________________
ચિંતન-મનન દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે આત્માનુભૂતિ પ્રત્યક્ષ કે પરોક્ષ નહીં પણ માત્ર અપરોક્ષ જ શક્ય છે. અપરોક્ષાનુભૂતિ એટલે જ આત્મજ્ઞાન કે બ્રહશાન કે સ્વ-સ્વરૂપશાન-saif Knowledge. માટે જ આપણી પરંપરામાં ‘સ્વ'ની શોધ, ખોજ, “હું કોણ?” તેવા જ્ઞાનને ઉત્કૃષ્ટ અને સર્વશ્રેષ્ઠ સ્થાન આપી, આત્મજ્ઞાનને પરમ પુરુષાર્થ ગણવામાં આવે છે. આત્મજ્ઞાનનું સ્થાન ધર્મ, અર્થ અને કામ કરતાં ઉન્નત અને ઉચ્ચ છે. જ્ઞાન પાસે સર્વ સિદ્ધિઓ, ચમત્કારો અને અનુભવો પાંગળા અને અપંગ ભાસે છે.
જ્યાં ઈન્દ્રિય કે બુદ્ધિ અથવા મન પ્રમાણ છે તેવા અનુભવો સંસારના ! છે અસંસારીના નહીં. તેવા સર્વ અનુભવો જડ સાથે છે, ચેતનનો તેને સ્પર્શ પણ નથી. આવો કોઇ અનુભવ ‘અનંત સાથેનો નથી, તમામ " નાશવાન પદાર્થોના ભ્રમણાત્મક પરિચયનો પ્રપંચ માત્ર છે. મન, ઈન્દ્રિય કે બુદ્ધિનો અનુભવ અંતિમ ન હોઈ શકે. કારણ, જેવું જેનું પ્રમાણ તેવો તેનો અનુભવ. જો પ્રમાણ જ અંતવાન હોય, Limited મર્યાદાયુક્ત હોય તો તે કદી અનંત કે અમર્યાદિત Limitless અનુભવ ન કરી શકે. . માટે એક વસ્તુ યાદ રાખીએ.
હજારોનો, અનેકનો અનુભવ એક માટે પણ શાન ન થઈ શકે જ્યારે માત્ર એકનું જ્ઞાન લાખો કે અગણિત લોકોનો અનુભવ થઇ શકે (એક્સપિરિયન્સ ઓફ થાઉસસ ઓફ પીપલ કેન નોટ બીકમ નોલેજ ફોર એ સિંગલ ઈન્ડિવિજ્યુઅલ બટ નૉલેજ ઓફ એ સિંગલ ઈન્ડિવિજયુઅલ કેન બીકમ એકસપિરિયન્સ ફોર મિલિયન્સ ઓફ પીપલ). આવી સ્પષ્ટ વાત છે છતાં સમાજ આજે અનુભવની પાછળ ગાંડો બન્યો; ઘેલો થઈ નાશવાન અનુભૂતિ પાછળ દોડયો. - થોડું વિચારીએ કે આપણા અનુભવ કેટલા ભ્રામક અને હાસ્યાસ્પદ છે:
(૧) મોટા ભાગનાનો સદેહે સગી આંખે જોયેલ અનુભવ છે કે સૂર્ય પૂર્વમાં ઊગી પશ્ચિમમાં આથમે છે. આવા લોકોનો તોટો નથી. આ દેશમાં તો આવું કથન કરનારા બહુમતીમાં જ મળશે. છતાં વિચારવાન સમજી શકે તે જ્ઞાન અનુભવથી તદ્દન વિપરીત છે. હકીકતમાં સૂર્યનો નથી ઉદય, નથી અસ્ત. પૃથ્વીના પરિભ્રમણથી ભાસ અને આભાસ થાય છે કે ઉદય અને અસ્ત સૂર્યના છે અને તે પણ પૂર્વ અને પશ્ચિમમાં જ્ઞાનમાં ઉદય