________________
સંસાર પ્રત્યે, કશો અભિગમ રહેતો નથી; અને છતાં પણ જો તેની સંસારઅભિમુખતા ચાલુ રહે તો, એનો અર્થ એ જ કે તે સંપૂર્ણ અને સમ્યગુરૂપે બ્રહ્મભાવને પામ્યો નથી.”
આ શ્લોકની પ્રથમ પંક્તિમાંનું આ પહેલાંનું ઉપર્યુક્ત વિધાન, એ દલીલ, વેદાંતદર્શનના વિરોધી અન્ય કોઈક ચિંતકની છે અને એ રીતે તેણે ગયા શ્લોકમાંનાં, આચાર્યશ્રીનાં પ્રતિપાદનનો વિરોધ કર્યો છે.
| દાર્શનિક બાબતોની ચર્ચાની પદ્ધતિ સમજી લેવાની જરૂર છે ઃ કશુંક પ્રતિપાદન કરનાર પક્ષને સિદ્ધાંતી” (સિદ્ધાંતિનું) કહેવામાં આવે છે અને તેનો વિરોધ કરનાર સામા પક્ષને “પૂર્વપક્ષ' કહેવામાં આવે છે. પૂર્વપક્ષે વિરોધમાં કરેલી દલીલનું ખંડન (Refutation) કરતી વખતે, સિદ્ધાંતી, આવી પરિભાષા પ્રયોજે કે “જો તમે આવી દલીલ કરતા હો તો, એટલે કે તમે જો આમ કહેતા હો તો (યુષ્માપ: પર્વ ચતે રૂતિ વે), અમે કહીએ છીએ કે “ના”, આમ નથી (ન)". આમ કહીને, પછી, સિદ્ધાંતી, ખંડન માટેનું પોતાનું વક્તવ્ય રજૂ કરે.
- બ્રહ્મસૂત્ર વગેરે પરનાં આચાર્યશ્રીનાં ભાષ્યોમાં આવી પરિભાષા પ્રયોજવામાં આવી છે. અહીં, શ્લોકની પ્રથમ પંક્તિમાંની દલીલ પૂર્વપક્ષની છે અને પુર્વ યતિ યુષ્કામ: સતે, રૂતિ વેત્ , - એમ કહીને, સિદ્ધાંતી તરીકે આચાર્યશ્રી, પૂર્વપક્ષની પ્રથમ પંક્તિમાંની દલીલનું, બીજી પંક્તિમાં આ પ્રમાણે ખંડન કરે છે : સ- સ્વ-વિજ્ઞાનાત્ વાસના કન્વીમવતિ મન્વીમવતિ-(મદ્ + મૂ એ ધાતુના “ટ્વિ”-રૂપનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂ૫) મંદ થઈ જાય છે, મંદનિષ્ક્રિય-નિર્બળ-અશક્ત થઈ જાય છે. વાસના ક્યારે અને શાને કારણે મંદ થઈ જાય છે ? - સત્યસ્વરૂપ બ્રહ્મતત્ત્વની અદ્વિતીયતાના સમ્યગુ-જ્ઞાનથી; આવું જ્ઞાન થાય ત્યારે; આવાં સમ્યગુ-જ્ઞાનનાં કારણે (વાસના) મંદ થઈ જાય છે. (૪૪૪) અનુવાદ :
(જો તમે એમ કહેતા હો કે) “પૂર્વજન્મની વાસનાઓના વેગના કારણે આ જ્ઞાની, સંસારમાં પ્રવૃત્ત થાય છે.” તો, અમે કહીએ છીએ કે, તમારું આમ કહેવું) “યોગ્ય નથી” : (કારણ કે) સત્યસ્વરૂપ બ્રહ્મતત્ત્વની અદ્વિતીયતાનાં સમ્યગુ વિજ્ઞાન પછી વાસના મંદ થઈ જાય છે. (૪૪૪). ટિપ્પણ :
સિદ્ધાંતી અને પૂર્વપક્ષ, - સામસામા બંને પક્ષની દલીલોની પરંપરાપ્રાપ્ત પરિભાષા, ઉપર, શબ્દાર્થ વિભાગમાં, સવિસ્તર અને સ્પષ્ટ સમજાવવામાં આવી
૮૭૪ | વિવેકચૂડામણિ