________________
પ૬
घटे नष्टे यथा व्योम व्योमैव भवति स्फुटम् ।
तथैवोपाधिविलये ब्रह्मैव ब्रह्मवित् स्वयम् ॥५६६॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
ઘટે નષ્ટ યથા વ્યોમ વ્યોમૈવ ભવતિ સ્કુટમ્ |
તથેવોપાધિવિલયે બ્રશૈવ બ્રહ્મવિત્ સ્વયમ્ //પદી શ્લોકનો ગદ્ય અન્વય : -
___ यथा घटे नष्टे व्योम, व्योम एव स्फुटं भवति, तथा एव उपाधिविलये, ब्रह्मवित् स्वयं ब्रह्म एव (भवति) ॥५६६॥ શબ્દાર્થ :
આ શ્લોકમાં પણ, યથાપૂર્વ, યથાતથા–એવી વાક્યરચનાવાળાં બે સ્વતંત્ર વાક્યો. આ પ્રમાણે છે :
(૧) તથા પવ બ્રહ્મવિત સ્વયં બ્રહ્મ (અવંતિ) / બ્રહ્મજ્ઞાની પોતે જ બ્રહ્મ બની જાય છે. ક્યારે ? ૩પfધવિયે . વિનય એટલે નાશ. શરીર-બુદ્ધિ-ઇન્દ્રિયો વગેરે ઉપાધિનો નાશ થાય ત્યારે. તથા ઇવ – તેવી રીતે. એટલે કેવી રીતે ?
હવે પછીનાં બીજાં વાક્યમાંનાં દૃષ્ટાંત પ્રમાણે.
(૨) વ્યોમ, વ્યોમ ઇવ મવતિ ! વ્યોમ એટલે આકાશ, (Space, Ether). ઘડામાં રહેલું આકાશ (વ્યો : “ઘટાકાશ'), ઘડાની બહાર રહેલું, મૂળ આકાશ, એટલે “મહા-આકાશ' (ચોમ : “મહાકાશ) જ બની જાય છે. ક્યારે ? ઘટે નષ્ટ (સતિ) ઘડો નાશ પામે ત્યારે, ઘડો ફૂટી જાય ત્યારે. અહીં વાક્યમાં “સતિસપ્તમી વાક્યરચના છે. સુરમ્ એટલે સ્પષ્ટ, સ્પષ્ટ રીતે. ઘડાનો નાશ થતાં, જેમ ઘટાકાશ “મહાકાશ' બની જાય છે તેમ, બ્રહ્મવેત્તા સ્વયં બ્રહ્મ જ બની જાય છે. (પ૬૬) અનુવાદ :
ઘડાનો નાશ થતાં, (એમાં રહેલું) “આકાશ', બહારનાં) “આકાશ-સ્વરૂપ જ છે, એવું સ્પષ્ટ થાય છે, તેવી જ રીતે, (શરીર-વગેરે) ઉપાધિનો નાશ થતાં, બ્રહ્મવેત્તા સ્વયં બ્રહ્મ જ બની જાય છે. (પ૬૬) ફર્મા - ૭૨
- વિવેકચૂડામણિ | ૧૧૩૭