________________
એટલે ‘આવો', ‘આવાં સ્વરૂપવાળો'; પરંતુ હું તો અની છું, એટલે કોઈના જેવો નહીં, સાવ જૂદો જ, વિલક્ષણ, નોખો-નિરાળો છું; સ્વયંખ્યોતિ: એટલે સ્વયંપ્રકાશ, પોતે જાતે જ પ્રકાશનાર : પરંતુ હું તો સૌથી વિલક્ષણ અને સ્વયંપ્રકાશ એવો તે આત્મા પોતે જ હું છું. (૫૦૮)
અનુવાદ :
હું નથી કર્તા, કે નથી કરાવનાર; હું નથી ભોક્તા કે ભોગાવાવનાર; હું નથી જોનાર, કે નથી બતાવનાર ઃ (પરંતુ) હું તો સૌથી વિલક્ષણ, સ્વયંપ્રકાશ એવો તે આત્મા પોતે જ છું ! (૫૦૮)
ટિપ્પણ :
શ્લોક સહેલો છે, વાક્યરચના પણ સરળ છે અને શ્લોકમાંના સર્વ શબ્દોના અર્થ પણ શબ્દાર્થ-વિભાગમાં સ્પષ્ટ સમજાવવામાં આવ્યા છે.
પરંતુ શિષ્યનું પ્રવર્તમાન વ્યક્તિત્વ આવું વિલક્ષણ, અસામાન્ય અને પરસ્પરવિરોધી શા માટે છે ? - તે સમજવાનો પ્રયત્ન કરીએ :
પ્રથમ ત્રણ પંક્તિઓમાં શિષ્યે પોતાના માટે ત્રણ નિષેધાત્મક (Negative) વિધાનો કર્યાં છે : “હું આ કે આવો પણ નથી અને તે કે તેવો પણ નથી”, - વગેરે, વગેરે. અને છેલ્લી પંક્તિમાં તેણે પોતાનાં સ્વરૂપ વિશે સંક્ષિપ્ત છતાં સચોટ હકારાત્મક (Positive) વિધાન કરી દીધું છે કે “હું તો, ખરેખર, આ અને આવો જ છું !” અને તેણે પોતાના માટે પ્રયોજેલાં બંને વિશેષણો, સાચે જ, અત્યંત સૂચક (Significant) અને સાર્થક છે ઃ
અનીવૃત્ - એ વિશેષણ ભલે બાહ્ય દૃષ્ટિએ હકારાત્મક હોય, - હકીકતમાં, એ પણ નિષેધાત્મક જ છે ઃ અન્ + વૃ : “આવો હું નથી !” આવો' (વૃ) એટલે કેવો ? પ્રથમ ત્રણ પંક્તિમાં નિર્દિષ્ટ એવી છ ક્રિયાઓ, - કર્તા-કારયિતા, ભોક્તા-ભોજયિતા, દૃષ્ટા-દર્શયિતા, – કરનારો હું નથી ! પરંતુ વૃક્ - શબ્દ માત્ર આટલી છ જ ક્રિયાઓનો નિર્દેશક નથી : એમાં તો એનાં સંપૂર્ણ નિરાળાપણાનું સૂચન છે, - કોઈની સાથે તેને ન સરખાવી શકાય તેવો : અનુપમ, નિરુપમ, અજોડ : Incomparable, Unique, Transcendental !
-
હકીકતમાં, આ અનીતૂ - વિશેષણ, પરમતત્ત્વનાં વર્ણનરૂપ, બૃહદારણ્યકઉપનિષદમાંનાં “નૈતિ-નૈતિ" - એ સુપ્રસિદ્ધ શબ્દોની લગભગ લગોલગ પહોંચી જાય છે ! - અને શ્વેતાશ્વતર-ઉપનિષદનું આ વાક્ય પણ આ અનીવૃક્ - શબ્દને આ રીતે સમર્થિત કરે છે :
૧૦૧૨ | વિવેકચૂડામણિ