________________
છે છતાં સામાન્ય રીતે સુખપ્રાપ્તિ અને દુઃખમુક્તિ તે જ મનની સહજ પ્રવાસની દિશા રહી છે.
સુખ કે દુ:ખ મારી બહાર છે, |
દુખ કે સુખ બીજાથી જન્મે છે, તેવા ભ્રાંતિમય અનુભવથી વ્યક્તિ પીડાય છે માટે દુ:ખ દૂર કરવા જગતમાં પ્રયત્ન થાય છે, અને સુખ બીજેથી બહારથી આવે છે માટે સંસારમાં તેની શોધ ચાલુ રહે છે. માનવનું મન કાં તો કંઇ પ્રાપ્ત કરવા અથવા પ્રાપ્ત કરેલ વસ્તુથી ઉબાઈને તેનો ત્યાગ કરવા પ્રયત્નરત રહે છે. મન કાં તો વિષયવસ્તુને પોતાની સમીપ ખેંચે છે અથવા તે પરિસ્થિતિથી દૂર નાસવા પ્રયત્ન કરે છે. માનવમનની આ નાસભાગ-દોડાદોડ તેના પ્રયત્ન કે પરોક્ષ અનુભવ એટલે કે અનુભૂતિને આધારે જ થાય છે.
'પ્રત્યક્ષ અનુભૂતિ = અનુભવ ઉપરોક્ષ અનુભવ = અનુભૂતિ... દ્વારા જે કંઈ અનુભવાયું તેની પાછળ દોડાદોડમાં વ્યક્તિ અપરોક્ષ અનુભૂતિ જેવું કંઈ છે તેનો ખ્યાલ ચૂફી ગઈ. પ્રત્યક્ષ અર્થાત્ જે કંઈ દશ્ય છે તે, જે ઈન્દ્રિયો દ્વારા ભાગ્ય છે કે, સંપૂર્ણ સંસારનો જે અનુભવ કે અનુભૂતિ છે તે. અને જે અત્યારે દશ્ય નથી પણ શ્રાવ્ય છે અર્થાત્
સ્વર્ગની વાતો શ્રવણ કરી, અપ્સરાઓની કલ્પના હૃદયમાં કોતરી, જે કાલ્પનિક અનુભવ થાય તે પરોક્ષ અનુભૂતિ છે. “સ્વગીનો અનુભવ જે વાચન-શ્રવણથી મેળવ્યો તે પરોક્ષ છે. આપણે પ્રત્યક્ષ સંસારની પાછળ આંધળી દોટ મૂકી, દોટ આપણી સાચી હતી. દિશા ખોટી હતી. સત્યની અનુભૂતિ તો બાજુએ રહી પણ સમાજની સહાનુભૂતિ મેળવી આપણે થોભી ગયા અને ફરી ઉપરોક્ષ સ્વર્ગની અનુભૂતિ પામવા પુણ્યકર્મો તરફ દોડ્યાં પણ વાયા (તારા) પાપ-પુણ્ય તરફ જવાનો રસ્તો ન મૂક્યો અને આપણે પાછા ફર્યા.
આમ, ધરતી અને સ્વર્ગની જે દોડાદોડ છે તે પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભૂતિ કહી શકાય. છતાં મનુમતિની સમજણ માટે ત્રણ વિભાગ પાડવા યથાર્થ છે: (૧) પ્રત્યક્ષ (૨) પરોક્ષ (૩) અપરોક્ષ.
(૧) પ્રત્યક્ષ અનુભૂતિ: જે અનુભવ ઈક્સિની મદદથી થાય તે, જેને ઈન્દ્રિયગમ્ય જ્ઞાન પણ કહે છે. જ્ઞાનેન્દ્રિયજન્ય અનુભૂતિ ઉપર પ્રયોગ