________________
એવું નિષેધાત્મક નિરૂપણ કરવાની જરૂર એટલા માટે છે કે “શરીરત્યાગ” તો દરેક મનુષ્ય કરવાનો જ હોય છે, - સ્વાભાવિક અને નિયત-સમયનાં મૃત્યુનાં માધ્યમથી, અથવા આત્મહત્યા દ્વારા ! આને જ જો મોક્ષ માનવામાં આવે, તો-તો એ મોક્ષની, સુદ્ર, ક્ષુલ્લક, સાવ-સસ્તી અને હીનતમ કક્ષાની વ્યાખ્યા ગણાય ! અને દરેક મનુષ્ય મોક્ષ માટે પાત્ર બને !
અને એ જ રીતે, “પરિવ્રાજક બનવા માટે, સંન્યાસી, પોતાનાં “દંડ-કમંડલ'નો ત્યાગ કરે છે, તેને જો મોક્ષ તરીકે સ્વીકારીએ તો, તે પણ મોક્ષ વિશેની “ભ્રાંતિ' અથવા “ભ્રમણા જ ગણાય, કારણ કે દંડ-કમંડલ' એ તો, સંન્યાસી માટેનાં માત્ર બાહ્ય ઉપકરણો જ છે !
મોક્ષની ઉપર્યુક્ત વિભાવનામાં, આત્માની “સંસારયાતના' તો ચાલુ જ રહે છે ! આત્મા શરીરનો ત્યાગ કરે કે સાધક-સંન્યાસી દંડ-કમંડલુ છોડે, એ પ્રકારનો પૂલ-બાહ્ય ત્યાગ એ, હરગીઝ, મોક્ષ નથી.
આવા સઘળા ઔપચારિક ત્યાગ પછી પણ, અંતકરણમાં રહેલાં અજ્ઞાનની ગાંઠ જો છૂટ્યા-વિનાની, એવી ને એવી જ, સુદઢ રીતે, સુબદ્ધ રહે તો, એ તો “મોક્ષ” જેવી પરમ-પાવન અને સર્વોચ્ચ-વિરલ ઘટનાની હાંસી (Ridicule) જ થઈ ગણાય !
આચાર્યશ્રી, આથી જ, ગમે તે રીતે (યત: તા:), અવિદ્યાની, આ હૃદયગ્રંથિનાં સંપૂર્ણ છેદન-ભેદનને જ મોક્ષ તરીકે પ્રસ્થાપિત કરે છે; કારણ કે અવિદ્યાની આ ગાંઠમાં, એનાં મૂળમાં, રહેલી બીજી ત્રણ ગાંઠો(અજ્ઞાન, કામ અને કર્મરૂપી ગાંઠો)નો પણ સમાવિષ્ટ થઈ જાય છે.
બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી સમ્રાટ અશોકે પોતાનાં સર્વસ્વનો, પોતાનાં સામ્રાજય સુદ્ધાનો-ત્યાગ કર્યો, અને છતાં તેને એક દુ:ખ સતત પડતું હતું, અને તે એ કે “મેં મારાં સર્વસ્વનો ત્યાગ કર્યો તે છતાં, મને મનઃશાંતિ કેમ મળતી નથી ?”
ભગવાન બુદ્ધના પટ્ટશિષ્ય આનંદ સમક્ષ જ્યારે તેણે પોતાની આ ફરિયાદ અભિવ્યક્ત કરી ત્યારે, આનંદે કરેલી સ્પષ્ટતા, આ અનુસંધાનમાં, યાદ રાખવા જેવી છે : “હે ભંતે ! તમે સર્વસ્વનો ત્યાગ કર્યો છે, એ વાત સાચી છે, પરંતુ આવો ‘ત્યાગ કર્યાની સભાનતા(Consciousness)નો ત્યાગ' હજુ સુધી તમે કર્યો નથી !”
‘ત્યાગ કર્યાની સભાનતાના ત્યાગનું સમર્થન મહાભારત(શાંતિપવીમાં આ પ્રમાણે કરવામાં આવ્યું છે :
ત્યગરિ તત્ ત્યા - ૧૨, ૩૧૬-૪૦ [“જેના વડે તું સર્વસ્વનો ત્યાગ કરે છે, તે(સભાનતા)નો પણ ત્યાગ કર.”]
૧૧૨૪ | વિવેકચૂડામણિ