________________
ક્ષપકશ્રેણીનું સ્વરૂપ (નિ. ૧૨૧)
1194
च स्वल्पादपि ऋणात् दासत्वं प्राप्ता वणिग्दुहितेति, उक्तं च भाष्यकारेण'दासत्तं देइ अणं अचिरा मरणं वणो विसप्पंतो । सव्वस्स दाहमग्गी देति कसाया भवमणतं ॥१॥"
૨૪૭
अपिचशब्दनिपातसाफल्यं पूर्वोक्तानुसारेण स्वबुद्ध्या वक्तव्यमिति गाथार्थः ॥१२०॥ इत्थमौपशमिकं चारित्रमुक्तं, इदानीं क्षायिकमुच्यते, अथवा सूक्ष्मसंपराययथाख्यातचारित्रद्वयं 5 उपशमश्रेण्यङ्गीकरणेनोक्तं, इदानीं क्षपकश्रेण्यङ्गीकरणतः प्रतिपादयन्नाह -
अणमिच्छ मीस सम्मं अट्ठ नपुंसित्थीवेय छक्कं च । पुंवेयं च खवेइ कोहाइए य संजलणे ॥ १२१ ॥
क्षपकश्रेणिप्रतिपत्ताऽसंयतादीनामन्यतमोऽत्यन्तविशुद्धपरिणामो भवति, स
व्याख्या-इह
પરંતુ કુટુંબમાં માત્ર પોતાની સંસારીબહેન જ જીવતી હતી. તેના ઘરે વહોરવા સાધુમહારાજ 10 ગયા. પોતે ગરીબ હોવાથી કોઈક રીતે શિવદેવનામના વાણિયાની દુકાનેથી ઉધાર જરૂરી વસ્તુઓ માંગી લાવી એ શરતે કે બીજા દિવસે બે ગણું પાછું આપી દઈશ. પરંતુ પોતે તે ચીજ–વસ્તુ પાછી આપી શકતો નથી. દિવસે દિવસે ઋણ વધતું જાય છે. છેવટે તે બહેન અતિ ઋણ વધવાને કારણે અને ઋણ પાછું ચૂકવી શકતી ન હોવાથી દાસી બને છે. દૃષ્ટાંત સંક્ષેપથી જણાવ્યું છે વિસ્તાર જોવો હોય તો પિંડનિર્યુક્તિ – ગા. ૩૧૭–૧૮-૧૯ પૂ. મલયગિરિ મ.ની 15 ટીકામાં છે.)
જેમ થોડાક ઋણથી ણિકૃપુત્રી દાસત્વને પામી તેમ થોડાક કષાયથી જીવ અનંતસંસારને પામે છે, માટે થોડો જ કષાય છે ને, ચાલે જ એમ ઉપેક્ષા કરવી નહીં. ભાષ્યકારે પણ કહ્યું છે— “થોડુંક ઋણ દાસપણાને, વધતો ઘા મરણને, થોડોક અગ્નિ સર્વને દાહ અને થોડાક કષાયો અનંતસંસારને આપે છે ॥૧॥' ગાથામાં ‘અપિ’ અને ‘ચ' શબ્દના નિપાતનું સાફલ્ય પૂર્વે 20 કહેલા પ્રમાણે સ્વબુદ્ધિથી જાણી લેવું. (અર્થાત્ ‘અપિ’ શબ્દથી વધુ કષાય તો ખરાબ છે જ, અલ્પ પણે કષાય ખરાબ છે અને ‘ચ' શબ્દ સમુચ્ચય અર્થમાં જાણવો.) ૧૨૦
અવતરણિકા : આમ, ઔપશમિકચારિત્ર કહેવાયું. હવે ક્ષાયિકચારિત્ર કહેવાય છે અથવા ઉપશમશ્રેણિને આશ્રયી સૂક્ષ્મસં૫રાય અને યથાખ્યાતચારિત્ર કહ્યા. હવે ક્ષપકશ્રેણિને આશ્રયી કહે
છે
25
ગાથાર્થ : અનંતાનુબંધી, મિથ્યાત્વ, મિશ્રમોહનીય, સમ્યક્ત્વમોહનીય, અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિ ચાર અને પ્રત્યાખ્યાનીયક્રોધાદિ ચાર એમ આઠ, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ છ, પુરુષવેદ અને સંજ્વલન ક્રોધાદિને (ક્ષપકશ્રેણિ માંડતો જીવ) અનુક્રમે ખપાવે છે.
ટીકાર્ય : ક્ષપકશ્રેણિને પ્રાપ્ત કરનારા જીવો તરીકે અસંયત, દેશવિરતિ, પ્રમત્ત–અપ્રમત્ત સંયતોમાંથી કોઈપણ હોઈ શકે છે. તેઓ અત્યંતવિશુદ્ધ પરિણામવાળા અને ઉત્તમ(પ્રથમ) 30
७५. दासत्वं ददाति ऋणं अचिरान्मरणं व्रणो विसर्पन् । सर्वस्य दाहमग्निर्ददति कषाया भवमनन्तम् ॥१॥ (विशेषावश्यकगाथा १३११ )