધર્મ પમાડવાની ઇચ્છાથી પોતાના ગામમાં આવે છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ક્ષપકશ્રેણીનું સ્વરૂપ (નિ. ૧૨૧) 1194 च स्वल्पादपि ऋणात् दासत्वं प्राप्ता वणिग्दुहितेति, उक्तं च भाष्यकारेण'दासत्तं देइ अणं अचिरा मरणं वणो विसप्पंतो । सव्वस्स दाहमग्गी देति कसाया भवमणतं ॥१॥" ૨૪૭ अपिचशब्दनिपातसाफल्यं पूर्वोक्तानुसारेण स्वबुद्ध्या वक्तव्यमिति गाथार्थः ॥१२०॥ इत्थमौपशमिकं चारित्रमुक्तं, इदानीं क्षायिकमुच्यते, अथवा सूक्ष्मसंपराययथाख्यातचारित्रद्वयं 5 उपशमश्रेण्यङ्गीकरणेनोक्तं, इदानीं क्षपकश्रेण्यङ्गीकरणतः प्रतिपादयन्नाह - अणमिच्छ मीस सम्मं अट्ठ नपुंसित्थीवेय छक्कं च । पुंवेयं च खवेइ कोहाइए य संजलणे ॥ १२१ ॥ क्षपकश्रेणिप्रतिपत्ताऽसंयतादीनामन्यतमोऽत्यन्तविशुद्धपरिणामो भवति, स व्याख्या-इह પરંતુ કુટુંબમાં માત્ર પોતાની સંસારીબહેન જ જીવતી હતી. તેના ઘરે વહોરવા સાધુમહારાજ 10 ગયા. પોતે ગરીબ હોવાથી કોઈક રીતે શિવદેવનામના વાણિયાની દુકાનેથી ઉધાર જરૂરી વસ્તુઓ માંગી લાવી એ શરતે કે બીજા દિવસે બે ગણું પાછું આપી દઈશ. પરંતુ પોતે તે ચીજ–વસ્તુ પાછી આપી શકતો નથી. દિવસે દિવસે ઋણ વધતું જાય છે. છેવટે તે બહેન અતિ ઋણ વધવાને કારણે અને ઋણ પાછું ચૂકવી શકતી ન હોવાથી દાસી બને છે. દૃષ્ટાંત સંક્ષેપથી જણાવ્યું છે વિસ્તાર જોવો હોય તો પિંડનિર્યુક્તિ – ગા. ૩૧૭–૧૮-૧૯ પૂ. મલયગિરિ મ.ની 15 ટીકામાં છે.) જેમ થોડાક ઋણથી ણિકૃપુત્રી દાસત્વને પામી તેમ થોડાક કષાયથી જીવ અનંતસંસારને પામે છે, માટે થોડો જ કષાય છે ને, ચાલે જ એમ ઉપેક્ષા કરવી નહીં. ભાષ્યકારે પણ કહ્યું છે— “થોડુંક ઋણ દાસપણાને, વધતો ઘા મરણને, થોડોક અગ્નિ સર્વને દાહ અને થોડાક કષાયો અનંતસંસારને આપે છે ॥૧॥' ગાથામાં ‘અપિ’ અને ‘ચ' શબ્દના નિપાતનું સાફલ્ય પૂર્વે 20 કહેલા પ્રમાણે સ્વબુદ્ધિથી જાણી લેવું. (અર્થાત્ ‘અપિ’ શબ્દથી વધુ કષાય તો ખરાબ છે જ, અલ્પ પણે કષાય ખરાબ છે અને ‘ચ' શબ્દ સમુચ્ચય અર્થમાં જાણવો.) ૧૨૦ અવતરણિકા : આમ, ઔપશમિકચારિત્ર કહેવાયું. હવે ક્ષાયિકચારિત્ર કહેવાય છે અથવા ઉપશમશ્રેણિને આશ્રયી સૂક્ષ્મસં૫રાય અને યથાખ્યાતચારિત્ર કહ્યા. હવે ક્ષપકશ્રેણિને આશ્રયી કહે છે 25 ગાથાર્થ : અનંતાનુબંધી, મિથ્યાત્વ, મિશ્રમોહનીય, સમ્યક્ત્વમોહનીય, અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિ ચાર અને પ્રત્યાખ્યાનીયક્રોધાદિ ચાર એમ આઠ, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ છ, પુરુષવેદ અને સંજ્વલન ક્રોધાદિને (ક્ષપકશ્રેણિ માંડતો જીવ) અનુક્રમે ખપાવે છે. ટીકાર્ય : ક્ષપકશ્રેણિને પ્રાપ્ત કરનારા જીવો તરીકે અસંયત, દેશવિરતિ, પ્રમત્ત–અપ્રમત્ત સંયતોમાંથી કોઈપણ હોઈ શકે છે. તેઓ અત્યંતવિશુદ્ધ પરિણામવાળા અને ઉત્તમ(પ્રથમ) 30 ७५. दासत्वं ददाति ऋणं अचिरान्मरणं व्रणो विसर्पन् । सर्वस्य दाहमग्निर्ददति कषाया भवमनन्तम् ॥१॥ (विशेषावश्यकगाथा १३११ ) Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જા આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) च उत्तमसंहननः, तत्र पूर्वविदप्रमत्तः शुक्लध्यानोपगतोऽपि प्रतिपद्यते, अपरे तु धर्मध्यानोपगत एवेति, प्रतिपत्तिक्रमश्चायम-प्रथममन्तर्महर्तेन अनन्तानबन्धिनः क्रोधादीन यगपत्क्षपयति, तदनन्तभागं तु मिथ्यात्वे प्रक्षिप्य ततो मिथ्यात्वं सहैव तदंशेन युगपत् क्षपयति, यथा हि अतिसंभृतो दावानल: खलु अर्धदग्धेन्धन एव इन्धनान्तरमासाद्य उभयमपि दहति, एवमसावपि क्षपक: तीव्रशुभपरिणामत्वात् सावशेषं अन्यत्र प्रक्षिप्य क्षपयति, एवं पुनः सम्यग्मिथ्यात्वं ततः सम्यक्त्वमिति, इह च यदि बद्धायुः प्रतिपद्यते अनन्तानुबन्धिक्षये च व्युपरमति, ततः कदाचित् मिथ्यादर्शनोदयतस्तानपि पुनरुपचिनोति, मिथ्यात्वे तद्वीजसंभवात्, क्षीणमिथ्यात्वस्तु नोपचिनोति, मूलाभावात्, तदवस्थश्च मृतोऽवश्यमेव त्रिदशेषु उत्पद्यते, क्षीणसप्तकोऽपि तदप्रतिपतितपरिणाम इति, प्रतिपतितपरिणामस्तु नानामतित्वात् सर्वगतिभाग् भवति, आह-मिथ्यादर्शनादिक्षये किमसौ 10 अदर्शनो जायते उत नेति, उच्यते, सम्यग्दृष्टिरेवासौ, आह-ननु सम्यग्दर्शनपरिक्षये कुतः सम्यग्दृष्टित्वम् સંઘયણવાળા હોય છે. તેમાં પૂર્વધર અપ્રમત્તસંયત શ્રેણિનો આરંભક હોય તો તે શુક્લધ્યાનયુક્ત હોય છે. જયારે અન્યજીવો ધર્મધ્યાનયુક્ત જ શ્રેણિ આરંભ છે. ક્ષપકશ્રેણિન પામતો જીવ પ્રથમ એતહુકાળમાં અનંતાનુબંધી એવા ક્રોધાદિને એકસાથે ખપાવે છે. અનંતાનુબંધીના અનંતમાભાગને મિથ્યાત્વમાં નાંખીને (આ સૈદ્ધાંતિક મત છે. કાર્મગ્રંથિક મતે – અનં. ને 15 મિથ્યાત્વમાં નાખી શકાતા નથી. તે જ રીતે આગળ સમ્યક્તને કપાયાષ્ટકમાં નાખવા અંગે જાણવું અને પુ.વેદને સંક્રોધમાં નાંખવા અંગે જાણવું.) ત્યારપછી તે અનંતભાગ સાથે મિથ્યાત્વને એકસાથે ખપાવે છે. જેમ ભડભડતો અગ્નિ અર્ધ—ઈન્ધનને બાળ્યા પછી અન્ય ઈન્દનને પામી અન્ય ઈન્ધનને અને શેષ અર્ધ ઈન્ધનને બંનેને બાળે છે, તેમ આ ક્ષેપક પણ તીવ્રશુભપરિણામવાળો હોવાથી અવશેષને અન્યમાં નાંખી પ્રકૃતિને 20 ખપાવે છે. અર્થાત્ અનંતાનુબંધીના અવશેષને મિથ્યાત્વમાં નાંખી મિથ્યાત્વને તે અવશેપ સાથે ખપાવે છે. આજ પ્રમાણે મિથ્યાત્વના અંશને મિશ્રમોહનીયમાં નાંખી મિશ્રમોહનીયને મિથ્યાત્વના અંશ સાથે ખપાવે છે. આજ પ્રમાણે સમ્યક્વમોહનીયને ખપાવે છે. અહીં જો બદ્ધાયુજીવ ક્ષપકશ્રેણિને આરંભે અને અનંતાનુબંધીનો ક્ષય થયા પછી જો અટકી જાય તો ક્યારેક મિથ્યાત્વનો ઉદય થવાથી ફરી અનંતાનુબંધી બાંધે છે, કારણ કે મિથ્યાત્વમાં 25 અનંતાનુબંધીનું બીજ પડ્યું છે. પરંતુ જો મિથ્યાત્વને પણ ખપાવી દે, તો ફરી અનંતાનુબંધી બાંધતા નથી. કારણ કે મિથ્યાત્વરૂપ મૂળનો અભાવ થઈ ગયો. દર્શનસપ્તકને ક્ષય કરનાર, અપ્રતિપતિતપરિણામવાળો ક્ષપકશ્રેણિમાં મરણ પામે તો અવશ્ય દેવગતિમાં ઉત્પન્ન થાય છે, પણ પ્રતિપતિત પરિણામી જીવ જુદા જુદા અધ્યવસાયને કારણે સર્વગતિને ભજનારો થાય છે. અર્થાત જેવા પ્રકારના તેના અધ્યવસાય હોય તેવા પ્રકારની તેની ગતિ થાય છે. 30 શંકા : મિથ્યાદર્શનાદિ ત્રિકનો ક્ષય થયા પછી આ જીવ દર્શન વિનાનો થાય કે નહીં ? સમાધાન : સમ્યગદર્શનવાળો જ રહે છે. શંકા : અરે ! પણ સમ્યક્વમોહનીય તો ક્ષય થઈ ગયું છે તો સમ્યગૃષ્ટિ શી રીતે રહે ? Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ક્ષપકશ્રેણિમાં સત્તર પ્રકૃતિઓનો ક્ષય (નિ. ૧૨૨-૧૨૩) ?, उच्यते, निर्मदनीकृतकोद्रवकल्पा अपनीतमिथ्यात्वभावा मिथ्यात्वपुद्गला एव सम्यग्दर्शनं, तत्परिक्षये च तत्त्वश्रद्धानलक्षणपरिणामाप्रतिपातात् प्रत्युत श्लक्ष्णाभ्रपटलापगमे चक्षुर्दर्शनवत् शुद्धतरोपपत्तेरिति अलं प्रपञ्चेन । स च यदि बद्धायुः प्रतिपद्यते ततो नियमात् सप्तके क्षीणे अवतिष्ठत एव, स च सम्यग्दर्शनमशेषमेव क्षपयति, अबद्धायुस्तु अनुपरत एव समस्तां श्रेणि समापयति इति, स च स्वल्पसम्यग्दर्शनावशेष एव अप्रत्याख्यानप्रत्याख्याना - वरणकषायाष्टकं 5 युगपत् आरभते, एतेषां च मध्यभागं क्षपयन् एताः सप्तदश प्रकृतीः क्षपयति ॥ १२१ ॥ तत्प्रतिपादकमिदं गाथाद्वयम् अणुपुवी दो दो जाइनामं च जाव चउरिंदी | आयावं उज्जोयं थावरनामं च सुहुमं च ॥ १२२ ॥ साहारणमपज्जत्तं निद्दानिद्दं च पयलपयलं च । थी खवेइ ताहे अवसेसं जं च अट्ठण्हं ॥ १२३॥ व्याख्या - गतिश्चानुपूर्वी च गत्यानुपूर्व्यं 'दो दो' इति द्वे द्वे तन्नामनी, जातिनाम चेत्यस्मात् नामग्रहणं अभिसंबध्यते, एतदुक्तं भवति - नरकगतिनाम नरकानुपूर्वीनाम च, आनुपूर्वीवृषभनासिकान्यस्तरज्जूसंस्थानीया, यया कर्मपुद्गलसंहत्या विशिष्टं स्थानं प्राप्यतेऽसौ यया 10 સમાધાન : મિથ્યાત્વભાવ દૂર થવાને કારણે મદન વિનાના કોદ્રવસમાન મિથ્યાત્વના 15 પુદ્ગલો જ સમ્યગ્દર્શન છે. તે મિથ્યાત્વના પુદ્ગલોરૂપ સમ્યગ્દર્શનનો ક્ષય થવાથી, તત્ત્વશ્રદ્ધારૂપ પરિણામ પડતો નથી ઊલટું જેમ વાદળોનો સમૂહ (અર્થાત્ ધૂંધળું વાતાવરણ) દૂર થવાથી ચક્ષુદર્શન વધુ સ્પષ્ટ થાય છે, તેમ સમ્યગ્દર્શન વધુ સ્પષ્ટતર–શુદ્ધતર થાય છે. વધુ વિસ્તારથી સર્યું. જો તે જીવ બદ્ધાયુ હોય તો નિયમથી દર્શનસપ્તક ક્ષય થતાં ક્ષપકશ્રેણિમાં અટકી જાય છે, અને સંપૂર્ણ સમ્યગ્દર્શનને ખપાવીદે છે. અબદ્ઘાયુ જીવ દર્શનસપ્તક ક્ષય કરી અટક્યા વિના 20 સમસ્તશ્રેણિને પૂર્ણ કરે, અને તે સંપૂર્ણ સમ્યક્ત્વને ખપાવ્યા વિના શેષ સમ્યક્ત્વપુદ્ગલોને બાકી રાખી અપ્રત્યાખ્યાન–પ્રત્યાખ્યાનાવરણ કષાયાષ્ટકને ખપાવવાનો આરંભ કરે છે. આ કષાયાષ્ટક અડધા ખપાવી બીજી અન્ય ૧૭ પ્રકૃતિઓને ખપાવે છે. ૧૨૧॥ E અવતરણિકા : તેને બતાવનાર બે ગાથા કહે છે ગાથાર્થ : બે ગતિ, બે આનુપૂર્વી, એકેન્દ્રિયાદિજાતિચતુષ્ક, આતપ, ઉદ્યોત, સ્થાવર, અને 25 સૂક્ષ્મનામકર્મ, ગાથાર્થ : સાધારણ, અપર્યાપ્ત, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને ાનદ્ધિ એમ ૧૭ પ્રકૃતિ ખપાવે છે. ત્યારબાદ શેષ રહેલ કષાયાષ્ટકના દલિકોને ખપાવે છે. ટીકાર્થ : ગતિ અને આનુપૂર્વી તે ગતિ—આનુપૂર્વી, “જાતિનામ” અહીં રહેલ નામ શબ્દ પૂર્વના ગતિ—આનુપૂર્વી સાથે જોડવો એટલે અર્થ આ પ્રમાણે જાણવો કે નરકગતિનામકર્મ, 30 અને નરકાનુપૂર્વીનામકર્મ, તેમજ તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વી નામકર્મ. આમ ગતિ અને આનુપૂર્વીની બે બે પ્રકૃતિઓ જાણવી. તેમાં આનુપૂર્વી બળદની નાસિકામાં રહેલ દોરડા જેવી Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ છે આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) वोर्वोत्तमाङ्गाधश्चरणादिरूपो नियमतः शरीरविशेषो भवति साऽऽनुपूर्वीति, तथा तिर्यग्गतिनाम तिर्यगानुपूर्वीनाम च, एवं गत्यानुपूर्वीनामनी द्वे द्वे, तथा 'जातिनाम' एकेन्द्रियादिजातिनाम यावच्चतुरिन्द्रियाः, एतदुक्तं भवति-एकेन्द्रियजातिनाम द्वीन्द्रियजातिनाम एवं शेषयोजनाऽपि कार्येति । आह-एकेन्द्रियाद्यानुपूर्वीनाम कस्मानोच्यते, आचार्य आह-तस्य तिर्यगानुपूर्वीनामक्षपणप्रतिपादनेनोक्तार्थत्वात्, 'चः' समुच्चये, तथा 'आतपं' इति आतपनाम, यदुदयात् आतपवान् भवति, 'उद्योतं' इति उद्योतनाम, यदुदयादुद्योतवान् भवति, स्थावरा:-पृथिव्यादयः तन्नाम च पूर्ववत्, 'सूक्ष्मं' इति सूक्ष्मनाम च, साधारणं' इति साधारणनाम, अनन्तवनस्पतिनामेत्यर्थः, 'अपर्याप्तं' इति अपर्याप्तकनाम, तथा निद्रानिद्रा च इत्यादि प्रकटार्थत्वान्न विवियते, नवरं स्त्याना चैतन्यऋद्धिर्यस्यां सा स्त्यानधिः, स्त्यानयुत्तरकालमवशेषं यदष्टानां कषायाणां तत् क्षपयति, 10 सर्वमिदमन्तर्मुहूर्त्तमात्रेणेति, ततो नपुंसकवेदं, ततः स्त्रीवेदं, ततो हास्यादिषट्क, ततः पुरुषवेदं च खण्डनयं कृत्वा खण्डद्वयं युगपत् क्षपयति, तृतीयखण्डं तु संज्वलनक्रोधे प्रक्षिपति, पुरुषे प्रतिपत्तर्ययं क्रमः, नपंसकादिप्रतिपत्तरि त उपशमश्रेणिन्यायो वक्तव्यः, ततः क्रोधादींश संज्वलनान् प्रत्येकमन्तर्मुहूर्त्तमात्रकालेनोक्तेनैव न्यायेन क्षपयति, श्रेणिपरिसमाप्तिकालो જાણવી કે જે કર્મયુગલના સમૂહરૂપ આનુપૂર્વીવડે જીવ વિશિષ્ટસ્થાનને પામે છે. (બળદની 15 નાસિકામાં નાંખેલ દોરડું બળદને દિશા બદલવામાં કારણ છે તેમ આ આનુપૂર્વી જીવને વિગ્રહગતિમાં દિશા બદલવામાં કારણભૂત હોવાથી આવી ઉપમા આપી છે.) અથવા જેનાવડે ઊર્ધ્વમાં મસ્તક અને નીચે ચરણાદિરૂપ શરીરવિશેષની પ્રાપ્તિ થાય છે તે આનુપૂર્વી, તથા ‘જાતિનામ’ શબ્દથી એકેન્દ્રિય જાતિથી ચઉરિન્દ્રિયજાતિનામ જાણવા, અર્થાત્ એકેન્દ્રિયજાતિનામકર્મ. બેઈન્દ્રિયજાતિ–નામકર્મ વિગેરે. શંકા : એકેન્દ્રિયાદિ જાતિ કહી તો એકેન્દ્રિયાદિ આનુપૂર્વી કેમ કહેતા નથી ? સમાધાન : એકેન્દ્રિયાદિ આનુપૂર્વી તિર્યંચાનુપૂર્વીના ક્ષયનું પ્રતિપાદન કરવા દ્વારા જ કહી દીધેલી છે અર્થાત્ તિર્યંચાનુપૂર્વી સાથે એકેન્દ્રિયાદિ આનુપૂર્વીનો ક્ષય પણ સમજી લેવો. તેથી જુદી બતાવી નથી. જેના ઉદયથી જીવ આપવાળો થાય તે આતપનામકર્મ, જેના ઉદયથી જીવ ઉદ્યોતવાળો થાય તે ઉદ્યોતનામકર્મ. પૃથ્વી વગેરે સ્થાવરની જેના દ્વારા પ્રાપ્તિ થાય તે 25 સ્થાવરનામકર્મ, સૂક્ષ્મનામકર્મ, સાધારણનામકર્મ, (જે અનંત વનસ્પતિને જ હોય). અપર્યાપ્તનામકર્મ, નિદ્રાનિદ્રા આ બધી પ્રકૃતિ સ્પષ્ટાર્થ હોવાથી અર્થ જણાવવામાં આવતો નથી. માત્ર (સ્યાનદ્ધિ શબ્દનો અર્થ કરે છે કે, સ્થાન = એકઠી થયેલી છે ચૈતન્યઋદ્ધિ જેને વિષે તે સ્યાનદ્ધિ. આમ આ સત્તર પ્રકૃતિને ખપાવ્યા બાદ આઠ કષાયોના બાકી રહેલ કર્મપુદ્ગલોને ખપાવે છે. 30 આ બધી જ પ્રકૃતિઓને તે અંતર્મુહૂર્વકાળમાં ખપાવે છે. ત્યાર પછી નપુંસકવેદને, પછી સ્ત્રીવેદને, હાસ્યાદિ છને ખપાવે છે. ત્યાર પછી પુરુષવેદના ત્રણ ખંડ કરી બે ખંડને એકસાથે ખપાવે છે અને ત્રીજા ખંડને સંજવલનક્રોધમાં નાંખે છે. પુરુષ ક્ષપકશ્રેણિનો આરંભક હોય ત્યારે આ ક્રમ હોય છે. નપુંસકાદિ જો આરંભક તરીકે હોય તો ઉપશમશ્રેણિપ્રમાણે જાણી લેવું. સંજવલન ક્રોધાદિ દરેકને Page #274 -------------------------------------------------------------------------- ________________ स्थापनां चेयम् । પ્રમ નો. સં. નો. लोभ माया मान Rela पु० हास्यादि ६ स्त्री० ૬૦ अप्र० प्रत्या० दर्शन० 0 अनन्ता० O 0 स च महासमुद्रप्रतरणपरिश्रान्तवत् मोहसागरं तीर्त्वा विश्राम्यति, ततश्छद्मस्थवीतरागत्व-द्विचरमसमययोः प्रथमे निद्रादि क्षपयति तथा चाह नियुक्तिकारः वीसमिऊण नियंठो दोहि उ समएहि केवले सेसे । पढ निद्दं पयलं नामस्स इमाओ पयडीओ ॥ १२४ ॥ देवगइआणुपुव्वीविउव्विसंघयण पढमवज्जाइ । अन्नयरं संठाणं तित्थयराहारनामं च ॥ १२५ ॥ अर्थस्तु प्रायः सुगमत्वात् न वितन्यते, नवरं वैकुर्विकं च 15 અંતર્મુહૂર્તમાત્ર કાળમાં પુરુષવેદની જેમ ત્રણ ખંડ કરવા દ્વારા ખપાવે છે. સંપૂર્ણ શ્રેણિનો સમાપ્તિકાળ પણ અંતર્મુહૂર્ત જ હોય છે, કારણ કે અંતર્મુહૂર્ત અસંખ્યપ્રકારના હોય છે. જ્યારે લોભના ચરમખંડને ખપાવવાનો આરંભ કરે છે ત્યારે તેના સંખ્યાતા ટૂકડા કરી જુદા જુદા કાળમાં તે ખંડોને ખપાવે છે. તેમાં પણ જ્યારે ચરમસંખ્યાતમો ખંડ આવે ત્યારે તેના અસંખ્યખંડો કરી તેને સમયે સમયે ખપાવે છે. આ સંપૂર્ણ શ્રેણિ દરમિયાન 20 જીવ જ્યારે દર્શનસપ્તકનો ક્ષય કરે છે ત્યારે તે નિવૃત્તિબાદર તરીકે ઓળખાય છે. ત્યાર પછીથી છેલ્લો ચરમસંખ્યાતમો ખંડ બાકી રહે ત્યાં સુધી જીવ અનિવૃત્તિબાદર કહેવાય છે. ત્યાર પછીથી અસંખ્યખંડો ખપાવતો છેલ્લા લોભના અણુના ક્ષય સુધી સૂક્ષ્મસંપરાય તરીકે કહેવાય છે. ત્યાર પછી જીવ યથાખ્યાતચારિત્રી બને છે ।।૧૨૩॥ O O c О d . 000000 aaaaaaaa ક્ષપકશ્રેણિના દ્વિચરમસમયે નિદ્રાદિનો ક્ષય (નિ. ૧૨૪-૧૨૫) એક ૨૫૧ ऽप्यन्तर्मुहूर्त्तमेव, अन्तर्मुहूर्त्तानामसंख्येयत्वात्, लोभचरमखण्डं संख्येयानि खण्डानि कृत्वा पृथक् पृथक् कालभेदेन क्षपयति, चरमखण्डं पुनरसंख्येयानि खण्डानि करोति, तान्यपि समये समये एकैकं क्षपयति, इह च क्षीणदर्शनसप्तको निवृत्तिबादर उच्यते, तत ऊर्ध्वमनिवृत्तिबादरो यावत् चरमलोभखण्डमिति, तत ऊर्ध्वम - 5 संख्येयखण्डानि क्षपयन् सूक्ष्मसंपरायो यावच्चरमलोभाणुक्षयः, तत ऊर्ध्वं यथाख्यातचारित्रीभवति ॥ १२३ ॥ ૦૦૦૦ ― 10 અવતરણિકા : આ રીતે યથાખ્યાતચારિત્રી બન્યા પછી મહાસમુદ્રને તરવાથી થાકેલા 25 પુરુષની જેમ મોહસાગરને તરીને તે જીવ અંતર્મુહૂર્ત્ત વિશ્રામ કરે છે. ત્યારપછી છદ્મસ્થવીતરાગગુણસ્થાનના છેલ્લા બે સમયોમાંથી પ્રથમ સમયે નિદ્રાદિને ખપાવે છે. આ વાતને નિર્યુક્તિકાર કહે છે ગાથાર્થ : અંતર્મુહૂર્ત વિશ્રામ કરીને તે નિગ્રંથ સાધુ કેવળજ્ઞાન પ્રાપ્તિના બે સમય બાકી હોય ત્યારે તે બે સમયના પ્રથમ સમયે નિદ્રાં અને પ્રચલા તથા (આગળની ગાથામાં બતાવેલ) 30 નામની આ પ્રકૃતિઓ ખપાવે છે. ગાથાર્થ : દેવગતિ, દેવાનુપૂર્વી, વૈક્રિયદ્વિક, પ્રથમ સિવાયના પાંચ સંઘયણ, ઉદિતસંસ્થાનને છોડી પાંચ સંસ્થાન, આહારક અને તીર્થંકરનામકર્મ. Page #275 -------------------------------------------------------------------------- ________________ 5 ૨૫૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) संहननानि चेति समासः, तानि प्रथमसंहननवर्जानि क्षपयति, तानि च षड् भवन्ति, तथा चोक्तम्वज्जैरिसहनारायं पढमं बिइयं च रिसहनारायं । णारायमद्धणाराय कीलिया तह य छेवदुं ॥१॥" तथा अन्यतरसंस्थानं मुक्त्वा यस्मिन्व्यवस्थितः शेषाणि क्षपयति, तानि चामूनि - "चउरंसे णग्गोहे मंडले साति वामणे खुज्जे । हुंडेवि अ संठाणे जीवाणं छ मुणेयव्वा ॥१॥ तुलं वित्थडबहुलं उस्सेहबहुं च मडहकोट्टं च । हेट्ठिलकायमडहं सव्वत्थासंठियं हुंडं ॥२॥ * * * तथा तीर्थकरनाम आहारकनाम च क्षपयति, यद्यतीर्थकरः प्रतिपत्तेति, अथ तीर्थकरस्ततः 10 ટીકાર્થ : ગાથાર્થ પ્રાયઃ સ્પષ્ટ હોવાથી વિસ્તાર કર્યો નથી. પરંતુ વૈકુર્વિક અને સંહનન. એ પ્રમાણે સમાસ જાણવો. તેમાં પ્રથમસંઘયણ છોડી શેષ પાંચ સંઘયણોને ખપાવે છે. આ સંઘયણો છ છે કહ્યું છે “વ્રજઋષભનારાચ એ પ્રથમસંઘયણ છે, બીજું ઋષભનારાચસંઘયણ, ત્રીજું નારાચ, ચોથું અર્ધનારાચ, પાંચમું કીલિકા અને છઠ્ઠું છેવટું સંઘયણ ।।૧।।” તથા પોતે જે સંસ્થાનમાં રહેલ છે તેને છોડી શેષ સંસ્થાનોને ખપાવે છે. તે સંસ્થાનો આ પ્રમાણે છે - 15 ચતુરસ્ર, ન્યગ્રોધ–મંડલ, સાદિ, વામન, કુબ્જ અને હુંડક એ પ્રમાણે જીવોના છ સંસ્થાન (શરીરના આકારવિશેષ) જાણવા. ॥૧॥ તે સંસ્થાનો કેવા હોય છે ? તે હવે બતાવે છે. તેમાં સમચતુરસ એ નાભિથી નીચે અને ઉપર શાસ્ત્રમાં કહેવાયેલા પ્રમાણવાળું હોવાથી તુલ્ય કહેવાય છે. બીજું સંસ્થાન નાભિથી ઉપર વિસ્તારબહુલ (શાસ્ત્રોક્તપ્રમાણવાળું) હોય છે. ત્રીજું સંસ્થાન ઉત્સેધબહુ હોય છે. 20 ઉત્સેધશબ્દથી અહીં નાભિથી નીચેનો દેહભાગ ગ્રહણ કરવો. તેથી ઉત્સેધથી (નાભિથી નીચેના દેહભાગથી) બહુ (પરિપૂર્ણ = શાસ્રોક્તપ્રમાણવાળું) આ સંસ્થાન હોય છે. ચોથું સંસ્થાન મડભકોષ્ઠવાળું હોય છે. અહીં મડભ = હીનાધિકપ્રમાણવાળા કોઇ = હૃદય—ઉદર—પૃષ્ઠ રૂપ અવયવો, તેથી અર્થ આ પ્રમાણે – મડભ છે કોઇ જેમાં તે મડભકોષ્ઠવાળું સંસ્થાન (અર્થાત્ હૃદય, ઉદર—પૃષ્ઠ વિગેરે 25 અવયવો જેમાં હીનાધિકપ્રમાણવાળા હોય તે), પાંચમું સંસ્થાન કુબ્જ કે જેમાં નાભિથી નીચેની કાયા મડભ (હીનાદિકપ્રમાણવાળી) હોય છે. છઠ્ઠું હુંડક સંસ્થાન સર્વત્ર (નાભિથી ઉપરનીચે) અસંસ્થિત (અપ્રમાણયુક્ત) હોય છે. II૨ તથા જો ક્ષપકશ્રેણીને સ્વીકારનાર જીવ તીર્થંકર ન હોય, તો તીર્થંકરનામકર્મને અને આહારકનામકર્મને ખપાવે છે. જો તે તીર્થંકર હોય તો માત્ર ७६. वज्रर्षभनाराचं प्रथमं द्वितीयं च ऋषभनाराचम् । नाराचमर्धनाराचं कीलिका तथैव सेवार्त्तम् ॥१॥ 30 ७७. चतुरस्त्रं न्यग्रोधं मण्डलं सादि वामनं कुब्जम् । हुण्डमपि च संस्थानानि जीवानां षट् मुणितव्यानि ॥१॥ तुल्यं विस्तृतबाहल्याभ्यां उत्सेधबहुलं च मडभकोष्टं च । अधः कायमडभं सर्वत्रासंस्थितं દ્રુમ્ ર્॥ Page #276 -------------------------------------------------------------------------- ________________ ક્ષપકશ્રેણિના ચરમ સમયે જ્ઞાનાવરણાદિનો ક્ષય (નિ. ૧૨૬-૧૨૭) ૨૫૩ રવ્રજ્વાદારનામવેતિ, ‘૨:' સમુયે ॥૨૪-૨૫ चरमे नाणावरणं पंचविहं दंसणं चउवियप्पं । पंचविहमंतराय खवइत्ता केवली होइ ॥ १२६ ॥ गमनिका-चरमे समये ज्ञानावरणं पञ्चविधं मतिज्ञानावरणादि, दर्शनं चतुर्विकल्पं चक्षुर्दर्शनादि पञ्चविधमन्तरायं च दानलाभभोगोपभोगवीर्यान्तरायाख्यं क्षपयित्वा केवली भवतीति गाथार्थ: 5 IIo૨૬॥ તત: संभिण्णं पासंतो लोगमलोगं च सव्वओ सव्वं । तं नत्थि जं न पासइ भूयं भव्वं भविस्सं च ॥१२७॥ व्याख्या-समेकीभावेन भिन्नं संभिन्नं, यथा बहिस्तथा मध्येऽपीत्यर्थः, अथवा संभिन्नमितिद्रव्यं વૃદ્ઘતે, થમ્ ?–ાતમાવી હિ તત્પર્યાયો, તામ્યાં સમસ્તામ્યાં સમન્તાદ્વા મિત્ર સંમિન્ને ‘પશ્યન્' {} उपलभमानो, लोक्यत इति लोकः, केवलज्ञानभास्वतोपलभ्यत इति भावार्थ:, अलोकोऽप्युपलभ्यत एव, तथापि धर्मादीनां वृत्तिर्द्रव्याणां यत्र स लोकः इति तं, अलोकं च इत्यनेन क्षेत्रं प्रतिपादितं મતિ, દ્રવ્યાઘેતાવળેવ વિજ્ઞમિતિ, મિંયા વિશા ?–નેત્યા–‘સર્વતઃ' સર્વાનુ વિશુ, તાપિ આહારકનામકર્મને જ ખપાવે છે. ‘ચ’ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. I૧૨૪–૧૨૫ ગાથાર્થ : ચરમ સમયે જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણચતુષ્ક અને અંતરાયપંચકને ખપાવી 15 કેવલી થાય છે. ટીકાર્થ : છેલ્લાસમયે મતિજ્ઞાનાવરણાદિ પંચક, ચક્ષુદર્શનાદિ દર્શનચતુષ્ક અને દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એમ અંતરાયપંચકને ખપાવી જીવ કેવલી થાય છે. ૧૨૬।। ગાથાર્થ : સર્વ દિશાઓમાં સંભિન્ન એવા સર્વ લોકાલોકને જોનાર કેવલી ભૂત, ભાવિ અને વર્તમાન તેવી કોઈ શેય વસ્તુ નથી કે જેને જોતા ન હોય અથાત્ સર્વ જ્ઞેય વસ્તુને જુએ છે. ટીકાર્થ : એકીભાવે જે ભેદાયેલું હોય તે સંભિન્ન અર્થાત્ જેમ બહાર તેમ અંદર પણ, [ભાવાર્થ એ છે કે જેમ બહારથી ભેદાયેલું હોય તેમ અંદરથી પણ ભેદાયેલ વસ્તુ એ સંભિન્ન શબ્દથી ઓળખાય છે.] અથવા ‘સંભિન્ન' શબ્દથી દ્રવ્ય ગ્રહણ કરવું, કારણ કે સંભિન્ન એટલે ચારેબાજુથી વ્યાપ્ત વસ્તુ. કાળ અને ભાવ એ દ્રવ્યના પર્યાય છે અને તે કાળ અને ભાવથી વ્યાપ્ત એવું દ્રવ્ય હોય છે. તેથી સંભિન્ન શબ્દથી દ્રવ્ય ગ્રહણ કરાય છે. આવા સંભિન્ન = કાળ– 25 ભાવરૂપ પર્યાયથી વ્યાપ્ત દ્રવ્યને જોતા કેવલી, (ત્રણે કાળની એવી કોઈ વસ્તુ નથી કે જેને જોતા ન હોય એમ અન્વય કરવો.) જે દેખાય તે લોક, કેવલજ્ઞાનરૂપ સૂર્યવડે આ લોક દેખાય છે. જો કે અલોક પણ દેખાય છે. તેથી જે દેખાય તે લોક એવા અર્થથી અલોક પણ લોક તરીકે કહેવાય. તેથી “લોક” શબ્દનો બીજો અર્થ બતાવે છે કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો જ્યાં રહેલા છે તે લોક, તે લોક અને અલોકને, આના દ્વારા 30 ક્ષેત્ર બતાવ્યું. આમ દ્રવ્ય—ક્ષેત્ર—કાળ અને ભાવ આટલી જ વસ્તુ જ્ઞેય તરીકે જાણવી. તે કેવલી શું એક જ દિશાથી લોકાલોકને જુએ છે ? ના, ચારેબાજુથી જુએ છે. ચારેબાજુથી જોવા છતાં શું કેટલાક 20 Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) किं कियदपि द्रव्यादि उत नेत्याह-'सर्वं' निरवशेष, अमुमेवार्थं स्पष्टयन्नाह-तन्नास्ति किञ्चित् ज्ञेयं यन्न पश्यति 'भूतं' अतीतं, भवतीति भव्यं, वर्तमानमित्यर्थः, भावकर्मणोः प्राप्तयोः 'भव्यगेयेत्यादिनिपातनात्' (भव्यगेयप्रवचनी-योपस्थापनीय-जन्याप्लाव्यापात्या वा पा०३-४ ૬૮) વર્જરિસિદ્ધ, ‘વિષ્યમાવિ વી, ‘:' સમુચ્ચયે રૂતિ થાર્થ: ૨૭ 5 इत्थं तावदुपोद्घातनिर्युक्तौ प्रस्तुतायां प्रसङ्गतो यदुक्तं-'तपोनियम-ज्ञानवृक्षमारूढः केवली इति अयमसौ केवली निदर्शितः, एतस्मात् सामायिकादिश्रुतं आचार्यपारम्पर्येण आयातं, एतस्माच्च जिनप्रवचनप्रसूतिः, सर्वमिदं प्रासङ्गिक नियुक्तिसमुत्थानप्रसङ्गेनोक्तं , इदानीमपि के यं जिनप्रवचनोत्पत्तिः कियदभिधानं चेदं जिनप्रवचनं को वाऽस्य अभिधान-विभाग इत्येतत् प्रासङ्गिकशेषं शेषद्वारसङ्ग्रहं वाऽभिधातुकाम आह जिणपवयणउप्पत्ती पवयणएगट्ठिया विभागो य । दारविही य नयविही वक्खाणविही य अणुओगो ॥१२८॥ व्याख्या-इह 'जिनप्रवचनोत्पत्तिः प्रवचनैकार्थिकानि एकार्थिक-विभागश्च' एतत् त्रितयमपि प्रसङ्गशेष, द्वाराणां विधिः द्वारविधिः, विधानं विधिः, स ह्युपोद्घातोऽभिधीयते, नयविधिस्तु चतुर्थ જ દ્રવ્યાદિને જુએ છે? ના, સર્વ વસ્તુને જુએ છે, આ જ વાતને સ્પષ્ટ કરતા કહે છે કે ભૂત-ભાવિ 15 કે વર્તમાનમાં એવી કોઈ શંય વસ્તુ નથી કે જેને કેવલી જોતા ન હોય. અહીં ભવ્ય શબ્દનો અર્થ વર્તમાન કર્યો છે તે ટીકામાં બતાવેલ સૂત્રોના આધારે સિદ્ધ થાય છે.' (ભાવાર્થ એ છે કે સંભિન્ન શબ્દથી કાલ અને ભાવથી દ્રવ્ય ગ્રહણ કર્યું અને લોકાલોક શબ્દથી ક્ષેત્ર ગ્રહણ કર્યું. આમ, સંભિન્ન તથા લોકાલોક શબ્દથી દ્રવ્યાદિ ચારેને જોનાર કેવલી છે એમ કહ્યું. તથા આ ચાર સિવાય બીજી કોઈ ય વસ્તુ છે જ નહીં. તેથી કહ્યું કે સંભિન્ન એવા 20 દ્રવ્ય તથા લોકાલોકને જોનાર કેવલી, ત્રિકાળની એવી કોઈ વસ્તુ નથી કે જેને તેઓ જોતા ન હોય. ટૂંકમાં કેવલજ્ઞાનમાં સર્વ જ્ઞેય પદાર્થો દેખાય છે એવું જણાવવા માંગે છે.) ૧૨૭ અવતરણિકા: આ પ્રમાણે ઉપોદ્ધાતનિયુક્તિમાં પ્રસંગથી જે કહ્યું કે “તપનિયમ-જ્ઞાનરૂપવૃક્ષમાં આરુઢ કેવલી” તે કેવલી બતાવવામાં આવ્યા. આ કેવલીથી સામાયિકાદિધૃત આચાર્યની પરંપરાથી આવેલું છે અને આનાથી જિનપ્રવચનની ઉત્પત્તિ થઈ છે. આ બધું પ્રાસંગિક નિર્યુક્તિની ઉત્પત્તિના 25 પ્રસંગવડે બતાવ્યું. હવે જિનપ્રવચનની ઉત્પત્તિ શું છે? અને આ જિનપ્રવચન કેટલા નામોવાળું છે અર્થાત તે પ્રવચનના કેટલા નામો છે અથવા આ પ્રવચનના નામવિભાગ કેટલા છે? આ પ્રાસંગિક શેષ અને શેષદ્વારોના સંગ્રહને કહે છે ? ગાથાર્થ : જિનપ્રવચનની ઉત્પત્તિ, પ્રવચન એકાર્થિકો, વિભાગ, લારવિધિ, નયવિધિ, વ્યાખ્યાનવિધિ અને અનુયોગ એ તારો હવે કહેવાશે. 30 ટીકાર્થ : અહીં ‘જિનપ્રવચન-ઉત્પત્તિ, પ્રવચનના એકાર્થિકનામો અને એકાર્થિકવિભાગ’ આ ત્રણે પ્રાસંગિક છે. દ્વારોની વિધિ તે દ્વારવિધિ, વિધાન એટલે વિધિ અર્થાત ઉદેશ–નિર્દેશાદિ દ્વારોની Page #278 -------------------------------------------------------------------------- ________________ નય અને અનુગામનો સહચરભાવ (નિ. ૧૨૮) ૨૫૫ अनुयोगद्वारमिति, शिष्याचार्यपरीक्षाऽभिधानं तु व्याख्यानविधिरिति, अनुयोगस्तु सूत्रस्पर्शकनियुक्तिः सूत्रानुगमश्चेति समुच्चयार्थः । आह-चतुर्थमनुयोगद्वारं नयविधिमभिधाय पुनस्तृतीयानुगमद्वाराख्यानुयोगाभिधानं किमर्थम् ? उच्यते, नयानुगमयोः सहचरभावप्रदर्शनार्थं, तथाहि-नयानुगमौ प्रतिसूत्रं युगपद् अनुधावतः, नयमतशून्यस्य अनुगमस्याभावात्, अनुयोगद्वारचतुष्टयोपन्यासे तु नयानामन्तेऽभिधानं युगपद्वक्तुं अशक्यत्वात् । आह-चतुरनुयोगद्वारातिरिक्तव्याख्यानविधेरुपन्यासो 5 अनर्थकः, न, अनुगमाङ्गत्वात्, व्याख्याऽङ्गत्वाच्चानुगमाङ्गता इत्यलं विस्तरेणेति गाथार्थः ॥१२८॥ ___ तत्र जिनप्रवचनोत्पत्तिनियुक्तिसमुत्थानप्रसङ्गतोऽभिहिता, अर्हद्वचनत्वात् प्रवचनस्य, इदानीं प्रवचनैकार्थिकानि तद्विभागं च प्रदर्शयन्नाहપ્રરૂપણા એ ધારવિધિ છે, જે ઉપોદ્ધાંત કહેવાય છે. નવિધિ એટલે ચોથું અનુયોગદ્વાર (અર્થાત્ ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વારોમાંનું ચોથું અનુયોગદ્વાર તે નથવિધિ), શિષ્ય અને આચાર્યની પરીક્ષાનું 10. કથન તે વ્યાખ્યાનવિધિ અને અનુયોગ (અનુગમ) એટલે સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ અને સૂત્રાનુગમ. શંકા ઉપરોક્ત દ્વારગાથામાં પહેલા ચોથું અનુયોગદ્વાર (ન) બતાવી પછી ત્રીજું અનુગમરૂપ અનુયોગદ્વાર શા માટે બતાવ્યું ? આશય એ છે કે ઉપક્રમ-નિક્ષેપ-અનુગમ-નય આ પ્રમાણે ચાર અનુયોગદ્વારમાં પ્રથમ અનુગમ અને પછી નય છે, જયારે તમે પહેલા નય અને પછી અનુગમ શા માટે બતાવ્યો ?' સમાધાન : નય અને અનુગમ બંને સાથે જ રહેનારા છે. એ દેખાડવા આ પ્રમાણે ઉપન્યાસ કરેલ છે. નય અને અનુગમ બંને દરેક સૂત્રમાં એકસાથે જ ચાલે છે, કારણ કે નય વિનાનો અનુગમ સંભવી શકતો નથી. | (શંકા : જો નય અને અનુગમ સાથે જ રહેનાર હોય તો અનુયોગદ્વાર ચતુષ્ટયમાં અનુગમ ત્રીજા ક્રમે અને નવા ચોથા ક્રમે એવું કેમ ?) સમાધાન : નય અને અનુયોગ બંને એકસાથે કહેવા શક્ય નથી માટે નયનું ચોથું સ્થાન રાખવામાં આવ્યું છે. (આશય એ છે કે નય અને અનુગમ જો કે સાથે જ ચાલે છે તેથી બંને એક સાથે જ કહેવા જોઈએ, અને તેથી બંનેનો ક્રમ ત્રીજો જ હોવો જોઈએ. પરંતુ બંને એક સાથે કહેવા શક્ય ન હોવાથી બંનેને આગળ પાછળ કર્યા છે. અને તેમાં પણ પૂર્વે કહ્યું જ છે કે અનુગદ્વાર દ્વારા પદાર્થનો બોધ થયા વિના નયથી વિચારણા થઈ શકતી ન હોવાથી ત્રીજા ક્રમે અનુગમ અને તેના પછી 25 નયનો ક્રમ છે.) શંકા : ચાર અનુયોગદ્વારથી જુદો વ્યાખ્યાનવિધિનો ઉપવાસ શા માટે કરેલ છે ? સમાધાન : વ્યાખ્યાનવિધિ પણ અનુગામનું જ એક અંગ છે, કારણ કે તે વ્યાખ્યાનવિધિ એ વ્યાખ્યાનું કારણ છે માટે તેનો ઉપન્યાસ નિરર્થક બનતો નથી. વધુ વિસ્તારથી સર્યું. ૧૨૮ અવતરણિકા : નિર્યુક્તિના ઉત્થાનપ્રસંગથી (અર્થાતુ ગા.નં. ૯૨થી) જિનપ્રવચનની ઉત્પત્તિ 30 કહી દેવામાં આવી છે, કારણ કે પ્રવચન એ અરિહંતોનું વચન છે. (એટલે કે નિયુક્તિની ઉત્પત્તિ તે જ જિનવચનની ઉત્પત્તિ છે.) હવે પ્રવચનના એકર્થિક નામો અને તેના વિભાગ બતાવે છે ? - 20 Page #279 -------------------------------------------------------------------------- ________________ 5 ૨૫૬ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एगट्टियाणि तिणि उ पवयण सुत्तं तहेव अत्थो । इक्किस य इत्तो नामा एगट्ठिआ पंच ॥ १२९॥ सु धम्म तित्थ मग्गो पावयणं पवयणं च एगट्ठा । सुत्तं तंतं गंथो पाढो सत्थं च एगट्ठा ॥ १३० ॥ अणुओगो य नियोगो भास विभासा य वत्तियं चेव । अणुओगस्स उ एए नामा एगट्टिआ पंच ॥ १३१ ॥ प्रथमगाथाव्याख्या--एकोऽर्थो येषां तान्येकार्थिकानि, त्रीण्येव, प्रवचनं पूर्वव्याख्यातं, सूचनात् सूत्रं, अर्यत इत्यर्थः, 'च' समुच्चये, इह च प्रवचनं सामान्यश्रुतज्ञानं, सूत्रार्थी तु तद्विशेषाविति, आह- सूत्रार्थयोः प्रवचनेन सहैकार्थता युक्ता, तद्विशेषत्वात्, सूत्रार्थयोस्तु 10 परस्परविभिन्नत्वात् न युज्यते तथा च सूत्रं व्याख्ये अर्थस्तु तद्व्याख्यानमिति, अथवा त्रयाणामप्येषां भिन्नाथतव बृज्यत, प्रत्येकमेकार्थिकविभागसद्भावात्, अन्यथा एकाधिकत्वे सति भेदेनैकार्थिकाभिधानमयुक्तमिति अत्रोच्यते, यथा हि मुकुलविकसितयोः पद्मविशेषयोः संकोचविकासपर्यायभेदेऽपि कमलसामान्यतयाऽभेदः, एवं सूत्रार्थयोरपि प्रवचनापेक्षया ગાથાર્થ : પ્રવચનના ત્રણ એકાર્થિક નામો છે. ૧. પ્રવચન, ૨. સૂત્ર, ૩. અર્થ. આ 15 ત્રણેના પાંચ-પાંચ એકાર્થિકનામો છે. 20 ગાથાર્થ : શ્રુતધર્મતીર્થ–માર્ગ–પ્રાવચન અને પ્રવચન એ પ્રવચનના પાંચ એકાર્થિકનામો છે. તથા સૂત્ર-તંત્ર-ગ્રંથ-પાઠ અને શાસ્ત્ર એ સૂત્રના એકાર્થિકનામો છે. ગાથાર્થ : અનુયોગનિયોગ-ભાષા-વિભાષા અને વાર્તાર્તક એ પાંચ અનુયોગના એકાર્થિક નામો છે. ટીકાર્ય : એક અર્થ છે જે ને એકાર્થિક નાના, તે ત્રણ જ છે તેમાં પ્રવચન શબ્દનો અર્થ પૂર્વે કહેલો જ છે, સૂત્ર એને ન કરે તે, તથા જે જણાય તે અર્થ, અહીં પ્રવચન સામાન્યથી શ્રુતજ્ઞાનરૂપ છે અને સૂત્ર ધર્ય તેના વિશેષો છે. શંકા : સૂત્ર-અર્થ એ વિશેષો અર્થાત્ પ્રવચનરૂપ જ) હોવાથી પ્રવચન સાથે એકાર્થતા ઘટે છે. જ્યારે સૂર્ય અને અર્થ પધર વિભિન્ન હોવાથી તે બંનેની પરસ્પર 25 એકાર્થતા ઘટતી નથી, કે સૂત્ર વ્યાખ્યાન કરવા યોગ્ય છે, જ્યારે અર્થ એ સૂત્રના વ્યાખ્યાનરૂપ છે. અથવા પરમક્ષ અર્થવાળા જ છે કારણ કે દરેકને પોતાના અકાર્થિક નામો છે. જો પ્રવચન-સૂત્ર અને અર્થ ત્રણે પરસ્પર જુદા ન હોત તો તેઓના દરેકના પાંચ પાંચ એકાર્થિક નામો જુદા જુદ! બતાવ્યા તે ઘટશે નહીં. સમાધાન : જેમ બીડેલ કમલ અને વિકસિત કમલમાં સંકોચ અને વિકાસરૂપ પર્યાય જુદા 30 હોવા છતાં કમલ તરીકે બંને એક જ છે. તેમ સૂત્ર—અર્થનો પણ પ્રવચનની અપેક્ષાએ અને પરસ્પર અભેદ છે (અર્થાત્ પ્રવચન સાથે અને પરસ્પર સૂત્ર–અર્થનો અભેદ છે.) તે આ પ્રમાણે વિવેચન વિનાનું સૂત્ર બીડેલા કમલ જેવુ છે. તે જ સૂત્ર વિવેચન દ્વારા વિકસિતકમલ સમાન Page #280 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર અને અર્થનો પરસ્પર અભેદ (નિ. ૧૨૯) : ૨૫૭ परस्परतश्चेति, तथाहि-अविवृत्तं मुकुलतुल्यं सूत्रं, तदेव विवृतं प्रबोधितं विकचकल्पमर्थः, प्रवचनं चोभयमपीति, यथा चैषामेकार्थिकविभाग उपलभ्यते-कमलमरविन्दं पङ्कजमित्यादि पौकार्थिकानि, तथा कुड्मलं वृदं संकुचितमित्यादि मुकुलैकार्थिकानि, तथा विकचं फुल्लं विबुद्धमित्यादि विकसितैकार्थिकानि, तथा प्रवचनसूत्रार्थानामपि पद्ममुकुलविकसितकल्पानामेकार्थिकविभागोऽविरुद्धः । अथवा अन्यथा व्याख्यायते-एकार्थिकानि त्रीण्येवाश्रित्य 5 वक्तव्यानि, प्रवचनमेकार्थगोचर: तथा सूत्रमर्थश्चेति, शेषं पूर्ववत् । आह-द्वारगाथायां यदुक्तं 'प्रवचनैकार्थिकानि वक्तव्यानि' तद्व्याहन्यते, न, सामान्यविशेषरूपत्वात्प्रवचनस्य, सूत्रार्थयोरपि અર્થ તરીકે કહેવાય છે. અને તે સૂત્ર–અર્થ બંને પ્રવચન તો છે જ. આમ સૂત્ર પોતે જ અર્થરૂપે થતું હોવાથી પરસ્પર અભેદ છે. | (શંકા : જો તેઓનો પરસ્પર અભેદ હોય તો ત્રણેના એકાર્થિકનામો જુદાં જુદાં શા માટે 10 સમાધાન : જેમ તેઓના (કમલ, મુકુલ, વિકસિત શબ્દોનાં) એકાર્થિક નામોનો વિભાગ દેખાય છે. જેમકે કમલ, અરવિંદ, પંકજ એ પ્રમાણે પદ્મના એકાર્થિકનામો, કુમલ, છંદ, સંકુચિત' વગેરે મુકુલ(બીડેલા)ના એકાર્થિકનામો, તથા વિકચ, ફૂલ, વિબુદ્ધ વગેરે વિકસિત (ખીલેલા)ના એકાર્થિક નામો, તેમ પદ્મ-મુકુલ–વિકસિત સમાન પ્રવચન–સૂત્ર અને અર્થના 15 પણ એકાર્થિક વિભાગ અવિરુદ્ધ છે. આમ એકાર્થિક નામો જુદા જુદા હોવા છતાં પ્રવચન–સૂત્ર અને અર્થ ત્રણેનો પરસ્પર અભેદ છે. અથવા આ ગાથાર્થ બીજી રીતે બતાવે છે. ત્રણને જ આશ્રયી એકાર્થિકનામો કહેવા યોગ્ય છે. પ્રવચન એ એકાર્થિકનો વિષય છે. અને સૂત્ર-અર્થ પણ એકાર્થિકના વિષય છે. (આશય એ છે કે પ્રથમ વાર જે અર્થ કહ્યો, તેમાં પ્રવચન, સૂત્ર અને અર્થ આ ત્રણે પ્રવચનનાજ એકાર્થિક 20 નામો તરીકે બતાવ્યા. જ્યારે ‘અથવા” કરી બીજી રીતે અર્થ કર્યો તેમાં પ્રવચન, સૂત્ર અને અર્થ આ ત્રણે પ્રવચનના એકાર્થિક નામો નથી, પરંતુ આ ત્રણેના સ્વતંત્ર (દરેકના) એકાર્થિક નામો’ એ પ્રમાણે અર્થ કર્યો છે. એટલે કે પ્રથમ અર્થ પ્રમાણે એકલા પ્રવચનના ૧૫ નામો જાણવા. જયારે બીજા અર્થ પ્રમાણે પ્રવચનના પાંચ, સૂત્રના પાંચ અને અર્થના પાંચ, આમ દરેકના સ્વતંત્ર એકાર્થિક નામો જાણવા.) શંકા : જો આ ત્રણેના એકાર્થિક નામો કહેવાના હોય તો, પૂર્વે દ્વારગાથામાં કહ્યું કે “પ્રવચનના એકાર્થિકનામો બતાવશે” એ વાત ક્યાં રહી ? તમે તો સૂત્ર અને અર્થના પણ એકાર્થિકનામો બતાવો છો. સમાધાન : પ્રવચન સામાન્યવિશેષ ઉભયરૂપ છે. અને સૂત્ર–અર્થ પ્રવચનના વિશેષ સ્વરૂપો હોવાથી સૂત્ર–અર્થ પણ પ્રવચનરૂપ જ છે. તેથી “પ્રવચનના એકાર્થિક નામો” તેમાં 30 પ્રવચન શબ્દથી પ્રવચનસૂત્ર અને અર્થ ત્રણે ગ્રહણ કરવામાં કોઈ વિરોધ આવતો નથી. શંકા : જો સૂત્ર-અર્થ પણ પ્રવચનરૂપ જ હોય, તો વિભાગદ્વાર એ નિરર્થક બની જશે. 25 Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ છે આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) प्रवचनविशेषरूपत्वेन प्रवचनत्वोपपत्तेः । आह-यद्येवं विभागश्चेति द्वारोपन्यासानर्थक्य, न, विभागश्चेति किमुक्तं भवति ? नाविशेषेणैकार्थिकानि वक्तव्यानि सामान्यविशेषरूपस्यापि प्रवचनस्य-पञ्चदशेति, किं तर्हि ?-विभागश्च वक्तव्यः, विशेषगोचराभिधानपर्यायाणां सामान्यगोचराभिधानपर्यायत्वानुपपत्तेः, न हि चूतसहकारादयो वृक्षादिशब्दपर्याया भवन्ति, लोके 5 તથા દBત્વીદ્ રૂતિ થાર્થ: ૨૨ द्वितीयगाथाव्याख्या-श्रुतस्य धर्मः-स्वभावः श्रुतधर्मः, बोधस्वभावत्वात् श्रुतस्य धर्मो बोधोऽभिधीयते, अथवा जीवपर्यायत्वात्, श्रुतस्य श्रुतं च तद्धर्मश्चेति समासः, सुगतिधारणाद्वा श्रुतं धर्मोऽभिधीयते, 'तीर्थं' प्राक्निरूपितशब्दार्थं, तच्च संघ इत्युक्तं, इह तु तदुपयोगानन्यत्वात् प्रवचनं तीर्थमुच्यते, तथा मृज्यते-शोध्यते अनेनात्मेति मार्गः, मार्गणं वा मार्गो, अन्वेषणं 10 (આશય એ છે કે સૂત્ર–અર્થ પણ પ્રવચનરૂપ જ હોવાથી ‘પ્રવચનના એકાર્થિક નામો’ એ દ્વારમાં જ સૂત્રના એકાર્થિકનામો અને અર્થના એકાર્થિકનાઓ’ આવી જશે. પછી એકાર્થિકવિભાગ નામના જુદા દ્વારમાં કશું કહેવાનું નહીં રહે.) સમાધાનઃ ‘વિભાગ' દ્વાર નિરર્થક નથી કારણ કે તેમાં સામાન્ય અને વિશેષ સ્વરૂપવાળા એવા પણ પ્રવચનના આ પંદર એકાર્થિક નામો કહેવાના નથી, પરંતુ તેમાં વિભાગ બતાવવો 15 છે કારણ કે વિશેષ વિષયવાળા નામોના પર્યાયવાચી શબ્દો સામાન્ય વિષયવાળા નામોના પર્યાયવાચી શબ્દો બની શકતા નથી. જેમ ચૂત–સહકાર વગેરે આમ શબ્દના પર્યાયવાચી શબ્દો વૃક્ષાદિશબ્દોના પર્યાયવાચી બની શકતા નથી, કારણ કે લોકમાં તેવા પ્રકારનો એટલે કે વૃક્ષને સહકાર તરીકે ઓળખવાનો વ્યવહાર થતો નથી પણ વૃક્ષને ઝાડ તરીકે ઓળખવાનો વ્યવહાર ચાલે છે. તેજ રીતે સૂત્ર-તંત્ર–ગ્રંથાદિ તથા અનુયોગ–નિયોગાદિ સૂત્ર–અર્થના પર્યાયવાચી શબ્દો 20 પ્રવચનના પર્યાયવાચી બની શકતા નથી, કારણ કે ‘પ્રવચન' એ સામાન્ય શબ્દ છે જ્યારે સૂત્ર અર્થ વિશેષશબ્દો છે. તેથી શ્રતધર્મ—માર્ગ–તીર્થાદિ એ પ્રવચનરૂપ સામાન્ય શબ્દના પર્યાય (એકાર્થિક) નામો છે અને સૂત્ર-તંત્ર–ગ્રંથાદિ તથા અનુયોગ-નિયોગાદિ ક્રમશઃ સૂત્ર અને અર્થ રૂપ વિશેષશબ્દના પર્યાયનામો છે. એ પ્રમાણે વિભાગ ગ્રંથકારશ્રીએ દેખાડવા વિભાગદ્વારનો ન્યાસ કરેલ છે. (૧૨૯ 25 બીજી ગાથાની વ્યાખ્યા : શ્રુતનો ધર્મ = સ્વભાવ તે શ્રતધર્મ. શ્રુતનો સ્વભાવ બોધ છે એટલે ધર્મ તરીકે બોધ કહેવાય છે, અર્થાત્ શ્રત વ્યક્તિને જ્ઞાન કરાવતું હોવાથી શ્રુતનો જ્ઞાન એ સ્વભાવ છે. તેથી શ્રતધર્મ તરીકે જ્ઞાન જાણવું અથવા શ્રત એ જીવનો પર્યાય હોવાથી, શ્રુત એ જ ધર્મ અથવા ધૃતરૂપ ધર્મ તે મૃતધર્મ, શ્રુત જીવને સુગતિમાં લઈ જતું હોવાથી તે ધર્મરૂપ છે. તથા તીર્થ કે જેનો શબ્દાર્થ પૂર્વે બતાવેલ છે તે તીર્થ તરીકે પૂર્વે સંઘ ગ્રહણ 30 કર્યો હતો. - અહીં સંઘના ઉપયોગથી અભિન્ન હોવાથી પ્રવચનને પણ તીર્થ કહેવાય છે. તથા જેના વડે આત્મા શોધાય તે માર્ગ. અથવા માર્ગણ એટલે માર્ગ અર્થાત્ કલ્યાણની ગવેષણ કરવી Page #282 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર અને અનુયોગના એકાર્થિકનામો (નિ. ૧૩૦) ક ૨૫૯ शिवस्येति, तथा प्रगतं अभिविधिना जीवादिषु पदार्थेषु वचनं प्रावचनं, प्रवचनं तु पूर्ववत् । उक्तः प्रवचनविभागः, इदानीं सूत्रविभागोऽभिधीयते-तत्र सूचनात् सूत्रं, तन्यतेऽनेनास्मादस्मिन्निति वा अर्थ इति तन्त्रं, तथा ग्रथ्यतेऽनेनास्मादस्मिन्निति वाऽर्थ इति ग्रन्थः, पठनं पाठः पठ्यते वा तदिति पाठः पठ्यते वाऽनेनास्मादस्मिन्निति वा अभिधेयमिति पाठः, व्यक्तीक्रियत इति भावार्थः, तथा शास्यतेऽनेनास्मादस्मिन्निति वा ज्ञेयमात्मनेति वा शास्त्रं, एकाथिकानीति पुनरभिधानं 5 सामान्यविशेषयोः कथञ्चिद्भेदख्यापनार्थमिति गाथार्थः ॥१३०॥ तृतीयगाथाव्याख्या-सूत्रस्यार्थेन अनुयोजनमनुयोगः, अथवा अभिधेये व्यापार: सूत्रस्य योगः, अनकलोऽनुरूपो वा योगोऽनयोगः, यथा घटशब्देन घटोऽभिधीयते. तथा नियतो निश्चितो वा योगो नियोगः, यथा घटशब्देन घट एवोच्यते न पटादिरिति, तथा भाषणात् भाषा, व्यक्तीकरणमित्यर्थः, यथा घटनात् घटः, चेष्टावानर्थो घट इति, विविधा भाषा विभाषा, 10 पर्यायशब्दैः तत्स्वरूपकथनं, यथा घट: कुट: कुम्भ इति, वार्तिकं त्वशेषपर्यायकथनमिति शेषं (શોધવું) તે માર્ગ, પ્ર = પ્રગત (રહેલું) આ = અભિવિધિવડે (સંપૂર્ણ રીતે) જીવાદિ પદાર્થોમાં રહેલ વચન તે પ્રવચન, અર્થાત્ જીવાદિ પદાર્થોમાં સંપૂર્ણ રીતે વ્યાપ્ત એવું પ્રધાન વચન તે પ્રવચન. પ્રવચન શબ્દનો અર્થ પૂર્વે કરેલ જ છે. પ્રવચનવિભાગ કહેવાઈ ગયો. હવે સૂત્રવિભાગ કહેવાય છે. તેમાં સૂત્ર એટલે જે સૂચન કરે છે, જેનાવડે, જેનાથી !5 અથવા જેને વિષે અર્થ કહેવાય = વિસ્તારાય તે તંત્ર, જેનાવડે, જેનાથી કે જેને વિષે અર્થ ગૂંથાય તે ગ્રંથ, ભણવું તે પાઠ, જે ભણાય તે પાઠ અથવા જેના વડે, જેનાથી કે જેને વિષે અર્થ કહેવાય તે પાઠ, જેના વડે, જેનાથી કે જેમાં (જે હોતે છતે) આત્માવડ શેયપદાર્થ જણાય તે શાસ્ત્રમૂળગાથામાં ‘એકાર્થિકાનિ’ એ પ્રમાણે જે ફરીવાર જણાવ્યું છે તે સામાન્ય અને વિશેષમાં કથંચિદુ ભેદ રહેલ છે એવું જણાવવા માટે કહ્યું છે (અર્થાત્ પ્રવચન અને સૂત્ર વચ્ચે કથંચિત ભેદ 20 હોવાથી પ્રવચનના એકાર્થિક અને સૂત્રના એકાર્થિક એમ જુદું જુદું કહ્યું.) II૧૩ ll ત્રીજી ગાથાની વ્યાખ્યા : સૂત્રનું અર્થ સાથે જ જોડાણ તે અનુયોગ અથવા અભિધેયને વિષે (અર્થમાં) સૂત્રનો વ્યાપાર તે યોગ અને અનુકૂળ કે અનુરૂપ જે યોગ તે અનુયોગ, જેમકે ‘ઘટ’ એવા શબ્દથી ઘટે કહેવાય છે, અર્થાત્ ઘટશબ્દનો તેના અભિધેય એવા ઘટરૂપ પદાર્થમાં વ્યાપાર કરવો તે અનુયોગ કહેવાય છે. તથા નિયત અથવા નિશ્ચિતયોગ તે નિયોગ. જેમકે ‘ઘટ’ 25 શબ્દથી ઘટ જ કહેવાય છે, પટાદિ નહીં. (આ રીતે શબ્દનો અર્થની સાથે નિશ્ચિત યોગ તે નિયોગ.) તથા વ્યક્ત કરવું એનું નામ ભાષા, જેમકે ઘટનાત્ = પાણીને ધારણ કરતો હોવાથી ઘટ અર્થાતુ પાણીને ભરવારૂપ ચેષ્ટાવાળો પદાર્થ ઘટ કહેવાય છે. આ રીતે પ્રગટ કરવું તે ભાષા, વિવિધ એવી જે ભાષા તે વિભાષા અર્થાત્ પર્યાયવાચી શબ્દો વડે પદાર્થનું સ્વરૂપ કહેવું જેમકે, 30 ઘટ, કુંભ, કુટ વગેરે, તથા વાર્તિક એટલે સંપૂર્ણપર્યાયોનું કથન. મૂળગાથાના શેષ શબ્દાર્થ સુગમ જ છે. આ ગાથાનો સમુદાયાર્થ કહ્યો. અવયવાર્થ દરેક દ્વારમાં પછી કહેશે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सुबोधं, अयं गाथासमुदायार्थः, अवयवार्थं तु प्रतिद्वारं वक्ष्यति, तत्र प्रवचनादीनामविशेषेणैकार्थिकाभिधानप्रक्रमे सति एकार्थिकानुयोगादेर्भेदेनोपन्यासान्वाख्यानं अर्थगरीयस्त्वख्यापनार्थं, ઉર્જા ચ—'સુત્તધરા મસ્ત્યધરો' હત્યાવિ॥૩॥ 5 तत्र अनुयोगाख्यप्रथमद्वारस्वरूपव्याचिख्यासयाऽऽह मंठवणा दवि खित्ते काले य वयण भावे य । सो अणुओगस उणिक्खेवो होइ सत्तविहो ॥१३२॥ गमनिका -'नाम' प्राक् निरूपितं, तत्र नामानुयोगो-यस्य जीवादेरनुयोग इति नाम क्रियते, नाम्नो वा अनुयोगो नामानुयोगः, नामव्याख्येत्यर्थः, 'स्थापना' अक्षनिक्षेपादिरूपा, तत्र अनुयोगं कुर्वन् कश्चित् स्थाप्यते, स्थापनायामनुयोगः स्थापनानुयोग इति समासः, स्थापना चासौ 10 અનુયોગશ્રૃતિ વા, ‘દ્રવ્ય' કૃતિ દ્રવ્યવિષયોનુયોગો: દ્રવ્યાનુયોગ:, સ ચ આલમનોમનशरीरेतरव्यतिरिक्तः द्रव्यस्य द्रव्याणां द्रव्येण द्रव्यैः द्रव्ये द्रव्येषु वाऽनुयोगो द्रव्यानुयोगः, एवं क्षेत्रादिष्वपि षड्भेदयोजना कार्येति, तत्र द्रव्यानुयोगो द्विविधः - जीवद्रव्यानुयोगः અહીં પ્રવચનાદિના એકાર્થિક નામો જણાવવાનું જ પ્રકરણ હોવા છતાં અર્થના અનુયોગ વિગેરે એકાર્થિક પદોનું ભેદથી કથન અને વ્યાખ્યા જે કરી છે, (આગળની ગાથામાં અર્થના અનુયોગ વિગેરે બધા એકાર્થિકનામોનું વિસ્તારથી નિરૂપણ છે.) તે અર્થની મહાનતા બતાવવા 15 કરી છે અર્થાત્ પ્રવચન–સૂત્ર અને અર્થ આ ત્રણેમાં અર્થના જ એકાર્થિકનામોને વિસ્તારથી કહે છે, તે અર્થની મહાનતા સૂચવવા માટે છે કારણ કે કહ્યું છે કે સૂત્રધારણ કરનાર કરતા અર્થધર મહાન છે વગેરે... ||૧૩૧|| અવતરણિકા : સૌ પ્રથમ અનુયોગનામના પ્રથમદ્વારનું સ્વરૂપ કહે છે ગાથાર્થ : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, વચન અને ભાવ એ પ્રમાણે અનુયોગનો 20 સાતપ્રકારનો નિક્ષેપ છે. ટીકાર્થ : “નામ”ની વ્યાખ્યા પૂર્વે બતાવી દીધી છે. જે જીવાદિનું ‘અનુયોગ’નામ પાડવામાં આવે છે, તે જીવાદિ નામાનુયોગ. અથવા નામનો અનુયોગ તે નામાનુયોગ = વ્યક્તિના નામની વ્યાખ્યા કરવી. (જેમકે કોઈનું ‘ધનપતિ’નામ છે. તે ‘ધનપતિ’ નામની વ્યાખ્યા એટલે ધનનો જે પતિ તે ધનપતિ. આ રીતે વ્યાખ્યા કરવી તે નામનો અનુયોગ કર્યો કહેવાય.) અથવા નામ 25 નિક્ષેપાની વ્યાખ્યા કરવી તે નામાનુયોગ. સ્થાપના એટલે અક્ષને સ્થાપવારૂપ. તેમાં અનુયોગને કરતી વ્યક્તિની સ્થાપના કરાય છે. સ્થાપનાને વિષે અનુયોગ તે સ્થાપનાનુયોગ એ પ્રમાણે સમાસ કરવો અથવા સ્થાપનારૂપ અનુયોગ – એ પ્રમાણે કર્મધારય સમાસ કરવો. દ્રવ્યવિષયક જે અનુયોગ તે દ્રવ્યાનુયોગ તે આગમનોઆગમથી બે પ્રકારે છે. તેમાં નો—આગમથી જ્ઞશરીર–ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યાનુયોગમાં દ્રવ્યનો, દ્રવ્યોનો, વ્યવડે. 30 દ્રવ્યોવડે કે દ્રવ્યવિષે જે અનુયોગ તે તવ્યતિરિક્ત દ્રવ્યાનુયોગ જાણવો. આ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ છ પ્રકારની યોજના કરવી (જેમકે ક્ષેત્રાનુયોગ એટલે ક્ષેત્રનો, ક્ષેત્રોનો, ક્ષેત્રથી—ક્ષેત્રોથી, ક્ષેત્ર વિષે – ક્ષેત્રો વિષે જે અનુયોગ.) દ્રવ્યાનુયોગ એ જીવદ્રવ્યાનુયોગ–અજીવદ્રવ્યાનુયોગ Page #284 -------------------------------------------------------------------------- ________________ જીવોઅજીવ દ્રવ્યાનુયોગ (નિ. ૧૩૨) ક ૨૬૧ अजीवद्रव्यानुयोगश्च, एकैकः स चतुर्धा-द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च, तत्र द्रव्यतो जीव - एकं द्रव्यं क्षेत्रतोऽसंख्येयप्रदेशावगाढ: कालतोऽनाद्यपर्यवसितः भावतोऽनन्तज्ञानदर्शनचारित्राचारित्रदेशचारित्रअगुरुलघुपर्यायवान् इति, अजीवद्रव्याणि परमाण्वादीनि, तत्र परमाणुर्द्रव्यत एक द्रव्यं क्षेत्रत एकप्रदेशावगाढ: कालतो जघन्येन समयमेकं द्वौ वा उत्कृष्टतस्तु असंख्येया उत्सर्पिण्यवसर्पिण्यः, भावतस्तु एकरस एकवर्ण: द्विस्पर्श एकगन्ध इति, एतेषां च स्वस्थानेऽनन्ता 5 रसादिपर्याया एकगुणतिक्तादिभेदेन द्रष्टव्याः, एवं व्यणुकादीनामप्यनन्ताणुस्कन्धावसानानां स्वरूपं द्रष्टव्यं, उक्तो द्रव्यानुयोगः, इदानीं द्रव्याणां स च जीवाजीवभेदभिन्नानां अवसेयः, यथा प्रज्ञापनाया समुदितानां जीवानामजीवानां च विचारः, तथा चोक्तं- जीवपज्जवाणं भंते ! किं संखेज्जा असंखेज्जा अणंता ?, गोयमा ! नो संखेज्जा नो असंखेज्जा अणंता, एवं अजीवपज्जवाणं पुच्छा उत्तरं च दट्ठव्वं" अलं विस्तरेण । द्रव्येणानुयोगः प्रलेपाक्षादिना, 10 द्रव्यस्तैरेव अक्षादिभिः प्रभूतैरिति, द्रव्ये फलकादौ द्रव्येषु प्रभूतासु निषद्यासु अवस्थितोऽनुयोगं એમ બે પ્રકારે છે. તે દરેક વળી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્યથી જીવ એક દ્રવ્ય છે. ક્ષેત્રથી અસંખ્ય આકાશપ્રદેશમાં રહેલો છે, કાળથી જીવ અનાદિ-અનંત છે અને ભાવથી અનંતજ્ઞાન-દર્શન–ચારિત્ર–અચારિત્ર-દેશચારિત્ર–અગુરુલઘુપર્યાયવાળો છે. હવે અજીવદ્રવ્યાનુયોગ બતાવે છે તેમાં અજીવદ્રવ્ય તરીકે પરમાણુ વગેરે જાણવા. 15 પરમાણુ દ્રવ્યથી એક દ્રવ્ય છે. ક્ષેત્રથી એક પ્રદેશમાં રહેલ છે. કાળથી પરમાણુ પોતે પરમાણુ તરીકે જઘન્યથી એક–એ–ત્રણ સમય સુધી રહે અને ઉત્કૃષ્ટથી અસંખ્ય ઉત્સર્પિણી–અવસર્પિણી સુધી રહે. ભાવથી એકરસવાળો, એકવર્ણવાળો–એ સ્પર્શ અને એકગંધવાળો હોય છે. અને આ રસાદિના પોતાના સ્થાનમાં રસાદિપર્યાયો એકગુણતિક્તાદિભેદથી અનંતા જાણવા યોગ્ય છે (આશય એ છે કે કોઈક પરમાણુ એકગુણ તિક્તરસવાળો હોય, તો કોઈ દ્વિગુણતિક્ત 20 હોય, તો કો'ક વળી ત્રિગુણતિક્ત હોય, આમ રસાદિપર્યાયો સ્વસ્થાનમાં અનંતા હોય છે.) એજ પ્રમાણે ચણકાદિથી લઈ અનંતાણુસ્કન્ધસુધીના દ્રવ્યોનું પણ સ્વરૂપ આ જ પ્રમાણે જાણવું. દ્રવ્યાનુગ કહ્યો. હવે દ્રવ્યોનો (બહુવચનમાં) અનુયોગ બતાવે છે, તેમાં દ્રવ્યોનો એટલે જીવ–અજીવભેદથી ભિન્ન દ્રવ્યોનો અનુયોગ, જેમ પ્રજ્ઞાપનાસૂત્ર નામના ગ્રંથમાં સમુદિત એવા જીવોનો અને અજીવોને 25 વિચાર કરવામાં આવ્યો છે. તેમ અહીં જાણી લેવો. તે ગ્રંથનો પાઠ બતાવે છે “હે પ્રભુ ! જીવપર્યાયો સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? હે ગૌતમ ! સંખ્યાતા કે અસંખ્યાતા નથી, પરંતુ અનંતા છે. એ જ પ્રમાણે અજીવપર્યાયોનો પ્રશ્ન-ઉત્તર જાણી લેવો.” વધુ વિસ્તારથી સર્યું. હવે ત્રીજો ભેદ દ્રવ્યવડે અનુયોગ. તેમાં પ્રલેપ (?), અક્ષ વગેરેવડે જે અનુયોગ (વ્યાખ્યાન) ત દ્રવ્યાનુયોગ અર્થાત્ પ્રલેપ—અક્ષ દ્વારા લખીને વ્યાખ્યાન કરે (પદાર્થ સમજાવે) તે દ્રવ્યવડે 30 અનુયોગ કહેવાય. તેમજ ઘણાં બધા અક્ષાદિવડે લખીને પદાર્થ સમજાવે તે દ્રવ્યો વડે અનુયોગ. ૭૮. નીવાર્યવા મ7 !વં સંઘેયા, માંડ્યૂયા, મનન્તા ? તમ!નો સંઘેયા:, નો પ્રસંડ્યા:, अनन्ताः, एवमजीवपर्यवाणां पृच्छा उत्तरं च द्रष्टव्यं । Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ૭ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) करोतीति । एवं क्षेत्रानुयोगेऽपि क्षेत्रस्य भरतक्षेत्रादेः क्षेत्राणां जम्बूद्वीपादीनां यथा द्वीपसागरप्रज्ञप्त्यामिति, क्षेत्रेण यथा पृथिवीकायादिसंख्याव्याख्यान, उक्तं च "जैबुद्दीवपमाणं, पढविजिआणं तु पत्थय काउं । एवं मविज्जमाणा हवंति लोगा असंखिज्जा ॥