________________
એટલે પ્રજ્ઞા. વળી, આ બુદ્ધિમાં વિવેકશક્તિ (Discretion) અને તત્ત્વને, એટલે કે કોઈ પણ વસ્તુનો હાર્દ(Essence)ને ગ્રહણ કરવાની શક્તિ પણ સમાવિષ્ટ હોય છે; તેથી આવો પ્રજ્ઞાવાન મનુષ્ય, સર્વ પ્રકારની ઉપાધિઓથી મુક્ત થઈને, મૂળ-અધિષ્ઠાનસમાં નિરપાધિક બ્રહ્મનું જ, સર્વત્ર દર્શન કરે છે. એનાં આવાં સર્વાત્મદર્શનમાં, ક્યાંય પણ કદિયે કોઈ ભેદને અવકાશ હોય જ નહીં.
અને જીવ-બ્રહ્મ તથા બ્રહ્મ-સંસાર વચ્ચેના અભેદનું જ્ઞાન તો તેને વેદોનાં મહાવાક્યો અને ઉપનિષદોનાં શ્રુતિવચનોનાં અધ્યયન-ચિંતન-મનનમાંથી જ પ્રાપ્ત થઈ ગયું હોય છે.
શ્લોકનાં તાત્પર્ધાર્થનું સમર્થન, નીચેનાં શ્રુતિવચનો સુપેરે કરે છે :
(૧) ત્રીવેટું સર્વમ્ (વ્ર પવ રૂટું સર્વ) | “આ સર્વ બ્રહ્મ જ છે.” મુંડક-ઉપનિષદ.
(२) यत्र तु अस्य सर्वं आत्मा एव अभूत्, तत् केन कं पश्येत् ? । બૃહદારણ્યક-ઉપનિષદ (“પરંતુ જ્યાં આના માટે બધું આત્મા જ બની ગયું, ત્યાં પછી કોણ, કોને, કોના વડે જુએ ?”)
અને શ્રુતિની જેમ સ્મૃતિ પણ આવું જ સમર્થન કરે છે ? ' विभेदजनकेऽज्ञाने नाशमात्यन्तिकं गते । 'ગાત્મનો ત્રાપો એવું પ્રસન્ન : રિસ્થતિ ? (મનુસ્મૃતિ)
(“ભેદનું જનક એવું અજ્ઞાન જયાં પૂરેપૂરું નાશ પામી ગયું હોય, ત્યાં પછી, જે અસ્તિત્વ જ ધરાવતાં નથી એવાં, જીવ-બ્રહ્મ વચ્ચેના ભેદનો વિચાર કોણ કરે”).
શ્લોકનો છંદ અનુષુપ (૪૪૦)
૪૪૧ साधुभिः पूज्यमानेऽस्मिन् पीड्यमानेऽपि दुर्जनैः ।
समभावो भवेद्यस्य स जीवन्मुक्त इष्यते ॥४४१॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
સાધુભિઃ પૂજ્યમાનેડસ્મિનું પદ્યમાનેડપિ દુર્જઃ |
સમભાવો ભવેદ્યસ્ય સ જીવન્મુક્ત ઈષ્યતે I૪૪૧] શ્લોકનો ગદ્ય અન્વય: ",
મમિન (શરી) સાધુનઃ પૂષમાને, દુર્જન () પદ્યમાને માપ, ફર્મા - ૫૫
વિવેકચૂડામણિ | ૮૬૫