________________
જાય છે. (૪૯૭) ટિપ્પણ:
જ્ઞાનમૂર્તિ ગુરુદેવનાં સચોટ માર્ગદર્શનનાં પરિણામે અને પ્રભાવે, શિષ્યને હવે સચ્ચિદાનંદ-(સચિદ્-આનંદ)-સ્વરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એટલે તે સ્વયં આનંદ-સ્વરૂપ, સુખ-સ્વરૂપ (Divine Bliss) બની ગયો છે. પરંતુ આ “સુખ કોઈ સામાન્ય, સ્થૂલ સ્વરૂપનું નથી, પરમબ્રહ્મનાં મૂળ-સ્વરૂપમાંનું (સચિ આનંદમાંનું) ઈશ્વરીય-આત્મિક સુખ છે; એટલે, આવાં સુખની બે વિશિષ્ટતા આ પ્રકારની હોય છે : એક, એ સુખ કોઈ મર્યાદિત સમયાવધિ પૂરતું જ નથી હોતું, અણઅટક્યું, સાતત્યપૂર્ણ, “અખંડ હોય છે, અને બીજી, - આવાં સુખ’નું સ્વરૂપ, એનું કદ (Size, Quantity) નાનકડું નથી હોતું, આવાં સુખનો તો મોટો સમુદ્ર, (મોધ) જ હોય !
શિષ્ય અત્યારે, પોતે જ, “અખંડ-સુખ-સાગર' બની ગયો છે ! છાંદોગ્ય-ઉપનિષ્ટના ઋષિએ પણ, – યો વૈ બૂમાં તત્ સુવું, ન મળ્યે સુવું અતિ . (૭, ૨૪, ૧) (“ભૂમા એટલે કે “નિરતિશય” એ જ સુખ છે, અલ્પ એ સુખ નથી !”) - એમ કહીને, અખંડ-સુખના આ સાગરનું જ સમર્થન કર્યું છે.
"C4HL" (Abundance, Plenty,' A large quantity, Maximum) એટલે જ, આ શિષ્યનો પ્રવર્તમાન “અખંડ સુખ-સમુદ્ર !”
પરંતુ આ સમુદ્ર, શિષ્યનો નથી, શિષ્ય-સ્વરૂપ' છે : તે પોતે જ અત્યારે આવો “અખંડ સુખ-સમુદ્ર બની ગયો છે !
અત્યારસુધીમાં પોતાનાં જીવનમાં, એટલે કે હમણાં એને જે અભૂતપૂર્વ આનંદની ઉપલબ્ધિ થઈ તે પહેલાંનાં પોતાનાં ભૂતપૂર્વ જીવનમાં, તેણે, વંટોળને કારણે દરિયામાં ઊછળતાં મોજાં જોયાં હતાં. તે વખતે, તે શાબ્દિક અર્થમાં, “તટસ્થ” હતો, દરિયાના તટ પર, કાંઠા પર, ઊભો જ હતો; એટલે એ સમુદ્રતરંગોનું દર્શન, તેણે, કેવળ ‘તટસ્થભાવે જ કર્યું હતું !
પરંતુ આજે તો, તે કહે છે કે “હું પોતે જ અખંડ સુખનો સમુદ્ર (મઉ—સુd-hોધી મય) બની ગયો છું અને, હવે તો, હું પેલા ભૌતિક-વાસ્તવિક જગતમાં રહ્યો નથી, એટલે, માયાનાં વા-વંટોળને કારણે, જગતરૂપી આવાં અનેક મોજાંઓનાં તોફાનોને, ઉત્પન્ન થતાં અને વિલીન થઈ જતાં, હું, મારાં-પોતાનાં-માં જ (વિ) પ્રત્યક્ષ જોઈ રહ્યો છું, અનુભવી રહ્યો છું !
૯૮૬ | વિવેકચૂડામણિ