________________
શાસ્ત્ર-પુરાણનિ સનનિ ભૂતાનિ પિ | વેદો, શાસ્ત્રો, પુરાણો, અને આ સકળ ભૂતો પણ. (પ૩૫) અનુવાદ :
વેદો, શાસ્ત્રો, પુરાણો, અને આ સર્વ ભૂતો પણ જેને લીધે સાર્થક બને છે, - તે વિજ્ઞાતાને બીજું શું પ્રકાશિત કરી શકે ? (૫૩૫) ટિપ્પણ:
કોઈકને એવું લાગવાનો સંભવ ખરો, કે આ બધાંનો ઉપદેશ તો, ગુરુદેવે, આ પહેલાં પણ, એટલે કે આ પ્રસ્તુત શિષ્ય “જીવન્મુક્ત'-પદની પરમોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી તે પહેલાં, આપ્યો જ હતો, તો પછી, એ જ ઉપદેશનું પુનરાવર્તન, ગુરુદેવ, શા માટે કરે છે ?
વાત સાચી છે, પરંતુ સંદર્ભ સાવ જૂદો છે. પહેલાં તો, શિષ્યને, એની મોક્ષપ્રાપ્તિની યાત્રામાં, આવો ઉપદેશ સહાયક અને માર્ગદર્શક બને એ જ હેતુ હતો; બ્રહ્મસાયુજય પામ્યા પછી પણ, આ “જીવન્મુક્ત” શિષ્યને, પોતાના આયુષ્યનો શેષ સમય જીવવાનું તો આ જ નશ્વર જગતમાં અને અનાત્મા-પદાર્થોથી સભર એવા આ જ સંસારમાં છે.
શિષ્યના પક્ષે, અલબત્ત, એની પ્રવર્તમાન સિદ્ધિનાં સદ્ધર અને સમૃદ્ધ પાસાંને અનુલક્ષીને, એવી દલીલ અવશ્ય થઈ શકે કે હવે એને આવા કશા જ ઉપદેશની જરૂર નથી. છતાં, આ બે હકીકતો, લક્ષમાં રાખવા જેવી છે : એક તો એ કે ગુરુદેવ અત્યારે જે કંઈ પ્રતિપાદન કરી રહ્યા છે તે, અગાઉ કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે, શાસ્ત્રોક્ત પરંપરા મુજબ, ગુરુદેવ, પોતાના આ ઉપસંહારાત્મક ઉપદેશમાં, શિષ્યને, તેનાં જીવનનાં “અમૂલ્ય સંકેત-સૂત્રોનું આવશ્યક પ્રદાન કરી રહ્યા છે. અને બીજું એ કે શ્લોક-પ૩૦થી શરૂ થયેલા, “અપેક્ષા'ના મુદ્દાના અનુસંધાનમાં જ, ગુરુદેવ, આ બધું કહી રહ્યા છે : સમગ્ર જગતને પોતાનાં તેજ વડે પ્રકાશિત કરનાર સ્વયંપ્રકાશક જ્ઞાનસ્વરૂપ આત્મા, એ જ, હવે તો, શિષ્ય પોતે બની રહ્યો છે ત્યારે, તેની પોતાની અત્યારની અવસ્થામાં પણ, એ હકીકત એના ખ્યાલ બહાર ન રહી જવી જોઈએ કે જેનું તાદાસ્યું તે પામી રહ્યો છે તે આત્મા, એવો સ્વયંસંપૂર્ણ, સ્વયંપ્રકાશક, સ્વયંસિદ્ધ અને સર્વવિજ્ઞાતા છે કે તે, સર્વ પ્રમાણો-નિયમોની અપેક્ષાથી પર છે.
ઉપદેશ ભલે એ જ છે, પરંતુ એનાં આચરણ(Application)નો સંદર્ભ બદલાયો છે, એ હકીકત જ ગુરુદેવના ઉપદેશની પ્રયોજનવત્તા અને પ્રસ્તુતતા સાબિત તે કરે છે.
વિવેકપૂડામણિ | ૧૦૬૯