________________
(૨૦)
સાધનાચતુટય નિર્દેશ स्ववर्णाश्रमधर्मेण तपसा हरितोषणात्।
साधनं च भवेत् पुंसां वैराग्यादि चतुष्टयम्॥३॥ સ્વવત્રમથન = પોતપોતાના વણશ્રમના ધર્મ પાળવારૂપી (તિ) તપ = તપ કરીને હરિતોષાત્ અને પરમાત્માની ભક્તિથી પ્રભુને સંતુટ કરવાથી) વેરાવ તુટયં સાધન વૈરાગ્યાદિ ચાર સાધન (સાધનચતુષ્ટય) પુસT() વેત્ મનુષ્યોને પ્રાપ્ત થાય છે.
સર્વસ્વનો સ્વીકાર તે જ અનુપમ ત્યાગ છે તેવા સૂત્ર સાથે વર્તન અને વિચારનું સામ્ય કરી જીવન જીવવા માટે અંત:કરણની શુદ્ધિ આવશ્યક નહીં બલકે અનિવાર્ય છે; અને તેની શુદ્ધિના સાધનનો અહીં ભગવાન નિર્દેશ કરે છે.
જીવનને મર્યાદામાં રાખી, સમાજને સુવ્યવસ્થિત કરી અને દરેકને પરમ પુરષાર્થ તરફ દોરી જવા માટેની રચનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જ વર્ણાશ્રમવ્યવસ્થા. વણમાં ચાર: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. તે જ પ્રમાણે આશ્રમ પણ ચાર છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. અહીં સૂચન છે કે જે વ્યક્તિ જે વર્ણ કે આશ્રમમાં છે ત્યાં રહી તેણે આશ્રમધર્મનું મર્યાદાપૂર્વક પાલન કરી જીવવું તે જ તપશ્ચર્યા છે. તેવા તપથી જ પ્રભુ સંતુષ્ટ થાય છે અને તેની કૃપારૂપે સાધનચતુટયની પ્રાપ્તિ થાય છે. કોણે ક્યાં જન્મ લેવો તે ક્યાં કોઇની પસંદગીની વાત છે! તે તો ઈશ્વર-અનુગ્રહની વાત છે. જે વર્ણ કે આશ્રમ મળે તેને પ્રભુનો પ્રસાદ માનવો. કોઈ પ્રશ્ન કરે કે શરીરમાં હૃદય મહત્વનું કે ફેફસાં? પગ કે માથું? જઠર કે આંખ? આંખ વિના બધું વ્યર્થ છે અરે, જો જઠર ખાવાનું ન પચાવે તો? ફેફસા શ્વાસ ન લે તો જઠર કેમ ચાલે? આ વાહિયાત વાતો છે. ખરેખર બધાં જ અંગ એકબીજાના પૂરક છે. એટલું જ નહીં, અવિભાજ્ય છે. તેમ જ કોઇ વર્ગ ઊંચી કે કોઈ નીચી નથી; કોઇ આશ્રમ ઈષ્ટ કે અનિષ્ટ નથી. પ્રભુના પ્રસાદમાં સારું કે ખરાબ વુિં? ઈશ્વર તેની રચનામાં સર્વવ્યાપ્ત છે. તે તો કણકણમાં ખોવાઈ ગયો, જન જનમાં વિખરાઈ ગયો.” પછી ક્યાં કોઈ ઊંચ કે નીચ? હકીકતમાં તો ઊંચ-નીચના વિચારોનું આરોપણ કરનાર જ શુદ્ર છે.