१॥" 5 क्षेत्रैरनुयोगो यथा-“बहुहिं दीवसमुद्देहिं पुढविजिआणमित्यादि " क्षेत्रे तिर्यग्लोकेऽनुयोगो भरतादौ वा क्षेत्रेषु अनुयोगः अर्धतृतीयेषु द्वीपसमुद्रेषु । कालस्य अनुयोगः समयादिप्ररूपणा, कालानां प्रभूतानां समयादीनां, कालेनानुयोगो यथा-बादरवायुकायिकानां वैक्रियशरीराण्यद्धापતથા પાટીયા ઉપર કે ઘણાં બધા આસન ઉપર રહેલો છતો અનુયોગ કરે = પદાર્થ સમજાવે તે દ્રવ્યમાં કે દ્રવ્યોમાં અનુયોગ. આ જ પ્રમાણે ક્ષેત્રાનુયોગમાં પણ ક્ષેત્રનો = ભરતક્ષેત્રાદિનો, 1) ક્ષેત્રોનો = જંબૂઢીપાદિનો દ્વીપસાગરપ્રજ્ઞપ્તિમાં બતાવ્યા પ્રમાણે જે અનુયોગ કરવો તે ક્ષેત્રના- . ક્ષેત્રોના અનુયોગ. ક્ષેત્રવડે પૃથ્વીકાયાદિ સંખ્યાનું વ્યાખ્યાન કરવું તે ક્ષેત્રવડે અનુયોગ જેમકે, જંબૂદ્વીપ જેવડો પ્રચક (પ્યાલો) બનાવી, તેને ભરવા અને ખાલી કરવાના ક્રમવડે જયારે સર્વ સૂક્ષ્મ–બાદર પૃથ્વીકાય જીવો મપાય, ત્યારે અસંખ્ય લોક ભરાય (અહીં ક્ષેત્રની ઉપમાથી સંખ્યા કહેવાઈ હોવાથી ક્ષેત્રવડે અનુયોગ થયો.) 15 ક્ષેત્રોવડે અનુયોગ – જેમકે, ઘણાબધા દ્વીપસમુદ્રો જેવડો પ્રસ્થક તૈયાર કરીને તેને ભરવા ખાલી કરવાના ક્રમવડે જયારે સર્વ સૂક્ષ્મ–બાદર પૃથ્વીકાય જીવો મપાય ત્યારે અસંખ્ય લોકો ભરાય, ક્ષેત્રમાં એટલે તિર્થાલોકમાં કે ભરતક્ષેત્રમાં અને ક્ષેત્રોમાં એટલે અઢીદ્વીપસમુદ્રમાં જે અનુયોગ તે ક્ષેત્ર કે ક્ષેત્રોમાં અનુયોગ - ભાવાર્થ એ છે કે કોઈ જીવ જ્યારે તિલોક કે ભરતક્ષેત્ર વગેરે ચોક્કસ ક્ષેત્રમાં રહેલો હું અનુયોગ કરું છું એવી વિવક્ષા કરે તો તે ક્ષેત્રમાં 20 અનુયોગ અને જયારે અઢીદ્વીપમાં રહેલો હું અનુયોગ કરું છું એવી વિરક્ષા કરે ત્યારે ક્ષેત્રોમાં અનુયોગ જાણવો. કાળનો અનુયોગ એટલે સમયાદિની પ્રરૂપણા કરવી તે, તથા કાળોનો અનુયોગ એટલે ઘણા બધા સમયાદિની પ્રરૂપણા. કાળવડે અનુયોગ એટલે બાદરવાયુકાયના વૈક્રિયશરીરો અદ્ધાપલ્યોપમના અસંખ્યભાગમાત્ર કાળવડે અપહરણ કરાય છે, અર્થાતુ વૈકિયશરીરવાળા 25 બાદરવાયુકાયના જીવો કેટલાં છે ? તેનો ઉત્તર એ કે – અદ્ધાપલ્યોપમના અસંખ્યભાગમાં જેટલા સમયો છે, તેટલી સંખ્યાવાળા વૈક્રિયશરીરવાળા બાદરવાયુકાયના જીવો છે. આમ કાળને આશ્રયી ઉત્તર અપાતો હોવાથી કાળવડે અનુયોગ કહેવાય. કાળોવડે અનુયોગ જેમકે, પ્રત્યુત્પન્નત્રસકાયિક જીવો પ્રતિસમયે અપહરણ કરાતા અસંખ્ય ઉત્સર્પિણી–અવસર્પિણીવડે અપહરણ કરાય છે. ભાવાર્થ એ છે કે વિવક્ષિત સમયે ઉત્પન્ન 30 ७९. जम्बूद्वीपप्रमाणं पृथ्वीजीवानां तु प्रस्थकं कृत्वा । एवं मीयमाना भवन्ति लोका असंख्येया: ॥१॥ ८०. बहुभिर्वीपसमद्रैः पृथ्वीजीवानां । Page #286 -------------------------------------------------------------------------- ________________ કાલાદિનો અનુયોગ (નિ. ૧૩૨) ૨૬૩ ल्योपमस्य असंख्यभागमात्रेणापहियन्ते, कालैरनुयोगो यथा प्रत्युत्पन्नत्रसकायिका असंख्येयाभिरुत्सर्पिण्यवसर्पिणीभिरपहियन्ते प्रतिसमयापहारेण, कालेऽनुयोगो द्वितीयपौरुष्यां, कालेषु अवसर्पिण्यां त्रिषु कालेषुसुषमदुष्षमायां चरमभागे दुष्षमसुषमायां दुष्षमायां चेति, उत्सर्पिण्यां कालद्वयेदुष्पमसुषमायां सुषमदुष्षमायां च। वचनस्यानुयोगो यथा इत्थंभूतं एकवचनं, वचनानां द्विवचनबहुवचनानां षोडशानां वा, वचनेनानुयोगो यथा-कश्चिदाचार्यः साध्वादिभिरभ्यर्थित : एकवचनेन करोति, वचनैः स एव बहुभिः असकृद् अभ्यर्थितो वेति, वचनेऽनुयोगः क्षायोपशमिके, वचनेषु तेष्वेव बहुषु, अन्ये तु प्रतिपादयन्ति-वचनेषु नास्त्यनुयोगः, तस्य क्षायोपशमिकत्वात्, तस्य चैकत्वादिति भावार्थः। भावानुयोगो द्विधा-आगमतो नोआगमतश्च, आगमतो ज्ञाता થયેલા ત્રસજીવોની સંખ્યા કેટલી ? તેનો ઉત્તર એ કે “ત્રસજીવોને એક એક સમયે એક એક જીવને ગ્રહણ કરવામાં આવે તો અસંખ્ય ઉત્સર્પિણી–અવસર્પિણીના જેટલા સમયો થાય તેટલા 10 સમયોવડે ત્રસજીવો પૂર્ણ થાય અર્થાત્ તેટલા સમયોની જે સંખ્યા થાય તેટલા ત્રસજીવો નવા ઉત્પન્ન થતાં હોય છે. અહીં અસંખ્ય ઉત્સ.–અવસર નો કાળ ઘણો હોવાથી કાળોવડે અનુયોગ થયેલો કહેવાય. કાળમાં અનુયોગ એટલે પ્રથમપોરિસીમાં સૂત્રપોરિસી હોય અને બીજીપોરિસીમાં અર્થપોરિસી હોયતેથી બીજીપોરિસીમાં જે અર્થપોરિસી થાય તે કાળમાં અનુયોગ કહેવાય. કાળોને વિષે અનુયોગમાં અવસર્પિણીમાં ૩જા આરાના ચરમભાગે, ૪થા આરામાં અને પાંચમા 15 આરામાં તથા ઉત્સર્પિણીમાં દુષમસુષમ અને સુષમદુષમ નામના ૩જા–૪થા આરામાં અનુયોગ પ્રવર્તે છે. વચનનો અનુયોગ આ પ્રમાણે કે “આવા પ્રકારનું જે હોય તે એકવચન કહેવાય.” વચનોનો અનુયોગ એટલે આવા પ્રકારના હોય તેને દ્વિવચન-બહુવચન કહેવાય.” એ પ્રમાણે કહેવુ અથવા કસોળ પ્રકારના વચનો વિષે માહિતી આપવી તે વચનોનો અનુયોગ. (સોળ 20 - પ્રકારના વચનો – મલયગિરિજીની ટીકામાંથી જાણી લેવા) હવે વચનવડે અનુયોગ એટલે જેમ કોઈ આચાર્ય સાધુઓવડે પ્રાર્થના કરાયેલા છતાં એક વચનથી જ અનુયોગ-સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરે. વચનોવડે એટલે આચાર્ય ઘણા બધા વચનોવડે અનુયોગ કરે. અથવા વારંવાર પ્રાર્થના કરાયેલા અનુયોગને કરે છે. વચનમાં અનુયોગ એટલે ક્ષાયોપથમિક વચનમાં રહેલાએ કરેલો 25 અનુયાગ, વચનોમાં અનુયોગ એટલે તે ક્ષાયોપથમિક એવા જ ઘણા બધા વચનોમાં રહેલાનો અનુયોગ, કેટલાક આચાર્યો કહે છે કે વચનોમાં અનુયોગ સંભવતો નથી કારણ કે વચન એ લાયોપથમિક છે, અને ક્ષાયોપથમિકભાવ એક જ હોય છે – ઘણાં હોતા નથી. આમ દ્રવ્યાનુયોગ પૂર્ણ થયો. હવે ભાવાનુયોગ બતાવે છે તે આગમ–નોઆગમથી બે પ્રકારે છે. આગમથી ભાવાનુયોગ 30. તરીકે ‘અનુયોગ' શબ્દના અર્થનો જ્ઞાતા અને તે અર્થમાં ઉપયોગવાળો જીવ જાણવો. નોઆગમથી Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) उपयुक्तः, नोआगमत औदयिकादेरन्यतमस्येति, भावानां औदयिकादीनां भावेन संग्रहादिना, उक्तं च-"" पंचहि ठाणेहिं सुत्तं वाएज्जा, तंजहा- संगहट्टयाए १ उवग्गहट्टयाए २ निज्जरद्र्याए ३ सुयपज्जवाजातेणं ४ अव्वोच्छित्तीए ५" भावैरेभिरेव समुदितैरनुयोगः, भावे क्षायोपशमिके, भावेषु आचारादिषु, अथवा प्रतिक्षणपरिणामत्वात् क्षयोपशमस्य भावेषु अनुयोग:, अथवा भावेषु 5 नास्त्येव, क्षयोपशमस्यैकत्वात् । एतेषां च द्रव्याद्यनुयोगानां परस्परसमावेशः स्वबुद्ध्या वक्तव्यः, उक्तं च भाष्यकारेण दव्वे णियमा भावो ण विणा ते यावि खित्तकालेहिं (ग्रन्थाग्रम् २५०० ) । ભાવાનુયોગ ભાવનો, ભાવોનો વિગેરે છ પ્રકારે છે. તેમાં ભાવનો અનુયોગ એટલે ઔદાયિકાદિ ભાવોમાંથી કોઈપણ એકભાવનો અનુયોગ, ભાવોનો અનુયોગ એટલે ઔદાયિકાદિ ઘણા બધા 1) ભાવોનો અનુયોગ. ભાવવડે અનુયોગ એટલે સંગ્રહાદિ ભાવવડે, કહ્યું છે કે ‘(આચાર્ય) પાંચ સ્થાનોવડે (કારણોથી) શ્રુતનું વાચન કરાવે. ૧. સંગ્રહ માટે (શિષ્યોન સૂત્રના અર્થોનો સંગ્રહ થાય તે માટે), ૨. ઉપકાર માટે (શિષ્યો ગીતાર્થ બનીને વસ્ત્રાદિ લાવવા દ્વારા ગચ્છ ઉપર ઉપકારી થશે તે માટે), ૩. કર્મનિર્જરા માટે (આ શિષ્યોને ભણાવવાથી મને કર્મનિર્જરા પ્રાપ્ત થશે તે માટે), ૪. શ્રુતપર્યાયના સમૂહ માટે (શિષ્યોને ભણાવીશ તો મારું શ્રુત 15. પણ વૃદ્ધિને પામશે, તે માટે) ૫. અવ્યુચ્છિત્તિ માટે (શિષ્ય-પ્રશિષ્યની પરંપરાવડે શ્રુતન અવ્યચ્છિત્તિ થાય તે માટે). ભાવાર્થ એ છે કે ઉપરોક્ત પાંચમાંથી કોઈ એકાદ અભિપ્રાય મનમાં રાખી આચાર્ય શિષ્યોને ભણાવે તે ભાવવડે અનુયોગ કહેવાય. . = = ભાવોવડે અનુયોગ એટલે ઉપરોક્ત પાંચ ભેગા થયેલા ભાવોવડે જે અનુયોગ પ્રવર્તે. ભાવમાં અનુયોગ = ક્ષાયોપમિક ભાવમાં રહીને અનુયોગ (અર્થનું વ્યાખ્યાન) કરતાં આચાર્યનો 20 ભાવમાં અનુયોગ કહેવાય છે. ભાવો અનુયોગ આચારાંગ—વગેરે ભાવોને વિષે અર્થાત્ આચારાંગાદિ શાસ્ત્રસંબંધી ક્ષાયોપશમિકભાવોમાં રહેલા આચાર્યનો અનુયોગ, અથવા ક્ષયોપશમ પ્રતિક્ષણ પરિણામી હોવાથી ભાવોમાં અનુયોગ ઘટે. (અહીં ભાવાર્થ એ છે કે દરેક ક્ષણે ક્ષયોપશમ બદલાતો હોવાથી તે પ્રતિક્ષણ પરિણામી કહેવાય છે. આવા બદલાતા ક્ષયોપશમભાવામાં રહેલા આચાર્યનો અનુયોગ ભાવોને વિષે અનુયોગ કહેવાય છે.) 25 અથવા ક્ષયોપશમ એક હોવાથી ભાવોમાં અનુયોગ ઘટતો નથી. અહીં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવરૂપ ચાર અનુયોગોમાં કોનો કયાં સમાવેશ થાય છે ? તે સ્વબુદ્ધિથી જાણી લેવો. આ વિષયમાં ભાષ્યકાર કોનો ક્યાં સમાવેશ થાય છે ? તે બતાવે છે દ્રવ્યમાં નિયમથી ભાવનો 4 (H) સમાવેશ થાય છે. (કારણ કે પર્યાયરહિત દ્રવ્ય સંભવી શકે નહીં.) દ્રવ્ય અને ભાવ (પર્યાય) પણ ક્ષેત્ર-કાળ વિના ઘટતા નથી. (કારણ કે કોઈપણ દ્રવ્ય કો'કને કો'ક ક્ષેત્રમાં રહેલું હોય અને તે દ્રવ્ય વળી સ્થિતિવાળું પણ હોય જ) ક્ષેત્રમાં શેષ ત્રણની ભજના છે, (કારણ કે લોકરૂપ 30 ८१. पञ्चभिः स्थानैः सूत्रं वाचयेत्, तद्यथा-संग्रहार्थाय १ उपग्रहार्थाय २ निर्जरार्थाय ३ श्रुतपर्यायजातेन ४ अव्यवच्छित्त्य ५ । Page #288 -------------------------------------------------------------------------- ________________ અનુયોગ/અનનુયોગના દેષ્ટાન્તો (નિ. ૧૩૩) खित्ते तिण्हवि भयणा कालो भयणाए तीसुंपि ॥१॥ इत्यादि " उक्तोऽनुयोगः, एतद्विपरीतस्तु अननुयोग इति गाथार्थः ॥१३२॥ साम्प्रतं तत्प्रतिपादकदृष्टान्तान् प्रतिपादयन्नाह वच्चगगोणी १ खुज्जा २ सज्झाए ३ चेव बहिरउल्लावो ४ । गाल्लिए ५ य वयणे सत्तेव य हुंति भावंमि ॥१३३॥ व्याख्या–तत्र प्रथममुदाहरणं द्रव्याननुयोगानुयोगयोः वत्सकगौरिति - 'गोदोहओ जदि जं पाडलाए वच्छ्यं तं बहुलाए मुयइ बाहुलेरं वा पाडलाए मुयइ, ततो अणणुओगो भवति, तस्स यदुद्धकज्जस्स अपसिद्धी भवति, जदि पुण जं जाए तं ताए मुयइ, तो अणुओगो, तस्स य दुद्धकज्जस्स पसिद्धी भवति । एवं इहावि जदि जीवलक्खणेण अजीवं परूवेइ अजीवलक्खणेण वा जीवं, तो अणणुओगो भवति । तं भावं अण्णहा गेण्हति तेण अत्थो विसंवदति, अत्थेण 10 ક્ષેત્રમાં દ્રવ્ય-કાળ-ભાવ આ ત્રણ હોય છે જ્યારે અલોકરૂપ ક્ષેત્રમાં દ્રવ્યાદિ હોતા નથી.) અને કાળની દ્રવ્યાદિ ત્રણેમાં ભજના જાણવી. (કારણ કે સમયક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર)માં રહેલ દ્રવ્ય– ક્ષેત્ર–ભાવમાં સમયાદિરૂપ કાળ છે, જ્યારે સમયક્ષેત્રની બહાર રહેલ દ્રવ્યાદિમાં સમયાદિરૂપ કાળ નથી.)’” (વિ.આ.ભા.ગા.-૧૪૦૮) અનુયોગ કહ્યો. આનાથી વિપરીત અનનુયોગ જાણવો. ||૧૩૨૦ - = ૨૬૫ 5 15 અવતરણકા : હવે અનુયોગ – અનનુયોગને જણાવનાર દૃષ્ટાંતો કહે છે ગાથાર્થ : વત્સ અને ગાય ૧. કુબ્જા, ૨. સ્વાધ્યાય, ૩. બધિર—આલાપ, ૪. અને ગામડિયાનું ૫. વચનાનુયોગ – અનનાનુયોગમાં દૃષ્ટાંત જાણવું તથા ભાવાનુયોગ અનનુયોગમાં (જુદા) સાત દષ્ટાંત જાણવા. ટીકાર્થ : ગાય અને વાછરડાનું ઉદાહરણ દ્રવ્યાનુયોગ–અનનુયોગમાં જાણવું. તે આ 20 પ્રમાણે – જો ગોવાળીયો સફેદ ગાયના વાછરડાને કૃષ્ણ ગાય પાસે સ્તનપાન કરાવે અથવા કૃષ્ણગાયના વાછરડાને સફેદગાય પાસે સ્તનપાન કરાવે તો તે અનનુયોગ છે. આવું કરવાથી ગોવાળીયાને દૂધરૂપ કાર્યની અપ્રસિદ્ધિ અપ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અહીં પણ જે આચાર્ય જીવના લક્ષણવડે અજીવની પ્રરૂપણા અથવા અજીવના લક્ષણવડે જીવની પ્રરૂપણા કરે તે અનનુયોગ કહેવાય છે. 25 તેના કારણે શિષ્ય તે જીવ–અજીવને ખોટી રીતે ગ્રહણ કરે છે તેથી અર્થ ખોટી રીતે સમજાય છે, અને ખોટા અર્થને કારણે ચારિત્ર ખોટું પળાય છે. તેથી મોક્ષનો અભાવ થાય ८२. गोदोहको यदि यः पाटलाया वत्सस्तं बहुलायै मुञ्चति, बाहुलेयं पाटलायै मुञ्चति, ततोऽननुयोग भवति, तस्य च दुग्धकार्यस्य अप्रसिद्धिर्भवति, यदि पुनः यो यस्यास्तं तस्यै मुञ्चति, ततोऽनुयोगः तस्य च दुग्धकार्यस्य प्रसिद्धिर्भवति । एवमिहापि यदि जीवलक्षणेन अजीवं प्ररूपयति, अजीवलक्षणेन वा 30 जीवं ततोऽनुयोगो भवति, तं भावमन्यथा गृह्णाति, तेनार्थो विसंवदति, अर्थेन Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) विसंवयंतेण चरणं, चरणेण मोक्खो, मोक्खाभावे दिक्खा णिरत्थिआ । अह पुण जीवलक्खणेण जीवं परूवेड. अजीवलक्खणेणं अजीवं. तो अणओगो, तस्स य कज्जसिद्धी भवतित्ति, अविगलो अत्थावगमो, ततो चरणवुड्डी, ततो मोक्खोत्ति । एस पढमदिट्ठतो ॥१॥ क्षेत्राननुयोगानुयोगयोः कुब्जोदाहरणम्-पँइट्ठाणे णगरे सालिवाहणो राया, सो वरिसे वरिसे 5 भरुयच्छे नरवाहणं रोहेति, जाहे वरिसारत्तो पत्तो ताहे सयं णगरं पडिजाति, एवं कालो वच्चति, अण्णया तेण रण्णा रोहएणं गएल्लएणं अत्थाणमंडवियाए णिच्छूढं, तस्स य पडिग्गहधारिणी खुज्जा, अपरिभोगा एसा भूमी, णूणं राया जातुकामो, तीसे य राउलओ जाणसालिओ परिचिओ, ताए तस्स सिटुं, सो पए जाणगाणि पमक्खित्ता पयट्टावियाणि य, तं दट्ठण सेसओ खंधावारो છે, અને મોક્ષાભાવમાં લીધેલી દીક્ષા પણ નિરર્થક થાય છે. હવે જો જીવના લક્ષણવડે જીવની 10 પ્રરૂપણા અને અજીવના લક્ષણ વડે અજીવની પ્રરૂપણા કરે તો તે અનુયોગ કહેવાય. અને તેથી કાર્યની સિદ્ધિ થાય છે. તથા સારી રીતે સંપૂર્ણ બોધ થાય છે, તેથી ચારિત્રની વૃદ્ધિ અને તેથી મોક્ષ થાય છે (માટે જે રીતે અનુયોગ સંભવે તે રીતે પ્રરૂપણા કરવી જોઈએ.) આ પ્રથમ દૃષ્ટાંત થયું. (ર) ક્ષેત્રના અનનુયોગ–અનુયોગમાં કુષ્કાનું ઉદાહરણ બતાવે છે – પ્રતિષ્ઠાન નામના 15 નગરમાં શાલિવાહન રાજા છે. તે દરવર્ષે ભૃગુકચ્છમાં રહેતા નરવાહન રાજાને રોધ છે (ઘેરો ઘાલે છે) અને જયારે વર્ષાકાળનો પ્રારંભ થાય છે ત્યારે શાલિવાહન રાજા પોતાના નગરમાં પાછો ફરે છે. આ રીતે કાળ પસાર થાય છે. એકવાર નરવાહન રાજાના રાજ્ય ઉપર ઘેરો નાંખીને રહેલા શાલિવાહન રાજાએ (કફદાનીમાં યૂકવાના બદલે) સભામંડપમાં યૂક્યું. આ પ્રસંગ કફદાનીને ધારણ કરનાર તેની કુન્નાદાસીએ જોયો અને વિચાર્યું કે રાજા હવે અહીં રહેવા 20 માંગતો નથી માટે જ કફદાનીમાં યૂકવાને બદલે જમીન ઉપર થૂકે છે. તેથી આ ભૂમિ અપરિભોગ્ય છે. નક્કી રાજા જવાની ઇચ્છાવાળો છે. તે કુબ્બારાસીને રાજકુલનો યાનશાલિક (વાહનનો અધિકારી) પરિચિત હતો. તેણીએ તેને આ પ્રસંગની વાત કરી. તેથી યાનશાલિકે વહેલી સવારે વાહનોને પ્રમાર્જન કરી પ્રવર્તાવ્યા. (પોતાના નગર તરફ રવાના કર્યા). યાનશાલિકને જોઈ શેષ રૂંધાવાર સૈન્ય પણે તેની પાછળ ८३. विसंवदता चारित्रं (विसंवदति), चरणेन मोक्षः, मोक्षाभावे दीक्षा निरर्थिका । अथ पुनर्जीवलक्षणेन जीवं प्ररूपयति, अजीवलक्षणेन अजीवं, ततोऽनुयोगः, तस्य च कार्यस्य सिद्धिर्भवति इति अविकलोऽर्थावगमस्ततश्चरणवृद्धिः, ततो मोक्ष इति, एषः प्रथमदृष्टान्तः । ८४. प्रतिष्ठाने नगरे शालिवाहनो राजा, स वर्षे वर्षे भृगुकच्छे नरवाहनं रुणद्धि, यदा च वर्षारात्रः प्राप्तो ( भवेत् ) तदा स्वकं नगरं प्रतियाति, एवं कालो व्रजति, अन्यदा तेन राज्ञा रोधकेन (रोद्धं) गतेन आस्थानमण्डपिकायां 30 निष्ठ्यूतं, तस्य च प्रतिग्रहधारिणी कुब्जा, अपरिभोगा एषा भूमिः, नूनं राजा यातुकामः, तस्याश्च राजकुलगो यानशालिकः परिचितः, तया तस्मै शिष्टं, स प्रगे यानानि प्रमाष्टर्य प्रवर्तितवान् तं दृष्ट्वा शेषः स्कन्धावार: Page #290 -------------------------------------------------------------------------- ________________ કાલાનનુયોગ/અનુયોગનું દષ્ટાન્ત (નિ. ૧૩૩) ૨૬૭ ओ, राया रहंमि एकल्लो धूलादिभया गच्छिस्सामित्ति पए पयट्टो, जाव सव्वोऽवि खंधावा * पट्टितओ दिट्ठो, राया चिंतेति ण मया कस्सवि कथितं, कहमेतेहिं णायं ?, गविट्ठे परंपरएण जाव खुज्जत्ति, खुज्जा पुच्छिता, ताए तह चेव अक्खायं, एस अणणुओगो, तीसे मंडविया खेत्तं चेव चिन्तिज्जति, विवरीओ अणुओगो, एवं णिप्पदेसमेगन्तणिच्चमेगमागासं पडिवज्जावेंतस्स अणुओगो सप्पसादि पुण पडिवज्जावेंतस्स अणुओगोति ॥ २ ॥ 5 कालाननुयोगानुयोगयोः स्वाध्यायोदाहरणं - ऐक्को साधू पादोसियं परियट्टंतो रहसेणं कालं याति, सम्मद्दिट्टिगा य देवया तं हितट्टयाए बोधेति मिच्छादिट्टियाए भएणं, सा तक्कस्स घडियं भरे महया महया सद्देणं घोसेति-महितं महितंति, सो तीसे कण्णरोडयं असहंतो भणति - अहो નગર તરફ જવા પ્રસ્થિત થયો. આ બાજુ રાજા રાત્રિને વિષે વિચારે છે કે “સ્કંધાવાર સાથે ચાલતા ધૂળાદિ ઘણી ઊંડે છે તેથી સવારે હું એકલો જ નગર તરફ પ્રયાણ કરીશ' આવું વિચારી 10 જ્યારે વહેલી સવારે જવા નીકળે છે ત્યાં સર્વ સ્કંધાવા૨ નગર તરફ જતો જુએ છે અને વિચારે છે કે “મેં કોઈને કહ્યું નથી કે હું આવતી કાલે જવાનો છું તો આ બધાને કેવી રીતે ખબર પડી ?’ રાજાએ તપાસ કરી અને પરંપરાએ જાણવા મળ્યું કે કુબ્જા પાસેથી રાજાના પ્રયાણની વાત જાણવા મળી. રાજાએ કુબ્જાને પૂછ્યું અને તેણીએ સર્વ વાત કરી. આ અનનુયોગ છે કારણ કે રાજાએં કફદાનીમાં થૂકવાને બદલે સભામંડપમાં થૂક્યું. જો રાજા મંડપના ક્ષેત્રને વિચારત 15 અર્થાત્ આ થૂકવાનું સ્થાન નથી એવું વિચારત તો કોઈને ખબર પડી ન હોત. અહીં રાજા મંડપમાં થૂકવાને બદલે કફદાનીમાં થૂકત તો અનુયોગ કહેવાત. એજ પ્રમાણે જે આચાર્ય આકાશને પ્રદેશવિનાનું, એકાંતે નિત્ય અને એક તરીકે પ્રરૂપે તે આચાર્યનો અનનુયોગ કહેવાય. (કારણ કે આકાશ તેવું નથી) પરંતુ સપ્રદેશાદિ તરીકે આકાશની પ્રરૂપણા એ અનુયોગ છે. ૨ (૩) કાળના અનુયોગ–અનનુયોગમાં સ્વાધ્યાયનું ઉદાહરણ એક સાધુ રાત્રિસંબંધી 20 અભ્યાસનું પુનરાવર્તન કરતો સંભ્રમના કારણે કાળને જાણતો નથી અર્થાત્ ‘સ્વાધ્યાયકાળ પૂરો થયો' એવું જાણતો નથી. તે સમયે એક સમ્યગ્દષ્ટિ દેવતા મિથ્યાર્દષ્ટિદેવોના ઉપદ્રવોથી બચાવવા તે સાધુને સમજાવવા ઇચ્છે છે, તેથી તે દેવતા છાસથી ભરેલા ઘડાને લઈ મોટા—મોટા શબ્દોથી (અવાજથી) “છાસ લો, છાસ'' એમ બોલતી ત્યાંથી પસાર થાય છે. તે દેવતાના મોટા અવાજોને સહન ન કરતો તે સાધુ બોલ્યો – “અહો ! છાસ વેચવાનો આ સમય સારો છે.” (અર્થાત્ 25 - ८५. प्रस्थितः, राजा रहसि एकको धूल्यादिभयात् गमिष्यामीति प्रगे प्रवृत्त: ( गन्तुं ), यावत् सर्वोऽपि स्कन्धावारः प्रस्थितो दृष्टः, राजा चिन्तयति न मया कस्मैचिदपि कथितं कथमेतैर्ज्ञातम् ? गवेषितं परम्परकेण यावत्कुब्जेति, कुब्जा पृष्टा, तया तथैवाख्यातं, एषोऽननुयोगः, तस्याः मण्डपिकायाः क्षेत्रमेव चिन्तयेदिति, विपरीतोऽनुयोगः, एवं निष्प्रदेशमेकान्तनित्यमेकमाकाशं प्रतिपाद्यमानस्य अननुयोगः, सप्रदेशादि पुनः प्रतिपाद्यमानस्य अनुयोग इति । ८६. एकः साधुः प्रादोषिकं परिवर्त्तयन् रभसा कालं 30 न जानाति, सम्यग्दृष्टिका च देवता तं हितार्थाय बोधयति मिथ्यादृष्टिकाया भयेन सा तक्रस्य घटिकां भृत्वा महता महता शब्देन घोषयति-मथितं मथितमिति, स तस्याः कर्णरोटकं(राटिं) असहमानो भणतिअहो Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तक्कवेलत्ति, सा पडिभणति-जहा तुझं सज्झायवेलत्ति, ततो साहू उवउंजिऊण मिच्छामिदुक्कडं भणति, देवताए अणुसासिओ-मा पुणो एवं काहिसि, मा मिच्छाद्दिट्ठियाए छलिहिज्जिसि, एस अणणुओगो, काले पढियव्वं तो अणुओगो भवति ॥३॥ ___ इदानीं वचनविषयं दृष्टान्तद्वयमननुयोगानुयोगयोः प्रदर्श्यते-तत्र प्रथमं बधिरोल्लापोदाहरणम्5 ऍगंमि गामे बहिरकुडुंबयं परिवसति, थेरो थेरी य, ताणं पुत्तो तस्स भज्जा, सो पुत्तो हलं वाहेति, पथिएहिं पंथं पुच्छितो भणति-घरजायगा मज्झ एते बइल्ला, भज्जाए य से भत्तं आणीयं, तीसे कथेति जहा-बइल्ला सिंगिया, सा भणति-लोणितमलोणितं वा, माताए ते सिद्धयं, सासूए कहियं, सा भणति-थूल्लं वा बरडं वा थेरस्स पोत्तं होहिइ, थेरं सद्दावेइ, थेरो भणइ-पिउं ते શું આ છાસ વેચવાનો સમય છે ?) તે દેવતા પ્રત્યુત્તર આપે છે. – “જેવો તમારો સ્વાધ્યાયકાળ 10 એવો મારો છાસનો કાળ” (અર્થાત્ શું તમારો આ સ્વાધ્યાય કરવાનો સમય છે ?) ત્યારે સાધુ ઉપયોગ મૂકી જુએ છે કે આ તો સ્વાધ્યાયકાળ પૂર્ણ થઈ ગયો છે. મિચ્છામિ દુક્કડે માંગે છે. ત્યારે દેવતા હિતશિક્ષા આપે છે કે “બીજીવાર આવું કરતા નહીં, નહીં તો મિથ્યાદ્રષ્ટિદેવો તમને હેરાન કરશે.” અહીં સાધુનો અકાળે સ્વાધ્યાય એ અનનુયોગ છે. કાળે સ્વાધ્યાય કરવો તે અનુયોગ છે. III 15 ( ૪) હવે વચનસંબંધી બે દષ્ટાંતો અનુયોગ–અનનુયોગમાં બતાવે છે. અર્થાત્ વચનના અનુયોગ–અનનુયોગમાં બે દષ્ટાંત બતાવે છે, તેમાં પ્રથમ “બહેરાનો આલાપ' એ ઉદાહરણ કહે છે – એક ગામમાં બહેરું કુટુંબ રહેતું હતું. ડોસો, ડોસી, પુત્ર અને પુત્રવધૂ (આ ચારે બહરા હતા) એકવાર ખેતરમાં પુત્ર હલ ચલાવી રહ્યો હોય છે. બાજુમાંથી પસાર થતાં મુસાફરોએ પુત્રને માર્ગ પૂછયો. (પુત્રને લાગ્યું આ લોકો મારા બળદ માટે પૂછતાં લાગે છે એટલે) પુત્ર 20 જવાબ આપ્યો કે “ઘરમાં ઉત્પન્ન થયેલા મારા આ બે બળદો છે.” પત્ની તેના માટે ભક્તપાન લઈને આવી. પતિએ પત્નીને કહ્યું – “અરે ! સાંભળે છે આપણા આ બળદોને શિંગડા ઊગ્યાં છે.” (પત્નીને લાગ્યું ભોજન અંગે કંઈક પૂછે છે. એટલે પત્નીએ જવાબ આપ્યો કે “ભોજનમાં મીઠું નાંખ્યું છે કે નથી નાંખ્યું તે મને ખબર નથી ભોજન તમારી માતાએ રાંધ્યું છે.” પત્નીએ ઘરે આવી સાસુને મીઠા સંબંધી વાત કહી. ત્યારે સાસુ રૂ કાંતતી હતી. તે બોલી – “સ્થૂલ હોય કે રૂક્ષ હોય આ રૂમાંથી ડોસાનું વસ્ત્ર ८७. तक्रवेलेति, सा प्रतिभणति-यथा तव स्वाध्यायवेलेति, ततः साधूरूपयुज्य मिथ्या मे दुष्कृतं भणति, देवतयाऽनुशिष्टः-मा पुनरेवं कार्षीः, मा मिथ्यादृष्ट्या चीच्छलः, एषोऽननुयोगः, काले पठितव्यं तदाऽनुयोगो भवति । ८८. एकस्मिन् ग्रामे बधिरकुटुम्बकं परिवसति, स्थविर: स्थविरा च, तयोः पुत्रः तस्य भार्या, स पुत्रो हलं वाहयति, पथिकैः पन्थानः पृष्टो भणति-गृहजातौ ममैतौ बलीवर्दी, भार्यया च तस्य 30 भक्तमानीतं, तस्यै कथयति यथा-बलीवर्दी शृङ्गितौ, सा भणति-लोणितं ( सलवणं ) अलोणितं वा, मात्रा ते साधितं, श्वश्र्वै कथितं, सा भणति-स्थूलं वा रूक्षं वा स्थविरस्य पोतिका भविष्यति, स्थविरं शब्दयति, स्थविरो भणति-पिबामि( शपथः ) ते 25 Page #292 -------------------------------------------------------------------------- ________________ વચનાનનુયોગ/અનુયોગના દષ્ટાન્તો (નિ. ૧૩૩) દીક ૨૬૯ जीएणं, एगपि तिलं न खामि, एवं जदि एगवयणे परुवितव्वे दुवयणं परुवेति, दुवयणे वा एगवयणं तो अणणुओगो, अह तहेव परुवेति, अणुओगो ॥४॥ ___ग्रामेयकोदाहरणं द्वितीयं वचन एव, प्रस्तुतानुयोगप्राधान्यख्यापनार्थमिति । एगंमि नयरे एगा महिला, सा भत्तारे मए कट्ठादीणिवि ताव अक्कीयाणि, घोच्छामोत्ति अजीवमाणी खुड्डुयं पुत्तं घेत्तुं गामे पवुत्था, सो दारओ वटुंतो मायरं पुच्छति-कहिं मम पिता ?, मओ त्ति, सो केणं 5 जीविताइतो ?, भणति-ओलग्गाए, तो भणइ-अहंपि ओलग्गामि, सा भणति-ण जाणिहिसि ओलग्गिउं, तो कहं ओलग्गिज्जइ ?, भणिओ-विणयं करिज्जासि, केरिसो विणओ?, जोक्कारो कायव्वो णीयं चंकमियव्वं छंदाणुवत्तिणा होयव्वं, सो णगरं पधाविओ, अंतरा णेण वाहा मिगाणं બની જશે.” ડોસાને બોલાવે છે. (ડોસાને તલનું રક્ષણ કરવા રાખ્યો હતો, તેથી ડોસો કહે છે કે – “તારા સોગંદ, મેં એક પણ તલ ખાધા નથી.” અહીં પ્રશ્ન કંઈક પૂછાય છે, અને જવાબ 10 કંઈક અપાય છે. માટે અનનુયોગ છે એ પ્રમાણે જો એકવચનની પ્રરૂપણાને બદલે દ્વિવચનની પ્રરૂપણા કરે અથવા દ્વિવચનની પ્રરૂપણાને બદલે એકવચનની પ્રરૂપણા કરે, તે અનનુયોગ અને જો યથાર્થ પ્રરૂપણા કરે તે અનુયોગ જાણવો. All (૫) વચનના અનુયોગ–અનનુયોગમાં ગામડીયાનું બીજું ઉદાહરણ છે. વચનાનુયોગનું પ્રાધાન્ય બતાવવા આ વિષયમાં બીજું દષ્ટાંત કહ્યું છે. એક નગરમાં એક મહિલા હતી. તે 15. પોતાનો પતિ મરણ પામવાથી લાકડાદિને વહેંચી પોતાની આજીવિકા ચલાવતી હતી. પરંતુ “પતિના મરણને કારણે લોકો મારી નિંદા કરે છે” એવું વિચારી પોતાના બાળકને લઈ અન્ય ગામમાં રહેવા ચાલી ગઈ. તે બાળક વધતો છતાં એક દિવસ માતાને પૂછે કે મારા પિતા ક્યાં છે ? માતાએ કહ્યું, – “તેમનું મૃત્યુ થયું છે.” પિતા પોતાની આજીવિકા કેવી રીતે ચલાવતા હતા ? માતાએ કહ્યું, “બેટા ! તેઓ નોકરી કરીને પોતાની આજીવિકા મેળવતા હતા.” 20 પુત્રે કહ્યું, “મા ! હું પણ નોકરી કરીશ.” તેણીએ કહ્યું, “પણ નોકરી કેવી રીતે કરવી ? તે તું જાણતો નથી તો કેવી રીતે નોકરી કરીશ?” “નોકરી કેવી રીતે કરવી” એવું પૂછાતા માતા બોલી “બેટા ! વિનય કરવાથી નોકરી થાય છે માટે તું વિનય કરજે.” પુત્રે પૂછ્યું “કેવા પ્રકારનો વિનય કરવો ?” માતાએ કહ્યું “જયોત્કાર (જે મળે તેનો જય હો – એવો) કરવો, નમ્રતાથી રહેવું ઇચ્છાનુસારે વર્તવું.” ८९. जीवितं (तेन ) एकमपि तिलं न खादामि, एवं यद्येकवचने प्ररूपयितव्ये द्विवचनं प्ररूपयति द्विवचने वा एकवचनं तदाऽननुयोगः, अथ तथैव प्ररूपयति तदाऽनुयोगः ॥४॥ ९०. एकस्मिन्नगरे एका महिला, सा भर्तरि मृते काष्ठादीन्यपि तावद्विक्रीतवती, गर्हिताः स्म इति अजीवन्ती क्षुल्लकं पुत्रं गृहीत्वा ग्रामं प्रोषिता, स दारको वर्धमानः मातरं पच्छति-व मम पिता?, मत इति, स केन जीविकायितः ? भणतिअवलगनया, ततो भणति-अहमपि अवलगामि, सा भणति-न जानासि अवलगितुं, ततः कथमवलग्यते 30 ?, भणित:-विनयं कुर्याः कीदृशो विनयः ?, जोत्कार: ( जयोत्कारः) कर्तव्यः नीचैर्गन्तव्यं छन्दोऽनुवृत्तिना भवितव्यं, स नगरं प्रधावितः, अन्तरा अनेन व्याधा मुगभ्यः (मुगान 25 Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) णिलुक्का दिट्ठा, वड्डेणं सद्देणं जोक्कारोत्ति भणितं, तेणं सद्देणं मआ पलाणा, तेहिं घेत्तुं पहतो, सब्भावो णेण कहिओ, भणितो तेहि-जदा एरिसं पेच्छेज्जासि, तदा णिलुक्कंतेहिं णीय आगंतव्वं, ण य उल्लविज्जति, सणिअं वा, ततो पेण रयगा दिट्ठा, ततो णिलुक्कंतो सणिअं एति, तेसिं च रयगाणं पोत्ता हीरंति, थाणयं बद्धं, रक्खंति, एस चोरोत्ति बंधिओ पिट्टिओ सब्भावे कहिए 5 मुक्को,तेहिं भणितं-सुद्धं भवतु, एगत्थ बीयाणि वाविज्जंति, तेण भणिअं-सुद्धं भवतु, तेहिवि पिट्टिओ, सब्भावे कहिए मुक्को, एरिसे-बहुं भवतु भंडं (डिं) भरेह एयस्स, अण्णत्थ मडयं णीणिज्जंतं दटुं भणति-बहु भवतु एरिसं, तत्थवि हतो, सब्भावे कहिए मुक्को भणितो एरिसे આ સાંભળી તે પુત્ર નગર તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં હરણોને પકડવા છુપાયેલા શિકારીઓ પુત્રવડે દેખાયા. પુત્રે મોટા અવાજે ચોરોનો જય કર્યો. જેથી હરણી ભાગી ગયા. ચોરોએ પુત્રને 10 પકડી માર્યો. અને પછી પૂછ્યું કે તેને આવું શા માટે કર્યું? ત્યારે પુત્રે સઘળી વાત કરી. ચોરોએ તેને કહ્યું કે “જયારે પણ આવું કંઈક તું જુએ ત્યારે છૂપી રીતે આવવું જોઈએ પણ અવાજ કરવો નહીં. અથવા ધીમેથી વાત કરવી જોઈએ.” આ પ્રમાણે ચોરો પાસેથી શિક્ષા મેળવી આગળ વધતા પુત્રે ધોબીઓને જોયા. તેથી તે પુત્ર ધીમેથી છુપાતો–છૂપાતો ધોબીઓ પાસે જાય છે. આ બાજુ પહેલા ઘણા દિવસોથી ધોબીઓના 15 વસ્ત્રો કોઈ ચોરી જતું હતું. તેથી તે દિવસે ધોબીઓ ચારે બાજુથી ઘેરો નાખીને ચોરની રાહ જોઈને છુપાઈને બેઠાં હતા અને પોતાના વસ્ત્રોની રક્ષા કરતા હતા. એવામાં આ રીતે પુત્રને આવતો જોઈ ધોબીઓએ તેને ચોર સમજી પકડ્યો અને ખૂબ માર્યો. પરંતુ હકીકત સાંભળતા છોડી દીધો, અને હિતશિક્ષા આપી કે (આવા અવસરે) શુદ્ધ થાઓ (અર્થાત્ વસ્ત્રો શુદ્ધ થાઓ) એમ બોલવું. ગામડીઓ પુત્ર આગળ વધ્યો. ત્યાં ખેડૂતો 20 ખેતરમાં બીજ વાવતા હતા. ત્યાં જઈ ગામડીયો બોલ્યો – “શુદ્ધ થાઓ” (અર્થાત સાફ થાઓ) . એટલે ખેડૂતોએ પણ પકડી માર્યો, હકીકત જાણતા છોડ્યો અને કહ્યું, (આવા અવસરે) “ઘણું થાઓ અને એના ગાડાઓ ભરાવો એમ કહેવું.” આગળ વધતા કેટલાક લોકોને મૃતક–લઈ જતા જોયા ત્યાં બોલ્યો, “આવું ઘણું થાઓ.” એટલે લોકોએ માર્યો. હકીકત જાણતાં છોડ્યો અને કહ્યું, “આવા પ્રસંગથી અત્યંત વિયોગ થાઓ. (અર્થાત 25 આવા પ્રસંગો બીજીવાર ન થાઓ)” એમ તારે બોલવું. ગામડીયો આગળ વધતા વિવાહ પ્રસંગે ९१. ग्रहीतं) निलीना दृष्टाः, बहता शब्देन जोत्कार इति भणितं. तेन शब्देन मगा: पलायिता:. तैर्गृहीत्वा प्रहतः, सद्भावोऽनेन कथितः, भणितस्तैः-यदैतादृशं पश्येस्तदा निलीयमानेन गन्तव्यं, न च उल्लाप्यते, शनैः शनैर्वा, ततोऽनेन रजका दृष्टाः, ततो निलीयमानः शनैः गच्छति, तेषां च रजकानां वस्त्राणि ह्रियन्ते, स्थानं बद्धं, रक्षन्ति, एष चौर इति बद्धः पिट्टितः सद्भावे कथिते मुक्तः १ तैर्भणितं-शुद्धं भवतु, 30 एकत्र बीजानि उप्यन्ते, तेन भणितं-शुद्धं भवतु, तैरपि पिट्टितः, सद्भावे कथिते मुक्तः, एतादृशे-बहु भवतु भाण्डानि भरन्तु एतेन, अन्यत्र मृतकं नीयमानं दृष्ट्वा भणति-बह भवत्वेतादृशं, तत्रापि हतः, सद्भावे कथिते मुक्तो भणितः एतादृश Page #294 -------------------------------------------------------------------------- ________________ વચનાનનુયોગાનુયોગના ચેષ્ટાન્નો (નિ. ૧૩૩) તા ૨૭૧ वुच्चति-अच्चंतविओगो भवतु एरिसेणं, अण्णत्थ विवाहे भणइ-अच्चंतविओगो भवतु एरिसेणं, तत्थवि हतो, सब्भावे कहिए भणितो-एरिसे( सा )णं णिच्चं पिच्छया होह सासयं च भवतु, एयं, अण्णत्थ णिअलबद्धयं दंडिअं दहण भणति-णिच्चं एयारिसाण पेच्छंतओ होहि, सासतं च ते भवतु, तत्थवि हतो सब्भावे कहिए मुक्को-एयाओ भे लहुं मोक्खो भवतु, एयं भणिज्जसि, अण्णत्थ मित्ते संघाडं करेंति, तत्थ भणति-एयाओ भे लहु मोक्खो भवतु, तत्थवि हतो सब्भावे 5 कहिते मुक्को एगस्स दंडगकुलपुत्तगस्स अल्लीणो, तत्थ सेवंतो अच्छति ।। ___अण्णया दुब्भिक्खे तस्स कुलपुत्तगस्स अंबिलजवागू सिद्धेल्लिया, भज्जाए से सो भण्णति-जाहि महायणमज्झाओ सद्देहि जो भुंजति सीतला अजोग्गा, तेण गंतुं सो भणिओ-एहि किराइं सीतलीहोति अंबेल्ली, सो लज्जितो, घरंगएण अंबाडिओ, भणितो-एरिसे कज्जे णीअं कण्णे कहिज्जइ, अण्णया घरं पलित्तं, ताहे गंतुं सणिअं कण्णे कहेति, जाव सो तहिं अक्खाउं 10 પહોંચ્યો અને કહ્યું, “આવા પ્રસંગથી અત્યંત વિયોગ થાઓ.” ત્યાં પણ પૂર્વની જેમ માર અને હિતશિક્ષા મળી કે “આવા પ્રસંગોને નિત્ય જોનાર લોકો થાઓ અને આવા પ્રસંગો શાશ્વત થાઓ એમ કહેવું.” આગળ વધતા સાંકળોથી બંધાયેલા અધિકારીને જોઈ ગામડીયો બોલ્યો, “આવાઓને નિત્ય જોનારા થાઓ અને આવું શાશ્વત થાઓ.” ત્યાં પણ લોકોએ માર્યો. ___ीत. समता छोडी ४, “( समांथ.) तमारो शा छूट२) थामी ओम जोस." 15 અન્ય સ્થળે મિત્રો પરસ્પર મિત્રતા બાંધતા હતા. ત્યાં ગામડીયો બોલ્યો, “તમારો શીધ્ર છૂટકારો થાઓ.” ત્યાં પણ માર ખાધો. હકીકત સાંભળી છોડી દીધો અને એક દંડક કુલપુત્રને (ઠાકોરને) ત્યાં સેવા કરવા રહ્યો. એકવાર તે નગરમાં દુર્મિક્ષ (દુકાળ) થયો. તેથી તે ઠાકોરની પત્નીએ ખાટ્ટી યવાગુ (રાબડી) તૈયાર કરી અને ગામડીયા પુત્રને કહ્યું, “જા, લોકોની વચ્ચે બેઠેલા 61औरने २।५ पावा मोसावी दाप, नही तो राम 1 °४ता पीव योग्य २३ नही.” 200 ___मीयामे ४६ रने (मोडोनी वय्ये भोट! शोथी) j, "४४ी यलो, २५ 30 થઈ જશે.” ઠાકોર શરમાઈ ગયો. ઘરે જઈ ગામડીયાને ઠપકો આપ્યો અને કહ્યું, “આવા અવસરે નજીકમાં આવી કાનમાં કહેવું જોઈએ.” એકવાર ઘર સળગ્યું. ત્યારે ગામડીયો ઠાકોરની નજીક ધીરેથી જઈ કાનમાં કહે છે. જયારે ગામડીયો આ રીતે ધીમે-ધીમે ઠાકોર પાસે જઈ વાત ९२. उच्यते-अत्यन्तं वियोगो भवत्वीदृशेन, अन्यत्र विवाहे भणति-अत्यन्तं वियोगो भवत्वीदृशेन, 25 तत्रापि हतः, सद्भावे कथिते भणितः-ईदृशानां नित्यं प्रेक्षका भवत शाश्वतं च भवत्वेतत्, अन्यत्र निगडबद्धं दण्डिकं दृष्ट्वा भणति-नित्यमेतादृशानां प्रेक्षको भव, शाश्वतं च ते भवतु, तत्रापि हतः सद्भावे कथिते मुक्तः, एतस्मात् भवतां लघु मोक्षो भवतु, एतत् भणे:, अन्यत्र मित्राणि संघाटकं कुर्वन्ति, तत्र भणतिएतस्मात् भवतां लघु मोक्षो भवतु, तत्रापि हतः सद्भावे कथिते मुक्त, एवं दण्डिककुलपुत्रमालीनः, तत्र सेवमानस्तिष्ठति । अन्यदा दुर्भिक्षे तस्य कुलपुत्रकस्य अम्लयवागूः सिद्धा, भार्यया तस्य स भणितः-याहि 30 महाजनमध्यात् शब्दय यत् भुङ्क्ते शीतलताऽयोग्या, तेन गत्वा स भणितः, एहि किल शीतलीभवति रब्बा, स लज्जितः, गृहगतेन तिरस्कृतः, भणित:-ईदृशे कार्ये नीचैः कर्णयोः कथ्यते, अन्यदा गृहं प्रदीप्तं, तदा गत्वा शनैः कर्णयोः कथयति, यावत्स तत्राख्यातुं Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સેક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) गतो ताव घरं सव्वं झामिअं, तत्थावि अंबाडिओ भणिओ य-एरिसे कज्जे नवि गम्मति अक्खायएहि, अप्पणा चेव पाणीयाइं काउं गोरसंपि छुब्भइ जहा तहा विज्झाउत्ति, अण्णया धुवंतस्स गोभत्तं छूढं । एवं जो अण्णमि कहेयव्वे अण्णं कहेइ ताहे अणणुओगो भवति, सम्म कहिज्जमाणे अणुओगो भवति ॥ सप्तैव च भवन्ति 'भावे' भावविषये, अननुयोगानुयोगयोः 5 प्रतिपादकानि सप्तोदाहरणानि भवन्तीति गाथार्थः ॥१३३॥ तानि चामूनि सावगभज्जा १ सत्तवइए २ अ कुंकणगदारए ३ नउले ४ । कमलामेला ५ संबस्स साहसं ६ सेणिए कोवो ७ ॥१३४॥ व्याख्या-तत्र श्रावकभार्योदाहरणं-सावगेण णिययभज्जाए वयंसिया विउव्विया दिट्ठा. 10 अज्योववण्णो. दब्बलो भवति. महिलाए पच्छिते निब्बंधे का सिद्रं. ताए भणित-आणेमि. तेहि चेव वत्थाभरणेहि अप्पाणं णेवत्थिता अंधयारे अल्लीणा, अच्छितो, पच्छा बिइयदिवसे अधिति કરે છે તેટલી વારમાં આખું ઘર બળી જાય છે. ઠાકોર તેને ઠપકો આપી કહે છે “આવા અવસરે કહેવા ન અવાય, પરંતુ પોતાની જાતે પાણી–ગોરસ (છાણ) વગેરે જે નાંખવાથી આગ બુઝાય તે નાંખવું જોઈએ.” બીજીવાર ઠાકોર ધૂપ કરતો હતો. ઘરમાંથી ધૂમાડા નીકળતા જોઈ ગામડીયાએ 15 છાણાદિ નાંખ્યાં, આમ, જયારે જે કહેવું જોઈએ તેને બદલે બીજું બોલે તે અનનુયોગ થાય છે. યથાર્થ બોલે તો અનુયોગ થાય છે. ભાવાનુયોગ–અનનુયોગમાં સાત ઉદાહરણો છે. I૧૩૩il सवतर1ि5 : ते सात (ोने मतावे छे थार्थ : श्रावमार्या १. सप्तपछि, २. ॲपुत्र, उ. नोणीयो, ४. भामेरा ५. मनु सास, ६. श्रेणिनो ओ५, ७. (म0 सld t२४Muqt). 20 ટીકાર્થ : પ્રથમ શ્રાવકપત્નીનું ઉદાહરણ : એક શ્રાવકવડે પોતાની પત્નીની સુંદરરૂપવાળી (विउव्विया) युवान सभी हवाई. तीन ७५२ ते श्रावणी थयो. पोतानी पत्नान डा. શકતો ન હોવાથી દિવસે-દિવસે દુર્બળ થતો જાય છે. તે જોઈ પત્નીએ પૂછ્યું. આંત આગ્રહ ४२. पूछत. श्राप ४ीत. ४.वी. पत्नामे , “सा, ई ताने मी बोलावी ..." તે દિવસે સખીએ જે વસ્ત્રાભરણો પહેરેલા હતા તે જ વસ્ત્રાભરણોવડે પોતાને શણગારી અંધકારમાં 25 पत्नी (३ममi) ही. શ્રાવક તે રૂમમાં આવ્યો. પછી બીજે દિવસે મેં વ્રત ભાંગ્યું. એ પ્રમાણે અધૃતિને ९३. गतस्तावद्गृहं सर्वं ध्मातं, तत्रापि तिरस्कृतो भणितश्च-ईदृशे कार्ये नैव गम्यते आख्यायकेन, आत्मनैव पानीयादि कृत्वा गोरसं ( गोभक्तादि ) अपि क्षिप्यते, यथा तथा विध्यायत्विति, अन्यदा धूपयतः (उपरि) गोभक्तं (छगणादि) क्षिप्तं । एवं योऽन्यस्मिन् कथयितव्ये अन्यत् कथयति तदाऽननुयोगो 30 भवति, सम्यक् कथ्यमाने अनुयोगो भवति । ९४. श्रावकेण निजभार्याया वयस्या वैक्रिया ( उद्भूतरूपा) दृष्टा, अध्युपपन्नो, दुर्बलो भवति, महेलया पृष्टे निर्बन्धे कृते शिष्टं, तया भणित-आनयामि, तैरेव वस्त्राभरणैरात्मानं नेपथ्ययित्वा अन्धकारे आलीना, स्थितः पश्चाद्वितीयदिवसे अधृति Page #296 -------------------------------------------------------------------------- ________________ સાપ્તાદિકનું દૃષ્ટાન્ત (નિ. ૧૩૪) ર ૨૭૩ पंगतो वयं खंडियंति, ताए साभिण्णाणं पत्तियावितो । एवं जो ससमयवत्तव्वयं परसमयवत्तव्वयं भणति, उदइयभावलक्खणेणं उवसमियलक्खणं परूवेति, ताहे अणणुओगो भवति, सम्म परुविज्जमाणे अणुओगोत्ति १ । सप्तभिः पदैर्व्यवहरतीति साप्तपदिक:- सत्तपदिगो एगंमि पच्चंतगामे एगो ओलग्गयमणसो, साधुमाहणादीणं न सुणेति, ण वा अल्लीणति, ण वा सेज्जं देति, मा मम धम्मं कहेहिन्ति, ताहे 5 मा सदओ होहामित्ति । अण्णया कया तं गाम साहुणो आगता, पडिस्सयं मग्गंति, ताहे गोट्ठिलएहिं एसो न देतित्ति सोवि एतेहिं पवंचिओ होउत्ति तस्स घरं चिंधिअं, जहा एरिसो तारिसो सावगोत्ति तस्स घरं जाह, तं गता पुच्छंता, दिट्ठो, जाव ण चेव आढाति, तत्थेक्केण साहुणा भणिअं-जदि (પશ્ચાત્તાપને) કરતા શ્રાવકને પત્નીએ ચિહ્નો બતાવવા પૂર્વક વિશ્વાસ કરાવ્યો કે, “તે પોતે જ હતી.' અહીં પત્નીએ સખી તરીકેનો દેખાવ કર્યો તે અનનુયોગ અને પાછળથી પોતાને જાહેર 10 કરી તે અનુયોગ એ પ્રમાણે જે સ્વસમયની વક્તવ્યતાને પરસમયની વક્તવ્યતા કહે. અથવા ઔદાયિકભાવના લક્ષણને પથમિકભાવના લક્ષણ તરીકે પ્રરૂપે ત્યારે અનનુયોગ થાય છે, પરંતુ જેનું જ સ્વરૂપ છે તેનું તે સ્વરૂપ કહે ત્યારે અનુયોગ થાય છે. ll૧// ૨. સાત પદોવડે જે વ્યવહાર કરે તે સાપ્તપદિક : એક નાના ગામમાં એક સેવકપુરુષ રહેતો હતો. તે ક્યારેય સાધુ-બ્રાહ્મણાદિ પાસે ધર્મ સાંભળતો નહીં, તેમની પાસે જતો નહીં કે 15 તેમને પોતાને ત્યાં ઉતારો પ્રણ આપતો નહીં કારણ કે જો ત્યાં પોતાને ઉતારો આપે તો સાધુઓ પોતાને ધર્મ સંભળાવે ને ક્યાંક પોતે દયાયુક્ત = શ્રદ્ધાળુ બની જાય તો. એવો ભય તેણે રહેતો હતો. એકવાર તે ગામમાં સાધુઓ આવ્યા. જુદી જુદી જગ્યાએ પોતાના ઉતારા માટે ઉપાશ્રયની શોધ કરતા હતા, ત્યારે ત્યાં રહેલી એક ગોષ્ઠી (યુવાનોની ટોળકી) વડે “આ માણસ ક્યારેય કોઈને ઉતારો આપતો નથી તેથી 20 આજે આ સાધુઓ વડે ભલે તે ઠગાતો” એમ વિચારી તેનું ઘર સાધુઓને બતાવતા કહ્યું “આવા– આવા પ્રકારનો એક શ્રાવક છે, તેના ઘરે તમે જાઓ” તે સાધુઓ પૂછતાં–પૂછતાં ત્યાં ગયા અને માણસને જોયો પરંતુ આ માણસ આદર-સત્કાર કરતો નથી. તેથી સાધુઓમાંથી એક સાધુએ અન્ય સાધુઓને કહ્યું, “કાં તો આ તે શ્રાવક નથી, કાં ९५. प्रगतः व्रतं खण्डितमिति, तया साभिज्ञानं प्रत्यायितः । एवं यः स्वसमयवक्तव्यतां 25 परसमयवक्तव्यता भणति, औदयिकभावलक्षणेनौपशमिकलक्षणं प्ररूपयति, तदाऽननुयोगो भवति, सम्यक् प्ररूप्यमाणे अनुयोग इति । ९६. साप्तपदिकः एकस्मिन् प्रत्यन्तग्रामे एकोऽवलगकमनुष्यः साधुब्राह्मणादीनां न शृणोति न वा सेवते ( आलीनोति) न वा शय्यां ददाति, मा मे धर्मं चीकथन् इति तदा मा सदयो भूवमिति । अन्यदा कदाचित् तं ग्रामं साधव आगताः, प्रतिश्रयं मार्गयन्ति, तदा गोष्ठीकैरेष न ददातीति सोऽप्येभिः प्रवञ्चितो भवत्विति तस्य गृहं दर्शितं यथा-ईदृशस्तादृशो वा श्रावक इति तस्य 30 गृहं यात, तद् गताः पृच्छन्तः, दृष्टो, यावन्नैवाद्रियते, तत्रैकेन साधुना भणितं-यदि Page #297 -------------------------------------------------------------------------- ________________ २७४ * आवश्य: नियुक्ति • ७२(मद्रीयवृत्ति • समापांतर (भा-१) वा ण चेव सो एसो अहवा पवंचिता मोत्ति, तं सोऊण पुच्छिता तेण, कथितं जहा-अम्ह कथितं एरिसो तारिसो सावगोत्ति, सो भणति-अहो अकज्जं, ममं ताव पवंचतु, ता किं साधुणो पवचितन्ति, ताहे मा सारत्ता तेसि होउत्ति भणति-देमि पडिस्सयं एक्काए ववत्थाए-जदि मम धम्म ण कहेह, साहूहिं कहियं-एवं होउत्ति, दिण्णं घरं, वरिसारत्ते वित्ते आपुच्छंतेहिं धम्मो कहिओ, तत्थ ण किंचि तरइ घेत्तुं मूलगुणउत्तरगुणाणं मधुमज्जमंसविरतिं वा, पच्छा सत्तपदिवयं दिण्णंमारेउकामेणं जावइएणं कालेणं सत्त पदा ओसक्किज्जति एवइअं कालं पडिक्खित्तु मारेयव्वं, संबुज्झिस्सतित्तिकाउं, गता । अण्णया चोरो( रओ )गतो, अवसउणेणं णिअत्तो, रत्तिं सणिअं घरं एति, तद्दिवसं च तस्स भगिणी आगएल्लिआ, सा पुरिसणेवस्थिआ भाउज्जायाए समं गोज्झपेक्खिया તો તે યુવાનિયાઓએ આપણને ઠગ્યા છે.” આ વાત સાંભળી માણસે સાધુઓને પૂછ્યું. ત્યારે 10 સાધુઓએ વાત કરી કે પેલા યુવાનિયાઓએ અમને કહ્યું કે “આવા પ્રકારના શ્રાવક છે ત્યાં ઉતારો મળશે.” ત્યારે માણસે વિચાર્યું કે “આ તો બહુ ખોટું થયું, તે યુવાનિયાઓ ભલે મને ઠગે પણ સાધુઓને શા માટે હેરાન કરે છે ? તેથી સાધુઓની અસારતા ન થાઓ.” એમ વિચારી સાધુઓને કહ્યું, “એક શરતે હું તમને રહેવા મકાન આપું. તે એ કે તમારે મને ધર્મ संमणावयो नl.' साधुसोभे , "मले मेम थामो." तथा ५२मा २॥श्रय 202यो.. 15 વર્ષાકાળ પુરો થતાં પૂછાયેલા સાધુઓએ ધર્મ કહ્યો. પરંતુ તે માણસ મૂળગુણ—ઉત્તરગુણોને કે મધ-માંસ-મદિરાની વિરતિ વગેરેમાંથી કોઈ ગ્રહણ કરવા તૈયાર થતો નથી. તેથી છેલ્લે સાધુઓએ આ પ્રમાણે સપ્તપદિવ્રત આપ્યું કે “જ્યારે તું કોઈને મારવાની ઇચ્છાવાળો થાય ત્યારે જેટલા કાળમાં સાત ડગલા પાછળ જવાય તેટલા કાળ રાહ જોઈ પછી પ્રહાર કરવો.” “આ રીતે બોધ પામશે” એમ વિચારી તે સાધુઓ ત્યાંથી નીકળી ગયા. 20 એકવાર આ માણસ ચોરી કરવા ગયો. અપશુકન જાણી પાછો ફર્યો. રાત્રિને વિષે ધીમેથી ઘરમાં પ્રવેશ કરે છે. બન્યું એવું કે તે દિવસે તેની બહેન આવેલી હતી, જે પુરુષનો વેષ પહેરી ભાભી સાથે નાટક જોવા ગઈ હતી. ઘણા કાળ પછી તે બંને પાછી ફરી. નિદ્રાથી આક્રાન્ત ९७. वा नैव स एषोऽथवा प्रवञ्चिताः स्म इति, तच्छ्रुत्वा पृष्टास्तेन, कथितं यथाऽस्माकं कथितं ईदृशस्तादृशः श्रावक इति, स भणति-अहो अकार्य, मां तावत्प्रवञ्चयतां, तत् किं साधवः प्रवञ्च्यन्ते, मा 25 तेषामसारता भूत् इति भणति-ददामि प्रतिश्रयं एकया व्यवस्थया-यदि मह्यं धर्म न कथयत, साधुभिः कथितम्-एवं भवत्विति, दत्तं गृहं, वर्षारात्रे वृत्ते आपृष्टैर्धर्मः कथितः, तत्र न किञ्चित् शक्नोति ग्रहीतुं मूलगुणोत्तरगुणानां मधुमद्यमांसविरतिं वा, पश्चात् सप्तपदिकव्रतं दत्तं, मारयितुकामेन यावता कालेन सप्त पदानि अवष्वष्क्यन्ते एतावन्तं कालं प्रतीक्ष्य मारयितव्यं, संभोत्स्यत इतिकृत्वा गताः । अन्यदा चौरो ( भूत्वा ) गतः, अपशकुनेन निवृत्तः, रात्रौ शनैर्गृहमेति, तद्दिवसे च तस्य भगिनी आगता, सा पुरुषनेपथ्या 30 भातुर्जायया समं नृत्यविशेषप्रेक्षिका + वत्थं काऊण Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ કોકણકનું દૃષ્ટાન્ત (નિ. ૧૩૪) गया, तो चिरेण आगया, णिद्दक्कताओ तहेव एक्कमि चेव सयणे सइयाओ, इअरो अ आगओ, ततो पेच्छति, परपुरिसोत्ति असिं करिसित्ता आहणेमित्ति, वतं सुमरियं ठितो सत्तपदंतरं, एअंमि अंतरे भगिणीअ से बाहा भज्जाए अक्कंतिआ, ताए दुक्खाविज्जंतियाए भणिअं हला ! अवणेहि बहाओ मे सीसं, ते सरेण णाया भगिणी एसा मे पुरिसवत्थत्ति लज्जितो जातो, अहो मणागं मए अकज्जं न कयंति । उवणओ जहा सावगभज्जाए, संबुद्धो, विभासा, पव्वइओ २ । 5 इदानीं कोङ्कणकदारकोदाहरणम् - कोंकणगविसए एक्को दारगो, तस्स माया मुया, पिता से अण्णमहिलिअं ण लभति सवत्तिपुत्तो अत्थित्ति । अण्णदा सपुत्तो कट्ठाणं गतो, ताण चितिअं - एअस्स तणएण महिलं ण लभामि, मारेमित्ति कंडं खित्तं, आणत्तो - वच्च कंडं आणेहि, હોવાથી પુરુષનો વેષ બદલ્યા વિના જ એક શય્યા ઉપર ભાભી—નણંદ બંને સૂઈ ગયા. તે વખતે આ માણસ ઘરે આવે છે ત્યારે પોતાની પત્નીની બાજુમાં કોઈ પરપુરુષ સૂતો જોઈ 10 તલવાર ખેંચી મારવા દોડે છે. ત્યાં તેને સાધુઓએ આપેલ વ્રત યાદ આવે છે. તેથી સાત ડગલા જેટલો સમય રાહ જુએ છે. તેવામાં તે ચોરની બહેનનો હાથ પત્નીવડે આક્રાન્ત કરાયો (બહેનના હાથ ઉપર પત્નીનું મસ્તક આવ્યું). તેથી દુ:ખી થઈ બહેન બોલી કે, “ભાભી ! મારા હાથ ઉપરથી તમારું મસ્તક દૂર કરો.” આ અવાજ સાંભળી માણસે જાણ્યું કે “આ તો પુરુષના વેષમાં મ્હારી બહેન છે.” 15 તે લજ્જા પામ્યો, ‘અહો ! સારુ થયું કે મેં રાહ જોઈ (મનં) જેથી મારાવડે અકાર્ય ન કરાયું.’ અહીં ઉપનય શ્રાવક પત્નીમાં (પ્રથમ દૃષ્ટાંતમાં) બતાવ્યો તેમ જાણી લેવો અર્થાત્ જેમ ચોરે પુરુષના વેષે રહેલી બહેનને પુરુષ તરીકે કલ્પી, તે અનનુયોગ અને પછી હકીકત જાણતા બહેન તરીકે જાણી તે અનુયોગ. આટલા નાના વ્રતનું આવું ફળ જાણી તે બોધ પામ્યો અને પછી 20 અનુમતિ લઈ દીક્ષા લીધી. (સંવેગ પામ્યા પછી પત્ની પાસે રજા લીધી. યોગ્ય ગુરુ શોધ્યા વગેરે વિભાષા વર્ણન સ્વયં સમજી લેવું.) ॥૨॥ = – ૩. હવે કોંકણક પુત્રનું ઉદાહરણ કહે છે – કોંકણક દેશમાં એક બાળક હતો તેની માતા મૃત્યુ પામી. તેથી પિતાને બીજા લગ્ન કરવાની ઇચ્છા હોવા છતાં “શોક્યપુત્ર છે” એવું જાણી કોઈ તેને કન્યા આપતું નહોતું. એકવાર પોતાના પુત્ર સાથે તે લાકડાંઓ લેવા ગયો. ત્યાં 25 પિતાવડે વિચારાયું કે, “આ બાળકને કારણે મને અન્ય મહિલા મળતી નથી, તેથી આને મારી ९८. गता, ततश्चिरेणागता, निद्राक्रान्ते तथैवैकस्मिन्नेव शयने शयिते, इतरश्चागतः, ततः पश्यति, परपुरुष इत्यसिं कृष्ट्वा आहन्मीति व्रतं स्मृतं स्थितः सप्तपदान्तरं, अत्रान्तरे भगिन्यास्तस्य भुजो માર્થયાઽઝ્ઝાન્ત:, તથા દુ:ખ્રિતયા ( ૩:રાયન્ત્યા ) મળતમ્—ત્તે ! અપનય મુઝાયા મે શિ:. તેન સ્વરેળ ज्ञाता भगिनी एषा मे पुरुषनेपथ्येति लज्जितो जातः, अहो मनाक् ( विलम्बेन )मया अकार्यं न कृतमिति । 30 उपनयो यथा श्रावकभार्यया, संबुद्धो, विभाषा, प्रव्रजितः । ९९. कोङ्कणकविषये एको दारकः, तस्य माता મૃતા, ,पिता तस्य अन्यमहेलां न लभते सपत्नीपुत्रोऽस्तीति, अन्यदा सपुत्रः काष्ठेभ्यो गतः, तदाऽनेन चिन्तितंएतेन तनयेन महेलां न लभे, मारयामीति शरः क्षिप्तः, आज्ञप्तः - व्रज । शरमानय, Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर ( भाग - १ ) सो पहावितो, अण्णेणं कंडेणं विद्धो, चेडेण भणिअं किं ते कंडं खित्तं, विद्धो मित्ति, पुणोवि खित्तं, रडन्तो मारिओ, पुव्वं अजाणतेण विद्धोमित्ति अणणुओगो, मारिज्जामित्ति एवं णाते अणुओगो, अहवा सारक्खणिज्जं मारेमित्ति अणणुओगो, सारक्खंतस्स अणुओगो । जहा सारक्खणिज्जं मारेंतो विपरीतं करेति, एवं अण्णं परुवेयव्वं अण्णं परूवेमाणस्स विपरीतत्वात् 5 अणणुओगो भवति, जहाभूतं परूवेमाणस्स अणुओगो भवति ३ । उले उदाहरण-एगा चारगभडिया गब्भिणी जाया, अण्णावि णउलिया गब्भिणी चेव, तत्थ एगाए राईए ताओ सरिसिआओ पसूआओ, ताए चिंतिअं - मम पुत्तस्स रमणओ भविस्सर, तस्स पीयं खीरं च देति । अण्णआ तीसे अविरतिआए खंडंतीए जत्थ मंचुल्लिआए सो डिक्करओ उत्तारितो, तत्थ सप्पेणं चडित्ता खड़तो मतो, इतरेण णउलेण ओयरंतो दिट्ठो मंचुल्लिआओ सप्पो, 10 नां" खेम वियारी खेड जाए। हूर इश्यु जाणउने जोसाव्यों ने धुं, “भ, पेसुं जाए वह आव." जाणड छोड्यो. त्यारे पिता अन्य जाए। द्वारा जाणउने बींध्यो जाजडे उधुं, “पिताक ! શા માટે બાણ ફેંક્યુ ? તે બાણથી હું વીંધાયો.” ફરી બાણ ફેંક્યું. ત્યારે બાળક રડવા લાગ્યો, ને છેવટે મૃત્યુ પામ્યો. અહીં બાળકે પિતાના મારવાના ભાવને નહીં જાણવાથી “હું બાણથી વીંધાયો'' એમ જે કહ્યું તે અનનુયોગ અને પછી “મને મારવા બાણ 15 अर्ध रह्युं छे" खेम भएयुं ते अनुयोग अथवा "रक्षण उरवा योग्य जाणउने हुं भारी नांखुं" એવું જે પિતાએ વિચાર્યું તે અનનુયોગ, પરંતુ જો રક્ષા કરે તો અનુયોગ. જેમ રક્ષણીયને મારતો વિપરીત કરે છે, તેમ અન્ય પ્રરૂપણાને બદલે અન્ય પ્રરૂપણા કરનારનો વિપરીત પ્રરૂપણા હોવાથી અનનુયોગ થાય છે. સાચી પ્રરૂપણા કરનારનો અનુયોગ થાય છે. ગા ૪. નકુલનું ઉદાહરણ : એક સૈનિકની પત્ની ગર્ભવતી થઈ. તેના ઘરમાં રહેલી નોળિયણ 20 या गर्भवती हती. जने खेड रात्रिखे साथे ४ जाजडने (नोजियो नोगियाने ) ४न्म खायो. નાનકડા નોળિયાને જોઈ “આ મારા બાળક માટે રમકડું બનશે.” એમ વિચારી તે સ્ત્રી નોળિયાને पौना जने दूध आापती. खेडवार मांडती ते स्त्रीओ ( अविरतिया સ્ત્રી) જે માંચડા ઉપર પોતાનો બાળક સૂવડાવ્યો હતો તે માંચડા ઉપર સાપે ચઢી બાળકને ડંશ દીધો અને તે બાળક મરી ગયો. બાજુમાં રહેલ નોળિયાએ તે ઉતરતા સાપને જોઈ તેના ટુકડે ટુકડા કર્યા. લોહીથી = 25 १. स प्रधावितः अन्येन शरेण विद्ध:, चेटकेन (दारकेण) भणितं किं त्वया शरः क्षिप्त: ?, विद्धोऽस्मीति पुनरपि क्षिप्तः, रटन् मारितः, पूर्वमजानता विद्धोऽस्मीति ( पुत्रविचारे) अननुयोगः, मार्येऽहमित्येवं ज्ञाते अनुयोग:, अथवा संरक्षणीयं मारयामीति अननुयोगः ( पितुः ) संरक्षतः अनुयोगः । यथा संरक्षणीयं मारयन् विपरीतं करोति, एवमन्यत्प्ररूपयितव्यं ( यत्र तत्र ) अन्यत् प्ररूपयत: विपरीतत्वात् अनुयोगो भवति, यथाभूतं प्ररूपयतः अनुयोगो भवति । २. नकुलविषयमुदाहरणं- एका चारक भट्टिनी 30 (भर्तृका) गर्भिणी जाता, अन्याऽपि नकुलिका गर्भिणी चैव तत्रैकस्यां रात्रौ ते युगपत् प्रसूते, तया चिन्तितं - मम पुत्रस्य रमणको भविष्यति, तस्मै स्पृह्यं (पृथुकं ) क्षीरं च दत्ते । अन्यदा तस्यां अविरत्यां कण्डयन्त्यां यत्र मञ्चिकायां स पुत्रः अवतारित: (शायितः ), तत्र सर्पेण चटित्वा खादितः (दष्टः ) मृतः, इतरेण नकुलकेनावतरन् दृष्टः मञ्चिकायाः सर्पः, Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ उभसामेवानुं उघाउरा (नि. १३४ ) तो पण खंडाखंडि कतो, ताहे सो तेण रुहिरलित्तेणं तुंडेणं तीसे अविरतियाए मूलं गंतूण चाडूणि करेड, ताए णायं - एतेण मम पुत्तो खड़ओ, मुसलेण आहणित्ता मारितो, ताहे धावंती या पुत्तस्स मूलं, जाव सप्पं खंडाखंडीकयं पासति, ताहे दिगुणतरं अधिति पगता । तीसे अविरइआए पुव्वि अणणुओगो पच्छा अणुओगो, एवं जो अण्णं परूवेयव्वं अण्णं परूवेति सो अणुओगो, जो तं चैव परूवेति तस्स अणुओगो ४ । कमलामेला उदाहरणं - बारवईए बलदेवपुत्तस्स निसढस्स पुत्तो सारगचंदो रूवेणं उक्तिट्टो, सव्वेसि संबादीणं इट्ठो, तत्थ च बारवईए वत्थव्वस्स चेव अण्णस्स रण्णो कमलामेलानाम धूआ उक्किदुसरीरा, साय उग्गसेणपुत्तस्स णभसेणस्स वरेल्लिया, इतो य णारदो सागरचंदस्स कुमारस्स सगासं आगतो, अब्भुट्टिओ, उवविट्ठे समाणे पुच्छति-भगवं ! किंचि अच्छेरयं दिट्ठे ?, आम दिट्ठ. कहि ? कहेह, इहेव बारवईए कमलामेलाणाम दारिया, कस्सइ दिपिणआ ?, आम, कथं मम 10 ખરડાયેલ મુખ સાથે નોળિયો તે સ્ત્રી પાસે જઈ તેને ચાટવા લાગ્યો. આ જોઈ સ્ત્રીએ વિચાર્યું કે આણે મારા પુત્રને મારી નાંખ્યો. તેથી બાજુમાં પડેલ મુશલથી (ખાંડવાના સાધનથી) નોળિયાને મારી નાંખ્યો, અને દોડી પુત્ર પાસે ગઈ જ્યારે ત્યાં ટુકડા કરેલ સાપને જુએ છે ત્યારે અત્યંત અતિન પામી. અહીં સ્ત્રીનો પૂર્વે અનનુયોગ અને પાછળથી હકીકત જાણતાં અનુયોગ થયો. અને અન્ય પ્રરૂપણીયને અન્ય રીતે પ્રરૂપે તો અનનુયોગ અને સાચી રીતે પ્રરૂપે તો અનુયોગ 15 वो ॥