________________
નિષ્કર્ષ એ જ કે બીજું કોઈ સ્થાન હોઈ શકે જ નહીં. (પરર) અનુવાદ :
(હે સૌમ્ય શિષ્ય !) સર્વ અવસ્થાઓમાં, પ્રશાંત ચિત્તે અને અધ્યાત્મદષ્ટિએ તું જો કે આ જે બ્રહ્મ છે તે જ સત્ય છે. (અને) આથી આ જગત પણ સર્વત્ર બ્રહ્મની પ્રતીતિનો જ પ્રવાહ છે : આંખોવાળાઓ માટે, ચોમેર, રૂપ સિવાય અન્ય કઈ વસ્તુ જેવા-જેવી છે? તેવી જ રીતે, બ્રહ્મજ્ઞાનીની બુદ્ધિ માટે, બ્રહ્મ સિવાય બીજી કઈ વસ્તુ વિહારનું સ્થાન હોઈ શકે? (પરર). ટિપ્પણ:
બ્રહ્મસાક્ષાત્કારની સિદ્ધિ અને પરમતત્ત્વની પ્રાપ્તિ પછી, શિષ્ય, હવે કોઈ સામાન્ય પ્રકારનો મનુષ્ય રહ્યો નથી; અને છતાં, એને, રહેવાનું અને જીવવાનું તો આ દશ્યમાન મિથ્યા જગત-પ્રપંચમાં જ છે; એટલે તે હવે બ્રહ્મદર્શનથી ક્યારેય પણ, લેશમાત્ર પણ, વંચિત ન રહે, એનું સચોટ માર્ગદર્શન, તેને, આચાર્યશ્રી, આ શ્લોકમાં, આપે છે.
મનુષ્યજીવનના સારા-નરસા, સુખદ-દુઃખદ પ્રસંગો(Comedies and Tragedies)માંથી જ એને પણ પસાર થવાનું તો છે જ; અને આવા બધા પ્રસંગો દરમિયાન, (સર્વાસુ અવસ્થાનું Sિ), એ પ્રસંગોનાં દુન્યવી વાતાવરણમાં પણ, એનું બ્રહ્મદર્શન એવું જ, યથાપૂર્વ, સમ્યફ અને સંપૂર્ણ, સતત, ચાલુ જ રહે, તે માટેની, આચાર્યશ્રીની સૂચના સમજવા-જેવી છે :
આમ તો, શિષ્ય જેવા જીવન્મુક્ત માટે તો, આ જગત પણ, સદા-સર્વદા, અને સર્વત્ર સ્વરૂપ એવાં બ્રહ્મની પ્રતીતિનો જ પ્રવાહ છે, એના માટે તો, આ વિનશ્વર વિશ્વમાં પણ, બ્રહ્મ-સાતત્યનો જ ચોમેર સાત્ત્વિક વિલાસ છે; એટલે શિષ્ય, બે વાતનું નિરંતર ધ્યાન રાખવાનું છે. એક તો એ કે બ્રહ્મનું જ દર્શન કર્યા કરવાની એની આધ્યાત્મિક દૃષ્ટિ અકબંધ જળવાઈ રહેવી જોઈએ (અધ્યાત્મશા પશ્ય ); અને બીજું, એ કે એનાં ચિત્તની પ્રવર્તમાન સંપૂર્ણ શાંતિ એવી જ અખંડ અને અભંગ રહેવી જોઈએ (પ્રીતમનસ).
માણસનાં આ સ્કૂલ-ભૌતિક ચર્મચક્ષુઓને ભલે જગતનાં બધાં નશ્વર-રૂપો અને આકારો જ દેખાતાં હોય; અને એમના માટે તો, એકમાત્ર રૂપ સિવાય, સર્વત્ર, જોવા-જેવું બીજું છે શું? આંખની પ્રમાણભૂતતા, આવાં એક જ દર્શન માટે, નિર્માણ થઈ છેને ! ભલે એ આંખો માત્ર રૂપદર્શનમાં જ રાચે, રાચતી રહે ! પરંતુ આ શિષ્ય તો એક નીવડેલો બ્રહ્મજ્ઞાની છે - (બ્રહ્મવિદ્), એની બુદ્ધિને
૧૦૪૨ | વિવેક્યૂડામણિ