Book Title: Pandit Lalan
Author(s): Shivji Devshi Madhadawala
Publisher: Shivsadan Granthmala Karyalay

View full book text
Previous | Next

Page 465
________________ ( ૩૬૪) પંડિત લાલન શાને વરેલો માનવ નાની ઉમ્મર હોવા છતાં અર્ધમૃત સમાન છે. પં. લાલન તે લગભગ ૯૫ વર્ષની ઉમ્મરે અવસાન પામ્યા. કઈ કઈ વાર અમને મળતા ત્યારે આનંદથી કહેતા કે “ફતેહચંદ” સ્થૂલ શબ્દ આપણા બન્નેને સમાન છે, પણ અધ્યાત્મ દષ્ટિએ સૂક્ષમતાથી આપણે એવું થવું પડશે. અને તે માટે સવિશેષ પ્રયત્ન કરવા માટે પણ મને સૂચના કરી, ખાસ કરીને જડ-ચેતનને વિવેક કરવાની અને સમજાવવાની તેમની સ્વાભાવિક અભુત શક્તિ (genolus) હતી, ભાષણમાં તેમના પ્રશ્ર અને ઉત્તરે તાવિક અને અલૌકિક જ હોય, પ્રત્યેક શ્રેતાને કાંઈક નવીનતા મળતી રહે. જૈન કેન્ફરન્સમાં અથવા ગમે તે સ્થળે તેમનું ભાષણ સાંભળવા લેકે ઉત્સુક જ હોય. સંવત ૧૬૬ માં તેઓ તથા શ્રી શિવજીભાઈ વિગેરેએ મળીને વીરશાસન આનંદ સમાજની સ્થાપના પાલીતાણામાં કરી હતી. તેમની અધ્યાત્મ દષ્ટિની કવિતાને Hyal N. Y.,-U.S. A. yule Lilydale en Alsaal આ છે – મને કઈ કહેતું જગત ટું, તે તે મેં હવે જાણ્યું, મને કઈ કહેતું જગત સાચું, તે પણ મેં હવે જાણ્યું, કદી ખોટું તે મારે શું ? કદી સાચું તે મારે શું? નથી થાતું નથી જાતું, હું મા હું સમા છું; અખંડ આ સ્થિર જ્યોતિમાં, નથી થાતું નથી જાતું. આ કાવ્ય દ્રવ્યગુણ અને પર્યાયના વિવેચનપૂર્વક અખંડ અમરઆત્માને લાગુ પડે છે.

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478