४॥ 5 ૫. કમલામેલાનું ઉદાહરણ : દ્વારિકાનગરીમાં બળદેવના પુત્ર નિષધને રૂપથી ઉત્કૃષ્ટ સાગરચંદ્ર નામનો પુત્ર હતો. તે શાંબાદિ સર્વેને પ્રિય હતો. તેજ દ્વારિકામાં રહેનાર અન્ય રાજાની કમલામેલા નામની પુત્રી અત્યંત રૂપવતી હતી. તે ઉગ્રસેનરાજાના પુત્ર નભસેનને આપેલી હતી. આ બાજુ નારદ સાગરચંદ્રકુમારને ત્યાં આવ્યો. સાગરચંદ્ર તેને સત્કારવા ઊભો 20 थयो. नार६ जेसते छते सागरचंद्रे पूछयुं, "लगवन् ! तमे हुई आश्चर्य भेयुं ?" नारहे. "डायुं छे." “તો કહોને, ક્યાં જોયું ?” ત્યારે નારદે કહ્યું, “આ દ્વારિકામાં કમલામેલા નામની સ્ત્રી છે ( अत्यंत ३५वती छे ) सागरचंद्रे पूछयुं, "ते अर्धने आयेसी छे ?" नारहे अधुं, "डा (परंतु ३. ततस्तेन खण्डखण्डीकृतः, तदा स तेन रुधिरलिप्तेन तुण्डेन तस्या अविरत्या मूलं गत्वा चाटूनि 25 करोति, तया ज्ञातं - एतेन मम पुत्रः खादितः, मुशलेनाहत्य मारितः, तदा धावन्ती गता पुत्रस्य मूलं, यावत्सर्पं खण्डखण्डीकृतं पश्यति, तदा द्विगुणामधृतिं प्रगता । तस्या अविरतेः पूर्वमननुयोगः पश्चादनुयोगः, एवं योऽन्यत् प्ररूपयितव्यमन्यत् प्ररूपयति सोऽननुयोग: यस्तदेव प्ररूपयति तस्य अनुयोगः । ४. कमलामेलोदाहरणं- द्वारिकायां बलदेवपुत्रस्य निषधस्य पुत्र सागरचन्द्रः रूपेणोत्कृष्टः, सर्वेषां शाम्बादीनामिष्टः, तत्र च द्वारिकायां वास्तव्यस्यैव अन्यस्य राज्ञः कमलामेलानाम्नी दुहिता उत्कृष्टशरीरा, 30 सा चोग्रसेनपुत्रेण नभः सेनेन वृता, इतश्च नारदः सागरचन्द्रस्य कुमारस्य सकाशं ( पार्श्व) आगतः, अभ्युत्थितः उपविष्टे सति पृच्छति - भगवन् ! किञ्चिदाश्चर्यं दृष्टम् ? ओम् दृष्टं, क्व ? कथयत, इहैव द्वारिकायां कमलामेलानाम्नी दारिका, कस्मैचिद्दत्ता ?, ओम्, कथं मम Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ની આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) ताए समं संपओगो भवेज्जा ?, ण याणामित्ति भणित्ता गतो । सो य सागरचंदो तं सोऊण णवि आसणे णवि सयणे धितिं लभति, तं दारियं फलए लिहंतो णामं च गिण्हतो अच्छति, णारदोऽवि कमलामेलाए अंतिअं गतो, ताएवि पुच्छिओ-किंचि अच्छेरयं दिठ्ठपुव्वंति, सो भणति-दुवे दिवाणि, रूवेण सागरचंदो विरूवत्तणेण णभसेणओ, सागरचंदे मुच्छिता णहसेणए 5 विरत्ता, णारएण समासासिता, तेण गंतुं आइक्खितं-जहा इच्छतित्ति । ताहे सागरचंदस्स माता अण्णे अ कुमारा आदण्णा मरइत्ति, संबो आगतो जाव पेच्छति सागरचंदं विलवमाणं, ताहे णेण पच्छतो ठाइऊण अच्छीणि दोहिवि हत्थेहि छादिताणि, सागरचंदेण भणितं-कमलामेलति, संबेण भणितं-णाहं कमलामेला, कमलामेलोऽहं, सागरचंदेण भणितं-आमं तुमं चेव मम હજુ પરણાવેલી નથી).” સાગરચંદ્રે પૂછ્યું, “મારો તેની સાથે સંપ્રયોગ કેવી રીતે થશે ?” 10 નારદે કહ્યું, “હું જાણતો નથી.” એમ કહી નારદમુનિ ચાલતા થયા. આ વાત સાંભળી સાગરચંદ્ર આસન ઉપર કે પલંગ ઉપર ધૃતિ પામતો નથી. (અર્થાત ચેનથી બેસી શકતો નથી કે સૂઈ શકતો નથી) આખો દિવસ પાટિયા ઉપર તેણીનું નામ લખી તેનું ધ્યાન ધરતો અને તેના નામની માળા ગણતો કાળ પસાર કરે છે. બીજી બાજુ નારદ પણ કમલામેલાની પાસે ગયો. કમલામેલાએ પણ પૂછ્યું “ભગવદ્ ! 15 કંઈ અપૂર્વ આશ્ચર્ય તમે જોયું.” નારદે કહ્યું, “બે આશ્ચર્ય જોયા છે એક રૂપવાનું સાગરચંદ્ર અને કુરૂપી એવો નભસેન.” આ સાંભળી કમલામેલા સાગરચંદ્રને વિષે મોહિત થઈ અને નભસેન વિષે વિરક્ત થઈ. નારદે કમલામેલાને આશ્વાસન આપતાં કહ્યું, “હું તેની સાથે તારો ભેટો કરાવીશ.” નારદે ત્યાંથી નીકળી સાગરચંદ્ર પાસે આવી કહ્યું, “કમલામેલા તને ઈચ્છે છે.” આ સાંભળી સાગરચંદ્ર વધુ વિયોગના દુ:ખસાગરમાં ડૂળ્યો આ જોઈ તેની માતા અને અન્ય કુમારો 20 પણ દુઃખી થયા. “આ રીતે તો સાગરચંદ્ર મરી જશે” એમ વિચાર્યું. એકવાર ત્યાં શાંબુકુમાર આવ્યો. વિલાપ કરતા સાગરચંદ્રને જુએ છે. અને પાછળથી આવી પોતાના બંને હાથો વડે સાગરચંદ્રની આંખો ઢાંકે છે. તે જ વખતે સાગરચંદ્ર બોલી ઉઠે છે, “કમલામેલા” આ સાંભળી શાંબ કહે છે “હું કમલામેલા નથી, કમલામેલો (અર્થાત્ કમલામેલા સાથે મેળાપ કરાવી આપનાર) છું.” સાગરચંદ્રે કહ્યું, “હા, સાચી વાત છે તમે જ મને અવશ્ય નિર્મલ કમલોના જેવી આંખોવાળી ५. तया समं संप्रयोगो भवेत् ?, न जानामीति भणित्वा गतः । स च सागरचन्द्रः तत् श्रुत्वा नाप्यासने नापि शयने धृतिं लभते, तां दारिकां फलके लिखन् नाम च गृह्णन् तिष्ठति, नारदोऽपि कमलामेलाया अन्तिकं गतः, तयाऽपि पृष्टः, किञ्चिदाश्चर्यं दृष्टपूर्वमिति, स भणति-द्वे दृष्ट रूपेण सागरचन्द्रः विरूपतया नभ:सेनः, सागरचन्द्रे मूर्छिता, नमःसेने विरक्ता, नारदेन समाश्वासिता, तेन गत्वाऽऽख्यातं-यथेच्छतीति, तदा सागरचन्द्रस्य माता अन्ये च कुमारा: खिन्ना म्रियत इति, शाम्ब आगतो 30 यावत्प्रेक्षते सागरचन्द्रं विलपन्तं, तदाऽनेन पश्चात्स्थित्वा अक्षिणी द्वाभ्यामपि हस्ताभ्यां छादिते, सागरचन्द्रेण भणितं-कमलामेलेति, शाम्बेन भणितं- नाहं कमलामेला कमलामेलोऽहं, सागरचन्द्रेण भणितं-ओम् त्वमेव मां 25. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ કમલામેલાનું દૃષ્ટાન્ત (નિ. ૧૩૪) र्विमलकमलदललोअणि कमलामेलं मेलिहिसि, ताहे तेहिं कुमारेहिं संबो मज्जं पाएत्ता अब्भुवगच्छाविओ, विगतमदो चिंतेति-अहो मए आलो अब्भुवगओ, इदाणी किं सक्कमण्णहाकाउं ?, णिव्वहियव्वंति पज्जण्णं पण्णत्तिं विज्जं मग्गिऊण जं दिवसं तस्स णभसेणस्स विवाहदिवसो तद्दिवसं ते सागरचंदसंबप्पमुहा कुमारा उज्जाणं गंतुं णारदस्स सरहस्स दारिया सुरंगाए उज्जाणं णेत्तुं सागरचंदो परिणआविओ, ते तत्थ किडुंता अच्छंति । इतरे य तं दारियं 5 ण पेच्छंति, मग्गंतेहिं उज्जाणे दिट्ठा, विज्जाहररूवा विउव्विया, नारायणो सबलो णिग्गओ, जाव अपच्छिमं संबरूवेणं पाएसु पडिओ, सागरचंदस्स चेव दिण्णा, णभसेणतणया अ खमाविया । કમલામેલા સાથે ભેટો કરાવી આપશો.’ ત્યારે તે કુમારોએ શાંબને મદિરા પીવડાવી કમલામેલા સાથે ભેટો કરાવી આપવાની પ્રતિજ્ઞા કરાવી. પરંતુ જ્યારે નશો ઉતર્યો ત્યારે વિચારે છે કે, “અરે ! આ મેં ખોટી પ્રતિજ્ઞા 1) કરી. હવે તે પ્રતિજ્ઞા બદલવી શું શક્ય છે ? પાળવી જ પડે.” એ પ્રમાણે વિચારી પ્રદ્યુમ્નકુમાર પાસેથી પ્રજ્ઞપ્તિ નામની વિદ્યા મેળવી. જે દિવસે નભસેનનો વિવાહ હતો તે દિવસે સાગરચંદ્ર— શાંબ વગેરે કુમારો ઉદ્યાનમાં જઈ નારદ સાથે છુપી રીતે કમલામેલાને સુરંગદ્વારા ઉદ્યાનમાં લાવી સાગરચંદ્ર સાથે પરણાવી. તે લોકો તે ઉદ્યાનમાં જ રહ્યા. બીજી બાજુ કમલામેલા ક્યાંય દેખાતી ન હોવાથી ચારેબાજુ શોધખોળ કરતા કમલામેલાનો 15 પરિવારદે બધા ઉદ્યાન પાસે આવ્યા અને ત્યાં કમલામેલા દેખાઈ. શાંબ વિગેરેએ વિદ્યાધરનું રૂપ ધર્યું. કૃષ્ણ સૈન્ય સાથે આવ્યો. યુદ્ધ થયું. શાંબ પગમાં પડ્યો. છેલ્લે સાગરચંદ્રને કમલામેલા અપાઈ. અને નભસેનના પુત્રોને ખમાવ્યા. (અહીં આ વાર્તા ઘણા સંક્ષેપમાં છે તેથી થોડા વિસ્તારથી જોશું તો ખ્યાલ આવી જશે – ઉગ્રસેન વગેરે પરિવારજનો કમલામેલાને શોધતા નારદને પૂછે છે ત્યારે નારદ કહે છે, કે “રૈવતઉદ્યાનમાં મેં કમલામેલાને જોઈ છે.” તેથી કૃષ્ણ 20 (નારાયણ) કમલામેલાને લેવા ઉદ્યાન તરફ સૈન્ય સાથે નીકળે છે. કૃષ્ણના સૈન્ય સાથે લડવા શાંબ વિદ્યાધરનું રૂપ ધારણ કરે છે અને બધા સાથે લડતા છેલ્લે કૃષ્ણ સાથે લડવાનું ચાલુ કરે છે. પરંતુ શાંબને લાગે છે કે કૃષ્ણજી હવે ગુસ્સે થયા છે તેથી શાબનું રૂપ કરી કૃષ્ણના પગમાં પડે છે. અને કમલામેલાના વિવાહની વાત કરે છે તેથી વિવાહ થઇ જવાના કારણે કમલામેલા સાગરચંદ્રને આપવામાં આવે છે. તથા નભસેન વગેરે પાસે ક્ષમા 25 યાચે છે.) અહીં સાગરચંદ્ર શાંબને કમલામેલા માને છે તે અનનુયોગ અને “હું કમલામેલા ६. विमलकमलदललोचनां कमलामेलां मेलयिष्यसि तदा तैः कुमारैः शाम्बो मद्यं पाययित्वाऽभ्युपगमितः, विगतमदश्चिन्तयति - अहो मयाऽऽलमभ्युपगतं इदानीं किं शक्यमन्यथाकर्तुं ? निर्व्वहणीयमिति प्रद्युम्नं प्रज्ञप्ति मार्गयित्वा यद्दिवसे तस्य नभःसेनस्य विवाहदिवसः तस्मिन् दिवसे ते सागरचन्द्रशाम्बप्रमुखाः कुमारा उद्यानं गत्वा नारदेन सरहस्यं दारिकां सुरङ्गया उद्यानं नीत्वा सागरचन्द्रः 30 परिणायितः, ते तत्र क्रीडन्तस्तिष्ठन्ति । इतरे च तां दारिकां न प्रेक्षन्ते, मार्गयद्भिरुद्याने दृष्टा, 1 विद्याधररूपाणि विकुर्वितानि, नारायणः सबलो निर्गतः यावत्प्रान्ते शाम्बरूपेण पादयोः पतितः, सागरचन्द्रायैव दत्ता, नभः सेनतनयाश्च क्षमिताः । Page #303 -------------------------------------------------------------------------- ________________ २८० . आवश्य: नियुति • रिमद्रीयवृति • समाषांतर ((म01-) एत्थ सागरचंदस्स संबं कमलामेलं मण्णमाणस्स अणणुओगो णाहं कमलामेलेति भणिते अणुओगो, एवं जो विवरीयं परुवेति तस्स अणणुओगो जहाभावं परुवेमाणस्स अणुओगो ५। संबस्स साहसोदाहरणं-जंबूवई णारायणं भणति-एक्कावि मए पुत्तस्स अणाडिया ण दिट्ठा, णारायणेण भणितं-अज्ज दाएमि, ताहे णारायणेण जंबूवतीए अ आभीरीरूवं कयं, दोवि तक्कं घेत्तुं बारवईमोइण्णाणि, महियं विक्किणंति, संबेण दिट्ठाणि, आभीरी भणिता-एहि महिअं कीणामित्ति, सा अणुगच्छति, आभीरो मग्गेण एति, सो एक्कं देउलि पविसइ, सा आभीरी भणति-णाहं पविसामि किंतु मोल्लं देहि तो एत्थ चेव ठितो तक्कं गेण्हाहि, सो भणति-अवस्स(सं) पविसितव्वं, सा णेच्छति, ताहे हत्थे लग्गो, आभीरो उद्घाइऊण लग्गो संबेण समं, संबो 10 आवट्टितो, आभीरो वासुदेवो जातो इतरी जंबूवती, अंगुट्ठीकाऊण पलातो, बिईयदिवसे मड्डाए નથી” એવું કહેતા અનુયોગ જાણવો. તેમ વિપરીત પ્રરૂપણા કરે તેનો અનનુયોગ અને સમ્યગુ. પ્રરૂપણા કરનારનો અનુયોગ જાણવો. પી. ६. पर्नु सास : पा२ मुक्ती दृष्याने धुं, “भा२८ पुत्रनु में से ४वा२ ५५५ અનાડીપણું જોયું નથી. (અર્થાત્ મારો પુત્ર અત્યંત ગુણવાનું છે તે ખરાબ કામ કદી ન કરે) કૃષ્ણ 15 युं, “यलो, ४ तभने हेपाई." १५९ अने युवती भरवा -४२११७९नु ३५ पा२५॥ यु. ने छ।सने वेयवा वारिमा ३२वा लाया. भने गोरसने (महियं) वेयवा साया. त्या શાંબકુમારની નજર પડી અને ભરવાડણને કહ્યું, “આ બાજુ આવો મારે ગોરસ લેવું છે તેથી તે ભરવાડણ તે તરફ ગઈ અને ભરવાડ તેણીની પાછળ-પાછળ ગયો. શાંબ ચાલતા-ચાલતા એક દેવાલયમાં પ્રવેશ્યો. ત્યારે ભરવાડણ બોલી, “હું અંદર નહીં આવું, મૂલ્ય 20 मापी जी महा२ ४ तमे छांस अड९५ ४२..' ने , “तारे ७६२ भाव ४ ५.शे." પરંતુ તે ઇચ્છતી નથી. ત્યારે શાબે બળાત્કારે તેણીનો હાથ પકડ્યો. બાજુમાં રહેલ ભરવાડ દોડીને શાબની સાથે યુદ્ધ કરવા લાગ્યો. શાંબ પણ તે તરફ વળ્યો. ત્યારે ભરવાડ કૃષ્ણના રૂપમાં પ્રગટ થયો અને ભરવાડણ જાંબુવતી થઈ. આ જોઈ શાંબ લજ્જાથી પોતાનું મુખ ઢાંકી ભાગ્યો. બીજા દિવસે બળાત્કાર ७. अत्र सागरचन्द्रस्य शाम्बं कमलामेलां मन्यमानस्याननुयोगो नाहं कमलामेलेति भणितेऽनुयोगः, एवं यो विपरीतं प्ररूपयति तस्याननुयोगो यथाभावं प्ररूपयतः अनुयोगः । ८. शाम्बस्य साहसोदाहरणम्जम्बूवती नारायणं भणति-एकाऽपि मया पुत्रस्य अनादृतिर्न दृष्टा, नारायणेन भणितम्-अद्य दर्शयामि, तदा नारायणेन जम्बूवत्या च आभीरीरूपं कृतं, द्वावपि तक्रं गृहीत्वा द्वारिकामवतीर्णी, गोरसं विक्रीणीतः, शाम्बेन दृष्टौ , आभीरी भणिता-एहि गोरसं क्रीणामीति, साऽनुगच्छति, आभीर: पृष्ठत एति, स एक देवकुलं प्रविशति, साऽऽभीरी भणति-नाहं प्रविशामि, किंतु मूल्यं दद्यास्तदाऽत्रैव स्थितस्तकं गृहाण, स भणतिअवश्यं प्रवेष्टव्यं, सा नेच्छति, तदा हस्ते लग्नः, आभीर उद्धाव्य लग्नः शाम्बेन समं, शाम्बोऽप्यावृत्तः, आभीरो वासुदेवो जात इतरा जम्बूवती अङ्गष्ठी( शिरोऽवगुण्ठनं ) कृत्वा पलायितः, द्वितीयदिवसे बलात्कारेण Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રેણીકના કોપનું ઉદાહરણ (નિ. ૧૩૪) શૈક ૨૮૧ आणिज्जंतो खीलयं घडतो एइ, जोक्कारे कए वासुदेवेण पुच्छिओ-किं एयं घडिज्जतित्ति, · भणति-जो पारिओसिय बोल्लं काहिति तस्स मुहे खोट्टिज्जिहित्ति । पढम अणणुओगो णाते अणुओगो, एवं जो विवरीयं परूवेति तस्स अणणुओगो इतरस्स अणुओगो ६। श्रेणिकविषयकोपोदाहरणं-रायगिहे णगरे सेणिओ राया, चेल्लणा तस्स भज्जा, सा वद्धमाणसामिमपच्छिमतित्थगरं वंदित्ता वेयालियं माहमासे पविसति, पच्छा साहू दिट्ठो 5 पडिमापडिवण्णओ, तीए रत्तिं सुत्तिआए हत्थो किहवि विलंबिओ, जया सीतेण गहिओ तदा चेतितं, पवेसितो हत्थो, तस्स हत्थस्स तणएणं सव्वं सरीरं सीतेण गहिरं, तीए भणिअं-स तवस्सी किं करिस्सति संपयं ?। पच्छा सेणिएण चिंतियं-संगारदिण्णओ से कोई, रुद्रुण कल्लं વાતો શાબ ખીલીને ઘડતો આવે છે. જયનાદ કર્યા પછી વાસુદેવે પૂછ્યું – “શા માટે ખીલીને ઘડે છે ?” શબે કહ્યું, “જે ગઈકાલના વૃત્તાન્તને બોલે તેના મુખમાં ખીલી નાખવાની છે.” 10 અહીં શાંબ દ્વારા ભરવાડ–ભરવાડણ ઓળખાયા નહીં તે અનનુયોગ અને ઓળખાયા અનુયોગ. એ જ પ્રમાણે જે વિપરીત પ્રરૂપે તેનો અનનુયોગ અને સમ્ય—પ્રરૂપણા કરનારનો અનુયોગ જાણવો. દા ૩. શ્રેણિકના કોપનું ઉદાહરણ : રાજગૃહી નગરીમાં શ્રેણિકરાજા રાજય કરે છે. ચેલ્લણા તેની રાણી છે, તે એકવાર વર્ધમાનસ્વામીને વંદન કરી સાંજના સમયે મહા મહિનામાં નગરમાં) 15 પ્રવેશ કરતી હતી. તે વખતે ત્યાં પ્રતિમામાં રહેલા સાધુ દેખાયા. રાત્રિના વિષે સૂતી એવી તેણીનો હાથ કોઈક રીતે (ઓઢેલા વસ્ત્રથી) બહાર નીકળ્યો. જયારે તે હાથ ઠંડીથી જકડાઈ ગયો ત્યારે તે એકદમ જાગી અને પોતાનો હાથ અંદર લઈ લીધો. તે હાથના સંપર્કથી (તUTUOT) આખું શરીર ઠંડીથી જકડાઈ ગયું. તે એકદમ બોલી ઉઠી, “અત્યારે તે સાધુનું શું થતું હશે ?” (અર્થાત્ મહેલમાં આટલા 20 વસ્ત્રો ઓઢીને સૂવા છતાં જો મને આટલી ઠંડી લાગતી હોય તો બહાર રહેલા તે સાધુનું શું થતું હશે ?) આ સાંભળી શ્રેણિકે વિચાર્યું, “નક્કી, ચેલુણાએ કો'કને સંકેત આપી રાખેલો લાગે છે (પરંતુ મારી હાજરીને કારણે તે જઈ શકતી નથી) ગુસ્સે થયેલા શ્રેણિકે બીજા દિવસે અભયને બોલાવી અંતઃપુર બાળી નાંખવાનો આદેશ આપ્યો. શ્રેણિક સ્વામી પાસે ગયો. ત્યારે બુદ્ધિનિધાન ९. आनीयमानः कीलकं घटयन् एति, जयोत्कारे कृते वासुदेवेन । पृष्टः-किमेतत् घट्यते इति, 25 भणति-यः पर्युषितं वृत्तान्तोल्लापं करिष्यति तस्य मुखे क्षेप्स्यते इति । प्रथममननुयोगः ज्ञाते अनुयोगः, एवं यो विपरीतं प्ररूपयति तस्याननुयोग इतरस्य अनुयोगः । १०. राजगृहे नगरे श्रेणिको राजा चेल्लना तस्य भार्या, सा वर्धमानस्वामिनमपश्चिमतीर्थकरं वन्दित्वा विकाले माघमासे प्रविशति, पश्चात् साधुदृष्टः प्रतिपनप्रतिमः, तस्या रात्रौ सुप्ताया हस्तः कथमपि विलम्बित: (बहिः स्थितः ) यदा शीतेन गृहीतः तदा चेतितं, प्रवेशितो हस्तः, तस्य हस्तस्य सम्बन्धिना सर्वं शरीरं शीतेन गृहीतं, पश्चात् तया भणितं-स तपस्वी 30 किं करिष्यति साम्प्रतं ?, पश्चात् श्रेणिकेन चिन्तितं-दत्तसङ्केतोऽस्याः कश्चित्, रुष्टेन कल्ये Page #305 -------------------------------------------------------------------------- ________________ . ૨૮૨ સૈક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) अभओ भणिओ-सिग्धं अंतेउरं पलीवेहि, सेणिओ गतो सामिसगासं, अभएण हत्थिसाला पलीविया, सेणिओ सामि पुच्छति-चेल्लणा किं एगपत्ती अणेगपत्ती ?, सामिणा भणिअं- एगपत्ती, ताहे मा डज्झिहितित्ति तुरितं णिग्गओ, अभओ णिप्फिडति, सेणिएणं भणिअं-पलीवितं ?, સી મતિ-મં, તુ વિં જ પવિઠ્ઠો ?, મUતિ-મદં બ્રિક્સા વિ જૈ પિUTI ?, પછી 5 णेण चितिअं-मा छडिज्जिहितित्ति भणित-ण डज्झत्ति । सेणियस्स चेल्लणाए पुव्वि अणणुओगो पुच्छिए अणुओगो, एवं विवरीए परूविए अणणुओगो जहाभावे परूविए अणुओगो ७॥१३४।। इत्थं तावदनुयोगः सप्रतिपक्षः प्रपञ्चेनोक्तः, नियोगोऽपि पूर्वप्रतिपादितस्वरूपमात्रः सोदाहरणोऽनुयोगवदवसेयः, साम्प्रतं प्रागुपन्यस्तभाषादिस्वरूपप्रतिपादनायाह कढे १ पुत्थे २ चित्ते ३ सिरिघरिए ४ पुंड ५ देसिए ६ चेव । 10 એવા અભયકુમારે હસ્તિશાળા બાળી નાંખી. આ બાજુ શ્રેણિકે સ્વામીને પૂછ્યું, “ચલ્લણા એકની પત્ની છે કે અનેકની પત્ની ?” સ્વામીએ કહ્યું, “એકની જ પત્ની છે.” આ સાંભળી શ્રેણિક રાજા “અંતઃપુર બાળી ન નાખે તો સારું” એમ વિચારી પોતાના સ્થાને આવવા નીકળ્યો. આ બાજુ અભય (સ્વામી પાસે આવવા) નીકળ્યો. રસ્તામાં) શ્રેણિકે અભયને પૂછ્યું, “તે અંતઃપુર બાળી નાંખ્યું ?” તેણે કહ્યું, 15 “હાજી”, ત્યારે શ્રેણિકે કહ્યું, “તું કેમ (અગ્નિમાં) પ્રવેશ્યો નહીં ?” અભયે જણાવ્યું, “હું તો પ્રવ્રયા લઈશ મારે શા માટે અગ્નિમાં પ્રવેશ કરવાનો ?” ત્યાર બાદ અભયે વિચાર્યું, “કદાચ પોતાના પ્રાણ ત્યાગી દેશે તો ?" તેથી તેનો ખુલાસો કર્યો – “મેં અંતઃપુરને બાળ્યું નથી.” અહી શ્રેણિકનો ચેલ્લણા માટે પૂર્વ અભિપ્રાય એ અનનુયોગ અને પાછળથી પૂછાયા પછી હકીકત જાણી તે અનુયોગ, તેમ વિપરીત પ્રરૂપણામાં અનનુયોગ અને સમ્યફ પ્રરૂપણામાં અનુયોગ થાય 20 છે. ||૧૩૪l. અવતરણિકા : આ પ્રમાણે અનનુયોગ સહિત અનુયોગ વિસ્તારથી કહ્યો, પૂર્વે (ગા.નં. ૧૩૧માં) જેનું સ્વરૂપ બતાવાયેલું છે એવો નિયોગ પણ ઉદાહરણ સહિત અનુયોગની જેમ જ જાણી લેવો. (અર્થાત્ નિયોગનો અર્થ અને ઉદાહરણો અનુયોગ જેવા જ છે) હવે ગાન. ૧૩૧માં કહેલ ભાષાદિનું સ્વરૂપ બતાવતાં કહે છે 25 ગાથાર્થ : કાઇ – પુસ્ત (લેપ્ય)–ચિત્રભંડારી-કમળ અને માર્ગદશકના ઉદાહરણો, ११. अभयो भणित:-शीघ्रमन्तःपुरं प्रदीपय, श्रेणिको गत: स्वामिसकाश, अभयेन हस्तिशाला प्रदीपिता, श्रेणिकः स्वामिनं पृच्छति चेल्लना किमेकपत्नी अनेकपत्नी ?, स्वामिना भणितं-एकपत्नी, तदा मा दाहीति त्वरितं निर्गतः, अभयो निस्सरति, श्रेणिकेन भणितं-प्रदीपितं ?,स भणति-आम, त्वं किं न प्रविष्टः ?, भणति-अहं प्रव्रजिष्यामि किं ममाग्निना ? पश्चादनेन चिन्तितं-मा त्याक्षीदिति भणितं-न 300 दग्धेति । श्रेणिकस्य चेल्लनायां पूर्वमननुयोगः पृष्टेऽनुयोगः, एवं विपरीते प्ररूपितेऽननुयोगः यथाभावे प्ररूपिते अनुयोगः । Page #306 -------------------------------------------------------------------------- ________________ ભાષાદિનું સ્વરૂપ (નિ. ૧૩૫) રો ૨૮૩ भासगविभासए वा वत्तीकरणे अ आहरणा ॥१३५॥ व्याख्या-तत्र 'काष्ठ' इति काष्ठविषयो दृष्टान्तः, यथा काष्ठे कश्चित् तद्रूपकारः खल्वाकारमात्रं करोति, कश्चित्स्थूलावयवनिष्पत्ति, कश्चित् पुनरशेषाङ्गोपाङ्गाद्यवयवनिष्पत्तिमिति, एवं काष्ठकल्पं सामायिकादिसूत्रं, तत्र भाषकः परिस्थूरमर्थमात्रमभिधत्ते-यथा समभावः सामायिकमिति, विभाषकस्तु तस्यैवानेकधाऽर्थमभिधत्ते-यथा समभावः सामायिकं, समानां 5 वा आयः समायः स एव स्वार्थिकप्रत्ययविधानात्सामायिकमित्यादि, व्यक्तीकरणशीलो व्यक्तिकरः, यः खलु निरवशेषव्युत्पत्त्यतिचारानतिचारफलादिभेदभिन्नमर्थं भाषते स व्यक्तिकर इति, स निश्चय-तश्चतुर्दशपूर्वविदेव, इह च भाषकादिस्वरूपव्याख्यानात् भाषादय एव प्रतिपादिता द्रष्टव्याः, कुतः ?, भाषादीनां तत्प्रभवत्वात् १। इदानीं पुस्तविषयो दृष्टान्तःयथा पुस्ते कश्चिदाकारमात्रं करोति, कश्चित् स्थूरावयवनिष्पत्ति, कश्चित्त्वशेषावयवनिष्पत्तिमिति, 10 दार्टान्तिकयोजना पूर्ववत् २। इदानीं चित्रविषयो दृष्टान्तः-यथा चित्रकर्मणि कश्चित् वर्तिकाभिराकारमात्रं करोति, कश्चित्तु हरितालादिवर्णोद्धेदं, कश्चित्त्वशेषपर्यायैर्निष्पादयति, ભાષક–વિભાષક અને વ્યક્તિકરણમાં (ટીકાકારને વિષે) જાણવા. ટીકાર્થ : અહીં “કાષ્ઠ' શબ્દથી કાષ્ઠવિષયક દૃષ્ટાંત સમજવું. જેમ લાકડાંને વિષે કોઈ ચિત્રકાર આકારમાત્રને કરે, કોઈક સ્કૂલ-અવયવોની નિષ્પત્તિ (સ્કૂલઅવયવોની કોતરણી) કરે 15. તો વળી કોઈ સંપૂર્ણ અંગોપાંગાદિ અવયવોની કોતરણીને કરે છે. તેમ અહીં કાષ્ઠ સમાન સામાયિકાદિ સૂત્ર છે. ભાષક તેનો સ્થૂલથી અર્થમાત્રને કહે જેમકે – સામાયિક એટલે સમભાવ. જયારે વિભાષક તે સૂત્રના અનેક પ્રકારે અર્થ કહે જેમકે–સામાયિક એટલે સમભાવ, અથવા સમોનો = જ્ઞાન-દર્શન–ચારિત્રનો આય (લાભ) તે સમય અને આ શબ્દને સ્વાર્થિક પ્રત્યય લાગતા સામાયિક શબ્દ બને છે વગેરે. 20 સંપૂર્ણ અર્થને પ્રગટ કરવાના સ્વભાવવાળો જે હોય તે વ્યક્તિકર કહેવાય છે. જે વળી સંપૂર્ણ એટલે વ્યુત્પત્તિ (તે તે શબ્દો કયા ધાતુ ઉપરથી બન્યા છે તે કહેવું તે વ્યુત્પત્તિ) અતિચાર - અનતિચાર – ફળ વગેરે ભેદોવડે જુદા જુદા અર્થને કહે તે વ્યક્તિકર કહેવાય છે. તે વ્યક્તિકર નિશ્ચયથી ૧૪ પૂર્વે જ હોય છે. અહીં ભાષકદિનું સ્વરૂપ કહેવાથી ભાષાદિ જ કહેવાયેલ છે એવું જાણવું, કારણ કે ભાષાદિ ભાષકાદિમાંથી જ પ્રગટ થાય છે (એટલે કે ભાષક 25. બોલે તે ભાષા.... વિભાષક બોલે તે વિભાષા..વિ.) - હવે પુસ્ત સંબંધી દષ્ટાંત કહે છે – જેમ લેપ્યકર્મ (મૂતિ)ને વિષે કોઈ વ્યક્તિ આકારમાત્રને, કોઈ સ્થૂલ અવયવોને, તો કોઈ સંપૂર્ણ અવયવોની રચના કરે છે, તેમ ભાષકાદિની દ્રષ્ટાંતિક યોજના પૂર્વની જેમ જાણી લેવી. હવે ચિત્ર વિષયક દષ્ટાંત – જેમ કોઈ ચિત્રકર્મને વિષે (ભીંતાદિ ઉપ૨) પીંછી વગેરેથી આકારમાત્રને, કોઈક તે ભીંત ઉપર આકાર સાથે હરતાળાદિના 30 રંગોનું ઉદ્દભાવન કરે છે = રંગો ઉપસાવે છે, તો કોઈક વળી સંપૂર્ણ પદાર્થોવડે સુંદર ચિત્ર બનાવે છે, તેમ ભાષકાદિની યોજના પૂર્વની જેમ જાણી લેવી. હવે શ્રીગૃહિકનું ઉદાહરણ બતાવે Page #307 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) $ दान्तिकयोजना पूर्ववत् ३ । श्रीगृहिकोदाहरणं - श्रीगृहं- भाण्डागारं तदस्यास्तीति 'अत इनिठनौ' ( ५-२-११५ ) इति ठनीकादेशे च कृते श्रीगृहिक इति भवति, तद्दृष्टान्तः तत्र कश्चिद् रत्नानां भाजनमेव वेत्ति - इह भाजने रत्नानीति, कश्चित्तु जातिमाने अपि कश्चित्पुनर्गुणानपि एवं प्रथमद्वितीयतृतीयकल्पा भाषकादयो द्रष्टव्या: ४। तथा 'पोंडं' इति पुण्डरीकं पद्मं तद् 5 यथेषद्भिन्नार्धभिन्नविकसितरूपं त्रिधा भवति, एवं भाषादि विज्ञेयं ५ । इदानीं देशिकविषयमुदाहरणंदेशनं देशः कथनमित्यर्थः, तदस्यास्तीति देशिकः - यथा कश्चिद्देशिकः पन्थानं पृष्टः दिङ्मात्रमेव कथयति, कश्चित् तद्व्यवस्थितग्रामनगरादिभेदेन, कश्चित् पुनस्तदुत्थगुणदोषभेदेन कथयतीति, दान्तिकयोजना पूर्ववत् ज्ञेया ६ । एवमेतानि भाषकविभाषकव्यक्तिकरविषयाण्युदाहरणानि प्रतिपादितानि इति गाथार्थः ॥ १३५ ॥ इत्थं तावद्विभाग उक्तः, इदानीं द्वारविधिमवसरप्राप्तं विहाय व्याख्यानविधिं प्रतिपादयन्नाह . गोणी १ चंदणकंथा २ चेडीओ ३ सावए ४ बहिर ५ गोहे ६ । टंकणओ ववहारो ७, पडिवक्खो आयरियसीसे ॥१३६॥ 10 ૨૮૪ છે. તેમાં શ્રીગૃહ એટલે ભાંડાગાર(રત્નોનો ભંડાર), તે છે જેને તે શ્રીગૃહિક, તેનું દૃષ્ટાંત આ પ્રમાણે—તેમાં કોઈક રત્નોના ભાજનને જ જાણે છે અર્થાત્ આ ભાજનમાં રત્નો છે એટલું જ 15 જાણે, તે રત્નોની કોઈ વિશેષતા ન જાણે. કોઈક ભાજનમાં રહેલ રત્નોમાં કયા રત્નો જાતિમાન (ઉચ્ચ કોટિના) છે તે પણ જાણે છે, તો કો'ક રત્નોના ગુણોને (અર્થાત્ આ રત્ન વિષને હરે વિ... ગુણોને) પણ જાણે છે. એમ પહેલા–બીજા અને ત્રીજા પુરુષ સમાન ભાષકાદિ પણ સમજી લેવા. ‘પોંડ’ શબ્દથી પુંડરિક કમળ જાણવું. તે જેમ કંઈકખીલેલું, અર્ધખીલેલું અને સંપૂર્ણખીલેલું 20 એમ ત્રણ પ્રકારે હોય છે, તેમ ભાષા કંઈકખીલેલા કમળ જેવી, વિભાષા અર્ધખીલેલા કમળ જેવી, અને વાર્તિક સંપૂર્ણવિકસેલા કમળ જેવી જાણવી. હવે દેશિક સંબંધી ઉદાહરણ કહે છે. દેશ એટલે દેશન અર્થાત્ કથન, તે છે જેને તે દેશિક અર્થાત્ કહેનાર. જેમ કો'ક દેશિક માર્ગ પૂછાતા માત્ર દિશા કહે છે, કો'ક વળી તે માર્ગમાં રહેલા ગામ—નગરોની માહિતી આપવા દ્વારા માર્ગ બતાવે છે, તો કો'ક એનાથી પણ 25 આગળ વધી કહે છે, કે આ માર્ગથી જશો તો આટલા ફાયદા અને આટલા નુકસાન થશે (જેમ કે ચોર વિ.નો ભય..) એમ ભાષકાદિમાં પણ યોજના કરી લેવી, અર્થાત્ ભાષાદિ ક્રમથી વધારે—વધારે સ્પષ્ટ સ્પષ્ટતર અર્થ કહે છે. આ પ્રમાણે ભાષક–વિભાષક અને વ્યક્તિકર સંબંધી ઉદાહરણો કહ્યા. ૧૩૫॥ અવતરણિકા : આમ ગા.નં. ૧૨૮માં કહેલ વિભાગદ્વાર પૂર્ણ થયો. હવે તે ગાથામાં 30 બતાવેલ, અને (વિભાગ પછી તેનો ક્રમ હોવાથી) અવસર પ્રાપ્ત એવી દ્વારવિધિને છોડી વ્યાખ્યાનવિધિનું પ્રતિપાદન કરે છે ગાથાર્થ : પ્રતિપક્ષ સહિત આચાર્ય અને શિષ્યના વિષયમાં ગાય, ચંદનકંથા, બે પુત્રીઓ, શ્રાવક, બહેરો, ગોદોહક અને ટંકણક વ્યવહાર એમ સાત ઉદાહરણો જાણવા. Page #308 -------------------------------------------------------------------------- ________________ 10 વ્યાખ્યાનની વિધિ (નિ. ૧૩૬) ( ૨૮૫ ____ आह-चतुरनुयोगद्वारानधिकृतो व्याख्यानविधिः किमर्थं प्रतिपाद्यत इति, उच्यते, शिष्याचार्ययोः सुखश्रवणसुखव्याख्यानप्रवृत्त्या शास्त्रोपकारार्थः, अथवा अधिकृत एव वेदितव्यः, कुतः ?, अनुगमान्तर्भावात्, अन्तर्भावस्तु व्याख्याङ्गत्वात् इति । आह- यद्यसावनुगमाकं ततः किमित्ययं द्वारविधेः पूर्वं प्रतिपाद्यते ?, उच्यते, द्वारविधेरपि बहुवक्तव्यत्वात् मा भूदिहापि व्याख्याविधेविपर्ययः, अतोऽत्रैव आचार्यशिष्ययोर्गुणदोषाः प्रतिपाद्यन्ते, येन आचार्यो गुणवते शिष्यायानुयोगं करोति, 5 शिष्योऽपि गुणवदाचार्यसन्निधावेव शृणोतीति । आह-यद्येवं व्याख्यानविधिरनुगमाङ्गं इहावतार्योच्यते तत्कथं द्वारगाथायामप्येवं नोपन्यस्त इति, उच्यते, सूत्रव्याख्यानस्य गुरुत्वख्यापनार्थं, विशेषण ટીકાર્થ : શંકા : ચાર અનુયોગદ્વારોમાં નહીં આવતી વ્યાખ્યાનવિધિ શા માટે પ્રતિપાદન કરો છો ? (અર્થાત અનુ. હારનો વિષય ચાલે છે, તેમાં વ્યાખ્યાનવિધિ તો છે નહીં, તો શા માટે કહો છો ?) સમાધાન : શિષ્ય સુખેથી શ્રવણ કરી શકે, આચાર્ય સુખેથી વ્યાખ્યાનમાં પ્રવૃત્ત થઈ શકે, અને તેથી શાસ્ત્ર ઉપર ઉપકાર થાય તે માટે વ્યાખ્યાનવિધિ કહેવાય છે. અથવા ચાર અનુયોગદ્વારમાના ત્રીજા અનુગદ્વારમાં વ્યાખ્યાનવિધિનો સમાવેશ થતો હોવાથી તે વ્યાખ્યાનવિધિ પણ અધિકૃત પ્રસ્તુત) જાણવી. આ વ્યાખ્યાનવિધિ એ વ્યાખ્યાનનું અંગ હોવાથી અનુગમમાં તેનો સમાવેશ થાય છે. (અનુગમમાં વ્યાખ્યા કરવાની હોય છે, વ્યાખ્યા વિધિપૂર્વક જ કરવાની હોય છે. એટલે વ્યાખ્યાનવિધિ પણ વ્યાખ્યાનું અંગ છે જ.) 15 શંકા : જો વ્યાખ્યાનવિધિ એ અનુગમનું અંગ હોય તો, પછી દ્વારવિધિની પૂર્વે શા માટે કહેવાય છે ? (દ્વારવિધિ, ઉપોદ્ઘાતરૂપ છે જે અનુગામમાં આવતા નિયુક્તિદ્વારમાં આવે છે. જયારે વ્યાખ્યા તો સૂત્રાનુગમરૂપે પછીના દ્વારમાં થાય છે. તો તેને પહેલા કેમ કહો છો ?) સમાધાન : લારવિધિમાં પણ ઘણું બધું કહેવાનું હોવાથી ત્યાં પણ વ્યાખ્યાનવિધિનો વિપર્યય ન થાય. (આશય એ છે કે જો વ્યાખ્યાનવિધિ ખબર ન હોય તો આગળ કહેવાતી દ્વારવિધિમાં 20 પણ વિપર્યય ઊભો થશે તે ન થાય માટે પ્રથમ વ્યાખ્યાનવિધિ બતાવે છે.) તેથી અહીં જ (લારવિધિ પૂર્વે જ) આચાર્ય-શિષ્યના ગુણ-દોષો પ્રતિપાદન કરાય છે. જેથી આચાર્ય ગુણવાનું શિષ્યને જ અનુયોગ કરે, અને શિષ્ય પણ ગુણવાનું આચાર્ય પાસે જ (સૂત્રાર્થ) સાંભળે. (જો આચાર્ય ગુણવિનાના શિષ્યને અનુયોગ કરે કે શિષ્ય પણ ગુણવિનાના આચાર્ય પાસે સાંભળે તો વ્યાખ્યાનની વિધિનો વિપર્યય થાય અને તેથી અનુયોગનો પણ વિપર્યય થાય, તે ન થાય માટે 25 પ્રથમ વ્યાખ્યાનવિધિ બતાવે છે.). શંકા : જો આ પ્રમાણે અનુગામના અંગરૂપ વ્યાખ્યાનવિધિને અહીં (દ્વારવિધિ પહેલા) અવતારીને કહો છો તો તારગાથામાં પણ એજ પ્રમાણે (દ્વારવિધિ પહેલા) વ્યાખ્યાનવિધિનો ઉપન્યાસ શા માટે ન કર્યો ? અનુયોગ પૂર્વે કેમ કર્યો ? સમાધાન ઃ સૂત્રવ્યાખ્યાનનું ગૌરવ દેખાડવા માટે એ પ્રમાણે ઉપન્યાસ કર્યો નથી, અર્થાત્ 30 સૂત્રવ્યાખ્યાન અતિમહત્ત્વનું છે તેથી સૂત્રની વ્યાખ્યામાં આચાર્ય કે શિષ્ય વિશેષથી ગુણવાનું જ Page #309 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सूत्रव्याख्यायां आचार्यः शिष्यो वा गुणवानन्वेष्टव्य इत्यलं विस्तरेण, प्रकृतं प्रस्तुम:प्रक्रान्तगाथाव्याख्या-तत्र गोदृष्टान्तः, एते चाचार्यशिष्ययोः संयुक्ता दृष्टान्ता: एक आचार्यस्य एकः शिष्यस्येति द्वौ वा एकस्मिन्नेवावतार्याविति । ૨૮૬ गंमि गरे एगेण कस्सइ धुत्तस्स सगासाओ गावी रोगिता उट्ठितुंपि असमत्था णिविट्ठा 5 चेव किणिता, सो तं पडिविक्किणति, कायगा भणति - पेच्छामो से गतिपयारं तो किणीहामो, सो भणति-मएवि उवविट्ठा चेव गहिया, जदि पडिहाति ता तुम्हेवि एवमेव गिण्हह । एवं जो आयरिओ पुच्छितो परिहारंतरं दाउमसमत्थो भणति - मएवि एवं सुयं तुम्हेवि एवं सुणहत्ति, तस्स सगासे ण सोअव्वं, संसइयपयत्थंमि मिच्छत्तसंभवा, जो पुण अविकलगोविक्किणगो इव अक्खेव હોવા જોઈએ. (અહીં આશય એ છે કે અનુયોગ એટલે સૂત્રનું વ્યાખ્યાન કરવું તે અતિમહત્ત્વનું 10 છે. તેમાં જો આચાર્ય કે શિષ્ય ગુણવાનું ન હોય તો મોટો દોષ લાગવાનો સંભવ છે. માટે સૂત્રના વ્યાખ્યાનમાં વ્યાખ્યાનવિધિની વિશેષથી કાળજી કરાય તે અતિ મહત્ત્વનું છે એ જણાવવા અનુયોગ પૂર્વે (દ્વારવિધિ પછી) વ્યાખ્યાનવિધિનો ઉપન્યાસ કર્યો છે) આ વિષયમાં વધુ વિસ્તારથી સર્યું. પ્રસ્તુત વિષયને હવે વિચારીએ – તેમાં પ્રથમ ગાયનું દૃષ્ટાંત છે : (પરંતુ એક વાતનો 15 ખુલાસો કરવા કહે છે કે) આ બધા દૃષ્ટાંતો આચાર્ય અને શિષ્ય બંનેના ભેગા જાણવા અર્થાત્ એક ઉદાહરણ આચાર્યનું અને એક શિષ્યનું એમ જાણવું અથવા એક જ દૃષ્ટાંતમાં ગુરુ-શિષ્ય બંનેને ઉતારવા, અર્થાત્ એક જ દૃષ્ટાંતમાં બંનેને ઘટાડવાં. ગાયનું દૃષ્ટાંત : એક નગરમાં કોઈ વ્યક્તિવડે એક ધૂર્ત પાસેથી રોગિષ્ટ ગાય કે જે ઉઠવા માટે પણ સમર્થ ન હતી તે બેઠેલી છતી જ ખરીદાઈ. પછી તે વ્યક્તિ ગાયોને વેચવા નીકળી. 20 ખરીદનારાઓએ કહ્યું, “પ્રથમ તેણીની ગતિપ્રચાર (ચાલવાની પદ્ધતિ) જોઈએ પછી ખરીદીએ.' તેણે સામો જવાબ આપ્યો કે, “મારાવડે પણ બેઠેલી ગાય જ ગ્રહણ કરાઈ છે તેથી જો આ ગાય તમને ગમતી હોય તો તમે પણ બેઠેલી જ લો. આ પ્રમાણે જે આચાર્યને શિષ્ય શંકા માટે પૂછે, ત્યારે જવાબ દેવા માટે અસમર્થ હોવાથી કહે કે મારાવડે પણ આ પ્રમાણે જ શ્રુત સંભળાયું છે એટલે તમારે પણ આ પ્રમાણે જ સાંભળવું (બહુ પ્રશ્નો કરવા નહીં). તેવા આચાર્ય પાસે સૂત્રાદિ 25 સાંભળવા નહીં, કારણ કે શંકિતપદાર્થોમાં મિથ્યાત્વનો સંભવ થાય છે. (તેનું કારણ એ છે કે આચાર્ય પાસે યોગ્ય ઉત્તર ન મળવાથી આ સાચું હશે કે નહીં ? તેવી શંકા ઊભી થાય જે મિથ્યાત્વ છે.) १२. एकस्मिन्नगरे एकेन कस्यचिद्धूर्त्तस्य सकाशाद्दौरोंगिणी उत्थातुमप्यसमर्था निविष्टैव क्रीता, स तां प्रतिविक्रीणाति, क्रायका भणन्ति प्रेक्षामहेऽस्या गतिप्रचारं ततः क्रेष्यामः, स भणति - मयाऽपि 30 उपविष्टैव गृहीता, यदि प्रतिभाति तदा यूयमपि एवमेव गृह्णीत । एवं य आचार्यः पृष्टः परिहारान्तरं दातुमसमर्थो भणति मयाऽपि एवं श्रुतं यूयमपि एवं शृणुतेति, तस्य सकाशे न श्रोतव्यं, सांशयिकपदार्थे मिथ्यात्वसंभवात्, यः पुनरविकलगोविक्रायक इवाक्षेप Page #310 -------------------------------------------------------------------------- ________________ ચંદનકંથાનું ઉદાહરણ (નિ. ૧૩૬) ( ૨૮૭ गिण्णयपसंगपारगो तस्स सगासे सोयव्वं, सीसोऽवि जो अवियारियगाही पढमगोविक्कणगोव्व सो अजोग्गो इतरो जोग्गोत्ति १। चंदणकंथोदाहरणं-बारवईए वासुदेवस्स तिण्णि भेरीओ, तंजहा-संगामिंआ उब्भुतिया कोमुतिया, तिण्णिवि गोसीसचंदणमइयाओ देवयापरिग्गहियाओ, तस्स चउत्थी भेरी असिवुवसमणी, तीसे उप्पत्ती कहिज्जइ-सक्को सुरमज्झे वासुदेवस्स गुणकित्तणं करेति-अहो उत्तमपुरिसाणं गुणा, 5 एते अवगुणं ण गेण्हंति णीएण य ण जुज्झंति, तत्थेगो देवो असद्दहंतो आगतो, वासुदेवोऽवि जिणसगासं वंदओ पट्ठिओ, सो अंतराले कालसुणयरूवं मययं विउव्वेति वावण्णं दुब्भिगंधं, तस्स गंधेण सव्वो लोगो पराभग्गो, वासुदेवेण दिट्ठो, भणितं चणेण-अहो कालसुणगस्सेतस्स તેથી આવા આચાર્યો પાસે સાંભળવું નહીં પરંતુ જે આચાર્ય સંપૂર્ણ (ખોડ–ખાંપણ વિનાની) ગાયને વેચનારની જેમ આક્ષેપ (પ્રશ્નો અને નિર્ણય (ઉત્તર) ના પ્રસંગોમાં પારગામી હોય 10 (અર્થાત્ દરેક શંકાનું યોગ્ય સમાધાન આપવામાં નિપુણ હોય) તેવા આચાર્ય પાસે સાંભળવું. શિષ્ય પણ જે વિચાર્યા વિના પદાર્થોને ગ્રહણ કરનારો – પ્રથમ ગાય ખરીદનાર જેવો હોય તે અયોગ્ય જાણવો તેના સિવાયનો (વિચારીને સમજીને ગ્રહણકરનાર) યોગ્ય જાણવો. I/૧l. ચંદનકંથાનું ઉદાહરણ : દ્વારિકામાં કૃષ્ણ પાસે ત્રણ ભેરીઓ હતી ૧. યુદ્ધસંબંધી ૨. ઔદભૂતિકી (કોઈ પ્રયોજન આવી પડે ત્યારે લોકોને અને સામન્તોને જણાવવા માટેની) ૩. 15 કમુદિકી (ઉત્સવ સંબંધી). આ ત્રણે ભેરીઓ ગોશીષચંદનની બનેલી અને દેવતાથી અધિષ્ઠિત હતી. કૃષ્ણ પાસે અશિવને શાંત કરનારી ચોથી ભરી હતી. તેની ઉત્પત્તિ કહેવાય છે – એકવાર શકે દેવોની સભામાં વાસુદેવના ગુણોત્કીર્તન કરતા કહ્યું, “અહો ! આ ઉત્તમપુરુષના ગુણો કેવા અદૂભૂત છે, તેઓ કોઈના અવગુણ જોતા નથી કે નીચયુદ્ધથી લડતા નથી.” આ વાત ઉપર વિશ્વાસ ન થતાં એક દેવ પરીક્ષા કરવા આવ્યો. 20 વાસુદેવ જિનેશ્વરને વંદન કરવા જઈ રહ્યો હતો ત્યારે વચ્ચે તે દેવે કૃષ્ણવર્ણવાળા મરેલા કૂતરાનું કલેવર વિકુવ્યું કે જે ફાટેલું અને અત્યંત દુર્ગધયુક્ત હતું. ત્યાંથી પસાર થતાં સર્વ લોકો તે મૃતકના ગંધથી નાસ–ભાગ કરવા લાગ્યા. વાસુદેવે આ મૃતક જોયું અને કહ્યું, “અહો ! કૃષ્ણ એવા કૂતરાના સફેદ દાંતો કેવા શોભે છે.” આ જોઈ દેવે વિચાર્યું “ખરેખર સાચે જ આ વાસુદેવ તો ગુણગ્રાહી છે.” ત્યાર પછી તે દેવ વાસુદેવના 25 १३. निर्णयप्रसङ्गपारगः तस्य सकाशे श्रोतव्यं, शिष्योऽपि योऽविचार्यग्राही प्रथमगोविनायक इव सोऽयोग्यः, इतरो योग्य इति १ । १४. चन्दनकन्थोदाहरण-द्वारिकायां वासुदेवस्य तिस्रो भेर्यः, तद्यथासंग्रामिकी आभ्युदयिकी कौमुदीकी, तिस्रोऽपि गोशीर्षचन्दनमय्यो देवतापरिगृहीताः; तस्य चतुर्थी भेरी अशिवोपशमनी, तस्या उत्पत्तिः कथ्यते-शक्रः सुरमध्ये वासुदेवस्य गुणकीर्तनं करोति-अहो उत्तमपुरुषाणां गुणाः, एते अवगुणं न गृह्णन्ति नीचेन च न युध्यन्ते, तत्रैको देवोऽश्रद्दधत् आगतः, वासुदेवोऽपि 30 जिनसकाशं वन्दकः (वन्दनाय) प्रस्थितः, सोऽन्तराले कृष्णश्वरूपं मृतकं विकुर्वति व्यापन्नं दुरभिगन्धं, तस्य गन्धेन सर्वो लोकः पराभग्नः, वासुदेवेन दृष्टः, भणितं चानेन-अहो कृष्णशुनः Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) "पंड्रा दंता सोहंति, देवो चिंतितो-सच्चं सच्चं गुणग्गाही । ततो वासुदेवस्स आसरयणं गहाय पधावितो, सो वंडुरापालएण णाओ, तेण कुवितं, कुमारा रायाणो य निग्गया, तेण देवेण हयविहया काऊण धाडिआ, वासुदेवोऽवि निग्गओ, भणति-मम कीस आसरयणं हरसि ?, देवो भणति-मं जुज्झे पराजिणिऊण गेण्ह, वासुदेवेण भणियं-बाढं, किह जुज्झामो ? 5 तुम भूमीए अहं रहेण, ता रहं गिण्ह, देवो भणति-अलं रहेणंति, एवं आसहत्थीवि पडिसिद्धा, बाहुजुद्धादियाइं सव्वाइं पडिसेहेइ, भणइ य-अहिट्ठाणजुद्धं देहि, वासुदेवेण भणिअं-पराजि-ओऽहं, णेहि आसरयणं, णाहं नीयजुज्झेण जुज्झामि, ततो देवो तुट्ठो भणितादिओ-वरेहि वर, किं ते देमि?, वासुदेवेण भणिअं--असिवोवसमणी भेरी देहि, तेण दिण्णा, एसुप्पत्ती भेरीए । तहिं सा छण्हं छहं मासाणं वज्जति, पच्चुप्पण्णा रोगा वाही वा उवसमंति, णवगा वि छम्मासे 10 અથરત્નને લઈ ભાગી ગયો. અશ્વપાલકે અશ્વરત્નને લઈ જતા તેને જોયો અને જોર–જોરથી બૂમો મારી. આ સાંભળી કુમારો અને રાજાઓ તેની પાછળ દોડ્યા. પરંતુ તે સર્વેને દેવે હતપ્રહત કરી (યુદ્ધમાં પરાજિત કરીને) ભગાડી મૂક્યા. વાસુદેવ પણ લડવા ગયો અને તે દેવને પૂછ્યું, “શા માટે મારું અથરત્ન તમે ચોર્યું છે ?" हेवे युं, “युद्धमा भने ५२॥४१ ४२). २५श्वने सो ." वासुदृवे , "50. ॐ ४५६ 15 वी ते युद्ध ४२j छ ? तमे भूमि ५२ छो मन ई २थमा छु तेथी. तभ ५९८ २५. स्वा.." દેવે કહ્યું. “રથની મારે જરૂર નથી.” તેથી વાસુદેવે અશ્વ-હાથી વગેરેની વિનંતી કરી. પરંતુ દેવે તેની પણ ના પાડી. તેમ બાહુયુદ્ધાદિનો પણ નિષેધ કર્યો. वे , "पिटानयुद्ध (शरी२न! पा७८L (HIN२. युद्ध ४२वाम मावेत.) ४२." वासुदेव प्रयुं, “ हेव ! ९ पर्यो, २५श्व२त्नने ,१६०, स्यारेय मावा नीययुद्ध ४२तो 20 नथी." मा सभणी हे अत्यंत खुश थयो ने j, “१२हान मांगो तभने शुं माप ?" वासुदेवे , “मशिवने शांत. ४२ना२ मेरी मायो." हेवे मापी. साम, माशते भेरीना ઉત્પત્તિ થઈ. આ ભેરી દ્વારિકામાં છ-છ મહિને વગાડવામાં આવતી. જે લોકો તે ભેરીનો શબ્દ સાંભળે તેને ઉત્પન્ન થયેલા રોગો કે વ્યાધિ શાંત થતાં અને આગામી છ મહિના સુધી નવા રોગો १५. एतस्य पाण्डुरा दन्ताः शोभन्ते, देवश्चिन्तितवान्-सत्यं सत्यं गुणग्राही । ततो वासुदेवस्याश्वरत्नं 25 गृहीत्वा प्रधावितः, स मन्दुरापालकेन ज्ञातः, तेन कूजितं, कुमारा राजानश्च निर्गताः, तेन देवेन हतविहतीकृत्य धाटिताः, वासुदेवोऽपि निर्गतः, भणति-मम कस्मादश्वरत्नं हरसि ?, देवो भणति-मां युद्धे पराजित्य गृहाण, वासुदेवेन भणितं-बाढं, कथं युध्यावहे ? त्वं भूमौ अहं रथेन, तद् रथं गृहाण, देवो भणति-अलं रथेनेति, एवमश्वहस्तिनावपि प्रतिषिद्धौ, बाहुयुद्धादीनि सर्वाणि प्रतिषेधयति, भणति च अधिष्ठानयुद्धं देहि, वासुदेवेन भणितं-पराजितोऽहं नय अश्वरत्नं नाहं नीचयुद्धेन युध्ये, ततो देवस्तुष्टो 30 भणितवान्-वृणुष्व वरं, किं तुभ्यं ददामि ?, वासुदेवेन भणितं-अशिवोपशमनी भेरी देहि, तेन दत्ता, एषोत्पत्तिर्भेर्याः । तत्र सा षड्भिः षड्भिर्मासैः वाद्यते, प्रत्युत्पन्ना रोगा व्याधयो वोपशाम्यन्ति, नवका अपि षट्सु मासेषु + चिंतेति । ★ ताहे । Page #312 -------------------------------------------------------------------------- ________________ ચંદનકંથાનુ દષ્ટાન્ત (નિ. ૧૩૬) : ૨૮૯ .ण उप्पज्जंति, जो सदं सुणेति । तत्थऽण्णदा आगंतुओ वाणिअओ, सो अतीव दाहज्जरेण अभिभूतो भेरीपालयं भणइ-गेण्ह तुम सयसहस्सं, मम एत्तो पलमेत्तं देहि, तेण लोभेण दिण्ण, तत्थ अण्णा चंदणथिग्गलिआ दिण्णा, एवं अण्णेणवि अण्णेणवि मग्गितो दिण्णं च, सा चंदणकंथा जाता, अण्णदा असिवे वासुदेवेण ताडाविया, जाव तं चेव सभं णा पूरेति, तेण भणिअं-जोएह भेरि, दिट्ठा कंथीकता, सो भेरिवालो ववरोविओ, 5 अण्णा भेरी अट्ठमभत्तेणाराहइत्ता लद्धा, अण्णो भेरिवालो कओ, सो आयरक्खेण रक्खति, सो पूइतो-जो सीसो सुत्तत्थं चंदणकंथव्व परमता-दीहिं । मीसेति गलितमहवा सिक्खितमाणी ण सो जोग्गो ॥१॥ कंथीकतसुत्तत्थो गुरुवि जोग्गो ण થતાં નહીં. એકવાર તે દ્વારિકામાં બહારથી આગંતુક વેપારી આવ્યો. તે અત્યંત દાહવરથી પીડાયેલો હોવાથી (પીડાને દૂર કરવા) ભેરીપાલકને કહ્યું, “આ લાખ રૂપિયા લે અને ભેરીમાંથી 10 પલ (એક પ્રકારનું માપ) જેટલો ટુકડો આપ.” ભેરીપાલકે લોભને કારણે ટુકડો આપ્યો અને ટુકડાના સ્થાને ભેરીમાં ચંદનનું થીગડું માર્યું. એ રીતે બીજા લોકોએ પણ પૈસા આપી નાનાનાના ટુકડા માંગ્યા અને તેણે આપ્યા. જેથી તે ભેરી ચંદનકંથા બની ગઈ (અર્થાત્ આખી ભેરી થિગડો મારી-મારી બગાડી નાંખી.) એકવાર અશિવ ઉત્પન્ન થતાં વાસુદેવે તે ભેરી વગડાવી. તેનો અવાજ ચારે બાજુ 15 સંભળાવવાને બદલે તે સભામાં પણ ન પુરાયો અર્થાત્ સભામાં પણ તે અવાજ સરખો ન સંભળાયો. વાસુદેવે કહ્યું, “ભેરીને બતાવો.” તેથી ભરી લાવવામાં આવી ત્યારે જોઈ તો આખી ભેરી કંથારૂપે બની ગઈ હતી. તેથી તે ભેરીપાલકને મારી નાખ્યો અને વાસુદેવે અમવડે દેવની આરાધના કરી અન્ય ભેરી પ્રાપ્ત કરી. બીજો ભેરીપાલક રાખવામાં આવ્યો. તે ભેરીપાલક ભેરીની આત્મરક્ષાવડે રક્ષા કરતો હતો. તેથી તેની પૂજા થઈ. એમ જે શિષ્ય સૂત્રાર્થને ચંદનકંથાની 20 જેમ પરમતાદિવડે મિશ્ર કરે છે અથવા ભૂલી ગયો હોવા છતાં મને બધું આવડે છે એવા અભિમાનવાળો હોય (અને તેથી કોઈને પૂછે નહીં અને ગરબડીયું ચલાવે) તે શિષ્ય અયોગ્ય જાણવો. ||૧|| કંથારૂપે કરાયેલા છેસૂત્રાર્થો જેનાવડે એવા ગુરુ પણ અનુયોગ કરવા માટે (માસિતધ્યક્ષ) યોગ્ય નથી. પરંતુ જેઓના સૂત્રાર્થ નાશ પામ્યા નથી એવા જ શિષ્ય–આચાર્ય (યોગ્યરૂપે) નિર્દેશ કરાયેલા છે. (અર્થાત્ સૂત્રાર્થ જેમના નાશ પામ્યા નથી એવા ગુરુ અને જે 25 १६. नोत्पद्यन्ते, यः शब्दं शृणोति । तत्रान्यदाऽऽगन्तुको वणिक्, सोऽतीव दाहज्वरेणाभिभूतो भेरीपालकं भणति-गृहाण त्वं शतसहस्रं, ममैतस्मात् पलमात्रं देहि, तेन लोभेन दत्तं, तत्रान्या चन्दनथिग्गलिका दत्ता, एवमन्येनापि अन्येनापि मार्गितो दत्तं च, सा ( भेरी) चन्दनकन्था जाता, अन्यदाऽशिवे वासुदेवेन ताडिता, यावत्तां सभामपि न पूरयति, तेन भणितं-पश्यत भेरी, दृष्टा कन्थीकृता, स भेरीपालो व्यपरोपितः, કન્યા મેઈઈ-મનારાષ્પ હનવ્યા, અન્યો મેરીપાત્ર: વૃd:, માત્મરક્ષે રક્ષતિ, સ પૂનિત:-: શિષ્ય: 30 सूत्रार्थं चन्दनकन्थामिव परमतादिभिः। मिश्रयति गलितमथवा शिक्षितमानी, न स योग्यः ॥१॥ સ્થીતસૂત્ર ગુરપિ યોયો ન જ થાય I + ૦વીત્રો # મારેT I A સંર્થ વા. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) भासितव्वस्स। अविणासियसुत्तत्था सीसायरिया विणिद्दिवा ॥२॥ २॥ इदानी चेट्युदाहरणम्-वसंतपुरे जुण्णसेट्ठिधूता, णवगस्स य सेठिस्स धूआ, तासिं पीइ, तहवि से अत्थि वेरो अम्हे एएहिं उव्वट्टिताणि, ताओ अण्णआ कयावि मज्जितुं गताओ, तत्थ जा सा णवगस्स धूआ, सा तिलगचोद्दसगेणं अलंकारेण अलंकिआ, सा आहरणाणि तडे ठवेत्ता उत्तिण्णा, जुण्णसेट्ठिधूआ ताणि गहाय पधाविता, सा वारेति, इतरी अक्कोसंती गता, ताए मातापितीणं सिटुं, ताणि भणंति-तुण्हिक्का अच्छाहि, णवगस्स धूआ ण्हाइत्ता णियगधरं गया, अम्मापिईहिं साहइ, तेहिं मग्गिय, ण देंति, राउले ववहारो, तत्थ णस्थि सक्खी, तत्थ कारणिया भणंति-चेडीओ वााहिज्जंतु, तेहिं वाहित्ता भणिता-जति तुज्झच्चयं ता आविंध, ताहे सा ગ્રહણ કર્યા પછી તેમાં ભેળસેળ કરવાના ન હોય તેવા શિષ્ય જ યોગ્ય છે) II ૨ // 10 ૩. ચેટી(પુત્રી)નું ઉદારણ : વસંતપુરમાં જીર્ણશ્રેષ્ઠિની પુત્રી અને નવા શ્રેષ્ઠિની પુત્રી રહેતી હતી. તે બે વચ્ચે મૈત્રી હતી. છતાં જીર્ણશ્રેષ્ઠિની પુત્રીને વેરભાવ હતો. “આ લોકોવડે અમે પદભ્રષ્ટ કરાયા” (અહીં વાત એમ છે કે ત્યાંના રાજાએ જીર્ણશ્રેષ્ઠિના સ્થાને નવાશ્રેષ્ઠિને સ્થાપ્યા હતા. તેથી જીર્ણશ્રેષ્ઠિની પુત્રીના મનમાં નવા–શ્રેષ્ઠિની પુત્રી માટે કંઈક અંશે વેરભાવ હતો) એકવાર તે બંને સખીઓ (તળાવ) સ્નાન કરવા ગઈ. તેમાં જે નવાશ્રેષ્ઠિની પુત્રી હતી. 15 તેણીએ તિલકચૌદસક તે નામનું આભરણ વિશેષ જેમાં ચૌદ તિલક હોય તેવું) અલંકાર પહેરેલું હતું. તે અલંકાર કિનારે મૂકી સ્નાન કરવા તળાવમાં ઊતરી. જીર્ણશ્રેષ્ઠિની પુત્રી તે અલંકાર લઈ ભાગવા લાગી. તેથી નવાશ્રેષ્ઠિની પુત્રી તેણીને રોકે છે પરંતુ જીર્ણશ્રેષ્ઠિની પુત્રી (ઊલટું “આ મારા આભરણો છે', એમ આક્રોશ કરતી ભાગી ગઈ, અને ઘરે આવી પોતાના માત-પિતાને વાત કરી. માતા–પિતાએ કહ્યું, “તું મૌન રહેજે આ 20 બાજુ નવાશ્રેષ્ઠિની પુત્રી સ્નાન કરી ઘરે આવી. માત–પિતાને વાત કરી જેથી માત–પિતાએ જીર્ણશ્રેષ્ઠિને ત્યાં જઈ અલંકાર માંગ્યા. પરંતુ તેઓ દેતા નથી. તેથી રાજકુલમાં વ્યવહાર (કસ) થયો. પરંતુ કોઈ સાક્ષી નહોતું. તેથી ન્યાયાધીશોએ કહ્યું, “બંને પુત્રીને બોલાવો.” બંને પુત્રીઓને બોલાવીને ન્યાયાધીશોએ કહ્યું “જો આ અલંકાર તારું હોય તો તું પહેર” ત્યારે જીર્ણશ્રેષ્ઠિની પુત્રી જે હાથનું હતું તે પગમાં પહેરવા લાગી. આમ અલંકાર કેવી રીતે ૨૭. માષિતવ્યસ્થ (અનુયોગાચ) | વનાશિતસૂત્રથ: શિણાવા વિનિgિ: રા १८. वसन्तपुरे जीर्णश्रेष्ठिदुहिता, नवकस्य च श्रेष्ठिनः दुहिता, तयोः प्रीतिः, तथापि तयोरस्ति वैरं वयमेतैरूद्वतितानि, ते अन्यदा कदाचिन्मङ्क्तुं गते, तत्र या सा नवकस्य दुहिता, सा तिलकचतुर्दशकेन अलङ्कारेणालङ्कृता, साऽऽभरणानि तटे स्थापयित्वाऽवतीर्णा, जीर्णश्रेष्ठिदुहिता तानि गृहीत्वा प्रधाविता, सा वारयति, इतराक्रोशन्ती गता, तया मातापितृभ्यां शिष्टं, तौ भणत:-तूष्णीका 30 तिष्ठ, नवकस्य दुहिता स्नात्वा निजगृहं गता, मातापितृभ्यां कथयति, ताभ्यां मार्गितं, न दत्तः, राजकुले व्यवहारः, तत्र नास्ति साक्षी, तत्र कारणिका भणन्ति-चेट्यौ व्याहियेतां, तैया॑हत्य भणिता-यदि तावकीनं तदा परिधेहि, तदा सा ★ वाहिता । Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ व्याप्यानविधि उपर श्रेष्ठिपुत्रीनुं दृष्टान्त ( नि. १३) र्जुण्णसेट्ठिचेडी जं हत्थे तं पाए, ण जाणति, तं च से असिलिट्टं, ताहे तेहिं णाअं - जहा एयाई मण होंति, ताहे इतरी भणिआ-तुमे आविंध, ताए कमेण आविद्धं, सिलिट्ठे च से जायं, भणिया य-मेल्लाहि, ताए तहेव णिच्चं आमुचंतीए पडिवाडीए आमुक्कं, ताहे सो जुण्णसेट्ठी डंडितो । जहा सो एगभविअं मरणं पत्तो, एवायरिओवि जं अण्णत्थ तं अण्णाहिं संघाडेति, अण्णवत्तव्वाओ अण्णत्थ परूवेति उस्सग्गादिआओ, एवं सो संसारदंडेण दंडिज्जति, तारिसस्स 5 पासे ण सोतव्वं, जहा सा चेडी जसं पत्ता, एवं चेवायरिओ जो ण विसंवाएति, तेण अरिहंताणं आणा कता भवति, तारिसस्स पासे सोयव्वं । एत्थ गाथा - अत्थाणत्थनिउत्ताऽऽभरणाणं सेट्ठधू । गुरु विधिभणिते वा विवरीयनिओअओ सीसो ॥१॥ सत्थाणत्थनिउत्ता ધારણ કરવા તે જાણતી નહોતી. તેથી તે અલંકાર તેણીને બંધબેસતા આવ્યા નહીં. આ જોઈ ન્યાયાધીશો જાણી ગયા કે આ અલંકારો તેણીનાં નથી. હવે બીજીને કહ્યું ‘તું પહેર.’ ત્યારે 10 તેણીએ ક્રમથી બધા અલંકારો પહેર્યા અને તે અલંકારો તેણીને બંધબેસતા આવી ગયા. ન્યાયાધીશોએ કહ્યું ‘‘કાઢી નાખ અલંકારોને.” ત્યારે તેણીએ નિત્યક્રમ પ્રમાણે ક્રમશઃ કાઢી નાખ્યા ( આ જોતાં તે અલંકારો તેણીના જ છે એમ નિર્ણય કરાયો અને) ત્યારે તે જીર્ણશ્રેષ્ઠિને દંડ કરવામાં આવ્યો. જેમ તે શ્રેષ્ઠિ એક ભવ પુરતું મરણ પામ્યો, તેમ આચાર્ય પણ જે સૂત્રને જ્યાં (અપવાદમાં) 15 ઘટાડવાનું હોય તેને બદલે અયંત્ર (ઉત્સર્ગમાં) ઘટાડે અથવા જે કહેવાનું હોય તેના સ્થાને બીજી પ્રરૂપણા કરે અર્થાત્ ઉત્સર્ગના નૈરૂપણમાં અપવાદનું નિરૂપણ – અપવાદના નિરૂપણમાં ઉત્સર્ગનું નિરૂપણ કરે તે સંસારરૂપ દંડવડે દંડાય છે. તેવા ગુરૂ પાસે સાંભળવું નહીં. જેમ તે નવાશ્રેષ્ઠિની પુત્રી યશને પામી, તેમ જે આચાર્ય વિરોધી પ્રરૂપણા ન કરે તે આચાર્ય અરિહંતની આજ્ઞાનું પાલન કરે છે. તેવા પાસે સાંભળવું જોઈએ. (खा जातमां विशेष आ. भाष्यनी गा.नं. १४४० - १ जतावे छे) – “आत्मरशोने અસ્થાને જોડનાર જીર્ણશ્રેષ્ઠિની પુત્રીની જેમ (જે અસ્થાનઅર્થનિયોક્તા હોય તે) ગુરુ નથી, કે ગુરુવડે વિધિથી કહેવાયેલા અર્થને વિપરીત રીતે જોડનાર હોય તે શિષ્ય નથી. ॥૧॥ પોતાના આભરણને સ્વસ્થાનમાં જોડનાર નવાષ્ઠિની પુત્રીની જેમ સ્વસ્થાનમાં અર્થ જોડનાર હોય તે 20 १९. जीर्णश्रेष्ठिचेटी यत् हस्ते ( हस्तसम्बन्धि ) तत् पादे ( परिदधाति ), न जानाति, तच्च तस्या 25 अश्लिष्टं तदा तैर्ज्ञातं यथैतान्यस्या न भवन्ति, तदेतरा भणिता-त्वं परिधेहि, तया क्रमेण परिहितं, श्लिष्टं च तस्या जातं, भणिता च मुञ्च, तया तथैव नित्यमामुञ्चन्त्या परिपाट्या आमुक्तं, तदा स जीर्णश्रेष्ठी दण्डितः । यथा स एकभविकं मरणं प्राप्तः, एवमाचार्योऽपि यत् ( सूत्र ) अन्यत्र ( उत्सर्गादौ ) तद् अन्यत्र (अपवादादौ ) संघातयति, अन्यवक्तव्यता अन्यत्र प्ररूपयति उत्सर्गादिकाः, एवं स संसारदण्डेन दण्ड्यते, तादृशस्य पार्श्वे न श्रोतव्यं, यथा सा चेटी यशः प्राप्ता, एवमेवाचार्यो यो न विसंवादयति, तेनार्हतां आज्ञा 30 कृता भवति, तादृशस्य पार्श्वे श्रोतव्यं । अत्र गाथे- अस्थानार्थनियोक्ता आभरणानां जीर्णश्रेष्ठिदुहितेव । न गुरुः विधिभणिते वा विपरीतनियोजकः शिष्यः | १ | स्वस्थानार्थनियोक्ता + एते से । * णो । Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) २ईसरधूआ सभूसणाणं व । होइ गूरू सीसोऽविअ विणिओअं तो जहा भणितं ॥२॥ ३। श्रावकोदाहरणं पूर्ववत्-नवरमुपसंहार:-चिरपरिचितंपि ण सरति सुत्तत्थं सावगो सभज्जं व । जो ण सो जोग्गो सीसो गरुत्तणं तस्स दरेणं ॥१॥४। बधिरगोदाहरणं पर्ववदेव, उपसंहारस्त गाथयोच्यते-अण्णं पदो अण्णं जो साहड सो गरुण बहिरोव्व । ण य सीसो जो अण्णं सणेति 5 अणुभासए अण्णं ॥१॥ ५। एवं गोधोदाहरणोपसंहारोऽपि वक्तव्यः ६। इदानीं टङ्कणकोदाहरणं उत्तरावहे टंकणा णाम मेच्छा, ते सुवण्णेणं दक्खिणावहाइं भंडाइं गेण्हंति, ते य परोप्परं भासं ण जाणंति, पच्छा पुंजं करेंति, हत्थेण 3 छाएंति, जाव इच्छा ण पूरति ताव ण अवणेति, पुण्णे अवणेति, एवं तेसिं इच्छियपडिच्छियववहारो एवं अक्खेवनिण्णयपसंगदाणग्गहणाणुवत्तिणो જ ગુરુ છે અને જે રીતે કહેવાયું તે રીતે જ તેને જોડનાર જ શિષ્ય છે. ||રા ૩ 10 ૪. શ્રાવકનું ઉદાહરણ : પૂર્વની ગાથાર્થ ૧૩૪માંથી જાણી લેવું માત્ર તેનો ઉપસંહાર કરતા કહે છે કે ચિર-કાળથી પરિચિત પોતાની પત્નીને પરસ્ત્રીની બુદ્ધિથી ભોગવતો જેમ તેને ઓળખી શકયો નહીં, તેમ ચિર–પરિચિત એવા પણ સૂત્રાર્થ જે શિષ્યને યાદ રહેતા નથી તે શિષ્ય યોગ્ય નથી. (શિષ્યપણાને યોગ્ય નથી તો) તેનું ગુરુપણું તો દૂર જ રહ્યું ૧|૪ ૫/૬, બધિર અને ગોદોહકનું ઉદાહરણ : પૂર્વની જેમ (ગાથા નં. ૧૩૩ પ્રમાણે) જાણી 15 લેવું. તેનો ઉપસંહાર ગાથાવડે કહે છે કે બહેરાની જેમ પૂછાયું હોય કંઈક અને જે કહે કંઈક તે ગુરુ યોગ્ય નથી. તેમજ તે શિષ્ય પણ યોગ્ય નથી જે સાંભળે કંઈક અને અનુભાષણ (સાંભળેલું ફરી કહેવું તે) કંઈક જુદું જ કરે [૧] આ પ્રમાણે ગોવાળિયાનો ઉપસંહાર પણ જાણવો. (તે આ પ્રમાણે કે ગોવાળિયો અન્યના વાછરડાને અન્ય ગાયને લગાડે તેમ જે શિષ્ય કે ગુરુ અન્ય સ્થાને અન્યની પ્રરૂપણાદિ કરે તે યોગ્ય નથી.) 20 ૭. હવે ટંકણનું ઉદાહરણ કહે છે – ઉત્તરાપથમાં ટંકણનામના મ્લેચ્છો રહેતા હતા, તેઓ સુવર્ણ આપવાવડે દક્ષિણાપથથી આવેલું કરિયાણું ગ્રહણ કરતા હતા. તેઓ અને દક્ષિણાપથથી કરિયાણું વેચવા આવેલા વાણિયાઓ પરસ્પર એકબીજાની ભાષા જાણતા નહોતા. તેથી બંને જણા સુવર્ણ અને કરિયાણાનો ઢગલો કરતા. તેની ઉપર હાથ મૂકતા. જયાં સુધી પોતાની ઇચ્છા મુજબ ઢગલા થતાં નહિ ત્યાં સુધી હાથ ઉપાડતા નહીં, જ્યારે 25 પોતાની ઇચ્છા મુજબનો ઢગલો થતો ત્યારે હાથ ઉપાડી લેતા. આ રીતે તેઓનો પોતાની અને સામેવાળાનીઇચ્છા પ્રમાણે વ્યવહાર ચાલતો. એજ રીતે શિષ્ય પણ આક્ષેપો = પ્રશ્નો ત્યાં સુધી २०. ईश्वरदुहिता स्वभूषणानामिव । भवति गुरुः शिष्योऽपि च विनियोगं तद् (विनियोजयन्) यथा भणितम् ।२। २१. चिरपरिचितावपि न स्मरति सूत्रार्थौ श्रावकः स्वभार्यामिव । यो न स योग्यः शिष्यः गुरुत्वं तस्य दूरेण ।१। २२ अन्यत्पृष्टोऽन्यत् यः कथयति स न गुरुर्बधिर इव । न च शिष्यो 30 योऽन्यच्छृणोत्यनुभाषतेऽन्यत् । १। २३. उत्तरापथे टङ्कणानामानो म्लेच्छाः, ते सुवर्णेन दक्षिणापथानि भाण्डानि गृह्णन्ति, ते च परस्परं भाषां न जानते, पश्चात् पुजं कुर्वन्ति, हस्तेन त्वाच्छादयन्ति, यावदिच्छा न पूर्यते तावन्नापनयन्ति, पूर्णेऽपनयन्ति, एवं तेषां ईच्छितप्रतीच्छित (इप्सितप्रतीप्सित ) व्यवहारः, एवंआक्षेपनिर्णयप्रसङ्गदानग्रहणानुवर्तिनो ★ हत्थेण उच्छा.ति. Page #316 -------------------------------------------------------------------------- ________________ શિષ્યના ગુણ-દોષનું નિરૂપણ (નિ. ૧૩૭) 'दोवि । - जोग्गा सीसायरिआ टंकणवणिओवमा एसा ॥१॥ ७॥ इत्थमुक्तप्रकारेण गवादिषु द्वारेषु साक्षादभिहितार्थविपर्ययः - प्रतिपक्षः आचार्यशिष्ययोर्यथायोगं योजनीयः, स च योजित एवेति गाथार्थः ॥१३६॥ इदानीं विशेषतः शिष्यदोषगुणान् प्रतिपादयन्नाह - कस्स न होही वेसो अनब्भुवगओ अ निरुवगारी अ । अप्पच्छंदमईओ पट्टिअओ गंतुकामो अ ॥ १३७॥ ૨૯૩ आह-शिष्यदोषगुणानां विशेषाभिधानं किमर्थम् ?, उच्यते, कालान्तरेण तस्यैव गुरुत्वभवनात्, अयोग्याय च गुरुपदनिबन्धनविधाने तीर्थकराज्ञादिलोपप्रसङ्गात् । व्याख्या -कस्य न भविष्यति द्वेष्यः - अप्रीतिकरः, यः किम्भूतः ? - न अभ्युपगतः अनभ्युपगतः - श्रुतोपसंपदाऽनुपसंपन्न इति भावार्थ:, उपसंपन्नोऽपि न सर्व एवाद्वेष्यो भवतीत्यत आह- 'निरुपकारी च निरुपकर्तुं 10 કરે જ્યાં સુધી સમજણ પડે નહીં, ગુરુ પણ નિર્ણય – ઉત્તર ત્યાં સુધી આપે જ્યાં સુધી શિષ્યને ખ્યાલ ન આવે, ગુરુ પ્રાસંગિક વાતોનું દાન કરે અને શિષ્ય પણ તેનું ગ્રહણ કરે આવા ટંકણવેપારી જેવા ગુરુ—શિષ્ય (અનુયોગકરણ/ગ્રહણ માટે) યોગ્ય જાણવા. IIઙા આમ કહેવાયેલ પ્રકારવડે ગાયાદિ દૃષ્ટાંતોમાં સાક્ષાત્ કહેવાયેલા અર્થથી ઊલટું એટલે કે આચાર્ય—શિષ્યનો પ્રતિપક્ષ (અયોગ્યતા) કહેવા યોગ્ય છે. (અર્થાત્ જેવા ગુરુ-શિષ્યને યોગ્ય 15 બતાવ્યા છે, તેનાથી વિપુરીત પ્રકારના ગુરુ શિષ્ય અયોગ્ય છે.) તે પ્રતિપક્ષ જોડેલો જ છે. (અર્થાત્ અયોગ્યતા પણ તે તે દૃષ્ટાંતોમાં સાથે જ બતાવી દીધી છે) ૧૩૬ અવતરણિકા : હવે વિશેષથી શિષ્યના ગુણ—દોષોને કહે છે ગાથાર્થ : અનમ્યુંપગત,—નિરૂપકારી–સ્વેચ્છાચારી મતિવાળો—પ્રસ્થિત અને જવાની ઇચ્છાવાળો એવો શિષ્ય કયા ગુરુને અપ્રીતિકરનારો ન થાય ? ટીકાર્થ : શંકા : શિષ્યના દોષગુણોનું વિશેષથી કથન શા માટે કરો છો ? (પૂર્વે ગુરુશિષ્યના ગુણ—દોષ કહી જ ગયા છો, તો ફરી શિષ્યના દોષ શા માટે કહો છો ?) 5 = = સમાધાન : કાળાંતરે તે શિષ્ય જ ગુરુ બને છે અને અયોગ્ય એવા શિષ્યને ગુરુપદનો સંબંધ કરવામાં તીર્થંકરની આજ્ઞાદિનો લોપ કરવાનો પ્રસંગ થતો હોવાથી શિષ્યના ગુણ–દોષોનું કથન કરાય છે. હવે ગાથાર્થ કહે છે—કોને દ્રષ્ય અપ્રીતિકર થતો નથી ? (અર્થાત્ થાય છે 25 જ). જે કેવા પ્રકારનો છે ?– જે અભ્યપગત નથી તે અનન્યુપગત જેણે શ્રુતોપસંપદા સ્વીકારી નથી. (શ્રુતોપસંપદા ભણવા માટે આચાર્યાદિ ગુરુની નિશ્રામાં રહેવું તે) (અહીં અન્વય આ પ્રમાણે કે – જે શિષ્યએ ઉપસંપદા સ્વીકારી નથી તેવો શિષ્ય કયા ગુરુને અપ્રીતિકર બનતો નથી ? અર્થાત્ બને જ છે) 20 શ્રુતસંપદાથી યુક્ત હોવા છતાં બધા જ શિષ્યો અદ્વેષ્ય પ્રીતિકર હોતા નથી જો તે 30 ૨૪. યેપિ । યોગ્યા આચાર્યશિષ્યા ટડુંળવળનુપમા ા ા?! * મુત્તેન । Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) शीलमस्येति निरुपकारी, गुरोरकृत्यकारीत्यर्थः, उपकार्यपि न सर्व एवाद्वेष्य इत्यत आहआत्मच्छन्दा आत्मायत्ता मतिर्यस्य कार्येषु असावात्मच्छन्दमतिः, स्वाभिप्रायकार्यकारीत्यर्थः, गुर्वायत्तमतिरपि न सर्व एवाद्वेष्यः अत आह— 'प्रस्थितः ' संप्रस्थितद्वितीय इति, गन्तुकामश्च गन्तुकामोऽभिधीयते यो हि सदैव गन्तुमना व्यवतिष्ठते, वक्ति च श्रुतस्कन्धादिपरिसमाप्ताववश्यमहं 5. યાયામિ, વ્ઝ વૃદ્ઘાવતિ કૃતિ, અયમયોગ્યઃ શિષ્ય કૃતિ ગાથાર્થ: ૧૩૭॥ इदानीं दोषपरिज्ञानपूर्वकत्वात् गुणा: प्रतिपाद्यन्ते विणओणएहिं कयपंजलीहि छंदमणुअत्तमाणेहिं । आराहिओ गुरुजणो सुयं बहुविहं लहुं देइ ॥ १३८॥ व्याख्या–विनयः—अभिवन्दनादिलक्षणः तेन अवनताः विनयावनताः तैरित्थंभूतैः सद्भिः, 10 तथा पृच्छादिषु कृताः प्राञ्जलयो यैस्ते कृतप्राञ्जलयः तैः, तथा छन्दो - गुर्वभिप्रायः तं सूत्रोक्तश्रद्धानसमर्थनकरणकारणादिनाऽनुवर्त्तयद्भिः आराधितो गुरुजनः, 'श्रुतं' सूत्रार्थोभयरूपं નિરુપકારી હોય, અર્થાત્ નિરુપકાર કરવાનો સ્વભાવ છે જેનો તે નિરુપકારી = ગુરુના વિષયમાં અકૃત્ય (ન કરવા યોગ્ય કાર્ય) કરનારો હોય. (ટૂંકમાં શ્રુતસંપદાથી યુક્ત હોવા સાથે અકૃત્ય કરનારો ન હોય એવો જ શિષ્ય ગુરુને પ્રીતિકર હોય છે.) ઉપકારી એવા પણ બધા જ શિષ્યો 15 પ્રિય બનતા નથી જો તે આત્મચ્છંદી હોય, અર્થાત્ આત્માધીન બુદ્ધિ છે કાર્યોને વિષે જેની એટલે કે પોતાના અભિપ્રાય મુજબ જ કાર્યને કરનારો હોય. ગુરુને આધીન મતિવાળા એવા પણ સર્વ શિષ્યો પ્રિય નથી હોતા જો તે સંપ્રસ્થિતદ્વિતીય (અર્થાત્ જે બીજો સાધુ ગચ્છ છોડીને જવાનીઇચ્છાવાળો હોય તેની સાથે જનારો હોય) અને ગન્તુકામ હોય, અર્થાત્ જે હંમેશા જવાનીઇચ્છાવાળો હોય અને કહેતો હોય, “શ્રુતસ્કન્ધાદિ પૂરા થાય એટલે અવશ્ય હું જતો 20 રહીશ, કોણ અહીં રહે ?” તે શિષ્ય “ગન્તુકામ” તરીકે ઓળખાય છે. સંપૂર્ણ ગાથાનો ભાવાર્થ એ કે શ્રુતસંપદાથી રહિત, નિરૂપકારી, સ્વચ્છંદમતિવાળો, પ્રસ્થિત અને ગંતુકામ્ એવો શિષ્ય કયા ગુરુને અપ્રીતિકર બનતો નથી ? અર્થાત્ બને જ છે. આવો શિષ્ય સૂત્રાર્થદાન માટે અયોગ્ય જાણવો ||૧૩૭॥ અવતરણિકા : દોષનું જ્ઞાન હોય તો જ ગુણો જાણી શકાય છે એટલે હવે ગુણોનું 25 પ્રતિપાદન કરાય છે ગાથાર્થ : વિનયથી નમેલા, બે હાથ જોડી પૃચ્છાદિને કરનારા અને ગુરુના અભિપ્રાયને અનુસરનારા શિષ્યોવડે આરાધિત ગુરુજન ઘણાપ્રકારનું શ્રુત શીઘ્ર આપે છે. ટીકાર્થ : વિનય = અભિવંદનાદિરૂપ, (અભિવંદન વંદન કરવું.) તેનાવડે નમેલા તે વિનયથી નમેલા, તથા પૃચ્છાદિને વિષે (શંકિત પદાર્થ જ્યારે ગુરુમહારાજને પૂછવા જાય ત્યારે) 30 કરાયેલી છે અંજલિ જેઓવડે તેવા તથા છંદ = ગુરુનો અભિપ્રાય તેને શાસ્ત્રમાં કહ્યા મુજબ શ્રદ્ધા સમર્થન, કરણ—કરાવણદ્વારા અનુસરનારા શિષ્યોવડે (અર્થાત્ ગુરુ જે કહે તેના પર શ્રદ્ધા, Page #318 -------------------------------------------------------------------------- ________________ શિષ્યની પરીક્ષા ઉપર દૃષ્ટાન્તો (નિ. ૧૩૯) સી ૨૯૫ વહુવિધે' અને પ્રારે ‘નપુ' શીધ્ર “હવાતિ' પૂછતીતિ થાર્થ રૂટા इदानीं प्रकारान्तरेण शिष्यपरीक्षां प्रतिपादयन्नाह- . सेलघण कुडग चालणि परिपूणग हंस महिस मेसे अ । मसग जलूग बिराली जाहग गो भेरि आभीरी ॥१३९॥ व्याख्या-एतानि शिष्ययोग्यायोग्यत्वप्रतिपादकान्युदाहरणानीति । किंच-'चरियं च कप्पितं 5 वा आहरणं दुविहमेव नायव्वं । अत्थस्स साहणट्ठा इंधणमिव ओदणट्ठाए ।१। तत्थ इमं कप्पिअं जहा-मुग्गसेलो पुक्खलसंवट्टओ अ महामेहो जंबूदीवप्पमाणो, तत्थ णारयत्थाणीओ कलहं आलाएति-मुग्गसेलं भणति-तुज्झ नामग्गहणे कए पुक्खलसंवट्टओ भणति-जहा णं एगाए धाराए विराएमि, सेलो उप्पासितो भणति-जदि मे तिलतुसतिभागंपि उँल्लेति तो णामं ण वहामि, पच्छा मेहस्स मूले भणति मुग्गसेलवयणाई, सो रुट्ठो, सव्वादरेण वरिसिउमारद्धो जुगप्पहाणाहि 10 કરે અને તેનું જ સમર્થન કરે એટલે “આપે જે કહ્યું છે તે જ બરાબર છે કે એમ કહે, ગુરુના કહ્યા મુજબ પોતે કરે, બીજા પાસે કરાવે એ રીતે ગુરુના અભિપ્રાયને અનુસરનારા શિષ્યોવડે) આરાધાયેલા ગુરુજન અનેકપ્રકારનું સૂત્રાર્થ–ઉભયરૂપ શ્રુત શીધ્ર (ઓછા કાળમાં શિષ્યને) આપે છે. ./૧૩૮. અવતરણિકા : હવે બીજી રીતે શિષ્યની પરીક્ષાને કહે છે ? 15 ગાથાર્થ : મગશૈલ પથ્થર, મેઘ, ઘટ, ચાલણી, સુઘરીનો માળો, હંસ, મહિષ (પાડો), ઘેટો, મશક, જળો, બિલાડી, જાહક, ગાય, ભેરી અને આભીરી. ટીકાર્ય : આ બધા શિષ્યની યોગ્યતા, અયોગ્યતાને કહેનારા ઉદાહરણો છે. ઉદાહરણો ચરિત્ત અને કલ્પિત એમ બે પ્રકારના જાણવા. જેમ ઓદનને રાંધવા ઈધન હોય છે તેમ અર્થને (કહેવા યોગ્ય અર્થને) સાધવા માટે ઉદાહરણ કહેવાય છે. ૧તેમાં અહીં કલ્પિત ઉદાહરણ 20 છે તે આ પ્રમાણે – મગશૈલ અને પુષ્કરસંવર્તક નામનો જંબૂઢીપ્રમાણ મોટો મહામેઘ છે. તે બે વચ્ચે નારદ જેવી કોઈ વ્યક્તિ ઝગડો ઊભો કરે છે. તે વ્યક્તિ મગશૈલને કહે છે, “તારું નામ લેવા માત્રની સાથે પુષ્કરસંવર્તક કહે કે, “એક જ ધારાવડે તેને હું ઓગાળી નાંખું.” ક્રોધવશ થયેલો શૈલ કહે, “જો તે મને તલના ફોતરાના ત્રિભાગ જેટલો પણ ભીનો કરે તો હું મારું નામ છોડી દઉં,” ત્યાર પછી તે વ્યક્તિ મેઘ પાસે જઈ મગશૈલના વચનો સંભળાવે છે. જેથી મહામેઘ 25 ગુસ્સે ભરાય છે. સર્વ–પ્રયત્નોવડે મુશળધાર ધારાઓથી તે વરસવા લાગે છે. २५. चरितं च कल्पितं वाऽऽहरणं द्विविधमेव ज्ञातव्यम् । अर्थस्य साधनार्थाय इन्धनानीवौदनार्थाय ।। तत्रेदं कल्पितं यथा-मुद्गशैलः पुष्करसंवर्तकश्च महामेघः जम्बूद्वीपप्रमाणः, तत्र नारदस्थानीयः कलहमालगयति (आयोजयति)-मुद्गशैलं भणति-तव नामग्रहणे कृते पुष्करसंवर्तको भणति-यथैकया धारया विद्रावयामि, शैल उत्पासितो (असूयितः ) भणति-यदि मे तिलतुषत्रिभागमपि आर्द्रयति तदा नाम 30 ન વહામ, પાસ્ય મૂત્રે બાતિ મુત્સવનાનિ, રાષ્ટ:, સો વર્ષનુમાવ્યા, * માત્રા(ગો)ત્તિ. * વિ. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ #ક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) धाराहिं, सत्तरत्ते वुढे चिंतेति-विराओ होहित्ति ठिओ, पाणिए ओसरिए इतरो मिसिमिसिंतो उज्जलतरो जातो भणति-जोहारोत्ति, ताहे मेहो लज्जितो गतो । एवं चेव कोइ सीसो मुग्गसेलसमाणो एगमवि पदं ण लग्गति, अण्णो आयरिओ गज्जतो आगतो, अहं णं गाहेमित्ति, आह-आचार्यस्यैव तज्जाड्यं, यच्छिष्यो नावबुध्यते । गावो गोपालकेनेव, कुतीर्थेना-वतारिताः Inશા તાદે પઢાવે મારો, આ સદ્ધિમો, જો, રિસT UT દ્વાયત્રં, વિરdi ?– आयरिए सुत्तंमि अ परिवादो सुत्तअत्थपलिमंथो। अण्णेसिपिय हाणी पुट्ठावि ण दुद्धया वंझा ॥१॥ સાતરાત્રિ વરસ્યા બાદ તે “પિગળી ગયો હશે” એમ વિચારી અટકી જાય છે. પાણી ઊતરી જવાથી તો ચમકતો (મિસિમિસિંતો) ઉજ્જવલતર પેલો મગરોલીયો બોલ્યો – “હું જીતી યો! (નધિારે)” મેઘ લજ્જા પામ્યો અને ચાલ્યો ગયો. એ જ પ્રમાણે મગશૈલ જેવો કો'ક 10 શિષ્ય એક પદ પણ ભણી શકતો નથી. અન્ય કો'ક આચાર્ય ત્યાં આવ્યા ને કહ્યું, “આવડે શું નહીં, લાવો હું એને ભણાવું” કહ્યું છે કે “શિષ્યને સમજણ પડતી નથી તેમાં આચાર્યની જ જડતા છે. ગોવાળિયાવડે જ ગાયો ખરાબ રસ્તે ઊતારાઈ (તેમાં ગાયોનો દોષ નથી ગોવાળિયાનો જ દોષ છે એમ શિષ્ય ભણતો નથી તેમાં તેના ગુરુ આચાર્યનો જ દોષ છે) /” આમ કહી શિષ્યને ભણાવવાનું ચાલુ કર્યું. પરંતુ શિષ્યને ભણાવવો શક્ય નહોતો તેથી 15 લજજાને પામેલો ત્યાંથી ચાલ્યો ગયો. આવા શિષ્યને મૃત દેવું નહીં. શા માટે? કારણ કે (૧) આચાર્ય અને શ્રુતની નિંદા થાય (તે આ પ્રમાણે કે – મંદષયોપશમવાળા એવા આ શિષ્યને ભણાવવા જતા જ્યારે તે શિષ્ય એક પણ વાક્યને શીખી ન શકે ત્યારે લોકો એમ કહે કે આચાર્યને ભણાવતાં આવડતું લાગતું નથી અથવા આ પદાર્થ જ બરાબર નથી નહીં તો શિષ્યને કેમ આવડે નહીં ?” (૨) સૂત્ર–અર્થનો પલિમંથ=નાશ થાય (આવા શિષ્યને ભણાવવા પાછળ 20 સમય જવાથી આચાર્ય અન્ય ગ્રંથના સૂત્રાર્થનું પુનરાવર્તન કરી ન શકે તેથી સૂત્ર–અર્થનો નાશ થાય) (૩) બીજા બુદ્ધિમાન શિષ્યોને આચાર્ય ભણાવી ન શકવાથી તે શિષ્યોના સૂત્રાર્થોની હાનિ થાય. જેમ વધ્યા ગાય આંચળને સ્પર્શવા છતાં દૂધ આપનારી બનતી નથી તેમ ગમે તેટલી મહેનત કરે છતાં અયોગ્ય શિષ્ય ભણાવી શકાતો નથી. તેની યોગ્ય શિષ્ય માટે પ્રતિપક્ષ દૃષ્ટાંત 25 કૃષ્ણભૂમિનું જાણવું. દ્રોણપ્રમાણ (જેટલો વરસાદ પડતાં દ્રોણ નામનું સાધન ભરાઈ જાય) મેઘા વરસવા છતાં પણ કૃષ્ણભૂમિમાંથી પાણી બહાર નીકળતું નથી અર્થાત જેટલો વરસાદ પડે તેટલો २६. युगप्रधानाभिर्धाराभिः, सप्तरात्रं वृष्टे चिन्तयति-विद्रुतो भविष्यति इति स्थितः, पानीयेऽपसृते इतरो दीप्यन् उज्ज्वलतरो जातो भणति-जुहार: (जयोत्कारः) इति, तदा मेघो लज्जितो गतः ॥ एवमेव कश्चिच्छिष्यो मुद्गशैलसमान एकमपि पदं न लगयति, अन्य आचार्यः गर्जयन् आगतः, अहमेनं ग्राहयामिતા પાયિતમારવ્ય, ન વિત:, નગ્નતો પતિઃ, દશાય ન વાતચું, વિં કારપામ્ ?-માવાયેં સૂત્રે પરિવાદ્રિઃ સૂત્રાર્થપરિકલ્થ: (વિન:) ! મચેષામપિ ત્ર હાનિ પૃષ્ઠfપ ન સુથા (તો) વચ્ચ + ૦૫માર્દિા - વિરામ 1 # મળતો . * શi * ૦પત્રિમંથા તુટ્ટી Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ઘરનું ઉદાહરણ (નિ. ૧૩૯) पेंडिक्खो कभूमी- वुट्ठेवि दोणमेहे ण कण्हभोमाओ लोट्टए उदयं । गहणधरणसमत्थे इअ देयमछित्तिकारंमि ॥१॥ इदानीं कुटोदाहरणम्-कुटा घटा उच्यन्ते, ते दुविहा- नवा जुण्णा य, जुण्णा दुविहाभाविया अभाविया य, भाविआ दुविहा-पसत्थभाविआ अपसत्थभाविआ य, पसत्थाअगुरुतुरुक्कादीहिं, अपसत्था - पलंडुलसुणमादीहिं, पसत्थभाविया वम्मा अवम्मा य, एवं अपसत्थावि, 5 जे अपसत्था अवम्मा जे य पसत्था वम्मा ते ण सुंदरा, इतरे सुंदरा, अभाविता ण केणइ भाविताणवगा औवागातो उत्तारितमेत्तगा, एवं चेव सीसगा णवगा - जे मिच्छद्दिट्ठी तप्पढमयाए गाहिज्जंति, जुण्णावि जे अभाविता ते सुंदरा - कुप्पवयर्णपासत्थेहिं भाविता एवमेव भावकुडा । संविग्गेहिं બધો આ ભૂમિ શોષી લે છે. પરંતુ ખાબોચિયા જેટલું પાણી પણ તે ભૂમિમાં ભરાતું નથી. એ પ્રમાણે જે શિષ્ય સૂત્રાર્થના ગ્રહણ—અને ધારણમાં સમર્થ છે તથા અચ્છિત્તિને કરનાર છે 10 (આગળ ને આગળ શિષ્ય-પ્રશિષ્યને દેવાવડે શ્રુતના અવિનાશને કરનાર છે) તેવા યોગ્ય શિષ્યને શ્રુત દેવા યોગ્ય છે. || ૧ || - કુટનું ઉદાહરણ ઃ કુટ તરીકે અહીં ઘડો જાણવો. તે બે પ્રકારના હોય છે- ૧. નવા ૨. જૂના, તેમાં જૂના બે પ્રકારે ભાવિત અને અભાવિત, ભાવિત બે પ્રકારે – પ્રશસ્તદ્રવ્યથી ભાવિત અને અપ્રશસ્ત દ્રવ્યથી ભાવિત, અહીં પ્રશસ્તદ્રવ્ય તરીકે અગરુ—તરુદિ (આ બધા સુગંધી 15 દ્રવ્યવિશેષો છે) અને અપ્રશસ્ત તરીકે ડુંગળી (પલંડુ)લસણાદિ. જે પ્રશસ્ત ભાવિત ઘડા છે તે વામ્ય (જેમાંથી ગંધ નીકાળી શકાય તેવા) અને અવામ્ય એમ બે પ્રકારે છે એ જ રીતે અપ્રશસ્ત ભાવિત ઘડા પણ બે પ્રકારે જાણી લેવા. તેમાં જે અપ્રશસ્ત—અવામ્ય અને જે પ્રશસ્તવામ્ય છે તે ઘડા સુંદર હોતા નથી. તેના સિવાયના અપ્રશસ્તવામ્ય અને પ્રશસ્ત—અવામ્ય ઘડા સારા જાણવા. વળી અભાવિત ઘડા 20 એટલે જે હજુ કોઈ દ્રવ્યથી ભાવિત થયા નથી, અને નવા ઘડા તે કે જે આપાક સ્થાનેથી (ઘડા પકાવવાની ભઠ્ઠીમાંથી) હમણા જ લાવેલા હોય. આ જ પ્રમાણે શિષ્યોના પણ જૂના-નવાભાવિત-અભાવિત વગેરે ભેદો જાણી લેવા. તેમાં નવા શિષ્યો તે કે જે મિથ્યાદ્રષ્ટિ જીવને પ્રથમવાર જ (સમ્યજ્ઞાન) ગ્રહણ કરાવાતું હોય. જૂના પણ જે અભાવિત છે તે સુંદર છે. હવે ભાષ્યની ગાથા (૧૪૬૧) બતાવે છે – “એજ પ્રમાણે (જેમ ઘડા ભાવિત—અભાવિત 25 २७. प्रतिपक्षः कृष्णभूमिः-वृष्टेऽपि द्रोणमेघे न कृष्णभूमात् (मेः) लुठति उदकम् । ग्रहणधरणसमर्थे दातव्यमच्छित्तिकरे |१| ते द्विविधाः, नवा जीर्णाश्च, जीर्णा द्विविधा - भाविता अभाविताश्च भाविता द्विविधा:- प्रशस्तभाविता अप्रशस्तभाविताश्च प्रशस्ताः - अगुरुतुरुष्कादिभिः, अप्रशस्ताःपलाण्डुलशुनादिभिः, प्रशस्तभाविता वाम्या अवाम्याश्च, एवमप्रशस्ता अपि ये अप्रशस्ता अवाम्या ये च प्रशस्ता वाम्यास्ते न सुन्दराः, इतरे सुन्दराः, अभाविता न केनचिद्भाविता - नवका 30 आपाकादुत्तारितमात्राः, एवमेव शिष्या नवका - ये मिथ्यादृष्टयस्तत्प्रथमतया ग्राह्यन्ते, जीर्णा अपि येऽभावितास्ते सुन्दराः । कुप्रवचनपार्श्वस्थैर्भाविता एवमेव भावकुटाः । संविग्नैः # भूमीसु । आवाहગાઓ । + ૦ઓસળેરૢિ । Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) पैंसत्था वम्माऽवम्मा य तह चेव ॥१॥ जे अपसत्था वम्मा जे य पसत्था संविग्गा य अवम्मा एते लट्ठगा, तरेवि अवम्मा | अहवा कूडा चउविहा - छिडकुडे १ बोडकुडे २ खंडकुडे ३ संपुण्णकुडे ४ इति, छिड्डो जो मूले छिड्डो, बोडओ जस्स ओट्ठा नत्थि, खंडो एगं ओट्ठपुडं नत्थि, संपुण्णो सव्वंगो चेव, छिड्डे जं छूढं तं गलति, बोडे तावतिअं ठाति, खंडे एगेण पासेण छड्डिज्जइ, 5 जदि इच्छा थोवेणवि रुब्भइ, एस विसेसो बोडखंडाणं, संपुण्णो सव्वं धरेति, एवं चेव सीसा चत्तारि समोतारेयव्वा । પ્રકારે છે તેમ) ભાવકૂટો (જીવો) પણ ભાવિત—અભાવિત બે પ્રકારે છે. તેમાં કુપ્રાવચનિક – પાસસ્થાઓ વડે ભાવિત ( તે અપ્રશસ્ત) અને સંવિગ્નોવડે ભાવિત તે પ્રશસ્ત જાણવા. ( આ બંને ભેદો) વામ્ય અને અવામ્ય જાણવા ॥૧॥ જે અપ્રશસ્તવામ્ય છે તથા જે પ્રશસ્ત10 સંવિગ્ન—અવામ્ય છે તે શિષ્યો યોગ્ય છે. ( નટ્ટા) તે સિવાયના ઈતર શિષ્યો અવામ્ય (અયોગ્ય) જાણવા. અથવા ચાર પ્રકારના ઘડા છે ૧. છિદ્રઘડો ૨. બોડઘડો (કાંઠા વિનાનો ઘડો) ૩. ખંડ ઘડો ૪. સંપૂર્ણઘડો. જેના મૂલમાં છિદ્ર હોય તે છિદ્રઘડો, જેને પકડવાનો કાંઠો નથી તે બોડઘડો, એક બાજુ જેને કાંઠો નથી તે ખંડઘડો, જે સર્વાંગે સંપૂર્ણ હોય તે સંપૂર્ણઘડો. નીચેથી છિદ્રવાળા 15 ઘડામાં નાંખેલું પાણી બધું નીકળી જાય છે. બોડઘડામાં કાંઠા સુધી પાણી રહે છે, ખંડવડામાં એક બાજુથી પાણી નીકળી જાય છે જો પાણી ન નીકળે એવીઇચ્છા હોય તો થોડા પ્રયત્નથી જ (અર્થાત્ જ્યાંથી કાંઠો તૂટેલો છે, ત્યાં સાંધો મારવાથી) પાણી નીકળતું અટકી જાય. અહીં બોડ અને ખંડ ઘડામાં આટલો જ ભેદ જાણવો. (અર્થાત્ બોડ ઘડામાં કાંઠા સુધી જ પાણી રહે અને ખંડ ઘડામાં થોડા પ્રયત્ને આખો ભરી શકાય બાકી બંનેમાં સરખું પાણી 20 રહે.) સંપૂર્ણઘડો સર્વ પાણીને ધારણ કરે છે. આજ પ્રમાણે શિષ્યો પણ ચાર પ્રકારે ઘટાડી લેવા. (તે આ પ્રમાણે – જેમ છિદ્રઘડો જમીન ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી જમીન સાથે ગાઢ રીતે લાગેલો હોવાથી તેમાંથી થોડુંક પણ પાણી નીકળતું નથી. અથવા થોડુંક થોડુંક પાણી ઝરે છે. તેમ જે શિષ્ય વ્યાખ્યાનમંડળીમાં બેસે ત્યાં સુધી બધું જાણે પણ જેવો વ્યાખ્યાનમંડળીમાંથી ઊભો થાય કે બધું ભૂલી જાય તે છિદ્રકૂટસમાન જાણવો. (૨) જે વ્યાખ્યાનમંડળીમાં બેઠેલો છતોં 25 કંઈક ન્યૂન સૂત્રાર્થ ગ્રહણ કરે અને ત્યાંથી ઉઠેલો છતોં પણ સૂત્રાર્થને યાદ રાખે તે બોડઘડા સમાન શિષ્ય જાણવો. (૩) જે સામાન્યથી કંઈક ન્યૂન, સૂત્રાર્થ ગ્રહણ કરે, પણ થોડો પ્રયત્ન २८. प्रशस्ताः वाम्या अवाम्याश्च तथैव ।१। ये अप्रशस्ता वाम्या ये च प्रशस्ता: संविग्नश्चावाम्या एते लष्ठाः, इतरेऽप्यवाम्याः । अथवा कुटाश्चतुर्विधाः - छिद्रकुट : अनोष्ठकुटः खण्डकुट: संपूर्णकुटः इति, छिद्रो यो मूले छिद्रवान्, अनोष्ठकुटः - यस्य ओष्ठौ न स्तः, खण्ड एकमोष्ठपुटं नास्ति, संपूर्णः सर्वाङ्गश्चैव, 30 છિદ્રે યક્ષિપ્ત તદ્દન્નતિ, વો તાવત્ તિતિ, વળ્યુ ન પાર્થેળ। નિ:સરતિ, યદ્રીચ્છા સ્તોòનાપિ रुध्यते, एष विशेषो बोटकखण्डयोः, संपूर्णः सर्वं धारयति एवमेव शिष्याश्चत्वारः समवतारयितव्याः । * ફતરે અદ્ભુમ્મા । । તત્વ । :: વોડો ! * સ્વાતિ । Page #322 -------------------------------------------------------------------------- ________________ ચાલણી / પરિપૂણકનું ઉદાહરણ (નિ. ૧૩૯) શૌક ૨૯૯ चालन्युदाहरणम्-चालनी-लोकप्रसिद्धा यया कणिक्कादि चाल्यते,-जह चालणीए उदयं छुब्भंतं तक्खणं अधो णीति । तह सुत्तत्थपयाइं जस्स तु सो चालणिसमाणो ॥१॥ तथा च शैलच्छिद्रकुटचालनीभेदप्रदर्शनार्थमुक्तमेव भाष्यकृता-सेलेयछिद्दचालणि मिहो कहा सोउ उट्ठियाणं तु । छिड्डाह तत्थ बेट्ठो सुमरिंसु सरामि णेयाणी ॥१॥ एगेण विसति बितिएण नीति कण्णेण चालणी आह । धण्णुत्थ आह सेलो जं पविसइ णीइ वा तुब्भं ॥२॥ तावसखउरकढिणयं 5 चालणिपडिवक्खु ण सवइ दवंपि । इदानी परिपूणकोदाहरणम्-तत्र परिपूर्णकः घृतपूर्णक्षीरकगालनकं चिटिकावासो वा, तेन ह्याभीर्यः किल घृतं गालयन्ति, स च कचवरं धारयति घृतमुज्झति, एवं-वक्खाणादिसु दोसे हिययंमि ठवेति मुअति गुणजालं । सीसो सो उ अजोग्गो भणिओ परिपूणगसमाणो ॥१॥ आहકરવાથી બધું ગ્રહણ કરે અને કર્યું હોય તેટલું યાદ રાખતો હોય તે ખંડઘડાસમાન જાણવો. (૪) 10 જે શિષ્ય મંડળીમાં આચાર્યવડે કહેલા સંપૂર્ણ અર્થને ધારણ કરે છે અને ઊભો થયા પછી પણ સંપૂર્ણ અર્થને યાદ રાખે છે તે સંપૂર્ણ ઘડાસમાન જાણવો.) ચાલણીનું ઉદાહરણ : ચાલણી લોકમાં પ્રસિદ્ધ જ છે જેના વડે લોટાદિ ચળાય છે. જેમ તે ચાલણીમાં નાંખેલું પાણી તેજ ક્ષણે નીકળી જાય છે તેમ જે શિષ્યના સૂત્રાર્થપદો તરત જ ભૂલાઈ જાય છે તે ચાલણી સમાન જાણવો. - 15 | (શંકા : મગશૈલ પથ્થર પણ ભિજાતો નથી, છિદ્રકૂટ આંશિક જળને પણ ગ્રહણ કરતો નથી તથા ચાલણી પણ પાણીને નાંખતા સાથે કાઢી નાંખે છે તો આ ત્રણેમાં ભેદ શું રહ્યો ?) સમાધાન : મગશૈલ – છિદ્રકૂટ અને ચાલણીનો ભેદ દેખાડવા માટે ભાષ્યકારવડે કહેવાયું છે – (વિ.આ. ભા.ગા.ન. ૧૪૬૩૬૪) (ગુરુની વાચના) સાંભળીને ઉભા થયેલાં મગશૈલ– છિદ્રકૂટ અને ચાલણી જેવા શિષ્યોની પરસ્પર કથા થઈ, તેમાં છિદ્ર (છિદ્રસમાન શિષ્ય) કહ્યું, 20 “ત્યાં બેઠો હોવું ત્યાં સુધી બધું યાદ રહે છે પણ હવે ઊભો થયા પછી કશું યાદ આવતું નથી.” ./૧ ચાલણી એ જવાબ આપ્યો, “એક કાનથી પ્રવેશે છે અને અન્ય કાનથી નીકળે છે, આ સાંભળી) મગશેલ કહે છે, “તું ધન્ય છે, તારા (કાનમાં) પ્રવેશે છે અને (કાનમાંથી) નીકળે છે. (મારે તો કાનમાં જ પેસતું નથી) / ર ' આ રીતે ચાલણીનું દૃષ્ટાંત બતાવી ચાલણી જેવા શિષ્યને કશું યાદ રહેતું નથી તે કહ્યું, જે ચાલણીથી પ્રતિપક્ષ એવું તાપસનું કમંડળ છે જેમાંથી 25 એક બિંદુ પાણી પણ નીકળતું નથી તેને સમાન શિષ્ય યોગ્ય જાણવો. ૩. પરિપૂણકનું ઉદાહરણ : તેમાં પરિપૂણક એટલે ઘીને ગાળવા માટેનું સાધન અથવા સુઘરીનો માળો કે જેનાવડે ભરવાડણ ઘીને ગાળે છે. તે સુઘરીનો માળો કચરાને ધારી રાખે છે ઘીને જવા २९. यथा चालन्यामुदकं क्षिप्यमाणं तत्क्षणमधो गच्छति तथा सूत्रार्थपदानि यस्य तु स चालनीसमानः ।१।३ शैलच्छिद्रचालनीनां मिथः कथां श्रुत्वोत्थितानां तु । छिद्र आह-तत्रोपविष्टः अस्मार्षं स्मरामि नेदानीम् 30 १। एकेन विशति कर्णेन द्वितीयेन निःसरति चालन्याह । धन्याऽत्र आह शैलो यत्प्रविशति निःसरति वा तव ( त्वयि ) २ । तापसकमण्डलु चालनीप्रतिपक्षः न स्रवति द्रवमपि । ३०. व्याख्यानादिषु दोषान् हृदये स्थापयति मुञ्चति गुणजालम् । शिष्यः स त्वयोग्यो भणित: परिपूणकसमानः ।१।+ परिपूणकः (स्यात् ) । Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सर्वज्ञमतेऽपि दोषसंभव ईत्ययुक्तं, सत्यमुक्तमेव भाष्यकृता सवण्णपमाणाओ दोसा ण ह संति जिणमए किंचि । जं अणवउत्तकहणं अपत्तमासज्ज व भवंति ।१। इदानीं हंसोदाहरणम्-अंबत्तणेण जीहाइ कूड़आ होइ खीरमुदगंमि । हंसो मोत्तूण जलं 5 आपियइ पयं तह सुसीसो ॥१॥ मोत्तूण दढं दोसे गुरुणोऽणुवउत्तभासितादीए । गिण्हइ गुणे उ जो सो जोग्गो समयत्थसारस्स ॥२॥ इदानीं महिषोदाहरणम्-संयमवि ण पियइ महिसो ण य जूहं पियइ लोलियं उदयं । विग्गहविगहाहि तहा अथक्कपुच्छाहि य कुसीसो ॥१॥ मेषोदाहरणम्-अवि गोप्पदंमिवि पिवे सुढिओ तणुअत्तणेण तुंडस्स । ण करेति कलुसमुदगं 10 દે છે એમ વ્યાખ્યાનાદિમાં જે શિષ્ય દોષોને પોતાના હૃદયમાં રાખે છે અને ગુણસમૂહને ત્યજી દે છે તે પરિપૂર્ણકસમાન શિષ્ય અયોગ્ય જાણવો. શંકા : સર્વજ્ઞમતમાં પણ દોષસંભવ હોય એ વાત અયુક્ત છે અર્થાત્ સર્વજ્ઞમતમાં પણ દોષો હોય એ વાત ઘટતી નથી. સમાધાન : તમારી વાત સાચી છે સર્વજ્ઞમતમાં દોષો સંભવતા નથી. આ વાત ભાગ્યકાર 15 પણ કહી છે. (વિ.આ.ભા.ગા.ન. : ૧૪૬૬) સર્વજ્ઞના પ્રામાણ્યથી (સર્વજ્ઞ જે કહે તે બધું પ્રમાણ જ હોય – સત્ય જ હોય એવી પ્રમાણતાની બુદ્ધિથી) જિનમતમાં દોષો સંભવતા જ નથી. (જે દોષો છે તે) ઉપયોગ રહિત ગુરુના કથનથી અથવા અયોગ્ય જીવોને આશ્રયી જિનમતમાં દોષો સંભવે છે. (અયોગ્ય જીવોને આશ્રયી એટલે તેવા પ્રકારના અયોગ્ય જીવો જિનમતમાં અછતાં દોષો ઉત્પન્ન કરે છે.) હંસનું ઉદાહરણ (વિ.આ.ભા. ૧૪૬૭) "જીભ ખાટી હોવાથી જીભદ્વારા, પાણીમાં દૂધનાં ફોદા (કૂચિકા) થઈ જાય છે. (અર્થાત્ દૂધ—પાણી ભેગા હોય તેમાં ચાંચ નાખે એટલે દૂધ ફાટી જાય છે.) હંસ તેમાંથી પાણીને છોડી દૂધ પીએ છે તેમ જે સુશિષ્ય /૧ગુરુના અનુપયોગથી બોલાયેલું વિગેરે દોષોને દેઢ રીતે છોડી ગુણો ગ્રહણ કરે છે તે શાસ્ત્રાર્થના સારને માટે યોગ્ય છે ! ર / 25 મહિષ(પાડા)નું ઉદાહરણ : જેમ પાડો (પોતાનાવડે ડહોળાયેલું) પાણી સ્વયં પીતો નથી કે ટોળું પણ પીતું નથી, તેમ કુશિષ્ય કલહ-વિકથાવડે અને અકાલીન (અવસરને અનુચિત) પૃચ્છાવડે પોતે ભણતો નથી અને તેના કારણે બીજા ભણી શકતા નથી. ઘેટાનું ઉદાહરણ : સંકુચિત અંગવાળો (સુતિ) ઘેટો પોતાનું મુખ પાતળું હોવાથી ३१. सर्वज्ञप्रामाण्यात् दोषा नैव सन्ति जिनमते केऽपि । यदनुपयुक्तकथनं अपात्रमासाद्य वा भवन्ति 30 (१। ३२. अम्लतया जिह्वायाः कूर्चिका भवति क्षीरमुदके । हंसो मुक्त्वा जलमापिबति पयः तथा सुशिष्यः शमक्त्वा दृढं दोषान गरोरनपयक्तभाषितादिकान । गहाति गणास्त यः स योग्यः समयार्थ( स्थ) सारस्य ।२। ३३. स्वयमपि न पिबति महिषो न यूथं पिबति लोठितमुदकम् । विग्रहविकथाभिस्तथा अविश्रान्तपृच्छाभिश्च कुशिष्यः ।। ३४. अपि गोष्पदेऽपि पिबति मेषस्तनुत्वेन तुण्डस्य । न करोति નુપમુદ્ર મેપ વં સુશિષ્યોfપ શ * રૂત્યુ$ . * વેવિ + મતિ . 20 Page #324 -------------------------------------------------------------------------- ________________ મચ્છરાદિના ઉદાહરણો (નિ. ૧૩૯) मेसो एवं सुसीसोऽवि ॥ १ ॥ मशकोदाहरणम् - मैसगोव्व तुदं जच्चादिएहि णिच्छुभते कुसीसोऽवि । जलूकोदाहरणम् - जैलूगा व अदूमंतो पिबति सुसीसोऽवि सुणाणं । बिराल्युदाहरणम्-छड्डेउं भूमीए जह खीरं पिबति दुट्टमज्जारी । परिसुट्टियाण पासे सिक्खति ઇવ વિળયમી ॥ ૩૦૧ 5 जाहकस्तिर्यग्विशेषः, तदुदाहरणम् - पातुं थोवं थोवं खीरं पासाणि जाहओ लिहइ । मेव जितं काउं पुच्छति मतिमं ण खेदेति । १ । गोउदाहरणम् - एगेण धम्मट्टितेण चाउव्वेज्जाण गावी दिण्णा, ते भांति - परिवाडीए दुज्झउ, तहा कतं, पढमपरिवाडीदोहगो चिंतेति - अज्ज चेव मैज्झ दुद्धं, कल्लं अण्णस्स होहित, ગોષ્પદને વિષે પણ (ગાયનો પગ પડવાથી બનેલા ખાબોચિયામાંથી) પાણી પીએ છે પરંતુ 10 પાણીને ડોહળુ કરતો નથી તેમ સુશિષ્ય પણ (એક પદમાત્રને પણ વિનયપૂર્વક આચાર્યના ચિત્તને પ્રસન્ન કરો પૂછે છે તે ઘેટા સમાન જાણવો.) મશક(મચ્છર)નું ઉદાહરણ : મચ્છરની જેમ (મચ્છર જેમ ડંશ દેવાદ્વારા બીજાને પીડા ઉત્પન્ન કરે છે તેમ) કુશિષ્ય પણ જાતિ વગેરેવડે (જાતિ વગેરેને પ્રગટ કરવા દ્વારા ગુરુને) વ્યથા ઉત્પન્ન કરતો (.તુવન્) (ગચ્છથી) બહાર કઢાય છે. જળોનું ઉદાહરણ : જેમ જળો પીડા ઉત્પન્ન કર્યા વિના ખરાબ લોહી પીએ છે તેમ સુશિષ્ય પણ આચાર્યને પીડા ઉત્પન્ન કર્યા વિના શ્રુતજ્ઞાન ગ્રહણ કરે છે. બિલાડીનું ઉદાહરણ : દુષ્ટ બિલાડી જેમ દૂધને ભૂમિ ઉપર ઢોળીને પીએ છે તેમ વિનયથી ચૂકેલો શિષ્ય પણ આચાર્ય પાસે શ્રુતગ્રહણ કરવાને બદલે) પર્ષદામાંથી ઊભા થયેલા સાધુઓ પાસે શીખે છે. 15 જાહક (તિર્યંચ વિશેષ)નું ઉદાહરણ : જેમ તે થોડું–થોડું દૂધ પીને (ભાજનની) આજુબાજુ ચાટે 20 છે. (અર્થાત્ આસપાસથી પૂરેપૂરું પીતો આગળનું પીએ તેમ સુશિષ્ય પણ ગ્રહણ કરેલા સૂત્ર–અર્થને અત્યંત પરિચિત(પાકા) કરીને પછી જ અન્ય સૂત્રાર્થ (ગુરુ વગેરેને) પૂછે છે પણ ખેદ પમાડતો નથી. ગાયનું ઉદાહરણ : એક ધર્માર્થિએ ચાતુર્વેદ્યોને (બ્રાહ્મણોને) ગાય આપી અને તેમને કહ્યું, “ક્રમશઃ આ ગાય તમારે દોહવી.'' ચારે બ્રાહ્મણોએ આ વાત સ્વીકારી (તથા તં), પ્રથમવારાવાળા દોહકે વિચાર્યું, મને તો આજે જ દૂધ મળશે, કાલે તો બીજાને મળશે. તો ઘાસ 25 પાણી આને ખવડાવીને મારે શું (લાભ) ?” (આશય એ છે કે – આજે ઘાસચારો ખવડાવીશ તો તેનું દૂધ આવતીકાલે તૈયાર થાય અને તે બીજા દોહશે તો મને કશો ફાયદો મળશે નહીં તો હું શા માટે ઘાસચારો ખવડાવું ? હારવિતે તાપાનિા ખવડાવેલ ઘાસચારો) એમ ३५. तत्किं मशक इव तुदन् जात्यादिभिराददाति ( तुदति) कुशिष्योऽपि । ३६. जलौका इव अदुन्वन् पिबति सुशिष्योऽपि श्रुतज्ञानं । ३७. छर्दयित्वा भूमौ यथा क्षीरं पिबति दुष्टमार्जारी । पर्षदुत्थितानां 30 पार्श्वे शिक्षते एवं विनयभ्रंशी ॥ १ ॥ ३८. पीत्वा स्तोकं स्तोकं क्षीरं पार्श्वयोर्जाहको लेढि । एवमेव जीतं ( परिचितं ) कृत्वा पृच्छति मतिमान् न खेदयति । १ । ३९. गवोदाहरणम् - एकेन धर्मार्थिकेन चातुर्वैद्येभ्यो गौर्दत्ता, ते भणन्ति - परिपाट्या दुहन्तु, तथा कृतं, प्रथमपरिपाटीदोहकश्चिन्तयति-अद्यैव मम दुग्धं, कल्ये અન્યસ્ય ભવિષ્યતિ, વિ॰ ! * ૰વાડો | + મ ૩ | Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ન આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तौं किं मम तणपाणिएण इह हारवितेण ?, ण दिण्णं, एवं सेसेहि वि, गावी मता, अवण्णवादो य धिज्जाइयाणं, तद्दव्वण्णदव्ववोच्छेदो, उक्तं च-अण्णो दोज्झति कल्लं णिरत्थयं से वहामि किं चारिं? । चउचरण गवी उ मता अवण्णहाणी उ बडुआणं ॥१॥ प्रतिपक्षगौः-मा मे होज्ज अवण्णो गोवज्झा मा पुणो व ण लभेज्जा । वयमवि दोज्झामो पुण अणुग्गहो अण्णदूहेऽवि । 5 दार्टान्तिकयोजना-सीसा पडिच्छगाणं भरोत्ति तेवि य सीसगभरोत्ति । ण करेंति सुत्तहाणी अण्णत्थवि दुल्लहं तेसिं ॥१॥ अविणीयत्तणओ । भेर्युदाहरणं पूर्ववत् । વિચારી ગાયને ઘાસ-પાણી આપ્યું નહીં. આજ પ્રમાણે શેષ ત્રણ બ્રાહ્મણોએ પણ વિચારી ઘાસાદિ આપ્યા નહીં. પરિણામે ગાય 10 મૃત્યુ પામી અને બ્રાહ્મણોનો અવર્ણવાદ થયો. તેથી તે બ્રાહ્મણોને તે ગાય અને અન્ય ગાયોના લુચ્છેદ થયો (મળેલી ગાય મરી ગઈ અને તેમને બીજી ગાય કે અન્ય ચીજ કોઈ આપતું નથી) આ જ વાત ભાષ્યકારે કહી છે. (વિ.આ.ભા.ગા–૧૪૭૩) – “આવતી કાલે બીજો દોહશે તેથી તે ગાયને નકામી ચારી શા માટે આપું ?” આ પ્રમાણે ચાર ચરણો (ચરણ શબ્દથી વાચ્ય એવા બ્રાહ્મણો) સંબંધી તે ગાય મૃત્યુ પામી, બ્રાહ્મણોનો અવર્ણવાદ થયો અને નુકસાન થયું (બીજી 15 ભેટ ન મળવાથી)” ||૧૪૭૩ આનાથી વિરુદ્ધ ગાયનું દષ્ટાંત ભાષ્યકાર બતાવે છે. મારો અવર્ણવાદ (નિંદા) ન થાઓ કે “આ લોકો ગૌહત્યારા છે.” અથવા ફરીથી આપણને ગાય મળશે નહીં તેવું ન થાય; વળી ભવિષ્યમાં આપણે પણ ગાયને દોહવાના છીએ અને બીજો દોહશે તો પણ તેના ઉપર અનુગ્રહ (ઉપકાર) થશે. (માટે ઘાસચારો આપવા દે) ||૧૪૭૪ll દાષ્ટ્રત્તિક યોજના આ પ્રમાણે કરવી “શિષ્યો વિચારે કે પ્રતીચ્છકોની (અન્ય ગચ્છના સાધુઓ કે જે આચાર્ય પાસે ભણવા રોકાયા હોય તેઓની) આચાર્યની સારસંભાળ લેવાની જવાબદારી (મત્તિ) છે. પ્રતીચ્છકો વિચારે કે તે જવાબદારી શિષ્યોની છે. આમ વિચારી શિષ્યો કે પ્રતીચ્છકો આચાર્યની સેવાદિ કરતા નથી જેથી આચાર્ય સીદાય અને સૂત્ર–અર્થની હાની થાય, અવિનીત હોવાને કારણે આવા લોકોને અન્ય ગચ્છમાં પણ સૂત્રાદિ દુર્લભ થાય છે. 25 ||૧૪૭૫ll” ભેરીનું ઉદાહરણ : ગાથા નં. : ૧૩૩માં રહેલ ચંદનકંથા પ્રમાણે જાણી લેવું. ४०. तत्किं मम तृणपानीयाभ्यामाहारिताभ्यामिह ?, न दत्तं, एवं शेषैरपि, गौमता, अवर्णवादश्च धिग्जातीयानां, तद्र्व्यान्यद्रव्यव्यवच्छेदः, उक्तं च-अन्यो धोक्ष्यति कल्ये निरर्थकं तस्या वहामि किं चारीम् । चतुश्चरणा गौzतैव, अवर्णो हानिस्तु बटुकानाम् ।१। ४१. माऽस्माकं भूदवर्णो गोवधका ( इति ) 30 मा पुनश्च न । वयमपि धोक्ष्यामः पुनरनुग्रहोऽन्येन दुग्धेऽपि ।१। ४२. शिष्याः प्रतीच्छकानां भार इति तेऽपि च शिष्यभार इति । न कुर्वन्ति सूत्रहानिः अन्यत्रापि दुर्लभं तेषां ।१। अविनीतत्वात् । . Page #326 -------------------------------------------------------------------------- ________________ उधाहरण (नि. १३८) 303 भरवाड आभीर्युदाहरणम्-आभीराणि घयं गड्डी घेत्तूण पट्टणं विक्किणाणि गयाणि, आढत्ते प् आभीरी ओठिता पंडिच्छति, आभीरोऽवि वारगेण अप्पिणति, कथमिव अणुर्वउत्तं पिणणे गहणे वा अंतरे वारगो भग्गो, आभीरी भणति आ सच्च गामेल्लग ! किं ते "कडं ?, इतरोऽवि आह-तुमं उम्मत्ता अण्णं पलोएसि अण्णं गेण्हसि ताणं कलहो, पिट्टापिट्टी जाता, सेसंपि घयं पडियं, उसूरए जंताणं सेसघयरूवगा बलद्दा य तेणेहिं हडा, अणाभागिणो संवुत्ताणि । एवं 5 जो सीसो पच्चुच्चारादि करेंतो अण्णहा परूवेतो पढंतो वा सिक्खावितो भणति - तुमे चेव एवं वक्खाणिअं कहिअं वा-मा णिण्हवेहि दाउं उवजुंजिअ देहि किंचि चिंतेहि । वच्चामेलियाणे किलिस्ससि तं चऽहं चेव ॥ १ ॥ पडिवक्खे कहाणगं पूर्ववत्, नानात्वं प्रदर्श्यते, भग्गे वारगे આભીરીનું ઉદાહરણ : ભરવાડ–ભરવાડણ વગેરે ઘીના ઘડાને ગાડામાં ભરી વેચવા શહેરમાં ગયા. ગાડામાંથી ઘીના ઘડા નીચે ઊતારવાનું ચાલુ કરતા નીચે ઊભી રહેલી ભરવાડણ ઘીના ઘડા 10 પટકતી હતી, ભરવાડ એક—પછી એક ઘીના ઘડા ભરવાડણને આપતો હતો, તેવામાં લેતા કે આપતા ઉપયોગ ન હોવાથી વચ્ચે ઘડો ફૂટ્યો ત્યારે ભરવાડણ બોલી – “હે ગામડિયા! તે આ શું કર્યું ?” ભરવાડે કહ્યું – “તું પાગલ છે કે જુએ છે કંઈક અને પકડે છે કંઈક (અર્થાત્ જુએ છે ક્યાં, ને પકડે છે ક્યાં'') બે વચ્ચે કલહ થયો, મારામારી થઈ, બાકીનું ઘી પણ ઢોળાઈ ગયું. અંધારામાં ઘરે જતાં 15 अनेनुं जाडीनुं घी, पैसा खने जणहो योरोवडे योराया. (लोगोना) अनालागि थया. (विस्तार આ પ્રમાણે છે કે તે બે વચ્ચે કલહ અને મારામારી થવાથી બાજુમાં પડેલા ઘડાઓમાંથી અમુક ઘડા પડી ભાંગી ગયા શેષ જે ઘડા વધ્યા તેમાંથી થોડુંક વેચ્યું અને થોડુંક રહી ગયું જે સાંજે પાછા ફરતા પૈસા અને ઘડા ચોરોએ ચોરી લીધા.) આ પ્રમાણે જે શિષ્ય ગુરુએ શીખવાડ્યું હોય તે ફરી બોલતાં કઈ જુઠું બોલે કે જુદો અર્થ 20 કરે ત્યારે આચાર્ય ઠપકો આપે તો સામે બોલે કે “તમે જ આ રીતે વ્યાખ્યા કરી છે અથવા કથન કર્યું છે. અને આ રીતે આપ્યા પછી હવે તમે ભૂલ છૂપાવો નહીં, ઉપયોગ પૂર્વક સૂત્રાદિ આપો, બરાબર વિચારો, ઉંધુચનું સૂત્રાર્થનું દાન કરવાથી તમે અને હું બંને ક્લેશ પામીએ છીએ’ 11982911 — ४३. आभीरा घृतं गन्त्र्या गृहीत्वा पत्तनं विक्रायका गताः, आरब्धे माने आभीरी अधः स्थिता 25 प्रतीप्सति, आभीरोऽपि वारकेणार्पयति, कथमप्यनुपयुक्तं अर्पणे ग्रहणे वाऽन्तरा घटो भग्नः, आभीरी भणति - आः सत्यं ग्रामेयक ! किं त्वया कृतं ?, इतरोऽप्याह- त्वमुन्मत्ताऽन्यं प्रलोकयसि अन्यं गृह्णासि, तयोः कलहो ( जातः ) केशाकेशि जातं, शेषमपि घृतं पतितं, उत्सूरे यातोः शेषघृतरूप्यका बलीवर्दी च स्तेनैर्हृतौ, अनाभागिनौ ( भोगानां ) संवृत्तौ । एवं यः शिष्यः प्रत्युच्चारादि कुर्वन् अन्यथा प्ररूपयन् पठन् वा शिक्षितः भणति-त्वयैवैवं व्याख्यातं कथितं वा, मा अपलपी: दत्त्वा उपयुज्य देहि किञ्चिच्चिन्तय । 30 व्यत्याम्रेडितदाने क्लेक्ष्यसि त्वं चाहमेव ॥ १ । प्रतिपक्षे कथानकं, भग्ने घटे + विक्किणगाणि । * मेप्पे । * पडिच्छेति । ० उत्तप्प० । कतं । + उसूरयं । 4 अणाभागीणि संजुत्ताणि । x वारगो उदीपणो । Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) उत्तिण्णो, दोहिवि तुरितं तुरितं कप्परेहिं घतं लइअं, थेवं नटुं, सो आभीरो भणति-मए ण सुट्ठ पणमितं, सावि भणति-मए ण सुठु गहियं । एवं आयरिएण आलावगे दिऎणे विणासितो. पच्छा आयरिओ भणति-मा एवं कुट्टेहि, मया अणुवउत्तेण दिण्णो त्ति, सीसो भणति-मए ण सुट्ट गहितोत्ति । अहवा जहा आभीरो जाणति-एवड्डा धारा घडे माइत्ति, एवं आयरिओऽवि जाणति5 વર્લ્ડ માનવ સદિતિ દિપંતિ થાર્થ: શરૂ इत्थमाचार्यशिष्यदोषगुणदोषगुणकथनलक्षणो व्याख्यानविधिः प्रतिपादितः, इदानीं कृतमङ्गलोपचारो व्यावर्णितप्रसङ्गविस्तर: प्रदर्शितव्याख्यानविधिरुपोद्घातदर्शनायाह उद्देसे १ निद्देसे २ निग्गमे ३ खित्त ४ काल ५ पुरिसे ६ अ । પ્રતિપક્ષ દૃષ્ટાંતમાં કથાનક પૂર્વની જેમ જાણવું (અર્થાત ભરવાડ–ભરવાડણ ઘીના ઘડા 10 ભરી વેચવા બજારમાં જાય છે વગેરે) બંને દષ્ટાંતો વચ્ચે જુદાપણું બતાવે છે – એકબીજાને ઘડો આપતા ઘડો પડી જાય છે ત્યારે આભીર ગાડાથી નીચે ઊતરે છે. બંને જણા ઝડપથી કર્પરો (ઠીકરાં) વડે ઘી લેવા લાગ્યા. થોડુંક જ ઘી નષ્ટ થયું. આભીરે કહ્યું – “મારાવડે જ બરાબર અપાયું નહીં.” ભરવાડણ બોલી – “મારાવડે બરાબર ગ્રહણ કરાયું નહીં (આમ પરસ્પર પોતાનો જ દોષ જોતા આભીર-આભીરી સુખના ભાગી થયા. એ પ્રમાણે આચાર્યવડે આલાપક દેવાયે છતે શિષ્યવડે તે આલાપક વિનાશ કરાયો અથાત શિષ્યવડે બોલતી વખતે અન્યથા રૂપે બોલાતા વિનાશ કરાયો. ત્યારે આચાર્ય કહે, “શિષ્ય ! તું આ રીતે બોલ નહીં, તે વખતે મારાવડે અનુપયોગને કારણે આ પ્રમાણે આલાપક અપાયો હતો.” શિષ્ય કહે “મારાવડે જ બરાબર ગ્રહણ કરાયો ન હતો.” અથવા જૅમ આભીર જાણે છે “આટલી ધારા જ ઘડામાં જાશે” તેમ આચાર્ય પણ જાણે છે – “આટલો આલાપ ગ્રહણ 20 કરવા (શિષ્ય) સમર્થ છે” (આ રીતે યોગ્યતા અનુસાર આચાર્ય શિષ્યને ભણાવે) l/૧૩૯l! અવતરણિકા : આ પ્રમાણે આચાર્ય-શિષ્યના દોષ–ગુણના કથનરૂપ વ્યાખ્યાનવિધિ કહીં. હવે કરાયેલ છે મંગલનો ઉપચાર જેમનાવડે તેવા, વર્ણન કરાયો છે પ્રસંગોનો વિસ્તાર જેમનાવડે તેવા તથા દેખાડાયેલી છે વ્યાખ્યાનવિધિ જેમનાવડે તેવા ગ્રંથકાર શ્રી ઉપોદૂધાતદ્વારને (ઉપોદ્ધાતનિયુક્તિને) બતાડતા કહે છે કે 25 ગાથાર્થ : ઉદ્દેશ-નિર્દેશ–નિર્ગમ-ક્ષેત્ર-કાળ-પુરુષ-કારણ-પ્રત્યય-લક્ષણ–નયસમવતાર–અનુમત. ગાથાર્થ : (સામાયિક) શું છે? કેટલા પ્રકારનું છે? કોને હોય ? ક્યાં હોય ? કોને વિષે ४४. उत्तीर्णः, द्वाम्यामपि त्वरितं त्वरितं कपरैघृतं लातं, स्तोकं नष्टं, स आभीरो भणति-मया न सुष्ठ अर्पितं, साऽपि भणति-मया न सुष्ठ गृहीतं । एवमाचार्येण आलापके दत्ते विनाशितः, पश्चादाचार्यो 30 भणति-मैवं कुट्टीः, मयाऽनुपयुक्तेन दत्त इति, शिष्यो भणति-मया न सुष्ठ गृहीत इति । अथवा यथा आभीरो जानाति-एतावती धारा घटे माति इति, एवमाचार्योऽपि जानाति-एतावन्तं आलापकं शक्ष्यति પ્રીતિ . * UિTI + વિUTIક્ષેતિ 1 A માતા * ૩ યાં Page #328 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ધાતનિયુક્તિના ધારો (નિ. ૧૪૦-૧૪૧) ૪ ૩૦૫ कारण७ पच्चय८ लक्खण९ नए१० समोआरणा११ ऽणुमए१२ ॥१४०॥ किं१३ कइविहं१४ कस्स१५ कहिं१६ केसु१७ कहं१८ केच्चिरं१९ हवइ कालं। कइ२० संतर२१ मविरहिअं२२ भवा२३ गरिस२४ फासण२५ निरुत्ती२६ ॥१४१॥ व्याख्या-उद्देशो वक्तव्यः, एवं सर्वेषु क्रिया योज्या, उद्देशनमुद्देशः-सामान्याभिधानं अध्ययनमिति, निर्देशनं निर्देश:-विशेषाभिधानं सामायिकमिति, तथा निर्गमणं निर्गमः, कुतोऽस्य 5 निर्गमणमिति वाच्यं, क्षेत्रं वक्तव्यं कस्मिन् क्षेत्रे ?, कालो वक्तव्यः कस्मिन् काले ?, पुरुषश्च वक्तव्यः कुतः पुरुषात् ?, कारणं वक्तव्यं किं कारणं गौतमादयः शृण्वन्ति ?, तथा प्रत्याययतीति प्रत्ययः स च वक्तव्यः, केन प्रत्ययेन भगवतेदमुपदिष्टं ? को वा गणधराणां श्रवण इति, तथा लक्षणं वक्तव्यं श्रद्धानादि, तथा नया-नैगमादयः, तथा तेषामेव सैमवतरणं वक्तव्यं यत्र संभवति, वक्ष्यति च 'मूढणइयं सुयं कालियं तु' इत्यादि, 'अनुमतं' इति कस्य व्यवहारादेः 10 किमनुमतं सामायिकमिति, वक्ष्यति-तत्र संजमो अणुमओ' इत्यादि, किं सामायिकम् ? 'जीवो गुणपडिवण्णो' इत्यादि वक्ष्यति, कतिविधं सामायिकं ? 'सामाइयं च तिविहं सम्मत्त सुयं तहा હોય ? કેવી રીતે પ્રાપ્ત થાય ? કેટલા કાળ સુધી ટકે ? પ્રાપ્ત કરનારા કેટલા હોય ? અંતર કેટલું હોય? નિરંતર પ્રાપ્તિનો કાળ કેટલો હોય ? કેટલા ભવ પ્રાપ્ત થાય ? આકર્ષો કેટલા 15 હોય? સ્પર્શના–નિરુક્તિ.. ટીકાર્થ : ઉદેશ કહેવા યોગ્ય છે, આ પ્રમાણે “કહેવા યોગ્ય છે” ક્રિયાપદ બધા સાથે જોડવું તેમાં ઉદ્દેશ એટલે “અધ્યયન” એ પ્રમાણે સામાન્યથી નામ જણાવવું, નિર્દેશ એટલે સામાયિક’ એ પ્રમાણે વિશેષથી નામ જણાવવું. નીકળવું તે નિર્ગમ – સામાયિકાધ્યયનની ક્યાંથી ઉત્પત્તિ થઈ છે તે કહેવું. કયા ક્ષેત્રમાં? (સામાયિક ઉત્પન્ન થયું ?) તે ક્ષેત્ર કહેવું, કયા 20 કાળમાં (સામાયિકની ઉત્પત્તિ થઈ છે) ? તે કાળ કહેવો, ક્યા પુરૂષમાંથી (તે ઉત્પન્ન થયું છે)? તે પુરપ કહેવો. ગૌતમાદિ કયા કારણથી (સામાયિક) સાંભળે છે ? તે કારણ કહેવું. કયા પ્રત્યયથી (જ્ઞાનથી) “ ! પાનવડે આ સામાયિક ઉપદેશાયું ? અથવા સામાયિકને સાંભળવામાં ગણધરોને કયો પ્રત્યય બોધ) હતો ? તે પ્રત્યય કહેવો, શ્રદ્ધાદિ સામાયિકનું લક્ષણ કહેવું, નૈગમ વગેરે 25 ન્યો તથા તે નયોનું જ સમવસરણ જેમાં સંભવતું હોય તે કહેવું. (દરેક પદોની નીવડે વિચારણા કરવી તે જ્યોનું સમવતરણ.) જો કે – આગળ કહેશે, “મૂઢનયવાળું કાલિકશ્રુત છે" ઈત્યાદિ (વિસ્તારાર્થ ગાથા નં. ૭૬રમાં કહેવાશે). અનુમત એટલે વ્યવહાર વગેરે કયા નયને કયું સામાયિક અનુમત છે ? આ વિષયમાં આગળ કહેશે- “તપ સંયમ અનુમત છે” વગેરે, સામાયિક શું છે? એ વિષયમાં “ગુણપ્રતિપન્ન 30 જીવ..." વગેરે કહેશે. કેટલા પ્રકારનું સામાયિક છે ? એ વિષયમાં “સામાયિક ત્રણ પ્રકારનું + : સમુદેશ: I * સમવતારf a | + સંમત્તિ ! Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ * સભાષાંતર (ભાગ-૧) चरितं च' इत्यादि प्रतिपादयिष्यते, कस्य सामायिकमिति, वक्ष्यति' जस्स सामाणिओ अप्पा' ઋત્યાદ્રિ, વવ . સામાયિ, ક્ષેત્રાનાવિતિ, વક્ષ્યતિ-શ્વેત્તાવિત્તિ ગતિ વિય' નૃત્યાદિ, પુ सामायिकमिति, सर्वद्रव्येषु वक्ष्यति - सव्वगतं सम्मत्तं सुए चरित्ते ण पज्जवा सव्वे' इत्यादि, થમવાપ્યતે ?, વક્ષ્યતિ—‘માણુસ્પવિત્તનારૂ' નૃત્યાદ્રિ, નિષ્ચિર મવતિ ? જાનમિતિ, વક્ષ્યતિ5 सम्मत्तस्स सुयस्स य छावट्ठी सागरोवमाइ ठिती' इत्यादि, 'कति' इति कियन्तः प्रतिपद्यन्ते ? पूर्वप्रतिपन्ना वेति वक्तव्यं, वक्ष्यति च -'सम्मत्तदेसविरया पलियस्स असंखभागमित्ता उ' इत्यादि, 'सान्तरं' इति सह अन्तरेण वर्त्तत इति सान्तरं किं सान्तरं निरंतरं वा ?, यदि सान्तरं किमन्तरं भवति ?, वक्ष्यति - 'कालमणंतं च सुते अद्धापरियट्टगो य देसूणो' इत्यादि, 'अविरहितं' इति अविरहितं कियन्तं कालं प्रतिपद्यन्त इति, वक्ष्यति - सुतसम्मअगारीणं आवलियासंखभाग 10 इत्यादि, तथा 'भवा 'इति कियतो भवानुत्कृष्टतः खल्ववाप्यन्ते 'सम्मत्तदेसविरता पलियस्स असंखभागमित्ता उ । अट्ठभवा उ चरित्ते' इत्यादि, आकर्षणमाकर्ष:, एकानेकभवेषु ग्रहणानीति ૐ भावार्थ:, ‘तिण्ह सहस्सपुहुत्तं सयपुहुत्तं च होंति विरईए । एगभवे आगरिसा' इत्यादि, स्पर्शना છે સમ્યક્ત્વ, શ્રુત તથા ચારિત્ર...” વગેરે કહેવાશે. સામાયિક કોને હોય ? એ વિષયમાં “જેનો આત્મા સમભાવવાળો છે...' ઈત્યાદિ કહેશે. સામાયિક ક્યાં હોય ? ઉત્તર ક્ષેત્રાદિને વિષે 15 હોય છે. આ વિષયમાં “ક્ષેત્ર-કાળ-દિશા-ગતિ-ભવિ....' ઇત્યાદિ કહેશે. = = કોને વિષે સામાયિક હોય છે ? ઉત્તર સર્વદ્રવ્યોને વિષે, આગળ કહેશે, “સમ્યક્ત્વ સર્વગત (સર્વદ્રવ્ય—પર્યાયોવિષયવાળું), શ્રુત અને ચારિત્રમાં સર્વપર્યાયો વિષય બનતા નથી”, સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય છે, આ વિષયમાં આગળ કહેશે – “મનુષ્યક્ષેત્ર–જાતિ...” ઈત્યાદિ, સામાયિકનો કાળ કેટલો હોય છે ? તે આગળ કહેશે- “સમ્યક્ત્વસામાયિક અને 20 શ્રુતસામાયિકની સ્થિતિ છાસઠ સાગરોપમ છે’” વગેરે. ‘‘ઋતિ’ દ્વારમાં સામાયિકના પ્રતિપદ્યમાન અથવા પૂર્વપ્રતિપન્ન જીવો કેટલા હોય છે ? તે કહેવું અને આ વિષયમાં આગળ કહેશે– “સમ્યક્ત્વી અને દેશવિરત પલ્યોપમના અસંખ્યભાગમાત્ર છે'' ઇત્યાદિ. “સાન્તર” એટલે અંતર સાથે જે વર્તે તે. સામાયિક સાન્તર છે કે નિરંતર છે જો સાન્તર છે તો કેટલું આંતરુ પડે છે ? આ વિષયમાં આગળ કહેશે— “શ્રુતમાં અનંત કાળ અંતર 25 પડે અને સમ્યક્ત્વાદિમાં દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તકાળ” “અવિરહિત” એટલે સતત સામાયિકને પ્રાપ્ત કરનારાનો કાળ કેટલો ? તેમાં કહેશે “શ્રુતસમ્યક્ત્વ અને દેશવિરતિનો (નિરંતર પ્રાપ્તિનો) આવલિકાનો અસંખ્યાતમોભાગ પ્રમાણકાળ જાણવો...”, “ભવ” એટલે સામાયિક ઉત્કૃષ્ટથી કેટલા ભવમાં પ્રાપ્ત થાય ? તેમાં કહેશે – “સમ્યક્ત્વ–દેશવિરતિ પલ્યોપમના અસંખ્યભાગમાત્ર અને ચારિત્ર આઠભવોમાં પ્રાપ્ત થાય છે. 30 ‘“આકર્ષ” એટલે ગ્રહણ + એક-અનેક ભવમાં સામાયિકના કેટલા ગ્રહણ થાય છે ? (અર્થાત્ કેટ્લી વાર ગ્રહણ થઈ શકે) તે કહેવું. આ વિષયમાં આગળ કહેશે “આદ્ય ત્રણ . + ૰તિ । ≠ oવિસિાત૦/૦પાદ્યન્તે ।