________________
છે. યથાપૂર્વ એટલે પહેલાંની જેમ; સંસ્કૃતિ: એટલે સંસાર, સંસારીપણું, સંસારવ્યવહાર, સંસાર પ્રત્યેનો અભિગમ. આવા મનુષ્યને સંસાર પ્રત્યે પહેલાંની જેમ અભિગમ રહેતો નથી.
પરંતુ જો આવો સંસાર-અભિગમ રહે તો ? - (સા) સંસ્કૃતિ:અસ્તિ વેત્ । શ્વેત્ એટલે જો (If). “તો” શું ? સ: હિર્મુä: (મસ્તિ) । - તો તે બહિર્મુખ છે; એટલું જ નહીં પણ સઃ વિજ્ઞાતવ્રહ્મમાવ: 7 (સ્તિ) । - તેણે બ્રહ્મતત્ત્વને જાણ્યું નથી, બ્રહ્મભાવને તે પામ્યો નથી. (૪૪૩)
અનુવાદ :
જેણે બ્રહ્મતત્ત્વને યથાર્થપણે જાણ્યું છે, તેના માટે, પહેલાંની જેમ, સંસારીપણું રહેતું નથી. પરંતુ જો તે (એટલે કે તેનું સંસારીપણું) રહે તો, તે બહિર્મુખ છે અને તેણે બ્રહ્મભાવને જાણ્યો નથી. (૪૪૩)
ટિપ્પણ :
-
બ્રહ્મતત્ત્વનું સાચું યથાર્થ જ્ઞાન કોને કહેવાય અને એવાં જ્ઞાનની કસોટી શી એની આ શ્ર્લોકમાં ચર્ચા કરવામાં આવી છે.
પહેલી વાત તો એ કે આ જ્ઞાન (વિજ્ઞાન) એટલે બ્રહ્મતત્ત્વની અ-પરોક્ષ, સાક્ષાત્-પ્રત્યક્ષ અનુભૂતિ(Experience) : સર્વત્ર અભેદ-દર્શન, અદ્વૈત-દર્શન; હકીકતમાં તો, અનુભૂતિ જ નહીં, તે પોતે જ બ્રહ્મસ્વરૂપ બની જાય છે : બ્રહ્મવિદ્ બ્રહ્મ વ મતિ । અને આમ જો તે ખરેખર બ્રહ્મ જ થઈ જાય તો, તેની આવી બ્રાહ્મી દૃષ્ટિમાં, બ્રહ્મથી ભિન્ન કશું જ તેને દેખાય જ નહીં; અને જો કદાચ સંસાર તેને દેખાય તો પણ, તે સંસાર પણ તેને સંસાર-સ્વરૂપ નહીં પરંતુ, બ્રહ્મમય-સ્વરૂપે જ દેખાય !
એટલે જ કહેવાયું છે કે ‘જેવી દૃષ્ટિ, તેવી સૃષ્ટિ !' જેની સર્વાત્મદૃષ્ટિ છે, તેને સમગ્ર બ્રહ્માંડમાં સંઘળું આત્મમય જ દેખાય ! માયામય દૃષ્ટિવાળાને સર્વત્ર માયામય જ દેખાય અને મિથ્યાદૃષ્ટિવાળો તો મિથ્યાનું જ દર્શન કરે !
મૂળ વાત છે, બ્રહ્મતત્ત્વનાં યથાર્થજ્ઞાનની, વિજ્ઞાનની, એટલે કે બ્રહ્મમય બની જવાની. એટલે, બ્રહ્મતત્ત્વની આવી અ-પરોક્ષાનુભૂતિનો દાવો કરનાર કોઈ મનુષ્યનો સંસાર પ્રત્યેનો અભિગમ, પહેલાંની જેમ, એટલે કે તેની બ્રહ્મતત્ત્વવિજ્ઞાન-પ્રાપ્તિ પહેલાંની જેમ, ચાલુ રહે, જો તે સંસાર-અભિમુખ બનવાનું ચાલુ રાખે તો, એક હકીકત પાકી બની જાય કે તે દાવો કરે છે તે પ્રમાણે, તેણે બ્રહ્મભાવની સાચી અનુભૂતિ કરી જ નથી : એની અગાઉની, એ જ બહિર્મુખતા ચાલુ રહી છે ! અને
૮૭૨ / વિવેકચૂડામણિ