________________
(૧૪)
પોતાનુક્તિ મોક્ષસ્વરૂપ છે. તેથી સર્વ અનર્થોની નિવૃત્તિ થાય છે અને પરમાનંદપ્રાપ્તિ થાય છે, આધિ, વ્યાધિ, અને ઉપાધિની નાબૂદી થાય છે અને અધિષ્ઠાન-પ્રાપ્તિ થાય છે.
અપરોક્ષાનુભૂતિ જેવી અદ્ભુત અલૌકિક અનુભૂતિમાં નથી સ્વર્ગ કે નરક, નથી ગ્રહણ કે ત્યાગ નથી જવાનું કે આવવાનું નથી આવકાર કે તિરસ્કાર; નથી વ્યક્તિ કે વિરાટ; નથી કાર્ય કે કારણ; નથી પ્રત્યક્ષ કે પરોક્ષ; નથી પિંડ કે બ્રહ્માંડ નથી પુણ્ય કે પાપ; નથી વ્યક્ત કે અવ્યક્ત; નથી સાકાર કે નિરાકાર, નથી સગુણ કે નિર્ગુણ, નથી નામી કે અનામી; નથી વ્યષ્ટિ કે સમષ્ટિ, નથી કોઈ બંધ કે કોઈ મુ; નથી સાધક કે કેઈ સિદ્ધ, નથી કોઈ ભેદ કે અભેદ.
અપરેશાનુભૂતિ સાપેક્ષતાની દીવાલોથી દૂર છે. નિરપેક્ષની પેલે પાર છે. દેશ-કાળ-વસ્તુની ક્ષિતિજોથી જોજન દૂર છે.
ભેદની રેખાને જ્યાં સ્થાન નથી ત્યાં છે માત્ર અસ્તિત્વ, અભેદ, આનંદ, અભય-એક-અદ્વિતીય-નિજ સ્વરૂપ
મંગલાચરણ આ દેશ, સમાજ અને તેના આધ્યાત્મિક સાહિત્યની એક આગવી પરંપરા રહી છે કે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતાં પહેલાં કાર્ય નિર્વિધ્ધ પાર પડે માટે ઈશ્વર, સૂષ્ટિ-રચયિતા કે દેવની પ્રાર્થના કરી કાર્ય શરૂ કરવું. અને મોટેભાગે મંગલાચરણ દ્વારા નિરાકાર અનામી તત્વના આશીર્વાદ માગવાનો એક નમ્ર પ્રયાસ રહ્યો છે. આદિ શંકરાચાર્યજી પણ તેવા જ વિનમ્ર શ્રદ્ધાયુક્ત પ્રયત્નથી આ દિવ્ય ગ્રંથનો શુભારંભ કરી મુમુક્ષુના હૃદયમાં જ્ઞાનજયોત પ્રગટાવે
श्रीहरि परमानन्दमुपदेष्टारमीश्वरम् ।
व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्॥१॥ પરમાનના પરમ આનંદરૂપને સર્વતોનાં સર્વલોકના ૩૫લેટા ઉપદેશ આપનારને Rપકારણને = ન્ગતનિયંતાને
તમ્ શ્રીન્િતે શ્રીહરિને વ્યાપ = સર્વવ્યાપકને
અહમ્ નમામિ = હું નમન કરું છું.