* ૦પન્નાશ્રુતિ । A 0મેત્તા ।+ ॰વાપ્યતે ।× નેવમ્ । ↑ ભાવાર્થ વૃતિ । Page #330 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ધાતનિયુક્તિના કારો (નિ. ૧૪૦-૧૪૧) ૩૦૭ वक्तव्या, कियत्क्षेत्रं सामायिकवन्तः स्पृशन्तीति वक्ष्यति-सम्मत्तचरणसहिआ सव्वं लोगं फुसे - निरवसेसं 'इत्यादि, निश्चिता उक्तिनिरुक्तिर्वक्तव्या-'सम्मद्दिट्ठी अमोहो सोही सब्भाव दंसणे बोही' इत्यादि वक्ष्यति । अयं तावद्गाथाद्वयसमुदायार्थः, अवयवार्थं तु प्रतिद्वारं प्रपञ्चेन वक्ष्यामः। ____ अत्र कश्चिदाह-पूर्वमध्ययनं सामायिकं तस्यानुयोगद्वारचतुष्टयमुपन्यस्तं, अतस्तदुपन्यास एव उद्देशनिर्देशावुक्तौ, तथौघनामनिष्पन्ननिक्षेपद्वये च, अतः पुनरनयोरभिधानमयुक्तमिति, अत्रोच्यते, 5 तत्र हि अत्र द्वारट्टयोक्तयोरनागतग्रहणं द्रष्टव्यं, अन्यथा तद्ग्रहणमन्तरेण द्वारोपन्यासादय एव न स्युः, अथवा द्वारोपन्यासादिविहितयोस्तत्राभिधानमात्रं इह त्वर्थानुगमद्वाराधिकारे विधानतो लक्षणतश्च व्याख्या क्रियत इति । आह-यद्येवं निर्गमो न वक्तव्यः, तस्यागमद्वार एवाभिहितत्वात्, तथा च સામાયિકના સહસ્રપૃથત્વ અને સર્વવિરતિ સામાયિકના શતપૃથર્વ આકર્ષે એક ભવમાં જાણવા. “સ્પર્શના” દ્વારમાં સામાયિકવાળા જીવો કેટલા ક્ષેત્રને સ્પર્શે છે ? તે કહેવું, આગળ કહેશે ! સમ્યક્ત–ચરિત્રસહિત જીવો સર્વ લોકને સંપૂર્ણ રીતે સ્પર્શે છે” ઈત્યાદિ. નિશ્ચિત એવા જે વચનો તે નિરુક્તિ કહેવાય છે તેના વિષયમાં આગળ કહેશે—” સમ્યગૃષ્ટિ, અમોહ, શુદ્ધિ, સદ્ભાવ, દર્શન, બોધિ” આ પ્રમાણે બંને ગાથાનો સમુદાયાર્થ કહ્યો. અવયવાર્થ દરેક કારમાં વિસ્તારથી કહેશું. શંકા : પૂર્વે અધ્યયન, સામાયિક અને તેના ચાર અનુયોગદ્વારોનો ઉપન્યાસ કર્યો હતો. આથી તેના ઉપન્યાસમાં જ ઉદેશ અને નિર્દેશ નામના બે દ્વારા સમાઈ જ જાય છે. તથા ઓધ 15 અને નામનિપજ્યમાં પણ તે બે દ્વારા સમાઈ જ જાય છે. આથી પુનઃ ઉદ્દેશ અને નિર્દેશ કહેવા અયુક્ત છે. (આશય એ છે કે – પૂર્વે અધ્યયન અને સામાયિકનું ગ્રંથકારશ્રીએ પ્રતિપાદન કર્યું હતું. આ પ્રતિપાદનમાં જ ઉદેશ અને નિર્દેશ બંને જણાઈ જાય છે કારણ કે ઉદ્દેશ એટલે “અધ્યયન” એ પ્રમાણે સામાન્યથી જણાવવું અને નિર્દેશ એટલે “સામાયિક” વિશેષ નામ જણાવવું. આ 20 બંને શબ્દો પૂર્વોક્ત પ્રતિપાદનમાં આવી જ જાય છે તથા ઓઘનિષ્પન્ન નિક્ષેપમાં “અધ્યયન” નો નિક્ષેપ કર્યો ને નામનિષ્પન્નનિક્ષેપમાં “સામાયિક” નો નિક્ષેપ કર્યો, તેથી આ બંને નિક્ષેપમાં પણ ઉદેશ--નિર્દેશ આવી જ જાય છે તો ફરીથી એ બે દ્વારો શા માટે અહીં જણાવ્યા ?) સમાધાન : અહીં બે વારમાં કહેવાયેલા અધ્યયન અને સામાયિકનું પૂર્વે અનાગતગ્રહણ જાણવું. (અર્થાત્ ભવિષ્યમાં આવનાર આ બંનેનું પહેલેથી ગ્રહણ કરવામાં આવ્યું હતું.) કારણ 25 કે તે ગ્રહણ વિના ચાર અનુયોગદ્વારોનો ઉપન્યાસ શક્ય ન બનત (ભાવાર્થ એ છે કે પૂર્વે ચાર અનુયોગદ્વાર બતાવવા હતા. અનુયોગદ્વારોમાં વિષય તરીકે શું છે ? તેની માહિતી આપવી જરૂરી છે. તે માહિતી વિના અનુયોગદ્વારોનો ઉપવાસ થઈ ન શકે. તેથી વિષયોની માહિતી આપવા પૂરતું આ બે દ્વારમાં કહેલ અધ્યયન અને સામાયિકનું ત્યાં ગ્રહણ કરેલું હતું.) અથવા દ્વારોપન્યાસ વગેરેમાં કહેવાયેલા અધ્યયન અને સામાયિકનું પૂર્વે નામમાત્રથી ગ્રહણ કરેલું હતું 30 અહીં અર્થોનગમના અધિકારમાં વિધાનથી (પ્રકારથી) અને લક્ષણથી વ્યાખ્યા કરાય છે. 1 ofત ભાવાર્થ: I + ત o | *fમાનતો ! Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાતર (ભાગ-૧) 'आत्मागम' इत्याद्युक्तं, ततश्च तीर्थकरगणधरेभ्य एव निर्गतमिति गम्यते इति, उच्यते, सत्यं किंतु इह तीर्थकरगणधराणामेव निर्गमोऽभिधीयते, कोऽसौ तीर्थकरो गणधराश्चेति, वक्ष्यते-वर्धमानो गौतमादयश्चेति, यथा च तेभ्यो निर्गतं तथा क्षेत्रकालपुस्पकारणप्रत्ययविशिष्टमित्यतोऽदोष इति । आह-यद्येवं लक्षणं न वक्तव्यं. उपक्रम एव नामद्वारे क्षायोपशामिकभावेऽवतारितत्वात, प्रमाणद्वारे 5 च जीवगुणप्रमाणे आगमे इति, उच्यते, तत्र निर्देशमात्रत्वात्, इह तु प्रपञ्चतोऽभिधानाददोषः, अथवा तत्र श्रुतसामायिकस्यैवोक्तं, इह तु चतुर्णामपि लक्षणाभिधानाद-दोषः । ___आह-नयाः प्रमाणद्वार एवोक्ताः किमिहोच्यन्ते ?, स्वस्थाने च मूलद्वारे वक्ष्यमाणा एवेति. શંકા : જો એવું હોય તો નિર્ગદ્વાર કહેવાની જરૂર નથી કારણ કે તે આગમહારમાં જ (ઉપક્રમારના એક પેટાભદમાં) કહેવાયેલો છે. અર્થાત પૂર્વે આત્માગમ ઈત્યાદિ જે કહ્યું હતું. 10 તેનાથી જ જણાય છે કે તીર્થંકર-ગણધરોમાંથી આ અધ્યયન પ્રગટ થયું છે. (એટલે નિર્ગમાર કહેવાની જરૂર નથી.) સમાધાન : તમારી વાત સત્ય છે, અહીં માત્ર તીર્થકર-ગણધરોનો જ નિર્ગમ ઉત્પત્તિ કહેવાનો છે. જેમ કે, તીર્થકર કોણ છે અથવા ગણધરો કોણ છે ? વિષયમાં આગળ કહેવાશે– “વર્ધમાનસ્વામી તીર્થકર છે અને ગૌતમાદિ ગણધરો છે.” અને આ તીર્થકરો5 ગણવારોમાંથી જે રીતે આ અધ્યયનની ઉત્પત્તિ થઈ તે રીતે ક્ષેત્ર-કાળ–પુરુષ–કારણ–પ્રત્યયથી વિશિષ્ટ એવો નિર્ગમ આગળ કહેવાશે. તેથી અહીં (નિર્ગમાદિ દ્વારોનો ઉપન્યાસ) દોષરૂપ નથી. ટૂંકમાં પૂર્વે આગમદ્વારમાં તીર્થકરાદિમાંથી સામાયિક ઉત્પન્ન થયું એમ જણાવ્યું જયારે અહીં તે તીર્થકરાદિ કોણ છે? તથા તેમાંથી સામાયિક કેવી રીતે પ્રગટ થયું તે સર્વ જણાવવાનું હોવાથી પુન: આ દ્વારનો ઉપન્યાસ થયો છે.). 20 શંકા : ભલે, નિર્ગમાદિ દ્વારમાં કોઈ દોષ નથી છતાં લક્ષણ .કહેવું જોઈએ નહીં કારણ કે ઉપક્રમદ્વારમાં જે નામદ્વાર છે તેમાં ક્ષાયોપથમિકભાવમાં આ અધ્યયનનો સમાવેશ કરેલ છે. અને પ્રમાણદ્વારમાં જીવગુણપ્રમાણદ્વાર છે તેમાં પણ આગમમાં તેનો સમાવેશ કરેલ છે. (ભાવાર્થ એ છે કે આવા સમાવેશ દ્વારા જ આ અધ્યયન ક્ષાયોપથમિક અને જ્ઞાન રૂપ છે એવો ખ્યાલ આવી જ જાય છે તેથી લક્ષણ ફરી બતાડવાની જરૂર નથી.) સમાધાન : તમારી વાત સત્ય છે, પરંતુ પૂર્વે ત્યાં માત્ર નિર્દેશ કરેલો હતો. અહીં વિસ્તારથી કહેવાનું હોવાથી દોષ નથી, અથવા ત્યાં શ્રુતસામાયિકનું જ લક્ષણ કહ્યું હતું. અહીં સમ્યક્ત-શ્રુત-દેશવિરતિ–સર્વવિરતિરૂપ) ચારે સામાયિકનું લક્ષણ બતાવવાનું હોવાથી કોઈ દોષ નથી. શંકા : નો ઉપક્રમની અંદર પ્રમાણદ્વારમાં જ કહી ગયા છો અને સ્વસ્થાનરૂપ મૂલકારમાં 30 (ચાર અનુયોગદ્વારમાંના ચોથા ભેદરૂપ નયદ્વાર છે તે મૂલધારમાં) આગળ કહેવાના છો તો અહીં શા માટે બતાડો છો ? 25 : વક્ષ્યતિ સ તથા ર યથા ઘા Page #332 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાતનિર્યુક્તિના દ્વારો (નિ. ૧૪૦-૧૪૧) જ ૩૦૯ उच्यते, प्रमाणद्वारोक्ता एवेह व्याख्यायन्ते, अथवा प्रमाणद्वाराधिकारात्तत्र प्रमाणभावमात्रमुक्तं, इह तु स्वरूपावधारणमवतारो वाऽऽरभ्यते, एते च सर्व एव सामायिकसमुदायार्थमात्रविषया: प्रमाणोक्ता उपोद्घातोक्ताश्च न्या: सूत्रविनियोगिनः, मूलद्वारोपन्यस्तनयास्तु सूत्रव्याख्योपयोगिन एवेति ! आह-प्रमाणद्वारे जीवगुणः सामायिकं ज्ञानं चेति प्रतिपादितमेवं , ततश्च किं सामायिकमित्याशङ्कानुपपत्ति: उच्यते, जीवगुणत्वे ज्ञानत्वे च सत्यपि किं तज्जीव एव आहोस्विद् 5 जीवादन्यदिति संशयः, तदुच्छित्त्यर्थमुपन्यासाददोषः । आह-नामद्वारे क्षायोपशमिकं सामायिकमुक्तं तत्तदावरणक्षयोपशमाल्लभ्यत इति गम्यत एव, अतः कथं लभ्यत इत्यतिरिच्यते, न, क्षयोपशमलाभस्यैवेह शेषाङ्गलाभचिन्तनादिति । एवं यदुपक्रमनिक्षेपद्वारद्वयाभिहितमपि पुनः प्रतिपादयति अनुगमद्वारावसरे तदशेषं निर्दिष्टनि સમાધાન : પ્રમાણહારમાં (નામમાત્રના નિર્દેશથી) કહેવાયેલા જ જ્યની જ અહી () (વિસ્તારથી) વ્યાખ્યા કરવાની છે. અથવા ત્યાં પ્રમાણદ્વારનો અધિકાર હોવાથી પ્રમાણના ભાવમાત્ર કહ્યો. (અર્થાત પ્રમાણ કેટલા છે ? વિ. કહ્યું, તેમાં પ્રમાણનું સ્વરૂપ બતાવતા ન્યાનું પણ કથન કર્યું.) અહીં નયોનું સ્વરૂપ અથવા તેનો અવતાર (નયો શેમાં અવતાર પામે છે જે તે વિચારાય છે. અને આ બધા નયો કે જે પ્રમાણદ્વારમાં અને ઉપોદ્ધાતમાં કહ્યા તેનો વિષય સામાયિકનો 15 સમુદાર્થ છે. અર્થાત્ તે નો સામાયિકશબ્દના અર્થોને પોત-પોતાની રીતે કહેનારા છે, પરંતુ તુરાન વિનિયોગ (વિસ્તાર) કરનારા નથી. જયારે આગળ કહેવાતા મૂલહારમાં કહેલા નન્યો સૂત્રની વ્યાખ્યાને ઉપયોગી છે તેથી અહીં નયદ્વારમાં જે કહેવાનું છે તે જુદું છે અને આગળ મૂલહારમાં નવિષયક જે કહેવાનું છે તે જુદું છે.) શંકા : પૂર્વે પ્રમાણદ્વારમાં જ કહ્યું કે “સામાયિક જીવનો ગુણ છે અને આ સામાયિક 20 જ્ઞાનરૂપ છે” તો પછી “સામાયિક શું છે ?” એવી શંકાની ઉત્પત્તિ જ થાય નહીં અર્થાત્ આવી શંકા ઘટતી નથી. સમાધાન : સામાયિક જીવગુણ અને જ્ઞાનરૂપ હોવા છતાં “શું તે જીવરૂપ જ છે કે જીવથી જુદુ છે" આવો કોઈ સંશય થાય તેનો નાશ કરવા આ હારનો ઉપન્યાસ હોવાથી કોઈ દોષ નથી. શંકા : નામદ્વારમાં પૂર્વે “સામાયિક ક્ષાયોપથમિક છે” એવું કહ્યું તેના ઉપરથી તે તેના આવરણનો ક્ષયોપશમ થવાથી પ્રાપ્ત થાય છે' એવું જણાય જ છે. તેથી “સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય છે ?” તે દ્વાર બિનજરૂરી છે. સમાધાન : ના, અહીં જ્યોપશમના લાભના જ શેષ કારણોના લાભની વિચારણા હોવાથી આ વાર બિનજરૂરી નથી. (આશય એ છે કે સામાયિકને પ્રાપ્ત કરાવનાર ક્ષયોપશમ છે. પરંતુ 30 તે ક્ષયોપશમ કેવી રીતે પ્રાપ્ત થાય ? તે જણાવવા અર્થાત્ ક્ષયોપશમની પ્રાપ્તિના જે કારણો છે + વિન્યતે ક તુ સૂત્રવિનિયોજિનઃ | * ૦મેતિ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શું આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) क्षिप्तप्रपञ्चव्याख्यानार्थमिति । आह-उपक्रमः प्रायः शास्त्रसमुत्थानार्थ उक्तः, अयमप्युपोद्घात: शास्त्रसमुद्घातप्रयोजन एवेति कोऽनयो दः ?, उच्यते, उपक्रमो ह्युद्देशमात्रनियतः, तदुद्दिष्टवस्तुप्रबोधनफलस्तु प्रायेणोपोद्घातः, अर्थानुगमत्वात् इत्यलं विस्तरेण, प्रकृतमुच्यते ॥१४१॥ तत्रोद्देशद्वारावयवार्थप्रतिपादनायेदमाह नाम ठवणा दविए खेत्ते काले समास उद्देसे । उद्देसुद्देसंमि अ भावंमि अ होइ अट्ठमओ ॥१४२॥ व्याख्या-तत्र नामोद्देश:-यस्य जीवादेरुद्देश इति नाम क्रियते, नाम्नो वा उद्देशः नामोद्देशः, स्थापनोद्देशः-स्थापनाभिधानं उद्देशन्यासो वा, 'द्रव्ये' इति द्रव्यविषय उद्देशो द्रव्योद्देशः, स च आगमनोआगमज्ञशरीरेतरव्यतिरिक्तः द्रव्यस्य द्रव्येण द्रव्ये वा उद्देशो द्रव्योद्देशः, द्रव्यस्य-द्रव्यमिदमिति, 10 द्रव्येण-द्रव्यपतिरयमिति, द्रव्ये-सिंहासने राजा चूते कोकिल: गिरौ मयूर इति, एवं क्षेत्रविषयोद्देशोऽपि તેની પ્રાપ્તિની અહીં વિચારણા કરવાની છે.) આમ, ઉપક્રમ અને નિક્ષેપ એમ બે દ્વારોમાં કહેવાયેલું હોવા છતાં અનુગભદ્વારના અવસરે જે ફરી પ્રતિપાદન કરાય છે તે બધું બતાવેલ અને નિક્ષિપ્ત કરાયેલ વસ્તુનું વિસ્તારથી પ્રતિપાદન કરવા માટે કહેવાય છે. શંકા : ઉપક્રમદ્વાર પ્રાયઃ કરીને આ શાસ્ત્રની ઉત્પત્તિ બતાવવા કહેલો છે અને આ 15 ઉપોદઘાત પણ શાસ્ત્રની ઉત્પત્તિ બતાવવા જ કહો છો તો આ બેમાં શું તફાવત છે સમાધાન : ઉપક્રમ પ્રાય : ઉદેશમાત્રને નિયત છે અર્થાત્ સામાન્યથી કહે છે. જયારે ઉપોદ્ધાત પ્રાયઃ ઉપક્રમમાં બતાવેલ વસ્તુના વિસ્તારરૂપ ફલવાળો છે અર્થાત ઉપક્રમમાં બતાવેલ વસ્તુનો વિસ્તાર કરે છે. કારણ કે તે ઉપોદ્યાત અર્થના અનુગમ(વ્યાખ્યાન)રૂપ છે. વધુ વિસ્તારથી સર્યું /૧૪૧|| 20 અવતરણિકા : હવે પ્રસ્તુત કહેવાય છે. તેમાં ઉદ્દેશરૂપ પ્રથમધારનો અવયવાર્થ પ્રતિપાદન કરવા કહે છે કે, ગાથાર્થ : નામઉદ્દેશ–સ્થાપનાઉદ્દેશ-દ્રવ્યઉદ્દેશ-ક્ષેત્રઉદ્દેશ-કાળઉદ્દેશ-સમાસઉદ્દેશઉદ્દેશઉદ્દેશ અને આઠમો ભાવઉદ્દેશ છે. ટીકાર્થ : જે જીવાદિનું “ઉદેશ” એ પ્રમાણે નામ કરાય છે તે જીવાદિ નામ–ઉદ્દેશ 25 કહેવાય, અથવા નામનો ઉદ્દેશ તે નામોદેશ (અર્થાત્ વસ્તુના નામનું વાચક શબ્દનું સામાન્યથી કથન કરવું તે નામોદેશ.) સ્થાપનાનું અભિયાન (કથન) તે સ્થાપના–ઉદેશ અથવા કોઈ વસ્તુમાં) ઉદેશની ન્યાસ (સ્થાપના) કરવી તે સ્થાપના – ઉદેશ, દ્રવ્યવિષયક ઉદેશ તે દ્રવ્ય–ઉદેશ અને તે ગમથી–નોઆગમથી – (એમ બે પ્રકારે). તેમાં પણ નો-આગમથી દ્રવ્ય–ઉદ્દેશ જ્ઞ–શરીર, ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત (એમ ત્રણ પ્રકારે). તેમાં પણ તદ્રવ્યતિરિક્ત દ્રવ્ય–ઉદેશ (ત્રણે 30 પ્રકારે) – દ્રવ્યનો, દ્રવ્યવડે અથવા દ્રવ્યની ઉપર. “આ દ્રવ્ય છે એ પ્રમાણે કથન કરવું તે દ્રવ્યનો ઉદ્દેશ, દ્રવ્યવડે ઉદ્દેશ–જેમકે, આ દ્રવ્ય(ધન)પતિ છે” (અર્થાત્ ધનરૂપ દ્રવ્યને લઈ દ્રવ્યપતિનો ઉદ્દેશ કરવો) તથા દ્રવ્યની ઉપર ઉદ્દેશ–જેમકે “સિંહાસન ઉપર રાજા છે, આંબાના Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ નિર્દેશના નિક્ષેપા (નિ. ૧૪૩) वक्तव्यः, एवं कालविषयोऽपीति, 'समासः' संक्षेपस्तद्विषय उद्देशः समासोद्देशः, स च - अङ्गश्रुतस्कन्धाध्ययनेषु द्रष्टव्यः, तत्र अङ्गसमासोद्देश :- अङ्ग अङ्गी तदध्येता तदर्थज्ञ इत्येवमन्यत्रापि योजना कार्या, उद्देश :- अध्ययनविशेषः तस्य उद्देश उद्देशोद्देशः, तद्विषयश्च उद्देश इति, स चोद्देशोद्देशोऽभिधीयते-उद्देशवान् तद्ध्येता तदर्थज्ञो वेति, भावविषयश्च भवति उद्देशः अष्टमक કૃતિ, સ ચાયં-ભાવ: માવી માવજ્ઞો વેતિ ગાથાર્થ: ॥૪૨॥ अयमेव ह्युद्देशोऽष्टविधविशिष्टनामसहितो निर्देश इत्यवसेयः, तथा चाह नियुक्तिकार:एमेव य निद्देसो अट्ठविहो सोऽवि होइ णायव्वो । अविसेसिअमुद्देसो विसेसिओ होइ निद्देसो ॥ १४३ ॥ 5 વ્યાવ્યા— - एवमेव च यथा उद्देश उक्तस्तथा, निर्देशोऽप्यष्टविध एव भवति ज्ञातव्य:, सर्वथा साम्यप्राप्त्यतिप्रसङ्गविनिवृत्त्यर्थमाह- किंतु 'अविशेषितः ' सामान्याभिधानादिगोचरः उद्देशः, 10 विशेषितस्तु भवति निर्देशः, यथा नामनिर्देशो जिनभद्र इत्याद्यभिधानविशेषनिर्देश:, स्थापनानिर्देशः વૃક્ષ ઉપર કોયલ છે, પર્વત ઉપર મયૂર છે.” આજ પ્રમાણે ક્ષેત્ર—કાળનો ઉદ્દેશ પણ કહેવા યોગ્ય છે. (અર્થાત્ ક્ષેત્રનો, ક્ષેત્રવડે અને ક્ષેત્રમાં ઉદ્દેશ તે ક્ષેત્રઉદ્દેશ. એ પ્રમાણે કાળમાં પણ જાણવું.) સમાસ એટલે સંક્ષેપ, તે સંક્ષેપવિષયક ઉદ્દેશ તે સમાસ–ઉદ્દેશ, અને તે અંગ, શ્રુતસ્કંધ તથા અધ્યયનને વિષે જાણવા યોગ્ય છે. તે આ રીતે → અંગ—સમાસ ઉદેશ બે પ્રકારે છે– 15 અગસમાસનો ઉદ્દેશ તથા અગસમાસવડે ઉદ્દેશ. તેમાં અંગસમાસનો ઉદ્દેશ એટલે ‘આ અંગ છે’ એ પ્રમાણે કહેવું, અંગસમાસવડે ઉદ્દેશ એટલે “આ અંગી છે, આ અંગને ભણનાર છે, આ અંગના અર્થનો જાણકાર છે” એ પ્રમાણે કહેવું. આ જ પ્રમાણે શ્રુતસ્કંધ અને અધ્યયનમાં પણ યોજના કરવી. ઉદ્દેશ એટલે અધ્યયનવિશેષ, તેનો જે ઉદ્દેશ તે ઉદ્દેશ—ઉદ્દેશ અર્થાત્ અધ્યયનવિષયક ઉદ્દેશ તે ઉદેશોદેશ કહેવાય છે. અથવા આ ઉદ્દેશવાળો છે, અથવા ઉદ્દેશને ભણનાર છે, અથવા 20 ઉદ્દેશના અર્થનો જાણકાર છે એવું કહેવું તે પણ ઉદ્દેશ—ઉદ્દેશ કહેવાય. ભાવિષયક ઉદ્દેશ આઠમો જાણવો. તે આ પ્રમાણે – આ ભાવ છે, ભાવવાળો છે અથવા ભાવજ્ઞ છે” એવું કહેવું. આ પ્રમાણે આઠપ્રકારના ઉદ્દેશા છે ॥૧૪૨॥ અવતરણિકા : આઠ પ્રકારનો આ ઉદ્દેશ જ વિશિષ્ટનામ સહિત જો હોય તો નિર્દેશ તરીકે ઓળખાય છે. આ જ વાત નિર્યુક્તિકાર કહે છે ગાથાર્થ : આ જ પ્રમાણે તે નિર્દેશ પણ આઠ પ્રકારનો જાણવા યોગ્ય છે. અવિશેષિત હોય તે ઉદ્દેશ અને વિશેષિત હોય તે નિર્દેશ છે. 25 ટીકાર્થ : જે રીતે ઉદ્દેશ કહેવાયો તે રીતે નિર્દેશ પણ આઠ પ્રકારનો જ જાણવા યોગ્ય છે. આ પ્રમાણે કહેવાથી સર્વ પ્રકારે ઉદેશ—નિર્દેશની સામ્યતા થઈ જાય અથવા ઉદ્દેશની વ્યાખ્યા નિર્દેશમાં કે નિર્દેશની વ્યાખ્યા ઉદ્દેશમાં જવાથી અતિવ્યાપ્તિ થાય તેના વારણ માટે કહે છે કે– 30 સામાન્યનામાદિ વિષયક હોય તે ઉદ્દેશ છે અર્થાત્ સામાન્યનામાદિ જણાવવું તે ઉદ્દેશ અને વિશેષ નામાદિવિષયક હોય તે નિર્દેશ છે જેમ કે, “આ જિનભદ્ર છે” એ પ્રમાણે વિશેષનામ કહેવું તે Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) स्थापनाविशेषाभिधानं निर्देशस्थापना वा, विशिष्टद्रव्याभिधानं द्रव्यनिर्देशः यथा - गौः तेन वाअश्ववानित्यादि, एवं क्षेत्रविशेषाभिधानं क्षेत्रनिर्देश: यथा-भरतं, क्षेत्रेण - सौराष्ट्र इत्यादि, कालविशेषाभिधानं कालनिर्देशः यथा - समय इत्यादि, तेन वा - वासन्तिक इत्यादि, समासनिर्देश:आचाराङ्गं आवश्यकश्रुतस्कन्धः सामायिकं चेति, उद्देशनिर्देशः -शस्त्रपरिज्ञादेः प्रथमो द्वितीयो 5 वेति, भगवत्यां वा पुद्गलोद्देशो वेति, भावव्यक्त्यभिधानं भावनिर्देशः यथा — औदयिक इत्यादि, तेन — औदयिकवान् क्रोधीत्यादि वेति अलं विस्तरेणेति गाथार्थः ॥ १४३ ॥ इह समासोद्देशनिर्देशाभ्यामधिकारः, कथं ?, अध्ययनमिति समासोद्देशः सामायिकमिति समासनिर्देशः, इदं च सामायिकं नपुंसकम्, अस्य च निर्देष्टा त्रिविध:- स्त्री पुमान् नपुंसकं चेति, तत्र को नयो नैगमादिः कं निर्देशमिच्छतीत्यमुं अर्थमभिधित्सुराह 1) નિર્દેશ. આ નામ-નિર્દેશ કહ્યો. સ્થાપનાનિર્દેશ એટલે ચોક્કસ વસ્તુની સ્થાપનાનું કથન (અર્થાત્ “હું આ વસ્તુની સ્થાપના કરું છું” એ પ્રમાણે કહેવું) અથવા કોઈ વસ્તુમાં નિર્દેશની સ્થાપના કરવી તે સ્થાપના. વિશિષ્ટ દ્રવ્યોનું કથન કરવું તે દ્રવ્યનિર્દેશ જેમ કે, “આ ગાય છે અથવા દ્રવ્યવડે નિર્દેશ જેમ કે, જે વ્યક્તિ પાસે ઘોડો હોય તે વ્યક્તિ ઘોડાવાળી છે એ પ્રમાણે કહેવું. એ જ પ્રમાણે ક્ષેત્રવિષેનું 15 કથન તે ક્ષેત્ર–નિર્દેશ જેમ કે, “આ ભરતક્ષેત્ર છે”, ક્ષેત્રવડે નિર્દેશ – જેમ કે, “આ વ્યક્તિ સૌરાષ્ટ્ર (સૌરાષ્ટ્રની) છે.” કાળવિશેષનું કથન તે કાળ—નિર્દેશ જેમ કે, “સમય (આવલિકા વિગેરે)” અથવા કાળ વડે નિર્દેશ – જેમ કે,“આ વાસન્તિક (વસંતઋતુમાં થનાર) છે” વગેરે, સમાસનિર્દેશ—અંગ, શ્રુતસ્કંધ અને અધ્યયનના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં અંગરૂપસમાસનો નિર્દેશ “આ આચારાંગ 20 છે' વગેરે, શ્રુતસ્કંધરૂપ સમાસનો નિર્દેશ' આ આવશ્યકશ્રુતસ્કંધ છે” તથા અધ્યયનસમાસનો નિર્દેશ “આ સામાયિક અધ્યયન છે” વગેરે. ઉદ્દેશનો નિર્દેશ તે ઉદ્દેશનિર્દેશ જેમ કે, “શસ્ત્રપરિજ્ઞાદિનો (આચારાંગસૂત્રનુ પ્રથમ અધ્યયન શસ્ત્રપરીજ્ઞા છે) આ પહેલો ઉદ્દેશો છે અથવા આ બીજો ઉદ્દેશો છે” અથવા “ભગવતી સૂત્રમાં પુદ્ગલ—ઉદ્દેશ છે’ વગેરે., ભાવરૂપવ્યક્તિનું કથન તે ભાવ—નિર્દેશ જેમકે, “આ ઔદિયક 25 ભાવ છે” વગેરે, ભાવવડે નિર્દેશ જેમ કે, આ ઔદાયિકભાવવાળો છે અથવા આ ક્રોધી છે વગેરે, આમ આઠ પ્રકારે નિર્દેશ છે. વધુ ચર્ચાથી સર્યું ॥૧૪॥ CO અવતરણિકા : અહીં સમાસ ઉદ્દેશ અને સમાસ નિર્દેશનું પ્રયોજન છે. તે આ રીતે અધ્યયન એ સમાસ–ઉદ્દેશ અને સામાયિક એ સમાસનિર્દેશ છે. આ સામાયિક એ (સાવદ્યયોગના વિરમણરૂપ નિર્દેશને આશ્રયી) નપુંસક છે. (આશય એ છે કે 30 સાવદ્યયોગવિરમણ એ નપુંસકલિંગમાં છે. તેથી આ વિરમણની અપેક્ષાએ સામાયિકનો પણ નપુંસકલિંગમાં નિર્દેશ થાય છે.) અને આ સામાયિકના નિર્દેષ્ટા=ઉચ્ચારણ કરનારા ત્રણ પ્રકારના છે – પુરૂષ, સ્ત્રી અને નપુંસક, તેમાં નૈગમાદિ કયો નય કયા નિર્દેશને ઇચ્છે છે ? તે બતાવતા ગ્રંથકારશ્રી કહે છે Page #336 -------------------------------------------------------------------------- ________________ છે ( નયોની અપેક્ષાએ નિર્દેશનું સ્વરૂપ (નિ. ૧૪૪) : ૩૧૩ दुविहंपि णेगमणओ गिद्देसं संगहो य ववहारो । निद्देसगमुज्जुसुओ उभयसरित्थं च सहस्स ॥१४४॥ व्याख्या-'द्विविधमपि' निर्देश्यवशात् निर्देशकवशाच्च नैगमनयो निर्देशमिच्छति, कुतः ?, लोकसव्यवहारप्रवणत्वात् नैकगमत्वाच्चास्येति, लोके च निर्देश्यवशात् निर्देशकवशाच्च निर्देशप्रवृत्तिरुपलभ्यते, निर्देश्यवशात् यथा-वासवदत्ता प्रियदर्शनेति, निर्देशकवशाच्च यथा- 5 मनुना प्रोक्तो ग्रन्थो मनुः, अक्षुपादप्रोक्तोऽक्षपाद इत्यादि, लोकोत्तरेऽपि निर्देश्यवशात् यथाषड्जीवनिका, तत्र हि षड् जीवनिकाया निर्देश्या इति, एवमाचारक्रियाऽभिधायकत्वादाचार ગાથાર્થ : નિગમનય બંને પ્રકારના નિર્દેશ ઇચ્છે છે. સંગ્રહ અને વ્યવહારનય નિર્દિષ્ટના આધારે નિર્દેશ ઈચ્છે છે. ઋજુસૂત્ર નિર્દેશકની અપેક્ષાએ અને શબ્દનય સમાનલિંગવાળા ઉભય (નિર્દેશક અને નિર્દેશ્યને આશ્રયીને નિર્દેશ ઇચ્છે છે. ટીકાર્થ : (ટીકાની શરૂઆત કરતાં પહેલા ભાવાર્થ સમજી લઈએ. કોઈપણ ગ્રંથનું જયારે નામ પાડવામાં આવે છે ત્યારે તે નામનો નિર્દેશ બે વસ્તુને લઈને થતો હોય છે ૧. નિર્દેશ્યને લઈને જેમ કે, આચારાંગસૂત્રમાં આચારસંબંધી વાતચીતો હોવાથી તે ગ્રંથનું નામ આચારાંગ પાડવામાં આવ્યું. આ “આચારાંગ” નામનો નિર્દેશ તે ગ્રંથમાં નિર્દેશ્ય (વર્ણન કરવા યોગ્ય) એવા આચારો ઉપરથી થયો.. એ જ રીતે ક્યારેક નિર્દેશક (વર્ણન કરનાર વ્યક્તિ)ને લઈને નામનો નિર્દેશ થાય છે જેમ કે મનુ નામના ઋષિવડે કહેવાયેલો ગ્રંથ “મન” નામે ઓળખાયો. આ જ પદ્ધતિએ સાવદ્યયોગનું વિરમણ એ નપુંસક છે. તેથી તેને આશ્રયી સામાયિક નપુંસક કહેવાય છે. જયારે સામાયિકને ઉચ્ચારનારા સ્ત્રી-પુરુષ અને નપુંસકની મુખ્યતાએ સામાયિક ત્રણે લિંગમાં કહેવાય છે. આમ નિર્દેશ નિર્દેશ્ય અને નિર્દેશક બંનેને લઈ થાય છે. તેમાં કયો નય ક્યા કોને આશ્રયીને) નિર્દેશને 20 ઈચ્છે છે ? તે બતાવે છે. મૂલગાથામાં ઈદે શબ્દને બદલે ‘દિઠું' શબ્દ સંગત લાગે છે.) નૈગમનય નિર્દેશ્ય અને નિર્દેશક બંનેના આધારે નિર્દેશને માને છે, કારણ કે આ નય લોકવ્યવહારમાં પ્રવણ અને અનેક પ્રકારવાળો છે અર્થાત્ લોકવ્યવહારને માન્ય રાખનારો છે. અને તેની માન્યતા જુદા જુદા પ્રકારની છે. (નકગમ શબ્દમાં ગમ એટલે પ્રકાર, ન વિદ્યતે જ TE: થી ૪ નૈTE: નય: = નૈમિ: આ પ્રમાણે અર્થ જાણવો) આ નય લોકવ્યવહારને માને 25 છે અને લોકમાં નિર્દેશ્ય-નિર્દેશક બંનેને લઈ નિર્દેશની પ્રવૃત્તિ થાય છે. તેમાં નિર્દેશ્યને લઈ આ પ્રમાણે કે જે ગ્રંથમાં વાસવદત્તાની વક્તવ્યતાનું કથન કરેલું છે તે ગ્રંથ “વાસવદત્તા” નામે ઓળખાય છે. એ જ પ્રમાણે પ્રિયદર્શના વિગેરેમાં પણ જાણવું. નિર્દેશકને આશ્રયી–મનુવડે કહેવાયેલો ગ્રંથ “મન” તરીકે ઓળખાયો, અક્ષપાદ ઋષિવડે કહેવાયેલો ગ્રંથ “અક્ષપદિ” નામે ઓળખાયો, વગેરે. લોકોત્તરમાં પણ નિર્દેશ્યના વશથી નિર્દેશ થતો 30 દેખાય છે જેમ કે, –પજીવનિકાય અધ્યયન, આ અધ્યયનમાં પડૂજીવનિકાય નિર્દેશ્ય તરીકે છે. * દિકું. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) इत्यादि, तथा निर्देशकवशात् जिनवचनं कापिलीयं नन्दसंहितेत्येवमादि, एवं सामायिकमर्थरूपं रूढितो नपंसकमितिकत्वा नैगमस्य निर्देश्यवशान्नपंसकनिर्देश एव, तथा सामायिकवतः स्त्रीपुन्नपुंसकलिङ्गत्वात् तत्परिणामानन्यत्वाच्च सामायिकार्थरूपस्य स्त्रीपुंनपुंसकलिङ्गत्वाविरोधमपि मन्यते, तथा निर्देष्टुस्त्रिलिङ्गसंभवात् निर्देशकवशादपि त्रिलिङ्गतामनुमन्यते नैगमः । आह'द्विविधमपि नैगमनयः' इत्येतावत्युक्ते निर्देश्यवशात् निर्देशकवशाससच्च निर्देशमिच्छतीति क्रियाऽध्याहार: कतोऽवसीयते इति, उच्यते, यत आह-निर्दिष्ट' वस्त्वङ्गीकृत्य, संग्रहो व्यबहारः, चशब्दस्य व्यवहितः संबन्धो, निर्देशमिच्छतीति वाक्यशेषः अत्र भावना-वचन ह्यर्थप्रकाशकमेवोपजायते, प्रदीपवत, यथा हि प्रदीपः प्रकाश्यं प्रकाशयन्नेव आत्मरूपं प्रतिपद्यते, એ જ પ્રમાણે આચારરૂપ ક્રિયાનો કહેનાર ગ્રંથ “આચાર' તરીકે ઓળખાય છે તથા 10 નિર્દેશકના વશથી જિનેશ્વરના વચનો “જિનવચન” તરીકે ઓળખાય છે, તેમ કપિલીય, નંદસંહિતા વગેરે જાણવા. એ જ રીતે અર્થરૂપ (સાવયોગવિરમણરૂપ) સામાયિક રૂઢિથી નપુંસક છે. તેથી નૈગમના નિર્દેશ્યના વશથી “સામાયિક નપુંસક છે” એ પ્રમાણે નપુંસકનો જ નિર્દેશ કરે છે. તથા સામાયિકવાળા નિર્દેશક સ્ત્રી–પુરુષ અને નપુંસક એ ત્રણે લિંગવાળા હોય છે અને 15 તેઓ સામાયિકના પરિણામને અનન્ય (અભિન્ન) હોવાથી અર્થરૂપ સામાયિકનો સ્ત્રી-પુરુષ અને નપુંસક ત્રણે લિંગ હોવામાં પણ આ નય વિરોધ માનતો નથી. (અર્થાત્ અર્થરૂપ સામાયિક પણ ત્રણે લિંગમાં માને છે. આમ નિર્દેશ્યના વશથી સામાયિકનો માત્ર નપુંસકનિર્દેશ અથવા સામાયિકનો ત્રણે લિંગમાં નિર્દેશ બતાવ્યો. હવે નિર્દેશકના વશથી ત્રણે લિંગમાં નિર્દેશ બતાવવા કહે છે.) તથા નિર્દેશક ત્રણે લિંગના હોવાની સંભાવના હોવાથી નૈગમનય નિર્દેશકવશથી પણ 20 સામાયિક ત્રણે લિંગવાળું માને છે. પૂર્વે નિર્દેશ્ય સામાયિકના પરિણામને, સામાયિકવાનું જીવથી અભિન્ન માનીને, સામાયિકવાનું જીવના ૩ લિંગ અનુસાર નિર્દેશ્યવશાત્ સામાયિકના ત્રણ લિગ માન્યા. પછી નિર્દેશક ત્રણે લિંગના હોવાથી નિર્દેશકવશાત્ પણ ત્રણે લિગ માન્યા કૃતિ सूक्ष्ममूहनीयम्) શંકા : “બંને પ્રકારના પણ નિર્દેશને નૈગમનય” મૂલગાથામાં આટલું કહેવા માત્રથી નિર્દેશ્યના 25 વશથી અને નિર્દેશકના વશથી નિર્દેશને ઈચ્છે છે એ પ્રમાણે ક્રિયાનો અધ્યાહાર કેવી રીતે જણાય છે ? (અર્થાત્ બે પ્રકારે આટલું કહેવા માત્રથી નિર્દેશ્ય અને નિર્દેશકને આશ્રયી નિર્દેશ બે પ્રકારે છે એવું કેવી રીતે જણાય ?). સમાધાન : “સંગ્રહ અને વ્યવહારનય નિર્દિષ્ટ વસ્તુને (નિર્દેશ્યને) આશ્રયી નિર્દેશ ઈચ્છે છે” આવું જ કહ્યું છે તેના ઉપરથી નૈગમનયના મતે નિર્દેશનું વૈવિધ્ય જણાય છે. હવે સંગ્રહ 30 અને વ્યવહારનય નિર્દિષ્ટવસ્તુને આશ્રયી જે નિર્દેશને ઈચ્છે છે તેની પાછળનો ભાવાર્થ બતાવે છે – વચન હંમેશા અર્થને પ્રકાશિત કરતું જ ઉત્પન્ન થાય છે જેમ કે, પ્રદીપ એ પ્રકાશ્ય વસ્તુને પ્રકાશિત કરતો જ આત્મરૂપને પામે છે (અર્થાત પ્રદીપ પ્રકાશ્ય વસ્તુને પ્રકાશિત કરતો હોય તો Page #338 -------------------------------------------------------------------------- ________________ ! અને શબ્દનયની અપેક્ષાએ નિર્દેશનું સ્વરૂપ (નિ. ૧૪૪) ઋજુસૂત્ર एवं ध्वनिरप्यर्थं प्रतिपादयन्नेव ततस्तत्प्रत्ययोपलब्धेः, तस्मान्निर्दिष्टवशात् निर्देशप्रवृत्तिरिति, ततश्च सामायिकमर्थरूपं रूढितो नपुंसकमतस्तदधिकृत्य संग्रहो व्यवहारश्च निर्देशमिच्छतीति, अथवा सामायिकवतः स्त्रीपुंनपुंसकलिङ्गत्वात् तत्परिणामानन्यत्वाच्च सामायिकार्थस्य त्रिलिङ्गतामपि मन्यत इति । तथा निर्देशकसत्त्वमङ्गीकृत्य सामायिकनिर्देशं ऋजुसूत्रो मन्यते, वचनस्य वक्तुरधीनत्वात् तत्पर्यायत्वात् तद्भावभावित्वादिति । ततश्च यदा पुरुषो निर्देष्टा तदा पुंल्लिङ्गता, 5 एवं स्त्रीनपुंसकयोजनाऽपि कार्या, तथा 'उभयसदृशं' निर्देश्यनिर्देशकसदृशं समानलिङ्गमेव वस्त्वङ्गीकृत्य, शब्दस्य निर्देशप्रवृत्तिरिति वाक्यशेषः, एतदुक्तं भवति - उपयुक्तो हि निर्देष्टा निर्देश्यादभिन्न एव, तदुपयोगानन्यत्वात्, ततश्च पुंसः पुमांसमभिदधतः पुनिर्देश एव, एवं स्त्रियाः स्त्रियं प्रतिपादयन्त्याः स्त्रीनिर्देश एव, एवं नपुंसकस्य नपुंसकमभिदधानस्य नपुंसकनिर्देश एव, જ તે “પ્રદીપ” તરીકે કહેવાય છે. એટલે કે પ્રકાશ્ય વસ્તુથી જ પ્રદીપ “પ્રદીપ’તરીકેના 10 ઉલ્લેખને પામે છે) એ જ પ્રમાણે વચન પણ અર્થનું પ્રતિપાદન કરતું છતું જ આત્મરૂપને પામે છે કારણ કે શબ્દથી (તત:) અર્થની પ્રતીતિ થાય છે. તેથી નિર્દિષ્ટવંશથી (નિર્દેશ્યવશથી) નિર્દેશની પ્રવૃત્તિ થાય છે. સાવઘયોગવિરમણ એ સામાયિકનો અર્થ છે અને તે રૂઢિથી નપુંસક છે. તેથી સાવદ્યયોગવિરમણરૂપ નપુંસકનિર્દેશ્યને આશ્રયી સામાયિકનો નપુંસકનિર્દેશ સંગ્રહ અને વ્યવહારનય ઈચ્છે છે. અથવા સામાયિકવાળા જીવો ત્રણે લિંગવાળા હોય છે અને સામાયિકના 15 અર્થનો (સાવઘયોગવિરમણનો) પરિણામ આ ત્રણે જીવોથી અભિન્ન છે. માટે સામાયિકના અર્થની ત્રિલિંગતા પણ છે. તેથી આ રીતે નિર્દેશ્યના વશથી સામાયિકની ત્રિલિંગતા પણ સંગ્રહ, વ્યવહાર માને છે. ૩૧૫ = ઋજુસૂત્ર નિર્દેશકજીવને આશ્રયી સામાયિકના નિર્દેશને માને છે, કારણ કે વક્તાની વિદ્યમાનતામાં ( તહ્ભાવે) વચનની વિદ્યમાનતા (વિ) રહેલી છે (તન્માવે માવિત્વાત્), 20 તેથી વચન એ વક્તાનો પર્યાય છે (તત્પર્યાયત્તાત્) અને માટે વચન એ વક્તાને આધીન છે. તેથી સામાયિકનો નિર્દેશ જીવને આશ્રયી માને છે. તેથી જ જ્યારે પુરુષ નિર્દેશક ઉચ્ચાર કરનાર હોય ત્યારે સામાયિક પુલ્ડિંગ ગણાશે. એ જ પ્રમાણે સ્ત્રી—નપુંસકમાં પણ યોજના કરી લેવી. શબ્દનયને ઉભય(નિર્દેશક – નિર્દેશ્ય) સરખા છે અર્થાત્ સમાનલિંગવાળા છે, તેને 25 આશ્રયીને નિર્દેશપ્રવૃત્તિ માને છે. ભાવાર્થ → (ઉપયોગપૂર્વક નિશ્ચિત કરીને જે કથન કરવું તે નિર્દેશ. કૃતિ વિ.આ.ભા.-૧૫૨૯) અને ઉપયુક્ત એવો નિર્દેષ્ટા=ઉચ્ચાર કરનાર નિર્દેશ્યથી અભિન્ન જ ગણાય છે કારણ કે નિર્દેશ્યનો ઉપયોગ અને નિર્દેશક એક જ છે. તેથી જ્યારે પુરુષને નિર્દેશ કરતા પુરુષનો નિર્દેશ એ પુલ્લિંગ છે, સ્ત્રીને નિર્દેશ કરતી સ્ત્રીનો નિર્દેશ સ્ત્રીલિંગ અને નપુંસકને નપુંસકનો નિર્દેશ નપુંસક હોય છે. (આશય એ છે કે પુરુષ પુરુષને નિર્દેશ = કથન કરતો હોય, જેમકે “હે યજ્ઞદત્ત ! આ આ પ્રમાણે કર” એ પ્રમાણે દેવદત્ત યજ્ઞદત્તને નિર્દેશ કરતો હોય ત્યારે દેવદત્ત યજ્ઞદત્તના 30 Page #339 -------------------------------------------------------------------------- ________________ (નિર્દેશ્યના) ઉપયોગથી અનન્ય હોવાથી દેવદત્તનો પુલ્લિંગ નિર્દેશ થાય છે. એટલે કે દેવદત્ત 5 પુલ્લિંગ ગણાય છે. કૃત્તિ વિ.આ.ભા.-૧૫૨૪. એ જ રીતે સ્ત્રી, નપુંસકમાં પણ જાણવું. હવે) જ્યારે પુરુષ સ્ત્રીને કથન કરતો હોય ત્યારે સ્રીના જ્ઞાનોપયોગને અભિન્ન હોવાથી સ્રીરૂપ જ આ પુરુષ ગણાય છે, અર્થાત્ સ્ત્રીને સમાન લિંગવાળો આ પુરુષ ગણાય છે. આમ નિર્દેશક અને નિર્દેશ્યની સમાનલિંગતા થાય છે. આમ સર્વત્ર=સ્ત્રી પુરુષને નિર્દેશ કરે તેમાં, સ્ત્રી નપુંસકને નિર્દેશ કરે તેમાં વગેરે બધામાં સમાનલિંગતાને આશ્રયી નિર્દેશપ્રવૃત્તિ થાય છે. (ટૂંકમાં શબ્દનય 10 સદેશ એવા ઉભયને = સમાન લિંગવાળા નિર્દેશક અને નિર્દેશ્યરૂપ ઉભયને આશ્રયી નિર્દેશની પ્રવૃત્તિ માને છે.) ૩૧૬ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) यदा तु पुमान् स्त्रियमभिधत्ते, तदा स्त्र्युपयोगानन्यत्वात् स्त्रीरूप एवासौ, निर्देश्यनिर्देशकयोः समानलिङ्गतैव, एवं सर्वत्र योज्यं, असमानलिङ्गनिर्देष्टाऽस्य अवस्त्वेव, यदा पुमान् पुमांसं स्त्रियं चाहेति, कुतः ?, तस्य पुरुषयोषिद्विज्ञानोपयोगभेदाभेदविकल्पद्वारेण पुरुषयोषिदापत्तेः, अन्यथा (શંકા : આ વાત તો બરાબર છે કે પુરુષ પુરુષને કે સ્ત્રીને નિર્દેશ કરતો હોય ત્યારે તેના ઉપયોગને અભિન્ન હોવાથી પુરુષનો પુલ્લિંગનિર્દેશ ગણાય. પરંતુ જ્યારે પુરુષ અસમાન લિંગવાળા એવા સ્ત્રી-પુરુષ ઉભયને એકકાળે નિર્દેશ કરતો હોય ત્યારે કયો નિર્દેશ ગણાય ? આવી શંકાનું 15 સમાધાન આપતા કહે છે કે →) પુરુષ પુરુષ-સ્ત્રી ઉભયને જ્યારે નિર્દેશ કરતો હોય, ત્યારે આવા અસમાનલિગવાળાઓને નિર્દેશ કરતો પુરુષ શબ્દનયના મતે અવસ્તુ જ છે કારણ કે તેની (વક્તાની) પુરુષ–સ્ત્રીના વિજ્ઞાન—ઉપયોગના ભેદાભેદ વિકલ્પદ્વારા પુરુષ–સ્ત્રીરૂપતાની પ્રાપ્તિ થઈ જાય છે. (કહેવાનો આશય એ છે કે જ્યારે પુરુષ પુરુષને અને સ્ત્રીને નિર્દેશ કરે છે ત્યારે તે 20 વક્તાનો પુરુષવિજ્ઞાનનો ઉપયોગ અને સ્ત્રીવિજ્ઞાનનો ઉપયોગ પરસ્પર ભેદરૂપ છે કે અભેદરૂપ છે એટલે કે આ બંને ઉપયોગનો પરસ્પર ભેદ છે કે અભેદ છે ? એમ બે વિકલ્પ ઊભા થાય છે. તેમાં પ્રથમ જો પરસ્પર ભેદ માનીએ તો વક્તાનો આ બંને ઉપયોગ સાથે અભેદ હોવાથી અને આ બંને ઉપયોગોનો પરસ્પર ભેદ હોવાથી વક્તા પરસ્પર વિભિન્ન પુરુષ અને સ્ત્રી બની જાય છે જે ઇષ્ટ નથી. 25 30 હવે જો ઉપયોગોનો પરસ્પર અભેદ માનીએ તો સુતરાં વક્તા પુરુષ–સ્ત્રી ઉભયરૂપ શબલતાને (મિશ્રતાને) પામે છે તે પણ ઇષ્ટ નથી. આમ ભેદાભેદ બંને વિકલ્પો દ્વારા વક્તા પુરુષ–સ્ત્રીરૂપ બની જતો હોવાથી અસમાનલિંગવાળો નિર્દેશક હોતો નથી અર્થાત્ જ્યારે વક્તા પુરુષ–સ્ત્રી ઉભયને નિર્દેશ કરે ત્યારે તે નિર્દેશક અવસ્તુ જ છે) અન્યથા = "જો ઉપયોગને જીવથી જુદો માનો તો વસ્તુના અભાવનો જ પ્રસંગ આવે. * સંચોડ્યું । (H) મલધારીય હેમચન્દ્રસૂરિજીની ટિપ્પણીમાં આ પદાર્થ જણાવેલ છે. તે ટિપ્પણી પરિશિષ્ટ નં. ૧માં આપેલી છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ નિર્ગમના નિક્ષેપા (નિ. ૧૪૪–૧૪૫) કે ૩૧૭ वस्त्वभावप्रसङ्गात्, तस्मादुपयुक्तो यमर्थमाह स तद्विज्ञानानन्यत्वात्तन्मय एव, तन्मयत्वाच्च तत्समानलिङ्गनिर्देशः, ततश्च सामायिकवक्ता तदुपयोगानन्यत्वात् सामायिकं प्रतिपादयन्नात्मानमेवाह यतः तस्मात्तत्समानलिङ्गाभिधान एवासौ, रूढितश्च सामायिकार्थरूपस्य नपुंसकत्वात्स्त्रियाः पुंसो नपुंसकस्य वा प्रतिपादयतः सामायिक नपुंसकलिङ्गनिर्देश एवेति गाथासमासार्थः । व्यासार्थस्तु विशेषविवरणादवगन्तव्य इति । सर्वनयमतान्यपि चामूनि पृथग्विपरीतविषयत्वात् न प्रमाण, 5 समुदितानि त्वन्तर्बाह्यनिमित्तसामग्रीमयत्वात् प्रमाणमिति अलं विस्तरेण, गमनिकामात्रप्रधानत्वात् प्रस्तुतप्रयासस्य ॥१४४॥ इदानीं निर्गमविशेषस्वरूपप्रतिपादनायाह - नाम ठवणा दविए खित्ते काले तहेव भावे अ । (આશય એ છે કે ઉપયોગ એ જીવનું લક્ષણ છે. હવે જો વક્તા એ ઉપયોગથી જુદો છે એવું 10 માનો તો વક્તા ઉપયોગ વિનાનો થવાથી જીવરૂપ જ કહેવાય નહીં અને અજીવરૂપ તો નથી જ, માટે વકૃતારૂપ વસ્તુનો જ અભાવ માનવાનો પ્રસંગ આવશે) તેથી ઉપયુક્ત વ્યક્તિ જે અર્થને કહે છે તે વ્યક્તિ એ અર્થના જ્ઞાનથી અભિન્ન હોવાથી તે અર્થમય છે. અને તે અર્થમય હોવાથી તે વ્યક્તિનો નિર્દેશ અર્થને સમાનલિંગવાળો હોય છે. આમ સામાયિકનો વક્તા સામાયિકના પરિણામથી અભિન્ન હોવાથી સામાયિકનું પ્રતિપાદન 15 કરતો જે કારણથી પોતાને જ કહે છે (અર્થાત્ જયારે સામાયિકનું પ્રતિપાદન કરતો હોય ત્યારે સામાયિકના ઉપયોગને અભિન્ન હોવાથી તે પુરુષ સામાયિક જ છે. અને તેથી સામાયિકનું પ્રતિપાદન કરતો તે પુરુષ પોતાને જ કહે છે) તેથી તે વક્તા સામાયિકને સમાન લિંગવાળો કહેવાય છે અને સામાયિકનો અર્થ રૂઢિથી નપુંસક હોવાથી, સામાયિકનું પ્રતિપાદન કરતા સ્ત્રી-પુરુષ અથવા નપુંસકનો નપુંસકલિંગે જ 20 નિર્દેશ થાય છે. આ પ્રમાણે સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારાર્થ વિશેષવિવરણમાંથી (આવશ્યકની બૃહટીકા, જે હાલ પ્રાપ્ત થતી નથી.) જાણી લેવો. આ બધા નો જુદા જુદા હોય તો વિપરીત વિષયવાળા હોવાથી પ્રમાણભૂત નથી. પરંતુ ભેગા થયેલા આ જ નયો અન્તર–બાહ્યનિમિત્તની સામગ્રીરૂપ બનતા હોવાથી પ્રમાણરૂપ છે. (કહેવાનો આશય એ છે કે આ બધા નયોમાં કો'ક બાહ્યનિમિત્તને જ, તો કો'ક આંતરિક 25 નિમિત્તને જ ગ્રહણ કરનારા હોવાથી, એકલા = જુદા જુદા પ્રમાણ નથી. પરંતુ આ બધા નયો ભેગા કરીએ તો બાહ્ય અને આંતરિક નિમિત્તરૂપ સામગ્રીવાળા થવાથી પ્રમાણરૂપ બને છે.) આમ, વધુ ચર્ચા કરતા નથી કારણ કે ગ્રંથારંભના પ્રયાસમાં અક્ષરવ્યાખ્યા જ પ્રધાન છે. (વિસ્તાર નહીં) //૧૪૪ો અવતરણિકા : આ પ્રમાણે ઉદ્દેશ અને નિર્દેશ કહ્યા. હવે નિર્ગમનામના ત્રીજા દ્વારનું વિશેષ સ્વરૂપ બતાવવા કહે છે ? ગાથાર્થ : નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવ એ છ પ્રકારના નિર્ગમના નિક્ષેપ છે. + ofત માં ! 30 Page #341 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एसो उ निगमस्सा णिक्खेवो छव्विहो होइ ॥ १४५ ।। गमनिका-नामस्थापने पूर्ववत्, द्रव्य निर्गमः - आगमनोआगमज्ञशरीरेतरव्यतिरिक्तः, स च त्रिधा—सचित्ताचित्तमिश्रभेदभिन्नः, तत्र सचित्तात्सचित्तस्य यथा पृथिव्या अङ्करस्य, सचित्तान्मिश्रस्य यथा - भूमेः पतङ्गस्य, सचित्तादचित्तस्य यथा - भूमेर्बाष्पस्य तथा मिश्रात्सचित्तस्य यथा5. વેહાદ્ધમિસ્ત્ર, મિશ્રમિશ્રસ્ય યથા—શ્રીવેહાદૂર્મસ્ય, મિશ્રાવિત્તસ્ય યથા—àહાર્ વિષ્ઠાયા:, अचित्तात्सचित्तस्य यथा - काष्ठात्कृमिकस्य, अचित्तान्मिश्रस्य यथा - काष्ठाद् घुणस्य, अचित्तादचित्तस्य यथा— काष्ठाद् घूणचूर्णस्य । अथवा द्रव्यात् द्रव्यस्य द्रव्यात् द्रव्याणां द्रव्येभ्यो द्रव्यस्य द्रव्येभ्यो द्रव्याणामिति, तत्र द्रव्याद् द्रव्यस्य यथा - रूपकात् रूपकस्य निर्गमः. एकस्मादेव कलान्तरप्रयुक्तादिति भावार्थ:, एकस्मादेव कलान्तरतः प्रभूतनिर्गमो द्वितीयभङ्गभावना, 10 प्रभूतेभ्यः स्वल्पकालेनैकस्य निर्गमो भवति तृतीयभङ्गभावना, प्रभूतेभ्यः प्रभूताना कैलान्तरतश्चतुर्थभङ्गभावनेति, 'क्षेत्रे' इति क्षेत्रविषयो निर्गमः प्रतिपाद्यते, एवं सर्वत्र अक्षरगमनिका ૩૧૮ ટીકાર્થ : નામ—સ્થાપના પૂર્વની જેમ જાણી લેવા. દ્રવ્યનિર્ગમ તરીકે આગમથી—નોઆગમથી બે પ્રકારે, તેમાં નો—આગમથી જ્ઞશરીર–ભવ્યશરીર અને તદ્ધતિરિક્ત એમ ત્રણ પ્રકારે છે. તેમાં પણ વ્યતિરિક્ત દ્રવ્યનિર્ગમ સચિત્ત—અચિત્ત અને મિશ્રના ભેદથી ત્રણે પ્રકારે છે. સચિત્તમાંથી 15 સચિત્તનો નિર્ગમ જેમ કે, પૃથ્વીમાંથી અંકુરાનો, સચિત્તમાંથી મિશ્રનો નિર્ગમ – જેમ કે, ભૂમિમાંથી પતંગિયાનો નિર્ગમ (અહીં પાંખો વગેરે અચિત્ત હોવાથી મિશ્ર, સચિત્તમાંથી અચિત્તનો નિર્ગમ જેમકે, ભૂમિમાંથી બાષ્પનો નિર્ગમ. તથા મિશ્રમાંથી સચિત્તનો જેમ કે, દેહમાંથી કૃમિઓનો, મિશ્રમાંથી મિશ્રનો જેમ કે, સ્ત્રીના દેહમાંથી ગર્ભનો નિર્ગમ, મિશ્રમાંથી અચિત્તનો – જેમ કે દેહમાંથી વિષ્ઠાનો નિર્ગમ, તથા 2) અચિત્તમાંથી ચિત્તનો—જેમ કે લાકડાંમાંથી કૃમિનો, અચિત્તમાંથી મિશ્રનો– જેમ કે – લાકડાંમાંથી ધુણ(તેના પણ કેટલાક અંગ અચિત્ત સંભવે છે)નો, અચિત્તમાંથી અચિત્તનો—જેમ કે—લાકડાંમાંથી ધુણના ચૂર્ણનો નિર્ગમ. અથવા દ્રવ્યમાંથી દ્રવ્યનો (નિર્ગમ). દ્રવ્યમાંથી દ્રવ્યોનો, દ્રવ્યોમાંથી દ્રવ્યનો, દ્રવ્યોમાંથી દ્રવ્યોનો નિર્ગમ. તેમાં દ્રવ્યમાંથી દ્રવ્યનો નિર્ગમ – જેમ કે, રૂપિયામાંથી રૂપિયાનો નિર્ગમ અર્થાત્ 25 ૧ રૂપિયાનું વ્યાજ ચડતાં—ચડતાં ૧ રૂપિયો થાય ત્યારે કલાન્તર(વ્યાજ) વડે ૧ રૂપિયામાંથી ૧ રૂપિયાનો નિર્ગમ થયો, એ જ રીતે ૧ રૂપિયામાંથી વ્યાજ દ્વારા ઘણા રૂપિયાનો નિર્ગમ. આ બીજો ભાંગો જાણવો. ઘણા રૂપિયા વ્યાજે મુકતાં અલ્પકાળમાં એક રૂપિયાનું વ્યાજ મળે ત્યારે ઘણામાંથી એકનો નિર્ગમરૂપ ત્રીજો ભાંગો, ઘણા રૂપિયામાંથી લાંબા કાળે ઘણા રૂપિયા વ્યાજે મળે તે ચોથો ભાંગો 30 જાણવો. તથા ક્ષેત્રવિષયક નિર્ગમ કહેવા યોગ્ય છે એ પ્રમાણે મૂળગાથામાં ‘ક્ષેત્ર' શબ્દની સપ્તમી વિભક્તિનો અર્થ જાણવો. આ પ્રમાણે દરેક શબ્દમાં રહેલ સપ્તમીનો વિષય અર્થ સમજવો. + દ્રવ્યય દ્રવ્યાદા । ૢ ofTM: સચિત્તા॰ । * નિર્મમો વત્તવ્ય: તૃતી। + વ્હાલાન્તરતજ્જ૦ | Page #342 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્ર, કાલ અને ભાવનિર્ગમ (નિ. ૧૪૫) ક ૩૧૯ कार्या, तथा क्षेत्रात् क्षेत्रस्य वा निर्गमः क्षेत्रनिर्गमः, तत्र क्षेत्राद्विनिर्गमो यथा अधोलोकक्षेत्राद्विनिर्गत्य जीवस्तिर्यग्लोके समागत इत्यादि, क्षेत्रस्य विनिर्गमो यथा राजकुलाल्लब्धममुकं क्षेत्रमिति, कालात्कालस्य वा निर्गमः] कालनिर्गम:-कालो ह्यमूर्तस्तथापि उपचारतो वसन्तस्य निर्गमः दुर्भिक्षाद्वा निर्गतो देवदत्तो बालकालाद्वेति, अथवा कालो द्रव्यधर्म एव, तस्य द्रव्यादेव निर्गमः, तत्प्रभवत्वादिति, एवं भावनिर्गम: तत्र पुद्गलाद्वर्णादिनिर्गमः, जीवात्क्रोधादिनिर्गमः इति, तयोर्वा 5 पुद्गलजीवयोर्वर्णविशेषक्रोधादिभ्यो निर्गम इति, एष एव निर्गमस्य निक्षेपः षड्विध इति गाथार्थः एवं शिष्यमतिविकाशार्थं प्रसङ्गत उक्तोऽनेकधा निर्गमः, इह च प्रशस्तभावनिर्गममात्रेण अप्रशस्तापगमेन वाऽधिकारः, शेषैरपि तदङ्गत्वाद्, इह च द्रव्यं वीरः क्षेत्रं महसेनवनं काल: प्रमाणकालः भावश्च भावपुरुषः, एवं च निर्गमाङ्गानि द्रष्टव्यानीति एतानि च द्रव्याधीनानि यतः 10 अतः प्रथमं जिनस्यैव मिथ्यात्वादिभ्यो निर्गममभिधित्सुराहક્ષેત્રમાંથી અથવા ક્ષેત્રનો નિર્ગમ તે ક્ષેત્રનિર્ગમ. તેમાં ક્ષેત્રમાંથી નિર્ગમ–જેમ કે અધોલોકરૂપક્ષેત્રમાંથી નીકળીને જીવ તિર્યશ્લોકમાં આવે, વગેરે. ક્ષેત્રનો નિર્ગમ–જેમ કે, રાજકુલમાંથી (ઈનામરૂપે) મળેલું અમુક ક્ષેત્ર. કાળથી અથવા કાળનો નિર્ગમ તે કાળનિર્ગમ. જો કે કાળ અમૂર્ત છે તો પણ ઉપચારથી (કાળનો નિર્ગમ બતાવાય છે). તેમાં કાળનો નિર્ગમ જેમ કે વસંતઋતુનો નિર્ગમ (ઉત્પત્તિ) અથવા (કાળથી નિર્ગમ) દુકાળમાંથી દેવદત્તનો નિર્ગમ અથવા બાલ્યાવસ્થામાંથી નિર્ગમ. અથવા કાળ એ દ્રવ્યનો ધર્મ જ છે. તે કાળ દ્રવ્યમાંથી ઉત્પન્ન થતો હોવાથી કાળનો દ્રવ્યમાંથી જે નિર્ગમ તે કાળનિર્ગમ. આ જ પ્રમાણે ભાવનિર્ગમમાં પુદ્ગલમાંથી વર્ણાદિનો નિર્ગમ, જીવમાંથી ક્રોધાદિનો નિર્ગમ, એ ભાવનો નિર્ગમ જાણવો. અથવા ભાવમાંથી નિર્ગમ–પુદ્ગલનો વર્ણાદિવિશેષમાંથી અને જીવનો ક્રોધાદિમાંથી 20 નિર્ગમ આ પ્રમાણે નિર્ગમના પર્ણકારના નિક્ષેપો છે. |૧૪પો. અવતરણિકા : આ પ્રમાણે શિષ્યમતિના વિકાસ માટે પ્રસંગથી અનેક પ્રકારનો નિર્ગમ કહ્યો. અને તેમાંથી અહીં પ્રશસ્તભાવનિર્ગમમાત્રવડે અથવા અપ્રશસ્તના ત્યાગવડે અધિકાર છે. શેષ નિર્ગમાં પણ પ્રશસ્તભાવનિર્ગમના અથવા અપ્રશસ્તત્યાગના કારણો હોવાથી તેનો પણ અહીં તે રૂપે અધિકાર છે. તેમાં દ્રવ્ય તરીકે વીરપ્રભુ, ક્ષેત્ર તરીકે મહસેનવન, કાળ તરીકે 25 પ્રમાણકાળ અને ભાવ તરીકે ભાવપુરુષ(વર્ધમાનસ્વામી) જાણવાનો છે. (આ બધાનો નિર્ગમ ક્રમશઃ બતાવવામાં આવશે કારણ કે, આ દ્રવ્યાદિ (સામાયિકરૂપ પ્રશસ્તભાવ) નિર્ગમના અંગો છે. આ બધા દ્રવ્યને આધીન હોવાથી સૌ પ્રથમ દ્રવ્યરૂપ જિનનો જ મિથ્યાત્વાદિમાંથી નિર્ગમ કહેવામાં આવે છે. (અર્થાત્ પ્રથમ દ્રવ્યનિર્ગમ બતાવે છે, તેમાં દ્રવ્ય તરીકે જિન છે. તેથી તેનો નિર્ગમ બતાવે છે, જે ૪. [ ] પર્વતન્તવર્તી પહો મુદ્રિતપ્રત નાસ્તા + વિવાર્થ ! 30 Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ મી આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) पथं किर देसित्ता साहूणं अडविविप्पणट्ठाणं । सम्मत्तपढमलंभो बोद्धव्वो वद्धमाणस्स ॥१४६॥ गमनिका-पन्थानं किल देशयित्वा साधूनां अटवीविप्रनष्टानां पुनस्तेभ्य एव देशनां श्रुत्वा सम्यक्त्वं प्राप्तः, एवं सम्यक्त्वप्रथमलाभो बोद्धव्यो वर्धमानस्येति समुदायार्थः ॥१४६॥ 5 अवयवार्थः कथानकादवसेयः, तच्चेदम्-अवरविदेहे एगंमि गामे बलाहिओ, सो य रायादेसेण सगडाणि गहाय दारुनिमित्तं महाडविं पविट्ठो, इओ य साहुणो मग्गपवण्णा सत्थेण समं वच्चंति, सत्थे आवासिए भिक्खटुं पविट्ठाणं गतो सत्थो, पहावितो, अयाणंता विभुल्ला, मूढदिसा पंथं अयाणमाणा तेण अडविपंथेण मज्झण्हदेसकाले तण्हाए छुहाए 'अपरद्धा तं देसं गया जत्थ सो सगडसण्णिवेसो, सो य ते पासित्ता महंतं संवेगमावण्णो भणति-अहो इमे साहुणो अदेसिया 10. ગાથાર્થ : અટવીને વિષે ભૂલા પડેલા સાધુઓને માર્ગ દેખાડીને (તેઓ પાસેથી દેશના સાંભળીને સમ્યક્ત પ્રાપ્ત કર્યું) વર્ધમાનસ્વામીનો આ સમ્યક્તનો પ્રથમલાભ જાણવો. ટીકાર્થ : અટવીને વિષે માર્ગમાંથી ભૂલા પડેલા સાધુઓને માર્ગ દેખાડીને, વળી તે સાધુઓ પાસેથી જ દેશનાને સાંભળી વર્ધમાનસ્વામી સમ્યક્ત્વને પામ્યા. આ પ્રમાણે વર્ધમાનસ્વામીને સમ્યત્વનો પ્રથમ લાભ જાણવો. આ ગાથાર્થ બતાવ્યો. ૧૪૬ વિસ્તારાર્થ કથાનકમાથી જાણવો 15 તે આ પ્રમાણે – પશ્ચિમવિદેહના એક ગામમાં ગ્રામચિતક (મુખી) રહેતો હતો. એકવાર તે રાજાના આદેશથી ગાડાઓને લઈ લાકડાંઓ લેવા મોટા જંગલમાં પ્રવેશ્યો. બીજી બાજુ સાધુઓ સાથેની સાથે રસ્તા પર વિહાર કરતા હતા. એક સ્થાને સાર્થે પડાવ નાખ્યો. એટલે સાધુઓ ભિક્ષાર્થે નીકળ્યા, તેવામાં સાર્થ નીકળી ગયો અને ઘણી આગળ ચાલ્યો ગયો. સાધુઓ માગને નહીં 20 જાણતા હોવાથી તેઓ ભૂલા પડ્યા. દિશાઓને વિષે મોહ પામેલા માર્ગને નહીં જાણતા તે સાધુઓ અટવીના માર્ગે મધ્યાહ્ન સમયે ભૂખ-તરસથી પીડાતા તે દેશ પાસે આવ્યા જયાં બધા ગાડાઓ ઊભાં હતાં. પોતાની તરફ આવતા સાધુઓને જોઈ તે ગ્રામચિંતક અત્યંત સંવેગ પામ્યો અને કહ્યું, અહો ! આ અદેશિકા (દેશક વિનાના = ભોમિયા વિનાના હોવાથી) તપસ્વી એવા સાધુઓ 25 આ જંગલમાં આવી ચડ્યા છે.” તે ગ્રામચિતકે અનુકંપાથી (ભક્તિથી) તે સાધુઓને પુષ્કળ ४६. अपरविदेहेषु एकस्मिन्ग्रामे बलाधिकः, स च राजादेशेन शकटानि गृहीत्वा दारुनिमित्तं महाटवीं प्रविष्टः, इतश्च साधवः मार्गप्रपन्नाः सार्थेन समं व्रजन्ति, सार्थे आवासिते भिक्षार्थं प्रविष्टेषु गतः सार्थः, प्रधावितः, अजानन्तो भ्रष्टाः, दिग्मूढाः पन्थानमजानानाः तेन अटवीपथेन मध्याह्नदेशकाले तृषा क्षुधा अपराद्धाः ( च व्याप्ताः) तं देशं गता यत्र स शकटसन्निवेशः, स च तान् दृष्ट्वा महान्तं संवेगमापन्नो भणति-अहो इमे साधवोऽदेशिका: * जह मिच्छत्ततमाओ विणिग्गओ जह य केवलं पत्तो । जह य, पयासिअमेयं सामइअं तह पवक्खामि ॥१॥ (गाथैषाऽव्याख्याता नियुक्तिपुस्तके ) । पहाविता । + य પારદ્ધા ! Page #344 -------------------------------------------------------------------------- ________________ प्रभुवीर ने सभ्यत्वनी प्राप्ति (ला. १-२ ) ૩૨૧ वसिणी अडविणुपविट्ठा, तेसिं सो अणुकंपाए विपुलं असणपाणं दाऊणं आह-एह भगवं ! . जेण पथे णमवयारेमि, पुरतो संपत्थिओ, ताहे तेऽवि साहुणो तस्सेव मग्गेण अगच्छंत गुरु तस्स धम्मं कहेदु( उ ) मारद्धो, तस्स सो अवगतो, ते पंथं समोयारेत्ता नियत्तो, ते पत्ता सस(सं), सो पुण अविरयसम्मद्दिट्ठी कालं काऊण सोहम्मे कप्पे पलिओवमठिइओ देवो जाओ । अस्यैवार्थस्योपदर्शकमिदं गाथाद्वयमाह भाष्यकारः 5 अवरविदेहे गामस्स चिंतओ रायदारुवणगमणं । साहू भिक्खनिमित्तं सत्था हीणे तहिं पासे ॥ १ ॥ ( भाष्यम्) दाणन्न पंथनयणं अणुकंप गुरू कहण सम्मत्तं । सोहम्मे उववण्णो पलियाउ सुरो महिड्डीओ ॥ २ ॥ ( भाष्यम्) गमनिका - अवरविदेहे ग्रामस्य चिन्तको राजदारुवनगमनं, निमित्तशब्दलोपोऽत्र द्रष्टव्य:, 10 राजदारुनिमित्तं वनगमनं, साधून् भिक्षानिमित्तं सार्थाभ्रष्टाँस्तत्र दृष्टवान्, दानमन्नपानस्य, नयनं पैंथि अनुकम्पया गुरोः कथनं सम्यक्त्वं प्राप्तः मृत्वा सौधर्म उपपन्नः पल्योपमायुः सुरो महद्धिक इति गाथाद्वयार्थः । અશનાદિ આપીને કહ્યું “પ્રભુ ! મારી સાથે આવો, જેથી તમને હું માર્ગ સુધી પહોંચાડું.” ગ્રામચિંતક આગળ ચાલ્યો ત્યારે તે સાધુઓ પણ તે ગ્રામચિંતકની પાછળ-પાછળ જવા લાગ્યાં, 15 તે સમયે ગુરુ તે ગ્રામચિંતકને ધર્મ કહેવા લાગ્યાં. ગ્રામચિંતકવડે તે ધર્મ સ્વીકારાયો. ત્યાર બાદ સાધુઓને માર્ગ ઉપર ચઢાવી તે પાછો વળ્યો. સાધુઓ પોતાના સ્થાને પહોંચ્યા. તે ગ્રામચિતક અવિરતસમ્યષ્ટિ મૃત્યુ પામી સૌધર્મકલ્પમાં એક પલ્યોપમની સ્થિતિવાળો દેવ થયો. અવતરણિકા : આ અર્થને જ બતાવતી બે ગાથાને ભાષ્યકાર કહે છે ગાથાર્થ : બંને ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવા. 20 ટીકાર્થ : પશ્ચિમવિદેહમાં ગામનો ચિંતક, રાજદારુવનગમન અહીં નિમિત્તશબ્દનો લોપ થયેલ હોવાથી અર્થ આ પ્રમાણે જાણવો કે રાજાની આજ્ઞાથી લાકડાંનિમિત્તે વનમાં ગમન ભિક્ષાનિમિત્તે નીકળેલા અને સાર્થથી ભ્રષ્ટ થયેલા એવા સાધુઓને ત્યાં જોયા. અન્ન—પાણીનું દાન કર્યું. અનુકંપાથી (ભક્તિથી) માર્ગ તરફ સાધુઓને લઈ જવા, ગુરુનું ધર્મકથન, સમ્યક્ત્વની પ્રાપ્તિ, મરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયો, પલ્યોપમ આયુષ્યવાળો મહર્ધિક દેવ થયો. 25 ॥ भाष्य : १-२ ॥ — ४७. तपस्विनोऽटवीमनुप्रविष्टाः, तेभ्योऽसौ अनुकम्पया विपुलमशनपानं दत्त्वाऽऽह - एत भगवन्तः ! येन पथि युष्मानवतारयामि, पुरतः संप्रस्थितः, तदा तेऽपि साधवः तस्यैव पृष्ठतः अनुगच्छन्ति, ततो गुरुः तस्मै धर्मं कथयितुमारब्धः, तेन सोऽवगतः, तान्पथि समवतार्य निवृत्तः, ते प्राप्ताः स्वदेशं, स पुनरविरतसम्यग्दृष्टिः कालं कृत्वा सौधर्मे कल्पे पल्योपमस्थितिको देवो जातः । पथि नयनं । 30 + गाथार्थः । Page #345 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) लद्धूण य सम्मत्तं अणुकंपाए उ सो सुविहियाणं । भासुरवरबोंदिधरो देवो वेमाणिओ जाओ ॥ १४७ ॥ गमनिका-लब्ध्वा च सम्यक्त्वं अनुकम्पयऽसौ सुविहितेभ्यः भास्वरां - दीप्तिमतीं वरां5 प्रधानां 'बोंदिं' तनुं धारयतीति समासः, देवो वैमानिको जात इति निर्युक्तिगाथार्थः ॥१४७॥ तथा च 10 ૩૨૨ 20 - चइऊण देवलोगा इह चेव य भारहंमि वासंमि । इक्खागकुले जाओ उसभसुअसुओ मरीइति ॥ १४८ ॥ व्याख्या - ततः स्वायुष्क क्षये सति च्युत्वा देवलोकादिहैव भारते वर्षे इक्ष्वाकुकुले जातः ' उत्पन्नः ऋषभसुतसुतो मरीचिः सामान्येन ऋषभपौत्र इति गाथार्थः ॥ १८ ॥ यतश्चैवमतःइक्खागकुले जाओ इक्खागकुलस्स होइ उप्पत्ती । कुलगरवंसेऽई भरहस्स सुओ मरीइति ॥ १४९ ॥ व्याख्या - इक्ष्वाकूणां कुलं इक्ष्वाकुकुलं तस्मिन्, 'जात: ' उत्पन्न:, भरतस्य सुतो मरीचिरिति योग:, तत्र सामान्यऋषभपौत्रत्वाभिधाने सति इदं विशेषाभिधानमदुष्टमेव, स च कुलकरवंशे 15 जातः, तत्र कुलकरा वक्ष्यमाणलक्षणास्तेषां वंशः कुलकरैवंशः प्रवाह इति समासः, तस्मिन्नतीते ગાથાર્થ સમ્યક્ત્વને પામીને તે સુવિહિત સાધુઓની અનુકંપાથી દૈદિપ્યમાનશરીરને ધારણ કરનારો વૈમાનિક દેવ થયો. ટીકાર્થ : સમ્યક્ત્વને પામીને તે ગ્રામચિંતક સુવિહિત સાધુઓની અનુકંપાથી (ભક્તિથી= ભક્તિના પ્રભાવે) દૈદિપ્યમાન શરીરને ધારણ કરનારો વૈમાનિક દેવ થયો ॥૧૪॥ ગાથાર્થ : દેવલોકમાંથી ચ્યવી આ જ ભરતક્ષેત્રનાં ઇક્ષ્વાકુકુલમાં ઋષભપુત્રનો પુત્ર મરીચિ નામે ઉત્પન્ન થયો. ટીકાર્થ : પોતાનું આયુષ્ય પુરું થતાં દેવલોકમાંથી આવી આ ભરતક્ષેત્રમાં ઇક્ષ્વાકુકુલમાં “મરીચિ” નામે ઋષભપુત્રનો પુત્ર અર્થાત્ ઋષભપૌત્ર તરીકે ઉત્પન્ન થયો ||૧૪૮।। ગાથાર્થ : કુલકરવંશ પૂરો થતાં ઇક્ષ્વાકુકુલની ઉત્પત્તિ થઈ, તે ઇક્ષ્વાકુકુલમાં મરીચિ નામે 25 ભરતનો પુત્ર થયો. ટીકાર્થ : ઇક્ષ્વાકુઓનું જે કુલ તે ઇક્ષ્વાકુકુલ – તેમાં ભરતનો પુત્ર મરીચિ ઉત્પન્ન થયો એ પ્રમાણે અન્વય કરવો. સામાન્યથી ઋષભના પૌત્રપણાનું કથન કરવા છતાં ‘‘ભરતનો પુત્ર” એ પ્રમાણે વિશેષકથન અદુષ્ટ છે (આશય એ છે કે ઋષભદેવને ભરત વિ. ૧૦૦ પુત્રો હતાં. માત્ર ઋષભદેવનો પૌત્ર એમ કહેવાથી કોનો પુત્ર, એ સ્પષ્ટ ન થાય તેથી અહીં વિશેષથી કહ્યું 30 – ભરતનો પુત્ર) તે મરીચિ કુલકરવંશ પૂરો થયા પછી ઉત્પન્ન થયો. અહીં કુલકરોનું સ્વરૂપ આગળ બતાવશે. તેઓનો વંશ=પ્રવાહ તે કુલકરવંશ આ પ્રમાણે સમાસ કરવો. તે કુલકરવંશ - + મો। × ૦તેમાં વંશ પ્રવાહ: । Page #346 -------------------------------------------------------------------------- ________________ કુલકરોની ઉત્પત્તિ (નિ. ૧૫૦-૧૫૧) ૩૨૩ अतिक्रान्ते इति यतश्चैवमत इक्ष्वाकुकुलस्य भवति उत्पत्तिः, वाच्येति वाक्यशेषः, इत्ययं ગાથાર્થ: ૬૪૬॥ तत्र कुलकरवंशेऽतीत इत्युक्तं, अतः प्रथमं कुलकराणामेवोत्पत्तिः प्रतिपाद्यते, यस्मिन्काले क्षेत्रे च तत्प्रभवस्तन्निदर्शनाय चेदमाह - ( ग्रन्थाग्रम् ३००० ) ओप्पणी इमीसे तयाऍ समाऍ पच्छिमे भागे । पलिओवमट्टभाए सेसंमि उ कुलगरुप्पत्ती ॥ १५० ॥ गमनिका - अवसर्पिण्यामस्यां वर्त्तमानायां या तृतीया समा- सुषमदुष्षमासमा, तस्याः पश्चिम भागस्तस्मिन् कियन्मात्रे पल्योपमाष्टभाग एव शेषे तिष्ठति सति कुलकरोत्पत्तिः संजातेति રાજ્યોષ કૃતિ ગાથાË: ||૩|| अद्धभरहमज्झिल्लुतिभागे गंगसिंधुमज्झमि । यत्र इत्थ बहुमज्झदेसे उप्पण्णा कुलगरा सत्त ॥ १५१ ॥ ગનિજા-અર્ધભરતમધ્યમંત્રિમાળે, જસ્મિન્ ?–કૃમિધુમર્થ્ય, સત્ર બહુમતેશે ન પર્યન્તેષુ, उत्पन्नाः कुलकराः सप्त, अर्धं भरतं विद्याधरालयवैताढ्यपर्वतादारतो गृह्यत इति गाथार्थः ॥ १५१ ॥ પસાર થયા પછી મરીચિ ઇક્ષ્વાકુકુલમાં ઉત્પન્ન થયો. આથી ઇક્ષ્વાકુકુલની ઉત્પત્તિ કહેવી જોઈએ. તે આગળ બતાવશે. ૧૧૪૯૯ અવતરણિકા : ઉપરોક્ત ગાથામાં ‘કુલકરવંશ પસાર થયા પછી' આવું કહ્યું. આથી પ્રથમ કુલકરોની જ ઉત્પત્તિ કહેવાય છે. જે કાળમાં અને જે ક્ષેત્રમાં કુલકરોની ઉત્પત્તિ થઈ તે બતાવતાં કહે છે ગાથાર્થ : આ અવસર્પિણીના ત્રીજા આરાના પાછલા ભાગે પલ્યોપમનો આઠમો ભાગ બાકી હતો ત્યારે કુલકરોની ઉત્પત્તિ થઈ. (આ કાળ બતાવ્યો) ટીકાર્થ : વર્તમાન એવી આ અવસર્પિણીનો જે સુષમ–દુષમનામનો ત્રીજો આરો હતો. તેના પાછલા ભાગમાં પલ્યોપમનો આઠમો ભાગ બાકી હતો, ત્યારે કુલકરોની ઉત્પત્તિ થઈ. ૧૫૦ ગાથાર્થ : અર્ધભરતક્ષેત્રના મધ્યમ ત્રીજા ભાગે ગંગાસિન્ધુના મધ્યમાં બહુમધ્યભાગમાં સાત કુલકરો ઉત્પન્ન થયા. 5 1 { 15 20 25 ટીકાર્થ : અહીં અર્ધભરત એટલે વિદ્યાધરોના સ્થાનભૂત વૈતાઢ્યપર્વતથી દક્ષિણ બાજુનો ભાગ ગ્રહણ કરવો. (ભરતક્ષેત્રની ઉત્તરમાં હિમવંતપર્વત અને દક્ષિણમાં લવણસમુદ્ર છે. બરાબર વચ્ચે. પૂર્વ-પશ્ચિમ લાંબો વૈતાઢ્યપર્વત છે. જેનાથી ભરતક્ષેત્રના બે ભાગ થાય છે. ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધભરત. તે દક્ષિણાર્ધભરતક્ષેત્રના ત્રણ ભાગ કરવા.) તેમાં મધ્યમ ત્રીજા ભાગમાં ગંગાસિંધુના મધ્યમાં બહુમધ્યભાગમાં, નહીં કે અંતભાગમાં, સાત કુલકરો ઉત્પન્ન થયા. 30 ||૧૫૧ Page #347 -------------------------------------------------------------------------- ________________ 10 ૩૨૪ गमनिका - कुलकराणां पूर्वभवा वक्तव्याः, जन्म वक्तव्यं तथा नामानि प्रमाणानि तथा 5 संहननं वक्तव्यं, एवशब्दः पूरणार्थ:, तथा संस्थानं वक्तव्यं तथा वर्णाः प्रतिपादयितव्याः तथा स्त्रियो वक्तव्याः तथा आयुर्वक्तव्यं भागा वक्तव्याः - कस्मिन् वयोभागे कुलकराः संवृत्ता इति, भवनेषु उपपातः भवनोपपातः वक्तव्यः, भवनग्रहणं भवनपतिनिकायोपपातप्रदर्शनार्थं, तथा नीतिश्च या यस्य हकारादिलक्षणा सा वक्तव्येति गाथासमुदायार्थः, अवयवार्थं तु प्रतिद्वारं वक्ष्यति ॥१५२॥ तत्र प्रथमद्वारावयवार्थाभिधित्सयेदमाह 15 આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) इदानीं कुलकरवक्तव्यताभिधायिकां द्वारगाथां प्रतिपादयन्नाह - पुव्वभवजम्मनामं पमाण संघयणमेव संठाणं । aforfers भागा भवणोवाओ य णीई ॥ १५२ ॥ अवरविदेहे दो वणिय वयंसा माइ उज्जुए चेव । कालगया इह भरहे हत्थी मणुओ अ आयाया ॥१५३॥ दठ्ठे सिणेहकरणं गयमारुहणं च नामणिष्फत्ती । परिहाणि गेहि कलहो सामत्थण ( णं ) विनवण हति ॥ १५४ ॥ અવતરણિકા : હવે કુલકોની વતવ્યતાને કહેનારી દ્વારગાથાને બતાવે છે છ ગાથાર્થ : પૂર્વભવ–જન્મ—નામ—પ્રમાણ—સંઘયણ–સંસ્થાન–વર્ણ—સ્ત્રીઓ-આયુષ્ય— ભાગ—ભવનોપપાત અને નીતિ (કુલકરી સંબંધી આટલી વસ્તુઓ બતાવશે.) ટીકાર્થ : કુલકોનો પૂર્વભવ, જન્મ, નામ, પ્રમાણ, સંઘયણ, સંસ્થાન, વર્ણ, સ્ત્રીઓ, આયુષ્ય અને ભાગ કહેવા યોગ્ય છે. તેમાં ભાગ એટલે આયુષ્યનો કેટલો ભાગ કુલકર તરીકે રહ્યા, ભવનોને વિષે ઉપપાત તે ભવનોપપાત કહેવા યોગ્ય છે. અહીં ભવનનું ગ્રહણ 20 ભવનપતિનિકાયમાં કુલકરોની ઉત્પત્તિ થઈ તે બતાવવા કરેલ છે. તથા નીતિ એટલે જે કુલકરની જે હકારાદિ નીતિ (દંડ કરવાની પદ્ધતિ) હતી, તે કહેવા યોગ્ય છે. આ પ્રમાણે ગાયાનો અર્થ કહ્યો. વિસ્તારાર્થ દરેક દ્વારમાં બતાવશે. ૧૫૨ અવતરણિકા : તેમાં પ્રથમદ્વારરૂપ અવયવાર્થ કહે છે ગાથાર્થ : પશ્ચિમવિદેહમાં બે વેપારી મિત્ર હતા. તેમાં એક માયાવી અને બીજો સરળ 25 હતો. બંને મૃત્યુ પામી અહીં ભરતક્ષેત્રમાં એક હાથીરૂપે અને બીજો મનુષ્યરૂપે આવ્યો. (ઉત્પન્ન થયો.) ગાથાર્થ : પરસ્પર જોઈ સ્નેહ થયો, હાથી ઉપર આરોહણ થયું, અને નામની નિષ્પત્તિ થઈ, પરિહાનિ—વૃદ્વિ–કલહ–વિચારણા—વિજ્ઞાપના—હકાર નીતિ થઈ. ★ पुव्वभव कुलगराणं उसभजिणिंदस्स भरहरण्णो अ । इक्खागकुलुप्पत्ती णेयव्वा आणुपुवीए । 30 ( ગાયૈષા નિર્યુપુિસ્તઽવ્યાવ્રાતા ૨) । Page #348 -------------------------------------------------------------------------- ________________ प्रथम दुसरनो पूर्वभव (नि. १५३-१५४) ૩૨૫ 'गमनिका - अपरविदेहे द्वौ वणिग्वयस्यौ मायी ऋजुश्चैव कालगतौ इह भरते हस्ती मनुष्यश्च आयातौ दृष्ट्वा स्नेहकरणं गजारोहणं च नामनिर्वृत्तिः परिहाणिः गृद्धिः कलहः, 'सामत्थणं' देशीवचनत: पर्यालोचनं भण्यते, विज्ञापना, ह इति गाथार्थः ॥ १५३ - १५४ ॥ 5 भावार्थस्तु कथानकादवसेयः, अध्याहार्यक्रियायोजना च स्वबुद्ध्या प्रतिपदं कार्या, यथा - अपरविदेहे द्वौ वणिग्वयस्यौ अभूतामिति, नवरं हस्ती मनुष्यश्च आयाताविति, अनेन जन्म प्रतिपादितं वेदितव्यं, अवरविदेहे दो मित्ता वाणिअया, तत्थेगो मायी एगो उज्जुगो, ते पुण एगओ चेव ववहरंति, तत्थेगो जो मायी सो तं उज्जुअं अतिसंधेइ, इतरो सव्वमगूहंतो सम्मं सम्मे ववहरति, दोवि पुण दाणरुई, ततो सो उज्जुगो कालं काऊण इहेव दाहिणड्ढे मिहुणगो जाओ, वंको पुण तंमि चेव पदेसे हत्थरयणं जातो, सो य सेतो वण्णेणं चउद्दंतो य, जाहे ते पडिपुण्णा ताहे तेण हत्थिणा हिंडतेण सो दिट्टो मिहुणगो, दट्ठूण य से पीती उप्पण्णा, तं च से 10 अभिओगणिअं कम्ममुदिण्णं, ताहे तेण मिहुणगं खंधे विलइयं तं दट्ठूण य तेण सव्वेण लोण अब्भहियमणूसो एसो इमं च से विमलं वाहणंति तेण से विमलवाहणोत्ति नामं कयं, ટીકાર્થ : ગાથાર્થ કથાનકથી સ્પષ્ટ થશે – ગાથાનાં દરેક પદમાં અધ્યાહાર્ય એવા ક્રિયાપદોનો સંબંધ પોતાની બુદ્ધિથી કરી લેવો. (અર્થાત્ મૂળગાથામાં જયાં ક્રિયાપદો નથી જેમ કે બે વેપારીઓ હતા વગેરે ત્યાં બધે ક્રિયાપદો જાતે જોડી દેવા) હવે કથાનક બતાવે છે – પશ્ચિમવિદેહમાં બે 15 વેપારી મિત્રો હતા. તેમાં એક માયાવી અને અન્ય સરળ હતો. તે બંને સાથે જ ધંધો કરતા હતા. તેમાં જે માયાવી હતો. તે સરલ વાણિયાને છેતરતો હતો, જ્યારે બીજો સરળ વાણિયો બધું જ છુપાવ્યા વિના સારી રીતે ધંધો કરતો હતો. બંને વાણિયા દાનમાં રુચિવાળા હતા તેથી તે સરલ વાણિયો મૃત્યુ પામીને અહીં જ દક્ષિણાર્ધભરતમાં યુગલિક તરીકે ઉત્પન્ન થયો, જ્યારે જે માયાવી હતો, તે મરીને તે જ પ્રદેશમાં 20 હસ્તિરત્ન થયો. ||૧૫૩ તે હાથી વર્ણથી શ્વેત અને ચાર દાંતવાળો હતો. જ્યારે બંને જુવાન થયા ત્યારે એકવાર પસાર થતાં હાથીવડે તે યુગલિક જોવાયો. જોઈને તેની ઉપર હાથીને પ્રીતિ ઉત્પન્ન થઈ. તે વખતે તે હાથીનું અભિયોગથી (માયાથી) બંધાયેલું કર્મ ઉદય પામ્યું. તે હાથીવડે તે યુલિક પોતાના ખભા ઉપર બેસાડાયો. આ રીતે હાથી ઉપર મનુષ્ય બેઠેલો જોઈ લોકોવડે ‘આ કોઈ વિશિષ્ટ પુરુષ છે અને આ તેનું વાહન પણ વિમલ છે” એમ 25 ४८. अपरविदेहेषु द्वौ मित्रे वणिजौ, तत्रैको मायावी एक ऋजुकः, तौ पुनरेकत एव व्यवहरतः, तत्रैको यो मायावी स तमृजुं अतिसन्दधाति, इतरः सर्वमगृहयन् सम्यग् सात्म्येन व्यवहरति द्वावपि पुनर्दानरुची, ततः स ऋजुकः कालं कृत्वेहैव दक्षिणार्धे मिथुनकनरो जातः, वक्रः पुनः तस्मिन्नेव प्रदेशे हस्तिरत्नं जातः, स च वर्णेन श्वेतश्चतुर्दन्तश्च यदा तौ प्रतिपूर्णौ तदा तेन हस्तिना हिण्डमानेन स दृष्टः मिथुनकनरः, दृष्ट्वा च तस्य प्रीतिरूत्पन्ना, तच्च तस्याभियोगजनितं कर्मोदीर्णं, तदा तेन मिथुनकनर : 30 स्कन्धे विलगितः, तद्दृष्ट्वा च तेन सर्वेण लोकेन अभ्यधिकमनुष्य एष इदं चास्यविमलं वाहनमिति तेन तस्य विमलवाहन इति नाम कृतं ★ प्रतिपादं । + ०स्यावासिष्टा० । स । ०ण्णा जाता । Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) "तेसिं च जातीसरणं जायं, ताहे कालदोसेण ते रुक्खा परिहायंति मैत्तंगा भिंगंगा तुडियं च चित्तगा (य) चित्तरसा । गेहागारा अणियणा सत्तमया कप्परुक्खत्ति ॥ १ ॥ तेसु परिहायंतेसु कसाया उप्पण्णा - इमं मम मा एत्थ कोइ अण्णो अल्लियउत्ति भणितुं 5 पयत्ता, जो ममीकयं अल्लियइ तेण कसाइज्जंति, गेण्हणे अ संखडंति, ततो तेहिं चिंतितं किंचि अधिपतिं ठवेमो जो ववत्थाओ ठवेति, ताहे तेहिं सो विमलवाहणो एस अम्हेहिंतो अहितोत्ति ठवितो, ताहे तेण तेसिं रुक्खा विरिक्का, भणिया य-जो तुब्भं एयं मेरं अतिक्कमति तं मम हिज्जहत्ति, अहं से दंडं करिहामि, सोऽवि किह जाणति ?, जाइस्सरो तं वणियत्तं सरति, ताहे सिं जो कोइ अवरज्झइ सो तस्स कहिज्जइ, ताहे सो तेसिं दंडं ठवेति, को पुण दंडो ?, हक्कारो, 10 કહી યુગલિકનું ‘વિમલવાહન” નામ કરાયું. તે યુગલિક અને હાથીને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે કાળના દોષથી આ સાત કલ્પવૃક્ષો ઓછા થવા લાગ્યા → મત્તાંગા, ભૃગાંગા, ત્રુટિતાંગા, ચિત્રાંગા, ચિત્રરસા, ગૃહકારા અને અનગ્ના આ સાત કલ્પવૃક્ષોના નામ જાણવા ||૧|| આ કલ્પવૃક્ષો ઓછા થતાં કષાયો વૃદ્ધિ પામ્યા. અને લોકો “આ મારું છે કોઈ અન્ય વ્યક્તિએ એને અડવું નહીં.” આ પ્રમાણે બોલવા લાગ્યાં. એ રીતે પોતાના કરાયેલ વૃક્ષને જે 15 અડે તેની સાથે કષાય કરતા અને કોઈ વસ્તુ લઈ લે તો ઝઘડા પણ કરતા. તેથી લોકોએ વિચાર્યું કે “કોઈ અધિપતિ સ્થાપીએ જેથી તે વ્યવસ્થા સ્થાપિત કરે.' ત્યારે લોકોએ “આ વિમલવાહન આપણા કરતાં વિશિષ્ટ છે” એમ વિચારી વિમલવાહનને સ્થાપિત કર્યો. જેથી વિમલવાહને લોકોને વૃક્ષોના ભાગ પાડી આપ્યા અને કહ્યું “તમારી આ મર્યાદાને જે ઓળંગે તે મને કહેવો (અર્થાત્ તેને મારી પાસે લાવવો) જેથી હું દંડ કરીશ. 20 25 30 - વિમલવાહન દંડ કરવાનું કેવી રીતે જાણતો હતો ? (કારણ કે તે વખતે દંડનીતિ નહોતી તેનો ઉત્તર આપે છે કે “તેને જાતિસ્મરણ થયું હતું. તેમાં તેણે પોતાનું પૂર્વભવસંબંધી વાણિયાપણું સ્મરણ કર્યું હતું. તેથી વિમલવાહન દંડનીતિ જાણતો હતો. આ રીતે લોકોને વૃક્ષો વિભાજિત કર્યા પછી લોકોમાંથી જે કોઈ અપરાધ કરતું, તેને વિમલવાહન પાસે લાવવામાં આવતો. તે તેને દંડ કરતો. કયો દંડ કરતો ? હકાર અર્થાત્ હા ! આ તમે ઘણું ખોટું કર્યું.” આ પ્રમાણે ४९. तयोश्च जातिस्मरणं जातं, तदा कालदोषेण ते वृक्षाः परिहीयन्ते, तद्यथा - मत्ताङ्ग भृङ्गाङ्गास्त्रुटिताङ्गाचित्राङ्गाश्चिरसाः । गृहाकारा अनग्नाः सप्तमकाः कल्पवृक्षा इति ॥ १॥ तेषु परिहीयमाणेषु कषाया उत्पन्ना, इदं मम मा अत्र कोऽप्यन्यो लगीत् इति भणितुं प्रवृत्ताः, यो ममीकृतं लगति तेन कषायन्ते, ग्रहणे च क्लिश्नन्ति ( संखण्डयन्ति ), ततस्तैश्चिन्तितं कमपि अधिपतिं स्थापयामो यो व्यवस्थाः स्थापयति, तदा तैः स विमलवाहन एषोऽस्मभ्यमधिक इति स्थापितः, तदा तेन तेभ्यो वृक्षा विभक्ताः, भणिताश्च-यो युष्माकं एतां मर्यादां अतिक्रामति तं मह्यं कथयेत, अहं तस्य दण्डं करिष्यामि, सोऽपि कथं जानीते ?, जातिस्मरस्तद् वणिकत्वं स्मरति, तदा तेषां यः कश्चिदपराध्यति स तस्मै कथ्यते, तदा स तस्य दण्डं સ્થાપયતિ, : પુનર્ર≤: ?, હાાર:- A ã૦ ૫૦ ૫ * ચિત્તું ! + અહં ટૂંકું વત્તેમિ । Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ दुसरोना नाभो (नि. १५५ - १५६ ) हमे दुट्टु कयं, ताहे सो जाणति - अहं सव्वस्सहरणो कतो, तं वरं किर हतो मे सीसं छिण्णं, ण य एरिसं विडंबणं पावितोत्ति, एवं बहुकालं हक्कारदंडो अणुर्वैत्तिओ । तस्स य चंदजसा भारिया, तीए समं भोगे भुंजंतस्स अवरं मिथुणं जायं, तस्सवि कालंतरेण अवरं, एवं ते एगवसंमि सत्त कुलगरा उप्पण्णा । पूर्वभवा: खल्वमीषां प्रथमानुयोगतोऽवसेयाः, जन्म पुनरिहैव सर्वेषां द्रष्टव्यम् । व्याख्यातं पूर्वभवजन्मद्वारद्वयमिति, इदानीं कुलकरनामप्रतिपादनायाह पढमित्थ विमलवाहण चक्खुम जसमं चउत्थमभिचंदे | तत्तो अ पसेणइए मरुदेवे चेव नाभी य ॥ १५५ ॥ गमनिका - प्रथमोऽत्र विमलवाहनश्चक्षुष्मान् यशस्वी चतुर्थोऽभिचन्द्रः ततश्च प्रसेनजित् 10 मरुदेवश्चैव नाभिश्चेति, भावार्थ: सुगम एवेति गाथार्थः ॥ १५५ ॥ गतं नामद्वारम् अधुना प्रमाणद्वारावयवार्थाभिधित्सयाऽऽह व धणुसया य पढमो अट्ठ य सत्तद्धसत्तमाइं च । छच्चेव अद्धछट्ठा पंचसया पण्णवीसं तु ॥ १५६॥ 5 સાંભળતા તે અપરાધીને લાગતું કે “આ તો મારું સર્વસ્વ લુટાયું, તેના કરતાં મને મારી નાંખ્યો હોત કે મારું મસ્તક છેલ્લું હોત તો આવી વિડંબના પામ્યો ન હોત” આ પ્રમાણે ઘણા કાળ સુધી હકારદડ પ્રવર્તો. 15 તે વિમલવાહનને ચંદ્રયશા નામની પત્ની હતી. તેણીની સાથે ભોગાને ભોગવતા વિમલાહનને એક યુગલ જન્મ્યું. તેને પણ કાળાન્તરે અન્ય યુગલ જન્મ્યું. આ પ્રમાણે તેના એકવંશમાં સાત કુલકરો ઉત્પન્ન થયાં. આ બધાના પૂર્વભવો પ્રથમાનુયોગમાંથી (પ્રથમાનુયોગ દૃષ્ટિવાદનો એક વિભાગ, એમ નંદીસૂત્ર ટિપ્પણમાં મલધારીચંદ્રસૂરિજીએ કહ્યું છે.) જાણી 20 લેવા. આ સાતે કુલકરોનો જન્મ અહીં જ દક્ષિણાર્ધભરતમાં જાણવો. ૧૫૪ અવતરણિકા : પૂર્વભવ અને જન્મ એમ બે દ્વારોનું વ્યાખ્યાન કર્યું. હવે કુલકોના નામ બતાવે છે गाथार्थ : सहीं प्रथम विभतवाहन, यक्षुष्मान्, यशस्वी, योथा अमियंद्र, पछी प्रसेनभित् મરુદેવ અને નાભિ (આ પ્રમાણે સાત કુલકરો થયા.) टीडार्थ : गाथाना अर्थ ४ ४ छे ॥ १५५ ॥ हवे प्रभासाद्वार जतावे छे 25 ગાથાર્થ : નવસો ધનુષ્યની કાયાવાળો પ્રથમ, બીજાને આઠસો ધનુષપ્રમાણ કાયા, ત્રીજાને સાતસો, ચોથાને સાડાસાતસો, છસો પાંચમાને, સાડાપાંચસો છઠ્ઠાને, સાતમાને પાંચસો પચ્ચીસ ५०. हा त्वया दुष्ठ कृतं, तदा स जानीते - अहं सर्वस्वहरणीकृतः (स्याम्), तदा वरं किल हतः शिरो मे छिन्नं, न चेदृशं विटम्बनां प्रापित इति, एवं बहुकालं हाकारदण्डोऽनुवर्त्तितः । तस्य 30 च चन्द्रयशा भार्या, तया समं भोगान्भुञ्जतोऽपरं मिथुनकं ( युग्मं ) जातं, तस्यापि कालान्तरेनापरं, एवं ते एकवंशे सप्त कुलकरा उत्पन्नाः । * पडितोत्ति । ★ पण्णवीसा य । Page #351 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 30 आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति सभाषांतर ( भाग - १ ) व्याख्या - नव धनुः शतानि प्रथमः अष्टौ च सप्त अर्धसप्तमानि षड् च अर्धषष्ठानि पञ्च शतानि पञ्चविंशति, अन्ये पठन्ति - पञ्चशतानि विंशत्यधिकानि, यथासंख्यं विमलवाहनादीनामिदं प्रमाणं द्रष्टव्यं इति गाथार्थः ॥ १५६ ॥ ३२८ • गतं प्रमाणद्वारं, इदानीं कुलकरसंहननसंस्थानप्रतिपादनायाहवज्जरिसहसंघयणा समचउरंसा य हुंति संठाणे । aviपि य वच्छामि पत्तेयं जस्स जो आसी ॥१५७॥ गमनिका - वज्रऋषभसंहननाः सर्व एव समचतुरस्त्राश्च भवन्ति 'संस्थाने' इति संस्थानविषये निरूप्यमाणा इति, वर्णद्वारसंबन्धाभिधानायाह - वर्णमपि च वक्ष्ये प्रत्येकं यस्य य आसीदिति गाथार्थः ॥१५७॥ चक्खु जसमं च पसेणइअं एए पिअंगुवण्णाभा । अभिचंदो ससिगोरो निम्मलकणगप्पभा सेसा ॥ १५८ ॥ गमनिका-चक्षुष्मान् यशस्वी च प्रसेनजिच्चैते प्रियङ्गुवर्णाभाः अभिचन्द्रः शशिगौरः निर्मलकनकप्रभाः शेषा:- विमलवाहनादयः, भावार्थ: सुगम एव, नवरं निर्मलकनकवत् प्रभाछाया येषां ते तथाविधा इति गाथार्थः || १५८ ।। गतं वर्णद्वारं, स्त्रीद्वारव्याचिख्यासयाऽऽह चंदजसचंदकंता सुरूव पडिरूव चक्खुकता य । ધનુષની કાયા હતી. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. કેટલાક આચાર્યો કહે છે કે સાતમાને પાંચસો વીસ ધનુષ પ્રમાણ કાયા હતી. આ પ્રમાણે વિમલવાહન વિ. ના શરીરનું પ્રમાણ જાણવું. ૧૫૬॥ અવતરણિકા : હવે કુલકરના સંઘયણ અને સંસ્થાનદ્વાર બતાવે છે ≠ ગાથાર્થ : સાતે મુલકરો વ્રજઋષભસંઘયણવાળા અને સંસ્થાન તરીકે સમચતુરસસંસ્થાન વાળા હોય છે. વર્ણની બાબતમાં જેનો જે વર્ણ હતો તે હવે અમે કહીશું. ટીકાર્થ : વ્રજઋષભસંઘયણવાળા અને સમચતુરસસંસ્થાનવાળા સાતે કુલકરો હતાં. હવે વર્ણદ્વા૨નો સંબંધ જોડવા કહે છે કે “જેનો જે વર્ણ હતો તે દરેકના વર્ણોને હું કહીશ. ||૧૫૭ ગાથાર્થ : ચક્ષુષ્માન્, યશસ્વી અને પ્રસેનજિત્ એ ત્રણે પ્રિયંગુવર્ણજેવી આભા(કાંતિ) વાળા હતાં. અભિચંદ્ર ચંદ્રસમાન ગૌરવર્ણવાળા હતાં, અને શેષ કુલકરો નિર્મલસુવર્ણની પ્રભાવાળા हता. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. પરંતુ-નિર્મલ સુવર્ણ જેવી છાયા છે જેમની તે નિર્મલકનકપ્રભાવાળા એ પ્રમાણે સમાસ જાણવો. ૧૫૮ અવતરણિકા : વર્ણદ્વાર પૂર્ણ થયું. હવે સ્ત્રીદ્વાર બતાવે છે गाथार्थ : चंद्रयशा, यंद्रांता, सुरुपा, प्रतिरुपा, यक्षुअंता, श्रीमंता अने भरुहेवी से + पञ्चविंशतिश्च । ०प्यमाणे । Page #352 -------------------------------------------------------------------------- ________________ दुसरोनी स्त्रीखोना नामाहि (नि. १५८ - १६० ) 龍 ૩૨૯ सिरिकता मरुदेवी कुलगरपत्तीण नामाई ॥१५९॥ गमनिका—चन्द्रयशाः चन्द्रकान्ता सुरूपा प्रतिरूपा चक्षुः कान्ता च श्रीकान्ता मरुदेवी कुलकरपत्नीना नामानीति गाथार्थः ॥ १५९ ॥ एताश्च संहननादिभिः कुलकरतुल्या एव द्रष्टव्याः, यत आह संघयणं संठाणं उच्चत्तं चेव कुलगरेहि समं । वण्णेण एगवण्णा सव्वाओ पियंगुवण्णाओ ॥ १६०॥ गमनिका—संहननं संस्थानं उच्चैस्त्वं चैव कुलकरैः - आत्मीयैः, समं- अनुरूपं आसां प्रस्तुतस्त्रीणामिति, किंतु प्रमाणेन ईषन्यूना इति संप्रदायः, तथापि ईषन्यूनत्वान्न भेदाभिधानमिति, वर्णेन एकवर्णाः सर्वाः प्रियङ्गुवर्णा इति गाथार्थः ॥ १६०॥ स्त्रीद्वारं गतं इदानीं आयुर्द्वारम् - ટીકાર્થ : સંઘયણ – સંસ્થાન અને ઊંચાઈ પોતપોતાના કુલકરો જેટલી જ પત્નીઓની જાણવી. પરંતુ ઊંચાઈમાં કંઈક ન્યૂન જાણવી એવો સંપ્રદાય (પરંપરા) છે, છતાં થોડું જ ન્યૂન હોવાથી સૂત્રકારે પ્રમાણ જુદું બતાવ્યું નથી. વર્ણથી સર્વ સ્ત્રીઓ એક જ પ્રિયંગુવર્ણવાળી હતી. ૧૬૦ 5 10 पलिओवमदसभाए पढमस्साडं तओ असंखिज्जा । ते आणुपुव्विीणा पुव्वा नाभिस्स संखेज्जा ॥ १६१॥ व्याख्या-पल्योपमदशभागः, 'प्रथमस्य' विमलवाहनस्य आयुरिति, ततः अन्येषां चक्षुष्मदादीनां असंख्येयानि, पूर्वाणीति योगः, तान्येवानुपूर्वीहीनानि नाभे: संख्येयान्यायुष्कमित्ययं गाथार्थः ॥१६१॥ अन्ये तु व्याचक्षते - पल्योपमदशभाग एव प्रथमस्यायुः ततो द्वितीयस्य असंख्येयाःકુલકરપત્નીઓના નામ છે. ટીકાર્થ : ગાથાર્થ મુજબ જાણવો. ૧૫૯) આ બધી સ્ત્રીઓ સંઘયણ – સંસ્થાનાદિવડે કુલકર સમાન જ જાણવી, કારણ કે આગળ કહે છે કે ગાથાર્થ : સંઘયણ—સંસ્થાન અને ઊંચાઈ કુલકર સમાન ગણવી, સર્વ સ્ત્રીઓ વર્ણથી એક 20 ४ प्रियंगु (नास) वर्शवाणी भरावी. 15 અવતરણિકા : સ્ત્રીદ્વાર પૂર્ણ થયું. હવે આયુષ્યદ્વાર બતાવે છે ગાથાર્થ : પલ્યોપમના દસમા ભાગનું પ્રથમ વિમલવાહનનું આયુષ્ય હતું. ત્યાર પછી બીજાઓનું અસંખ્ય પૂર્વોનું આયુષ્ય અનુક્રમે ઘટતું ઘટતું નાભિકુલકરનું સંખ્યાત પૂર્વેનું આયુષ્ય જાણવું. ટીકાર્થ : ગાથાર્થ મુજબ જાણવો. ।।૧૬૧॥ (પરંતુ એક પલ્યોપમના દશ ભાગ કરવા. તેમાં દશમા ભાગમાં જેટલો કાળ હોય તેટલું આયુષ્ય પ્રથમનું જાણવું.) કેટલાક આયાર્યો કહે છે પલ્યોપમના દશ ભાગ જેટલું પ્રથમકુલકરનું આયુષ્ય, બીજાનું પલ્યોપમના અસંખ્યભાગો ડે C ★ ० भागो। * या भागाः । 25 Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ આવશ્યક નિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) पल्योपमासंख्येयभागा इति वाक्यशेष:, तु एव चानुपूर्वीहीनाः शेषाणामायुष्कं द्रष्टव्याः तावद् यावत्पूर्वाणि नामे: संख्येयानि इति, अविरुद्धा चेयं व्याख्येति । अन्ये तु व्याचक्षते - पल्योपमदशभागः प्रथमस्य आयुष्कं ततः शेषाणां 'असंखेज्जा' इति समुदितानां पल्योपमासंख्येयभागाः, एतदुक्तं भवति - द्वितीयस्य पल्योपमासंख्येयभागः, शेषाणां तत 5 एवासंख्येयभागोऽसंख्येयभागः पात्यते तावद्यावन्नाभेः असंख्येयानि पूर्वाणि । इदं पुनरपव्याख्यानं, कुतः ?, पञ्चानामसंख्येयभागानां पल्योपमचत्वारिंशत्तमभागानुपपत्तेः, कथम् ?, पल्योपै विंशतिभागाः क्रियते, तदष्टभागे कुलकरोत्पत्तिः, प्रथमस्य दशभाग आयुः, शेषाणां पञ्चानामर्धरूपाच्चत्वारिंशत्तमभागाद् असंख्यातोऽसंख्यातो भाग आयुः तथाऽप्यर्ध किञ्चिन्न्यून પ્રમાણ આયુ, અને તે જ પલ્યોપમના અસંખ્યભાગો ક્રમશઃ ઘટતાં ઘટતાં શેષોનું આયુષ્ય ત્યાં 1) સુધી જાણવું, જ્યાં સુધી ઘટતાં ઘટતાં નાભિનું સંખ્યાતપૂર્વી જેટલું આવે. આ વ્યાખ્યા પણ અવિરુદ્ધ છે. વળી કેટલાક આચાર્યો કહે છે કે પ્રથમનું પલ્યોપમના દસભાગ જેટલું આયુષ્ય. ત્યાર પછી બીજા બધાનું ભેગા મળી પલ્યો. અસ.ભાગો જેટલું આયુષ્ય જાણવું, અર્થાત્ બીજાનું પલ્યો. અસં. ભાગપ્રમાણ અને ત્યાર પછી શેષોનું પલ્યો.અસં. ભાગનો પણ અસંખ્યાતમોભાગ પછી 15 તેનો પણ અસંખ્યાતમોભાગ એમ ત્યાં સુધી ઓછા કરવા જ્યાં સુધી નાભિનું અસંખ્યેયપૂર્વ જેટલું આયુષ્ય આવે. આ વ્યાખ્યા ખોટી છે, કારણ કે પાંચ અસંખ્યભાગોથી પલ્યોપમનો ચાલીસમો ભાગ પૂરાતો નથી. તે આ રીતે કે— પલ્યોપમના વીસભાગ કરવા. આ વીસભાગવાળા પલ્યોપમના આઠ ભાગ કરવા. (ધારો કે એકપલ્યોપમ એટલે અસત્કલ્પનાથી ૧ કરોડ વર્ષ. તેના ૨૦ ભાગ 20 કરવાથી રના દરેક ભાગમાં ૫ લાખવર્ષ આવશે, હવે ૨૦ ભાગવાળા આ પલ્યોપમના ૮ ભાગ કરવા. જેથી ૮ના દરેક ભાગમાં સાડાબાર લાખવર્ષ આવશે) પલ્યોપમના આઠમે ભાગે કુલકરોની ઉત્પત્તિ થઈ. (અર્થાત્ સાડાબાર લાખવર્ષ બાકી હતા ત્યારે કુલકરોની ઉત્પત્તિ થઈ) તેમાં પ્રથમકુલકરનું પલ્યોપમના દશમા ભાગ જેટલું આયુષ્ય હતું. (૧કરોડ વર્ષનો દશમો ભાગ એટલે ૧૦ લાખવર્ષ, તેથી પ્રથમ કુલકરનું ૧૦લાખવર્ષનું આયુષ્ય હતું) શેષ પાંચ કુલકોનું 25 અડધા એવા ૪૦મા ભાગમાંથી (=અઢી લાખવર્ષમાંથી) અસંખ્યાત—અસંખ્યાત આયુ છે. તો પણ કંઈક ન્યૂન અડધો (૪૦મો) ભાગ બાકી રહી જાય છે. (આશય એ છે કે ૧૨,૫૦,૦૦૦ વર્ષ પ્રમાણ આઠમા ભાગમાંથી ૧૦ લાખવર્ષનું આયુ તો પ્રથમકુલકરનું જ હતું. તેથી રહ્યા ૨,૫૦,૦૦૦ વર્ષ બાકી. આ ૨,૫૦,૦૦૦ વર્ષ એટલે ૧ કરોડવર્ષ પ્રમાણ પલ્યોપમનો ૪૦મો ભાગ. અને બીજી રીતે જોઈએ તો આ ૨,૫૦,૦૦૦ વર્ષ (૪૦ મો ભાગ) એ પલ્યોપમના 3) વીસમાં ભાગનો અડધો ભાગ કહેવાય છે, કારણ કે પલ્યોપમનો વીસમો ભાગ એટલે ૫ લાખ વર્ષ થાય. + ofતમ૦ ! * ૦૫મવિ૰। # યિને । Page #354 -------------------------------------------------------------------------- ________________ કુલકરોના આયુષ્યસંબંધિ ચર્ચા (નિ. ૧૬૧) મીક ૩૩૧ चत्वारिंशत्तमो भागोऽवशिष्यते, यतः कृतविंशतिभागपल्योपमस्य अष्टभागे अष्टभागे इदं भवति, ततोऽपि दशभागे द्वौ जातो, गताः असंख्याताः पञ्चभागाः, अर्धाद् यदर्धं किञ्चिन्यूनं चत्वारिंशत्तमो भाग इति, उक्तं च-पलिओवमट्ठभागे सेसंमि उ कुलगरुप्पत्ती' (गाथा १५०), तत्रापि प्रथमस्य दशमभाग आयुष्कमुक्तं, तस्मिँश्चापगते विंशतितमभागद्वयस्य व्यपगमाच्छेषश्चत्वारिंशद्भागोऽवतिष्ठते. स च संख्येयतमः, ततश्च कालो न गच्छति, आह-अत एव नाभेरसंख्येयानि पूर्वाणि 5 आयुष्यकर्मिष्टं, उच्यते, इष्टमिदं, अयुक्तं चैतत्, मरुदेव्याः संख्येयवर्षायुष्कत्वात्, न हि केवल ज्ञानमसंख्येयवर्षायुषां भवतीति, ततः किमिति चेद्, उच्यते, ततश्च नाभेरपि संख्येयवर्षा તેથી પ્રથમ સિવાયના શેષ પાંચ કુલકરોનું અડધા (વીસમાં ભાગના અડધા ભાગ) એવા ૪૦માં ભાગમાં આયુષ્યની વહેંચણી કરવાની રહે. હવે શેષ પાંચ કુલકરોનું દરેકનું પલ્યા અસં ભાગપ્રમાણ આયુષ્ય ગણતા આ ૪૦માં ભાગથી અસંખ્યાત–અસંખ્યાત ભાગ ઓછા કરત 10 કુલ પાચ અસંખ્યભાગો ઓછા કરવાના રહે. અને તે પાંચ અસં ભાગો ઓછા કરવા છત કંઈકન્યૂન ૪૦ મો ભાગ બાકી રહે છે, કારણ કે કરાયેલ છે ૨૦ ભાગો જેના એવા પલ્યોપમના આઠમા ભાગે (કુલકરોનું) આયુષ્ય છે. તે આઠમા ભાગમાંથી પણ (પલ્યોપમના) દશમા ભાગમાં બે ભાગો જતાં રહ્યાં છે. (અર્થાત આઠમો ભાગ એટલે ૧૨,૫૦,000 વર્ષ, તેમાંથી પણ પ્રથમ કુલકરનું દશભાગ પ્રમાણ 15 આયુષ્ય ગણીયે તો ૧૦ લાખ વર્ષ થાય અને આ ૧૦ લાખ વર્ષ એટલે વીસ–વસના બે ભાગ થાય છે અને અડધામાંથી બીજા પાંચ અસંખ્યાતભાગો પણ બાદ કરતાં જે અડધું કંઈકન્યૂન તે ૪મો ભાગ થયો. ૪૦મો ભાગ એ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ છે. તેમાંથી પાંચ અસંખ્યાતભાગો બાદ કરવા છતાં કાળ પૂરો થતો નથી, અર્થાત્ કાળ બાકી રહી જાય છે. (ટૂંકમાં ૧ પલ્યોપમનો ૮મો ભાગ કુલ કુલકર કાળ છે = P/8. પ્રથમ કુલકરનું આયુ 20 P/10 છે એટલે બાકીનાનો કાળ P/8 – P/10 = P/40 રહ્યો. હવે જો તે બધાનું આયુ પલ્યો નો અસં.મો ભાગ હોય તો તેનો સરવાળો પણ પલ્યો.નો અસંમો ભાગ જ થાય. જયારે ઉપરની ગણતરીમાં પલ્યો.નો ચાલીસમો ભાગ એટલે કે સંખ્યાતમો ભાગ બાકી રહે છે, જે અસંખ્યાતમા ભાગ કરતાં મોટો હોય તેથી કાળ પૂરો ન થાય.). શંકા : (અન્યાચાર્યો) એટલે જ અમે નાભિકુલકરનું અસંખ્યયપૂર્વ જેટલું આયુષ્ય કહીએ 25 છીએ. (તેથી પાંચ અસંખ્યય ભાગો બાદ કર્યા પછી જે કાળ બાકી રહે છે તે ૭માં કુલકરનું આયુષ્ય જાણવું. જે અસંખ્યય પૂર્વ જેટલું હોય છે.) સમાધાન : આ વાત તમને ઇષ્ટ છે પણ અયુક્ત છે કારણ કે મરુદેવીનું સંખ્યાતવર્ષનું આયુષ્ય હતું. તેનું કારણ એ છે કે અસંખ્ય વર્ષના આયુષ્યવાળા જીવને કેવલજ્ઞાન પ્રાપ્ત થતું નથી. અને મરુદેવીને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું તે જ બતાવે છે કે તેમનું આયુષ્ય સંખ્યયવર્ષનું હતું. 30 શંકા : મરુદેવીનું આયુષ્ય સંખ્યાતવર્ષનું હોય, તેનાથી અહીં તમારે શું કહેવું છે ? * Bતિ | + ofમg 1 Page #355 -------------------------------------------------------------------------- ________________ 5 10 આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) ૩૩૨ યુવમ્ ॥ચ્છુદ્દા यत आह 20 जं चेव आउयं कुलगराण तं चेव होइ तासिंपि । जं पढमगस्स आउं तावइयं चेव हत्थिस्स ॥ १६२॥ गमनिका-यदेव आयुष्कं कुलकराणां तदेव भवति तासामपि - कुलकराङ्गनानां, संख्यासाम्याच्च तदेवेत्यभिधीयते, तथा यत्तु प्रथमस्यायुः कुलकरस्य, तावदेव भवति हस्तिनः, एवं शेषकुलकरहस्तिनामपि कुलकरतुल्यं द्रष्टव्यमिति गाथार्थः ॥ १६२ ॥ इदानीं भागद्वारं - कः कस्य सर्वायुष्कात् कुलकरभाग इति जं जस्स आउयं खलु तं दसभागे समं विभऊणं । मज्झतिभागे कुलगरकालं वियाणाहि ॥ १६३॥ व्याख्या - यद्यस्यायुष्कं खलु तद् दशभागान् समं विभज्य मध्यमाष्टत्रिभागे कुलकरकालं સમાધાન ઃ એટલું જ કે, જો મરૂદેવીનું આયુષ્ય સંખ્યાતવર્ષનું હોય તો (કુલકો અને તેમની પત્ની સમાનઆયુષ્યવાળા હોવાથી) નાભિકુલકરનું પણ સંખ્યાતવર્ષનું આયુષ્ય જ સિદ્ધ થાય છે. તેથી ઉપર તમે જે અસંખ્યપૂર્વે નાભિના આયુષ્ય તરીકે કહ્યા તે ઘટતા નથી. (માટે 15 કુલકરોના આયુષ્યની બાબતમાં જે અમે કહ્યું કે પ્રથમ કુલકરનું પલ્યો.નો દશમોભાગ, શેષ પાંચનું અસંખ્યપૂર્વે અથવા પલ્યો.ના અસંખ્યભાગો અને નાભિનું સંખ્યાતવર્ષ એ વાત જ યુક્તિયુક્ત છે.) ૧૬૧|| અવતરણિકા : પૂર્વે કહ્યું કે કુલકરો અને તેમની પત્નીનું આયુષ્ય સમાન હોય છે. તે વાત કહે છે ગાથાર્થ : કુલકરોનું જેટલું આયુષ્ય હોય તેટલું જ કુલકરોની પત્નીઓનું હોય છે. તથા પ્રથમકુલકરનું જેટલું આયુષ્ય હોય તેટલું આયુષ્ય હાથીનું પણ હોય છે. ટીકાર્થ : જેટલું આયુષ્ય કુલકરોનું હોય છે તેટલું જ આયુષ્ય તેમની પત્નીઓનું પણ હોય છે. કુલકરો અને તેમની પત્નીઓના આયુષ્યની સંખ્યા સરખી હોવાથી “તેટલું જ આયુષ્ય” એ પ્રમાણે કહેલ છે. (બંનેનું આયુ સરખું હોય છે, એક નહીં, છતાં સરખાપણાને લઈને તે જ 25 આયુ એમ કહ્યું છે.) તથા પ્રથમકુલકર જેટલું જ આયુષ્ય તેનાં હાથીનું પણ હોય છે. આ પ્રમાણે શેષકુલકરો અને પોત–પોતાના હાથીઓનું સરખું આયુષ્ય જાણી લેવું. ૧૬૨॥ અવતરણિકા : ભાગદ્વાર કહે છે અર્થાત્ પોતાના સર્વાયુષ્યમાંથી કોને કેટલો કાળ કુલકર તરીકે રહેવાનો હોય છે ? ગાથાર્થ : જેમનું જેટલું આયુષ્ય હોય તેના એક સરખા દશભાગ કરી મધ્યમના આઠભાગ 30 રૂપ ત્રીજો ભાગ કુલકરકાળ તરીકે જાણવો. ટીકાર્થ : જેમનું જેટલું આયુષ્ય હોય તેના દશભાગ કરી (પહેલા છેલ્લા સિવાયના) *૦મો : + ૦૬૫ળ । Page #356 -------------------------------------------------------------------------- ________________ 10 કુલકર તરીકેનો કાળ અને પરભવગતિ (નિ. ૧૬૪-૧૬૫) ૩૩૩ વિનાનીહતિ થાર્થ: I૬રા अमुमेवार्थं प्रचिकटयिषुराह पढमो य कुमारत्ते भागो चरमो य वुड्डभावंमि । ते पयणुपिज्जदोसा सव्वे देवेसु उववण्णा ॥१६४॥ गमनिका-तेषां दशानां भागानां प्रथमः कुमारत्वे गृह्यते, भागः चरमश्च वृद्धभाग इति, शेषा 5 मध्यमा अष्टौ भागाः कुलकरभागा इति, अत एवोक्तं 'मध्यमाष्टत्रिभागे' इति मध्यमाश्च ते अष्टौ च मध्यमाष्टौ त एव च त्रिभागस्तस्मिन् कुलकरकालं विजानीहि, गतं भागद्वारं, उपपातद्वारमुच्यतेते प्रतनुप्रेमद्वेषाः, प्रेम रागे वर्त्तते, द्वेषस्तु प्रसिद्ध एव, सर्वे विमलवाहनादयो देवेषु उपपन्ना इति થાર્થ: ૨૬૪ न ज्ञायते केषु देवेषु उपपन्ना इति, अत आह दो चेव सुवण्णेसुं उँदहिकुमारेसु हुंति दो चेव । दो दीवकुमारेसुं एगो नागेसु उववण्णो ॥१६५॥ गमनिका-द्वावेव सुपर्णेषु देवेषु उदधिकुमारेषु भवतः द्वावेव द्वौ द्वीपकुमारेषु एको नागेषु उपपन्नः, यथासंख्यमयं विमलवाहनादीनामुपपात इति गाथार्थः ॥१६५॥ મધ્યમ આઠભાગરૂપ ત્રીજો ભાગ કુલકર તરીકેનો કાળ જાણવો. /૧૬all અવતરણિકા : આ જ અર્થને પ્રગટ કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ : તે દશભાગમાંથી પ્રથમ ભાગ કુમારાવસ્થાનો અને છેલ્લોભાગ વૃદ્ધાવસ્થાનો હોય છે. તે પાતળા રાગ–ષવાળા સર્વકુલકરો દેવગતિમાં ઉત્પન થયા. ટીકાર્થ : તે દશભાગોમાંથી પ્રથમ ભાગ કુમારપણાનો ગ્રહણ કરાય છે. અને છેલ્લોભાગ વૃદ્ધભાવનો જાણવો. શેષ મધ્યમ આઠભાગો કુલકરભાગો જાણવા. આથી જ પૂર્વની ગાથામાં 20. કહ્યું “મધ્યમ આઠભાગરૂપ ત્રીજો ભાગ” અર્થાત્ મધ્યમ એવા જે આઠભાગ તે મધ્યમ આઠ ભાગ, અને તે રૂપ ત્રીજો ભાગ, તે ત્રીજાભાગમાં કુલકરકાળ જાણવો. ભાગદ્વાર પૂર્ણ થયું. હવે ઉપપાતદ્વાર કહેવાય છે– પાતળા છે રાગદ્વેષ જેના એવા તે વિમલવાહન વિગેરે કુલકરો દેવગતિમાં ઉત્પન્ન થયા. અહીં પ્રેમ એટલે રાગ તથા વૈષ એ પ્રસિદ્ધ જ છે. ll૧૬૪ અવતરણિકા : શંકા : કયા કયા દેવલોકમાં તે ઉત્પન્ન થયા છે ? તે જણાતું નથી માટે 25 તે કહે છે ; ગાથાર્થ : (ક્રમે કરીને) બે કુલકરો સુવર્ણ કુમારમાં, બે ઉદધિકુમારમાં, બે દીપકુમારમાં અને એક નાગકુમારમાં ઉત્પન્ન થયા. ટીકાર્થ : વિમલવાહન અને ચક્ષુખાનું સુવર્ણકુમારમાં (ભવનપતિનો એક પ્રકાર), યશસ્વી અને અભિચંદ્ર ઉદધિકુમારમાં, પ્રસેનજિત્ અને મરુદેવ દ્વીપકુમારમાં, અને નાભિ નાગકુમારમાં 30 ઉત્પન્ન થયા. (ટૂંકમાં સાતે કુલકરો ભવનપતિનિકાયમાં ઉત્પન્ન થયા.) ૧૬પો * ૦માd | # ૧૦ 15. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ નો આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) इदानीं तत्स्त्रीणां हस्तिनां चोपपातमभिधित्सुराह हत्थी छच्चित्थीओ नागकुमारेसु हुंति उववण्णा । एगा सिद्धि पत्ता मरुदेवी नाभिणो पत्ती ॥१६६॥ गमनिका-हस्तिनः षट् स्त्रियश्चन्द्रयशाद्या नागकुमारेषु भवन्ति उपपन्नाः, अन्ये तु 5 प्रतिपादयन्ति-एक एव हस्ती षट् स्त्रियो नागेषु उपपन्नाः, शेषैर्नाधिकार इति, एका सप्तमी सिद्धि प्राप्ता मरुदेवी नाभे: पत्नीति गाथार्थः ॥१६६॥ उक्तमुपपातद्वारं, अधुना नीतिद्वारप्रतिपादनायाह इक्कारे मक्कारे धिक्कारे चेव दंडनीईओ । वुच्छं तासि विसेसं जहक्कम आणुपुव्वीए ॥१६७।। 10 નમન-: મધ: ધિર્વે 3નીતો વર્નન્ત, વચ્ચે તાલ વિષે યથા-" ___ या यस्येति, आनुपूर्व्या-परिपाट्यति गाथार्थः ॥१६७॥ पढमबीयाण पढमा तइयचउत्थाण अभिनवा बीया । पंचमछट्ठस्स य सत्तमस्स तइया अभिनवा उ ॥१६८॥ गमनिका-प्रथमद्वितीययो:-कुलकरयोः प्रथमा दण्डनीति:-हक्काराख्या, तृतीयचतुर्थ15 योरभिनवा द्वितीया, एतदुक्तं भवति-स्वल्पापराधिनः प्रथमया दण्डः क्रियते, महदपराधिनो અવતરણિકા : હવે કુલકરોની પત્નીઓનો અને હાથીઓનો ઉપપાત બતાવે છે કે ગાથાર્થ : હાથીઓ અને પ્રથમ છ સ્ત્રીઓ નાગકુમારમાં ઉત્પન્ન થયા નાભિકુલકરની પત્ની મરુદેવી સિદ્ધિને પામી. ટીકાર્થ : સર્વ હાથીઓ અને ચંદ્રયશાદિ છ સ્ત્રીઓ નાગકુમારમાં ઉત્પન્ન થયા. કેટલાક 20 આચાર્યો કહે છે કે “એક જ હાથી અને છ સ્ત્રીઓનો નાગકુમારમાં ઉપપાત થયો. શેષ હાથીઓ વડે અહીં અધિકાર નથી” (અર્થાત્ શેષ હાથીઓનું કથન કર્યું નથી) સાતમી નાભિની પત્ની મરુદેવી સિદ્ધિને પામી. /૧૬૬રી અવતરણિકા : હવે નીતિદ્વાર બતાવે છે કે ગાથાર્થ : હક્કાર, મક્કાર અને ધિક્કાર એ દંડનીતિઓ છે. તે દંડનીતિઓના વિશેષને 25 યથાક્રમે આનુપૂર્વીથી કહીશ. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. ૧૬૭ી તે નીતિઓમાં જે વિશેષ છે તે કહેશે, અર્થાત્ જે કુલકરની જે નીતિ હતી, તે આનુપૂર્વીથી ક્રમશઃ બતાવશે. ગાથાર્થ : પહેલા–બીજા કુલકરને પ્રથમ, ત્રીજાચોથાને અભિનવ–બીજી, પાંચમાં – છઠ્ઠા અને સાતમાને અભિનવ ત્રીજી દંડનીતિ હતી. 30 ટીકાર્થ : પ્રથમ અને બીજા કુલકરને (હકારનામની) પ્રથમ દંડનીતિ હતી. ત્રીજા–ચોથાને - નવી બીજી દંડનીતિ હતી, અર્થાત્ અલ્પ અપરાધ કરનારને ત્રીજા–ચોથા કુલકરો પ્રથમ દંડનીતિ * શ્રવં ! Page #358 -------------------------------------------------------------------------- ________________ 10 શેષ દંડનીતિઓ માણવકનિધિમાંથી (નિ. ૧૬૯) રૌ ૩૩૫ द्वितीययेत्यतोऽभिनवा सेति, सा च मकाराख्या, तथा पञ्चमषष्ठयोः, सप्तमस्य तृतीयैव अभिनवा-धिक्काराख्या, एताश्च तिस्रो लघुमध्यमोत्कृष्टापराधगोचराः खल्ववसेया इति गाथार्थः ii૬૮! सेसा उ दंडनीई माणवगनिहीओ होति भरहस्स । उसभस्स गिहावासे असक्कओ आसि आहारो ॥१६९॥ गमनिका-शेषा तु दण्डनीति: माणवकनिधेर्भवति भरतस्य, वर्तमानक्रियाभिधानं इह क्षेत्रे सर्वावसर्पिणीस्थितिप्रदर्शनार्थं, अन्यास्वप्यतीतासु एष्यासु चावसर्पिणीषु अयमेव न्यायः प्रायो नीत्युपाद इति, तस्य च भरतस्य पिता ऋषभनाथः, तस्य च ऋषभस्य गृहवासे असंस्कृत आसीदाहार:-स्वभावसंपन्न एवेति, तस्य हि देवेन्द्रादेशाद्देवाः देवकुरूत्तरकुरुक्षेत्रयोः स्वादूनि फलानि क्षीरोदाच्चोदकमपनीतवन्त इति गाथार्थः ॥१६९॥ इयं मूलनियुक्तिगाथा, एनामेव भाष्यकृद् व्याख्यानयन्नाह - परिभासणा उ पढमा मंडलिबंधंमि होइ बीया उ। चारग छविछेआई भरहस्स चउव्विहा नीई ॥३॥" (भाष्यम्) गमनिका-यदुक्तं 'शेषा तु दण्डनीतिर्माणवकनिधेर्भवति भरतस्य' सेयं-परिभाषणा तु વડે જ દંડ કરતા અને મોટા અપરાધ કરનારને આ બીજી દંડનીતિવડે દંડ કરતા. તેથી તે વખતે 15 આ બીજી દંડનીતિ નવી કહેવાતી હતી અને તે બીજી દંડનીતિ મકાર નામની હતી. પાંચમાછઠ્ઠા અને સાતમાને ત્રીજી નવી ધિક્કારનામની દંડનીતિ હતી. આ ત્રણે દંડનીતિઓ અનુક્રમે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અપરાધને વિષે પ્રવર્તી. II૧૬૮ ગાથાર્થ : શેષ દંડનીતિઓ ભરત મહારાજાના માણવકનિધિમાંથી થઈ છે. ઋષભસ્વામીને ગૃહવાસમાં અસંસ્કૃત આહાર હતો. 20 ટીકાર્થ : શેષ દંડનીતિઓ ભરતને માણવકનિધિમાંથી હોય છે અર્થાત્ આ નિધિમાંથી દંડનીતિઓ પ્રાપ્ત થાય છે. અહીં વર્તમાનકાળનો પ્રયોગ જે કર્યો છે તે આ ભરતક્ષેત્રમાં સર્વ અવસર્પિણીની સ્થિતિ બતાવવા કર્યો છે. અર્થાત્ ભૂત–ભવિષ્યની સર્વ અવસર્પિણીમાં નીતિની ઉત્પત્તિનો આ જ ન્યાય વિધિ છે. તે ભરતના પિતા ઋષભનાથ હતા. તે ઋષભને ગૃહવાસમાં અસંસ્કૃત (રાંધ્યા વિનાનો) આહાર હતો, કારણ કે ઇન્દ્રના આદેશથી દેવો દેવકુ- 25 ઉત્તરકુરુક્ષેત્રમાંથી સ્વાદિષ્ટ ફળો અને શીરોદધિમાંથી પાણી લાવતા હતા. ll૧૬ો અવતરણિકા: ઉપરોક્ત ગાથા મૂલનિર્યુક્તિગાથા છે. હવે તેનું ભાષ્યકાર વ્યાખ્યાન કરે છે ? ગાથાર્થ : પ્રથમ દંડનીતિ પરિભાષણા હતી, બીજી મંડળીબંધ, ત્રીજી ચારક અને ચોથી છવિચ્છેદ, આ ચાર પ્રકારની ભરતની દંડનીતિ હતી. ટીકાર્થ : પૂર્વે કહ્યું “શેષ દંડનીતિઓ ભરતને માણવકનિધિમાંથી હોય છે” તે શેષ દંડનીતિઓ 30 * માર્ગારેT વ્યાયાના: મૂનવં તન્ન પાશ્ચાત્યાત્વિના નિર્વ:, મૂત્રમાર્ગo | * बंधोमि । + मूलभाष्यगाथेति नियुक्तिपुस्तके । Page #359 -------------------------------------------------------------------------- ________________ 10 ૩૩૬ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) प्रथमा, मण्डलीबन्धश्च भवति द्वितीया तु, चारकः छविच्छेदश्च भरतस्य चतुर्विधा नीतिः, तत्र परिभाषणं परिभाषा-कोपाविष्करणेन मा यास्यसीत्यपराधिनोऽभिधानं, तथा मण्डलीबन्धःनास्मात्प्रदेशाद् गन्तव्यं, चारको-बन्धनगृहं, छविच्छेदः-हस्तपादनासिकादिच्छेद इति, इयं भरतस्य चतुर्विधा दण्डनीतिरिति । अन्ये त्वेवं प्रतिपादयन्ति-किल परिभाषणामण्डलिबन्धौ 5 ऋषभनाथेनैवोत्पादिताविति, चारकच्छविच्छेदौ तु माणवकनिधेरुत्पन्नौ इति, भरतस्य-चक्रवर्तिन एवं चतुर्विधा नीतिरिति गाथार्थः ॥३॥ ___ अथ कोऽयं भरत इत्याह-ऋषभनाथपुत्रः, अथ कोऽयं ऋषभनाथ इति तद्वक्तव्यताऽभिधित्सयाऽऽह-नाभी गाहा । अथवा प्रतिपादितः कुलकरवंशः, इदानीं प्राक्सूचितेक्ष्वाकुवंशः प्रतिपाद्यते स च ऋषभनाथप्रभव इत्यतस्तद्वक्तव्यताऽभिधित्सयाऽऽह - नाभी विणीअभूमी मरुदेवी उत्तरा य साढा य । राया य वइरणाहो विमाणसव्वट्ठसिद्धाओ ॥१७०॥ गमनिका-इयं हि नियुक्तिगाथा प्रभूतार्थप्रतिपादिका, अस्यां च प्रतिपदं क्रियाऽध्याहार: कार्यः, स चेत्थम्-नाभिरिति नाभिनाम कुलकरो बभूव, विनीता भूमिरिति-तस्य विनीताभूमौ આ પ્રમાણે છે – તેમાં પરિભાષણા એટલે ગુસ્સો પ્રકટ કરવાવડ જઈશ નહીં” એ પ્રમાણે 15 અપરાધીને કહેવું, મંડળીબંધ એટલે “આ પ્રદેશથી તારે જવું નહીં” એ પ્રમાણે કહેવું, (હાલ જેને નજરકેદ કહે છે, તેવું જણાય છે.) ચારક એટલે બંધનગૃહ કેદખાનું, છવિચ્છેદ = હાથ,પગ, નાસિકાદિનો છેદ કરવો. આ પ્રમાણે ભરત મહારાજાને ચાર પ્રકારની દંડનીતિ હતી. કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે – પરિભાષણા અને મંડળીબંધ આ બે નીતિ ઋષભનાથવડે જ ઉત્પન્ન કરાઈ. જ્યારે ચારક અને છવિચ્છેદ માણવકનિધિમાંથી ઉત્પન્ન થઈ. આ રીતે 20 ભરત ચક્રવર્તીને ચાર પ્રકારની નીતિ હતી. || ભા. ૩ અવતરણિકા : આ ભરત કોણ હતો ? તેનો ઉત્તર આપે છે – ભરત ઋષભનાથનો પુત્ર હતો. આ ઋષભનાથ કોણ હતા ? આવી શંકા સામે ઋષભનાથની વક્તવ્યતાને કહેવાની ઇચ્છાથી આગળની નામ... ગાથા કહે છે, અથવા (આગળની નામી ગાથાની બીજી રીતે સંબંધ બતાવે છે) કુલકરવંશ કહ્યો, હવે પૂર્વે કહેલ ઇક્વાકુવંશનું પ્રતિપાદન કરે છે, અને તે 25 ઇક્વાકુવંશ ઋષભનાથથી ઉત્પન્ન થયો. તેથી ઋષભનાથની વક્તવ્યતાને કહે છે ? ગાથાર્થ : નાભિ–વિનીતાભૂમિ – મરુદેવી – ઉત્તરાષાઢા નક્ષત્ર – વેરનાભરાજા – સર્વાર્થસિદ્ધવિમાન. ટીકાર્થ: આ નિર્યુક્તિગાથા પુષ્કળ અર્થોનું પ્રતિપાદન કરનારી છે અને આ ગાથામાં દરેક પદ માટે ક્રિયાપદ અધ્યાહારથી (દરેક પદ સાથે જે ક્રિયાપદ બંધબેસતુ હોય તેને તે પદ સાથે 30 બહારથી લાવી જોડવું તે અધ્યાહાર કહેવાય.) સમજી લેવું. તે આ પ્રમાણે – નાભિ શબ્દથી નાભિનામના કુલકર હતા. તેમનું વિનીતાભૂમિમાં પ્રાય: અવસ્થાન હતું. મરુદેવી તેમની પત્ની * પ્રતિપાઃ | Page #360 -------------------------------------------------------------------------- ________________ ઋષભદેવના પૂર્વભવોનું સંક્ષિપ્ત વર્ણન (નિ. ૧૭૧-૧૭૨) ૩૩૭ प्रायः अवस्थानमासीद्, मरुदेवीति तस्य भार्या, राजा च प्राग्भवे वैरनाभः सन् प्रव्रज्यां गृहीत्वा . तीर्थकरनामगोत्रं कर्म बद्ध्वा मृत्वा सर्वार्थसिद्धिमवाप्य ततस्तस्याः मरुदेव्याः तस्यां विनीतभूमौ सर्वार्थसिद्धाद्विमानादवतीर्य ऋषभनाथः संजातः, तस्योत्तराषाढानक्षत्रमासीत् इति गाथार्थः ॥ १७० ॥ इदानीं यः प्राग्भवे वैरनाभः यथा च तेन सम्यक्त्वमवाप्तं यावतो वा भवान् अवाप्तसम्यक्त्वः संसारं पर्यटितः यथा च तेन तीर्थकरनामगोत्रं कर्म बद्धमित्यमुमर्थमभिधित्सुराह— 5 सत्थवाह घोसण जइगमण अडविवासठाणं च । बहुवोलीणे वासे चिंता घयदाणमासि तया ॥ १७१॥ उत्तरकुरु सोहम्मे महाविदेहे महब्बलो राया । ईसाणे ललियंगो महाविदेहे वइरजंघो ॥१॥ ( . उत्तरकुरु सोहम्मे विदेहि तेगिच्छियस्स तत्थ सुओ (પ્રક્ષિપ્તા) रायसुय सेट्ठिमच्चासत्थाहसुया वयंसा से || १७२॥ अन्या अपि उक्तसंबन्धा एव द्रष्टव्याः तावत् यावत् 'पढमेण पच्छिमेण' गाहा, किंतु यथाऽवसरमसंमोहनिमित्तमुपन्यासं करिष्यामः । प्रथमगाथागमनिका — धनः सार्थवाहो घोषणं હતી. પૂર્વભવમાં વૈરનાભ(વજનાભ)નામના રાજાએ દીક્ષા ગ્રહણ કરી તીર્થંકરનામગોત્રકર્મ બાંધ્યું. 15 ત્યાંથી મરીને સર્વાર્થસિદ્ધિને પામ્યાં. ત્યાંથી આવી વિનીતાનગરીમાં મરુદેવીમાતાની (કુક્ષિમાં) ઋષભનાથ તરીકે ઉત્પન્ન થયા. તે સમયે ઉત્તરાષાઢાનક્ષત્ર હતું ૧૭૦|| અવતરણિકા : હવે, પૂર્વભવમાં જે વૈરનાભ હતા. તેમનાવડે જે રીતે સમ્યક્ત્વ પ્રાપ્ત કરાયું. અથવા પ્રાપ્તસમ્યક્ત્વ એવા તે જેટલા ભવો સંસારમાં ફર્યા, અને જે રીતે તેમનાવડે તીર્થંકરનામકર્મ બંધાયું. તે સઘળી માહિતી કહે છે ગાથાર્થ : ધનસાર્થવાહ – ઘોષણા – યતિગમન – અટવીમાં વર્ષાસ્થાન – વર્ષાકાળ ઘણો - - પસાર થયે છતે ચિંતા ત્યારે ઘીનું દાન કર્યું. (પ્રક્ષિપ્તગાથા) ઉત્તરકુરુ - સૌધર્મ – મહાવિદેહમાં મહાબલરાજા મહાવિદેહમાં વૈરજંઘ. - - ઈશાનદેવલોકમાં 10 લલિતાંગ ગાથાર્થ : ઉત્તરકુરુ—સૌધર્મમહાવિદેહમાં વૈદ્યરાજના પુત્ર – તેમના રાજપુત્ર, શ્રેષ્ઠિપુત્ર, 25 અમાત્યપુત્ર અને સાર્થવાહનો પુત્ર એ ચાર મિત્રો હતા. ટીકાર્થ : અહીંથી લઈ ગાથા નં. ૧૮૨ ‘પમેળ પમેિળ' સુધીની બધી ગાથાઓનો સંબંધ કહેવાઈ ગયેલો જાણવો. છતાં જ્યારે જેનો અવસર આવશે ત્યારે અસંમોહ નિમિત્તે તે તે સંબંધનો ઉપન્યાસ કરીશું. પ્રથમ, દ્વિતીય, તૃતીય ગાથાઓનો ટીકાર્થ ગાથાર્થ મુજબ છે. આ 20 + धणमिहुणसुरमहब्बलललियंगयवइरजंघमिहुणे य । सोहम्मविज्जअच्चुअ चक्की सव्वट्ट उसभे अ 30 ॥१॥ (गाथेयं अव्याख्याता निर्युक्तौ) ★ इयं अन्यकर्त्तृकी सोपयोगा चेति वृत्तिकारा:. Page #361 -------------------------------------------------------------------------- ________________ 33८ * आवश्य: नियुक्ति • त्मिद्रीयवृत्ति • समाषांतर (111) यतिगमनं अटवी वर्षस्थानं च बहुवोलीने वर्षे चिन्ता घृतदानमासीत्तदा । द्वितीयगाथागमनिकाउत्तरकुरौ सौधर्मे महाविदेहे महाबलो राजा ईशाने ललिताङ्गो महाविदेहे च वैरजङ्घः । इयमन्यकर्तृकी गाथा सोपयोगा च । तृतीयगाथागमनिका-उत्तरकुरौ सौधर्मे महाविदेहे चिकित्सकस्य तत्र सुतः राजसुतश्रेष्ठ्यमात्यसार्थवाहसुता वयस्याः ‘से' तस्य । आसां भावार्थः कथानकादवसेयः, प्रतिपदं 5 च अनुरूपः क्रियाऽध्याहार: कार्य इति, यथा-धनः सार्थवाह इति धनो नाम सार्थवाह आसीत्, स हि देशान्तरं गन्तुमना घोषणं कारितवानित्यादि । कथानकम्- तेणं कालेणं तेणं समएणं अवरविदेहे वासे धणो नाम सत्थवाहो होत्था, सो खितिपतिट्ठिआओ नयराओ वसंतपुरं पट्ठिओ वणिज्जेणं, घोसणयं कारेड्-'जो मए सद्धि जाइ तस्साहमुदंतं वहामित्ति', तंजहा-खाणेण वा पाणेण वा वत्थेण वा पत्तेण वा ओसहेण वा 10 भेसज्जेण वा अण्णेण वा केणई जो जेण विसूरइत्ति तं च सोऊण बहवे तडियकप्पडियादओ पयति, विभासा, जाव तेण समं गच्छो साहूण संपद्वितो, को पुण कालो ?, चरमनिदाघो, सो य सत्थो जाहे अडविमज्झे संपत्तो ताहे वासरत्तो जाओ, ताहे सो सत्थवाहो अइदुग्गमा पंथत्तिकाउं ગાથાઓનો ભાવાર્થ કથાનક દ્વારા સમજાશે. તથા દરેક પદમાં તેને અનુરૂપ ક્રિયાપદના અધ્યાહાર કરવા યોગ્ય છે. જેમકે, ધન નામનો સાર્થવાહ હતો. તેણે દેશાન્તરમાં જવાની ઇચ્છાથી ઘોષણા 15 ४२वी वगेरे ॥१७१-..-१७२॥ કથાનક આ પ્રમાણે : તે કાળે – તે સમયે પશ્ચિમવિદેહમાં ધન નામનો સાર્થવાહ હતો. તેણે પોતાના વેપાર-ધંધા માટે ક્ષિતિપ્રતિષ્ઠિતનગરથી વસંતપુર તરફ પ્રયાણ કરતી વેળા ઘોષણા કરાવી કે “જે વ્યક્તિ મારી સાથે જોડાશે તેની દરેક જાતની કાળજી હું કરીશ. તે આ પ્રમાણે - ખાન-પાન–વસ્ત્ર–પાત્ર–ઔષધ–ભેષજ કે અન્ય જે વસ્તુની જેને જરૂર પડશે તે સર્વે હું પૂરું 20 ५६." मा घोषाने सामजी तटि-पंटि वगैरे तेनी साथे या विभाषा = જે રીતે જ્ઞાતાધર્મકથામાં સાર્થવાહ ઘોષણા કરાવી....