________________
(૧૯) મનમાં સન્માન છે તો કેમ ખચકાવ છો તમારાં પુત્ર-પુત્રીને સંન્યાસી, શાની કે વૈરાગી બનાવતાં? દરેકને પોતાના છોકરાને ડૉકટર, એન્જિનિયર, વેપારી, એક્ટર, પ્રધાન બનાવવો છે; પણ કોઈને બાળકો મુમુક્ષુ બને, સંત બને, સંન્યાસ ગ્રહણ કરે તેવી ઇચ્છા નથી, ને છતાં બીજાના છોકરા સંત હોય તો ત્યાં ભીડ ભડાકો અને મેળા ગોઠવવાનું કોઇ ચૂકતા નથી. તેથી જ પ્રશ્ન છે આજે મોક્ષાર્થી છે કયાં? અને જે કોઇ પૂર્વના પુણ્યપ્રારબ્ધ હોય તો તેવા માટે આ સૉંથ હું કહી રહ્યો છું તેમ ભગવાને કહ્યું: “કોચ મોસિયે”
सद्भिरेव प्रयत्नेन वीक्षणीया मुहुर्मुहुः તે જ સંદર્ભમાં ભગવાન કહે છે કે જો કોઈ સજન કે સભાવનાવાળો મોક્ષાથીં હોય તો તેવા માટે આ ગ્રંથ વારંવાર ચિંતન કરવા યોગ્ય છે. તેણે સતત નિરંતર શોધતા જ રહેવું કે મુક્તિ શું છે? કેવી છે? તેનું સ્વરૂપ શું? મને તે કેવી રીતે મળે? અપરોક્ષ અનુભવ અને મારો આત્મા એક છે કે જુદો? હું કોણ? ક્યાંથી આવ્યો? ક્યાં જવા નીકળ્યો છું? ક્યાં અટવાયો છું? જીવનનું અંતિમ ધ્યેય શું? બંધન શું? વગેરે પ્રશ્નો ઊભા કરી ગ્રંથના આધારે જે વિચારમાર્ગ અપનાવશે તે ખરેખર ઉન્નતિનાં ઉચ્ચ શિખરો પર આરોહણ કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકશે. વિચાર, ચિંતન, ઈક્ષણ = વીક્ષણ = આત્મ-અવલોકન કે જ્ઞાન વિના મોક્ષ નથી, તેવું સ્પષ્ટ કરતાં શંકરાચાર્ય ભગવાને ‘વિવેક ચૂડામણિ'માં કહ્યું:
“માત્મયોપેન વિના નિ સિધ્ધતિ વહાશતીનો પા દા બ્રહ્મ અને જીવાત્મા એક જ છે એવા જ્ઞાન વિના સો બ્રહ્મા થઈ જાય તેટલા કાળે પણ મુક્તિ થતી નથી.” માટે જ તેમણે કહ્યું કે વારંવાર આવા ગ્રંથનું વલણ = અવલોકન કરવું જોઈએ.
ભગવાન અહીં એવો અણસાર પણ રજૂ કરે છે કે “અપરોક્ષાનુભૂતિ જેવા સૉંથો આજે દટાઈ ગયા છે; શોધ્યા જડે તેમ નથી. જેવી રીતે ચોમાસામાં જ્યાં ત્યાં ઘાસ ઊગી નીકળે અને સીધા, સ્વચ્છ રસ્તાઓ ટંકાઈ જાય તેમ આધુનિક યુગમાં અનેક અવનવા સંપ્રદાયો, પંથો, વાડાઓ, ધમાં ટી નીકળ્યા છે. તેથી સીધા રસ્તા જેવા આવા સગ્રંથો દટાઈ ગયા છે અને વાતાવરણમાં ભૂત-ભૂવા-જાદૂટોણા, સિદ્ધિઓ અને ચમત્કારોનાં વાદળાં ઘેરાઈ રહ્યાં છે, અને જે પ્રકાશ દેખાય તો તે વાદવિવાદ અને પાખંડની વીજળી સમાન ચમકી જાય છે. માટે આ પારસમણિ જેવા ગ્રંથનું સદા સેવન કરવું.