________________
૪૭ वेदान्तार्थविचारेण जायते ज्ञानमुत्तमम् । तेनात्यन्तिकसंसारदुःखनाशो भवत्यनु ॥ ४७ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
વેદાન્તાર્થવિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ્ । તેનાત્યન્તિકસંસારદુઃખનાશો ભવત્યનુ ॥ ૪૭ ॥
શ્લોકનો ગદ્ય અન્વય :– વેવાન્તાર્થવિવારેળ ઉત્તમ જ્ઞાનં નાયતે । તેન અનુ आत्यन्तिकसंसारदुःखनाशः भवति ॥ ४७ ॥
શબ્દાર્થ :- વેવાન્ત-અર્થ-વિવારેળ । - વેદાન્તનાં વાક્યોનાં અર્થની વિચારણા
કરવાથી, એનો સ્વાધ્યાય કરવાથી, એનાં ચિંતન-મનન કરવાથી, ઉત્તમ જ્ઞાનં ગાયતે ઉત્તમ જ્ઞાન થાય છે, તેન અનુ તેમ કર્યા પછી તરત જ, પ્રત્યન્તિનसंसारदुःखनाशः આ સામાસિક શબ્દમાં આત્તિજ એ શબ્દ નાશ:નું વિશેષણ છે. સંસારનાં દુઃખોનો નાશ કેવો ? આત્મન્તિક, એટલે કે સંપૂર્ણ, પૂરેપૂરો, નિઃશેષ, ́ भवति થાય છે. (૪૭)
અનુવાદ :– વેદાન્ત(વાક્યો)ના અર્થની વિચારણા કરવાથી ઉત્તમ જ્ઞાન (પ્રાસ) થાય છે, (અને) ત્યારપછી તરત જ સંસારનાં દુઃખોનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. (૪૭)
ટિપ્પણ :~ આ શ્લોક પણ સહેલો જ છે. માત્ર, એક વેવાન્ત-શબ્દ, પરિચિત હોવા છતાં, એનો તાત્ત્વિક અર્થ સમજવાનો રહે છે ઃ સંસ્કૃત સાહિત્યના બે ભાગ પાડવામાં આવ્યા છે : વૈદિક' સાહિત્ય અને પ્રશિષ્ટ' સાહિત્ય. આ વૈદિક સાહિત્યના પણ ચાર પેટા વિભાગો આ પ્રમાણે છે : ચાર વેદો, બ્રાહ્મણ-ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો. ત્યારપછીનું રામાયણ-મહાભારતથી શરૂ થતું સઘળું સાહિત્ય ‘પ્રશિષ્ટ સાહિત્ય' (Classical Literature) કહેવાય છે.
-
વૈદિક સાહિત્યમાં, ઉપનિષદો છેક છેલ્લે, અંતે, આવતાં હોવાથી, અને એમાં વેદોનો ‘અંત’, એટલે કે ‘સાર' (Essence) હોવાથી, ઉપનિષદોને વેદાન્ત' કહેવામાં આવે છે.
એક બીજી, એવી જ, મહત્ત્વની હકીકત લક્ષમાં રાખવા જેવી છે : ભારતીય ‘દર્શન'ની, એટલે કે તત્ત્વજ્ઞાનની, છ પદ્ધતિઓ (Six systems of Indian philosophy) આ પ્રમાણે છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. આ ઉત્તરમીમાંસા એટલે જ ‘વેદાન્તદર્શન' જેમાં, મહદંશે, ઉપનિષદનાં ચિંતનને વણી લેવામાં આવ્યું છે.
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૭) ૧૧૨ / વિવેકચૂડામણિ