SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ८ જોઈએ.....” વગેરે. પણ મુનિરાજની પેલી મમ્મી જેવી સખત મહેનતને, ત્રણ-ત્રણ વર્ષના અવિરત પુરુષાર્થને કદી ધ્યાનમાં પણ લેશું ખરા ? ભલા આદમી ! ભૂલ તો કોની ન થાય ? છદ્મસ્થમાત્રની ભૂલ થવી સંભવિત છે, તો આ મુનિરાજ ભૂલ ન કરે. એ તો પોતાના આ ભોગની નિંદા-પ્રશંસા બધું જ હસતે મોઢે સ્વીકારવા તૈયારી રાખશે જ, પણ આપણી બધાની ફરજ શું ? એ આપણે ખાસ વિચારવું જોઈએ. પ્રસ્તાવનામાં આ બાબતનો ઉલ્લેખ ક૨વાનું કારણ એ છે કે પૂર્વે જણાવ્યું તેમ આ ગ્રન્થ કપરો હોવાથી એમાં ઘણી બધી મહેનત બાદ પણ ભૂલ થવાની શક્યતા રહેવાની. એ ભૂલનો બચાવ તો નથી જ કરવાનો. ભૂલ સુધારવાની જ છે પણ જેમ એ મુનિરાજે પોતાની ભૂલ સુધારવાની છે. તેમ આપણે બધાએ બીજાની ભૂલો જોઈને તરત એની નિંદા-ટીકા કરી દેવાની પડી ગયેલી કુટેવ રૂપી ભૂલ પણ સુધારવાની છે. હા ! ભૂલો બતાવવી ચોક્કસ ! પણ સાથે સાથે આ મહાન સુકૃતની કદર પણ કરવી. જો કે સંયમીઓ સુકૃતોની અનુમોદતા કરનારા હોય જ છતાં કોઈકને આ ઉપયોગ ન રહેતો હોય, તો એમણે આ ખ્યાલ રાખવો જરૂરી ખરો. આ ભાષાંતર પાછળ કેટલાય ભવ્યાત્માઓએ ભોગ આપ્યો છે. ત્રણ વર્ષ સુધી સખત-સતત મહેનત કરનાર મુનિરાજ આર્યરક્ષિત વિજયજીનો સૌથી મોટો ભોગ ! એમના ગુરુવર પૂ. મુનિવર જિતરક્ષિત મ. સાહેબે એમને આ કાર્ય માટે સતત પ્રોત્સાહન આપ્યું, બધી જ અનુકૂળતાઓ કરી આપી, શિષ્ય પાસેથી પોતાની સેવા લેવાની ટાળી દીધી એ બધો એમનો ભોગ પણ ઓછો નથી. • અથથી ઈતિ સુધી બધું જ અક્ષરશઃ સંશોધન કરી આપીને મુનિરાજ શ્રી ભવ્યસુંદર વિ.એ પણ સારો ભોગ આપ્યો. આ સંપૂર્ણ કાર્યમાં અનરાધાર કૃપાવૃષ્ટિ વરસાવનારા મારા-અમારા સૌના ગુરુદેવ પૂ.પાદ શાસન પ્રભાવક પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખર વિજયજી મ. સાહેબના ભોગની તો કિંમત જ શી રીતે આંકવી? એમની અમીદ્રષ્ટિ વિના આ કાર્યમાં એક ડગલું ય આગળ વધવું શક્ય જ ક્યાં હતું ? આ નાનકડી પ્રસ્તાવના લખી આપીને મેંય નાનકડો ભોગ આપ્યો છે હોં ! એટલે મને ભૂલી ન જતા. બીજા કેટલાય ભવ્યાત્માઓના ભોગ પછી આ ભવ્યકાર્યનું નિર્માણ થયું છે. બસ, સૌ સંયમીઓ આ શાસ્ત્રનો સારામાં સારો અભ્યાસ કરીને, શાસ્ત્રજ્ઞાતા બનીને, પરિણતિસંપન્ન બનીને પરમપદને પામે એ જ એક માત્ર અભિલાષા. અમદાવાદ તપોવન વિક્રમ સંવત ૨૦૬૬ જેઠ સુદ પુનમ લિ. ગુણહંસવિજય
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy