________________
મંગલવાદ
"कालुष्योपहतचेतसः सत्त्वस्य न भवतीति, एवं शास्त्रमपीतिभावार्थ: । आह-यद्येवममङ्गलमर्पि मङ्गलबुद्धेः प्राणिनो मङ्गलकार्यकृत्प्राप्नोतीति, अनिष्टं चैतदिति, ન, तस्य स्वरूपेणैवामङ्गलत्वात्, `मङ्गलस्य च स्वबुद्धिसापेक्षस्य स्वकार्याभिनिवर्त्तकत्वादिति, तथाहि-यदि कश्चित्काञ्चनमेव काञ्चनतयाऽभिगृह्य प्रवर्त्तते ततस्तत्फलमासादयति, न पुनरकाञ्चनं सत्काञ्चनबुद्धयाँ, नाप्यतद्बुद्धयेति । मङ्गलत्रयापान्तरालद्वयमित्थैममङ्गलमापद्यत इति चेत्, न, 5 કાલુષ્યથી હણાયેલ ચિત્તવાળા જીવને કાર્યસિદ્ધિ કરનારો બનતો નથી. (અર્થાત્ કાર્યારંભે સાધુનું દર્શન થતાં, ‘આ મંગળ થયું' એવી બુદ્ધિ થાય, તો જ તે દર્શન વિઘ્નવિનાશક બને, કાર્યસિદ્ધિ કરાવે. જો એવી બુદ્ધિ ન થાય, પણ ‘મુંડિયો મળ્યો – અપશુકન થયું' એવી બુદ્ધિ થાય, તો તે સાધુનું દર્શન વિઘ્નવિનાશક બનતું નથી, કાર્યસિદ્ધિ કરાવતું નથી.) એ જ રીતે શાસ્ત્ર પણ સ્વયં મંગલરૂપ હોવા છતાં “આ શાસ્ત્ર મંગલરૂપ છે” એવા પ્રકારની બુદ્ધિથી ગ્રહણ કરાય તો 10 જ મંગલરૂપ બની શકે છે અન્યથા નહીં. તેથી શિષ્યને શાસ્ત્રમાં મંગલની બુદ્ધિ થાય તે માટે મંગલનું ઉપાદાન કર્યું છે.
શંકા : જો આ પ્રમાણે હોય એટલે કે મંગલ એ મંગલની બુદ્ધિથી ગ્રહણ કરાયેલું છતું મંગલરૂપ બનતું હોય તો, અમંગલને પણ કોઈ વ્યક્તિ મંગલની બુદ્ધિથી ગ્રહણ કરે તો તે અમંગલ પણ મંગલરૂપ બની મંગલના કાર્યને કરનારું માનવું પડશે, પણ આવું તો કોઈ માનતું નથી જ. સમાધાન : અમંગલ એ સ્વરૂપથી જ અમંગલરૂપ હોવાથી મંગલની બુદ્ધિથી ગ્રહણ કરવા છતા મંગલરૂપ બનતું નથી.
に
15
(શંકા : જો મંગલની બુદ્ધિથી ગ્રહણ કરવા છતાં અમંગલ સ્વરૂપથી અમંગલ હોવાથી મંગલરૂપે બનતું નથી તો એનો અર્થ એ થયો કે વસ્તુમાં રહેલી સ્વરૂપતા જ મુખ્ય છે નહીં કે બુદ્ધિ. તો તો પછી મંગલ એ તો સ્વરૂપથી જ મંગલરૂપ હોવાથી શિષ્યને તેમાં મંગલની બુદ્ધિ 20 થાય કે ન થાય તો પણ તે મંગલ સફળ બને જ.)
સમાધાન : મંગલ પોતે સ્વરૂપથી મંગલરૂપ હોવા છતાં મંગલની બુદ્ધિથી ગ્રહણ થાય તો જ પોતાનું કાર્ય કરે છે. જેમ, કોઈ વ્યક્તિ સોનાને જ સોના તરીકે જાણી તેમાં પ્રવૃત્તિ કરે તો તે વ્યક્તિ સોનાના ફલને પામે છે. પણ જે સોનું નથી તેવી (પિત્તળ વિ.) વસ્તુને સોના તરીકે માને તો સોનાના ફલને પામી શકતો નથી. તે જ રીતે સોનાને પણ જો ‘આ સોનું છે' એવું 25 જાણ્યું ન હોય તો પણ તે તેના ફલને પામી શકતો નથી. તેમ મંગલમાં પણ સમજી લેવું.
શંકા : (મંગલને મંગલની બુદ્ધિથી ગ્રહણ કરાય તો જ પોતાનું કાર્ય કરે એ વાત સમજાઈ
२. मङ्गलकार्यकृत् । ३. मङ्गलबुद्ध्या गृह्यमाणं मङ्गलभूतमपि मङ्गलकार्यकृत् । ४ मङ्गलबुद्धेर्मङ्गलकार्यकृत्त्वे । ५. अमङ्गलस्य । ६. स्वरूपेण मङ्गलस्यापि तथात्वापत्तेराह मङ्गलेति । ७. चो વિશેષાર્થ: । ૮. મઽત્ત્તત્વતિ । . વિવિધ્વંસાતિ । o૦. સુવર્ણનાર્ય વારિત્ર્યનાશાહિ । ??. બ્રિન-3() कार्यकृद्भवतीति शेषः । १२. काञ्चनमपि काञ्चनकार्यकृत् भवतीतिशेषः । १३. मङ्गलं मङ्गलबुद्ध्या गृह्यमाणं तत्कार्यकृदितिनियमे ।