વિગેરેથી લઈ બધી તૈયારીઓ પૂર્ણ કરી પ્રયાણ શરૂ કર્યું ત્યાં સુધીનું સર્વ વૃત્તાંત અહીં જાણી લેવું. તે સાર્થવાહ સાથે સાધુઓનો ગચ્છ પણ ચાલ્યો. તે વખતે કયો કાળ વર્તી રહ્યો હતો ? છેલ્લો ઉનાળો (જેઠ મહિનાનો કાળ) ચાલી રહ્યો હતો. તે સાથે જ્યારે અટવીના મધ્યમાં 25 પહોંચ્યો ત્યારે વર્ષાઋતુ ચાલુ થઈ. તેથી તે સાર્થવાહ “આગળનો માર્ગ ઘણો દુર્ગમ છે” એમ ५१. तस्मिन्काले तस्मिन्समयेऽवरविदेहे वर्षे धनो नाम सार्थवाहोऽभूत्, स क्षितिप्रतिष्ठितात् नगराद्वसन्तपुरं प्रस्थितो वाणिज्येन, घोषणां कारयति-'यो मया सार्धं याति तस्याहमुदन्तं वहामीति, तद्यथा-खादनेन वा पानेन वा वस्त्रेण वा पात्रेण वा औषधेन वा भैषज्येन वा अन्येन वा यो ( विना ) येन केनचिद्विषीदति इति' तच्छ्रुत्वा च बहवस्तटिककार्पटिकादयः प्रवर्त्तन्ते, विभाषा ( वर्णनं), यावत्तेन समं 30 गच्छः साधूनां संप्रस्थितः, कः पुनः कालः ?, चरमनिदाघः, स च सार्थो यदाऽटवीमध्ये संप्राप्तः तदा । वर्षारात्रो जातः, तदा स सार्थवाहोऽतिदुर्गमाः पन्थान इतिकृत्वा + धनसा० । Page #362 -------------------------------------------------------------------------- ________________ ३३८ धनसार्थवाहनो भव (नि. १७१-१७२) 'तत्थेव सत्थनिवेसं काउं वासावासं ठितो, तंमि य ठिते सव्वो सत्थो ठितो, जाहे य तेसिं . सत्थिल्लियाणं भोयणं णिट्टियं ताहे कंदमूलफलाणि समुद्दिसिउमारद्धा, तत्थ साहुणो दुक्खया जदि कहवि अहापवत्ताणि लभंति ताहे गेण्हंति, एवं काले वच्चते थोवावसेसे वासारत्ते ताहे तस्स धणस्स चिंता जाता को एत्थ सत्थे दुक्खिओत्ति ?, ताहे सरिअं जहा मए समं साहुणो आगया, तेसिं च कंदाइ न कप्पंति, ते दुक्खिता तवस्सिणो, कल्लं देमित्ति पभाए निमन्तिता भांति - जं परं अम्ह कप्पिअं होज्जा तं गेण्हेज्जामो, किं पुण तुब्भं कप्पति ?, जं अकयमकारियं भिक्खामेत्तं, जं वा सिणेहादि, तो तेण साहूण घयं फासुयं विउलं दाणं दिण्णं, सोय अहाउयं पालेत्ता कालमासे कालं किच्चा तेण दाणफलेण उत्तरकुराए मणूसो जाओ, तैओ आउ सोहम्मे कप्पे देवो ववण्णो, ततो चइऊण इहेव जंबूदीवे दीवे अवरविदेहे गंधिलावतीविजए 5 વિચારી સાથેના નિવાસને = તંબુ વગેરેને કરી આખું ચોમાસુ ત્યાં રહ્યો. તેના રહેવાથી આખો !) સાય ત્યાં રહ્યો. જ્યારે સાર્થ પાસે રહેલ ભોજન સમાપ્ત થયું ત્યારે સાર્થના લોકો કંદમૂલ-ફળો ખાવા લાગ્યા. જેથી સાધુઓ દુ:ખી થયા. સાધુઓ યથાપ્રવૃત્ત નિર્દોષ આહાર–પાણી જ્યારે મળતા ત્યારે ગ્રહણ કરતા. - આ પ્રમાણે કાળ પસાર થતાં જ્યારે થોડું ચોમાસુ બાકી રહ્યું ત્યારે તે ધનસાર્થવાહને વિચાર આવ્યો કે “આ સાર્થમાં કોણ દુ:ખી છે ? વિચારતાં–વિચારતાં તેને યાદ આવ્યું કે મારી 15 સાથે સાધુઓ આવેલા છે, અને તેઓને કંદમૂલાદિ ખપતું નથી. તે તપસ્વીઓ કેટલા દુ:ખી થયા હશે ? તેઓને હું કાલે દાન આપીશ” એમ વિચારી પ્રભાતે નિમંત્રણ આપી બોલાવ્યા, ત્યારે साधुजो “अमारे थे अल्पनीय हशे ते ग्रहण शुं” “तमारे शुं अल्पनीय छे ?" " અકૃત—અકારિત એવી ભિક્ષા હોય અથવા ઘી વગેરે દ્રવ્યો અમને કલ્પે.” તે સાર્થવાહે સાધુઓને પુષ્કળ પ્રમાણમાં પ્રાસુક ઘીનું દાન કર્યું. સાર્થવાહ પોતાના આયુષ્યને 20 પાળી. મરણ પામી આ દાનના પ્રભાવે ઉત્તરકુરુમાં મનુષ્ય તરીકે ઉત્પન્ન થયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મદેવલોકમાં દેવ તરીકે થયો. ત્યાંથી ચ્યવી આ જંબુદ્વીપનામના દ્વીપમાં ५२. तत्रैव सार्थनिवेशं कृत्वा वर्षावासं स्थितः, तस्मिंश्च स्थिते सर्वः सार्थः स्थितः, यदा च तेषां सार्थिकानां भोजनं निष्ठितं तदा कन्दमूलफलानि समुद्देष्टुं (अत्तुं ) आरब्धाः, तत्र साधवः दुःखिता कथमपि यथाप्रवृत्तानि लभन्ते तदा गृह्णन्ति, एवं काले व्रजति स्तोकावशेषो वर्षारात्रः तदा धनस्य चिन्ता 25 जाता - क एतस्मिन्सार्थे दुःखित इति, तदा स्मृतं यथा मया समं साधव आगतास्तेषां कन्दादि न कल्पते, ते दुःखितास्तपस्विनः, कल्ये दास्ये इति प्रभाते निमन्त्रिता भणन्ति यत्परमस्माकं कल्प्यं भवेत्तद्गृहीष्यामः, किं पुनर्भवतां कल्पते ?, यदकृतमकारितं भिक्षामात्रं यद्वा स्नेहादि, ततः तेन साधुभ्यो घृतं प्रासुकं विपुलं दानं दत्तं, स च यथायुष्कं पालयित्वा कालमासे कालं कृत्वा तेन दानफलेन उत्तरकुरुषु मनुष्यो जातः, तत आयुः क्षयेण सौधर्मे कल्पे देव उत्पन्नः, ततश्च्यु इहैव जम्बूद्वीपे द्वीपे अपरविदेषु गन्धिलावत्यां 30 ★ होज्ज । + सिणेहति । * तेणं । Page #363 -------------------------------------------------------------------------- ________________ 3४० * आवश्य: नियुजित • ६२मद्रीयवृत्ति • समाषांतर (भाग-१) वेयडपव्वए गंधारजणवए गन्धसमिद्धे विज्जाहरणगरे अतिबलरपणो नत्ता सयबलराइणो पुत्तो महाबलो नाम राया जाओ, तत्थ सुबुद्धिणा अमच्चेण सावगेण पिअवयस्सेण णाडयपेक्खाअक्खित्तमणो संबोहिओ, मासावसेसाऊ बावीसदिणे भत्तपच्चक्खाणं काउं मरिऊण ईसाणकप्पे सिरिप्पभे विमाणे ललियंगओ नाम देवो जाओ, ततो चइऊण इहेव जंबूदीवे दीवे पुक्खलावइविजए लोहग्गलणगरसामी वइरजंघो नाम राजा जाओ, तत्थ सभारिओ पच्छिमे वए पव्वयामित्ति चिंतितो पुत्तेण वासघरे जोगधूवधूविए मारिओ, मरिऊण उत्तरकुराए सभारिओ मिहुणगो जाओ, तओ सोहम्मे कप्पे देवो जाओ, ततो चइऊण महाविदेहे वासे खिइपइट्ठिए णगरे वेज्जपुत्तो आयाओ, जद्दिवसं च जातो तद्दिवसमेगाहजातगा से इमे चत्तारि वयंसगा तंजहा रायपुत्ते सेट्ठिपुत्ते अमच्चपुत्ते सत्थाहपुत्तेत्ति, संवड्डिआ ते, अण्णया कयाइ तस्स वेज्जस्स घरे 10 પશ્ચિમવિદેહમાં ગંધિલાવતીવિજયમાં વૈતાઢચપર્વતને વિષે ગાંધારજનપદમાં ગંધસમુદ્રનામના વિદ્યાધરનગરમાં અતિબલરાજાના પૌત્ર તરીકે અને શતબલરાજાના પુત્ર તરીકે મહાબલ નામનો . २। थयो. ત્યાં તેમના પ્રિય મિત્ર એવા સુબુદ્ધિનામના શ્રાવક મંત્રીએ નાટક જોવાની ઇચ્છાવાળા મહાબલ રાજાને એક મહિનાનું આયુષ્ય બાકી હતું ત્યારે પ્રતિબોધ પમાડ્યો. તે રાજા બાવીસ 15 દિવસનું અનશન કરીને અને મરી ઈશાન દેવલોકમાં લલિતાંગનામે દેવ થયો. ત્યાંથી ચ્યવી આ જંબૂદ્વીપમાં પુષ્કલાવતીવિજયમાં લોહાર્ગલનગરના સ્વામી તરીકે વજજંઘનામે રાજા થયો. તે ભવમાં પત્ની સહિત પાછળની ઉંમરમાં હું પ્રવ્રયા ગ્રહણ કરું એવું વિચારતો હતો ત્યારે, પુત્રે યોગધૂપથી ધૂપિત એવા વાસઘરમાં તેને મારી નાખ્યો. મરીને ઉત્તરકુરુમાં પત્ની સહિત યુગલિક તરીકે ઉત્પન્ન થયો. ત્યાંથી મરી સૌધર્મદેવલોકમાં દેવ થયો. 20 ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિતનગરમાં વૈદ્યપુત્ર તરીકે ઉત્પન્ન થયો. જે દિવસે આ વૈદ્યપુત્રનો જન્મ થયો તે દિવસે જ જન્મનારા આ ચાર મિત્રો થયા તે આ પ્રમાણે - રાજપુત્ર, શ્રેષ્ઠિપુત્ર, અમાત્યપુત્ર અને સાર્થવાહપુત્ર. તેઓ એક સાથે મોટા થયા. એકવાર આ ચારે મિત્રો તે વૈદ્યના ઘરે ભેગા થયા. તે વખતે કૃમિકુઠ(કોઢ)થી ઘેરાયેલા એક સાધુ મહાત્મા ભિક્ષા માટે તે ઘરમાં આવ્યાં. ५३. वैताढ्यपर्वते गान्धारजनपदे गन्धसमृद्धे विद्याधरनगरे अतिबलराजस्य नप्ता शतबलराजस्य पुत्र: महाबलनामा राजा जातः, तत्र सुबुद्धिना अमात्येन श्रावकेण प्रियवयस्येन नाटकप्रेक्षाक्षिप्तमनाः संबोधितः, मासावशेषायुः द्वाविंशतिदिनं भक्तप्रत्याख्यानं कृत्वा मृत्वेशानकल्पे श्रीप्रभे विमाने ललिताङ्गकनामा देवो जातः, ततश्च्युत्वेहैव जम्बूद्वीपे द्वीपे पुष्फलावतीविजये लोहार्गलनगरस्वामी वज्रजङ्घनामा राजा जातः, तत्र सभार्यः पश्चिमे वयसि प्रव्रजामीति चिन्तयन् पुत्रेण वासगृहे योगधूपधूपिते 30 (तेन ) मारितः, मृत्वोत्तरकुरुषु सभार्यो मिथुनको जातः, ततः सौधर्मे कल्पे देवो जातः, ततश्च्युत्वा पुनरपि महाविदेहे वर्षे क्षितिप्रतिष्ठिते नगरे वैद्यपुत्र आयातः, यदिवसे च जातस्तद्दिवसे एकाहर्जातास्तस्येमे चत्वारो वयस्यास्तद्यथा-राजपुत्रः श्रेष्ठिपुत्रः अमात्यपुत्रः सार्थवाहपुत्र इति, संवर्धितास्ते, अन्यदा कदाचित् तस्य वैद्यस्य गृहे A ०बलस्स र० । + पुणोवि म० । Page #364 -------------------------------------------------------------------------- ________________ वैधपुत्रनो भव (नि. १७१-१७२) * ३४१ एंगओ सव्वे सन्निसण्णा अच्छंति, तत्थ साहू महप्पा सो किमिकुंटेण गहिओ अइगतो भिक्खस्स, तेहिं सप्पणयं सहासं सो भण्णति-तुम्भेहिं नाम सव्वो लोगो खायव्वो, ण तुब्भेहिं तवस्सिस्स वा अणाहस्स वा किरिया कायव्वा, सो भणति-करेज्जामि, किं पुण ? ममोसहाणि णत्थि, ते भणंति-अम्हे मोल्लं देमो, किं ओसहं जाइज्जउ ?, सो भणति-कंबलरयणं गोसीसचंदणं च, तइयं संहस्सपागं तिल्लं तं मम अत्थि, ताहे मग्गिउं पवत्ता, आगमियं च णेहिं जहा-अमुगस्स वाणियगस्स 5 अस्थि दोवि एयाणि, ते गया तस्स सगासं दो लक्खाणि घेत्तुं, वाणिअओ संभंतो भणति-किं देमि ?, ते भणंति-कंबलरयणं गोसीसचंदणं च देहि, तेण भण्णति-किं एतेहिं कज्जं ?, भणंति-साहुस्स किरिया कायव्वा, तेण भणितं-अलाहि मम मोल्लेण, इहरहा एव गेण्हह, करेह किरियं, ममवि धम्मो होउत्ति, सो वाणियगो चिंतेइ-जइ ताव एतेसिं बालाणं एरिसा सद्धा धम्मस्सुवरिं, मम णाम मंदपुण्णस्स इहलोगपडिबद्धस्स नत्थि, सो संवेगमावण्णो तहारूवाणं 10 ત્યારે પ્રેમપૂર્વક હાસ્યથી ચારે મિત્રોએ વૈદ્યપુત્રને કહ્યું “તમારા વડે સર્વ લોક ખવાય છે. (તમે સર્વ લોકોને લુટો છો, પરંતુ તપસ્વી કે અનાથની ચિકિત્સા તમે કરતા નથી. ત્યારે તે વૈદ્યપુત્રે કહ્યું, " मुनिना यित्सिा ४२, परंतु शुं ? भारी पासे औषधो नथी." त्यारे मित्रोमे यूं, “मे પિસા આપીશું, બોલો, તમારે કેવા પ્રકારની ઔષધિઓ જોઈએ છે? વૈદ્યપુત્રે કહ્યું, “કંબળરત્ન અને ગોશીષચંદન જોઈએ છે. ત્રીજું સહમ્રપાક તૈલ તો મારી પાસે છે”. મિત્રો આ બે વસ્તુ શોધવા 15 લાગ્યાં. તેમને ખબર પડી કે અમુક વેપારી પાસે આ બંને વસ્તુ છે. બે લાખ રૂપિયા લઈ મિત્રો તે વેપારી પાસે ગયા. વિચારમાં પડેલા વેપારીએ પૂછ્યું, “શું साधु ?' भित्रोको ह्यु, " रत्न अने गोशाई यंहन २५." वेपारीसे पूछ्युं “तमारे मानाथी शुभ छ ?" भित्रोणे , "मानाथी साधुनी यित्सिा ४२वी छ." वेपारीमे j, “तो तो मारे મૂલ્ય લેવું નથી. મૂલ્ય વિના જ તમે ગ્રહણ કરો અને ચિકિત્સા કરો જેથી મને પણ ધર્મ થાય.” 20 વેપારીએ વિચાર્યું, “આ બાળક જેવાને પણ ધર્મ ઉપર આટલી શ્રદ્ધા છે જયારે મંદપુણ્યવાળા અને ઈહલોકમાં જ પ્રતિબદ્ધ (પરલોકની ચિંતા નહીં કરનાર) એવા મને શ્રદ્ધા નથી.” આ વિચારતા વિચારતાં તેને વૈરાગ્ય થયો અને સ્થવિરો પાસે પ્રવ્રયા ગહણ કરીને સિદ્ધ થયો. ५४. एकतः सन्निषण्णास्तिष्ठन्ति, तत्र साधुर्महात्मा स कृमिकुष्ठेन गृहीतः अतिगतो भिक्षायै, तैः सप्रणयं सहास्यं सोऽभाणि-युष्माभिर्नाम सर्वो लोकः खादितव्यः, न युष्माभिः तपस्विनो वा अनाथस्य वा क्रिया 25 (चिकित्सा ) कर्त्तव्या, स भणति-करोमि, किं पुन: ? मम औषधानि न सन्ति, ते भणन्ति–वयं मूल्यं दद्मः, किमौषधं याच्यते (तां)? स भणति-कम्बलरत्नं गोशीर्षचन्दनं च, तृतीयं सहस्रपाकं तैलं तन्ममास्ति, तदा मार्गयितुं प्रवृत्ताः, ज्ञातं च तैः यथा-अमुकस्य वणिजो द्वे अपि एते स्तः, ते गतास्तम्य सकाशं द्वे लक्षे गृहीत्वा, वणिक् संभ्रान्तो भणति-किं ददामि ?, ते भणन्ति-कम्बलरत्नं गोशीर्षचन्दनं च देहि, तेन भण्यतेकिमेतैः कार्य ?, भणन्ति-साधोः क्रिया कर्त्तव्या, तेन भणितं-अलं मम मूल्येन, इतरथैव गृह्णीत कुरुध्वं 30 क्रियां, ममापि धर्मो भवत्विति, स वणिग् चिन्तयति-यदि तावदेतेषां बालानामीदृशी श्रद्धा धर्मस्योपरि, मम नाम मन्दपुण्यस्य इहलोकप्रतिबद्धस्य नास्ति, स संवेगमापन्नः तथारूपाणां स्थविराणां अन्तिके प्रव्रजितः सिद्धः। * एगयओ। * कोढेण । खाइयव्वो। + सयसह० ! Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) थेराणं अंतिए पव्वइओ सिद्धो । अमुमेवार्थं उपसंहरन् गाथाद्वयमाह विज्जसुअस्स य गेहे किमिकुट्ठोव(अंजइं दर्छ। बिंति य ते विज्जसुयं करेहि एअस्स तेगिच्छं ॥१७३।। तिल्लं तेगिच्छसुओ कंबलगं चंदणं च वाणियओ। दाउँ अभिणिक्खंतो तेणेव भवेण अंतगडो ॥१७४।। गमनिका-वैद्यसुतस्य च गेहे कृमिकुष्ठोपद्रुतं मुनिं दृष्ट्वा वदन्ति च ते वैद्यसुतं-कुरु अस्य चिकित्सा, तैलं चिकित्सकसुतः कम्बलक चन्दनं च वणिग् दत्त्वा अभिनिष्क्रान्तः, तेनैव भवेन अन्तकृत्, भावार्थः स्पष्ट एव, क्वचित् क्रियाध्याहारः स्वबुद्ध्या कार्य इति गाथाद्वयार्थः ॥१७३10 ૬૭૪ कथानकशेषमुच्यते-इमेवि घेत्तूण ताणि ओसहाणि गता तस्स साहुणो पासं जत्थ सो उज्जाणे पडिमं ठिओ, ते तं पडिमं ठिअं वंदिऊण अणुण्णवेंति-अणुजाणह भगवं ! अम्हे तुम्हें धम्मविग्धं काउं उवटुिआ, ताहे तेण तेल्लेण सो साहू अब्भंगिओ, तं च तिल्लं रोमकूवेहि सव्व અવતરણિકા : ઉપરોક્ત અર્થનો જ ઉપસંહાર કરતા બે ગાથા બતાવે છે છે 15 ગાથાર્થ : વૈદ્યપુત્રના ઘરે કોઈ રોગથી ઉપદ્રવિત સાધુને જોઈ ચાર મિત્રો વૈદ્યપુત્રને કહે છે, “તું આ સાધુની ચિકિત્સા કર.” ગાથાર્થ : વૈદ્યપુત્રએ તેલ આપ્યું, વાણિયાએ કંબલ અને ગોશીષચંદન આપીને પ્રવજ્યા ગ્રહણ કરી અને તે જ ભવે અન્તને કરનારો (સિદ્ધ) થયો. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. માત્ર ગાથામાં ક્રિયાપદ નથી. તેથી જયાં જયાં ક્રિયાપદનાં 20 જરૂર પડે ત્યાં પોતાની બુદ્ધિથી ક્રિયાપદ બહારથી લાવવું. (ક્રિયાપદો તે સ્થાને જોડી આપ્યા છે. } // ૧૭૩-૧૭૪ll કથાનકશેષને કહે છે : તે બધા ઔષધોને ગ્રહણ કરી તે સાધુ પાસે ત્યાં ગયા જયાં તે સાધુ ઉદ્યાનમાં પ્રતિમાને (અભિગ્રહવિશેષને) ધારણ કરી ઊભા હતા. પ્રતિમામાં રહેલા તે સાધુને નમસ્કાર કરી અનુજ્ઞા માંગી “હે પ્રભુ ! આપ અમને અનુજ્ઞા આપો, અમે આપને 25 ધર્મવિગ્ન કરવા ઉપસ્થિત થયા છે. (અર્થાત્ અમે જયાં સુધી આપની ચિકિત્સા કરીશું ત્યાં સુધી આપને – આપના ધ્યાનમાં ભંગ થશે તેથી ક્ષમા કરશો.) આ રીતે અનુજ્ઞા માંગ્યા પછી વૈદ્યપુત્ર તે તેલથી સાધુને માલિશ કરી. તે બધું તેલ રુંવાટીવડે શરીરમાં અંદર ઉતાર્યું. જેવું તે તેલ અંદર ઉતર્યું કે બધા કૃમિઓ સંક્ષોભ પામ્યા. કૃમિઓના હલનચલનથી સાધુને ५५. इमेऽपि गृहीत्वा तान्यौषधानि गतास्तस्य साधोः पाश्र्वं यत्र स उद्याने प्रतिमया स्थितः, ते तं 30 प्रतिमया स्थितं वन्दित्वाऽनुज्ञापयन्ति-अनुजानीहि भगवन् ! वयं तव धर्मविघ्नं कर्तुमुपस्थिताः, तदा तेन તૈલૅન સ સાથુરખ્યત:, તથ્વ તૈનં રોમજૂર્વ: (૦૨૬) સર્વ + યર્તિા + વન્દ્રને ચા * રોમ . . Page #366 -------------------------------------------------------------------------- ________________ વૈદ્યપુત્રના ભવમાં કોઢવાળા સાધુની ચિકિત્સા (નિ. ૧૭૩-૧૭૪) દB ૩૪૩ अँड्गत, तंमि य अइगए किमिआ सव्वे संखुद्धा, तेहिं चलंतेहिं तस्स साहुणो अतीव वेयणा पाउन्भूया, ताहे ते निग्गते दठूण कंबलरयणेण सो पाउओ साहू, तं सीतलं, तं चेर्व तेल्लं उण्हवीरियं, किमिया तत्थ लग्गा, ताहे पुव्वाणीयगोकडेवरे पप्फोडेंति, ते सव्वे पडिया, ताहे सो साहू चंदणेण लित्तो, ततो समासत्थो, एवेक्कसिं दो तिण्णि वारे अब्भंगेऊण सो साहू तेहिं नीरोगो कओ, पढमं मक्खिज्जति, 'पच्छा आलिंपति गोसीसचंदणेणं पुणो मक्खिज्जइ, एवेताए 5 परिवाडीए पढमब्भंगे तयागया णिग्गया बिडयाए मंसगया तइयाए अट्रिगया बेंदिया णिग्गया, ततो संरोहणीए ओसहीए कणगवण्णो जाओ, ताहे खामित्ता पडिगता, ते पच्छा साहू जाता, अहाउयं पालइत्ता तम्मूलागं पंचवि जणा अच्चुए उववण्णा, ततो चइऊण इहेव जंबूंदीवे पुव्वविदेहे તીવ્ર વેદના થવા લાગી. તેલને કારણે તે કૃમિઓ શરીરમાંથી બહાર નીકળવા લાગ્યા ત્યારે કંબલરત્નને લઈ તે સાધુને ઓઢાડી દીધી. તે કંબલરત્ન શીતલ અને તેલ ઉષ્ણવીર્યવાળું હતું. 10 કૃમિઓ તે કંબલરત્નમાં આવી ગયા. ત્યારે પૂર્વે લાવેલા ગાયના ક્લેવરમાં તે કંબલરત્નને ખંખેર્યું. જેથી બધા કૃમિઓ તે ક્લેવરમાં પડ્યા. - ત્યાર પછી તે સાધુને ચંદનનું વિલેપન કર્યું. જેથી શીતલતાને કારણે સાધુની વેદના શાંત થઈ. આ જ પ્રમાણે એકવાર, બે વાર, ત્રણવાર તેલવડે મર્દન કરી (પૂર્વપદ્ધતિથી સર્વ કૃમિઓને બહાર કાઢી) તેમનાવડે તે સાધુ નિરોગી કરાયો. પ્રથમ તેલથી મર્દન કર્યું. પછી ચંદનવડે લેપન 15 કર્યું, પછી ફરી મર્દન કર્યું. આ ક્રમથી પ્રથમવારમાં ચામડીમાં રહેલા કૃમિઓ બહાર કાઢચા. બીજીવારમાં માંસમાં રહેલા કૃમિઓને અને ત્રીજીવારમાં હાડકામાં રહેલા કૃમિઓને (બેઈન્દ્રિય) બહાર કાઢ્યા. ત્યાર પછી સંરોહણી ઔષધિવડે સાધુ સુવર્ણરંગની કાયાવાળ થયો. આ બધું થયા પછી પાંચે મિત્રો સાધુ પાસે ક્ષમા માંગી નીકળી ગયા. આ પાંચેએ પાછળથી Pीक्षा ४२री. यथा-मायुध्यने पाणीने साधुपए।ना प्रभावे (तन्मूलागं) पाये भित्री अच्युत 20 દેવલોકમાં ઉત્પન્ન થયાં. જે પૂર્વભવમાં વૈઘપુત્ર હતો તે ત્યાંથી ચ્યવી આ જંબૂદ્વીપના પૂર્વવિદેહની ५६. अतिगतं ( व्याप्तं ), तस्मिंश्चातिगते कृमयः सर्वे संक्षुब्धाः, तेषु चलत्सु तस्य साधोरतीव वेदना प्रादुर्भूता, तदा तान्निर्गतान् दृष्ट्वा कम्बलरत्नेन स प्रावृतः साधुः, तत् शीतलं, तच्चैव तैलं उष्णवीर्य, कृमयस्तत्र लग्नाः, तदा पूर्वानीतगोकलेवरे प्रस्फोटयन्ति (क्षिपन्ति), ते सर्वे पतिताः, तदा साधुः स चन्दनेन लिप्तः, ततः समाश्वस्तः, एवमेकं द्वौ त्रीन् वारान् अभ्यङ्ग्य स साधुस्तैर्नीरोगः कृतः, 25 प्रथमं म्रक्ष्यते पश्चादालिप्यते गोशीर्षचन्दनेन पुनम्रक्ष्यते, एवमेतया परिपाट्या प्रथमाभ्यने त्वग्गता निर्गता द्वितीयायां मांसगतास्तृतीयायामस्थिगता द्वीन्द्रिया निर्गताः, ततः संरोहण्यौषध्या कनकवर्णो जातः, तदा क्षमयित्वा प्रतिगताः, ते पश्चात् साधवो जाता:, यथायुष्कं पालयित्वा तन्मूलं पञ्चापि जना अच्युते उत्पन्नाः । ततश्च्युत्वा इहैव जम्बूद्वीपे ★ च । + पप्फोडियं । । ताहे पाउणिज्जति । * दीवेदीवे । 30 Page #367 -------------------------------------------------------------------------- ________________ 3४४ * आवश्य: नियुक्ति • ९२मद्रीयवृत्ति • समाषांतर (भाग-१) पुंक्खलावइविजए पुंडरगिणीए नयरीए 'वेरसेणस्स रण्णो धारिणीए देवीए उयरे पढमो वइरणाभो णाम पुत्तो जाओ, जो "से वेज्जपुत्तो चक्कवट्टी आगतो, अवसेसा कमेण बाहुसुबाहुपीढमहापीढत्ति, वइरसेणो पव्वइओ, सो य तित्थंकरो जाओ, इयरेवि संवड्डिया पंचलखणे भोए भुंजंति, जद्दिवसं वइरसेणस्स केवलनाणं उप्पण्णं, तद्दिवसं वइरणाभस्स चक्करयणं समुप्पण्णं, 5 वइरो चक्की जाओ, तेणं साहुवेयावच्चेण चक्कवट्टीभोया उदिण्णा, अवसेसा चत्तारि मंडलिया रायाणो, तत्थ वइरणाभचक्कवट्टिस्स चउरासीति पुव्वलक्खा सव्वाउगं, तत्थ कुमारो तीसं मंडलिओ सोलस चउव्वीस महाराया चोद्दस सामण्णपरिआओ, एवं चउरासीइ सव्वाउयं, भोगे भुंजंता विहरंति, इओ य तित्थयरसमोसरणं, सो पिउपायमूले चउहिवि सहोदरेहि પુષ્કલાવતીવિજયમાં પુંડરિગિણિનગરીમાં વજસેનરાજાની ધારિણીદેવીના ઉદરમાં પ્રથમ 10 %ामनामे पुत्र३पे उत्पन्न थयो भने ते (भविष्यमi) यवता थयो. શેષ ચાર મિત્રો ક્રમથી બાહુ–સુબાહુ–પીઠ અને મહાપીઠ તરીકે ઉત્પન્ન થયાં. પિતા વજસેને દીક્ષા લીધી અને તીર્થંકર થયા. બીજા પાંચે પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયોરૂપ ભોગોને ભોગવે છે. જે દિવસે વજનને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, તે જ દિવસે વજનાભને (આયુધશાળામાં) ચક્રરત્ન ઉત્પન્ન થયું અને વજનાભ ચક્રવર્તી થયો. તેને પૂર્વભવમાં સાધુની 15 વૈયાવચ્ચ કરવાવડે ચક્રવર્તીના ભોગો પ્રાપ્ત થયા. શેષ ચારે માંડલિકરાજા થયા. (ચક્રરત્ન વિગેરે ચક્રવર્તીની લક્ષ્મી વિનાનો સામાન્યરાજા માંડલિકરાજા કહેવાય છે.) વજનાભચક્રવર્તીનું ચોરાશીલાખપૂર્વનું આયુષ્ય હતું. તેમાં ત્રીસલાખપૂર્વ કુમારાવસ્થાના. સોળલાખપૂર્વ માંડલિકરાજા તરીકે, ચોવીસલાખપૂર્વ મહારાજા (ચક્રવર્તી) તરીકે, અને ચૌદલાખપૂર્વ શ્રમણપર્યાયમાં આયુષ્ય વીતાવ્યું, એમ કુલ ૮૪ લાખપૂર્વનું સંપૂર્ણ આયુ હતું. પંચલક્ષણભોગોને 20 ભોગવતાં જીવન પસાર કરતાં હતા ત્યારે તીર્થકરના સમવસરણની રચના થઈ. તે ચક્રવર્તીએ પોતાના પિતા પાસે ચારે ભાઈઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. ५७. पूर्वविदेहेषु पुष्करावतीविजये पुण्डरीकिण्यां नगर्यां वज्रसेनस्य राज्ञः धारिण्या देव्या उदरे प्रथमो वज्रनाभनामा पुत्रो जातः, यः स वैद्यपुत्रश्चक्रवर्ती आयातः (उत्पन्नः), अवशेषाः क्रमेण बाहुसुबाहुपीठमहापीठा इति, वज्रसेनः प्रव्रजितः, स च तीर्थकरो जातः, इतरेऽपि संवर्धिताः पञ्चलक्षणान् 25 भोगान् भुञ्जते, यद्दिवसे वज्रसेनस्य केवलज्ञानमुत्पन्नं, तद्दिवसे वज्रनाभस्य चक्ररत्नं समुत्पन्नं, वज्रनाभः चक्री जातः, तेन साधुवैयावृत्त्येन चक्रवर्तिभोगा उदीर्णाः ( लब्धाः ), अवशेषाश्चत्वारो माण्डलिका राजानो (जाताः), तत्र वज्रनाभचक्रवर्तिनश्चतुरशीतिलक्षपूर्वाणि सर्वायुष्कं कुमार: त्रिंशतं माण्डलिकः षोडश चतुर्विंशतिं महाराजः चतुर्दश श्रामण्यपर्यायः, एवं चतुरशीतिः सर्वायुष्मं, भोगान् भुञ्जमाना विहरन्ति. इतश्च तीर्थकरसमवसरणं, स पितृपादमूले चतुर्भिरपि सहोदरैः । वइरसेणस्स । [ सो वेज्जपुत्तो । 30 # सो जाओ ! A ०णभोए । - समुप्पण्णं । * ०चक्किस्स । + ०सीइं । * ०सरणे । Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ વજ્રનાભનો ભવ (નિ. ૧૭૫-૧૭૬) सहिओ पव्वइओ, तत्थ वइरणाभेण चउद्दस पुव्वा अहिज्जिया, सेसा एक्कारसंगैवी चउरो, तत्थ बाहू तेसिं वेयावच्चं करेति, जो सुबाहू सो साहुणो वीसामेति, एवं ते करेंते वइरणाभो भगवं अणुवूहइअहो सुलद्धं जम्मजीविअफलं, जं साहूणं वेयावच्चं कीरड़, परिस्संता वा साहुणो वीसामिज्जंति, एवं पसंसइ, एवं पसंसिज्जंतेसु तेसु तेसिं दोन्हं पच्छिमाणं अप्पत्तिअं भवइ, अम्हे सज्झायंता न પસંસિન્નામો, નો રેડ્ સો પસંસિખ્ખરૂ, સો(ો) ભોગવવારોત્તિ, વળામેળ ય વિશુદ્ધ-5 परिणामेण तित्थगरणामगोत्तं कम्मं बद्धंति । अमुमेवार्थमुपसंहरन्निदं गाथाचतुष्टयमाह— साहुं तिगिच्छिऊणं सामण्णं देवलोगगमणं च । पुंडरगिणिए उ चुया तओ सुया वइरसेणस्स ॥ १७५ ॥ पढमित्थ वइरणाभो बाहु सुबाहू य पीढमहपीढें । तेसिपिआतित्थअरो णिक्खंता तेऽवि तत्थेव ॥ १७६ ॥ 10 તેમાં વજ્રનાભે ચૌદપૂર્વોનો અભ્યાસ કર્યો. શેષ ચાર ભાઈઓએ અગિયાર અંગનો અભ્યાસ કર્યો. બાહુ સર્વની વૈયાવચ્ચ કરતા. જે સુબાહુ હતા, તેઓ સાધુઓની સેવા કરતા.(અહીં ગોચરી–પાણી વિગેરે ભકિત એ વૈયાવચ્ચ છે અને હાથ-પગ દબાવવા વિગેરે સેવા છે.) આ રીતે વૈયાવચ્ચાદિને કરતા,જોઈ ભગવાન્ વજ્રનાભે તેઓની ઉપબૃણા કરી “જે સાધુઓની 15 વૈયાવચ્ચ કરે છે અને થાકેલા સાધુઓની સેવા કરે છે તેઓએ પોતાના જન્મ–જીવનનું ફલ સારી રીતે પ્રાપ્ત કર્યું છે.” વજ્રનાભવડે બાહુ–સુબાહુની આ રીતે પ્રશંસા થતી જોઈ પીઠ– મહાપીઠને અપ્રીતિ ઉત્પન્ન થઈ– “અમે આટલો સ્વાધ્યાય કરીએ છીએ તો પણ અમારી કોઈ પ્રશંસા કરતું નથી, જેઓ સેવાદિ કરે છે તેઓની જ પ્રશંસા થાય છે, આ બધો લોકવ્યવહાર છે (અર્થાત્ લોકમાં પણ આવું જ ચાલે છે જે સેવા કરે તે પૂજાય)” બીજી બાજુ વિશુદ્ધ- 20 પરિણામવાળા એવા વજ્રનાભવડે તીર્થંકરનામગોત્ર કર્મ બંધાયું. અવતરણિકા : આ જ અર્થનો ઉપસંહાર કરતાં ચારગાથા બતાવે છે ગાથાર્થ સાધુની ચિકિત્સા કરી શ્રમણપણું સ્વીકાર્યું – દેવલોકમાં ગમન ત્યાંથી ચ્યવેલા પુંડરિકિણિનગરીમાં વજ્રસેનના પુત્ર થયા. ગાથાર્થ : તેમાં પ્રથમ વજ્રનાભ પછી બાહુ–સુબાહુ—પીઠ અને મહાપીઠ થયા. તેઓના 25 પિતા તીર્થંકર થયા અને તેમની પાસે આ પાંચેએ દીક્ષા ગ્રહણ કરી. ५८. सहितः प्रव्रजितः, तत्र वज्रनाभेन चतुर्दश पूर्वाण्यधीतानि, शेषा एकादशाङ्गविदः चत्वारः, तत्र बाहुस्तेषां वैयावृत्त्यं करोति, य: सुबाहुः स साधून् विश्रमयति, एवं तौ कुर्वन्तौ वज्रनाभो भगवान् अनुबृंहयतिअहो सुलब्धं जन्मजीवितफलं, यत् साधूनां वैयावृत्त्यं क्रियते, परिश्रान्ता वा साधवो विश्रम्यन्ते, एवं प्रशंसति, एवं प्रशस्यमानयोस्तयोर्द्वयोः पश्चिमयोरप्रीतिकं भवति, आवां स्वाध्यायन्तौ न प्रशस्यावहे, यः करोति स 30 प्रशस्यते, सर्वो (त्यो ) लोकव्यवहार इति, वज्रनाभेन च विशुद्धपरिणामेन तीर्थकरनामगोत्रं कर्म बद्धमिति । * વીઝા પીતા Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ કરું આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) पढमो चउदसपुव्वी सेसा इक्कारसंगविउ चउरो । बीओ वेयावच्चं किइकम्मं तइअओ कासी ॥१७७॥ भोगफलं बाहुबलं पसंसणा जिट्ठ इयर अचियत्तं । पढमो तित्थयरत्तं वीसहि ठाणेहि कासी य ॥१७८।। आसामक्षरगमनिका-साधुं चिकित्सित्वा श्रामण्यं देवलोकगमनं च पौण्डरीकिण्या च च्युताः, ततः सुता वैरसेनस्य जाता इति वाक्यशेषः, प्रथमोऽत्र 'वैरनाभः बाहुः सुबाहुश्च पीठमहापीठौ, तेषां पिता तीर्थकरो निष्क्रान्तास्तेऽपि तव पितुः सकाशे इत्यर्थः, प्रथमश्चतुर्दशपूर्वी शेषा एकादशाङ्गविदश्चत्वारः, तेषां चतुर्णा बाहुप्रभृतीनां मध्ये द्वितीयो वैयावृत्त्यं कृतिकर्म तृतीयोऽकार्षीत्, भोगफलं बाहुबलं प्रशंसनं ज्येष्ठ इतरयोरचियत्तं, प्रथमस्तीर्थकरत्वं विंशतिभिः 10 स्थानैरकार्षीत्, भावार्थस्तु उक्त एव, क्रियाऽध्याहारोऽपि स्वबुद्ध्या कार्यः, इह च विस्तरभयान्नोक्त ત્તિ થા-ચતુષ્ટયાર્થ: ૨૭-૨૭૬-૨૭૭-૭૮ यदुक्तं 'प्रथमस्तीर्थकरत्वं विंशतिभिः स्थानैरकार्षीत्,' तानि स्थानानि प्रतिपादयन्निदं गाथा-त्रयमाह अरिहंत सिद्ध पवयण गुरु थेर बहुस्सुए तवस्सीसुं । 15 ગાથાર્થ : પ્રથમ ચૌદપૂર્વી અને શેષ ચારે અગિયાર–અંગને જાણનારા થયા, બીજા (બહુ) વૈચાવચ્ચને અને ત્રીજા (સુબાહુ) કૃતિકર્મને (સેવાને) કરતાં હતા ગાથાર્થ : (બાહુ વડે કરાયેલી વૈયાવચ્ચ ચક્રવર્તીના) ભોગફળવાળી હતી. (સુબાહુ વડે કરાયેલી સેવા) બાહુફળવાળી હતી.–જયેષ્ઠની પ્રશંસાઈતરને (છેલ્લા બે ભાઈઓને અપ્રીતિ– પ્રથમ વજનાભે વીશસ્થાનકોવડે તીર્થકરપણું કર્યું(બાંધ્યું.) 20 ટીકાર્થ : સાધુની ચિકિત્સા પછી દીક્ષા–દેવલોકગમન–પડરીકિણિનગરીમાં ચ્યવન વૈરસેનરાજાના પુત્રરૂપે થવું–તેમાં પ્રથમ વૈરનાભ અને પછી ક્રમશ: બાહુ, સુબાહુ, પીઠ અને મહાપીઠ-તેમના પિતા વૈરસેન તીર્થકર થયા–પાંચે ભાઈઓએ પિતા પાસે દીક્ષા લીધી–પ્રથમ ચતુર્દશપૂવી અને શેષ ચાર અગિયારાંગને જાણનારા થયા–બાહુ વિગેરે ચારમાંથી બીજાએ વૈયાવચ્ચ અને ત્રીજાએ સેવા કરી–ભોગફળ–બાહુબળપ્રશંસા–જયેષ્ઠ–બીજા બેને અપ્રીતિ– પ્રથમ વૈરનામું 25 વીશ સ્થાનકોવડે તીર્થકરવ બાંધ્યું. ભાવાર્થ પૂર્વે કહેવાઈ ગયેલ છે. ક્રિયાપદોનો અધ્યાહાર પણ સ્વબુદ્ધિથી કરવા યોગ્ય છે. અહીં વિસ્તારના ભયથી કહેવાયો નથી. (વૈયાવચ્ચ ભોગફળવાળી હતી એટલે તે વૈયાવચ્ચને કારણે બાહુને પછીના ભાવમાં ચક્રવર્તીના ભોગો પ્રાપ્ત થાય છે અને સુબાહુને પછીના ભવમાં સેવાના પ્રભાવે પુષ્કળ બાહુ(ભુજા)નું બળ પ્રાપ્ત થાય છે.) I/૧૭૫/૬/૭ . અવતરણિકા : “પ્રથમ વજનાભે તીર્થકરપણું વીશસ્થાનકવડે બાંધ્યું હતું” એમ જે પૂર્વે 30 (ગા.નં. ૧૭૮માં) કહ્યું, તે વીશસ્થાનકો પ્રતિપાદન કરતા ગ્રંથકારશ્રી આ ત્રણ ગાથા કહે છે ? ગાથાર્થ : અરિહંત' – સિદ્ધ – પ્રવચન - ગુરુ – સ્થવિર" - બહુશ્રુત અને + વિવિત્સયિત્વ 1 વરૂનામ: # વાદુનં* વિશલ્ય (ચ) Page #370 -------------------------------------------------------------------------- ________________ વિશસ્થાનકોનો સ્વરૂપ (નિ. ૧૭૯-૧૮૧) ૨ ૩૪૭ वच्छल्लया एएसिं अभिक्खनाणोवओगे य ॥१७९॥ दसण विणए आवस्सए य सीलव्वए निरइआरो। खणलव तवच्चियाए वेयावच्चे समाही य ॥१८०॥ अप्पुव्वनाणगहणे सुयभत्ती पवयणे पभावणया। एएहिं कारणेहिं तित्थयरत्तं लहइ जीवो ॥१८१॥ व्याख्या-तत्र अशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीति अर्हन्तः-शास्तार इति भावार्थः १। सिद्धास्तु अशेषनिष्ठितकर्मांशाः परमसुखिनः कृतकृत्या इति भावार्थः २। प्रवचन-श्रुतज्ञानं तदुपयोगानन्यत्वाद्वा सङ्घइति ३।गृणन्ति शास्त्रार्थमिति गुरवः-धर्मोपदेशादिदातारइत्यर्थः ४ास्थविरा:जातिश्रुतपर्यायभेदभिन्नाः, तत्र जातिस्थविर: षष्टिवर्षः श्रुतस्थविरः समवायधर: पर्यायस्थविरो विंशतिवर्षपर्याय: ५। बहु श्रुतं येषां ते बहुश्रुताः, आपेक्षिकं बहुश्रुतत्वं, एवमर्थेऽपि संयोज्यं, किंतु 10 सूत्रधरेभ्योऽर्थधराः प्रधाना: तेभ्योऽप्युभयधरा इति ६। विचित्रं अनशनादिलक्षणं तपो विद्यते येषां ते तपस्विनः सामान्यसाधवो वा ७। अरहन्तश्च सिद्धाश्च प्रवचनं च गुरवश्च स्थविराश्च बहुश्रुताश्च तपस्विनश्च अर्हत्सिद्धप्रवचनगुरुस्थविरबहुश्रुततपस्विनः । वत्सलभावो वत्सलता, सा चानुरागयथावस्थितगुणोत्कीर्तनायथानुरूपोपचारलक्षणा तया, एतेषामर्हदादीनामिति, प्राक् षष्ठ्यर्थे सप्तमी તપસ્વીઓને વિષે વત્સલતા અને વારંવાર જ્ઞાનોપયોગ 15 ગાથાર્થ : દર્શન–વિનય_આવશ્યકકાર્ય''—શીલર–વતોને વિષે નિરતિચારતા, ક્ષણલવ–તપ –ત્યાગ વૈયાવચ્ચ–અને સમાધિ ગાથાર્થ : અપૂર્વજ્ઞાનગ્રહણમાં શ્રુતભક્તિ અને પ્રવચનપ્રભાવના, આ વિશ કારણો વડે જીવ તીર્થકરપણું પ્રાપ્ત કરે છે. ટીકાર્થઃ અશોકવૃક્ષાદિ આઠ મહાપ્રતિહાર્યાદિરૂપ પૂજાને જે યોગ્ય છે તે અરિહંતો-શાસન 20 કરનારા, (૧) નાશ પામ્યા છે સર્વ કર્માશો જેમના એવા, પરમસુખી અને કૃતકૃત્ય સિદ્ધો (૨) પ્રવચન એટલે શ્રુતજ્ઞાન અથવા શ્રુતજ્ઞાનના ઉપયોગથી અભિન્ન એવો ચતુર્વિધ સંઘ (૩) જે શાસ્ત્રના અર્થોને કહે, તે ગુરુ = ધર્મોપદેશાદિદેનારા (૪) સ્થવિરો જાતિ-શ્રુત અને પર્યાયના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં ૬૦વર્ષ કે તેથી અધિક ઉંમરના વૃદ્ધો જાતિસ્થવિર, સમવાયાંગ નામના ચોથા અંગને ધારણ કરનારા શ્રુતસ્થવિર, વશવર્ષના પર્યાયવાળા સાધુઓ પર્યાયસ્થવિર કહેવાય. 25 (૫) બહુ શ્રત છે જેઓની પાસે તે બહુશ્રુત, અહીં બહુશ્રુતપણું અપેક્ષિક જાણવું. (અર્થાત્ વર્તમાનકાળમાં જેટલું શ્રુત વિદ્યમાન હોય તેની અપેક્ષાએ બહુશ્રુતપણું જાણવું). એ પ્રમાણે અર્થધરો પણ અપેક્ષિક જાણવા. પરંતુ સૂત્રધરો કરતાં અર્થધરો પ્રધાન જાણવા અને અર્થધરો કરતા સૂત્ર–અર્થ ઉભયને ધરનારા પ્રધાન જાણવા. (૬) વિચિત્ર = અનશનાદિતપ વિદ્યમાન છે જેઓને તે તપસ્વીઓ અથવા સામાન્ય સાધુઓ. (૭) આ અરિહંત-સિદ્ધ-પ્રવચન-ગુરૂ–સ્થવિર– 30 બહુશ્રુત અને તપસ્વીઓની વત્સલતા (તીર્થંકરપણાનું કારણ છે.) * મર્દન્ત ( 7) Page #371 -------------------------------------------------------------------------- ________________ ३४८ આવશ્યક નિર્યુ. હારેભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) 'बहुस्सुए तवस्सीणं' वा पाठान्तरं तीर्थकरनामगोत्रं कर्म बध्यत इति, अभीक्ष्णं - अनवरतं ज्ञानोपयोगे ચ મતિ વધ્યને ૮ ૧ વર્ણન-સમ્યક્ત્વ, વિનયો-જ્ઞાનાિિવનય:, મ = વશવાનિાવાય: दर्शनं च विनयश्च दर्शनविनयौ तयोर्निरतिचारः तीर्थकरनामगोत्रं कर्म बध्नाति ९-१० ! 5 आवश्यकम् - अवश्यकर्त्तव्यं संयमव्यापारनिष्पन्नं तस्मिंश्च निरतिचारः सन्निति ११ । शौलानि च व्रतानि च शीलव्रतानि शीलानि - उत्तरगुणाः व्रतानि - मूलगुणाः तेषु च अनतिचार इति १२-१३। क्षणलवग्रहणं कालोपलक्षणं, क्षणलवादिषु संवेगभावनाध्यानासेवनतश्च बध्यते १४ । तथा तपस्त्यागयोर्बध्यते, यो हि यथाशक्त्या तपः आसेवते त्यागं च यतिजने विधिना करोति १५-१६ । व्यावृतभावो वैयावृत्त्यं, तच्च दशधा, तस्मिन्सति बध्यते १७। समाधिः - गुर्वादीनां कार्यकरणेने स्वस्थतापादनं समाधौ च सति बध्यते १८। तथा अपूर्वज्ञानग्रहणे सति श्रुतभक्तिः श्रुतबहुमान:, स પ્રાદ્વષ્ટયર્થસપ્તમી” આ પંક્તિનો અર્થ આ પ્રમાણે કે ‘“તવસ્ત્રોનું’’– પદ પછી ‘સિ' પદ આવે છે. તેથી ‘સિ’ પદની અપેક્ષા “તવસ્ત્રીનું પદ પૂર્વમાં છે. તે પૂર્વના ‘‘તવસ્ત્રોનું’’ શબ્દમાં સપ્તમી વિભક્તિ ષષ્ઠી–અર્થમાં જાણવી. અથવા ‘બહુમ્મુ તવસ્ત્રોનું એ પ્રમાણે પાઠાન્તર જાણી લેવો. આ અરિહંતાદિઓની વત્સલતા વડે તીર્થંકરગોત્ર કર્મ બંધાય છે. (આ પ્રમાણે અન્વય કરવો) 10 15 વત્સલતા એટલે અરિહંતાદિ પ્રત્યે અનુરાગ, તેમના યથાવસ્થિતગુણોનું કીર્તન, તેમના પ્રત્યે યથાનુરુપ ઉપચાર (ભક્તિ) (૭) તથા સતત જ્ઞાનધ્યાનમાં મગ્નતા પણ તીર્થંકરગાત્ર કર્મનું કારણ છે. (૮) દર્શન એટલે સમ્યક્ત્વ અને વિનય એટલે જ્ઞાનાદિનો વિનય, વિનયનું સ્વરૂપ દશવૈકાલિકગ્રંથમાંથી જાણી લેવું. આ સમ્યક્ત્વ અને વિનયમાં નિરતિચાર (અતિચાર વિનાનો જીવ તીર્થંકરગોત્ર કર્મ બાંધે છે. (૯–૧૦) આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય સંયમ2) વ્યાપારો (પ્રતિક્રમણાદિ), તેને વિષે નિરતિચાર જીવ તીર્થંકરનામકર્મ બાંધે છે. (૧૧) શીલવ્રતો – તેમાં શીલ એટલે ઉત્તરગુણો અને વ્રત તરીકે મૂલગુણો, તેને વિષે નિરતિચાર જીપ તીર્થંકરનામકર્મ બાંધે છે. (૧૨--૧૩) ક્ષણલવનું ગ્રહણ એ કાળનું ઉપલક્ષણ છે. (અર્થાત્ ક્ષણલવ શબ્દથી સંપૂર્ણકાળ ગ્રહણ કરી લેવો) ક્ષણલવાદિ કાળને વિષે સંવેગ (મોક્ષાભિલાષ), અનિત્યાદિભાવના અને ધ્યાનના આસેવનથી જીવ તીર્થંકરનામકર્મ બાંધે છે. (૧૪) જે વ્યક્તિ 25 યથાશક્તિ તપ કરે છે અને યતિજનમાં (યતિજનને આહાર–ઉપધિ વગેરે પ્રાયોગ્ય વસ્તુનો) ત્યાગ (દાન) વિધિવડે કરે છે તે તીર્થંકરનામકર્મ બાંધે છે. (૧૫-૧૬) વ્યાવૃતભાવ એટલે વૈયાવચ્ચ (વૈયાવચ્ચ સિવાયની બીજી અન્ય સર્વપ્રવૃત્તિમાંથી નીકળેલી વ્યક્તિ વ્યાવૃત કહેવાય છે. આવી વ્યાવૃતવ્યક્તિનો ભાવ તે વૈયાવચ્ચ કહેવાય.) (આચાર્ય વિગેરે દશની કરવાની હોવાથી) દશપ્રકારે છે. આ વૈયાવચ્ચમાં લીન વ્યક્તિ તીર્થંકરનામકર્મ 30 બાંધે છે. (૧૭) સમાધિ એટલે ગુરુ વગેરેનાં સોપેલા કાર્યોને કરવાવડે તેઓને સ્વસ્થતાં આપવી. તેમાં લીન જીવ તીર્થંકરનામકર્મ બાંધે છે. (૧૮) * યથાશત્તિ ( મ્યાત્) | + ૦૨ઽદ્વારા | Page #372 -------------------------------------------------------------------------- ________________ ક્યા તીર્થકરે કેટલા સ્થાનકો આરાધ્યા? (નિ. ૧૮૨-૧૮૩) ૩૪૯ च विवक्षितकर्मबन्धकारणमिति १९। तथा प्रवचनप्रभावनता च, सा च यथाशक्त्या मार्गदेशनेति २० । एवमेभिः कारणैः अनन्तरोक्तैः तीर्थकरत्वं लभते जीव इति गाथात्रयार्थः ॥१७९-१८०૧૮ पुरिमेण पच्छिमेण य एए सव्वेऽवि फासिया ठाणा। मज्झिमएहि जिणेहिं एक्कं दो तिण्णि सव्वे वा ॥१८२॥ गमनिका-पुरिमेण पश्चिमेन च एतानि-अनन्तरोक्तानि सर्वाणि स्पृष्टानि स्थानानि, मध्यमैर्जिनैः एकं द्वे त्रीणि सर्वाणि चेति गाथार्थः ॥१८२॥ आह—तं च कहं वेइज्जइ ? अगिलाए धम्मदेसणाईहिं। बज्झइ तं तु भगवओ तइयभवोसक्कइत्ताणं ॥१८३॥ गमनिका-तच्च तीर्थकरनामगोत्रं कर्म कथं येद्यत इति, अग्लान्या धर्मदेशनादिभिः, बध्यते 10 तत्तु भगवतो यो भवस्तस्मात् तृतीयं भवमवसl, अथवा बध्यते तत्तु भगवतस्तृतीयं भवं प्राप्य, અપૂર્વજ્ઞાન ગ્રહણ કરવાવારા શ્રત ઉપર બહુમાન રાખવું એ તીર્થકર નામકર્મનું કારણ છે. (પૂ. મલયગિરિમ.ની ટીકામાં અપૂર્વજ્ઞાનનું ગ્રહણ અને શ્રુતબહુમાન બંને જુદા જુદા કારણો કહ્યાં છે) (૧૯) પ્રવચનપ્રભાવના એટલે યથાશક્તિ માર્ગની દેશના આપવી. (૨૦) ઉપર કહેવાયેલા આ કારણોવડે જીવ તીર્થંકરપણાને પામે છે. ૧૭૯–૧૮૦–૧૮૧TI ગાથાર્થ : પહેલા અને છેલ્લા તીર્થકરે આ વિશસ્થાનકોની આરાધના કરી, મધ્યમ જિનેશ્વરોએ એક,બે,ત્રણ અથવા સર્વસ્થાનકોની આરાધના કરી. ટીકાર્થ : પહેલા અને છેલ્લા તીર્થકરોએ સર્વ સ્થાનો સ્પર્યા. મધ્યમ જિનેશ્વરોમાંથી કોઈએ એકસ્થાનકની, કોઈએ બે, કોઈએ ત્રણ, તો કોઈએ સર્વસ્થાનકોની આરાધના કરી. ૧૮૨ા ગાથાર્થ : તે જિનનામ કેવી રીતે વેદાય (અનુભવાય) ?, ગ્લાનિ વિના ધર્મદેશના વિગેરે 20 દ્વારા (વેદાય છે.) તે વળી ભગવાનના (પશ્વાસુપૂર્વીથી) ત્રીજાભવથી બંધાય છે. ટીકા : તે જિનનામ કેવી રીતે વેદાય ? ઉત્તર–ગ્લાનિ વિના ધર્મદેશના વિગેરે દ્વારા (આદિ શબ્દથી ચોત્રીશ અતિશયો, પાત્રીસગુણો વિગેરે લેવા.) વેદાય છે. (એ કર્મ બંધાય ક્યારે ?એનો જવાબ આપે છે કે, ભગવાનનો જે તીર્થકર તરીકેનો ભવ છે, તેનાથી ત્રીજાભવ સુધી (પશ્વાતુપૂર્વીએ) પાછા ફરીને બંધાય છે. (દા.ત. પ્રભુ વીરનો ૨૭મો ભવ તીર્થકરતરીકેનો 25 હોવાથી પૂર્વના ત્રીજા ભવે એટલે કે ૨૫માં ભવે તે જિનનામ બંધાય) અથવા ભગવાનનો (પશ્વાતુપૂર્વીએ) જે ત્રીજો ભવ છે, એ ભવને પામીને એટલે કે એ ભવથી માંડીને તે કર્મ બંધાય (અહીં પ્રાપ્ય શબ્દ મૂળમાં ન હોવા છતાં સમજી લેવાનો છે. હવે કોસવરૃત્તામાં શબ્દનો અર્થ કરે છે કે, ત્રીજા ભવને પામીને જે જિનનામ બંધાય છે તે કેવી રીતે બંધાય ? તેનો ઉત્તર આપે છે કે, જિનનામની સ્થિતિને અથવા 30 સંસારને અવસર્પીને બંધાય છે. 15 Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ છે આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) ओसक्कइत्ताणंति-तत्स्थितिं संसारं वाऽवसर्येति, तस्य ह्युत्कृष्टा सागरोपमकोटीकोटिर्बन्धस्थितिः, नच्च प्रारम्भबन्धसमयादारभ्य सततमुपचिनोति, यावदपूर्वकरणसंख्येयभागैरिति, केवलिकाले तु તોય તિ પથાર્થ: In૨૮રૂા. तत्कस्यां गतौ बध्यत इत्याह5 __नियमा मणुयगईए इत्थी पुरिसेयरो य सुहलेसो। आसेवियबहुलेहिं वीसाए अण्णयरएहिं ॥१८४॥ गमनिका-नियमात् मनुष्यगतौ बध्यते, कस्तस्यां बनातीत्याशङ्याह-स्त्री पुरुष इतरो वेतिનપુંસ (:), ઉર્વ સર્વ વ ?, નેત્યાદિમા નૈશ્ય વસ્થા મત્તે:, સાવિતવદુટિં [‘તેની સ્થિતિને અવસર્પીને’ એટલે શું? એનો અર્થ વિચારીએ, જિનનામની ઉત્કૃષ્ટ બંધ 10 સ્થિતિ સાગરોપમ કોટાકોટી છે. વાસ્તવમાં અંતઃકોટાકોટી છે, પરંતુ દેશોનની વિવક્ષા કરી. નથી. આ ઉત્કૃષ્ટ બંધસ્થિતિ તો તૃતીયભાવ પૂર્વે પણ બંધાય, પણ ત્રીજાભવમાં જે સ્થિતિ બાંધે છે, એમાં આટલી મોટી સ્થિતિ નહીં, પણ એ સ્થિતિને ઘટાડીને બાંધે છે = નિકાચિત કરે છે. આશય એ છે કે જિનનામની આખીને આખી ઉત્કૃષ્ટસ્થિતિ તો નિકાચિત બંધાય જ નહીં. એટલે ઉત્કૃષ્ટસ્થિતિમાંથી શરૂઆતની સંખ્યાતા સાગરોપમની સ્થિતિ જ નિકાચિત થાય, તે ઉપરની 15 સ્થિતિ નિકાચિત થાય નહીં. આમ ઉપરની આગળની સ્થિતિ છોડીને નીચેની=શરૂઆતની સ્થિતિ જ નિકાચિત થઈ, આનું નામ જ તે સ્થિતિનું અવસર્પણ અર્થાત તે સ્થિતિને અવસર્પીને કર્મ નિકાચિત થાય. વળી નિકાચના એટલે તીવ્રતમરસનો બંધ અને જયારે શુભપ્રકૃતિઓમાં વધુ રસ બંધાય, ત્યારે સ્થિતિ ઓછી બંધાય. એટલે પૂર્વથી ત્રીજા ભવમાં વધુ રસ બાંધે છે, માટે સ્થિતિ ઘણી 20 ઓછી બાંધે છે, આમ સ્થિતિ ઓછી બાંધવી ઉપરનો બંધ છોડી દેવો એ પણ અવસર્પણ છે. હવે “સંસારં વાપસી'નો અર્થ વિચારીએ સંસારને ઘટાડીને જિનનામ બંધાય, એટલે ત્રણ ભવથી વધુ સંસાર ન જ થાય એ સ્પષ્ટ જ છે. એ અપેક્ષાએ એમ કહી શકાય કે અહીં શક્ય એવો જે વધુ સંસાર હતો, તે ઘટાડ્યો .... આ પ્રમાણેનો અર્થ હોવો સંભવિત લાગે છે ! જીવ આ જિનનામને શરૂઆતના બંધસમયથી માંડીને સતત પુષ્ટ કરે છે. [અહીં નિકાચિત 25 કરે છે એવો અર્થ લેવાની જરૂર નથી.] છેલ્લા ભવમાં અપૂર્વકરણના સંખ્યાતાભાગો પસાર થાય ત્યાં સુધી પુષ્ટ કરે. કેવલી અવસ્થામાં તેનો વિપાકોદય જાણવો. ૧૮૩ અવતરણિકા : તે તીર્થંકરનામગોત્ર કર્મ કઈ ગતિમાં બંધાય છે ? તે કહે છે ? ગાથાર્થ : આ કર્મ નિયમથી મનુષ્યગતિમાં બંધાય છે, શુભલેશ્યાવાળો સ્ત્રી-પુરુષ અથવા નપુંસક જીવ અનેક પ્રકારે સેવાયેલા વીસસ્થાનકોમાંથી કોઈ સ્થાનોવડે કર્મને બાંધે છે. 30 ટીકાર્થ : આ કર્મ નિયમથી મનુષ્યગતિમાં બંધાય છે, જ્યાં જીવ મનુષ્યગતિમાં આ કર્મન બાંધે છે ? તે કહે છે–સ્ત્રી–પુરુષ અથવા નપુંસક આ કર્મને બાંધે છે. શું બધા જ બાંધે છે ? * શરyi + પડ્યા Page #374 -------------------------------------------------------------------------- ________________ વૈયાવચ્ચ–સેવાનું ફળ (નિ. ૧૮૪) ર૪ ૩૫૧ बहुलासेवितैः-अनेकधाऽऽसेवितैरित्यर्थः, प्राकृतशैल्या पूर्वापरनिपातोऽतन्त्रं, विंशत्या अन्यतरैः स्थानैर्बध्नातीति गाथार्थः ॥१८४॥ कथानकशेषमिदानीम्-बाहुणों वेयावच्चकरणेण चक्किभोगा णिव्वत्तिया, सुबाहुणा वीसामणाए बाहबलं निव्वत्तिअं, पच्छिमेहिं दोहिं ताए मायाए इत्थिनामगोत्तं कम्ममज्जितंति, ततो अहाउअमणुपालेत्ता पंचवि कालं काऊण सव्वट्ठसिद्धे विमाणे तित्तीससागरोवमठिड्या देवा उववण्णा, 5 तत्थवि अहाउयं अणुपालेत्ता पढमं वइरणाभो चइऊण इमीसे ओसप्पिणीए सुसमसुसमाए वइक्कंताए सुसमाएवि(वइक्वंताए)सुसमदुसमाएवि बहुवीइक्वंताए चउरासीइए पुव्वसयसहस्सेसु एगूणणउए य पक्खेहि सेसेहिं आसाढबहुलपक्खचउत्थीए उत्तरासाढजोगजुत्ते मियंके इक्खागभूमीए नाभिस्स कुलगरस्स 'मरुदेवीए भारियाए कुच्छिसि गब्भत्ताए उववण्णो, 'चोद्दस सुमिणा उसभगयाईआ ના, – શુભલેશ્યાવાળો જીવ ઘણા પ્રકારે આરાધાયેલા વીશમાના કોઈ સ્થાનોવડે આ કર્મને બાંધે 10. ७. भूण थाम : "आसेवियबहुलेहि" श०६ छे. ज्यारे मा २०६नो अर्थ "बहुलासेवितेहि" પ્રમાણે કરવાનો છે. અહીં પ્રાકૃત હોવાથી શબ્દો સમાસમાં આગળ-પાછળ થઈ શકે છે, કારણ 3 प्रातमा पूर्वा५२नो निपात आतंत्र(अनिश्चित) होय छे. ॥१८४॥ (પૂર્વે ગા.નં.–૧૭૮માં કહેલ કથાનક આગળ વધારે છે :) બાહુવડે વૈયાવચ્ચ કરવા દ્વારા ચક્રવર્તી ભોગો ઉપાર્જન કરાયા અને સુબાહુવડે સેવા કરતા બાહુબળ પ્રાપ્ત કરાયું. છેલ્લા 15 બે = પીઠ અને મહાપીઠવડે માયા કરવાના કારણે સ્ત્રીનામગોત્ર કર્મ બંધાયું. પોત-પોતાના આયુષ્યને પૂર્ણ કરી પાંચે સર્વાર્થસિદ્ધવિમાનમાં તેત્રીસ-સાગરોપમની સ્થિતિવાળા દેવ તરીકે થયા. ત્યાં પણ યથા–આયુષ્યને પાળી પ્રથમ વજનાભનો જીવ ત્યાંથી ચ્યવી આ અવસર્પિણીનો પ્રથમ સુષમ-સુષમ અને બીજો સુષમ આરો સંપૂર્ણ પૂર્ણ થયા બાદ તથા ત્રીજો સુષમદુષમ આરો ઘણો પૂર્ણ થયા બાદ ત્રીજા આરાના ચોરાશીલાખપૂર્વ ઉપર નેવ્યાસીપખવાડીયા બાકી હતા, ત્યારે 20 અષાઢવદચતુર્થીએ ઉત્તરાષાઢાયોગથી યુક્ત ચંદ્ર હોતે છતે (= ઉત્તરાષાઢા નક્ષત્રમાં) ઇક્વાકુભૂમિને | વિષે નાભિકુલકરની મરુદેવીપત્નીની કુક્ષિમાં ગર્ભ તરીકે ઉત્પન્ન થયો. તે સમયે મરુદેવી ઋષભ-ગજ વગેરે ચૌદ સ્વપ્રોને જોઈને જાગી ગઈ. નાભિકુલકરને ५९. बाहुना वैयावृत्त्यकरणेन चक्रिभोगा निर्वर्तिताः, सुबाहुना विश्रामणया बाहुबलं निर्वतितं, पश्चिमाभ्यां द्वाभ्यां तया मायया स्त्रीनामगोत्रं कर्म अर्जितमिति, ततो यथायुष्कमनुपाल्य पञ्चापि काल 25 कृत्वा सर्वार्थसिद्धे विमाने त्रयस्त्रिंशत्सागरोपमस्थितिका देवाः उत्पन्नाः, तत्रापि यथायुरनुपाल्य प्रथम वज्रनाभश्च्युत्वा अस्या अवसर्पिण्या: सुषमसुषमायां व्यतिक्रान्तायां सुषमायामपि (व्यतिक्रान्तायां) सुषमदुष्षमायामपि बहुव्यतिक्रान्तायां चतुरशीतौ पूर्वशतसहस्रेषु एकोननवतौ च चक्षेषु शेषेषु आषाढकृष्णपक्षचतुझं उत्तराषाढायोगयुक्ते मृगाङ्के इक्ष्वाकुभूमौ नाभेः कुलकरस्य मरुदेव्या भार्यायाः कुक्षौ गर्भतयोत्पन्नः, चतुर्दश स्वप्नान् ऋषभगजादिकान् + ०ऽतन्त्रं च । * बाहुणावि। * वैयावृत्य०। 30 * वीसावणाए। । मरुदेवण । चउद्दस० । Page #375 -------------------------------------------------------------------------- ________________ ઉપર જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) पासिय पडिबुद्धा, नाभिस्स कुलगरस्स कहेइ, तेण भणिय-तुब्भ पुत्तो महाकुलकरो भविस्सइ. सक्कस्स य आसणं चलियं, सिग्घ आगमणं, भणइ-देवाणुपिए ! तव पुत्तो सयलभुवणमंगलालओ पढमराया पढमधम्मचक्कवट्टी भविस्सइ, केई भणंति-बत्तीसपि इंदा आगंतूण वागरेंति. ततो मरुदेवा हठ्ठतुट्ठा गब्भं वहइत्ति । अमुमेवार्थमुपसंहरन्नाह - उववाओ सव्वट्ठे सव्वेसिं पढमओ चुओ उसभो। रिक्खेण असाढाहिं असाढबहुले चउत्थीए ॥१८५॥ गमनिका-उपपातः सर्वार्थे सर्वेषां संजातः, ततश्च आयुष्कपरिक्षये सति प्रथमश्च्युतो ऋषभ ऋक्षेण-नक्षत्रेण आषाढाभिः आषाढबहुले चतुर्थ्यामिति गाथार्थः ।।१८५।। સ્વપ્નોની વાત કરી. કુલકરે કહ્યું “તમારો પુત્ર મોટો કુલકર = રાજા થશે." બીજી બાજુ શક્રનું 10 मासन यसायमान थयु. तेथी शनु शाध मागमन थयु. हैवाने ह्यु, "हेवा ! तमाशे पुत्र.. સકલભુવન માટે મંગલરૂપ પ્રથમરાજા અને પ્રથમ ધર્મચક્રવર્તી થશે.” અહીં કેટલાક આચાર્યો એમ કહે છે કે બત્રીશે ઇન્દ્રો મરુદેવી પાસે આવી(વધાઈ આપે છે. (કે તમારો પુત્ર આવો– આવો થશે. અહીં જે બત્રીશ ઇન્દ્રો કહ્યા તે મતાન્તર જાણવો. તેમાં ૨૦ ભવનપતિના, ૨ જયોતિષ્કના અને ૧૦ વૈમાનિકના સંભવે છે.) આ સાંભળી મરુદેવી અત્યંત આનંદિત થયેલી. 15 शर्मने बहन ४२ ७. मापातने ग्रंथा२श्री. सूत्रद्वारा मतावे. ८ . ગાથાર્થ : સર્વેનો સર્વાર્થસિદ્ધવિમાનમાં ઉપપાત થયો. ત્યાંથી પ્રથમ ઋષભ અષાઢવદ ચતુર્થીએ ઉત્તરાષાઢાનક્ષત્રમાં આવ્યા. ટીકાર્થ : પાંચ જણાનો સર્વાર્થમાં ઉપપાત થયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે છતે પ્રથમ ઋષભ અષાઢાનક્ષત્રવડે (=ઉત્તરાષાઢાનક્ષત્રનો ચંદ્રની સાથે યોગ થતાં) અષાઢવદચતુર્થીએ 20 2यव्या . ॥१८५।। ॥ इति नियुक्तिक्रमाङ्काद् १ तमादारभ्य १८५ क्रमाकं यावद् सनियुक्ति हरिभद्रीयवृत्तेर्गुर्जरानुवादस्य प्रथमो विभागः समाप्तः ।। गुर्जरानुवादमिदं कृत्वा यत्कुशलमिह मया प्राप्तं तेन । मम मोहनीयकर्मक्षयोऽचिरेण भवतु ॥१॥ ६०. दृष्ट्वा प्रतिबुद्धा, नाभये कुलकराय कथयति, तेन भणितं-तव पुत्रो महाकुलकरो भविष्यति, ___ शक्रस्य चासनं चलित, शीघ्रमागमनं, भणति-देवानुप्रिये ! तव पुत्रः सकल-भुवनमङ्गलालय: प्रथमराजः 30 प्रथमधर्मचक्रवर्ती भविष्यति, केचिद् भणन्ति-द्वात्रिंशदपि इन्द्रा आगत्य व्यागृणन्ति, ततो मरुदेवी हृष्टतुष्टा गर्भं वहतीति । + नाभिकुल० । # ०णुपिया। Page #376 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ श्रीमन्मलधारगच्छीयश्रीमद्धेमचन्द्रसूरिसूत्रितं हरिभद्रीयावश्यकवृत्तिटीप्पणकम् जगत्त्रयमतिक्रम्य, स्थिता यस्य पदत्रयी । विष्णोरिव तमानम्य, श्रीमदाद्यजिनेश्वरम् ॥१।। शेषानपि नमस्कृत्य, जिनानजितपूर्वकान् । श्रीमतो वर्द्धमानान्तान्, मुक्तिशर्मविधायिनः ॥२॥ समुपासितगुरुजनतः समधिगतं किञ्चिदात्मसंस्मृतये । सधै पादावश्यकविषयं टिप्पनमहं वच्मि ॥३॥ इह हि शिष्टाः क्वचिदभीष्टे वस्तुनि प्रवर्त्तमाना विघ्नविनायकोपशान्तये अभीष्टदेवतादिनमस्कारपुरस्सरं प्रेक्षावतां प्रवृत्तये सम्बन्धाभिधेयप्रयोजनकथनपूर्वकं च प्रवर्त्तन्ते, अयमपि भगवान् वृत्तिकार: शिष्टसङ्घाताग्रणीरित्यने नापि तत्समाचार: परिपालनीयो, नमस्कारोचितश्च देवताविशेषस्त्रिधाअभीष्टाभिमताधिकृतभेदात्, तत्राभियुक्तैः सर्वैरेव मुमुक्षुभिरिज्यते-पूज्यत इत्यभीष्टा सा चासौ देवता चाभीष्टदेवतामहावीरादिस्तीर्थकरविशेषः सर्वे वा तीर्थकृत इति, एवमन्यत्रापि विशेषणसमासः कार्यः, तथा अभिमन्यते-श्रेयःप्रवृत्तैर्विघ्नव्रातविघातकत्वेन निश्चीयत इत्यभिमता-शासनदेवतादिः, तथा अधिक्रियतेप्रस्तुतशास्त्रप्रणेतृत्वेन सम्बध्यत इत्यधिकृता-गणधरादि:, इत्येवं त्रिविधस्यापि देवताविशेषस्य पूर्वार्द्धन स्तुतिविधायकं पश्चार्टेन तु सम्बन्धादिप्रतिपादकं श्लोकमाह-'प्रणिपत्ये' त्यादि (१-१२), व्याख्या'प्रणिपत्य' नमस्कृत्य, कम् ? इत्याह-वीरं' विदारयत्यष्टप्रकारं कर्म विराजते वा सबाह्याभ्यन्तरेण तपसा 'सर वीर विक्रान्ता' वित्यस्य वा वीरयति-कर्मशत्रून् प्रति विक्रमत इति वीरः, तदुक्तम्-"विदारयति यत्कम्म, तपसा च विराजते। तपोवीर्येण युक्तश्च, तस्माद्वीर इति स्मृतः ॥