________________
(૧૦)
તો પછી રખે કોઈ માને કે સાહચર્યથી આત્મા સમજી શકાય. જેમ ગરમી વધે તો પારો ઊંચે જાય; ઉષ્ણતામાન ઘટે તો પારો નીચે આવે, આમ, પારાના સાહચર્ય પ્રવાસ દ્વારા ઉષ્ણતામાન વિશે જેમ નિર્ણય લેવાય છે તેવું ભ્રાંતિરૂપ અનુમાન પણ આત્મતત્ત્વ વિશે શક્ય નથી. કારણ, આત્માને કોઈ સાથે સંબંધ જ નથી; તે તો અનામી, અરંગ, નિ:સંગ, અસંગ તત્ત્વ છે. મસો ફ્રિ મયં પુરુષ: (બુ.ઉ. ૩-૪-૧૫) પછી તેને કોઈ સાથે સાહચર્ય-સંબંધ કેવો !
આમ એક વસ્તુ સુસ્પષ્ટ છે કે આત્મા = બ્રહ્મ કે ‘સ્વ’ સ્વરૂપ કદી પરોક્ષ અનુભૂતિનો વિષય બની શકે નહીં. કારણ કે સ્વ-સ્વરૂપ સદાસર્વદા અપરોક્ષ જ હોય. જેની પાસે સ્થૂળ દષ્ટિ છે તેને કોઈની મદદ કે ઉપદેશ વિના જ પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે, એ સંસારની અનુભૂતિ છે. જે સતત પ્રયત્ન અને સાધના કરે છે તેને સૂક્ષ્મ દૃષ્ટિ પ્રાપ્ત થાય; તે અદૃશ્ય, અજ્ઞાતને પણ અનુમાન દ્વારા સ્વીકારે અને પરોક્ષ અનુભૂતિ મેળવે, પણ ‘અપરોક્ષ અનુભૂતિ' તો માત્ર તત્ત્વ-દષ્ટિથી જ ઉપલબ્ધ છે તે નિર્વિવાદ છે. આવી તત્ત્વષ્ટિ માત્ર ઉપનિષદ અને વેદાન્તથી જ પ્રાપ્ય છે. આવી તત્ત્વદષ્ટિ તે જ અખંડ, અદ્વૈત કે અભેદ દૃષ્ટિ; આવી દૃષ્ટિ તે જ અપરોક્ષાનુભૂતિ. આ ઈષ્ટ લૌકિક કે પારલૌકિક નથી પણ અલૌકિક છે. માટે જ ઉપનિષદનો શિષ્ય નિ:શંક થઈ ખુમારીથી લલકારે છે કે “હું બ્રહ્મને જાણું છું અને નથી જાણતો.” “હું બ્રહ્મને સમ્યક્ રીતે જાણું છું તેમ નથી માનતો, છતાં હું તેને નથી જાણતો તેમ પણ નથી.”
नाहं मन्ये सुवेदेति नो वेदेति वेद च
જો નસ્તર્ વેક્ તવ્ વેદ્ નોન વેલેતિ વેલ ૨(કન ઉ)
ઉપનિષદની કેવી જ્ઞાનગર્જના! હું બ્રહ્મને જાણું છું પણ વિષય તરીકે નહીં અર્થાત્ પ્રત્યક્ષ અનુભૂતિના વિષય તરીકે નહીં, ઇન્દ્રિયગમ્ય તરીકે નહીં, મારાથી ભિન્ન છે તેમ નહીં, તે દૃશ્ય અને હું દ્રષ્ટા તેમ જાણતો નથી; અને બ્રહ્મને હું પરોક્ષરૂપે પણ જાણતો નથી, છતાં હું બ્રહ્મથી અજ્ઞાત છું, તેને નથી જાણતો, તેવું પણ નથી. હું આત્મા કે બ્રહ્મને ‘જ્ઞાત’ ‘અજ્ઞાત’થી પર છે તેવી રીતે જાણું છું. હું તેને મુજથી અભિન્ન, અભેદ છે તેમ અપરોક્ષ રીતે જાણું છું.” આમ, શ્રુતિ પાસે જે વાચાતીત છે તેને વાચાથી સમજાવવા ગેબી, અલૌકિક, અદ્ભુત પરંપરા છે શબ્દોનો પ્રયોગ કરી-શબ્દો પાછા ખેંચી-સાર ... હૃદયમાં મૂકવાની. “હું તેને નથી જાણતો તેમ પણ નથી અને જાણું તેમ પણ માનતો નથી.”