________________
પાછળથી, વિવેકબુદ્ધિ મળ્યા પછી, મનુષ્ય, પાછળથી, કેમ કરે ? કેવી રીતે કરે ? કરી શકે ? ‘તત્' એટલે કયું કર્મ ? - બ્રાન્તિવેતાયાં યત્ નુપુષ્ઠિત નાના મં (તેન) તમ્ । બ્રાન્તિવેલા એટલે ભ્રમણાની વેળાએ, અજ્ઞાનના સમયમાં; નાના એટલે વિવિધ, અનેક પ્રકારનાં; જીક્રુપ્તિત એટલે જુગુપ્સા-ઘૃણા ઉત્પન્ન કરે તેવું, નિન્દ, નિન્દનીય, ન-કરવા જેવું. જે વિવિધ, નિંઘ કર્યો તેણે અજ્ઞાન-દશામાં, અગાઉ કર્યાં હતાં, તે કર્મો, જ્ઞાન પામ્યા પછી, તે કેવી રીતે કરી શકે ? (૪૨૨)
અનુવાદ :
દૈવને કારણે આવી પડેલાં દુ:ખોથી ઉદ્વેગ ન થવો તે, વિદ્યાનું, એટલે કે બ્રહ્મવિદ્યાનું, પ્રસ્તુત ફળ છે : ભ્રાંતિના સમયે, (અગાઉ) જે વિવિધ નિન્દ કર્મો મનુષ્ય કર્યાં હોય તે, વિવેક પામ્યા પછી, તે કેમ કરી શકે ? (૪૨૨)
ટિપ્પણ :
આ શ્લોકમાં, આ બે મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે : (૧) બ્રહ્મવિદ્યાની સાચી ફલશ્રુતિ અને (૨) ‘ભ્રાન્તિ’ અને ‘વિવેક', - એ બંનેના સમય દરમિયાન, સાધક-મનુષ્યનો, કર્મ પ્રત્યેનો અભિગમ.
-
(૧) સંસારી જીવનમાં, સુખ-દુઃખ, લાભ-અલાભ, જય-અજય વગેરે દ્વંદ્વોનું વર્ચસ્વ તો સતત ચાલ્યા જ કરતું હોય છે અને આથી દૈવ અને પ્રારબ્ધને કારણે આવી પડેલાં અને અનુભવાતાં, દુ:ખો માટે, આ શ્લોકમાં પ્રયોજાયેલો શબ્દ સૃષ્ટ પૂરેપૂરો યથાર્થ છે, કારણ કે જેણે બ્રહ્મવિદ્યા આત્મસાત્ કરી લીધી હોય એ વિદ્યાવંત સાધક તો, પોતાની એ વિદ્યાનાં અજવાળાંમાં ‘સ્પષ્ટ જોઈ શકે' (દ-પણ્ એટલે જોવું, – એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ, - તૃષ્ટ) કે આવાં દુ:ખોનું આવી પડવું, તે તદ્દન સ્વાભાવિક છે અને તેથી તેને આ સમય દરમિયાન, કશો જ ઉદ્વેગ થતો નથી, તે તો યથાપૂર્વ સ્વસ્થ અને સ્થિર જ રહે છે. આવું વલણ એટલે જ ‘અનુદ્વેગ’ (Non-Chalance) અને આવું સાક્ષાત્, એટલે કે દેખીતું, ‘પ્રસ્તુત’ ફળ, - એ એની બ્રહ્મવિદ્યાનો જ પ્રભાવ છે, જેની પ્રશંસા શ્લોકની પ્રથમ પંક્તિમાં કરવામાં આવી છે. આદર્શ ભક્તનાં લક્ષણો વર્ણવતાં, ગીતાએ પણ, આ ‘અનુદ્વેગ’ને, બ્રહ્મજ્ઞાનીની જેમ, ભક્તનાં અનિવાર્ય લક્ષણ તરીકે, આ રીતે, ગણાવ્યું છે :
यस्मात् न उद्विजते लोकः लोकात् न उद्विजते च यः । હર્ષ-સમર્થ-મય-દેશી: મુત્ત્ત: ય: સ ચ મે પ્રિયઃ ॥ ૧૨, ૧૫ II (દ્દેશ એટલે વ્ + વિન્ એ ધાતુ પરથી બનેલું નામ, Noun) ભગવાન્ શ્રીકૃષ્ણને પણ એ જ ભક્ત પ્રિય છે, જે ‘ઉદ્વેગ’થી મુક્ત હોય ! ૮૨૬ / વિવેકચૂડામણિ
-