१॥" तमित्थम्भूतं, तमेव विशिनष्टिजिना:-क्षीणोपशान्तमोहनीयकणिश्छद्मस्थवीतरागास्तेषां वराः केवलिनस्तेषामष्टमहाप्रातिहायैश्वर्ययोगादिन्द्रस्तं, तदनेनाभीष्टदेवतानमस्कार: कृतो भवति, अभिमतदेवतां नमस्कुर्वन्नाह-श्रुतस्याधिष्ठात्री देवता श्रुतदेवता. चशब्दस्यहोनरत्र च गम्यमानत्वात्तां च प्रणिपत्येति योगः, अधिकृतदेवतानमस्कारमाहगृणन्ति जीवादितत्त्वमिति गुरवः-गौतमादयस्तान्, तथा साधयन्ति सदनुष्ठानविशेषैः परमपदमार्गमिति साधवस्तांश्च. प्रणिपत्येतीहापि सम्बध्यते, अत्र साधुग्रहणे-नोपाध्यायादयोऽपि सङ्ग्रहीताः, तेषामपि * પ્રથમ અક પાન નંબર અને બીજો અંક પંક્તિ નંબર સૂચવે છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૧) साधुत्वाव्यभिचारात्, आह - ननु प्रस्तुतशास्त्रप्रणेतृत्वेन गौतमादीनामधिकृतदेवतात्वं युज्यते शेषाणां तूपाध्यायादीनां कथं तद्भावः ? इति उच्यते, तदध्येतॄणां वाचनाप्रदानसाहाय्यकर्तृत्वादिभिस्तेषामपि तद्भावाविरोधाददोषः । तदेवं कृतदेवतात्रयनमस्कारः प्रयोजनाद्युपदिदर्शयिषयेदमाह - अवश्यं कर्त्तव्यमावश्यकं - सामायिकादिषडध्ययनकलापस्तस्य विवरणं-वृत्तिस्तां 'वक्ष्ये' अभिधास्ये इति योग:, अहमित्यात्मनिर्देशः, तां च न स्वमनीषिकया वक्ष्ये किन्तु गुरूणामुपदेशो गुरूपदेशस्तस्मात्, अनेन च मोक्षार्थिना सर्वमेव गुरुपारतन्त्र्येणानुष्ठेयं न स्वातन्त्र्येणेत्यावेदितं भवति, तदनेन श्लोकपश्चार्द्धेन षड्विधावश्यकार्थोऽस्याभिधेयत्वेन दर्शितो भवति, प्रस्तुतवृत्तेस्तदर्थव्याख्यारूपत्वात्, प्रयोजनं तु शिष्याचार्यभेदाद्विधा - परमपरं च तत्र परं द्वयोरपि शिष्याचार्ययोः परमपदप्राप्तिरूपम्, अपरं त्वाचार्यस्य शिष्यानुग्रहः शिष्यस्य तु षड्विधावश्यकपरिज्ञानम्, एतदप्यनेन सूचितं भवति, सम्बन्धस्तूपायोपेयभावलक्षणः सामर्थ्यादवसीयते, तथाहि - अत्रोपेयं षड्विधावश्यकपरिज्ञानम् उपायस्तु प्रस्तुतवृत्तिरिति गम्यत इत्यार्यार्थः । एवं च परम श्रेयोनिबन्धने वृत्तिकरणे प्रवृत्तस्य भगवतः कश्चिद्विभीषिकाप्रायः सम्भवत्येवं वादी पर:निष्फलोऽयं भवद्वृत्तिकरणप्रयासः, त्वयैव तावच्छेषसूरिभिश्च सविस्तराया एतद्वृत्तेर्विहितत्वादिति, एतन्निरासार्थमाह–‘यद्यपी त्यादि (१ - १४), यद्यप्येतद्व्यतिरेकेण मयाऽपराऽपि सविस्तरा वृत्तिविरचिता तथा शेषैश्च सूरिभिः तथाऽपि सङ्क्षेपात् - सङ्क्षिप्ततरः क्रियते वृत्तिकरणप्रयासोऽयमिति योगः, किमर्थं ? - तत्र सङ्क्षेपे रुचिः येषां सत्त्वानां तदनुग्रहार्थं, विद्यन्ते हि बहवः प्रज्ञादिदोषात्सङ्क्षिप्तरुचयः प्राणिनो येषामेतद्वृत्तितोऽप्यनुग्रहः स्यादिति भावार्थ:, 'यद्यपि मया वृत्तिः कृते' 'त्येवंवादिनि च वृत्तिकारे चतुरशीतिसहस्र- प्रमाणाऽनेनैवावश्यकवृत्तिरपरा कृताऽऽसीदिति प्रवादः सत्य इव लक्ष्यते इत्यार्यार्थः ।। इह च नियुक्तिकारस्तावत्स्वयमेव 'आभिणिबोहियनाण' मित्यादिना भावमङ्गलं दर्शयिष्यति, प्रयोजनादित्रितयं नामादिमङ्गलं च सामर्थ्यगम्यमिति तद्दर्शयितुमाशङ्कापूर्वकं वृत्तिकार उपक्रमते -' इहावश्यके 'त्यादि (२-१), अत्र च यथाबोधं विषमपदानि विव्रियन्ते, तद्यथा-' सम्बन्धस्तूपायोपेयलक्षणस्तर्कानुसारिणः प्रती 'ति (४- २), एतदुक्तं भवति - तर्कानुसारिमतेनोपायोपेयलक्षणः सम्बन्धः, सिद्धान्तानुसारिणस्तु केन कृतमिदं शास्त्रं क्व क्षेत्रे कस्मिन् वा काले ? इत्यादिकं सम्बन्धं व्याचक्षते, तं चानन्तरमेवासौ ' अथवा उपोद्घाते'त्यादिना (४-५) स्वयमेव दर्शयिष्यतीति, 'नाप्यतद्बुद्ध्ये 'ति (९-४), काञ्चनेऽप्यकाञ्चनबुद्ध्या. इदमिह तात्पर्यम्-आत्मगते सम्यग्ज्ञानमिथ्याज्ञाने एव मङ्गलामङ्गलस्वरूपे न बाह्यं वस्तु, तस्य निमित्तमात्रत्वात्, यस्तु मङ्गलमपि मङ्गलबुद्ध्या न गृह्णाति यो वाऽमङ्गलमपि मङ्गलबुद्ध्याऽध्यवस्यति तौ द्वावपि मिथ्याज्ञानापवित्रितमानसाविति कुतस्तयोर्मङ्गलमिति, 'चशब्दाद्यावद्द्रव्यभावि च प्रायश' इति (१३-१ प्रायसः), एतदुक्तं भवति -' यद्वस्तुनोऽभिधान' मित्यादिना (१२- १) प्रतिपादितस्य द्विविधस्यापि नाम्न इदमपरं चशब्दाक्षिप्तं विशेषणं द्रष्टव्यं तद्यथा - द्विविधमपि नाम भवति, कथम्भूतं ? - प्रायशो यावद्द्रव्यभावि-यावन्तं कालं नामवद् द्रव्यमास्ते तावन्तं कालं नामाप्यवतिष्ठते प्रायश इति भावः, ननु प्रायोग्रहणं किमर्थं ? सूत्रे यावत्कथिकतया नाम्नो निरपवादं प्रतिपादितत्वाद् इत्याशङ्क्याह— Page #378 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ( ૩૫૫ 'यत्सूत्रोपदिष्ट'मित्यादि (१३-१ यत्तु), यद्यपि सूत्रे 'नामं आवकहिय'(अनु० ११) मित्याद्यविशेषेणोक्तं तथाऽप्यङ्गा वङ्गा मगधा कलिङ्गा इत्यादिप्रतिनियत-जनपदाद्याश्रितस्यैव यावत्कथिकत्वं विज्ञेयं नापरस्य कस्यचिद्. इन्द्रादिनाम्नो जीवत्यपि गोपालदारकादौ निवृत्तिदर्शनादिति भावार्थः । ज्ञशरीरमेव द्रव्यमङ्गल' मित्यादि (१५-२), अत्र च पक्षद्वयेऽपि कर्मधारय एव केवलं व्याकरणप्रक्रियाकृतो यदि परं कश्चिद्विशेषः, 'तत्रार्थाभिधानप्रत्ययास्तुल्यनामधेया' इत्यादि (१७-५), अत्र अर्थ:-पृथुबुजोदराकारो बाह्यो घटलक्षण: अभिधानं तु-तत्प्रतिपादको ध्वनिविशेषः प्रत्ययस्तु-घटग्राहकं ज्ञानमित्येतानि च त्रीण्यपि तुल्यनामधेयानितुल्यशब्दवाच्यानीत्यर्थः, तथाहि-यथा बाह्यः पृथुबुध्नोदराकार: पदार्थो घटशब्दाभिधेयस्तथा तद्विषयप्रत्ययाभिधाने अपि, यतः केनचिद् घटे अन्तर्विकल्पिते अभिहिते चापरः कश्चिदन्यं पृच्छतिकिमस्य चेतसि किं चासौ वक्ति ?, स प्रत्युत्तरयति-घटोऽस्य चेतसि घटं च वक्ति, न चैतत्प्रत्युत्तरमर्थाभिधानप्रत्ययानामेकत्वममन्तरेण युज्यत इति भावार्थः, एवं घटवदन्यत्रापीन्द्रवक़्यादावायोज्यं, ततः स्थितमेतत्-वह्निज्ञानमपि वह्रिरित्युच्यत इति, नन्वेवं सति वह्निग्राहकज्ञानस्यैव वह्नित्वं न तज्ज्ञानवतः? इत्याह–'अग्निरिति च यज्ज्ञान'मित्यादि (१७-६), अग्निज्ञानाव्यतिरिक्तो ज्ञाताऽप्यग्निरिति भावः, ज्ञानतद्वतोर्व्यतिरेके दोषमाह-'अन्यथे'त्यादि (१७-७) सुगम, नन्वग्ने स्वरादिराकारो भवति न च तद्ग्राहकज्ञानस्यायमस्ति तत्कथमग्निज्ञानस्य तदव्यतिरिक्तस्य ज्ञानिनो वाऽग्नित्वम् ? इत्याशक्याह-'न चानाकार'मित्यादि (१८-१) सुगमम्, पुनरपि ज्ञानज्ञानिनोर्भेदे दोषमाह-'बन्धाद्यभावश्चे'त्यादि (१८१), यदुक्तं दहनपचनप्रकाशनाद्यर्थक्रियाऽप्रसाधकत्वादिति, तत्राह-'न चानलः सर्व एवे'त्यादि सुबोधं, 'भभामउंदमद्दल' (२१-३) गाहा सुगमा, नवरं 'भम्भा' इति पृथुलमुखढक्काविशेषः, 'मुकुन्दमद्दलौ' मुरजविशेषावेव, केवलमेकतः सङ्कीर्णोऽन्यत्र तु विस्तीर्णो मुकुन्द इत्यभिधीयते मर्दलस्तूभयतोऽपि सम इति, कडंबा-करटिका तलिमा-तिउल्लिका शेषं प्रतीतमिति । 'अथवाऽभिनिबुध्यते तदि'त्यादि (२११२), ननु कर्तारमन्तरेण कर्म न भवति, अभिनिबुध्यते तदित्यत्र तु मतिज्ञानं कास्ति न कर्ता, तत्कथमिदं घटते ? इत्याह-'तस्य स्वसंविदितरूपत्वादिति (२२-१), स्वयमेव ज्ञानं नीलादिग्राहकत्वेनात्मानं व्यवच्छिनत्ति, न बाह्यो ज्ञानपरिच्छेदक: कर्ताऽन्वेषणीय इति भावः, नन्वोदनं पचति देवदत्त इत्यादिषु भेद एव कर्तृकर्मव्यवहारो दृष्टः, अत्र तु तदेव ज्ञानं परिच्छेदकं तदेव च परिच्छेद्यमिति भेदाभावात्कथं तद्व्यवहार: ? इत्याशक्याह-भेदोपचारादिति' (२२-१), तद्धि प्रदीपवत्प्रकाशस्वभावमेवोत्पद्यत इत्यसन्नपि कर्तृकर्मभावेन भेद उपचर्यत इति भावः ।। आह—'तिवग्गसुत्तत्थगहियपेयाले'त्यादि (२७-७), इदमुक्तं भवति-"भरनित्थरणसमत्था तिवग्गसुत्तत्थगहिअपेयाला । उभओलोगफलवई विणयसमुत्था हवइ बुद्धी ।।९४३।।" इत्यस्यां वक्ष्यमाणगाथायां त्रिवर्गसूत्रार्थगृहीतविचारा वैनयिकी बुद्धिर्भवतीति वक्ष्यति, धर्मार्थकामप्रतिपादकशास्त्रनिश्रितेतियावत्, तत्कथमौत्पत्तिक्यादिबुद्धिचतुष्टयस्याप्यश्रुतनिश्रितत्वमिति पूर्वपक्षभावार्थः, समाधानपक्षे त्वयं भावार्थ:-यद्यप्यौत्पत्तिक्यादिबुद्धीनां श्रुतनिश्रितत्वं साक्षान्नोक्तं तथाऽप्यवग्रहहापायधारणानां श्रुतनिश्रितत्वमागमे प्रतिपादितमेव, अतो वैनयिक्या बुद्धेः सम्बन्धिनोऽवग्रहादयः Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ છે. મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૧). श्रुतनिश्रिता अपि भवन्तु को दोषः ?, ननु बुद्धीनामवग्रहादयः सूत्रे नोक्ता एव तत्कथमिदमुच्यते?, सत्य, साक्षान्नोक्ताः सामर्थ्यात्तु गम्यन्त एव, न हि ता अप्यवग्रहादीनुल्लङ्घय झगित्येव वर्तन्त इति युक्तिसङ्गतं, नन्वनया युक्त्या तर्हि सर्वासामपि बुद्धीनां श्रुतनिश्रितत्वं प्राप्नोति इति चेत्तदयुक्तम्, अश्रुतनिश्रितत्वेन विशेष्य तासां सिद्धान्ते प्रतिपादनात्, न च वक्तव्यं विशेषविषयमश्रुतनिश्रितत्वमिति तर्हि सर्वासामप्यस्तु, तस्य प्रायोवृत्तिविषयत्वात्, 'वैनयिकी विहाय' (२८-१) तवृत्तेरित्यर्थः, अतो व्यवस्थितमेततत्वेनयिकीमपहाय शेषबुद्धीनामश्रुतनिश्रितत्वमिति, यद्येवमश्रुतनिश्रिताना-मौत्पत्तिक्यादिबुद्धीनां मध्ये किमिति श्रुतनिश्रिताया वैनयिक्या उपन्यासं नियुक्तिकार: करिष्यति ? इत्याशङ्क्याह-'बुद्धिसाम्याच्चे' त्यादि (२८-१), अत्र च यदश्रुतनिश्रितं बुद्धिचतुष्टयलक्षणं मतिज्ञानं तस्यागमेऽवग्रहादिभेद: साक्षान्न प्रतिपाद्यत एव, अखण्डरूपस्यैव बुद्धिचतुष्टयस्याश्रुतनिश्रितत्वेन नन्द्यादिशास्त्रेषु प्रतिपादनाद्, अतो यत्रावग्रहादिभेदः प्रतिपाद्यते तत् सामर्थ्यात् श्रुतनिश्रितमेव भवतीति चेतसि व्यवस्थाप्य वृत्तिकृदाह-तत्र श्रुतनिश्रितमतिज्ञानस्वरूपप्रदर्शनायाहे'ति (२८-३), 'प्राप्तिनिबन्धनाख्यहेतुविशेषणार्थनिराकृतत्वादिति (४०-१), इदमत्र हृदयं-प्राप्तिनिबन्धनौ यौ तत्कृतावनुग्रहोपघातौ तच्छून्यत्वादिति हेतूपन्यासं कुर्खता युष्मद्दूषणं निरस्तमेव, न हि जलसूर्यादयः पदार्थाः प्राप्ताः सन्तश्चक्षुषी अनुगृह्णन्ति बाधन्ते वा, किन्तु स्वरूपमेव तेषां जलघृतवनस्पतिसूर्यादीनां यदुत विषयत्वेन चक्षुषाऽप्राप्ता अपि तथाविधपुद्गलपरिणामसद्भावात् तत्स्वास्थ्यं बाघां वा जनयन्तीति, अथावश्यं विषयप्राप्तिनिबन्धनावनुग्रहोपघातावभ्युपगम्येते तत्राह—'किं च यदि ही'त्यादि (४०-२) सुगमं यावत् 'प्राक् प्रतिज्ञातयो रित्यादि (४०-६), यदि हि सूक्ष्मा नायना रश्मयोऽभ्युपगम्यन्ते तदा यौ प्राग् भवतैव वनस्पतिसूर्यादिभ्योऽनुग्रहोपघातौ प्रतिज्ञातौ तावपि न प्राप्तुत इति भावः ।। 'इह कश्चिन्मन्दप्रयत्नो वक्ता भवती'त्यादि (५३-१०), अत्र महाप्रयत्नवक्तृपक्षेऽनन्तगुणवृद्ध्या वर्द्धमानानीति भणिष्यमाणत्वात् मन्दप्रयत्नवक्तृपक्षे स्तोकत्वेन विभिद्यन्त इति सामर्थ्यात्साध्याहारं व्याख्येयं, कुतः स्तोकत्वेन भिद्यन्ते ? इत्याह-'असङ्ख्येयात्मकत्वात्' (५३-११), तानि हि वक्तर्मन्दप्रयत्नत्वादसङ्ख्येयान्येव खण्डानि भवन्ति नानन्तानीति स्तोकान्येव भवन्ति, ‘परिस्थूरत्वाच्च' यदि हि तानि सूक्ष्मतया भिद्येरंस्तदा बहून्यपि स्युः न च तथा भिद्यन्त इत्यतोऽपि स्तोकानीति भाव इति, ‘यदा तु लोकान्तस्थितो वा भाषको वक्तीति' (५४-८), अत्र 'तुः' पुनर्थे वाशब्दस्तु चशब्दार्थे, तस्य चैवं प्रयोगो द्रष्टव्यः-यदा च पुनर्लोकान्तव्यवस्थितो भाषको वक्ति, एतदेव व्याचष्टे–'चतसृणां दिशामन्यतमस्यां वा दिशि नाड्या बहिरवस्थित' इति (५४-९), अयमत्र भावार्थ:-यदि भाषक: किञ्चिन्नाड्या बहिर्विनिर्गत्य चतसृणां दिशामन्यतमस्यां वा दिशि स्वयम्भूरमणपरकूललोकान्तेऽलोकस्य निकटीभूय वचनमुदीरयति तदा चतुरङ्गुलबाहल्यो रज्ज्वायामो दण्ड: प्रथमसमयेऽन्तर्नाडी प्रविश्य स्वयम्भूरमणापरप्रान्ते लगति, ऊर्ध्वाधस्तु न सम्पूर्णदण्डप्रसरोऽस्ति, लोकस्खलितत्वादिति भावनीयं, ततश्च द्वितीयसमये चतुरङ्गुलबाहल्यो रज्जुविस्तर ऊर्ध्वाधस्तु चतुर्दशरज्जावायामः कपाटाकारा(रोऽ)णुराशिः प्रधावति, तिर्यग्लोके तु दिग्द्वयाणुविनिर्गमे स्थालकाकार: पुद्गलराशिर्भवति, तृतीयसमये तूर्वाधोव्यवस्थितकपाटे मन्थसिद्धिः, चतुर्थे त्वन्तरालपूरणमिति Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ પરિશિષ્ટ-૧ चतुभिः समयैर्लोकः पूरितो भवति, 'यदा तु विदिग्व्यवस्थितो वक्ती' त्यादि (५४-१०), अत्र कीलैकस्मिन् समये विदिशो दिशि समागच्छन्ति पुद्गलाः, द्वितीयसमये त्वन्तर्नाडीं प्रविशन्ति, शेषसमयत्रयं पूर्ववदेव, अत्र वृत्ताकारं लोकं मध्ये वृत्ताकारां त्रसनाडीं च व्यवस्थाप्य दिग्विदिक्कल्पना भावनीया, तद्यथा - स्थापना - ( अत्र च त्रिसमयपक्षे चतुष्पञ्चसमयपक्षे च येऽनुश्रेणिव्यवस्थिता निष्फुटयस्त एव पूर्यन्ते, वक्रनिष्कुटपूरणं तु न बुद्ध्यत एव, स्वल्पत्वाच्च न विवक्षितमिति लक्ष्यते इति, 'शेषदिक्षु पराघातद्रव्यसम्भवाद् द्वितीयसमय एव मन्थानसिद्धे 'रित्यादि (५५-५), एतदुक्तं भवति - तानि हि भाषाद्रव्याणि वासकस्वभावानि, वास्यद्रव्याणि तु सर्वास्वपि दिक्षु विद्यन्ते, ततश्च यथा वह्निर्दाह्यं प्राप्य दहत्येव नोदास्ते तथाऽयमपि भाषाद्रव्यसमूहः प्रथमसमये सत्तां प्राप्य द्वितीयसमये सर्वास्वपि दिक्ष्वपरवास्यद्रव्याणि वासयन् प्रसरत्येवेति द्वितीयसमये मन्थसिद्धिः, केवलिनस्तु जीवप्रदेशा द्वितीयसमये कपाटतयैव प्रसरन्ति तेषामपरवासाद्रव्याभावाद्भवोपग्राहिकर्म्मपरतन्त्रत्वाच्चेति शेषं सुगमं 'यावच्चरमान्ते ऽसङ्ख्येयभागे' इत्यादि (५६-७), ननु च षट्स्थानलक्षणगणितमपेक्ष्य चरमान्तोऽनन्तभागोऽपि सम्भवति तत्किमित्यसङ्ख्येयभागे इत्युक्तमित्याशङ्क्याह–‘क्षेत्रगणितमपेक्ष्ये 'ति, इदमुक्तं भवति - लोक क्षेत्रस्यासङ्ख्येयप्रदेशात्मकत्वादनन्तशब्दविरहितं चतुःस्थानकलक्षणमेव गणितं सम्भवति, तत्र तु चरमोऽसङ्ख्येयभाग एव नानन्तभाग इति युक्तमुक्तं चरमान्तेऽसङ्ख्येयभागे इति । 'तत्राद्येष्वनन्तानुबन्धिषु क्रोधादिषूभयाभाव इति' (६१४), नन्वनन्तानुबन्धिषूदयप्राप्तेषु सास्वादन: पूर्वप्रतिपन्नो मतिज्ञानस्य सम्भवति तत्कथमुभयाभाव उक्तः ?, सत्यं सम्भवति किन्त्वल्पत्वात्तत्कालस्याविवक्षेति लक्ष्यते, तत्त्वं तु बहुश्रुता विदन्तीति । व्यवहारनयमतेन सम्यग्दर्शनमतिश्रुतानां प्रतिपद्यमानको मिथ्यादृष्टिरेव भवति न पुनः सम्यग्दृष्टिः सन् मतिश्रुते प्रतिपद्यते, कुत: ? इत्याह-'सम्यग्दर्शनमतिश्रुतानां युगपल्लाभादि ति ( ६१ - १०), यदि हि प्राप्ते सति सम्यक्त्वे ततो मतिश्रुते प्रतिपद्येत तदा स्यात्सम्यग्दृष्टिर्मतिज्ञानस्य प्रतिपद्यमानकः, न चैतदस्ति, सम्यक्त्वेन सहैव तल्लाभात्, अथ सम्यक्त्वेन सह लब्धे अपि मतिश्रुते सम्यग्दृष्टिः पुनरपि प्रतिपद्यते ? इत्याशङ्क्याह'आभिनिबोधिकप्रतिपत्त्यनवस्थाप्रसङ्गाच्चे 'ति (६१-१०), यदि ह्येकदा प्रतिपन्नमपि पुनरपि प्रतिपद्य तदा तत्प्रतिपत्त्यनुपरमप्रसङ्ग इति भाव: । 'निश्चयनयस्त्वि' त्यादि (६१ - ११), नन्वाभिनिबोधिकलाभस्य सम्यग्दर्शनसहायत्वादिति व्यवहारनयेनाप्युक्तं तत्कोऽस्य व्यवहाराद्विशेषो येनास्य सम्यग्द्दष्टिर्मतिज्ञानस्य प्रतिपद्यमानको भवति ? इत्याह- ' क्रियाकालनिष्ठाकालयोरभेदादिति (६२ - १), निश्चयो हि मन्यते यदैव सम्यक्त्वप्राप्तिक्रियाविशिष्टो भवति जीवः तदैव सम्यग्दृष्टिव्यपदेशमासादयति, क्रियाकालस्य निष्ठाकालस्य चैकत्वाद्, अतः सम्यग्दृष्टिः सन्नेतदभिप्रायेण मतिज्ञानं प्रतिपद्यत इति । 'इदानीं दर्शनद्वार' मित्यादि (६३ - ३), नन्वत्र चक्षुरचक्षुर्दर्शनिनः किमिति विशेषतस्तल्लब्धिमन्तो व्याख्याताः, यावतैतद्दर्शनोपयोगेऽपि मतेः पूर्वप्रतिपन्ना लभ्यन्त एव ?, सत्यमेतत्, किन्तु लब्धिमत्पक्षे पूर्वप्रतिपन्नाः प्रतिपद्यमानकाश्चोभयेऽपि लभ्यन्ते, उपयोगपक्षे तु पूर्वप्रतिपन्ना एव प्राप्यन्तेनेतरे इति तद्व्युदासेन विशेषतो लब्धिमद्ग्रहणं, यद्येवमुपयोगपक्षे पूर्वप्रतिपन्ना लभ्यन्त इति पक्षान्तरं वृत्तिकृता किमिति न दर्शितम् ? इति Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ મલધારી હેમચન્દ્ર સૂરિકૃત ટીપ્પણક (ભાગ-૧) चेत्सत्यं, सुगमत्वादिति पश्यामः, स्वयमेव वाऽभ्यूह्यमिति, भवत्वेवं, तथाऽप्यवधिदर्शनिनां यः प्रतिपद्यमानकनिषेधः सोऽसमीक्षिताभिधानादिव लक्ष्यते, तथाहि-यदा विभङ्गज्ञानी देवनारकादि: कश्चित् सम्यक्त्वं प्रतिपद्यते तदाऽवधिदर्शन्येवासौ मतेः प्रतिपत्ता लभ्यते, न च वक्तव्यं विभङ्गिनोऽवधिदर्शनं नास्ति, तस्यागमेऽनेकधा प्रतिपादनाद्, यदाह प्रज्ञप्तिः- "ओहिदसणअणगारोवउत्ता णं भंते ! किं नाणी अन्नाणो ?, गोयमा ! नाणीवि अन्नाणीवि, जे नाणी ते अत्थेगइया तिनाणी अत्थेगइया चउनाणी, जे तिनाणी ते आभिणिबोहियनाणी सुअनाणी ओहिनाणी, जे चउनाणी ते आभिणिबोहियनाणी सुयनाणी ओहिनाणी मणपज्जवनाणी, जे अन्नाणी ते नियमा तिअन्नाणी, तंजहा–मतिअन्नाणी सुयअन्नाणी विभंगअन्नाणी' तदेतदवधिदर्शनिनोऽप्यज्ञानत्रयमुक्तमिति कथं विभङ्गिनो नावधिदर्शनमिति, यदिवा विभगङ्गज्ञान्यपि यदा सम्यक्त्वमतिश्रुतावधीन् प्रतिपद्यते तदा प्रतिपद्यमानं प्रतिपन्नमिति निश्चयनयमतेन प्रतिपत्तिक्षणेऽप्ययमवधिज्ञानी अवधिदर्शनी च भवत्येव, ततश्चानेनापि न्यायेनावधिदर्शनी मतिज्ञानस्य प्रतिपत्ता लभ्यत एवेत्येतदाचार्यस्याप्येकं - - स्खलितमिवाभातीति, तदेतत्सर्वमयुक्तम्, अभिप्रायापरिज्ञानात्, यदि ह्यवधिदर्शनलब्धिमन्तोऽत्र विवक्षिताः स्युस्तदा सर्वं त्वदुक्तं शोभेत, न चैतदस्ति, अवधिदर्शनोपयोगिनामेवेह विवक्षितत्वात्, न च दर्शनोपयोगे वर्तमानस्य मतिज्ञानप्रतिपत्तिरस्ति, लब्धित्वात्तस्य, लब्धीनां च दर्शनोपयोगे निषेधाद्, विशेषानभिधानात् कथमवधिदर्शनोपयोगिन इह विवक्षिता इति लभ्यते ? इति चेद् एतद्वचनान्यथाऽनुपपत्तेरिति ब्रूमः, तत्त्वं पुनरनुत्तरज्ञानिनो विदन्तीति, शेषं सुबोधं यावन्मतिज्ञानसमाप्तिः । इदानीं श्रुतज्ञानमारभ्यते, तत्र-'अथवा दव्यादिचतुष्टयात्साद्यनाद्यादि अवगन्तव्यं यथा नन्द्यध्ययने इति' (७६-७), व्याख्यायते, एकेन प्रकारेण तावत्सादिसपर्यवसितादिविचारः कृतः, साम्प्रतमसावेव द्रव्यक्षेत्रकालभावद्वारेण नन्द्यनुसारतो विधीयते, तत्र द्रव्यत एकं जीवद्रव्यमाश्रित्य सादिसपर्यवसितं श्रुतज्ञानं, तथाहि-केनचित्तत्प्रथमतया श्रुमवाप्तं पुनर्भवान्तर मिथ्यात्वं वा गतस्य प्रमादग्लानत्वादिभ्यो वा कारणेभ्यः प्रतिपततीति तत्तस्य सादि सपर्यवसितं च भवति, क्षेत्रतोऽपि भरतैरावतक्षेत्राद्याश्रित्य द्वादशाङ्गश्रुतं सादि सपर्यवसितं च भवति, कालतोऽप्युत्सपिण्यवसप्पिणीषु तद्रूपतैव भावनीया, भावतोऽपि प्रज्ञापकोपयोगं प्रज्ञापनीयभावांश्चाश्रित्य सादिसपर्यवसितताऽसेया, प्रज्ञापकोपयोगो हि प्रयत्नादिनिर्वर्त्यत्वादनित्यः, प्रज्ञापनीयभावा अपि पुद्गलादिसम्बन्धिनो गतिस्थितिवर्णगन्धादयोऽनित्या एव, यच्चानित्यं तद् घटवत्सादि सपर्यवसितमिति प्रतीतमेव, अतस्तदाश्रयं श्रुतमपि तद्रूपमेवेति भावार्थः, तथा द्रव्यतो नानाजीवान् क्षेत्रतो विदेहान् कालतो विदेहसम्बन्धिकालं भावतश्च क्षायो पशमिक भावमाश्रित्य श्रुतमनाद्यपर्यवसितमिति ज्ञेयं, विशेषार्थिना तु विशेषावश्यकमनुसरणीयमिति । 'गाथाशेष'मित्यादि (७७-५) गाथाशेषं 'सत्तवि एए' इत्यादिकं व्याख्यातमेवेति सम्बन्धः, किं कुर्खता?-पूर्वमेवावधारणप्रयोगं दर्शयतेति योगः, शेषं सुगमं यावच्छृतज्ञानं समाप्तमिति । अवधिरधुना विव्रियते-'तथाऽवधिशब्दो द्विरावर्त्यत इति व्याख्यात'मिति (८५-१), एतदत्र हृदयम्-एकीयाचार्यमतेन तावदवधिशब्दः पृथग्द्वारतया योजितो, द्वितीयमतेन तु वक्ष्यगाणद्वारैः सहैकत्वेन मीलयित्वाऽनन्तरंमेव भविष्यणाणविधिना व्याख्येय इत्येवं द्विरावृत्तिः, इदं च द्विरावर्त्तनं मया Page #382 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ કે ૩૫૯ पूर्वमेव व्याख्यातं, ननु पूर्वं न क्वचिद्व्याख्यातमेतत् ? इति चेत्सत्यं, साक्षान्न व्याख्यातम्, 'अन्ये त्वाचार्या अवधिरित्येतत्पद'मित्यादिना सामर्थ्याद्विवृत्तिर्व्याख्यातैव, कथम्?, अवधिर्वा नामादिभेदभिन्नो वक्तव्यः अवधेर्वा क्षेत्रपरिमाणादीनि द्वाराणि वक्तव्यानीति, प्रथममतमेवाश्रित्य तावदाह-'तथा क्षेत्रे 'त्यादि (८५२), नन्वाद्यमते तावदवधिरित्येका प्रतिपत्तिः, क्षेत्रपरिमाणं तु द्वितीया, संस्थानमिति तृतीया, द्वितीयमते तु यदाऽवधिशब्दोऽर्थवशात्प्रथमान्तोऽपि षष्ठ्यन्तः शेषद्वारैः सह सम्बध्यते तदा संस्थानमिति कतिथी प्रतिपत्तिर्भवति? इत्याह-'अथवा अर्थाद्विभक्ती'त्यादि (८५-३), पातनिकयैव व्याख्यातं. केवलं द्वितीयैवेय संस्थानलक्षणा प्रतिपत्तिरिति सामर्थ्याद्गम्यते, 'एमेया पडिवत्तिओ'-इति द्वितीयश्लोकान्तेऽभिधास्यमानत्वात्. कथं पुन: संस्थानं द्वितीया प्रतिपंत्तिर्भवति ? इत्याह-'ततश्चावधेर्जघन्ये'त्यादि (८५-३), अन्ये तु द्वितीयैवेयं विभक्तिरित्यादिकं किञ्चिद्व्याख्यानयन्ति तत्तु यदि परंत एव विदन्ति, सकर्मकक्रियाया एव सूत्रेऽ श्रवणादित्यलं प्रसङ्गेनेति । 'चतुर्णा द्रव्यादीनां वृद्धि रित्यादि (९६-४), ननु काले वर्द्धमाने पारिशेष्यात् त्रयाणामेव द्रव्यक्षेत्रभावानां वृद्धिर्भवतीत्येतावदेव वक्तुमुचितं कथमुच्यते-काले वर्द्धमाने चतुर्णां वृद्धिर्भवति ?. इत्याशक्याह-'सामान्याभिधानादि'ति, प्रथमं वर्द्धमानतया विशेषतः कालं निर्धार्य ततो वृद्धिसाम्याच्चतुर्णामपि सामान्येनाभिधानादिति भावः, अस्ति चायं न्यायः-एकस्मिन् रसनेन्द्रिये जिते पञ्चापि जितानि भवन्तीति, तथाऽन्धेन भोक्तुमाकारितेन जनद्वयमागच्छतीत्यादिवचनप्रवृत्तिदर्शनादिति । 'कालस्तु भक्तव्यो-विकल्पयितव्य'इत्यादि (९६-५), यदि हि क्षेत्रस्य प्रतिप्रदेशवृद्धौ कालः समयवृद्ध्या वर्द्धते तदाऽङ्गुलासङ्ख्येयभागमात्रक्षेत्रवृद्धावपि कालतोऽसङ्ख्येया उत्सर्पिण्यवसप्पिण्यो वर्द्धरन्, न चैतदिष्यते, अत: क्षेत्रवृद्धावपि स्थूलत्वात्कालः स्याद्वर्द्धते स्यान्नेति । 'ए होइ अयारंते'इत्यादि (९६-८) गाथाव्याख्याद्वितीयाबहुवचनान्तेऽकारान्ते पदे पुंल्लिङ्गेऽभिधेयेऽन्तस्यैकारो भवति, यथा-'नमिऊण जिणवरिंदे' इत्यादि, तथा तृतीयादिष्वादिशब्दाच्चतुर्थीपरिग्रहस्ततश्च ‘एगंमि'त्ति एकत्वे वर्तमानानां तृतीयाचतुर्थीषष्ठीसप्तमीनां स्थाने महिलत्थेत्ति-स्त्रीलिङ्गेऽभिधेये एकारो भवति, तत्र तृतीयायां यथा-'सुंदरबुद्धीए कय'मित्यादि, चतुर्थ्यां यथा-'गावीए पुण दिण्णं तणंपि खीरत्तणमुवेइ'इत्यादि, षष्ठ्याः स्थाने यथा-'तीए पुण विसुद्धीए कारणं होंति पडिमाओ' इत्यादि, सप्तम्याः स्थाने यथाऽत्रैव, ननु तृतीयादिष्वित्यत्रादिशब्दात् किमिति न पञ्चमीपरिग्रह: ?, नैवं, तत्स्थाने ओकारस्य दर्शनात्, तद्यथा-'इत्थीओ आवि संकण'मित्यादि, अत एव १ पूर्वगाथातो वक्ष्ये इत्यस्यानुवृत्तेलाभात्, क्रियापदं त्वत्रापि अध्याहार्यमेव, ततश्च विभक्तिपरिणामात 'खित्तपरिमाणे संठाणे' इत्यादौ द्वितीया वाच्या, ततश्च क्षेत्रपरिमाणं वक्तव्यमिति ब्रूधातुना सम्बन्धयति. एवमेताः प्रतिपत्तीर्वक्ष्ये इति पर्यन्ते तत्त्वतः सम्बन्धः, संस्थानप्रतिपत्तेः संख्यानं त्वनुपयोग्येवेति स्यात्तन्मतं । आदौ विषयसप्तम्या व्याख्यानेऽवधेर्मुख्यताऽभूत्, परिणामे तु तस्यैव क्षेत्रपरिमाणादेर्मुख्यतेति अवधेरित्यादिग्रन्थसंगतिः, द्वितीया प्रतिपत्तिरिति तु अन्ये त्वाचार्या इत्यादिना लब्धमेव, द्विरावर्त्यते इत्यपि प्राग्व्याख्यात एव सिद्धं, यतः प्रथम तावदवधिशब्दो नामादिभेदभिन्नेऽवधौ व्याख्यातः, द्वितीयोऽवधिशब्दश्चाग्रे योज्यते क्षेत्रपरिमाणविषयोऽवधिरित्यादौ ततो युक्ता आवृत्तिः, तथा च न व्याख्यानद्वयस्यावृत्तिशब्दवाच्यता, स्थानमपि च नैतदस्येति तदभिप्रायः । Page #383 -------------------------------------------------------------------------- ________________ ३६० મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૧) चात्र 'तइयाइसु छट्ठीसत्तमीण' इति व्यस्तनिर्देश:, अन्यथा ह्यादिशब्देन चतुर्थ्यादीनां सर्वासामपि विभक्तीनामनुरोधः स्यादेवेति गाथार्थः । ननु वस्तूनां नवपुराणादयः पर्यायाः कालक्रमेणैव भवन्त्यतस्ते चेदुत्तरोत्तरकालक्रमवृद्धिभाजो वर्त्तन्ते तदा तद्वृद्धौ सिद्धैव कालवृद्धिरतः पर्यायवृद्धौ कालो भजनीय इति यदुक्तं तदसङ्गतम् ? इत्याशङ्क्याह - ' अक्रमवर्त्तिनामपि वृद्धिसम्भवादित्यादि (९७ - १ ), इदमुक्त भवति-यद्युत्तरोत्तरकालक्रमवृद्धिभाजो नवपुराणादय एव वस्तूनां पर्याया: स्युस्तदा युज्येत भवद्वचः, तच्च नास्ति, रूपरसगन्धस्पर्शतारतम्यादिपर्यायाणां मन्दक्षयोपशमावस्थानुपलब्धानां विशिष्टक्षयोपशमे सति कालक्रमवृद्ध्यभावेऽपि बहूनां युगपदेव वृद्धिसम्भवादिति भावनीयम् । 'परं परं सूक्ष्म (तत्त्वा० अ० २ सू० ३८) मित्यादि (१०३-३), औदारिकशरीराद्वैक्रियं सूक्ष् स्वल्पाकाशप्रदेशावगाहीतियावत्, ततोऽप्याहारकतैजसकार्म्मणानि क्रमशः सूक्ष्माणि तदनेनापि किल तत्त्वार्थसूत्रेण क्षेत्रतो मव्याख्यातव क्रम उक्तो भवति, अनेन हि किल परम्परसूक्ष्मत्वप्रतिपादनेन कार्म्मणवर्गणाः स्वल्पाकाशप्रदेशावगाहिन्यस्ततोऽपि तैजसादीनां क्रमशो बहुप्रदेशावगाहिन्य इति सामर्थ्यादुक्तं भवति, 'प्रदेशतोऽसङ्ख्येयगुण 'मित्यत्र (त० अ० २ सू० ३९) प्राक्तैजसादिति विशेषो दृश्य : . यावद्भिः पुद्गलैरौदारिक निष्पद्यते ततोऽसङ्ख्येयगुणैर्वैक्रियं ततोऽप्यसङ्ख्येयगुणैराहारकं, तैजसकार्मणे तु क्रमशोऽनन्तगुणप्रदेशनिष्पन्ने 'अनन्तगुणे परे' इति (त० अ० २ सू० ४०) वचनादिति । 'भेदाभेदपरिणामाभ्यामित्यादि (१०४ ७), यावद्भिः किल पुद्गलैस्तनुवर्गणास्कन्धा निष्पद्यन्ते तेभ्यो यदा केचित् पुढला विभिद्य पृथग् भवन्ति अन्ये त्वागन्तुकाः समागत्याभेदेन परिणमन्तीति आभ्यां भेदाभेदपरिणामाभ्यामेतास्तनुवर्गणा औदारिकादियोग्यबादरपरिणामाभिमुखा भवन्तीत्यर्थः । 'अयमेव सर्वोत्कृष्टप्रदेश' इत्यादि (१०५ ३), अयमेवाचित्तमहास्कन्ध उत्कृष्टपुद्गलसङ्ख्यानिर्वृत्तो, नान्ये सन्तीति केचित्, एतच्चायुक्तं, कथम् ? इत्याह‘यस्मादि’त्यादि, ननु चाचित्तमहास्कन्धा अपि कालभेदेन बहवो भवन्ति, तेषां च स्थित्यवगाहनादिभिः परस्परं वैषम्याद् यदिदं प्रज्ञापनायां स्थित्यवगाह - नादिभिश्चतुः स्थानपतितत्वादि वैषम्यमुक्तं तदचित्तमहास्कन्धाश्रयेणाप्युपपत्स्यते तत्कुत एतद्व्यतिरेकेणापरोत्कृष्टप्रदेशंकस्कन्धसत्ता ? इत्याशङ्क्याह— 'अयं पुनस्तुल्य एवे 'ति (१०५ -८), अयमित्येत - ज्जातवेकवचनं, ततश्चायमर्थः - अमी पुनरचित्तस्कन्धाः कालभेदेन बहवोऽपि जायमानास्तुल्या एवेति एतदुक्तं भवति - यद्यप्यचित्तमहास्कन्धाः कालभेदेन बहवो भवन्ति तथाऽपि स्थितिरष्टसामयिकी अवगाहना च लोकव्याप्तिलक्षणैव सर्वेषामपि तुल्यैवेति कथं तदाश्रयेण प्रज्ञापनोक्तं स्थित्यादिवैषम्यं युज्यते ?, किं च - असौ प्रज्ञापनायामुत्कृष्टप्रदेशिकः स्कन्धोऽष्टस्पर्शः पठ्यते. अयं त्वचित्तमहास्कन्ध उत्कृष्टप्रदेशिकोऽपि सन् सूक्ष्मपरिणामत्वाच्चतुःस्पर्शे एव तस्मात्प्रज्ञापनोक्तस्थित्यादिवैषम्यभाजोऽष्टस्पर्शाश्चान्येऽप्युत्कृष्टप्रदेशिकाः स्कन्धाः सन्तीति स्थितम् । गुरुलघ्वादिद्रव्यविचारे 'ओरालिय' गाहा (१०६-५), अत्र भावार्थ उच्यते-इह व्यवहारश्चतुर्द्धा द्रव्यमिच्छति, तद्यथाअधोगमनस्वभावं गुरुकं लेष्ट्वादिवद् ऊर्ध्वगतिस्वभावं लघुकं प्रदीपशिखावत् तिरश्चीनगतिशीलं गुरुलघु वाय्वादिवत् निश्चलस्वभावं त्वगुरुलघु व्योमादिवत्, आह च - "गुरुअं लहुअं उभयं नोभयमिति वावहारियनयस्स । दव्वं लिट्टू दीवो Page #384 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ શાક ૩૬૧ वाऊ वोमं जहासंखं॥१॥"निश्चयस्तु मन्यते-नायमेकान्तोऽधोगमनस्वभावं गुर्वेव भवतीति, लघुनाऽप्यधोगतिपरिणतेनाणुना व्यभिचारात्, नाप्यूर्ध्वगतिस्वभावं लघ्वेव, फलमुक्तोर्ध्वगतिपरिणतगुरुस्वभावैरण्डमिञ्जया व्यभिचारात्, तस्मादेकान्तगुर्वेकान्तलघु च द्रव्यं नास्ति, किन्तु यद्बादरपरिणाम तद्गुरुलघु, यत्तु सूक्ष्तदगुरुलध्विति निश्चयस्य परिभाषेति, आह च- "निच्छयओ सव्वगुरुं सव्वलहुं वा न विज्जए दव्वं । बायरमिह गुरुलहुअं अगुरुलहुँ सेसयं दव्वं ॥१॥" तस्मादिह निश्चयनयमाश्रित्यौदारिकादीनि तैजसान्तानि बादरपरिणामत्वादुरुलघुत्वेनोक्तानि, कार्मणद्रव्यादीनि तु सूक्ष्मपरिणामत्वादगुरुलघुत्वेनेति, एतन्मनस्याधायाह वृत्तिकृत्निश्चयनयापेक्षये'ति (१०६-८) 'इहापि सामर्थ्यप्रापितत्वाद्रव्योपनिबन्धनस्ये'त्यादि (१०७-१३), सङ्ख्येलोकपल्योपमभागदर्शिनोऽपि हि किल तावत्कर्मद्रव्याणि विषयतयाऽभिहितान्यतोऽस्याधिकक्षेत्रकालदर्शिनः सामर्थ्याद्रव्यमपि कर्मद्रव्याण्यतिक्रम्य किमप्यधिकमेव दृश्यमिति, 'काले चउण्ह वुड्डी' इति पूर्वमेवोक्तत्वादिति भावः, ननु च परमावधेई व्यतः सर्वं रूपिद्रव्यं क्षेत्रतोऽलोके लोकप्रमाणासङ्ख्येयाकाशखण्डप्रमाणं क्षेत्रं कालतोऽसख्येया उत्सप्पिण्यवसप्पिण्यो विषय उक्तः, स चेह द्रव्याद्युपनिबन्धावसरेऽनुक्तवात्कथमवसेयः ? इत्याह-'अत एवे'त्यादि, अत एव च–सामर्थ्यादेव च तदुपर्यपि कर्मद्रव्योपर्यपि ध्रुववर्गणादिकं सर्वमपि परमाणुपर्यवसानं द्रव्यं पश्यतः क्षेत्रकालवृद्धिः क्रमेण ज्ञेया यावत्परमावधिविषय इति, कर्मद्रव्यातिक्रममात्रेऽपि हि क्षेत्रतो लोकप्रमाणोऽवधिरुक्तः यस्तु सर्वमपि ध्रुववर्गणादिद्रव्यं पश्यति तस्यातिविशुद्धत्वात् सामर्थ्यादेव परमाबधेः सम्भवोऽनुमीयत इति भावः । स च पल्योपमासङ्ख्येयभागसमुदायमान' इति (१०९-९), पल्योपमासङ्ख्येयभागरूपो यः समुदाय: स एव मानं यस्य स तथा पल्योपमासङ्ख्येयभाग इति यावत्, न पुनः समुदायशब्दमधिकमालोक्यार्थान्तरं कल्पनीयमिति । 'सामान्यं न्यायमङ्गीकृत्येत्थमेवे'त्यादि (१२७-४), इदमुक्तं भवति-क्षेत्रस्यासंख्येयप्रदेशात्मकत्वाद् यदि द्रव्यमपि तदवगाढत्वादसङ्ख्येयभागैः परिकल्प्य क्षेत्रस्य प्राधान्यात्तदनुवृत्त्या वृद्धि नीयते तदा क्षेत्रवद्र्व्यस्यापि चतुर्विधैव वृद्धि: स्यात्, यदा तु क्षेत्रनिरपेक्षमेवावधिज्ञानविषयतया स्वतन्त्रं द्रव्यं चिन्त्यते तदा तस्य द्विविधैव वृद्धिः, ननु तथाऽपि पर्यायवद्र्व्यस्यापि षड्विधा वृद्धिः कस्मान्न भवति? आनन्त्यस्योभयत्रापि समानत्वात्, अत्रोच्यते, पर्यायाणां ह्यपरक्षेत्रादिवृद्ध्यभावेऽप्यवस्थित एव क्षेत्रादावसङ्ख्येयभागादिवृद्धिः संभाव्यते, द्रव्यस्य त्ववस्थितक्षेत्रेऽनन्तभागलक्षणैव वृद्धिर्लभ्यते, यदा त्वधिक विशुद्ध्यमानको भवति तदा क्षेत्रमपि वर्द्धते, तस्मिंश्च वर्द्धमाने शेषवृद्धिस्थानान्युल्लच्यानन्तगुणैव द्रव्यवृद्धिर्भवतीत्येवं तावत्संभाव्यते, तत्त्वं तु केवलिनो विदन्तीति, 'पुद्गलानुवृत्त्या च तत्पर्याया'इति, (१२७-५) अयमत्रार्थ:-पुद्गलास्तिकायस्य विद्यत एवेदं स्वरूपं, यदुत द्रव्यस्यानन्तभागादिवृद्धौ पर्यायाणामपि तावत्येवासौ भवति, पर्यायानन्तस्य सर्वद्रव्येषु समानत्वात् किन्तु यदाऽवधेविषयतया पर्यायाश्चिन्त्यन्ते तदाऽवध्यावरणक्षयोपशमापेक्षैव तद्वृद्धिर्न द्रव्यवृद्ध्यपेक्षेति, अतो अस्य क्षेत्रादेर्यथैव चातुर्विध्यादिक्रमेणं वृद्धि निर्वा प्रोक्ता तस्य तथैव युक्ता, कुतः? इत्याह–'प्रतिनियतविषयत्वादिति' (१२८-१), प्रतिनियतो ह्यवधिविषयतया चिन्त्यमानयोः क्षेत्रादिवृद्धिहान्योविषयः, तद्यथा-'वुड्डी वा हाणी वा चउव्विहे'त्यादि. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ર લ મલધારી હેમચન્દ્ર સૂરિકૃત ટીપ્પણક (ભાગ-૧) नन्वेतदप्यवधिविषयतया चिन्त्यमानयोर्वृद्धिहान्योः प्रतिनियतविषयत्वं कुतः ? इत्याह-'विचित्रे'त्यादि, अवधेर्निबन्धनं क्षयोपशमः स च विचित्रोऽतस्तद्वशाज्जायमाने वृद्धिहानी उक्तक्रमेणैव भवत इत्यलं प्रसङ्गेनेति। 'लोचनद्वयोपयोगवदि'त्यत्र (१२८-७) सप्तम्यन्ताद्वतिः, यथा किल लोचनद्वयस्याप्युपयोगे-व्यापारे सति जीवस्यैकदा एक एवोपयोगः एवमनेकस्पर्द्धकव्यापारेऽप्येक एवास्योपयोग इति, यदिवा यः प्रकाशमयस्तस्यैकस्मिन्नप्यर्थे प्रकाशकत्वेन व्याप्रियमाणस्य सर्वात्मना व्यापारो न देशतः, यथा प्रदीपस्य, जीवोऽपि ज्ञानप्रकाशेन प्रकाशवान् ततोऽस्यापि सर्वस्पर्द्धकैरेकोपयोगतया सर्वात्मना व्यापार इति. एतदेवाह'प्रकाशमये'त्यादि, उक्तार्थमेव, नवरं प्रदीपस्योपयोगो-व्यापारः स इव-तद्वत्, प्रदीपस्य हि प्रकाशने व्याप्रियमाणस्य प्रत्यर्थं सर्वात्मना व्यापार: न देशतः, एवं जीवस्यापीति भावः । क्षेत्रद्वारे संखेज्जमसंखेज्जा' गाहा (१३५-५), अत्रायं तात्पर्यार्थः-यस्तावदसम्बद्धोऽवधिर्भवति स 'पुरुषाबाधया हेतुभूतया' (१३६-१), अवधिपुरुषयोर्यदन्तरालं तेन हेतुभूतेनासम्बद्धोऽवधिर्भवतीत्यर्थः, स चावधिः सख्येयक्षेत्रविषयोऽसङ्ख्येयक्षेत्रविषयो वा भवति, यदिवा पुरुषाबाधया 'सहे'ति सहार्थे तृतीया, कोऽर्थः ? -पुरुषावध्योरन्तरालं सङ्ख्येयमसङ्ख्येयं च भवति अवधिश्च सङ्ख्येयोऽसङ्ख्येयश्च भवतीति, एतदेवाह'इदानीमबाधया चिन्तयत'इत्यादि (१३६-३), शेषं सुगम यावज्ज्ञानपञ्चकसमाप्तिः, नवरं 'केवलनाणेणऽत्थे' इत्यादिगाथां विवृण्वता पर्यन्ते यदुक्तं वाग्योगश्रुतं द्रव्यश्रुतमेव'(१४७-७) भवतीति तदनन्तरव्याख्यातपाठान्तरेण सह न योजनीयं, किन्तु प्रागेव, तत्र किल पूर्वं श्रुतशब्दं पृथकृत्यैत्दुक्तं 'स शब्दराशिः प्रोच्यमानस्तस्य भगवतो वाग्योग एव भवति', साम्प्रतं तु समस्तं श्रुतशब्दं कृत्वा निर्देशस्तद्वायोगश्रुतं शेषं भवति-द्रव्यश्रुतमेव भवतीत्यर्थः ।। ज्ञानपञ्चकविवरणं समाप्तमिति ॥ ___'अपगतव्रतातिचारेतरोपचितकर्मविशरणार्थं 'मिति (१५७-४), अनन्तराभिहितपञ्चविधावश्यकानुष्ठानेनापगता ये व्रतानामतिचारास्तेभ्यो ये इतरे-सामायिकादिकायोत्सर्गान्तपञ्चविधावश्यकादशुद्धास्तैरुपचितं यत्कर्म तद्विशरणार्थमनशनादिगुणसन्धारणा प्रत्याख्यानस्याधिकारः, इदमुक्तं भवतिइह केचिदतिचारा मन्दसङ्क्लेशजनिताः कायोत्सर्गावसानावश्यकानुष्ठानतोऽपि निवर्तन्ते, अपरे त्वधिकतरसङ्क्लेशनिवांस्तप:शोध्या भवन्ति, तैर्यदुपचितं कर्म तन्निर्जरणार्थमनशनादि-गुणप्रतिपत्तिरधिकारः षष्ठावश्यकस्येति । 'निवपुच्छिएण भणिओ'इत्यादि (१६५-२) गाथार्थः कथानकादवसेयः, तच्चेदम्इह कस्यचिद्राज्ञः सूरेश्च जल्पोऽभूत्-एकेनोक्तं-राजपुत्रा विनीता भवन्ति, अपरेण तूक्तं-संयताः, तत्र द्वयोरपि परीक्षणार्थं प्रथमं तावद्राजपुत्रो गङ्गा किमभिमुखी वहतीति निरीक्षणार्थं प्रेषितः, तेन चोक्तं-किमत्र निरीक्षणीयं?, पूर्वाभिमुखी वहत्यसाविति प्रतीतमेवेदं, महात कष्टेन प्रेषितोऽप्यपान्तरालादागत्यावोचतत्गतोऽहं दृष्टा पूर्वाभिमुखी वहतीति । साधुः प्रेषितः, स चाचिन्तयत्-गुरवोऽपि पूर्वाभिमुखी वहत्यसाविति जानन्त्येव, केवलमिह कारणेन भाव्यमिति विचिन्त्य जानन्नपि तमर्थं गतो गङ्गायां, स्वत: परतश्च विशेषतो निश्चित्य गुरवे न्यवेदयत्पूर्वाभिमुखी वहति, तत्त्वं तु गुरवो विदन्तीति, व्योरपि च चेष्टा प्रच्छन्नपुरुषैराज्ञे निवेदिता, प्रतिपन्नं चानेनसाधूनामनुत्तरो विनय इति, तदपरेणापि मुमुक्षुणा तत्साधुवदाचरणीयमिति । 'इदं च निरुक्तिद्वारे सूत्रस्पर्शिकनिर्युक्तौ'चेत्यादि (१७०-५) तत्र 'उद्देसे निद्देसे अ निग्गमे इत्यादि यद्वारगाथाद्वयं भणिष्यति Page #386 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૨ ૩૬૩ तद्वितीयगाथान्ते 'भवागरिसफासणनिरुत्ती'त्यनेनोपात्तं निरुक्तिद्वारं अध्यवसानपर्यन्तवत्तिन्या 'सामाइअं संमइअं सम्मावाओ' इत्यादिगाथया व्याख्यास्यते, अत्र तावन्निरुक्तिद्वारायतं सामायिकं व्याख्यातं, तथा 'नंदिमणुओगदारं' इत्यादिना च भणिष्यमाणसूत्रस्पर्शिकनियुक्तौ 'सामं समं च सम्मं इगमिति सामाइअस्स एगट्ठा' इत्यादिगाथायं च सामायिकव्याख्या करिष्यत इति भावः, शेषं प्रकटार्थमिति । 'सुखावतार'मित्यादि (१७५-६), सुखावतारं सुखोत्तारं सरजस्कदर्शनमिति संटङ्कः, कथं ?, तत्र कष्टानुष्ठाननियमस्य कस्यचिदभावाद्यथाकथंचिद्रूपतयाऽपि व्रतपरिपालनस्य तैरभिधानात् सुखेनैव तद्दीक्षां प्राणिनः प्रतिपद्यन्त इति सुखावतारता, तथा न तेषां दर्शने तथाविधवासकस्वभावा काचिन्निपुणा युक्तिरस्ति यद्वासितान्तरात्मा पुमाँस्तद्दीक्षां न परित्यजेत्, किञ्च- "शैवो द्वादश वर्षाणि, व्रतं कृत्वा ततः परम् । यद्यशक्तस्त्यजेतापि, यागं कृत्वा व्रतेश्वरम् ॥१॥" इति दीक्षात्यागस्य निर्दोषतयाऽप्यभिधानात्सुखोत्तरत्तेति १ सुखावतारं दुरुत्तारं शाक्यानां, तत्र 'मृद्वी शय्या प्रातरुत्थाय पेया, भक्तं मध्ये पानकं चापराह्ने । द्राक्षाखण्डं शर्करा चार्द्धरात्रे, मोक्षश्चान्ते शाक्यपुत्रेण दृष्टः ॥१॥' इत्यभिधानात्, तथा 'मणुन्नं भोअणं भोच्चे'त्याद्यभिधानाच्च सुखावतारता, तथा वासकनिपुणयुक्तिसद्भावाव्रतत्यागे च महतः संसारदण्डादेः प्रतिपादनाद्दुरुत्तारतेति २, तृतीयं वोटिकानां, तत्र नाग्न्यादिकष्टस्य दुरध्यवसेयत्वाद्दुःखावतारता नाग्न्यप्रतिष्ठापकतथाविधनिपुणयुक्त्यभावात् सुखोत्तारतेति ३, चतुर्थं साधूनां, तत्र दु:खावतारता वोटिकवद् दुरुत्तारता शाक्यवद्भावनीयेति ४ । अन्ये तु सुखोत्तारतां दुरुत्तारतां वा सर्वत्र मोक्षमाश्रित्य व्याचक्षते, तत्र सरजस्कानां स्वल्पेनैव किलेश्वरोक्तानुष्ठानेन मुक्ति प्राप्त्यभ्युपगमात्सुखोत्तारं सुखेनास्मात्संसारजलधिमुत्तरन्तीति व्युत्पत्तेरिति, शाक्यानां तु दुरवापविशिष्टध्यानमार्गाद् योगिज्ञानोत्पत्त्यादिक्रमेण मुक्त्यभ्युपगमाद्दुरुत्तारता दुःखेनास्मात्संसारमुत्तरन्तीतिकृत्वा, बोटिकानां तु भिक्षाशुद्ध्यादीनां गौणत्वेनाभ्युपगमान्नाग्न्यलक्षण-निर्ग्रन्थतामात्रादेव मुक्त्यभ्युपगमात्सुखोत्तारता, साधूनां तु दुरुत्तारता शाक्यवद्भावनीयेति, अवतारपक्षे तु सर्वत्र भावना पूर्वोक्तैवेति। 'द्रव्यभावतीर्थ 'मिति (१७५-७), तैरप्युक्तक्रमेण चतुष्प्रकारं नद्यादेव्यतीर्थमात्मात्मीयं तु दर्शनं भावतीर्थमिष्यते इति भावः ॥ 'ते वंदिऊण सिरसा इत्यादि गाथां विवृण्वता वृत्तिकृता-किं ?-नियुक्ति कीर्तयिष्ये, इत्यस्मादनन्तरं 'कस्ये'ति (१८१-१) षष्ठ्यन्तं यत्पदं निरदेशि तस्य पर्यन्तेऽभिधास्यमानेन श्रुतज्ञानस्येत्यनेन पदेन सह सम्बन्धो, न पुनरनन्तरनिर्दिष्टेन अर्थपृथक्त्वस्येत्यनेन सह, तस्य विशेषणत्वाच्छृतज्ञानस्यैवात्र विशेष्यत्वात्, श्रुतज्ञानस्य नियुक्ति कीर्त्तयिष्ये इत्यर्थः, भगवत इत्येतद्विशेषणं किमित्याह-स्वरूपाभिधानमेवे'ति तद्वतां समग्रैश्वर्यादिगुणकलापोपेतत्वेन भगवत्त्वाच्छ्रुतमपि भगवदिति श्रुतज्ञानस्य स्वरूपमनेन विशेषणेनाभिधीयत इत्यर्थः । 'अल्लेस्सेहिं वन्नेहिं चित्तिउत्ति (१८६-८), वज्रलेपादिकुद्रव्यप्रक्षेपरहितैर्वर्णकैश्चित्रित इत्यर्थः । एतेषां च मध्यभागं क्षपयन्नेताः सप्तदश प्रकृती'रित्यादि (२४९-६), इह कर्मग्रन्थेष्वत्रान्तरे षोडशैव प्रकृतयः क्षप्यमाणत्वेनाभ्युपगम्यन्ते न सप्तदश, यतस्तन्मतेनापर्याप्तनामकर्मेह न क्षप्यते, किन्त्वयोगीद्विसप्ततिकर्मप्रकृतिकदम्बकमध्ये तत्क्षपयति, तस्मान्मतान्तरत्वेने ह सप्तदशानामुपन्यासो न विरुध्यत इति । 'समचउरंसे नग्गोह मंडले' इत्यादिगाथानिर्दिष्टानामेव संस्थानानां स्वरूपव्याचिख्यासया प्राह–'तुल्लं वित्थडबहुलं'गाहा (२५२-७), Page #387 -------------------------------------------------------------------------- ________________ 3६४ * भारी उभयन्द्र सूरित टी५५15 (भाग-१) तत्र नाभेरधस्तादूर्ध्वं च सर्वत्र शास्त्रोक्तसमस्तशरीरलक्षणाविसंवादित्वात्समचतुरस्रं तुल्यमुच्यते, तद्धि किलैवं व्युत्पाद्यते-समाः-शरीरलक्षणोक्तप्रमाणाविसंवादिन्यश्चतस्रोऽस्रयो यस्य तत्समचतुरस्रं, 'सुप्रातसुश्वसुदिवशारिकुक्षचतुरश्रेणीपंदाजपदप्रोष्ठपदादि' (पा-५-४-१२०) त्यकार: समासान्तः, अस्रयस्त्विह चतुर्दिग्विभागोपलक्षिताः शरीरावयवाः, ततश्च सर्वे ऽप्यवयवाः शरीरलक्षणोक्तप्रमाणाविसंवादिनो यस्य न न्यूनाधिकप्रमाणा इति तत्तुल्यं भवत्येव १, तथा न्यग्रोधवत्परिमण्डलं, यथा न्यग्रोध उपरि सम्पूर्णावयवो भवति अधस्तु न तथा, तथेदमप्यत एवाह-'वित्थडबहुलं'ति, नाभेरुपरि विस्तरबहुलं शरीरलक्षणोक्तप्रमाणभाक् अधस्तु हीनाधिकप्रमाणमिति भावः २, तृतीयं सादि कथम्भूतं भवतीत्याह-'उस्सेहबहुं'ति, उत्सेधशब्देन नाभेरधस्तनदेहभागो गृह्यते, उत्सेधेन बहुपरिपूर्ण नाभेरधस्तनदेहभागे शरीरलक्षणोक्तप्रमाणभाग् भवतीत्यर्थः, अत एव तत्सादीत्यभिधीयते, सह आदिनाउत्सेधाख्यनाभेरधस्तनकायेन वर्त्तत इति सादि, सर्वमेव हि शरीरमभिहितस्वरूपेणादिना सह वर्तत एवेति विशेषणान्यथानुपपत्तेरादिरिह वैशिष्ट्योपेतो लभ्यते ३, वामनं तु मडभकोष्ठं, अत्र किल पाणिपादशिरोग्रीवं शरीरलक्षणोक्तप्रमाणयुक्तं भवति, शेषं तु हृदयोदरपृष्ठरूपं कोष्ठं हीनाधिक-प्रमाणत्वान्मडभमितिकृत्वा मडभकोष्ठमिदमुच्यते ४, कुब्जं त्वधस्तनकायमडभं, अधस्तनकायशब्देन चेह करचरणोरुग्रीवाशिरःप्रभृतयोऽवयवा गृह्यन्ते, 'उस्सेहमहोकाओ करचरणाई य हिट्ठिल्लो' इतिवचनात्, ते चात्र मडभाःहीनाधिकप्रमाणोपेता यथोक्तलक्षणविसंवादिनो भवन्तीत्यधस्तनकायमडभमिदमुच्यते, कोष्ठस्यात्र विशिष्टप्रमाणलक्षणोपेतत्वादिति ५, 'हुण्डं तु सर्वत्रासंस्थितं' सर्वशरीरावयवानां प्रायस्तत्र यथोक्तप्रमाणलक्षणविसंवादित्वादिति गाथार्थः । वचनानुयोगं व्याख्यानयता यदुक्तं षोडशानां वे'ति (२६३४), तत्रायमर्थः-एकवचनादिस्वरूपाविर्भावकं व्याख्यानं वचनानुयोगोऽभिधीयते, षोडशवचनस्वरूपाविर्भावकं वा, कानि पुनस्तानि षोडश वचनानीति चेद्, उच्यते, 'लिंगतियं वयणतियं कालतियं तह परोक्खपच्चक्खं । उवणयवणयचउद्धा अब्भत्थं होइ सोलसमं ॥१॥ व्याख्या-इयं स्त्री अयं पुरुषः इदं कलमिति त्रीणि लिङ्गप्रधानानि वचनानि-लिङ्गवचनानि. एको द्वौ बहव इत्येकत्वाद्य-भिधायकशब्दसन्दर्भो वचनत्रिकं. अकरोत्करोति करिष्यतीत्यतीतादिकालनिर्देशप्रधानं वचनं 'कालतियंति कालत्रिकवचनमित्यर्थः, तथा स इति परोक्षनिर्देश: परोक्षवचनं, अयमिति प्रत्यक्षनिर्देशः प्रत्यक्षवचनं, उपनयापनयवचनं तु चतुर्की भवति, तद्यथा-रूपवती स्त्री सुशीला चेति उपनयनोपनयवचनं, रूपवती स्त्री परं कुशीलेत्युपनयापनयवचनं, कुरुपा परं सुशीलेत्यपनयोपनयवचनं, कुरूपा कुशीला चेत्यपनयापनयवचनं, यत्रान्यच्चेतसि निधाय विप्रतारकबुद्ध्याऽन्यन्न वक्ति, किन्तु तद्यथा विवक्षितं तत्तथैव मनःशुद्ध्या न्बवीति तत् षोडशमध्यात्मवचनमित्येतेषां षोडशानां वचनविशेषाणां स्वरूपाविर्भावकं व्याख्यानं वचनानुयोग इति गाथार्थः । 'पंचहिं ठाणेहिं सुयं वाइज्जे'त्यादि (२६४-१), यद्याचार्यः शिष्यान् श्रुतं न ग्राहयति तदा तं परित्यज्य श्रुतार्थिनस्तेऽन्यत्र गच्छेयुरिति कथं नु नाम मयैते शिष्याः सङ्ग्रहीता भविष्यन्तीति बुद्ध्या श्रुतं वाचयति, उपग्रहार्थं वा-तेषामेव शिष्याणामनुग्रहार्थमित्यर्थः स्वकर्मनिर्जरणार्थं च, तथा श्रुतपर्यवजातेन हेतुभूतेन वाचयेत् शिष्यान्, श्रुतं वाचयतः श्रुतपर्यवजातं-श्रुतपर्यायराशिर्मम वृद्धिं यास्यति, शिष्यान् वाचयतो Page #388 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૩૬૫ ममापि श्रुतं निर्मलं भविष्यतीति कृतबुद्धिर्वा श्रुतं वाचयेदित्यर्थः । 'दव्वे नियमा भावो गाहा (२६४(७), व्याख्या -' द्रव्ये' इति द्रव्यविषयेऽनुयोगे नियमाद्भावो निश्चयेन भावानुयोगोऽस्ति, तदव्याख्याने द्रव्यस्य व्याख्यातुमशक्यत्वादिति, ‘न विणा ते यावि खेत्तकालेहिं 'ति तावपि - द्रव्यभावानुयोगौ क्षेत्रकालानुयोगाभ्यां विना न भवतः, तद्विशिष्टत्वात्तयो:, तथाहि - पर्यायाधारं द्रव्यं व्याख्यानयन्नवश्यमेव क्वचिदवगाढं व्याचष्टे स्थितिमच्चेति तथा क्षेत्रानुयोगे क्रियमाणे त्रयाणामपि द्रव्यकालभावानुयोगानां भजना-कदाचित्सन्ति कदाचिन्नेति, अलोकलक्षणे हि क्षेत्रे विचार्यमाणए तत्र परमाण्वादिद्रव्यस्याभावादाकाशद्रव्यस्य च क्षेत्रद्वारेणैव गृहीतत्वाद्द्रव्यानुयोगाभाव:, समयादिरूपकालस्य च तत्राभावात्कालानुयोगाभावः, अगुरुलघ्वादिक्षेत्रपर्यायाणाम-विवक्षितत्वात्क्षेत्रग्रहणेनैव च तेषां गृहीतत्वाद्भावानुयोगाभावोऽपि भावनीय इत्यलोकक्षेत्रे त्रयोऽप्यनुयोगा न विद्यन्ते, लोके तु समयक्षेत्रादौ सन्तीति भजना । तथा त्रिष्वपि - द्रव्यक्षेत्रभावेषु कालानुयोगो भजनीयः, समयादिलक्षणो हि कालः समयक्षेत्रान्तर्वर्त्तिद्रव्यादिष्वस्ति बहिर्वर्त्तिषु तु नास्तीति भजना, ननु यद्येवं 'न विणा ते यावि खेत्तकालेहिं' इत्यत्र कालमन्तरेण द्रव्यभावौ न भवत इति यदुक्तं तद्विरुध्यते. समयक्षेत्राद्बहिस्तमन्तरेणापि तयोः सुलभत्वात्, सत्यं, किन्तु पूर्वं वर्त्तनारूपस्यैव कालस्य विवक्षितत्वात्तस्य सर्व्वव्यापित्वाद्, अत्र तु समयक्षेत्रनियतसमयादिरूपस्यैव कालस्य विवक्षितत्वाददोषो, विशेषार्थिना तु भाष्यविवरणमन्वेषणीयमिति गाथार्थः || 'अत्थाणत्थनिउत्ता' गाहा (२९१-७), अस्थाने-अनौचित्येनार्थेषुप्रयोजनेष्वर्थान्-सूत्रार्थरूपान्नियुंक्ते अस्थानार्थनियोक्ता गुरुर्न भवतीति योगो, विधिना प्रतिपादिते वा अर्थे गुरुभिव्विपरीतार्थनियोक्ता शिव्यो न भवति, केव केषां ? - विपरीतनियोक्त्री आभरणानां जीर्ण श्रेष्ठिदुहितेवेति गाथार्थ: । ' अंबत्तणेण जीहाऍ' गाहा (३००-३), इह किल हंसस्य जिह्वा अम्ला भवति, ततश्चासौ यदा दुग्धमिश्रोदकमध्ये चञ्चपुटं क्षिपति तदा तज्जिह्वाया अम्लत्वगुणेन दुग्धे वित्रुडिते 'कूइया होति'त्ति दुग्धवराटिका भवन्तीत्यर्थः, ततो हंसो जलं मुक्त्वा वराटिकाभिः स्थितं दुग्धमापिबति एवं सुशिष्योऽपि दोषान्मुक्त्वा गुणान् गृह्णातीति गाथार्थ: । ' एवं सामायिकमर्थरूपं रूढितो नपुंसक' मिति (३१४ - १ ), समतालक्षणो · ह्यर्थः किल पुंल्लिङ्गः, स च रूढिवशाल्लोके नपुंसकत्वेन प्रतीत इति समतालक्षणमर्थरूपं निर्द्देश्यमाश्रित्य ९. यद्यपि पूज्यैरेव स्वयं विशेषावश्यकं विवृण्वद्भिरेषा गाथाऽनुयोगविषयाणां द्रव्यादीनां परस्परसमावेशार्थकतया पश्चाद् व्याख्याता अत्र चानुयोगसमावेशकतया, तथाऽपि न कथञ्चनापि हार्दमुद्भावितं नीयते तत एवमुक्तौ न काञ्चिद्धानि पश्यामः यदुत द्रव्यस्य गुणपर्यायवत्त्वात् केवलस्य द्रव्यस्याभावात् यदा यदा द्रव्यानुयोगः क्रियते तदाऽवश्यं भावानुयोगः कर्त्तव्यतामापनीपद्यते एव, तथा च द्रव्यानुयोगे क्रियमाणे नियमत एव भावानुयोगस्य कृति:, तथा भावो न द्रव्याश्रयमन्तरा द्रव्यं च न क्षेत्रमाधारमवस्थितिलक्षणं च कालं व्यतिरिच्येति द्रव्ये भावे च व्याख्यायमाने अवश्यमेव तद्व्याख्यासंपूर्णतायै क्षेत्रकालव्याख्यानकृतिरिति न तौ क्षेत्रकालाभ्यां विना व्याख्येयाविति न क्षेत्रकालाभ्यां विना द्रव्यभावयोर्व्याख्यानं, यदा च आधारभूतमाकाशरूपं केवलं क्षेत्रं व्याख्यायते तदा आधेयतद्गुणादिस्थितिरूपाणां द्रव्यादीनां व्याख्यानं नातीवोपयुक्तं न चाविनाभूतमिति भजना, तथा वर्तनारूपे काले स्वतन्त्रतया व्याख्यायमाने न द्रव्यभावक्षेत्रानुयोगानामुपयुक्ततेति 'काले भयणाए तीसुंपि' द्रव्याद्यनुयोगविषयिण्या सत्तेतररूपभजनया कालानुयोगः स्यादिति । Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ મલધારી હેમચન્દ્ર સૂરિષ્કૃત ટીપ્પણક (ભાગ-૧) नैगमनयः सामायिकस्य नपुंसकनिर्देशमिच्छति, यदिवा निर्देश्यमेवाश्रित्यैतन्मतेन सामायिकस्य प्रकारान्तरेण लिङ्गत्रयनिर्देशोऽपि घटत इति दर्शयितुमाह - ' तथा सामायिकवतः स्त्रीपुंनपुंसके 'त्यादि ( ३१४-२), तदेवं निर्देश्यवशात् केवलो नपुंसकनिर्देश एव लिङ्गत्रयनिर्देशोऽपि चेति दर्शितं, साम्प्रतं निर्देशकवशात्रिलिङ्गतां दर्शयितुमाह——तथा निर्देष्टु'रित्यादि ( ३१४-४), सुगमम्, 'यदा पुमान् पुमाँसं स्त्रियं चाहेत्यादि (३१६२), इदमुक्तं भवति - ननु पुंसः पुमांसं निर्दिशतः पुंनिर्देशः स्त्रियं निर्दिशतस्तदुपयोगानन्यत्वात्स्त्रीनिर्देशो नपुंसकमभिदधतस्तदुपयोगानन्यत्वादेव नपुंसकनिर्देश इति प्रत्येकवस्त्वभिधाने शब्दनयमतमवगन्तव्यं, यदा त्वसमानलिङ्गे द्वे वस्तुनी पुमान् निर्द्दिशति तदा किं भवतीत्यभिदधानं शिष्यमाशङ्क्य सूरिराह‘असमानलिङ्गनिर्देशस्त्ववस्त्वेवे 'ति, असमानं लिङ्गं ययोः स्त्रीपुरुषयोस्तयोरेककालमेकेन वक्त्रा योऽसौ निर्देशः सोऽवस्त्वेव, तमेव निर्देशं दर्शयति-'यदा पुमानि' त्यादि ननु कथमस्य निर्देशस्यावस्तुत्वमित्याह'तस्य पुरुषयोषिदित्यादि ( ३१६-३), तस्य - वक्तुः पुंसः पुरुषयोषिदापत्तेरिति सम्बन्ध:, केन ? - 'पुरुषयोषिद्विज्ञानोपयोगे त्यादि, इदमुक्तं भवति - पुरुषविज्ञानोपयोगस्य योषिद्विज्ञानोपयोगस्य च परस्परं भेदोऽभेदो वा ?, यदि भेदस्तदा वक्तुः परस्परविभिन्नपुरुषयोषिद्रूपतापत्तिः, तदुपयोगानन्यत्वाद्, अथाभेदोऽत्रापि तत एव हेतोर्वक्तुः परस्परं सङ्कीर्णशबलरूपपुरुषयोषि द्रूपतापत्तिरेवेति पुरुषयोषिद्विज्ञानोपयोगयोः परस्परं भेदेऽभेदे वा वक्तुः पुरुषयोषिदापत्तिरेवेति भावनीयमिति । ननु वक्तुः सम्बन्धिन उपयोगस्य पुरुषयोषिद्रूपताऽस्तु, वक्तुस्तु कथं ? तस्योपयोगाद्भिन्नत्वादित्याशङ्क्याह-' अन्यथा वस्त्वभावप्रसङ्गादिति (३१६-३), इदमत्र हृदयं—इह वक्ता तावदजीवत्वेन भवद्भिरपि नाभ्युपगम्यते, जीवस्तूपयोगलक्षणो भवति, ततश्चायं वक्ता जीवोऽपि न भवेद्, उपयोगाद्भिन्नत्वाद्, उपलशकलवत्, न च जीवाजीवव्यतिरेकेण वस्त्वन्तरमस्ति, ततश्च वक्तृलक्षणवस्त्वभाव एव स्यात्, तस्मात्पुरुषयोषिद्विज्ञानोपयोगाद्वक्ताऽभिन्न एवाभ्युपगन्तव्यः, तदभ्युपगमे च वक्तुरनिवारितैव पुरुषयोषिद्रूपतापत्तिरिति तात्पर्यार्थः || 'अरिहंत सिद्धपवयण' इत्यादि (३४६-१) गाथाविवरणे 'एएसि’ति पदं व्याख्यानयन्नाह - 'एतेषामर्हदादीना 'मिति (३४७ - १४), ननु कथं सर्वेऽर्हदादयः षष्ठ्यन्ततया सम्बन्ध्यन्ते "बहुस्सुए तवस्सीसु" इत्यत्र हि सप्तमी दृश्यत इत्याशङ्क्याह- 'प्राक् षष्ठ्यर्थे सप्तमी 'त्यादि (३४७-१४)। ॥ इति म. हेमचन्द्रसूरिकृतटीप्पणकस्य प्रथमो विभागः समाप्तः ॥ ॐ Page #390 -------------------------------------------------------------------------- ________________ 'आवश्यकं' इति कः शब्दार्थः ? अवश्यं कर्तव्यमावश्यकं, अथवा गुणानामावश्यमात्मानं करोतीत्यावश्यकं अथवा गुणशून्यमात्मानमावासयति गुणैरित्यावासक गुणसान्निध्यमात्मनः करोतीति भावार्थः /