________________
(૩) નથી, તેથી કદાપિ તે પ્રત્યક્ષ થઈ શકે નહિ. મુંક' કૃતિ જણાવે છે કે ર વકુવા ગૃદિરે નવ વાવા ના દે તપાસ કર્યા વા “આત્મા નેત્ર, વાણી, ઈન્દ્રિય, તપ કે કર્મથી પ્રાપ્ત થતો નથી.” તેવી જ રીતે આ આત્મા અનુમાનગમ પણ નથી અર્થાત આત્મા કદી પરોક્ષ થઈ શકે જ નહીં. કઈ રીતે અંતરાત્મા મુજથી દૂર, ભિન્ન, પરોક્ષ હોઈ શકે? અનુમાન, તર્ક કે મન દ્વારા તે સિદ્ધ થઈ શકે તેમ નથી, તે સાધ્ય પણ નથી. તે તો સ્વયં સિદ્ધ છે. તેત્તિરિય ઉપનિષદ કહે છે કે આત્મા મનનો વિષય નથી. “યતો વાવો નિવર્તિને અાપ્ય મનસા સર” જ્યાંથી વાણી, ઈન્દ્રિયો, મન તેને પ્રાપ્ત કર્યા વિના પાછાં ફરે છે તે આત્મતત્વ છે. આમ, કૃતિનાં સંદર્ભમાં, શાસ્ત્રોના અનુસંધાનમાં અને જ્ઞાનીના અનુભવમાં એક વાત સ્પષ્ટ છે કે, આત્મા નથી પ્રત્યક્ષ કે નથી પરોક્ષ અને છતાં તે નથી એમ નથી-તે તો સર્વ કાળે, સર્વ સ્થળે હાજરાહજૂર છે અને તેથી આત્મા નથી ઇન્દ્રિયગમ, નથી અનુમાનગમ, નથી દૂર, નથી પાસે, કારણ કે તે તો સાક્ષાત્ અપરોક્ષ છે. આમ જે અપરોક્ષ છે તે બ્રહ્મ કે આત્મા છે, અને જે બ્રહ્મ કે આત્મા છે તે જ માત્ર એક ‘અપરોક્ષ
આપણું “સ્વરૂપ' દી આપણાથી ભિન્ન, દૂર કે પરોક્ષ ન થઈ શકે. તેમ જ તેને પ્રત્યક્ષ પણ ન કહેવાય. કારણ કે દશ્ય પદાર્થોની જેમ
સ્વરૂપ” = આત્મા દશ્ય” બનતો નથી કે આપણે દૂર ઊભા રહી તેને જોઈ કે અનુભવી શકીએ. એક વાત સ્પષ્ટ સમજી લઈએ કે કદી પણ, ભ્રમણા કે ભ્રાંતિમાં પણ, ‘આત્મા’નાં દર્શન થાય નહીં. રામ, કૃષ્ણ કે કાળીનાં દર્શન શક્ય છે, પણ બ્રહ્મ કે આત્માનાં નહીં. દર્શન હંમેશા બીજાના
થાય.
દર્શન જે “સ્વ”થી દૂર છે તેનાં થાય દર્શન મુજથી જે ભિન્ન છે તેનાં થાય દૂરની વસ્તુનાં દૂરથી થાય તે દર્શન આત્મા’ તો અંતર્યામી છે. ક્યાં છે તેમાં કોઈ પાસ’ કે દૂર? સર્વવ્યાખના સહજરૂપે જ્ઞાનચક્ષુથી દર્શન
સર્વ સ્થળે.