________________
શ્લોકનો ગદ્ય અન્વયઃ
भानुना इव यस्य (आत्मनः) तेजसा सर्वं अनात्मकं, असत्, तुच्छं जगत् પાસતે, તસ્ય (નાત્મનઃ) અવકાસવં 7િ ( ) ? વરૂા . શબ્દાર્થ :
| મુખ્ય વાક્ય : ત૭ (સાત્મન:) સંવમાસ f નું થાત્ ? | અવમા એટલે પ્રકાશનારું, પ્રકાશક, પ્રકાશમાં લાવનારું. તે આત્માને પ્રકાશનારું બીજું) કોઈ શું હોઈ શકે ?
તે આત્મા, કેવો છે? - યસ્થ તેના સર્વ ગત્ માતે, સ: | જેનાં તેજ વડે આ આખું જગત ભાસે છે, દેખાય છે, જણાય છે, તે, તેવો આત્મા. જગત કેવું છે ? - આ પ્રમાણે ત્રણ વિશેષણો : (૧) મનાત્મન્ ! જે આત્મા નથી, તેવું; અનાત્મા; (૨) અસત્ ! અસત્ય, મિથ્યા; (૩) તુચ્છ I તુર૭, નિઃસત્ત્વ, ક્ષુદ્ર.
આત્માનાં તેજથી જગત, કોની જેમ ભાસે છે? - મનુના રૂવ ! માનું એટલે સૂર્ય. સૂર્યની જેમ, સૂર્યના તેજથી સઘળું જગત પ્રકાશે છે, તેમ. (પ૩૪) અનુવાદ : - સૂર્યની જેમ, જે(આત્મા)નાં તેજ વડે આ સઘળું અનાત્મા-મિથ્યા-તુચ્છ જગત ભાસે છે, તેને (તે આત્માને) પ્રકાશનારું શું કોઈ હોઈ શકે? (પ૩૪). ટિપ્પણ :
આ સકળ જગત પ્રકાશિત થાય છે, સૂર્યના તેજથી. આવા સૂર્યને પ્રકાશનારું અન્ય કોઈ તેજ હોઈ શકે ખરું ? સૂર્ય ઊગ્યો છે કે નહીં તે જોવા-જાણવા માટે, એની ખાતરી કરવા માટે, કોઈ બીજું તેજ લભ્ય ખરું ? અરે, આવાં તેજની લભ્યતાની
ક્યાં વાત કરો છો ? એવી કશી જરૂર રહે છે ખરી ? જે સ્વયં પ્રકાશક છે, તેનું વળી અન્ય પ્રકાશક કોણ ?
એ જ રીતે, જડ-અસત-તુચ્છ-અનાત્મા-નિઃસત્ત્વ એવું આ સકળ જગત, આત્મા વડે, એટલે કે તેનાં જ્ઞાનરૂપી પ્રકાશ વડે પ્રકાશિત થાય છે (માસ); અરે, માત્ર આવું જગત જ શા માટે ? વેદો, દર્શનો, શાસ્ત્રો, પુરાણો, આકાશ વગેરે પંચમહાભૂતો, સમગ્ર સૃષ્ટિના સર્વ ભૂતો પણ આ આત્માનાં તેજ વડે જ, “સત્તા (અસ્તિત્વ), હુર્તિ, ચૈતન્ય વગેરે પ્રાપ્ત કરે છે. ' અરે, સૂર્ય જેવો સૂર્ય પણ, આ જ્ઞાનરૂપી આત્માનાં તેજ વડે જ, પોતે પ્રકાશે છે અને આ અખિલ બ્રહ્માંડને પ્રકાશિત કરે છે !
વિવેકચૂડામણિ | ૧૦૬૭