________________
(૮) પણ આત્મા તરફ લઈ જઈ નહીં શકે, એટલું જ નહીં પ્રકૃતિ કે શ્વર પણ પરોક્ષ થઈ શકે તેમ નથી, તો પછી જે મારું સ્વરૂપ છે, જે અંત ચૈતન્ય છે તે કઈ રીતે મારાથી ભિન્ન થઈ મને દર્શન દે! તે કદાપિ પ્રત્યક્ષ ન થઈ શકે તેમજ જે મુજથી અભિન્ન છે તે પરોક્ષ પણ ન થઈ શકે.
આત્માની )
પ્રત્યક્ષ અનુભૂતિ ન થઈ શકે. બ્રહ્મની સ્વ-સ્વરૂપની ]
કારણ, આત્મા કદી દરય થઈ શકતો નથી. જે દરથ હોય તે રૂપવાન, આકીવાન હોય અને તેથી જ ચહ્યું તેને ગ્રહણ કરી શકે. આત્મા નિરાકાર છે, એટલું જ નહીં, જેને આકાર છે તેને નામ છે. જે સાકાર અને નામી છે તેનો જન્મ છે; જ્યારે આત્મા તો અજન્મા છે. ન જાય યિતે વા વારિત્ નાયમ્ મૂતા પવિતા વા ન મૂય: “આ આત્મા જન્મતો નથી, મરતો નથી તેમ જ કોઈ પણ વખત ન હોઈને ફરીથી થવાનો છે તેમ નથી. તેમ જ જન્મ્યો છે તે ભાવિમાં નથી રહેવાનો તેમ પણ નથી.” જ્યારે તેથી વિપરીત જે દશ્ય છે તે નાશ પામવાના સ્વભાવાળું છે. તૂટ: નર્ટ: સ્વભાવ: આમ, જેની જેની પ્રત્યક્ષ અનુભૂતિ છે તે નાશવાન છે. જ્યારે આત્મા આત્મા અવિનાશી છે તેની પ્રત્યક્ષ અનુભૂતિ સ્વપ્નમાં પણ શક્ય નથી. વિના તુ તતિ પેન સર્વવુિં તત૬/ તદુપરાંત આત્માને શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શ વગેરે ગુણો નથી તેથી તે ઈન્દ્રિયોથી પકડાય તેમ પણ નથી. તેથી આત્માને પ્રત્યક્ષ અનુભવવા મથતા વૈજ્ઞાનિક, તાર્કિકોને ખબર નથી કે કેટલા યુગો કે જન્મો સુધી પ્રયોગશાળાની પરિકમા કર્યા કરવી પડશે! અંતરાત્માને પોતાની બહાર શોધનારા, પ્રત્યક્ષ જોવા માગતા કદી સફળ થવાના નથી. જેમ તલની અંદર તેલ છે તે બહાર કેમ દેખાય! ચકમકનો અગ્નિ તેથી ભિન્ન દ્રશ્ય નથી. આંખ કીકીને શોધવા ભટક્યા કરે તેવી જ ભ્રાંતિમય શોધ આત્માને પોતાથી પૃથક પ્રત્યક્ષ અનુભવનાર ચલાવી રહ્યા છે. કબીરની ભાષામાં આવો પ્રયત્ન કેવો છે?
“જ્યાં તિલ મહી તેલ છે, જ્યાં ચકમકમેં આગિ; તેરા સાંઈ સુઝમેં, જાગિ સકે તો જાગિ.
જ્યો નૈનનમેં પૂતરી યોં ખાલિક ઘટ માંહિ; મૂરખ લોગ ન જન હીં, બહાર લૂંટન જાહિ.”