________________
૫૦
આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
तुशब्दो विशेषणार्थः, किं विशिनष्टि ? – ૧ સર્વનૈવ વૃજ્ઞાતિ, વિન્તુ તત્વરિળામે સતિ, ∞િ ?गृह्यत इति ग्रहणं, ग्रहणमिति " कृत्यल्युटो बहुलं " ( पा०३ -३ - ११३ ) इतिवचनात्कर्मकारकं, શદ્વદ્રવ્યનિવજ્ઞમિત્યર્થ:, ‘તતો’ ગૃહ્રીત્વા ‘માષતે' વૃત્તિ, ભાષત કૃતિ ભાષા: યિાઽવિષ્ટ જ્ઞત્યર્થ:, अनेन निष्क्रियात्मवादव्यवच्छेदमाह, सति तस्मिन्निष्क्रियत्वात् अप्रच्युतानुत्पन्नस्थिरैक5. રૂપાષામાવપ્રસŞ:, જામ્ ? – માયત કૃતિ ભાષા તાં ભાષાં । આવતતો માષતે ભાષ’ इत्यनेनैव गतार्थत्वाद्भाषाग्रहणमतिरिच्यते इति, न, अभिप्रायापरिज्ञानात्, इह भाष्यमाणैव भाषोच्यते, न पूर्वं नापि पश्चाद्, इत्यस्यार्थस्य ख्यापनाय भाषाग्रहणमदुष्टमेवेति गाथार्थः॥८॥
यदुक्तं- 'त्रिविधे शरीरे' इत्यादि, तत्र न ज्ञायते कतमत् त्रैविध्यमिति, अतस्तदभिधातु
काम आह
10 કરે છે. મૂલગાથામાં “તુ” શબ્દ વિશેષ અર્થને જણાવવા માટે છે તે વિશેષાર્થ એ છે કે જીવ હંમેશા (શબ્દદ્રવ્યોને) ગ્રહણ કરતો નથી પણ જ્યારે બોલવા માટેની ક્રિયામાં પરિણત થાય ત્યારે ગ્રહણ કરે છે.
શું ગ્રહણ કરે છે ? તે કહે છે – (મૂલગાથામાં રહેલ “ગ્રહણ” શબ્દનો અર્થ કરે છે કે) જે ગ્રહણ કરાય તે ગ્રહણ.’’ અહીં ‘ત્વત્યુટો વઠ્ઠાં' (પા॰રૂ-રૂ-૬૬૩) સૂત્રથી પ્રð ધાતુને કર્મના 15 અર્થમાં “ટ્યુટ” પ્રત્યય લાગ્યો હોવાથી “ગ્રહણ” શબ્દથી કર્મ લેવું. તેથી અર્થ આ પ્રમાણે કે શબ્દદ્રવ્યોના સમૂહને ગ્રહણ કરે છે.
તે દ્રવ્યોને ગ્રહણ કરી ભાષક વ્યક્તિ (ભાષાને) બોલે છે. અહીં “ભાષક’ શબ્દના ‘ક્રિયાથી યુક્ત આત્મા’’ એવો અર્થ કરતા જે (સાંખ્ય) લોકો આત્માને નિષ્ક્રિય માને છે તેનું ખંડન જાણવું, કારણ કે નિષ્ક્રિય એટલે નાશ નહીં પામેલ, ઉત્પન્ન નહીં થયેલ, સ્થિર, એક સ્વભાવવાળી વ્યક્તિ 20 અર્થાત્ ક્યારેય સ્વભાવ ન બદલાવો એનું નામ નિષ્ક્રિય, અને આત્મા તો મૌનરૂપ સ્વભાવને છોડી બોલવારૂપ સ્વભાવને સ્વીકારે છે. તેથી જો નિષ્ક્રિય માનવામાં આવે તો સ્થિર એકસ્વભાવવાળો થવાથી તે આત્મામાં બોલવાની ક્રિયાનો અભાવ થવાનો પ્રસંગ આવે જે ઘટતો નથી. તેથી આત્મા નિષ્ક્રિય નથી.
શંકા : “તતો માષતે માપજો ભાષાન્’” અર્થાત્ ‘માષતે’” ધાતુમાં જ “ભાષા” શબ્દનો અર્થ 25 આવી જાય છે તેથી મૂલગાથામાં ‘“મસં” શબ્દ જે જુદો ગ્રહણ કર્યો છે તે નિરર્થક લાગે છે. (માત્ર માષતે કહે તો ચાલે)
સમાધાન : ના, અહીં જે બોલાય છે તે જ ભાષા કહેવાય છે પણ તેનાથી પૂર્વે કે પછી ભાષા કહેવાતી નથી, (અર્થાત્ બોલતા પહેલા જે ભાષા વર્ગણાના પુદ્ગલો ગ્રહણ થાય છે. તે કે બોલ્યા પછી ક, ખ, ગ વગેરે પરિણામને પામેલા શબ્દદ્રવ્યો એ ભાષા કહેવાતી નથી.) આ અર્થને જણાવવા 30 ભાષા શબ્દનું સ્વતંત્ર ગ્રહણ કરાયેલું છે, જે અદુષ્ટ જ છે. ૮૫
અવતરણિકા : પૂર્વે કહ્યું કે “ત્રણ પ્રકારના શરીરમાં જીવપ્રદેશો હોય છે.’’ તે ત્રણ પ્રકારના શરીરો ક્યા છે તે જણાતું નથી. એથી તે ત્રૈવિધ્યને કહેવાનીઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે.