________________
અને આનંદની સ્થિતિમાં સ્થિર રહે છે. (૪૧૬) ટિપ્પણ :
નિરંતર નિર્મળ જ્ઞાનસ્વરૂપ અને આનંદ-સ્વરૂપ એવા પરમાત્માને સંપૂર્ણરીતે પામ્યા પછી, જગત સાથે સંકળાયેલી સર્વ જડ અને મલિન એવી દેહાદિ ઉપાધિઓને, તેનું કદાપિ સ્મરણ જ ન થાય એવી રીતે, પૂરેપૂરી, ત્યજી દેવાનો આદેશ ગયા
શ્લોકમાં સાધકને આપવામાં આવ્યો હતો અને એ બધી ઉપાધિઓ પ્રત્યે એનાં ચિત્તમાં નફરતનો ઉપેક્ષા-ભાવ હંમેશાં સુદઢ-સ્વરૂપે સ્થપાઈ જાય એવા શુભ-ઉદ્દેશથી પ્રેરાઈને, આચાર્યશ્રીએ, એ સર્વ અનિષ્ટો માટે જુગુપ્સાપ્રેરક “વાસ્ત-વસ્તુ' (Vomitted matter) એ શબ્દ પ્રયોજ્યો હતો.
પરંતુ અહીં તો, આભાસરૂપે માત્ર દેખાતી, પડછાયા અને શબ જેવી એ બધી ઉપાધિઓને, ત્રણેય કાળમાં સતત સસ્વરૂપ અને નિર્વિકલ્પ એવા બ્રહ્મ-અગ્નિમાં, માયા અને વાસના જેવાં તેનાં મૂળિયાં સહિત, બાળીને રાખ કરી નાખવાની જ વાત છે.
પણ આવું કામ, ધારીએ તેવું સહેલું નથી : આવી વિરલ સક્ષમતા પ્રાપ્ત કરવા માટે તો સાધક, માત્ર “બહુશ્રુત” (Well-read) જ હોય, એ પર્યાપ્ત નથી, - તેણે તો “બહુશ્રુતોમાંયે “સર્વોત્તમ બહુશ્રુત”, - એવા “સર્વશ્રેષ્ઠ જ્ઞાની (વિવરિષ્ઠ)' જ બનવું પડે અને પછી તો, સતત પરિશુદ્ધ એવાં જ્ઞાનાનન્દનાં સ્વરૂપે, સ્વયમેવ સદા સ્થિર રહેવાનું પરમ સદ્ભાગ્ય, તેને યત્નવિહીન સરળતાથી (Spontaneously), સામેથી જ સાંપડે, એ સ્વાભાવિક છે.
દરેક મુમુક્ષુ સાધક આવો “વિદ્-વરિષ્ઠ” (The best among the men of Perfection) બને, એવી શુભ અપેક્ષા, આચાર્યશ્રી, સેવે, એ પણ એક આદર્શ સદ્ગુરુ તરીકે, તેમના માટે, એટલું જ સ્વાભાવિક છે.
શ્લોકનો છંદ ઉપજાતિ (૪૧૬)
૪૧૦ प्रारब्धसूत्रग्रथितं शरीरं
प्रयातु वा तिष्ठतु गोरिव स्रक् । न तत् पुनः पश्यति तत्त्ववेत्ता-ऽऽनन्दात्मनि ब्रह्मणि लीनवृत्तिः ॥१७॥
૮૧૪ | વિવેકચૂડામણિ