________________
(૧૨) કે અસ્ત નથી; પણ હજારોના અનુભવમાં એ છે. હવે એક સાચો કે અનેક! આપ જ નક્કી કરી લો. પ્રત્યક્ષ અનુભવ કરનારા અનેક છે અને મૅરિટીમાં છે તેથી આપણું શું ચાલે! મેજોરીટી હંમેશા મૂખાઓની જ હોય ને! શાની તો રડયોખયો જવલ્લે જ મળે. આઈન્સ્ટાઈન, ગેલેલિયો, ન્યૂટન, સોક્રેટિસ, કૃષ્ણ, કાઈસ્ટ, બુદ્ધ કે ગાંધી કંઈ સમૂહમાં જન્મ લેતો નથી, છતાં તેમણે આત્મસાત્ કરેલી વાત અનેકને ગળે શુગર કોટિંગ વિના સહજતાથી ઉતરી જાય છે, અને ન ઊતરે તો પણ તેનું જ્ઞાન કદી અજ્ઞાન થતું નથી.
(૨) આકાશ વાદળી છે તેવો અનેકનો પ્રત્યક્ષ અનુભવ છે; છતાં જ્ઞાનમાં આકાશ રંગરહિત છે. નથી કોઈ રંગમાં આકાશ કે આકાશમાં રંગ નથી તે નિર્વિવાદ હકીકત છે. સ્પેસ ઇઝ ફી ફોમ ક્લર અથતું આકાશમાં જે વાદળી રંગ દેખાય છે તે પ્રતીતિ માત્ર છે. જેની પ્રતીતિ થાય તેનું યથાર્થ અસ્તિત્વ છે તેવું નથી; અને જેનું યથાર્થ અસ્તિત્વ છે તેની પ્રતીતિ થાય જ તેવું જરૂરી નથી. આકાશમાં રંગ દેખાય છે; પણ જે જે દેખાય તે હોય જ તેવું નથી તે જ્ઞાન છે.
(૩) ક્ષિતિજમાં ધરતી અને આકાશનો સંયોગ, સમન્વય કે મિલન દેખાય છે, અનુભવાય છે. અને આવા અનેકના અનુભવ ખોટા છે તેવું માત્ર એકનું જ્ઞાન છે. સત્યમાં ક્ષિતિજ જ ભ્રાંતિ છે. આમ, જેનો જેનો અનુભવ થાય છે તે વાસ્તવિકતાથી કેટલે દૂર છે તે સમજાય છે અને અનુભવ અને જ્ઞાનનો તફાવત સ્પષ્ટ થાય છે.
(૪) ચંદ્રમાં વધઘટ થતી અનુભવાય છે, જે આપણા રોજિંદા જીવનની સમસ્યા છે. છતાં જ્ઞાનષ્ટિમાં નથી ચંદ્ર વધતો, નથી ઘટતો છતાં અનુભવથી માનવી છેતરાય છે. ઇન્દ્રિયોના અનુભવ કેવા છે ઠગારા!
(૫) ઉનાળામાં હાઈવે ઉપર પી વાહનમાં પ્રવાસ કરતાં સડક ઉપર દૂર પાણી દેખાય છે, રણમાં મૃગજળ દેખાય છે; પણ પાણીનો એ અનુભવ કદી તૃષાને તૃપ્ત કરી શકે તેમ નથી. માટે જ તો ઝાંઝવાનાં જળ કહેવાય છે. કેવી અનુભૂતિની અજાયબ રચના! જે નથી તે દેખાય અને જે છે તે ન અનુભવાય!
(૬) ટ્રેનમાં મુસાફરી દરમ્યાન ખેતરો ઊડતાં, વૃક્ષો વિરુદ્ધ દિશામાં દોડતાં અનુભવાય, છતાં સમજાય છે કે ગતિ અને પ્રવાસ વિનાનાં ખેતરો કે વૃક્ષોમાં ગતિનો કેવો આરોપ અનુભવાય છે!