________________
(૧૭)
થયાં હોય. મળ અર્થાત્ રાગદ્વેષ અને વાસનારૂપી મળ; અને વિક્ષેપ અર્થાત્ મનની ચંચળતા, તે દૂર થયાં હોય અને હવે જેની સાધનામાં વિદન માત્ર એક આવરણ = આત્મ-અજ્ઞાન હોય તેવા અધિકારી ઝડપથી “સ્વ” સ્વરૂપની યાત્રા કરી શકશે. [૨] વિષય
ગ્રંથ-અનુબંધમાં અધિકારી પછી આવે છે વિષય. જીવ-બ્રહ્મની એકતા જણાવવી અને “સ્વ” સ્વરૂપનો બોધ કરાવવો, આ જ વિષય “અપરોક્ષાનુભૂતિ'નો છે અને તે જ વિષય વેદાન્તનો છે. [૩] સંબંધ
અહીં બે પ્રકારના સંબંધની અપેક્ષા રાખી શકાય: (૧) પ્રસ્તુત ગ્રંથ અને તેનો વિષય, (૨) અધિકારી અને મોક્ષ કે મુક્તિનો સંબંધ (૧) પ્રસ્તુત વિષયને જે પ્રતિપાદિત કરે તે ગ્રંથને પ્રતિપાદક કહેવાય છે. અને ગ્રંથનો વિષય આત્મા કે બ્રહ્મ પ્રતિપાદન કરવા યોગ્ય છે માટે ‘પ્રતિપાઘ કહેવાય છે. આમ, ગ્રંથ અને વિષયનો સંબંધ પ્રતિપાદક અને ‘પ્રતિપાદનો છે.
(૨) બીજા સંબંધમાં અધિકારી અથતુ મોક્ષ પ્રાપ્ત કરનાર વ્યક્તિ છે તેને પ્રાપક' કહે છે અને મોક્ષ તે પ્રાપ્ત કરવાની આત્મવસ્તુ છે તેથી તેને પ્રાપ્ત કહેવાય છે આવો સંબંધ પ્રાપક અને પ્રાપ્ત'નો છે. ૪િ] પ્રયોજન
પ્રસ્તુત ગ્રંથ કે વેદાન્તનું પ્રયોજન સમાન છે. આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક ત્રણ પ્રકારનાં દુ:ખની નિઃસંશય આત્યંતિક (ફરી ન જન્મે તેવી) નિવૃત્તિ ... અને નિજાનંદ, સહજાનંદ, પરમાનંદસ્વરૂપ મોક્ષ કે સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ.
પ્રોચ મોસિદ્ધયે ભગવાને તો સ્પષ્ટતા કરી કે ગ્રંથનું ઉબોધન હું મોક્ષસિદ્ધિ માટે કરું છું તે તો તેમનો ઉપકારક ઉદ્ઘોષ; કલ્યાણકારી પાવન દ્રષ્ટિ. પણ પ્રશ્ન થાય છે કે આજે ખરેખર મોક્ષાથી કેટલા? વિદ્યાથી આજે અર્થાથી થયા; મોક્ષાથી મમતાથી બન્યા! આશ્રમ-વ્યવસ્થા કોને યાદ નથી! પણ મનના માળિયે લટકાવવા માટે જ, કદાચ અકસ્માતે સભ્યસમાજમાં