Book Title: Pandit Lalan
Author(s): Shivji Devshi Madhadawala
Publisher: Shivsadan Granthmala Karyalay

View full book text
Previous | Next

Page 459
________________ (૩૫૮) પંડિત લાલન હશે. તે વખતે કરાંચીમાં આચાર્ય દેવ વિજય ધર્મસૂરીશ્વરજીના શિષ્ય રત્ન વિદ્યાવિજયજી મહારાજસાહેબનું ચોમાસું હતું. તે વખતે ભાદરવા સુદ ૧૪ના સ્વ. વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજની જયંતિને પ્રસંગ તે વખતે ઉજવવાથી અમારી સંગીત પાર્ટીને બોલાવેલ. તે વખતે હું સાથે હતું. તે વખતે લાલનસાહેબને પરિચય થયે. લાલનસાહેબનું ભાષણ સાંભળતા દિલમાં થયું કે આ એક સમાજમાં રત્ન છે. અને પરિચય થયા પછી શામસુંદર કહીને મને બોલાવતા. એક વખતે કરાંચીમાં તેદી રાત્રે તેમના એટલે લાલનસાહેબના પ્રમુખપણા નિચે સભા થઈ. તે વખતે એમણે જે પ્રવચન કરેલ તેની સમાજ ઉપર સારી છાપ પડી. તેમને સ્વભાવ મીલનસાર, નમ્રતાવાળે હતે. નાનાની સાથે નાના, મોટાની સાથે મોટા, અમારી વિદ્યાલયના બાળકે જ્યારે સંગીત ગાતા ત્યારે તેઓ ડેલતા અને કહેતા કે, આપણું નરરત્ન છે. ખુબજ આનંદ સાથે અમારે અને તેમને સમાગમ જીવનભર યાદ રહે તે બનેલ. ૨. બીજે પરિચય મને યાદ છે કે એક વખત કેસ અધીવેશન અબદુલગફારનગરમાં હતું ત્યારે શ્રીયુત્ અબ્બાસ તૈયબજીની સાથે થયેલ. અને ત્યાં પણ મને સારા સારા નેતાઓને પરિચય કરાવેલ. પૂ. ગાંધીજીથી માંડીને જે હતા તેમને બધાને. ત્યાં પણ શ્યામસુંદર કહીને બોલાવેલ. ૩. એક વખત આબુના મહંત, યેગી, જ્ઞાતા, શાંતીસૂરીશ્વરજી પાસે થયે લાલન આવેલા. યેગી બેઠેલા હતા. * હું પણ બેઠેલ હતું. ત્યારે લાલન આવેલા. હું ઉભે થયે

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478