________________
કે “અન્યની વાત (વાર્તા) જ સંભવતી નથી : જે હંમેશાં Unitary (‘એકાત્મક) જ છે, ત્યાં બીજું કે “અન્ય” કોણ, ક્યાંથી, કેવી રીતે ? જ્યાં Unity (“એકતા') જ છે, ત્યાં Diversity (ભિન્નતા) કે Plurality(‘અનેકતા)ની શક્યતા જ શી રીતે?
આ સનાતન અને શાશ્વત સત્યને સ્થાપવા માટે, આચાર્યશ્રીએ, જાગ્રત-સ્વપ્નસુષુપ્તિ એ ત્રણ અવસ્થાઓમાંની સુષુપ્તિ-અવસ્થાનો અહીં સમુચિત સંદર્ભ ટાંક્યો છેઃ સુષુપ્તિ એટલે ગાઢનિદ્રા (Deep Sleep), સ્વપ્ન-વિહીન નિદ્રા (Dreamless Sleep). આ અવસ્થા એવી છે, જ્યાં ભિન્નતાનાં સર્જક એવાં મન અને બુદ્ધિની સર્વ ક્રિયાઓ-વૃત્તિઓ-પ્રવૃત્તિઓ સંપૂર્ણરીતે બંધ પડી જાય છે; માત્ર એક જ અનુભૂતિ થતી હોય છે અને તે છે અખંડ-અવિરત-એકધારું સુખ ! આવી અવસ્થામાં, બૃહદારણ્યક-ઉપનિષદ કહે છે તેમ, જોતી વખતે પણ માણસ કહે છે કે “હું કશું જોતો નથી !” -
यद् वै तद् न पश्यति, पश्यन् वै तद् न पश्यति ।
આ એવી અવસ્થા છે, જ્યાં સઘળો જગત-પ્રપંચ શમી ગયો હોય છે અને માણસ સંપૂર્ણરીતે “બ્રહ્માકાર' બની ગયો હોય છે. આથી જ સ્તોત્રકારે, પોતાના એક શ્લોકમાં, નિદ્રાને “સમાધિ” કહી છે : “નિદ્રા સમfધસ્થિતિઃ ” ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞા બંને, બે મટીને “એકાકાર' જ બની રહે છે ! અને “એકાકાર” એટલે “સુખાકાર', સુખમાત્ર-આકાર' ! એક અને અખંડ, અતીન્દ્રિય અને અલૌકિક સુખ! ( શ્લોકની બંને પંક્તિઓમાં ભલે પ્રશ્નો (થે અને તેન) પૂછાયા હોય, - એ બને પ્રશ્નો, “કાકુ-પ્રશ્ન' જેવા ઉત્તર-ગર્ભ છે, સવાલમાં જ જવાબ સમાવિષ્ટ થઈ ગયેલો હોય છે : શું ભવેત્ ? - પર્વ તું ને વાપિ ભવેત્ વેન अवलोकितः ? न तु केन अपि अवलोकितः ।
જ્યાં સઘળું “એકાત્મક’ જ હોય ત્યાં “અન્ય શું અને કેવું ? છાન્દોગ્યઉપનિષદનાં શ્રુતિવચન પ્રમાણે, આ તો ભૂમાની જ અનુભૂતિ છે !
શ્લોકનો છંદ : અનુષુપ (૪૦૪)
૪૦૫ न ह्यस्ति विश्वं परतत्त्वबोधात्
सदात्मनि ब्रह्मणि निर्विकल्पे । कालत्रये नाऽप्यहिरीक्षितो गुणे
न ह्यम्बुबिन्दुमूंगतृष्णिकायाम् ॥४०५॥ - વિવેચૂડામણિ | ૭૮૭