________________
થઈ શકે, તે ઉપરથી ચકાસણી અને ફેરારની નોંધ થઈ શકે તેવી શક્યતા હોય છે. પ્રત્યક્ષ અનુભવ માટે બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા રહેતી નથી.
(૨) પરોક્ષ અનુભૂતિ: જે અનુભવ ઈન્દ્રિયજન્ય નથી પણ અનુમાન કે તર્કગયું છે તેને પરોક્ષ અનુભવ કહે છે. અનુમાનની મદદથી જે અનુભવ પર અવાય છે તેમાં એક વસ્તુ શાત હોય છે તે ઉપરથી અજ્ઞાત વિશે અનુમાન કરવામાં આવે છે. આવી યિાને તાર્કિક કૂદકો અથવા “લોજિક્લ જમ્પ” પણ કહે છે. દા.ત.: સવારે ઊઠીને જમીન ભીની જોઈ તેથી નક્કી કર્યું કે રાત્રે વર્ષા થઈ હતી. રાત્રે થયેલી વર્ષા તે આંખો દ્વારા જોવાયેલ કે અનુભવાયેલ ઘટના નથી, તેનું પ્રત્યક્ષ જ્ઞાન નથી, પણ પરોક્ષ અનુભવ જરૂર છે. આમ, ભીની જમીન દશ્ય છે, શાત છે તેના આધારે જે વર્ષો અજ્ઞાત છે, અદશ્ય છે, તે ઉપર અનુમાન કર્યું અને રાત્રે વર્ષ થયેલી તેવો નિર્ણય ક્ય. આવી રીતે અનુમાન, તર્ક કે મનની મદદ દ્વારા જે અનુભવ થાય છે તેને પરોક્ષ અનુભૂતિ કહેવાય છે. ટૂંકમાં ઉપરોક્ષ અનુભૂતિ પણ 'પ્રત્યક્ષ’ના આધારે જ થાય છે. ઉપરનાં દ્રષ્ટાંતમાં “ભીની જમીન” પ્રત્યક્ષ છે. પરોક્ષ અનુભૂતિમાં મુખ્ય ત્રણ પ્રકારનાં અનુમાનનો સહારો લેવાય છે. :
अनुमान કાર્યથી કારણનું કારણ ઉપરથી
સાહચર્યથી અનુમાન કાર્ય વિશે અનુમાન
અનુમાન (૧) કાર્યથી કારણ વિશેનું અનુમાન
(૧) પુત્રને જોતા પિતાના અસ્તિત્વનો ખ્યાલ સ્પષ્ટ થાય છે. આધુનિક યુગમાં ભલે પિતા “ટેસ્ટટયૂબ” હોય. ભલે અજ્ઞાત પણ કારણ તો હોય જ તેવું અનુભવાય છે.
(૨) વૃક્ષને જોતાં જ તેનું કારણ બીજ છે તેવું સર્વસામાન્ય અનુમાન કરી શકાય છે અને તેવો પરોક્ષ અનુભવ વ્યવહારમાં સાચો પણ મનાય
(૩) ભવન કાર્ય છે તો તેનું કારણ કડિયો હોવો જ જોઈએ. (૪) દાગીના કાર્ય છે માટે સોની છે.