________________
5
૨૦૪
આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) समुदितस्य सतो निर्वाणहेतुत्वं न व्यस्तस्येति गाथार्थः ॥९३॥ तथा चाह नियुक्तिकारः-
सुअनामिवि जीवो वट्टंतो सो न पाउणइ मोक्खं । जो तवसंजममइए जोए न चएइ वोढुं जे ॥ ९४॥
गमनिका -' श्रुतज्ञाने अपि' इति अपिशब्दान्मत्यादिष्वपि जीवो वर्त्तमानः सन् न प्राप्नोति मोक्षमिति, अनेन प्रतिज्ञार्थः सूचितः यः किंविशिष्ट इति, आह— यस्तपःसंयमात्मकान् योगान्न शक्नोति वोढुं इति, अनेन हेत्वर्थ इति, दृष्टान्तस्त्वभ्यूह्यो वक्ष्यति वी, प्रयोगश्च - 'न ज्ञानमेव ईप्सितार्थप्रापकं, सत्क्रियाविरहात्, स्वदेशप्राप्त्यभिलाषिगमनक्रियाशून्यमार्गज्ञज्ञानवत्, सौत्रो वा
આશ્રયી જાણવું. આમ પ્રધાનતા અને ગૌણતાને આશ્રયી આ કથન હોવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન10 ચારિત્ર ત્રણ ભેગા થયેલા છતાં જ (એકલાં નહીં) નિર્વાણની પ્રાપ્તિના કારણ છે એ વાત પણ ખંડિત થતી નથી. ૧૯૩૦
ગાથાર્થ : શ્રુતજ્ઞાનમાં પણ વર્તતો તે જીવ મોક્ષ પામી શકતો નથી જે તપસંયમાત્મક યોગોને વહન કરવામાં સમર્થ નથી.
ટીકાર્થ : શ્રુતજ્ઞાનમાં પણ', પણ શબ્દથી મતિજ્ઞાન વગેરેમાં પણ વર્તતો તે જીવ મોક્ષ 15 પામતો નથી.' આના દ્વારા પ્રતિજ્ઞાવાક્ય દર્શાવ્યું પંચ-અવયવાત્મક અનુમાન પ્રયોગનો પ્રથમ અવયવ પ્રતિજ્ઞા છે. પોતાને જે વાત સિદ્ધ કરવી હોય તે દર્શાવતું વાક્ય પ્રતિજ્ઞાવાક્ય કહેવાય. અહીં શ્રુતજ્ઞાની ચારિત્ર વિના મોક્ષ પામતો નથી એવું કહેવા દ્વારા જ્ઞાનમાત્રથી મોક્ષપ્રાપ્તિ નથી એવું સિદ્ધ કરવું છે. તેને જણાવનાર ઉપરોક્ત વાક્ય પ્રતિજ્ઞાવાક્ય કહેવાય.)
શ્રુતજ્ઞાનમાં પણ વર્તતો તે જીવ કોણ છે જે મોક્ષ પામતો નથી ? તેનો ઉત્તર આપે છે– 20 જે તપ સંયમાત્મક યોગોને વહન કરતો નથી. આના દ્વારા હેતુવાક્ય દર્શાવ્યું. (અનુમાન પ્રયોગનો બીજો અવયવ હેતુવાક્ય હોય છે. જેના દ્વારા ઉપરોક્ત પ્રતિજ્ઞાવાક્યની સિદ્ધિ કરવાની છે તે જણાવનાર વાક્ય હેતુવાક્ય છે.) દૃષ્ટાંત (અનુમાન પ્રયોગનો ત્રીજો અવયવ દૃષ્ટાંત છે.) તમારે જાતે જાણી લેવું અથવા ગ્રંથકારશ્રી જાતે આગળ દેખાડશે.
અનુમાનપ્રયોગ આ પ્રમાણે જાણવો → જ્ઞાનમાત્ર (ક્રિયારહિત) જ ઈચ્છિત—અર્થનું પ્રાપક 25 (પ્રાપ્તિનું કારણ) નથી, કારણ કે એકલું જ્ઞાન સન્ક્રિયાથી રહિત છે. જેમ કે, પોતાના દેશનાં પ્રાપ્તિ માટે ઈચ્છિત (જરૂરી) ગમનક્રિયાથી શૂન્ય એવા વ્યક્તિનું માર્ગનું જ્ઞાન, (અર્થાત્ જેમ પોતાના દેશમાં જવાનીઇચ્છાવાળા વ્યક્તિને ભલે ત્યાં જવા સુધીના માર્ગનું સંપૂર્ણ જ્ઞાન તેના પાસે હોય, છતાં તેનું આ જ્ઞાન તે વ્યક્તિની દેશ તરફ જવાની ક્રિયા વિના સ્વદેશસુધી પહોંચાડી શકતું નથી) અથવા સૌત્ર (સૂત્રમાં બતાવેલ) દૃષ્ટાંત માર્ગને જાણનાર એવા નિર્યામક 3() (જહાજને ચલાવનાર)થી યુક્ત, છતાં ઈચ્છિત દિશા તરફ જહાજને લઈ જનાર પવનની ક્રિયાથી
* વ
+