________________
છે.
જે કંઈ અસ્તિત્વમાં છે તેનો રચયિતા જરૂર હોવો જ જોઈએ. પછી તે આપણો પ્રત્યક્ષ જોયેલો હોય તેવું જરૂરી નથી. માટે જ આપણા હાથે બાંધેલી ઘડિયાળનો બનાવનાર ક્યાંક કોઈ કારખાનામાં હશે જ. તે વિશે આપણે શંકા ઉઠાવતા નથી, કારણ ઘડિયાળ અસ્તિત્વમાં છે. તેમ જ
mત અસ્તિત્વમાં છે માટે તેનું કારણ જરૂર ક્યાંક હશે. જગત કાર્ય છે અને કારણ વિના કાર્ય હોઈ શકે જ નહીં માટે ઈશ્વર કારણ છે. ભલે તે પ્રત્યક્ષ ન હોય, પણ છે જરૂર તેમાં બે મત નથી.
આમ કાર્ય ઉપરથી કારણ ઉપર જવાની પ્રક્રિયાને શાતથી અજ્ઞાત વિશેનું અનુમાન કહેવાય છે, જે પરોક્ષ અનુભવ માટે જરૂરી છે. (૨) કારાણથી કાર્ય વિશેનું અનુમાન
બીજ' કારણ છે. તેને પ્રત્યક્ષ જોઈ ખેતી થશે, વૃક્ષ ઉગશે તેવું અનુમાન શકય બને છે; અને તેવા પરોક્ષ અનુભવથી જ ખેતી માટે ખેડાણનું સાહસ કરાય છે. તેમ જ માટી જોઈ ઘડાના અને સોનું જોઈ ઘરેણાના નિર્માણની શક્યતાઓ સર્જાય છે. આમ, કારણ પરથી પણ કાર્ય વિશે અનુમાન કરીને પરોક્ષ અનુભવ એકત્રિત કરી શકાય છે. (૩) સાહચર્યથી અનુમાન
(૧) લગભગ સાથોસાથ વિહાર કરનારાં સ્ત્રી-પુરષ પતિ-પત્ની હશે તેવું સાહચર્યથી અનુમાન થઈ શકે. (૨) ગ્રહની સાથે રહી આગળપાછળ પરિભ્રમણ કરનાર ઉપગ્રહ કે ચંદ્ર હશે તેવું અનુમાન કરી શકાય. (૩) વિદ્યાથીઓની સાથે સાથે ફરનાર પણ મોટી ઉમરવાળો શિક્ષક હોવો જોઈએ. (૪) જે મૉડ નાખી કન્યાદાન માટે તૈયાર છે તે કન્યાના મા-બાપ હોવાં જોઈએ તેવું સાહચર્યથી નક્કી થઈ શકે. આમ, અનુમાનની મદદથી જે અનુભૂતિ થાય છે તેને પરોક્ષ અનુભૂતિ કહે છે.
માનવજીવનનો પાયાનો, પ્રાથમિક, વણખેડાયેલો પ્રશ્ન છે કે આત્માનો અનુભવ કઈ રીતે થાય? આત્મા પ્રત્યક્ષ છે કે પરોક્ષ? અનંત સમયથી ચાલી આવતી આ સમસ્યાની આજે પણ શોધ ચાલુ છે. ઈશ્વરની ખોજ, ભગવાનનાં દર્શન માટે મુમુક્ષુ ભટકી રહ્યો છે. તેની દોટ સાચી છે, દિશા ખોટી છે. તેની સ્વરૂપસાક્ષાત્કારની તલપ સાચી છે, તલાશ
ખોટી છે. આત્માની શોધ પેલા ચોર જેવી છે જે ચોર પોતે જ પોલીસનાં કપડાં પહેરીને ચોરની શોધમાં દોડાદોડ કરી રહ્યો છે. એક હકીકત સ્પષ્ટ સમજી લેવી જરૂરી છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભૂતિ કદી