________________
૧૫૪
આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
सो सव्वहरणो काऊण क्सिज्जिओ, अडवीए कीस ण पलीवेसि ? । जहा तेण वाणिअगेण अवसेसावि दड्ढा, एवं तुमंपि एतं पसंसित्ता एते साहुणो सव्वे परिच्चयसि, जाहे न ठाति ताहे साणो भणि एस महाणिद्धम्मो अगीयत्थो अलं एयस्स आणाए, जदि एयस्स णिग्गहो न कीर, तो अण्णेवि विणस्संति । इदानीं भावावश्यकं तदपि द्विविधमेव-आगमतो नोआगमतश्च, 5 तत्रागमतो भावावश्यकं ज्ञाता उपयुक्तः, तदुपयोगानन्यत्वात्, अथवाऽऽवश्यकार्थोपयोर्गपरिणाम एवेति । नोआगमतस्तु ज्ञानक्रियोभयपरिणामो भावावश्यकं उपयुक्तस्य क्रियेति भावार्थ:, मिश्रवचनश्च नोशब्दः, इदमपि च लौकिकादित्रिविधं सूत्रादवसेयं, इह तु लोकोत्तरेणाधिकार
સાંભળી કે આવું કરે છે, ને તરત રાજાએ એ વેપારીનું સર્વધન હરણ કર્યું અને “જંગલમાં જઈ કેમ બાળતો નથી' એમ કહી દેશમાંથી તેને કાઢી મૂક્યો. જેમ તે વેપારીની ભૂલથી આખું નગર 10 ભસ્મીભૂત થયું, તેમ હે આચાર્ય ! તમે પણ આ સાધુની આ રીતે પ્રશંસા કરી બીજા સર્વ સાધુઓનો ત્યાગ કરો છો અર્થાત્ ઉન્માર્ગે દોરો છો. આમ સમજાવવા છતાં તે આચાર્ય અટકતાં નથી તેથી ગીતાર્થ સંવિગ્નસાધુ અન્ય સાધુઓને કહેવા લાગ્યા કે “તમારો આ આચાર્ય નિર્મા છે, અગીતાર્થ છે તેથી તેની આજ્ઞા તમારે પાળવી નહીં, જો આને = આચાર્યને અકાર્યમાંથી રોકવામાં નહીં આવે તો બીજાનો પણ વિનાશ કરશે.” આવા અગીતાર્થ લોકોનું પ્રતિક્રમણ 15 ભાવથી શૂન્ય હોવાથી અને ઇચ્છિતફલને નહીં આપનાર હોવાથી દ્રવ્યાવશ્યક છે.
હવે ભાવાવશ્યક કહે છે. તે પણ આગમ અને નોઆગમથી બે પ્રકારે છે. તેમાં આગમથી ‘આવશ્યક’ પદનો જ્ઞાતા અને ઉપયુક્ત એવો વ્યક્તિ, ઉપયોગ સાથે પોતાનો અભેદ હોવાથી ભાવાવશ્યક કહેવાય છે. અથવા આવશ્યક પદના અર્થના ઉપયોગનો પરિણામ જ ભાવાવશ્યક જાણવો. તથા જ્ઞાન-ક્રિયા ઉભયનો પરિણામ એ નો-આગમથી ભાવાવશ્યક છે અર્થાત્ ઉપયોગપૂર્વક 20 કરનારનું અનુષ્ઠાન. અહીં “નો” શબ્દ મિશ્રવાચી જાણવો. (પ્રતિક્રમણમાં બોલાતા સૂત્રાર્થનું જ્ઞાન અને વંદન, મુહપત્તિપડિલેહણાદિ ક્રિયા બંનેનું મિશ્રણ જાણવું) આ નો-આગમથી ભાવાવશ્યક પણ લૌકિકાદિ ત્રણ પ્રકારનું અનુયોગદ્વારસૂત્રમાંથી જાણી લેવું.
=
(તે આ પ્રમાણે ૧. લૌકિક – નિત્ય દિવસના પહેલા ભાગમાં મહાભારતાદિનું વ્યાખ્યાન અને છેલ્લા ભાગમાં (બપોરે) રામાયણાદિનું વ્યાખ્યાન તે લૌકિક નો-આગમથી ભાવાવશ્યક ૨. 25 જે વળી ચરકાદિ સંન્યાસીઓનું નિત્ય પોતપોતાના દેવનું સ્મરણ, જાપ વગેરે તે કુપ્રાવનિક ભાવાવશ્યક ૩. શ્રાવક, શ્રાવિકા, સાધુ–સાધ્વી એકાન્ત શુદ્ધચિત્તથી, વિધિપૂર્વક ઉભયકાળ પ્રતિક્રમણ જે કરે છે તે લોકોત્તર ભાવાવશ્યક જાણવું) અહીં લોકોત્તર એવા ભાવાવશ્યકવડે
૧૧. સ હતસર્વસ્વ: ( સર્વસ્વહરાં ) òા વિસૃષ્ટ:, ગટવ્યાં થં ( ત: ) ન પ્રદ્રીપત્તિ ?। યથા તેન वणिजा अवशेषा अपि दग्धाः, एवं त्वमपि एतं प्रशस्य एतान् सर्वान् परित्यजसि यदा न तिष्ठति 30 (વિરમતિ ) તવા માધવો મળિતા:-૫ મહાનિર્ધમાં અનીતાર્થ:, અલમેતસ્યાન્નયા, યત્તિ તસ્ય નિગ્રહો ન क्रियते ततोऽन्येऽपि विनश्यन्ति । ९२. आवश्यकपदार्थज्ञस्तज्जनितसंवेगविशुद्धिमान् परिणामस्तत्र ચોપયુત્ત્ત: ( અનુ૦ ૭રૂ ) | * વં પસંસંતો 1 + પરિવત્તિ ।