________________
(૧૮) ચર્ચા સમયે કામ આવે માટે ચાર આશ્રમ અને ચાર વેદનાં નામ દરેકની
સ્મૃતિમાં ક્યાંક ખૂણેખાંચરે પડેલાં હોય છે. પણ વ્યવસ્થાનો સાર, સૂર અને સત્વ હણાઈ ગયાં છે, તે દિવ્ય વ્યવસ્થા વિસરાઈ ગઈ; ચૂંથાઈ ગઈ; સમાજે અને સરકારે તેને ચકડોળે ચડાવી! માટે જ આત્મજ્ઞાનના ઉપદેશ માટે આજે કોઈ અજાણ્યા સંન્યાસીના ચરણોમાં બેસવું પડે છે. જો આશ્રમ-વ્યવસ્થા જીવંત હોય તો કદાચ ઘેર ઘેર એક સંન્યાસી હોત અને બાળકો સ્વાભાવિકતાથી રમતગમતમાં મોત કે મુક્તિના બોધપાઠ લેતાં હોત. આજે પણ ઘેર ઘેર ગામેગામે સંન્યાસી નથી તેવું નથી, પણ તે મા” અને છોકરાંનાં મનમાં છે! છોકરાને ચૂપ કરવાનો રેડીમેઈડ કીમિયો “બાવો પકડી જશે.” ખરેખર વૈરાગ્ય પકડાવનાર બાવો તો પિતા છે, જે સંન્યાસ આશ્રમમાં પ્રવેશી તેવા સંસ્કાર બાળકને આપતો જાય. તે હતી આપણી અલૌકિક પરંપરા જ્ઞાનની, વૈરાગ્યની. પણ ભગવાને કહ્યું તેમ તે નષ્ટ થઈ; મૃતપાય થઈ.
एवं परंपराप्राप्तमिमं राजर्षयो विदुः।
જ તેને મહા યોજે છે. પરંત-IIભ.ગી. ૪-૨ જે આપણી દિવ્ય પરંપરા ચાલુ હોત તો ભૌતિજ્વાદ પાછળ આપણી નવી પેઢી ગાંડીઘેલી થઈ બાવરી ન બની હોત અને સમાજ હતાશા, નિરાશા, ભગ્નાશા અને નિષ્ફળતાનો ભોગ પણ ન બન્યો હોત. પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમ હોત તો “અમુક વર્ષ પૂર્વે લગ્ન ન કરવાં તેવો કાયદો ન આવ્યો હોત”; સંતતિ-નિયમનનાં પાટિયાં કે રેડિયો-પ્રસારણો ઓછાં હોત. દરેક વ્યક્તિ ગૃહસ્થજીવન પછી જો વાનપ્રસ્થ ભોગવતો હોત તો ચોમેર ચર્ચામાં 'જનરેશનગેપ'નામુદ્દા ન ચર્ચાત. કારણ યુવાનો અને વૃદ્ધોને સાથે રહેવાનો સમય ઓછો હોત અને હોત તો પણ પોતાના આશ્રમમાં પોતે વ્યસ્ત. આજે તો વાનપ્રસ્થાશ્રમની ઉમરવાળા પુનર્લગ્નની યોજના કરે છે! પછી સંન્યાસ આશ્રમમાં પ્રવેશવાની વાત કેવી! મેં કહ્યું, “મુમુક્ષુ મમતાથ બન્યો છે.” આજે આપણે જ્યાં કોઈ સંન્યાસી મળે તેને નમન કરીએ, સ્વીકારીએ, આવકારીએ, સત્કારીએ છીએ માટે આપ સૌ અહીં ઉપસ્થિત છો. પણ સંન્યાસીના સત્કારમાં જે આનંદ છે તેના ઊંડાણમાં તો જરા ઉતરો.... આપણે સંન્યાસીને વધાવીએ છીએ કારણ તે બીજી માનો દીકરો છે. તમે પૂછો તમારી જાતને, તમને કોના માટે માન છે? સંન્યાસ માટે? સંન્યાસી માટે? મોક્ષ માટે? શા માટે? અને જે ખરેખર