________________
देहेन्द्रियादौ कर्तव्ये ममाहम्भाववर्जितः ।
औदासीन्येन यस्तिष्ठेत् स जीवन्मुक्त इष्यते ॥४३७॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
દેહેજિયાદી કર્તવ્ય માહબ્બાવવર્જિતઃ ||
ઔદાસીન્ટેન વસ્તિષ્ઠત્ સ જીવન્મુક્ત ઈષ્યતે I૪૩૭l શ્લોકનો ગદ્ય અન્વય :
देहेन्द्रिय-आदौ कर्तव्ये (च), मम-अहं-भाव-वर्जितः यः औदासीन्येन તિષેત, : વીવનુ: પુષ્યતે IIકરી શબ્દાર્થ : - જીવન્મુક્તનું લક્ષણ, શ્લોકના પહેલાં ત્રણ ચરણમાં, આ રીતે, દર્શાવવામાં આવ્યું છે :
: મન-મહંમવ-વગત: (તિ) | વનંત એટલે વિનાનો, વગરનો, રહિત. જેને અહંકાર કે મમતા રહેતી નથી, જે આવા ભાવોથી રહિત હોય છે. શામાં? - -ન્દ્રિય-સાતી શર્તવ્ય ૨ | - દેહ, ઈન્દ્રિયો, મન, પ્રાણ, બુદ્ધિ - વગેરેની બાબતમાં અને પોતાનાં કર્તવ્ય-કર્મમાં.
વળી, બીજી શી વિશિષ્ટતા છે, એની ? - લાપીન્ટેન : તિષ્ઠત | ૌવાણીચ - શબ્દ આ પહેલાં આવી ગયો છે : ઉદાસીનતા, ઉદાસીનભાવ (Indifference) : જે ઉદાસીનભાવે જ રહે છે, જીવે છે, - તે જીવન્મુક્ત કહેવાય છે. (૪૩૭) અનુવાદ :
દેહ, ઈન્દ્રિયો વગેરેમાં અને કર્તવ્યમાં અહંકાર અને મમતા વિનાનો બનીને, ઉદાસીનભાવે જ રહે છે, તે જીવન્મુક્ત કહેવાય છે. (૪૩૭) ટિપ્પણ :
શ્લોક સહેલો છે, અર્થ સુબોધ છે અને જીવન્મુક્તનાં જે લક્ષણનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેમાંના બંને મુદ્દા, - એટલે કે દેહાદિમાં તથા કર્તવ્યમાં અહંભાવમમભાવ ન રહેવો તથા ઉદાસીનતા, - પણ આ પહેલાં અનેક વાર ચર્ચાઈ ગયા છે; એટલે આ બાબતમાં નવું કશું ઊમેરવાનું રહેતું નથી.
વિવેકચૂડામણિ | ૮૫૯