________________
બે ગ્રંથરત્ન
( ૫૯ )
બદલાઈ જાય. જીવનનું સાચું દર્શન મળી જાય. તેનું જીવન ધન્ય ધન્ય બની જાય. | સર્વ શાસ્ત્રોની ઉચ્ચમાં કરેલ ભાવના આ તિદર્શન કરાવી મહાત્મા પુરૂષને જે દર્શન થયું તે માનવ બાંધને સાક્ષાત્ દર્શન કરાવવું એ છે. ધ્યાનયોગ, ચિંતનમનન, નિદિધ્યાસન સંયમ, શુદ્ધ ચારિત્ર, ઉચ્ચ વિચારે, ઉચ્ચ મહેચ્છાઓ અને પવિત્ર જીવનથી દિવ્ય જ્યોતિના દર્શન શક્ય છે અને એકવાર પણ તેને સાક્ષાત્કાર થયે તે “ પૂર્વનું જીવન અને દર્શન થયા પછીનું જીવન એવું તે નિર્મળ-તિમય દિવ્ય જીવન થાય છે કે એ મહા માનવ બને છે. ભૂત-ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન તેને સહજ થાય છે. તે પ્રાણી માત્રના કલ્યાણની ભાવના ભાવે છે. સંસારના વ્યાપારોથી એ પર હોય છે. તેના અને રાજ્યમાં ઉદ્યને થાય છે. તેવા મહાન આત્માને પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થાય છે અને આ કેઈ અશક્ય નથી જ નથી.
આ જ્યોતિના દર્શન તે દૂર રહ્યાં પણ તેની ઝાંખી થનારને પણ પિતાનું જીવન આનંદમય-જ્ઞાનમય થાય છે–અપૂર્વ બળ, અપૂર્વ જ્ઞાન અને અપૂર્વ આનંદ તેમજ અપૂર્વ શાંતિ અનુભવગમ્ય થશે.
એટલું જ નહિ પણ તેની પ્રતીતિ આસપાસ વસતા બધાને થશે. ઉપરાંત પશુ-પક્ષી આદિ પણ આ મહા ભાગ્યવાનના સમાગમમાં આવતાં અપૂર્વ શાંતિ અનુભવતાં જણાશે. આ વિષમકાળમાં આત્મદર્શન નહિ હોય તેમ