________________
શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : () માં દ્રવિ-૩ત્તમ: સ્વયં સાક્ષાત્ શિવ: પવ (તિ) / બ્રહ્મવિદ્-ઉત્તમ. I એટલે બ્રહ્મજ્ઞાનીઓમાં ઉત્તમ, શ્રેષ્ઠ; એટલે શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની; તે આ શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની પોતે સાક્ષાત્ શિવસ્વરૂપ જ છે.
કેવા શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાનીની આ વાત છે? - ૩ઃ વત્તાત્મના તિષ્ઠત્ ! જે કેવલ આત્મભાવે જ રહે છે, જે માત્ર આત્માસ્વરૂપે જ રહે છે. શું કર્યા પછી તે આ રીતે રહે છે? નસ્ય-મસ્તસ્ય-તિં ત્યજેવા I તક્ષ્ય એટલે કોઈક નક્કી કરેલું પ્રાપ્તવ્ય, સગુણ-સાકારરૂપી “લક્ષ્ય', કોઈક નિશ્ચિત ધ્યેય; મનસ્ય એટલે આવું શક્ય ન હોય, તેવું, કંઈક; નિર્ગુણ-નિરાકારરૂપી “અલક્ષ્ય'. અતિ એટલે દષ્ટિ, સ્થિતિ, ભાવના, વિભાવના; ત્યવી - એટલે ત્યજીને, છોડીને. (૫૫૪) અનુવાદ :
લક્ષ્ય અને “અલક્ષ્ય' બંને પ્રકારની સ્થિતિઓને ત્યજીને, જે, કેવલ આત્માસ્વરૂપે જ રહે છે, તે શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની પોતે સાક્ષાત્ શિવ-સ્વરૂપે જ છે. (પપ૪) ટિપ્પણ:
આમ તો, બ્રહ્મવેત્તાની અંગત દૃષ્ટિએ, બ્રહ્મ સિવાય અન્ય કશું હોતું જ નથી : તેનાં સમગ્ર જીવનનું એક માત્ર લક્ષ્ય” (Goal, Aim) માત્ર “બ્રહ્મ” જ હોય છે, અને તે તો તેણે પોતાના ગુરુદેવની કૃપાથી પ્રાપ્ત કરી લીધું છે, – હકીકતમાં તે તો આ લક્ષ્યસ્વરૂપ જ, બ્રહ્મસ્વરૂપ જ, બની ગયો છે; એટલે તેના માટે કોઈ બીજું, ભિન્ન, લક્ષ્ય રહેતું જ નથી.
પરંતુ પરિસ્થિતિ આવી હોવાને કારણે, તે જડ, નિષ્ક્રિય, આળસુ કે સુષુપ્તની જેમ જ્ઞાનશૂન્ય પણ હોતો નથી. સ્વયં ચિસ્વરૂપ હોવાથી, તેનું જીવન રસવિહીન કે નીરસ પણ નથી, “અલક્ષ્ય' એટલે કે લક્ષ્ય-વિહોણું પણ નથી, કારણ કે તે તો સદા આત્મનિષ્ઠ છે, કેવલ આત્મ-સ્વરૂપ જ છે. આમ, તે, આ બંને ગતિઓથી પર બની ગયો છે.
કેટલાક મનુષ્યો એવા હોય છે, જે, સગુણ-સાકારને જ પોતાનાં જીવનનું લક્ષ્ય' સમજે છે અને નિર્ગુણ-નિરાકારને “અલક્ષ્ય' સમજે છે. પરંતુ સૂક્ષ્મ બ્રાહ્મી વિભાવના પ્રમાણે તો, આવી બંને દૃષ્ટિઓ અનુચિત છે : હકીકત એ છે કે લક્ષ્યઅલક્ષ્ય, સાકાર-નિરાકાર, સગુણ-નિર્ગુણ, શેય-અજ્ઞેય, - આવી બધી ગતિઓ, બ્રહ્મવેત્તાની દષ્ટિએ, “સાપેક્ષ' કહેવાય, અને શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની (દ્રવિકુત્તમ) તો, પોતાને માત્ર “નિરપેક્ષ'-સ્વરૂપે જ જાણે છે, અને એવા કેવલ” “નિરપેક્ષ'-આત્મા
૧૧૧૨ | વિવેકચૂડામણિ