________________
(૧૬)
શીર્ષકની સાર્થકતા अपरोक्षानुभूति प्रोच्यते मोक्षसिद्धये।
सद्भिरेव प्रयत्नेन वीक्षणीया मुहुर्मुहुः॥२॥ अपरोक्षानुभूति
સદ્ધિ વિક સજજનોએ તો માર્ચ = આત્માની
પ્રયત્નન= પ્રયત્નપૂર્વક અનુભૂતિ = અનુભૂતિ (અથવા “સ્વ” મુહુ મુહુઃ = વારંવાર
| સ્વરૂપનો સાક્ષાત્કાર) મૌલી સિયે પ્રોચ = મોક્ષની સિદ્ધિ માટે વીસળીયા = વિચારવા કે ચિંતન કરવા
' કહેવાય છે. યોગ્ય છે. છે અહીં ભગવાન શંકરાચાર્યે સ્પષ્ટતા કરી કે આ ગ્રંથનો હેતુ મોક્ષ કે મુક્તિની પ્રાપ્તિ અર્થે જ છે. તેમણે માત્ર હેતુ સ્પષ્ટ કર્યો તેથી ગ્રંથનો અનુબંધ સમજાઈ જાય છે. જો આ ગ્રંથનો હેતુ મોક્ષસિદ્ધિ છે તો સામાન્ય પ્રશ્ન થાય કે મોક્ષનો અધિકારી કોણ? અને કેવી સંપત્તિવાળો હોવો જરૂરી છે? જે યોગ્ય અધિકારી હોય અને ગુરૂ હાજર હોય તો વિષય શું હોઈ શકે? અને તે વિષયનો જ અભ્યાસ થાય તો તેનું પ્રયોજન શું? જો પ્રયોજન સમજાય તો પછી અધિકારી અને મોક્ષનો અંતે શું સંબંધ છે તેવી શંકા જાગે. આપણે શંકાઓના જન્મ પહેલાં ગ્રંથ-અનુબંધનાં મુખ્ય ચાર પાસાઓ વિશે સમાધાન શોધી લઈએ: [૧] અધિકારી
(૧) મોક્ષ પ્રાપ્તિનો પ્રયત્ન કરનાર સાધનચતુટ્ય-સંપન્ન અધિકારી હોવો જોઈએ. તે સાધન નીચે મુજબ છે: (૧) વિવેક = આત્મા અને અનાત્માનો વિવેક. (૨) વૈરાગ્ય = આ લોક ઉપર અને પરલોકના તમામ સુખ, વૈભવ, ભોગ પર વિરાગ. (૩) ટ્યપત્તિ: (૧) શમ = મન ઉપર નિયંત્રણ (૨) દમ = ઇન્દ્રિય વશ રાખવી. (૩) ઉપરતિ = વૃત્તિઓને વિષયમાં ભટકવા ન દેવી (૪) તિતિક્ષા = સહનશીલતા. (૫) શ્રદ્ધા = વિશ્વાસ (૬) સમાધાન = બુદ્ધિની સ્થિરતા (૪) મુમુક્ષુતા= મોક્ષની = મુક્તિની ઇચ્છા.
(૨) મોક્ષનો અધિકારી ધર્મ, અર્થ અને કામમાંથી ઉપરામ થયેલો જોઈએ. ઉપરના ત્રણ પુરુષાર્થમાંથી જેની વાસના તૃપ્ત થયેલી છે તેને જ પરમપુરષાર્થ મોક્ષમાર્ગનો અધિકારી જાણવો.
(૩) અધિકારી એવો જોઈએ કે જેનામાં મળ અને વિક્ષેપ નિર્મૂળ