________________
10
વ્યાખ્યાનની વિધિ (નિ. ૧૩૬) ( ૨૮૫ ____ आह-चतुरनुयोगद्वारानधिकृतो व्याख्यानविधिः किमर्थं प्रतिपाद्यत इति, उच्यते, शिष्याचार्ययोः सुखश्रवणसुखव्याख्यानप्रवृत्त्या शास्त्रोपकारार्थः, अथवा अधिकृत एव वेदितव्यः, कुतः ?, अनुगमान्तर्भावात्, अन्तर्भावस्तु व्याख्याङ्गत्वात् इति । आह- यद्यसावनुगमाकं ततः किमित्ययं द्वारविधेः पूर्वं प्रतिपाद्यते ?, उच्यते, द्वारविधेरपि बहुवक्तव्यत्वात् मा भूदिहापि व्याख्याविधेविपर्ययः, अतोऽत्रैव आचार्यशिष्ययोर्गुणदोषाः प्रतिपाद्यन्ते, येन आचार्यो गुणवते शिष्यायानुयोगं करोति, 5 शिष्योऽपि गुणवदाचार्यसन्निधावेव शृणोतीति । आह-यद्येवं व्याख्यानविधिरनुगमाङ्गं इहावतार्योच्यते तत्कथं द्वारगाथायामप्येवं नोपन्यस्त इति, उच्यते, सूत्रव्याख्यानस्य गुरुत्वख्यापनार्थं, विशेषण
ટીકાર્થ : શંકા : ચાર અનુયોગદ્વારોમાં નહીં આવતી વ્યાખ્યાનવિધિ શા માટે પ્રતિપાદન કરો છો ? (અર્થાત અનુ. હારનો વિષય ચાલે છે, તેમાં વ્યાખ્યાનવિધિ તો છે નહીં, તો શા માટે કહો છો ?)
સમાધાન : શિષ્ય સુખેથી શ્રવણ કરી શકે, આચાર્ય સુખેથી વ્યાખ્યાનમાં પ્રવૃત્ત થઈ શકે, અને તેથી શાસ્ત્ર ઉપર ઉપકાર થાય તે માટે વ્યાખ્યાનવિધિ કહેવાય છે. અથવા ચાર અનુયોગદ્વારમાના ત્રીજા અનુગદ્વારમાં વ્યાખ્યાનવિધિનો સમાવેશ થતો હોવાથી તે વ્યાખ્યાનવિધિ પણ અધિકૃત પ્રસ્તુત) જાણવી. આ વ્યાખ્યાનવિધિ એ વ્યાખ્યાનનું અંગ હોવાથી અનુગમમાં તેનો સમાવેશ થાય છે. (અનુગમમાં વ્યાખ્યા કરવાની હોય છે, વ્યાખ્યા વિધિપૂર્વક જ કરવાની હોય છે. એટલે વ્યાખ્યાનવિધિ પણ વ્યાખ્યાનું અંગ છે જ.)
15 શંકા : જો વ્યાખ્યાનવિધિ એ અનુગમનું અંગ હોય તો, પછી દ્વારવિધિની પૂર્વે શા માટે કહેવાય છે ? (દ્વારવિધિ, ઉપોદ્ઘાતરૂપ છે જે અનુગામમાં આવતા નિયુક્તિદ્વારમાં આવે છે. જયારે વ્યાખ્યા તો સૂત્રાનુગમરૂપે પછીના દ્વારમાં થાય છે. તો તેને પહેલા કેમ કહો છો ?)
સમાધાન : લારવિધિમાં પણ ઘણું બધું કહેવાનું હોવાથી ત્યાં પણ વ્યાખ્યાનવિધિનો વિપર્યય ન થાય. (આશય એ છે કે જો વ્યાખ્યાનવિધિ ખબર ન હોય તો આગળ કહેવાતી દ્વારવિધિમાં 20 પણ વિપર્યય ઊભો થશે તે ન થાય માટે પ્રથમ વ્યાખ્યાનવિધિ બતાવે છે.) તેથી અહીં જ (લારવિધિ પૂર્વે જ) આચાર્ય-શિષ્યના ગુણ-દોષો પ્રતિપાદન કરાય છે. જેથી આચાર્ય ગુણવાનું શિષ્યને જ અનુયોગ કરે, અને શિષ્ય પણ ગુણવાનું આચાર્ય પાસે જ (સૂત્રાર્થ) સાંભળે. (જો આચાર્ય ગુણવિનાના શિષ્યને અનુયોગ કરે કે શિષ્ય પણ ગુણવિનાના આચાર્ય પાસે સાંભળે તો વ્યાખ્યાનની વિધિનો વિપર્યય થાય અને તેથી અનુયોગનો પણ વિપર્યય થાય, તે ન થાય માટે 25 પ્રથમ વ્યાખ્યાનવિધિ બતાવે છે.).
શંકા : જો આ પ્રમાણે અનુગામના અંગરૂપ વ્યાખ્યાનવિધિને અહીં (દ્વારવિધિ પહેલા) અવતારીને કહો છો તો તારગાથામાં પણ એજ પ્રમાણે (દ્વારવિધિ પહેલા) વ્યાખ્યાનવિધિનો ઉપન્યાસ શા માટે ન કર્યો ? અનુયોગ પૂર્વે કેમ કર્યો ?
સમાધાન ઃ સૂત્રવ્યાખ્યાનનું ગૌરવ દેખાડવા માટે એ પ્રમાણે ઉપન્યાસ કર્યો નથી, અર્થાત્ 30 સૂત્રવ્યાખ્યાન અતિમહત્ત્વનું છે તેથી સૂત્રની વ્યાખ્યામાં આચાર્ય કે શિષ્ય વિશેષથી ગુણવાનું જ