Book Title: Pandit Lalan
Author(s): Shivji Devshi Madhadawala
Publisher: Shivsadan Granthmala Karyalay

View full book text
Previous | Next

Page 417
________________ ( ૩૧૬ ) પંડિત લાલને તેમના જીવનની વિશિષ્ટતા હતા. સમાજના ઉત્થાનની ભાવનાને શ્રોતા આખર પર્યત તેમના આચાર, વિચાર અને વાણીમાંથી વહા કરતો હતે. દરેક વસ્તુનું અવલોકન કરવું, તેના ઉપર ચિંતન અને મનન કરવું, પછી તેને નિર્ણય કર અને છેવટે તેને અમલ કરે, આ તેમની કાર્યપદ્ધતિ હતી, આથી જ તેઓ જે નિશ્ચય કરતા તે પાર પડી શકતા હતા. ગમે તેટલો વિરોધ હોય, લોકે કે સમાજ ગમે તેટલી ટીકા કરે છતાં તે કદી ડરતા નહિં ડગતા નહિ. અને કાર્ય પાર પાડતા. એવા તે અડગ કાર્યકર્તા હતા. પોતે કરેલા નિર્ણયમાં ભૂલ છે. અથવા પિતે હાથ ધરેલ કાર્ય સમાજનું અહિતકર્તા છે. એવું જે તેમને પુરવાર કરવામાં આવતું અને જે તેમને તેની ખાત્રી થતી તે તેઓ પોતાની ભૂલ કબુલ કરી લેતા અને તુર્તજ ભૂલ સુધારી લેતા. આવી તેમનામાં સરલતા હતી. સમાજના નાયકામાં આવી સરલતા ભાગ્યે જ જોવા મળે. જેઓ આત્મકલ્યાણના સાચા સાધકે હોય છે. તેઓમાં જ આવી સરલતા હોય છે. સરલતા વડે જ સમભાવ કેળવી શકાય છે. શ્રી લાલન પ્રગતિવાદી અને સુધારક હતા. સમાજના રીતરીવાજો, રૂઢી કે માન્યતા જે સમાજને પ્રગતિ કરવામાં અંતરાયરૂપ હોય તેને નાબુદ કરવામાં તેમણે બહુ જ અગ્રભાગ ભજવે છે. રૂઢીચુસ્તો તેમને સખ્ત વિરોધ કરતા કેઈ વખત તે તેમના ઉપર વાણીના, ટીકાના, ટીખળના કે આક્ષેપના અનેક બાણે અનેક દિશામાંથી એકીસાથે

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478